________________
[વચનામૃત-૨૧] વાત છે કે “ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી....... આહા....હા...! રાગ—દ્ધવ નહિ, પુણ્ય-પાપ નહિ. આહા...! જેનાં નૈતિક જીવન પણ ઊંચા હોય છે, એ જીવન તરફનું પણ લક્ષ નહિ. આહા..હા..! અંતરના ચૈતનમાંથી ચૈતન વસ્તુ છે તેવી દૃષ્ટિ થતાં તેમાંથી નીકળેલી પરિણમેલી દશા. આહા..હા...! એ ચૈતન્યના પ્રવાહમાંથી પરિણતિમાંથી અવસ્થાનો પ્રવાહ આવ્યો. જેમ કુવામાંથી અવેડામાં પાણી આવે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ કૂવામાં હતું એ અવેડામાં આવ્યું. અવેડો કહે છે ને ? આહા..હા...! એમ ચૈતન્યમાં અંદર વસ્તુથી આહા..હા..હા...! એમાંથી પરિણમીત થયેલી દશા એ “...ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી.. આહા..હા...! ઝીણી વાત તો છે પ્રભુ ! તારી પ્રભુતાની વાત તો બાપા ભગવાન પણ પૂર્ણ કહી શક્યા નથી. આહા.....!
જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો. તે વાણીને અન્ય વાણી તે શું કહે ! અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયાં છે. ૩૩ વર્ષની ઉમરે દેહ છૂટી ગયો છે. પણ એ એકાવતારી થઈ ગયાં છે. મુંબઈમાં લાખોનો ઝવેરાતનો વેપાર હતો. છતાં અંદરમાં ભિન્ન પડી ગયેલાં. નાળિયેરનો ગોળો જેમ છૂટો પડે એમ ધર્મીને સમ્યગ્દર્શનમાં રાગથી અને દેહથી અંદર (ચૈતન્ય) ગોળો ભિન્ન પડી ગયો હોય છે. આહા..હા...!
એ શ્રીમદ્ ૩૩ વર્ષની ઉમરમાં દેહ છૂટી ગયો છતાં પણ આ અનુભવની દૃષ્ટિના જોરથી એટલું બધું આવ્યું હતું કે અમારે હવે એકાદ ભવ કરવાનો છે, બાપુ ! અમે હવે અમારા સ્વદેશમાં જવાના છીએ. અમારો સ્વદેશ અંદર આ ચેતન ભગવાન એ અમારો દેશ છે. આ (બહારનો) દેશ નહિ. અરે..! પુણ્ય ને પાપના પરિણામ પણ પ્રભુ અમારો દેશ નહિ. એ વાત અંદર બહેનના (વચનામૃતમાંથી) આવી ગઈ, પરમ દિ કહી હતી. ૪૦૧ બોલ છે. આહા..હા...! આ તો સંસારથી પાગલ થાય તેની વાતું છે !
(અહીંયા) કહે છે કે જેની ભાવના ચૈતન્યસ્વરૂપ ભગવાન (આત્મા) ! એમાંથી ઊગેલો, પ્રગટેલો અંકુરો પરિણમીને તે પર્યાય - ભાવના કેવી હોય