________________
६०
[વચનામૃત-૨૧] ન રુચે. એવી ચીજ છે ભગવાન !
મુમુક્ષુ : અમને છૂટવા માટે તો કંઈ રસ્તો તો જોઈએ ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : આ રસ્તો છે). એ જ કહે છે ને ભગવાન ! “ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના.... આ છૂટવાનો રસ્તો ! પહેલા શબ્દમાં બેનની વાણી. અનુભવની વાણી છે.
અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. જાતિસ્મરણ એટલે આ જાતિ પહેલા ભવ... પહેલા ભવ... પહેલા ભવ... પહેલા ભવ... એવા નવ ભવ, એનું બહેનને પ્રત્યક્ષ જ્ઞાન છે એનાં અસંખ્ય અબજ વર્ષ થાય છે. કેમકે સુધર્મ સ્વર્ગમાં ગયા હતાં. એમાં એમને કાલની વાત જેમ યાદ આવે એમ અસંખ્ય અબજ (વર્ષની) વાતો યાદ આવી છે. એ વાત આવતાં એને પહેલેથી એવું અંદરથી ઊગ્યું કે લૌકિક નીતિના જેને ઠેકાણાં નથી એને તો આ ચૈતન્યની વાત કોઈ રીતે બેસશે નહિ. સમજાય છે કાંઈ ?
જેને દારૂ, માંસ, માછલા અને પરસ્ત્રીનો ત્યાગ નથી. એને તો નૈતિક જીવનનાં પણ ઠેકાણાં નથી. આહા..હા..! અહીં તો લોકોત્તર નીતિની વાત ચાલે છે. એ લૌકિક નીતિ છે. એવું તો સાધારણ સજ્જન જીવને એવી સ્થિતિ હોય નહિ. દારૂ, માંસ, માછલી, પરસ્ત્રી એ સાધારણ લૌકિક નૈતિક જીવનમાં પણ તે વાત હોઈ શકે નહિ. આહા...! અહીંયા તો એ ઉપરાંત જેને આત્માનું કલ્યાણ કરવું હોય (એની વાત છે). ઓલામાં તો નરક ને નિગોદમાં ભવ છે.
જેને ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી... એ કીધું ? ચેતન્ય સ્વરૂપ જે પુણ્ય ને પાપના વિકલ્પથી રહિત છે. તેવા ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી (એટલે એમાંથી થયેલી દશા. આહા..હા...! જરી ઝીણી વાત છે, પ્રભુ ! (પણ) વાત તો એવી છે. આ કાંઈ નવી નથી. જૈન પરમેશ્વર તીર્થંકરદેવ ત્રિલોકનાથ અનાદિથી એ વાત કરી રહ્યાં છે. એ વાત કાંઈ નવી છે નહિ. એને સમજવા માટે નવી લાગે પણ પરમાત્માની વાણી - જિનેશ્વર ત્રિલોકનાથ એની દિવ્યધ્વનિ મહાવિદેહમાં તો અનાદિથી ચાલે છે. અહીંયા (ભરત ક્ષેત્રમાં) તીર્થંકરનો વિરહ પડે. મહાવિદેહમાં કોઈ દિ તીર્થકરનો વિરહ ન હોય. આહા..હા...! ત્યાં પણ અનંતવાર જન્મ્યો છે અને સમોસરણમાં પણ ગયો છે. પણ અંતરમાં અંદર આત્મામાં ઘા વાગ્યો નથી. આહા..હા...! એ બહારનાં