________________
પ૮'
[વચનામૃત-૧૯] આત્મા પ્રત્યે તેને દ્વેષ છે. આહા..હા...! આવું સાંભળવું કઠણ પડે અંદર ! અહીં તો શુભભાવને ઝેર કીધો છે. અભિપ્રાયમાં કાળો સર્પ (લાગે છે).
જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં ધર્મી જીવને, આત્માનું જ્ઞાન સ્વરૂપ રાગથી ભિન્ન છે, એવો અનુભવ થયો હોવા) છતાં, રાગના સંયોગની વચ્ચે ઊભા હોય તેવા દેખાય) છતાં ...વિભાવથી જુદા છે...' આહા..હા...! વિભાવના પરિણામમાં ઊભો છે છતાં તેનાથી જુદો છે. એ વિભાવ મારો નથી, વિભાવ સ્વભાવ એ વિકાર ને ઝેર છે. . મારું અમૃત
સ્વરૂપ એ વિભાવથી જુદું છે. એમ ધર્મીને - સમકિતીને અનુભવમાં આવ્યા વિના રહેતું નથી. અને અનુભવમાં એમ ન આવે અને શગનો પ્રેમ રહે તો (તેને) આત્મા પ્રત્યે દ્વેષ છે ને (તે) મિથ્યાષ્ટિ છે. આહા.....! પછી ભલે જૈન સંપ્રદાયમાં જન્મ્યો હોય. પણ રાગ પ્રત્યે પ્રેમ છે ને સ્વભાવ પ્રત્યે દ્વેષ છે તો તે મિથ્યાદૃષ્ટિ છે). વિશેષ કહેશે....
E:
૨ આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે. તેમાં રાગ, કર્મ કે શરીર તો તેના નથી પણ પર્યાયમાં ખંડખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી. જડ-ઈન્દ્રિય તો તેના નથી પણ ભાવ-ઈન્દ્રિય ને ભાવ-મન પણ તેના નથી. એક એક વિષયને જાણતી
જ્ઞાનની પર્યાય છે એ ખંડખંડ જ્ઞાન છે. એ પરાધીનતા છે, છે પરવશતા છે, એ દુઃખ છે. પરમાગમસાર-૩૮ ૬)