________________
૪૭
વચનામૃત રહસ્ય
'
શું કીધું એ ? ‘પરાઓ યુન - એવો પાઠ છે. સવવ્વાઓ સુપ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ એમ ફરમાવે (છે) કે અમે તારાથી પર દ્રવ્ય છીએ. અમારા ઉપર જો તારું લક્ષ ગયું તો તને રાગ થાશે અને રાગ થાશે તે ચૈતન્યની ગતિ નથી, એ ચૈતન્યની દુર્ગતિ છે. આહા...હા...! આવી વાત છે ! ‘પરવબાઓ ટુના - તારાથી અમે પર દ્રવ્ય છીએ. તારા દ્રવ્યમાં (રહીશ તો) ‘સદ્દવાઓ સુન અંદરમાં સ્વ દ્રવ્યમાં એકાગ્રતાનું સિંચન કર તો તને આનંદની સુગતિ પ્રગટ થાય. એ સુગતિ (છે). દેવ (ગતિ) એ સુગતિ નહિ. શેઠાઈ કે અબજોપતિ માણસ થાય કે રાજ (થાય, કે) મોટો દેવ થાય. એ સુગતિ નહિ. એ તો દુર્ગતિ છે. એ દુર્ગતિ છે ! આહા..હા...! સુગતિ તો આત્માના આનંદમાં રાગ રહિત થઈને ચૈતન્યની પરિણતિ પ્રગટ થાય તેને અહીંયા સુગતિ કહેવામાં આવે છે અને ૫૨ દ્રવ્ય ઉપર લક્ષ જાય, રાગ થાય એને દુર્ગતિ કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે. સદ્દવાઓ સુ અમૃતનો સાગર ભગવાન (આત્મા) એની દૃષ્ટિ, એકાગ્રતા ને જ્ઞાન કરે તો તારી સુગતિ - ચૈતન પરિણતિ પ્રગટે. પણ તારા ચેતનને ભૂલીને ૫૨ દ્રવ્ય ઉપર લક્ષ કર તો રાગ થશે. એ ચૈતનની ગતિથી વિપરીત ગતિ છે. એની દુર્ગતિ છે. આહા..હા..હા.. ! એ ભગવાન પ્રત્યેની ભક્તિનો રાગ પણ ખરેખર દુર્ગતિ છે. (રાગ) આવે, જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ (થયા) નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને પણ વીતરાગની ભક્તિનો ભાવ, સ્મરણનો (અને) પૂજાનો ભાવ આવે, પણ એ રાગ છે ચૈતનની ગતિ નહિ, ચેતનની જાત નહિ. આહા...હા..! અમૃતના નાથથી એની જાત જુદી છે. (માટે અહીં કહે છે) ‘રાગ સિંચવાથી દુઃખ મળશે.' વૈરાગ્ય અને જ્ઞાન સિંચવાથી અમૃત મળશે. અને રાગ કરવાથી - ચાહે તો શુભરાગ હોય (તો પણ) રાગ કરવાથી દુઃખ મળશે અને દુઃખની એને ખબર નથી કે અમે દુઃખી છીએ નહિ ? એ રાગ વેઠે છે. એ રાગ વેદે છે એ દુઃખ વેઠે છે. આ પૈસાવાળાઓ કે રાજાઓ કે શેઠીયાએ કે દેવ એ બધાં દુઃખી છે. રાગના વેદનમાં પડ્યા છે (એ બધાં દુઃખી છે). આ મારું ને હું એનો એની મજાનો એને જે રાગ આવે છે, એ રાગ તદન દુઃખ છે, આત્માની શાંતિનો વેરી છે ! આહા..હા..! આવી વાત બેસવી, સાંભળવી કઠણ પડે.
માટે ‘જ્ઞાન
વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી...' આત્મા જ્ઞાનાનંદ સત્
-