________________
વચનામૃત રહસ્ય
પ૩ છું. - ચેતનતત્ત્વ તે હું છું. જાણનાર-દેખનાર તત્ત્વ જે આત્મા છે, જેની સત્તાના હોવામાં (આ બધું જણાય છે એ જાણનારો છે એ જાણવાની (જણાવા યોગ્ય) ચીજથી ભિન્ન છે, એના ઉપર દૃષ્ટિ રાખવી. જાણનારો જણાનાર ચીજથી ભિન્ન છે, એના ઉપર દૃષ્ટિ રાખવી. જે જણાય છે તેના ઉપર દૃષ્ટિ. ન રાખવી. આહા..હા..હા...!
ઓલી તો સહેલી વાત હતી . વ્રત કરવા ને અપવાસ કરવા ને પૂજા કરવી ને ભક્તિ કરવી ને દાન કરવું ને દયા કરવી, સહેલું સટ હતું લ્યો ! અને આ આવું મોંઘું નીકળ્યું ! સહેલું કંઈ ન હતું રખડવાનું બધું હતું ! એ કરી કરી ને ચારગતિના ભવ કર્યા છે. આહા....! અનંતવાર મુનિપણું પણ ધારણ કર્યું. આવે છે ને ? પૂર્વે અનંતવાર મુનિપણું ધારણ કર્યું પણ ક્રિયાકાંડ પર દૃષ્ટિ (હતી). જે દયા-દાન-વ્રત, ભક્તિ ને પૂજા એના (. ઉપર દૃષ્ટિ (હતી). (તો) એ તો રાગ ઉપર દૃષ્ટિ છે. આત્મા ઉપર દૃષ્ટિ નહિ.
“મુનિવ્રત ધાર અનંત બેર ત્રિવેક ઉપજાયો મુનિવ્રત ધાર - મુનિવ્રતને ધારીને, અનેકવાર ગ્રિવેક ઉપજાયો. નવમી ગ્રિવેકમાં ગયો. “પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” પણ આત્માના જ્ઞાન વિના, રાગથી ભિન્ન પડ્યાં વિના આત્માનો આનંદ ન આવ્યો. કેમકે પંચ મહાવ્રતનાં પરિણામ (છે) એ પણ દુ:ખરૂપ છે. આહા..હા...! પંચમહાવ્રતનાં પરિણામ એ આસવ છે. એ શુભભાવ છે, એ દુઃખ છે. તેથી કહ્યું કે મુનિવ્રત ધાર અનંત બેર ઝિવેક ઉપજાયો.” પણ આંત્માના જ્ઞાન વિના એને આનંદના અંશનો સ્વાદ આવ્યો નહિ. પંચમહાવ્રતના પરિણામમાં આનંદ નથી દુઃખ (છે) ને રાગ છે. આહા..હા...! આવું આકરું બેસે શી રીતે ? હજી બહારનાં નિવૃત્તિમાં કાંઈ ઠેકાણાં ન મળે એને બેસે શી રીતે ? બાપુ ! કરવું પડશે આ ! આ વિના એને સુખ નહીં મળે).
જે જે દિવસો જાય છે તે તે મૃત્યુની સમીપે જાય છે. જે દેહની જે મુદત લઈને આવ્યો છે તે મુદત છે એ પાકી છે એક સમય ફરે એવો નથી. જે ક્ષેત્રે, જે કાળે, જે નિમિત્તે જે સંયોગમાં દેહ છૂટવાનો તે છૂટવાનો, - છટવાનો ને છટવાનો લાખ ઇન્દ્રો આવે તોપણ એનો એક સમયેનો ફેરફાર
એ કરી શકે એવું નથી. તો દેહની—(રિથતિનાં જેટલાં સમયો દિવસો