________________
૫૪
[વચનામૃત-૧૮] જાય તે મૃત્યુની સમીપે જાય છે. એ મૃત્યુ આવીને એકવાર ઊભું રહેશે તો આ દેહ છૂટી જશે.... ફડાક દઈને...! બધુંય એનું પડ્યું રહેશે. રૂપિયા, બાયડી ને છોકરાં.... આહા...હા...! . એક વાર ન્હોતું ગાયું ? એકવાર ભાવનગરથી) (એક) વૈરાગી આવ્યો હતો. (એ એમ ગાતો હતો) “ઊંચા મંદિરને માળીયા - સોડ તાણીને સૂતો, કાઢો કાઢો રે એને સૌ કહે. જાણે કે જન્મ્યો જ ન્હોતો.” “ઊંચા મંદિરને માળિયા ઊંચા મંદિરને માળિયા સોડ તાણીને સૂતો (એટલે) મરી ગયો એ ! આહા..હા...! એને કોણ શરણ છે ? પછી કહે છે કે “આ રે કાયામાં હવે કાંઈ નથી.” સ્ત્રી જોવે છે આ કાયામાં હવે કાંઈ નથી. એમ ટગ-ટગ ઊભી જોતાં ધ્રુસકે ધ્રુસકે રોવે હાય..હાય...! આ લઈ ગયા ! બાપુ ! એ તો દેહની સ્થિતિ છે ને એ થવાની જ ! થવાની જ....! એમાં ફેરફાર થવાનો નથી. ક્રમબદ્ધમાં દેહની સ્થિતિનો (છૂટવાનો) જે સમય (છે) તે આવ્યે જ છૂટકો છે. એમાં - ક્રમબદ્ધમાં કોઈ ફેરફાર પડે એવું નથી. આહા..હા...! દાક્તરનાં ઈન્વેક્ષન કામ ન આવે ત્યાં !
મુમુક્ષુ : ક્રમબદ્ધમાં જીવી જાવાનું હોય તો કામ આવે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી : (તોપણ) કામમાં ન આવે. દાક્તર પોતે મરી જાય છે ને !
ભાવનગરનો મોટો દાક્તર હતો. એ આમ ઓપરેશન કરતો હતો. એમાં (કહે કે મને કાંઈક થાય છે. મને કાંઈક દુઃખ થાય છે. એમ કીધું ત્યાં ખુરશીએ બેઠો અને દેહ છૂટી ગયો. દાક્તર આખી ઈસ્પીટાલનો સર (હતો) મોટો ! કોણ દાક્તર ? દવા શું કરે ? ને ત્યાં દાક્તર પણ શું કરે ? દાક્તરનો દેહ છૂટશે તો એને ખબર પણ નહિ પડે કે કેમ છૂટયો આ ? આહા...હા...!
અહીં એ કહે છે. ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. વિલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું - એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય.” હું તો જાણનાર દેખનાર છું.' વિકલ્પ આવે એ મારી ચીજ નથી. રાગ આવે, પુણ્ય પાપનો ભાવ થાય પણ એ મારી ચીજ નથી. એમ જાણતાં દૃઢતા થાયઃ આત્મામાં એની દઢતા થાય. જ્ઞાયક....જ્ઞાયક..... જ્ઞાયક....ગાયક.... " જ્ઞાયક....જ્ઞાયક.... એનું પરિણમન થઈ જાય. જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક... થતાં