________________
વચનામૃત રહસ્ય
પ૧ એને કોઈપણ ભવનો ભય લાગે અરેરે...! દેહ છૂટીને ક્યાં જઈશ ? આત્મા તો અનાદિ અનંત છે. એ કાંઈ નાશ થાય એવો નથી. તો અહીંથી છૂટીને જઈશ ક્યાં ? એમ ભવનો ભય લાગે તો એને આત્મા ઉપર દૃષ્ટિ ગયા વિના રહે નહિ. આહા..હા...! પણ જેને ભવનો ડર ને ભય નથી એને આત્મા શું છે ? એ તરફ જવાનું એને વલણ છે નહિ, આહા..હા..! ...જ્ઞાતા-દષ્ટાપણે રહી શકાશે. લ્યો ! (એ ૧૭મો પૂરો થયો). "
/ “દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દૃષ્ટિ : એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું . એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય.” ૧૮.
હCD00 ૦ ૦ ૦ ૦ ૦
૧૮ (ભો બોલ). દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. એકલો માલ છે ! દૃષ્ટિ દ્રવ્ય એટલે ત્રિકાળ વસ્તુ જે છે, ત્રિકાળી જ્ઞાયક દ્રવ્ય વસ્તુ છે એ પર્યાયથી પણ ભિન્ન છે. તેના ઉપર દષ્ટિ (રાખવાની છે) એટલે પર્યાય(ની) દષ્ટિ તેના ઉપર રાખવાની છે. જેમાં પર્યાય નથી તેમાં પર્યાય ને દૃષ્ટિ રાખવાની છે. એમાં રાગ તો નથી એટલે જ્ઞાયકભાવમાં રાગ તો નથી પણ વર્તમાન પર્યાય છે એ (પણ) એમાં નથી. એ પર્યાયને એનામાં જોડવી - એ તરફી વાળવી છતાં પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. છતાં પર્યાયમાં દ્રવ્યનું સામર્થ્ય છે. તેનું જ્ઞાન ને અનુભવ આવે (છે). એટલે એમ કહે છે કે દ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખવાની છે.
“વિકલ્પો આવે પણ દૃષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. વિકલ્પ તો આવે - શુભ આવે, અશુભ આવે, પુણ્ય-પાપનાં પરિણામ પણ આવે, પણ દષ્ટિ તો અંદર દ્રવ્ય ઉપર પડી છે. ધ્રુવના ધ્યેય ઉપરથી દૃષ્ટિ ફરે નહિ. દરિયામાં