________________
વચનામૃત રહસ્ય
૪૫
t0
Eીજી ૦ ૦ ૦ ૦ ૦ (
// “જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે; રાગ સિંચવાથી દુઃખ મળશે. માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી મુક્તિસુખરૂપી અમૃત મેળવ.” ૧૬.
• • • • •
-
(હવે, સોળમો (બોલ). “જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે...' ભગવાન આત્માનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવનો વૈરાગ્ય. શું કહ્યું એ ? શુભ-અશુભભાવમાં ૨ક્ત છે, તેનાથી વિરક્ત (થાય) એ વૈરાગ્ય (છે). વૈરાગ્ય એટલે બાયડી - છોકરાં છોડી, દુકાન છોડીને બેસે માટે વૈરાગ્ય એમ વૈરાગ્ય નહિ. અંદર શુભ કે અશુભભાવ થાય એમાં જે રક્ત છે, તેનાથી વિરક્ત થાય એનું નામ વૈરાગ્ય (છે). અને અંતરમાં આત્માની સન્મુખમાં જાય તેનું (નામ) જ્ઞાન. જ્ઞાન અને વૈરાગ્ય - એનું પાણી અંદર સિંચવાથી આહા..હા...! સમ્યજ્ઞાન ને વૈરાગ્યને અંદર સિંચવાથી અમૃત મળશે. ભગવાન અમૃતનો સાગર છે. આહા..હા...!
શ્રીમદ્ એકવાર લખે છે કે, દુનિયા(એ) બહારની નાળિયેરી દેખીને વખાણ કર્યા પણ અહીં તો અંદર આખી અમૃતની નાળિયેરી છે. આહા..હા...! અંદર અમૃતનો સાગર ભગવાન ડોલે છે. એની નજરું કરી નથી, એની સામું જોયું નથી. એ વાત સાંભળતાં રસ ને પ્રેમ અંતરથી ઉગ્યો નથી. આહા..હા....! (જેને) ઉગે (એએ) અમૃત આવે, એને અમૃત મળે. આહા..હા..!
જ્ઞાન ને વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચે (અર્થાતુ) સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય-પાપનો વૈરાગ્ય એટલે પુણ્ય-પાપના ભાવથી વિરક્તાપણું) એ બે જો અંદર રિચવામાં આવે તો અમૃત સ્વરૂપ ભગવાનનાં આનંદનો અનુભવ આવ્યા વિના રહે નહિ. આહા..હા...! શબ્દો તો સાદા છે.
અમૃત મળશે અમૃત ! (એમ કહ્યું). અમૃત એટલે ? એ અમૃત કોઈ