________________
૩૭
આ વાત પ્રસિદ્ધ કરી છે. આ વાત જ ક્યાં હતી ? - વાત સાચી (છે).
...ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે.' એટલે ? ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય તળ છે, અંદર (આવી) જેની ભૂમિ (છે), એની ઉપર જે પર્યાય છે અને એના ઉપર જે રાગ છે, એ રાગને ન જોતાં, પર્યાયને ન જોતાં, પર્યાય એનું તળિયું એટલે ધ્રુવને જોવે છે. એ પર્યાય છે એ ધ્રુવને જોવે છે. એ એનું તળિયું છે. આહા...હા...! છે ?
‘...તળ ઉપર જ દૃષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે.’ એટલે ? ધ્રુવ જે ચીજ છે, નિત્યાનંદ પ્રભુ ! એમાં એની વર્તમાન પર્યાય એ તરફ ઢળી છે. એકમેક થઈ ગઈ છે' એટલે પર્યાય ને દ્રવ્ય એકમેક (થઈ ગયા છે એમ નથી). (પરંતુ) રાગમાં એકત્વ હતું તે (છૂટીને) દ્રવ્યમાં એકત્વ થયું, એ માટે એકમેક થઈ' એમ કહેવામાં આવે છે. બાકી પર્યાય જે છે એ દ્રવ્યમાં એકમેક થતી નથી. પર્યાય પર્યાયપણે રહે છે (અને) દ્રવ્ય દ્રવ્યપણે રહે છે. અર્થ કઠણ છે.
વચનામૃત રહસ્ય
મુમુક્ષુ :- આપે જ પૂજ્ય ગુરુદેવશ્રી
....પરિણતિ એકમેક થઈ ગઈ છે.' પરિણતિ એકમેક થઈ છે - એનો અર્થ ? વર્તમાન અંદર ચૈતન્યને જોતાં એની વર્તમાન દશા અંદર ચૈતન્ય તરફ ઢળી ગઈ છે. ઢળી ગઈ છે (તેને) એકમેક થઈ (ગઈ) છે એમ કહેવામાં આવે છે. નહિતર પર્યાય ને દ્રવ્ય (બન્ને) કંઈ એકમેક થતાં નથી. બન્ને ભિન્ન ચીજ છે. પર્યાયની મુઘ્ન એક સમયની છે અને ધ્રુવની મુદત ત્રિકાળ છે. બે ચીજ જ ભિન્ન છે, અંદરમાં ભિન્ન છે. રાગથી તો ભિન્ન છે પણ પર્યાયથી પણ અંદર દ્રવ્ય ભિન્ન છે તે ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. આહા...હા...! જરી ઝીણી વાત આવી છે. એ ધ્રુવ એનું તળિયું છે. એ પર્યાય તળને જોવે
છે.
(હવે કહે છે) ‘ચૈતન્યતળિયામાં જ સહજ દૃષ્ટિ છે.’ ધર્મની દૃષ્ટિ ચૈતન્યના તળિયામાં (છે). એટલે ધ્રુવ છે ત્યાં દૃષ્ટિ પડી છે. આહા..હા..હા...! આવો ઉપદેશ....! પેલી સ્થૂળ વાત સાંભળી હોય - વ્રત કરો, અપવાસ કરો, ત્યાગ કરો, તપસ્યા કરો એ ઝટ સમજાય. કારણ કે અનાદિનું કર્યુ છે. એક સેકંડ પણ અંદર આ ચૈતન્યતત્ત્વ કોણ છે એની સામું જોયું નથી ને કર્યું નથી (માટે) ચોરાશીની રખડપટ્ટી કરી છે.