________________
૩૮
વિચનામૃત-૧૨] અહીં તો કહે છે - (ચૈતન્ય) તળમાં એની પર્યાય એકમેક થઈ છે. જે આમ રાગમાં એકત્વ (હતું) તે રાગથી છૂટીને એની પર્યાય આત્મા સાથે એકમેક થઈ છે. એકમેક (થઈ છે) એટલે તે તરફ ઢળી ગઈ છે. ‘એકમેક'નો અર્થ તે તરફ ઢળી ગઈ છે. પર્યાય અને દ્રવ્ય એક થતાં નથી. પર્યાય છે એ દ્રવ્ય ઉપર તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. એ પર્યાય દ્રવ્યને જાણેછે. દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એટલું પર્યાય જાણે છે. છતાં એ પર્યાય. દ્રવ્યમાં ગઈ નથી. તેમ તે પર્યાયમાં તે દ્રવ્ય આવ્યું નથી. તે દ્રવ્યનું સામર્થ્ય છે તે (જાણવામાં - પ્રતીતિમાં આવ્યું છે. ઝીણું છે, ભાઈ ! આહા...હા...! આ બધો અધિકાર ઝીણો છે. '
“ચેતન્યતળિયામાં જ સહજ દૃષ્ટિ છે. ધર્માની (દષ્ટિ) તો ચૈતન્યતળિયું એટલે ધ્રુવ (તેમાં જ છે). એક સમયની અવસ્થા ઉપરથી દૃષ્ટિ છોડી અને ત્રિકાળ ધ્રુવ ઉપર દૃષ્ટિ છે. ' “ “સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ....' શું કહે છે? આત્મા પોતાનો અનુભવ કરતો હોય ત્યારે કે અનુભવમાં ન હોય ને રાગ પણ આવે છે તે વખતે પણ એની દૃષ્ટિ તો ચૈતન્યના) તળિયા ઉપર જ છે. ત્રિકાળી સ્વભાવ ઉપર દૃષ્ટિ છે. એ અનુભવમાં હોય તો (પણ) એમ છે અને રોગ આવ્યો તો જાણે છે), છતાં દૃષ્ટિ તો તળિયા ઉપર છે (એટલે) દ્રવ્ય ઉપર છે. આવી બધી ભાષા....!
” ઓ તો હજારો પુસ્તકો બહાર આવી ગયાં છે. તમારે અહીં આવ્યા ને ? ત્રણ હજાર તો અહીં આવ્યાં છે. ત્રણ હજાર આવ્યાં છે . સાંભળ્યું (છે). આહા..હા..! * *
“સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દૃષ્ટિ છૂટતી નથી....... કહે છે ? ચેતજવસ્તુ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એની જે સમ્યદૃષ્ટિ થઈ છે. તે અનુભવ કરતો હોય તો પણ દૃષ્ટિ ધ્રુવ ઉપર છે અને અનુભવમાંથી નીકળીને કદાચ રાગ પણ આવે તો ખરો, અશુભ ટાળવાશુભરાગ આવે. અશુભરાગ પણ આવે નબળાઈ છે એટલે. છતાં તેની દૃષ્ટિ શુભ અશુભ (ભાવ)ને પર્યાય ઉપર નથી. તેની દષ્ટિ અંદર ધ્રુવ ત્રિકાળી ચીજ છે તેના ઉપર. છે. એને ધર્મી અને (આત્માનો) અનુભૂતિ કરનાર સમકિતી કહેવામાં આવે છે. આહા..હા...હા..! આવી ઝીણી વાતો