________________
: :
“હું શાયક ને આ પર, બાકી બધાં જાણવાનાં પડખાં છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર’ . આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે.” ૧૩.
•
પ્રવચન-૩, વચનામૃત-૧૩ થી ૨૦
વચનામૃત ૧૩મો બોલ. ૧૨મો બોલ ચાલ્યો છે. હું જ્ઞાયક ને આ પર...” હું એક જાણનાર જ્ઞાયક અને બધી ચીજો રાગથી માંડીને આખી દુનિયા - એ બધી પર. ....બાકી બધાં જાણવાનાં પડખાં છે.' આદરવાનું તો આ જ્ઞાયક સ્વરૂપ ભગવાન ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ ધ્રુવ છે. એ એક જ આદરણીય ને સ્વીકારવા લાયક છે. આહા...હા..હા...! છે ? “બાકી બધાં જાણવાના પડખાં
“જ્ઞાયક છું, બાકી બધું પર' - આ એક ધારાએ ઊપડે,... આહા......! હું તો એક જાણનાર... જાણનાર... જાણનાર... (છું) એ સિવાય બીજી બધી ચીજો મારી નહિ. એમ એક ધારાએ (એટલે) એક જ પ્રકારે અંતર્મુખ થઈને ઊપડે તો એમાં બધું આવી જાય છે. એક જ્ઞાયકને જાણતાં એગં જાણી, સવું જાણી.” જેણે એકને જાણ્યો એણે બધાંને જાણ્યાં. ઝીણી વાત છે ભાઈ !
એક જ્ઞાયક ધ્રુવ હોં...! પર્યાય પણ નહિ. જાણનાર પર્યાય - અવસ્થા (છે) પણ જણાવા યોગ્ય જ્ઞાયક તે હું છું. બાકી બધાં જાણવાનાં ઘણાં પડખાં આવે. આદરણીય તો એક જ્ઞાયક છું. આહા...હા...!
...પણ પોતે ઊંડો ઊતરતો જ નથી....... આહા..હા...! ઉપરને ઉપર રહે છે, અંદરમાં જવાનો પ્રયત્ન જ કરતો નથી. બહારના ક્રિયાકાંડ અને બહારના