________________
વિચનામૃત-૧૨]
So on
“દ્રવ્યદૃષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દૃષ્ટિ છૂટતી નથી, દષ્ટિ બહાર
જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; - ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની
સહજ દશા સાધેલી છે.” ૧૨.
હવે બારમ બોલ. દ્રવ્યદૃષ્ટિ પ્રગટી.... એટલે આ ચૈતન્યસ્વરૂપ ભગવાન શુદ્ધ પવિત્ર છે અને પુણ્ય-પાપના રાગથી તે ભિન્ન છે, એમ જેને ધર્મદૃષ્ટિ થઈ છે. ધર્મદ્રષ્ટિ કહો કે દ્રવ્યદૃષ્ટિ કહો કે સમકિત કહો (બધું એકાર્થ છે). દ્રવ્યદૃષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે. શું કહે છે એ ? આત્મામાં જે રાગ છે અને રાગને જાણવાની જે વર્તમાન પર્યાય છે, એ પર્યાયની પાછળ વસ્તુ છે તે તેનું તળ છે, તળિયું છે, એનું પાતાળ
રાગને જાણવાની અત્યારે જે જ્ઞાનની પર્યાય છે, એ એક સમયની પર્યાયને (પાછળ) અંતરમાં, પાતાળ જેમ છે તેમ, અંતરમાં પાતાળ અંતર આત્મા છે. એ એનું તળિયું છે. જગતના (બીજી વસ્તુનાં) પાતાળ હાથ આવે, દરિયાને હેઠે પાતાળ હોય છે પછી ઉપર (પાણી હોય છે, આનું (આત્માનું) તો તળિયું હાથ આવવું કઠણ છે, (એમ) કહે છે.
એક સમયની પર્યાય દ્રવ્ય ઉપર તરતી છે, દ્રવ્ય નામ વસ્તુ ઉપર તરતી છે તેથી તે પર્યાયાની) તળ ઉપર - દ્રવ્ય ઉપર તેની દૃષ્ટિ પડી છે. આહા...હા...હા...! આવું આકરું લાગે ! તમારા તરફથી જ આ વાતને છાપવામાં આવી છે. આહા...!