________________
વચનામૃત રહસ્ય પુણ્ય-પાપ એ આત્માનું (મૂળ) વતન નથી, નાથ ! આહા..હા.... ....મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.' અંતરમાં જ્યાં અમે વતનમાં જવા માંગીએ છીએ ત્યાં બધાં અમારાં છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એ અમારો દેશ છે, એ બધાં અમારાં છે. પુણ્ય ને પાપ એ અમારાં નથી. આહા...હા...! સમ્યગ્દર્શન થતાં - અનુભવ થતાં આ રીત અને આ રીતે જાગૃતિ દશા હોય છે. આહા...હા....!
ધર્મ એ કોઈ સાધારણ (વાત નથી) કે આ પૂજા કરી ને ભક્તિ કરી ને પાંચ-પચીસ લાખ ખર્ચા માટે થઈ ગયો ધર્મ ! એવું નથી). આહા...હા...!
અહીં તો અમારો દેશ જ્યાં છે ત્યાં બધાં) અમારાં છે. ત્યાં અમારું વતન છે, એ અમારો દેશ ને એ અમારું સ્થાન છે. એ અમારો દેશ (છે) ત્યાં અમારે જાવું છે. આહા...હા...!
અહીં તો આપણે અહીંથી લીધું ને ? આહા...અહીં આવ્યું ને ? “અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. આપણો ચાલતો દસમો બોલ. એટલે શું ? કે સિદ્ધપણું જે છે, એ સર્વ જીવ સિદ્ધ સમાન સ્વરૂપે છે. પુણ્ય ને પાપનો રાગ એ કાંઈ પોતાનું સ્વરૂપ નથી. એથી અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ....” હાડકાં કોઈના સ્ત્રીના હોય ને કોઈના હાડકાં શરીરના હોય, એ આત્મા કાંઈ હાડકામય થતો નથી. કોઈને પુણ્ય - પાપના ભાવ તીવ્ર હોય ને કોઈને મંદ હોય, પણ આત્મા પુણ્ય-પાપરૂપે થતો નથી. એ તો અનાદિ અનંત નિર્લેપ અને નિરાવરણ (છે). સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે સ્વદેશ છે. આ...હા...હા...હા...! આવું સાંભળવું કઠણ પડે.
મુમુક્ષુ :- ભાગ્યવાનને જ મળે આવું !
પૂજ્ય ગુરુદેવશ્રી :- (ભાગ્યવાનને) મળે એવું છે, વાત તો સાચી (છે). બાપા આહા...! આ વસ્તુ એવી છે, બાપુ ! બીજાને ભલે ન લાગે. ધંધા આડે નવરાશ ન મળે. એમાં આ વાત આવી તદ્દન (અજાણી લાગે). બાપુ ! કોઈ કહે કે અમે પાપમાં પડ્યા છીએ તો અમને કાંઈક પુણ્યમાં તો લાવો ! પણ અહીં અમારી પાસે પુષ્ય ને પાપની વાત નથી, અહીં તો ધર્મની વાત છે. જેને ધર્મ સમજવો હોય, જેને ધર્મ કરવાની ભાવના હોય, ધર્મની રુચિ થઈ હોય તેને માટે આ વાત છે. પ્રભુ ! પુણ્ય ને પાપ તો અનંતવાર