________________
વચનામૃત રહસ્ય
૧૯ એમ ને એમ ગૂંચાઈને મરી ગયો. એમાં વળી પાંચ-પચાસ લાખ કરોડ બે કરોડ, પાંચ-દસ કરોડ થાય....! થઈ રહ્યું......! આંખ્યું પહોળી થઈ જાય !! આા ...!
અરેરે...! પ્રભુ ! એ જ્ઞાન વિનાનો રાગ છે અને તું ઓળખી શકીશ નહિ. માટે પહેલું આત્માનું જ્ઞાન કર ! અને જ્ઞાન કર તો તું રાગને ઓળખી શકીશ અને તેથી રાગને ઓળખતાં એની સાથે રાગથી વિરક્ત જે વૈરાગ્ય છે, એ વૈરાગ્ય રાગમાં ફસાશે નહિ. સમજાય છે કાંઈ ? આ...હા...હા..હા..!
....વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ.... જેને આત્મજ્ઞાન થયું, સમકિત થયું એ પુણ્ય-પાપના ભાવથી રક્ત હતો એ વિરક્ત થયો. એ હવે ક્યાંય ફસાતો નથી) - ક્યાય રાજી થતો નથી. દુનિયાની કોઈ ચીજમાં તેને રુચિ થતી નથી. કોઈ ચીજમાં એને પોષાતું નથી. કેમ કે રુચિ અનુયાયી વીર્ય ! જેને જેની રુચિ થાય તેનો પુરુષાર્થ તે રુચિ તરફ વળ્યા વિના રહે નહિ. જેને જેનું પોષાણ થાય એ પોષાણ તરફ એનું વીર્ય વળ્યા વિના રહે નહિ. એમ જો આત્માનું પોષાણ થાય તો એનું વીર્ય આત્મા તરફ વળ્યા વિના રહે નહિ. રૂચિ અનુયાયી વીર્ય ! જેની
જ્યાં રુચિ ત્યાં એનું વીર્ય કામ કરશે. આહા..હા..હા..! બહારમાં રૂચિ છે. તો એને ત્યાં વીર્ય કામ કરશે - રાગને દ્વેષ ને પુણ્ય ને પાપમાં. ધમાલમાં પડશે. આ...હા..હા...હા...! આકરું કામ છે ! - આ તો અનુભવની વાણી છે. જગતથી જુદી જાત છે. “...બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે.” (એટલે) સ્વના આનંદમાં ટકાવી રાખે છે. આહા...! આત્માનું જ્ઞાન થયું અને રાગથી વિરક્ત થયો તેને ક્યાંય મોજ લાગતી નથી. બીજા સ્થાનમાં ક્યાંય મોજ લાગતી નથી. પરંતુ) “ઝરવની મોજમાં ટકાવી રાખે છે. પોતાના અતીન્દ્રિય આનંદમાં રહેતો, (તેને) રાગ આવે તેના ઉપર પણ પ્રેમ રહેતો નથી. એને રાગની રુચિ નથી). દયા દાન, વ્રતની રુચિ પણ હોતી નથી. (રાગ) આવે ખરો ! પણ (તેનો) સ્વામી ન થાય, ધણી ન થાય. સ્વરૂપના એ ધણી છે, એ સ્વરૂપનો ધણી રહે. એ રાગનો ધણી ન થાય. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. એમ જેને રાગથી વિરક્ત (એવો) વૈરાગ્ય છે, એ વૈરાગ્ય રાગમાં ફસાઈ જાય એમ નહિ. એ જ્ઞાન આત્માને જાણે અને વૈરાગ્ય છે એ રાગમાં ફસાય