________________
૨૦
વિચનામૃત-૪] નહિ. એ રીતે ....સ્વની મોજમાં ટકાવી રાખે છે.
(હવે કહે છે, જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે.' આ...હા...હા...હા...! જેને આત્મજ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું એવા જ્ઞાન સહિતના વૈરાગ્યને વૈરાગ્ય કહીએ. તેનું વૈરાગ્યમય જ જીવન હોય છે. અને રાગમય જીવન હોતું નથી. વિશેષ કહેશે....
જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના રોટલાનો સ્વાદ ન આવે તેમ જેણે પ્રભુ આનંદ સ્વરૂપ છે એના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી. એકાકારપણું થતું નથી. સ્વ સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય શેયો તે બધાનો રસ તૂટી ગયો છે. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા-જ્ઞાન-ય એક થઈને આનંદનો રસ આવે, એટલી મોકળાશ રાખીને રાગમાં–બહારમાં આવે
(પરમાગમસાર-૩૫૫)