________________
ઉO
[વચનામૃત-૧૦]
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને : ચૈતન્ય જ દેખી રહ્યાં છીએ. કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા : જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈિતન્ય . આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.” ૧૦.
દસમો બોલ). “અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ.... આહા.....! બધાં ભગવાન છે અંદર !! એની પર્યાયમાં - અવસ્થામાં ભૂલ છે. એ તો એક સમયની ભૂલ છે. બાકી વસ્તુ જે દ્રવ્ય છે એ તો ચૈતન્યમૂર્તિ સિદ્ધસ્વરૂપ ભગવાન છે. જેની પર્યાયષ્ટિ ગઈ તે બધાંને અંતરમાં દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ સમાન જોવે છે. આકરી વાત છે, ભગવાન !
અમે બધાને સિદ્ધપણે જ... સિદ્ધપણે જ દેખીએ છીએ. આ બેન એમ કહે છે - અમે તો બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ ! કેમ ? (કેમકે) ....અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યાં છીએ. અમારો ચૈતન્ય અમે જોયો એથી બધાનો આખો એવો જ ચૈતન્ય છે. એવી રીતે અમે દ્રવ્યદૃષ્ટિથી એને - દ્રવ્યને જોઈએ છીએ. એની પર્યાયમાં ભૂલ છે, સંસાર છે . એ વાત એના ઘરે રહી ગઈ, એ એ જાણે. આહા...! પણ એનો જે સ્વભાવ છે, એ શુદ્ધ ચૈતન્ય (સ્વભાવ) જેમ મારો પ્રગટ્યો છે, પર્યાયબુદ્ધિ ટળીને વસ્તુ(ની) દ્રવ્યબુદ્ધિ થઈ છે, તેવાં જ તે ભગવાન (છે). દ્રવ્યબુદ્ધિએ બધાં એવા છે. બધાં આત્માઓ ભગવાન સિદ્ધ સમાન છે. આ...હા..હા..! શ્રીમદ્ભાં આવે છે ને ? “સર્વ જીવ છે સિદ્ધ સમ.'
શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયાં છે. ૩૩ વર્ષમાં દેહ છૂટી ગયો છે. એકાવનારી થઈ અત્યારે સ્વર્ગમાં ગયા છે. વૈમાનિક સ્વર્ગ છે ત્યાં ગયા છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે, કેવળ પામીને મોક્ષ જવાના છે, ઝવેરાતનો