________________
૧૬
વિચનામૃત-૪] નથી. એ કુટુંબ ને કબીલા છોડીને સાધુ થાય તો એ સાધુ નથી. કેમકે એવું સાધુપણું તો અનંતવાર લીધું છે. ‘મુનિવ્રત ધાર અનંત બેર, ત્રિવેક ઉપજાયો, પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' અનંતવાર મુનિપણું ધારણ કર્યું, ૨૮ મૂળગુણ પાળ્યાં, (પાંચ) મહાવ્રત લીધાં પણ એ મહાવ્રતાદિનાં પરિણામ તો રાગ ને આસવ ને દુઃખ છે. આહા...હા..હા...! એનો વૈરાગ્ય જ્યારે થાય ત્યારે પુષ્ય ને પાપનાં બન્ને પરિણામથી વિરક્ત થાય અને આત્મામાં રક્ત થાય. (આમ) આત્માનું જ્ઞાન (તે જ્ઞાની અને પુણ્ય-પાપ (ના પરિણામથી) વિરક્ત તે વૈરાગ્ય (છે), બન્ને એકબીજાને મદદ કરનારા છે. ઝીણી વાત છે ભાઈ ! - આ તો સાદી ભાષામાં બેન બોલી ગયેલાં છે અને આ લખાઈ ગયું છે. પુસ્તક બહાર ઘણાં આવી ગયાં છે. અહીંયા પણ ઘણાં આવ્યાં હશે. (શ્રોતા : ત્રણ હજાર આવ્યાં છે). ૬૦,000 છપાઈ ગયાં છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી. ચારેકોર ગયાં છે. લંડન, અમેરિકા બધે પુસ્તક ગયાં છે. પણ (આ વાત) થોડી ઝીણી પડે. (કેમકે) બીજો પ્રચાર ઘણો અને આ વાત સાંભળવા મળે નહિ એ વિચારે કે દિ ને અંદર નિવૃત્તિ કે દિ લે ? આહા...
અહીં કહે છે “જ્ઞાન વગરનો વૈરાગ્ય...' એટલે શું? જેને આત્માનું જ્ઞાન (થયું હોય) (એટલે કે) રાગથી ભિન્ન, દયા, દાન ને વ્રતનાં પરિણામનાં વિકલ્પથી પણ ભિન્ન એવું જેને જ્ઞાન હોય તેને તેની સાથે રાગનો વૈરાગ્ય (એટલે કે વિરક્તભાવ હોય જ. ઝીણી વાત છે. આહા...હા...! ‘જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી. આત્માના અનુભવ વિનાનો વૈરાગ્ય એ વૈરાગ્ય નથી. એ ભલે કુટુંબ-કબીલા છોડીને, દુકાન છોડીને, પાંચ-પચાસ લાખની પેદાશ હોય એ છોડીને સાધુ થઈને) બેઠો હોય, પંચ મહાવ્રત પાળતો હોય છતાં પણ આત્માનો અનુભવ નથી તો એ અજ્ઞાની છે.
શ્રોતા :- આત્માના અનુભવની કિંમત છે. પૂજ્ય ગુરુદેવશ્રી - અનુભવની કિંમત છે. પ્રથમ સમ્યગ્દર્શનની કિંમત છે. અનુભવ કહો કે સમકિત કહો (બન્ને એકાર્થ છે). જ્ઞાન એટલે આત્મા. (આત્માના) જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી. પણ રૂંધાયેલો કષાય છે. (એટલે કે) દાબેલો કષાય છે. રૂંધાયેલો એટલે દાબેલો છે. (રાગ) ખસ્યો નથી, રાગ ગયો નથી. (પણ) દાળ્યો છે. એ ઉદયમાં આવશે (તેમાં જોડાઈને પાછો) ચાર ગતિમાં રખડશે. આહા...હા..હા...! ઝીણી વાત છે પણ