________________
વચનામૃત રહસ્ય
૬
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી પણ રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વેરાગ્યમય જ હોય છે.” ૪.
હવે ચોથો બોલ. “જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. એ શું કહે છે ? આત્માનું જ્ઞાન (એટલે શુદ્ધ આનંદ સ્વરૂપનું (જ્ઞાન) અને પુણ્ય-પાપના રાગનો વૈરાગ્ય. (અર્થાતુ) પુણ્ય-પાપના પ્રેમથી છૂટી અને રાગથી વિરક્ત થયો એ રાગથી વિરક્ત થયો તે વૈરાગ્ય અને આત્માનું જ્ઞાન થયું તે જ્ઞાન, એ જ્ઞાન અને વિરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપે છે. આહ.. ...ધ...! છે ?
“જ્ઞાન અને વૈરાગ્ય....' વૈરાગ્ય એને કહીએ કે આત્માનું જ્ઞાન જે છે તે રાગ રહિત થયું એવું જ્ઞાન અને રાગમાં જે પુણ્ય અને પાપના ભાવ છે એ બન્નેમાંથી છૂટીને વિરક્ત થાય. (અર્થાત) રાગમાં રક્ત છે તેનાથી વિરક્ત થાય. પુષ્ય ને પાપના પરિણામમાંથી), પુણ્યના પરિણામમાં રક્ત છે તેનાથી વિરક્ત થાય એને વૈરાગ્ય કહીએ. બાયડી - છોકરાં છોડે, દુકાન છોડીને બેઠો, સાધુ થઈ ગયો માટે વૈરાગી છે, એમ નથી, એમ કહે છે. અંતરનાં પુણ્ય ને પાપના ભાવથી વિરક્ત થાય તે વૈરાગ્ય છે). છે ? “જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે.'
જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી....' (અર્થાતુ) જેને અંદર આત્મજ્ઞાન થયું નથી, જેને અંદર આત્માનુભવ નથી, એનો વૈરાગ્ય તે વૈરાગ્ય
-
* *
*
*
*
*
*
*
*