Page #1
--------------------------------------------------------------------------
________________
સફળતા ના સોપાન
નવી-----
આત કા :
Page #2
--------------------------------------------------------------------------
________________
છે
. » હીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
-
~
સફળતાનાં સોપાન છે
(કચ્છ-ભૂજ ખાતે આપેલાં છ મનનીય જાહેર પ્રવચન)
પ્રવચનકાર
પૂ. પાદ સુપ્રસિદ્ધ વક્તા પ્રશાંતમૂર્તિ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર
类縣类採炎孫孫婆婆孫縣裝孫孫瑞姿稀装孫装
સંપાદકઃ શ્રી મફતલાલ સંઘવી
Ha
शन मात्र
| શr (5.5Mનાર .
希希装系类縣姿縣装后装所必界后装所必
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
શાહ રતિલાલ અમરતલાલ વકીલ
શાહ જયંતિલાલ મણિલાલ ૧ માનદ મંત્રી શ્રી વિશ્વમંગલ
પ્રકાશન મંદિર, પાટણ,
સફળતાનાં પાન
અવતરણકાર: શ્રી સુધાવર્ષ પ્રથમ સંકરણ: પ્રત. ૧૦૦૦, વિ. સં. ૨૦૨૪,
વી. સં. ૨૪૯૪: પોષ સુદ એકમ તા. ૧-૧-૬૮ મુ. રૂ. ૨૫૦
પ્રાપ્તિસ્થાનઃ શાહ રતિલાલ પુનમચંદ
વાસણના વ્યાપારી ઠે. બજારમાં, પાટણ. (. ગુ)
New મહાસુખલાલ નેમચંદ શાહ મયૂર આ પ્રિન્ટરી, પોસ્ટ ઓફિસ રેડ, ડીસા. ૬
Page #4
--------------------------------------------------------------------------
________________
&
અર્વાંજલિ - પૂ. પાદ સંયમ–તપમૂર્તિ પ્રશાંતવિદુષી પ્રવતિની ૫ સ્વ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજશ્રીને! | પ્રશાંત, સંયમમૂર્તિ સાથ્વી રત્ન !
બાલ્યકાળમાં પરમ પુનિત પ્રવજયા સ્વીકારી ત્યાગ વૈરાગ્ય, સંયમ, સ્વાધ્યાય ને તપ, તિતીક્ષા ઇત્યાદિ જ ગુણગણથી આપે નિજજીવનને ધન્ય બનાવ્યું છે. કરૂણાભાવિત-માધુર્યભરેલું આપશ્રીનું સ્વચ્છ સ્ફટિક સમ નિર્મળહૃદય પ્રસન્ન મધુર સદાયે સ્મિત વેરતી આપશ્રીની મુખાકૃતિ ભક્ત હૃદમાં હજુ પણ અવિસ્મરણીય રહી છે. જૈન શાસનનાં અલંકાર પૂજ્યશ્રી !
૧૩ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, ૪૦ વર્ષને છે નિર્મળ ચારિત્રપર્યાય પાળી નિજજીવનને ધન્ય
બનાવી આપશ્રીએ જૈનશાસનની અનુપમ પ્રભાવના વિસ્તારી છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી અપૂર્વ છે જાગૃતિપૂર્વક આરાધના કરી, મૃત્યુને પણ મહેન્સવરૂપ બનાવી આપશ્રી અમર બન્યા છે ) તપ, ત્યાગ તથા સંયમી જીવનની સુવાસથી મઘમઘતે વિશાળ સાથ્વી પરિવાર જનશાસનનાં ચરણે સમપી આપશ્રી દિવ્યધામ ભણી સંચર્યા છે, આપશ્રીને તે પ્રભાવશાશ્રી મહાન આત્માને ભક્તિભાવભરી અમારી આ અર્ધાજલિ પૂજ્યશ્રી ક્યાં છે ત્યાં સ્વીકારશે!
&
૦૯
Page #5
--------------------------------------------------------------------------
________________
માસ ગિક:
પૂ. પાદ સુપ્રસિદ્ધવકતા પ્રશાંતમૂર્તિ પન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનાં છ મનનીય જાહેર પ્રવચના ‘સફળતાનાં સેાપાન' રૂપે અહિં પ્રસિદ્ધિને પામે છે, તે ખરેખર અમારે મન આનંદના વિષય છે પૂ. પન્યાસજી મહારાજશ્રી જૈન સંઘમાં એક ચારિત્ર્ય શાલી તપસ્વી તથા શાંત તેમજ એકાંતપરાયણ ચિંતક, મહાપુરુષ તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી પૂ. પાઇ પરમ કારૂણિક સિદ્ધાન્ત મહેાદધિ સંઘસ્થવિર સુવિહિત શિશ મણિ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટ પ્રભાવક પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન છે.
ભદ્રેશ્વરજી તીની યાત્રાના શુભસ’કલ્પ :
વિ. સ. ૨૦૧૮ની સાલમાં તેએાશ્રીનુ ચાતુર્માસ કચ્છના પાટનગર ભૂજ ખાતે શ્રી સંધની આગ્રહભરી વિનંતીથી થયેલ. વર્ષોથી કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધશ્રી ભદ્રેશ્વરજી
Page #6
--------------------------------------------------------------------------
________________
તીર્થની યાત્રા માટે તેઓશ્રીની પ્રબળ ભાવના હતી, તેઓશ્રીના મહાઉપકારી સંસારી પિતાજી પૂ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી મુંબઈ વિહાર દરમ્યાન અંધેરી મુકામે વિ. સં. ૨૦૧૪ અસાડ સુદિ ૨ ગુરૂવાર પુષ્યનક્ષત્ર અમૃતસિદ્ધિગમાં સમાધિપૂર્વક પરમેષ્ઠિ મહામંત્રનું રટણ કરતાં કાલધર્મ પામ્યા. તેઓશ્રી સરળહૃદયી, સાધુચરિત, વાત્સલ્યમૂર્તિ, પ્રભાવશાલી મહાપુરુષ હતા, તેઓશ્રીના હૃદયમાં કચ્છભદ્રેશ્વરજી તીર્થની યાત્રા માટે વર્ષોથી શુભ ભાવના રમતી હતી, ૩૦ વર્ષના નિરતિચાર સંયમી જીવનને નિર્મળ દીક્ષા પર્યાય પાળી તેઓશ્રી ૬૬ વર્ષની વયે કાલધર્મ પામ્યા, જૈનસંઘમાં તેઓશ્રીની ચિરવિદાયથી ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી.
પોતાના સુપુત્ર, સુપુત્રી એમ બંને સંતાનોને શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં સમર્પિત કરી, રત્નત્રયીની નિર્મલ આરાધનાને આત્મકલ્યાણકર સન્માર્ગમાં જ સ્વયં પણ તે કલ્યાણકર મંગલ માર્ગના પથિક બન્યા. તેઓશ્રી પિતાનું જીવન ધન્ય બનાવી, અનેકેનાં જીવનમાં પ્રભુશાસન પ્રત્યેની અવિહડ પ્રીતિ ભક્તિ જાગૃત કરી કૃતકૃત્ય બની ગયા. પિતાના પરમ ઉપકારી તે મહાપુરુષની શ્રી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટેની ભાવના સફળ કરવા પૂ. પંન્યાસજી મહારાજશ્રીના હૃદયમાં એ પ્રબલ સંકલ્પ પ્રગટે કે, હવે જેમ બને તેમ શક્ય હોય તે રીતે તાત્કાલિક શ્રી ભદ્રધરજી તીર્થની યાત્રા થાય તો સારું”
Page #7
--------------------------------------------------------------------------
________________
ને ત્યાર-બાદ વિ.સ. ૨૦૧૪નું ચાતુમાસ મુંબઈ લાલબાગ મેાતીશા જૈન ઉપાશ્રય ખાતે કરી વિ. સં. ૨૦૧૫નુ′ ચાતુર્માસ ખંભાત શ્રી જૈન સંઘની વિન’તિથી તપગચ્છ-અમર જૈનશાળામાં પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ સપરિવાર કર્યું, વિ. સ. ૨૦૧૬નું ચાતુર્માસ શ્રી સિદ્ધગિરિરાજની પુનિત છત્રછાયામાં વ્યતીત કરી, પોતાના વર્ષીતપની નિવિંન્ને પૂર્ણાહુતિના શુભ પ્રસંગ પર પૂ. પાદ શ્રી સિદ્ધગિરિજી તીર્થની પવિત્ર છાયારૂપ શ્રી પાલીતાણાથી મહાસુદેં પંચમીના વિહાર કરી પોતાના અંતેવાસી શિષ્ય પુ મુનિરાજશ્રી મહિમા વિજયજી મહારાજ પૂ. મુનિરાજશ્રી પૂર્ણ ભદ્રવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી ભદ્રાનન વિજયજી મ. પૂ. મુનિરાજશ્રી ચન્દ્રપ્રભવિજયજી મ. પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ. સાથે રાણપુર, ધંધુકા, ખંભાત, અમદાવાદ થઇ ચાલુ વર્ષીતપમાં ચૈત્રવદ ૧૦ના મહામહિમાશાલી પ્રગટ પ્રભાવી દેવાધિદેવ શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથ ભગવંતના તીથ ધામ પરમપવિત્ર શ્રી શખેશ્વરજી તીમાં પધાર્યા.
ચુલસ કલ્પ કન્યા
તેઓશ્રીના વર્ષીતપનું પારણુ` ૨૦ દિવસના મહેાત્સવ પૂર્વક શાંતિસ્નાત્ર સહિત ધામધૂમપૂર્વક ત્યાં અચુ', ત્યાં તેએ શ્રીએ ત્રણ અરૂમની તપશ્ચર્યા કરી ને વૈશાખ વદ ૬ ના શ્રી કચ્છ – ભદ્રેશ્વરજી તીર્થની યાત્રાર્થે તેઓશ્રીએ પ્રયાણ કર્યુ.
Page #8
--------------------------------------------------------------------------
________________
રાધનપુર, વારાહી, સાંતલપુર, આડેસર થઇ ભચાઉ ખાતે પૂ. પાદ પરમકારૂણિક ચારિત્ર ચૂડામણિ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજશ્રીનાં પુનિત દન કરી પૂ. મહારાજશ્રી સપરિવાર જેઠ વદ છના અંજાર પધાર્યાં, ત્યાં તેઓશ્રીની ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન એ જાહેર પ્રવચના ચેાજાયા, શ્રી સંઘે તથા જાહેર પ્રજાએ પૂ. પાદશ્રીના મનનીય પ્રવચનાના સુંદર લાભ લીધા, પૂ. મહારાજશ્રી સપરિવાર જેઠ વદ ૧૧ ના શ્રી ભદ્રેશ્વરજી તીમાં પધાર્યા, તેઓશ્રીનુ સ્વપ્ન ક્ળ્યુ, મનેારથા સફલ અન્યા, હષૅ પુલકિત હૈયે, આનંદ વિભેર નેત્રે અસીમશ્રદ્ધા ભાવથી પૂજ્યપાદ શ્રીએ, શ્રી ભદ્રેશ્વર તીર્થં ભૂષણુ દેવાધિદેવ વત માન શાસનાધિપતિ શ્રષણ ભગવાન શ્રી મહાવીરદેવનાં ભવ્ય ચમત્કારી ને મહામહિમાશાશી પ્રતિમાજીનાં તથા રમણીય ગગનચુંબી જિનાલયનાં દન કરી અપાર પ્રસન્નતા પ્રાપ્ત કરી, અને અનર મધની ચાતુમાસાથે' આગ્રાહપૂર્વક વિન ંતિ થતાં અંજારનુ ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું.
અંજારનું એ યાદગાર ચાતુર્માસ :
શ્રી ભદ્રેશ્વરજી તીર્થની યાત્રાના મહાન લાભ પ્રાપ્ત કરી, ત્યાંથી તેઓશ્રીએ વડાલા, મેઆ, કુન્દરેાડી થઇ પત્રીમાં પ્રવેશ કર્યાં, પત્રીથી તુ ખડી થઈ જેઠ સુદ ૧૪ના તેઓશ્રી સુજશહેરમાં પષાર્યા, ભવ્ય સામૈયા સહુ *પરિવાર તેએશ્રીને પ્રવેશ થયા, ૧૦-૧૧ દિવસની
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા દરમ્યાન તેઓશ્રીના જેન વંડામાં જાહેર પ્રવચને થતાં જેને જેનસંઘ તથા જાહેર પ્રજા ઉલટભેર લાભ લેતા તેઓશ્રીને સંઘે ચાતુર્માસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરી, પણ અંજારનું ચાતુર્માસ નક્કી હેવાથી તેઓશ્રીને સપરિવાર અશાડ સુદ બીજના અંજારમાં પ્રવેશ થયે. અંજાર શ્રી સંઘને ઉત્સાહ તથા ઉમંગ અમાપ હતો, શ્રી ભગવતી સૂત્ર તથા પાંડવચરિત્ર પર નિયમિત પૂ. પાદશીનાં પ્રવચને થતા હતા, ને દર રવિવારે જાહેર પ્રવચને યોજાતા હતા.
શ્રી અંચલગચ્છ – શ્રી ખરતરગચ્છ તથા શ્રી તપાગચ્છના આગેવાન ભાઈએ તેમજ ત્રણેયગચ્છના ભાઈ-બહેને પૂ પાદશીનાં વ્યાખ્યાનેને લાભ લેતા મહામહિમાશાલી પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના ૧૦૮ અઠ્ઠમે પૂ. પાદશીના શુભ ઉપદેશથી શ્રી સંઘમાં થયા, શ્રી નવકાર મહામંત્રને તપ થયા. શ્રી પર્યુષણ પર્વની આરાધના અપૂર્વ ઉલ્લાસથી ઉજવાઈ, ને ૬૪ પ્રહરી પૌષધ શ્રી સંઘમાં સારી સંખ્યામાં થયા, તપસ્વીઓની ભક્તિ માટે આઠે દિવસમાં એકાષણની ભક્તિ શ્રી સંઘ તરફથી ઊત્તમ પ્રકારે જાઈ, ચાતુર્મા સની પૂર્ણાહુતી બાદ બે બાલબ્રહ્મચારી મુમુક્ષુ બહેનની ધામધૂમપૂર્વક ભાગવતી દીક્ષા થઈ, ને શ્રી ભદ્રેશ્વરજી તીર્થને સંઘ પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીની છત્ર છાયામાં નીકળે, ૩૦૦ લગભગ ભાઈ-બહેને તથા ચતુર્વિધ સંઘ સાથે છીપાળતો સંઘ ત્રીજે દિવસે
Page #10
--------------------------------------------------------------------------
________________
ભદ્રેશ્વરજી તીર્થની છાયામાં આવ્યા, ત્યાં ૩ દિવસની સ્થિરતા થઈ, ધામધૂમપૂર્વક તીર્થયાત્રા સહુએ કરી.
કચછની પંચતીર્થીની યાત્રાએ
પૂ. પાદ શ્રી સપરિવાર ત્યારબાદ મુદ્રા, કપાયા, ભુજપુર, દેશલપુર, કેડાય, નાગલપુર થઈ માંડવીમાં ધામધૂમથી પધાર્યા, દરેક સ્થળોએ તેઓશ્રીનાં પ્રવચન
જાતાં, ધર્મભાવિત ભાવુકે ઉલ્લાસથી લાભ લેતા હતા. ત્યાંથી તેઓશ્રી રાયણ, નવાવાસ, મેરાઉ, ગોધરા, લાયજી થઈને અભડાશાની પંચતીર્થી સાંધાણ, સુથરી, સાયરા, કોઠારા, જખૌ, તેરા આદિની યાત્રા કરી નખત્રાણ, આંગીયા, માનકુવા થઈ ભુજ શહેરમાં પધાર્યા શ્રી સઘની વિનંતિથી તેઓશ્રીએ સ્થિરતા કરી, બાદ શ્રી સંધની વિનંતિથી તેઓશ્રીનું ચાતુર્માસ અવે નિહિત થયું.
ભુજનું ભવ્ય ચાતુર્માસઃ
જેઠ વદિ ૧૪ના ભવ્ય સમિવ સહ તેઓશ્રીને ચાતુર્માસાથે પ્રવેશ થયા, પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીના સંસારી પક્ષે વિડિલ ભગિની પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજ જેઓ પોતાનાં વિશાલ પરિવાર સહ મારવાડ પ્રદેશમાં તે અવસરે વિચારી રહ્યા હતા. વિ. સં. ૨૦૧૭ની સાલનું માંડાણી ખાતે ચાતુર્માસ પૂર્ણ કરી, તે પ્રદેશનાં ભવ્ય પ્રભાવશાલી પ્રાચીન તીર્થ ભૂમિ નાં દર્શન કરી, નાકોડાજ જાવાલ, શિરોહી,
Page #11
--------------------------------------------------------------------------
________________
થઈ બામણવાડાથી તેઓશ્રી વૈ. સુદિ અક્ષય તૃતીયાના પુણ્ય દિવસે પધાર્યા ત્યાં તેઓશ્રીની શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી કિરણરેખાશ્રીજીના વર્ષીતપનું પારણું થયા બાદ તેઓશ્રીએ સપરિવાર કચ્છ તરફ વિહાર લંબાવ્યું, ને તેઓશ્રી પાલણપુર, ભીલડીયાજી, રાધનપુર થઈ કછમાં પધાર્યા. ભદ્રશ્વરજી તીર્થની યાત્રા કરી ભુજના સંઘની વિનંતિથી તે ચાતુમાસાર્થે ભુજમાં તેઓશ્રી પધાર્યા.
ભુજના ચાતુર્માસમાં અપૂર્વ આરાધના
ભુજમાં પૂ પાદ પંન્યાસજી મહારાજશ્રીનાં ચાતુ મસથી શ્રી સંઘમાં અપૂર્વ જાગૃતિ આવી, શ્રી અચલગચ૭ શ્રી તપાગચ્છ ને શ્રી ખરતગચ્છ, નાની પક્ષ, છકેરી, મોટી પક્ષ, એ રીતે બધા ગચ્છના ભાઈ-બહેને નિયમિત પૂ. મહારાજશ્રીનાં પ્રવચને સાંભળતા હતા. દરરોજ સવારના ધાર્મિક પ્રવચને ન વંડામાં વિશાલ હેલમાં નિયમિત થતા હતા. તે દર રવિવારે તેઓશ્રીનાં જાહેર પ્રવચને પણ થતા હતાં જેમાં પૂજ્યપાદશ્રી, દાન, દયા, તપ, ત્યાગ, ઔચિત્ય, ઔદાર્ય, પરોપકાર તથા સત્ય, સંયમ, પાપભીરુતા, દમ, વૈરાગ્ય, તિતીક્ષા, ઈત્યાદિ જીવનની ઉન્નતિના પ્રેરક માનવતામૂલક મંગલ તને ઉબેધક સદુપદેશ પિતાની મૃદુ, મધુર ધીર, ગંભીરને શાંતસ્વસ્થ શૈલીમાં એજસ્વી તથા ભાવવાહી વાણીમાં આપતા હતા, પૂ. પાદશ્રીનાં દર રવિવારના જાહેર પ્રવચને સાંભળવા માનવ મહેરામણ ઉલટતો હતો.
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂ. પાશ્રીનાં તે મનનીય પ્રવચનોનું સારભૂત અવતરણ પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સાધ્વીજી મહારાજ શ્રી દર્શનશ્રીજી મહારાજના પરમ વિનેયી સાધ્વીજી મહારાજશ્રી હુ પૂર્ણાંશ્રીજી (શ્રી સુધાવર્ષી) એ ખાસ પરિશ્રમ લઈ કાળજીપૂર્વક કરેલ તે પ્રવચનામાંથી સંપાદિત થયેલાં છ પ્રવચને અહિં આ ગ્રંથમાં પ્રસિદ્ધિને પામે છે.
ભુજ ખાતે પૂ. પાશ્રીના ચાતુર્માંસમાં શ્રી સંઘમાં ખૂબ સુંદર ને અપૂર્વ લાભ થયેલ, શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપની આરાધના ઉલ્લાસપૂક થયેલ, પર્વાધિરાજશ્રી પર્યું પણા મહાપવમાં આઠે દિવસના ૬૪ પ્રહ: પૌષધેા ત્રણેયગચ્છમાં થઇને ૩૩૦ લગભગ થયેલ. આઠ દિવસ એકાસણાની ભક્તિ પણ શ્રી સંઘ તરફથી ઉપધાન તપની જેમ અપૂર્વ ઉલ્લાસ તથા ઉમંગભેર થયેલ. ત્રણેયગચ્છના આખાલવૃદ્ધ ૬ વર્ષના બાળકથી માંડી ૭૦ વર્ષના વચેાવૃદ્ધ સુધી સવ કાઈએ ૬૪ પ્રહર પૌષધમાં લાભ લીધેલ
પૂ. પાદ પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી મ. શ્રી દનશ્રીજી મ તથા તેઓશ્રીના અંતેવાસી પરમ વિનેયી વિદુષી સાધ્વીજી શ્રી '×શ્રીજી મ. પૂ. સાધ્વીજી શ્રી પદ્મકીર્તિશ્રીજી મ પૂ. સાધ્વીજી શ્રી હું પૂર્ણાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી પીયૂષપૂર્ણાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી કિરણ રેખાશ્રીજી આદિ સાધ્વી પરિવારની શુભ નિશ્રામાં હૅનામાં પણ સુંદર જાગૃતિ તથા અપૂર્વ ધમ પ્રભાવના વિસ્તરી હતી.
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂ. પાદશ્રીએ વષીતપ શરૂ કરેલ હતા, તેઓશ્રીએ વર્ષીતપની તપશ્ચર્યામાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરેલી. તેઓશ્રીની શાંત તમય સંયમી જીવનની અનેરી છાપ ભુજના ધર્મપ્રેમી જન સમુદાય પર પડી હતી. તેઓશ્રીને મનનીય ભાવવાહી ધર્મપ્રવચને પ્રત્યે જનતાનું કઈ અપૂર્વ આકર્ષણ થયું હતું. પ્રસ્તુત પ્રકાશનને અંગે
પ્રસ્તુત પુસ્તકમાં સંપાદિત થયેલ છે મનનીય ને ભાવવાહી જાહેર પ્રવચનનાં સારભૂત અવતરણ પરથી પ્રસ્તુત પ્રકારે નવાડીસા ખાતે જ પૂ. પાદશીનાં ચાલુ ચાર્તુમાસમાં ધર્મપ્રેમી, સુપ્રસિદ્ધ ચિંતકને લેખક ભાઈશ્રી મફતલાલ સંઘવીએ કાળજીપૂર્વક પરિશ્રમ લઈ સંપાદિત કરેલ છે. સંશોધન તથા સંપાદન પાછળ પૂ પાદ પ્રવચનકાર પંન્યાસજી મહારાજશ્રીનાં પ્રવચનને ભાવ તથા આશય જળવાઈ રહે તે રીતને તેમ નિષ્ઠા ભાવ જરૂર પ્રશંસા માંગી લે છે.
૫. પાદશીનાં પ્રવચન સંપાદન, સંશોધન તથા પ્રકાશનના આ પ્રયત્ન પાછળ અમારો એજ એક શુભ ઉદ્દેશ છે કે, વાચકે ફરનાર ન્યાયે આ પ્રવચને વાંચી વિચારી માનવ-જીવનના મંગલ તો પ્રત્યે આદરભાવ તેમજ અહ ભાવ કેળવી, જીવનને ઉન્નત ને ઉર્ધ્વગામી બનાવવા પ્રયત્નશીલ બને એ જ એક શુભ કામના અમારી આ પ્રકાશનની પ્રસિદ્ધિ પાછળ રહેલી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
પાદશ્રીનાં પ્રવચનોનુ કાળજીપૂર્વક સારભૂત અવતરણ કરવામાં પૂ. સાધ્વીજી મ. શ્રી હ ́પૂર્ણાશ્રીજી મ. (શ્રી સુધાવર્ષી) એ લીધેલ તે પરિશ્રમ માટે અમે તેઓશ્રીનાં તે અનુગ્રહભાવને પુનઃ પુનઃ અભિનંદન આપી કૃતકૃત્યતા અનુભવીએ છીએ, પૂ. પાશ્રીના પ્રવચનેાનાં પ્રકાશન માટે અમને પ્રેરણા આપનાર તથા તે કાય માં અનેક પ્રકારે સહકાર તથા પ્રોત્સાહન આપનાર ને અમારી સંસ્થાને આત્મીય ભાવે કૃપાદૃષ્ટિપૂર્ણાંક સામે રાખી તેના વિકાસ તથા પ્રગતિ માટે દરેક રીતે અમને ઉત્સાહિત કરનાર પૂ પાદ પન્યાસજી મહારાજશ્રીનાં શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તથા પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીના શિષ્ય પરિવારના તે ઉપકારને અમે પુનઃ પુનઃ કૃતજ્ઞભાવે યાદ કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથ રત્નમાં પૂ. પાદશ્રીનાં પ્રવચનો પ્રકાશિત કરતાં પૂ. પાદશ્રીનાં આક્ષયવિરૂદ્ધ તથા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ તેમજ જૈનશાસનની મર્યાદા વિરૂદ્ધ અમારાથી જે કાંઇ પ્રસિદ્ધ થયુ` હાય તે માટે અમે મિચ્છામિદુક્કડમ દેવાપૂર્ણાંક સર્વ સાહયી વાચક મહાનુભાવાને આદર વિનતિ કરીએ છીએ કે, જે કાંઈ છદ્મસ્થસુલભ ક્ષતિ કે સ્ખલના આ પ્રકાશનમાં અમારા પ્રમાદાદિ દ્વેષના કારણે રહી ગઈ હોય તે તે કૃપાભાવે અમને જણાવે.
પ્રાંતે સ` કાઈ ધર્માનુરાગી સહૃદયી મહાનુભાવા આ ગ્રંથરત્નના વિષયાનું અવગાહન કરી, સફળતાના મંગલ સેાપાનરૂપ અનુપમ ગુણુરત્નાને જીવનમાં પ્રાપ્ત
Page #15
--------------------------------------------------------------------------
________________
કરી સત્ય શિવને સૌદર્ય સ્વરૂપ મંગલમય પરમપદને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવે એજ એક શુભ કામના !
નિવેદકેઃ તા. ૧૨-૧૦-૬૭ ] શાહ રતિલાલ અમૃતલાલ વકીલ આસો સુદિ ૧૦ વિજયા ! શાહ જયંતિલાલ મણિલાલ
માનભંત્રીઓ દશમી ગુરુવાર
શ્રી વિશ્વમંગલ પ્રકાશન વિ. સં. ૨૦૨૩ વીર સં', ૨૪૯૩
મંદિર, પાટણ. (ઉ.ગુ)
છે
Page #16
--------------------------------------------------------------------------
________________
વિશ્વમંગલ પ્રકાશન મંદિર, પાટણ ઉદેશ ને પ્રકાશન પ્રવૃત્તિ
ઉદેશઃ ધર્મશ્રદ્ધા, દેવગુરૂપ્રત્યે ભક્તિ, અધ્યાત્મલક્ષી સંસ્કાર તેમજ શિક્ષણ સંસ્કૃતિ ને સ્વાધ્યાય ઈત્યાદિ કલ્યાણકારી મંગલતના પ્રેરક શિષ્ટ ભાવવાહી સાહિત્યને લોકભોગ્ય શૈલીએ પ્રસિદ્ધ કરવા ઉપરાંત પ્રાચીન સ્વાધ્યાય ગ્રંથોનું પ્રકાશન કરવું. ગ્રંથરત્નની પ્રસિદ્ધિ પાછળ એક પાઈની પણ કમાણીને ઉદ્દેશ રાખેલ નથી. પુસ્તકેના વેચાણમાં જે દ્રવ્ય પ્રાપ્તિ થાય તે પણ પુસ્તકોના પ્રકાશન પાછળ જ ઉપયોગમાં લેવાની છે.
પ્રકાશન પ્રવૃત્તિઃ અત્યાર સુધી સંસ્થા દ્વારા નીચેના પ્રકાશને પ્રસિદ્ધ થયાં છે.
(૧) સુધામાધુરી કા. ૧૬ પછ પેજ પર મૂ ૧ રૂ. પિષ્ટ જ ૧૦ ન. પૈ. અલગ જેમાં પૂ. ગુરૂ મહારાજ શ્રી સંઘમાં ચાતુર્માસાર્થે પધારે ત્યારથી ચાતુ ર્માસ બાદ વિહાર કરે ત્યાં સુધી દરેક પર્વો તથા
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણપ, શાશ્વતી એલીના દિવસેા, દીવાળી જ્ઞાનપંચમી, શ્રી શખેશ્વરજીના અર્જુમા ઈત્યાદિ પ્રસંગાપર ગાઇ શકાય તેવી ભક્તિમધુર ગડુલિ, તદુપરાંત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ શ્રી સીમંધરસ્વામીજી શ્રી સિદ્ધાચલજી તી રાજ તથા ચાવીસ તીર્થંકર ભગવંત ઈત્યાદિની સુંદર ભાવવાહી સ્તવનાએ ઈત્યાદિથી સમૃદ્ધ પ્રકાશન.
(૨) પ્રગતિકે પથપર કા. ૧૬ પેજી ૩૩૪ પેજ દ્વિરંગી જેકેટ પાકું પુ મૂ ૩ રૂા. પૂ પાદ પન્યાસજી મહારાજશ્રીએ રતલામ ખાતે વિ.સ. ૨૦૨૧ (ગુજરાતી)ના ચાતુર્માસ દરમ્યાન જૈન જૈનેતર પ્રજા સમક્ષ માનવતાના મંગલતન્ત્યાનુ ઉદ્દગાન કરતાં પ્રેરક તથા ભાવવાહી હિંદીભાષામાં આપેલાં, જાહેર પ્રવચનામાંથી છ પ્રવચનાનુસારભૂત સરળ હિંદીભાષામાં અવતરણ અહિં પ્રકાશિત થયેલ છે. અદ્યતન પદ્ધતિએ પ્રસિદ્ધ થયેલા આ પ્રવચનાની સરકાઇએ મુક્તકઠે પ્રશ'સા કરી છે, પ્રસિદ્ધ થતાં જ સેંકડા નકલે તેા તાત્કાલિક ખપી ગઇ છે. પેલ્ટેજ ૩૫ હૈ. અલગ.
(૩) દેવવંદનાદિ વિધિસહિત શ્રી નવકારમંત્ર આદિ તપેાની વિધિ: કુલ્સકેપ ૧૬ પેજી ૧૬૦ પેજ કિં. ૧-૨૫ પૈસા શ્રી નવકાર મંત્ર તપના નવે દિવસના નવ દેવવંદના, શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવતના અઠ્ઠમતપની આરાધનાના ત્રણે દિવસના ૩ દેવવંદના શ્રી સીમ'ધર સ્વામીના અઠ્ઠમ તપની આરાધનાના ત્રણે દિવસના ત્રણ દેવવંદના, તેમજ શ્રી અક્ષયનિધિ તપના
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬ દિવસમાં આરાધી શકાય તેવા પાંચ દેવવંદને આ બધા આ પુસ્તકમાં પ્રથમવાર જ પ્રસિદ્ધિને પામે છે. આ સિવાય અન્ય અનેક ઉપાગી ને પ્રચલિત તપની વિધિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ધુને ઈત્યાદિને પ્રથમવાર જ પ્રસિદ્ધ થતે સુંદર સંગ્રહ. આ પુસ્તક દરેક વિધિપ્રેમી તથા જ્ઞાનની આરાધના કરનાર કરાવનારને ઉપયોગી છે.
() સફળતાનાં પાન પૂ. પંન્યાસી મહારાજશ્રી કનક વિજયજી ગણિવરશ્રીએ વિ. સં. ૨૦૧૮ની સાલમાં કચ્છ-ભુજ ખાતે જેને જૈનેતર જિજ્ઞાસુવર્ગની વિશાલ સભાઓમાં માનવતા પ્રેરક, જીવનને ઉન્નત તથા ઉર્ધ્વગામી બનાવનારાં આપેલાં અધ્યાત્મલક્ષી છ જાહેર પ્રવચનને અપૂર્વ સંગ્રહ : કા. ૧૬ પેજ ૨૦૦ પિજ મૂ. ૨૫૦ પિલ્ટેજ ૨૦ પૈ. ઉપરોક્ત પ્રકાશને રજી. થી મંગાવનાર ૬૦ પ. વધારે સમજવા. તાજેતરમાં પ્રસિદ્ધ થનારાં નવાં પ્રકાશન:
સંસ્થા તરફથી નીચેનાં પુસ્તકો તાજેતરમાં પ્રસિદ્ધ થનાર છે. જે જીવનમાં ધર્મભાવના, સંસ્કાર તથા શિક્ષણને શ્રદ્ધાના પ્રેરક તથા ઉપકારક છે. તે
(૧) કથા રત્ન મંજુષા ભા. ૧: રક્ષપ્રદ પ્રેરણાદાયી ને પાને પાને નવી જાણવા જેવી બેધક પ્રાચીન કથાઓથી અમૃદ્ધને સળંગ કથાના રસને જાળવતી ઐતિહાસિક કથા જેની પ્રથમ આવૃત્તિ ખલા ય થયેલી હોવાથી દ્વિતીય આવૃત્તિ પ્રેસમાં છપાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
| (૨) દર્શનમાધુરી પૂ. પ્રશાંત વિદુષી પરમતપસ્વી ચારિત્રરત્ન સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજના જીવન પ્રસંગને આલેખતું તેમજ તત્કાલીન વાતાવરણ તથા વર્તમાન પરિસ્થિતિને સમીક્ષાત્મક શૈલીયે મૂલવતું પ્રેરણાદાયી તથા જીવન જીવવાને સંદેશ સુણાવી જતું જીવનનાં માધુર્યને પ્રગટાવતુ પ્રકાશન (પ્રેસમાં)
(૩) સુબુદ્ધિ સૌરભ: સરળહૃદયી સાધુચરિત્ર વાત્સલ્યમૂર્તિ ગુણાનુરાગી સ્વ. વિદુવર્ય પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજ્યજી ગણિવરશ્રીનાં જીવન પ્રસંગોને આલેખતું અનેક રીતે પ્રેરણાદાયી તેમજ બોધપ્રદ પ્રકાશન.
(૪) પર્યુષણ પર્વ કે પ્રેરક પ્રવચનો પૂ. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર્ય* વિ. સં. ૨૦૨૧ (ગુજરાતી) ની સાલમાં રતલામ ખાતે પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે પ્રારંભના ત્રણ દિવસમાં પાંચ કર્તવ્ય તથા અગીઆર વાર્ષિક કર્તવ્ય પર હિંદી ભાષામાં આપેલ પ્રવચનેનું પ્રેરક પ્રકાશન. - (૫) સ્વાધ્યાય દર્શનમાલા: શ્રી યોગશાસ્ત્ર ૪ પ્રકાશ, જ્ઞાનસાર પ્રકરણ અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, વીતરાગ તેત્ર ઈત્યાદિ સ્વાધ્યાય ગ્ય મૂલગ્રંથની ફુકેપ ૧૬ પછ સાઈઝનું પ્રકાશન.
'(૬) પ્રગતિના પથ પર હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ. (૭) પર્યુષણ પર્વનાં પ્રેરક પ્રવચને હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ
Page #20
--------------------------------------------------------------------------
________________
(૮) પ્રસંગ પરિમલ: “મંગલદીપ' પુસ્તક સુધારા વધારા સાથે દ્વિતીય આવૃત્તિ.
(૯) સંપત્તિને નાશા સુંદરને ધાક બાળકે ભજવી શકે તેવા સંવાદો બીજી આવૃત્તિ.
ઉપરોકત પ્રકાશને ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવા માટેની સંસ્થાની યેજના છે. શ્રી સંઘને તથા ઉદારદિલ સાહિત્યની મહાનુભાવોને નમ્ર વિનંતિ છે કે, સંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને વેગમળે ને સંસ્થા પિતાની પ્રવૃતિમાં વિકાસ સાધી શકે તેમજ તે વધુને પ્રગતિ કરે તે માટે સંસ્થાને સહાયક બનવા અવશ્ય આપ આપને ઉદારદિલે આર્થિક સહકાર આપશોજી.
માનદ્દમંત્રીઓ : શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર,
પાટણ (ઉ.ગુ)
Page #21
--------------------------------------------------------------------------
________________
સસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને સહાયકરનારા ઉદારદિલ મહાનુભાવાની નામાવલી:
(૧) પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રી કનકવિ ચજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેગ્ગાથી શ્રી નવાડીસા જૈનસંઘ તરફથી રૂા. ૫૦૧ સંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃતિ માટે સહાય મલી છે. તેમજ પૂ. મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજશ્રી હસ્તક કલ્પસૂત્ર, ખારસાસૂત્રની સુવર્ણાક્ષરી કપડાપર કલામય ચિત્રો યુક્ત ને સુરોાભનાથી તૈયાર થતી હસ્તલિખિત પ્રતના શુભ કાર્યમાં ૧૫૦૦ રૂા. શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે મળેલ છે. સસ્થા તે માટે શ્રી સઘની કાર્યવાહક કમિટિના આભાર માને છે.
(૨) પૂ. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજ ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી શાંતિભદ્રવિજયજી મહારાજની શુભ નિશ્રામાં રાજપુર ખાતે વિ. સ. ૨૦૨૩માં પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધના થઈ તે પ્રસંગે તેઓશ્રીની શુભ પ્રેરણાથી ૩૦૦ રૂા. શ્રી રાજપુર જૈનસંધ તરફથી સ ંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિ માટે મળેલ છે. જે માટે શ્રી સધના સસ્થા આભાર માને છે,
Page #22
--------------------------------------------------------------------------
________________
| (૩) ૫. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનાં નિશ્રાવને પૂ પરમ વાત્સલ્યસિંધુ પરમેપકારી સ્વ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ મુનિરાજશ્રી પૂર્ણાનંદ વિજયજી મહારાજે તથા પૂ. પંન્યાસજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ચંદ્રપ્રભાવિજયજી મહારાજે જુનાડીસા ખાતે ચાતુર્માસાર્થે સ્થિરતા કરી ને શ્રી સંઘનાં તેઓશ્રીની શુભનિશ્રામાં સુંદર આરાધના થઈ તેની પુણ્યસ્મૃતિ નિમિત્તે પૂ મુનિરાજશ્રી ચંદ્રપ્રવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી જુનાડીસા, ધર્મ શાળા સંઘ તરફથી રૂા. ર૭૫ સંસ્થાના પ્રકાશને શ્રી નવકાર મહામંત્ર તપ આદિવિધિનાં પુસ્તક માટે તથા “સફળતાનાં સંપાન પુસ્તક માટે તેમજ સુર્વણાક્ષરી કલામય મહામૂલ્ય હસ્ત લિખિત શ્રી કલ્પસૂત્ર બારસાસૂત્રને કાર્યને અંગે તેમજ પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ શ્રીની શુભ પ્રેરણાથી ઉપાશ્રય સંઘની તરફથી ૨૫૧ રૂા. સંસ્થા સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને સહાય મળેલ છે. તે માટે સંસ્થા તે સર્વને આભાર માને છે.
(૪) પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સ્વ. સાધ્વી મ. શ્રી દર્શનશ્રીજી મ. ના પરમવિનેયી શિષ્યા પ્રવતિની પ્રશાંતવિદુષી સાધ્વીજી મહારાજની હંસશ્રીજી મ. નાં શુભ સાન્નિધ્યમાં થએલ આરાધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે રૂ. ૨૫૧ શ્રી વાળ જૈન સંઘ તરફથી જે માટે સંસ્થા તે સંઘને આભાર માને છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
(૫) સાવરકુંડલા ખાતે ચાતુમાસાથે બિરાજમાન પૂ. સ્વ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સાધ્વજી મ શ્રી મ. ના પરમ વિનયી શિષ્યા પ્રશાંત વિદુષી સાધ્વીજી મ. શ્રી ત્રિચનાશ્રીજી આદિ સાધ્વીજી સમુદાયના પુણ્ય સાનિધ્યમાં શ્રી શ્રાવિકાસ ઘમાં જે ધર્મારાધના થઇ તેની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સાવરકુંડલા સંઘ તરફથી રૂા. ૫૦૧ તેમજ ૧૦૧ ઝવેરી ભાગીલાલ દેવચંદ પાટણ શ્રી છે.ટાલાલ અમીચંદ દોશી ૫૧ દેશી ત્રંબકલાલ જમનાદાસ દોશી બ્લીચક્ર પ્રેમચંદ ૨૫ સંઘવી ઈન્દુમ્હેન સેાભાગ્ય'ની દીક્ષા નિમિત્તે, ૨૫ ટાલાલ મેારારજી ઉના (હાલ કાનામાગારાલ) આ સહાય સંસ્થાને દર્શનમાધુરી' ‘સુબુદ્ધિ સૌરભ' તેમજ સ્વાધ્યાય દર્શન- માલા' આદિ પ્રકાશનાનાં કાર્ય માટે મળેલ છે. જે માટે સંસ્થા શ્રી સંધના તથા તે તે મહાનુભાવાના આભાર માને છે.
દર્શની જ
(૬) પૂ. પ્રશાંતવિદુષી સાઘ્વીરત્ન પ્રવર્તિની સ્વ, સાધ્વીજી માં શ્રી દાનશ્રીજીના પરમવિનેયી શિષ્યા સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ તથા તેના પ્રશિષ્યા પરવિનયી સાધ્વીજી મ. શ્રી જયરેખાશ્રીજી મ. ના શુભ સાન્નિધ્યમાં થયેલી આરાધના નિમિત્તે રૂા. ૨૦૧ લુણાવા શ્રી શ્રાવિકાસ`ઘ તરફથી હા. શ્રી પુષ્પાબેન સંસ્થાને તેની સાહિત્ય પ્રવૃત્તિમાં સહાય માટે પ્રાપ્ત થયેલ છે.
(૭) પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સ્વ. સાધ્વીજી મ. શ્રી દનશ્રીજી મહારાજના પરવિનયી શિષ્યા પૂ.
Page #24
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ. ના પરમવિનેયી સાધ્વીજી મ. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તથા તેઓના પરમવિનેયી સાધ્વીજી મ. શ્રી રવિચંદ્રાશ્રીજી મહારાજની સાનિધ્યતામાં શ્રાવિકા સંઘમાં થયેલી આરધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે રૂ. ૫૧ શાહ ખાતે રૂ. ૨૦૧ પાંડુર તાન સંઘ તરફથી વસઈ જનસંઘ તરફથી સંસ્થાની સાહિત્ય પ્રવૃત્તિ માટે મળેલા છે. તે માટે સંસ્થા તે શ્રી સંઘને આભાર માને છે.
પૂ. પ્રશાંતવિદુષી સાધ્વીજી મ. શ્રી ત્રિલોચનાશ્રીજીના પરમવિનેયી શિષ્યા પૂ. સાધ્વીજી મ. શ્રી જયકીર્તિશ્રીજી મહારાજ તથા પૂ પ્રવતિની પ્રશાંત વિદુષી સ્વ. સાધ્વીજી મ. શ્રી દર્શનશ્રીજી મહારાજના પરમવિનેયી શિષ્યા પૂ. સાધ્વીજી મહારાજશ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. આદિ સાધ્વી સમુદાયના પુણ્યસાનિધ્યમાં શ્રાવિકા સંઘમાં જે ધર્મારાધના થઈ તેની પુણ્યસ્મૃતિ નિમિત્તે મલાડ (મુંબઈ) જનસંઘ તરફથી રૂા. ૫૦૧ સંસ્થાને તેની સાહિત્ય પ્રવૃત્તિ માટે સહાયના મળ્યા છે. તેમજ રૂા. ૨૦૧ એક ધર્માત્મા તરફથી હ: શ્રી શાંતિલાલ દીપચંદ શાહ આ માટે સંસ્થા તે શ્રી સંઘને આભાર માને છે.
પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સાધ્વીજી મ. શ્રી દર્શનશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી મ શ્રી હેમા પ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીજી મહારાજશ્રી સૂર્યમાલાશ્રીજી તથા પૂ સાધ્વીજી મ. શ્રી ગુણમાલાશ્રીજીના શુભ સાન્નિધ્યમાં થયેલી ધર્મારાધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે.
Page #25
--------------------------------------------------------------------------
________________
રૂા. ૨૦૧ લતામ્હેન રામજી બીજાપુર. ૫૧ ગટુન્હેન ચુનીલાલ લુણાવા ૫૧ ભીખીબ્ડેન જવાનમલજી લુણાવા ૨૫ જ મુખ્તેન જીવરાજ લુણાવા.
(૮) પૂ. ન્યાસજી મહારાજશ્રી કનકવિજયજી ગણિવરશ્રીજીના શિષ્યરત્ન પૂ. મુનિરજાશ્રી મહિમાવિજયજી મહારાજની શુભ પ્રેરણાથી નવાડીસાના ઉદારદિલ મહાનુભાવેએ નીચે મુજબ સડાય સંસ્થાની સાહિત્ય પ્રવૃતિને અંગે કરેલ છે, રૂા. ૧૫૧ શાહ મફતલાલ જેસીંગભાઈ રૂા. ૧૫૧ શાહ પાપ-લાલ જેવતભાઈ, રૂા. ૧૫૧ શાહ માતીલાલ સુખરાજજી રૂા. ૧૦૧ શાહ માનચ'દ ખેતશીભાઈ રૂા. ૧૦૧ શાહ મોતીલાલ મેાહનલાલ રૂા. ૧૦૧ શાહુ જેસીંગલાલ વાડીલાલ રૂા. ૧૦૧ શાહ ભલાજી જગાજી રૂા. ૧૦૧ શાહ નાથાલાલ વીરચંદ ૫૧ શાહ મતલાલ ડાસભાઈ, જુનાડીસા.
:
ઉક્ત સહાયમાં પ્રેરક તે તે પૂ. મુનિભાવવા તેમજ સાધ્વીજી મહારાજે ને અમે કૃતજ્ઞતાના ભાવપૂર્વક પુનઃ પુનઃ આભાર માનીયે છીએ.
પૂ
શ્રી સંઘાને તથા ઉદારદિલ માનુભાવેશને નમ્ર વિનતિ છે કે સંસ્થાની સાહિત્ય પ્રવૃતિના વિકાસ માટે આપ અમને અવશ્ય આર્થિક સહકાર આપશેાજી.
૧૫-૧૧-૨૦
તા.
કાર્તિક સુદિ ૧૧ વિ. સં. ૨૦૨૩
શાહ જયંતિલાલ મણિલાલ માનદ્ મ`ત્રી શ્રી વિશ્વમ ગલ
પ્રકાશન મંદિર, પાટણ. (ઉ.ગુ.)
Page #26
--------------------------------------------------------------------------
________________
• આમુખ ૦
વિ. સં. ૨૦૧૮ના પિતાના ચાતુર્માસ દરમ્યાન, પરમ પૂજ્ય પંન્યાસજી ભગવંત શ્રી કનકવિજયજી ગણિવ, ભૂજ (કચ્છ) ખાતે આપેલાં જાહેર વ્યાખ્યાનને સંગ્રહ “સફળતાનાં સોપાન” નામે આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
પાણીના જોરદાર પ્રવાહને ખાળવામાં જે ભાગ પથ્થરની મજબૂત દિવાલ ભજવે છે એ જ ઉપકારક ભાગ આ પુસ્તક આ મહાન દેશમાં બે–રોકટોક ધસી રહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના જોખમી પ્રવાહને ખાળવામાં ભજવશે તેમાં કેઈ શંકા નથી.
જે પ્રજાના જીવનમાં દયા કેન્દ્રસ્થાને હતી, પરેપકાર જેના અંગભૂત હતો, નીતિ અને સદાચાર જેને પ્રાણપ્યારાં હતાં, એજ પ્રજા આજે પિતાના પરમ ઉપકારી પૂર્વમાંથી નિષ્ઠા ઈને તેમજ બહિર્મુખ જીવનને વરેલા આગેવામાં નિષ્ઠા સ્થાપીને દિન-પ્રતિ દિન બેહાલ બનતી જાય છે. દયા, દાન, પરોપકાર, ત્યાગ, નીતિ, સદાચાર એ બધા જીવનવિધાયક ગુણો સાથે તેને સંબંધ હાર્દિક મટીને માત્ર વાચિક બનતું જાય છે, તે સંજોગોમાં પ્રકાશિત થતું આ પુસ્તક, બળબળતા બપોરના હૈયામાં શાન્તિ રેલાવતા સમીર સમું શિતળ પુરવાર થશે તે નિર્વિવાદ હકીક્ત છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
લેકશાહીના નામે આજ આ દેશમાં સરિયામ જે અંધાધુંધી, અવ્યવસ્થા, અનતિક્તા અને હિંસાત્મક પ્રવૃતિઓ બે-રોકટોક ફાલતી જાય છે તેના નિવારણને મંગલ મારું આ પુસ્તકમાંના વ્યાખ્યામાં હૃદયસ્પર્શી રીતે રજુ થએલે છે.
નિરપરાધી પશુ-પંખીઓ તેમજ જળના ને, જીવન જીવવાને હકક છીનવી લેવાને શું માનવને કઈ હક છે? જો ના, તો પછી લોકશાહીના નામે તેમની દૂર કત્વ કરનારી વર્તમાન રાજ્ય વ્યવસ્થા ન્યાયને વરેલી ગણાય? તેમ છતાં અધિકાંશે સત્વહીન બનતા જતા જીવનમાંથી તે હિંસા સામે પ્રબળ જે પુણ્યપ્રકોપ પ્રકટ જોઈએ તે નથી જ પ્રકટ તે હકીકત છે.
જીવનને સત્ત્વસભર બનાવવાની પાયાની વાતે આ પુસ્તકને પાને, પાને આલેખાએલી છે, આ વ્યાખ્યાને એ જનરંજનના માત્ર હેતુપૂર્વક બેલાએલા શબ્દોના ગુમખાં નથી, પરંતુ સુદીર્ધ ચારિત્રપર્યાયવતા, પરમ તપસ્વી ભગવંતના હૃદયની વાચારૂપે પ્રકટેલા શબ્દોના કલ્યાણકર પુંજ સમાન છે.
પડતા આ કાળમાં, જીવના હિતનું જતન કરવાની મૌલિક વાતે આ પુસ્તક જરૂર આપને સંભળાવશે. જીવનમાં અખંડ શાન્તિ કેમ જમે? તેમજ કઈ રીતે જળવાઈ રહે? તેને મર્મ આ પુસ્તકમાં આપ ઝીલી શકશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
નખ શિખ ભારતીયતાના જીવંત સયા-ધબકાર સમું આ પુસ્તક આપને પણ સો ટચના ભારતીય જીવનની સાચી લગની લગાડશે. ભારતમાં રહીને, અભારતીય જીવન વ્યવસ્થાને અનુરૂપ વિચાર-વાણી તેમજ વર્તન અપનાવીને આપણે જોયું ઘણું છે. જ્યારે બાલામાં મેળવવા જેવું કશું જ મેળવ્યું નથી અને એ રીતે શલા ૧૦૦ વર્ષમાં એક મહાપ્રજા તરીકે યથાર્ય પ્રગતિ કરવાને બદલે આપણે અંધકારમય અવનતિ તરફ ધકેલાઈ રહ્યા છીએ.
આજથી ૫૦-૧૦૦ વર્ષ પહેલાં આ દેશમાં ભાગ્યે જ કઈ પરધન કે પરમારી તરફ નજર પણ નાખતું, જયારે આજની પરિસ્થિતિ તદ્દન અવળી બની ગઈ છે. શેરી-નારી મર્યાદા વટાવતાં જાય છે. માનવમાં પાપ પ્રબળપણે કામ કરતું વર્તાય છે. એ પાપને પ્રેરનારાં નિમિત્તો તેમજ પ્રતીક પણ ખૂબજ વેગપૂર્વક વધતાં જાય છે.
જીવનમાં સફળતા વરવા માટે જરૂરી છે, દયા, ત્યાગ, સાદાઈ, સદ્ભાવ અને સંયમ. આ ગુણને ઘાત કરનારી પરિસ્થિતિ આપણે ન પેદા કરીએ કે ન એવી પરિસ્થિતિને આધીન થઈએ તે માટે આપણે ભારતીય મહાસંતેના વચનમાં વિશ્વાસ કેળવ જ પડશે.
એ વિશ્વાસને વેગ આપનારી ઉપકારક વાતે મનનીય આ પુસ્તકના પ્રત્યેક પાને આપ જરૂર વાંચી
WWW
Page #29
--------------------------------------------------------------------------
________________
શકશે. સફળ જીવનને ખરે ખેરાક આ પુસ્તક આપને પૂરો પાડશે.
ભવ્ય ભારતીય પરંપરાને વફાદાર રહીને જ આપણે સાચું સુખ અનુભવી શકીશું તેમજ બીજા માનવ-પ્રાણીએને કંઈક અંશે પણ ઉપકારક બની શકીશું. સ્કૂલ પદાર્થોમાંથી સુખ મેળવવાના મેહે આપણને અધમૂઓ કરી નાખ્યા છે. ચેતીને સન્માર્ગે વળવામાં જ આપણું હિત છે.
એ ચેતવણુના શંખનાદ સમું આ પુસ્તક આપને જીવનપંથ અજવાળવામાં અગત્યને ભાગ ભજવશે. પરમ પવિત્ર જીવનની ખરી ખુમારી કેવી હોય છે, તે જાણ આપને સમજાવશે.
ધર્મમય જીવનની મંગલમય હવા, પુનઃ આ મહાન રાષ્ટ્રમાં નિબંધપણે વહેતી કરવાના પૂ. પાદ પરમ તપસ્વી ભગવંતના ભાવને વાચા આપવાની ક્ષમતા સહુમાં સવેળા પ્રકટ થાઓ!
કા. સુ. ૧૧ વિ. સં. ૨૦૨૪
મતલાલ સંઘવી
Page #30
--------------------------------------------------------------------------
________________
પૂ.પાદ સુપ્રસિદ્ધવક્તા પ્રશાંતમૂર્તિ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીના વયેવૃદ્ધ પરમતપસ્વી
શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ
જન્મ : વિ. સં. ૧૯૪૮, કોક વદિ ૧૦
- અમદાવાદ
દીક્ષા : વિ. સં. ૧૯૯૬, વૈશાખ શુદિ ૬,
અંધેરી (મુંબઈ)
Page #31
--------------------------------------------------------------------------
________________
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વ.પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્ર વિજયજી મહારાજશ્રીની જીવન સુવાસ
અમદાવાદ ફતાસાની પિલમાં વિશા ઓશવાલ જ્ઞાતીય સુપ્રસિદ્ધ નાણાવટી કુટુંબમાં વિ. સં. ૧૯૪૬ ની સાલમાં નાણાવટી છગનલાલને ત્યાં માતુશ્રી જશોદા
હેનની પુણ્ય કૂખે પૂ. મુનિરાજશ્રીને જન્મ થયેલ, તેઓશ્રીનું શુભ નામ જશુભાઈ હતું, તેમના બે મોટા ભાઈએ ચીમનભાઈ તથા કલ્યાણભાઈ હતા, તેમના ત્રણ બહેન સમજુબેન, કાંતાબેન તથા શાંતાબેન હતાં, જેમાં આજે કાંતાબેન તથા શાંતાબેન વિદ્યમાન છે.
ગૃહસ્થ જીવનમાં જશુભાઈ હાનપણથી જ ધર્મ પ્રત્યે રૂચિવાળા હતા. તેમની મને વૃત્તિ સ્વાભાવિક રીતે જ તપ, જપ તથા ધાર્મિક અનુષ્ઠાને માં વિશેષપણે રહેતી. ગૃહસ્થપણામાંથી જ તેઓ સાધુ જીવન જીવવાનું રાખતા હતા, વ્યાપાર ધંધામાં તેમને રસ એ છે રહેતે, બીજી પણ
Page #33
--------------------------------------------------------------------------
________________
સાંસારિક પ્રવૃત્તિમાં તેમને રસ નહિ જેવા હતા. તેઓ નિયમિત પૂજા, પ્રતિક્રમણુ, વ્યાખ્યાન શ્રવણ, તથા વ્રત પચ્ચક્રૃખાણુ રસપૂર્વક કરતા હતા. તેઓને ખાવાપીવામાં પણ એટલે નિરસભાવ રહે તો કે; તેઓ જ્યારે જમવા એસેતાં ત્યારે બિલકુલ ખેલતાં નહિ અને જે પીરસે તે જમીને ઉભા થઈ જતા હતા, એમની ખાવાપીવાની ચિંતા તેમના ઘરનાને રાખવી પડતી.
।
તેમના વડિલભાઇ શ્રી કલ્યાણભાઈ તથા તેમના ધર્મપત્ની નાર’ગીબ્ડેન, જે શ્રી જશુભાઇના ભાઇ-ભાભી થતા હતાં, તે અન્તે શ્રી જશુમાઇ પ્રત્યે અપાર લાગણી રાખતા, તેમના ભાભી નારગીન્ટુન તે તેમના પ્રત્યે દરેક પ્રકારની કાળજી રાખતા ને તેમની ધર્મભાવનાને પ્રોત્સાહન, આપતા હતા, તે રીતે શ્રી જશુભાઇના, ધર્મપત્નિ લેખાન્હેન પણ, પેાતાના પતિને દરેક રીતે, ધર્મની આરાધનામાં સાનુકૂળ રહેતા હતાં અને પાતે જ પેાતાના શુભ હસ્તે કુ મતિલક કરી ૫૦ વર્ષની વયે જશુભાઈને કલ્યાણકારી ભાગવતી દીક્ષાના માર્ગે પ્રયાણુ કરવા પ્રાત્સાહન આપેલ.
ભાગવતી દીક્ષા : જશુભાઈએ પૂ પાદ પ્રશાંત મૂર્તિ સુપ્રસિદ્ધવકતા પન્યાસજી મહારાજશ્રી કનકવિજયજી ગણિવરશ્રીની પાસે વિ. સં. ૧૯૯૬ : વૈશાખ સુદિ ૬ના દિવસે ધામધૂમથી દીક્ષા
Page #34
--------------------------------------------------------------------------
________________
ગ્રહણુ કરેલ, પાતાના પરમ ઉપકારી પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી તથા પેાતાના પરમ વિનયી અંતેવાસી પુ॰ મુનિરાજશ્રી મહિમા વિજયજી મ. આદિની સાથે. પૂર્વ પન્યાસજી મહારાજશ્રીનું મુંબઈ લાલમાગ માીશા જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૯૫ની સાલનું પ્રભાવક ચાતુર્માસ થયેલ, તે ચાતુર્માસમાં પૂર્વ પ મહારાજશ્રીને છઠ્ઠના પારણે છઠ્ઠથી વર્ષીતપ ચાલુહતા. તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં તે ચાતુર્માસ દરમ્યાન જૈન જૈનેતર પ્રજા ઉમ’ગભેર લાભલેતી હતી, અપેારના યેગશાસ્ત્રની તેઓશ્રી નિયમિત શ્રાવક સાંઘને વાંચના આપતા હતા, ચાતુર્માસબાદ પરામાં વિચરી, અધેરી જૈનસંઘ, તથા દાનવીરસ'ઘવી. શેઠ નગીનદાસ કરમચંદના અતિ આગ્રહથી અધેરી ખાતે તેઓશ્રીના વર્ષી તપની નિને પૂર્ણાહુતી નિમિત્તે શ્રી સથ તરફથી ભક્તિભાવ પૂર્વક ઉજવાયી રહેલ ખુદૃ અષ્ટાત્તરી શાંતિસ્નાત્ર સહિત અડ્ડાઇમહેાત્સવના શુભ પ્રસંગે તેએ શ્રી ઇર્લાબ્રીજ અંધેરી ખાતે પધાર્યા હતા.
આ અવસરે શ્રી કરમચંદ જૈન પૌષધશાળાનું ઉદ્ઘાટન પણ પ્ તપસ્વી પ્રશાંતમૂર્તિ પંન્યાસજી મહારાજશ્રીના શુભ સાનિધ્યમાં થયેલ, ભાગ્યશાલી જશુભાઈને પૂ મહારાજશ્રીના પરિચય તથા વ્યાખ્યાન શ્રવણ થતાં તેમની વૈરાગ્ય ભાવના વધુ પ્રમલ બનતાં તેએએ પૂ પન્યાસજી મહારાજશ્રી પાસે અધેરી મુકામે ભવતારિણી ભાગવતીદીક્ષા ગ્રહણ કરી હતી. આ અવસરે તેએના વિલ બંધુ શ્રી ચીમનભાઇ
Page #35
--------------------------------------------------------------------------
________________
તથા શ્રી કલ્યાણભાઈએ બૃહત શાંતિનાત્ર પૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ સહિત પિતાના ભાઈશ્રી જશુભાઈને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યું હતું.
સંયમી જીવનમાં ગુણસમૃદ્ધિઃ સંયમ સ્વીકાર્યાબાદ તેઓશ્રી પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્ર વિજયજીના શુભનામથી • પં. શ્રી કનક વિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ શ્રીએ જીવનમાં વિનય-વૈયાવચ્ચે ગુણને સુંદર વિકાસ સાધેલ, તપમાં પણ તેઓશ્રીએ સુંદર પ્રગતિ કરી હતી તેઓશ્રીના ગુણેની વિશેષતા ભલભલાને પણ અનુમોદના કરવાને પ્રેરણા આપતી હતી. તેઓશ્રી તપસ્વી છતાં લઘુતા ગુણ તેમનામાં એર હતા, પિતે વયેવૃદ્ધ ને તપસ્વી હોવા છતાં સહુવતી સાધુઓની પડિલેહણું, આદિ ભક્તિ કરવામાં આનંદને તેટલા જ ઉત્સાહ રાખતાં હતાં.
ઉચતપશ્ચર્યા : તેઓશ્રીની તપશ્ચર્યા અદૂભુત હતી. આમ નિયમિત બે ચૌદશ, તથા સુદિ પંચમીને તેઓશ્રી ઉપવાસ કરતા હતા, બે બીજ, વદિ પાંચમ, બે આઠમ તથા બે અગિયારસે, તેઓશ્રી આયંબિલથી એ તપ પ્રાયે કરતાં નહિ, ચેમાસી છે ને કેટલાયે વર્ષો સુધી શાશ્વતી આયંબિલની એલીમાં અઠ્ઠાઈને તપ ચાલુ રાખેલ, આ ઉપરાંત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અમે ને તેઓ શ્રીની પરચુરણ તપશ્ચર્યાઓ ખરેખર અસાધારણ હતી. ૭૦ વર્ષની વયે વિ. સં. ૨૦૧૬ની સાલમાં પિતાના
Page #36
--------------------------------------------------------------------------
________________
પરમાપકારી ગુરૂદેવ પૂ॰ પાદ પંન્યાસજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજીની પાવનકારી છત્રછાયામાં ચાતુર્માસમાં પર્યુષણાપર્વની આરાધના પ્રસંગે ૪૫ ઉપવાસની ઉગ્રતપશ્ચર્યાં તેમણે કરેલ, તે તપશ્ચર્યાં પ્રસ ંગે તે નિમિ-તે તેઓશ્રીના વડીલબંધુ કલ્યાણુભાઈ તથા ભત્રીજા વીરેન્દ્રકુમાર કલ્યાણભાઇ આદિ પરિવારસહ ત્યાં આવેલ ને તેમણે બૃહત્ (અષ્ટોત્તરી) શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહાત્સવ ધામધૂમથી કરી, પેાતાની સુકૃતની સંપતિના સારે લાભ લીધેલ.
પૂ સ્વ.મુનિરાજશ્રીએ . આ ઉપરાંત વિ. સ'. ૧૯૯૮ની સાલમાં તેએશ્રીના પરમગુરૂદેવ પૂ પાદ સંઘસ્થવિર પરમ કારૂણિક સિદ્ધાંતમહાદ(ધે આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રભાવક નિશ્રામાં તીર્થાધિરાજશ્રી સિદ્ધગિરરાજની પાવનકારી શીતલ છત્રછાયામાં પર્યુષણુપર્વની આરાધના પ્રસંગે માસખમણની તપશ્ચર્યા કરેલ, આ ઉપરાંત તેઓશ્રીએ ૨૧, ૧૬, ૧૧, ઉપવાસની તપશ્ચર્યા કરેલ, અઠ્ઠાઈ આ ૧૦૦ ઉપરાંત કરેલ, તેમજ સિદ્ધિતપ તથા ચત્તરિઅદ્ન દસ-દાય તપ કરેલ, પાંચ વર્ષીતપ કરેલ, વીસ સ્થાનકની પાંચ એળીએ કરેલ, ૪૫ અમે તેમજ ૫૫–છઠ્ઠો કરેલ, વર્ધમાન તપની આયંબિલની ૬૨ એળી તેઓશ્રીએ ઠેઠ ૭૧ વષઁની વય સુધી કરીને ચાલુ રાખેલ,
Page #37
--------------------------------------------------------------------------
________________
આટલી તપશ્ચર્યામાં પણ અનુમેદનીય ક્ષમાગુણને તેઓશ્રી ધારણ કરતા હતા.
તીર્થયાત્રા : તેઓશ્રીને તીર્થયાત્રામાં સંસારીપણુંમાંથી જ ઘણે રસ હતું, તેમણે સંસારીપણુમાં શ્રી સમેતશિખરજી, કુલપાકજી, ભાંડુક, અંતરીક્ષજી, કેસરીયાજી, આદિ તીર્થોની યાત્રા કરેલી હતી. શ્રી સિદ્ધગિરિજીની તથા બીજા બધા તીર્થોની તેઓશ્રીએ તીર્થયાત્રાઓ કરેલ, તેઓશ્રીને તીર્થયાત્રા પ્રત્યે પ્રેમ હતું, સંયમ
સ્વીકાર્યા બાદ તેઓશ્રીએ પાંચવાર શ્રી સિદ્ધગિરિજીની નવ્વાણું યાત્રા વિધિ પૂર્વક કરી હતી તથા ગિરનાજી, ઉના, અજારા, શ્રી શંખેશ્વરજી તીર્થની તેઓએ ઘણી વખતે સંસારીપણામાં યાત્રાઓ કરેલ; શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંત પ્રત્યે તેઓને અપૂર્વ ભક્તિભાવ હતે.
અનમેદનીય આરાધના : તેઓશ્રી જયાં સુધી શારિરીક યા માનસિક ર્તિ રહી ત્યાં સુધી પોતાના ૫૦ ગુરૂદેવ પંન્યાસજી મહારાજશ્રીની શુભનિશ્રામાં તથા પિતાના વડીલ ગુરૂ બંધુ ૫ મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તેમજ લઘુગુરૂબંધુ પૂ મુ. શ્રી ભદ્રાનન વિજયજી મહારાજ, પૂ મુ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. ૫ મુ. શ્રીચંદ્રપ્રભવિજયજી મહારાજ આદિની સાથે રહી મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પ્રદેશમાં વિચર્યા હતા. તેમજ પૂ. પાદ પર પકારી વ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિ
Page #38
--------------------------------------------------------------------------
________________
વિજયજી ગણિવરશ્રીની સાથે ચાતુર્માસ રહી તેઓશ્રીની ભક્તિ વૈયાવચ્ચને અપૂર્વલાભ તેઓશ્રીએ લીધેલ, વિ. સં. ૨૦૧૭ની સાલના ચૈત્ર મહિનામાં પૂગુરૂદેવશ્રી સપરિવાર શંખેશ્વરજી તીર્થની યાત્રાએ પધારતાં પાલીતાણા, ખંભાત થઈ અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીની પિતાની ભાવના અમદાવાદ ખાતે સ્થિરતા કરવાની થતાં, તેમણે પૂગુરૂદેવશ્રી પંન્યાસજી મહારાજશ્રીને પિતાની ભાવના જણાવીને તેઓશ્રીએ જ્ઞાનમંદિર ખાતે સ્થિરતા કરી. તેઓશ્રીની શારીરિક પ્રકૃતિ અવસ્થાના કારણે અશક્ત થતાં તેમની સેવાભક્તિને લાભ ૫ મુનિવર્યશ્રી પદ્મપ્રવિજયજી મહારાજે લીધેલ. પૂ. તપસ્વી મુનિરાજશ્રી કુમુદવિજયજી મહારાજ તેઓશ્રી પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવતાં હતા.
સમાધિપૂર્વક કાળધમ: તેઓશ્રીને પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ન કરતાં ચકકર આવતાં પડી ગયેલ ને પગે અને સાધારણ ઈજા થયેલ, ત્યારથી ઠેઠ સુધી લગભગ બે વર્ષ સુધી તેઓશ્રીની દરેક પ્રકારની ભક્તિ વૈયાવચ્ચને લાભ ૫ પરમવૈયાવચી મુનિરાજ શ્રી ચરણપ્રવિજયજી મહારાજે ઉલ્લાસપૂર્વક લીધેલ ૫ સ્વ. મુનિરાજશ્રીની અંતિમકાલની આરાધના પણ તેઓશ્રીએ ખુબજ નિષ્ઠાપૂર્વક કરાવેલ વિ. સં. ૨૦૨૪ના માગસર વદ ૪ થી ૫ મુનિરાજશ્રીની તબીયત નરમ થઈ ગઈ છતાં તેઓશ્રીની જાગૃતિ ને સ્વસ્થતા અપૂર્વ હતી. પૂ મુનિરાજશ્રી ચરણપ્રવિજયજી મહારાજ તેઓશ્રીને આરાધના કરાવતા હતા, તે તેઓશ્રી શાંતિથી
Page #39
--------------------------------------------------------------------------
________________
સાંભળતા હતા, માગસર વિ ૧૨, ૨૦૨૪ને ગુરૂવારના રાત્રે૧૦-૨૦ મિનીટે ઈંક્ષી ક્ષણ સુધી સ્વસ્થતાથી નવકારમંગનુ સ્મરણ કરતાં તેઓશ્રી સમાધિક અમદાવાદ નવર’ગપુરા ઉપાશ્રયખાતે કાળધમ પામ્યા. તેએશ્રીની અતિમ માંદગીમાં તેઓશ્રીના ભત્રીજા ભાઇ વીરેન્દ્રકુમાર કલ્યાણભાઈ આદિ સ’સારીસ્વજના, નવર`ગપુરા જૈન સંઘના આગેવાન શ્રાવકા માહિએ ખંતપૂર્વક તેઓશ્રીની ભક્તિના લાભ લીધેલા, બીજે દિવસે તેઓશ્રીની અંતિમ યાત્રા નવર’ગપુરા શ્રીસ’ઘ તરફથી ઠાઠથી નીકળેલ ને તેએાશ્રીના સમાધિ ક કાલધ પ્રસંગે તેઓશ્રીની આરાધનાની અનુમાદના નિમિત્તે શ્રીસંઘ તરફથી મહાત્સવનુ ભવ્યરીતે આયેાજન થયેલ.
આ રીતે તેઓશ્રી ૨૮ વર્ષના નિલચારિત્રપર્યાયપાલી ૭૮ વર્ષની વયે સમાધિ તથા શાતાપૂર્વક કાલધર્મ પામ્યાછે. તેમના જેવા તપસ્વી, વૈયાવચ્ચી વયે વૃદ્ધ પૂ. મુનિરાજશ્રીના કાલધમથી જૈન સ ંઘમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
શાસનદેવ તેમના આત્માને ચિરશાંતિ આપે! !
તેઓશ્રીનાં પુણ્ય સ્મરણાર્થે ‘સફળતાનાં સપાન’ પુસ્તકનાં પ્રકાશનમાં રૂા. ૩૦૦ની આર્થિક સહાય તેએના ભત્રીજા શ્રી વીરેન્દ્રકુમાર કલ્યાણુભાઈ નાણાવટી તરફથી, શ્રી વિશ્વમ ગલ પ્રકાશન મંદિર સંસ્થાને ભેટ મળેલ છે, જે માટે સંસ્થા તેમને સહૃદયભાવે આભાર માને છે;
માનદમ`ત્રીએ : શ્રી વિશ્વમંગલ પ્રકાશન મદિર, પાટણ,
Page #40
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ:
વિષય: અર્ધાજલિઃ પ્રાસંગિક સંસ્થાને ઉદ્દેશ ને સાહિત્ય પરિચય : ઉદારદિલ મહાનુભાવોની શુભ નામાવલી :
આમુખ : ૧ જીવનની સફળતાને માર્ગ ૨ સાચા સુખનો માર્ગ: ૩ સ્વતંત્રતાના માર્ગે આગે કદમ ? ૪ વિશ્વશાંતિઃ ૫ સમાજવાદને આદર્શ : ૬ રામરાજય :
*
Page #41
--------------------------------------------------------------------------
________________
Page #42
--------------------------------------------------------------------------
________________
જીવનની સફળતાને માર્ગ
આજનું પ્રવચન “જીવનની સફળતાને માર્ગ, એ વિષય પર રાખેલ છે.
કેઈના મનમાં સહેજે પ્રશ્ન ઉઠે કે વ્યાખ્યાનનો વિષય શા માટે આ રાખ્યો?
તે તેને એ ખુલાસે છે કે જીવનની સાચી સફળતા એક માત્ર માનવભવમાં જ સાધી શકાય છે તેથી અગત્યના અનેક વિષયે નજર સામે તરતા હોવા છતાં, અતિ અગત્યના ઉક્ત વિષય પર પ્રવચન રાખ્યું છે.
માનવભવ સાચે જ અતિ દુર્લભ છે.
ચોર્યાસી લાખ યોનિમાં ભટકતે ભટકતે જીવ, અપાર પુણ્યરાશિન સંચયે જ માનવ-જીવનને પામે છે. મતલબ કે માનવભવને લાયકનું પુણ્ય મેળવવા માટે જીવને, ત્રણેય જગતની અનેકવિધ અકથ્ય યાતનાઓમાંથી પસાર થવું પડે છે અને માનવભવ મેળવ્યા પછી જે આત્મા તેની દુર્લભતાના ભાન સાથે તેનો
Page #43
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સેાપાન
:
યથાર્થ સદુપયેાગ કરે છે તે દેવતાઓને પણ વંદ્ય ખની જાય છે.
પુષ્પના ભાવ, એના માત્ર રૂપરંગને કારણે નહિ, પરંતુ એની સુવાસના કારણે અકાય છે, તેમ માનવ-જીવનની સાચી મહત્તા, તેનામાં જાગૃત થએલી માનવતાના કારણે અકાય છે.
સુગધ વગરના ફૂલ જેવું ઉપેક્ષા પાત્ર, માનવતા વગરનું માનવ-જીવન બની જાય.
સાહામણુ ́ શરીર એ માનવતાનું લક્ષણ નથી, પુષ્ટ અંગેપાંગ વડે માનવતાનું માપ નીક્ળી શકતુ નથી. બહારની ટાપટીપ દ્વારા માનવતાની મહેક કાઇ
ફેલાવી શકશે નહિ.
માનવતાને એ આંખેા છે અને એ પાંખા છે.
સદાચાર અને વિચારરૂપી એ આંખ વડે, માનવી વિકટ ભવમાગ વટાવી શકે છે અને પરોપકાર તથા સેવાભાવરૂપી બે પાંખ વડે પેાતાના લક્ષ્ય પ્રતિ ઉડ્ડયન આદરી શકે છે.
માનવના દેહમાં રહીને જ આત્મા, સર્વ કર્મોના ક્ષય કરીને મેાક્ષપદને પામી શકે છે એ સત્ય ઉપર ચિંતાન કરતાં એ સ્પષ્ટ થાય છે કે, માનવદેહની રચના જ એવા પ્રકારની છે કે કરવામાં આવે તે
જો
તેના વિવેકપૂર્ણાંક ઉપયાગ માનવીને તે
સામાન્ય કક્ષાના
Page #44
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન: મહાત્મા બનાવી દે એને મહાત્મામાંથી પરમાત્મા પણ બનાવી શકે.
પણ આમ બને કયારે?
માનવજીવનના રૂપમાં પિતાને મળેલી શક્તિના પ્રત્યેક અંશનો પૂરતા વિવેકપૂર્વક માનવી બરાબર સદુપયોગ કરતે રહે ત્યારે. ઉદારતા
સદાચારપૂર્ણ ઉદારતા એ માનવજીવનની સફળતાને પહેલે પાયે છે.
જીવનની સાચી ઈજજત સદાચારથી જ થાય છે.
આ સદાચારને જન્મ સર્વિચારમાંથી થાય છે. સવિચારમાં સ્વાર્થ ત્યાગ, પરમાર્થ વગેરેને સમાવેશ થાય છે.
અન્ય પાસે જે તે પદાર્થની માગણી કરવાથી માનવી, મોટે નહિ પણ નાને બને છે, જ્યારે પિતાની પાસેના પદાર્થોને સ્વેચ્છાએ, ઉલાસપૂર્વક અન્યના હિતમાં ત્યાગ કરવાથી તે કુદરતી રીતે મેટ બની જાય છે.
બદલા કે જાહેરાતની સહેજ પણ અપેક્ષા રાખ્યા સિવાય સૂર્ય જગતને પ્રકાશ આપે છે, ચન્દ્ર શિતળતા બક્ષે છે, સરવર પાણી આપે છે, વૃક્ષે ફળફૂલ આપે છે અને તેથી જગતમાં તેમની કિંમત અંકાય છે, પરેપ
Page #45
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન
-
-
-
-
-
-
કારની વાત નીકળે છે ત્યારે તેમને ભાવપૂર્વક યાદ કરવામાં આવે છે.
મતલબ કે દુર્લભ માનવજીવનની સફળતા માટે સ્વાર્થ–ત્યાગ અને પરમાર્થ પરાયણતા એ માત્ર આવશ્યક નહિ, પરંતુ અનિવાર્ય બની જાય છે.
માનવજીવનને બરબાદ થતું અટકાવવા માટે, તેના પ્રત્યેક કણને સદુપયોગ કરવાના નિર્ધારપૂર્વક નબળાને દૂર ફગાવી દે, સારાને સાદર ગ્રહણ કરે!
સંસારમાં સારું જે કાંઈ મળે છે તે પુણ્યના પ્રભાવે, અને નબળું બધું પાપના ઉદયે ખેંચાઈને માનવીની
મેર વિવિધ પ્રકારની વિટંબણારૂપે ગોઠવાઈ જાય છે. * પુણ્ય પણ સદાચારપૂર્ણ જીવન સિવાય નથી બંધાતું એટલે પુણ્યના બહાને, સદાચારપૂર્ણ જીવનને છેહ ન દેવાઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
પુણ્યના ઉદયે મળેલી સંપત્તિ ઉપર મમત્વની મહેર મારે, તે સંપત્તિમાંથી એક કણ પણ બીજાને આપવાની વાત સાંભળતાં જ જે દુઃખી દુઃખી થાય તે માનવ, માટે ભાગે દુર્લભ માનવભવ હારી જાય છે.
પિતાને મળેલી સંપત્તિ વડે અનેકની વિપત્તિ દૂર કરવાના પ્રયત્નમાં માનવીની મહત્તા છે. ભાણે બેસીને મનગમતાં ભેજન આગતી વખતે પણ તમારા દિલમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
:૫
સફળતાનાં સેાપાન:
અનેકની ભૂખ ભાગવાના ભાવ રહેવા જોઈએ. માત્ર પંડનું તા એક કીડી પણ કરતી હાય છે.
માનવજીવનની સફળતા જેકાંઈ મળ્યુ છે. તેના ભાવપૂર્વક પરાર્થે ઉપયાગ કરવામાં રહેલી છે. ઉદારતા વગરના જીવનના ભાર વધુન કરવા માત્રથી તમે જીવનમાં એક દારાવા પણ આગળ નહિ વધી શકે .
6
સુખીને તે એમ જ થવું જોઇએ કે · બધાને સુખી કરૂ'.' અને આ દુનિયા સદા એવા આત્માએના જીવનમાંથી જ પ્રેરણા લેતી હાય છે.
સ'પત્તિના દાસની કાઈ નોંધ જગતના ચાપડે લખાતી નથી, જ્યારે દાનવીરોનાં જીવન વહેતા ઝરણાની માફક આજે ય અનેકને ત્યાગની પ્રેરણા આપી રહ્યાં છે.
આજની સ્થિતિ
જીવનની ઉદારતાની અપેક્ષાએ આજની સ્થિતિ શાચનીય છે.
શ્રીમતેા ખારણાં અટકાવીને જમવા બેસી જતાં પણ શરમાતા નથી. પેાતાના જ ગામમાં, પેાતાની હાજરી વચ્ચે ગરીબી નાચતી હેાવા છતાં, તેમને તે પડકારરૂપ પ્રતીત થતી નથી. તેમના લિનાં દ્વાર જાણે સાવ ભીડાઈ ન ગયાં હેાય તેવું તેમના વર્તન પરથી કળાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સેાપાન
દુઃ
આંગણે આવેલા અભ્યાગતને તિરસ્કાર કરીને હકાલી મૂકવાની હદ સુધીનું પતન આજના સાધન-સ`પન્ન લેખાતા માનવાને કઠતું સુદ્ધાં નથી તે શું ઓછી આશ્ચયજનક મીના લેખાય?
જ્યારે ગઈ કાલના ભારતમાં એવા ભલા તેમજ ઉદાર શ્રીમંતા વસતા હતા કે, પેાતાના દુ:ખની વાત લઈને તેમને ત્યાં જવું તે એક ચીંથરેહાલ માણસને પણ સ્વજનને ત્યાં જવા જેટલુ સુલભ જણાતું.
એ શ્રીમંતા રાત્રે સૂતા પહેલાં પોતાની જાતે યા પેાતાના વિશ્વાસુ માણસા મારફત ગામમાં કોઈ ભૂખ્યું તે। નથી 'ઘી ગયું તેની તપાસ કરાવતા અને તે તપાસને અંતે જે મદદની જરૂરીઆત ઉભી થતી તે પણ તેઓ એવી રીતે પૂરી કરતા કે ન મદદ લેનારનુ ગૌરવ ઘટે કે ન પેાતાના અહુ વકરે.
યાચકને પેાતાના ઉપકારી માનનારા દારચરિત શ્રીમંતા પણ આ દેશમાં એછા નથી જન્મ્યા.
ત્યાગ વગરના જીવનના ભગવટામાં માટે ભાગે દુધ સિવાય હાય છે પણ શું?
આ ભારતમાં તે આજે પણ એ વ્યસન હેાવુ જોઈએ કે માનવાએ આપીને ખાવું! પણ એ મને કયારે? માનવમાં ઉદારતા હાય ત્યારે.
Page #48
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન:
સ્થૂલ પદાર્થોના માત્ર સંગ્રહ દ્વારા, જીવનનું ગળુ ટુપાવા માંડે છે અને આખા સમાજને તેના જોરદાર ધક્કો પહોંચે છે. સંગ્રહને અંતે પણ નાશ પામનારા પદાર્થાના તે નાશ પામે તે પહેલાં સદુપયાગ ન કરવા તે પતનની સ્પષ્ટ નિશાની છે.
:૭
“ આ સુવાસ મારી છે, એટલે તેના ભાગવટાને હક્ક પણ મારા જ છે ” એમ વિચારીને પુષ્પ જો સુવાસના ભેાગવટામાં લપટાય અને તેને ત્યાગ ચૂકી જાય તે, તેની તે સુવાસ ખીજી જ ક્ષણે દુર્ગંધમાં પલટાઈ જાય અને તેનું સઘળું રૂપ ઉપટી જાય, તેજ રીતે પુણ્યબળે મળેલી સંપત્તિના જરા જેટલા પણ ત્યાગના અભાવે માનવજીવન પણ મડદાળ બની જાય છે.
જેમ પુષ્પની કિંમત તેની સુવાસમાં છે, મંદિરનું મૂલ્ય મૂર્તિમાં છે, સરાવરની કિંમત જળમાં છે, વૃક્ષાની કિંમત ફળમાં છે, તેમ માનવની કિંમત તેના હૈયામાં રહેલી ઉદારતામાં છે, એ ઉદારતાને આચાર વાટે વ્યક્ત કરવામાં છે અને નહિ કે સંપત્તિના શિખરે માત્રે મહાલવામાં,
આજની દુનિયામાં શ્રીમંતા ઝટ ખીજાની આંખે ચઢી જાય છે, તેનું કારણ એ છે કે દુઃખીનુ' દુઃખ જોઇને તેમનાં દિલ દ્રવતાં નથી.
સામાનું દુઃખ દૂર કરવાનુ સાધન તેમજશક્તિ પેાતાની પાસે હેાવા છતાં તેને જરા પણ ઉપયાગ નહિ
Page #49
--------------------------------------------------------------------------
________________
: સાફળતાના સોપાન કરવાની હદ સુધીની નિષ્ફરતા, બીજાના દિલમાં ડંખ પેદા ન કરે તે ભાગ્યે જ બની શકે.
પિતાના પાડોશમાં આગ લાગે અને જે બધા પાડેશીઓ પૈકી જે કંઈ એકાદ પણ પાડોશી પિતાના ઘરમાંથી પાણી આપવાની ના પાડી દે છે તે મહાહલાવાળા તેને કઈ નજરે જુએ ?
હલકી જ ને...
લગભગ એવી જ દશા આજના મોટા ભાગના શ્રીમંતોએ પિતાના વર્તન દ્વારા પોતાની કરી મૂકી છે.
પૂર્વકાળમાં શ્રીમંતોને ભોગવતા પણ આવડતું હતું અને ત્યાગતાં પણ આવડતું હતું.
એ શ્રીમતના દ્વારે જઈને ગરીબ “અમર રહોના આશિષ આપતા. શા માટે?
તે એટલા માટે કે એ શ્રીમંતોના હૈયામાં તેમના માટે ભારે ભાર લાગણી હતી, વાત્સલ્ય હતું. તેમનું દુઃખ ટાળવાની જાગૃતિ હતી, સાચી ઉદારતા હતી.
સહુ સહુના પુણ્ય-પાપના ફળ ભોગવે એમાં બીજા શું કરે? એવી દલીલ પણ કેટલાક કરતા હોય છે. તે દલીલને એ જવાબ છે કે, પુણ્ય પણ ઉદારતા આદિ ગુણે સિવાય બંધાતું નથી તેમજ ઝાઝે સમય ટકતું પણ નથી એટલે પુણ્ય-પાપના નામે કર્મમાં અંતરાય
Page #50
--------------------------------------------------------------------------
________________
:૯
- સફળતાનાં પાન: ઊભું કરનારી દલીલ કરવી એ તે પિતાના જ વિકાસ પથમાં પથ્થરની આડ ઊભી કરવા બરાબર છે.
જ્યાં ઉદારતા વસતી છે, ત્યાં ત્યાગવૃત્તિ હસતી હોય છે. થોડામાંથી થોડું પણ જરૂરીઆતવાળાને આપ્યા સિવાય એવા ઉદાર હૃદયવાળા માનવે રહી શકતા નથી. ' આજે શ્રીમંતોને ભેગને હડકવા લાગે છે. અને ગરીબોને ભાગને હડકવા લાગે છે. પછી પરિણામ શું આવે?
એટલે ખાપીને આવાનું તેમજ ત્યાગીને માણવાનું વ્યસન એ શ્રેષમાં શ્રેષ્ઠ છે.
જગતના સર્વ આસ્તિક દર્શનકારોએ આ સત્ય ઉપર એકસરખે ભાર મૂકે છે.
એટલે જ ઉદારતાને વિચારના પણ મૂળરૂપે ગણવામાં આવી છે.
આ ઉદારતાની એ તાસીર છે કે તે જેના જીવનમાં સ્થાન પામે છે તે વ્યક્તિ ઉપરાંત તેની આસપાસના વાતાવરણને પણ ચંદનવૃક્ષની માફક સુગંધમય–સદ્ભાવમય બનાવી મૂકે છે.
એવા જ એક ઉદારચરિત્ર પુરુષની કથા હું રજુ
Page #51
--------------------------------------------------------------------------
________________
; સફળતાના સેાપાન
શેઠ શાંતિદાસની ઉદારચરિતતા
એ પુણ્યાત્માનું નામ શેઠ શાંતિદાસ. જેવા દયાવાન તેવા જ પગજી. તેમની ધર્મશ્રદ્ધા પણ બેનમુન. તેમના કારાબાર ઘણા મેાટે તેમ છતાં પ્રભુપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ ધ કાર્યોંમાં પૂરેપૂરા નિયમિત. મેળમાં પાઈની ભૂલ ઋણ ન ચલાવી લે, જ્યારે લાખની બક્ષીસ આપતાં જરા પણ ન અચકાય.
આવા દારચરિત શેઠ શાંતિદાસ પેાતાના નિયમ મુજબ સાંજે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયા ગળામાં પાંચ હજારની કિંમતના રત્નહાર શૈાલી રહ્યો છે.
૧૦:
પ્રતિક્રમણના પ્રારંભ પૂર્વે તે હાર વગેરૢ અલંકારો શરીર પરથી ઉતારી દઇને બાજુમાં મૂકી દે છે.
શેઠની જોડે, જિનદાસ નામના એક ગૃહસ્થ કટાસણા ઉપર બેઠા છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નખળી છે. આવતી કાલની ચિંતા તેમને સતાવી રહી છે. એવામાં તેમની નજર, શાંતિદાસ શેઠના હાર તરફ ગઇ. અને આવતી કાલની ચિંતાના ભાર તળે દખાએલા તેમના મનમાં થયું કે “લાવ! આ હાર ઉપાડી લઉં, ” કે જેથી મારૂં' કુટુંબ ભૂખના દુ:ખમાંથી ઉગરી જાય, વળી આ હાર જેમના છે, તે શેઠ ધર્માંનિષ્ઠા, ઉદારચરિત્રવાળા
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૧
સફળતાનાં સાપાન
છે, એટલે તેઓ પાતે હાર ચારાયાની વાત બનતાં સુધી તેા કોઈનેય નહિ કરે. ધર્મ શ્રદ્ધા તેમજ ઉદારતામાંની નિષ્ઠાના બળે જિનદાસના હૈયામાં હાર ઉઠાવી લેવાની હામ જાગી. અને તે તેમણે ચૂપચાપ ઉઠાવી લીધેા.
હાર હાથમાં આવ્યે એટલે પ્રતિક્રમણ સહુથી પહેલું પતાવીને જિનદાસ ઘર ભેગા થઇ ગયા, કારણ કે ચારી જેવું પાંપકૃત્ય કરીને પણ પેાતાનું માં બતાવતાં તેને શરમ આવતી હતી. તેના હૈયામાં સંસ્કારજન્ય ખાનદાનીની સુવાસ મેાજુદ હતી. તેમ છતાં આવતી કાલની ચિંતાના સુખ્ત દબાણને વશ થઇને તેને હાર ઉઠાવવેા પડસે.
ઘેર પહેાંચતાંની સાથે જિનદાસે તે હાર પેાતાની પત્નીને તાન્યેા. તેમજ પોતે કેવી રીતે, કયાંથી મેળળ્યે તેની સાચી હકીકત રજુ કરી દીધી.
આ બાજી ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરૂં થયું. ભાગ્યશાળી વસ્ત્રાભૂષણ અંગે, ધરવા લાગ્યા. શેઠ શાંતિદાસ પણ દાગીના પહેરવા બેઠા. પણ રત્નહાર નજરે ન પડયેા. આછા અંધારા વચ્ચે હળવા હાથે ચેામેર હારની તપાસ કરી. પણ ન મળ્યેા. જાણે કંઈ જ નથી બન્યું એવા ભાવ સાથે શેઠે ઘેર જાય છે
જુઓ! કેવી ગ’ભીરતા !
Page #53
--------------------------------------------------------------------------
________________
બરફળતાનાં સંપાન • નહિતર બૂમે ન પાડી ઉઠે કે, “આવા પવિત્ર સ્થાનમાંથી મારે હાર હડપ કરી જનારા હરામીને હું હેરાન કરી મૂકીશ.” * જે તમારે કિંમતી દાગીને આજ રીતે ચોરાઈ જાય તે તમે શું કરો ?
શાંત બેસી રહે કે ધમાલ કરે ? અરે! ઉપાશ્રયન બાજુમાં કેઈનું ઘર હોય તો ત્યાંથી જ પોલીસ સ્ટેશને ફેન કરતાં પણ તમે ન અચકાઓ. - જ્યારે કિંમતી હાર ઉપાડી જવા છતાં નથી શેઠની ધીરતા ઘટતી, નથી ગંભીરતા ઓસરતી.
શેઠ, માંડીને શેઠાણીને વાત કરે છે.
આખી વાત શાંતિપૂર્વક સાંભળ્યા પછી શેઠાણી બેલ્યાં. “હશે, કાંઈ નહિ, હેય તે જાય. લીધે હશે કઈ ખાસ જરૂરીયાતવાળાએ. પણ આપણે કેઈને વાત કરવી નથી.”
કહો! કેવી ઉદારતા, કેવી ગંભીરતા.
આવા ગુણવાળી સ્ત્રીઓ વડે ગૃહસ્થાશ્રમે દીપી ઉઠે છે.
પેલી બાજુ જિનદાસ વિચારે છે કે હાર તે લાવ્યો, પણ હવે તેને વેચવે શી રીતે?
Page #54
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન
છેવટે પેાતાની પત્નીની સલાહ લઈને, જિનદાસ બીજે દિવસે સાંરે, શેઠ શાંતિદાસની પેઢીએ તેજ હાર લઈને જાય છે.
:૧૩
પેઢીએ પહેાંચી, શેઠને હાથ જોડી, માં નીચુ' રાખીને જિનદાસ કહે છે, “ લે, આ હાર અને તે પેટે મને રૂપીઆ પાંચસે આપે.”
હાર નજરે ચઢતાં જ શેઠે શાંતિદ્યાસ આખી વાતનુ રહસ્ય પામી ગયા, તેમ છતાં પેાતાના ભાવમાં સહેજ પણ ફેરફાર પડવા દીધા સિવાય તેમણે જિનદાસને કહ્યું. ‘ભાઈ! હાર ગિરવે મૂક્રવાની શી જરૂર છે? તમે તમારે ખુશીથી રૂપીઆ લઈ જાએ.’
જિનદાસ એમને એમ રૂપીઆ લેવાની ના પાડે છે. તેની લાગણી ન દુભાય તે ખ્યાલ સાથે, શેઠ શાંતિદાસ હાર પેાતાના હાથમાં લઈને, મુનીમને રૂપીઆ પાંચસે જિનદાસને આપવાની સૂચના કરે છે.
જિનદાસ રૂપી લઈને ઘેર ગયા.
શેઠ શાંતિદાસે હાર, જિનદાસના નામે જમે કર્યો અને તે પેટે આપેલા રૂપીઆ જ ઉધાર્યાં.
જીવન, આવી ઉદારતા વડે સફળ થાય છે. આવી ગભીરતા વડે ઘડાય છે.
નહિતર શેઃ શું પેાતાના હારને નહાતા જાણતા? એ હાર લઇને આવનારા જિનદાસને શેઠ જો ધારત તા
Page #55
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન પિોલીસને હવાલે ન કરાવી શકત? પરંતુ જ્યાં સાચી ઉદારતા વસતી હોય છે, એવા હૈયામાં ભાગ્યે જ અન્યને સજા કરવા કે કરાવવાની તુચ્છ સંકુચિતતા ડેકિયું કરી શકે છે.
આવી ઉદારતા આજના શ્રીમંતેમાં છે? જિનદાસ જેવી લજજાળુતા મુશ્કેલીમાં દિવસો પસાર કરતા આજના માનવ પૈકી કેટલામાં હશે? આપતાં શિખે !
માગનારના હાથ નીચે રહે છે તે તે આપણે જાણીએ જ છીએ અને તેથી જ યાચકવૃત્તિને તિરસ્કારવામાં આવે છે. તેમ છતાં પોતાની સામે હાથ ધરનારને ઘસીને ના પાડી દેનારા શ્રીમંત તે વાચકના તિરસ્કાર્ય કૃત્ય કરતાં પણ અધિકતર તિરસ્કારને પાત્ર બની જાય છે.
હેય શ્રીમંત, છતાં કોઈને પણ કશું આપવાની વાત સંભળીને ભડકી ઉઠે, જેમ-તેમ બોલવા માંડે. પિતાના બચાવની યુક્તિઓ અજમાવે તે સાચો શ્રીમંત નથી, પરંતુ શ્રીને દાસ છે.
સંસારની શોભા પુરુષ છે, પુરુષની શોભા લક્ષ્મી છે, લક્ષ્મીની શેભા દાન છે અને દાનની શોભા સુપાત્ર છે.
ભોગ અને નાશના માર્ગે વહી જાય તે પહેલાં પુણ્યબળે પિતાને મળેલી લક્ષ્મીનો સુપાત્ર દાનાદી પાછળ
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૫
સફળતાનાં સોપાન
સદુપયોગ કરવા તેમાં જ જીવનની શેશભા છે, સ*સ્કારિતા છે, ઉદારતા છે.
ઉદારતા વગરના જીવનમાં, જીવનના દેખાવ જરૂર હાય છે; પરંતુ સફળતાના પંથે પરવરતું સાચું જીવન નહિ જ.
માટે કહેવુ પડે છે કે ઉદાર મના! ત્રિવિધ ઉદારતા કેળવા! કોઈનાય કામમાં ઉદારતાપૂર્વક ઊભા નહિ રહેવાની વૃત્તિ તમને અટુલા પાડી દેશે; તેના પરિણામે તમને અનેક પ્રત્યે દુર્ભાવ જાગશે આ દુર્ભાવ જીવનને પાયમાલ કરી મૂકશે. દિલને પશ્ચાત્તાપ
'
હાર ઠેકાણે મૂક્યા પછી શેઠ શાંતિદાસને એ વાતના પસ્તાવો થવા લાગ્યા કે, મારા જેવા શ્રીમંત પણ જો પેાતાના જ ગામમાં રહેતા પેાતાના ધર્માંસ્નેહીઓના દુઃખ દૂર કરવામાં આવે અક્ષમ્ય પ્રમાદ સેવતા રહે તે સમાજની દશા શી થાય ? જો મે' પેાતે શ્રીમંત તરીકેના મારા ધમ ખજાવવામાં પ્રમાદ ન સેવ્યો હાત તા મારા જે ધ સ્નેહીને ચારી કરવાની હદ સુધી નીચે ગબડવું
પડયુ' તે નજ બનત. એટલે તે ચારી ભલે કરી તેણે, પરંતુ તેના પાપના ભાગીદાર તેા હું પણુ ગણાઉં. પશ્ચાત્તાપના પવિત્ર ઝરણામાં પેાતાની જાતને પખાળતા
Page #57
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન શેઠ ખૂલ ઢીલા પડી ગયા. તેમની આંખે આંસુભીની થઈ ગઈ
એવામાં એક જ્ઞાની ભગવંત ગામમાં પધાર્યા, શેઠ શાંતિદાસ તેમજ જિનદાસ બંને પ્રતિક્રમણ કરવા ગયા.
શેઠ જિનદાસ અનેક ગૃહસ્થની હાજરી વચ્ચે ઉપાશ્રયમાં ઊભા થયા. બે હાથ જોડયા અને ગુરુ મહારાજને વિનંતી કરી કે, “સાહેબ મને પ્રાયશ્ચિત્ત આપે.”
શેઠને આમ એકાએક ઊભા થએલા જોઈને અનેક ભાગ્યશાળીએ ચક્તિ થઈ ગયા.
શા અપરાધનું પ્રાયશ્ચિત્ત લેવાનું છે?” ગુરુ મહારાજે શેઠને પૂછ્યું.
સાહેબજી મારા હાથે ધર્મસ્થાનમાંથી ભયંકર ચોરી થઈ ગઈ છે તેનું પ્રાયશ્ચિત્ત હું આપશ્રી પાસે માગું છું.”
જિનદાસ શેઠના શબ્દો સાંભળતાંની સાથે જ શેઠ શાંતિદાસ પણ ઊભા થયા અને બે હાથ જોડીને ગુરુ મહારાજને વિનંતી કરી કે, “સાહેબજી, પ્રાયશ્ચિત્ત તેમને નહિ, પણ મને આપો, મારી જ બેપરવાઈને કારણે મારા ધર્મના સગાને હાથે ચોરી થઈ ગઈ એટલે પ્રાયશ્ચિત્તને પાત્ર હું છું નહિ કે ભાઈશ્રી જિનદાસ.”
Page #58
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન
અને દારચરિત મહાનુભાવેાના હૈયાના ભાવ વાંચીને ગુરુ મહારાજે ફરમાવ્યુ', 'જાઓ ! અનેના પાપ ધોવાઇ ગયાં. ફાઇને પ્રાયશ્ચિત્ત નહિ.'
૧૭:
આવી ઉપકારક છે ઉદારતાની અસર.
એટલે જ વાર વાર યાદ દેવડાવવી પડે છે કે લક્ષ્મીના મેાહ ઉતારી દઇને ઉદાર અનેા! લક્ષ્મીના દાસ ન અનેા! મને તેા લક્ષ્મીપતિ ખા! તે તમારા પુણ્યબળે તમારે ત્યાં આવે છે. નહિ કે ધનતેરસના દિવસે તેની પૂજા કરવાથી.
ઉદારતા એ જીવનની સફળતાના પહેલા પાયા છે, તા ગભીરતા એ બીજે પાયેા છે.
ગંભીરતા વગરની ઉદારતા ટકતી નથી.
ઉદ્ગાર માનવ, ગંભીર પણ હાય, હાવા જોઈએ. તે સિવાય તેની ઉદારતા છીછરી અની જાય.
વામણુ ગમે તેટલું' પહેાળુ હાય પણ જો ઊંડું ન હાય તા તેમાં પડતા પાણીના છાંટા પણ બહાર ઉંડવા જ માંડે, તેજ રીતે જે માનવીનું હૈયું વિશાળ ડેાય પણ ગંભીર ન હાય તે માનવી, નાની સરખી વાત પણ ભાગ્યે જ જીરવી શકે.
ઉદાર અને ગ'ભીર માનવા તા સપત્તિ તેમજ વિપત્તિમાં સૂર્ય સમે! સમભાવ દાખવતા હાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સંપાનઃ
ભામાશાહે લક્ષ્મી આપણે જાણું અને રાણા પ્રતાપે તે વાપરી જાણું.
આમ શાથી થયું?
એટલા માટે કે એ લક્ષ્મી ભામાશાહે ઉદારતા પૂર્વક આપી હતી. આપતી વખતે હૈયામાં બદલાની કેઈ અંગત ઈચ્છા ન હતી અને રાણા પ્રતાપે તે લક્ષમીને અંગત રીતે ઉપયોગ કરવાની લવલેશ લાલસા સિવાય તેમાંની પાઈએ પાઈને મેવાડને મેગના પંજામાંથી છોડાવવા માટે ઉપગ કર્યો હતે.
આવી લક્ષ્મી વરદાનરૂપ છે. જીવનની શોભારૂપ છે.
દાન વડે માત્ર પિતાનું જ નહિ, પરંતુ સમગ્ર ભારતનું નામ અજવાળનાર જગડુશાહને કણ નથી જાણતું?
અનુપમ ભોજનશાળાઓ તેમજ દાનશાળાઓ સ્થાપીને ભયાનક દુકાળના ભુકા બોલાવી દેનાર એ નરવીરના જીવનમાંથી આજના શ્રીમંતોએ પ્રેરણા ઝીલવી
જોઈએ.
તે સમયે પિતાની દાનવીરતાને કારણે જગડુશાહનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયેલું. .
આથી ગુજરાતના રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થાય છે. ભિક્ષુકના વેશમાં તેઓ જગડુશાહની દાનશાળાએ જઈ પહોંચે છે. પિતાની આંખોને પણ પિતે શું આપે છે તેની જાણ થવા દીધા સિવાય
WWW
Page #60
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન: જગડુશાહ ભિક્ષુકના વેશમાં આવેલા રાજાને મન મૂકીને દાન આપે છે. હાથની વીંટીઓ પણ એક પછી એક આપવા માંડે છે. આવું અજબનું દાન જોઈને રાજા પ્રભાવિત થાય છે. પ્રકટ થાય છે અને જગડુશાહને કહે છે, “ધન્ય છે તારા માતાપિતાને! ધન્ય છે. તારા કુળને! પવનવેગે પ્રસરેલી તારી કીર્તિનું ખરું કારણ આજ હું સમજી શકો. વિપત્તિમાં મૂકાયેલા માનવ તેમજ પશુઓની વહારે ધાનાર હે દાનવીર ! તને ધન્ય છે.”
દાન વ્યસનીપણું
માણસ વિપત્તિમાં મૂકાઈ જાય ત્યારે પૈસાની કિંમત ગણાય કે માણસની? માણસની વિપત્તિ સમયે તે માણસ કરતાં વધુ કિંમત જેઓ લક્ષ્મીની આંકે છે, તેઓ માનવ નથી, માનવના રૂપમાં દાનવ છે, દરિદ્રશિરમણિ છે, પૃથ્વીને ભાર વધારનારા છે. તેમના હાથને રિટલે કૂતરાં પણ ભાગ્યે જ ખાય છે.
માંડ દેઢ બે સૈકા અગાઉ આ ભારતદેશમાં એવા દાનવ્યસની શ્રીમંત થઈ ગયા કે જેઓને ઘેર વલેણું હતાં. ગરીબ તેમજ મધ્યમવર્ગના કુટુંબની બહેને દેણી લઈને ત્યાં છાશ લેવા જતી. કાઠા દિવસે પસાર કરનાર કુટુંબની બહેનોની દેણમાં છાશની સાથે સાથે એ શ્રીમંતના ઘરની બહેને સેનામહોર એવી રીતે સેરવી
Page #61
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાષાન
c:
દેતી કે છાશ લેવા આવેલી ખીજી મહેનેાને તેની ગધ સુદ્ધાં ન આવતી.
ભારતીય સૌંસ્કૃતિના અમૃતમી૰ાં ધાવણમાંથી આવા દાનવીરા પેદા થતા, પાશ્ચાત્ય સંસ્કૃતિના પાણી જેવી ધાવણમાંથી ભાગના રાગીએ જ પેદા થાય ને ?
દારૂ, બીડી ચા ચાના બ્યસનીને સમયસર દારૂ, બીડી યા ચા નથી મળતી તે! તે ઊચા-નીચા થઇ જાય છે, બગાસાં ખાવા માંડે છે, પગ ઘસે છે, તેમ દાનના વ્યસનીને જે દિવસે દાનને પાત્ર કોઈ વ્યક્તિને સુયાગ નથી સાંપડતા તે દિવસે તે ખૂબજ નિરાશ બની જાય છે.
કહા ! આવા દાનવીરાને દેવતાઓ હાથ ન જોડે? જોડે, જરૂર જોડે.
પણ આજે તેા ધ કાય પાછળ પાંચ પૈસા ખ વાની વાત સાંભળીને ભાગ્યશાળીએ પેાતાના વડીલને પૂછવાનું બહાનું આગળ કરીને છટકી જાય છે અને ભાગવિલાસ પાછળ હજારા વેડફતી વખતે સગા ભાઇની પણ સલાહ બીનજરૂરી માને છે.
આવુ ધુંધળુ છે. આજના સંસારનુ` ચિત્ર. માનવ-પ્રાણીઓના હિત પાછળ જેમની લક્ષ્મી સાર્થક થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. લક્ષ્મીના ફળ ત્રણ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ:
'સંકળતા સપના
શ્રીમતે
આ
પાસેથી
દાન, ભોગ અને નાશ. કાંતે તે પાત્રમાં જશે, કાં ગાત્ર યા ખાત્રમાં.
માનવના હૈયાની ઉદારતાની સુગંધ સાથે સંસારમાં સુવાસ ફેલાવે એવા લક્ષ્મીપતિઓની સમાજને આજે ખરી જરૂર છે. અશરણ તેમજ દીન-દુખિયાને, નામ કમાવાની લાલસા સિવાય દાન આપનારા ઘટયા છે, એટલે મનાતા શ્રીમંત પાસેથી ધન મેળવવા માટે સમારંભે, મેળાવડાઓ, ચેરિટી– આદિ રાખવા પડે છે અને શ્રીમંતને મોટા માને ચઢાવીને તેમની પાસેથી પૈસા કઢાવવા પડે છે તે શું શરમાવા જેવું નથી? દાનના આવા વેપારીઓ વડે આ દેશની મહાસંસ્કૃતિની ઈજજત વધશે નહિ પણ ઘટશે જ. કોણ જાણે કેવા પ્રકારની છે આજની લક્ષ્મી કે જે ભોગ અને નાશ સિવાય. ભાગ્યે જ દાન પાછળ સાર્થક થાય છે?
દુઃખના દિલની વાતે જે સુખી નહિ સાંભળે તો સમાજ-વ્યવસ્થા ટકશે શી રીતે?
આવશ્યક ચીજ - વસ્તુઓના અભાવે સતતપણે આત્ત અને રૌદ્રધ્યાનની આગમાં બળતા માનની મદદ દેડી જવાને પોતાના ધર્મ, જે શ્રીમંતે નહિ બજાવે તે તેઓ હડધૂત થશે અને તેમના પાપે તેમને સમાજ પણ બદનામ થશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
વધારામાં પાન
૨૨:
" સંપત્તિની સુવાસ પરોપકાર વાટે પ્રકટ થાય. પોતે માત્ર પિતાનું જ કરીને બેસી જાય, બીજા તરફ લમણે પણ ન વાળે, એવા માન જે સમાજમાં વધવા માંડે છે, તે સમાજની શુદ્ધિ, શક્તિ અને પ્રગતિ અટકી પડે છે એટલું જ નહિ, પરંતુ ભયાનક અવનતિ થાય છે. આજની સંસ્કૃતિ
આજની સંસ્કૃતિ ઝેરી છે.
તેના પ્રવાહમાં સ્વાર્થ, વિલાસ અને અહંના પરમાણુઓ સમાએલા છે. એટલે તે જેના કોઠે પડે છે. તે માનવી, દેખાવમાં માનવ રહેતો હોવા છતાં વર્તાવમાં લગભગ દાનવ શું બની જાય છે.
આજની સંસ્કૃતિએ માણસને બહારથી વધુ ઉજળ તેમજ સુઘડ બનાવ્યો છે તેની “ના નહિ, પરંતુ તેણે તે જ માણસને અંદરથી એટલે જ મેલે અને અણઘડ બનાવી દીધું છે.
જેના હાથમાં એની બાથમાં” એ ન્યાય જે સમાજમાં અમલી બની જશે તે સમાજ ખલાસ થઈ જશે.
વિચારો! સાચે સંપત્તિવાન વિપત્તિને સાંખી શકે? ભલે પછી તે વિપત્તિ ગમે ત્યાં હોય, ગમે તેને હેય. સંપત્તિશૂરા માનવે તે, વિપત્તિને અંત આણવા પાછળ અણનમ મસ્તકે ગુઝતા હેાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૩:
સફળતાનાં સાપાન
શ્રીમતા, ગરીખને આળસુ ગણીને હસી કાઢે છે. ગરીબ, શ્રીમતને ‘કાળાબજારીએ' કહીને વગેાવે છે. આ દેષદન ખતરનાક છે.
પરદોષદર્શીનના આ જીવલેણ વ્યાધિને જડમૂળથી ઉખેડી નાખવા માટે સહુ નિદોષના દર્શનની ટેવ પાડે! આત્મનિરીક્ષણ તરફ વળે !
વિચાર તા કરી! જો શાંતિદાસ શેઠે જિનદાસ શેઠ ઉપર દોષના ટાલા નાખ્યા હૈાત તે શું પરિણામ આવત?
દાનવીર જગડુશાહે દુષ્કાળ-પીડિત માનવા તેમજ પશુએને એમના જ ભાગ્યના ભરાસે છોડી દીધા હાત તે
આજની સંસ્કૃતિના આશ્રિતામાં આત્મનિરીક્ષણની રુચિ એસરતી જાય છે અને તેથી જ કહીએ છીએ કે ભારતીય પરંપરાના ઉપકારક આશ્રયને ભૂલેચૂકે, પણ છેડશે નહિ !
સદાચારની સુવાસ
માનવજીવનની સફળતાના ખીજો પાયા સદાચાર છે. સદાચાર સિવાય ઉદારતા શાલે નહિ.
નાક વગરના માં જેવી કદરૂપી અસદાચારીની ઉદારતા અની જાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન:
૨૪:
તેમ છતાં નાક ન હેાય તે। માનવી બહારથી જ કદરૂપા દેખાય, જ્યારે ઉદાર એવા અસદાચારીનુ જીવન તેા 'દરથી પણ ગધાઈ ઉઠે અને સમાજમાં દુર્ગંધ પણુ ફેલાવે.
મન તેમજ ઇન્દ્રિયા ઉપરના શકય અકુશથી જીવનમાં સદાચાર સાકાર બને છે અને પછી સાદાઇ વડે દીપી ઉઠે છે.
ભાગવિલાસ પાછળ વેડફી નાખવા જેટલી જ પેાતાના જીવનની કિંમત આંકનારાએનું અનુકરણ કરશે તે અણુમેાલ માનવભવ હારી જશે.
આજે કયાં છે એ સાદાઇ કે જે અંદરની વૃત્તિની સ્વચ્છતાનુ પ્રતિબિંબ પાડતી હોય?
ખેાટી ટાપટીપ અને આછક્લાઈ આયને શાલે? શરીરને શણગારનું પુતળું બનાવવાના મેાહ ન રાખશે!!
સાદાઈની પાળ તૂટશે તેા સયમ જોખમમાં મૂકાઈ જશે. સદાચારરૂપી અંધમાં ગામડાં પાડવા માંડશે.
સાદાઈ અને સ'ચમ સિવાય સત્ત્વની શુદ્ધિ અને વૃદ્ધિ શકય નથી, તે સિવાય જીવનની સફળતા સાધી નહિ શકેા, માટે જીવન સાદું' રાખા!
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૫.
સફળતાનાં પાન
આજની રીતને ભેજન સમારંભમાં જેટલું વપરાય છે, તેટલું જ એઠું મૂકાય છે અને તે પણ એ શિષ્ટાચાર લેખાય છે.
જે આવા આચારને તમે શિષ્ટ આચાર માનતા થઈ જશે તે થાળી ઘેઈને પીનારને આચાર તમને અશિષ્ટ જણાશે અને તે વ્યક્તિ તરફ તમને આદરભાવ પણ ભાગ્યે જ જાગશે.
શરીરને હાથ-પગ સાથે છે તે, શિષ્ટ આચાર યાને સદાચારને સંયમ અને સાદાઈ સાથે સંબંધ છે.
મોજશેખ પાછળ ધૂમ પૈસા વેડફવા અને સત્કાર્ય પાછળ પાંચ રૂપીઆ ખર્ચવાની વાત સાંભળીને પણ ભડવું તે ઉદારતા ન કહેવાય.
ધર્મના કાર્યોમાં જે ઉદાર દિલે પૈસા આપે છે તે ઉદાર અને જરૂરીઆતે વધારવા પાછળ તેમજ વિલાસને વધુ વેગવંતે બનાવવા પાછળ જે પૈસા ખર્ચે તે ઉડાઉ.
ઉદારતા એ સદ્ગુણ છે. ઉડાઉપણું તે દુર્ગુણ છે. ઉડાઉપણું અસદાચારનું જ અંગ છે. સંસાર વધારનારા કાર્યોમાં પણ બને. સંયમી બને!
સંસારને ક્ષય કરનારા કાર્યોમાં ઉદાર બને. અગ્રેસર બને!
Page #67
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાવ
જેટલી કરકસર તમે તમારા શણગારવા તેમજ શેાભાવવામાં કરશે પડતા અચવામાં સહાયક થશે.
કરકસર છે બીજો ભાઇ
૨૬:
અંગત જીવનને તેટલી તે તમને
કસરને ગૃહસ્થના કર પણ કહી શકાય.
કરકસરને કંજુસાઈ સાથે સંબંધ નથી તે નીચેના દાખલાથી સ્પષ્ટ થશે.
કરકસરીઆ એક શેઠ.
પુણ્યના પ્રભાવે તેમને ત્યાં અઢળક ધન હતું. હીરાને રત્નાનાં તા કચાળાં હતાં.
આવા શ્રીમત શેઠ, એકવાર પેાતાના જોડાને તેલ ચેપડવા બેઠા. તેલ ચાપડે પણ એવી રીતે કે તેનું ટીપું પણ નીચે ન પડે.
આ દશ્ય શેઠના દીકરાની વહુએ જોયું.
તેને થયું, શું સસરાજી ખરેખર લેાભી હશે ? પણ ના, પારખા સિવાય કોઇના પણ માટે એકાએક અભિપ્રાય માંધી દેવે! તે ઠીક નહિ.
સસરાજીના સ્વભાવની પરીક્ષા માટે, વહુ, ‘માથું ખૂબ જ દુઃખે છે,” કરીને સુઈ ગઈ. ઘણા ઉપચાર કરવા છતાં માથું ઉતરતું નથી.
\
Page #68
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સેાપાન
સસરાજી સ્વયં વહુને પૂછે છે, કે આવું માથુ અગાઉ તમારે દુઃખવા આવેલુ' કે કેમ ? '
૨૭:
Į વહુએ વડીલની આમન્યા જાળવીને જવાબ આપ્યા કે, હા, જી એકવાર મારા પિયરમાં મારે આવું જ માથું ચઢયું હતુ. અને પછી મારા પિતાજીએ સાચા મેાતીને લેપ કરતાં જ તે મટી ગયુ' હતું.'
:
એ હા! એમા શુ? એમ ખેલતાંકને શેઠે તિજોરી ખાલીને તેમાંથી સાચા મેાતીના દાખડા કાઢચેા. તે દાખડામાંથી જરૂર મુજખ સાચા મેાતી કાઢયાં અને તેને વાટવાની લાટ પર મૂકયાં.
આ જોઇને વહુ બેઠી થઈ ગઈ. તે ખાલી ઉઠી, ‘સસરાજી, મેાતી ન વાટશેા, માથું ઉતરી ગયુ છે. આ તે આપને જોડાને તેલ ઘસતા જોયા એટલે મને થયુ કે શું આપના દિલમાં લાલરૂપી અસુરે વાસ કર્યો? તેના સમાધાન માટે માથું દુઃખવાનું આ નાટક મે ભજવ્યુ છે.’
માનવી પાતે જે સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વમાં રહેતા હાય તે સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વના નાના-મેાટા માનવા તેમજ પશુપંખીઓની જરૂઆતના વિચાર કર્યો જ સિવાય પેાતાને મળેલી સંપત્તિને એફામ બનીને ઉઠાડવા માંડે તે તે સ્વાથી. આંધળેા, જડ તેમજ ઉડાઉ ગણાય. અને જે એમ સમજે કે એ બધાંની સાથે મારે એક ચા બીજા પ્રકારના સંબંધ છે અને મારી સપત્તિના મારે
Page #69
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાવ :
૧૯:
તેમના માટે પણ વિવેકપૂર્વક સદુપયોગ કરવા જ જોઇએ તેનુ' વન; ઉપર મુજબના શેઠના વર્તન સાથે બંધબેસતું થવાનું જ, કારણ કે જેને પરિવાર જ મેટા હાય તે જો ઉડાઉ બની જાય તેા તે પરિવારની દશા થી થાય?
માટે જ કહું છું કે સાંસારિક કાર્યમાં કરકસર કરા! ધર્મના કાચમાં ઉદાર અનેા !
સાંસારિક કાર્યાં પાછળ તમે વધુ પડતા જે ખર્ચ કરી છે. તે આટા-રેણે જાય છે અને તેનાથી જીવનમાં સ'સારરસિકતા ફેલાય છે તે જુદી.
સદાચારીનું લક્ષ્ય સદા જીવનની શુદ્ધિ તરફ રહે છે, આત્માના હિત તરફ્ રહે છે. લક્ષ્મી સાથે વિલાસ ખરીદવાની ભૂલ તે ભાગ્યે જ કરે છે.
સદાચારથી આપણી સંસ્કૃતિ ઊંચી આવશે.
ચાવી દીધેલા પૂતળા જેવા હૃદયશૂન્ય તેમજ ઇન્દ્રિયાને ચગાવવામાં ચકચુર માનવા જ્યાં મેાટી સંખ્યામાં વસતા હોય છે તે દેશની સંસ્કૃતિનુ` વિકૃતિમાં રૂપાંતર થાય છે.
આપણી સ`સ્કૃતિ ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા તેમજ સદ્ભાવનામાં છે.
માટે જીવનમાં સદાચારન વણી ?
Page #70
--------------------------------------------------------------------------
________________
સફળતામાં સવ
સદાચાર એટલે શું એ તમારે તમારી જીભ ખેલવું ન પડે પણ તમારૂ જીવન જ તેને જવાખ આપી દે એવું સદાચારસ’પન્ન જીવન તમારે ખીલવવુ' જોઈએ, સહિષ્ણુતા
૨૯:
માનવજીવનની સફળતાના ત્રીજો પાયા સહિષ્ણુતા છે. સહિષ્ણુતા એટલે સહનશીલતા, સમજપૂર્વકની સહનશીલતા. જેમાં કાયરતાની ગંધ પણ ન હેાય એવી સહનશીલતા જે જગતના જીવાને ઘણું, ઘણું શિખવી જાય એવી સહનશીલતા.
કોઈ તમને ગાળ દે તા વિચારજો! સારૂં થયું, મેણે ગાળથી જ પતાબ્યું, તમાચા ન માર્યો. તમાચા મારે તે વિચારો ! લાત તે નથી મારી ને ? લાત મારે તે વિચારો ! ભલું થજો એનુ કે એણે મને જાનથી ન માર્યું ! અને કદાચ જાનથી મારી નાખે તેા તે સમયે વિચારજો, મારે આત્મા અમર છે અને અત્યારે જેને નાશ થઈ રહ્યો છે તે શરીર તા સરવાળે નાશવંત છે જ.
આવી સહિષ્ણુતા જેનામાં હાય તેજ ધર્મના પ્રભાવક બની શકે.
પેાતાને ગમતી જ વાત સાંભળવાની આદતવાળા અને અણુગમતી વાત સાભળતાંની સાથે ઉશ્કેરાઇને અસહિષ્ણુ બની જનારા સામી વ્યક્તિના હૃદયને જીતવામાં
Page #71
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સેાપાન
૩૦:
નિષ્ફળ જાય છે. અને તેથી જીવનમાં પણ સફ્ળ થઈ
શક્તા નથી.
સહિષ્ણુતા એ એવા ગુણ છે કે જો તમે તેને અપનાવશે તે તે તમારા જીવનને શાન્તિ વડે ભરી દેશે અને તેના સિવાય તમારૂ જીવન સતત સંઘના અખાડા જેવું ખની જશે.
સહિષ્ણુતા ખાઇને માનવી શું શું નથી ખાતા ?
જેના જીવનમાં સહિષ્ણુતા હાય તે માનવી પેાતાના મિત્ર કે શત્રુના એ કડવાં વેણ સાંભળીને આપઘાત કરવાની હદ સુધી પતન પામે ખરો કે? પરંતુ સહિ શ્રુતાના અભાવે આજે આ મહાન દેશમાં આપઘાતના એવા ઘણા મનાવા બની રહ્યા છે કે જેના કારણની શીષ કરતાં તરતજ સમજમાં આવે છે કે એક બીજાને ઓળખવા-આવકારવા તેમજ સાંભળવાની ઉદારતા તેમજ સહિષ્ણુતા હૈ।ત તેા આવા બનાવા નજ બનવા પામત.
એવા આગ્રહ સેવવા કે જેવા વિચારો મારા છે તેવાજ બધાના હૈાવા જોઇએ તે બરાબર નથી
આવા આગ્રહના કારણે તમારા વિચારથી ભિન્ન પ્રકારના વિચારવાળા માનવી સાથે તમે સારા વિચારાની આપ લે પણ નહિ કરી શકે! અને તમારી સાચી વાત તમે કેાઈના ગળે ઉતારી પણ નહિં શકે.
Page #72
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન:
તમે જાણેા છે કે લૌકિક જીવનમાં પણ સહિ ષ્ણુતાના અભાવે માનવી દુ:ખી-દુઃખી થઈ જાય છે, તે પછી લે કેાત્તર જીવનની સફળતા માટે તેના સિવાય નભે ખરૂ?
૩૧:
ના, ના નલે.
આવી સહિષ્ણુતા હૈયાની વિશાળતા માગી લે છે. દિલ જેનું સાંકડુ હાય છે, તે માનવી ભાગ્યે જ કોઈના કામમાં આવી શકે છે. આવા સાંકડા દિલવાળા માનવીનું મકાન કદાચ માટું હાય તે પણ તેમાં ભાગ્યે જ કોઈને ભાવભીના આવકાર મળી શકે.
આવા સાંકડા હૈયાવાળા માનવાનુ જીવન સંઘનુ એક કેન્દ્ર બની જાય છે. વાતવાતમાં ગમે તેની સાથે અથડામણમાં ઉતરી પડતાં તેમને વાર નથી લાગતી. અને એ રીતે તેમનુ' જીવતર કથળી જાય છે.
પરસ્પરને સાંભળવા તેમજ સમજવાની ઉદારતાના અભાવે જીવનમાં વણમાગી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. વાણીના સચમ
એક સાસુ તે વહુ.
અને ખૂબ ખેાલકણાં, ખ'નેની જીભ પણ ખાસી લાંબી, ઘરમાં ગ્રેજ કજીઆ થાય. અને તે કછુઆ પણ એવા કે સાંભળનાર સ્તબ્ધ થઈ જાય. ન વહુ સાસુને ગાંઠે, ન સાસુ વહુ પ્રત્યે વહાલ દાખવી શકે.
Page #73
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાનઃ
૩૨
આ અરસામાં તેજ ગામમાં એક મુનિ મહારાજ પધાર્યા. વાત્સલ્યઝરતી તેમની વાણી સાંભળીને સાસુના દિલમાં થયું કે, “આ પૂજ્ય પુરુષને આખીયે હકીકત જણાવવાથી મને જરૂર કંઈક ફાયદો થશે.”
આમ વિચારીને તેણે પિતાના ઘરની હકીકત તે મુનિ મહારાજને જણાવી દીધી. - જે વિચાર સાસુને આવ્યો. તેજ વહુને પણ આવ્યો અને વહુએ પણ સઘળી વિતક કથા મુનિરાજને કહી દીધી.
સાસુ અને વહુ બંનેની વાત સાંભળી મુનિરાજ, પરિસ્થિતિનું રહસ્ય સમજી ગયા.
તેમણે વહુને એક દવા આપી અને કહ્યું કે, “જ્યારે તારાં સાસુ તને લઢવા લાગે ત્યારે આ દવા એ રીતે મેંમાં રાખવી કે તે ન ગળા નીચે ઉતરી જાય કે ન બહાર નીકળી જાય.
પવિત્ર દવાની બાટલી સાથે હરખાતી વહુ ઘેર ગઈ.
જ્યારે તેની સાસુ તેને લઢે છે ત્યારે તે, તે બાટલીમાંની દવા પિતાના મૅમાં રાખે છે. અને મુનિરાજની સૂચના હોવાથી નથી તે તે, તે દવાને ગળા નીચે ઉતરવા દેતી કે નથી બહાર કાઢતી. આવી સખ્ત પરહેજીને કારણે સાસુના મેણા-ટોણુને કશે જ પ્રતિકાર વહુ કરી શકતી નથી. પિતાના દીકરાની વહુનું આવું વિવેકપૂર્ણ વર્તન જોઈને સાસુના મનમાં થયું, વહુ જે નથી બેસતી
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૩૩
સફળતાનાં સોપાન:
તે મારે એકલીએ શા માટે બોલ-બેલ કરવું જોઈએ. આમ વિચારીને તેણે વહુને વારંવાર મેણાંટોણાં સંભળાવવાનું સદંતર બંધ કરી દીધું.
અને તેથી બંનેને સંસાર સુધરી ગયા.
મુનિરાજે દવાના રૂપમાં વહુને શું આપેલું તે જાણે છે?
મંત્રાધિરાજ શ્રીનવકારવાસિત પવિત્ર જળ, બીજું કાંઈ જ નહિ.
મતલબ કે જીવનને અશાન્તિનું ઘર બનતું અટકાવવા માટે તમારે જીભ કયારે બંધ રાખવી તે કળા શિખી લેવી જોઈએ.
જીભ એવી ચીજ છે કે તેને જરા જેટલું વધુ ઉપગ માનવીને કેડને કરી નાખે છે અને તેને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી તેજ માનવી લાખેણે બની જાય છે.
સામાની અણગમતી વાત સાંભળીને કંઈક સંભળાવી દેવાની જે ચળ અસહિષ્ણુતાના કારણે જીભમાં ઉપડે ત્યારે તમે તે જીભને તમારા અંકુશમાં રાખી શકશો તે તમારા જીવનની સફળતાના માર્ગમાં ઘણું અંતરાય ઓછા થઈ જશે.
પણ આ દેશમાં ફાલેલા બે વાદે, ઘણુના જીવન બરબાદ કર્યા છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૪;
સફળતાનાં સોપાન:
એ બે વાદ કયા તે જાણે છે? એક બકવાદ અને બીજે તકવાદ.
આ દેશમાં આ બે વાદની બોલબોલ વધી પડવાથી ભારતીય સંસ્કૃતિને ઝાંખપ પોંચી છે.
જરૂર સિવાય નહિ બોલવાની યચાર્યે રુચિ, જીવનમાં સુરુચિ પેદા કરે છે. જ્યારે બકવાદ માનવીની તુચ્છતા, પિકળતા તેમજ બેજવાબદારીભર્યા વર્તાવની જીવતી જાગતી નિશાની બની રહે છે.
જીવનમાં આગળ વધવા માટે બોલવાનું ઓછું કરી નાખો! જ્યારે બોલે ત્યારે જવાબદારીના ભાન સાથે બોલે! દેશ અને કાળને વિચાર કરીને બેલો!
વાણુને આ સંયમ તમારા જીવનમાં અસાધારણ ફેરફાર કરશે અને તમે આદરના અધિકારી બનશે.
જીવનની સફળતાને ચે પાયે છે સદ્ભાવ.
જેવું મીઠા વગરનું ભજન તેવું સભાવ વગરનું જીવન, જેવી તાર વગરની વીણા તેવું સદ્ભાવ વગરનું જીવન. જેવું હવા વગરનું ટાયર તેવું સદ્દભાવ વગરનું જીવન.
સભાવ
સહુ પ્રત્યે સદ્દભાવ રાખે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૫ :
સફળતાનાં સોપાનઃ
ભલે પછી કઈ વયમાં તમારા કરતાં ના હોય, ગુણ અને સંસ્કારમાં ઉતરતા હોય, જાતિએ ભિન્ન હોય; તેમ છતાં જેના પ્રત્યે સદ્ભાવ નહિ રાખે તે તમારે તમારા જીવન તરફને સભાવ ઓછો થઈ જશે, કટુતા અને કલેશ તમારા જીવનમાં પેદા થશે.
સદ્ભાવ એ જીવનની મેટી મુડી છે. એ મુડી વગરને કેટયાધીશ પણ ભાવથી દરિદ્રલેખાય.
પાણી ગમે તેવા પ્રદેશમાં પણ પોતાને માર્ગ કરી લે છે તેમ સદુભાવવાળા માનવીને આ દુનિયામાં ભાગ્યે જ કયાંય જાકારો મળે છે.
સદ્ભાવમાં સામાને સાનુકૂળ બનાવવાની અસાધારણ શક્તિ હોય છે.
સદ્ભાવ જ્યાં પગ મૂકે છે ત્યાંથી સ્વાર્થભાવના પગ ઉખેડી જાય છે.
સાચા બે મિત્રો વચ્ચે જે સદૂભાવ હોય છે તે સદ્ભાવ તમારે તમારા જીવનમાં કેળવવાને છે.
સદ્ભાવ એ ઉદાર હૈયાની પેદાશ છે.
સદુભાવવાસિત જીવનનની મહેક નિરાળી હોય છે. કેઈનું પણ દુઃખ દૂર કરવામાં સભાવવાસિત હૈયાવાળે માનવી પોતાની શક્તિ ગોપવી શક્તિ નથી. સદ્ભાવની તેના સમગ્ર જીવન ઉપર એવી ગાઢ અસર હોય છે કે
Page #77
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન
૩૬૪
તેની શક્તિને એક અંશ પણ ભાગ્યે જ દુર્ભાવની સેવા પાછળ વેડફાય છે.
રવિકિરણના સ્પશે ઝાકળ ઓસરે છે તેમ સદ્ભાવના સ્પશે સ્વાર્થભાવ સરે છે, સ્વાર્થભાવ સરે છે એટલે જીવનમાં પરમાર્થભાવ પ્રકટે છે. પરમાર્થના પ્રભાવે કેઈનેય દુઃખી કરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ તમારા જીવનમાં જાગશે નહિ.
માનવજીવન અણમેલ છે તે તેને સંબંધ પણ અણમેલ એવા ગુણરાશિ સાથે થે જોઈએ, વધવો જોઈએ.
આ ગુણરાશિરૂપ ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા અને સદૂભાવ તમારા જીવનના અંગભૂત બને!
તમારાં હૈયાં આભ જેવાં ઉદાર બને! તમારા જીવનમાં સદાચારની સુવાસ મહેકી ઉઠે !
તમારા શત્રુને પણ પિતાના હૈયાની વરાળ ઠાલવવાનું મન થાય એવી સહિષ્ણુતા તમારા જીવનમાં પ્રકટે!
સદ્ભાવનાં અમી તમારા આચાર અને વિચાર વાટે સર્વત્ર વહેતાં રહો !
બહિર્ભાવ અને દુર્ભાવને તમારા જીવનમાંથી ડેરા તંબુ ઉપાડી ભાગી જવું પડે એવું સત્વસંપન તમારું જીવન બને!
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૭
સફળતાનાં પાન
જેનારને જોતાં વેંત પ્રેરક બને એવું જીવન, ઉક્ત ચાર ગુણને તમે તમારા અંગભૂત બનાવશે તે જીવી શકશે.
અને એવા જીવનની સફળતા માટે કદીયે કઈ સંદેહ મનમાં ન રાખશો !
Page #79
--------------------------------------------------------------------------
________________
૨: સાચા સુખને માર્ગ
આજનું વ્યાખ્યાન, “સાચા સુખને માર્ગ” એ વિષય પર રાખવામાં આવ્યું છે. - સુખ સહુને પ્રિય છે. દુઃખ સહને અપ્રિય છે.
મતલબ કે જગતના બધા જ ઈચછે તે છે સુખ જ, દુઃખ કઈ જ નથી ઈચ્છતું. પરંતુ જે સુખની પાછળ આજના માનવે દેટ મૂકી છે તે તેને નથી મળવાનું તે હકીકત છે.
માનવીની તૃષા જળથી છીપે છે નહિ કે મૃગજળથી. તૃષાતુર માનવી જળાભાસરૂપ મૃગજળની પાછળ દોડ–દેડ કરીને તરસની સાથોસાથ નિરાશા તેમજ થાક સિવાય કશું જ મેળવી શકતું નથી, તેમ પાંચ ઈન્દ્રિયોને તે-તે પ્રકારના રૂપ-રસાદિ વડે ગમે તેટલી પુષ્ટ કરવામાં આવશે તે પણ તેમાંથી સાચા સુખને સ્વાદ માનવી નહિ જ મેળવી શકે. કારણ કે નથી તે જગતને જડ પદાર્થોમાં સુખ આપવાની શક્તિ કે નથી તે પદાર્થો વડે ષિાતી ઈન્દ્રિમાં સુખ આપવાની શક્તિ,
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૯ :
સફળતાનાં સોપાનઃ
જેનામાં જે હોય તે તેની પાસેથી મળી શકે યા મેળવી શકાય પરંતુ જે હોય નહિ તે માગે તે કયાંથી મળે? અને નહિ મળે એટલે નિરાશ પણ થવું પડે. નિરાશામાંથી દુઃખ ઉત્પન્ન થાય.
વિજ્ઞાને શોધેલાં સાધને સુખનાં સાધનો છે એવું ખે માનતા! જે એ સુખનાં જ સાધન હોત, તે જે દેશમાં આજે એ સાધને વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં આવી રહ્યા છે ત્યાંના માનવ સુખી હોત પણ ખરેખર એવું કંઈ જ નથી એટલું જ નહિ, પરંતુ અમેરિકા આદિ દેશની પ્રજા તે એ સાધના વિપુલ ગંજ વચ્ચે પણ મનની શાંતિ માટે વલખાં મારી રહી છે.
તાત્પર્ય કે વિજ્ઞાને ધેલાં સાધને સુખનાં સાધને નથી, પણ દુઃખનાં છે. જીવને અધિક પરવશ બનાવનારાં છે. દેહભાવ પિષનારાં છે.
બેઘડીની મેજને સાચું સુખ માનવાની ભૂલ કરશે તે તેની આકરી સજા તમારે ભેગવવી પડશે.
ઈન્દ્રિયે છે ખપ્પરધારિણી ગણીઓ જેવી, તેમાં જેટલું હશે તેટલું તે સ્વાહા કરી જશે અને તમારા નસીબે સુખને બદલે દુઃખ જ રહેશે.
સાચા સુખ વિષેની ગેરસમજના કારણે, આજના માને વધુ દુઃખી બનતા જાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ :
૪૦ ?
આ ગેરસમજ દૂર કરવી તે તમારા હાથની વાત છે, અને સાચી સમાજને હૈયામાં સ્થિર થવા દેતી તે પણ તમારા હાથની વાત છે. સુખ અને સુખાભાસ
સુખ અને સુખાભાસ એ બે વચ્ચે ભેદ પારખવાની પૂરી શક્તિ માનવમાં છે. એ શક્તિને જે તે વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય તે તેનું જીવન સુખધામ બની જાય. સુખ આપનારા મનાતા સાધનોને આધીન બન્યા સિવાય તે આગળ જાય.
સુખ તેનું નામ કે જેમાં દુઃખનો એક અંશ પણ ન હોય.
આવું સે ટચનું સુખ ભોગવવા માટે તમારે સો ટચના માનવ બનવું પડશે.
વિષયને ખોળે સુખ શોધવું તે ઝેરને અમૃત સમજીને જીભે લગાડવા જેવું છે.
સંસારમાં સાચું સુખ હેત તે અનંતજ્ઞાનીઓએ મોક્ષને માર્ગ પ્રરૂપે ન હેત.
જેના અંતે દુઃખ છે તેવા સુખને સુખ કહેવાય જ નહિ. એવું ઘણું સુખ આજ સુધી તમે ભેગવ્યું તેમ છતાં તમે સુખી છે એમ તમેજ તમારી છાતી ઉપર હાથ મૂકીને બેસી શકે તેમ છે ખરા?
Page #82
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાષાન
પરાધીન પ્રજા સ્વતંત્રતાનું સુખ ન માણી શકે તેમ કોઁધીન આત્મા સાચું સુખ ન અનુભવી શકે.
૪૧ :
એવું સાચું તેમજ સંપૂર્ણ સુખ એક માત્ર મેાક્ષમાં જ છે. જેના અનુપમ સ્વાદ સ કમ મુક્ત સિદ્ધ ભગવતા સહજપણે અનુભવી રહ્યા છે.
સહુ ઈચ્છે છે આવું અખંડ સુખ પણ તે સુખને મેળવવા માટે સાધના જોઇએ.
આવાં સાધન પણ પૂ પુણ્યના ઉદયે જીવને મળે છે. સુખનાં સાધના
તે સાધનામાં મન, વચન, કાય અને ધન મુખ્ય ગણાય. મનના સદુપયેાગ સારાસારના વિવેક પાછળ, વચનના ઉપયાગ હિત-મિત અને પથ્ય એવા સત્યની પાછળ, કાયાના સદુપયેાગ સંયમની સાધના પાછળ અને ધનના સદુપયેાગ દાનની પાછળ કરવાથી માનવીના જીવનમાં સાચા સુખના સંચાર થાય છે.
ધનના મુખ્ય બે પ્રકાર છે.
સ્થૂલ તેમજ સૂક્ષ્મ.
સ્થૂલ ધન સાધનાદિરૂપ હાય છે, જ્યારે સૂક્ષ્મ ધન ભાવનારૂપ લેખાય છે. જે મહાત્માએ સ્થૂલ ધનથી પરની ભૂમિકાને વરેલા હોય છે તે ધર્મ લાભાદિ દ્વારા
Page #83
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ:
૪૨ :
પુણ્યાત્માઓની પાત્રતાને પુષ્ટ કરવામાં અમાપ સહાય પ્રદાન કરતા હોય છે.
ઉક્ત સાધનોના જરા જેટલા દુરૂપયોગથી, માનવી દુઃખી થાય છે, થાકે છે, નિરાશ બને છે અને તેના વિચારની ધારા ક્ષણ તેમજ પ્લાન બની જાય છે.
નક્કી કરે કે અમારે ખંડિત સુખ ન જોઈએ. ઘડીને માટે હસાવીને વર્ષો સુધી રડાવનારૂં સુખ ન જોઈએ. આત્માને કર્માધીન બનાવનારૂં સુખ ન જોઈએ, અન્યની શક્તિના ભેગે મળનારું સુખ ન જોઈએ. શાશ્વત સુખના ધામને પામ્યા પહેલા અમે જંપીશું નહિ. મહારાજાની સેનાને પરાજીત કરવાને સાચે જંગ જારી રાખીશું.
શાશ્વત સુખની ભાવના, એક માત્ર માનવભવમાં જ ફળવતી બની શકે છે. એ ભાવનાની પૂર્તિ કાજે બીજાને સુખ આપે! સગવડ આપે ! તેને દુઃખને દૂર કરવામાં તમારી પાસે જે શક્તિ હોય તેને સાર્થક કરે
જેનાં હૈયામાં ઝળહળતું હોય છે સાચા સુખની ભાવનાને ભાનુ, તે માનવી કેઈનું પણ દુઃખ જોઈને રાજી નથી થતો એટલું જ નહિ પરંતુ સહુને મિત્ર બનીને એ જીવનને દીપાવે છે.
આત્મા, સર્વ કર્મને ક્ષય એક માત્ર માનવદેહના યોગે જ કરી શકે છે, આવા દેહવાળે માનવી જે ધારે તો
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૩:
. સફળતાનાં સોપાલઃ દુનિયામાં અંધાધુંધી પણ ફેલાવી શકે અને ધારે તે ધર્મનું સામ્રાજ્ય પણ સ્થાપી શકે.. બુદ્ધિને ઉપયોગ
માનવીને મળેલી બુદ્ધિ બેધારી તલવાર જેવી છે.
આંધળા સ્વાર્થની એક માત્ર દષ્ટિ એ બુદ્ધિમાં જ્યારે પ્રકટે છે, ત્યારે તે દુનિયામાં દાટ વાળી નાખે છે, અને એજ બુદ્ધિમાં જ્યારે પરમાર્થને પ્રકાશ પ્રકટે છે, ત્યારે તે દુનિયામાં ઉપકારક વાતાવરણ સર્જે છે.
તલવાર હોય પાણીદાર, પણ જે તે બરાબર પકડતાં તેમજ વાપરતાં ન આવડતી હોય તે શું થાય?
તેને પહેલે ભેગ, વાપરનાર જ બને ને?
એજ રીતે લેખાતે બુદ્ધિશાળી માનવી પણ જે પિતાની તે બુદ્ધિ વડે અલ્પ બુદ્ધિવાળાઓનું શોષણ કરતે રહે તે તેનું જીવતર ઝેર બની જાય.
બુદ્ધિમાને સ્વાર્થ માનવીને નીચે પાડે છે. અન્ય માને તરફનો તેને વર્તાવ નિષ્ફરતાપૂર્ણ બની રહે છે. અનુભવી પુરુષોએ સ્વાર્થને આંધળો કહ્યો છે તે સાવ સાચું છે.
આવા અંધાપાને ભોગ બનેલે માનવી, પવિત્રમાં પવિત્ર સંબંધને ઠોકર મારતાં પણ અચકાતા નથી. પિતાના માતાપિતા અને ઉપકારી ગુરુ કરતાં પણ તેને વધુ વહાલે પિતાને સ્વાર્થ લાગે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સાચા સુખનો માર્ગ :
*
*
*
આવા સ્વાર્થોધ માનને અન્યની મુદ્દલ ચિંતા સ્પર્શતી નથી. લાખાજને ભૂખે મરતા હોય ત્યારે પણ પિતાના કે ઠારમાંને એક કણ તેને લાખોની જીંદગી કરતાં વધુ વહાલો લાગે છે.
પરમાર્થ જન્ય પવિત્રતાને બદલે આજે સ્વાર્થજન્ય મલીનતા ઠેર ઠેર વધતી જાય છે.
જેઓ સુખી છે તેમને પિતાનું તે સુખ અધૂરું લાગે છે અને દુઃખી થાય છે, જેઓ દુખી છે તેઓ અલ્પ પણ સુખની લાલસાને કારણે વધુ દુઃખી થાય છે.
નથી ક્યાંય સાચી શક્તિ કળાતી કે નથી જોવા મળતું સાચું સુખ પ્રાપ્ત સંગેમાં સમતાપૂર્વક જીવવાની સાચી કળા તે લુપ્તપ્રાયઃ થઈ ગઈ જણાય છે.
પુણ્યના ઉદયે પ્રતિકૂળતા ઘટે છે, સાનુકૂળતા વધે છે. અને પાપના ઉદયે સાનુકૂળતા ઘટે છે અને પ્રતિકૂળતા વધે છે. કહો! આ ટંકશાળી વચનમાં આજે તમને વિશ્વાસ કેટલું છે?
તમારે જ્યારે જે કાંઈ સહન કરવું પડે ત્યારે તેના માટે જવાબદાર તમારી જાત સિવાય બીજા કોઈને ન ગણશે અને નાનું સરખું પણ જે સુખ અનુભવવા મળે તે દેવ, ગુરુ-ધર્મના જ પ્રભાવે મળે છે એ સત્યને દઢપણે હૈયામાં કેતરી દેશે.
Page #86
--------------------------------------------------------------------------
________________
r
સફળતામાં સપામ
સુખના માગ
પેાતાના સારા માટે પેાતાની જાતને જ ધન્યવાદ આપવા અને પૂરા માટે ખીજાની નિંદા કરવી એ સાચા સુખના વ્યાજબી માં નથી, પરંતુ દુઃખની દુનિયામાં દ્વારી જના ઉન્માગ છે.
બીજાના બંગલા જોઇને પેાતાનુ ઝુ ંપડુ તાડી પાડવાની દુર્મતિ પણ આજે ઠેર, ડૅર ારમાં આવતી જણાય છે. અને તેના કારણે આજના માનવ, પેાતાના આછા-પાતળા સુખ વચ્ચે પણ દુઃખી, દુઃખી' દેખાય છે,
ઓછામાં ઓછી સામગ્રી વચ્ચે પણ જો જીવતાં આવડે તે। માનવી સુખ – શાન્તિપૂર્વક જીવી શકે. ‘સામગ્રી વધે એટલે સુખ વધે અને સામગ્રી ઘટે એટલે સુખ ઘટે' એ સમજને દિલમાંથી દૂર કરી દેજો ! નહિતર એ તમને શાન્તિપૂર્વક શ્વાસ પણ નહિ લેવા દે.
જો સ્થૂલ સામગ્રીને સાચા સુખ સાથે પાયાના સંબંધ હેાત તા ત્યાગી બધા દુઃખી હાત અને રાગી અધા સુખી હાત.
આત્માના ઘરના સુખ સિવાયના કોઈ પણ સુખને સુખ માનવુ' તે આંગણે દુઃખને નાંતરવા ખરાખર છે. તમારે જવું હાય પાલીતાણાજી અને બેસી જાઓ. મુંબઈ જતી ગાડીમાં તે શું થાય? પાલીતાણાજીના ભેટા તમને થાય ખરા કે? તેજ રીતે સાચુ સુખ જ્યાં વસેલું છે તે
Page #87
--------------------------------------------------------------------------
________________
જાયા સુખનો ભાગ
આત્માના ઘર તરફ નજર સુદ્ધાં કરવાની દરકાર રાખ્યા સિવાય, તમે પદાર્થોના પુંજમાં તે સુખની શોધ કરતા રહે એટલે તે શું તમને મળી જાય ખરું કે? - સાચું સુખ જ્યાં વસેલું છે તે આત્માના ઘર તરફ જવાને સાચો માર્ગ પણ તમારે જાણી લેવો જોઈએ તે માર્ગ ઉપર ચાલવા માટે તમારે સાચી વિનમ્રતા કેળવવી પડશે ઉદંડ મનેદશા ત્યાં નહિ ચાલે. અહંકારને સઘળે ભાર પણ તમારે ઉતારી દેવું પડશે.
આવા વર્તનથી તમારે આત્મા કંઈક હળ બનશે, તમારા પુણ્યમાં વધારો થશે, તેના પ્રભાવે વણમાગ્યું સુખ તમને શોધતું આવશે. આજની પરિસ્થિતિ
આજના આત્માઓની પુણ્યાઈ, પરિસ્થિતિ જોતાં ખૂબ પાતળી લાગે છે. અને તેના કારણે સાત સાંધીએ ત્યાં તેર તૂટે એ હાલ સર્જાય છે. પાતળા આ પુણ્યને પુષ્ટ કરવા માટે તમારે તમારા બધા પ્રાણને સર્વના કલ્યાણની ભાવનામાં ભાવપૂર્વક સ્નાન કરાવવું જોઈએ. કેઈને ય અહિતમાં તમારા એક પણ પ્રાણને સીધો કે આડકતરે ટેકે ન રહેવું જોઈએ.
તમે જે સુખ ઈચ્છો છે, તે જ સુખ બધા ઈચ્છે છે, એમ સમજી-વિચારીને તમારે તમારી પ્રવૃત્તિને
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૭:
સફળતાનાં સોપાન;
એ રીતે ગોઠવવી જોઈએ કે જેની પ્રતિક્રિયામાં કોઈ જીવને તમે દુઃખી કરવા ઈચ્છો છો એ મલીન આશય રહે નહિ.
અન્યનું સુખ જે તમે સાંખી નહિ શકે તે, સુખી થવાને પાત્ર તમે બની નહિ શકે. સુખ કે જે પુણ્યનું ફળ છે, તે જે તમે ઈચ્છતા હે તે તેના મૂળ કારણરૂપ ધર્મ તમારા આચાર વિચારમાં વણાઈ જ જોઈએ.
તત્ત્વની વિચારણા માટે મળેલી બુદ્ધિનો જે વ્યભિચાર આ દેશમાં વધતું જાય છે તે જીવનની પોકળતાની સાથેસાથ હેતુવિહીન, ચાન્ટિક મજલને જ મજબૂત એક પુરા નથી તે બીજું શું?
જીવનલક્ષ્ય
- સાચા સુખની સાધના એજ જેનું જીવનલક્ષ્ય હેય તે માનવ યા પ્રજા તે સાધના માટે મળેલાં સાધનોની કેટલી બધી ઈજજત કરે એ તમે જાણે છે ?
પ્રવાસ માટે ખરીદેલી બે-પાંચ રૂપીઆની ટિકિટ તમે સાચવીને ખીસામાં મૂકે કે ગમે ત્યાં નાખી દે?
તમારે એજ જવાબ છે ને, કે “સાહેબ, એ તે વળી નાખી દેવાતી હશે?”
Page #89
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ:
૪૮ : ને તે પછી સાચા સુખની સાધના માટે મળેલાં સાધનોને શું તમે મફતના સમજીને ગમે તેમ વેડફી રહ્યા છે ?
માનવ મન-બુદ્ધિ, માનવ તન, માનવ વચન એ બધાં એટલાં બધાં કિંમતી છે કે, ચક્રવર્તી સમ્રાટ પોતે પોતાની બધી જ સંપત્તિ વડે પણ તેમાંને એકને પણ ખરીદી શકે નહિ. | કિંમતી ફાઉન્ટન–પેન કેમ વાપરવી તે તમે જાણે છે અને તેના કરતાં અનેકગુણ મૂલ્યવાન દેહાદના સદુપયેગ ટાણે, સ્વાર્થને વશ થઈને તમે સાચે માર્ગ ચૂકી જાઓ છે.
જે તમને સુખ ગમતું હોય અને દુઃખ ન ગમતું હોય તો તમારા સુખમાં બીજાને સાથીદાર બનાવે અને બીજાના દુઃખમાં તમે ભાગ પડાવે. સામે માણસ કદાચ ને પાડે તે પણ તેના દુઃખમાં ભાગ પડાવવામાં તમે પાછા ન પાડશે?
પર માટે પુષ્પ જેવા કોમળ અને પિતાના માટે વજ જેવા કઠણ તમે બની શકશો તે સુખ તમારી છાયા છેડતાં પણ કચવાશે.
તમારો આજને જીવનરાહ લગભગ અવળો જણાય છે એટલે કે પિતાના માટે જ પિતાની બધી
Page #90
--------------------------------------------------------------------------
________________
શક્તિ વાપરી નાખવી અને પરની વાત સાંભળીને પૂંઠ ફેરવી જવી.
આ રાત ઉપર ચાલવાથી તમે સુખી નહિ બની શકે પરંતુ વધુ દુખી થશે. - બુદ્ધિને સ્વાર્થીના પિષણ પાછળ તેમજ અન્યના શેષણ પાછળ, ન બરબાદ કરશે. બુદ્ધિની બરબાદીમાંથી જીવનની આબાદીનું પ્રભાત નહિ ઉઘડે તે નક્કી માનજે.
તત્વ-વિચારણામાં બુદ્ધિની સાર્થકતા છે. સુખનું બીજું સાધન
સાચા સુખની સાધના માટે શુદ્ધ બુદ્ધિ જેટલું જ ઉપગી શરીર પણ છે. એ શરીરને યથેચ્છપણે વેડફવાની બાપુની મુડી ન માનશે. શરીરના સાચા સહગ સિવાય, મેહરાજાની સેનાને ભગાડી મૂકવાનું આત્માનું કામ પણ અધૂરું રહી જાય.
સંયમ દ્વારા શરીર પાસેથી કામ લેવાની રીત સર્વોત્તમ છે. ઈન્દ્રિયોને લાડ લડાવશે તે શરીર પાસેથી તમે સાચું કામ કઢાવી નહિ શકો.
આરામ અને થાકની આજની તમારી વ્યાખ્યાઓ પ્રાણ વગરની છે, માત્ર પ્રમાદને પોષનારી છે. આરામ માટે વિલાસ અને તે વિલાસને અંતે થાક શું આને તમે સાચું જીવન કહે છે?
Page #91
--------------------------------------------------------------------------
________________
સાચા સુખનો માર્ગ
૫૦
શરીરનું બળ એ જેવી તેવી વસ્તુ નથી. એ બળને સદુપયેગ સાચા સુખના માર્ગ ઉપર આગળ વધવા માટે કરવાને બદલે પંચેન્દ્રિયના વિષયે ભેગવવા પાછળ કરે તે મહાપુણ્ય મળેલા ચિંતામણિ-રત્નને ઉપગ કાગડાને ઉડાડવા પાછળ કરવા બરાબર છે. ' શરીરને બહારથી ગમે તેટલું સાચવશે તે પણ અંદરની સાચવણ નહિ હોય તે તે તમને ખરા સમયે સાથ નહિ આપે. શરીરના શણગાર
કુલ-શીલની મર્યાદાના પાલન માટે શરીર ઉપર વસ્ત્રો ધારણ કરવાનાં છે.એ વસ્ત્રો વડે જ શરીરની શોભા વધે છે. એવી જે ગેરસમજ આજે ઠેર ઠેર જોર પકડતી જાય છે, તે પડતીની એક નિશાની છે.
શરીર એ પ્રદર્શનનું સાધન નથી કે એને સારી રીતે શણગારીને સર્વની સમક્ષ રજુ કરવાની તમને ફરજ પડે. એમ કરવું તે તો વિકૃતિની જ નિશાની છે.
પિતાને કુળ, વય, પરંપરા, સંસ્કૃતિ વગેરેની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એ પ્રકારે વો ધારણ કરશે તો તેનાથી તમને તેમજ તમને જેનારને પણ કંઈક લાભ થશે. ફેશનના નામે આપણી સંસ્કૃતિના ઘણા પ્રદેશમાં વિકૃતિ દાખલ થઈ છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન; ચેતીને ચાલવાની ખાસ જરૂર છે. નહિતર તમારું શરીર એ યુગનું સાધન મટીને ભોગ તેમજ રંગનું ઘર બની જશે.
સુખનું ત્રીજું સાધન
મન, બુદ્ધિ તેમજ તનના બળના સદુપગની સાથેસાથે ધનના બળને સદુપગ કેમ કરે? તે પણ તમને આવડવું જોઈએ.
ધન એટલે સંપત્તિ. પૂર્વ પુણ્યના ઉદયે તે મળે છે. | વિપત્તિમાં મૂકાએલા આત્માઓને સહાયરૂપ થવામાં તમારે તેને સદુપયોગ કરે જોઈએ. પરમ દયાળુ પરમાત્માની ભક્તિ પાછળ, ભાવપૂર્વક ખર્ચાતી એક એક પાઈનું તાત્વિક રીતે ખૂબજ મૂલ્ય છે એ ન ભૂલશે!
તમે વાત, વાતમાં જલસા કરે અને તમારા પાડોશીના બાળકો અન્ન વગર ટળવળતાં હોય એ સ્થિતિ શું તમારા માટે શોભાસ્પદ છે?
બુંગિયાનો અવાજ સાંભળીને જવાંમર્દો ગામના ગંદરે દોડી જાય છે અને બદમાશોને ભગાડી મૂકે છે, તે પછી ધનને બળવાળા શ્રીમંતની હાજરી વચ્ચે ગરીબ-દરિદ્રો કેવળ ધનહીન હોવાના કારણે મૂંઝાઈ મરે એ શું શ્રીમંતોને માથે જેવું તેવું કલંક ગણાય?
Page #93
--------------------------------------------------------------------------
________________
સાચા સુખની માગ:
પર
થોડામાંથી થોડું પણ બીજાને આપતાં શિખે ! પેટ અને પટારાના પૂજારી બનીને કદીએ સુખ-શાન્તિ અનુભવી નહિ શકે!
હાય કરેડપતિ ને જીવ હાય ભિક્ષુક જે તે તેની તે લક્ષ્મીથી તેને પિતાને કે સમાજને સાચે શો લાભ?
દાનરૂપે સન્માર્ગે વહેતું રહે છે ત્યાં સુધી જ સંપત્તિરૂપી ઝરણાનું પવિત્ર્ય જળવાય છે અને તે ઝરણામાં અનેકને સુખ–શાન્તિ આપવાની યોગ્યતા હોય છે.
તમારા કબજામાંની સંપત્તિમાંથી થોડીક પણ તમે બીજાને ભાવપૂર્વક આપતાં શિખશે તે તમને સુખને
પૂર્વક આ સંપત્તિમાં
અનુભવ
સુખનું ચોથું સાધન
સુખનું ચોથું સાધન છે વાણી. જે યશ પણ અપાવે અને ખાસડાં પણ ખવરાવે.
પાણીમાં કેવી શક્તિ છે તે તે તમે જાણે છે ને? જ્યારે વાણીમાં તેના કરતાં પણ અધિક શક્તિ છે. પાણીના મોટા પ્રવાહને સમયસર નાથવામાં ન આવે તે તે કેવા અનર્થો જન્માવે તે પણ તમે જાણે છે, તે જ રીતે પાણી કરતાં અધિક શક્તિવાળા વાણીના પ્રવાહને સંયમ વડે નાથવામાં ન આવે તો તેનાથી વ્યક્તિ તેમજ સમાજને ભારે ધક્કો પહોંચે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૩ :
પ્રમાણસર પાણીથી ખેતરે લીલાછમ બને છે અને તે પ્રમાણમાં ઘટવધ થવાથી તે ખેતરે કાતિ વેરાન કાં જળબંબાકાર બની જાય છે, તે જ રીતે વાણીરૂપી શક્તિને વિવેકપૂર્વકને સદુપયેગ કરતા રહેશે તે તમારા જીવન બાગ પણ હરિયાળો બનશે. અને બીજા અનેકને સાચા જીવનની પ્રેરણા પૂરી પાડશે.
પદાર્થોના વપરાશમાં કરકસર કેમ કરવી તે તમે જાણે છે, જ્યારે વાણીના વપરાશને વિવેક તમે ચૂક્તા જાઓ છે. ગમે ત્યારે ગમે તેમ બેલી નાખવા માટે વાણીરૂપી સાધનને તમે દુરૂપગ કરતા રહેશે તે તેની સજારૂપે ભવાંતરમાં તિર્યંચગતિના ભાગી બનવું પડશે એ ન ભૂલશે. - પાણી અને તેમાંથી બનતી વરાળની શક્તિ કરતાં હૈયાનાં હેતવડે ભીંજાએલા સાચા શબ્દોમાં અધિક શક્તિ હેય છે. એ શબ્દોની શત્રુના હૈયાને પણ અસર થાય છે.
પાણી તરસ છીપાવે છે તેમ મધુરને શીતલ વાણી માનવીના થાકને એ છે કરે છે. મનની પ્રસન્નતામાં વધારે કરે છે. વાણીને દુરૂપયેગ અટકાવવા માટે પરનિંદા છેડી દો! ગુણ આત્માઓના ગુણની અનુમોદના કરે! કેઈનું પણ અહિત થાય એ શબ્દપ્રયોગ ન કરે!
આ છે સુખી થવાને સાચે માર્ગ.
Page #95
--------------------------------------------------------------------------
________________
સાચા સુખનો માર્ગ :
૫૪
સુખને રાજમાર્ગ:
- કેઈનું પણ શરીર સદા કાળ ટકયું નથી, ટકતું નથી, ટકવાનું નથી. માટે એ કાયામાં કદી ન લપટાશો. તેને મેહમાં આત્માને નીચે ન પાડશે.
બને તે ભલામાં ભાગ લે! નહિતર મળેલા માનવજીવનના એક અંશનો પણ બીજાના અહિત પાછળ દરૂપગ નજ કરશે!
મહાસંતની ભૂમિ ઉપર જન્મ મળે છે તો તેને સફળ કરવા માટે તમારે સર્વના કલ્યાણની ભાવનાને આચારમાં વણવી જોઈએ.નબળા વિચારને પડખે બેસશે તે તે જીવનને બરબાદ કરી નાખશે.
સારૂં મળે ત્યાંથી ગ્રહણ કરે! શત્રુની પણ નબળી બાજુને સમાજમાં ઉઘાડી પાડવાથી તમને કશો જ લાભ નહિ થાય અને એ નબળાઈના પ્રદર્શનમાંથી બીજાઓને નુકશાન થશે. - જે સુખ ઈચ્છતો હોય તેને બીજાનું સુખ ગમે કે ખે? કહે કે ગમે તે, તમને બીજાનું સુખ ગમે છે ને? એ સુખ અપાવનારો ધર્મ પણ ગમે છે ને?
જેને સુખ જ ગમતું હોય તે માનવી, અન્યનું દુઃખ જોઈને દુઃખી થાય કે સુખી? દુઃખીને ધક્કા મારે તે સુખી કહેવાય કે કઠણ કાળજાને?
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૫:
સફળતાનાં સોપાન: સુખી દુઃખીને ધકકે ચઢાવે, દુઃખી સુખીને જોઈને બળે. એ બધી જ સ્વાર્થની રામાયણ.
બે પ્રકારના સંબંધ?
આ સંસારમાં સંબંધ બે પ્રકાર છે. એક સ્વાર્થને, બીજે સ્નેહને.
સ્વાર્થને સંબંધી, જેની સાથે સંબંધ રાખે છે તેની પાછળ તેને આશય પિતાના સ્વાર્થની માત્ર પૂતિને હોય છે, તેના હૈયામાં સામા માટે લાગણી હોતી નથી. અને પિતાને સ્વાર્થ સરે છે, એટલે તેવા સ્વાથી માણસ, “તું કેણ અને હું કેણ?” જેવું સાવ કેરૂં વલણ અપનાવે છે.
પણ એ ન ભૂલશે કે માત્ર પંડને સગે, દુનિયામાં ઈને પિતાને સાચે સગે બનાવી શકતો નથી અને ખરા સમયે તેની હાલત ખૂબજ દયાપાત્ર બની જાય છે. પિતાના હૈયામાં કેઈને પણ સ્થાન નહિ આપનાર માનવી, કેઈન પણ હૈયામાં સ્થાન પામી શક્તો નથી.
જ્યારે સ્નેહની સગાઈ અનોખી હોય છે. તેમાં લેવા માટે નહિ, આપવા માટે પડાપડી થતી હોય છે. એક-બીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના જોર કરતી હોય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ:
સહેજ વાંકું પડે એટલે કે છૂટી જાય એવા તકલાદી સબંધ તકવાદી જીવનમાંથી જ જન્મ્યા છે ને?
સાચા સંબંધીઓ તે પરસ્પર માટે આભ જેવા ઉદાર હેય. એકમેકની ભૂલને નાની નજરે જોનારા હેય. ધકાનું માથું પાછું જુદું થઈને પણ ભેગું થઈ જાય તેમ અંતરાયના ધેકાને માર પણ તેમને અલગ પાડવામાં નિષ્ફળ જાય.
નેહના સંબંધમાં અંગત અનુકૂળતાને સ્થાન હતું નથી. એકબીજાને વધુમાં વધુ અનુકૂળ બનવાની ભાવના પરસ્પરના હૈયામાં મહેકતી હોય છે.
જ્યારે આજના સંસારમાં તે પોતાની સ્કૂલ અનુકૂળતાને સહેજ ધકકો પહોંચે છે એટલે સ્ત્રી પોતાના પતિથી છૂટા પડવા સુદ્ધાં વિચાર કરી શકે છે. અને પિતાની અનુકૂળતાના અંગત ખ્યાલમાં ગળાડૂબ પુરુષ પિતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય લઈ શકે છે.
કહો! જ્યાં આવાં સ્વાથી જેડાં રહેતાં હોય તે સંસારમાં સુખ-શાન્તિ રહી શકે? નવા નવગ્રહ ' અંગતતા અંચળો ઓઢીને ફરતે આજનો માનવી, માનવ તરીકેના એના આચારથી ઘણે નીચે ગબડી ગયે છે. “મારું સાચું” ના મિથ્યા ઘમંડ નીચે તે વધુ દબાતે
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૭:
સફળતાનાં સેાપાન
જાય છે. આગ્રહી વલણ દ્વારા તે પેાતાના જીવનમાં અસાન્તિને વધુ કાયમી બનાવતા હાય છે.
ઊંચે ફરતા નવ ગ્રહેાની સારી, માઠી અસર કરતાં પણ વધુ માઠી અસર આજના માનવાને પાતે જ પેદા કરેલા, આ, આમ આદિ નવ ગ્રહેા કરી રહ્યા છે.
એ નત્ર ગ્રહમાં પહેલા તે આગ્રહ. આ મહુની અસરથી માનવીમાં પેાતાના જ વિચારના સમર્થનનુ મિથ્યા ઝનુન જન્મે છે.
ખીજા ગ્રહનુ નામ છે કદાગ્રહ. આ ગ્રહનો જન્મ આગ્રહમાંથી થાય છે અને તે માનવીના જીવનની શાન્તિને ભરખી જાય છે.
કદાગ્રહમાંથી જન્મે છે, દુરાગ્રહ નામનો ત્રીજો મહ. આ ગ્રહ માનવી પાસે ન કરવાનાં કામેા કરાવીને માનવના નામને અટ્ટો લગાડે છે.
દુરાગ્રહનું સ્વરૂપ હાય છે ભારેલા અગ્નિ જેવુ' અન તેમાંથી પ્રકટે છે હુતાશન મેા વિગ્રહ નામનો ગ્રહ, જે પેાતાની લપટમાં હજારોને હાઈયાં કરી જાય છે. બાકીના પ્રહેાનાં નામ છે. પૂહ, હઠાગ્રહ, સત્યાગ્રહ અને મિથ્યાગ્રહ.
આ નવે હેાને જે મેાકળુ મેદાન આજના પ્રગતિશીલ મનાતા માનવે પેાતાના જીવનમાં તેમજ સમાજમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માગ:
૫૮
s
આપ્યું છે તેણે, દુનિયાનું નંદનવનને બદલે કંટવનમાં રૂપાંતર કરી નાખ્યું છે.
રિજના સો કમાનારના જીવને પણ શાન્તિ નથી ને પરસેવે પાડીને પાંચ કમાનાર પણ અનેક મુસીબતે સહન કરે છે.
આ નવ ગ્રહોની અસરથી દૂર રહેવા માટે ઉદાર બને, વિવેક કેળવે, માનવની ઈજજત કરતાં શિખે. તમારા ખ્યાલની સાથોસાથ બીજાને ખ્યાલ રાખવાની ભાવના કેળવે.
માત્ર અન્ન-વસ્ત્ર અને આવાસ પૂરતું જ માનવજીવન છે એવું કદી ન સમજશે. જે એવી સમજ તમારા હૈયામાં હોય તે એને તરત દૂર કરી દેજે.
માનવના પ્રકાર:
આ દુનિયામાં માને અનેક પ્રકારના હોય છે. અનેક તે પ્રકારોને સમાવેશ મુખ્ય ત્રણ પ્રકારમાં થઈ જાય છે. તે મુખ્ય પ્રકાર એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.
ઉત્તમ માનવોને સ્વભાવ ચંદન જેવો હોય છે. જાતે ઘસાય પણ બીજાને સુગંધ આપ્યા સિવાય ન જપે. એ ઘસારાને અણસાર પણ તેમના વદન પર આકાર લઈ શકતું નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન
મધ્યમ પ્રકારના માણસો વણિવૃત્તિવાળા હોય છે. જે રીતે એક વેપારી, ગ્રાહક પાસેથી રૂપીઓ લઈને બદલામાં તેને રૂપીઆનો માલ આપે તે રીતે ઉક્ત વૃત્તિવાળા માન, પિતાનું હિત કરનારનું હિત કરવાની ભાવના રાખે છે અને અહિત કરનારનું અહિત કરવાની વૃત્તિ ધરાવે છે.
જ્યારે કનિષ્ઠ પ્રકારના માનવે ડાકુ જેવા હોય છે. ડાકુ નિરપરાધી જનેના જાન, માલ લૂંટી લે છે તેમ આ વૃત્તિવાળા માનવે બીજાનું ખરાબ કરવામાં જ વધુ રસ ધરાવે છે. તેમનાથી કેઈનું સારું ખમાતું નથી. ભલાના કરનારનું પણ ભૂંડું આવી જાતના માણસો કરી નાખે છે અને તેને લવલેશ પસ્તા તેમના વદન પર વાંચવા મળતું નથી.
પણ સાચી વાત એ છે કે તમારે સુખી થવું હશે તે તમારે તમારા સુખમાંથી બીજાને સપ્રેમ ભાગ આપ જ પડશે. દુખીનું દુઃખ દૂર કરવાની ભાવના સિવાય જીવનમાં સુખનું ઝરણું વહેતું નહિ થઈ શકે.
સાચું સુખ
જગતના બધા જ ઈચ્છે તે છે સુખ જ, પરંતુ ઈચ્છવા જેવું સુખ કયું છે? તે બાબતને વિવેક ખૂબ જ ઓછાને હોય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ: . કેટલાક માનવે આ દુનિયાના સુખને ઈચ્છતા હોય છે, અને તે સુખની ભૂખથી પ્રેરાઈને ધર્મક્રિયા કરે છે, જ્યારે કેટલાક પલકના સુખની ઈચ્છાથી ધર્મક્રિયા કરે છે અને કેટલાક વિવેકી આત્માઓ મોક્ષના અવ્યાબાધ સુખને માટે ધર્મક્રિયા કરે છે.
આલોક અને પરલોકનાં સુખ આ જીવે અનેકવાર ભગવ્યાં છે અને તેનાં ફળ પણ ચાખ્યાં છે એટલે તેમાં
ભાવા જેવું કશું જ નથી એમ હવે તમને લાગવું જોઈએ. - આલોક અને પરલોકનાં સઘળાં સુખ એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લામાં મેક્ષસુખનો એક રતિ એટલે જ ભાગ મૂકવામાં આવે તે પણ પલ્લું રતિભાર તે સુખવાળું જ નમતું થાય.
અહીંનાં બધાં સુખ કાચી માટીના કુંભ જેવાં છે. એવા તકલાદી સુખની પાછળ, જેના વડે શાશ્વત સુખની સાધના કરી શકાય છે, એવા માનવદેહ, માનવસમય અને માનવબળને દુરૂપયોગ કરતાં તમારે અટકી જવું જોઈએ, અને શાશ્વત સુખની સાધનામાં જોડાઈ જવું જોઈએ.
સાચી સ્વતન્ત્રતા?
- ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ શ્રી અરિહંત ભગવંતે જ છે. શ્રી અરિહંતના ત્રિભુવન ઉપરના ઉપકારને કઈ
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૧ :
| સફળતાનાં સોપાત ? પાર નથી. જગતના જીવોને ધર્મનો માર્ગ પણ તેઓશ્રી બતાવે છે. | ત્રિભુવનમાં સર્વ કેઈને તમે નમો અને એક શ્રી અરિહંત પરમાત્માને ન નમે તે તમારે તે નમસ્કાર એકડા વગરના મીંડા જેવો ગણાય. શ્રી અરિહંત ભગવંતે જે ધર્મ પ્રકાશે છે તેની અપ્રમત્તપણે આરાધના કરીને આત્માઓ સિદ્ધિપદને વરે છે, વર્યા છે, તેમજ વરશે.
સિદ્ધિ પદ એટલે શિવપદ, જીવના વિકાસનું પરમપદ એ પદે પહોંચ્યા પછી, જીવ જન્મ-મરણની જંજાળમાંથી છૂટી જાય છે. કાળને કઈ કાયદો એ પદને અસર કરી શકતું નથી. અનંત કાળની અખંડ સ્વતન્ત્રતા જીવ એ પદને પામીને ભગવત રહે છે.
સાચી સ્વતન્ત્રતા એનું નામ કે જ્યાં રહેનાર પિતે પિતાના તંત્રને સ્વામી હોય, સેવક નહિ.
કહેસ્વતન્ત્ર મનાતા તમે આ વ્યાખ્યા મુજબ સ્વતન્ન છે? નથી જ.
તમે તે શું પણ અમે ય સાચા અર્થમાં પૂરા સ્વત~ આજે તે નથી જ. પણ અમને તે પરતત્રતા ખટકી, કર્મદાસત્વ અસહ્ય લાગ્યું એટલે અમે શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલા સર્વકલ્યાણકર ધર્મને માર્ગ વિધિ-બહમાનપૂર્વક સ્વીકારી લીધું.
Page #103
--------------------------------------------------------------------------
________________
તણાયા સુખને માર્ગ
મહેલ જેવી પણ જેલમાં જે સુખ એક કેદી નથી અનુભવી શકતે, તે સુખ તે પિતાની ઘાસની ઝુંપડીમાં અનુભવી શકે છે, કારણ કે ત્યાં તેની હીલચાલ ઉપર અંકુશ નથી હોતું. તેજ રીતે આલોક અને પરલોકની દેમદેમ સાહ્યબી વચ્ચે પણ મૃત્યુ-જન્મ તેમજ જરાની લટકતી તલવાર તરફ જેનું ધ્યાન રહેતું હોય છે તે આત્માને તે સાહાબી લોભાવી નથી શકતી. તેની પાછળ તે પાગલ નથી બનતે.
તાજેતરને જ આ દાખલ છે.
એક વેપારી-નામ મોહનલાલ. ગામડામાં ઉઘરાણી ગયા. થોડીક ઉઘરાણું પતાવીને પિતાના એક ઘરાકને ઘેર જમવા બેઠા. પહેલે કળીઓ મેંમાં મૂકો, અને બીજો મેંમાં મૂકવા જાય છે ત્યાં જમણે હાથ ઝલાઈ ગયે. કેળીઓ હાથમાં જ રહી ગયો ને ખટારામાં બેસાડીને તેમને ઘેર લાવ્યા દાકતર બેલાવ્યો. દાકતરે શરીર તપાસીને કહ્યું કે, “લકવો થયેલ છે. તરત અમદાવાદ લઈ જાઓ.”
આવી છે કર્મવશ જીવની સ્થિતિ,
ધર્મ મહાસત્તાક - કર્મસત્તા ખરેખર ભયંકર છે. ધાર્યું ધૂળમાં મેળવતાં તેને જરાય વાર નથી લાગતી. ઘેર લગ્ન લીધાં હોય,
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૩:
સફળતાનાં સોપાલ:
કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ. કૂળકન્યાઓ મંગળ ગીતો ગાતી હોય અને એ બધા ઉપર પળવારમાં કર્મસત્તા પિતાને કેરડે વિઝે એટલે રોકકળ થતાં વાર ન લાગે.
કર્મસત્તાથી ગભરાશે નહિ. તેનું પણ મારણ છે. અને તે છે ધર્મ મહાસત્તા. ધર્મ મહાસત્તાનું ત્રિવિધે શરણું સ્વીકારશે તો તમે પરાધીનતામાંથી, સ્વતંત્રતા તરફ આગળ વધી શકશે.
આ જગતમાં સારું સઘળું ધર્મના પ્રભાવે જ થાય છે અને ખોટું સઘળું પાપકર્મના ઉદયે. દેવ-ગુરુ, ધર્મના પ્રભાવે પ્રવર્તતી સુખ-શાન્તિપ્રદ સ્થિતિ માટે તમે અહ ન સેવશો. પરંતુ સ્પષ્ટપણે કહેતા રહેજે કે “આ સ્થિતિ ધર્મના પ્રભાવે પ્રવર્તે છે. અને જ્યારે તમારા જીવનમાં પ્રતિકૂળતા આવે ત્યારે અન્ય કેઈને માથે તેની જવાદારી ઓઢાડવાને બદલે, “આ પ્રતિકૂળતા તે મારા પિતાના જ કઈ સમયના અશુભ કર્મોનું ફળ છે” એમ નિઃશંકપણે સ્વીકારજે.
તમારું આવું વર્તન અનેકને ધર્મ પમાડશે અને તમને સુખ-શાન્તિ આપશે. અવળે રાહઃ
સારું થયું તે મારા પ્રયત્નથી અને બેટું થાય ત્યારે તેના દેષને ટોપલે બીજાના માથે ઓઢાડવાને અવળે રાહ ન અપનાવશે, નહિતર જીવનની શાન્તિ
Page #105
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માર્ગ: ખોઈ બેસશે. સુખ હારી જશે અને અહંકારના પૂતળા જેવા બની જશે.
મેં લક્ષ્ય તરફ રાખીને ચાલવાનું હેય, લક્ષ્ય તરફ પુઠ ફેરવનારી વ્યક્તિ સાચી પ્રગતિ સાધી શક્તી નથી. સુખના ધામ તરફ આગળ વધી શક્તી નથી.
લક્ષ્ય તરફ મેં રાખવાથી તમારા દેષ સહુથી પહેલા તમારા લક્ષ્યમાં આવશે. જે રીતે દર્પણમાં જેનારને પિતાના વદન પરના ડાઘ આદિ તરત સ્પષ્ટપણે જણાઈ આવે છે.
પિતાની અપૂર્ણતાનું ભાન માનવીમાં નમ્રતા જન્માવે છે, એ નમ્રતામાંથી સરળતા જમે છે. એ સરળતા માનવીને સાચા રાહે ચાલવાનું બળ આપે છે, એ બળ વડે કમંદળ ટપટપ તૂટવા માંડે છે, પાપ કરવાની શક્તિ ખૂટવા માંડે છે, સત્કર્મની વૃત્તિ વધુ મજબૂત બને છે. સદ્દવિચારની ગંગા
મન એ જે તે પદાર્થ નથી. એને અણમોલ સમજી, સ્વીકારીને જીવનારા જીવન સફળ કરી જાય છે.
- સદ્દવિચારની ગંગામાં સ્નાન કરાવશે તો મન વધુ પુષ્ટ થશે અને જો ભૂલથી પણ એને દુર્વિચારના કાદવમાં રગદોળશે તો તમારે લગભગ આખે ભવ રગદોળાઈ જશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૫:
સફળતાનાં સોપાન:
યાદ રાખો ! મનરૂપી રાજહંસને હોય ચારો સુવિચારરૂપી મોતને, એને દુર્વિચારના ઉકરડે જવાનું મન થાય એ બીના માનવ માટે શરમજનક ગણાય. સુખના અન્ય સાધનોઃ
સાધુ પુરુષની સેવા, મત્રી આદિ ભાવનાઓ સત્સંગ અને શાસ્ત્રશ્રવણ એ પણ સાચું સુખ પમાડનારાં ઉત્તમ આલંબને છે.
આ પડતા કાળમાં સાધુસંતોની સેવાને સુયોગ, જીવ, મહાપુણ્યના ઉદયે મેળવી શકે છે. આ સુગના પ્રભાવે માનવીમાં અંતર્મુખતા ખીલે છે અને સુખ મેળવવા માટે બહાર દોડ દોડ કરવાની અવિદ્યાજન્ય વૃત્તિ અંકુશમાં આવે છે
મહાકાય વડલાની છાયામાં જનારને પંખાની જરૂર નથી રહેતી તેમ સાધુસંતોની નિશ્રા જેમને મળી જાય છે તેમને અપૂર્વ શાન્તિને અનુભવ થાય છે. સાધુસંતોની નિશ્રાના પ્રભાવે શાસ્ત્રશ્રવણની સાનુકૂળતા વધે છે. શાસ્ત્ર શ્રવણ આત્મહિતચિંતનને ખોરાક પૂરો પાડે છે. જીવને પડતે બચાવવાનું બળ જીવનમાં પેદા કરે છે. આલેક અને પરલેકના ક્ષણિક સુખની લાલસા સિવાય, પિતાના ઉપકારી છે, એમ સમજીને સાધુસંતની સેવામાં પિતાની શક્તિને સાર્થક કરવાથી, જીવનમાં ન ઉજાસ ફેલાવી શકશે.
Page #107
--------------------------------------------------------------------------
________________
સાચા સુખને માગ:
જ
મનને મૈત્રી આદિ ભાવનાઓમાં રમતું રહેવાનું વ્યસન પડે એવી આંતરિક હવા સત્સંગજન્ય સંસ્કારના પ્રભાવે, તમે તમારા જીવનમાં જન્માવી શકશે. દુર્વિચારને કાળા કૂચડે મનના મેં ઉપર ફેરવીને તમે જીવનને દીપાવી નહિ શકે!
આજને માનવી
આજના શિક્ષણ-સાહિત્ય અને સીનેમાએ તમારા જીવનમાં જે ગજબની ઉપલપાથલ કરી છે તેને તમને ખ્યાલ આવે છે ખરે? ભારતીય સંસ્કૃતિના મહાપ્રવાહમાં કેવી કેવી વિકૃતિઓ દાખલ થઈ ગઈ છે તે તમે જાણે છે?
એક કાળે જે પ્રજાને મન, જીવનની પવિત્રતા પ્રાણથી યે પ્યારી હતી, તે પ્રજા આજે ભેળસેળીઆ જીવનને લાડ લડાવવામાં સુખ અનુભવી રહી છે, તે કે ગજબને વિનિપાત ગણાય?
પૂર્વ પુરુષોએ સ્થાપેલી ઉપકારક મર્યાદાઓને બીન જરૂરી બંધન સમજીને ઠુકરાવી દેવામાં તમે જીવનની પવિત્રતાને હુકરાવી રહ્યા છે. જીવનની શાન્તિને જાકારો દઈ રહ્યા છે એ સમજાય છે ખરું?
ઈન્દ્રિયોની ચળને પંપાળનારો આજને માનવી, જીવનરૂપી ઈમારતના મૂળમાં લૂણે ચાંપી રહ્યો છે. વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના ભેદને પારખવાની તેની
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૭૪
સફળતાનાં પાવઃ
શક્તિ લગભગ કુંઠિત થઈ ગઈ છે. ખાદ્યાખાદ્ય, પૈયાપેચ અને ગમ્યાગમ્ય વિવેક પણ તે ચૂકતે જાય છે.
સંસારની પવિત્રતાની આધારશિલારૂપ નારીના શીલની રક્ષા માટે જે અદ્દભુત વ્યવસ્થા આ દેશમાં અગાઉ હતી, તે પણ દિનપ્રતિદિન ખેરવાતી જાય છે અને તે પણ નારીની જ પ્રગતિના નામે!
દેહને શણગારનું માત્ર સાધન કે ભારતીય નારી અગાઉ મુદ્દલ સમજતી નહિ. જાહેરમાં ગમેતેમ ફરવાની કુટેવ, ભારતીય નારીના જીવનમાં ઘર કરી શકે તે ઘટના ખૂબ જ ચિંતાજનક ગણાય હૈયાના નિર્મળ ભાવની છાયા નિજ વદન પર લઈને જીવનને દીપાવનારી આર્યકન્યાઓની સાચી શિક્ષણ સંસ્થા છે પિતાનું પિયર, નહિ કે આજની રતની સંસ્થાઓ તેમજ શાળાઓ.
દૂધના વાસણમાં ભૂલથી પણ દહીંને ફેર પડી જાય છે, એટલે એમ કહેવાય કે “દૂધ ફાટી ગયું.” તેજ રીતે જીવનના પવિત્ર પ્રવાહમાં વિકૃતિને વાયરો દાખલ થાય એટલે તે જીવન પણ તત્કાલ માટે ફાટી ગએલું અથવા મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ ગએલું જ ગણાય.
પાંચ ઇન્દ્રિયના ભેગની જે ભયાનક દુર્ગધ વડે આજનું વાયુમંડળ દુષિત થયું છે, તેને શુદ્ધ કરવા માટે, તમારે સહુએ ભાવથી શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતની ભક્તિમાં જોડાઈ જવું જોઈએ.
Page #109
--------------------------------------------------------------------------
________________
સાચા સુખના માર્ગ :
સાચા સુખના એજ સાચા માર્ગ છે.
સીનેમાના નટ-નટીએના એક પણ વિચારને અડવાથી તમારી પવિત્રતા જરૂર દાઝશે, માટે સત્સંગ દ્વારા સ ́સ્કૃતિના માર્ગમાં સ્થિર બનવાની ખાસ ભલામણ છે. મહાસતા અને મહાસતીએના જીવનમાંથી, ઝીલાય તેટલુ ઝીલવાથી તમે જીવનને સાર્થક કરી શકશે, જન્મને જીતી શકશેા.
૬૮ઃ
આશાના પાશમાં બંધાયા સિવાય, જેના શરણા ગતની સર્વ આશાએ અવશ્ય ફળે છે તે ધમની સાચી ભૂખ જીવનમાં જગાડજો, તમારી જે ક્ષણુ અધર્મીની સેાબતમાં પસાર થાય તેના પસ્તાવા, જો તમારા પ્રાણામાં ધર્મની ખરી ભૂખ ઉઘડી હશે તે તમને નખ-શિખ હલાવી મૂકશે. તમે દર્પણમાં તમારૂં માં જોવાની હામ પણ નહિ ભીડી શકે.
મહાપુણ્ય મળેલા તન, મન, વચન, ધન આદિ સાધનાના સમ્યક્ પ્રકારે ઉપયાગ કરવાની સન્મતિ તમારા જીવનને અજવાળે ! તમે સ` પાપના સમૂળ ઉચ્છેદ કરનારા દેવ-ગુરુ, ધર્મના સાચા શરણાગત બની, મેાક્ષના અવ્યાબાધ સુખને પાત્ર બને! !
Page #110
--------------------------------------------------------------------------
________________
૩: સ્વતન્નતાના માર્ગે આગેકદમ
આજનું વ્યાખ્યાન “સ્વતંત્રતાના માર્ગે આગે કદમ એ વિષય પર રાખવામાં આવ્યું છે.
આ વિષય એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે નાનામોટા સહુ આજે સ્વતંત્રતાની વાત કરતાં થાકતા નથી. બહારની હવા તો એવી છે કે જાણે કેઈને સ્વતંત્રતા સિવાયની બીજી કોઈ પણ વાતમાં રસ જ ન હોય.
સહ કહે છે કે, ભારત સ્વતંત્ર થયું. માત્ર રાજકીય હેતુસરની સ્વતન્ત્રતા એ સાચી સ્વતંત્રતા નથી. એને જો તમે સાચી સ્વતન્નતા માનશે તો ખરા ખાશો, પસ્તાશો, માનવભવ હારી જશો. સાચી સ્વતન્નતાઃ
નાનામાં નાના જીવને સ્વતંત્રતા ગમે છે તે સાચું, પણ એ સ્વતંત્રતા એટલે શું તે તમે જાણો છો?
Page #111
--------------------------------------------------------------------------
________________
સ્વતન્નતાના માર્ગ:
૭૦૪
મન ફાવે ત્યાં હરવાફરવાની તેમજ ગમે ત્યારે ગમે તે ખાવાપીવાની છૂટ એ સાચી સ્વત્વતા નથી, પરંતુ સરિયામ સ્વચ્છતા છે. સાચી સ્વતંત્રતાની આગવી તાસીર છે, અને હવા છે. તે હવામાં એ જેમ હોય છે કે તેની અસર નીચે રહેનારા જીવો, બીજા ને પરતત્ર બનાવવાનો વિચાર સુદ્ધાં કરી શકતા નથી અને જીવન એ રીતે વીતાવે છે કે જેથી આત્માનું ભવદાસત્વ ઉત્તરોત્તર ઓછું થતું જાય.
સ્વતન્ત્રતાની તમારી આજની વાતો સ્થૂલ તેમજ એકાંગી છે. તમારી તે વાતમાં કયાંય આત્મ-સ્વાતવ્યને અણસાર પણ છે નહિ. ઈન્દ્રિયોના અશ્વોને બે લગામ બનાવી મૂકે એવી સ્વતંત્રતા શા કામની ? ઉપકારક મર્યાદાઓને ભંગ કરવાની હદ સુધીના પતનમાં પણ પિતાને સ્વતન્ત્ર સમજવાની કરમત તે તમે જ કરી શકો!
સ્વતન્નતાના ઉન્માદમાં પુષ્પ જે પળે, શાખા સાથેને પિતાને સંબંધ તોડી નાખે છે, મુક્તવિહારના નાદમાં જળને પ્રવાહ જે પળે સરિતા સાથે પોતાને સંબંધ તેડી નાખે છે. પ્રગતિની ધૂનમાં નારી જે પળે ઉપકારક નિજ વડીલેની છાયા છોડી દે છે તે પળથી તેમની સ્વતંત્રતાની સાચી શરૂઆત નથી થતી, પરંતુ પદભ્રષ્ટતાને પ્રારંભ થાય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
શ:
સફળતાનાં સોપાનઃ
આત્માના બંધને વધારનારી સ્વતન્ત્રતાને સ્વતન્નતા કહેવી એ “સ્વતન્નતા” શબ્દનું હડહડતું અપમાન છે. પરતન્નતાને ડંખ
કર્માધીન આત્મા વાતવાતમાં પાછો પડે છે. તમારી ભાવના હોય મુંબઈ જવાની, બેગ-બિસ્તરા પણ બંધાઈ ગયા હોય અને તમે જ એકાએક બિમાર પડી જાઓ તે એ સમયે તમને કયા વિચાર આવે? એવા કે “આ તાવ ન આવ્યું હેત તે સારું, કે પછી બીજા?”
સાચા સ્વાતવ્યપ્રેમીને તે તે સમયે એમ જ થાય કે મારી આ દશા કરનારી કર્મસત્તાને અંત આણીને જ હું જપીશ. વાત વાતમાં મારા માર્ગ આડે આવનારી આ સત્તા અને મુદ્દલ માન્ય નથી, સ્વીકાર્ય નથી.
આંખમાં એક તણખલું પેસી જાય છે તે તે પણ માનવીને અસ્વસ્થ કરી મૂકે છે અને તેને દૂર કરીને જ તે માનવી જપે છે. નિરાંતનો દમ ખેંચે છે. તે પછી આત્મામાં ઘર કરીને રહેલા કર્મોના કચરાને જ કારણે વાત-વાતમાં સહન કરવી પડતી પરાધીનતા શું તમને નથી ખટકતી?
હા, ખટકે છે.” એ જે તમારો જવાબ હોય તે મારે તમને એ સવાલ છે કે, “તેને અંત આણવા માટે આજે તમે કઈ પ્રવૃત્તિ આદરી છે?”
Page #113
--------------------------------------------------------------------------
________________
સ્વતન્ત્રતાના માગે:
GR :
એ પરાધીનતાના ડંખને નિર્મૂળ કરવા માટે, અમે સાચી સ્વતન્ત્રતાના માર્ગે અમારા કદમ ઉપાડયા છે. જીવને અધિકાધિક પરાધીન બનાવનાર વિષય અને કષાય રૂપી કટકાથી ભરેલાં માર્યાં! અમે સદાને માટે સ પ્રકારે છેડી દીધા છે.
એક કીડીના ચટકા પણ એયકાર ખેલાવી દે છે તેા કર્માંરૂપી કંટક જેમને ખટકતા સુદ્ધાં નથી તેમની જડતા કેવા પ્રકારની ? આત્માની જાગૃતિ યાને સ્વતન્ત્રતાને અવરોધનારી એ જડતાની જડ ઉખેડી નાખવા માટે, સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલા માગે કદમ ઉપાડે!
સાત પુષ્પાની પૂજા
પૂરા પ્રેમે પ્રભુપૂજા પાછળ પાગલ અનવાને બદલે આજના મોટા ભાગના માનવા સાત પપ્પાની પૂજા પાછળ પાગલ બન્યા છે. તે સાત પપ્પા નીચે મુજબ છે.
પંડ, પૈસા, પત્ની, પુત્ર, પરિવાર, પદ્મ અને પ્રતિષ્ઠા.
વિચાર! પડતી પૂન પૂજા પાછળ તમારે રાજને કેટલે! સમય અગડે છે ? તમે દરરોજ માફકસરના પાણીથી, સારી રીતે સાબુ ચાળીને તમારા શરીરને સ્નાન કરાવા છે, આ સ્નાન સમયે તમને કયારે ય આત્માને સ્નાન કરાવવાના વિચાર આવે છે ખરા ? આત્માની શુદ્ધિ સિવાય, શરીરની શુદ્ધિ કયાં સુધી ટકવાની છે? જે નાશજત છે તે શરીર પાસેથી અમર એવા આત્માની
Page #114
--------------------------------------------------------------------------
________________
૭૩ :
સફળતાનાં સોપાન:
સેવા લેવી જોઈએ કે અમર એવા આત્માને શરીરની સેવામાં રાક જોઈએ?
કંઈક તે વિચારે!
શરીરની સફાઈ પાછળ આજ સુધીમાં તમે સેંકડો ટન પાણી વહાવી દીધું, તેમ છતાં તે પૂરા વીસ કલાક માટે, તમને ચોખું જણાય છે? તે પછી થોડે સમય આત્માની પવિત્રતા પાછળ સાર્થક કરવામાં તમને વધે છે નડે છે?
આવી પંડ-પૂજા તમને સર્વત્ર અપૂજ્ય બનાવી દેશે એ ન ભૂલશો!
શરીરને રોગ તમને જેટલા સચિંત બનાવે છે એટલા સચિંત તમે કયારે ય આત્માના રોગ સંબંધી બન્યા છે ખરા ? શરીર માટે તમે સારામાં સારા વૈદ યા દાક્તર પાસે દોડી જવામાં જરા જેટલે પણ વિલંબ સહન કરી શકતા નથી, જ્યારે આત્માના રોગની સાચી દવા આપનારા પૂજ્ય મહાત્માઓની નિશ્રા સ્વીકારતાં તમે તમારી બધી જ સાનુકૂળતાઓને વિચાર કરો છો તે શું સૂચવે છે?
એજ કે આજે તમને જેટલી તમારા શરીરની પડી છે એટલી આત્માની પડી નથી. જો તમને આત્માની પડી હતી તે તમારા જીવન જુદાં જ હોત.
Page #115
--------------------------------------------------------------------------
________________
સ્વત્રતાના માર્ગે
૭૪ :
ધન-પૂજા:
પૈસે એ પૂજવાને પદાર્થ નથી, પરંતુ પૂજ્યની પૂજા પાછળ સાર્થક કરવાનું સાધન છે, તેમ છતાં એ પૈસા માટે તમારી બજારમાં છપનાનું પાપ પિતાના શિરે ઓઢનારા ભાઈઓ પણ વસે છે તે જાણુને અમારા કાળજા કપાઈ જાય છે.
પ્રભુશાસનને પામેલે આત્મા પૈસા પાછળ આંધળે બને તે તે આ કાળનું એક આછેરું જ ગણાય! પૈસે પુણ્યાધીન છે, પુણ્ય ભાવપૂર્વકની દેવ-ગુરૂ તથા ધર્મની આરાધનાના પ્રભાવે બંધાય છે, ભાવપૂર્વકની ધર્મારાધના આત્માની સાચી પ્રભુતા-સ્વતન્ત્રતાને પ્રકટ કરે છે. માટે પ્રભુના સ્થાને પૈસાની પ્રતિષ્ઠા કરવાનો મહાઅપરાધ ન કરશે. નહિતર ત્રણ લોકમાં ક્યાં ય ઠરીને બેસવાની જગ્યા પણ તમે નહિ મેળવી શકે.
પૈસા માટે, કાળી રાતે વરસાદમાં ગામતરૂં કરતાં તમે હર્ષ અનુભવે છે. જ્યારે આત્માને સ્વતન્ત્ર કરનારી ધાર્મિક કિયા તમે ભાગ્યે જ એવા હર્ષ પૂર્વક કરો છે તેનું કારણ તમે કદી વિચાર્યું છે?
મેહને વશ થઈને તમે ભલે પૈસા પાછળ તમારી જાત ઘસી નાખે તેમ છતાં જો તમારું ભગપુણ્ય પહોંચતું નહિ હોય તે એ પૈસામાંથી એક રાતી પાઈ પણ તમે તમારા માટે નહિ વાપરી શકે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૭પ
સફળતાનાં પાન:
જેના ચોપડાની, ચિત્રગુપ્તના ચેપડા જેટલી જ ઈજ્જત થતી જેને ખોટે કહેવાની હામ ભલભલા ભડવીર પણ ભીડી ન શકતા તે ભારતીય વેપારીના ચેપડાની આજે જાહેરમાં જે બેઈજજતી થઈ રહી છે તેનાં કારણેની તપાસમાં તમે કયારેય ઊંડા ઊતર્યા છે ખરા ?
માની લઈએ કે આજની સરકાર પાશ્ચાત્ય જીવનપ્રણાલિને વરેલી છે, એટલે તે ભારતીય જીવન પ્રણાલિને વરેલા આત્માઓની નીતિ-રીતિ સાંખી શક્તી નથી, પરંતુ આજની સરકારના આ ભ્રામક દૃષ્ટિકોણ સિવાય તમારા ચોપડાની બેઈજતી માટે તમે લવલેશ જવાબદાર નથી એમ શું તમે છાતી ઉપર હાથ મૂકીને બેસી શકે એમ છે ખરા?
પૈસાને ન્યાય-નીતિના ગરણે ગળીને તમે ગલ્લામાં મૂકે છે કે એમને એમ? પૈસા જેટલી જ મારી તમને પ્રામાણિક્તા છે ખરી? પ્રાણને પરત~ બનાવનારી અપ્રામાણિક્તા પૈસા માટે તમે આચરી શકે છે તેને ખેદ તમને થાય છે ખરો?
ત્રણ જગતના નાથ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં તમે જે દ્રવ્ય વાપરે છે તે નીતિની જ કમાઈનાં હોવાં જોઈએ તે તે જાણે છે ને? ભક્તિમાં સાચા ભાવ, જે તમારાં દ્રવ્ય નીતિની કમાઈનાં હશે તે જ તમારા હૈયામાં જાગશે.
Page #117
--------------------------------------------------------------------------
________________
તત્રતાના માર્ગે
વસ્ત્ર ચેખું થાય છે ચેખા પાણી તેમજ સાબુથી, નહિ કે ખાળકૂડીના પાણી તેમજ કેલસાથી; તેજ રીતે આત્મા પવિત્ર બને છે શુભ ભાવરૂપી જળ તેમજ શુદ્ધ દ્રવ્યના વિધિપૂર્વકના અભિષેકથી. | ગમે તેનું દિલ દુભવીને અન્યાયના માર્ગે મેળવેલું દ્રવ્ય તમારા આત્માને વધુ પરત~ બનાવશે, તમારા જીવનની શક્તિ હરામ કરી મૂકશે.
અનીતિની કમાઈને પિસાથી ખરીદેલાં દ્રામાંથી બનેલે ખેરાક પેટમાં જાય છે તે પણ સંસ્કાર તેમજ વિચાર ઉભયની પવિત્રતાને તે અભડાવે છે તે તો તમે જાણે છે ને?
જે કદાચ ન જાણતા હો તો ન્યાય-નીતિને વરેલા ગૃહસ્થને ઘેર એક દિવસ જમજે અને વળતા દિવસે એવા એક ગૃહસ્થને ઘેર જમવા જજે કે જે અનીતિના માર્ગે ધન રળતો હોય. અને એ બંને દિવસ દરમ્યાન કયા દિવસે કેવા વિચારો તમને સ્પર્શી ગયા તેની ઝીણવટ ભરી તપાસ જે તમે શરૂ કરશે તે તમને તત્કાલ નીતિની કમાણીના દ્રામાં રહેલી તાકાતનો સાચો અનુભવ થઇ જશે.
વાપરતાં, વાપરતાં કેળિયામાં કાંકરે આવી જાય છે એટલે મેં કેવું વિલું પડી જાય છે. સમગ્ર દેહત~ કેવું હાલી ઉઠે છે તેમ આત્માની સ્વતંત્રતાના સાચા
Page #118
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપામાં
અનુરાગીને અનીતિની કમાઈના દ્રવ્યના પટ પણ અડે છે કે, તત્કાલ તે બેચેન બની જાય છે. ધર્મની તાજી હવામાં જવા માટે તેના પ્રાણા પાકાર પાડે છે.
: وی
સ્વતન્ત્રતાની વાતેા કરનારને, પરતન્ત્રતા તરફ ઘસડી જનારૂં વન શાભે ખરૂં? પરંતુ સાચી સ્વતન્ત્ર તાની પાયાની સમજના અભાવે આજના મોટા ભાગના માનવા, સ્વતન્ત્રતાની માત્ર વાતે જ માંડતા હાય છે, અને તેમનાં વન, આત્માને વધુ પરાધીન મનાવે તેવાં હાય છે.
પંડ અને પૈસા પાછળ પાગલ અનનારના જીવનમાં ભાગપુણ્ય વિના કેવા, કેવા કરૂણ પ્રસંગેા ઊભા થાય છે તે નીચેના દ્રષ્ટાંતથી સમજી શકાશે.
પૂર્વ આફ્રીકાના એક મેાટા શહેરના એક સ્ટેશન માસ્તર, નવરાશના સમયે લેટરી ભરવાના તેમને શેખ. તેમની સાથે સાંધાવાળાના ખૈરી-છેાકરા પણ રહે. ભાગ્યચાગે લેટરીમાં રૂપીઆ હજાર તે સાંધાવાળાને મળ્યા. નેટનું 'ડલ હાથમાં આવ્યુ' એટલે તેને અનેક જાતના તર્ક વિતર્ક આવવા લાગ્યા. આ પૈસા હું દેશમાં લઇ જઇશ. સારા કપડાં સીવડાવીશ વગેરે વગેરે દેશમાં જતાં પૂર્વ એક પાર્ટી આપવાના વિચાર તેના મનમાં આવ્યેા. વળતા દિવસે ચા-પાર્ટી યાજવાનું નક્કી પણ કરી દીધું.
Page #119
--------------------------------------------------------------------------
________________
સ્વતન્ત્રતાના માગેઃ
૭૮ :
રહેતી
દિવસો હતા 'ડીના. માસ્તરની સાથે સાંધાવાળાની પત્ની પાણી ભરવા ગએલી. તેની દીકરી એરડાને ગરમ રાખવા માટે સગડીમાં નકામા કાગળા હામી રહી છે. કાગળીઓ છૂટી ગયા એટલે તેણે આમતેમ નજર નાખી, તેવામાં પેલું હજાર રૂપીઆવાળું બડલ તેની નજરે ચઢયું. અણસમજી તે ખાલિકાએ તે બંડલ સગડીમાં હેામી દીધું. નાટાની રાખ થઈ ગઈ. એટલામાં બજારમાં ગએલા સાંધાવાળે ત્યાં આવી પહોંચ્યું, તેણે બંડલની તપાસ કરી. ખડેલ ન મળ્યું. એટલે પેાતાની છોકરીને પૂછ્યુ. છોકરીએ જેવા હતા તેવા જવાબ આપી દ્વીધા. છેકરીના જવાબથી સાંધાવાળા રાતાપીને બની ગયા ગુસ્સા તેના કાબુમાં ન રહ્યો; તેણે વ્હેરથી પેાતાની છોકરીને લાત મારી દીધી. તે લાત પેઢુમાં વાગવાથી છોકરી મરી ગઈ. ઘરમાં હાહા થઇ ગઇ તે હાહાની અસરથી પાણીના ટબમાં નાહી રહેલા તે સાંધાવાળાને નાના છોકરા તે ટખમાં ગુંગળાઈ ગયા ને મરણને શરણુ થયું.
મેલે ! આવા પૈસાની પાછળ પાગલ મનાય? જીવનની પવિત્રતાને હાડમાં મૂકાય ? આત્માની અસલિયતને છેહ દેવાય ?
ત્રણ લેાક અને ત્રણ કાળમાં અચળ છે એક માત્ર ધર્મ. તે ધર્મોની ભાવપૂર્વકની આરાધના દ્વારા આત્માની સ્વતન્ત્રતા હાંસલ કરી શકાય છે. એ ધના ભાગે પંડ
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૯:
સફળતાનાં સોપાનઃ
કે પૈસાની પૂજામાં પાગલ ન બનવાની તમને ખાસ ભલામણ છે.
પંડની પૂજા એટલે દેહભાવને આફરે. આ આફરો તમને હતા નહતા કરી નાખે તે પહેલાં આત્મામાં ડોકિયું કરો, તેના તેજમાં તમે સ્નાન કરો. સમતાભાવનું આંખમાં અંજન કરે
પૈસા પાછળની આંધળી દોટ, તમને ભવરૂપી કૃપમાં ધકેલી દેશે, તમે વધુ પરાધીન બનીને વધુ દુખી થશે, કારણ કે પરાધીનતાને સીધે સંબંધ દુઃખ સાથે છે, જે પરાધીન હોય તે સુખી ન જ હેય. જો પરાધીનતામાં સુખને અંશ પણ રહેલ હેત તે સ્વતન્નતા કાજે ત્યાગનો સાચે માર્ગ સ્વીકારવાની આજ્ઞા, ઉપકારી ભગવંતોએ ન ફરમાવી હોત.
રૂપમદઃ
કોઈ રૂપમદ ન કરશો. રૂપ એ કાયમી ટકનાર વસ્તુ નથી. જેવું તે સવારે હોય છે તેવું સાંજે નથી હતું, સાંજે હોય છે તેવું બીજા દિવસે નથી હોતું. રૂપાળી તેમજ સુંવાળી ચામડી તરફ મોચીને મેહ હોય, નવતત્વના જાણકારને નહિ.
દેહના રૂપમાં રાખ્યું છે શું? એ તો છે અંદરની અશુચિનું માત્ર મોહક ઢાંકણ. રૂપ જેવું જ હોય તે
Page #121
--------------------------------------------------------------------------
________________
વતન્નતાના માગે :
૮૦: આત્માનું જુઓ! તેના માટે શાસ્ત્રરૂપી દર્પણમાં મનની આંખને બરાબર પરે.
પ્રદર્શન તે વેચવાની વસ્તુનાં હોય.
માનવદેહ અણમલ તે લેખાય જે તમે તેના વડે આત્માની સ્વતંત્રતાને હાંસલ કરવાની ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ આદરી શકે, નહિતર એજ દેહ પશુથી પણ બદતર બની રહે.
શરીરમાં જેટલી રેમરાજ છે એટલા રેગે છે. પરંતુ પુણ્યના પ્રભાવે તે અંકુશમાં રહેતા હોય છે. છ ખંડના સ્વામી સનતકુમાર ચક્રવર્તીનું રૂપ અને તે રૂપને તેમને ચઢેલો મદ જગજાહેર છે.
સનકુમાર સ્નાનગૃહમાં બેઠા છે. ઉઘાડા તેમના દેહમાંથી રૂ૫ વરસી રહ્યું છે. બ્રાહ્મણને વેશ ધારણ કરીને આવેલા દેવે તે રૂપ જોઈને ચક્તિ થઈ જાય છે. તેમને થયું કે દેવલોકમાં આપણે સાંભળેલી ચક્રવતીના રૂપની પ્રશંસા સાવ સાચી છે. આપણે ફેરો સફળ થયો. ચક્રવતીના રૂપથી અંજાઈને બ્રાહ્મણરૂપધારી તે દેએ ચકવર્તી સમક્ષ તેના રૂપના ખૂબ વખાણ કર્યા, વખાણ સાંભળતાની સાથે જ ચક્રવર્તી પગથિયું ચૂકી ગયા. તેમને રૂપનો મદ સ્પર્શી ગયે. તે મદમાં ને મદમાં તેમનાથી બેલાઈ ગયું કે “મારું રૂપ જ જેવું હોય તે હું જ્યારે સર્વ વસ્ત્રાલંકાર ધારણ કરીને સિંહાસને આરૂઢ થાઉં ત્યારે જે જે.”
Page #122
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સાપાન :
ચક્રવતી તૈયાર થઈને સિંહાસન પર બેસે છે. બ્રાહ્મણવેશધારી દેવા ત્યાં આવી પહોંચે છે. તેમની આંખા ચક્રવર્તીના દેહપર મંડાય છે, પણ ત્યાં નથી ઘડી પહેલાનું રૂપ કે કાન્તિ પણ તેના બદલે કળાય છે અનેક રાગેા. તે બ્રાહ્મણા તે વાત ચક્રવર્તીને જણાવે છે. ચક્રવર્તી વિમાસણમાં પડી જાય છે, પરંતુ વધુ અસ્વસ્થ બન્યા સિવાય પેાતાના શરીરમાં રોગ પેદા થયા છે કે કેમ તેની ચકાસણી કરે છે. અને તે ચકાસણી પછી તેને પેલા બ્રહ્મદેવાની વાત સાચી લાગે છે.
૮૧ :
જોયુ ને! ચક્રવર્તી જેવાનું રૂપ પણ ક્ષણવારમાં ઉપટી ગયું! માટે કહીએ છીએ કે આત્માના રૂપ પાછળ દિવાના અનેા! કાયા પાસેથી પણ તેજ કામ લે!
કાયા અને માયાના મેાહ વધારીને તમે સ્વતન્ત્ર નહિ, પરંતુ વધુ પરતન્ત્ર બનશેા, મીઠી ઉંઘ કે સુખને રોટલા પણ તમે તે પરાધીન દશા વચ્ચે નહિ પામી શકે. દિનરાતને અજા તમને કેરી ખાશે. વાતવાતમાં તમે ચીઢાઈ જશે! તમારી જાત ઉપરના કાબુ ખાઈ નાખવાની હદ સુધીની પરાધીનતાના તમે શિકારબની જશે.
એક કીડીના ચટકા પણ તમને સામાયિકમાં પણ ઊંચા નીચા કરી મૂકેછે. અને એ ચટકાથી સ્વતન્ત્ર થવાની પેરવી, મનની આજ્ઞાથી તમે સામાયિકના નિયમ ભૂલીને પણ તત્કાલ શરૂ કરી દે છે, જ્યારે આત્માને સ્વતન્ત્ર
Page #123
--------------------------------------------------------------------------
________________
સ્વતન્ત્રતાનાં માર્ગ :
er:
.
કરવાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે તમે આજ સુધીમાં શુ શુ કર્યુ? તેના જો તમે તટસ્થપણે વિચાર કરશે. તે તમને તમારી જાત પ્રત્યે જરૂર નફરત પેદા થશે.
આને છાજે આત્માની સ્વતન્ત્રતાનાં અરમાન, પડ, પૈસા પરિવાર એ વગેરે પાછળ એ વિવેકપૂર્વક જ પગલાં ભરે. આત્માના હિતને સહુના હિત સાથે સબંધ છે એ સત્યને હૃદયમાં સ્થાપિત કરીને તમારે આત્મ સ્વાતન્ત્યને સČથા અનુરૂપ જીવન શરૂ કરવુ જોઇએ.
દેહભાવને મનમાંથી દૂર કરીને ત્યાં આત્મભાવ સ્થાપવા જોઇએ. પુષ્ટ થએલે આત્માને દેહભાવ વારવાર ભવરૂપી પિંજરામાં ધકેલી દેવારૂપે પરિણમશે, જ્યારે આત્મભાવની આછી પણ અસર તમને સત્ર સગી માતા કરતાં પણ સવાયા સ્નેહથી સાચવશે.
સ્વમાની સુખડી :
આ સંસારના સુખભોગ અને રંગરાગ સ્વમાની સુખડી જેવા છે. ગમે તેવી પણ ભૂખ, સ્વપ્નમાં ખાધેલી સુખડીથી ભાગતી નથી, તેમ સ'સારના ગમે તેવા પણ ૨ગરાગ આત્માને સાચા સુખને અનુભવ કરાવી શકતા નથી. વા–વીજનાં તાફાન, સૂર્યને સ્પર્શી શકતાં ન હેાવા છતાં, સૂના જગત સાથેના સંબંધમાં તીવ્ર અંતરાય પેદા કરે છે તેમ ઇન્દ્રિયાના ર'ગરાગ આત્માના એક પણ
Page #124
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન
પ્રદેશને ખંડિત કરી શકતા ન હોવા છતાં આત્માની સાચી સ્વતન્ત્રતાને ગોપવવામાં ગજબને ભાગ ભજવે છે.
સ્વતન્ત્રતાની વાત કરનારા, કઈ સ્વતન્ત્રતાની વાતે કરે છે? આત્માની સ્વતન્ત્રતાને લૂંટી લેનારા વિષય અને કષાયરૂપ લૂંટારાઓની સ્વતન્ત્રતાની કે આત્માની સ્વતંત્રતામાં સહાય કરનારા ન્યાય – નીતિ પરાયણ જીવનની સ્વતન્નતાની? બિચારે સિકંદરઃ
પદ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને સત્તાની પાછળ પાગલ બનેલ સિકંદર, સાથે શું લઈ ગ?
એ સિકંદરને જ્યારે એમ લાગ્યું કે હવે હું બચવાનો નથી ત્યારે તેણે પિતાના મુખ્ય માણસોને પિતાની આખરી ઈચ્છા જણાવી. એ ઈચ્છા શી હતી તે જાણે છે ? એ જ કે મારા મરણ પછી મારો જનાજે નીકળે ત્યારે મારા બંને હાથ એ જનાજાની બહાર બરાબર લટકતા રાખજે અને મારા સઘળા દો, હકીમે તેમજ નજુમીઓને મારા જનાજાની આગળ રાખજે કે જેથી સહ સમજી શકે કે લાખોનાં લેહી વહેવડાવનાર સિકંદર છેવટે ખાલી હાથે જ જગત છેડી રહ્યો છે. તેના વૈદે કે નજુમીઓ પણ તેને છેલ્લી ક્ષણે બચાવી શક્યા નથી. સિકંદરના અંતિમ જીવનકાળને ઈતિહાસ વાંચવાથી તમને તેની હૃદયવ્યથાને ખ્યાલ આવશે. કહેવાતો હતો
Page #125
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્રતાના માગે :
જે મહાન તે સિકંદર પણ પિતાના અગણિત પાપકૃત્યોને કારણે મરણ ટાણે “બિચાર” બની ગયે.
માટે કહીએ છીએ કે પૂર્વ પુણ્યના ઉદયે મળેલી સાધન સામગ્રી તેમજ શક્તિ ઉપર મમત્વની મહોર ન મારશે! મમતા મારક છે. એ તમને સહુના શત્રુ બનાવી દેશે અને અણિના સમયે સામું પણ નહિ જુએ. પત્ની, પુત્ર તેમજ પરિવાર પૂરતું બંધિયાર જીવન જીવવા જશો તે એ જીવનની દશા બંધિયાર જળાશય જેવી થઈ જશે. અંદરની પવિત્રતા આસ્તે, આસ્તે દુધમાં બદલાઈ જશે.
માઝા ત્યાગમાં છે, નહિ કે રાગમાં. મારું મારશે, અ-મારું તારશે.
વસ્તુ ઉપરને મેહ તમારી પાસે ન કરવાનાં પાપ કરાવશે, તમારા આત્માને અધિક પરાધીન બનાવશે, જ્યારે તેજ વસ્તુ ઉપર જે તમે મમત્વની મહેર નહિ મારે તે તમારા હૈયામાં તેના માટે મોહ પેદા પણ નહિ થાય અને તમે તેના માટે પાપાવૃત્તિ સેવવાની હદ સુધી નીચા પણ નહિ ઉતરો.
ઓછા સગાવાળું બંધિયાર જીવન અને જગત અમને અકારું લાગ્યું એટલે ત્રણ જગતના બધા જ છે સાથે સાચી સગાઈ સાંધી આપનારા ધર્મને અમે ચઢતા પરિણામે ત્રિવિધે સમર્પિત થયા. સમર્પણમાં આત્મસ્વાવ્યની ખરી ખુમારી અનુભવી શકાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૫:
સફળતાનાં સોપાન:
ભારતીય સંસ્કૃતિની સુવાસઃ
છાશ છાંટવાથી દર્ભનું ખેતર સમૂળ ઉજજડ બની જાય છે, તેમ જીવનમાં ભારતીય સંસ્કૃતિને અપનાવવાથી, સ્થૂલ પદાર્થોને મેહની જડ, મૂળમાંથી ઉખડી જાય છે અને વ્યક્તિ, સાચી સ્વતન્ત્રતાના માર્ગે આગળ વધી શકે છે ભારતીય મહાસંતો અને મહાસતીઓના વિશ્વકલ્યાણકર જીવનપ્રવાહને હેમખેમ આપણા સુધી પહોંચાડનારી ભારતીય સંસ્કૃતિનાં અમીપાનથી તમારે અંગે, અંગે સમતાના સમીરવાશે, શાન્તિના સૂર રેલાશે. ત્યાગને સાચો મહિમા સમજાશે.
આપણે ત્યાં વીંટીને હાથની શોભા નથી ગણી, પરંતુ દાનને હાથની શોભા તરીકે સ્વીકાર્યું છે, તેજ રીતે હૈયાની શોભા દયા છે જે રીતે સરોવર સ્વચ્છ જળ વડે શેભે છે. આંખની શોભા અમી છે. આ અમીને સંતોષનું સત્વ પણ કહી શકાય. જ્યારે વાણીની શોભા મધુરતા છે. તમારી પાસે કેટલું ધન છે, એનું અમારે મન કેઈ મહત્વ નથી, એ ધનમાંથી તમે કેટલું દયા દાનાદિ પાછળ ખર્ચો છે? તેજ અમારે મન મહત્વનું છે. ધન વડે ભેગનાં સાધનો વસાવશે તો તે સાધને તમારા આત્માની સ્વતંત્રતાને ભાગ લેશે. દિલમાં દયાના દિવ્ય ઝરણાને બદલે હુંપદને કાયમી સ્થાન આપશે તે આ દુનિયામાં તમે ઠેર, ઠેર ઠોકર ખાશે, કઈ તમને મીઠે આવકાર પણ નહિ આપે.
Page #127
--------------------------------------------------------------------------
________________
સ્વતન્ત્રતાનાં માર્ગ :
ભારતીય સંસ્કૃતિ, સ્થૂલ પદાર્થોને ઉપગ દેવ, ગુરુ, ધર્મની ભક્તિ પાછળ કરવા ઉપર જ ભાર મૂકે છે.
જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ એ પદાર્થોના ઉપયોગ દ્વારા પાંચ ઇન્દ્રિયને બહેકાવી મૂકવાના મુદ્દા ઉપર ભાર મૂકે છે. પાંચ ઇન્દ્રિય બહેકી જશે તે તમારું જીવન બે-તાલ બની જશે, મનની શાંતિ લૂંટાઈ જશે અને આત્માને વિચાર કરવા જેટલી સ્થિરતા પણ તમારા માટે સ્વમવતું બની જશે.
ઘણાને પદવીને મેહ હોય છે. પદવી મેળવવા માટે ગુલામ જેવું વર્તન કરતાં પણ એવા માણસો અચકાતા નથી.
મેહ રાખવો હોય તો શાશ્વત પદને રાખો! કોણ ના પાડે છે? એ પદથી અધિક ઊંચું કઈ પદ સમગ્ર વિશ્વમાં નથી. એ પદે પહોંચશે તે કાળ પણ તમને નહિ અડી શકે. દેહને કઈ દંડ તમારે ભરે નહિ પડે. કદી ઘટવધ ન થાય એવું અવ્યાબાધ સુખ એ પદે પહોંચીને તમે ભોગવી શકશે. અને એ સુખ પણ કેવું તે જાણે છે?
ન જાણતા હે તે જાણી લે કે સર્વતન્ન સ્વતન્ત્ર આત્માના જ ઘરનું એ સુખ હોય છે. બહારના કેઈ પદાર્થ સાથે એ સુખને લવલેશ સંબંધ હોતો નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
૮૭;
સફળતાનાં પાન:
અહીં તમે પદવી માટે પારકાની પળસી પણ કરે છે, બે બદામના માણસની ખુશામત કરતાં પણ ખચકાતા નથી, કારણ કે અંદર અહં જેમ નાચવે છે તેમ નાચીને તમે ભવમંડપની શોભામાં વધારો કરે છે
સ્વતંત્રતાની તમારી વાતો જે સાચી હોય તે તમે તમારી જાતને દુન્યવી પદના બંધનમાં નાખવાની હામ ભીડી શકે ખરા?
કહેવું જોઈએ કે સ્વતંત્રતા એ ક્યા બાગનું ફૂલ છે, એની જેઓને મુદ્દલ ગતાગમ નથી એવા આજે સ્વતંત્રતાના નભે એલફેલ બોલે છે, એ ખરેખર આશ્ચર્ય છે
નાના-મોટા પ્રત્યેક પદને સીધો સંબંધ પાત્રતા સાથે હોય છે. દેવાધિદેવના પરમ તારક શાસનને પામ્યા પછી પણ જે આપણે પરમપદને પાત્ર નહિ બનીએ તો કયારે બનીશું ? ચોર્યાસીના ચકકરમાં પડીને શું આપણે ઓછા રબાયા છીએ કે હજી પણ એ ને એજ ચક્કર તરફ આપણે ઝોક ટકી રહેલે જણાય છે?
કામ સારાં કરે, આપોઆપ તમારું નામ લોકજીભે રમતું થઈ જશે. પ્રતિષ્ઠાને પૈસા વડે ખરીદવાની ચીજ સમજીને આજે માનોએ પિસા તેમજ સાચી પ્રતિષ્ઠા બંનેની આબરૂ ધૂળમાં મેળવી છે. આત્માની સ્વતન્ત્રતા
Page #129
--------------------------------------------------------------------------
________________
વતન્ત્રતાના માગે
માટેના ન્યાયપૂર્ણ સત્કાર્યોંમાં તમે જોડાઈ જાઓ! જુએ, જગત તમારી વાહવાહ કરે છે કે નહિ?
સમ્રાટ વિક્રમાદિત્ય ગયા અને છતાં તેમનું નામ રહ્યું, તેનું કારણ શું?
એજ ને કે તેઓ પરદુ:ખભાજક હતા.
૫૮:
તમને તમારૂં દુ:ખ જેટલુ સાલે છે એટલું પારકાનું દુઃખ સાલે છે? પારકા દુ:ખે દુઃખી થવાની સાત્ત્વિકતા જો તમે નહિ પ્રકટાવી શકે તેા ધર્મના માર્ગે આગળ વધીને સાચી સ્વતન્ત્રતા હાંસલ પણ નહિ કરી શકે. ‘પાડોશીનાં પિત્તળનાં અને મારા ખર્ચે સેાનાના’એ ન્યાય સાચી સ્વતન્ત્રતાના માર્ગોમાં હરગીઝ નહિ નભે, માટે દિલના દિલાવર અનેા. વાણી વાટે મધુરતા વહેવા ઢો. કડવા વેણુ કાઢીને બીજાને હલકે ન પાડો.
જેને પ્રતિષ્ઠા પ્યારી હેાય છે તે બીજાની એઇજજતી કરી ન શકે એમ મનાવિજ્ઞાન કહે છે, પરંતુ પ્રતિષ્ઠાને બદલે પ્રતિષ્ઠાના અહે' પાછળ પાગલ માનવા એમ જ સમજતા હોય છે કે બીજાને હુલકી નજરે જોવાથી પેાતાની મહત્તા ઈજજત વગેરે સ્થાપિત કરી શકાય છે પણ એટલું તે વિચાર કે જે પળે તમે સામાને હલકી નજરે જુએ છે, તેજ પળે નજરને નીચે લઈ જવારૂપ પતનના તમે ભાગી અનેા છે, જ્યારે સામાનું તેનાથી કાંઇ જ બગડતું નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
સફળતામાં સાપાન :
ધર્મ, નીતિ, સદાચાર, ગંભીરતા આદિમાં જેણે પેાતાની પ્રતિષ્ઠા જોઈ છે, તે દુન્યવી પ્રતિષ્ઠાના વાઘા અંગે ધરવાની કોઇ ચેષ્ટા નથી કરતા.
૮૯ઃ
ગહનતાની ભીતરમાં
જેને આગળ વધવાની હેાંશ છે, માનવજીવનના પરાધીનતાના કારણરૂપ પાપના પાટલા બાંધવા પાછળ દુરૂપયોગ કરવાના મુદ્દલ મેાખ નથી એ માનવેા જીવનમાં કઈ રીતે વર્તે તે જાણા છે? એવા માનવા વાણી વાટે સદ્દભાવ વહાવે છે. નયના વાટે તૃપ્તિનુ તેજ. કાન તેમના પરનિંદા સાંભળીને કળવા માંડે છે, દિલ તેમનાં દરિયા જેવાં હાય છે, આત્માને ડાઘ ન લાગે તેની વધુમાં વધુ કાળજી તેએ રાખતા હેાય છે. એકની વાત, ખીજાને કરી દેવાની છીછરી મનેાવૃત્તિ સાથે તેએ સબંધ રાખતા નથી. આઘીપાછી કરવાની કુટેવનું સ્થાન જો ગભીરતા લે, તે આ દુનિયામાં રાજ બનતા અનર્થોમાંથી ઘણા અનર્થો એછા થઈ જાય.
પાણીદાર મેાતી, મહાસાગરના અગેાચર કેતરમાંની છીપમાં પેદા થાય છે તેમ જીવનની અમીરાતને વધારનારા સદ્ગુણરૂપી મેતીએ પણ ગભીર હૈયાના એકાંત, શાન્ત અને પવિત્ર પ્રદેશની પૂરેપૂરી અપેક્ષા રાખે છે
વાત સ્વતન્ત્રતાની કરતા હેાઇએ તે આપણું વન તેનાથી વિપરીત પ્રકારનું ન જ હાવુ જોઇએ. જે માનવી
Page #131
--------------------------------------------------------------------------
________________
સ્વતન્ત્રતાના માર્ગ :
૯૦:
પેાતાના ખેલ પાળવા જેટલું પણ ખળ દાખવી શક્તો નથી તે શું સ્વતન્ત્ર થવાના છે? પેાતાના ખેલના તાલ કરી જાણનારા આત્માઓ, અણુમાલ જીવનને જરૂર દીપાવી શકશે.
આજે આ દેશની પ્રજાના જીવનમાંથી ગંભીરતા તેમજ જીવનની સચ્ચાઈના રણકાપૂવ કની નિખાલસ વાણી એ એનુ ચલણ એટલું બધુ. એન્ડ્રુ થઈ ગયું છે કે, અહીંના માનવી, પેાતાના પાડાશીના ઘરની વાત પણ જીરવી શક્તો નથી કે એ પાડેાશીને પેાતાના તરીકે સ્વીકારી શક્તો નથી.
શિક્ષણના સારઃ
કહેવાય છે કે આ દેશમાં શિક્ષણનુ ં પ્રમાણ વધતુ જાય છે. જો શિક્ષણનું પ્રમાણ ખરેખર વધ્યુ હોય તે! તેની સ્પષ્ટ અસર અહીંની પ્રજાના જીવનમાં આપણને જોવા મળવી જોઇએ ને, જ્યારે અહી' તે જુદું જ ચિત્ર જોવા મળે છે. નવી પેઢીને સાચી ભારતીયતાનું ભાન નથી, એ ભાન તેને થાય એવુ શિક્ષણ અપાતું નથી. અને જે અપાય છે, તે શિક્ષણથી આત્માની સ્વતન્ત્રતાની કાઈ હવા પેદા થઈ શકે તેમ નથી, કારણ કે તે શિક્ષણમાં માનવીના સદેશીય વિકાસનાં તવા છે નહિ. હિંસા તેમજ દુરાચારમાં સીધી તેમજ આડકતરી રીતે
Page #132
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન
પ્રેરક શિક્ષણ આત્માનું નિકંદન કાઢી નાખશે એ ના ભૂલવું જોઈએ.
સાચે શિક્ષિત તો સાચે માનવ બનવાની જ ભાવનાપૂર્વકના જીવનને ચાહતે હેય, આવકારતે હાય, અપનાવતે હાય. જીવનની સચ્ચાઈની સાચી ભૂખ ન ઉઘાડી શકે એવા શિક્ષણને શું કરવાનું?
આજનાં ષટકર્મો :
સ્વાધીનતાની વાતો કરનારા આજના સ્ત્રી-પુરૂષના વ્યવહાર જોતાં એ સ્પષ્ટ થાય છે કે તેમને વધુ રસ આત્માની સ્વાધીનતામાં નથી, પરંતુ લૌકિક વાહવાહ, વર્તમાનપત્રોના વાંચન, નાટક, સીનેમા, ચા-પાન અને રેડીએના રોજના કાર્યક્રમમાં છે. કહો કે આજના મેટા ભાગના સ્ત્રી-પુરૂષનાં આજ ષટકર્મ છે.
પણ આત્માને સ્વતન્ન કરનારા ધર્મના અંગભૂત ષટકર્મો કયાં છે તે જાણે છે? ન જાણતા હો તે નેંધી લે. એ ષટકર્મો નીચે મુજબ છે.
દેવપૂજા, દાન, દયા, ધર્મધ્યાન, સંયમ અને નવકારવાળી. નવકારવાળીને ષટકર્મમાં એટલા માટે સાંકળવામાં આવી છે કે તે આપણને સહુને શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેને ભજવાનું સરળ છતાં શ્રેષ્ઠ આલંબન પૂરું પાડે છે. નવકારવાળીના આલંબન સિવાય, મંત્રા
Page #133
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્રતાના માર્ગ :
હેર :
ધિરાજના જાપમાં રમતા વધારવાનું કાર્ય, બાળજીવને તે શું પણ પીઢને પણ કયારેક અઘરું લાગવા માંડે છે. - અંતર્મુખતાને પિષક પ્રવૃત્તિ છેડીને, બહિર્મુખતા વધારનારી પ્રવૃત્તિમાં તમે જેટલો રસ વધારશે તેટલા વધુ પરતત્ર બનશે. આત્મનિરીક્ષણની યોગ્યતાથી ગબડશે, ન્યાયને માર્ગ ચૂકશે અને શાન્તિ ગૂમાવશે.
છાપાની દુનિયામાં દાખલ થવાથી અનેકની નબળી વાતો તમે જાણતા થશે, પણ તેનાથી તમને લાભ કશે જ નહિ જાય, જ્યારે સાત્વિક વાચનની તમારી અભિરુચિ ઘટશે તે નકકી જ છે.
આંખ, કાન, સીનેમા તેમજ રેડીઓને સમર્પિત કરી દેવા માટે નથી મળ્યા. આંખને ઉપગ દર્શનીય પદાર્થો પાછળ થવો જોઈએ, કાન સલ્લાના શ્રવણ વડે પવિત્ર થવા જોઈએ. સમગ્ર માનવદેહ દીપે છે પરમાર્થ પરાયણતા વડે.
તેમ છતાં જે સ્વાર્થને આગળ કરશે તે તમે પાછળ રહી જશે; સાચી સ્વતંત્રતાની દિશા ચૂકી જશે. અણમેલ માનવજીવન પામીને પણ, પામવા જેવું કશું જ નહિ પામી શકે.
સ્વતંત્રતા?
જે તમે ઈચ્છતા હો કે અમારા કામમાં બીજા ડખલ ન કરે, તો તમારે પણ બીજાના કામમાં ડખલ
Page #134
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન:
ન કરવી જોઈએ. અન્યની સ્વતન્ત્રતાની ઈજજત કરશે તે જ તમે સ્વતન્ત્રતા માટે લાયક બની શકશે
જે સાત પપ્પાની તમારી ઈચ્છા નહિ છૂટે તે તમે તમને કયારેય સ્વતન્ત્ર નહિ બનાવી શકે. ઈચ્છાને છે ડવી નથી અને ઈચ્છારહિત સ્વતન્ન જીવન ઈચ્છવું છે તે ક્યાંને ન્યાય? કાં ઈચ્છા છેડે. કાં સ્વતન્ત્રતાની આશા છેડા! ઈચ્છા એકાએક ન છૂટતી હોય તે પરમાર્થના પંથે જીવન જીવવાની શરૂઆત કરે, એ જીવન જ આપોઆપ તમને સાચી સ્વતન્નતા મેળવવા માટેનું બળ પૂરું પાડશે.
પૈસા વડે કેઈની પણ સ્વતન્ત્રતા ખરીદવાની કુચેષ્ટા ન કરશો! સત્તાધારી હે તે એ સત્તાના બળે કેઈને પણ દબાવવાને વિચાર ન કરશે. સાચું શ્રેષ્ઠીપણું પૈસાના શેઠ બનીને તમે ભેગવી શકશે, દાસ બનીને હરગીઝ નહિ. તેજ રીતે સત્તાના વિવેકપૂર્વકના ઉપગથી તમે અનેકની સ્વતંત્રતાને બચાવી શકશે.
આ સ્થળે જે ઉલ્લેખ કરું છું તે ભૂલ સ્વતન્ત્રતાને છે. આ ઉલેખ જરૂરી એટલા માટે છે કે જે તમે અન્યની સ્થૂલ સ્વતન્નતાને પણ આવકારી ન શકે તે સાચી છે કે ત્તર સ્વતંત્રતા છે તેને લાયકનું આંતરિક જીવન તમે ભાગ્યે જ ઘડી શકે.
Page #135
--------------------------------------------------------------------------
________________
વતન્નતાના માર્ગે
પુણ્યબળે તમને પૈસે મળે, તમારે કારોબાર વધે, વધેલા એ કાબારને સંભાળવા માટે તમારે બીજા ભાઈઓની સહાયની જરૂર પડે. એવા સહાયક ભાઈઓની સાથે માત્ર “એ નેકર છે” એમ સમજીને જ જે તમે વ્યવહાર ચલાવે તે તમારી શેઠાઈની કિંમત કેડીની પણ ન ગણાય. સાચા સ્વાતત્યપ્રેમીઓ વચ્ચેના વ્યવહાર સદાય આત્મીયતાસભર રહેવા જોઈએ.
જ્યારે આજે તે પૈસાદાર, પિતાના માણસ પાસેથી તેની શક્તિ કરતાં પણ વધુ કામ લેવાની વૃત્તિ ધરાવે છે અને ગુમાસ્તે પણ કામચારી શિખતે જાય છે, કહો! આમાં કયાં રહ્યો શેઠ–નેકરને સાચે સંબંધ?
એકમેકની સ્વતન્નતાની ઈજજત નહિ કરો તે તમને સ્વતંત્રતા તરફ આદર છે એવું તમે કઈને પણ ગળે નહિ ઉતારી શકે. માણસ, માણસ વચ્ચે માણસાઈ મહેકતી હોય કે સ્વાર્થની દુર્ગધ?
માણસ થઈને જે તમે માણસની ઈજ્જત નહિ કરો તે ખરી બેઈજજતી તમારી થશે. તેમજ સમાજમાં માણસાઈનું ધોરણ વધુ કથળશે.
મંગલ માર્ગ
સાત પપ્પાની પાછળ પડછાયાની જેમ ભટકશે તે દુઃખી થશે. આત્મા તમારે અધિક પરતન્દ્ર બનશે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૯૫
સફળતાનાં સોપાન :
તમારી કાઈ ધારણા અર નહિ આવે, આપત્તિ તમારા કેડા નહિ છેડે, જીવન તરફ તમને નફરત છૂટશે, તમારૂં મન, ચાળણી જેવું બની જશે તેમાં શાન્તિનુ એક બિન્દુ પણ ટકી નહિ શકે.
જ્યારે સયમ, સદાચાર, સદ્ભાવ, સુજનતા, સચ્ચાઈ સાત્વિકતા અને સહિષ્ણુતારૂપ સાત સસ્સાની સેવા કરશે! તે અહીં પણ શાન્તિ ભાગવી શકશે। અને કાળક્રમે મેાક્ષના અભ્યામાધ સુખના ભાગી પણ ખનશે.
ચન્દ્ર વડેરાત શાલે છે તેમ આ સસ્સા વડે માનવજીવન શૈાલે છે. પૂરી ચૂસાઈ ગએલી શેરડી જેવુ આ સાત સસ્સા સિવાયનું માનવજીવન બની જાય. એવા જીવનમાંથી જગતમાં સતતપણે દુર્ભાવની નિકાસ થતી હાય છે.
અંગારા અડતાં દેહુ દાઝે છે તેમ દુર્ભાવ વડે મનને પરિણામ દાઝે છે, દેહ દાઝે છે તેની વેદના તમને થાય છેતે મનના પરિણામને દઝાડનારા દુર્ભાવના સ્પર્શીની વેદના તમે અનુભવા છે કે કેમ તે ખરાખર વિચારી જો! આજનુ વિજ્ઞાન :
આજના વિજ્ઞાનની વાર્તામાં ફસાશે તે જીવન હારી જશે. આજના વિજ્ઞાને જગતને અજપા સિવાય કઇ ભેટ આપી છે ? ખુદ પ્રયાગને આધીન છે. એવા વિજ્ઞાન અને વૈજ્ઞાનિકેાની વાતે કેટલી પાયાદાર ગણાય?
Page #137
--------------------------------------------------------------------------
________________
સ્વતન્નતાના માર્ગે
જ્યારે અમે તમને પરમગીશ્વર ભગવંતે ફરમાવેલી વતે જણાવીએ છીએ જે સાંભળવાથી પણ લાભ છે અને પાળવાથી પણ લાભ છે.
બુદ્ધિના ચમચામાં આત્માની સ્વતાને મહાધોધ કે ઝીલી શકયું નથી કે ઝીલી શકવાનું નથી. પિતાની શધ આખરી હોવાનો દાવો કરનારા એક વૈજ્ઞાનિકની તે વાત બીજે વૈજ્ઞાનિક પિતાની શોધ વડે બીજા જ દિવસે અધૂરી હોવાનો પડકાર ફેંકે છે તે તે તમે પણ જાણે છે ને ?
માટે કહીએ છીએ કે શાશ્વત સત્યના પ્રકાશક શ્રી વિતરાગ પરમાત્માના વચનોમાં અપૂર્વ નિષ્ઠા કેળવો! એવી નિષ્ઠાવાળા પુણ્યાત્માઓની ભૂરિ, ભૂરિ અનુંસેદના કરે! તમારી નબળાઈની રડતા હૃદયે ગઈ કરે!
તમારી નબળાઈને અહંથી પ્રેરાઈને છાવરશે તે તમે વધુ નબળા પડશે, તમારા આત્માની સ્વતંત્રતા એ ખૂબ જ દૂરના ભવિષ્યની વાત બની જશે. ત્યાં સુધી તમારે જન્મ–જરા-મૃત્યુના ધકકા ખાવા પડશે. આ ધક્કા સાધારણ પ્રકારના ધક્કા નથી હ! તમે જે તેને સાધારણ પ્રકારના માનતા હો તે ભૂલી જજે !
માનવજીવન પામ્યા પછી આત્માની સ્વતન્ત્રતાની સાચી ઝુંબેશમાં ભાગ નહિ લે તે ભાગ લેશે શેમાં? કે પછી આત્મસુખ સંબંધી કઈ ગતાગમ જ તમને
Page #138
--------------------------------------------------------------------------
________________
૯૭ :
સફળતાનાં સપના
નથી કે જેથી સ્વતન્ત્રતા કાજે સવ સાવઘના ત્યાગના તૈયારી તમને અઘરી લાગે છે.
પ્રાણ તેમજ પદાર્થો આપણને છેડીને ચાલ્યા જાય, તે પહેલાં તેમના આત્માની સ્વતન્ત્રતા પામવાની દિશામાં શકય સઘળા સદુપયાગ કરી લેવા તે શું તમને ન્યાયાચિત માર્ગ નથી જણાતા ?
નજર ઠેરવી સિદ્ધશિલા ઉપર અણનમ મસ્તકે અપ્રમત્તપણે આગળ વધવાની અમારી તમને શિખામણ છે. તમે એક મિનિટ પણ ક્રુની માર સહન કરે તે અમે મુદ્લ નથી ઈચ્છતા અને તેથી જગતમાં આત્મ સ્વાતન્ત્યના સાચા જગ` જારી રાખવાની વાત તમને વારવાર કરીએ છીએ.
ન્યાયપૂર્ણ જીવનની કેાઇની પણ સ્વતન્ત્રતાની આડે તમે ન આવશે !
તમારા જીવનમાં આત્માની સ્વતન્ત્રતાના ઉલ્લાસ પ્રકટે ! સાત પુષ્પાને છેડીને સાત સસ્સા સાથે સાચી દોસ્તી કેળવવામાં તમારે રસ વધેા! ઉલ્લાસ વધે! ! પાપ કરવાની શક્તિ જ ન રહે એવું નિળ જીવન કેળવીને તમે સહુ, મેાક્ષના અવ્યાબાધ સુખના ભાગી અને !
J
Page #139
--------------------------------------------------------------------------
________________
૪: વિશ્વશાન્તિ
આજનું પ્રવચન “વિશ્વશાન્તિ ઉપર રાખ્યું છે.
વિશ્વશાન્તિ કણ ન ઈચ્છે? પરંતુ ઈચ્છવા માત્રથી આવી મળે એવી એ વસ્તુ નથી. એક નાનકડા પદાર્થો મેળવવા માટે પણ મૂલ્ય ચૂકવવું પડે છે. તે વિશ્વશાન્તિ માટેનું મૂલ્ય ચૂકવવાની તમારી તૈયારી આજે કેટલી છે? કે પછી મફત મળતી હોય તે માણવા જેટલી જ તૈયારી છે. - આજે જગતમાં અશાન્તિ છે તેની ના નહિ, કેટલેક સ્થળે એ અશાન્તિની ઉગ્રતા પણ જણાય છે તે બાકીના સ્થળમાં અપ્રકટપણે પણ અમલ તે માટે ભાગે અશા ન્તિને જ કળાય છે. આજે ય અનેક સ્થળે યુદ્ધની આગ સળગી રહી છે. રોજનાં સેંકડે માણસો બેઘર બની રહ્યાં છે. ભર્યાભાદર્યા ભવન છેડી દઈને જાન બચાવવાની આશાએ અનેક સ્ત્રી-પુરૂષે એક દેશમાંથી બીજા દેશમાં ચૂપચાપ સ્થળાંતર કરી રહ્યાં છે. કેઈ બહેનને ભાઈ
Page #140
--------------------------------------------------------------------------
________________
૯૯;
સફળતાનાં સોપાન:
મરાય છે તે કોઈ માતાને લાડકવાયો, અનેક સ્ત્રીઓના સેંથાના સિંદૂર ભૂંસાઈ રહ્યાં છે.
માનવ જેવા માનવની આવી કરૂણ સ્થિતિ સર્જનારી અશાન્તિનું મૂળ કારણ શું છે, તે જાણે છે? અશાતિનું કારણ
એ સંતોષ છે જગતની વર્તમાન અશાન્તિનું કારણ માટે જ ભવાંતરના સુકૃતના પુરૂષાર્થ દ્વારા ઉપાજેલી પુણ્યાઈથી જેટલી અનુકૂળ સામગ્રી મળી છે, તેમાં સંતાષ માનશે તે સુખી થશો. જીવનમાં શાન્તિને અનુભવ કરી શકશો. આજને લક્ષાધિપતિ, કેટયાધીશ બનવાની લાલસામાં પિતાને મળેલી સંપત્તિને સદુપયેગ નથી કરી શકતે, પરંતુ કેટયાધીશ બનવાની લાલસામાં દુઃખી થાય છે. કલેકટર બનવાની ભૂખ કલાર્કને, કલાર્ક તરીકેને એને ધર્મ બજાવતાં પણ ચળવિચળ બનાવે છે. આવા અસંતોષની આગમાં જળતા માનવે સમાજમાં પણ અસંતોષ ફેલાવે છે અને શાન્તિને ભંગ કરે છે.
જે તમે સાચા દિલથી શાન્તિ ચાહતા હો તે તમારા કરતાં વધુ દુઃખી માણસોને વિચાર પહેલાં કરજે. આમ કરવાથી તમને તમારી સ્થિતિને સંતોષ સ્પશે. નીતિની કમાઈને દાળ-રોટલે જમતી વખતે જે તમે દૂધપાક-પુરીન ખાનારને નજર સામે લાવશે
Page #141
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાન્તિ:
૧૦૦ :
તે દાળ-રોટલાની મીઠાશ પણ બેશો અને દૂધપાક-પુરી નહિ મેળવી શકે તે નફામાં.
ઉનાળાની ગરમીથી અકળાઈને શિયાળાને સાદ પાડનારા અને શિયાળે ઉનાળાને સંભારનારા નથી શિયાળાને લાભ મેળવી શક્તા કે નથી ઉનાળામાં ઠરીને બેસી શકતા, તેમ પ્રાપ્તસંગે વચ્ચે પિતાની જાત તેમજ મનને જે તમે બરાબર ગોઠવી નહિ શકે તે ગમે તેવી સાનુકૂળતા વચ્ચે પણ તમે સાચી શાન્તિ નહિ અનુભવી શકો, પરંતુ વધુને વધુ સાનુકૂળતાને વ્યામોહ તમારા જીવનવૃક્ષને હલાવી મૂકશે.
વ્યક્તિ કે વ્યક્તિઓના બનેલા સમુહનું એની જરૂરીઆતે તરફ પ્રમાણથી પણ અધિક ધ્યાન ખેંચીને તે જરૂરીઆતો મેળવવા માટે એને સાધનસંપન્ન માન સામે ઉશ્કેરી મૂકવાને જે અનૈતિક રાહ આજે આ દેશમાં તેમજ અન્યત્ર અપનાવાઈ રહ્યો છે તેનાથી જગતની પ્રજાઓની શાન્તિને મોટો ધક્કો પહોંચે છે.
હાલત તમારી ભલે ગમે તેવી હોય, પણ જો તમે તે હાલતમાં સંતોષથી રહેશે તે તમારા જીવનમાં શાન્તિ જરૂર અનુભવી શકશો. કદાચ પાપોદયવશાત્ તમને બે ટંકના ભજનને બદલે એકજ ટંકનું ભેજન મળે તે પણ તેને ઉહાપોહ શા માટે ? એક ટંકનું પણ મળ્યું તે છે ને? શું આ જગતમાં એવા પણ છે નહિ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૧ :
સફળતાનાં સાપાન :
હાય કે જેઓ એક ટ'કનુ પણ નિયમિત ભાજન નહિ મેળવી શકતા હાય? તે તેમના કરતાં તે તમારી હાલત સારી ગણાય ને?
સામાન્યમાંથી, મધ્યમ અને મધ્યમમાંથી સારી હાલતમાં પહોંચવા માટે સાચા રાહુ છે ધર્મની આરાધનાના, એ રાહુ છેાડીની મધ્યમ તેમજ સારા પ્રકારની હાલતવાળા માનવા તરફ દ્વેષભાવ કેળવવાથી તમારી હાલત સુધરવાને બદલે અગડશે અને સમાજમાં વધુ ખળભળાટ પેદ થશે.
પેટ ભરવાના બહાને પટારા ભરવા અને પટારા ભરાઈ જાય તે પણ સંતોષ ન માનવા આવી આસુરી વૃત્તિવાળા માનવે જ્યાં વસતા હાય છે ત્યાં શાન્તિ સ્થિર બની શકતી નથી. મળ્યુ છે તે સતેષપૂર્વક ભાગવવાને બદલે બીજાનું જોઇને ખળવું તે કયાંના ન્યાય? આવી બળતરા વહેારવાની વૃત્તિ જો તમારા દિલમાંથી દૂર નહિ થાય તે બહારથી સુખડના લેપ કરશે તે પણ અદર શાન્તિ નહિ અનુભવી શકે.
વિશ્વશાન્તિની ડાલી વાતા કરવાથી તે થાડી જ પેદા થવાની છે, જેને વિશ્વની અશાન્તિ ખરેખર ખટકતી હાય તેનુ જીવન કેવુ હાય તે જાણેા છે?
એવા શાન્તિપ્રિય માનવ તા પેાતાના આચાર તેમજ વિચાર ઉભયમાં આત્મસ તાષજન્ય શાન્તિનું
Page #143
--------------------------------------------------------------------------
________________
વિષશાન્તિ
૧૦૨:
બહુમાન કરતા હોય. બીજાને દુઃખ પહેાંચે તેવુ. વેણુ પશુ તે ન કાઢે. પશુ-પંખીએાના જીવનને લૂંટવાની આસુરી વૃત્તિથી તે સદા પર હાય, આજના વિશ્વશાન્તિવાળા રાજપુરૂષ ખરેખર તે વિશ્વની શાન્તિના કટ્ટર શત્રુએ છે. જો તેમના દિલમાં દયા હોત તે। હીરાશીમાને નાગાસાકીના નિરપરાધી નાગરિકા ઉપર તેમના પૈકી એકે અણુખાંખ ફેંકવાની પેાતાના અધિકારીને આજ્ઞા કરી ન હોત!
જગતની પ્રજાએ સુખચેનમાં દિવસે પસાર કરે એવી જ ભાવના જો આજની મનાતી મહાસત્તાઓના આગેવાનાના દિલમાં હાત । વીયેટનામનું લેાહિયાળ યુદ્ધ કયારેય બંધ પડી ગયું હેાત. પરંતુ એ આગેવાને પણ પ્રદેશભૂખ્યા છે. નબળી પ્રજાઓના પ્રદેશે। શાના જોરે પડાવી લઈને ત્યાં પેાતાના જ સ્થાપિત હિતાને જ પ ́પાળવાની મલીન વૃત્તિ તેમના દિલમાં પણ છે જેનુ' મૂળ કારણુ અસ તેાષ છે.
નાનાના સ ંતેષ પણ નાના અને અસાષ પણુ નાના. એવા માનવા ૫૦-૧૦૦ રૂપીઆમાં ધરાઈ જાય છે અને ૫૦-૧૦૦ જાય તે। અકળાઈ જાય છે, તેમ છતાં તેમની તે અકળામણથી જગતની શાન્તિને જે આંચકા પહોંચે છે તે સાધારણ પ્રકારના હાય છે, જયારે સત્તારૂઢ માનવીના અસ'તેાષથી હજારે નાગરિકેાનાં જીવન ઉજડી જાય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૦૩
સફળતાનાં પાન:
અસંતેષનું સ્વરૂપ
ભયાનક છે અસંતોષનું સ્વરૂપ. ન દેખી શકાય તેવી તેની જવાળાઓ ભલભલા ભડવીરને પણ ભીતરમાં બાળવા માંડે છે. કાણું વાસણ કયારે ય પૂરું ભરાય નહિ તેમ અસંતોષી માણસને જેટલું મળે તેટલું ઓછું જ પડે. અને વધારે માટે તે દિન-રાત વલખાં માર્યા કરે. નીતિ-અનીતિનો ભેદ પણ ન જાળવે. સામે સગે ભાઈ હોય તો તેને પણ ન છેડે “બસ લાવો”! એ જ એક મંત્ર લઈને તે રઘવાયાની માફક જ્યાં-ત્યાં ઉડાઉડ કર્યા કરે. બે ટંક શાન્તિને રોટલો પણ તે ન પામે. વર્તમાન સમયના કેટલાક વિચારકે મહત્ત્વાકાંક્ષાના સમર્થનમાં સંતેષને ગૌણ કરવાની વાત પણ કરે છે, પણ શું તેઓ મહત્વાકાંક્ષી પુરૂષના આખરી અંજામને ભૂલી જાય છે?
શું સિકંદર એ છે મહત્વાકાંક્ષી હતો? પણ તેને આખરી અંજામ છે આ ? નેપોલીઅનની શી દશા થઈ? હજી હમણાં જ થઈ ગએલા હીટલરના કેવા હાલહવાલ થયા ? ગમે તેવી પ્રશસ્ત પણ મહાત્વાકાંક્ષા તેજ સારી ને હિતકારી કે જેના યોગે જીવનમાં સંતોષ સાત્વિક્તા તથા સંસ્કારિતા જાગ્રત થાય. શાન્તિસદનઃ
જીવનને શાન્તિસદન બનાવવા માટે સંતેષ જેટલી જ જરૂર નેહ, સંયમ, સાદાઈ અને સહિષ્ણુતાની છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાન્તિઃ
૧૦૪:
નેહ એટલે સર્વ જી તરફને સદ્ભાવ પાપીમાં પાપી માનવ તરફ પણ જો તમે દુર્ભાવ દાખવશે તે તમારા જીવનમાં ખળભળાટ પેદા થશે, તમારું મન મેલું થશે. વિચારની પવિત્રતાની ધારા ખંડિત થઈ જશે
જ્યારે આજે તે વાતવાતમાં ઉશ્કેરાઈ જવું, સામ સામા આક્ષેપો કરવા, એકબીજાની ગુપ્ત વાતો બેલી નાખીવી એ બધુ સાવ સામાન્ય બનતું જાય છે અને તેથી જગતમાં શાન્તિને બદલે અશાન્તિ વધતી જાય છે, અવ્યવસ્થા ફાલતી જાય છે. સદ્દભાવપૂર્ણ જીવનવ્યવહાર તે કયાંક જ જોવા મળે છે.
મન તેમજ ઈન્દ્રિય ઉપર કાબુ રાખે, તે માટે જરૂરી સાદાઈ સ્વીકારવી તેમજ સહુને સાંભળવા સમજવાની તત્પરતા દાખવવી એ જે તમે તમારા
વ્યવહારમાં ગુંથી શકશે તે શાન્તિ માટે તમારે ભાષણે નહિ કરવાં પડે, પરંતુ તમને જોતાની સાથે જેનારને શાન્તિનું સુભગ દર્શન થશે. સંચમીને શાન્તિ માટે વલખાં નથી મારવા પડતાં, પરંતુ શાન્તિ સદા તેની સાથે રહે છે. કારણ કે બીજા ને અશાન્તિની આગમાં ધકેલી મૂકવાને શુદ્ર વિચાર તેને સેવવા જેવો લાગતો નથી. આ સંયમી સાચી શાન્તિ અનુભવે છે. તેમજ તેની છાયામાં રહેનારને પણ શાન્તિને અનુભવ કરાવે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૫ :
સફળતાનાં સોપાન
શાન્તિના શત્રુ
ધગધગતા તવા ઉપર પડેલું પાણીનું ટીપું છમ્મ કરતું ઉડી જાય છે, તેમ જે ઘરમાં કલહ-કંકાસ ચાલતા હોય છે ત્યાં શાન્તિ પગ ટેકવી શકતી નથી. સંકુચિતતા, એકબીજાને સાંભળવા તેમજ સમજવાની વૃત્તિને અભાવે એ બધાં કલહને પિષે છે અને શાન્તિને શેષે છે. ઘરમાં સતતપણે ચાલતા કલહના કારણે બીજા પણ અશુભ નિમિત્તો ઊભાં થાય છે અને એ ઘરમાં રહેનાર સહુને ત્રાસ પિકરાવી દે છે.
• ગમે તેવી પણ રાષ્ટ્રીય યા આંતરરાષ્ટ્રીય શાતિને સાચો આધાર તે તે રાષ્ટ્રની પ્રજાના જીવન તરફના દષ્ટિકોણ ઉપર અવલંબે છે. જો તમે એકવાર એટલે દઢ સંકલ્પ કરી લે કે “ભલે ગમે તે થાય, પરંતુ અમે અમારા જીવનને અશાન્તિની આગમાં તે નહિ જ હેમીએ, કોઈ કદાચ અમને તેમ કરવાની ફરજ પાડશે તો અમે તે વ્યક્તિને સમજાવવાની કેશિષ કરીશું, તેમ છતાં જે તે વ્યક્તિ નહિ સમજે તે પણ અમે તો અમારા નિર્ધારને આખર સુધી વળગી જ રહીશું.'
અન્યના જીવનની શાન્તિને સળગાવી મૂકનારા શબ્દોનાં ઝેરી બાણ જે તમે છેડતા હે અથવા છેડવાની શક્તિ ધરાવતા હો તો તમને શરમ આવવી જોઈએ. નહિ કે એવી હીન શક્તિ માટેને ઘમંડ તમારા મનમાં
Page #147
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાન્તિઃ
૧૦૬:
રહેવા જોઈએ. તમે જ્યારે ખીજાને અશાન્તિ તરફ ધક્કો મારી છે ત્યારે સામી વ્યક્તિ કરતાં પણ પહેલુ તમારૂં પતન થાય છે એ ન ભૂલશે.
શાન્તિને પેાષનારી સહિષ્ણુતા અને ગંભીરતા આજે તમારા જીવનમાં કેટલા પ્રમાણમાં છે તેના વિચાર તમે કદી કર્યાં છે ખરા? અન્યનાં છિદ્રો પ્રકટ કરી દેવાની તમારી નિબળતા તમે શાન્તિના સાચા અનુરાગી છે એ વાતને ખાટી ઠેરવે છે. બીજાના જીવનની અશાન્તિને હૈયાના હેત વડે ઠારવાની ભાવનાનું આજની દુનિયામાં જો ચલણ ાત તેા ટૂકડાભૂખ્યા માનવાની ખેલમાલા ન હાત! નિરપરાધી જીવેાના જીવનને ઉજાડનારા મહત્ત્વાકાંક્ષી માનવા ભર અપેારે ભર બજારે ઉઘાડી છાતીએ કરી શક્તા ન હેાત.
સાચી શાન્તિ માટે આવશ્યક સ્નેહ, સાષ અને સપ તમે જીવનમાં ખીલવી શકશે તેા તમારે વારતહેવારે શાન્તિ'ની પાકળ વાતા કરવાની જરૂર નહિ પડે.
અશાન્તિઃ
પવનમાં હાલતા પાંદડા જેવુ' અસ્થિર જે તમારૂં મન હશે તેા એ મન વડે તમે જીવનને દીપાવનારૂં કાઈ સારૂં કામ નહિ કરી શકે. અસ ંતાષ, અસહિષ્ણુતા અને આંધળા આપખુદ વન સાથે જીવનને મૂળભૂત સ ́અધ નહિ હાવાથી એ દુČણા સાથે મન પણ સંખ’ધ સાધી
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૦૭:
સફળતાનાં સોપાના
N
શકતું નથી અને અસહકાર વ્યક્ત કરવારૂપે વધુ ચંચળ બની જાય છે. આ ચંચળતા એ અશાન્તિને જ એક પ્રકાર છે.
વિશ્વશાન્તિની વાત કરનારા વર્તમાન જગતના રાજકીય તેમજ સામાજિક આગેવાને જે વિશ્વની અશાન્તિના મૂળ કારણેની તપાસમાં ઊંડે ઉતરતા થાય તે તેમને જરૂર તે કારણે સમજાઈ જાય, પરંતુ સાચા વિશ્વસ્નેહના અભાવે તેઓ તેમ કરી શકતા નથી અને તેથી તેમને અનુસરનારા તમે દિનપ્રતિદિન વધુ અશાત જીવનમાં ફસાતા જાઓ છે.
* નિર્દોષ માનવ-પ્રાણીઓના સંહાર દ્વારા શાન્તિ સ્થાપવાની વાત કરનારા વર્તમાન જગતના મનાતા રાજકીય આગેવાનેમાં અને લેહીથી લેહીના ડાઘ દૂર કરવાની વાત કરનારા પાગલખાનાના પાગલો વચ્ચે તાત્વિક રીતે તફાવત છે? - જીવનની સાચી શાન્તિ–ભૂખ સંતોષવા માટે એને સંતેષ તેમજ સમતાભાવરૂપી રાક ઓછામાં ઓછી મહેનતે સમયસર મળી રહે એવું વાતાવરણ સર્જવાની દિશામાં શકય સઘળા પ્રયત્ન કરવાને બદલે, ડગલેને પગલે અશાન્તિ વધુ પિવાય, સંતેષને બેસવાની ડાળ પણ ન મળે એવું વાતાવરણ સર્જનારા આજના દયાપાત્ર બુદ્ધિશાળીઓને છોડી દઈને તમારે સંયમી મહાત્માઓની આજ્ઞાને અનુસરવાનું શરૂ કરવું જોઈએ. આજે તમને
Page #149
--------------------------------------------------------------------------
________________
ભાન્તિઃ
૧૦૮ અમારી આ વાત કદાચ નહિ સમજાય તે આવતી કાલે વધુ આકરા અનુભવ પછી થાકીને પણ તમારે અમારી વાત સ્વીકારવી જ પડશે.
હૈયાના હેતને ભરખી જનારી અસંતોષની આગને વધારનારા વિચારો વચ્ચે સાચી શાન્તિ કઈ રીતે ટકવાની હતી? પરહિતનો ખ્યાલ વગરના જડ વર્તનની જે પ્રતિક્રિયા થાય છે તે તમને જંપવા નહિ જ દે. સમતા કે જે આત્માની મુડી છે તેની જરા જેટલી પણ દરકાર આજે તમને છે? એ મુડી ને વેડફાઈ જાય તેની કેટલી કાળજી તમે રાખે છે? દશની નેટના બદલામાં, કરડે આપતાં પણ ન મળે એવી અણમોલ એ મુડીને બરબાદ કરી નાખવા સુદ્ધાની ગંભીર ભૂલ પછી પણ તમારા જીવનમાં પશ્ચાતાપની જે જીવંત જવાળા ફેલાઈ જવી જોઈએ તે નથી ફેલાતી તે એમ સૂચવે છે કે તમે હજી સમતાની સાચી કિંમત સમજતા થયા નથી અને પાંજરાના પઢાવેલા પિપટની જેમ “શાન્તિ” “શાન્તિ” બેલી રહ્યા છે. મન-ભેદઃ - તમે જે સાચે જ શાતિ ઝંખતા હે તે એને ભંગ કરનારા મન-ભેદથી દૂર રહેજો. આ મન-ભેદ, મતભેદમાંથી જન્મે છે. દરેક વ્યક્તિના વિચાર એકસરખા હોય એવું ભાગ્યે જ બને છે. આ વિચાર વૈવિધ્યને
Page #150
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં માપાંવ
સમજવા જેટલી ઉદારતા તમારામાં હોવી જ જોઈએ. જો તમે એટલા પણ ઉદાર નહિ બની શકે તે શત્રુને ખમશ શી રીતે અપકારીને ખમાવશે શી રીતે? વ્યવહારમાં ટકી શકશે શી રીતે? તમારાં કુટુંબના સભ્યને એકસંપીના સોનેરી દેરામાં પરોવી શકશે શી રીતે ? મતભેદને મનભેદ સુધી વિસ્તરવા દેશે તે નિરંકુશ બનેલી અગ્નિની જવાળાની જેમ તે જરૂર તમને દઝાડી જશે, તમારા જીવનની શાન્તિને ભરખી જશે.
સત્ય સાપેક્ષ હોય છે. અપેક્ષા વિશેષને અભ્યાસ કરશો તે તમારા જીવનને અર્થહીન અથડામણમાંથી બચાવી શકશે દા. ત. કોઈ તમને કહે કે, “એકને બે ચાર” તે પણ સમતા ન ખાશે, પરંતુ સમજજો કે એ બાળજીવ છે અને તેથી જ બાળક જે બેટ સરવાળે રજુ કરે છે. - વાદ-વિવાદમાં રાખ્યું છે શું? ત પીલવાથી તેલ ન નીકળે તેમ અર્થહીન વાદ-વિવાદથી સત્યના સામ્રા
જ્યમાં દાખલ થઈ શકાતું નથી, પરંતુ પરસ્પર વચ્ચેનું ભાવાત્મક અંતર વધે છે. આ અંતરના કારણે અશાન્તિ વધે છે. મનની વ્યગ્રતા વધે છે. પરિણામની ધારા વધુ છિન્નભિન્ન થાય છે.'
બહારથી પાસે પાસે બેઠેલા દેખાતા બે માન વચ્ચે આજના ભૌતિક યુગમાં ભાવાત્મક જે અંતર વધ્યું
Page #151
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાંતિઃ
૧૧૦
છે, તેણે જગતની અશાન્તિને વધુ વેગવંત બનાવી છે. ભિન્ન-ભિન્ન પ્રકારના રાજકીય વિચાર પ્રવાહાએ પણ તમારા જીવનની શાન્તિને માટે ફટકે માર્યો છે.
સમાજવાદ, સામ્યવાદ, મુડીવાદ વગેરે આજના વાદેએ આજે ભારતના જાહેર જીવનને વિવાદમય નથી બનાવ્યું શું? એ વાદની જાળમાં ન ફસાવાની તમને સલાહ છે. પદ, પૈસા કે પ્રતિષ્ઠાના મોહથી પ્રેરાઈને જો તમે તેને વફાદાર બનવા જશે તે ધર્મની વફાદારી ચૂકી જશે. તમારી જાતે તમારા જીવનને સંઘર્ષનું કેન્દ્ર બનાવી મૂકશે.
શાન્તિની વાત કરનારા તમે બધા આજે ઉગ્રતા અને અશાન્તિની કેટલા સમીપ વસે છે તે જાણે છે? તમે રજુ કરેલી વાતનું ખંડન થતાંની સાથે જ અથવા તે તમારી માગણી નથી સંતોષાતી તે તમે જે દિશા તરફ મનથી દેટ મૂકે છે તે દિશામાં અશાન્તિના અગ્નિકુંડ સિવાય બીજું શું હોય છે? એ અગ્નિકુંડમાં મનને હેમી દેવાની છેટી હામ ભીડીને જીવનની શાન્તિને હરામ શા માટે કરે છે? સંતોષ?
વિખવાદને વધારનારા વાદ-વિવાદમાં ન પડશે. મારી જ વાત સાચી, તમારી બેટી” એ જાતને આગ્રહ ન સેવશે, સામાના મનને ધકકો પહોંચાડે તેવા
uonal
Page #152
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં પાન શબ્દપ્રયોગથી વેગળા રહેજે વાતચીત તેમજ ચર્ચામાં તમને રસ હોય તે આત્મા અને પરમાત્માના ઘરની વાત કરજે.
વાદ, પ્રતિવાદને પણ અંત તે સંતેષમાં જ આવે છે જગતના સઘળાયે ગુણમાં માટે જ સંતેષની મહત્તા તેમજ બેલબાલા છે. ભેજની સભામાં હરિહર તથા માધવ બને પંડિતો વચ્ચે વાદ થયે તેમાં છેવટે સંતેષની મહત્તા સિદ્ધ થઈ હરિહર વાદી તરીકે કહે છે “હું દંડ છું.” માધવ પ્રતિવાદી બની કહે છે. “હું તને ભસ્મ કરનાર અગ્નિ છું.” વાદી કહે છે તે એ અગ્નિને ઠારનારી વર્ષો હું છું. પ્રતિવાદી કહે છે એ વર્ષોના વાદળને વિખેરનારે પવન હું છું.” વાદી કહે છે સાપ બનીને હું એ પવનને પી જઈશ! પ્રતિવાદી કહે છે “તે હું ગરૂડ બનીશ” વાદી કહે છે. “તે હું વિષ્ણુનું રૂપ ધારણ કરીશ પ્રતિવાદી કહે છે, “તે હું મુકુટ છું” વાદી કહે છે “તે હું કમળ છું” પ્રતિવાદી કહે છે, “તે હું ભ્રમર છું.’વાદી કહે છે, “તે હું સૂર્ય છું.” પ્રતિવાદી કહે છે, “તે એ સૂર્યને રાહુરૂપે હું રસીશ.” વાદી કહે છે, “તે હું દાન છું.” પ્રતિવાદી કહે છે, “જે તું દાન છે તે હું “સંતેષ છું. મતલબ કે સંતોષ એજ જીવનનું અમૃત છે.
માનવ જેવા માનવને ઊંચ-નીચે અસતેષ કરી મૂકે છે, જ્યારે સંતેષ, જનનીના મેળાનું કામ કરે
www
Page #153
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાન્તિઃ
૧૧૨:
છે, અને જન્મ આપનારી માતા કરતાં પણ વધુ વાત્સચવતા ધરૂપી જનેતાના ખેાળા છે એ સદાય યાદ રાખશેા. આત્મભાવજન્ય સંતાષ પછી, અશાન્તિ ઉડી જાય છે.
એક વાત ખાસ યાદ રાખજો કે, શરીર, સ'પત્તિ સત્તા વગેરે તમારા સદાના સાથી નથી. માટે તેમની સાથે દાસ્તી વ્યવહારથી રાખો; પરંતુ જો તમે તેમના જ અની જવાની ભૂલ કરી બેસશેા તેા જીવનની શાન્તિ હારી જશે.
પાયાની વાતઃ
માનવ-પ્રાણીઓના હિત સાથે જેને સીધા સંબંધ છે, તે વિશ્વશાન્તિના મૂળાધાર ધર્મ છે.
આ ધર્મ દિલમાં આવી જસે છે ત્યારે દયારૂપે ઓળખાય છે, આંખમાં સ'તાષના અમીરૂપે છવાય છે, ચિત્તમાં શુભમાવની ચાંદનીનું કામ કરે છે અને તે માનવીને, પ્રતિકૂળમાં પ્રતિકૂળ સચેાગેા વચ્ચે સાષપૂ વધુ જીવન જીવવાની ક્ષમતા પ્રદાન કરે છે.
વિશ્વની શાન્તિમાં તમે તમારા રોજીંદા જીવન દ્વારા કેટલા કાળા આપા છે, તેમજ તે શાન્તિને ખારવનારી સીધી કે કે આડકતરી પ્રવૃત્તિમાં તમે કેટલા પ્રમાણમાં ભાગ લે છે તેની સ્પષ્ટ નોંધ તમારી પાસે રહેવી જોઇએ.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૩:
સફળતાના પાટે: આવી નેધ માટે જરૂરી જીવનજાગૃતિ આજે તમે અનુભવી રહ્યા છે ખરા? પારકી પંચાતમાં તમને રસ છે, તેટલે પરહિતચિંતામાં છે ખરો?
આજની આ અશાન્તિ, માનવ-પ્રાણીઓનું સત્યાનાશ વાળી નાખશે.” એ વિચાર તમને ત્યારે જ બરાબર સ્પર્શી શકશે જ્યારે તમારા દિલમાં સાચો વિશ્વને જન્મશે. ધર્મના સનેહીને વિશ્વસ્નેહના પાઠ ભણાવવા નથી પડતા. માછલીને તરતાં શિખવાડવું ન પડે તેમ ધર્મપ્રેમી આત્માને વિશ્વસ્નેહનું શિક્ષણ આપવું ન પડે.
વિશ્વની શાતિને, વ્યક્તિના જીવનની શાન્તિ સાથે સંબંધ છે, જીવનની શાન્તિને, સંતોષ સાથે સંબંધ છે. સંતોષને સાચી સમજણની સાથે સંબંધ છે. પારકી મેટર જોઈને જે તમારા મનની શાન્તિ-સહેજ પણ ચલિત થતી હોય તે તમારે સ્વીકારી લેવું જોઈએ કે એ મેટર તરફ તમે સાચી નજરે નહિ, પરંતુ ઈર્ષાની કે અસંતોષની નજરે જોયું છે.
શાન્ત જળાશયમાં એક નાનો કાંકરો તરંગમાળા ઊભી કરી દે છે, તેમ શાન્ત જીવનમાં અસંતોષજન્ય વિચાર ભારે ખળભળાટ પેદા કરી મૂકે છે. એ ખળભબાટના કારણે વિવેકરૂપી દિપક ડોલવા માંડે છે અને માનવીને પોતાની જાત ઉપર કાબુ ઢીલો પડી જાય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
વિધાનિત:
૧૧૪
તલવારની મૂઠ ઉપરની રાજપુતની પકડ કેવી હોય છે તે તે તમે જાણે છે ને? તેજ રીતે મન ઉપરની તમારી પકડ પણ મજબૂત હેવી જોઈએ, કારણ કે તેની પાસેથી તમારે ઉપયોગી ઘણું કામ લેવાનાં છે એટલે જે તે જીવનના વિશ્વહિતકર પ્રવાહની મર્યાદા બહાર ચાલ્યું જશે તે તમારું જીવન દયાપાત્ર બની જશે. બહારથી જીવતા દેખાતા તમે, નવા-નવા જન્મની કાચી સામગ્રીના સર્જક બની જશે.
પિતાને મનગમતા પદાર્થની ચોરી, આજના માનવીને કેટલે એશાન્ત બનાવી મૂકે છે; કારણ કે સાચી શાન્તિનું યથાર્ય મૂલ્ય તે જાણતા નથી એટલે પિતાની વ્યક્તિગત નુકસાનીની પ્રતિક્રિયા તે, અશાન્તિ દ્વારા સમગ્ર વિશ્વને પહોંચાડે છે.
લાભાલાભ યા નિંદા-સ્તુતિની કાંકરી પડતાની સાથે ડહોળાઈ જાય એવાં, છીછાં તમારાં જીવન સરોવર ન બનાવશે. તેમાં સાગરની ગંભીરતા આણજે. જે તમારાં જીવન-સરોવર છીછરાં જ હશે તે સંગ્રહવા જેવા ગુણરૂપી મતીઓને તમે તેમાં સંગ્રહી નહિ શકે અને બહાર ફેંકી દેવા જેવા કાંટા-લીલ વગેરે અચૂક ત્યાં અઠ્ઠા જમાવશે
અણધારી આપત્તિ આવી જાય ત્યારે બેબાકળા બનીને તમે તે આપત્તિની જ ઈજજત વધારતા હો છે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧ઃ
સફળતાનાં સોપાન
એનું તમને ભાન છે ખરું? એ આપત્તિ સાથે મનને નહિ જોડે તે એ પણ બુઠ્ઠી બની જશે.
તમને જોતાં વેંત જેનારને કહેવાનું મન થઈ જાય કે, “જુઓ કે શાન્ત–સંતોષી માણસ છે!” એવું તમારું વર્તન હોવું જોઈએ અમારે એમ કહેવું પડે છે તે તમને ખટકતું નથી? એ તમારી જાગૃતિને પડકારરૂપ પ્રતીત થતું નથી?
માનવ-પ્રાણીઓની ભયંકર હિંસા કરીને જગતમાં શાન્તિ સ્થાપવાની વાત કરનારા માનવ દયાપાત્ર છે. તેમની વાતમાં વિશ્વાસ મૂકવા જશે તે ધર્મમાં તમારે બધા જ વિશ્વાસ ચલાયમાન થઈ જશે. તમારા દિલમાં દયાના બદલે નિષ્ફરતા પેદા થશે. અને શાતિના સામ્રાજયથી તમે સેંકડો યજન દૂર ધકેલાઈ જશે.
આજનું પ્રવચન પૂરું કરતાં ફરી કહું છું કે, સંયમ, સદાચાર, સદ્દભાવ, સંતોષ, સહિષ્ણુતા સત્સંગ, સાધુસેવા, મૈત્રીભાવ તથા મમત્વને ત્યાગ એજ સહુના આત્માનું કલ્યાણ કરનાર છે. જીવનમાં શાન્તિ સ્થાપનાર પણ એ છે અને જગતમાં શાતિ સ્થાપનાર પણ એ છે.
રાગ-દ્રષના ઉકળતા ચરૂ જેવા રાજકરણમાં રમતા સ્ત્રી-પુરુષ પાસે શાન્તિની આશા રાખવી તે રણમાં પહોંચીને જળની બૂમ પાડવા જેવી અવળી ચેષ્ટા છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
વિશ્વશાન્તિઃ " વિશ્વની શાન્તિ માટે, આંતરબાહ્ય જીવનમાં સુસ વાદિતા સ્થાપવાની સહુને સન્મતિ સુઝે! ઈનાય અકલ્યાણની પ્રવૃત્તિમાં નહિ જોડાવાનું બળ તમારા જીવનમાં પ્રકટે! હિંસાના પડખે ચડવાની દુર્મતિથી સદા દૂર રહેજે !
તેજ શાન્તિ તમારું પડખું નહિ છોડે! સંતોષ સદા તમારે થઈને રહેશે. પ્રગતિપથે તમે નિવિષે આગળ વધી શકશે.
ભુવનત્રયમાં સદા સાચી શાતિ પ્રવર્તે.
‘NIJJAIN
Page #158
--------------------------------------------------------------------------
________________
૫: સમાજવાદના સાચો આદર્શ
આજનુ' જાહેર વ્યાખ્યાન, સમાજવાદના સાચા આદશ ’એ વિષય પર રાખવામાં આવ્યુ છે.
આજે ઠેર, ઠેર આ વાદની વાત સાંભળવા મળે છે. વતમાનપત્રોમાં આ વાદ અંગે અનેક લેખા તેમજ ચર્ચાપત્રો પ્રક્ટ થાય છે. આજે એવા કેાઈ દેશ ભાગ્યે જ હશે કે જ્યાં આ વાદ અંગે વાદવિવાદ ન થતા હાય. કોઇ આ વાદને વખાણે છે તેા કેઇ વખાડે છે. કેટલાક સત્તાના બળે આ વાદની સ્થાપનાની હિમાયત કરે છે. તા કેટલાક શિક્ષણ, સંસ્કાર તેમજ પ્રચાર દ્વારા આ વાદને આ દેશમાં સ્થિર બનાવવાના પક્ષકાર છે.
સમાજવાદની વ્યાખ્યા :
પેાતાની જાતને સમાજના અંગભૂત માનવી, સમાજના પેાતાના ઉપરના ઉપકારાને અંતઃકરણપૂર્વક સ્વીકારવા, સમાજના હિતને મેાખરું રાખવું, સમાજની
Page #159
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાચો આદર
૧૧૮: પ્રતિષ્ઠાથી ન્યારી અંગત ઈજજત યા પ્રતિષ્ઠાની લાલસાથી મુક્ત રહેવું અને પિતાની સમગ્ર શક્તિ વડે સમાજશ રીરને શક્તિસંપન્ન બનાવવાના કામમાં બદલાની જરા પણ અપેક્ષા ન રાખવી એ છે સમાજવાદની વ્યાખ્યા.
સમાજ' શબ્દને જેટલો વ્યાપક અર્થ કરીએ તેજ મુજબની વ્યાપકતા પિતાના જીવનમાં કેળવવાથી માનવી, આખી દુનિયાને મિત્ર બની શકે છે અને “સમાજ' શબ્દને ઘર યા શેરી પૂરતું જ સીમિત કરી દેવાથી માનવી, સંકુચિત મનને બની જાય છે અત્યારે બધે “સમાજવાદ' શબ્દ તે, તે રાષ્ટ્રની અસ્મિતા પૂરતે વપરાય છે. પરંતુ રાષ્ટ્રનું સમાજવાદમાં રૂપાંતર કરવાનું કાર્ય જે ઉદારતા, સહિષ્ણુતા, ત્યાગવૃત્તિ તેમજ સંયમ પ્રચુર જીવનની અપેક્ષા રાખે છે તે જે તે રાષ્ટ્રના નાયકના જીવનમાં ન હોય તો તે રાષ્ટ્રનો તે “સમાજવાદી માત્ર કાગળીઆ ઉપર જ જીવતે રહે, અને બિચારા પ્રજાજને રોજેરોજ અર્થહીન પજવણીના ભંગ બનતા રહે.
બીજાનું બળજબરીથી પડાવી લઈને સાચે સમાજવાદ ન સ્થાપી શકાય. સાચા સમાજવાદ માટે સ્વાર્થનું વિકેન્દ્રીકરણ કરવું પડે. પુણ્ય-પાપના ભેદને સમજ્યા સિવાય કલમ અને કાયદાના જોરે બધાને બહારથી એકસરખા કરી નાખવાની નીતિ ખતરનાક છે. દરેક આત્મા, આ દુનિયામાં સગવડ-અગવડ પિતાના
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૯:
સફળતાનાં સેાપાન:
પુણ્ય-પાપ અનુસાર ભાગવતા હાય છે. તમારા ધમ એ છે કે પુણ્યના ઉદયે મળેલી સપત્તિના, મુઝાતા માનવા તેમજ તરફડતા પ્રાણીઓ માટે વિવેકપૂર્વક ઉપયાગ કરવા.
સમાનતા ભ્રમ છે
આજના સમાજવાદના કેટલાક સૂત્રધારા, ભારતની પ્રજા ઉપર પેાતાના વિચાર મુજબ સમાજવાદ લાદીને બધાને એકસરખા બનાવવાની ઘેલછા સેવી રહ્યા છે. અધાને મહારથી સમાન કરવાની વાત, એક પ્રકારના મતિભ્રમની પેદાશ છે. જે માણસા આવી વાતા કરે છે, તેઓ જો પોતાના કુંટુંબના સભ્યા વચ્ચે પ્રવતી અસમાનતાના અભ્યાસ કરશે તે પણ તેમને પાયાનું એ સત્ય સમજાઈ જશે કે, આત્મ-સમભાવ સિવાય સાચી સમાનતા કાઈ કાળે શકય ન બની શકે.
સમાનતાની વાતેા કરનારા માનવામાં જ કેટલી સમાનતા છે અને કેટલી અસમાનતા છે તેના અભ્યાસ પણ શું તમે નથી કરી શકતા? એ સમાજવાદી બિરાદરા પૈકી એક, પૈસાના બળે મુંબઇથી દિલ્હી પ્લેનમાં જાય છે, જ્યારે બીજો પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હાવાના કારણે, થર્ડ કલાસની ગી વચ્ચે મુંબઇથી દિલ્હી પહોંચે છે.
સમાજવાદી સમાજરચનાની માટી, મેાટી વાત કરનારા સ્ત્રી-પુરુષા એરકન્ડીશન્ડ અગલા અને મેટરોમાં
Page #161
--------------------------------------------------------------------------
________________
સમાજવાદનો સાચો આદશ:
૧૨૦ :
મહાલી શકે એ કયારે શકય બની શકે? જ્યારે આ દેશના બધા નાગરિકે સંપત્તિ અને સંસ્કારના શિખરે પહોંચી ચૂક્યા હોય ત્યારે, જ્યારે આજે તે પ્રજાનું માત્ર નામ આગળ કરીને એજ પ્રજાના પરસેવાના પૈસાનું પાણી કરનારા, સમાજવાદની સુફિયાણી વાતે ચલાવી રહ્યા છે.
સાચા સમાજવાદીની નજર, બીજાની અગવડ તરફ હોય, પિતાની સગવડ તરફ નહિ. બીજાની સાનુકૂળતાને ભાગ લેનાર સમાજવાદી પણ નથી અને માનવતાવાદી પણ નથી અને જે છે તે તકલાદીને તકવાદી.
માટે જ કહીએ છીએ કે સ્કૂલ સમાનતાના ભ્રમમાં ન ફસાશે. પુણ્ય-પાપના ભેદ અનુસાર સગવડના ભેદ પણ રહેવાના. વધુને વધુ સગવડને મેહ તમને સગવડના દાસ બનાવી દેશે. જરા જેટલી અગવડ પણ તમને અકળાવી મૂકશે, બીજાઓ તરફના તમારા ભાવને મલીન બનાવી દેશે. જીવન તમારું ભેગપ્રધાન મટીને, ત્યાગપ્રધાન બનશે એટલે સાચે સમાજવાદ આપોઆપ તમારા આચારમાં વણાઈ જશે.
સમાજવાદનું સત્વઃ
એક શ્રીમંતને ઘેર એક ચોર ચોરી કરવા આવ્યું. ચાલાકીથી ચોરી કરીને પાછા ફરતાં તે પકડાઈ ગયે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૧ :
સફળતાનાં સોપાન:
આ સમાચાર સાંભળતાંની સાથે એ શ્રીમંત તત્કાલ રાજા પાસે ગયા. શા માટે એ જાણે છે ?
એમ વિનવવા કે, “નામદાર, એને છોડી દે. નહિ કે કડક સજાની ભલામણ માટે. રાજાની આજ્ઞાથી ચાર છૂટો થશે. એટલે તે શ્રીમંત તેને પિતાને ઘેર લઈ ગયે. લઈ જઈને શું કર્યું તે જાણે છે? એને પહેલાં નહાવા ગરમ પાણી આપ્યું. પછી સુંદર વસ્ત્રો તેમજ કિંમતી દાગીના આપ્યા અને ભાવતું ભજન જમાડીને કહ્યું કે, “ભાઈ, ચારીના ધંધામાં તારી જાતને હવે પછી સંડવીશ નહિ.”
સાચો સમાજવાદ આમ આવે, નહિ કે બળજબ રીથી, મત કે મતાના જોરે સમાજવાદ નહિ સ્થાપી શકાય. પરંતુ સંગ્રહ તેમજ પરિગ્રહની વૃત્તિ ઉપર અંકુશ સ્થાપવાથી સમાજવાદને લાયકની હવા ઊભી કરી શકશે. સમાજકલ્યાણની ભાવના મુજબ જીવન વ્યવહાર ચલાવશે તો સાચા સમાજવાદી બની શકશે. સમાજનું ભલે ગમે તે થાય, પણ અમને અમારું કરી લેવા દે એવા તુચ્છ વિચારો સાથે જીવન જેડશે તે તમે પણ ગબડશે અને સમાજ પણ ગબડશે.
સાચે સમાજવાદી શ્રીમંત પણ હોય, પરંતુ તે પિતાને પિતાની સંપત્તિનો આગવો સ્વામી ન સમજે અને તે સંપત્તિ ઉપર પિતાના જેટલે જ સમાજને અધિકાર પણ સમજે તેમજ સ્વીકારે અને તેમાંની એક
Page #163
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાચે આદશ:
૧૨૨:
પાઈ પણ એ રીતે ન બગાડે કે જેથી સમાજને દ્રોહ થત હોય.
સ્થૂલ તેમજ સૂમ સંપત્તિની વાત્સલ્ય તેમજ વિવેકપૂર્વકની વહેંચણીમાં સાચો સમાજવાદ સમાએલે હોય છે.
તમારાં વસ્ત્રો, રાક વગેરે પરથી તમારી આર્થિક સ્થિતિનું અનુમાન કરી શકાય, જ્યારે સમાજવાદી સમાજરચનાની વાતે હાંકનારા આ દેશના આજના આગેવાનોના ઠઠારા ઉપરથી અનુમાન છે એ નીકળે છે, “ભારત, શક્તિ તેમજ સંપત્તિના શિખરે મહાલતો દેશ હે જોઈએ” જ્યારે આ દેશની આજની વાસ્તવિક સ્થિતિ શી છે તે તમે પણ જાણે છે.
પિતાની જાતને પ્રજાના નાયકપદે સ્થાપવા છતાં એ પદની જવાબદારી અને જોખમદારી નહિ સમજવા, પાળવાના કારણે આજે સમાજવાદના નામે ઠેર, ઠે૨ લુંટ મચી રહી છે. જેના હાથમાં તેની બાથમાં એ ન્યાય પ્રવર્તી રહ્યો છે. પ્રજાના પરસેવાની મુડીમાંથી એક રાતી પાઈને પણ અંગત મેજ પાછળ દુરૂપયોગ કરે તે માટે પ્રજા અપરાધ છે, એવું સમાજવાદને ઝંડો લઈને ફરનારા ભાઈ-બહેનોમાંથી કેટલા સમજે છે તે તો આજની સ્થિતિ જ સ્પષ્ટપણે સમજાવી રહી છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાન
વાત્સલ્યવાદ:
પૂર્વે શ્રીમંતેના હૈયામાં સદૂભાવ હતા, વાત્સલ્ય હતું અને ગરીબોના હૈયામાં સમર્પણને ભાવ હતે. પૂર્વે કેટયાધિપતિઓને ત્યાં ધજાઓ ફરકતી કે જેથી જરૂરી આતવાળા ગરીબે ત્યાં નિઃસંકેચપણે જઈ શકતા. આ ધજા લક્ષમીના અહંના પ્રતીકરૂપે નહેતી ફરકાવવામાં આવતી, પરંતુ આ અને લઈ જાઓ!” એવા સદૂભાવ અને ત્યાગની યથાર્થ ઘેષણરૂપે ફરકાવવામાં આવતી હતી. જ્યારે આજે તે લક્ષ્મીને તિજોરીમાં ગંધી રાખવામાં આવે છે અથવા એના વડે વિલાસ અને વિકૃતિ વધારનારા પદાર્થો ખરીદવામાં આવે છે.
તમારી મેટર આશિર્વાદરૂપ છે, પણ કયારે? અડધી રાતે જરૂરીઆતવાળાને હસતા હૈયે આપ તે! નહિતર તે શ્રાપરૂપ બની જશે. તમારી મુડી ખોટી નથી, મુડીવાદ છેટે છે. પુણ્યાઈથી પ્રાપ્ત થયેલ પૈસો બેટો નથી, પરિગ્રહવાદ છેટે છે, સંગ્રહ છેટે નથી, સંગ્રહવાદ ટે છે, સમાજવાદ તેને કહેવાય કે વહેતું કરે, પણ ભેગું ન કરો!
વહેતાં પાણી જ નિર્મળ રહે છે, જ્યારે એ જ પાણી બંધિયાર જળાશયમાં પૂરાય છે એટલે આસ્તે, આસ્તે ગંધાવા માંડે છે, તેમ વાત્સલ્યભીના હૈયે થતું દાન લક્ષ્મીને પવિત્ર કરે છે અને એવા લક્ષ્મીપતિઓની સમાજમાં ઈર્ષ્યા કરનારા પણ ખૂબ જ ઓછા નીકળે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
સમાજવાદનો સાચે આદર્શ
૧૨૪:
વાત્સલ્યવશાત તમે તમારા દીકરા દીકરી માટે શું શું નથી કરતા? અને કેટલાક તે પોતાની શક્તિ ન હોવા છતાં વાત્સલ્યને વશ થઈને પિતાના સંતાન માટે કિંમતી કપડાં તેમજ રમતગમતનાં સાધનો વસાવતા હોય છે આ વાત્સલ્યને તમારે વિકસાવવું જોઈએ. નહિતર તમારો જીવનવિકાસ અટકી જશે. તમારા પરિવારના સભ્યની માંદગી તમને ચિંતાતુર બનાવી શકે છે, જ્યારે પાડોશીની પ્રકટ પ્રતિકૂળતા તમને ભાગ્યે જ સ્પર્શે છે, આમ કેમ? તમે ઘણાના મટીને ચેડાના બનવા માગે છે? એમ કરશે તે તમે પૂરા માનવામાં પણ નહિ ખપે. અને માનવભવની બેઈજજતીનો ડાઘ તમારા કપાળે ચોંટશે.
વાદ તમારે ભલે ગમે તે હોય. પરંતુ જે તમારા દિલમાં દયા હશે, વિચારમાં વાત્સલ્ય હશે તે તમે, તમારી સંપત્તિના સદુપયોગ દ્વારા સમાજનું ઋણ ચૂકવવામાં જરૂર સફળ થશો. હેય બળવાન છતાં લંગડાતા નિર્બળને ખભે ન આપે તે તેનું બળ શા કામનું? હાય સુખી છતાં, દુઃખીના દુઃખને દૂર કરવામાં કાયરતા બનાવે છે તે સુખી કે? અંત:કરણની અમીરાતઃ
રળીઆમણે મગધ દેશ. સમ્રાટ શ્રેણિક તેના રાજવી. રાજગૃહી તેનું પાટનગર, એક વખત નેપાળના
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૨૫:
સફળતાનાં સા:
વેપારીએ કિંમતી રત્નક બલે લઈને રાજગૃહીમાં આવ્યા રત્નક ખળે! કિંમતી હતી એટલે તે વેપારીએ સારા નફાની આશાએ સીધા શ્રેણિક મહારાજા પાસે પહેાંચી ગયા.
રત્નક બળા જોઇને શ્રેણિક મહારાજા વિચારે છે, સપત્તિ આવી રીતે વાપરી નાખવી એ ડીક નહિ! સાચવીશ તા મારી પ્રજાને તે ખરા સમયે કામ આવશે. આમ વિચારીને તે એક પણ રત્નકખળ ખરીદતા નથી. વેપારીએ નિરાશ થઈને પાછા ફરે છે. તેમણે સાંભળેલી રાજગૃહની જાહોજલાલી તેમને પાકળ પ્રતીત થાય છે.
ઊભી બજારે આગળ વધી રહેલા વેપારીએ રસ્તામાં મળતા રાજગૃહીના નાગરિકાને સાંભળાવે છે કે, ' જે માલ એક રાજવી ન ખરીદી શકયા તે, તેની પ્રજા શુ ખરીદવાની હતી ? ' ઉડતી, ઉડતી આ વાત, શાલિભદ્રની માતા, ભદ્રા શેઠાણીના કાને પહોંચે છે. ભદ્રા શેઠાણી તરત પેાતાના નાકરને કબળના વેપારીઓને બહુમાન પૂર્વક ખેાલાવી લાવવા માટે બજારમાં દોડાવે છે, શેઠાણીના મનમાં એમ છે કે, જો વેપારીએ નિરાશા થઇને પાછા ફરશે, તેા દેશવિદેશમાં મગધની તેમજ મગધપતિની એઈજજતી થશે.'
C
,
નગરની લગભગ બહાર નીકળી ગએલા નેપાળના વેપારીઓને શેઠાણીને માણસ બૂમ મારીને ઊભા રાખે છે. વેપારીએ વગર મને ઊભા રહે છે. તેમના મનમાં
Page #167
--------------------------------------------------------------------------
________________
ચાલવાનો સાચો આદશ:
૧૨૬ એમ કે, “અમને ઊભા રાખીને આ બિચારો શું કરવાને હતે?' પાસે પહોંચી, વિનયપૂર્વક નમસ્કાર કરી, શેઠાણીને માણસ તે વેપારીઓને પાછા ફરવા વિનવે છે અને કહે છે કે, નિરાશ ન થશે, તમારી પાસે હશે તેટલે બધે માલ અમારાં બાઈ જરૂર ખરીદી લેશે.”
વેપારીઓ નેકરની સાથે ગોભદ્રશેઠના આવાસે આવી પહોંચે છે. ભદ્રા શેઠાણી તેમને આવકારે છે, બેસવા આસન આપે છે. અને પછી પૂછે છે કે, “ભાઈએ! તમે જે માલ લાવ્યા તે બતાવે.” આશાભર્યા હૈયે વેપારીઓ પોટકામાંથી રત્નકંબળ કાઢીને શેઠાણીને બતાવે છે. એક રત્નકંબળ ઉપર ઉડતી નજર નાખીને શેઠાણી પૂછે છે, “નંગ કુલ કેટલા છે અને એકની શી કિંમત છે?
વેપારીઓને આગેવાન કહે, “અમારી પાસે કુલ સોળ રત્નકંબળ છે અને એકની કિંમત સવાલાખ છે.” શેઠાણી કહે છે, “બત્રીસ હોત તે ઠીક રહેત, ઠીક, ચાલે સોળ તે સોળ, આપી દે અને ખજાનચી પાસેથી પૂરા વિસલાખ ગણી લો.”
શેઠાણીની શક્તિ જોઈને મગધ અને રાજગૃહી માટેનું વેપારીઓનું માન વધી ગયું. ઊભા માગે તેઓ મદ્રાશેઠાણીનાં વખાણ કરવા લાગ્યા.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૭:
સફળતાનાં સોપાન
બીજી બાજુ શેઠાણીએ સોળ રત્નકંબળાના એકસરખા બત્રીસ ટુકડા કરાવીને પોતાના પુત્ર શાલિભદ્રની બત્રીસ પત્નીઓને એકેક કરીને વહેંચી દીધા. અને તેમણે તે ટુકડાનો સ્નાન પછી શરીર લૂછવામાં ઉપયોગ કરીને ખાળકુંડીમાં નાખી દીધા. આવી હતી પૂર્વકાળની સમૃદ્ધિ! અને આવા સમૃદ્ધ હતા પૂર્વકાળના ભારતના પ્રજાજનો ! ' રાજકાજથી પરવારી શ્રેણિક રાજભવનમાં પાછે ફર્યો. તેણે મહારાણીને રત્નકંબળની વાત કરી. એકાદ તે મારા માટે ખરીદવી હતી. એ સૂર મહારાણીએ કાઢયે. રાજાએ તરત જ પિતાના સેવકોને એ રત્નકંબળાના વેપારીઓ પાછળ દેડાવ્યા. સેવકે ડીવારમાં પાછા ફર્યા અને રાજાને સમાચાર આપ્યા કે નામદાર એ રત્નકંબળો તે આપણા જ નગરની એક નારીએ ખરીદી લીધી છે. રાજાએ એક સેવકને ત્યાં દેડા. રાજાને સેવક જાણીને ભદ્રા શેઠાણીએ તેને સત્કાર કર્યો અને તે સેવક મારફત રાજાને કહેવરાવ્યું કે, જે હાત મારી પાસે તે મારે પૈસા લેવાના ન હતા. પણ લાચાર છું કે મારી પુત્રવધૂઓએ સ્નાન કરીને તે ફેંકી દીધી છે. પિતાના પ્રજાજનની અમીરીથી રાજા હરખા. જ્યાં આવા વાત્સલ્યહુદયી નાયકે હાય અને રાજ્યભક્તિ ભીના હૈયાવાળા પ્રજાજને હોય ત્યાં સમાજવાદ સિવાય બીજું શું હોય?
Page #169
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાચો આદર્શ :
૧૨૮:
- શ્રેણિકને થયું કે આવા સુખી ઘરના ગૃહસ્થને મારે મળવું જોઈએ. પોતે રાજા હોવા છતાં સામેથી મળવાનું કહેણ મોકલાવ્યું. ભદ્રા શેઠાણીએ પણ એ જ વળતે સંદેશે કહેવરાવ્ય “મારું આંગણું પાવન કરવા આપ પધારે તેનાથી રૂડું શું? આપને સત્કારતાં મને અપૂર્વ આનંદ થશે” જ્યાં અંતઃકરણની અમીરાતવાળા શ્રેણિક જેવા રાજાઓ અને ભદ્રા શેઠાણી જેવા સૌજન્યશીલ પ્રજાજને વસતા હોય તે દેશમાં વગર સમાજવાદે સમાજવાદનાં મીઠાં ફળ પાકતાં હોય તેમાં શી નવાઈ? ખરી ખુમારીઃ
પિતાના રાજવીના સત્કાર માટે ભદ્રા શેઠાણીએ શેરી વળાવીને ગુલાબજળ છંટાવ્યાં. ઠેર, ઠેર તોરણ બંધાવ્યાં, મેર સુવાસિત ધૂપ ફેલાવી દીધા. આ માર્ગે થઈને શ્રેણિક પિતાના ખાસ માણસ સાથે ગોભદ્રશેઠના મહાલયે આવી પહોંચ્યા.
આ મહાલય એમાં રહેનારા મહાનુભાવો એટલે જ ભવ્ય તેમજ આકર્ષક હતા. સ્ફટિકરત્નની ચકચકિત ફરસ પર પગ મૂકીને શ્રેણિક મહાલયમાં દાખલ થયા. આગળ ભદ્રા શેઠાણી છે, પાછળ શ્રેણિક રાજા છે, રાજા મહાલયના પ્રથમ માળે પહોંચે છે. સ્ફટિકની તેની લાદીઓ છે. સુવર્ણ રસી દિવાલોમાં જડેલા રને અજવાળાં રેલાવી રહ્યા છે. આ બધું જોઈને રાજા ખુદ આશ્ચર્ય અનુભવે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સફળતાનાં સોપાન:
છે. તે પૂછે છે, “અહીં શાલિભદ્ર કેમ જણાતા નથી? શેઠાણી કહે, “નામદાર! આ માળે તે અમારાં ઢોર બંધાય છે,” શેઠાણુને જવાબ સાંભળીને શ્રેણિક પણ ક્ષણવાર માટે ઠંડે પડી જાય છે. પહેલા માળથી ચઢીઆતે બીજે માળ છે. ત્યાંની કલા-કારીગિરી ભલભલાને ચકિત કરી દે તેવી છે. “આ માળ અમારા દાસ-દાસીઓ માટે છે.” માળમાં દાખલ થતાં જ ભદ્રા શેઠાણી ખુલાસે કરે છે રાજા અને શેઠાણી એમ આગળ વધતાં મહાલયના મનહર છઠ્ઠા માળે પહોંચે છે.
રાજવીને હાથીદાંતના હીરાજડિત આસન પર બેસવાની વિનંતી કરીને, શેઠાણી સાતમા માળે જાય છે.
ત્યાં શાલિભદ્ર પિતાની પત્નીઓ સાથે રંગરાગમાં દિવસે વિતાવે છે. દુનિયાદારીથી તે સાવ અજાણ છે. પિતાની માતાને આવકારતે શાલિભદ્ર મયૂરપંખી આસન ઉપરથી ઊભે થાય છે. માતા કહે છે, “ભાઈ! શ્રેણિક આવ્યા છે.” શાલિભદ્રને એ પણ ખબર નથી કે શ્રેણિક કેણ! એટલે તે પોતાની માતાના કહે છે કે, “જે આવ્યું હોય તે ખરીદી લે.”
આ શાલિભદ્રને ત્યાં રોજની ૯, ૯ પેટીઓ દે લેકમાંથી આવતી એ પેટીઓમાં રત્નાલંકાર આવતા એટલે તે કાળે ઋદ્ધિમાં શાલિભદ્રને ટપી જાય એવું કેઈ ન હતું. શાલિભદ્રને જવાબ સાંભળીને માતા કહે છે, “ભાઈ! શ્રેણિક એ કઈ કરી આપ્યું નથી કે તેને હું
Page #171
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાચા આદર્શ
૧૩૦:
ખરીદી લઉં, એ તે આપણા સ્વામી છે. મારા પણ ખરા અને તારા પણ ખરા.”
પિતાની માતાને જવાબ સાંભળીને દોમદોમ સાહ્યબી વચ્ચે મહાલતે શાલિભદ્ર એકદમ ઊંડે ઉતરી જાય છે. તે વિચારે છે કે મારા માથે સ્વામીજરૂર મારા પુણ્યની ખામી નહિતર વળી મારા માથે માલીક હોય! આવી હીણપતભરી હાલત વચ્ચે આ સાહ્યબી શા કામની? સ્ત્રી પરિવારને પણ શું કરવાને? તત્વલક્ષી આ ચિંતનના પ્રભાવે તેને આત્મા જાગી જાય છે. બધું છોડી દઈને તે સર્વત્યાગના મંગલમ પ્રસ્થાન કરે છે. રાજા પણ તેને નમી પડે છે.
ખુમારી તે આનું નામ, કે જે એક પળવાર માટે પણ અપૂર્ણતાને માર સાંખવા તૈયાર ન હોય. જ્યારે આજે તે દાંત પડી ગયા હોય તે પણ પાપડ ખાવાને મેહ તમે માંડ ત્યજી શકે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રજામાં ભેગને રેગ ઘર કરવા માંડે છે તે સમાજવાદના સિદ્ધાન્તોને પાળવા જેટલી પાત્રતા જાળવી નથી શક્તી અને જ્યાં શ્રેણિક પ્રકૃતિના રાજાઓ કે નાયકે નથી હોતા તે દેશમાં આ દર્શવાદના અંચળા તળે નર્યો દંભ પોષાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૧ :
સાચા સમાજવાદ
સમાજવાદની વાતા કરનારા શ્રીમતાને અમે કહીએ છીએ કે, આ વાત તમને શે।ભતી નથી. છાજતી નથી; કારણ કે ગરીમાની હાલતની કેઇ ગતાગમ તમને નથી. ગતાગમ નથી એટલુ` જ નહિ; પરંતુ તત્સંબંધી વિચાર માટે તમે તમારા મેાજશે!ખ વચ્ચે તૈયાર હૈ। તેમ પણ અમને જણાતુ નથી. પરંતુ જમાનાની ફેશના પૈકીની એક ફ્રેશનરૂપે તમે તમને સમાજવાદી કહેવડાવવાના દંભ સેવા છે.
સફળતાનાં સાપાન
આ ભારતદેશમાં હડહડતા જે સ્વાર્થવાદ કૂદકે ને ભૂસકે વકરતા જાય છે, તેને નાથવા માટે તમે કટિદ્ધ નહિ બના, એકમેકને મદદરૂપ થવાની વૃત્તિ નહિ કેળવા, ચારી કરતાંય બદતર ભેળસેળના અધમ ધંધા નાબૂદ નહિ થાય, નામ, પ્રજાહિતનું કે સેવાનું ને તેના નામે સત્તા સર કરી પેાતાના પેટ પટારા ને પરિવારને જ ભરવાની વૃત્તિવાળા દંભીઓને ખરા સ્વરૂપમાં એળખી નહિ શકે, વધતા જતા કાયદાના કારણે ફાલતી જતી લાંચ લેવા આપવાની બદીને અદ્દી જ સમજીને તેના ભાગ નહિ અનવાની શક્તિ તમે નહિ ખીલવી શકે, ત્યાં સુધી મેઢાની માત્ર સારી વાતાથી, નહિ તમારૂં ભલું થાય છે નહિ ગરીબ પ્રજાજનાનું હિત સધાય.
સાચે! સમાજવાદી સ`કુચિત હૈાય કે ઉદાર ? જે વિશ્વવાદી ન હેાય તે સમાજવાદી કહેવાય ? સમાજવાદીને
Page #173
--------------------------------------------------------------------------
________________
સમાજવાદનો સાચો આદર્શ:
૧૩૨ :
પ્રાંતવાદ સાથે કેઈ નિસ્બત હોય ખરી? ભાષાવાદની ભૂતાવળમાં તે ફસાય ખરો? રાગ અને દ્રષષિક વિચારે વચ્ચે તે પોતાની જાતને ગોઠવી શકે ખરો ? પિતે સ્વયં કુરણાથી સ્વીકારેલા વાદની જ મર્યાદામાં આવી જતા માનવોની કરૂણાજનક હાલત વચ્ચે તેને અંગત સુખચેનના ચાળા સૂઝે ખરા?
સાચા સમાજવાદમાં નખ-શિખ ન્યાય પ્રવર્તતે હોય છે. કેઈ માનવ યા પ્રાણુને અન્યાય પહોંચાડીને સુખી થવાનો માર્ગ સમાજવાદમાં હેતે નથી. સમાજવાદ એ બુદ્ધિના કારખાનાનું રમકડું નથી, પરંતુ અંતઃકરણની વ્યાપકતાનું પ્રકટ સ્વરૂપ છે આજની રીતને કેવળ શુષ્ક તર્ક સંકુચિતતા ને નાસ્તિકવાદના પરિણામરૂપ સમાજવાદ ખતરનાક છે. તેના અમલથી સમાજનું શ્રેય તો નહિ સધાય, પરંતુ પતન અવશ્ય થશે. જે તમે છેલ્લા વીસ વર્ષમાં સારી રીતે અનુભવી ચૂકયા છે.
એટલે કહીએ છીએ કે, ઉપકારી અનંતજ્ઞાની ભગવંતે એ પ્રરૂપેલા સર્વકલ્યાણના માર્ગ ઉપર ચાલતાં શિખો! બીજાનું લુંટી લેવાની આસુરી વૃત્તિ છેડી દે ! પશુ-પંખી તેમજ જળના જેને તમારા વાદમાં સમાવી લે! એમનું હિત નહિ વિચારો ત્યાં સુધી તમારું ભલું નહિ થાય. સમાજ એકલા માનવોનો જ છે કે માનવ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૩:
સફળતાનાં સેાપાન
પૂરતા જ છે એવું કદી ન માનશેા. તમે સહુ ન્યાયપૂર્ણ જીવનના હક્કદાર છે. તેમ એ જીવા પણ છે, એમના તે હક્ક છીનવીને તમે દુ:ખી થશે.
સાચુ' સાનુ` કસોટીમાં એર ચમકે તેમ સાચા સમાજવાદી, સમાજ જ્યારે મુશ્કેલીમાં હૈાય ત્યારે અનેરૂં ખમીર દાખવે, એ મુશ્કેલીને મહાત કરવાના કામમાં તે રાત દિવસ પણ ન જુએ. કારણ કે સમજાએલા સાચા સમાજવાદની અસરના પ્રભાવે સમાજની મુશ્કેલીને તે પોતાની જ મુશ્કેલી સમજતા હૈાય છે. સુખમાં સમાજના અ ધનથી ન્યારા બની જનારા અને દુઃખમાં એજ સમાજને ભાંડનારા, સમાજવાદી તે। નથી જ પરંતુ સમજવાદી પણ નથી.
સમાજવાદી સમાજરચનાના ઝંડાધારીએ કેડીલેક અને ઇમ્પાલામાં ક્રૂર અને જેમના માટે સમાજવાદી સમાજરચનાની વાતા થતી હૈાય તે સ્ત્રી-પુરુષાને પહેરવા પગરખાં પણ ન હેાય એ કેવા સમાજવાદ ? ઘરના વડીલ, ઘરના સંચાગેા મુજબ વર્તે છે, જો સયાગ નબળા હાય તેા નવુ' કાપડ ન ખરીદતાં ફાટેલાં વસ્ત્રાને થીગડા મારીને પણ તે ચલાવી લે છે, જ્યારે સમાજવાદની વાર્તા કરનારા આગેવાનોનું આજનુ વર્તન જોનારને તે એમ જ થાય કે, આ દેશમાં આજે પણુ પૂર્વકાળના માર્ક દૂધ-ઘીની નદ્રીએ વહી રહી હેાવી જોઈએ. જ્યારે વાસ્તવમાં અહીં આજે ચાખ્ખાં દૂધ-ઘીને બદલે હવા
Page #175
--------------------------------------------------------------------------
________________
સમાજવાદના સાચા આદર્શ :
૧૩૪:
અને પાણી પણ મેાંધા બનતા જાય છે અને તેમ છતાં પ્રજાના હિતરક્ષકા હેાવાના દાવા કરનારા તમારા રાજ્યકીય આગેવાનાને તેની લવલેશ ચિંતા નથી.
આવા સ્વાર્થ વાદન સમાજવાદમાં ખપાવવા તે પિત્તળને સેાનામાં ખપાવવા બરાબર છે. સ્વાના સગા ખરા અર્થાંમાં કોઇના પણ સગેા હતેા નથી, તેમ આવા સ્વાર્થવાદીએ પણ પેાતાના સ્વાર્થ સિવાય સગા દીકરાને પણ સત્કારતા નથી.
સાચા સમાજવાદ જીવનની સચ્ચાઈમાંથી જન્મે છે. દિલની દયામાંથી જન્મે છે, સદ્દભાવના દાનમાંથી જન્મે છે, જીવ માત્ર પ્રત્યેની આત્મીયતામાંથી જન્મે છે. મેઘરથ રાજાએ પાવા માટે પ્રાણ આપ્યા તે સમાજવાદ. મેતારજ મુનિવરે ક્રૌચપક્ષી માટે પ્રાણ આપ્યા તે સમાજવાદ. પરથી પેાતાને સથા ભિન્ન માનીને વશે ત્યાં સુધી સાચા સમાજવાદ નહિ સ્થાપી શકે, પરંતુ સમાજવાદને દૂર હડસેલી મૂકનારા પુરસ્કર્તા અની જશે.
અલગતાવાદના
મકનવતાનુ ઝરણું :
આજે આ દેશમાં અનેક પ્રકારના ચાર વધતા જાય છે. કાઈ કરચાર તેા કાઈ કામચાર, કાઇ ઈમાનચાર તેા કાઇ ધનચાર, જ્યારે પૂ કાળમાં આ દેશના ગરીબને પણ પ્રામાણિક્તા પ્રાણપ્યારી લાગતી. પ્રામાણિક્તા
Page #176
--------------------------------------------------------------------------
________________
૩૫:
સફળતાનાં સાપાન :
વેચીને પેટ સરવાનું પાપ કરવા જેટલી હામ પણ
ભાગ્યે જ કોઇ ભીડતુ,
એવા એક પ્રામાણિક આદમીની
વાત આવે છે.
તે આદમી છે સાવ ગરીબ, અનાજના પણ વાંધા છે. તેમ છતાં સતાષથી ભાડાના એક નાના ઘરમાં દિવસે ગુજારે છે. શુભ સંચાગના યેાગે તેજ ઘરમાંથી સેાનાને ચરૂ નીકળે છે. તે દોડતા તે ઘરના માલીક પાસે જાય છે. અને કહે છે કે, તમારા ઘરમાંથી સેાનાના ચરૂ નીકળ્યે છે તે આપ લઇ જાએ.' યાદ રાખો ! જેના ઘરમાં આવતી કાલનું અનાજ પણ નથી એવા મહાનુભાવના આ ઉદ્ગારા છે. મકાન માલીકે એ મહાનુભાવને શે જવાબ આપ્યા તે જાણેા છે? એ કહે છે કે, ભાઈ’ એ ચરૂ તારા પુણ્યના છે માટે તુ જ રાખી લે. જો એ મારા પુણ્યને હાત તા તને ઘર ભાડે આપ્યુ તે અગાઉ જ નીકળ્યે હાત.’
જ્યાં આવા ન્યાય—નીતિપરાયણ માનવ વસે છે ત્યાં સદાય સમાજવાદ છે, સમાજવાદની સુખ-શાન્તિ અને આખાદી છે. અને વાતે સમાજવાદની કરનારા પણુ સાચી સમજના ઘરની બહાર રખડનારા દેખાવે રૂપાળા ઘણા માણસે થકી પણ સમાજ કઢીએ સુખી નથી બનવાને.
મકાન-માલીક તે આદમીને ચરૂ લેવાનો આગ્રહ કરે છે, તે મકાન-માલીકને ચરૂના ખરા માલીક માને છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાચે આદર્શ
અહીં આજે તમારે ત્યાં લેવા માટે પડાપડી થતી હોય છે, મારામારી પણ થાય છે. જ્યારે મકાન-માલીક અને સજજન વચ્ચે આપવા માટેની સાત્વિક રકઝક શરૂ થાય છે છેવટે જયસિંહ રાજા ન્યાય કરે છે. અને બંને શાન્ત થાય છે.
લાવોને આજે આવા દાખલા! જો કે હજી માનવતા સાવ પરવારી ચૂકી નથી એટલે વિશાળ આ દેશના ખૂણેખાંચરે આજે પણ આવા માનવતાનાં ઝરણાં મેજુદ તો હશે જ પરંતુ જે અમે તમારી આગળ આવા પ્રકારના દાખલા રજુ કરવાને બદલે સતતપણે માનવીની નબળી બાજુ જ રજુ કરતા રહીએ તે સાચા માનવ બનવાની પ્રેરણા તમે ન ઝીલી શકે.
સાચા સમાજવાદરૂપી વડલાને માફકસરની સદ્ભાવરૂપી હવા અને સત્કર્મરૂપી જળ, જે આ દેશમાં ભારતીય સંસ્કૃતિમાંની પિતાની અચળ નિષ્ઠાને કારણે પૂર્વકાળના સ્ત્રી-પુરુષ વહાવી શકતા હતા તે આ દેશને
જ્યારથી યુરોપ-અમેરિકાના વિચારેની ઝેરી હવા લાગુ પાડવામાં આવી છે ત્યારથી તમે સહુ સમાજવાદની વાતો કરનારા પણ જીવન અને કાર્યમાં અસમાજવાદીપણું જ દાખવી રહ્યા છે. સમાજોત્કર્ષ
સમાજ ઊંચે ક્યારે આવે? જયારે તમારી સંપત્તિની તમે બધા આપત્તિગ્રસ્ત માન માટે ઉપયોગ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૭:
સકળતાનાં સાપાવ
કરવા માંડે. માત્ર ભાગ પાછળ જ સંપત્તિને વહાવી દેવી તે સંસ્કારિતાનુ' લક્ષણ નથી. દુઃખીનાં દુઃખ દૂર કરવામાં તમારી સપત્તિને સાર્થક કરવાની વૃત્તિ તમારા જીવનમાં જાગશે એટલે સમાજ ઊંચા આવશે. દેશની સુરત બદલાઇ જશે.
જેને પેાતાના સમાજની ચિંતા નથી તે સાચા સમાજવાદી નથી. સમાજની સ્થિતિનેા ખ્યાલ રાખ્યા સિવાય, યથેચ્છપણે લક્ષ્મીના દુર્વ્યય કરવામાં ડહાપણ નથી. ધન મેળવે ન્યાય—નીતિપૂર્વક તેમજ વાપરે પશુ ન્યાયનીતિના માગે તે સાચા સમાજવાદી કહેવાય. એવું ધન ખળતા છેાડને પાણીની જેમ સમાજને નવજીવન ખશ્ને છે. સમાજના ઉત્કર્ષ માં અગત્યના ભાગ ભજવે છે. પેાતાના સમા જની તત્કાલીન સ્થિતિને લક્ષ્યમાં રાખીને, જીવન વ્યવહાર સાચવવાને બદલે ઉડાઉપણું વવું તે સમાજદ્રોહ છે. સમાજના પાતા ઉપરના નિત્યના ઉપકારનું ઋણ ચૂકવવાની ભાવના જો તમે નહિ કેળવા તેા કૃતઘ્રી ઠરશેા
સમાજરૂપી શરીરના નખળા અંગેાને પુષ્ટ કરવાની, શક્તિસ`પન્ન માનવાની જવાબદારી છે. એ જવાબદારીના પાલન માટે આજે તમે કેટલા પ્રમાણમાં સજાગ છે? સક્રિય છે ? તેનેા તમારે વિચાર કરવા જ જોઈએ હાથ-પગ દોરડી જેવા હાય ને પેટ ગાગર જેવું હાય તેા શરીર શૈાલતું નથી, તેમ સમાજના સભ્યા અન્નવસ્ત્રની તીવ્ર અછત વચ્ચે અકળાતા હૈાય ત્યારે પેાતાની
Page #179
--------------------------------------------------------------------------
________________
સમાજવાદના સાચા આદ
૧૩૮ :
શ્રીમંતાઈનુ ં પ્રદર્શન કરનારા માનવી તે સમાજની શેલામાં વધારા કરવાને બદલે ન્યૂનતા આણે છે એ તમે ન ભૂલશે. હિતકર ઔષધ
એક શ્રીમ'તને સ્વપ્ત આવે છે. સ્વપ્રમાં તે લક્ષ્મીદેવીને પેાતાની સામે ઊભેલાં જુએ છે. તે લક્ષ્મીદેવીને આગમનનુ કારણ પૂછે છે એટલે લક્ષ્મીદેવી કહે છે કે, હું તને એ કહેવા માટે આવી છું કે આજથી આઠ દિવસ પછી હું તારે ત્યાંથી વિદાય લેવાની છું.
સ્વપ્નની આ વાત, શેઠે બીજા દિવસે પેાતાના દીકરાની વહુને કહે છે. તમને થશે કે ઘરના બીજા માણસાને છેડીને શેઠે શા માટે પેાતાના દીકરાની વહુને જ વાત કરી હશે? તેા એટલા માટે એ ખાઈ, ગુણિયલ તેમજ ચતુર હતી. આમાંથી બેધ એ તારવવાના છે કે, વયમાં તમારાથી નાના હાય છતાં ગુણમાં મોટા હોય એવા માનવી પાસેથી હિતકર માગ દન મેળવવામાં તમારું મુદ્દલ સ કોચ રાખવા જોઈએ નહિ
પેાતાના સસરાની વાત સાંભળીને ચતુર વહુ કહે છે, તે જવાની જ છે, તે તે ચાલી જાય તે પહેલાં જ આપણે તેને સન્માર્ગે વ્યય કરી દેવા જોઈએ 'શેઠ પેાતે પેાતાના દીકરાની વહુની અહિતકર સલાહ, ગુણકારી ઔષધની જેમ ગ્રહણ કરે છે, જ્યારે તમે હે। તેા એસા હવે ડહાપણ કાંઈ કરવુ' નથી અમને મરોને
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સફળતાનાં સોપાન
સલાહ આપનારાં તમે કેશુ?” એવું, એવું ઘણું જ કહી નાખે પણ એ અહંકાર સારે નહિ.
આવતી કાલની લવલેશ ચિંતા સિવાય, શેઠ પિતાના દીકરાની વહુની સલાહ પ્રમાણે પિતાની લક્ષ્મીને ઉદાર દિલે સદ્વ્યય કરવા માંડે છે, પરંતુ આઠ દિવસ પછી અમારું શું થશે એ વિચાર તેમના મનમાં પણ નહોતો,
જ્યારે આજના શ્રીમંતને જે કઈ જ્યોતિષી આવી વાત કરી દે તો એ ગાંડપણને ભોગ ન થઈ પડે કે? જ્યારે આ શ્રીમંત સમ્યક્ પ્રકારની સમજના ઘરમાં રહેતા હતા અને સમજતા હતા કે લક્ષ્મી એ સદાકાળ માટે ટકનારી વસ્તુ નથી.
આવી સમજમાંથી સમાજવાદ જન્મે છે જ્યાં આવી સમજ નથી ત્યાં સ્વાર્થવાદ જ છે. આવી સમજ, સમાજમાં જન્માવવા માટે, ધર્મગુરુઓને સાચા ભાવથી સન્માનતાં શિખો! નિડરપણે તત્ત્વની પ્રરૂપણ કરનારા, કંચન-કામિનીના ત્યાગી ધર્મગુરુઓની નિશ્રામાં તમને સાચા જીવનને અનુભવ થશે, તેમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી તમે પણ સુખી થશે અને દુઃખીજનેના દુઃખમાં જરૂર ઘટાડો થશે. પણ આજે ધર્મગુરુઓની પરવા જ ક્યાં છે? સાચા સમાજવાદ માટે:
આજે ભારતમાંથી એકતાળીસ અબજના સેનાની ચોરી થઈ છે. તેને પત્તો નથી. પણ સાચા ધર્મગુરુને
Page #181
--------------------------------------------------------------------------
________________
મામાદના સારા આદશ :
૧૪૦:
અપનાવા તા તમારા એકતાળીસ તેા શું એકસઠ અબજને પણ પત્તો તમે મેળવી શકશે.
પેલા શેઠે બધી જ લક્ષ્મી દાનમાં વહાવી દીધી એટલે લક્ષ્મીદેવી ફી આવે છે. કહે છે કે કેમ શેઠ ! જાગે છે કે નહિ?' શેઠ કહે, જાગુ' '.' દેવી કહે, ‘હવે હું નહિ જાઉ*? ' શેઠ કહે ‘કેમ' તેા તમે ભાવપૂ વકના દાનધર્મ દ્વારા પાપને પાછું ઠેલી દીધું એટલે. હવે હું તમારે ત્યાં તમારી દાસી થઇને આવી છું.
જો લક્ષ્મીને તમારી દાસી બનાવવી હેાય તે તેને દાન વાટે વહી જવા દો! પણ એ દાન પાછળ, તમારા ભાવ અધિક મેળવવાના નહિ; પરંતુ લક્ષ્મીની સાક્તાના હાવા જોઇએ. સમાજનુ‘ ઋણ અદા કરવાના હોવા જોઈએ. લક્ષ્મીને જો પૂજ્ય પદાર્થ માનવાની ભૂલ કરશે તે તમે કયારે ચ ત્યાગી ગુરુએની પૂજા ભાવથી નહિં કરી શકે। અને એ પણ લખી રાખેા કે ધનને પૂજનારા સમાજ, ધર્મની આરાધના નહિ જ કરી શકે
સાચા સમાજવાદ માટે ધનપૂજા જરૂરી નથી, પરંતુ સમાજના કલ્યાણ માટે પેાતાના ધનને સાર્થક કરતા ધનના ત્યાગી મહાનુભાવાની પૂજા જરૂરી છે. આવા મહાનુભાવામાં પ્રથમ હરોળમાં સર્વ શ્રેયસ્કર ધર્મના સાધક ગુરુ મહારાજાએ જ આવે છે. તેમના શ્વાસેાચ્છવાસમાં બધાના કલ્યાણની ભાવનાની સુવાસ હોય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૧
સફળતાનાં સોપાના હાડોહાડ વ્યાપેલી હેય સત્તાની ભૂખ અને છતાં પિતાને કહેવડાવે સમાજવાદી એને શો અર્થ? સત્તાને મેહ છેડનારા જ સમાજવાદને માફકસર વાતાવરણ જન્માવતા હોય છે, જ્યારે બિચારા સત્તાલુપ માનવે તે સત્તા માટે જરૂરી મત મેળવવા માટે કાળાં ધોળાં કરતાં અચકાતા નથી એટલું જ નહિ, પરંતુ તે દુષ્કૃત્યને પણ સમાજવાદના અંગ તરીકે લેખે છે!
સાચા ધર્મગુરુઓની છાયામાં રહીને આ દેશના રાજવીઓએ પણ કેવી આત્મજાગૃતિ કેળવેલી તે આ દષ્ટાંતથી સ્પષ્ટ થશે
પ્રજાવત્સલ રાજા-રાણી રાજપ્રાસાદમાં બેઠાં છે. એવામાં રાણીની નજર, રાજાના માથા તરફ જાય છે. એ માથા ઉપરના કાળા વાળમાં એક સફેદ વાળ જોઈને તે એકાએક બોલી ઉઠે છે, “સ્વામી! દૂત આવ્યે.” રાજા પૂછે છે ક્યાં છે?' જવાબમાં રાણી, રાજાના માથા ઉપરનો સફેદ વાળ સાચવીને ખેંચી લઈને રાજાના હાથમાં મૂકે છે, વાળ જોઈને રાજા, સાપ કાંચળી ઉતારે તેમ બધી માયા મનમાંથી કાઢી નાખીને ચાલી નીકળે છે. તેમને નથી નડતી સત્તાની ભૂખ કે નથી પજવતી સંપત્તિની લાલસા. આ આપણી સંસ્કૃતિ છે. ભેગની નહિ, ત્યાગની
સગી માતા જેવી આ સંસ્કૃતિને છોડીને, આયા જેવી પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાથી તમે અહીં
Page #183
--------------------------------------------------------------------------
________________
સમાજવાદના સાચા આદશ :
૧૪૧ઃ
સમાજવાદ તા નહિ વિકસાવી શકે પરંતુ તમારે સ્વા વાદ વધુ વકરશે અને તમે સતત ભયપૂર્ણ જીવનમાં ભેરવાઈ જશે
સમાજવાદ માટે, સાચા ધર્મગુરુએની સેવા તમારા માટે જરૂરી જ નહિ, બલ્કે અનિવાય છે. પદ, પૈસા અને પ્રતિષ્ઠા ભૂખ્યા માનવેા તમને સમાજવાદ નહિ જ શિખવાડી શકે, બાવળ બિચારા એની પાસે હાય તેજ તમને આપે ને! ત્યાં તમે કેરી માગેા તેના શે। અથ ? કેરી માટે તે તમારે આંબાની છાયામાં જવુ જોઇએ ને? તેજ રીતે સાચા સમાજવાદી જીવનના શિક્ષણ માટે તમારે સાચા ધર્મ ગુરુઓની નિશ્રા, ભાવપૂર્વક સ્વીકારવી જોઇએ. શક્તિની સાર્થકતા
સાચા સાધુપણાના ખધારણીય જીવનને, ખંધારણીય રીતે વરેલા જૈનસાધુને સત્તા નથી જોઈતી, સપત્તિ પણ નથી જોઈતી. એ તે ત્રણ જગતના સર્વ જીવાના કલ્યાણુની સાચી ભાવનાવાળા હાય છે. જે સત્યની સચાટ પ્રતીતિ તેમને જોનાર, વિવેકીને તત્કાલ થતી હાય છે.
તેમનું તમને કહેવું છે કે, તમારી પાસે હોય તે શક્તિને સદ્ભાવપૂર્વક સહુના હિતમાં સાર્થક કરી ! નહિતર તે પડતર પાણીની જેમ ગધાઈ ઉઠશે અને તમારા જીવનને ગંદા વિચારાનુ ઘર બનાવી દેશે. તમારી પાસે ધનની શક્તિ હાય તા નિધનની મદદે દોડી જાઓ!
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૩
સફળતાનાં પાન: તનની અધિક શક્તિ હોય તે માંદાની માવજતમાં તેને સાર્થક કરો! વચનની શક્તિ વડે ગુણની પ્રશંસા કરીને, સમાજમાં પવિત્ર હવા પેદા કરે! મનના ધનને સહુના કલ્યાણની ભાવના ભાવવામાં સદુપયોગ કરે !
મહાપુણ્યના ઉદયે મળેલા માનવભવની પ્રત્યેક ક્ષણ અણમોલ છે. તેને સદુપયોગ કરે તે તમારા હાથની વાત છે. તમારા જ જીવનને જે તમે મહિને વશ થઈને જેમ તેમ વેડફી નાખશે તે સમાજ માટે તમે શું કરી શકવાના છે? જીવનની પવિત્ર શક્તિને એક કણ પણ વેડફાય નહિ અને તેને સ્વ પરના હિતમાં યથાર્થ ઉપગ થતું રહે એવી જે જીવન-વ્યવસ્થા, પૂર્વના મહાસંતો અહીં સ્થાપી ગયા છે તેમાં તમને પૂરેપૂરી નિષ્ઠા હેવી જ જોઈએ. તમે એક વૈજ્ઞાનિક યા રાજપુરુષની ઉટપટાંગ વાત માનવા તૈયાર થઈ જાઓ છે અને વિશ્વકલ્યાણુકર ધર્મને વરેલા પરોપકારી મહાસંતની વાત માનતાં અચકાઓ છે તેનું કારણ શું ? - આત્મનિરીક્ષણ કરશે તે તમને સ્પષ્ટપણે પ્રતીત થશે કે સાચા જીવનની ભૂખ નહિ ઉઘડી હોવાને કારણે, તમે સાચા નિર્વિકારી જીવનની મહાસંતની હિતકર વાણું ઝીલી શકતા નથી અને આજની રીતના જીવનને મઠાર નારા વાણીના પ્રવાહમાં તણુતા જાઓ છે.
પુણ્યના પ્રભાવે મળેલી સર્વ પ્રકારની શક્તિને પાત્રમાં સદુપયોગ કર્યા સિવાય જ તેને પોતાની જાતને
Page #185
--------------------------------------------------------------------------
________________
સમાજવાદને સાથે આદર્શ માટે ઉપયોગ કરવાની વાત, ભારતીય સંસ્કૃતિને મુદ્દલ માન્ય નથી. પૂરતા પાણીના અભાવે ઊભે પાક સૂકાય છે, તેમ શક્તિના વિવેકપૂર્વકના દાનપ્રવાહ સિવાય, સમાજરૂપી ખેતર સૂકાવા માંડે છે.
જે સંપત્તિ કે મિત પિતાને કે બીજાને પરમાથના કે સુપાત્ર દાનના સાચા કામમાં ન આવે તે નિરર્થક છે સમાજવાદ કહે છે કે, બળવાન હો તે નિર્બળને આસરે આપ, એની ઢાલ બને! જ્યારે આજે તે ગાય, ઘેટાં, બકરાં, વાંદરા વગેરેને મારવા માટે પિતાની શક્તિને ભયંકર દુરૂપયેગ, પિતાને સમાજવાદના પક્ષકાર માનતા, માન, કરી રહ્યા છે. એ સમાજવાદ એ સાચે સમાજવાદ જ નથી. કે જે કેવળ માને પૂરતો મર્યાદિત હોય, જેમાં સહુના કલ્યાણ માટે સંપૂર્ણ જોગવાઈ પણ ન હોય એવા સમાજવાદને અનુસરવાથી તમે સાચા માનવ તે નહિ જ બની શકે; પરંતુ તમારા જીવનમાં માનવતાના જે અંશે હશે તે પણ આસ્તે આસ્તે નાબૂદ થઈ જશે. અને તમે પણ આજના સમાજવાદીઓની માફક એક દિવસ બેલતા થઈ જશે કે, “માનવીને જીવાડવા માટે પશુઓને મારવા એમાં કઈ હિંસા નથી.”
પિતાના જીવનને ટકાવવાના મેહમાં બીજાનું જીવન લૂંટનારા સમાજવાદી ન કહેવાય, પરંતુ ભયાનક લૂંટારા કહેવાય, જે તમે એમની વાતમાં આવશે તે દુઃખી-દુઃખી થઈ જશે. તમારું જ જીવન તમને ભારરૂપ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૫?
-
' સફળતાનાં સોપાન
લાગશે, કંટાળો તમારે કેડે નહિ છોડે અને તમે કૂતરા કાગડા કરતાં બદતર મૃત્યુના મહેમાન બની જશે.
ત્યાગે સે આગે? | ત્યાગ છે સમાજવાદનો માપદંડ સાચો ત્યાગી છે પહેલા નંબરનો સમાજવાદી. જે સમાજ પાસેથી લે ઓછામાં ઓછું અને સમાજને આપે વધુમાં વધુ તે સાચે સમાજવાદી, અહીં સમાજ એટલે “વિશ્વ એ અર્થ સમજવાનું છે.
આપણી સંસ્કૃતિ ત્યાગને બિરદાવે છે, ભોગને નહિ. તમે કેવાં, કેવાં સુખ ભેગવ્યાં તેનું અમારે મન કોઈ મહત્વ નથી, પરંતુ બીજાના સુખ માટે કે પરમાર્થિક કલ્યાણ કાજે તમે તમારા સ્વાર્થ, સંપત્તિ અને સુખને કેટલા પ્રમાણમાં જતાં કર્યા તેનું મહત્ત્વ છે. પોતાના સ્વાર્થને વિચાર તો કીડીને પણ હોય છે અને કીડાને પણ હોય છે. સાથે સમાજવાદી તે વિશ્વકુટુંબની ભાવનામાં રાચે છે.
પોતાના હજારો પ્રજાજનોના નમસ્કાર ઝીલનારા અહીંના રાજવીઓ પણ ત્યાગી મહાત્માઓને નમતા હતા તે તે તમે જાણો છે ને? રણમેદાનમાં શત્રુ સામે ઝઝતા સિનિકના શૌર્ય કરતાં પણ અધિક શૌર્ય હોય છે ત્યારે પોતાના સુખ-સ્વાર્થ, સત્તા, સંપત્તિ વિગેરેને ત્યાગ થઈ શકે છે, એ તેઓ સારી રીતે જાણતા હતા
Page #187
--------------------------------------------------------------------------
________________
સમાજવાદનો સાચે આદ:
૧૪૬
અને તે કારણસર પોતાનાથી ચઢીઆતા ગુણવાળા મહાત્મા એને તેઓ નમતા હતા.
- ત્યાગી મહાત્માઓ તરફને તમારે પૂજ્યભાવ ઓસરતા જાય છે તે તમે જાણે છે? જો એ પૂજ્યભાવ એસન હોત તે તે મહાત્માઓ જે ધન-માલ મિલ્કતને ત્યાજ્ય સમજીને ત્યજી દે છે, તેના જ માટે તમે અપ્રામાણિક બનવાની હદ સુધીનું પતન વહેરવા તત્પર ન જ બન્યા હતા. જડના આ રાગે તમારા જીવનમાં જડતા વધારી છે, અન્ય કાજે ઘસાઈ છૂટવારૂપ તમારી જાગૃતિને કુંઠિત કરી નાખી છે નહિતર અમને નમનારા તમે, અમે જેને અડતા પણ નથી એ નાણાં માટે ન્યાયને માર્ગ છેડીને અન્યાયના માર્ગે જાઓ ખરા ?
પરંતુ યાદ રાખો કે ત્યાગને પાછળ રાખીને તમે કદીયે આગળ નહિ વધી શકે, સમાજનું ભલું નહિ કરી શકે, અન્યના હિતમાં કશે જ ફળે નેંધાવી નહિં શકે. એક સામાન્ય વ્યવહાર છે કે, જે ત્યાગે તેજ આગે (આગળ) છે. સમજપૂર્વકને તમારે ત્યાગ તમારા જીવનને પવિત્ર બનાવશે, સમાજને વધુ બળવાન બનાવશે. ખરેખર ત્યાગ એ અમૃત છે. અને રાગ એ હળાહળ ઝેર છે.
આ દેશમાં તે યુગયુગથી સમાજવાદ ચાલ્યો આવે છે. ભરત બાહુબલી બે ભાઈ. એકજ પિતાના પુત્ર એ બે ભાઈ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધમાં મોટા ભાઈ ભરત
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૭:
સફળતાનાં સાપાન :
હારી જાય છે. એટલે તેઓ ગુસ્સે થઈને નાના ભાઈ ખાહુબલી ઉપર ચક્ર છેડે છે. ભરતે નીતિ ઉલ્લધી તેનાથી બાહુબલી ખૂબજ રાષે ભરાય છે. અને ભરતને લાંચચાટતા કરી નાખવા માટે તેમના ઉપર મુઠી ઉગામે છે. મુઠી ઉગામવા માટે તેમણે હાથ પણ ઊંચા કરી નાખ્યા છે અને તે હાથ પોતાના ભાઈ તરફ વાળવા જાય છે. ત્યાં તેમને વિચાર આવે છે કે, મારી આ એકજ મુઠીથી મારા ભાઈ ખલાસ થઈ જશે. એટલે એવું મ...હત્યાનું મહાપાપ ! મારાથી ન જ થાય વળી પાછા તેઓ વિચારે છે; તે શુ' મે', ઉગામેલી આ મુઠી ખાલી જશે. ના, ના એ તે ન જ ખની શકે. શૂરવીરના ઘા ખાલી જાય તેા એની જણનારી લાજે.' અને ભાઈને મારવા માટે ઉગામેલી તેજ મુઠી વડે તેએ પંચમુષ્ઠિ લેચ કરી નાખે છે. આ છે આપણા સમાજવાદ
જયારે આજે તે સમાજવાદના મનાતા પુરસ્કર્તાએ પેાતે જ સામસામા આક્ષેપેા કરે છે, એકબીજાને હલકા પાડનારાં નિવેદન કરે છે. પેાતાની નબળાઈને છાવરવા માટે સમાજમાં અનેક પ્રકારના નાટક! ઊભા કરે છે. અને સમાજવાદના નામે પેાતાના સમાજને જ નીચેા પાડે છે. રાજ્યસત્તાના સહારા સિવાય સમાજવાદ અમલી ન બની શકે એવી પાકળ દલીલને આગળ કરીને કેટલાક વિચારકે તેા સમાજવાદ માટે પણ સત્તા મેળવવા માટે રાત-પરાઢાં કરતા હાય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
સમાજવાદના સાચા આદ
૧૪૮:
સાધનસ'પન્ન હેાવાનું ગૌરવ અનુભવતી વખતે તમને તમારા સમાજબંધુઓની તત્કાલીન સ્થિતિના ખ્યાલ રહેવા જ જોઇએ, તે સિવાય તમારી તે સાધનસપન્નતા અથહીન છે ?
ભારતના સમાજવાદ માત્ર દ્રવ્ય વિતરણ પૂરતા સીમિત નથી એ પણ નોંધી લેજો. અહીં તે દ્રવ્યની સાથેસાથ ભાવનું પણ એટલુ જ મહત્ત્વ છે. અને ભાવ વગરના દ્રવ્યનું નહિવત્ મૂલ્ય સ્થાપીને ઉપકારી ભગવતે એ આપણને દયાપ્રધાન જીવનની સાચી ષ્ટિ બક્ષી છે.
પેાતાના માળા અન્ન માટે ટળવળતાં હાય અને પિતા હેાટલમાં બેસીને ફાફડા-જલેબી ઉડાવતા હાય તે નિષ્ઠુર જ કહેવાય ને ? તે પછી ભારતની પ્રજની વર્તમાન સ્થિતિની ઉપેક્ષા કરીને વિલાસપ્રધાન જીવનમાં રાચતા અને છતાં સમાજવાદી સમાજરચનાની વાતા કરતા પ્રધાન-પુરુષ! કેવા ગણાય?
સાચી સમજ સંસ્કાર, ત્યાગ, તપ તથા પરોપકારી વૃત્તિ સિવાય સાચા સમાજવાદ નહિ સ્થપાય. સાચી સમજ તેને કહેવાય કે જે આપણને સહુના હિતમાં જીવન જીવવાનું બળ બક્ષે. અન્યનુ સુખ ફૂટીને સુખી થવાના રાહ. ભારતીય સસ્કૃતિને મુદ્દલ માન્ય નથી.
ભારતીય સંસ્કૃતિ ા કહે કે, જીવન એવી રીતે જીવો કે તમારા અંતકાળ પણ સુધરે અને લવાંગરમાં તમે સદ્ગતિના ભાગી બના! સદ્ગતિ સિવાય, પાંચમી
Page #190
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાનઃ
ગતિ માટે આવશ્યક આત્મવિકાસ તમે નહિ જ સાધી શકે. સાચો સમાજવાદી તે પળેપળના હિસાબમાં પાવરધો હોય. તે પિતાને પિતાની સંપત્તિને ટ્રસ્ટી સમજે. સમાજને જરૂર હોય ત્યારે તે પોતાની જરૂરીઆતને ટુંકાવી દઈને પણ એ નાણાં સમાજ માટે સાર્થક કરે,
ત્યાગપ્રધાન જીવનમાં સાચી નિષ્ઠા કેળવવાથી જેનામાં જગતના સર્વ વાદે સમાઈ જાય છે, એવા વિશ્વમય જીવનના તમે અધિકારી બની શકશે. ત્યાગમાં શૂરાતન દાખવશે તે તમને આગળ વધતા કેઈ અટકાવી નહિ શકે. ત્યાગ માટે તમારે જુસ્સા નરમ ન પડે તેની પૂરી કાળજી રાખજો! જે સંગ્રહવાદી બનવા લલચાશે તો સમાજવાદી તો નહિ રહો, પરંતુ ભલા એક માનવની કક્ષાથી પણ નીચે ઊતરી પડશે.
જીવ માત્રના કલ્યાણને આવકારનારા સાચા સમાજવાદમાં તમારી સમજ સ્થિર બને ! તમારું જીવન કેઈના ય અહિતમાં નિમિત્તભૂત ન બને! સાચા, શુદ્ધ તેમજ નિર્મોહી જીવનને ભાવ તમારી સમતામાં સક્રિય બને અને પ્રાન્ત તમે સહુ સ્વર્ગાપવર્ગના અવ્યાબાધ સુખના ભાગી બને !
N
Page #191
--------------------------------------------------------------------------
________________
૬: રામરાજ્ય
આજનું વ્યાખ્યાન 'રામરાજ્ય' એ વિષય પર રાખ્યુ છે. આ વિષય એટલા માટે પસદ કરવામાં આવ્યે છે કે આજે ચેારા-ચૌટા, ખગ, મજાર અને સભાઓમાં રામરાજ્યની વાતે રસપૂર્વક ચર્ચાય છે. આ ચર્ચાની પાછળ રામરાજ્યના હૈયા ધમકાર છે કે કેમ તે આપણે તટસ્થભાવે તપાસવુ પડશે; કારણ કે રામરાજ્ય એ તે પ્રજાના ભલા માટેનું આદર્શ રાજ્ય ગણાય છે અને રામરાજ્યની ચર્ચા જો સભાનપણે થતી હાત તે। આ દેશની પ્રજાની જે દુર્દશા આજે જોવા મળે છે તે કદી
ન મનવા પામત.
રામરાજ્ય એટલે આદશ રાજ્ય દૂધ સાકરના સુમેળ જેવું રાજ્ય. આજે રાજાએ નથી તેમજ તેમનાં રાજ્ય નથી એટલે રામરાજ્યના આદશ મૂર્તિમ ંત ન થઈ શકે એવું ન માનશે। રાજાએ નથી, પણ રાજ્યત ંત્ર તેા છે ને તેમજ તે તંત્રના સંચાલક પ્રધાના વગેરે તે છે જ ને?
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૧:
એ પ્રધાને અને પ્રજા વચ્ચે, આજે દૂધ-સાકર જેવે સુમેળ છે ખરા ? નથી તેા તેનું કારણ શું? એ સુમેળના અભાવે તમારી શી હાલત થઈ? સમગ્ર ભારતીય પર પરાના કેવા હાલ થયા? એ વગેરે પ્રશ્નોની ઊંડી તપાસમાં તમે કયારેય ઉતર્યો છે. ખરા?
સફળતાનાં સાષાન
:
પરહિતચિતા :
રામના રાજ્યમાં તેા લક્ષ્મણ કરતાં, લક્ષ્મણની અધિક ચિંતા રામ કરતા, સીતા કરતાં સીતાની અધિક ચિંતા કૌશલ્યા કરતાં. તમે એમ ન માનશે! કે લક્ષ્મણ તેા રામના ભાઈ હતા એટલે રામ તેમની ચિંતા કરે તેમાં શી નવાઈ ? રામન જેવી ચિંતા લક્ષ્મણની રહેતી તેવી જ પેાતાના વહાલા પ્રજાજનાની રહેતી. પ્રજાના દુ:ખે દુ:ખી અને પ્રજાન સુખે સુખી રહેનારા રાજા કે પ્રમુખ જ પેાતાના સુખ-દુઃખમાં પેાતાની પ્રજાને હાર્દિક સહુયેાગ મેળવી શકે છે.
રાજા કે દેશના પ્રધાના જલસા કરે, અને પ્રજા ભૂખે મરે એવી સત્તા ન હેાવી જોઈએ. પ્રધાનને મહિને પૂરા પાંચ હજાર મળતા હાય અને પ્રજાના માણસાને આવતી કાલની પણ ચિંતા સતાવતી હાય, ત્યારે એ પ્રધાનની, પ્રધાન તરીકે એ ફરજ છે કે તે સ્વેચ્છાએ પગારકાપ સ્વીકારે તેમજ પેાતાની પ્રજાનું દુ:ખ એછુ' કરવાના શકય સઘળા પ્રયત્નો શરૂ કરી દે.
Page #193
--------------------------------------------------------------------------
________________
R
૧૫૨ :
પરહિતચિંતા છે રામરાજ્યના પાયા. જ્યારે આજે તા હૈર, ઠેર લોકશાહીના નામે લેાકેાનાં માં શાહીવઈ અની રહે એવાં સ્વાર્થનાં ગીતા ગવાય છે. આ દેશમાં સ્વા વાદ એટલે ફાલ્યેા છે કે માનવ-માનવ વચ્ચેના પવિત્ર સંબધા પણ ધૂળચાટતા થઈ રહ્યા છે. અહીં આજે સ્વાર્થી'ધ પુત્ર પિતાનુ' ખૂન કરી શકે છે; સ્વા લાલુપ ખાંધવ પેાતાના જ સગાખનું કાસળ કાઢતાં કાંપતા નથી. રાજ્યતંત્રના જવાબદાર ચાલકેાની મીન ભારતીય નીતિનું આ પરિણામ છે, જે અહીં સાચા અથવાળી લાશાહી હાત તા એક અમલદાર પ્રજાને રંજાડી ન શકત, પરંતુ લેાકશાહીના નામે આ દેશમાં આજે તે ધક્કાશાહી ચાલી રહી છે. જેને રામરાજ્યના આદશ સાથે સીધા કે આડકતરા કાઈજ સંબંધ નથી.
રામરાજ્ય:
રામરાજ્યની વાત કરનાર પ્રધાનને આજે એરકન્ડીશન્ડ મંગલા પાાય ? અરે એ મંગલામાં તા અને જીવ ગભરાઇ ઉઠે. અને એમ થાય કે મારી વહાલી પ્રજા, ભાંગીતૂટી દિવાલા અને વળીએવાળી ઝુંપડીમાં ઠુંઠવાઇને જીંદગીના દિવસે જેમ તેમ વીતાવી રહી છે અને હ જો આવા મંગલામાં મહાલીશ તે હું એ પ્રજાને શું મા અતાવીશ ! કયા મેએ હું એ પ્રજા સમક્ષ ત્યાગ અને પરમાની વાત રજુ કરી શકીશ? અને કદાચ નટ થઇને હું એ વાત રજુ કરીશ તે પણ તેમને તેમાં વિશ્વાસ કેટલા બેસશે ?
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૩:
સફળતાનાં સોપાન:
v
=
=
અને આજે તમે પણ તમારે ધર્મ બજાવવામાં અનેક રીતે ઢીલા પડતા જાઓ છે! ભર બજારે મળી જતા અમલદારને પ્રણામ કરતાં તમે સંકેચ નથી અનુભવતા, જ્યારે ત્યાગી મહાત્માને પંચાંગ નમસ્કાર કરતાં તમે ખેંચ અનુભવતા હો છે. મતલબ કે ભારતીય મહાપ્રજાના જ તમે સાચા વારસદાર છે એ હકીકત તમારા હૈિયામાં સ્થિર થઈ લાગતી નથી. નહિતર મજાલ શી છે આ દેશના પ્રધાનની કે જે તમારા પરંપરાગત હિત અને હેતુઓની ઉપેક્ષા કરી શકે. ભારતીય જીવનના મૌલિક સૂત્રોને છેહ દઈ શકે. રામરાજ્યના નામે હરામરાજ્યની હવા નિર્માણ કરી શકે?
રામચંદ્રજીના લગ્નમહોત્સવમાં આનંદપૂર્વક ભાગ લઈ રહેલી પ્રજાને વળતી સવારે સમાચાર મળે છે કે રામચંદ્રજી વનવાસ જાય છે. ત્યારે આખી પ્રજા રામચંદ્રજીની સાથે વનમાં જવા તૈયાર થાય છે. કહે ! આવું કયારે બને? રાજાના હૈયામાં સાચે પ્રજાપ્રેમ હોય ત્યારે જ ને? હાદાની મોટાઈ એના ઠાઠમાઠના પ્રદર્શનમાં નથી, પરંતુ એ હોદ્દો ભેગવનારના દિલની મોટાઈ ઉપર છે. સાથે બે–ચાર એ. ડી. સી. તેમજ બેડીગાર્ડ રાખીને ભેળી પ્રજાને આંજવાથી, પ્રજા તેમજ પ્રધાને ઉભય પતનના ભાગી થશે.
Page #195
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય:
પાયાની વાતા
રામરાજ્યના નવનિર્માણ માટે રામચંદ્રજીના જીવનના આદર્શ ખરાખર નજર સામે રાખે ! એ આદશ ના ભાગે મળતા ક્ષણિક સુખની લાલસામાં ન લપટાએ! રામના રાજ્યમાં તે પૂરી ન્યાય પ્રવા હતા. જ્યારે આજે તે પેાતાની સાચી ફરિયાદ લઈને અમલદાર ચાપ્રધાનને ત્યાં ગએલા પ્રજાજના પણ ધ ચઢે છે.
૧૫૪:
રાષ્ટ્રના સયાગ પ્રજાએ વિચારવા જોઇએ. પ્રજાની સ્થિતિનું પૂરું ભાન રાષ્ટ્રના આગેવાનને રહેવુ જોઈએ. જીવનની સર્વાંગી શુદ્ધિને સર્વથા સાનુકૂળ સંચાગેાના નવનિર્માણના લક્ષ્યપૂર્વક રાજ્યતંત્રનું સંચાલન કરવાની પેાતાની જવામદારીના પાલનમાં એપરવાઈ, આળસ કે નિમળતા લવલેશ નજ નભી શકે કે ન નભાવી શકાય એ સત્યને અપલાપ કરનારા પ્રધાના યા અમલદારાને તત્કાલ તેમને તે હાદ્દો છેડી જ દેવા પડે એવી જાગૃતિ ખમીરવંતી પ્રજા જ દાખવી શકે. જ્યારે આજે તમારામાં એ ખમીરા મહદ્ અંશે અભાવ હાવાથી તમે નથી પ્રજા તરીકેના તમારા ધમ મજાવી શકતા કે નથી પ્રધાના તેમજ અમલદારા પેાતાના ધર્મને વફાદાર રહી શકતા.
પ્રધાના પ્રજાને એકસપીના ઉપદેશ આપે અને પેાતે માંહેામાંહે પદ્મ તેમજ પ્રતિષ્ઠા માટે ઝઘડે તેના શે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૫:
સફળતાનાં સાપાન
અર્થ ? રામરાજ્યને આદશ સ્વીકારી છે. તા એ આદર્શને અનુરૂપ જીવન પણ તમારે કેળવવુ જોઇએ ને? રામના રાજ્યમાં શ્રીમંતા અનેક હતા; પરંતુ ન્યાય—–નીતિ પરાયણ, જ્યારે આજે તે પૈસા ખાતર ન્યાય—નીતિ અને ધર્મ અધાંને ઊંચા મૂકતાં માનવી અચકાતા નથી. પૈસેા હશે તે પાંચમાં પૂછાઈશું'. એવી દલીલ પણ આગળ કરવામાં આવે છે. જેના પૂર્વજોએ કદી પણ પૈસાની પૂજા કરી નહેાતી તેના જ તમે વારસદાર છે એ તેા જાણે! છે ને ? અને છતાં શું આજે તમને ન્યાય–નીતિ કરતાં પણ વધુ વહાલા પૈસેા લાગે છે કે જેની ખાતર તમે દેવ-ગુરુ તેમજ ધર્મોને પણ ઊંચે મૂકી રહ્યા છે!
જગડુશાહ, પેથડશાહ, ભામાશાહ વગેરેનાં નામ લેતાં તમે ગૌરવ અનુભવેા છે અને છતાં તેમના સ્વાર્થ ત્યાગ અને પરમાને અપનાવવાની કેાઈ તૈયારી બતાવતા નથી એ કાંના ન્યાય ? એના અથ તેા એ થાય કે જગડુશાહ વગેરેનાં નામ તમે તેમના આદર્શ પ્રત્યેના આદરભાવથી નહિ; પરંતુ એમનુ અને અમારૂં કુળ, દેશ, ધમ વગેરે એકજ છે એવા અહુના પાષણ માટે જ લઈ રહ્યા છે. ઉપકારક આદર્શ કરતાંય સવાયે જો તમે તમારા સ્વાને ગણશે! તે તમે આ દેશમાં રામરાજ્યની હવા પેદા નહિ કરી શકો, બલ્કે હરામરાજ્યની હવાને વધુ વેગ આપનારા પુરવાર થશો.
Page #197
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય:
૧૫૬:
રાજ્યતંત્રમાં કાર્યકારી અમલદારાનુ સ્થાન ખાસ અગત્યનુ' હાય છે. એવા અમલદારા પ્રજા અને પ્રધાન વચ્ચેના પુલનુ કામ કરવાને બદલે, પ્રજાના માણસે પાસે વિવિધ જાતની માંગણીઓ મૂકે અને સ્વાર્થા ધ થઇને તમે તેમની તે માગણીઓને સંતોષવાની 'હા' પાડી દે। એટલે પછી તેમનામાં અને તમારામાં ફેર શે? આવું વર્તન તમને શાલે છે ? આવા વર્તનવાળા પ્રજાજને રામરાજ્યની વાત કરે તેને શું અથ?
અમલદાર તમને જોઇને એના અમલદાર ધના પાલનમાં લીન બની જાય એવી પવિત્ર હુવા તમારે તમારી આસપાસ નિર્માણુ કરવી જોઇએ. આ નિર્માણ કાર્ય માટે તમારે ન્યાયપરાયણ જીવન ગાળવુ જોઇએ. અન્યાયના માગે મળતી સપત્તિ સામે આંખ પણ ન માંડવી જોઇએ. સપત્તિને કારણે નીતિ ચૂકવી એ તે રેવડી સાથે સેાનાની કલ્લી કાઢી આપવા કરતાં પણ વધુ ખેાટના સાદા છે. અમલદાર કે જેમના હાથમાં અમાર નાણાં-જમીન વગેરેના વહીવટ છે તેમને જો અમે અમારા અંગત લાભની અપેક્ષાએ લાલચ આપતા થઈશું તે એ અમલદારો જતે દહાડે લાંચને પણ પાતાના હક્ક સમજી બેસશે અને વગર લાંચે કાઈનું ય કાર્ય સુગમતાપૂર્વક, સમયસર પાર નહિ પડે અને તેનાં માઠાં પરિણામ સરવાળે અમારું જ ભાગવવાં પડશે એવી સમ્યક્ સૂઝ રામરાજ્ય ઝ’ખી રહેલા પ્રજાજનામાં હાવી જ જોઇએ.
Page #198
--------------------------------------------------------------------------
________________
૬પ૭
સફળતાના સોપાઈઃ
કેઈપણ પદાર્થ મેળવવા માટે એ પદાર્થનું જે મૂલ્ય હોય છે તે ચૂકવવું પડે છે. દાતણની પૂળી પણ વગર પૈસે નથી મળતી તે પછી રામરાજ્ય માટે જરૂરી ત્યાગ, સેવા, સચ્ચાઈ, સાદાઈ અને સ્વાર્થ ત્યાગને ધ્યેયનિષ્ઠા સિવાય જ રામરાજ્ય આવી જશે? રામરાજ્ય પણ તમારી પાસે એનું મૂલ્ય તે માગશે ને? એ મૂલ્ય ચૂકવવાની તમારી તૈયારી આજે કેટલી છે? તમારા માર્ગમાં પડેલી રૂપીઆ પાંચસેની થેલી જે તમારી જ ન હોય તે તેના ઉપર નજર પણ નહિ ઠેરવવારૂપ નિતિકતા તમારામાં છે? કોઈના ય અહિતમાં નિમિત્તભૂત નહિ બનવારૂપ જાગૃતિ તમે કેટલા પ્રમાણમાં કેળવી છે? રાજ્યસત્તાના ભયે, ધર્મસત્તાને વફાદાર રહેવાની પૂર્વ પુરુષની જેમ તમે જાળવી શકે તેમ છે ખરા?
રામરાજ્ય એ ગાંધીની દુકાને મળતી મેંદીની પડીકી નથી કે ગમે ત્યાંથી, ગમે તે રીતે બે આના મેળવીને તમે તે ખરીદી શકે અને તેના રંગમાં તમારા અંગને રંગી શકે. રામરાજ્યને આદર્શ મહાન છે એટલે તેની સ્થાપના માટે તમારે જીવનમાં મહાન બનવું પડશે. સ્વાર્થમાં અલ્પ બનવું પડશે પરમાર્થમાં પુરૂષાતન દાખવવું પડશે. દિલની દરિદ્રતા દૂર કરવી પડશે. ઈષ્ય-અસૂયાથી અલગ થવું પડશે જીવંત માનવની જીવંતતા આચાર દ્વારા દાખવવી પડશે રામરાજ્યના આદર્શને પામવામાં મડદાળ વલણ મુદ્દલ
Page #199
--------------------------------------------------------------------------
________________
જામરાજ્ય
૧૫૮ :
-
નહિ ચાલે. ગમે તે રીતે પણ જીવી નાખવાનો મોહ જ નહિ કરે તે આ દેશમાં તમે પુનઃ રામરાજ્યની સ્થાપના નહિ કરી શકે.
કેઈની પણ સંપત્તિને લુંટવી એ અન્યાય છે, તેમ વેડફવી એ પણ અન્યાય છે. તમારી શક્તિ અને સંપત્તિના અર્થહીન દુર્વ્યયમાંથી રામરાજ્ય તો નહિ જન્મ, પરંતુ પાશવતા ભણી દેરી જનારા વિકારોને વેગવંત બનાવનારું તંત્ર અમલમાં આવશે. આજે તમે છતી મુડીએ અજંપ અનુભવે છે તેનું કારણ શું? એજ કે જીવન માટે સાચો આદર્શ તમે સ્વીકાર્યો નથી. ભૂલને એકરાર
પોતાના પિતાના વચન અનુસાર રામચંદ્રજી વનમાં જવા તૈયાર થાય છે. લક્ષમણ કહે હું સાથે જ આવીશ. સીતાજી કહે હું પણ તમારી પાછળ આવીશ. આ છે રામરાજ્યને આદર્શ. શ્રી રામવનવાસના સમાચારથી ભરત તીવ્ર આઘાત અનુભવે છે. તે તત્કાલ પિતાની માતા કૈકેયી પાસે જાય છે અને કહે છે કે, “પૂ. માતાજી તમે આ શું કર્યું? કયા સંગોએ આપને આમ કરવા પ્રેર્યા?
પુત્રની વાત સાંભળ્યા પછી કૈકેયીને પિતાની ભૂલ સમજાય છે. ભારે એ ભૂલ માટે તેના હૃદયમાં પશ્ચાત્તાપ જાગે છે. ભૂલને અહં વડે છાવરવાની વૃત્તિ રાખશે તો
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૯:
સફળતાનાં સોપાન
જીવનમાં સુખી નહિ થઈ શકે. જ્યારે રામના રાજ્યમાં તે પિતાની ભૂલ સમજાઈ ગયા પછી, મહારથીઓ પણ સાચા દિલથી સામાની ક્ષમા માગતા. પિતાની અલ્પતા થવાની બીકે, ભૂલની માફી નહિ માગો તે તમે જે ભૂલે કરશે તેને માટે ક્ષમા માગવાની ક્ષમતા તમારા જીવનમાં પ્રકટાવી નહિ શકે.
છઘસ્થ માત્ર, ભૂલને પાત્ર છે. ભૂલ ન કરે એક માત્ર સર્વજ્ઞ, પરંતુ ખરી ખૂબી પિતાની ભૂલ સમજાય, પછી તેની ક્ષમા માગવામાં છે. ભલે પછી પોતે મેટા હો હોય અને ક્ષમા સામાન્ય માનવીની જ માગવાની હાય. પ્રકટેલા પશ્ચાત્તાપની તાકાત માનવીને શુદ્ધ કરવામાં અજબ ભાગ ભજવે છે. પોતાની ભૂલ સમજાતાંની સાથે કૈકેયી રથમાં બેસીને રામચંદ્રજી પાસે જાય છે.
પવનવેગી રથ ગણત્રીના કલાકમાં રામચંદ્રજીએ જ્યાં પહેલે મુકામ કર્યો છે ત્યાં આવી પહોંચે છે. ભગ્ન હૈયે અને ઉદાસ ચહેરે કેકેયી રથમાંથી નીચે ઉતરે છે. કેકેયીને જોતાં વેંત, રામચંદ્રજી, લક્ષ્મણ તેમજ સીતાજી એકદમ ઊભા થાય છે અને વિનયપૂર્વક કેકેયીના ચરણોમાં મસ્તક નમાવે છે. ત્રણમાંથી એકેયને એમ નથી થતું કે, પિતાના સગા દીકરા ભરતને રાજ્ય અપાવવાના લોભમાં અમને વનવાસ, અપાવનાર આ ઓરમાન માતાને તે વળી નમસ્કાર કે? છે તમારા દિલમાં આવી ઉદારતા? કયા ગુણ અને સંસ્કારની મુડી ઉપર તમે રામરાજ્યની
Page #201
--------------------------------------------------------------------------
________________
રામરાય?
૧૬૦ઃ
વાત કરો છે? તમારી વાત સારી છે, પરંતુ તેના પાલન માટેનું બળ જે તમે નહિ બતાવે તે બીજે કોણ બતાવશે ?
અંતરવ્યથાને અંકુશમાં રાખીને કકેયી કહે છે, “ચાલે! નગરીમાં.” રામચંદ્રજી કહે છે.” માતાજી! આપ આ શું બેલ્યા? રઘુકુલ રીતે સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, એ સૂત્ર શું આપ ભૂલી ગયાં? મારા પૂ પિતાશ્રીના વચનને પાળવાના પુનિત પ્રસંગમાંથી હું ચળું એ શું આપ ઈચ્છો ખરાં ? માટે મારી આપને, અરજ છે કે આ સુખરૂપ સીધા.” એકવચનીપણું
આવા ટેકીલા હતા રામચંદ્રજી. પિતાની માતાના આગ્રહ હોવા છતાં, પિતાનું વચન પાળવાની ટેક તેમણે ન છેડી, વનવાસના સઘળાં દુઃખ તેમને મંજુર હતાં, પરંતુ ટેકમાંથી ડગવાને મુદ્દલ વિચાર તેમને સ્વીકાર્ય નહોતે. રામની ટેકથી સુપરિચિતા કેકેયી ભારે હૈયે વિદાય લે છે. શ્રી રામ, લક્ષમણ તેમજ સીતાજી તેમને ભાવપૂર્વક વિદાય આપે છે. સીતાજીને પિતાના સાસુ માટે હૈયામાં એજ ભાવ છે જે ભાવ પુત્રીને પિતાની માતા માટે હેય. સીતાજીને સહિષ્ણુતારૂપ આ ગુણને વારસો સ્ત્રીઓ માટે અણમોલ થાપણરૂપ છે.
- જ્યારે આજના માણસો કર્મવશાત્ કેઈક મુશ્કેલીમાં ફસાય છે એટલે તેમનામાં અડગતા અને ખુમારી પ્રકટ.
Page #202
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપાયા
-
-
- -
-
-
- -
- -
વાને બદલે દીનતા તેમજ કાયરતા દેખાવા માંડે છે અને પિતાની એ મુશ્કેલી માટે તેઓ બીજા અનેકને ભાંડવા લાગે છે. કહો ! આવા કંગાલ જીવનમાં રામરાજ્યની હવા સંચરે ખરી કે?
લીધી ટેક છોડવી નહિ, વચનભંગ થવું નહિ એ સાધારણ વાત નથી. એના માટે તે ભારે સત્વ જોઈએ. ઐહિક સુખોની લાલસા લગાર પણ ન ચાલે. ધર્મમાં અપૂર્વ નિષ્ઠા જોઈએ. પરના અપકારોને ભૂલી જવાની ઉદારતા જોઈએ. પિતે બીજા પર કરેલા ઉપકારને ભૂલી જવાની સરળતા જોઈએ રામચંદ્રજી વચનપાલનમાં દઢ રહ્યા તે જગતને રામરાજ્યને આદર્શ આપતા ગયા. જે તેમણે માતા કૈકેયીની લાગણીને વશ થઈને વચન પાલનમાં છૂટછાટ સ્વીકારી લીધી હતી તે ન તેઓ જીવનની અમીરાત અનુભવી શકત ન જગતને રામરાજ્યને આદર્શ આપી શકત.
પિતાનું વચન ફેક ન થાય તેની જે કાળજી રામચંદ્રજીને હતી તેવી કાળજી તેમને પોતાની જાત માટે પણ નહોતી, નહિતર તેઓ પિતાની તે જાત માટે પણ વચનપાલનમાં જરૂર મેળા પડી ગયા હતા. જ્યારે આજે તે ઉપકારી ગુરુની આજ્ઞાના પાલન માટે જરૂરી અપ્રમત્તતા અને સમર્પણભાવનો ભારે અભાવ વર્તાય છે. અને કેટલાક તે અહંથી પ્રેરાઈને પિતાને પૂજ્ય પુરુષે સાથે વાદવિવાદમાં ઉતરી પડે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
શામરાજય :
૧૨:
જે રાજા તેવી પ્રજા
જેવા ટેકીલા રામચંદ્રજી હતા એવી જ રામપ્રેમી તે સમયની પ્રજા હતી. પ્રજાને માત્ર રાગમાં જ પ્રેમ હતે એવું નહિ, પરંતુ રામના આદર્શોમાં પણ રામ જેટલે જ પ્રેમ હતે. મતલબ કે રામનું નામ અજવાળે એવી રામની પ્રજા પણ હતી. રામ વનમાં ગયા તે જાણે પોતાના પ્રાણ ગયા એવું દુઃખ તે પ્રજાએ અનુભવ્યું હતું.
જ્યારે રામરાજ્યની વાત કરનાર આજના પ્રધાનને નથી પ્રજાની પડી કે પ્રજાને નથી પ્રધાનની પડી. આમાં પ્રજા કરતાં વધુ દેષિત પ્રધાને છે કારણ કે હોદ્દાની રૂએ તેમની જવાબદારી અધિક છે. એ જવાબદારીના પાલનમાં તેમણે જે રામચંદ્રજીને આદર્શ અપનાવ્યું હોત તે પ્રજામાં પણ આદર્શ જીવનની ભૂખ ઉઘડી હેત.
દયાપ્રધાન આ દેશની પ્રજામાં જે સત્વ, શૌર્ય અને સમર્પણની તમન્ના ટકી રહેલ હેત તે નિરપરાધી જીવોને હઈયાં કરી જનારાં મગરના જડબાં જેવાં ભયંકર કતલખાનાં આ દેશમાં ઊભાં ન થઈ શક્યાં હેત. રામના રાજ્યમાં તે નાના-મોટા સહુ જીના જીવનની ઈજજત થતી. બીજાનું જીવન લૂંટી લઈને, સુખી થવાની આસુરી વૃત્તિ કેઈ ન દાખવતું. નિરપરાધી પશુ-પંખીઓ તેમજ જળના છની વહારે નહિ ઘાવારૂપ નિર્માલ્યતા આ જે આ દેશમાં તમારી આજુબાજુને આગળ વધીને કહી
Page #204
--------------------------------------------------------------------------
________________
સફળતા
પારઃ
શકાય કે, તમારા જીવનમાં કેટલી હદે ફેલાઈ ગઈ છે તે તે વિચાર!
રાજા ભાન ભૂલે તે એની સાન ઠેકાણે લાવવાને પ્રજાને પ્રજાધમ જે તમે નહિ બજાવ તે રાજા અને પ્રજા ઉભયને નાશ કણ અટકાવી શકશે? આજે ભલે રાજાઓ ન રહ્યા, પરંતુ પ્રધાને તે છે ને? એમને શું તમે નથી કહી શકતા કે ભારતમાં ભારતીય રીતે રાજ્ય ચલાવવાની પ્રતિજ્ઞા વડે બંધાતા છે તે જ અમે તમને પ્રધાન તરીકે સ્થાપી શકીએ તેમજ સ્વીકારી શકીએ. પણ તમારા લોહીમાં આજે એ ગરમી ક્યાં છે કે જેને તાપ ગમે તેવા પાપને પ્રજાળી શકે, ઉન્માર્ગે ચાલી રહેલાને, સન્માર્ગે વળવાની ફરજ પાડે? તમારે તે ગમે તે રીતે પણ જીવવું છે! ભલે પછી એ જીવનમાં, “જીવન” જેવું કંઈ હોય કે નહિ.
લાંચ, અનીતિ, કાળો કારભાર અને વિલાસ ઘેલછા આ ચાર રેગે લગભગ આખી પ્રજાને પામરમાં બદલી નાખી છે એટલે તે ઘેટાંના ટોળાના સરદાર જેવા પ્રધાન પણ આજે અહીં જેમ ફાવે તેમ બેલી શકે છે. વર્તી શકે છે. પ્રજાના પૈસાનું પાણી કરી શકે છે. તરંગી યોજનાઓ પાછળ નાણાંને ધૂમાડે કરીને પ્રજાને દેવાદાર બનાવી શકે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય
ઘરઘરમાં દિવાળી:
દશરથજીના કુટુંબમાં હતી તેવી ઉદ્દાત્ત, મોંગલ ભાવના જે ઘરઘરમાં સ્થપાઈ જાય, તે ભારતમાં જરૂર રામરાજ્ય આવી જાય. પરંતુ આજે વહુ સાસુને ભાંડે છે, સાસુ વહુને પારકી જણી સમજીને તરછેાડે છે. પુત્ર, પિતાની આમન્યા લાપતાં અચકાતા નથી. પુત્ર તરીકેનો પેાતાનો ધર્મ તેને પાળવા નથી અને છતાં તે પિતાને, પિતા તરીકેની પેાતાની ફરજેના પાલન માટે ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરે છે. શ્રી પતિસેવાને દાસીકૃત્ય, સમજવા લાગી છે. પતિ, અને લેગનું સાધન સમજવા લાગ્યા છે. શેઠ-નાકર વચ્ચે મેાટા-નાના ભાઈ જેવા સુમેળ રહ્યો નથી. પછી રામરાજ્ય સ્થપાય શી રીતે ?
૧૬૪:
પેાતાની પ્રજાને સુખી કરવા માટે, ગમે તેવું દુઃખ સહર્ષ સ્વીકારી લેનાર પ્રધાના તેમજ તેવા પ્રધાનાના દુ:ખમાં સદાય સાથ આપનારી પ્રશ્ન એ એના સુમેળ દ્વારા રામરાજ્ય સ્થાપાય. પ્રધાન અને પ્રજાજના વચ્ચેના પુલ તરીકેનુ પવિત્ર કામ અમારે કરવાનુ છે એવી સમજવાળે અમલદાર વર્ગ પણ જોઈએ જ. તીખા અને તેાછડા અમલદારાએ તમારાં ગૌરવને હણવામાં કશી મણા નથી રાખી પણ તમારે તેમને માક્ કરવા જોઇએ કારણ કે પ્રધાને તરફથી સાચા જે પ્રજાપ્રેમ મળવેા જોઇએ તે નહિ મળવાને કારણે તેઓ તમને સાચા રૂપમાં એળખી શકચા જ નથી. જ્યાં એક બીજાના હિતમાં સ્વાર્થ ત્યાગની
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬:
સફળતાનાં સાયા
ભાવનાને અમલ છે ત્યાં રામરાજ્ય છે. જે કુટુંબના સભ્ય પરસ્પર કાજે કંઈક પણ કરી છૂટવાની એક પણ તક જતી નથી કરતા તે કુટુંબમાં રામરાજ્ય સ્થપાય છે. તે ઘરમાં દિવાળીનું વાતાવરણ છવાય છે.
મોટા એક કુટુંબને દાખલો લઈએ તે તેમાં પિતા હાય, માતા હોય, ભાઈઓ હેય, ભાભીઓ હાય, બહેનો હેય, દેરાણી-જેઠાણી હોય, નણંદ-ભોજાઈ હોય, સાસુ-વહુ હોય તેમજ દિયર-જેઠ પણ હેય. માતા જે કૌશલ્યાને આદર્શ અપનાવે, પિતા દશરથજીને ધર્મ પાળે, પતિ રામચંદ્રજીને આદર્શ સેવે, પત્ની સીતાજીને ધર્મ નજર સામે રાખે, ભાઈ લક્ષમણને આદર્શ લે, ઉર્મિલાને દાખલ દેરાણું લે, લક્ષમણજીને દાખલ દિયર લે તે તે કુટુંબમાં રામરાજ્ય જ હેય ને?
લક્ષમણજીનાં પત્ની ઉર્મિલા પિતાના જેઠ રામચંદ્રજીની સાથે વનમાં જવા માટે તૈયાર થએલા પિતાના પતિને કહે છે કે “આપ નિશ્ચિતપણે આપને બંધુધર્મ બજાઓ! મારી મુદ્દલ ચિંતા ન કરશે. હું આપની ધર્મપત્ની છું અને ધર્મપત્ની તરીકે મારો એ ધર્મ છે કે આપને આપના ર્તવ્યના પાલનમાં પૂરી સહાય કરવી. જ્યાં આવી ઉદારતા હોય, કર્તવ્યપાલનની જાગૃતિ હોય ત્યાં રામરાજ્ય ન હોય તે બીજું શું હોય?
પિતાના જેઠ-જેઠાણુની સાનુકૂળતા ખાતર આજના સમાજના કેટલાં દિયર-દેરાણું લક્ષ્મણ અને ઉર્મિલાને
Page #207
--------------------------------------------------------------------------
________________
રાપરાય:
પાઠ સાચા રૂપમાં ભજવી શકે તેમ છે? એ પાઠ ભજવવાની વાત તો દૂર રહી, પણ આજના કેટલાક ભાઈએ તે એવા બંધુધર્મને નવાજવાને બદલે વેવલાઈમાં ખપાવવાની હદ સુધીની ધૃષ્ટતા પણ દાખવે છે.
મહાપુણ્ય મળેલા માનવજીવન પર મૃત્યુ હાથ ઉગામે તે પહેલાં એ જીવનને પરમાર્થ વડે પવિત્ર કરવાની ભવ્ય ભાવના જ્યાં ઝળહળતી હોય છે ત્યાં રામરાજ્યની હવા ઊભી થાય છે. ભવ્ય આદર્શ
મારા વડીલ બંધુઓ તેમજ માતા સીતાજી વનનાં દુઃખ વેઠે અને હું રાજ્યસુખ ભેગવું તે ભાઈ તરીકે મારો ધર્મ સૂકી જ જાઉં! આવા વિચારને થઈને ભરતજી વનમાં રામચંદ્રજી પાસે જાય છે તેમના વદન પર શોકની
છાયા છે. હૈયામાં રામચંદ્રજીને પાછા લાવવાની તમન્ના. રથમાંથી ઉતરી, દેડીને ભરતજી રામચંદ્રજીના ચરણમાં ઢળી પડે છે. રામચંદ્રજી તેમના માથે વાત્સલ્યભીને કર ફેરવે છે. આંસુભીની આંખે ભરતજી, રામચંદ્રજીને અયોધ્યા પાછા ફરવાની વિનંતિ કરે છે. રામચંદ્રજીને અયોધ્યાના પ્રજાજનેની હૃદયવ્યથા વર્ણવે છે.
રામચંદ્રજી કહે છે, “ભાઈ! ધર્મના પાલનમાં લાગણીશીલતા ન ચાલે એ શું તું નથી જાણતો? શું તું એમ ઈચ્છે છે કે તારે ભાઈ, પિતાનું વચન પાળવામાં
Page #208
--------------------------------------------------------------------------
________________
સફળતાનાં સોપક:
-
-
પાછે પડે? માટે તું અયોધ્યા પાછા ફર અને આપણા કુળની રીત મુજબ રાજ્ય ચલાવ!” ભરતજી, એકલા પાછા નહિ ફરવાની હઠ પકડે છે. છેવટે રામચંદ્રજી તેને પિતાના હાથે સીતાજી પાસેથી જળ મંગાવી અધ્યાના રાજ્યસિંહાસને અભિષેક કરે છે, ભરતજી અનિચ્છાએ રામચંદ્રજીની આજ્ઞાને વશ થઈ દુઃખી દિલે પાછા ફરે છે. અને કેવળ વડીલ ભાઈની આજ્ઞાથી અયોધ્યાનું રાજ્ય સંભાળે છે. છે આ ભવ્ય આદર્શ આજે?
આજે તે ના ભાઈ સારું કમાતે હોય અને મોટા ભાઈ કમાવામાં કંઈક મળી હોય તે એ નાને ભાઈ અને એના પરિવારના બધા જ સભ્ય ઠેર, ઠેર ગાતા ફરે છે કે શું કરીએ અમારે તે મોટા ભાઈને પણ નભાવવા પડે છે. પાંચ પૈસા કમાતો થાય છે એટલે આજનો યુવાન પિતાના ઘરડાં મા-બાપની સેવા તે નથી કરતા પરંતુ તેમની આમન્યા પણ માંડ જાળવે છે.
ભારતીય પરંપરા
આમ શાથી થયું? તમે ભવ્ય ભારતીય જીવનપરંપરાને ત્યાગ કર્યો માટે. અ-ભારતીય જીવન પરંપરાને સ્વીકાર કર્યો માટે. પાપને ભય છોડી દીધે માટે સર્વજ્ઞ પરમાત્માના વચનેમાં સે ટચની શ્રદ્ધા રાખવાને બદલે, સંસારના રંગમંચ ઉપર કર્મના ઈસારે નાચતા વામણા માનની ઉટપટાંગ વાતેમાં શ્રદ્ધા દાખવી માટે.
Page #209
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય :
૧૬૮:
આજે તમે શ્રીરામ અને સીતાજીને તમારા જીવનને આદર્શ બનાવવાને બદલે સીને નટ–નટી દિલીપકુમાર અને નરગીસને તમારા જીવનને આદર્શ બનાવવામાં ગૌરવ અનુભવે છે તે શું સૂચવે છે? એજ કે જીવનમાં તમે ઉડાઉ બનતા જાઓ છે. એક ભારતીય પ્રજાજન તરીકે તમારે ધર્મ બજાવવાની લાગણી તમારા હૈયામાં રહી નથી. આજે તમારા પગ સીનેમાઘર તરફ જે ઝડપે ઉપડે છે એવી ઝડપે શ્રી જિનેશ્વરદેવના મંદિર તરફ ઉપડે છે ખરા?
ના, નથી ઉપડતા. કારણ કે એ પગ ઉપર પણ કાબુ તે મનને હોય જ છે અને મન જ્યાં સુધી અન્યત્ર રઝળતું હોય ત્યાં સુધી તમને દહેરાસર જવામાં સાથે શી રીતે આપી શકે? પણ યાદ રાખે! તમારી આ વિલાસઘેલછા તમારે નાશ નેંતરશે. સંસ્કાર અને સંસ્કૃતિને નાશ નંતરશે.
જેના જીવનમાં વિલાસભૂખ વધે છે તે નથી કુળ તેમજ ધર્મની મર્યાદાઓ પાળી શક્તો કે નથી ચિત્તની સમતુલા જાળવી શકતે. સમાજની આબરૂને ઠેકરે મારવામાં તે ગૌરવ અનુભવે છે. મનોરંજન કેન્દ્રોના નામે આ દેશમાં જે મનરંજન કેન્દ્રો સ્થપાયાં છે તે બધાં જ ભવ્ય ભારતીય જીવન પરંપરા માટે કતલખાનાં સમાન છે એ ન ભૂલશે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૯૬
સફળતાનાં સોપાન?
પારકી બહેન-દીકરીઓને જાહેર રંગમંચ ઉપર નાચતી કરવી તેમજ નફફટાઈના પ્રદર્શન સમા તે નાચમાં બનીઠનીને હાજર થવું તે લક્ષણ અનાર્યત્વનું છે. શીલ સંસ્કાર ભ્રષ્ટ જીવનનું છે. ઈન્દ્રિયેના ઘેડાને અંકુશમાં રાખવાનું સત્વ ખીલવવાને બદલે એ ઘડા જે તરફ ઘસડી જાય તે તરફ ઘસડાશે તે આલોકમાં પણ દુઃખી થશે અને પરલેક પણ બગાડશે! પાવરધા બને?
પુણ્ય-પાપના હિસાબમાં પાવરધા બને! રોજ રાતે તેની ખતવણી કરો ! જમા બાજુની સદ્ધરતાને પૂરો ખ્યાલ રાખે! ઉધારનું પાસું વધે એમ ન જ ઈચ્છતા હે તે પરમાર્થમાં પાવરધા બને
પિતાને તેડવા આવેલા ભરતને રામચંદ્રજીએ વિદાય વેળાએ શી શિખામણ આપેલી તે જાણે છે? એમ કે, ઉદાર બનજે, સાધુ પુરુષોને સાચવજે, સુકૃત આચરજે, પ્રજાના સ્વામીમાં જરૂરી સઘળા ગુણ કેળવજે, તારા સુખને ગૌણ ગણજે! પ્રજાના સુખને મુખ્ય રાખજે! પ્રજાવત્સલ રાજવીઓની પરંપરાને દીપાવજે! રાજ્યની તીરીની એક પાઈ પણ ન વેડફાય તેની તું પૂરતી કાળજી રાખજે.
આવા ગુણવાળે રાજા પ્રજામાં પૂજાય તેમાં શી નવાઈ? રાજાના ગુણની વાત સાંભળીને એમ ન માની લેશે કે
Page #211
--------------------------------------------------------------------------
________________
રામરાજય
૧૦:
પ્રજા તરીકેની તમારી જવાબદારી કંઈ નથી. તમારે પણ ભારતીય પ્રજા તરીકે જીવવું પડશે. ભારતીય સંસ્કૃતિને વફાદાર રહેવું પડશે. સ્વાર્થને ગૌણ કરવો પડશે. પરમાર્થમાં પાવરધા બનવું પડશે. પાવરધા બનવું કામચોરી નહિ ચાલે. ગુણર બનશે તે પટકાશે ઉપકારીના ઉપકારને બદલે અપકારથી ન વાળશે. પ્રજા તરીકે તમારું એ કર્તવ્ય છે કે, માર્ગ ચૂકેલા પ્રધાનને સન્માર્ગે વાળવા. પશ્ચિમ મુખી તેમની પ્રવૃત્તિઓને પૂર્વ ભિમુખ બનાવવી. પરિપૂર્ણ જીવનવ્યવસ્થાના મૂળ ધામરૂપ ભાસ્તના જ આગેવાન રાજપુરુષે, પરદેશમાં જીવનવ્યવ સ્થાના પાઠ ભણવા જાય તે ઘટના ખૂબ જ ખેદજનક છે. તમારે તમારા જીવનના પ્રભાવ દ્વારા ભારતીય જીવન વ્યવસ્થામાં ભારતીય સ્ત્રી પુરુષોને નિષ્ઠાવાન બનાવવા પડશે. અને તેજ તમે રામરાજ્યના આદર્શને મૂર્તિમંત કરી શકશે.
અંગત સ્વાર્થ આડે આંધળા થઈને ભાઈ–ભાઈ વચ્ચેના પવિત્ર સંબંધને પણ ઠેકર મારી દેવાની હદ સુધીની અધમતા પણ જેમને આજે ખટકતી નથી અને જેઓ બેફીકરા થઈને બજારમાં ગપ્પા મારી શકે છે. તેમની આંખ ખેલવાની અપેક્ષાએ પણ તમારે સ્વાર્થ ત્યાગનું શૂરાતન કેળવવું જોઈએ. માનવને ભવ પામ્યા પછી જીવન જે કીડી જેવું છે તે, તે તે ભારે પીછેહઠ ગણાય. પીછેહઠ કરવી જ હોય તે પાપમાં કરે. સ્વાર્થમાં કરે, ભેગમાં કરે, દુર્વિચારમાં કરે !
WWW
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૧ :
ભયાનકે વા:
તાફાની પવન તાતીંગ જહાન્નેને ઊંધા પાડી દે છે. વિકૃત થએલા વાયુ, મુછાળા મને ઢીલેા પાડી દે છે, તેમ ઉપકારક હેતુવિહાણા મેલ-વાએ તા અહીંના અખેલ પશુઓને પણ ત્રાસ પેાકરાવી દીધા છે. ઢોલના પેાલ જેવા છે આજના મોટા ભાગના માનવાના એલ. પેાતે બંગલામાં મહાલતા હાય અને ઉપદેશ ઝુપડીમાં સતાષ માણવાને આપે એટલે એ ઉપદેશ ઢાલના પેાલ જેવા જ ગણાય કે ખીન્નું કાંઈ ? પ્રજા સમક્ષ ગુનેગારના રૂપમાં ઊભા રહેવાને લાયક પ્રધાનાને તમે, તેમના કયા સુકૃત્યો માટે ફૂલહાર કરે છે અને તાળીઓના ગડગડાટ વડે વધાવી લે છે! એ તે! સમજાવે!!
સફળતાનાં સેાપાન ઃ
પ્રધાનાના એલ-વા આસ્તે, આસ્તે અમલદારો તેમજ સાધારણ કારકુન સુધી ફેલાઈ ગયા છે. જેમાં જીવનની સચ્ચાઇના રણકા નથી એ ખેાલ, ફૂટી કોડી જેવે છે. તમારા ખેલને તેલ ત્યારે જ થશે, જ્યારે તમે તેાળીને ખેાલતાં શિખશે!
એક એલ-વા જ અહીં વકર્યાં છે એવું નથી, આજે તે અહીં ખા-વા, પી-વા, રળ- વા અને ફર-વા પણ વકર્યા છે. કારણ કે ગઇ કાલ સુધી આ બધા વા ઉપર ધ પુરુષાની ભારતીય સ ંસ્કૃતિની મજબૂત પક્કડ હતી, પરંતુ ધમ પુરુષા ની એ સ્વ-પર ઉપકારક સંસ્કૃતિને તમે જ્યારથી જાકારા દીધે! ત્યારથી ઉક્ત વા વડે તમારાં
Page #213
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય :
૧૭૨ :
જીવન ઘેરાઈ ગયાં. અને તમે ઘણીવાર તે એ વાના જ ધૂણાવ્યા પૂણતા હે છે. જાણે ચાવી દીધેલું રમકડું!
ભયાનક આ વાએ આ દેશમાં રામરાજ્યને બદલે હરામરાજ્યની હવા પેદા કરી છે. ન્યાય મુજબ જેના ઉપર પિતાને હક્ક ન હોય એવી સ્થાવર તેમજ જંગમ મિલ્કતે હજમ કરી જવાની હદ સુધીનું પતન વહોરનારી પ્રજા, પિતાને પ્રગતિશીલ ગણાવે તે તો આ દેશમાં જ નભે?
પ્રગતિને મૂળાધારઃ
ધમ છે પ્રગતિને મૂળાધાર. પાણી સિવાય કદાચ છોડ પાંગરે, પરંતુ ધર્મ સિવાય સાચી પ્રગતિ સંભવિત ન બની શકે. આ ધર્મમાં દયા, દાન, પરોપકાર, તપ, જ૫, સંયમ વગેરેનો સમાવેશ થાય છે. નાક, કાન, હાથ, પગ આદિ તમારા અંગ પૈકી એકાદ અંગને પણ ઈજા પહોંચે છે તે તમે ઊંચા-નીચા થઈ જાઓ છે તેમજ તત્કાલ સારવાર માટે દવાખાને દેડી જાઓ છો તે પછી દયા, દાન, પરોપકાર આદિ ધર્મના અંગોને તમે તમારા અંગભૂત માને છે ખરા કે? એ અંગને ઈજા પહોંચે છે ત્યારે તમે બેશુદ્ધ બની જાઓ છે ખરા કે? કે પછી તેની કાંઈ જ ગતાગમ તમને નથી ?
રામના રાજ્યમાં ધર્મનું રાજ્ય હતું. અધર્મ પ્રેરક બળે તેમજ નિમિત્ત ઉપર પૂરો અંકુશ હતો. જ્યારે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૩ :
આ દેશના નવા બંધારણમાં ધર્મ વાતા વાંચવા મળે છે. શું રાજ્યના રાજ્યે પણ ભારતીય પરંપરાને જીવાડનારા સત્યામાંની પેાતાની વફાદારી જો સ્વીકારી લીધી હાત તે આજે આ દેશમાં અનાચાર, અધમતા, અનીતિ અને અંધાધુધી જે વેગપૂર્ણાંક વધતાં જાય છે તેવું નજ મનવા પામત.
સફળતાનાં સેાપાન
નિરપેક્ષ રાજ્યની કાઈ ધર્મ નહિ !
જીવનમાં પ્રગતિ સાધવી જ હાય તેા ક્રયાના પાલનમાં આગળ વધા, સક્રિય અનેા, દાનધમ બજાવવામાં પાછા ન પડા, દાનનું જે કોઈ નિમિત્ત ઊભું થાય કે અનાયાસે મળી જાય તેને સહર્ષ વધાવી લેા. ઇન્દ્રિયાને અંકુશમાં રાખો. દેહને માત્ર ભાગ ભાગવવાનું સાધન ન સમજો, તેને તપ-જપ વડે પવિત્ર કરેા. આવા વન માટે જરૂરી ખળ માટે આ દેશમાં થઈ ગએલા મહાસતા અને મહાસતીએના આદશ આંખ સામે રાખેા. રામના આદર્શોને નજરમાં રાખા.
આજની તમારી પ્રગતિ કાગળના ફૂલ જેવી છે. નથી તેમાં સચ્ચાઈની સુગંધ કે નથી સુજનતાસૂચક સ્નિગ્ધતા. બહારની જ માત્ર ટાપટીપને પ્રગતિ માનતા થઈ જશે! તેા છેતરાઇ જશે!, જીવનના દ્રોહ કરનારા સાબીત થશે પ્રગતિના અર્થ છે આત્મવિકાસના માગે આગળ વધવું તે. તે પછી જે વાણી, વિચાર તેમજ આચાર તમારા આત્માના તથા પ્રકારના વિકાસમાં બાધક ન નીવડતા હાય તેને સમજ પૂર્વીક સહાયક બનાવવા જોઇએ ને?
Page #215
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય: .
૧૭૪ :
જ્યારે તમે તે ઐહિક સુખની એકાંગી લાલસામાં પાપ કરતાં પાછા વળીને જોતા ય નથી. આમ પ્રગતિ ન સધાય ! પરંતુ અદ્યોગતિના ભાગી બનાય. જીવલેણુ અાપે
સત્તા તે સિંહણના દૂધ જેવી છે. તે જીરવવી સહેલ નથી સામાન્ય માણસોનું ગજું નથી કે રાજ્યપ્રધાન યા વડાપ્રધાનની સત્તા જીરવી શકે. પરંતુ જેમને પોતાના પદની પવિત્રતાના જતનની જરાય પડી નથી અને ગમે રીતે સત્તા સ્થાને ચીટકી રહેવું છે તેમની વાત જુદી છે.
સત્તાસ્થાને રહેલા માનના કાધ, માન, માયા, લેભ, અનીતિ, અપ્રામાણુકિતા, અસંયમ, સ્વાર્થ, કૃપણુતા, હિંસા વગેરે ખૂબજ પાતળા જોઈએ. ગૃહસ્થીપણામાં આત્માના આ શત્રુઓને સર્વથા નિર્મૂળ નથી કરી શકાતા તે સાચું, પરંતુ તેઓ વકરે નહિ તેની કાળજી જે ન રાખવામાં આવે તે ભારે અનર્થ પેદા થાય. એક તે હોય સત્તા સ્થાને અને પછી આ શત્રુઓના સાથ મળી જાય તો એ વ્યક્તિ શા શા અનર્થો ન સજે?
જોરદાર પવનની ઝપટ, દીપકને બૂઝવી દે છે, તેમ કામ-ક્રોધ આદિની ઉગ્રતા માનવીને સન્માર્ગમાં સ્થિર રાખતા વિવેકરૂપી દીપકને ટાઢે પાડી દે છે. દુર્ગ બધા જ ખરાબ છે, ત્યજવા જેવા છે, તેમ છતાં હું અહીં તમને તે દુર્ગણે પૈકી એક પિતાના પાશમાં સત્તા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૫ઃ
સફળતાનાં પાન:
સ્થાને રહેલા રાજાને ફસાવીને તે રાજા પોતે કેવું આચરણ કરાવે છે તેને કથાના રૂપમાં ખ્યાલ આપું છું.
મોટા એક નગરમાં એક નગરશેઠ રહે. એ નગર શેઠના દીકરાની વહુ ગુણિયલ, ચતુર તેમજ સાત્વિક છે, શેઠને દીકરો પરદેશથી સુખરૂપ ઘેર પાછા આવ્યા એટલે શેઠ તો ઘેલાઘેલા થઈ ગયા. ડાહ્યા માણસમાં પણ કયારેક આવી ઘેલછા ઉછળી આવે છે. હર્ષાવેશમાં નગરશેઠ પિતાના નગરના રાજા પાસે જાય છે, અને તેમને પોતાને ઘેર જમવા પધારવાનું આમંત્રણ આપે છે. રાજા, અઠવાડિયા પછી આવવાની વાત કરે છે. પિતે જાણે પરાક્રમનું કાર્ય કર્યું હોય તે રીતે ફૂલાતા નગરશેઠ ઘેર પાછા ફરે છે, અને પોતાના દીકરાની વહુને રાજાને જમવાનું આમંત્રણ આપી આવ્યાની વાત કરે છે. વહુ શાણી છે, સસરાજીની આમન્યા ન લેપાય તે પણ તે જાણે છે. તેમ છતાં પિતાના સસરાજીને કહ્યું કે સત્તા પર રહેતા મોટા માણસની સબત જુદી વાત છે પણ તેમને પિતાનાં ઘર આંગણે નેંતરવા તે ઠીક નહિ, કારણ કે મોટાને પિતાની મેટાઈને અંધાપો કયારે નડે તે કહી ન શકાય. વહુને પતિ પાછો પરદેશ જાય છે.
રાજા પોતાના રસાલા સાથે નગરશેઠને ત્યાં જમવા આવે છે. વહુએ ઊંચા મેવા-મસાલાની મઘમઘતી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી છે, સોનાના થાળા અને રત્નના કાળાં ગોઠવાઈ ગયાં છે. ડંખતા મને વહુ રાજાને
Page #217
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય:
૧૭૬ઃ
પીરસવા આવે છે. તેણે કિંમતી દાગીના તેમજ જરીનાં વસ્ત્રો પહેરેલાં છે. રાજા જેવા રાજાની પાસે ગમે જેવા ડળે કેમ જવાય? જ્યારે આજે તે સ્ત્રીઓ ઉભટ વેશે બહાર નીકળતાં પણ અચકાતી નથી. નાયલેનનાં પારદર્શક વચ્ચે પહેરીને બહાર નીકળવું તેમાં નથી પ્રગતિ કે નથી સંસ્કારિતા, પરંતુ પૂરી જંગાલિયત છે. પિતાના અંગોપાંગ સારી રીતે ઢાંકવાને સંસ્કાર ખાઈને ભારતીય નારીએ બદલામાં શું મેળવ્યું ? તેને વિચાર કરતાં પણ અપાર ખેદ થાય છે. સૌંદર્યની
ભાસંયમ છે. શરીરને અલંકાર શીલ છે, ને લજજા એજ સ્ત્રી જીવનનું ગૌરવ છે, તે આજે ભૂલવા જેવું નથી. સ્ત્રી શેભે મર્યાદામાં, તે મર્યાદા છેડે એટલે ચૂલા વગરના અગ્નિ જેવી તેની દશા થાય. પોતે પણ નાશ પામે અને સમાજને પણ અધોગતિમાં ધકેલે, બનીઠનીને નાટક-સીનેમામાં જવું પરાયા, પુરૂને પિતાના વસ્ત્રાલંકાર તેમજ દેખાવ વડે આજવા એ બધું અનાર્ય દેશમાં પોષાય. જ્યારે આજે તે આર્યોના દેશમાં આવું ઘણું, ઘણું બની રહ્યું છે!
નગરશેઠના દીકરાની વહ, રાજાને ભાવતાં ભેજન પીરસે છે. વહુના રૂપમાં રાજા અંજાઈ જાય છે. તેને થયું એક વાણિયાના ઘરમાં આવું રૂપાળું રતન ! ના, ના એ તે રાજમહેલમાં જ શોભે! મારે તેને મારી બનાવવી જ જોઈએ. જોયું ને મેટાને ઘેર લાવ્યાનું
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૭૪
સફળતાનાં સોપાનઃ
પરિણામ? વહુને પિતાની બનાવવાના વિચારમાં રાજા ખાધું ન ખાધું કરીને ઊભું થઈ જાય છે. પિતાના રસાલા સાથે તે રાજમહેલે પાછો ફરે છે. પણ તેનું મન તે નગરશેઠના દીકરાની વહમાં જ છે. તે મુખ્ય મંત્રીને પોતાના મનની વાત કરે છે. મંત્રી પણ માણસાઈ વગરનો હતો. તેણે રાજાને સલાહ આપી કે, “નગરશેઠને સાણસામાં એટલે બધું સીધું ઉતરશે.”
રાજા બન્યા છે કામાંધ, મંત્રી બન્યા છે શઠ, શેઠ બન્યું છે ઘેલું. સાન એક માત્ર વહુની જ ઠેકાણે છે. મંત્રીની સલાહ અનુસાર રાજાએ બીજા દિવસે નગરશેઠને રાજ સભામાં બોલાવ્યા, અને ભરસભા વચ્ચે તેમને કહ્યું કે, “તમે તે નગરની શેભા છે. આપણે ત્યાં કુંવરીબાના લગ્ન આવ્યાં છે. અને મોટી જાનને ગામનાં કૂવાનાં પાણી પૂરાં ન પડે તે પાણી માટે બહારગામના થોડાક કૂવા અહીં લઈ આવો !” રાજાની વાત સાંભળીને શેઠ વિમાસણમાં પડી ગયા. રાજાને કશો જવાબ આપ્યા સિવાય એ ભારે હૈયે ઘેર આવ્યા. અને સઘળી હકીકત પિતાના દીકરાની વહુને જણાવી, રાજા જેવાને ઘરઆંગણે
તરવામાં રહેલા જોખમને વહુને ભય સાચો પડે. તે સમજી ગઈ કે રાજાની બુદ્ધિ બગડી છે. તેણે પિતાના સસરાને કહ્યું કે, “તમારે ચિંતા ન કરવી. સવારે રાજ સભામાં જઈને રાજાને કહેજો કે, “કૂવા તે બધા તયારે જ છે, પરંતુ તે બધાને અહીં ખેંચી લાવવા માટે રેતીના
Page #219
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય :
૧૭૮:
-
-
દોરડાં જોઈશે. તે એ દેરડી જે તૈયાર હોય તે મને અપાવે કે જેથી આપનું કામ તરત પૂરું કરી શકું.”
રાજસભામાં જઈને નગરશેઠે ઉપર મુજબ વાત રાજાને જણાવી. વાત સાંભળી રાજા સ્તબ્ધ બની ગયા. પરંતુ મંત્રી ખૂબ નીચવૃત્તિનો છે, એટલે તે રાજાને નવો નુસખે શિખવાડે છે. રાજા પણ કામમાં આંધળો છે એટલે મંત્રીની પગપાયા વગરની વાત સ્વીકારી લે છે. કૂવા લાવવાના મુદ્દામાં નાસીપાસ થએલો રાજા નગર શેઠને કહે છે કે, “કુંવરીબાના લગ્નમાં બળદના ઘીની જરૂર છે, માટે તે તમે ગમે ત્યાંથી લાવી આપો!” નગરશેઠ ઉદાસ ચહેરે ઘેર જાય છે, સઘળી વાત પિતાની વહુને કરે છે. વાત સાંભળ્યા પછી તેને થાય છે કે, “રાજાની સાન હજી ઠેકાણે આવી નથી. એ ગમે તે ભેગે મને પાડવા માંગે છે, જે ઠેઠ નગરશેઠના ઘર સુધી હાથ ઘાલવા તૈયાર થાય છે, તે સામાન્ય ઘરની વહ-બેટીઓની શી દશા ન કરે? માટે મારે તેને સમજના ઘરમાં લાવવું જ જોઈએ.”
બધે વિચાર કરીને તેણે પિતાના સસરાને કહ્યું કે, કાલથી આપ રાજસભામાં જશે નહિ કે બહાર નીકળશે નહિ. બાકીનું બધું જ હું સંભાળી લઈશ.” નગરશેઠે રાજસભામાં જવાનું બંધ કર્યું. અહીં રાજા રે જ તેમની રાહ જુએ છે પણ નગરશેઠ દેખાતા જ નથી. છેવટે થાકીને રાજા પિતાના શઠ મંત્રીને શેઠને ઘેર મોકલે છે. મંત્રી આવીને જુએ છે તો વહુ સુંઠ ખાંડે છે, પાસે સુઆની
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૭૯:
સફળતાનાં સાધાનઃ
થાળી પડી છે મંત્રીએ વહુને પૂછ્યું કે, શેઠજી કેમ દેખાતા નથી? રાજાજી તે તેમની ખાસ રાહ જોઈ રહ્યા છે.' એ પાખડી મંત્રીને વહુ ગંભીરપણે જવાબ આપે છે કે, રાજાને જઈને કહેજો કે નગરશેઠે સુવાવડમાં છે એટલે હાલમાં બહાર નીકળી શકે તેમ નથી.' વહુના મમ ભેદ્દી જવાબ સાંભળીને મત્રીનું માં પડી જાય છે, તે છતાં તે ખંધાઈપૂર્ણાંક પ્રશ્ન કરે છે કે, ‘ પુરુષને સુવાવડ આવે એ વાત તેા આજ પહેલીવાર તમારા મેએ જ સાંભળી!’ ‘જે રાજ્યમાં અળદના ઘીની વાત થતી હાય તે રાજ્યમાં પુરુષની સુવાવડની વાત પણ સભવી શકે.' વહુએ ચાખ્ખા ચટ જવાખ આપી દીધા. અને તે પણ એવા તાકડે કે તેની પૂરી અસર થાય. જવાબ સાંભળીને મંત્રી શરમાઈ ગયા. તે ચૂપચાપ રાજા પાસે ગયેા અને બનેલી બીના તેમને જણાવી. છતાં પણ રાજા સમજના ઘરમાં નથી આવતા, તેના કામજવર શાન્ત નથી પડતા અને તેનાથી પ્રેરાઇને તે નગરશેઠને કહે છે કે, કુવરીબાના લગ્ન લેવાયા છે, જાન આવનાર છે, વરરાજાને પોંખવા માટે ચાર, માણસાની જરૂર છે. તે તેમને લઈને હાજર થવું, એ ચાર માણસે પૈકી એક ડાહ્યો, બીજો ભૂખ ત્રીજે ઘેલા ને ચેથે શઠ હાવા જોઇએ.’
રાજાની વાત સાંભળીને નગરશેઠ અચંબામાં પડી ગયા. ઘેર આવીને તેમણે તે વાત પેાતાના દીકરાની
Page #221
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય:
૧૮૦:
વહુને કરી. વહુએ કહ્યું, “વધે નહિ. હું જાતે કાલે આપની સાથે રાજદરબારમાં આવીશ અને રાજાની માગણી મુજબના માણસો રાજા પાસે હાજર કરીશ.” બીજે દિવસે નગરશેઠ પિતાના દીકરાની વહુ સાથે રાજદરબારમાં ગયા. રાજાએ તેમને પૂછયું; “કેમ મારી શરત મુજબના ચાર માણસે લાવ્યા છે ને?” નગરશેઠ કહે, “હા” રાજા કહે છે, “તે તરત હાજર કરે!” નગરશેઠના દીકરાની વહુ યેગ્ય જવાબ આપવા માટે જે તકની રાહ જોઈ રહી હતી તે સામે જ આવેલી જાણીને તેણે નગરશેઠને જે સમજાવ્યું હતું, તે મુજબ નગરશેઠે તેને જવાબ આપ્યો કે, “આપની માગણી મુજબના ચારે યા માણસ આ રાજસભામાં જ છે. આપ માગે છે તેવો શઠ આપને આ મંત્રી છે, મૂર્ખ તે આપ પોતે જ છે. ઘેલે હું છું. અને ડાહ્યામાં મારી કુલવધુ છે. કામઠામાંથી છૂટેલા તીર જેવો જવાબ સાંભળીને રાજા ખુદ ડઘાઈ ગયે. આખી સભા ઉપર એક અછડતી નજર ફેરવીને શેઠના દીકરાની વહુએ આ જવાબની સ્પષ્ટતા કરી. એ કહે છે, “રાજા કામાંધ બન્યા એ મૂર્ખ છે, અને મંત્રીએ તેમને ખૂબજ નબળી સલાહ આપી એટલે તે શઠ, મારા સસરાજી આપની મૈત્રીમાં હદ બહાર ગયા માટે ઘેલા અને હું મારા શીલ-સંસ્કારમાં સ્થિર રહી શકી માટેડાહી.”
રાજાને પિતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે પસ્તા જાહેર કર્યો. પિતાના રાજ્યમાં નગરશેઠના દીકરાની વહુ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સફળતાનાં સોપાન
જેવી ગુણિયલ તેમજ ચતુર વસે છે. તે બદલ તેણે હર્ષ વ્યક્ત કર્યો. નગરશેઠ જેવી ઘેલછા આજે પણ જણાય છે. વીતરાગ પરમાત્માને પણ માથું નમાવતાં જેઓ અચકાય છે, તેઓને આજેસીને નર-નારી તથા શીલ, સંસ્કાર ભ્રષ્ટરાજકર્તાઓનાં સન્માન કરતાં સંકેચ થતું નથી. આ ઘેલછા તમારે જરૂર છેડવા જેવી છે. નહિ છેડે તે પસ્તાશે. નગરશેઠ જેવી હાલતમાં મૂકાઈ જશો. પિષક વાતાવરણઃ
આ કથા રામરાજ્ય માટે જરૂરી વાતાવરણ ઊભું કરવા માટે રાજા તેમજ પ્રજા અને એ બંને વચ્ચે ઊભેલા પુલ જેવા અધિકારી વર્ગ એ ત્રણેય કેવા હોવા જોઈએ? તેના ઉપર પ્રકાશ પાડવા માટે રજુ કરી છે. મતલબ કે આજના પ્રધાને, પ્રજાજનો તેમજ અમલદારે એ બધા યમાં, પિતા પોતાના દરજજાની સાથે સંકળાએલી તમામ જવાબદારીઓ ન્યાય-નીતિપૂર્વક પાળવાની ચીવટ આવશે તેજ અહીં રામરાજ્ય સ્થાપાશે. હરામને રાજ્ય કરવા જેટલી જગ્યા નહિ તમારા હૈયામાં મળે કે નહિ આ દેશમાં મળે. ન્યાય-નીતિપૂર્વકનું જીવન જીવતાં જે કોઈ મળે તેમાં સંતોષ માનવાથી રામરાજ્ય પોષક વાતાવરણ પેદા કરી શકશે. બીન જરૂરી ખર્ચા વધારી દઈને, એ જ ખર્ચાને પહોંચી વળવા માટે, ગમે તે માર્ગે ધન મેળવવવાની લાલસા રાખશે તે જીવનનું પગથિયું ચૂકીને
Page #223
--------------------------------------------------------------------------
________________
રામા:
૧૮૨
નીચે પટકાશે. સંભવ છે કે પૈસા મળતા હોય તે નીચે પટકાઈ પડવાને ભય પણ તમને ન હોય, પરંતુ એ નિર્ભયતા વીરની નથી, અસુરની છે.
દષ્ટિ સારગ્રાહી રાખો. જ્યાં ત્યાંથી નબળું ભેગું કરશે તે જીવન તમારું ઉકરડા જેવું બની જશે. સારા વિચાર અને તમારે સેંકડો ગાઉનું છેટું પડી જશે. રાતે પણ તમને ખરાબ સ્વમાં આવશે અને તમારું બધું બળ, પાપના પોટલા બાંધવા પાછળ જ બરબાદ થઈ જશે.
જ્યાં સુધી આ દેશની સ્ત્રીઓના આદર્શ તરીકે કાશલ્યા, સીતા, ઉર્મિલા વગેરે રહ્યાં ત્યાં સુધી અહીં સુરાજ્ય રહ્યું, રામરાજ્ય રહ્યું અને પરદેશી શિક્ષણ-સંસ્કાર તેમજ પ્રચારે જ્યારથી આ દેશમાં પગપેસારો કર્યો
ત્યારથી અહીંની સ્ત્રી, પુરુષસમેવડી બનવાની ઘેલછામાં દિનપ્રતિદિન વધુ પરાધીન બનતી જાય છે. પ્રાણ સાટે પણ શીલનું જતન કરવાની તેની ક્ષમતા ખેરવાતી જાય છે, તે જ રીતે મોટા ભાગના પુરુષે પણ વિચારમાં વહેંતિયા અને આચારમાં વામણા બનતા જાય છે. નહિતર દયાભાવભીને આ દેશના વાતાવરણને દેડકાં, વાંદરા, માછલા વગેરેના લેહીના વેપારની કમાણી વડે શણગારવાની ઘટ્ટતા કરનારા પ્રધાનો, પ્રધાનપદ ભોગવી શકે ખરાં ?
વાતાવરણ રામ-રાજ્ય વિરુદ્ધનું છે, એને તમારે સુધારવું પડશે. સુધારણા માટે તમારે સુધરવું પડશે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૩
સફળતાનાં સંપાનઃ
સુધરવું એટલે સર્વ કાળમાં સર્વ પ્રકારે સુંદર એવા ધર્મનું હૈિયામાં ધ્યાન ધરવું, ન્યાયના પક્ષકાર બનવું. દયાના પાલક બનવું, દેવ-ગુરુના ઉપાસક બનવું. ત્યાગને રાગ કેળવ, રાગને ત્યાગ કેળવ. નાશ પામનારા પદાર્થોના મેહમાં મૂઢ બનીને અણમેલ ગુણ–
રને તેની પાછળ નાશ ન થવા દે. સાધુ પુરુષોની સેવા કરવી, માતા-પિતાનું બહુમાન જાળવવું. લોકવિરૂદ્ધનું કામ ન કરવું.
આ સુધારો સહેલ નથી. તેના માટે જરૂરી ત્યાગ સંયમ, સહનશીલતા, દઢતા, પાપ પ્રતિકાર શક્તિ વગેરે ગુણ તમારે કેળવવા પડશે. તમે જે શાન્તચિત્તે વિચારશે તે તમને જણાશે કે કોઈ પણ કામ, પ્રારંભમાં તે અઘરું લાગે જ છે. અને ધીમે ધીમે ટેવાઈ જવાય છે, એટલે એજ કામ સહેલું પડે છે. તે તમારે તમારાં જીવનને હરામરાજ્યના વાતાવરણ પાછળ બરબાદ કરવું છે કે રામરાજ્યનું વાતાવરણ સર્જવામાં સાર્થક કરવું છે? તેને નિર્ણય તમારે તમારી જાતે કરવો જોઈએ પણ એ નિર્ણય પાછળ બેટે સમય ન બગાડશે.
આત્મનિરીક્ષણ
રાત્રે સૂતા પહેલાં તમે જે દિવસભરના સઘળા વ્યવહારનું ન્યાયધીશની આંખે નિરીક્ષણ કરો તે હું માનું છું કે તમે પોતે જ તે નિરીક્ષણ પછી તમારી જાત
Page #225
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય
૧૮૪:
માટે શરમ અનુભવતા થઈ જશે! રામરાજ્ય માત્ર જીભ હલાવવાથી નહિ આવે, એના માટે સત્વસભર જીવન જોઈશે, આજે તમારા જીવનમાં સત્ત્વની પ્રધાનતા છે કે કે રજોગુણની? અરે! રજોગુણીને બદલે ઘણા તે આજે તામસ પ્રકૃતિના બનતા જાય છે. સ્વાર્થની નાની સરખી વાતમાં ક્રોધ કર એ તામસ પ્રકૃતિની નિશાની છે. નહિ ચર્ચવા જેવા પદાર્થોની ચર્ચા કરવી, અહંકારનું પોષણ કરવું. શેક પાપડ પણ ભાગવાની શક્તિ ન હોય અને બે હાથે મહાસાગર પાર કરવાની વાત કરવી એ રજોગુણ આત્માનાં લક્ષણ છે. સર્વપ્રધાન વ્યક્તિ તે દૂધમાં એકરૂપ થઈ જતી સાકર જેવી હોય. પોતાની નબળાઈની કબુલાતમાં તે નાનમ ન સમજે. પરનું દુઃખ તેને સ્વજનને દુઃખ જેટલું જ સાલે, નબળા વિચારે તેના મનની શેરીમાં લટાર મારવા માટે પણ ન નીકળી શકે. તે અશુદ્ર હોય, પ્રિયભાષી હોય, ઉદાર હોય, દીર્ધદષ્ટિવાળે હેય.પાપભીરૂને નીતિપરાયણ હોય
દશરથજીના કુટુંબના બધા સભ્ય આવા સાત્વિક હતા. તમે કેવા છે? તે આત્મનિરીક્ષણની રુચિ કેળવશે તે તમને સમજાઈ જશે. ઘરના એરડા પણ સવાર-સાંજ સાફ કરવા પડે છે, તે પછી મન તેમજ અંતઃકરણની શુદ્ધિ માટે શું કાંઈ જ નહિ કરવાનું? તે પછી તમે રામરાજ્ય લાવી શી રીતે શકશે? તમે એમ તે ઈચ્છે છે ને કે કોઈ તમને હેરાન ન કરે ને પાપી ન કહે તે
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૫;
સફળતાનાં પાન
તમારી આ ઈચ્છાને અમલમાં તે મૂકવી જ પડશે ને? ઈચ્છવું એક અને આચરવું બીજું એવી વિસંવાદી નીતિ રાખશે, તે સમાજમાં તમારી ઈજજત વધશે કે ઘટશે?
શ્વાસોચ્છવાસ પૂરા કરવારૂપે જીવન જીવવું તે એક વાત છે અને સાચા ભારતવાસીની અદાથી જીવન જીવવું તે બીજી વાત છે. આ ભારતની હવામાં અને ભૂમિના કણકણમાં અનંત કરૂણાસાગર, ભગવંતની ભાવદયા સમાએલી છે. તે તમને દયાળુ બનવાની હાકલ કરે છે. કહો! આજે તમે દયાભીનું દિલ સાથે લઈને બધે ફરે છે કે અંગત સ્વાર્થની પછેડી ઓઢીને ફરે છે?
જીવદયા :
જીવદયા, ભારતીય સંસ્કૃતિને પ્રાણ પ્રાણવાયુ સિવાય સ્કૂલ જીવન ન ટકે તેમ જીવદયાના જીવંત પ્રવાહ સિવાય ભારતીય સંસ્કૃતિ નહિ ટકી શકે, એ સંસ્કૃતિની રક્ષા કાજે જીવદયાના કાર્યોમાં તમારે મોખરે રહેવું જોઈએ. નિર્દોષ જીવને રહેંસી નાંખવા અને વાતે રામરાજ્યની કરવી તે ભ્રષ્ટ જીવનની નિશાની નથી તે બીજું શું છે? તમે માત્ર તમારા માટે જ રામરાજ્ય ચાહે છે કે જગતના બધા જ માટે? મત્સ્યગલાગલ ન્યાય, સંસ્કૃતિભ્રષ્ટ પ્રજામાં હોય, તમારે તે તમારાથી કમજોર, નાના તેમજ પાંગળા જીવોની વહારે ધાવામાં પહેલ કરવી જોઈએ. સામાની લાચાર સ્થિતિને
Page #227
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય
-
-
-
લાભ ઉઠાવે તે કામ આર્યને માટે જીવતા મોત સમાન ગણવું જોઈએ. જ્યારે આજે તે આ દેશના ઉડાઉ આગેવાને જીવતા વાંદરાઓનાં કાળજાં વેચીને તમારા માટે ધન મેળવવાની અધમાધમ પ્રવૃત્તિ આદરી રહ્યા હોવા છતાં, તમારું એક રૂંવાડું ફરકતું નથી.
રામરાજ્ય આ રીતે સ્થપાશે? એના કરતાં બહેતર એ છે કે તમે સાફ સાફ કહી દે કે અમે રામરાજ્યને લાયક નથી. આજના જે સંગ છે, તેમાં જ જીવવા માટે અમે જમ્યા છીએ. જે તમારે સંગ બદલવા જ હોય તે તમારે પણ બદલાવું પડશે. પૂરા ભારતીય બનવું પડશે. ભારતીય સંસ્કૃતિને વફાદાર રહેવું પડશે, એ વફાદારીનું મૂલ્ય ચૂકવવું પડશે. રાજ્યસત્તા, કાયદાના જોરે, દર વર્ષે કેટલાંય નાણું તમારી પાસેથી ખેંચી જાય છે અને તમે પણ મને કે કમને તે નાણાં આપે છે પણ ખરા. જ્યારે રામરાજ્યને અનુકૂળ પરિસ્થિતિ પેદા કરવા માટે જરૂરી જીવન માટે, જીવદયાના પાલન માટે, પાંચ રૂપીઆ ખર્ચતાં પણ તમે ત્રણ વાર વિચાર કરે છે.
સરકાર સંચાલિત કતલખાનાઓમાં થતી હિંસામાં કઈ સીધા તે કેઈ આડકતરા, પરંતુ આ દેશના બધા માનવે ભાગીદાર તે લેખાય જ. જે તમારે આ દેશની પ્રજાને તેમજ તમારી જાતને એ પાપમાંથી ઉગારી લેવી હોય તે આજની સરકારને કતલખાનાં બંધ કરી દેવાની
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૭:
સફાળતાનાં સોપાન :
ફરજ પાડા, શરીર ઉપર જેવા કાઢના ડાઘ એવા સંસ્કૃતિરૂપી દેહ ઉપર આ કતલખાનાનાં ડાઘ. ફાટેલું દૂધ તમે નાંખી ઢા છે તે શું ડાઘી સસ્કૃતિને નભાવવા જેવી સમો છે? કે પછી જીવનની કંગાલિયતના કારણે સારૂં કશું કરવા જેવું તમને લાગતું જ નથી ?
છેલ્લા વીસ વર્ષોમાં આ દેશમાં હિંસા માટે જે મેાકળું મેદાન ઊભું' થયુ' છે, તેની તમને કાઇ અસર નથી પહેાંચતી ? જીવહિંસા જો તમને નહિ ડંખે, તમારા રૂંવાડે, રૂંવાડે પ્રબળ પુણ્યપ્રકાપ નહિ પ્રકટાવી શકે, તમારા આહાર તેમજ નિદ્રા ઉભયમાંના તમારા રસને નહિ નાબૂદ કરી શકે તે। હું નથી માનતા કે તમે જીવનમાં કશું સાધી શકશે !
નમ્રપણે નાચી રહેલા જીવહિંસાના પાપકૃત્યને સગી આંખે જોવા છતાં જો તમે જાગી નથી શક્તા, જીવાના જતન કાજે મેદાનમાં મેરચેા નથી માંડી શક્તા તા બીજી કઇ મુશ્કેલી તમને જગાડી શકશે? મહાનુભાવા, વિચાર। ! માનવજીવન વારંવાર નથી મળતું. એની સાકતા જીવયાના પાલનમાં છે.
જીવનની સફળતા
પડતા આ કાળમાં તમે સાચા જીવનના શિખરને સર કરવાને બદલે જીવતા માત જેવા પાપાચારાની ખીણમાં ગબડી ન પડા, તે આશયપૂર્વક સફળતાનાં
Page #229
--------------------------------------------------------------------------
________________
રાસાયઃ
૧૮૮:
-
સપાન રૂપ આ વ્યાખ્યાને તમને સંભળાવ્યાં છે, આ દેશમાં તો દુકાળ એક માત્ર ધર્મને દેખાય છે, અને તેમાંથી જ અન્ય સર્વ પ્રકારના દુષ્કાલ જન્મતાં હોય છે. માણસાઈના દીવા પણ ધર્મશ્રદ્ધાને નિષ્ણારૂપી તેલના અભાવે જ બૂઝાતા હોય છે. ધર્મરૂપી શુદ્ધ પ્રાણવાયુના અભાવે જ હરામ રાજ્યના ઝેરી પવને જોર પકડી શકે છે. હૃદય સરોવરનાં શુદ્ધ જળ પણ ધર્મરૂપી સૂર્યને પ્રકાશ એાસરી જતાં જ ગંધાવા માંડે છે, તેમાં વિષય-કષાયની દુર્ગધ શરૂ થાય છે.
તમારા જીવનની જે પળને તમે માત્ર સુદ્ર સ્વાર્થ માટે જ ઉપયોગ કરે છે તે પળ તમે હારી જાઓ છે. જીવનની સફળતાનાં ઘડતરનું તમારું લક્ષ્ય હેવું જોઈએ. એ લક્ષ્યની સિદ્ધિ પાછળ તમારી સમતાને તમારે કેન્દ્રીભૂત કરવી જોઈએ. તેમજ રામરાજ્યની આદર્શ સંસ્કૃતિને જીવનમાં જીવવા માટે તમારે જાગૃતિ કેળવવી જોઈએ. અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતે એ તે સમયના પ્રમાદને પણ ત્યાજ્ય ફરમાવ્યું છે. તો આપણે પણ સમયરૂપી એ ટાંકણા વડે જીવનના પરબ ચડા તેમજ બેડોળ પથ્થરમાંથી જીવનની મૌલિક સફળતાને સર્વથા અનુરૂપ મૂર્તિ કંડારી કાઢવી જોઈએ. આ જીવનમાં કરવા જેવું કામ આજ છે. આ કામ કરતા રહીશું તે આપણું જીવન અને જગતમાંથી હરામની હવા નાબૂદ થઈ જશે.
બીજાનું દુઃખ જોઈને ઠરશે નહિ, સુખ જોઈને બળશો નહિ, પર નિંદા અને આત્મસ્તુતિથી દૂર
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૯:
સફળતાનાં સાપાન :
રહેજો ! જડ પદાર્થના ભાગમાં સુખ સમાએલું છે એ સત્ય નથી, પરંતુ એક ભ્રમ છે, તે સદાય યાદ કરીને ચાલશે, તેા જીવનમાં નિરાશ નહિ થાઓ. જીવનને નિષ્ફળતાના સતત મારમાંથી બચાવી લેવા માટે, ધર્માંના કાર્યોમાં કોઈને ય કદી અંતરાયભૂત ન બનશે, પરંતુ તે તે ધ કાર્યોની ત્રિવિધ અનુમેાદના કરજો. કોઈના પણ વિરુદ્ધ જતાં વિચારાને સમભાવે સહન કરવાથી તમને શાન્તિના અનુભવ થશે. અને સમાજ પણ અવશ્ય ઊંચા આવશે. શરીર તેમજ શરીર સુખને જ સારને સસ્વ સમજીને આત્માની ઉપેક્ષા ન કરશેા. જો આત્માને જ ભૂલી જશે! તે યાદ રાખવા જેવું કશું ય તમે યાદ નહિ રાખી શકો.
જીવનરૂપી ખેતરમાં વાવો સત્યરૂપી ખીજવાશ અને તેના ઉપર સંચો શુભભાવરૂપી જળ. એટલે તે હરિયાળુ બની જશે, અને સમાજને પણ રળીઆમણેા બનાવશે.
પાપ કરવાની તમારી યાગ્યતાના સર્વથા ક્ષય થાઓ ! જગતના કોઈપણ જીવને પાપકમાં રસ ન રહેા! બધા સત્કશૂરા ખના ! આ વ્યાખ્યાનામાં વવાએલાં સફળતાનાં સોપાન એક પછી એક વટાવતા, વટાવતા તમે બધા જ સ્વર્ગ અને અપવર્ગના અવ્યાબાધ સુખના ભાગી બને!! આત્માના ઘરના શાશ્વત સુખની, સાચી ભૂખ તમારા જીવનમાં જાગા! એ ભૂખને જગાડવા માટે
Page #231
--------------------------------------------------------------------------
________________
રામરાજ્ય:
૧૯૦:
જરૂરી ઔષધરૂપ દયા-દાન, પરોપકાર, સંયમ, સહિષ્ણુતા, સ્વાર્થત્યાગ, ધીરજ, વૈરાગ્ય, ક્ષમા આદિ આધ્યાત્મિક સંપત્તિને પ્રાપ્ત કરવા માટે તમારે પુરુષાર્થ વધતે રહે!
ત્રણ જગતના બધા જ સુખી થાઓ!
ત્રણે જગતના બધા જ દ્રવ્ય તેમજ ભાવ આરોગ્યના ભાગી બને!
ત્રણ જગતના બધા જ કલ્યાણકામી બને!
દુઃખને આકર્ષનારા પાપકર્મોમાંથી સહુની સહ પ્રવૃત્તિઓ સર્વરીતે ઓસરી જાઓ!
એ જ એક મંગલ કામના !
શ્રદ્ધા, સંસ્કારને સ્વાધ્યાયનાં પ્રેરક પ્રકાશનો
[૧] કથારત્નમંજૂષાઃ [ભા. ૨] રસપ્રદ પ્રેરણાદાયીને પાને-પાને કથારસને જાળવતી ઐતિહાસિક કથા કા. ૧૬ પેજી; ૩૫ર પેજ મૂ. ૪રૂા. પિન્ટેજ ૪૫ પૈસા.
[૨] સંસ્કારદીપ ભાવવાહી શૈલીમાં રસપ્રદને બોધદાયી પ્રાચીન કથાઓને સુંદર સંગ્રહ, કા. ૧૬ પેજ મૂ. ૨ રૂ. પિષ્ટ જ ૨૫ પૈસા.
[૩] દીપમાળઃ ચિંતન, મનન યોગ્ય પ્રેરણાદાયીને વર્તમાન પ્રશ્નોનું સચેટ નિશકરણ કરતા મર્મસ્પર્શી
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૧ :
પ્રેરક પ્રકાશનઃ
લેખે. કા. ૧૬ પેજી ૧૪૮ પેજ મૂ. રૂ. ૧-૨૫ પટેજ ૨૦ પૈસા અલગ.
[૪] પવિત્રતાના પથપર: બાળાઓ પાઠશાળાના મેળાવડા આદિ ધાર્મિક પ્રસંગમાં ભજવી શકે તેવા બોધક સંવાદને સંગ્રહ. કા. ૧૬ પેજી ૯૪ પેજ મૂ. ૭૫ પૈસા, પિન્ટેજ ૧૫ પૈસા અલગ.
[૫] ભારતનાં પ્રસિદ્ધ જૈનતીર્થોઃ ભારતના પ્રભાવશાલી પ્રાચીન જૈનતીર્થોને ઉપયોગી પરિચયને ઇતિહાસ, ક્ર. ૧૬ પછ ૨૧૬ પેજ મૂ. ૨ રૂા. પિન્ટેજ ૩૦ પૈસા અલગ.
[૬] નવપદવિધિઃ નવવદજીનાં ચૈત્યવંદને, સ્તવને ને સ્તુતિઓ નવ-નવ, નવપદજીની બે પૂજાએ, શ્રીપાળચરિત્ર તથા બીજા પણ પ્રચલિત તપની વિધિઃ
બાલબોધટાઈપમાં કા. ૧૬ પછ ૧૨ પેજ મૂ. રૂા. ૧-૨૫ પિન્ટેજ ૨૦ પૈસા અલગ.
[૭] સ્વાધ્યાય દેહનઃ ૨૪ શ્રી તીર્થકર દેવોની ઇંદ્રમહારાજા આદિએ કરેલી ભાવવાહી સ્તવના, નવપદની સ્તવના બે દ્વાર્વિશિકાઓ, વીતરાગ તેત્ર ઈત્યાદિ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં સંકલિત સ્વાધ્યાયને સુંદર સંગ્રહ; ગુજરાતી ટીપ્પણી સાથે રોયલ ૧૬ પછ ૨૩૦ પેજ મૂ. ૧-૨૫ પૈસા પટેજ ૨૫ પૈસા અલગ.
[૮] સ્વાધ્યાય સૌરભ: નવસ્મરણે, ઋષિમંડળ, પન્ના આદિ પ્રાતઃસ્મરણીય સ્તોત્રોને સ્વાધ્યાયસંગ્રહ
Page #233
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશતા
૧૯૨ :
કા. ૩૨ પેજી ૧૬૭ પેજ મૂ. ૫૦ પૈ. પેલ્ટેજ ૧૦ પૈક
અલગ.
[૮] ભક્તિસુધાતર’ગિણીઃ સ્નાત્રપૂજા તેમજ પૂજાઆમાં ખેલવાના ભક્તિગીતા, તથા ભાવવાહી ગહુલિના અપૂર્ણાંસંગ્રહ ક્રા. ૧૬ પેજી, ૧૦૬ પેજ મૂ, ૭૫ પૈસા પેાલ્ટેજ ૧૦ પૈસા અલગ.
[૧૦] ગીતમાધુરીઃ ભક્તિગર્ભિત પદો, તેમજ મેળાવડાઆદિમાં ઉપયેગી મધુર ગીતા ને ગુરુ ગ’હૂલિએના સુંદર સંગ્રહ. ક્રા. ૧૬ પેજી ૧૦૪ પેજ ૭પ સા પોલ્ટેજ ૧૦ પૈસા અલગ.
[૧૧] પ્રેમવાણીના પ્રતિકારઃ મૂર્તિપૂજાની સિદ્ધિ માટે સચોટ દલીલે। તથા સિદ્ધાંતપૂર્વકની હકીકતા સાથે મૂર્તિપૂજા પ્રત્યે શ્રદ્ધા નહિ ધરાવનાર વની શંકાઓનું નિરાકરણ કરતુ ઉપયાગી પ્રકાશન; ક્રા. ૧૬ પેજી મૂ. ૭૫ પૈસા. પેાલ્ટેજ ૧૦ પૈસા અલગ.
品
તા. કે. રજીસ્ટરથી મગાવનારે ૬૦ પૈસા વધારે સમજવાં.
પ્રાપ્તિસ્થાન : શ્રી વિશ્વમ’ગલ પ્રકાશન મંદિર, 60. શાહ રતિલાલ પુનમચંદ વાસણના વેપારી,
બજારમાં, પાટણ. (ઉ. ગુ.)
Page #234
--------------------------------------------------------------------------
________________ CRP 0907DOOR કો ICA Tocoooo @જs 009 @orm (c)(c)(c)(c) aમાવરણ દીપક પ્રિન્ટરી * આ મદાવાદૃ-૧,