Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
સહિત. ગુરૂ ગુરુ. છત્તીસગુણો છત્રીશ ગુણોએ યુકત. મઝ=મારા.
"પંચિંદિય-સંવરણો, તહ, નવ-વિહ-બંભર-ગુત્તિ-ધરો *ચાઉ-વિહ-કસાય મુક્કો, ઈઅમે અઠારસ-ગુણહિં સંજુત્તો; પણ પંચ-મહ-વ્યય-જુરો, *પંચ-વિહાયાર-પાલણ-સમત્યો, પંચ-સમિઓ, તિ-ગુત્તો,
“છત્તીસ-ગુણો ગુરૂ મજઝ. રા ૨. શ્રી આચાર્ય મહારાજની સ્થાપના કરવા માટેનું સૂત્ર-૧ ગાથાર્થ:- પાંચ ઇંદ્રિયોને (વિકારો તરફ જતાં) રોકી લેનારા, તેમજ નવ પ્રકારની - બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિઓને ધારણ કરનાર, (અને) ચાર પ્રકારના કષાયો વગરના, “આ અઢાર ગણોએ સહિત-૧
(તથા) પાંચ મહાવ્રતોએ સહિત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિવાળા, (અ) *ત્રણ ગુપ્તિવાળા, (એમ) "છત્રીશ ગુણોવાળા મારા ગુરુ મહારાજ) છે.
આચાર્યની સ્થાપના કરવાના સૂત્રનો વિશેષાર્થ ૧. આ સૂત્રમાં આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણો બતાવ્યા છે.
૨. કોઈ પણ ધાર્મિક ક્રિયા ગુરુ મહારાજની સામે, તેમની સાક્ષીએ અને તેમની આજ્ઞાપૂર્વક - તેમનો વિનય જાળવીને – તેમની સેવા – ઉપાસના કરતાં કરતાં કરવાની હોય છે.
૩. તેથી આચાર્ય મહારાજ – ગુરુ મહારાજ હાજર ન હોય તો – સ્થાપના આચાર્યની સામે તેમની પ્રમાણે જ વર્તન રાખીને ધાર્મિક ક્રિયા કરી શકાય છે. અને તેઓ પણ ન હોય તો, પુસ્તક, નવકારવાળી અથવા સમ્યફ-દર્શન, જ્ઞાન, ચારિત્રના કોઈ પણ ઉપકરણને પાટલી, સાપડા વગેરે ઊંચા સ્થાન ઉપર મૂકીને સ્થાપના આચાર્ય સ્થાપી લેવામાં આવે છે. તેની સામે પણ ક્રિયા કરવાથી ક્રિયા શુદ્ધ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org