________________
કેટલી ભૂલો કરી હશે? હું વીતરાગ નહીં બને ત્યાં સુધી છવસ્થાવસ્થામાં ભૂલો કર્યા જ કરીશ. હું બીજાને પીડા આપીશ તો પીડા જ મળશે. આમ અઈમુત્તા મુનિએ ભૂતકાળ અને ભવિષ્યકાળની વિચારણા કરી પીડા પામવા અને આપવાના વિચારથી અટકવાના પરિણામથી શ્રેણિ મંડાણી અને કેવલજ્ઞાન થયું.
૧૪ રાજલોકની અંદર જીવોનું અને અજીવોનું અસ્તિત્વ સ્વીકારવું એ આસ્તિકયનો પાયો છે અર્થાત્ સદર્શનનો પાયો છે. અભવ્યનો આત્મા સમ્યગુદર્શન પણ ન પામી શકે તો મોક્ષની તો વાત જ નથી.
હુંઅનાદિકાળથી છું અને અનાદિકાળ સુધી રહેવાનો છું. આપણે રહેવાના ન હોઈએ તો ચિંતા ન કરત પરતુ રહેવાના છીએ તેથી આત્માની ચિંતા કરવાની છે.
તમે સ્નાન કરવા બેસો પછી સ્નાન કઈરીતે ચાલે? સ્નાન છૂટી જાય એ રીતે ને? અર્થાત્ સ્નાન કરવાની પછી ફરી કયારેય જરૂર ન પડે એ રીતે.
સર્વવિરતિ ન લઈ શકે તો પૌષધ લેવાની જરૂર લાગે. તમે પૌષધ કે સામાયિકમાં રહો તો તે ભાવપૂજા જ છે. તેથી દ્રવ્યપૂજાની જરૂર નથી.
તેઉકાય અને વાયુકામાં ગયેલો આત્મા સીધો મનુષ્યગતિમાં ન આવી શકે. તેઉકાય-વાયુકામાંથી નીકળી પૃથ્વીકાય, વિકલૈંદ્રિય વગેરેમાં જાય પછી મનુષ્યભવમાં આવી શકે.
જીવો ત્રણ પ્રકારે
વેદની વેદના ભોગવવા માટે સંસારી જીવોને કર્મસત્તાએ ત્રણ પ્રકારમાં વહેચી નાખ્યાં. પુરુષવેદ-સ્ત્રીવેદ–નપુંસકવેદ. સમગ્ર સંસારી જીવો ત્રણ પ્રકારની વેદનામાંથી કોઈને કોઈ વેદના ભોગવનારા હોય છે. ત્રણ લિંગ માત્ર વેદની તરતમતાને જણાવનાર છે. આત્મા અવેદી છે.
आत्मानं वेत्यविज्ञानि त्रिलिंग संगतंवपु : । सम्यग्वेदी पुनस्तत्त्वं लिंग संगतिवर्जितम् ।
(યોw૫)
નવતત્વ // ૩૮