________________
મંત્રસાધનાપદ્ધતિ - અહીં કેઈએમ કહેતું હોય કે આ રીતે મંત્ર:
સાધકની યોગ્યતા કેળવવા જતાં ઘણે વખત નીકળી જાય, પછી- મંત્રની સાધના કયારે કરીએ ? પરંતુ એમ કહેવું ઠીક નથી. ગાડી વહેલી ઉપડતી હોય અને આપણે તે જ ગાડીમાં મુસાફરી કરવી હોય તે ઝટપટ વહેલા તૈયાર થઈએ છીએ અને તેમાં સમયસર દાખલ થઈ જઈએ છીએ. એવું આમાં કેમ ન કરીએ ? તાત્પર્ય કે મંત્રસાધના સમયસર જરૂર થઈ શકે તે માટે સાધકે ચગ્ય ગુણ સત્વર કેળવવા જોઈએ. એ વાત સાચી છે કે દુર્ગુણોએ કુટેવોએ આપણા પર પકડ જમાવી હોય તે તેમાંથી છૂટતાં વાર લાગે છે, પણ સંકલ્પ દઢ હોય તે એ કામ થોડા સમયમાં–અરે! થોડી ક્ષણોમાં જ બની શકે છે. આ
- સાધકને યોગ્ય ગુણ કેળવતાં જીવનનું ઘડતર થાય છે, એ ભૂલવાનું નથી. આ તે “એક પંથ અને દે કાજ જેવું છે.. . .. ... ... ..
- સાધકને બીજો પ્રયત્ન ગુરુને–સદ્ગુરુને શોધવાને ન હોવો જોઈએ, કારણ કે તે સિવાય ઈષ્ટમંત્રની પ્રાપ્તિ
થતી નથી. સદગુરુ કેન કહેવાય ? અને તેમની કૃપાથી કેવા કેવા લાભે થાય છે? તે અમે પૂર્વગ્રંથોમાં વિસ્તા
તે અંગે અમોએ રચેલા સંકેપેસિદ્ધિ નામના ગ્રંથમાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. બીજી રીતે પણ આ ગ્રંથ અવશ્ય વાંચવા જેવું છે. . : : . . . . . . . .