________________
૧૪૬
મંદિવાકર દેવતાઓના ભેદ અનુસાર ગંધ, ધૂપ, દીપ આદિમાં વિશિષ્ટ વસ્તુઓને ઉપયોગ કરવાનું વિધાન છે અને પુછપમાં પણ કેટલાક વિધિ-નિષેધ છે, તે સંપ્રદાયથી સમજી લેવા.
જ્યાં વિશેષ ઉપચારો મળવાની સંભાવના ન હોય ત્યાં માત્ર પુષ્પ અર્પણ કરીને પણ પૂજન કરી શકાય છે અને જ્યાં પુષ્પ પણ ન મળે તેમ હોય, ત્યાં પત્ર અર્પણ કરીને પણ પૂજન કરી શકાય છે.
આ ઉપચાર વડે પૂજન કરતાં મંત્રદેવતા પ્રત્યેની ભક્તિ વ્યક્ત થાય છે અને તે સાધકનું શ્રદ્ધાબળ વધારવામાં ઘણી ઉપયોગી નીવડે છે. વળી નિત્ય-નિયમિત પૂજન કરતાં મંત્રદેવતાનો સંપર્ક ગાઢ થાય છે અને તેની અસર મંત્રસાધના ઉપર જરૂર પડે છે. . ટૂંકમાં શક્તિ મુજબ ઉપચારોને આશ્રય લઈને ખૂબ ભક્તિ અને શુદ્ધિપૂર્વક મંત્રદેવતાનું પૂજન-અર્ચન કરવું જોઈએ.
પહેલે ખંડ-સમાપ્ત