________________
પરિશિષ્ટ -
૩૬૧ . “તંત્ર” શબ્દને અથ . .. વાગમમાં તંત્ર શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં ' જણાવ્યું છે કે જેના વડે. મંત્રના અર્થનું વિસ્તાર- પૂર્વક નિરૂપણ થાય અને મનુષ્યની ભયથી રક્ષા થાય
તે તંત્ર છે. તેમાં જ તંત્રની તંત્રતા છે, એમ તંત્રશાસ્ત્રોના જાણકાર કહે છે. તેમજ તંત્ર શબ્દનો અર્થ - વ્યાપક રીતે વિચારીએ તે શાસ્ત્ર, સિદ્ધાંત, અનુષ્ઠાન અને - વિજ્ઞાન થાય છે. તેનું જ બીજું નામ છે –“આગમ.”
તંત્ર અને આગમને પર્યાયવાચી કહી શકાય. આગમ શાસ્ત્ર તેને કહેવાય છે કે જેમાં ભોગ અને મેક્ષના ઉપાયે દર્શાવેલા હોય.
- દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ વગેરેનું જેમાં ચિંતન હોય તથા પટેલ, પદ્ધતિ, કવચ, સહસ્ત્રનામ તથા સ્તોત્ર
આ પાંચ અંગવાળી પૂજાનું જેમાં વિધાન હોય, તેને - તંત્રગ્રંથની સંજ્ઞા અપાય છે. તંત્રમાં પંચમકારાદિ અનેક
શબ્દો એવા છે કે જેમનો અર્થ રહસ્યપૂર્ણ છે અને તે ગુરુગમ્ય છે. વામમાર્ગનું પણ રહસ્ય એવું જ છે. આવા શબ્દોને અનુલક્ષીને જ કતિપય જેને આ સાહિત્યની નિંદા કરવા માંડે છે, જે સર્વથા અનુચિત છે.
તંત્ર-સાહિત્ય ઘણું પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. તેમાં ભારતીય વિભિન્ન સંપ્રદાયના ઉદયની સાથે જ ... सर्वेऽर्या येन तन्यन्ते, त्रायन्ते च भयाज्जनान् ।
इति तन्त्रस्य तन्त्रत्वं, तन्त्रता : परिचक्षते ॥