________________
૧૦૬
દુર્યોધને ધૃતરાષ્ટ્રને પિતાની યોજના સમજાવી.
હસ્તિનાપુરના રાજમહેલમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્ર બંને માટે જગ્યા નહોતી. ખુદ હસ્તિાપુર એક પાટનગર લેખે પણ, બંને માટે પૂરતું ન ગણાય, એક મ્યાનમાં બે તલવાર ન હોય, તેમ એક રાજ્યમાં બે રાજસત્તાઓ ન સંભવે. અને સંભવે તો તે રાજ્યના વિનાશમાં જ પરિણમે. પાંડે હસ્તિનાપુરમાં ઠરીઠામ થશે, તે સિંહાસનના સિદ્ધાંતિક રીતે તે તેઓ સ્વામી છે જ; અને વ્યવહારમાં પણ ધણીરણી થઈ પડશે; દુર્યોધન અને તેના ભાઇઓ અને તેના સાથીઓને શકેવું લેવાને જ પ્રસંગ આવશે.
તો?” દુર્યોધનને મુખેથી ભાવિનું આવું કરણ ચિત્રણ સાંભળીને ધૃતરાષ્ટ્ર એકાક્ષરી સવાલ પૂછ્યું.
| સર્વનાશે સમુ ગઈ ત્યગતિ વંતિઃ | ( જતું હોય બધું ત્યાં તો ડાહાએ અર્ધ છોડવું ) દુર્યોધને સૂત્ર ઉચ્ચાર્યું.
“એટલે ?” કંઈ જ ન સમજતો હોય એવો દેખાવ રાખીને ધૃતરાષ્ટ્ર ખુલાસે માગ્યો.
હસ્તિનાપુરથી થોડે દૂર ઇન્દ્રપ્રસ્થ નામનું ગામ છે. પાંડવોને તમે કાઈ પણ રીતે સમજાવી ફોસલાવીને એ ગામમાં રવાના કરે. હસ્તિનાપુર મારી રાજધાની અને ઇન્દ્રપ્રસ્થ પાંડની રાજધાની. પિતાના રાજ્યના બે ભાગ આપણે પાડી દઈએ.”
ભાગ પાડવાની આ પણ એક અજબ રીત છે; મૂળ ધણીને પૂછવાનું જ નહિ. કેઈ ત્રીજા તટસ્થને પણ વચ્ચે રાખવાનો નહિ !
“પણ આવા ભાગલા યુધિષ્ઠિર કબૂલ કરશે ?” “તમે તમારી ચાતુરી વાપરશે તે જરૂર કરશે. એ ભોળો અને શાંતિપ્રિય છે. એની પાસેથી કામ કેવી રીતે લેવું એ તમને બરાબર આવડે છે.”
પણ ભીમ વગેરે ?” ભાઈઓ યુધિષ્ઠિરના વેણને ભગવાનનું વેણ સમજે છે.” “પણ એમને સસરે દ્રુપદ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com