________________
૩૩૫
આ શ્લોકા મને લાગે છે કે પ્રત્યેક શાળા અને મહાશાળાના મુખદ્રાર પર કાતરી રાખવા જેવા છે. વિવેક અને સંયમ સત્ર આવશ્યક છે, જીવનના કાઈ ખંડ એવા નથી જેમાં આ બે વગર ચાલે; પરંતુ ઊગતી પેઢીને ઘડવાનું પવિત્ર કા` લઇને ખેડેલાએને માટે તેા એ બંને–વિવેક અને સયમ-પ્રાણુરૂપ જ છે, એ સત્ય અર્જુને વિરાટને આપેલા ઉપરના અણુમેાલ જવાબમાં છે.
છેલ્લે એક વાત. ઉત્તરા અને અર્જુન વચ્ચેના ગુરુ-શિષ્યા-સંબધની પવિત્રતાની આ વાત વૈશપાયન ઉત્તરાના પૌત્ર અને પરીક્ષિતના પુત્ર જનમેજયને ઇતિહાસ લેખે સંભળાવે છે એ આપણે યાદ રાખવું જોઇએ.
ઇતિહાસ એટલે શું અને ઇતિહાસનું સ્થાન ઊગતી પેઢીના શિક્ષણમાં કેટલું મહત્ત્વનું છે, અને તે કયે કારણે, તે મહાભારતનેા કવિ કેટલુ સરસ સમજે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
--કરસનદાસ માણેક
www.umaragyanbhandar.com