________________
૩૩૩
નર્યું અજ્ઞાન છે. વિશ્વ તાસાં સ રમૂવ વાંઢવઃ એટલો ઈશારે કરીને જ વ્યાસજી નથી બેસી રહ્યા. કીચકવધ પછી કૈપદી નૃત્યશાળામાં આવે છે ને બ્રહનલા તેને કુશળ સમાચાર પૂછે છે ત્યારે તે (પોતાના માની અને ઇર્ષાળુ સ્વભાવ પ્રમાણે) -
તારે હવે દ્રૌપદીનું શું કામ છે? તું તે સદૈવ કન્યાપુરમાં સુખરૂપ વસે છે ને !”
– એ કટાક્ષ કરીને ઘણું કહી નથી નાખતી ?
તે પછી વિરાટની ગેરહાજરીમાં દુર્યોધન વગેરે આક્રમણ કરે છે ત્યારે “શું કરું ? મારી પાસે કોઈ સારા સારથિ નથી. નહિ તે એ સહુને હું એકલો પૂરો પડું!” એવી ડંફાસ ઉત્તરકુમાર મારે છે ત્યારે દ્રૌપદી તેને બ્રહનલાને (અર્જુનને) સારથિ બનાવવાનું સૂચવે છે અને -
તારી આ રૂપાળી નાની બહેન જે એમ કહે, તે એ જરૂર માની જાય !” એમ કહીને વ્યાસજીએ જે પહેલું સુચન કર્યું છે (ચિત્ર તાસાં સ રમૂવ પાંડવઃ) તેનું જ જાણે સર્મથન કરે છે.
વળી દ્રૌપદી તરફથી આટલો ઇશારે મળતાં ઉત્તરા અર્જુન પાસે જે રીતે દોડે છે અને અર્જુન ઉત્તરાને જે રીતે સત્કારે છે અને બે વચ્ચે જે ઊલટભર્યું સંભાષણ થાય છે તે બધું પણ એ એક જ દિશા ભણી આંગળી ચીધે છે. અર્જુન પૂછે છે :
किं ते मुखम् सुन्दरि न प्रसन्नम् ?
(શે સુન્દરિ, તારું ઉદાસ મેટું ? ) અને ઉત્તરા જવાબમાં કારણ કહે છે, પણ કેવી રીતે ?
પ્રાચે માવયન્તી |
(પ્રણય બતાવતી) ટૂંકમાં, એક વરસ અર્જુન ઉત્તરાને ગુરુપદે રહ્યો તે દરમ્યાન શિષ્યાના હદયની રસાળ ધરતીમાં ફૂટતા લાગણીના કાંટાને અજુને સતત જાગૃતિપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com