Page #1
--------------------------------------------------------------------------
________________
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
5A22008
મMIભારત-કથા, ગા, સણા, મરી અને વિરાટની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મહાભારત-કથા. મહર્ષિ વ્યાસને પગલે પગલે
ભાગ ૧ લે આદિ સભા વન અને વિરાટ પર્વ
યુગે યુગે જેમાંથી નવા અર્થ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂ૫ માર્ગદર્શન મળી રહે એવાં સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરિ સ્થાને ભગવાન વ્યાસ પ્રત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવત કથાનું યુગાનુસારી નિરૂપણું આપવાને અહી પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળને જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીએ થાય છે, તે ય થયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે.
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
કરસનદાસ માણેક નચિકેતા પ્રકાશન ૧૩, દાદાભાઈ રેડ, વિલા પાર્લા, (પશ્ચિમ) મુંબઈ પ૬ (As)
(c) કરસનદાસ માણેક
પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ, ૧૯૭૦
કિંમત : અગિયાર રૂપિયા ત્રણેય ભાગના સાથે અગાઉથી સત્તાવીશ રૂપિયા
મુદ્રકઃ શ્રી સ્વામિનારાયણ પ્રિન્ટીંગ પ્રેસ વલ્લભ વિદ્યાનગર, જિ. ખેડા (ગુજરાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનાં માનવમાંગલ તત્ત્વા જીવનમાં પુનઃ પ્રતિષ્ઠિત થાય એ જ જેમની સૌથી મેાટી ઝ ંખના છે એવા
શ્રી મનુ સુબેદારને
સ-પ્રેમ સ-આદર
પ્રકૃતિકેરી પાળેને અનાયાસે અતિક્રમી તમારી સંસ્કૃતિ-પ્રીતિ શત-સ્રોતે રહી રમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
હે ભારતના ગાનારા !
હે ભારતના ગાનારા,
કલેકે લેકે શબ્દે શબ્દ
વહેતી અશ્રુધારા ! તેં માનવમાં દાનવ ગાયે, દાનવમાં માનવને જાયે :
માનવ ને દાનવના દાખ્યા સેળભેળ સીમાડા !
હે ભારતના ગાનારા ! વિશ્વ મહાવટને તેં ગાયે, સજનના નટને તે ગાયે,
નટ ને વટના વિરાટ પટના આ નટખટ વણનારા !
' હે ભારતના ગાનારા ! પ્રકૃતિની તે લીલા ગાઈ, તે સંસ્કૃતિની દીધી દુહાઈ:
સત્યતણું શરણાઈ બજાવી ગુજવિયા જગઆરા !
હે ભારતના ગાનારા ! વ્યકિત, કુલ, જાતિના ધર્મો : રાજ-સમાજ-વિશ્વહિત-મર્મો :
કર્મયુગની અમર કથાઓ સમરમહીં ગૂંથનારા !
હે ભારતના ગાનારા ! સ્વાના નિધૃણ સંઘર્ષો, ૫૨મ-અર્થ-ઉજજવલ આદર્શો,
આદર્શોના સંઘર્ષોને દશનસર ઝીલનારા !
હે ભારતના ગાનારા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂર્વ રંગ
મહાભારત, રામાયણ, ભાગવત, ગીતા અને ઉપનિષદ બચપણથી જ મારા જીવનસંગાથીઓ બની ગયાં છે.
આ સદીના પહેલા દાયકાની વાત છે. કરાંચીન દાંડિયા બજારના નાકા પર દાદાની જથ્થાબંધ અનાજની વખાર. શાસ્ત્રી રેવાશંકર ગણપતરામ ભટ્ટ (પ્રવાસી સ્વપ્નદત્ત) એ જમાનાના કરાંચીને સર્વશ્રેષ્ઠ સંસ્કૃતવિદ્દ વેદાન્તા
ભ્યાસી પિરાણિક અને કીર્તનકાર. જેવા આમૂલ વિદ્વાન તેવા જ નિર્મલ જીવનવાન . દાદાના એ સ્નેહાળ સમવયસ્ક અને શ્રદ્ધેય સન્મિત્ર. એમના પ્રધાન નવ શ્રોતાઓ (“નવ ગ્રહો’)માં દાદા અગ્રણ. વખારની પાસે જ આવેલા રણછોડરાયના મંદિરમાં શાસ્ત્રીજી રોજ રાતે ભાગવતની કથા કરે. દાદા ભાગે જ એ સત્સંગ ચૂકે, અને હું ભાગ્યે જ દાદાની આંગળી ચૂકું. સમયપાલનની બાબત શાસ્ત્રીજી પૂરા પાશ્ચાત્ય. સાડા નવને ટકે “અશ્રુતમ્ કેશવમ ” થાય. શ્રોતાઓ ધીરે ધીરે પોતાના ઘર ભણી રવાના થવા માંડે; અને હું નજીકમાં જ આવેલ બારનલના ચેક ભણું દેટ મૂકું, જ્યાં આગળ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી આવેલ છે ને કે માણભટ્ટ
વૈશંપાયન ઋષિ એણુ પર બોલ્યા ને સુણ જનમેજયરાય ? વિસ્તારી તુજને સંભળાવું અણિક પર્વ મહિમાય !
અહો રાયજી સુણિયે ! –ને મંગલાચરણ સાથે હજારેક જેટલી જનમેદની વચ્ચે નરવા કઠે મહાભારતની કથા કરતો હોય.
રાતના અગિયાર સાડા અગિયાર સુધી આ કથા ખુશીથી ચાલે. જે રંગ! એકાદશી જેવો કોઈ ધાર્મિક દિવસ હોય તો બાર-સાડાબાર પણ વાગે. કથા પૂરી થતાં હું નજીકમાં જ નેપિયર રેડ પર આવેલ અમારા ઘર તરફ દોડું અને પથારીમાં દાદાની પડખે પડતાં વેંત ઘસઘસાટ ઊંઘી જઉં. સ્વપ્ન આવે તો તે ય ઘટત્કચના ને અભિમન્યુના, કીચકના ને ભીમના, દ્રૌપદીના ને દુઃશાસનના, કૃષ્ણના ને અર્જુનના, લાક્ષાગૃહને ને મચ્છધના, ને એવાં એવાં !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મમુહૂર્ત દાદા ઊઠે. હાઈપેઈને દોઢ-બે માઈલ દૂર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરે મંગલા'ના દર્શન કરવા ઉપડે. દાદી અને બે ઘંટીએ દળવા બેસે. ફઈબા બાળમુકુંદની સહામણું મૂર્તિ સામે પૂજા-પાઠમાં પરેવાય; અને હું ફઈબાની સામે બેસીને પૂજાને એ ઠાઠ માણું. ગુજરાતી પ્રેસનું ભાગવત અને પોથીઘાટની બાંધણીવાળી દેવનાગરી ટાઈપમાં છાપેલી પંચરત્ની ગીતા સાથે રોજ બ્રાહ્મમુદ્દતે શરૂ થતી ફઇબાની આ શાનદાર પૂજાથી જ મારી પ્રીતિ બંધાણી.
શૈશવ અને કૈશોર્યનાં ચાર-પાંચ વર્ષો આ ક્રમ ચાલ્યો હશે. એ અરસામાં અમારે ત્યાં શાસ્ત્રીજીની ત્રણ–ચાર સપ્તાહો પણ થઈ હશે. આસપાસ નજીકમાં જ રહેતા એમના બીજા “આઠ રહે ”ને ત્યાં પણ એટલી જ સપ્તાહ થઈ હશે. એ બધી સપ્તાહોમાં હું ઉલટભેર હાજરી આપું. અધ્યાય-સમાપ્તિ વખતે “ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણે દશમસ્કંધે પૂર્વાધે પંચમો અધ્યાયઃ” એવા શબ્દોની સાથે વ્યાસપીઠની નીચે લટકતી ઝાલર પર મોગરી વડે હું કે વગાડવાને અધિકાર તે જાણે મારા એકલાને જ ! સપ્તાહ દરમ્યાન એક બે રાત શાસ્ત્રીજી ઊભા ઊભા ખાસ્સા દક્ષિણ પદ્ધતિથી કીર્તન કરે. તેમાં પણ મારી હાજરી તો હોય જ. માણભટ્ટોની કથા એટલા દિવસ મોકૂફ, –મારા માટે. અંબરીષ, ચંદ્રહાસ, સુધન્વા, મયૂરધ્વજ, દધીચિ, વશિષ્ઠ, હરિશ્ચન્દ્ર આદિ પૌરાણિક પાત્રોનાં શાસ્ત્રીજી મોટેભાગે કીર્તન કરે. ‘પૂર્વરંગ” અને “કથા” એવા બે ભાગે તેમાં સ્પષ્ટ જુદા તરી આવે. ગીત સ્વરચિત જ હોય. કરતાલ વડે તાલ દેતા જાય, સુમધુર કંઠે ગાતા જાય અને શ્રોતાઓ ઝીલતા જાય. વિવેચન અને કથાકથન શાસ્ત્રીજીનાં સુરેખ અને સચેટ-હૃદયદ્રાવક. કીર્તન-સમાપ્તિ પછી પ્રસાદ પણ પેટ ભરીને ખાઓ એટલે વહેચાય.
પછી દાદાજીનું અવસાન થયું. શાસ્ત્રીજી નિવૃત્તિ લઈ વડોદરા પિતાને વતન વાનપ્રસ્થ થયા માણભટ્ટો કેક કરાંચીમાં આવતા ઓછા થયા, અને કૈક તેમનું સ્થાન ત્રિ-વાચને લીધું. પણ હદયની ફળદ્રુપ ધરતી પર બાલ્યકાળમાં વવાયેલાં બીજો અંકુરિત પલ્લવિત થતાં રહે એવું વાતાવરણ શાળા અને કોલેજના મારા અભ્યાસકાળ દરમ્યાન સરજાતું જ રહ્યું. પૂ પા. શ્રીમન નથુરામ શર્મા કરાંચીમાં અવારનવાર પધારતા અને પધારતા ત્યારે શહેરથી દૂરના કેઈ ઉદ્યાનગૃહના રમણીય વાતાવરણ વચ્ચે મહિના-માસનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
એક જ્ઞાનસત્ર જ જાણે યેાજાઇ રહેતું. ઘરની સામે જ સનાતન હિંદુ ધર્મ – સભાનું મકાન હતું તેમાં કાઇ ને ક્રાઇ સાધુસંન્યાસીનાં પ્રવચને કે વર્ગ ચાલતા જ રહેતા. થાડેક દૂર એક બાજુ થિસેાફિકલ સેાસાઇટી, તેા ખીજી બાજુ આર્યસમાજ. બન્નેમાં, જુદા જુદા દષ્ટિકાથી, પણ એક જ સંસ્કૃતિ-પ્રશસ્તિનું કામ ચાલતું. એકમાં ઉપનિષદે અને મનનચિંતન ઉપર, તે ખીજામાં યજ્ઞયાગ અને વેદાભ્યાસ ઉપર ભાર મૂકાતા. સંસ્કૃતને નાદ તે! બચપણથી જ લાગેલેા, તે પુ. શ્રી નાનાલાલ વૈ. વેારાની છત્રછાયામાં વધતા વિકસતા ગયા હતા.
<
૧૯૨૧માં કરાંચીની ડિ. જે. સિંધ કાલેજ છેડીને અમદાવાદમાં ગાંધીજીસ્થાપિત ગુજરાત મહાવિદ્યાલયના આ વિદ્યા 'સ્નાતક-વમાં જોડાયા તે પછીનાં એ વર્ષો શૈશવથી કૌમાર્યાં સુધીમાં વવાયેલાં સંસ્કારખીજોના વિકાસ માટે આદર્શી અનુકૂળતા પૂરી પાડે એવાં બની રહ્યાં. એક તરફ ગાંધીજી અને પુરાણકાલીન દધીચિની તપેાભૂમિ પર ખડા થયેલ એમનેા આશ્રમ, ખીજી તરફ વિદ્યાપીઠનું અને પુરાતત્ત્વમંદિરનું માતબર પુસ્તકાલય અને ત્રીજી તરફ વિદ્યારત અને વિદ્યાથી વત્સલ મહર્ષિ-સમકક્ષ અધ્યાપક‰ન્દ. ત્રિવેણીનેા ધરાઇ ધરાને લાભ એ બે વર્ષ દરમ્યાન લીધેા.
'
વાંચન–શ્રવણની શરૂઆત, આમ, ઉપર ઉપરથી જોતાં, ધાર્મિક દૃષ્ટિક્રાણુથી થઇ એમ લાગે; પણ મને સ્મરણ છે ત્યાં લગી એની પાછળ મારી પેાતાની વૃત્તિ તે કેવળ રસાસ્વાદની, જિજ્ઞાસાવૃપ્તિની અને જીવન-પરશેાધનની હતી. હાઇસ્કૂલના ઉપલા વર્ગોમાં આવતાંની સાથે અંગ્રેજી ગદ્યપદ્ય સાહિત્યનેા પરિચય થવા માંડયા. મેટ્રિકમાં ટેનિસનનુ' નાક આન' અને ડિકન્સનું ટેઇલ : આફ્િ ધ ટૂ સિટીઝ કરવાનાં હતાં અને ાલેજના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે અંગ્રેજી અને યુરોપીય સાહિત્યના અમૃતસાગરમાં મનભર મહાલવાને લહાવા મળ્યે, ત્યારે એ બધાં પુસ્તક વાંચવાની પાછળ જે દિષ્ટ હતી, તે જ દૃષ્ટિ, મહાભારત–રામાયાદિના વાચન-શ્રવણુ પાછળ હતી, અને આજ સુધી તે જ રહી છે; એટલું જ નહિ, પણ એ જ દૃષ્ટિપૂર્વગ્રહાથી મુકત કેવળ રસનિષ્ઠ દૃષ્ટિ, એ જ આવા ધાર્મિક’ કે ‘સાંપ્રદાયિક’ લેખાતા સાહિત્યના પરિશીલન પાછળ હેાવી જોઇએ એવી અનુભવે કરીને મારી માન્યતા બંધાઇ છે. આ સિવાયની ખીજી કાઇ પણ દૃષ્ટિએ એ ગ્રંથા વાંચતાં, અથવા સાંભળતાં, આપણે આપણી જાતને તેમ જ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થને બન્નેને ઘર અન્યાય કરીએ છીએ એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. બાઈબલ અને કુરાને-શરીફ પણ મેં આ જ દષ્ટિએ વાંચ્યાં-માણ્યાં છે; અને માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ વાંચનારને એમાંથી જેટલું મળે તેથી ઘણું જ વધારે મને આ દષ્ટિએ વાંચતાં મળ્યું છે એવી મારી ખાતરી થઈ છે.
હકીકતમાં રસદષ્ટિ એ જ સર્વાગી સર્વગ્રાહી અને અખંડ દષ્ટિ છે, જયારે ધાર્મિક કે સાંપ્રદાયિક કે પુણ્યપાજક દષ્ટિ એ એકાંગી સંકુચિત અને ખંડ-દષ્ટિ છે. વળી એ બધા ગ્રંથો રચાયા છે પણ શબ્દબ્રહ્મને નજર સામે રાખીને, સાહિત્યિક દૃષ્ટિએ. “In the beginning was the word” બાઇબલ મંગલાચરણ કરતાં કહે છેઃ “and the word became flesh and the word was flesh.” અવ્યકત wordને વ્યકત કરનાર તરીકે જ fleshતે જોવાનું છે. રામાયણ તો આદિ કવિની કાવ્યકૃતિ છે જ; પણ મહાભારત પણ ઇતિહાસ કે ધર્મશાસ્ત્ર કે પાંચમે વેદ કે એવું બીજુ અનેક હોવા છતાં, તત્ત્વતઃ એક કાવ્યકૃતિ જ છે. મહાભારતકારે જાતે જ આ વાત નોંધી છે. પિતાની હવે પછી વ્યક્ત થનારી, શબ્દ–બદ્ધ થનારી. flesh રૂપે અવતરનારી કૃતિ માટે કાઈ બાહોશ લહિયો મેળવવા વ્યાસજી બ્રહ્મા પાસે જાય છે ત્યારે તે “મેં એક કાવ્ય રચ્યું છે” એમ જ કહે છે અને બ્રહ્મા પણ
त्वया च काव्यम् इति उक्तम्
तस्मात् काव्यम् भविष्यति । –એમ કહીને વ્યાસે પિતાની કૃતિ માટે પ્રયોજેલ કાવ્ય શબ્દ ઉપર પિતાની મહોર મારે છે.
એવા એ મહાભારત-કાવ્યના કાવ્યતત્ત્વને શક્ય તેટલું જાળવીને તેની આ કથા મે ગદ્યમાં આલેખી છે. અનેક જટિલ જંગલો, રણ, ખેતરો. પહાડા, ખીણ, સરોવર, સરિતાઓ, નગર, ગ્રામો, મહર્ષિઓના આશ્રમો, રાક્ષસોના અમાનુષી અાઓ, દેવ, યક્ષો, ગંધર્વોનાં કલ્પના–અદ્ભુત નિવાસસ્થાન, અને પૈશાચી દો ખડાં કરતી યુદ્ધભૂમિઓ વચ્ચે થઈને વહેતા, અને કયાંક કયાંક તો મહામુશ્કેલીથી હાથ લાગે એવી રીતે નાની મોટી અનેક આડકથાઓ વચ્ચે અટવાઈ-ખોવાઈ જતા કથાતતુને મેં મારી નજર સામે રાખ્યો છે. મહાભારતની કથા રમ્યાતિરમ્ય છે, પણ એવાં જ બકે ક્યાંક ક્યાંક તે એથી યે વધુ રમ્ય એનાં ઉપાખ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અને એનાં જીવનદર્શને છે. બધું જ પીરસવાનો આગ્રહ રાખું તો આવા પચીસ ગ્રંથ તો સહેજે જ ભરાય. એટલે એ મોહ છોડીને કેવળ “કથા” પર,story' પર – મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તે પણ, આવા ત્રણ ભાગમાં આપવા છતાં ઘણે સ્થળે એને ઘણી જ ટુંકાવવી પડી છે. વ્યાસજીની કથનશૈલીની કાવ્યમયતાને સુવાંગ જાળવી રાખવાને તે પ્રશ્ન જ નહોતો; પણ મહાભારતના આત્માને main word ને ક્યાંય આંચ ન આવે એની તકેદારી મેં યથાશકિત રાખી છે. એમાં હું કેટલે અંશે ફાવ્યો છું તે તે, અલબત્ત, અધિકારી વાંચકે જ કહી શકે. વ્યાસજી – કે હેમર – કે વાલ્મીકિ જે આપણા સમકાલીન હોત તો તેમણે પોતાને જે કે કહેવાનું હતું તે કોઈ ત્રિ–ખંડી, સપ્તખંડી કે દશ-ખંડી નવલકથા વાટે જ કહ્યું હત–ઉન પેલ સાર્ગ કે રામાં રોલાંની માફક, એવી મારી માન્યતા છે; અને એ માન્યતાને આધારે જ મેં આ કથાની માંગણી કરી છે, અલબત્ત, વ્યાસજીને પગલે પગલે. આવી જ રીતે ભાગવતની, વાલ્મીકિ-રામાયણની અને બાઇબલની કથા પણ સહદય જનતા-સુલભ બનાવવાની મારી ધારણા છે. ઉપનિષદ અને પુરાણોની કેટલીક વાર્તાઓને તે મેં ચાર નાની નાની પુસ્તિકાઓ દ્વારા રજૂ કરેલી જ છે, અને મહાભારત તથા હરિવંશને આધારે શ્રીકૃષ્ણના જીવનનું પહેલું સોપાન પણ “આર્યાવર્તન લોકનાયક' એ નામે તૈયાર કરેલ છે. બીજાં બે સોપાને “પાર્થસારથિ' અને “યોગેશ્વર શ્રીકૃષ્ણ” તૈયાર થતાં શ્રીકૃષ્ણની સમગ્ર જીવનકથા (કૃષ્ણની આસપાસ રચાયેલી નોવેલ નહિ, પણ કૃણની આધારભૂત જીવનકથા Biography ) આલેખાઈ રહેશે.
વર્ષોથી મગજમાં ઘોળાઈ રહેલી આ કથાને શબ્દબદ્ધ કરવાનું નિમિત્ત, અત્યંત આકસ્મિક રીતે, ગુજરાત રાજ્યના માહિતી નિયામક શ્રી મણિભાઈ શાહ બન્યા. એક વખતે પેટલાદમાં મારું કીર્તન હતું. મણિભાઈ અધ્યક્ષ હતા. હું ખાસ એ એક જ કાર્યક્રમ અંગે મુંબઇથી પેટલાદ આવ્યો હતો. મણિભાઈ પણ એ એક જ કામ માટે અમદાવાદથી પેટલાદ આવ્યા હતા. કીર્તન પછી પોતાનું અધ્યક્ષીય પ્રવચન પૂરું કર્યા બાદ અમદાવાદ પાછા ફરવા માટે તે મેટરમાં બેસવા જતા હતા, તે વખતે “અમારા “પંચાયતરાજ' માટે આવું કંઈક લખે તે ?” તેમણે મને આમંત્રણ આપ્યું.
અને તે પછી બીજે જ મહિને આ મહાભારતકથા “પંચાયત રાજ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
શરૂ થઈ અને શરૂ થતાની સાથે લોકપ્રિય થઈ, અને એટલે જ તે પછી વર્ષો બાદ “પંચાયત રાજ' બંધ થયું ત્યારે એને “ગુજરાત” માં આગળ ચલાવવામાં આવી. “પંચાયત રાજ” માં તો તે સચિત્ર આવતી હતી. આ પ્રસંગે શ્રી મણિભાઈને તેમ જ કથાની મુદ્રણ-ચિત્રણ-માવજત ખૂબ ભાવથી કરનાર તેમના ખાતાના ભાઈઓને-અને બહેનો પણ આભાર માની લઉં.
અને હવે જ્યારે એ ત્રણ ભાગોમાં ગ્રન્થસ્થ થઈ રહી છે, ત્યારે આવડા તોતિંગ પ્રકાશનની જવાબદારી એકલે હાથે ઉઠાવવાની હિંમત જે જે મિત્રોના ઉષ્માભર્યા સહકારે પ્રેરી છે તે સૌને પણ કૃતજ્ઞભાવે ઉલેખ કરી લઉં. અગાઉથી ગ્રાહકે નોંધવાની યોજના પ્રસિદ્ધ થઈ કે તરત જ ગુજરાત-બૃહદ ગુજરાતમાં ઠેરઠેર વસતા મિત્રોએ એ કાર્ય ઉલટભેર ઉપાડી લીધું. પહેલ, એક વખતના મારા તેજસ્વી વિદ્યાર્થી અને અત્યારના મારા સ્નેહાળ મિત્ર, કરાંચીથી નિર્વાસિત થયા પછી જામખંભાળિયામાં ઠરી ઠામ અને પ્રશસ્ત-નામ થયેલ શ્રી પુરુષોતમ પ્રેમજી બદીઆણીએ કરી. મોરબીની આર્ટસ કોલેજના આચાર્ય જયાનંદભાઈ દવેએ એટલી જ ઉલટથી મોરબીને સાથ મેળવી આપ્યો. રાજકેટના “સારથિ' ના તંત્રી મારા પુત્રવત મિત્ર-જેમની સાથે ત્રણ પેઢીઓને પ્રેમ-સંબંધ છે–મહેન્દ્ર વ્યાસ તો મારી સાથે પહેલેથી જ હતા. મુંબઈના મારા મિત્રો અને તેમાંય ખાસ કરીને કીર્તનકેન્દ્રના મારા સહટ્રસ્ટીઓ-મુ. શ્રી રામભાઈ બક્ષી, મીઠીબાઈ કોલેજના આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક, મારી પ્રત્યેક જ જાળને પોતાના માથે ઓઢી લેતા આઇડિયલ હાઈસ્કુલના આચાર્ય શ્રી નગીનભાઈ સંથેરિયા અને શ્રી હિંમત ઝવેરી અને બહેન પલ્લવી શેઠ... મારા પ્રત્યેક સાહસને પોતાનું સમજીને તેને વ્યવહારૂ બનાવવાની ચિન્તા કર્યા કરતા મારા પ્રેમળ મિત્ર શ્રી છગનલાલ લધુભાઈ શાહ, છેલ્લાં દશેક વરસથી જેમની સાથે હું પ્રેમની સાંકળે સંકળાયો છું તે ચારુતર વિદ્યામંડળના સમર્થ સૂત્રધાર શ્રી એચ. એમ. પટેલ અને પ્રકાશન પરના આર્થિક બોજને હળવો કરવાના હેતુથી પૃષ્ઠદાન કરનારા સહદય સંભાવિતો- (જેમનાં નામ ગ્રન્થનાં છેલાં પૃષ્ઠો પર અંકિત જ છે.)
પણ બધાં જ નામે ગણાવવા બેસીશ તો સરતચૂકથી પણ કોઈ રહી જશે એને અન્યાય થશે ! હકીકત એ છે કે ઠેઠ કલકત્તા, ધનબાદ અને ઝરિયા સુધી કથાના આ સાદને એવી તો બુલંદ દાદ મળી કે થોડા જ વખતમાં “સારું થયું જે આવું કામ તે ઉપાડયું: સાહિત્ય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
સંસ્કૃતિ પ્રત્યે લોકોને આટલે બધે સદ્ભાવ છે, તે અન્યથા તને જાણવા શી રીતે મળત!” એવી લાગણી મારામાં જમી. મારી ષષ્ઠીપૂર્તિ વખતે (આઠેક વર્ષ પહેલાં) અને કીર્તનકેન્દ્ર ટ્રસ્ટની સ્થાપના વખતે પણ (ત્રણેક વરસ પહેલાં) આવી જ લાગણી મેં અનુભવી હતી.
અને છતાં ગ્રન્થ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે એક વાતને વસવસો અત્યંત તીવ્રપણે અનુભવી રહ્યો છું. વસવસે અને ભોંઠપ બને ! ગ્રન્થ માર્ચ– એપ્રિલના અરસામાં ગ્રાહકોના હાથમાં મૂકવાની ધારણા હતી, તેને બદલે ઓગસ્ટ થયો ! કાને વાંક કાઢું? માણસ મંત્રની બાબતમાં જેટલે સ્વાધીન છે, તેટલો તંત્ર અને યંત્ર બાબત નથી. બીજો અને ત્રીજો ભાગ હવે નવેમબર ૭૦ અને ફેબ્રુઆરી ૭૧ માં આપવાની ધારણા છે પણ તે પણ પ્રકટ કરતાં હવે સંકોચ અનુભવું છું.
અંતમાં મારા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને આ ગ્રન્થના પ્રફ-વાચનની કેટલીક જવાબદારી પિતાને માથે ઉલટભેર ઉપાડી લેનાર વિદ્યાનગરની ટી વી. પટેલ આર્ટસ કોલેજના પ્રાચાર્ય શ્રી દિલાવરસિંહજી જાડેજાને હું અત્યંત ઋણી છું. પ્રફ-વાચન એ કેટલું કંટાળાભર્યું કામ છે એ તે જેને અનુભવ હોય તે જ જાણે. ઉપરાંત વિદ્યાનગરના જ સંસ્કૃતના અધ્યાપક શ્રી હરિપ્રસાદ જોષીને પણ હું એ જ ઋણી છું. શરૂઆતનાં ૭ર પાનનાં પ્રફે તેમણે તપાસેલાં છે. અને મુદ્રણ-વ્યવસ્થા અંગેની ડધામ પણ એમણે જ મૈત્રીભાવે કરી છે. સાથે સાથે અત્યંત કાળજીપૂર્વક હસ્તપ્રત તૈયાર કરવા માટે નચિકેતા કાર્યાલયના બહેન સુશીલા મેદાને પણ અહીં સાભાર ઉલેખ કરવો જોઈએ.
હવે ફકત પાંચ જ નામ બાકી છે, જેમને ઉલ્લેખ કર્યા વગર આ પૂર્વ રંગ અધૂરો જ ગણાય. “અખંડાનંદના તંત્રી ભાઈ શ્રી ત્રિભુવનદાસભાઈ ઠક્કર અને તેમના મુદ્રણ–નિષ્ણુત પુત્ર શ્રી પ્રવીણભાઈ ઠકકર, બન્નેએ પ્રકાશન જાણે તેમનું પોતાનું જ હોય એ રસ એનામાં લીધો છે; ઉપરાંત મારા કરાંચી-સમયના બે સહદય મિત્રો-શ્રી ડાહ્યાલાલ કોટક અને શ્રી કાનજીભાઈ પરમાર જેમણે પોતાની હજાર જાતની જાળો વચ્ચે મારા આ પ્રકાશન પાછળ ખૂબ સમય ગાળે છે; અને છેલ્લે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારા મિત્ર, સુહદ્ અને સ્વજન પ્રા. શ્રી રતિભાઈ ખેતાણી, જેઓશ્રી દાયકાઓ થયાં મારા દરેક કાર્યમાં અત્યંત ઉમળકાભેર સાદ અને સાથ પુરાવી રહ્યા છે. ૧૫, ઓગસ્ટ, ૧૯૭૦
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૩૫
૧. આદિપર્વ ૨. સભાપર્વ ૩. વનપર્વ ૪. વિરાટપર્વ
૧૭૦
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
નારાયણ અને નર
नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् ॥ નારાયણને, નરોત્તમ નરને તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને પછી નયનું આખ્યાન કરવું.”
નય એ મહાભારત ગ્રન્થનું બીજું નામ છે. તે ધર્મસ્તતો નઃ એ મહાભારતને સંદેશ છે. યની સાચી વ્યાખ્યા આ ગ્રન્થ દ્વારા વ્યાસજીએ આપી છે, એ જોતાં પણ નય એવું એનું નામ સાર્થક છે. ભરતનાં સંતાને એ એના મુખ્ય પાત્ર છે, એટલે આ ગ્રન્થને “ભારત” પણ કહેવાય છે. ગ્રન્થનાં અસામાન્ય વિસ્તાર તથા મહત્તા જોતાં એને મહાભારત નામ આપવામાં આવ્યું છે.
આ રચનું આખ્યાન રચતી વખતે એના રચનાર વ્યાસજીએ ત્રણ તને દૃષ્ટિ સમક્ષ રાખ્યાં છેઃ (૧) નારાયણને, (૨) નરોત્તમ નરને અને (૩) દેવી સરસ્વતીને. વાંચનારે તથા સાંભળનારે પણ એ ત્રણ તને નજર સામે રાખવાં જોઈએ – એ ગ્રન્થના વાચનશ્રવણમાંથી વધુમાં વધુ લાભ એને લેવો હોય તે.
આ ગ્રન્થનારાયણને નજર સામે રાખીને લખાયેલ છે વાચક-વિશ્વના અંતરમાં પિઠેલા પ્રભુને જગાડવા માટે લખાયેલ છે. આ માત્ર વાણીવિલાસ નથી. એને હેતુ છે; અને એ હેતુ છે, વ્યક્તિ વ્યક્તિના અંતરાત્મામાં પ્રસુપ્ત પડેલ પરમાત્માને જગાડવાનો.
આવી રીતે જેણે પિતાનામાં પહેલા પ્રભુને જગાડયા છે એ નર નરોત્તમ છે. અર્જુન એ નરોત્તમ નર છે અથવા કહે કે એવા નરોત્તમ નરત્વને સાધક છે. વાંચનાર ધારે તો તે અજુન જેવો જરૂર બની શકે છે, એ એ બને એવી મહાભારતના રચયિતાની ભાવના છે. નરોત્તમ નરેના નિર્માણના હેતુથી જ આ ગ્રન્થ લખાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
મહાભારતની રચના આમ સપ્રયોજન હોવા છતાં, કાવ્યનું તત્ત્વ તેમાં નથી એમ નથી. મહાભારત એ માત્ર ધર્મગ્રન્થ નથી, માત્ર ઇતિહાસનું પુસ્તક પણ નથી. ઇતિહાસ આમાં ગુંથાયેલ છે એ વાત ખરી; ધર્મનું એમાં વિવરણ છે એ પણ ખરૂં; પણ તત્વતઃ એ છે કાવ્ય. અને એટલે જ એના પરિશીલનમાંથી વધારેમાંથી વધારે રસ પ્રાપ્ત કરવા માગનારે એને એક કાવ્ય તરીકે જ વાંચવું જોઈએ. ત્રીજું તત્ત્વ-દેવી સરસ્વતીને મંગલાચરણમાં સંભારવાને આ જ આશય છે. સરસ્વતીની સાધનાને ઉદ્દેશ પણ નરને નરોત્તમ બનાવી, નારાયણ–અભિમુખ કરવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સર્પસત્ર
નૈમિષારણ્યમાં કુલપતિ શૌનકને દ્વાદશ-વાર્ષિક (બાર વરસને) સત્ર ચાલી રહ્યો છે. દેશ અને દુનિયાને ખૂણેખૂણેથી ઋષિઓ એમાં ભાગ લેવા ભેગા થયા છે.
એ સત્રમાં એક દિવસે મહર્ષિ ઉગ્રશ્રવા આવે છે. એમને જોતાં વેંત આખી સભા ઊભી થઈ જાય છે. સૌ એમને ઓળખે છે. નામ પ્રમાણે એમનામાં ગુણો છે. એમનું “શ્રવણ' (અધ્યયન) ઘણું જ વિસ્તૃત અને વૈવિધ્યભર્યું છે. “શ્રવણ'માં કેઇ એમની બરાબરીને નથી. બહુશ્રુતામાં પણ બહુશ્રુત ગણાય એટલું એમનું ‘શ્રવણું છે. વર્ષોથી એ અને એમના પિતા શ્રેતાઓના રૂંવાં ઊભાં કરી દે એવી રોમાંચક કથાઓ કહેવા માટે પ્રખ્યાત છે. પિતાનું તે નામ જ લેમ-હર્ષણ (રેમ-હર્ષણ રંવા ઊભા કરનાર) છે પિતા પુત્ર અને પૌરાણિક છે. ભૂતકાળની જ્ઞાનગરવી ગાથાઓ અધિકારી જિજ્ઞાસુઓને સંભળાવવી એ જ એમને વ્યવસાય છે.
જાતજાતની અને ભાતભાતની રસભરી કથાઓ (જિત્રા યા) સાંભળવાની ઉત્કંઠાવાળા મુનિએ રેમ-હર્ષણના આ પુત્રને જોતાં વેંત તેમને વીંટળાઈ વળે છે. ઉગ્રશ્રવા સૌને કુશળ પૂછે છે અને ઋષિઓને પિતપોતાના આસને પાછા બિરાજવાની વિનંતી કરે છે. તે પોતે પણ તેમને ચિંધાયેલા આસન પર બેસે છે.
આમ સૌ પોતપોતાના આસન ઉપર બેઠા પછી એક ઋષિ ઉભા થઈને મહર્ષિ ઉગ્રશ્રવાને સૌના વતી પ્રશ્ન પૂછે છેઃ
“આપ ક્યાંથી પધારે છો ?” “હું પરીક્ષિત-પુત્ર જનમેજયના સર્પ સત્રમાંથી આવું છું, મહર્ષિઓ.”
સર્પ-સત્રમાંથી !” નવા શબ્દથી ચોંકી ઊઠેલા કેટલાક ઋષિઓ પડઘો પાડે છે. “જનમેજયે સર્પ-સત્ર કર્યો હતો? શા માટે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
“પૃથ્વીના સર્ષ માત્રને સંહાર કરવા માટે! સને વંશવેલો ઉખેડી નાખવા માટે !”
“પણ કારણ?”
જનમેજયના પિતા પરીક્ષિતને તક્ષક નામના એક સાપે ડંખ દઈને મારી નાખ્યો હતો એ કેમ ભૂલી ગયા?”
પણ એક તક્ષકના અપરાધ માટે સર્પની આખી જાતિને નાશ કરવા તૈયાર થવું એ કયાંને ન્યાય ?” એકાદ જ્ઞાનવૃદ્ધ મહર્ષિનું કરુણા-સભર હદય ફડફડી ઉઠે છે.
વૈરવૃત્તિ જ એવી છે, ભાઈ,” કઈ બીજે કહે છે: “એકવાર ઉત્પન્ન થઈ પછી વધતી જ જાય, વિસ્તરતી જ જાય !”
હં. પણ પછી થયું શું?” જ્ઞાનની વાતો શરૂ થશે તે મૂળ વાત એક બાજુએ રહી જશે એવા ડરથી કોઈ કથા-રસિય મુનિને પૂછે છે.
શું થાય બીજું ?” ઉગ્રશ્રવા જવાબ દે છે. “લા, કડો, અબજો સર્પો યજ્ઞના અગ્નિની જવાળાઓમાં પડીને ભસ્મીભૂત થઈ ગયા.”
“તક્ષક સુદ્ધાં?” કેઈએ પૂછયું.
“આ જ ભગવાનની લીલા છે ને, ભાઈ !' ઉગ્રશ્રવા ઉત્તર આપે છે: “જે એકને નિમિત્તે આવડો મહાસંહાર આદર્યો તે જ એક બચી ગયો.”
કેવી રીતે ?” “તક્ષક ઇન્દ્રને આશ્રિત હતો; એટલે ઈન્ડે એને બચાવી લીધો !”
“શું કહે છે ? આર્યોના યજ્ઞયાગ વડે પુષ્ટ થતો ઇન્દ્ર જાતે જ આર્યશિરોમણિ પરીક્ષિતના ખૂનીને આશરો આપે !”
દે બધા ય એવા ! મનુષ્યના હિતને જોવા કરતાં પોતાના સ્વાર્થને પહેલે જુએ ! એટલે તે વિચારવંત પુરુષોએ સ્વર્ગ–લોલુપ દેવોને છોડીને એક અને અદ્વિતીય પર-બ્રહ્મની ઉપાસના માર્ગ પ્રબળે.”
ઠીક છે. પણ તક્ષકનું શું થયું ? તક્ષક છટકી ગયો છે એની જનમેજયના યાજ્ઞિકને ખબર જ ન પડી કે શું ?”
ખબર કેમ ન પડે?” ઉગ્રશ્રવાએ હકીકતને તંતુ હાથમાં લેતાં કહ્યું; “તક્ષકે ઇન્દ્રાસનનું રક્ષણ મેળવ્યું છે એ ખબર પડતાં યાજ્ઞિકે ખૂબ ક્રોધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ભરાયા. ઇન્દ્ર જે આપણે જ દેવ થઈને આપણી વિરુદ્ધ વર્તતે હોય તે તેને પણ અગ્નિને હવાલે કરવો જોઈએ એવો તેમણે સંકલ્પ કર્યો અને તક્ષાય સ્વાહાં ય સ્વાદાના ભીષણ નાદથી જનમેજયના સર્પ-સત્રની ધરતી ધણધણી ઊઠી.”
ખરા છે આ બ્રાહ્મણે ય તે ! પછી ?” “પછી શું? તક્ષક અને તેને રક્ષક ઈન્દ્ર બન્ને સ્વર્ગથી ઉખડીને જનમેજયના યજ્ઞના સહસ્ત્રશિખ અગ્નિ ભણી ઝિકાવા માંડયા... અને પળ બે પળમાં તો હતા-ન હતા થઈ જાત, પણ ત્યાં તો બરાબર અને વખતે, આસ્તીક નામે એક બ્રાહ્મણ બાળક આવ્યો. દ્વારપાળોએ તેને યજ્ઞ-સભામાં પ્રવેશ કરતાં રોકવાને પ્રયત્ન તે ઘણય કર્યોપણ તેમને સૌને આઘા ખસેડીને એ અંદર ધસી આવ્યો અને આવતાંવેંત જનમેજય રાજાને ઉદ્દેશીને તેણે “યજ્ઞ એટલે શું ? સાચે યજ્ઞ કેવો હોવો જોઈએ? પ્રાચીન કાળમાં કાણે કાણે એવા યજ્ઞ કર્યા હતા?”—વગેરે બધું જેમાં આવી જતું હતું એવા યજ્ઞ-સ્તુતિના શ્લેકે લલકારવા માંડયા. “રંતિદેવ, ગાય, નૃગ, આજમીઢ, ખટ્વાંગ, નાભાગ, દિલી૫, યયાતિ, માધાતા, ભીમ, યુધિષ્ઠિર, આદિ અનેક પુણ્યક પૂર્વજોએ યજ્ઞ કરેલા છે; ખુદ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે પણ થના કરેલા છે, જેમાં (સ્વયં ૨ ર્મ પ્રવર ચત્ર ) યજ્ઞ અંગેને બધા વિધિ પણ તેમણે જાતે જ કર્યો હતો.
એ બધા યજ્ઞો કયાં, અને આ તારે યજ્ઞ કયાં !” બ્રાહ્મણ બાળક આસ્તીકે પૂર્ણાહુતિ કરી.
આસ્તીકની આ સ્તુતિથી તે યજ્ઞમાં બેઠેલા સૌ-રાજા જનમેજય, યજ્ઞ કરાવનારા યાજ્ઞિક અને અન્ય મહર્ષિઓ બધા જ- પ્રસન્ન થયા. સૌને લાગ્યું કે આસ્તીક અમારી પ્રશંસા કરી છે. જનમેજયને તો પોતાના પ્રતાપી પૂર્વ સાથે પોતાની સરખામણું થાય એ ગમે જ; પણ બ્રાહ્મણોને પણ લાગ્યું કે ખુદ ઈન્દ્રને યજ્ઞની જ્વાળાઓ સુધી ઘસડી લાવવાની અમારી મંત્રશક્તિ ઉપર આસ્તીક મુગ્ધ છે.
સોના ચહેરા પર પ્રસન્નતા જોઈને જનમેજયે આસ્તીકને એક “વર આપવાની ઇચ્છા દર્શાવી.
આપને જે જોઈએ તે માગી લે.” બ્રાહ્મણ બાળકને તેણે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મનમાં તો હવે તેને સમજાઈ જ ચૂક્યું હતું કે આ લાગે છે ભલે બાળક, પણ છે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વૃદ્ધનું જેટલું માન કરવું ઘટે, એટલું જ આ જ્ઞાનવૃદ્ધનું માન થવું જોઈએ.
યાજ્ઞિકાએ રાજાને અનુમોદન આપ્યું. દરમ્યાન ઈન્દ્ર સમેત તક્ષકને યજ્ઞાગ્નિમાં હોમાવા માટે આવાહન કરતા તેમના મંત્રો તો ચાલુ જ હતા. ઇન્દ્ર એ મંત્રોના પ્રભાવથી પરાજીત થયો. તેણે પોતાની જાતને, તક્ષક સમેત, પૃથ્વી પર પડતી દીઠો. તે ભયભીત થયા. કટોકટીને વખતે આશ્રિત તક્ષકને પણ તેણે ત્યાગ કર્યો. બિચારો તક્ષક! એ હવે અરક્ષિત, એકાકી અને દીન બનીને યજ્ઞની જવાળાઓ તરફ ઘસડાવા માંડયો.
પણ બ્રાહ્મણ બાળ આસ્તીકને પ્રભાવ પણ કે ઓછો ન હતો.
યજ્ઞ–અગ્નિથી હવે થોડાક જ છેટા રહેલા તક્ષકને તેણે “તિ ઝ!' કહીને ત્યાં જ થંભાવી દીધો. પછી રાજાને ઉદ્દેશીને તેણે કહ્યું : “તારે જે મને કૈક આપવું જ હોય તો ફક્ત આટલું જ આપઃ આ સર્પસત્ર બંધ કરી દે !”
રાજાએ આસ્તીકને તેની આ માગણીના બદલામાં પુષ્કળ દ્રવ્ય આપવાની લાલચ દેખાડી, પણ આસ્તીક મક્કમ રહ્યોઃ “સત્ર તે વિરમતું જીતતા તારે આ સત્ર હવે આટલેથી જ પૂરો થાઓ, એવી મારી માગણી છે.”
અને તે જ પળે જનમેજયે સર્પ સત્ર બંધ કરવાની આજ્ઞા આપી.
“અભુત ! અભુત !” ચોમેરથી ઋષિએ ઉગ્રશ્રવાને ધન્યવાદ આપી રહ્યા. “આપણું ઈતિહાસની એક અજોડ ઘટના નજરે નિહાળવાને લહાવો તમને મળ્યો, મહર્ષિ !”
એથી યે એક વધુ મોટો લહાવો મને ત્યાં મળ્યો છે, મહાનુભાવો.” “એ વળી કઈ જાતને ?”
“જનમેજયે સર્પસત્રની દીક્ષા લીધી છે એવા સમાચાર સાંભળતાં વેંત મહર્ષિ વ્યાસ પિતાના અનેક શિષ્યો સાથે ત્યાં આવેલા. એમને જોતાં જ જનમેજય અને અન્ય સૌ ઊભા થઈ ગયા. એમને યથાવિધિ સત્કાર કરીને જનમેજયે એમને પૂછેલું: “પાંડુપુત્રો અને ધૃતરાષ્ટ્રપુત્રનું યુદ્ધ તમે નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
નજરે નિહાળ્યું છે, મહર્ષિ વ્યાસ! યુદ્ધ શા માટે થયું, સદૈવ સદાચારમાં રહેનારા એવા તેમની વચ્ચે આવો ઘોર પારસ્પરિક ઠેષ શી રીતે જન્મ્યો, એ બધું સાંભળવાની મારી ઈચ્છા છે.”
વ્યાસજી તો આ સંભળાવવા માટે જ આવ્યા હતા. દર્પ, વ, મત્સર, હિંસા, આદિના કુપરિણામો કેટલાં ભયંકર આવે છે, તે તેઓ જનમેજયને તેના પૂર્વજોને દાખલો આપીને સમજાવવા માગતા હતા. લુખાં બાધવચનોથી જે કામ ન થાય, તે આવાં ઐતિહાસિક દષ્ટાતાને અધ્યયનથી થઈ શકે એવી તેમની દઢ પ્રતીતિ હતી. એ કારણે જ તેમણે મહાભારતની આખી કથા કાવ્યબદ્ધ કરી હતી; અને એ કાવ્ય વૈશંપાયન નામના પિતાના શિષ્યને શીખવ્યું હતું. એ વૈશંપાયન પણ તેમની સાથે હતો.
વૈશંપાયનને તેમણે આજ્ઞા આપી, મહાભારત સંભળાવવાની. મહિનાઓ સુધી, આમ, એ સર્પસત્ર દરમ્યાન, આ મહાભારતનું શ્રવણ સૌએ વ્યાસજીની હાજરીમાં અને વૈશંપાયનને મોંએથી કર્યું.
અને એ શ્રવણ તેમને માટે એક આધ્યાત્મિક કેળવણુ જેવું બની રહ્યું. હિંસા અને પ્રતિહિંસામાંથી તેમની શ્રદ્ધા એ શ્રવણને કારણે કાઠી ગઈ. આસ્તીકની માગણના સ્વીકાર માટેની પાર્વભૂમિકા, આમ, આ મહાભારતના શ્રવણે જ સરજી આપી હતી.
આસ્તીક તે એક છેલું નાટયાત્મક નિમિત્ત જ બન્યો, માત્ર! સપ. સત્ર બંધ રહ્યો તેને યશ તત્ત્વતઃ વ્યાસ રચિત અને વૈશંપાયનકથિત મહાભારતને જ ફાળે જાય છે. એવું એ મહાભારત આખું વ્યાસજીના સાનિધ્યમાં અને વૈશંપાયનને મોંએથી સાંભળવાને લહાવો મને મળ્યો, મહર્ષિઓ, એ કૈ ઓછા સદ્ભાગ્યની વાત ગણાય !”
“તો હવે અમને તે મહાભારત જ સંભળાવો.”
અને કુલપતિ શૌનકના દ્વાદશ વાર્ષિક સત્ર દરમ્યાન સૂત પૌરાણિકે, એટલે કે રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાએ અસંખ્ય મહર્ષિઓને મહાભારતકથા સંભળાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
મહાભારતને લેખક
એક વેદને ચાર સંહિતાઓમાં સંકલિત કર્યા પછી વ્યાસજીએ મહાભારત રચ્યું. ઈતિહાસને તેમણે મને મન શબ્દબદ્ધ કર્યો. પછી એમને વિચાર થયો કે આ “આખ્યાન-વરિષ્ઠ” મારે મારા શિષ્યોને ભણાવવું શી રીતે ?
વ્યાસજીના મનની આ મુંઝવણ પામી જઈને લોક-ગુરુ બ્રહ્મા તેમની પાસે આવ્યા.
તેમને જોતાં જ મહર્ષિ વ્યાસ પોતાના શિષ્યોની સાથે ઊભા થઈ ગયા. પિતામહને વંદન કરીને તેમણે એક સુયોગ્ય આસન પર બેસાડ્યા. અને પછી તે પિતે તેમની પાસે ઊભા રહ્યા. બ્રહ્માએ એમને બેસવાનું કહ્યું ત્યારે જ એ બેઠા.
પછી બ્રહ્માને તેમણે કહ્યું : “ભગવન, મેં એક સુદીર્ઘ કાવ્યનું મનોમન નિર્માણ કર્યું છે. એમાં વેદનું રહસ્ય તેમજ બીજું એ કે મને સદાને માટે જાળવવા જેવું લાગ્યું છે તે બધું જ મેં ગૂંથી લીધુ છે. ઉપનિષદોને મર્મ પણ મેં યથાસ્થાને સમજાવ્યો છે. ઇતિહાસને અને પુરાણી લકકથાઓને પણ મેં એમાં સમાવિષ્ટ કર્યા છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય; જરા, મૃત્યુ, ભય, વ્યાધિ, ભાવ અને અભાવની સમજણ વિવિધ ધર્મ અને આશ્રમોનાં લક્ષણો; ચાતુર્વર્ય અને સમગ્ર પુરાણેને સાર; તપ, બ્રહ્મચર્ય, પૃથિવી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું પ્રમાણ, યુગોનું પ્રમાણ, કફ, યજુવું અને સામે ત્રણ વેદ અને અધ્યાત્મ, ન્યાય, શિક્ષા, ચિકિત્સા, દાન, પાશુપત; દેવો અને મનુષ્યના જન્મને હેત; તીર્થોનું વર્ણન, નદીઓ, પર્વતો, વને, સાગરો અને દિવ્ય નગરોના વર્ણને, યુદ્ધ-કૌશલ, વ્યાકરણ, જનતાનું જીવન; જે કૈ સર્વલકને ઉપયોગી થઈ પડે એવું મને લાગ્યું તે બધું જ મેં આ એક ગ્રન્થમાં ગૂંથી લીધું છે. ___ पर न लेखकः कश्चिद् एतस्य भुवि विद्यते।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
મારાં આ કાવ્યને હું લખાવું તેમ લખી આપે એવો કોઈ લેખક મને પૃથ્વીના પટ પર દેખાતો નથી.
બ્રહ્મા આ બધું સાંભળી રહે છે. કોઈ બીજાના મુખમાં જે બેલ અતિશયોક્તિભર્યા લાગે, તે વ્યાસજીના મુખમાં તેમને તદ્દન સ્વાભાવિક લાગે છે, કારણ વ્યાસજીની શક્તિઓથી અને એમના સંયમથી બ્રહ્મા સુપરિચિત છે. વળી વ્યાસજીએ જન્મ ધરી કદી અસત્ય ઉચ્ચાયું નથી એ પણ બ્રહ્મા જાણે છે, પહેલાં તે બ્રહ્મા વ્યાસની આ કૃતિને આશીર્વાદ આપે છે.
ત્વચા ર વ્યમિત્યુત તસ્માત વાગ્યે મfથતિ, “તે તારી કૃતિને કાવ્ય” તરીકે નિર્દેશી છે, તે જા, તારી એ કૃતિ “કાવ્ય” જ બનશે... આના કરતાં ચઢી જાય એવું કાવ્ય કોઈ કવિ નહિ લખી શકે. જેમ ત્રણેય આશ્રમો ગૃહસ્થાશ્રમને આધારે રહે છે, તેમ હવે પછી બધા કવિએ તારા આ કાવ્યને આધારે રહેશે.” એટલે વ્યાસજીને જે મુશ્કેલી વરતાઈ છે, તેનું નિરાકરણ કરતાં કહે છે?
ગણપતિને શરણે જ તારા આ કાવ્યના લેખક તે બનશે.” બ્રહ્મા અન્તર્ધાન થતાં વ્યાસજીએ ગણેશનું સ્મરણ કર્યું.
“હું તારા કાવ્યને લેખક થઉં, પણ એક શરતે!” બ્રહ્મા અને વ્યાસ વચ્ચે થયેલી વાતચીતથી પરિચિત ગણેશે આવતાવેંત કહ્યું.
“બિરાજો!” વ્યાસજીએ વિનંતિ કરી. “તમારી શરત મને માન્ય જ હશે.”
શરત એટલી જ છે, મહર્ષિ, કે તમે તમારો ગ્રન્ય મને ધારાવાહી રીતે લખાવો. વચ્ચે તમે કયાંય થંભો નહિ, તો જ હું તમારે લેખક બનું.”
“માન્ય છે.” વ્યાસજીએ જવાબ દીધો. “પણ તો પછી મારી પણ એક શરત રહેશે.”
બેલે.” “આપ જે લખે, તે સમજીને જ લખશો.” “કબૂલ !”
અને મહાભારત લખાવવાનું—લખવાનું શરૂ થયું. વ્યાસજી લખાવતા જાય અને ગણપતિ લખતા જાય. ગણપતિની શરતને લક્ષમાં રાખીને વ્યાસજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
વચ્ચે વચ્ચે એકાદ એ લોક સેરવી દે, જે સમજતાં ગણપતિની કુશાગ્ર બુદ્ધિને પણ વાર લાગે. આમ શ્રીગણેશ એ લોકના અર્થને વિચાર કરવા થાભે તે દરમ્યાન વ્યાસજી બીજા થોડાક શ્લેકે વિચારી લે, રચી લે.
લગભગ એક લાખ જેટલા લોકોના બનેલા આ મહાગ્રન્થમાં, આ રીતે, આઠ હજાર આઠસો લોક એવા છે જેમને વિષે ખુદ વ્યાસજીએ જ
अहं वेनि शुको वेत्ति संजयो वेत्ति वा न वा !
કાં તે હું સમજુ, અથવા તો શુકદેવ સમજે; સંજય કદાચ સમજે; કદાચ ન જે સમજે !
અંગ્રેજ કવિ બ્રાઉનિંગની કેટલીક કાવ્યકૃતિઓની દુર્બોધતા અંગે આવું જ કૈક કહેવાય છે. કોઇકે એને એ પંક્તિઓને અર્થ સમજાવવાનું કહ્યું ત્યારે એણે જવાબ આપે કે “એ જ્યારે લખાઈ ત્યારે એને અર્થ બે જણ જાણતા હતાઃ એક ઇશ્વર અને બીજે હું ! હવે તે ફક્ત ઈશ્વર જ જાણે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
पाराशर्यवचस्सरोजममल गीतार्थं गन्धोत्कट
नानाख्यानककेसर' हरिकथा संबोधनाबोधितम् । लोके सज्जनषट्पदैरहरहः पेपीयमान मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि नः श्रेयसे ॥
વ્યાસજીના વચન રૂપી સરોવરમાં પ્રગટેલુ', ગીતા રૂપી ઉત્કટ સુગંધવાળુ, અનેક આખ્યાને રૂપી પાંખડીઓ વડે શે।ભતુ, શ્રીકૃષ્ણ અંગેની અનેક કથાઓનાં કિરણા વડે ખીલેલું, સજ્જન રૂપી ભ્રમર જેનું રસપાન રાજેરોજ આન પૂર્ણાંક કરી રહ્યા છે એવુ' અને કલિકાલના તમામ માને વંસ કરનારૂં ભારત રૂપી આ કમલ આપણા સૌને માટે કલ્યાણકારી નીવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
*चत्वार एकतो वेदा भारत चैकमेकतः । *महत्त्वाद्धारवत्त्वाच्च महाभारतमुच्यते। *अनाश्रित्यैतदाख्यान कथा भुवि न विद्यते । *इद सर्वैः कविवरैराव्यानमुपजीव्यते। *त्रिभिर्वधैः सदोत्थायी कृष्णद्वैपायनो मुनिः । महाभारतमाख्यान कृतवानिदमुत्तमम् ।। *धर्म चार्थे च कामे च मोक्षे च भरतर्षभ । यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्कचित् ॥ *भारतस्य वपुर्येतत्सत्य चामृतमेव च ।
*
*
*
*
* એક તરફ ચાર વેદો અને બીજી તરફ છે મહાભારત * મહત્તાને લીધે અને ભારેપણાને લીધે મહાભારત કહેવાય છે. * આ આખ્યાનને આશ્રય લીધા વિના જગતમાં કોઈ કથા નથી. * બધા જ કવિશ્રેષ્ઠ આ આખ્યાનથી જીવે છે. * હમેશ જાગ્રત રહેનાર કૃષ્ણ દ્વૈપાયન મુનિએ ત્રણ વર્ષમાં આ ઉત્તમ મહા
ભારતનું આખ્યાન રચ્યું. * ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં હે ભરતકોષ્ઠ જે અહીં છે તે બધે છે
અને જે અહીં નથી તે કયાંય નથી. * સત્ય અને અમૃત એ મહાભારતનું શરીર છે.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧. મહાભારતની આઘજનની
મસ્યગંધા તે મહાભારતની આઘજનની. ધર્મરાજ યુધિષ્ઠિર ગાંડિવધવા અર્જુનની પ્રપિતામહી. ભકતરાજ વિદુર, મહારાજ ધૃતરાષ્ટ્ર અને પરાક્રમી પાંડની તે પિતામહી.
એક માછીમારની કન્યા હસ્તિનાપુરના સિંહાસનના સ્વામીઓના કુલમાં કેવી રીતે આવી ? એક વગડાનું ફૂલ, પ્રતાપી કુરુવંશના રાજકિરીટની કલગી સમું કેવી રીતે બનવા પામ્યું?
જવાબ એક જ છે, રૂપ ! એક તરફ રૂપ, બીજી તરફ રૂપની તૃષા. માનવજાતિ તે નીચ ઊચ્ચેના ભેદ વડે હજારો શું, લાખે વિભાગોમાં, વિભકત છે પણ માનવીમાં જ્યાં સુધી સૌન્દર્યનું આકર્ષણ છે ત્યાં સુધી એક નહિ તે બીજી રીતે પણ ઊંચા નીચા વચ્ચે અવર જવર રહેવાની, પુલ બંધાવાને જ. કઈ કઈ વાર તો એમ પણ લાગે છે કે જ્ઞાતિવાદ કે વર્ણવ્યવસ્થાને મોટામાં મોટો શત્રુ કોઈ હોય તો તે માનવતાવાદ કે સામ્યવાદ નથી, રૂપ છેસ્ત્રીનું રૂપ અને પુરુષની એ રૂપ માટેની અદમ્ય ઝંખના.
પણ મત્સ્યગંધા કુરુકુલમાં આવી તે પહેલાં, તેનાં વિધિપૂર્વક લગ્ન થયાં તે પહેલાં એક રોમાંચક પ્રસંગ તેના જીવનમાં બની ગયો હતો. એ પ્રસંગે મહાભારતને એને લેખક આપ્યો હતે.
મસ્યગંધા પિતાની એકની એક પુત્રી. પિતા યમુના કાંઠાના એ વિસ્તારને, પોતાની જમાતને મુખી ધીવરરાજ, એટલે મત્સ્યગંધાનું માન, એ રૂપાળી ન હેત તો પણ, એના લેકેની વચ્ચે તો રાજપુત્રી જેટલું જ.
પણુ મત્સ્યગંધા રૂપાળી હતી. રૂપ જાતે જ એક રાજગાદી છે. રાજપુત્રી મસ્યગંધા, આ રીતે, બેવડી રાજગાદી પર બિરાજેલી હતી.
ના, ફકત બેવડી જ નહિ, મત્સ્યગંધાની રાજગાદી ત્રેવડી હતી. ખાનદાની અને ખુબસુરતીની સાથે તેનામાં જોબન પણ હતું. જમનાના અફાટ જળપ્રવાહે એ જોબનને માતેલું બનાવ્યું હતું. મત્સ્યગંધાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
3
મહાભારત કાલી, સત્યવતી, જનગંધા આદિ અનેક નામથી ઓળખાવી છે. પણ મત્સ્યગંધા યૌવનગંધા પણ હતી. યૌવનની ખુલ્લુ એના અંગે અંગમાંથી આવતી. અને યૌવનની ખુલ્લુ મેજનેના યોજના સુધી કયાં નથી પહોંચતી ?
એ ખુલ્લુ પરાશર મુનિ સુધી પહોંચી હતી. જમના તટે જ કદાચ એમને આશ્રમ હશે જમના-પ્રદેશના ધીવરોમાં એમની જબરી પ્રતિષ્ઠા હશે, જમનાને એક કાંઠેથી બીજે કાંઠે જવાનું તેમને વારંવાર બનતું હશે. નદી પર ફરતી હોડીઓના માલિકોમાં એક મહર્ષિ તરીકે તેમની જબરી
ખ્યાતિ હશે. આસપાસના તપોવનમાં ઋષિમુનિઓ સાથે જ્ઞાનગોષ્ઠિ કરીને કિનારા ભણું તે આવતા હશે, ત્યારે માછીમારે અને માછીમારોની, નાવિક સ્ત્રીપુરુષની કુંડીબંધ આંખે, આદર, અભાવ અને ઉમળકાથી તેમના ઉપર મંડાઈ જતી હશે. મત્સ્યગંધાને પિતા આ ધીવરને મુખી, રાજા, છે. બીજા ઋષિમુનિઓ ભલે બીજા કોઈની હોડીમાં બેસે, પણ ઋષિઓમાં અગ્રેસર એવા પરાશરને જમનાપાર કરાવવાને અધિકાર છે. ધીવરરાજને જ મત્સ્યગંધાના પિતાના આ સ્વસિદ્ધ અધિકાર ઉપર તરાપ મારવાની બીજા કેઈ નાવિકમાં હિંમત જ નહિ હોય!
પરાશરે સેંકડવાર મત્સ્યગંધાને જોઈ હશે ? ધીવરની ઝૂંપડીમાં ઘરકામ કરતી એના ખેતરોમાં ઘેરિયા નાખતી, તટ પરના વન-ઉપવનમાં કાષ્ટ ભેગાં કરતી, પત્ર, પુષ્પ, ફૂલ વીણતી, સરિતાના તરંગે વચ્ચે સેલારા મારતી અને આસપાસના ગામડાંઓમાં સરિતાની સમૃદ્ધિ ઠાલવતી ! દિવસે દિવસે વધુ ને વધુ વિકસતા જતા તેના વૌવને મહર્ષિના મન ઉપર, મહર્ષિને પોતાને પણ કદાચ પૂરી કપના નહિ હોય એવી રીતે પકડ જમાવી હશે.
એવામાં એક પ્રસંગ બને છે. ધીવરરાજ કયાંક બહાર ગયો છે અને મહર્ષિને જમનાપાર જવાની ઉતાવળ છે. મત્સ્યગંધા સંચાલન-કળામાં (વહાણ ચલાવવામાં) બાપના જેટલી જ નિપુણ છે. પિતાની ગેરહાજરીમાં મહર્ષિ કોઈ બીજાની નાવનું સન્માન કરે એના કરતાં તે જ કાં એમને પાર ન ઉતારે ?
અને એટલે, ન બનવા જેવું બની જાય છે, અને કલ્પના પણ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ક્ષિતિજની પાર જવાની હિંમત ન કરી શકે, તે ક્ષિતિજને વાસ્તવિકતા વટાવી દે છે.
જે વ્યાસને આપણી પર પરાએ ન્યાસોચ્છિષ્ટ નાત્ સર્વમ્ “આખું જગત વ્યાસનું એન્ડ્રુ છે” (એટલે કે કવિતા અને કલ્પનામાં હવે એવું કઈ જ નથી જે પહેલાં વ્યાસની કલ્પનામાં ન પ્રગટયુ` હોય ) એમ કહીને બિરદાવ્યા છે અને વ્યાસને આપણી સંસ્કૃતિ,
૧૫
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र । येन त्वया भारततैलपूर्ण: प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥ એટલે કે પ્રફુલ્લ કમલપત્ર શા વિશાળ નેત્રવાળા અને વિશાળ સુદ્ધિવાળા હે વ્યાસ, તને નમસ્કાર ! ભારતરૂપી તેલ સિંચીને જ્ઞાનમય દીપ પ્રગટાવનાર હું વ્યાસ, તને નમન હેા ! ''
એમ કહીને વંદના કરી છે, તે વ્યાસ આ મત્સ્યગંધા અને પરાશરના પુત્ર.
એક સંસ્કૃતિના જ્યેાતિર અને બીજી પ્રકૃતિની દીપિકા ! અકસ્માત્ એક વ્યવહારનૌકામાં ભેગાં થયાં, અને એકાએક રૂપતૃષાને ઘટાટાપ વાતાવરણમાં સર્જાઇ જતાં વ્યવહારનૌકા પ્રણયનૌકામાં પલટાઈ ગઇ......
(4
અને એ નૌકાએ એક પારણુ ખાંધ્યું, દ્વીપમાં, ટાપુમાં, અજાણ્યા નિન કાઇ ખેટમાં. એ દ્વીધે વ્યાસને એની અટક આપી: દ્વૈપાયન.
પરાશર પાસે પાછા આવીએ. આ પરાશર મુનિને આપણી પરંપરાએ પ્રહ્લાદ, નારદ, પરાશર, પુંડરીક આદિ પરમ ભાગવતોની નામાવલીમાં ગૂંથીને પ્રાતઃસ્મરણીય બનાવ્યા છે.૧
ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રસંગમાં પ્રાતઃસ્મરણીય એવું પરાશરે શું કર્યું ? શૂદ્ર જાતિની એક સામાન્ય છેાકરીતે,–ના સામાન્ય નહિ, પણ અસામાન્ય સુંદર એવી છેાકરીને પેાતાની પ્રેયસીની પ્રતિષ્ઠા આપી તે ? પેાતાના પ્રેમના પરિપાકથી પેાતે લેશ પણ શરમાયા નહિ, બટુકે, એનુ
૧ પ્રાર-નારવ્-પરારાર-વુંદરી – વ્યાસામ્બરીષ-ગુ-શૌન-મીબામ્યાન | रुक्माङ्गदार्जुन - वसिष्ठ - विभीषणादीन् पुण्यानिमान् परमभागवताम् स्मरामि ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉછેર કાર્ય પિતે જાતે જ સંભાળી લીધું એ? જેનું પાણિગ્રહણ પોતે સાવ વિધિ વગર કર્યું હતું,-અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ નહિ, પણ આકાશ અને સરિતાની સાક્ષીએ, એવી એક માછીમારની દીકરીને પોતે બ્રાહ્મણ શ્રેષ્ઠ થઈને, સરે–આમ, દ્વિજત્વની દીક્ષા દીધી એ ? વર્ષોની વ્યવસ્થા કેવળ સગવડ પૂરતી છે, તાત્ત્વિક દૃષ્ટિએ માનવી માત્ર સરખાં છે અને કન્યારત્નને તો નીચ કુલમાંથી યે લઈ લેવું, અને એમ કરીને નીચઊચ્ચેના ભેદે ઉપર યથાશકિત પ્રહારે ઝીંકયે જવા–એવું ભવિષ્યની પેઢીઓને પોતાના નિખાલસ આચરણ દ્વારા શીખવ્યું છે ?
આ પરાશરના સંપર્ક મસ્યગંધામાંથી સત્યવતી સરળ અને પછી એ સત્યવતીએ મહાભારત ને એને લેખક, અને એના પાત્રો આપ્યાં.
૨. વસિષ્ઠ અને વસુઓ
બ્રહ્મર્ષિ વસિષ્ઠ પાસે એક ગાય હતી. સુરભિ એનું નામ. એ ગાયનું દૂધ પીએ, તે અજર અમર થઈ જાય એવી લોકવાયકા હતી.
આ સુરભિને વસિષ્ઠ પાસેથી છીનવી લેવાના અનેક પ્રયત્ન થયા છે. દેવો, ગંધર્વો, મનુષ્યો અને અસુરો-જુદી જુદી જાતના અનેક બળિયાઓએ પિતાના બાહુબળ વડે વસિષ્ઠની આ કામધેનુને તફડાવી જવાની કોશિશ કરેલી છે. પણ અંજામ સહુને એક સરખો જ કરુણ આવ્યો છે. બ્રહ્મર્ષિની ચોરી કરનારાઓને અંતે તે ચોરીની સજામાંથી છૂટવા માટે બ્રહ્મર્ષિના જ પગ પકડવા પડ્યા છે.
આ સુરભિ ઉપર એક વાર એક દેવની દૃષ્ટિ પડી. ના, દેવની નહિ, દેવપત્નીની ! આ દેવપત્નીની પૂવી ઉપર એક પ્રિય સખી હતી. ગાયને જોતાં વેંત દેવપત્નીને થયું કે જે પૃથ્વી પરની મારી સખીને આનું દૂધ પીવા મળે તો એ મારા જેવી જ અજર અમર થઇ જાય !
એટલે સુભિને વસિષ્ઠ પાસેથી ઉપાડી જઈને પેલી સખી પાસે પહેચાડી દેવા તેણે પોતાના દેવપતિને કહ્યું.
વસિષ્ઠને આ વાતની ખબર પડી ત્યારે તેમને દેવોની બેવકૂફી ઉપર પારાવાર હસવું આવ્યું. અજરામરપદ એમ રસ્તામાં પડ્યું છે કે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ગાયને ઉપાડી જવાથી હાથ આવી જાય ! બિચારા દેવા ! એટલું ય સમજતા નથી કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હેાય તે સાધના કરવી પડે ! એકની સાધના ખીજાતે ફળતી નથી. આ આઠે આર્દ્ર ભાઇઓ, આમ, નામે તેા દેવા છે, પણ એમની સમજ, એમની વૃત્તિ અને પ્રવૃત્તિ બધી સાધારણ મનુષ્યે! જેવી જ છે !
સિદ્ધના મનમાં આ વિચાર ઉદ્ભવ્યા કે તરત ભાઇઓને લાગ્યું કે મહર્ષિએ એમને શાપ આપ્યા ! ચેરા હોય છે. ઋષિના પગ પકડીને તેએ ઊભા રહી ગયા ઃ
ક્ષમા કરે, ભગવન્ !
..
૧૭
પણ
“ દેવ નવું હાય તેા દેવત્વ કેળવા,'' ઋષિએ આગ્રહ કર્યા તમે આટલે અશુભ સંકલ્પ થાડીક વાર પણ સેવ્યા, એનું ફળ મળ્યા વગર તે! નહિ જ રહે. તમે આઠેય આ પૃથ્વી પર ગંગાને પેટે અવતરશે, અને તમને અત્યારથી જ પશ્ચાત્તાપ થઇ રહ્યો છે એ જોતાં, ગંગા તમને જન્મતાંવેંત પાğં અમરત્વ આપશે. એમાં અપવાદ એક જ : તમારામાંથી જે એક જણે પેાતાની પત્નીના તરંગને વશ થને મારી સુરભિ ઉપર પહેલી કુ-દૃષ્ટિ કરી, તેને પૃથ્વી ઉપર લાખે। વખત રહેવું પડશે.'
,,
આ આ આઠ હંમેશા બીકણુ
re
46
વસુએ ( એ આડે દેવે, તે ખીજા કાષ્ટ નહીં પણ આઠ વસુએ હતા) તા આભા જ બની ગયા. શુ અમારે એક ભાઇ સદાને માટે પૃથ્વીવાસી બનશે ? શું પૃથ્વી પર તેના વાવેલા પથરાશે ? શું એક ભૂલને ખાતર, તેને પૃથ્વી ઉપર એક સામાન્ય માણસના જેવું જીવતર જીવવું પડશે ?
.
ચિન્તા ન કરો. સાતેય વસુએના મનની ગડમથલ સમજી જઇને વસિષ્ઠે તેમને આશ્વાસન આપ્યું: “ પૃથ્વી પર લાંખે। વખત રહ્યા હતાં તમારે! આ ભાઈ
भविष्यति च धर्मात्मा सर्वशास्त्रविशारदः ।
पितुः प्रियो हिते युक्तः स्त्रीभोगान् वर्जयिष्यति ॥
“ ધર્માત્મા, સ-શાસ્ત્ર-વિશારદ, પિતાનું પ્રિય અને હિત કરવાવાળા અને બ્રહ્મચારી બનશે.”
આ આમે! વસુ તે જ મહાભારતના ભીષ્મ, શાંતનુને અને ગંગાના આઠમા પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
કથાકારની કલાદ્રષ્ટિ પણ કેટલી સપ્રમાણ છે! જેની સ્ત્રીલેલુપતાએ થોડીક ક્ષણેને માટે સારાસારનું ભાન ભૂલાવીને વસિષ્ઠની સુરભિનું અપહરણ કરવા પ્રેર્યો હતો તેની પાસે બીજા જન્મમાં સ્વેચ્છા-સ્વીકૃત અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું.
૩. ગંગાનું સંવનન
ઇવાકુના વંશમાં દુષ્યતના પુત્ર ભરત પછી થોડીક પેઢીએ હસ્તિ નામને રાજા થયો જેણે
हस्तिनापुर स्थापयामास આ હસ્તિનાપુરમાં, હતિ પછી વિકુંઠન, અજમીઢ, સંવરણ, કુર, વિદૂરથ, અરુગ્વાન, પરીક્ષિત, ભીમસેન, પ્રતીપ એમ અનુક્રમે રાજાઓ થયા.
આ પ્રતીપ શિલિવંશની સુનન્દાને પર. ત્રણ પુત્રો એને થયા. તેમાં પહેલો દેવાપિ બાલ્યાવસ્થામાં જ અરણ્યવાસી થતાં વચલો શંતનુ સિંહાસનને સ્વામી બન્યો.
આ શંતનુના જન્મના સંગે પણ સમજવા જેવા છે. પહેલે પુત્ર દેવાપિ કુમળી વયમાં જ સંન્યાસી થઈને વનમાં ચાલ્યો જતાં મહારાજ પ્રતીપ બહુ ઉદાસ થઈ ગયા. હવે તેમની અવસ્થા પણ ઠીક ઠીક થઈ હતી. એટલે પત્ની સાથે વનમાં જઈને તેમણે પુત્રાર્થે તપ
જયારે ભારતના એક
આ તપનું ફળ તે સંતનુ. તેને મૃગયાને ભારે શોખ. એકવાર ગંગા તટના કઈ વનમાં તે મૃગયા રમી રહ્યો હતો, તે વખતે તેણે એક સ્ત્રીને દીઠી. આ સ્ત્રીની રૂપસંપત્તિ એટલી બધી અસાધારણ હતી કે મહાભારત કહે છે કે એ રૂપનું નેત્રો વડે પાન કરતાં રાજા ધરાય જ નહિ.
पिबन्तीव च नेत्राभ्यां नातृप्यत नराधिपः । સામેથી પેલી સ્ત્રીની પણ એવી જ સ્થિતિ હતી. મહાતેજસ્વી સંતનુને જોતાં એની આંખે જાણે ધરાતી નહતી. આંખે મળી એની સાથે બંનેનાં હદયો પણ એક થઈ ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
r
કર્યુંઃ
“તુ કાણુ છે તે હું નથી જાણતા, '' શંતનુએ પ્રેમવિવશ બનીને તેને પણ, દેવી, દાનવી, ગંધ, અપ્સરા, યક્ષી કે માનવી, તું જે હૈ! તે, મારી સહધર્મચારિણી થવા વિનતી કરું છું.'
“એક શરતે,” સ્ત્રીએ જવાબ આપ્યા: “હું જે કંઈ કરું તે મને કરવા દેવુ'. તમને મારું એ કાર્ય શુભ લાગે કે અશુભ, ગમે કે ન ગમે, તેને વિચાર જ ન કરવા !”
કબૂલ છે !'' સૌંદર્યનું આકર્ષીણુ અત્યારે શંતનુના હૃદય ઉપર સા– ભેામ હતુ.
“પણ પછી તમારી આ પ્રતિજ્ઞાને તમે ભાંગ કરશે એ નહિ ચાલે.” સ્ત્રીએ શાંતનુને બાંધવા માંડયેા.
‘પણ પ્રતિજ્ઞા-ભંગ હું કરીશ જ નહિ ને!'' શાંતનુએ ખાતરી આપી.
છતાં મારે તમને કહી દેવું જોઈએ કે, જો તમારા આ વચનથી તમે ભ્રષ્ટ થશે!, તે હું તે જ પળે, તમને મૂકીને ચાલી જઈશ.”
અને આવી રીતે શંતનુ અને આ સ્ત્રી એકમેકની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
વ્યાસજી કહે છે એ સ્ત્રી ખીજી કાઈ નહિ પણ સાક્ષાત્ ગંગા ત્રિપથગા હતી.
આ ગંગા અને શાંતનુ પછી અરસપરસ સ્નેહમાં એટલાં બધાં તરમાળ થઈ ગયાં ૬ મહિનાઓ, ઋતુએ અને સંવત્સરા એક પછી એક કેવી રીતે વીતી ગયાં તેની તેમને ખબર જ ન પડી.
થાડા વખતમા ગંગાને એક પુત્ર થયા. જન્મતાંવેંત બાળકને એણે ગંગાના પ્રવાહમાં પધરાવી દીધા. શંતનુને આ ગમ્યું તે નહિ, પણુ એ બંધાયેલા હતા. અને પેાતાની પત્ની વચનભંગને કારણે પેાતાને તજી જાય એ એને ગમતું નહેાતું.
આ કઈ જાતની માતા, તેને થતું હતું.
પેાતાની નિરાધારી તેને હવે ખટકવા માંડી એટલે આઠમા પુત્રના પ્રસવ બાદ, ગંગા જ્યારે તેને જલસમાધિ લેવડાવવા જતી હતી, ત્યારે તેણે તેને રાષ્ટ્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
“આખરે તું છે કોણ? શા માટે પુત્રને આમ નિરર્થક નાશ કરી રહી છે? તને પાપને પણ ભય નથી લાગતો ?”
હવે ગંગા તેને પિતાની વાત કહે છે. વસુઓની અને સુરભિની અને વસિષ્ઠના શાપની આખી કથા તેને સંભળાવીને પોતાને હાથે પોતે કરેલી પુત્રહત્યાને ભેદ તેને સમજાવે છે. અને છેવટે,
હવે તમારામાં પુત્ર માટે સાચી તાલાવેલી જન્મી છે એમ હું જોઉં છું. માટે આને ગંગામાં પધરાવવાને બદલે હું ઉછેરીને મેટો કરીશ. પણ હવે આપણે સાથે રહેવું તો અશક્ય જ.”
“પણ તું જાય છે જ્યાં ?” બેબાકળા બનેલા સંતનુએ પૂછયુઃ તેને તો બાપડાને પુત્ર અને પત્ની બને જોઈતાં હતાં.
જ્યાંથી આવી ત્યાં !” ગંગાએ જવાબ આપ્યો. “આપણી વચ્ચે જે કરાર થયો હતો, તેને તમે ભંગ કર્યો છે. પરિણામે આપણું લગ્નજીવનની આ પળે જ પૂર્ણાહુતિ થાય છે.”
અને સંતનુ કંઈ દલીલ કરે તે પહેલાં ગંગા પિતાના નવજાત શિશુને સાથે લઈને અદશ્ય થઈ ગઈ.
આ આઠમો પુત્ર તે જ દેવવ્રત. ગંગાએ આપ્યા માટે ગંગાદત્ત અથવા ગાંગેય એવા નામે પણ તે ઓળખાતો. પાછળથી “ભીષ્મ' એવું બિરૂદ તેને સાંપડેલું ત્યારથી એ ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો.
૪. દેવવ્રત યુવરાજપદે
ગંગાની સાથે આપણે વર્ણવી ગયા તે પ્રમાણે અનેક વરસ આનંદપ્રમાદમાં વિતાવ્યા પછી શંતનું હવે શેકાર્ત હદયે હસ્તિનાપુર પાછો ફર્યો. અને પછી સાગર પર્વત પૃથ્વી ઉપર ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. વ્યાસજી કહે છે કે આ સંતનુને ઇતિહાસ એ જ મહાભારત.
સંતનુના રાજયમાં “પ્રાણી માત્ર સુરક્ષિત હતાં. અધર્મથી કોઈને વધ કરવામાં નહોતો આવતો. દુઃખીઓ અને અનાથનું તે પિતાની પેઠે પાલન કરતે. વાણું સત્યને આશ્રયે રહેતી. મન દાનધર્મને આશ્રયે રહેતું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૩
વરસે। પછી એકવાર આ શાંતનુ મૃગયા૨ે વનમાં ગયા. ત્યાં તેણે જોયુ તા ગંગાનદીતેા પ્રવાહ જાણે થંભી ગયા હતા. ભાગીરથીના પટમાં જાણે પહેલાંના જેટલુ પાણી જ નહેતું. આનું કારણ શેાધવા માટે તેણે દૃષ્ટિ દેાડાવી તેા દૂર દૂર તેણે એક કુમારને ઊભેલા દીઠો. રૂપાળે અને મજબૂત બાંધાના તે છોકરા હતા. એના હાથમાં દિવ્ય અસ્ત્ર હતું. તીક્ષ્ણ બાણા વડે ગગાના પ્રવાહને એ અવાધી રહ્યો હતા.
રાજા તેા વિચારમાં જ પડી ગયા. કાણુ હશે આવા શકિતશાળી નવયુવક ? કાને પુત્ર હશે ? કાના શિષ્ય હશે ?
એકાએક તેનું હૃદય પુત્રૈષણાથી આકુલવ્યાકુલ થઇ ગયું. તેને દેવદત્ત સાંભર્યો; પેતાને અને ગંગાને આઠમેા પુત્ર, જેતે ગ`ગા પેાતાની સાથે લઇ ગઈ હતી. બરાબર આવડેા જ હશે. આ તે! નહિ હૈાય એ ?
શ તનુએ ગંગાનું સ્મરણ કર્યું. પેાતાની સામે એક વાર ફરીથી પ્રગટ થવાના તેણે તેને વિનંતી કરી
અને ગંગા પ્રગટ થઈ. એવી જ રૂપાળી હતી, હજુ ! એને જમણે હાથ પેલા કુમારના ખભા પર હતા.
'
આ મારે! આઠમેા પુત્ર, રાજન ! ” શંતનુ કંઈ પૂછે તે પહેલાં જ એણે ખુલાસા કર્યો. “તમે એને હસ્તિનાપુર લઇ જાઓ. તમારી સાથે. વસિષ્ઠની પાસે રહીને એણે શસ્ર અને શાસ્ત્ર બન્નેને અભ્યાસ કર્યો છે. બૃહસ્પતિ તેમજ શુક્રાચાર્ય પણ એને પેતાની વિદ્યાકળાના ભંડારની ચાવી આપી છે. ભગવાન પરશુરામે પણ એને પેાતાની સમગ્ર શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવી છે. ’
શતનુ તેા પ્રસન્ન થઈ ગયેા. તેના સુખમાં હવે એક જ ઉણપ રહેતી હતી. કાઈ પણ ઉપાયે ગંગા ફરી પાછી તેની સાથે રહેવા સંમત થાય ! તેનું મન પુનર્મિલનનાં સ્વપ્ના નિહાળી રહ્યું હતું ત્યાં ગંગા પાછી અદૃશ્ય થઈ ગઈ.
શાંતનુ કુમાર દેવવ્રતને લઇને હસ્તિનાપુર પાછેા કર્યા.
કુમારને તેણે યુવરાજપદે અભિષેક કર્યો. ખીજા ચાર વર્ષો આનઃપ્રમેાદમાં વીતી ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૫. અશક્ય લાગતી શરતે
મહારાજ શંતનુએ મત્સ્યગંધાને કદી જોઈ જ ન હોત તો ? તે દેવવ્રત હસ્તિનાપુરના સિંહાસન ઉપર આવત, તે એ નૈષ્ઠિક બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને “ભીમ' ન બનત, તે એ બીજા રાજાઓની પેઠે પરણીને પિતાને વંશવેલો વિસ્તારત,
અને તે ભારતના વંશમાં, આ ગાળામાં કદાચ કંઈ જ અસામાન્ય ન બન્યું હેત !
પણ શંતનનો સ્વભાવ જોતાં, સંભવ તો એ છે કે મત્સ્યગંધાને એણે ન જોઈ હોત, તો પણ બીજી વાર પરણ્યા વગર એ ભાગ્યે જ રહી શકત, અને એ બીજા લગ્નમાંથી વળી કઈ નવી જ સમસ્યા સરજાત !
કારણકે નારીના સૌંદર્યની પાસે સંતનું મીણ જેવો બની જાય છે. પછી એનામાં દઢ રહેવાની શકિત જ નથી રહેતી. નારી ગમી ગઈ, પછી એની ગમે તે શરત કબૂલ કરવા એ તૈયાર થઈ જાય.
નહિતર, “ તમારે મને હું કરું તે કરવા દેવું !” એવી શરતે કયો પુરુષ કોઈ સ્ત્રીને પરણે? શંતનુ ગંગાને એ શરતે પરણ્યો અને ગંગાએ સાત સાત સંતાનને જળશાયી કર્યા ત્યાં સુધી એ વિચિત્ર શરતનું પાલન પણ કરતો રહ્યો.
અને સંતનુની અને આખા ભરત વંશની ખાનદાની જ અહીં છે. બીજુ બધું ગમે તેમ, પણ વચનનું પાલન તો કરે જ.
સંતનુની આ બને લાક્ષણિકતાઓને મત્સ્યગંધાને બાપ જાણતો હશે. નહિતર પિતે કરી તેવી શરત (દેવવ્રત પાસે પણ ઉચ્ચારવાની એની હિંમત ન ચાલત, અને ચાલત, તો રાજાઓના વચન ઉપર ઇતબાર રાખવાની હિંમત તો ન જ ચાલત ! પણ આપણે આપણી વાર્તા તરફ પાછાં વળીએ.
દેવવ્રત હસ્તિનાપુરને યુવરાજ છે. તેની બાલ્યાવસ્થા અને તેનું કૌમાર્ય તેની મા પાસે પસાર થયું છે. ગંગાના વને અને ઉપવનમાં ગંગાએ જાતે જ, એને ભરતકુલની આખી પરંપરાનું અને સંસ્કૃતિએ અત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સુધીમાં સરજેલી તમામ વિદ્યાકળાનું શિક્ષણ આપ્યું છે, અને અપાવ્યું છે.
પિતા સંતનુને એ વાતનો પૂરે સંતોષ છે. કુમાર ગાંગેય પોતાના પછી હસ્તિનાપુરના સિંહાસનને પૂરેપૂરું દીપાવશે, પોતા કરતાં સવાયું દીપાવશે, એવો એમને વિશ્વાસ છે.
ત્યાં, યમુનાના તટવનમાં શિકાર કરતાં, એક દિવસ દષ્ટિ મત્સ્યગંધા ઉપર પડે છે-જેવી રીતે થોડાક વખત પહેલાં, પરાશરની દષ્ટિ પડી હતી એવી જ રીતે.
પરાશરનાં પ્રસંગ પછી મસ્યગંધા પહેલાના કરતાં પણ વધારે આકર્ષક બની છે.
મારા બાળકને જન્મ આપવા છતાં જગત તને કુમારી જ સમજશે, એવું પરાશરે તેને વરદાન આપ્યું છે. વળી તેના આખા શરીરમાંથી પહેલાં કોઈ જુદી જ ગંધ આવતી હતી તેને બદલે, પરાશરની કોઈ વૈદકીય અથવા રાસાયણિક સિદ્ધિને પ્રતાપે, હવે કોઈ અપૂર્વ સૌરભ-સુગંધ આવે છે, અને એ ખુષ્ણુ એટલે દૂર સુધી ફેલાય છે કે વ્યાસે પોતાની માતાને માટે યોજનગંધા શબ્દ પણ વાપર્યો છે.
સંતનુને કાને પણ, કદાચ આ ગંધની વાત પહોંચી હશે. રાજાના હજુરીયા, શ્રીમતાના અને સત્તાધીશોના આશ્રિત, આજના કરતાં તે વખતે જુદા સ્વભાવના ઓછા જ હશે ?
ગમે તેમ પણ આ છોકરીને જોતાવેંત દંતનું તેના તરફ આકર્ષાય છે. અને તરત જ તે તેના બાપને શોધી કાઢી તેની પાસે હસ્તિનાપુરની રાણી બનાવવાનું માથું નાખે છે.
મસ્યગંધા કેવા અદ્ભુત રૂપની સ્વામિની હશે, તેને ખ્યાલ આ વાત ઉપરથી પણ આવી શકે છે. સંતનુ કેં રૂપની શાળાને નવો નિશાળિયે નથી. ગંગા જેવી અપૂર્વ સૌંદર્યવતી દિવ્ય નારીની સાથે એણે લગભગ બે દાયકાઓ માણ્યા છે. ઉંમર પણ હવે એની વૃદ્ધ નહિ તો પ્રૌઢ તો જરૂર છે. આવા પુરુષને જે આટલી બધી સુંદર લાગી હશે કે દેવવ્રત જેવો દેવાંશી દીકરો ઘરમાં હોવા છતાં એને પરણવાનું મન થાય, તે છોકરી સાચે જ અદ્ભુત સુન્દર હશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પણ દીકરીની કિંમત સૌથી વધુ તેને બાપ સમજે છે. અને મારું લઈને આવેલ રાજાને એ “રાજન, હસ્તિનાપુરના સિંહાસન સાથે અમારા જેવાને સંબંધ બંધાન, એ વાતને અમે અમારું પરમ સભાગ્ય સમજીએ. પણ એક શરત છે !” એમ ચેખું સંભળાવે છે.
બેલે.” સંતનું પોતાના ભાવિ સસરાની શરત જાણવા માગે છે. માગી માગીને ય તે આ ડોસે શું માગવાને છે? સંતનુએ વિચાર્યું હશે. દીકરી સિંહાસનની ધણીઆણી થયા પછી, આમે ય તે, સત્તા અને લક્ષ્મીને પ્રસાદથી એ વંચિત ઓછી રહેવાને છે!
બોલ, બોલે ! ” વિચારમાં પડેલ દેખાતા ધીવરરાજને સંતનું ફરી આગ્રહ કરે છે, “તમારી જે શરત હશે તે હું પૂરી કરીશ.”
મારી જીભ નથી ઉપડતી !” ડોસો પણ છે ને કાંઈ ચીકણો ! – શંતનને થાય છે! વાતમાં કેટલું મેણ નાખે છે, નાહકનું ! માગી માગીને શું માગવાને હશે ! બે–ચાર-પાંચ ગામ ! અથવા આ તરફના જંગલને ઈજા ! અથવા.......
“તમે વિના સંકોચે તમારી શરત મૂકે” સંતનુ એને ફરી કહે છે.
“તો સાંભળો, રાજન” એ શરત મૂકે છે, “મારી દીકરીની કુખે દીકરો થાય, તે આપના પછી હસ્તિનાપુરના સિંહાસનને સ્વામી બને;”
સંતનુને પોતાની છાતીમાં કોઈએ તીણ તીર માર્યું હોય એ અનુભવ થાય છે.
તે સૌદર્યલેલુપ જરૂર છે પણ તેનામાં માણસાઈની જરા પણ ઉણપ નથી. પોતાની પ્રથમ પ્રેયસી અને પત્ની ગંગાની એકની એક યાદગીરી દેવવ્રત–તેના હક ઉપર ચાકડી કેમ મરાય ? હજુ હમણાં જ તો તેનો યુવરાજપદે અભિષેક કર્યા છે ? પ્રજા પણ તેને કેટલી બધી ચાલે છે ? કે પણ ઉત્તર આપ્યા વગર સંતનું ત્યાંથી વિદાય થઈ જાય છે.
ને નિશ્ચય કરે છે-મસ્યગંધાને મનમાંથી ભૂંસી નાખવાનો, પણ જેમ જેમ એ ભૂલવાના પ્રયત્ન કરે છે, તેમ તેમ સ્મરણે એને વધુ ને વધુ બેબાકળા બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫
દેવદ્રવના હક ઉપર તરાપ મરાય નહિ, અને યુમુનાજીની આ યુવતી વગર જીવી શકાય નહિ. વાત કંઇને કહેવાય નહિ, અને સહેવાય પણ નહિ.
અને આ બે અગ્નિ વચ્ચે સંતનુ બળતો જાય છે, ગળતો જાય છે, સૂકાતો જાય છે, શોષાતો જાય છે. દેવવ્રતની આંખેથી પિતાની આ લથડતી તબિયત છાની નથી રહેતી. એ ચિંતા કરે છે, પિતાને પૂછે છે. પણ કોઈ સંતોષકારક ખુલાસો જડતો નથી.
એ રાજવૈદ્યોની સલાહ લે છે. પણ જે રાગ સંતનને થયો છે, તેની દવા તેમની પાસે છે જ કયાં! પણ હારીને બેસવું એ દેવવ્રતના સ્વભાવમાં જ નથી. પિતાના રોગનું પગેરૂ કાઢવાને એ નિશ્ચય કરે છે.
અને એ પગેરૂ એક દિવસ એને યોજનગંધાના પિતાના આંગણામાં લઈ જાય છે.
“તમારી શરત મંજુર છે, ધીવરરાજ” એ વચન આપે છે, “ગાદી ઉપર વારસાહક મારો છે, તે હું સ્વેચ્છાએ જતો કરૂં . આપની પુત્રીને પુત્ર જ મારા પિતા પછી, સિંહાસને સ્વામી બનશે.” - સંતનુને ભાવિ સસરો મૂંગો રહે છે. એની આંખમાં લુચ્ચાઈની ચમક છે. એના હોઠ પર ખંચાઇનું સ્મિત છે.
“દુધિયા દાંતવાળો છોકરે મને બનાવવા નીકળ્યો છે. ડોસાને થાય છે.
શું વિચારી રહ્યા છો ?” દેવવ્રત ડોસાને પૂછે છે. એ જ, કે આપ મને આપ મને કેવો બેવકૂફ માને છે!” “એમ કેમ?” “ધર્મ અને નિયમોનું મને પણ કંઈક ભાન છે હોં !” “આપ શું કહેવા માગો છો, હું ખરેખર સમજતો નથી ! ”
આપ આપને અધિકાર જતો કરો, પિતા પુરત, તેથી મેં આપના પુત્રોનો અધિકાર કુંઠિત થતો નથી !”
દેવવ્રત તો આભો જ બની ગયો. ડેસે આટલે જબરો મુત્સદ્દી હશે, તેની તે તેને ક૯પના જ ન હતી.
પણ ડોસાની દુરંદેશીના આ ધડાકાએ દેવવ્રતના અંતરાત્માને એકાએક પડકાર્યો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
તું ખરેખર પિતાને પરણાવવા આવ્યો છે કે ફકત માથેથી વાત ઉતારવા?”
અને તે જ પળે તેણે નિશ્ચય કરી લીધે!
“ તમને મારા પુત્રને ભય છે ને?” અત્યંત ગંભીર સ્વરે તેણે મસ્યગંધાના પિતાને પુછયું,
“તમે મારે ઠેકાણે હો તે તમને એ ભય લાગે કે ન લાગે ?”
“જરૂર લાગે.” ડોસાની સાથે સમંત થતાં દેવવ્રતે કહ્યું, “પણ હું પરણું જ નહિ તે ?”
હવે આભા બનવાને વારે મત્સ્યગંધાના બાપને હતો ! “આપ શું કહેવા માગો છો ?”
“જે હું બેલું છું તે જ. તમારા દૌહિત્રને ઉત્તરાધિકાર મારા પુત્રો છીનવી લેશે, એવી તમારી બીક સાચી છે. એને ઉપાય એક જ છે. અને તે એ છે કે મારે પરણવું જ નહિ! તે આ જમનાજીની સાક્ષીએ હું પ્રતિજ્ઞા કરું છુ, દાશરાજ કે,
अद्यप्रभृति मे दाश ब्रह्मचर्य भविष्यति ।
“આજથી હું બ્રહ્મચર્યવ્રત ધારણ કરૂં છું.” અને મહાભારત લખે છે :
“તેનું તે વચન સાંભળીને ધર્માત્મા દાશરાજે “આપું છું” એવો જવાબ દીધે, અને અન્તરિક્ષમાંથી અસરાઓ, દેવો અને ઋષિઓએ તેના ઉપર “આ તે ભષ્મ છે” એમ કહેતાં કહેતાં પુષ્પવૃષ્ટિ કરી અને પછી પિતાની ઈચ્છાને નજર સામે રાખીને, તેણે તે યશસ્વિનીને (મસ્યગંધાને) કહ્યું : “ચલે મા, આવી જાઓ રથમાં! આપણે ઘેર જઈએ’--અને પછી એ ભામિનીને રથમાં બેસાડી હસ્તિનાપુરમાં લઇ આવીને તેણે સંતનુને તેનું નિવેદન કર્યું. તેના આવા દુષ્કર કર્મની રાજવીઓએ, છૂટા છૂટા તેમજ સૌએ સાથે મળીને “આ ભીમ છે!” એમ કહેતાં કહેતાં પ્રસંશા કરી, અને ભીષ્મનું આ દુષ્કર કર્મ જેઈ પિતા શંતનુએ તેને તુષ્ટ હદયે ઈચ્છા-મરણ નું વરદાન આપ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૬. ભીષ્મ સ્વયંવરમાં
માનવીના જીવનને જોવાની ઇતિહાસ પાસે એક વિશિષ્ટ દષ્ટિ છે. સંતનુના જીવનમાં અનેક ઘટનાઓ બની હશે, પરંતુ ભારતના રચયિતા વ્યાસને ફકત બે જ ઘટનાઓ નોંધપાત્ર લાગી. અને તે ને ઘટનાઓ સ્ત્રીઓની સાથે સંકળાયેલી ! એક વાર મહારાજ સંતનુ ઉપર ગંગાએ કામણ કર્યું, એકવાર યમુનાએ ! ગંગાએ દેવવ્રત ભીષ્મનું પ્રદાન કર્યું; યમુનાએ એને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે કુમારો આપ્યા.
સત્યવતી (મસ્યગંધા, યોજનગંધા, ગંધવતી, કાલી, મહાભારતમાં અનેક નામે સંબોધાયેલી વ્યાસમાતા અને સંતનુપત્નીને આપણે હવે સત્યવતીને નામે જ ઓળખીશું)ને બીજો પુત્ર વિચિત્રવીર્ય હજુ વનમાં નહોતાં પ્રવેશ્યા, તે પહેલાં તો મહારાજ શંતનુ પરલોકવાસી થયા. એટલે ભીમે સત્યવતીની સંમતિથી એના મોટા પુત્ર ચિત્રાંગદને સિંહાસન પર બેસાડયો. આ ચિત્રાંગદને પિતાની શુરવીરતાનું ભારે અભિમાન હતું. કેઈ મનુષ્યને તો તે શેર્યમાં પોતા સમાન નહેતો જ માનતે, પણ અસુરે, ગન્ધર્વો અને દેશને પણ હમેશાં એ પડકાર્યા કરતો. આખરે એને જ નામેરી ચિત્રાંગદ નામે એક ગધર્વ એના માથાને મળી ગયે. હિરણ્યવતી નદીને કાંઠે આ બે બળિયાઓ વચ્ચે પૂરા ત્રણ વરસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં આખરે ચિત્રાંગદ પિતાના શૌર્યની ન્યૂનતાને કારણે નહિ, પણ ગન્ધર્વની પાસે શૌર્ય ઉપરાંત માયાશકિત પણ હતી, તેને લઇને હારી ગયો અને મરાયો. યુદ્ધમાં હારજીતને આધાર આજે પણ વ્યકિતગત કે સામુદાયિક શૌર્ય ઉપર જ માત્ર નથી હોતો, ક્યા પક્ષ પાસે કેવાં હિંસક, વૈજ્ઞાનિક શસ્ત્રો છે તેના ઉપર પણ હોય છે, એ કોણ નથી જાણતું ?
વાતાના આ સાવકાભાઈની અંતિમક્રિયા પતાવીને ભીમે બાળક વિચિત્રવિર્ય ને ગાદીએ બેસાડ.
પણ ગધર્વ ચિત્રાનંદ સાથેની ત્રણ વરસની લડાઈ દરમિયાન પોતાના સાવકાભાઈ ચિત્રાંગદ પ્રત્યે ભીષ્મનું કેવું વલણ હતું તે બાબત વ્યાસજી કશે જ ઉલ્લેખ કરતા નથી. ચિત્રાંગદને સત્યવતીએ ક ભીમે કોઈએ વાર્યો નહિ હોય ? વાર્યા છતાં ચિત્રાંગદ માનતો નથી, અને આખી સૃષ્ટિને પડકારતે ફર્યા કરે છે, તે છો એ પોતાના કર્મનું ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
ભોગવતો, એવી વૃત્તિથી તેમણે એટલે કે ભીમે અને સત્યવતીએ બનેએ તેની સહાયતા નહિ કરી હોય ? કારણ કે એક વાત ચોકકસ છે કે સત્યવતી માટે ભીમને એટલે બધો આદર દેખાય છે કે એણે જે ભીમને પોતાના પુત્રની વહારે ધાવા કહ્યું હેત, તો ભીમથી તેની ઇચ્છાનું ઉલ્લંઘન થઈ શકત નહિ, અને ભીષ્મ જે વહારે ધાયા હોત તો ગધર્વ ચિત્રાંગદ વિજયી બની શકત નહિ! અસ્તુ.
બાળક વિચિત્રવીર્યનો હસ્તિનાપુરના સિંહાસન ઉપર અભિષેક કરીને ભીષ્મ સત્યવતીની સલાહ સૂચના પ્રમાણે રાજ્યનું પાલન કરવા લાગ્યા.
એમ કરતાં કરતાં વિચિત્રવીર્ય મોટો થયો એટલે ભીમને એના લગ્નની ચિંતા થવા માંડી. એટલામાં ભીમે સાંભળ્યું કે કાશીના રાજવીની અપ્સરાસમી ત્રણ કન્યાએ પોતાના માટે પતિએની શોધ કરી રહી છે અને તે માટે તેમણે “સ્વયંવર રચાવ્યો છે. માતા સત્યવતીની સલાહ લઈને ભીષ્મ રથમાં બેસીને એકલપંડે વારાણસી આવ્યા. સમારંભમાં તેમણે ત્રણે કન્યાઓ જોઈ અને ત્યાં આગળ એકઠા થયેલા હજારો ક્ષત્રિઓ અને રાજવીઓનાં નામે બેલાઈ રહ્યાં હતાં, તે દરમિયાન ભીમે જાતે જ તે છોકરીઓને પસંદ કરી (અલબત પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે!) અને પછી......
થનાર જમાઈને ઘરને આંગણે બોલાવી અલંકારોથી શણગારાયેલી કન્યાનું તેને દાન કરવું અને ઉપરથી વળી થોડું ધન પણ આપવું– લગ્નની એક રીત છે. કેટલાક થનાર જમાઈ પાસેથી બળદની જોડ લઈને તેના બદલામાં કન્યા આપે છે, કેટલાક અમુક નકકી કરેલ દ્રવ્યના બદલામાં આપે છે, તો ક્યાંક વળી બળપૂર્વક અથવા સંમતિથી કન્યાનું હરણ પણ થાય છે. કેટલાક વળી છોકરી જ્યારે કેફમાં ચકચૂર હોય છે ત્યારે એને ઉપાડી જાય છે. પરંતુ ક્ષત્રિયોમાં સૌથી શ્રેષ્ઠ વિવાહ એ ગણાય છે કે જેમાં સૌ રાજવીઓના દેખતાં કન્યાને બલાત્કારે હરી જવામાં આવે તો હે પૃથ્વીપાલો, આ ત્રણેને ઉપાડી જાઉં છું. તમારામાંથી જેમની હિંમત હોય તેઓ મારી સામે મેદાનમાં આવે !”
એ પડકાર ફેંકીને ત્રણે કન્યાઓને તેણે પોતાના રથમાં બેસાડી દીધી.
અને તે પળે જ તે સમારંભમાં આવેલા હજારો રાજવીઓ ભીમ ઉપર એક સામટા તૂટી પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પણ ભીમના અપ્રતિમ શૌર્ય પાસે તેમનું સંયુક્ત આક્રમણ પણ નકામું નીવડયું. તેમને સૌને હરાવીને ભીમે રથને હસ્તિનાપુરની દિશામાં મારી મૂકો.
પણ ભીમ હજુ થોડેક જ દૂર પહોંચ્યા ત્યાં તો “ઊભો રહે ! ઊભો રહે ! એવા હાકટા તેમના કાને પડયા.
તેમણે પાછું વાળીને જોયું તો શાલ્વ નામને એક મહાબળવાન રાજા તેમને પીછો કરી રહ્યો હતો.
ભીમે પોતાના સારથિને રથને પાછો વાળવાની આજ્ઞા કરી. શાવના હાથ યુદ્ધ માટે આટલા બધા સળવળે છે તે પછી યુદ્ધ એને આપવું જ રહ્યું.
દરમિયાન હારીને નાસતા રાજાઓ પણ પાછા આવી ગયા હતા. ભીષ્મ અને શાવની આસપાસ કુંડાળું કરીને તેઓ પ્રેક્ષક બનીને ઊભા રહ્યા.
અને પછી એ મહાવીરનું–મહારથીઓનું રથયુદ્ધ, દ્વયુદ્ધ શરૂ થયું.
આ યુદ્ધમાં શા અત્યંત પરાક્રમ બતાવ્યું. પણ ભીષ્મ પાસે તેનું કશું જ ચાલે એમ નહોતું. અંતે તે પરાજિત થયે. પણ ભીખે તેને વધ કરવાને બદલે વીર જાણીને તેને જીવતો જવા દીધો.
અને રાજાએ પણ સૌ પોતપોતાના દેશ તરફ રવાના થઈ ગયા. પછી ભીષ્મ અનેક વનોમાં થઈને, અનેક નદીઓને પાર કરીને અને અનેક પર્વતને ઓળંગીને આખરે હસ્તિનાપુર પહોંચ્યા. માર્ગમાં ત્રણેય કન્યાઓને તેમણે સસરે પુત્રવધૂઓને સાચવે તેવી રીતે, નાની બહેનને ભાઈ સાચવે એવી રીતે અને દીકરીઓને બાપ સાચવે એવી રીતે સાચવી.”
હસ્તિનાપુર પહોંચીને ભીમે ત્રણેય કન્યાઓને માતા સત્યવતીને સોંપી અને પછી તેની સલાહ લઈને વિચિત્રવીર્યના વિવાહની તૈયારી કરી.
વિવાહની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે એ ત્રણેય કન્યાઓમાં જે સૌથી મોટી હતી, તેણે ભીષ્મને કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
શાવ અને હું મનથી પરણી ચૂક્યાં છીએ. મારા પિતાની પણ એ જ ઈચ્છા છે કે શાલ્વને પરણું. સ્વયંવરમાં પણ હું શાવને જ પરણવાની હતી. માટે હે ધર્મા, આ બાબત જે પગલું તમને ધમ્ય લાગતું હોય તે લેજે.”
ભીષ્મ વિચારમાં પડી ગયા. વિદ્વાન અને વેદ-પારંગત બ્રાહ્મણોની તેમણે સલાહ લીધી, સૌને નિર્ણય થયો તે પ્રમાણે મોટી અખાને શાલ્વ પાસે જવા રજા આપી, બાકીની અબિકા અને અબાલિકાને ભીમે વિધિપૂર્વક વિચિત્રવીર્ય સાથે પરણાવી દીધી.
અને વ્યાસજી કહે છે કે કાશીરાજની એ બે સુંદર કન્યાઓને પરણતાં વેંત
વિચિત્રથી ધર્મમાં માત્મા સમજાત ” ધર્માત્મા વિચિત્રવીર્ય કામાત્મા બની ગયો.”
છોકરીઓ મસ્ત વાંકડીયા વાળવાળી, લાલ અને ઊંચા નખેવાળી, જોબન મદમાતી હતી, અને પોતાને જોઈતો હતો તે પતિ મળી ગયો, એની ખુશાલીમાં વિચિત્રવીર્ય ઉપર ઓળઘોળ થઈ ગઈ હતી.
અને પરિણામે સાત વરસ સુખચેનમાં ક્યાં નીકળી ગયાં તેની ત્રણેયમાંથી એકેયને ખબર ન પડી.
અને એક દિવસ આખરે (અતિવિલાસિતાને કારણે જ તો ! ) વિચિત્રવીર્થ ક્ષયરોગથી પટકાઈ પડયા. રાજવૈદ્યોએ એને સાજો કરવા માટે આકાશપાતાળ એક કર્યા, પણ રોગ જીવલેણ નીકળ્યો.
અને પિતાના આ બીજા પુત્રની પણ અંતિમ ક્રિયા ભીષ્મને હાથે થતી જોવાનું દુર્ભાગ્ય સત્યવતીને દમી રહ્યું.
એને પિતા દશરાજ, આ વખતે હયાત હશે કે નહિ, પ્રભુ જાણે! પણ એ જે હયાત હેત તે પિતાના બને દૌહિન અકાળ મૃત્યુની ઘટનામાં જરૂર એને ભગવાન કાળની કેઈ સાંકેતિક વાણી જ સંભળાઈ હેતઃ “લો, તમે જેના માટે આટલી બધી ખટપટ કરી એ તે જીવતા જ ન રહ્યા, એટલું જ નહિ પણ નિર્વશ ગુજરી ગયા.”
અને ભીષ્મના મનની વાત ભીષ્મ જ જાણે! “કાશીમાં હજારો રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૧.
એને હરાવીને હું આ છોકરીઓને ઉડાવી લાવ્યા તેની સાથે જ વિચિત્રવીર્યના મૃત્યુને તો નહિ ઊંચકી લાવ્યો હોઉં !' એવો વિચાર તેમને કોઈ દિવસ પણ નહિ સ્પર્શી ગયો હોય ?
૭. સત્યવતીની કરુણતા
અને તે
વાતને '
“મારી દીકરીની કુખે જે દીકરે જન્મે તે હસ્તિનાપુરના સિંહાસનને સ્વામી બને!” એવી શરતે પોતાની દીકરીને સંતનુ સાથે પરણાવનાર દાશરાજ પાસે ભવિષ્યમાં થોડે દૂર સુધી પણ જોવાની શકિત હોત તે ?
તેના મનમાં તો હસ્તિનાપુરની ગાદી પર પોતાનો વંશવેલો વાવચંદ્રદિવાકરૌ " કાયમ કરવાના કેડ હતા.
પણ તેને બિચારાને કયાં ખબર હતી કે પોતાની પુત્રીને સંતનથી જે બે પુત્રો થશે તે બને, થોડા થોડા વરસ રાજય કરીને નિઃસંતાન જ ગુજરી જશે, અને જે દેવવ્રતના અધિકાર ઉપર તરાપ મારીને તે પિતાના દૌહિત્રો અને તેમના વંશવારસોને પુરુવંશના સિંહાસનને ધણીએ બનેવવા માગતો હતો, તે દેવવ્રતને હાથે જ એના એ નિઃસંતાન દૌહિત્રોની અંતિમ ક્રિયાઓ થશે.
ત્યારે આ મત્સ્યગંધાના પિતાની આટલી અમર્યાદ મહત્વાકાંક્ષાનું પરિણામ આખરે શું આવ્યું?
નકકર પરિણામ જુવો તે એક જ. એ મહત્ત્વાકાંક્ષાએ ભારતને એને ભીમ આપ્યો.
યમુનાતટના ધીવરરાજના રાજ્યશેખને સંતોષવા ગંગાના પુત્રે નૈષ્ઠિક બ્રહ્મચર્ય સ્વીકાર્યું.
હવે આગળ ચાલીએ.
મહાભારત કહે છે કે વિચિત્રવીર્યના મૃત્યુએ સત્યવતીને “દીન” અને ‘કૃપણ’ બનાવી દીધી.
અને મહાભારતકાર કોણ છે તે યાદ રાખવું જોઈએ. મહાભારતના લેખક વ્યાસ છે અને એ વ્યાસ આ સત્યવતીના જ, આ મત્સ્યગંધાના જ પુત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩ર
મહાભારતની અને રામાયણની પણ સૌથી મોટી ખૂબી એ છે કે એને લેખક એ એની કથાનું એક પાત્ર પણ છે, એટલે કથાના પ્રસંગોથી–પાત્રથી લેખક સારી રીતે પરિચિત છે.
અને છતાં એની દષ્ટિમાં સહાનુભૂતિ સાથે તટસ્થતા પણ એટલી જ છે.
વ્યાસજીએ પોતાની માતા માટે આ પ્રસંગે “કૃપણ” અને “દીન” એ બે વિશેષણે વાપર્યા છે તે કેટલાં યથાર્થ છે !
“કૃપણને અર્થ લોભી નહિ, પણ કૃપાપાત્ર અને “દીન” એટલે લાચાર, અસહાય, નિરુપાય.
સત્યવતી અત્યારે ખરેખર લાચાર હતી. કૃપાપાત્ર હતી. તે અત્યારે જે પરિસ્થિતિમાં મૂકાયેલી હતી, તેને માટે તે જાતે જ જવાબદાર ન હતી. જે દેવવ્રતના હકને સદાને માટે ડુબાવીને તે હસ્તિનાપુરની મહિષી બની હતી, તે જ દેવવ્રતની દયા ઉપર જીવવાને હવે તેને વારો આવ્યો હતો, એના જેવી કરુણતા બીજી કઈ ?
પણ સત્યવતી કેાઈ મામુલી માટીનું સર્જન નથી. યમુનાતટની આ છોકરીમાં કેઈ અસાધારણ ખમીર છે. એની વિશેષતા ફકત રૂપ જ નથી. રૂપની સાથે બીજી અનેક ખૂબીઓ તેનામાં ભરેલી છેઃ પૈય, નિર્ભયતા, મુશ્કેલીઓ વચ્ચેથી માર્ગ કાઢવાની સૂઝ, સમતોલતા, સ્વશાસન વગેરે અનેક ગુણે યમુનામાં નૌકા ચલાવનારી આ નારીમાં ખીલ્યા છે.
આમ ન હેત તો એ કયારની યે યમુના-જલના અતલ ડાણમાં લુપ્ત થઈ ગઈ હોત.
પણ આતો પરાશર જેવાને પ્રણયને સ્વીકાર કરીને માતા બન્યા પછી પણ મગજનું સમતોલપણું સાચવી શકે છે, અને ગંગાના પુત્ર ભીમ જેવાની માતા બનવા જેટલું ગૌરવ પણ વિકસાવી શકે છે.
એટલે વિચિત્રવીર્યના મૃત્યુએ સર્જેલ “દીનતા” અને “કૃપણુતા” ને આઘાં હડસેલીને એ કર્તવ્ય-પંથ પર આગળ વધે છે.
એ ભીમને બોલાવે છે.
“હું જાણું છું, ભીષ્મ, તે કહે છે, “તે આકરૂં બ્રહ્મચર્યવ્રત લીધું છે પણ આપણા ઉપર આજે એક જુદી જ આપત્તિ ઉતરી છે. વિચિત્રવીર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
નિઃસંતાન ગુજરી જતાં સિંહાસન આજે નધણિયાતું બન્યું છે. એ સિંહાસનને એને સ્વામી આપવો એ અત્યારે આપણી ફરજ છે, આપણો ધર્મ છે, આપણે આપધર્મ છે. ”
સત્યવતીના સંભાષણને ઝોક ભીમ તરત જ સમજી જાય છે. માતા શું માગી રહી છે.
એ સમયના રાજકુળમાં એક રસમ હતી. પતિ નિઃસંતાન ગુજરી જાય તો પત્ની કે પુરુષને શોધી કાઢી તેના દ્વારા માતા બની શકે.
સત્યવતી આજે ભીમ પાસે એવી માગણી કરી રહી હતી. વિચિત્રવીર્યની નિઃસંતાન પત્નીને માતૃપદ અર્પણ કરવા પૂરતું બ્રહ્મચર્યનું મર્યાદિત વિસર્જન કરવાની એ ભીષ્મને વિનંતી કરી રહી હતી, એટલું જ નહિ, પણ પ્રજાના કલ્યાણાર્થે બ્રહ્મચર્યને હમેશને માટે ત્યાગ કરી, પરણું અને વંશવૃદ્ધિ કરવાની પણ એ સાથે સાથે વિનંતી કરી રહી હતી.
માતાની દષ્ટિએ આમ કરવામાં કંઈ જ ખેડું નહતું. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જેને ખાતર લેવામાં આવી હતી, તે જ ઊઠીને જો એ પ્રતિજ્ઞાનું વિસર્જન કરવાનું કહે તો પછી તેમ કરવામાં વાંધો છે?
આખરે તો સંયોગ એ મનુષ્યોને સંકલ્પના સ્વામીઓ છે !
રાજકારણી પુનાં મનને અહીં વ્યાસજીએ કેવો ચિતાર આપ્યો છે! પ્રતિજ્ઞાઓ અને સંકલ્પ અને વચન, કશુંય એમને મન સનાતન નથી, ત્રિકાલાબાધિત નથી, કાયમી નથી. સિદ્ધાંતો સુદ્ધાં, એમને મન, વ્યવહારના લાભ અર્થે છે. સમય અથવા સંયોગાનું બળ એ જ સાર્વભૌમ કાયદે છે, એ જ સિદ્ધાંત છે.
ભીષ્મની દૃષ્ટિ સત્યવતીના આ વ્યવહારશાસ્ત્રથી સદંતર ઊલટી છે. સત્યવતીને આવો સમયાનુકૂળ પ્રસ્તાવ સળગીને ભષ્મ કહે છે: “હું ત્રણે લેકના રાજ્યનો ત્યાગ કરી શકું. મા, પણ સત્યને નહિ.”
અને પછી સત્ય એ મનુષ્યના આત્મા સાથે સંકળાયેલો એવો સ્વભાવ ધર્મ છે એ વાત માતાને મન ઉપર ઠસાવવા માટે આલંકારિક ભાષાને આશ્રય લઈને એ કહે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃથ્વી ગંધને ત્યાગ કરે, જલ રસને છેડે, તેજ પેાતાના રૂપધને જતા કરે, વાયુ પેાતાના સ્વ-ગુણનું વિસર્જન કરે, સૂ પાતાની પ્રભા જતી કરે, ધૂમકેતુ ઉષ્ણતાને ત્યાગ કરે, આકાશ પાતાના શબ્દગુણથી અળગું થાય, ચંદ્ર શીતલતા ત્યાગે, ઈન્દ્ર પરાક્રમધર્મી ત્યજે અને ધર્મરાજ ધર્માંના ત્યાગ કરે તો પણ હું સત્યને ત્યાગ ન કરૂ !” પ્રતિજ્ઞાઓ, અપાચેલાં વયના, લેવાયેલા શપથા અને કરાયેલા સ`કલ્પે માર્ટને આ ભીષ્મઆદર એ આપણી સંસ્કૃતિનું એક પ્રધાન લક્ષણ છે. એને ધર્માંનું જ એક અંગ ગણવામાં આવ્યું છે. ધમે ક્ષતિ રક્ષિત : એમ એને માટે જ કહેવામાં આવ્યું છે.
r¢
સત્યવતીએ ભીષ્મની કસેાટી કરી ? કે પછી ભીષ્મ પરણીને સંસાર માંડે એવી ખરેખર જ એની ઇચ્છા હતી ? કે પછી પેાતાના મનમાં રમી રહેલી વાત પાતે પ્રગટ કરે, તે પહેલાં ભીષ્મને ચકાસી જોવાની જ માત્ર એની ઇચ્છા હતી ?
જે હા તે, પણ બ્રહ્મચર્યાં ના–પેાતાની પ્રતિજ્ઞામાં અચલ રહેવાના-પેાતાના સંકલ્પ ભીમે જ્યારે જાહેર કર્યા, ત્યારે થેાડીક વાર તેા એ વિચારમાં પડી ગઇ. પછી ખાલી સિહાસનની સમસ્યાના ઉકેલ તેણે ભીષ્મ પાસે જ
માગ્યા.
ભીષ્મ ઉકેલાના આકર–ગ્રંથ જેવા હતા. સંસ્કૃતિની પરંપરાને તેમણે બહુ જ ઊંડા અભ્યાસ કર્યો હતા. કયા સંજોગેામાં કાણે કઈ રીતે વવું એ બાબતની સલાહ એ સૌ માગનારને સંપૂર્ણ તટસ્થ ન્યાયમુદ્ધિથી આપતા. (તે એટલે સુધી કે આગળ જતાં તેમનું પેાતાનું માત કઈ રીતે શક્ય છે તે બાબતની સલાહ માગવા આવનારને પણ તેમણે સાચું જ માદન આપેલુ' !)
રાજા અપુત્ર મરી જાય, એવા સંજોગામાં રાજ્યવંશને ચાલુ રાખવાને એક રસ્તા જે તે વખતની સંસ્કૃતિને માન્ય હતા તે તેમણે પેાતાની માતાને સુઝાડયા. વિચિત્રવીર્યની બે પત્નીએ દ્વારા શંતનુના કુલતન્તુને ચાલુ રાખવા માટે સુયેાગ્ય બ્રાહ્મણની પસંદગી થઇ શકે, એવું તેમણે સત્યવતીને સૂચવ્યું
સત્યવતી અને ભીષ્મ બન્ને ડહાપણુ અને મુત્સદ્દીગીરીમાં એકમેકના કરતાં ચડી જાય એવાં લાગે છે. બંને એકખીજાના મનને પૂરેપૂરાં જાણતાં લાગે છે. અને પરિણામે એકમેકને અનુકૂળ જ સલાહ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૫
ધ્યાન
સત્યવતીના પૂર્વ જીવનની વાત ભીષ્મ જેવા વિચક્ષણ પુરુષના બહાર નહિ જ હાય ! પરાશર જેવા સમ મહર્ષિ ના જીવનમાં, શું એ વખતના જગતને સરેશમાઠા અને ખેાટાસાચેા બધા જ રસ નહિ હૈાય ?
બીજી તરફ, પેાતાની પૂર્વકથા ભીષ્મ જેવા ભીષ્મના ધ્યાનની બહાર ન જ હાય, એટલું શું મત્સ્યગંધા નહિ કપી શકી હેાય ?
જે હોય તે, કૈાઇ સુયેાગ્ય બ્રાહ્મણ દ્વારા નિયેાગને પ્રસ્તાવ ભીષ્મને માંએથી સાંભળતા વેંત એકાએક જાણે પેાતાને પેાતાને ભૂતકાળ સાંભરી આવ્યા હાય એવી રીતે એ શરૂઆત કરે છે.
મહાભારતના લેખક વ્યાસજી આ પ્રસંગે પેાતાની માને માટે એ સૂચક વિશેષણા વાપરે છે.
એક તા દૂસ્તીવ અને બીજી રુન્ગમાના.
"
સત્યવતીએ જાણે ‘હસી રહી હેાય એવી રીતે ' પણ ‘શરમાતાં શરમાતાં' પેાતાના પૂર્વ જીવનની કથા કહી, અને કૃષ્ણ દ્વૈપાયનને નામે પ્રસિદ્ધ વેદપાર'ગત જે યુવાન છે, તે પેાતાને જ દીકરા છે એવી જાહેરાત કરી અને– તારી સલાહ હોય તેા આપણે એને ખેલાવીએ. એણે મને વચન આપ્યુ છે. જ્યારે કાષ્ટ કામ પ્રસંગે યાદ કરૂં ત્યારે આવીને હાજર થવાનું.”
અને ભીષ્મની સંમતિ મળતાં વ્યાસ હાજર થાય છે.
સત્યવતી તેને બધી પરિસ્થિતિ સમજાવે છે.
..
માની આજ્ઞા વ્યાસને શિરામાન્ય છે, પણ જો મારા આ રંગ, મારે દેખાવ, મારી આકૃતિ, મારાં વસ્ત્રો અને મારી ગ, તારી વહુએથી સહન થાય તા! '”
16
જગતના પ્રથમ લેખકનુ પ્રથમ સાહિત્યકારનું, પ્રથમ કવિનુ, વાલ્મીકિથી ય પહેલાંના કવિનુ –પેાતાના માટેનું આ શબ્દચિત્ર કેટલું બધું સૂચક છે ! હવેની કથા વ્યાસના જ શબ્દોમાં સાંભળીએ.
સત્યવતીએ કહ્યું : “ હે કવિ, સાધારણ પુત્રા માતા-પિતાથી ઉત્પન્ન થાય છે. તેમના પિતા તેમને માલિક હોય છે, તેવી જ રીતે માતા પણ તેમની માલિક હાય છે, જેવી રીતે વિધાતાએ આપેલ, તું મારે પહેલે પુત્ર છે, તેવી રીતે, હે બ્રહ્મર્ષિ ! વિચિત્રવી એ મારે ખીજો પુત્ર હતા. જેમ પિતૃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
પક્ષથી આ ભીષ્મ વિચિત્રવી ના ભાઈ ગણાય, તેમ માતૃપક્ષથી તું એને ભાઈ. હવે આ શંતનુ-પુત્ર ભીમ પેાતે લીધેલ પ્રતિજ્ઞાને સત્યપણે વળગી રહેવા માગે છે, અને રાજ્ય તથા સંતતિનું મન નથી કરતા, માટે તું ભાઈના ભલા ખાતર, સતાન અર્થે, કુલકાજે આ ભીષ્મ તેમજ મારા વચનને પ્રમાણ ગણીને સૌના રક્ષણાર્થે જે એક ભલી વાત તને કહું છું, તે કર. તારા નાના ભાઇ ( વિચિત્રવી ) ની એ ભાર્યાએ છે. બન્ને દેવદુહિતા સમી, રૂપયૌવન-સંપન્ન છે. બન્નેને પુત્રકામના છે. તા તું તેમને પુત્ર આપ.
આ
""
..
વ્યાસે જવાબ આપ્યા : “ હે સત્યવતી, તમે કહ્યું તેમ પુરાતન ધર્મોનુસાર હું તમારી આજ્ઞાને માથે ચડાવું છું, પરંતુ તે માટે એ સ્ત્રીએએ એક સંવત્સર સુધી વ્રતનું પાલન કરીને શુદ્ધ થવું પડશે. હું કાઈ અ-વ્રતધારિણી અંગનાને સ્વીકાર કરતા નથી. ”
આના જવાબ આપતાં સત્યવતી ખેાલી ઃ અરાજક રાષ્ટ્રોમાં નથી થતી વૃષ્ટિ, નથી હેાતા દેવતા, માટે જલ્દી કર.”
cr
વ્યાસે કહ્યું : જો મારે એ કાર્યાં વિના વિલંબે જ કરવાનુ... હાય તા પછી એ સ્ત્રીએએ મારી આ વિરૂપતાને સહી લેવી પડશે. એ જ તેમનું એક મહાન વ્રત બની રહેશે. જો મારી ગંધ, મારૂં રૂપ, મારું શરીર અને મારા વેશને એ સ્ત્રીએ સહી શકે એમ હાય, તે! ભલે આજે જ કૌશલ્યા, વિચિત્રવીર્યંની મેાટી પત્ની તૈયાર થાય.
99
વૈશ પાયન કહે છે કે હે જનમેજય, તે પછી યેાગ્ય કાળે સત્યવતીએ પુત્રવધૂ અંબિકાને કહ્યું : અંબિકા, આજે મધરાતે તારા · દેવર ’ની વાટ
cr
જોજે.
""
અને સાસુની આ સૂચના પ્રમાણે કૌશલ્યા દેવર ’ ની પ્રતીક્ષા કરી રહી હતી, ત્યાં વ્યાસ દીવાએ વડે ઝળાંહળાં એવા એ શયન–મંદિરમાં પ્રવેશ્યા. તે કાળા હતા, પીળી જટાવાળા હતા, અગારા જેવાં એમનાં લાયન હતાં, કાબરચીતરી તેમની મૂછે હતી, આવેા તેમના દીદાર દેખતાંવેંત દેવી આંખા મીચી ગયાં.
વાત જાણીતી છે. આ કારણે ધૃતરાષ્ટ્ર આંધળા જન્મ્યા. પછી એ જ રીતે અંબાની કુખે પાંડુ ફ્રિકા જન્મ્યા, અને છેલ્લે દાસીની કુખે વિદુર જન્મ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭
૮. બ્રહ્મચિંતક મહાકવિ વ્યાસ
का ते कान्ता कस्ते पुत्रः विचित्रः ।
r
“કાણુ તારી કાન્તા છે, અને કાણુ તારા પુત્ર છે? આ સંસાર ભારે વિચિત્ર છે,” મનુષ્યના મન પર સંસારની અસારતા ઠસાવવા માટે શ્રીમદ્ શંકરાચાર્યે આ શબ્દો લખેલા છે. પણ એ શબ્દો માત્ર આલંકારિક નથી. શબ્દો દ્વારા સોંસાર વિષેની જે એક અત્યંત ગંભીર હકીકત શ્રીમદ્ શંકરાચા સાધકના મન ઉપર ઠસાવવા માગે છે, તે અક્ષરશઃ સાચી છે. આપણે હુંપદના માર્યા ભલે જગતમાં સર્વાંત્ર આંખ આડા કાન કરીને ફરીએ, પણ એક વાત નિર્વિવાદ છે કે જગતને જેવું આપણે આપણી કલ્પનામાં જોએ છીએ, તેવું તેા તે નથી જ, તે કાઇ નિરાળું જ છે. જુદું જ છે. આપણી કલ્પનાથી સદંતર ઉલટું જ છે. આપણે જેને મહાપુરુષ માનીએ, તે અંદરખાનેથી ઘણા જ નાનેા માણસ નીકળી પડે અને આપણે જેને મહાવીર માનીને પૂજતા હોઇએ, તેના નિકટના સંપર્કમાં આવતાં તે કદાચ કાયરને પણ કાયર સાબિત થાય.
મહાભારત એ મહર્ષિ વ્યાસની વેધક આંખાએ જોયેલું સનાતન જગત છે. એણે સત્યને જ સદા આગ્રહ સેવ્યા છે, જેવું જે બન્યું, જાણ્યું, તેવું તેમણે આલેખેલ છે. એ બાબતમાં એણે કાઇની ચે શરમ રાખી નથી. કાઇની શેહમાં એ તણાયા નથી, અને કાઇના ઉપર દ્વેષ કે રોષે ભરાને ઉતરી પડયા નથી. બ્રહ્મચિંતકની પારદર્શક પણ સ્વસ્થ પ્રજ્ઞા વડે એ બાહ્ય જગતના પેાતાના આંતરમનમાં ઝિલાતાં પ્રતિબિંબને ગ્રહણ કરે છે, અને વ્યકત કરે છે. જગત જેને ધર્મરાજ તરીકે ઓળખે છે, તેની પણ આંતરિક નબળાઇએ વ્યાસજી ખુલ્લી કરે છે, અને જગત જેને પાપાત્મા માટે છે તે દુર્યોધન કે દુઃશાસન પ્રત્યે પણ તેમનું દિલ દિલસેાજી વહેણું નથી.
અત્યારે આપણે જોઈએ છીએ કે માણસ પેાતાના ભૂતકાળ એ જેવા હેાય તેવા બતાવવાને બદલે, પેાતાને અનુકૂળ ર ંગાએ ર'ગીતે જ બતાવે છે. પેાતાની અને પેાતાનાની નિ`ળતા માટે ભાગે સંતાડાય છે, અથવા આછામાં એછું એના ઉપર ક્રાઇ માહક રંગના એકાદ લપેટા તેા લગાડવામાં આવે જ છે. વમાન વિષેના આપણા સૌને દંભ તા જાણીતા જ છે, અને ભવિષ્યની બાબત આપણે નિરાશ થઇને બેઠા હેાએ છતાં આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
હાર્યા છીએ, અને હવે આપણું પ્રારબ્ધમાં સર્વનાશ સિવાય બીજું કશું જ નથી એવું આપણે ભાગ્યે જ કદી જાહેર કરીએ છીએ.
મહાભારતકાર વ્યાસ, સત્યવતી અને પરાશરના પુત્ર વ્યાસ, શુકદેવના તથા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના પિતા વ્યાસ–એ આ પ્રકારના છદ્મલેખક નથી. સત્યને જોવાની, સમજવાની, સારવવાની અને જીરવવાની એમની શકિત અમાપ છે. સત્યને જ શિવ અને સુંદર રૂપે વ્યકત કરવાનું એમની કલામાં સામર્થ્ય છે. એમની લેખિનીને કઈ સગે નથી, કોઈ શત્રુ નથી. એક સત્ય સિવાય બીજા કોઈ પાસે એ શિર ઝુકાવતી નથી.
એટલે જ તો વ્યાસજી પોતાની મા વિષે લખતાં અચકાયા નથી. પિતાના પિતા કેવી રીતે પોતાની માને સહચાર પ્રાપ્ત કરી શક્યા તે વિષે લખતાં એમણે લેશ પણ ભોંઠપ કે તેજેસંગ અનુભવ્યું નથી.
માતા સત્યવતી પાસે એમણે પોતાના વ્યકિતત્વને, શારીરિક વ્યકિતત્વને જે ચિતાર ખડે કર્યો છે તે જ જુઓ. વિચિત્રવીર્યની બે સ્ત્રીઓ એક વર્ષ સુધી વ્રતબદ્ધ થઈ પછી જ મારા વડે માતાઓ બને તે સારું, એવી પિતાની સૂચનાના જવાબમાં માતા જ્યારે વિલંબ સહન કરવાની ના પાડે છે, ત્યારે કેવા નિખાલસ શબ્દોમાં એ પિતાના શરીરનો તેમને ખ્યાલ આપે છે. “જે તારી કુલવધૂઓ, મારું રૂ૫, મારી વય, મારી ગંધ, મારાં વસ્ત્રો, એ બધું સહન કરવાને તૈયાર હોય, તો હું અબઘડી તૈયાર છું.”
આને પરિણામે શું બન્યું, તે આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા. વિચિત્રવીર્યની મોટી રાણી આંખો મીંચી ગઈ માટે એની કુખે જે બાળક અવતર્યો તે આંધળો બન્યા.
વિચિત્રવીર્યની બીજી સ્ત્રી અંબાલિકા વ્યાસને મધ્યરાત્રિએ પિતાના શયનખંડમાં જોતાંવેંત ફિક્કી કરા પડી ગઈ માટે તેની કુખે બાળક અવતર્યો તે પાંડ થયે, ફિકકો થયો. એક માત્ર દાસી વ્યાસના વ્યકિતત્વની સમૃદ્ધિ સમજતી હતી અને તેણે જ્ઞાની વિદુરને જન્મ આપે.
પણ આમાં બ્રાહ્મણ કર્યું છે ને ક્ષત્રિય કેણ છે, વશ્ય કોણ છે ને શુદ્ર કોણ છે ?
ને પિતા કેણ છે ને માતા કેણ છે? ગીતામાં વ્યાસજીએ સંજો नरकायैव कुलघ्नानाम् कुलस्य च ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
વર્ણસંકર કુલને ઘાત કરે છે, અને પૂર્વજને નરક ભેગા કરાવે છે એવી ફરિયાદ કરાવી, પણ તે અર્જુનને મેંએ, અને તે પણ અર્જુન જ્યારે મોહની નિદ્રામાં હતો ત્યારે ! એ મોહ જ્યારે દૂર થયો, ત્યારે ળેિ વજનમ તવા એમ કહેતોકને અર્જુન ઊભો થઈ ગયો. તે વખતે એને વર્ણસંકરની વાત યાદ પણ ન આવી ! આ કેટલું સૂચક છે !
વ્યાસમાં માછીમાર માતાને અંશ છે. ધૃતરાષ્ટમાં, પાંડુમાં અને વિદુરમાં પણ એજ અંશ છે. અને ત્રણેયમાં પાછા પરાશરને પણ એક સરખો અંશ છે. એટલે વ્યાસ જે અર્ધ-બ્રાહ્મણ છે, તે ક્ષત્રિયે પૂરા તે કઈ છે જ નહિ. સિવાય કે દાશરાજને (સત્યવતીના પિતાને) પણ આપણે ક્ષત્રિય ગણુએ. જો કે તેમ ગણવા છતાં પણ ધૃતરાષ્ટ્રાદિ પુરા ક્ષત્રિયે તો નથી જ બનતા.
વળી એ ત્રણ વિચિત્રવીર્યના પુત્ર કેવી રીતે ? અને અંબિકા અને અંબાલિકા વિચિત્રવીર્યની કાન્તાઓ પણ કેવી રીતે, જે એમના સંતાનના પિતા વ્યાસ હોય તો !
વળી એક સરખા મા-બાપના દીકરા પણ પ્રકૃતિથી કેટલા વિભિન? એક ધર્મરાજ તરીકે પંકાયો, બીજો સાવ અધમી તરીકે–ત્રીજે તે જાતે જ ધર્મને અવતાર!
૯. વિકસતું કુટુંબ-વૃક્ષ
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ ત્રણે કુમારે કુરુવંશમાં ઉત્પન્ન થયા તેની સાથે કુરુ જાંગલ દેશ, કુરુક્ષેત્ર અને કુરુવંશ, ત્રણેને ઉત્કર્ષ થે. ધરતી હરિયાળા ખેતરોથી હસી ઊઠી. વરસાદ યોગ્ય સમયે વરસવા લાગ્યા. નદી બે કાંઠા વચ્ચે વહેવા લાગી. પશુપક્ષીઓ પ્રસન્ન થયાં. નગર, વણઝારોથી અને કલાકારથી ગુંજી ઊઠયાં. સજજને શર અને વિદ્વાન બનીને સુખી થયા. કેઈ કસ્તુઓ ન રહ્યા. અધમ ઉપર કોઇની રુચી ન રહી. ટુંકમાં સત્યયુગનું વાતાવરણ છવાઈ રહ્યું. ભીષ્મનું ધર્મચક્ર રાજ્યમાં ફરી રહ્યું. કુરુવંશના અગ્રણીઓ અને નાગરિકના ઘરોમાં ચારેકોર “આવો!” “ખાઓ પીઓ !” એવા શબ્દો સંભળાઈ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
જમ્યા ત્યારથી જ કુમારો ભીમના હાથમાં પોતાના જ પુત્રો હોવ એવી રીતે ઉછરવા માંડયા. એમને વિદ્યાભ્યાસ ભીષ્મની જ દેખરેખ નીચે ચાલવા માંડે. ધનુર્વિદ્યા, ઘેડેસ્વારી, ઢાલ તલવાર, હાથી–સવારી, નીતિશાસ્ત્ર, ઈતિહાસ, પુરાણ, વેદ, વેદાંગ બધું જ તેમને શીખવવામાં આવ્યું. ત્રણેયમાં ધૃતરાષ્ટ્ર વધુમાં વધુ બળવાન હતા, અને વિદુર ડાહ્યામાં ડાહ્યો હતો.
અંધ હોવાને કારણે ધૃતરાષ્ટ્રને રાજપદ ન અપાયું. રાજા તરીકે પાંડુને સ્વીકાર થયો.
પછી ગાન્ધારરાજ સુબલને ત્યાં ભમે ધૃતરાષ્ટ્રને માટે મારું નાખ્યું. સુબલની પુત્રી ગાંધારીએ ભગવાનની ઉપાસના કરીને પોતાને સો પુત્રો થાય એવું વરદાન માગ્યું હતું એ વાત જાણતી હતી.
ભીમ તરફથી માગું આવતાં સુબલરાજ વિચારમાં પડી ગયો. કુલ બધી વાતે સારું હતું. પણ મુરતીઓ અંધ હતા. પણ પછી બધી બાજુનો વિચાર કરીને તેણે હા પાડી.
ગાંધારીએ જ્યારે જોયું કે માતાપિતાએ અંધ ધૃતરાષ્ટ્ર સાથે તેના લગ્નની સંમતિ આપી છે ત્યારે તેણે પોતાની આંખે પણ પાટા બાંધી દીધા. પતિ કરતાં વધારે સુખી થવું એ પત્નીને શોભતું નથી, એમ તે માનતી હતી. પછી તેને ભાઈ શકુનિ તેને હસ્તિનાપુરમાં લઈ આવ્યો અને ધૃતરાષ્ટ્ર જોડે પરણાવી.
ભીષ્મ તરફથી સુયોગ્ય આદરસત્કાર પામી પાછા શકુનિ પિતાને દેશ ગાધાર ચાલ્યો ગયો. મેટા ધૃતરાષ્ટ્રનું લગ્ન પત્યા પછી ભીમે પાંડના લગ્નને વિચાર કર્યો.
યદુવંશમાં શર નામે એક યાદવ-શ્રેષ્ઠ હતો. વસુદેવને એ પિતા, શરને પૃથા નામે એક પુત્રી હતી. રૂપમાં અજોડ આ છોકરીએ નાનપણમાં તપ કરીને દુર્વાસાને પ્રસન્ન કરેલા. દુર્વાસએ તેને એક મંત્ર શીખવેલ. “ આ મંત્રનો જપ કરીને તું જ કાઈ દેવનું આવાહન કરશે, તે દેવ તારી સમક્ષ હાજર થશે. અને તેના વડે તું પુત્રવતી બનીશ,” એમ દુવાર્તા તેને કહેતા ગયા હતા.
પૃથાને પરણતા પહેલાં જ આ મંત્ર અજમાવી જોવાનું મન થયું. તેણે એ મંત્ર જપીને સૂર્ય દેવનું આવાહન કયુ. સૂર્ય પ્રગટ થયા. એ પછી યોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સમયે સૂર્ય પુત્ર કર્ણ તેની કુંવારી કુખે ઉત્પન્ન થયા. એ ખરેખર સૂર્યને પુત્ર હતા, એની સાબિતી એ હતી કે કવચ અને કુંડલ સે જ જન્મે હતા.
પણ આ બાળકનું હવે કરવું શું? મા-બાપ અને ભાઈઓની બીકે પૃથાએ એ છોકરાને નદીના પ્રવાહ ઉપર તરતો મૂકી દીધું. એ છોકરે રાધા નામની કોઈ સ્ત્રીના પતિને હાથ ચડયો. કવચ અને કુંડલ સેતા આ બાળકને જોઈને–વસુ (દ્રવ્ય) ને સાથે લઈને જ આ જન્મે છે એ જોઇને તેમણે તેનું નામ વસુષેણ પાડયું.
આ વસુષેણ રેજ સૂર્ય પૂજા કરતા. પૂજા દરમિયાન જે કઈ યાચક આવે તેની બધી જ મનેકામના પૂરી કરવી એવું તેનું વ્રત હતું. એકવાર ઈન્દ્ર તેના આ વ્રતની કસોટી કરવા માટે ભિક્ષુક વેશે આવ્યો. તેણે કવચકુંડલ માગ્યાં. વસુષેણે તે પોતાના અંગ ઉપરથી ઉતારીને આપી દીધાં. વસુષેણનું આ સાહસ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયો. તેણે એને એક શકિત આપી. “ ગધર્વ, નાગ, રાક્ષસ, દેવ, અસુર, મનુષ્ય જેના ઉપર ક્રોધ કરીને તું આ શક્તિને પ્રયોગ કરીશ, તે તે જીવતો નહિ રહે.” એવું કહીને ઈન્દ્ર અંતરધ્યાન થયા.
અને ત્યારથી આ વસુષેણનું નામ કર્ણ પડયું. સંસ્કૃતમાં એને અર્થ “ઉતરડી આપનાર” એવો થાય છે. પોતાના અંગ ઉપરથી એણે કવચકુંડલ ઉતરડી નાંખ્યાં, માટે કર્ણ કહેવાયો.
પણ હવે આપણે પૃથા તરફ વળીએ. વસુદેવના પિતા સૂરની આ પુત્રી મહાભારતમાં કુન્તીભજની પુત્રી તરીકે ઓળખાઇ છે, કારણ કે શરસેને પિતાના ફઈના દીકરા કુતીભજને સોંપી હતી.
આ કુન્તીભજે પૃથાને માટે પતિ પસંદ કરવા સારૂ સ્વયંવર રચાવ્યો, જેમાં પૃથા “હજારો ક્ષત્રિયોની વચ્ચે સિંહના જેવી દાઢવાળા, હાથીના જેવી ખાંધવાળા, બળદના જેવી આંખવાળા અને મહાબલી” એવા પાંડુને પરણી.
આ પૃથા ઉપરાંત, પાંડુને માટે ભીમ એક બીજી પત્ની પણ લાવ્યા, એનું નામ હતું માદ્રી. એ બહુ રૂપાળી હતી. એને મેળવવા માટે એના બાપને ખૂબ ધન આપવું પડયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪
.
પૃથા અને માદ્રીને પરણ્યા પછી પાંડુ પૃથ્વીને વિજય કરવા નીકળ્યો. હાથી, ઘેડા, રથ અને પાયદળ-ચતુરંગી સેનાને નાયક બનીને પાંડુએ પહેલાં દશાણેને યુદ્ધમાં હરાવ્યા. પછી મગધરાષ્ટ્રના દૌર્વને રાજગૃહમાં હર્યો. પછી મિથિલા જઇને વિદેહનું શાસન કર્યું. પછી કાશી, સુબ, પુરૂ વગેરે સૌને કર ભરતા કર્યા. રાજાઓ પાસેથી ધનના ભંડાર લઈને પાંડુ હસ્તિનાપુર પાછો ફર્યો. સન્તનુના સમય પછી લુપ્ત થયેલી કીર્તિને આમ પાંડુ દ્વારા પુનઃ પ્રકાશિત થયેલી જોઈને ભીષ્મની આંખે હર્ષાશ્રુઓ વડે ભીંજાઈ ગઈ. પછી સુંદર શસ્યાઓવાળા મહેલને છેડીને, પાંડુ કુન્તી અને માદ્રીની સાથે વનવાસી થયો. હિમાચલની દખણાદિ તળેટીઓના રમણીય વનમાં તેના શૌર્ય અને તેજને કારણે સૌ તેને દેવ ધારવા લાગ્યા. હસ્તિનાપુરથી ધૃતરાષ્ટ્ર ખેપિયાઓ મારફત તેને જોઇતી સામગ્રી પહોંચાડતો.
આ તરફ વિદુર પણ દેવકરાજની રૂપાળી પુત્રી પરણીને ગૃહસ્થ બન્યા હતા. અને પિતાના જેવા જ ગુણોવાળા અનેક પુત્રના પિતા પણ બન્યા હતા.
૧૦. કિંદમને શાપ !
હિમાલયનું આકર્ષણ ભારતવાસીઓને હિમાલય જેટલું જ જુનું છે. પાંડુને તે પર્વતભણી આકર્ષવા માટે તેનું પિતાનું પણ એક આગવું કારણ હતુઃ તે પાંડુરોગ લઈને જ અવતર્યો હતો. એ રેગ માટે પહાડોની સૂકી હવા અને બ્રહ્મચર્ય એ બે રામબાણ ઓસડ હતાં.
એટલે વિજયયાત્રા પૂરી કરીને સીધે પાંડુ પોતાની અને પત્નીઓને સાથે લઈ ઉત્તર દિશાની નેમ નંધીને ચાલી નીકળ્યા.
વ્યાસજી કહે છે કે હિમાલય પર્વતના રમણીય દક્ષિણ પ્રદેશના એક શાલવનમાં પાંડુએ નિવાસ કર્યો. ખન્ગ બાણ અને ધનુષ ધારણ કરતા તથા રંગીન ચીતરામણવાળું કવચ સજતા તે વીર અને પરમ અસ્ત્રવિદ્ર નરપતિ ને બે પત્ની સાથે ફરતે જોઈને વનવાસીઓ આ દેવ છે એમ માનતા. પાંડુ અને તેના રસાલા માટે જરૂરી ભોગ સામગ્રી સીધી હસ્તિનાપુરથી આવતી. ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી રાજના ખેપિયાએ પાંડને તેના ગિરિવન– વિહાર પર તે નિયમિત પહોંચતી કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૩
પાંડુને મૃગયાને શેખ. એ શોખ જ આખરે એના માટે એક વિચિત્ર રીતે આપત્તિકારક બન્યા.
કિંદમ નામના એક મુનિ વનમાં મૃગોની સાથે રહીને મૃગ જેવા જ બની ગયા હતા. હતા તો એ મુનિ, પણ સંયમ એમનામાં ઓછો હતો. વિષયવાસના એમના ઉપર એટલી હદે સવાર રહેતી કે સમય સમયનું કે પાત્ર–અપાત્રનું પણ ભાન ન રહેતું.
એક વાર આ મુનિ કિંદમ સરેઆમ વન–વિસ્તારમાં આવી જ રીતે રતિરંગમાં લીન હતા, જ્યારે શિકારે નીકળેલ પાંડુને દૂરથી જાણે કોઈ મૃગ અને મૃગી વિહાર કરી રહ્યાં હોય એમ લાગ્યું. શિકારનું કેણ જાણે કેવું ય ઝનૂન છે, કે સામા પક્ષની અવસ્થા જેમ વધારે નાજુક તેમ શિકારીને જાણે એને વીંધવામાં જ વધુ મઝા આવતી હોય એમ લાગે, નહિતર પેલું કૌંચયુગલ પ્રેમ કે લીલામાં મત્ત હોય તે વખતે જ બરાબર નિષાદને તેમના ઉપર તીર છોડવાનું કેમ મન થાય? પણ બીજી રીતે જોઈએ તે, આ જ શિકારીએ જગતને રામાયણ અપાવ્યું.
પાંડુ કંઈ નિષાદ નહત, આર્ય-શિરોમણિ હતો, પૌરવકુલને સંસ્કારસંપન્ન કુલદીપ હતો. કાશીરાજાની પુત્રીને કુખે એ અવતર્યો હતો. અને વ્યાસ જેવાએ એનું પિતૃકાર્ય કર્યું હતું. છતાં એણે પણ મુનિની, અથવા મુનિ એને મૃગરૂપે દેખાય તો મૃગની, કામોહિત અવસ્થાની મર્યાદા ન જાળવી ! એનું એક કારણ કદાચ, એ પણ હોય કે પાંડુરોગને લીધે પિતાને ફરજિયાત પાળવા પડતા સંયમને કારણે પાંડુ બીજાઓના વિષયભોગ પ્રત્યે અસહિષ્ણુ અને ઇર્ષાળુ બન્યા હોય !
જે હોય તે, પાંડુએ કિંદમ ઉપર તીર છોડ્યું. અને એક કરણ ચીસની સાથે જ કિંદમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પણ મરતાં પહેલાં આ કિંદમ પાંડને મારતે ગયો, એક વિચિત્ર રીતે ! કથા કહે છે કે પાંડુને તેણે શાપ આપ્યો. “તેં મને જે દશામાં માર્યો છે, તે જ દશામાં તારૂં મૃત્યુ થશે !”
આપણામાં એક કહેવત છે કે સતી શાપ આપે નહિ અને શંખણીનો શાપ લાગે નહિ અને તાત્ત્વિક દષ્ટિએ એ સાચી જ વાત છે. પણ હકીકત એ છે કે શાપ એ નિર્બળ ઉપર જાણે અજાણે અત્યાચાર કરનાર માનવીને પોતાના જ અંતઃકરણને પશ્ચાત્તાપનું બીજું નામ છે ! કર્મનું ફળ કાઈ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રદ્ધા છે.
ક્રાઇ પ્રકારે આપણે ભેગવવું જ પડે છે, એવી આપણી દૃઢ મનને આપણે ગમે તેટલું મનાવીએ પણ વિશ્વના આ અટલ કર્મનિયમની પકડમાંથી આપણે છૂટવાના નથી એમ આપણને લાગ્યા જ કરે છે. માટે જ કાષ્ટને અપુત્ર કરનાર જાતે જ ક્રાઇ દિવસ પુત્રહીન બને છે ! જેસી જિનકી ચાકરી પૈસા ઉનકો દેત. ”
ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । ગીતા–વચનના એક જુદા જ અર્થમાં વિનિયેગ !
અહી' કદમની વાત જોઈએ, તેા પાંડુને કાઇ એવા માટા અપરાધ નહેાતા એમ પણ કેમ કહેવાય ! ક્રૌંચ ક્રૌ ંચીને આવી અવસ્થામાં છૂટાં કરનાર નિષાદને આદિકવિએ શાપ્યા હતા. કે એ વાત શું પાંડુ નહિ જાણતા હોય? અને નિષાદ તા અસંસ્કારી ભીલ હતા, જ્યારે પાંડુ તા સંસ્કારસમૃદ્ધ આ નૃપતિ હતા. અને નિષાદે તા ફક્ત પક્ષીયુગલને છિન્નભિન્ન કર્યુ” હતુ, જ્યારે પાંડુએ તેા ભલે ગમે તેવા અસંયમી પણ એક મુનિને વધ કરી નાખ્યા હતા !
એટલે શર છેડવાનું ઝનૂન પૂરૂ થતાં, કિમની મરતી વખતની દશા જોઇને અને એને વિલાપ સાંભળીને પાંડુને પેાતાને જ એ દૃશ્યમાં અને અરેરાટીમાં પેાતાના આવનારા મૃત્યુના પડધા સંભળાયા હશે. એને થયુ હશે કે આજ અવસ્થામાં એક દિવસ ભગવાન કાળ મારા શિકાર કરશે. અને એને આમ થાય એમાં કૈં નવાઇ પણ નહેાતી. જે રાગમાં વિષયવાસના જીવલેણ નીવડે, એવા રાગથી તે પીડાઇ રહ્યો હતા. અને સાથેાસાથ બબ્બે રૂપવતી રમણીઓને તે સ્વામી હતા. અત્યાર લગી તે તે સંયમથી રહ્યો હતા. પણ એક દિવસ જ્યારે સયમની પાળ તૂટશે, ત્યારે તેની દશા પણ આ કિંમના જેવી થવાની.
ક્રિક્રમના મરતી વખતના કકળાટમાં આ જ કારણે પાંડુને આપણે હમણાં જ જોયું એ પ્રકારને શાપ સંભળાયા હશે, અને આ જ કારણે આ ઘટના પછી તેણે સ્ત્રીસંગથી દૂર રહેવાના પેાતાના સંકલ્પને સવિશેષ દૃઢ બનાવ્યા હશે.
અને પાંડુ પાસે આ સંકલ્પને વળગી રહેવું સવથા અશકય તે નહેાતું જ. ગમે તેમ પણ મહર્ષિ વ્યાસનું શિક્ષણ તેનામાં હતું, તેની પત્નીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૫
કુન્તી અને માદ્રી તેને અનુકુળ હતી. તેને કોઈ સંતાન ન જ થાય, તે તો વળી તેના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને પણ મનભાવતું જ હતું.
પણ તે વખતના આર્યોની સૌથી મોટી આવશ્યક્તા પ્રજોત્પત્તિ, તેનું શું? ધૃતરાષ્ટ્રને પણ હજુ સુધી એક પણ સંતાન થયું નહતું. વિદુરને સંતાન હતાં, પણ હસ્તિનાપુરના સિંહાસનને માટે તે નકામાં.
એટલે પિતાનું તેમજ પ્રજાઋણ બેયે ઋણો પિતા વડે કેવી રીતે ફેડી શકાય–પોતાના સ્ત્રીગમનના સંક૯પને જફા પહોંચાડયા વગર, એ વાતની વિચારણમાં પાંડુ પડયો. તેણે પોતાની મોટી પત્ની કુન્તીની સાથે મસલત કરી. જે રીતે, પોતાના પિતા વિચિત્રવીર્યને પોતે અને ધૃતરાષ્ટ્ર અને વિદુર પુત્ર તરીકે સાંપડયા હતા, તે જ રીત શા માટે ન અખત્યાર કરી શકાય? પત્નીને તેણે પૂછયું. અને થોડીક આનાકાની બાદ કુન્તી તેને અનુકૂળ થઈ. અને એ વખતના રિવાજ અનુસાર પાંડને વંશવિસ્તાર સાધવાનું નકકી થયું. - કુન્તી જયારે કુંવારી હતી અને પિતાના પાલક પિતા કુન્તીભેજને ત્યાં રહેતી હતી, તે વખતે દુર્વાસા મુનિ એકવાર ત્યાં આવેલા. કુન્તીએ આ મુનિને પોતાની સેવા વડે સુપ્રસન્ન કર્યા. એટલે મુનિએ તેને એક મંત્ર આપ્યો. એ મંત્ર વડે કુન્તી કોઈ પણ દેવનું આવાહન કરીને તેના દ્વારા સંતાનેત્પત્તિ કરી શકતી હતી. દુર્વાસા તો આ મંત્ર આપીને ચાલતા થયા, પણ અણસમજુ કુતીને કુતૂહલ થયું, કે લાવ જોઉં તો ખરી, કે આ મંત્ર સાચોસાચ દુર્વાસાએ કહ્યું છે તેવો છે કે પછી પોકળ છે? એટલે તેણે એ મંત્રને પાઠ કરીને સૂર્યનારાયણનું આવાહન કર્યું, અને સૂર્ય આવીને ઊભો રહ્યો.
કુન્તી તો બિચારી મુંઝાઈ જ ગઈ. એને તો કેવળ મંત્ર સાચા છે કે બેટા, તેનું પારખું જ કરવું હતું. બાકી પરણ્યા પહેલાં સંતાનને શું કરે ?
પણ કન્યાએ એકાંતમાં આમંત્રલે પુરુષ એમ કેમ પાછો જાય? ..... અને કુંવારી કુન્તી ગર્ભવતી થઈ, અને જન્મતાવેંત કર્ણને ગંગાના હવાલે થવું પડયું. અને કયાંક કોઈ સૂત-દંપતી બિચારાં અપુત્ર હતાં, તેમને એક પુત્ર સાંપડયો. એક નાનકડી વાતના કેટલા પડઘા પડે છે? અને અણધાર્યા. - કુંવારી કુન્તીના જીવનમાં બની ગયેલ આ અસામાન્ય કરુણ ઘટનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬
કેટલી વ્યક્તિએ વાકેક હશે, કાણુ કહી શકે ? પણ પાંડુને તે આ વાતની ખબર જ નહેાતી.
પણ પાંડુની અત્યંત આગ્રહભરી વિન`તિથી કુન્તીએ જ્યારે પુત્રો ઉત્પન્ન કરવાનું કબુલ્યું, ત્યારે પતિને તેણે દુર્વાસાએ પેાતાને કન્યા અવસ્થામાં આપેલ પેલા મંત્રની વાત કરી (અલબત્ત સૂનું આવાહન અને કની ઉત્પત્તિવાળા ભાગને બાદ કરીને) અને પાંડુ રાજી રાજી થઇ ગયે.. અને પછી આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કુન્તીએ ત્રણ દેવેશ દ્વારા ત્રણ પુત્રો, અનુક્રમે ધર્મ, વાયુ, અને ઇન્દ્ર દ્વારા યુધિષ્ઠર, ભીમ અને અર્જુન અને માદ્રીએ (કુન્તી દ્વારા એ મ ંત્રનેા ઉપયાગ શીખીને) અશ્વિનીકુમારા દ્વારા સહદેવ અને નકુલ એમ પાંચ પુત્રો પાંડુને યરણે ધર્યાં, અને પાંડુ તેમજ હસ્તિનાપુરની પ્રજા રાજવંશની આ વૃદ્ધિથી ખૂબ પ્રસન્ન થયાં.
૧૧. આત્માથે સઘળુ તો
ભીમ અને દુર્યોધનના જન્મ દિવસ એક હતા. શુભ કે અશુભ કાઈ પણ રીતે નામાંકિત થયેલ પુરુષોના જન્મ અને જીવનની આસપાસ અનેક દ તકથાઓ અને લેાકવાયકાએ ઊભી થાય છે. ભવિષ્યમાં એ કેવા થવાને છે તે આગળથી જ જણાઈ આવ્યું હતું, એટલું બતાવવાને જ દંતકથાઓને આશય હાય છે.
આ
દુર્યોધન અને ભીમના જન્મેાની આસપાસ ઊભી થયેલી લેાકવાયકાઓ વ્યાસજીએ નાંધી લીધી છે. તેમાં એક એ છે કે કુન્તીએ બાળક ભીમને તેડયેા હતા તેવામાં એકાએક એક વાઘ નજરે પડયા. વાઘને જોતાં Ο કુન્તી ઊભી થઈ ગઈ. ખેાળામાં ધાવણું બાળક છે એ વાતનું પણ તેને સ્મરણુ ન રહ્યુ. ગમે તેમ પણુ, માતા ઊભી થતાં બાળક ભીમ તેના ખેાળામાંથી નીચે પડી ગયા ને એના ભારથી પર્યંતની શિલાએના ભુક્કા ઊડી ગયા.
એવી જ રીતે દુર્યોધન આગળ જતાં જેવે! યા તેને અનુરૂપ લેાકવાયકા તેના જન્મની આસપાસ નાંધવામાં આવી છે કે જન્મતાવેંત દુર્ગંધન ગધેડે બ્રૂકે તેમ રડવા માંડયા, અને તેનું એ રુદન સાંભળીને સામેથી ગધેડાઓએ, ગીધાએ, શિયાળાએ અને કાગડાઓએ ભયંકર ચિચિયારીઓ કરી કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પડઘો પાડયો. પછી વાવાઝોડું થયું અને દિશાઓમાં દાહ ઉપડયો. ધૃતરાષ્ટ્ર ગભરાયો. ભીમાદિ વૃદ્ધોને ભેગા કરીને તેણે પૂછ્યું :
પાંડુપુત્ર યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે અને પોતાના ગુણએ કરીને તે રાજ્યને પાળે એની સામે મારે કશુંએ કહેવાપણું નથી, પણ મારે આ પુત્ર, તેના પછી પણ, રાજા થશે ખરા ?”
ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નને સૌના વતી જવાબ આપતાં વિદુરે કહ્યું : “નિમિત્તો જોતાં તારો પુત્ર કુલનાશક થશે એમ લાગે છે. અમારી તને એક સલાહ છે કે અત્યારથી જ તું તેને ત્યાગ કર.”
મહાભારતને પેલે સુપ્રસિદ્ધ શ્લોક વિદુરજીએ આ સંદર્ભમાં ઉચ્ચાર્યો છે, त्यजेदेकौं कुलस्याथे कुल ग्रामास्याथे त्यजेत् । देशस्या त्वजेद् प्राममात्मार्थे सर्व त्यजेत् ।। એટલે કેઃ કુલાથે એકને ત્યાગ, ગ્રામાર્થે કુલને ઘટે, દેશાથે ગ્રામને ત્યાગ, આત્માથે સર્વને ઘટે.
પણ આવી સલાહ આપવી જેટલી સહેલી છે તેટલી જ પાળવી મુશ્કેલ છે, એ કોણ નથી જાણતું ? સંભવ તે એ છે કે આવી સલાહની ધૃતરાષ્ટ્ર પર ઊલટી જ અસર થવા પામી હેય. મારી આસપાસના વગદાર માણસોને મારા દુર્યોધનની સામે એના જન્મથી જ પૂર્વગ્રહ છે, એ માન્યતાને લઈને દુર્યોધન પ્રત્યેને એને પુત્રસ્નેહ ઉલટાને વધુ અવિવેકી અને અંધ બન્યો હોય.
દુર્યોધન ઉપરાંત, ધૃતરાષ્ટ્રને ગાંધારીથી બીજા નવાણુ પુત્રો અને એક પુત્રી દુશલા થઈ હતી. ઉપરાંત એક વૈશ્ય સ્ત્રી તેની સેવા કરતી હતી. તેને પેટે યુયુત્સુ નામે એક વધુ પુત્ર પણ સાંપડયો હતો. વ્યાસજી કહે છેઃ આ બધા પુત્રો શૂરવીર, યુદ્ધનિપુણ, વેદત્તા અને સર્વ અસ્ત્રોને જાણનારા હતા. ધૃતરાષ્ટ્ર યથાસમયે તેમને યોગ્ય કન્યાઓ પરણાવી હતી. દુઃશલાને જયદ્રથ સાથે પરણાવવામાં આવી હતી.
આમ પાંડુના પાંચ અને ધૃતરાષ્ટ્રના સે મળીને કુરુવંશના એકસો ને પાંચ કુમારે ધીમે ધીમે મોટા થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
શૂરવીર પાંડુ ઉદાર, ધ પરાયણ અને સરલ હતેા અને નગર છોડીને વનમાં રહેવા આવ્યા પછી મુનિએની સાથે એકરૂપ બની ગયા હતેા.
વનની નૈસર્ગિક સરળતા જેમ પાંડુના લેહીમાં વહેતી હતી, તેમ રાજમહેલાની પ્રપંચી ખટપટા ધૃતરાષ્ટ્રના લોહીમાં ઊંડે ઊતરી ગઈ હતી. પાંડુ અને તેના પુત્રોએ વનમાં ઋષિમુનિઓના સંપર્ક કરીને ખડતલપણું, નિખાલસતા, નિર્ભયતા, ઋજુતા વગેરે સાત્ત્વિક ગુણા ડેળવ્યા હતા, ત્યારે દુર્યોધનાદિએ અંધ ધૃતરાષ્ટ્રના અવિવેકી લાલનપાલન નીચે અને શનિ જેવાના કુસંગમાં દગાબાજી, દ્વેષ, પ્રપંચ આદિ તામસી દુર્ગુણા ખીલવ્યા
હતા.
પાંડુ વનમાં રહ્યો રહ્યો રાજધમ પાળતા, પરંતુ રાજાઓના વૈભવાદિના અધિકાર ભાગવટા તેણે ભાગ્યે જ કદી કર્યાં હતા, ત્યારે હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર તથા તેના પુત્રોની સ્થિતિ ઉલટી જ હતી. રાજ્યધર્માંના પાલનને અંગે, ત્યાં તેમને ભીમ જેવાની ઉપસ્થિતિને પરિણામે, ઝાઝુ કરવાનું રહેતું ન હતુ', જ્યારે રાજબાગ તેમને નિર ંતર મળ્યા કરતા અને રાજવૈભવ ઉપરના પેાતાના અધિકાર સ્વાભાવિક છે એમ તેમને લાગતું હતું.
દશેક વરસ પાંડુ વનમાં રહ્યો, તેટલીવારમાં ધૃતરાષ્ટ્રને તેમજ તેના પુત્રોને હસ્તિનાપુરના સિંહાસનના જાણે તેએ પેાતે જ માલિક છે એવા આભાસ ઉપજવા માંડયા હતા.
પણ સત્યવતી હજુ ખેડી હતી, તેની પુત્રવધૂએ અંબિકા અને અંબાલિકા હજુ ખેડી હતી. ભીષ્મ અને વિદુર હજુ ખેઠા હતા. તેમની હયાતી દરમિયાન તે પાંડુ અને તેના પરિવારને ધૃતરાષ્ટ્રની ગમે તેટલી ઇચ્છા હેાય તેા પણ ટાળી શકાય તેમ નહાતું.
૧૨. માતા-પુત્રની અપૂર્વ જોડી
પાંડુ હજી વનમાં જ હતા, પેાતાના રાગને કારણે અને પેલા કિંદમવાળા પ્રસ'ગ પછી તે ખાસ, સ્ત્રીસંગથી એ દૂર જ રહેતા, પણ એક વાર વસંતઋતુ દરમિયાન રમણીય વનપ્રદેશમાં ક્રૂરતાં કરતાં તેમના ચિત્તની સ્વસ્થતા ડામાડેાળ થઇ ગઇ. માદ્રી તેમની પાછળ પાછળ ચાલી આવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૪
એના તરફ્ દૃષ્ટિ પડતાં ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ પાંડુના દેહમાં કામ ફાટી નીકળ્યા. માદ્રીએ તેને, તેના રાગનુ તેમજ ઋષિના શાપનું સ્મરણ કરાવી કરાવીને ખૂબ વાર્યો, પણ ભયના કરતાં કામને આવેગ પ્રબળતર નીકળ્યા અને પાંડુ માદ્રીના મદનપાશમાં જ મૃત્યુ પામ્યા. કુંતીને આ વાતની જાણ થતાં તેણે રડારાળ કરી મૂકી. પાંડુ પાછળ સતી થવા માટે પણ તેણે ખૂબ આગ્રહ કર્યો. પણ માદ્રીએ તેને સમજાવી. પાંડુના મૃત્યુનું નિમિત્ત પાતે બની છે તે। સતી થવાનેા અધિકાર પણ વધારે પેાતાનેા છે એવી દલીલ પણ તેણે કરી. વળી કુંતી જતાં, પાંચે પુત્રાની જવાબદારીના ભારનું સમતાલ વહન પેાતે કરી શકશે કે કેમ, એ બાબત તે શંકાશીલ હતી, જ્યારે કુંતી પેાતાના ત્રણ ઉપરાંત મારા બે બાળકાની પણ સગા દીકરાઓ જેમજ સંભાળ રાખશે એવી તેને ખાતરી હતી. એટલે કુન્તીના સતી થવાના આગ્રહને એક બાજુએ મુકાવીને માદ્રી પાંડુની પાછળ સતી થઇ.
પાંડુ સ્વĆવાસી થતાં અને માદ્રી તેમની પાછળ સતી થતાં પાંડુના પાંચ પુત્ર અને કુંતી પારાવાર દુઃખ અનુભવી રહ્યાં, પર ંતુ આવા દુઃસઘ દુઃખ દરમિયાન તેમને સાચા હૃદયથી આશ્વાસન આપે એવા સન્મિત્રો અને મુરબ્બીએની ખેાટ ન હતી.
પાંડુ અને માદ્રીના દેહવષેશાને લઈ કુન્તી અને પાંચ કુમારેાની સાંથે મુનિએ હસ્તિનાપુર આવી પહેાંચ્યા, ભાગાળે આવીને તેમણે ધૃતરાષ્ટ્રને સંદેશે મેાકલ્યા. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ આદિ કુરુવૃદ્ધોની સાથે ભાગાળે આવ્યા અને પાંડવા તથા કુન્તીને તેણે સત્કાર કર્યો. આ પ્રસંગે હસ્તિનાપુરમાં એટલી મેાટી સનસનાટી ઊભી કરી કે હસ્તિનાપુરવાસીએ! હજારોની સંખ્યામાં પાંડુના પરિવારને તેમજ તેમને લઇને આવેલા મુનિવરને જોવા માટે નગરની ભાગેાળે ઉતરી પડયા. ઋષિએએ પાંચ પાંડવેાની ભલામણુ ધૃતરાષ્ટ્ર આદિને કરી, અને પછી પાંડુ તથા માદ્રીની અંત્યેષ્ઠિ ક્રિયાએ કરવાની ભલામણ કરીને તેએ વનમાં પાછા ફર્યા.
પાંડુના અવસાનને શાક સૌથી વધુ દાદી સત્યવતીને થયે. મા જીવતી રહે અને દીકરા મરી જાય એ દૃશ્ય જ કરુણ છે, પણ દાદીમાને જીવતેજીવ પૌત્રનું મરણ જોવાના વારે આવે એ તે કરુણતાની યે પરિસીમા છે. સત્યવતીને માત્ર પેાતાના પંડ પૂરતુ ં જ દુઃખ ન હતું. વિધવા કુંતીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૦
જોઈને પુત્ર મરણને શોક તેને રોજ નવેસરથી અકળાવ્યા કરતા. અને તેમાં ય વળી પાંડુના પાંચ કાચી ઉંમરના પુત્રોને જોઈને તે તેનું હૈયું હાથમાં નહોતું જ રહેતું.
આ કિશોર પાંડવોનું હવે શું થશે, સત્યવતી નિરંતર વિચાર્યા કરતી. ધૃતરાષ્ટ્રને તેમના ઉપર જરા પણ પ્રેમ નથી એ તે જાણતી હતી. પોતે મોટો હોવા છતાં અંધત્વને કારણે ગાદી ઉપર ન બેસી શકો અને પોતાનું થવું જોઈતું હતું તે સિંહાસનને સ્વામી પાંડુ થઈ બેઠો એ વાતની ખટક તેના હૈયામાંથી કદી જ ઓછી થઈ ન હતી. દુર્યોધનને આ પાંડવ-દ્વેષ આમ વારસામાં જ મળ્યો હતો. તેમાં વળી યુધિષ્ઠિરે તેના કરતાં પહેલાં જમીને એ ઘામાં મીઠું ભભરાવ્યું હતું. પણ પાંડુ અને તેના પુત્રો વનમાં હતા ત્યાં સુધી આ દ્રેષ દબાયેલો રહ્યો. ધૃતરાષ્ટ્ર અને તેના પુત્રોને આશા હતી કે પાંડુ અને તેને પરિવાર વનમાં જ રહેશે અને વનમાં જ કદાચ મરી પરવારશે. સૈદ્ધાંતિક રીતે સિંહાસનનો સ્વામી ભલે પાંડુ હોય, અને પાંડના વનવાસને કારણે રાજ્યને વહીવટ સૈદ્ધાતિક રીતે ભલે ભીષ્મ ચલાવતા હોય, પણ વ્યવહારમાં તો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જ હસ્તિનાપુરના રાજમહેલના અને રાજના ધણીરણ હતા અને એ વાતથી તેમને મોટું આશ્વાસન મળી રહેતું. પણ પાંડુને સ્વર્ગવાસ થતાં, પાંચ કુમારે અને છઠ્ઠા કુંતી એ બધાં તેમના માથા પર ઠેકાયાં, એટલું જ નહિ પણ રાજ્યની પ્રજાએ પાંડુ માટે પણ દિલથી શોક પાળે અને પાંડુના પરિવાર માટે પ્રેમ, આદર અને સહાનુભૂતિના સાગર રેલાવ્યા, એ જોઇને તો એ અદેખાઓ ઈર્ષાથી સળગી જ ઊડ્યા અને પછી એક જ રાજમહેલમાં બે વિરોધી છાવણીઓ પડી હોય એવો દેખાવ થવા લાગ્યો અને આજકાલ આપણે જે પરિસ્થિતિને “ટાઢું યુદ્ધ' (અંકેલ્ડ વૈર) તરીકે ઓળખીએ છીએ, એવી દારુણ પરિસ્થિતિ નિર્માઈ ગઈ. આ બધું, આ વિષમ પરિસ્થિતિ, શું ભીમે નહિ જોયું હોય ? શું ધર્માત્મા વિદુરે આ કુટુંબનાશના બીજેને અંકુરતાં નહિ દીઠાં હોય ?
શું કુટુંબને સર્વનાશ કરનારી આવી આસુરી દુત્તિઓને મૂળમાંથી જ ઉચ્છેદવાની કોશિશ આવા સમર્થ પુરુષએ નહિ કરી હોય? કોણ જાણે ?
પણ આવનારી આફતના સૌથી પહેલાં નગારાં મહાભારતના લેખક વ્યાસજીએ સાંભળ્યાં. કવિઓનાં ચિત્ત બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ,
એ પાંથા વાડા ભૂતિના સાગર મળે અને પાક પણ રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૧
વધુ સૂમ ખરાં ને ! વ્યાસે માતા સત્યવતીને ખાનગીમાં બોલાવ્યાં, સલાહ આપી : “હવે આ ઘરડી ધરતી ઉપર પાપની ભીંસ વધતી જશે મા.” તેમણે શરૂ કર્યું.
કઈ “ઘરડી ધરતી” ઉપર ? આપણને થાય છે. વ્યાસજી દેશની વાત કરે છે કે પોતાની માની? સત્યવતી પણ હવે ખૂબ ઘરડાં થયાં છે. એમની ઘરડી કાયાથી ભવિષ્યમાં આવનારાં પાપો સહાવાના નથી એવું તે વ્યાસજી નથી સૂચવી રહ્યા ને ? ખેર,
ઘરડી ગતયૌવના ધરતીથી હવે પાપને ભાર ઝીલી શકાવાને નથી એમ કહીને આગળ વધતાં એ માને વિનવે છે કે ધર્મ અને સદાચારને હવે ધીરે ધીરે લેપ થતો જશે. અને છળ અને કપટનું બળ વધતું જશે, પરિણામે તારા કુળમાં ઘોર વિનાશ સજાશે. માટે મારી તે સલાહ છે, મા કે તારે આ સંસારને ત્યાગ કરીને તપોવનમાં ચાલ્યા જવું.”
લાગે છે કે વ્યાસજીએ સત્યવતીના હૈયાની વાત જ હેડે આવ્યું છે, નહિ તે સત્યવતી એક પળમાં જ કેમ માની જાય ?
પણ સત્યવતી એકલી નહોતી જવા માગતી. પિતાની બે પુત્રવધૂઓને પણ તે આવનારા વિનાશને નજરે જોવાના દારુણ દુખમાંથી ઉગારી લેવા માગતી હતી. એટલે એક દિવસ તક મળતાં જ તેણે પોતાની પુત્રવધૂ ધૃતરાષ્ટ્ર-માતા અંબિકાને કહ્યું: “તારા દીકરાના અપલક્ષણો તો તું જાણે જ છે, અંબિકા ! એના અસદ્વર્તનના પરિણામે ભરતકુળને એક દિવસ નાશ થશે. તે આપણે શા માટે હવે આ ઉંમરે એ દુર્ભાગી દિવસો જેવા આ સંસારમાં રોકાવું ? તું કહેતી હોય, તે અંબાલિકાને લઈને આપણે તપવનમાં જતાં રહીએ.”
અને પછી બંને પુત્રવધૂઓ સાથે સત્યવતી વનમાં ૫ઈ. ત્યાં તેમણે ત્રણે યે ઘેર તપ કર્યું, અને અંતે ત્રણેય સદ્ગતિને પામી........
મહાભારતનાં પાત્રોની આઘજનની સત્યવતીની જીવનકથા અહીં પૂરી થાય છે એ વખતે એમના ઉપર એક છેવટને દષ્ટિપાત કરી લઇએ. - યમુનાની આ નૌકારાણી. એના કુમાર-રૂપ ઉપર એક વાર પરાશર સરખા પ્રાતઃ સ્મરણીય ઋષિ મોહ્યા. કૃષ્ણદ્વૈપાયન વ્યાસને જન્મ આ પ્રસંગમાંથી થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
પરાશરે મત્સ્યગંધાને યોજનગંધા બનાવી, કાલીને સત્યવતીમાં પલટી, નાવિક-કન્યામાં રાજયરૂપી નૌકાનું સંચાલન કરનારી સહધર્મચારિણું થવા માટે જોઈતા સંસ્કારોનું સિંચન કર્યું.
પછી આ જ છોકરીએ સ્વર્ગવાસી ગંગાના પ્રેમી તથા પતિ દેવવ્રતના પિતા ગતયૌવન શાનું ઉપર કામણ કર્યું. એના પિતાએ એના માટે આકરામાં આકરી શરત મૂકી, અને દેવવ્રત એ શરત સ્વીકારીને “ ભીમ બન્યા.
શનનુના મહેલમાં આવીને એણે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રોને જન્મ આપ્યો. પણ ભગવાન મહાકાળે ધીવરરાજને ઉપહાસ કર્યો અને બંને લાવારસ મરી ગયા. પછી વિચિત્રવીર્યની વિધવા પત્નીઓમાં કુલતખ્ત, પાછો આ સત્યવતીએ જ મૂકા–વ્યાસજીને હાથે. વચ્ચે ભીષ્મને પરણાવવાની પણ કોશિશ એણે કરેલી, જેને પરિણામે ભીષ્મનું ભીષ્યત્વ ઉલટાનું એકર દીપ નીકળ્યું.
આવા સંકટોની વચ્ચે ધૃતરાષ્ટ્રને અંધ અને પાંડુને પાંડુરોગગ્રસ્ત અવસ્થામાં જન્મેલા જોઈને આ નારીને કેટલું દુઃખ થયું હશે ! અને માટે જ વિદુર તેને માટે એક સવિશેષ આશ્વાસનરૂપ નહિ બન્યો હોય ? જે હેય તેપણ આવી સ્ત્રીને એની આત્યંતિક ઉત્તરાવસ્થામાં એકસો ને છ પ્રપૌત્ર સાંપડે તેની ખુશાલી અને એ વાતને હર્ષ હજુ જ્યાં હદયમાં અનુભવાતો હોય, ત્યાં જ આ એક ને છને નિમિત્તે સમગ્ર કુળને નાશ થવાનો છે એવી ખાતરી થઈ જાય એ દુઃખની કલ્પના પણ સામાન્ય માનવીને આવવી અશક્ય છે. પણ સત્યવતી કોઈ એવી અસામાન્ય માટીમાંથી સરજાઈ છે કે આવી દારુણ વિપત્તિઓને પ્રસંગે પણ ભાંગી તો કયાંય નથી પડતી !
આ બાજુ વ્યાસજી પણ પોતાની માતાના આત્યંતિક કલ્યાણ બાબત સદા જાગૃત છે. ખરેખર માતા પુત્રની આ જોડી જગતના ઇતિહાસમાં અપૂર્વ જ છે.
૧૩. વેરનાં બીજ
અહિંથી મહાભારતની કથામાં એક નવું પાત્ર ઉમેરાય છે. એક નહિ, પણ છે. સમગ્ર દષ્ટિએ જોઈએ તો ત્રણ, ચાર, ના પાંચ, છ. કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૩
દ્રોણનું નામ લેતાં દ્રુપદ સહેજે જ વાર્તામાં દાખલ થાય છે. અને દ્રુપદની સાથે દુપદતનયા દ્રૌપદી, મહાભારતની નાયિકા, હેજેજ સાંભરવાની. વળી દ્રોણ મહાભારત કથામાં ટપકે છે તેનું મૂળ કારણ તે કૃપાચાર્ય જ છે, જે પહેલાંથી જ ત્યાં હતા. કૃપાચાર્ય હસ્તિનાપુરમાં હતા, માટે જ દ્રોણ, તેમના બનેવીને ત્યાં આવ્યા, પિતાના પુત્ર અશ્વત્થામાને લઈને
પણ હવે આપણે વાત જ આગળ ચલાવીએ. છેકરાઓ મોટા થતાં દાદા ભીમે તેમને શસ્ત્રવિદ્યામાં નિપુણ કરવા માટે કૃપાચાર્ય નામના એક શસ્ત્રાચાર્યને સુપ્રત કર્યા.
આ કુપને બનેવી દ્રોણ અને પાંચાલ દેશને રાજા દ્રુપદ બને સાથે ભણતા. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન તેમની વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ. આમાં કે નવાઈ જેવું પણ ન હતું. શ્રીમંત રાજપુત્ર અને ગરીબ બ્રાહ્મણ કુમાર વચ્ચે ગાઢ મૈત્રી ગુરુકુળોમાં બંધાયાના દાખલા સારા પ્રમાણમાં બનતા હશે, જેમાં સુદામા અને શ્રીકૃષ્ણને દાખલ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. દ્રોણ-દ્રુપદ અને સુદામા-શ્રીકૃષ્ણની મૈત્રીમાં ફરક માત્ર એટલે કે કૃષ્ણ મૈત્રી ઠેઠ સુધી નભાવી જાણી, જ્યારે કુપદે ગાદી પર આવતાં જ સંપત્તિના ગર્વમાં જૂના સ્નેહને તુચ્છકાર્યો. સમાનતા છાત્રાલયમાં, ગુરુકુલમાં, ઠીક છે, પણ જગત મેં ગુરુકુલ નથી એવું ભાન તેણે એકવાર પિતાને રાજમહેલે કૈક માગવા માટે આવેલ દ્રોણને કરાવ્યું.
અને સ્વમાની દ્રોણે તે જ ઘડીએ નિર્ણય કર્યો કે આ ક્ષત્રિયબંધુને એક દિવસ દેખાડી દેવું કે તે ભલે સિંહાસનને સ્વામી રહ્યો, પણ એક નિર્ધન બ્રાહ્મણ પિતાના બ્રહ્મતેજને કારણે તેના કરતાં પણ ચઢિયાત છે. - કેટલી નાની વાત અને કેટલું ભયંકર પરિણામ ! માણસો રેજ એકમેકનાં દિલ દુભવતાં હોય છે, વાત વાતમાં રાત પડયે કેટલાને આઘાત પહોંચાડયા તે તેમને કદાચ યાદ પણ નહિ રહેતું હોય, પણ જગતની મહાન દારુણ પટનાઓનાં બીજ આવી નાની હદયદ્ભવણીમાં રહ્યાં છે, એટલું જે આપણે સજાગપણે યાદ રાખીએ તો કેટલા કલહ-કંકાસ –સંઘર્ષો–સંગ્રામેને ટાળી શકાય. દ્રુપદના નાશની પ્રતિજ્ઞા કરીને કોણે પાંચાલ પ્રદેશને ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. પણ જવું ક્યાં? સ્વાભાવિક રીતે જ તેમને હસ્તિનાપુર સાંભળ્યું, જયાં તેમને સાળે કૃપ રાજકુમારના શસ્ત્રાચાર્યને પદે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
પણ દ્રોણુ ફકત કૃપની લાગવગથી જ રાજની નેાકરીમાં નહેાતા ઘૂસ્યા. એમ કરવાની એમને જરૂર પણ ન હતી. એ જાતે એક અજોડ શસ્ત્રકળાવિશારદ હતા. અને તેમાં ય ધનુર્વેદ તેા ખાસ એમને પેાતાને. પેાતાની ગુણવત્તા ઠેઠ રાજદરબાર સુધી પહેાંચાડવાની તક પણ તેમને વગર માગ્યે મળી ગઇ.
દ્રોણુ જ્યારે હસ્તિનાપુરના પાદરમાં આવ્યા, ત્યારે એક સેા તે પાંચેય કુમારને તેમણે કાઇ પાતાળકુવાની ગેાળ પાળ ક્રૂરતા ચિંતાતુર ઊભેલા દીઠા. કાડ઼ જબરી સામુદાયિક બાલ-આપત્તિ એમના પર જાણે ઉતરી આવી હતી.
46
""
શું છે ? ” કોણે પૃયુ,
“અમારે। દડા કૂવામાં પડી ગયેા છે,” કાકે ખુલાસા કર્યો.
“એ હા, તેમાં આટલા આકુળ-વ્યાકુળ છે ? અરે દડા કૂવામાં પડી ગયે હાય તેા કાઢા બહાર.
,,
એ જ વિચારી રહ્યા છીએ ને !” કાઈ ખીજાએ જવાબ આપ્યા.
બહાર શા
“પણ કૂવામાં પાતાળ ઊંડુ પાણી છે. પડીએ તેા પાછા રીતે આવીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ. કાઈ ત્રીજાએ હિ’મતભેર આગળ આવીને કહ્યું.
“પણ કૂવામાંથી દડા બહાર કાઢવા માટે કૂવામાં પડવાની શી જરૂર ?” દ્રોણે ઠાવકું માં રાખીને કહ્યું,
આ અજાણ્યા માણસ તેમની મશ્કરી તે નથી કરતા ને, કુમારાને થયુ.... પોતે કાઇ સામાન્ય છેાકરાએ નથી, પણ હસ્તિનાપુરના ભાવિધણીએ છે, એ વાતની આ ભૂખડી-બારસને ખબર હશે ?
.
“તમે કાઇ જાદુગર તેા નથી તે, મહારાજ ? કાઇ ચેાયાએ મશ્કરી કરતા હોય તેવા અવાજે કહ્યું... અને સૌ હસી પડયા.
તમે હસેા ભલે, પણ હું જાદુગર જ
ધ્રુ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'' એ જ ગ ંભીરતાથી દ્રોણે
કહયુ..
“અને આમ જુએ, આ મારૂ' જાદુ !” દ્રોણે એક જૂનુ` ધનુષ્ય પેાતાને
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૫
ખભે લટકાવ્યું હતું તે ઉતાર્યું, અને ઘાસ જેવું, નપાવટ જેવું લાગતું એક તીર પીઠ પાછળ બાંધેલ ભાથામાંથી કાઢયું.
શું કરવા માગે છે આ મહારાજા !” કુમારે વિચારતા હતા, ત્યાં તો તીર કામઠા પર ચઢી ગયું, દોરી ખેંચાઈ અને બાણ છૂટયું. ગયું સીધું કુવામાં અને જોતજોતામાં દડો એ તીરમાં ભરાઈને કુવામાંથી બહાર ઊછળીને જમીન પર પડયે.
આ ગુણજન કઈ દિવસ બેકાર રહે ખરો? અને તેમાંય વળી યુદ્ધવ્યવસાયી રાજદરબારોમાં!
ભીષ્મ તરત જ દ્રોણની નિમણૂંક કરી. કૃપના એ સગા છે એવી જાણ થતાં ઊલટાને સૌને વધારે આનંદ થયે. કૃપની સાથે સાથે જ તેમની નિમણુંક થઈ. આગળ જતાં પિતાના શકિત સામર્થ્યને કારણે કૃપને પણ વટાવી જઇ પોતે કૌરના મુખ્ય આચાર્ય બન્યા.
દ્રોણ પદ બાબત ભલે વેરવૃત્તિવાળા હતા, પણ ગુરુ તરીકે સંપૂર્ણ શિષ્યવત્સલ અને નિષ્પક્ષપાતી હતા. પણ હોંશિયાર શિષ્યો ગુરુને હમેંશા વધારે ગમે, કારણ કે એવા જ તેમની વિદ્યાને સૌથી વધુ દીપાવે. એટલે દ્રોણને અર્જુન સૌથી વધુ પ્રિય થઈ પડો. પુત્ર અશ્વત્થામા કરતાં પણ અર્જુનની પાસે તેમનું હૈયું વધુ ઉઘડતું, હોશે હોશે તેઓ અર્જુનને પોતાની પાસેની બધી જ ગૂઢ યુક્તિપ્રયુક્તિઓ શીખવતા.
આખરે વિદ્યાભ્યાસ પૂરો થયો. ભીષ્મ સૌની પરીક્ષા લેવડાવવાનું નક્કી કર્યું. એક વિશાળ મંચ ઉભે થઈ ગયો. ચારે બાજુ હજારે પ્રેક્ષકે બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. નાના મોટા બધા જ જોવા આવ્યા. મહાજને અને મંત્રીમંડળ માટે બેસવાની ખાસ વ્યવસ્થા હતી, અંધ ધૃતરાષ્ટ્ર પણ આવ્યો હતો, તેની સાથે ગાંધારી પણ હતી. ગાંધારી પોતાની આંખે પાટા બાંધતી હોવાથી, કુન્તી તેની પાસે બેસી મંચ ઉપર શું શું બની રહ્યું છે તે એને સંભળાવે, અને પછી ગાંધારી એ અહેવાલ ધૃતરાષ્ટ્રને સંભળાવે, એવી રીતે એ ત્રણેયે આપસમાં ગોઠવણ કરી હતી.
હજારોની મેદની વચ્ચે અસ્ત્ર પરીક્ષા શરૂ થઈ. ઘોડેસવારી, હાથીસવારી રથ હાંકવાની વિદ્યા, પટ્ટાબાજી, તીરંદાજી, ગદાયુદ્ધ, બધાયમાં કુમારે કુશળ થઈ ગયા હતા તે જોઈને પુરવાસીઓ પ્રસન્ન થયા અને ભીષ્માદિ વડિલોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સંતોષ થયો. ગદાયુદ્ધ દરમિયાન ભીમ અને દુર્યોધન વચ્ચે એટલી બધી જામી ગઈ કે આ તે રમત છે એ પણ બે ય ભૂલી ગયા, અને સાચી ગદાબાજી શરૂ કરી દીધી ! એટલે અશ્વત્થામાએ પોતાની જાતને ઝીકીને એ બેને જુદા પાડયા. આ તરફ કણે પણ પોતાની કુશળતા બતાવી, એટલું જ નહિ, પરંતુ પૌરજાનપદના લાડિલા અર્જુનને પણ પોતાની સામે મર્દાનગી દાખવવા પડકાર્યો. આ વખતે ભીમ વચ્ચે પડયો. યુદ્ધો અને
સ્પર્ધા સમાન કક્ષાના પુરુષ વચ્ચે જ સંભવે છે, તેણે કહ્યું. અને એમ કહીને કર્ણ ક્ષત્રિય નથી, પણ સતપુત્ર છે, એ વાતનું સ્મરણ કરાવીને તેનું દિલ દુભવ્યું. આ જ ઘડીથી કર્ણ કુન્તીપુત્રને શત્રુ બન્યો. અને સમયપારખું દુર્યોધને તેને અંગ પ્રદેશને “રાજા” બનાવીને હંમેશને માટે પોતાને મિત્ર અને પાંડવોને વિરોધી બનાવી દીધે.
અસ્ત્ર પરીક્ષા પછી તો અર્જુન દ્રોણને ખાસ વહાલ થઈ પડયો. પણ પરીક્ષા પહેલાં પણ, વગર પરીક્ષાએ પરીક્ષા થઈ જાય એવો એક પ્રસંગ બન્યા હતા. એકવાર દ્રોણ શિષ્યોની સાથે ગંગાસ્નાન કરવા ગયેલા, ત્યાં કાઈ મગરે એમને પગ પકડયો હતો. મહાભારતકાર કહે છે કે પ્રાણે ધાર્યું હેત તો એ પોતે જ પિતાને પગ મગરની દાઢમાંથી છોડાવી શકત. પોતે કે અસમર્થ ન હતા. પણ એમને થયું કે શિષ્યની અકાર્યદક્ષતાની પરીક્ષા કરવાને આ સરસ મેકે છે. એટલે એમણે બૂમાબૂમ કરવા માંડી.
દ્રોણના પિોકારે સાંભળીને તેમના બધાય શિષ્યો, ધૃતરાષ્ટ્ર તેમજ પાંડ બન્નેના પુત્રો, બધાય તેમની આસપાસ ભેગા થઈ ગયા, અને એમાંના કેટલાક તે ગુની આ દશા જોઈને દિગ્મઢ સમા બની ગયા, જ્યારે બીજા કેટલાક હવે શું કરવું, એની ચર્ચામાં ગુંથાયા.
પણ આ દિમૂઢતા અને ચર્ચા ચાલતી હતી, તે દરમિયાન મગરનું જડબું લગભગ એકી સાથે વરસેલા પાંચ તીરોથી ભેદાઈ ગયું હતું. મગર મૃત્યુ પામ્યો હતો અને આચાર્ય દ્રોણુ મુકત થયા હતા.
અને આ પરાક્રમ કરનાર બીજે કઈ નહિ, પણ અર્જુન હતે.
કયે વખતે શું કરવું એની આપોઆપ ફુરણું થાય, અને એવી ફુરણા " થતાં તેનું કાર્યમાં રૂપાંતર થઈ જાય, એ જ સાચો પરાક્રમયોગ.
દ્રોણ અર્જુન ઉપર ખૂબ પ્રસન્ન થયા, બ્રહ્મશિર નામના એક લેકોત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૭
અસ્ત્રનો પ્રયોગ તથા પરિવાર કેમ કરવો એ તેમણે ત્યાં ને ત્યાં એને શીખવ્યું, અને “બાણાવળીઓમાં શ્રેષ્ઠ થજે !” એ આશીર્વાદ આપ્યો.
દુર્યોધન, દુઃશાસન, કર્ણ વગેરેને ઈર્ષ્યાગ્નિમાં આ ઘટનાએ વળી વધારે ઈધણ હેમ્યાં અને યુધિષ્ઠિર, ભીમ આદિને પારસ વો એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર હોય.
અસ્ત્ર-પરીક્ષામાં અર્જુન જ ઉત્તમ કરવાને છે, એવી આગાહી અહીં જ તેમને મળી ગઈ હતી.
અસ્ત્ર-પરીક્ષા પતી ગયા પછી દ્રોણે બધાય શિવ્યાને બોલાવીને પોતાની ગુરુદક્ષિણ માગી. “આપ માગો તે હાજર કરીએ !” સૌએ એક સામટ હર્ષનાદ કર્યો.
મારે કોઈ સામાન્ય ગુરુદક્ષિણ નથી જોઈતી.” કોણે પ્રસ્તાવના કરવા માંડી.
ત્યારે ?”
પાંચાલના રાજા દ્રુપદને લડાઈમાં હરાવી કેદ પકડીને અહીં મારી સામે હાજર કરે.”
અને પાંડવો તથા ધાર્તરાષ્ટ્રો ઉભાઉભ ઉપડ્યા. અને થોડા જ દિવસે બાદ પાછા ફર્યા–બંદીવાન દુપદને લઈને.
લો મહારાજ આ આપની ગુરુદક્ષિણું !” દ્રોણ પળભર તો જોઈ જ રહ્યા-ભગ્નદર્પ, હત-ધન, પર–વશ પાંચાલ
રાજને,
પછી બોલ્યા :
“એક વખત તું મારો મિત્ર હતો, આજે તું યુદ્ધમાં છવાયેલો મારો શત્રુ છે. બેલ હવે, શું જોઈએ છે તારે ?”
દુપદે જીવવાની આશા જ છોડી દીધી હતી. મૃત્યુના ઓળા એના ચહેરા ઉપર પથરાવા માંડયા હતા.
આ જોઈને કોણ હસી પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
હસતાં હસતાં એમણે કહ્યું : “ ડરીશ નહિ. તને મારી નહિ નાખું. અમે બ્રાહ્મણે ક્ષમાશીલ છીએ. નાનપણમાં એક જ ગુરુના આશ્રમમાં સાથે રમેલા ત્યારથી તારી સાથે સ્નેહની ગાંઠ બંધાઈ છે. એટલે હું તો તારી ફરીથી પણ મૈત્રીની જ યાચના કરું છું અને તારું રાજ્ય તને પાછું સે! છું—પણ અધું ! કારણ કે સમાન કક્ષાના માણસો વરચે જ સખ્ય સંભવે એમ તે મને કહ્યું હતું. તારું અધું રાજ્ય હું રાખીશ, એટલે હવે આપણે બન્ને રાજાઓ. તું ભાગીરથી નદીની દક્ષિણે રાજ્ય કર, હું ઉત્તરે રાજય કરીશ.”
દ્રુપદને તે શૂળીનું વિઘ કાંટે ગયું. મનમાં તો એ ઘણું યે સમયે પણ શું કરે ?
છાતીમાં ભડભડતા ક્રોધાગ્નિને માંડમાંડ છુપાવીને પ્રાણને તેણે કહ્યું :
આપના જેવા લોકોત્તર પુરુષ માટે આ સ્વાભાવિક જ છે.” અને પછી કૃત્રિમ નરમાશથી ઉમેયું:
છતાયેલા શત્રુને છોડી દેવો, તેનું રાજ્ય, અર્ધ પણ તેને પાછું આપવું અને ઉપરથી તેની મૈત્રીને કાયમ રાખવાની વિનંતી કરવી એ બધું આપ સમા જ કરી શકે.”
દ્રુપદ પિતાને પાછું આપવામાં આવેલ અર્ધ રાજ્યને રાજા બનીને કામ્પિત્ય નગરમાં રહો, પણ રાજ્ય અને અપમાનને ઘા એ કદી ભૂલ્યો નહિ. દ્રોણના મર્મદારક શબ્દ સંભારીને મનમાં ને મનમાં બળતું જ રહ્યો.
કેવળ શસ્ત્રાસ્ત્રના બળથી તે આ બ્રાહ્મણને કદી નહિ હરાવી શકાય, તેને થયું.
ત્યારે કરવું શું ?
ખૂબ વિચારીને અંતે દ્રુપદ એક નિશ્ચય ઉપર આવ્યો. દ્રોણને સંહારી શકે એ પુત્ર પ્રાપ્ત કરવા માટે તેણે તપ કરવા માંડયું.
૧૪. ધૃતરાષ્ટ્રની ચિંતા આ પછી બરાબર એક વરસે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પ૯
અને થોડા જ વખતમાં યુધિષ્ઠિરે પોતાના સદ્ગુણો વડે પિતાના પિતા પાંડુની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યો.
આ તરફ ભીમસેન શ્રીકૃષ્ણના મટાભાઈ બળરામ પાસેથી અસિ-યુદ્ધ, ગદાયુદ્ધ અને રથયુદ્ધની કળાઓ શીખ્યો. ગદાયુદ્ધમાતા તેના જેવી જોડી જગતભરમાં શોધવી મુશ્કેલ બને એ પારંગત થઈ ગયો.
અર્જુન કોણના આશીર્વાદથી ધનુર્ધરમાં શ્રેષ્ઠ હતો જ જ્યારે નકુલ તથા સહદેવ પણ પિતાના મોટા ભાઈઓની પડખે શોભે એવા સદ્ગણસંપન્ન અને શસ્ત્રાસ્ત્ર-પ્રવીણ બની રહ્યા.
પાંડુના પાંચેય પુત્રોને આવો મંગલ ઉત્કર્ષ જેઈને ધૃતરાષ્ટ્રને આનંદ થ જોઇતો હતો. કારણ કે એને લીધે સરવાળે તો રાજ્ય તથા પ્રજાને લાભ જ હતો, પણ તેને બદલે તેને ખૂબ સંતાપ થયે. તેણે કણિક નામના પિતાના એક મંત્રીને ખાનગીમાં પોતાની પાસે તેડાવ્યા.
“પાંડવોને પ્રતાપ દિવસે દિવસે વધતા જાય છે, કણિક!” ધૃતરાષ્ટ્ર શરૂઆત કરી.
કણિક ચૂપ રહ્યો.
ધૃતરાષ્ટ્રનું હદય પારખવું ઘણું મુશ્કેલ હતું એટલે તેને ઝોક કઈ દિશામાં છે તે જાણયા વગર કંઈ પણ બોલવું તેને યંગ્ય ન લાગ્યું.
પણ ધૃતરાષ્ટ્ર તો કણિક પાસે પેટછૂટી વાત કરી નાંખવાને નિર્ણય કરી નાખ્યો હતો.
“મને પાંડની ઈર્ષા આવે છે, કણિક, કંઇક અંશે તેમની બીક પણ લાગે છે. મારે તેને ઉપાય કરે છે.”
કણિક કૂટનીતિમાં પાવરધો હતો. પણ મગનું નામ મરી પાડવાની તેની ઈચછા ન હતી. એટલે તેણે ધૃતરાષ્ટ્રને એક વાર્તા કહી.
એક જંગલમાં એક શિયાળ વસતો હતો. એક વાઘ, એક ઉંદર, એક વરૂ અને એક નેળિયા સાથે તેણે ગાઢ દોસ્તી બાંધી હતી, અલબત્ત, પિતાને સ્વાર્થ સાધવા સારૂ જ !
આ પાંચની ટાળી જંગલની ધરણી હતી. જંગલ જાણે પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
બાપદાદાઓ તરફથી ઉતરી આવેલો પોતાનો વારસે ન હોય, એવી રીતે બે–રોક-ટોક તેઓ તેને ઉપભોગ કરી રહ્યા હતા.
એવામાં એક નવજુવાન સિંહે એ જંગલમાં પ્રવેશ કર્યો અને પરિસ્થિતિ બદલાવા માંડી.
પહેલાં તે વાઘે સૌને હૈયાધારણ આપીઃ “તમે ચિંતા ન કરતા. હું એ નવા આતુને રમત રમતમાં પૂરો કરી નાખીશ.”
પણ બડાઈ હાંકવી જેટલી સહેલી હતી તેટલું જ કાર્ય મુશ્કેલ હતું. મુશ્કેલ નહિ, લગભગ અશકય ! છેવટે આ પાંચે ય એક મંત્રણસભા બોલાવી.
શિયાળે સભાનું પ્રમુખસ્થાન લીધું અને ખૂબ ચર્ચાવિચારણું બાદ બધા યે તેણે રજૂ કરેલી યોજનાને સ્વીકાર કર્યો.
જના બહુ લાંબી નહતીઃ તદન ટૂંકી, સીધી ને સટ, સૌને ગળે ઉતરી જાય એવી હતી.
ઉંદરે નવજવાન સિંહ જ્યારે સૂતો હોય ત્યારે ધીમે ધીમે કંકી ફંકીને એના પગનાં તળિયાં કરડી ખાવાં.
પછી વધે એ ખવાયેલાં પગ–તળિયાવાળાં સિંહ ઉપર આક્રમણ કરવું અને એને મારી નાખવો. છેલ્લે સૌએ ભેગા થઈને ઉજાણું માણવી.
ઉદરે પિતાને સોંપવામાં આવેલું મહાકાર્ય હોંશે હોંશે ઉપાડી લીધું. જિંદગીમાં એકવાર પણ પોતે વાઘ–વરૂ જેવાઓની ટોળીને આધારસ્તંભ બની શકે એ વાતનું તેણે ખૂબ ગૌરવ અનુભવ્યું.
ઉંદરે નવજુવાન સિંહનાં પગ-તળિયાં કરડી ખાધાં કે તરત પાસેની ઝાડીમાં જ સંતાઈ ઊભેલ વાઘે તેના ઉપર તરાપ મારી.
અને અપંગ બનેલે મૃગરાજ આમ ઓચિંતુ આક્રમણ થતાં પરવશ બની ગયો. અને જોતજોતામાં મત્યુ પામ્યો.
અને શિયાળ જેને સરદાર હતો, એવી આ ડાકુઓની ટોળીને મનગમતી મહેફિલ મળી ગઈ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
પણ શિયાળની મરજી હવે આ આખીયે ઉજાણી પોતાના એકલાના જ પેટમાં જાય એવી હતી, એટલે એણે એક યુકિત વિચારી.
મલ સિંહના શરીરની આસપાસ ભેગાં થયેલાં સૌને સંબોધીને તેણે કહ્યું: “દુશ્મન તે હવે નાશ પામ્યો. હવે આવું સુંદર અને સમૃદ્ધ ભજન આમ ઝડપબંધ ગળી જવું એમાં શી મઝા?”
તમે કહે તેમ કરીએ.” બુઢા વાઘે સૌના વતી શિયાળને કહ્યું.
સ્વાદિષ્ટ ભોજન જમવાની મઝા, એ નિરાંતે અને નાહીધોઈને જમીએ એમાં છે.'
“સાચી વાત છે.” નેળિયાએ કહ્યું : “ચાલે આપણે બધા, પાસે જ નદી છે તેમાં નાહી આવીએ.”
“પણ આપણે બધા નાહવા જઈએ અને કેાઈ ત્રાહિત આવીને ઉડાવી જાય તો ?” વરૂએ ડહાપણ ડોળ્યું.
એને ઉપાય મેં આગળથી વિચારી રાખ્યો છે.” શિયાળે શાંતિથી જવાબ આપ્યો, “તમે બધા નાહી આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ, આપણું આ ભોજનની ચોકી કરતો.”
બધા નહાવા ગયા.
સૌથી પહેલો નહાઈને વાઘ આવ્યો ત્યારે તેણે જોયું શિયાળને ચહેરે ખૂબ ગમગીન હતો.
કેમ?” વાઘે પૂછયું.
“ઉંદર કહે છે તે સાંભળી આવ્યું! ” જાણે ન છૂટકે બોલતે હેય એવું મોં કરીને શિયાળે જવાબ આપ્યો.
“ઉંદર શું કહેતા હતા?”
“ કહેતો હતો કે વાઘ જેવો વાઘ, તે પણ જે કામ ન કરી શકો, તે હું કરી શકો! હવે વાઘને મારે આપેલો રોટલો ખાવાને! ધિક્કાર છે એના જીવતરને.”
વાઘને તો સાંભળીને ભારે દુઃખ થયું. રીસાઈને તે ખાધા વગર ચાલ્યો ગ. ઉંદર જેવું નાચીઝ પ્રાણી પણ પોતાને મેણું મારવાની હિંમત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૨
શકે એ વિચારે એને ખૂબ આધાત લાગ્યા હતા, એટલે પેાતાના ઘડપણને મનમાં ને મનમાં ગાળા ભાંડતા ભાંડતેા તે ખીજા વનમાં ચા। ગયા. આ પછી ઘેાડીવારે ઉદરભાઇ સ્નાન કરીને પાછા ફર્યા.
<<
મારે તને એક ચેતવણી આપવી છે. ” શિયાળે તેને જોતાં વેંત કર્યું .
“ શી ?”
66
""
r
નાળિયા કહેતા'તા કે એ આ સિ ંહનું માંસ નહિ ખાય ?
""
કારણ એ જ કે એ તારા સ્પથી દૂષિત થયેલું છે. ઉંદરે સિ ંહના પગ–તળિયાં કરડી ખાધાં એટલે સિંહનું આખું શરીર મારે ઝેર સમાન, એમ નેળિયા કહેતા'તા.”
કારણ ?
,,
“ પણ તેા પછી એ કરશે શું?” ઉંદરે પુછ્યું, “ એ કહેતા'તા કે આવુ સિંહમાંસ ખાવાને બદલે તેા એ તારૂં માંસ ખાઇને તૃપ્તિ મેળવવાનું વધુ પસંદ કરશે !”
ઉંદરભાઇ ગભરાયા, અને તે જ પળે ત્યાંથી પલાયન થઇ ગયા. આ પછી સ્નાનાદિ વિધિ પતાવીને વરૂ આવ્યા.
.6
.
કાણ જાણે વાઘ શા માટે તારા પર નારાજ છે ! શિયાળે તેને ડરાવ્યા, “ એ કહેતા હતા કે પેાતાની વાધણને લઇને એ તારા ઉપર તૂટી પડશે. ”
,,
વરૂ જેટલી ઝડપથી આવ્યા હતા તેના કરતાં દશગણી ઝડપથી નાસી
ગયા.
છેલ્લે નાળિયા આવ્યા–નહાઇ ધાને. તેને જોતાં વેંત શિયાળે ગર્જના
ફૅરી.
tr
ફ્રેમ ?” તેાળિયાએ પૂછ્યું.
વાઘ, ઉંદર અને વરૂ ત્રણેયને મેં યુદ્ધમાં હરાવ્યા અને ત્રણેય ઊભી પૂંછડીએ નાસી ગયા છે !
,,
..
તા હવે? ’
.
જો આ સિંહ-માંસની ઉજાણીમાં મારી સાથે સામેલ થવું હાય તા તારે પણ મારી સાથે યુદ્ધ કરવું પડશે ! માથું વાઢે એ માલ કાઢે ! ''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૩
નાળિયાને થયું કે વાઘ અને વરુ જેવા પણ જેને નથી પહેાંચી શકા તેને હું શી રીતે હરાવવાને છું? એટલે એ તે ચુપચાપ ત્યાંથી ચાલ્યેા ગયા.
અને પછી શિયાળે સિંહ-માંસની સમૃદ્ધ ઉજાણી પેટ ભરીને માણી.
.
ભીરુ હાય તેને ભય દેખાડવે, ઉપરની વાર્તા ઉપર ભાષ્ય કરતાં કણિકે ઉમેર્યું, “શૂરવીર હોય તેની ખુશામત કરવી, લેાભી હેાય તેની સામે ધનનેા ઢગલા કરવા અને પામર હેાય તેને પ્રતાપ દેખાડવા! સૌની પ્રકૃતિ પારખીને સૌને મહાત કરવા અને પેાતાના સ્વાની આડે આવતાં હાય એવા સૌને સત્વર સંહારવા. તેમાં ન જોવું સગપણ કે ન જોવા સ્નેહ ! વિશેષ શું કહું ? આપ સુજ્ઞ છે. મહારાજ ! ”
ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીને ચાર્વાક નીતિનેા આ અઢંગ આચાર્ય ચાલતે થયેા.
અને પાંડવાની વધતી લાકપ્રિયતાથી સંતપ્ત બનેલ ધૃતરાષ્ટ્ર તેમનું કાસળ શી રીતે કાઢવું તેની વિચારણામાં પડયા.
૧૫. ખધા પિતા અને દાંગેા પુત્ર
ઈર્ષા અને વેરની જે આગ આમ ચક્ષુહીન પિતા અને ચક્ષુસંપન્ન છતાં અંધ-પુત્ર બન્નેના હૃધ્યમાં બળી રહી હતી, તેમાં વળી એક ખીજી ઘટનાએ ભયંકર ઉમેશ કર્યો.
હસ્તિનાપુરના કેટલાક ભાળા નગરજનેએ યુવરાજ યુધિષ્ઠિરની છડેચેાક પ્રશંસા કરવા માંડી.
સભાઓમાં અને સમિતિઓમાં, ચેારામાં અને ચૌટાએમાં આવા ભલા લેાકા જ્યારે જ્યારે ભેગા થતા ત્યારે ત્યારે એક જ વાત ઘૂંટયા
કરતા ઃ
rr
આ ધૃતરાષ્ટ્ર વળી રાજા કયારે થઈ પડયા ? એ માટાભાઇ હાવા છતાં અંધત્વને કારણે રાજ્ય નાનાભાઈ પાંડુને સોંપાયું હતું તે સુપ્રસિદ્ધ છે.”
r
પણ પાંડુ તા હવે મૃત્યુ પામ્યા ને!” કાઈ ખીજો યાદ દેવડાવતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૪
64
' મૃત્યુ પામ્યા તેથી શું? તેથી કૈં ધૃતરાષ્ટ્ર અંધ મટી ગયા? જે અંધત્વને કારણે રાજ્યથી તે પહેલાં બાધિત હતા, તે જ અંધત્વને કારણે હજી પણ તે બાધિત છે.” કાઇ ત્રીજો દલીલ કરતા.
tr
પણ તે પછી...?” કાઈ ચેાથેા પૂછતા.
“ તા પછી શું ? ” કેાઈ પાંચમા સ્પષ્ટ વાત સાંભળાવતા. “તે। પછી એક જ વાત. પાંડુપુત્ર યુધિષ્ઠિરને યુવરાજ-પદે બેસાડીને ધૃતરાષ્ટ્ર આપતે ભૂલાવામાં નાખવા માગે છે. ધીમે ધીમે પ્રજા એને પેાતાને રાજવી તરીકે સ્વીકાર કરતી થઈ જશે એટલે એ બળથી કે છળથી યુધિષ્ઠિરનુ કાસળ કાઢી નાખી દુર્ગંધનને ગાદી પર બેસાડી દેશે.”
st આવા સયેાગામાં આપણા જેવાઓએ શું કરવું?” સૌ એકસામટા જાણે ખેાલી ઊઠતા.
“ એક જ. યુધિષ્ઠિરને અત્યારે જ ગાદીએ બેસાડી દેવા, ધૃતરાષ્ટ્રને ઉડાડીને ! ’” કાઈક સૂચવતું.
અને સૌ પાતપાતાને રસ્તે પડતા.
અને ભલી લાગણીએ કાર્યાંમાં પરિણત થયા વગર જ ઊડી જતી.
પણ આવા બધા શબ્દો જાસુસે! મારફત દુર્ગંધન અને ધૃતરાષ્ટ્રના કાન સુધી પહેાંચતા અને પિતાપુત્ર સમસમી ઉઠતા.
આખરે એક દિવસ પિતાને એકલા બેઠેલા જોઈ દુર્યોધન એમને પડખે ચઢયા, અને પ્રજા, તેને અને ભીષ્મને બન્નેને બાજુએ મૂકીને યુધિષ્ઠિરને ગાદીએ બેસાડવાની વાર્તા કરી રહી છે એવી ફરિયાદ કરી.
‘હું એ બધું જાણુ છુ,” ધૃતરાષ્ટ્રે કહ્યું, “પણ તું કહેવા શું માગે છે?” રાજ્ય તમને મળવું જોતું હતું, તે તમારા અધપણાને કારણે પાંડુને મળ્યું, ત્યાં સુધી બધું ઠીક હતું.
""
‘ હા......
!'' ધૃતરાષ્ટ્રે આગળ સાંભળવાની અધીરાઇ દેખાડી.
પાંડુ પછી પાંડુને જ પુત્ર એને વારસ થાય તે આપણું તેા આવી જ બને ! ”
""
rr
"(
.
કેવી રીતે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૫
“ કારણ કે તો પછી વારસાનો એક સિદ્ધાંત જ સ્થાપિત થઈ જાય. પાંડુ પછી તેનો પુત્ર, તે તેના પછી તેને પુત્ર... અને એમ આપણે તો એક બાજુએ જ રહી જઈએ, અને પછી આપણું વંશજે તો નામના જ રાજવંશી રહે: રાજાની દયા પર નભનારા, બાંધી આપેલી છવાઈ ખાનારા ભાયાતો !” “તો હવે ?” પુત્ર શું કરવા માગે છે તે જાણવા પિતાએ પૂછ્યું.
પાંડુ મરી ગયા પછી તમે જ કારભાર ચલાવે છે, તો ત્યાં જ ઠસી રહે.”
દુર્યોધનની આ સલાહ પિતાને અણગમતી નહોતી, પણ જુવાન દીકરાને જે ભયસ્થાને નહેતાં દેખાતાં, તે આંધળો પણ અનુભવી બાપ બરાબર જોઈ શકતો હતો. થોડીક વાર મૂગો રહીને તે બેલ્યો :
પાંડુ આપણા બધાય સ્વજને પર પ્રીતિ રાખતો. મારા પર તો. સવિશેષ. યુધિષ્ઠિર પણ એના બાપના જેવોજ ગુણ છે. લેકે એને ચાહે છે. એને બળજબરીથી દૂર કરો એ તે અશકય જ છે.”
ત્યારે?” આંધળા બાપના મનમાં કૈક ગુપ્ત વાત રમી રહી છે એવી દુર્યોધનને ખાતરી થઈ ગઈ હતી.
“લકર અને મંત્રીઓ, બધાને પાંડુએ પિતાના જીવનકાળ દરમિયાન ખૂબ રીઝવ્યાં છે. સેનાપતિઓ તથા સામન્તો, મંત્રીઓ, પ્રધાને અને અન્ય રાજકર્મચારીઓ, –એમને સમગ્ર કુટુંબોને, એમને પુત્રોને, પૌત્રોને સૌને પાંડુએ ન્યાલ કરી દીધાં છે. હવે ધારો કે આપણે કૈ ઊંધાચતી કરીએ, તે એમાંથી કોઈ ચકલું પણ આપણું પડખે ઊભું રહે ખરું? અરે ઉલટાના આપણને જ ઠાર કરે, બંડની એક જરાસરખી ગંધ આવતાં વેંત !”
બાપની વાત તો સાચી જ હતી, દીકરાને થયું. ખંધા અને દુષ્ટ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખાનગીમાં પાંડવોની વિરુદ્ધ કાવતરૂં કરવાનું સૂચન આપી રહ્યો હતિઃ દ્રવ્ય દ્વારા અને ખાનપાન દ્વારા મંત્રીઓ અને સેનાપતિઓને પાંડવોની વિરુદ્ધ ફેડવાનું આડકતરું સૂચન આપી રહ્યો હતો.
પણ પુત્ર પિતા કરતાં સવાયા હતો, નીચતામાં. આ કામ તે તેણે કયારનું યે પતાવી દીધું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
cr
શ્રીમંત વેપારીએ તથાઅમાત્યને મે ફાડયા છે. ” તે મેલ્યે. અણીને પ્રસ ંગે તેએ આપણા જ છે.”
(6
ધૃતરાષ્ટ્રના આંધળા ચહેરા ઉપર આનંદની એક લહરી આવી ગઈ, પણ પછો તરત જ સ્વસ્થ થઇને પુત્રને તેણે પૂછ્યું :
""
તેા હવે કયું પગલું વિચાયુ છે ? '’
પાંડવાને તમે હાલ તરત તેા વારણાવત શહેરમાં મેકલી આપેા, કાઇ પણ બહાને, કુન્તીની સાથે. પછી આપણુ અહીં સ્થિર થઇ જાય ત્યાં સુધી તેમને ત્યાં જ રોકી રાખવા. જરૂર પડે તે બળ વાપરીને પણ ! દરમિયાન અહીંની બધી જ વ્યવસ્થા આપણે આપણા હાથમાં લઈ લઇશું. પછી જખ મારે છે જગત ! પછી પાંડવા વારણાવતમાં રહે કે હસ્તિનાપુરમાં કે પરલેકમાં, બધું જ સરખું !”
દીકરા જબરા મુત્સદ્દી હતેા, બાપને થયું.
“ તે
પણ દીકરાએ હજી એક વાતની ગણતરી નહતી કરી. ભીષ્મ, દ્રોણ, વિદુર અને કૃપાચાય નું શું?” તેણે પૂછ્યું. લેકેા આપણને તેમજ પાંડુપુત્રોને ડાખી જમણી આંખા સમા ગણે છે. પાંડવાને હું વારણાવત ધકેલું, તે એ લેા કેમ સાંખી રહેશે ?’
એના પણ
r
“ સાંખી રહેશે, ’’દુર્યોધને ટાઢે કાઠે જવાબ આપ્યા. મેં વિચાર કર્યો છે. ''
ધ્રુવી રીતે ? ”
“ ભીષ્મ હમેશાં મધ્યસ્થ જ રહે છે. એ કાઇના પક્ષ નહિ લે. એ આપણતે આપસઆપસમાં ભરી પીવા દેશે.
""
cr
અને દ્રોણ ? ” ભીષ્મના સ્વભાવને સારી પેઠે સમજનાર ધૃતરાષ્ટ્રે આગળ ચલાવ્યુ
દ્રોણની ચેટલી મારા હાથમાં છે, કારણ કે દ્રોણુના પુત્ર અશ્વત્થામા મારા હાથમાં છે. જ્યાં પુત્ર, ત્યાં દ્રોણુ ! ’’
rr
re
""
વાહ ! ધૃતરાષ્ટ્રથી શાખાશી દેવાઇ ગઇ.
તેણે પુછ્યું .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“ અને કૃપાચાર્ય ? '
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
“કૃપાચાર્યું અનેવી દ્રોણુ અને ભાણેજ અશ્વત્થામાની પાછળ ઘસડાવાના !”
..
ફ્રીક છે! પણ વિદુર !
,,
<<
"1
* વિદુર અબહુ છે. રોટલાના માર્યા મુંગા બેસી રહેશે. '
""
અને પછી પળેક મૂંગા રહીને દુર્યોધન કરી મેક્લ્યા :
આપણી સામે થાય એવા એક પણ નથી. હવે તેા તમે ટટ્ટાર થા એટલી જ વાર છે ! '
"
૧૬. ઊભી થતી ઇન્દ્રજાળ
૬૭
પાછળ
પ્રચાર શબ્દ નવા છે, પ્રચાર પાતે નવે નથી,
વાતને ઠેકઠેકાણે એવી રીતે વહેતી મુકવી કે ચેડા વખતમાં તે દેશમાં સર્વત્ર ફેલાઇ રહે અને સૌ તેનું મૂળ ક્યાં છે તેની પંચાતમાં પડયા વગર તેમાં માનતા થઇ જાય. આ કળા રાજકારણી પુરુષને જાણે આદિ કાળથી જ હસ્તગત છે.
દુર્યોધને પાંડવાને વારણાવત મેાકલી આપવાનું સુચન ધૃતરાષ્ટ્ર પાસે ખાનગીમાં મૂકયુ . તે પછી ઘેાડા જ દિવસેામાં આખાયે હસ્તિનાપુરમાં ઠેરઠેર વારણાવતનું નામ ગૂ ંજતું થઇ ગયું. મંદિરામાં, મહાલયે માં, રાજમાર્ગો પર, ચેાકામાં, ચેારાઓમાં, ચૌટાએમાં, જ્યાં ચાર માણસે ભેગા થાય, ત્યાં વારણાવતની પ્રશંસા થવા માંડે ! કાઇ એની આખેાહવાની તારીફ કરે, તા ક્રાપ્ત એનું સ્થાપત્ય વખાણે ! કાઇ ત્યાંના માણસેાની મહેમાનગતિનાં ગાણાં ગાય, તેા કાઇ વળી ત્યાંની રિદ્ધિસિદ્ધિના રાસડા લે ! દુનિયામાં જે ક ંઈ જેવા લાયક ગણી શકાય, તે બધું જ જાણે વારણાવત શહેરમાં આવીને એકડું થયુ છે એવે આભાસ ઉપજે. પ્રચાર થવા માંડયા.
વાત ફરતાં કરતાં યુધિષ્ઠિર અને તેના ચારે ભાઇઓને કાને આવી, અને કુન્તીને કાને પણ આવી. ચારે દિશાઓમાંથી લેાકાનાં ટાળે ટોળાં વરણાવતની રેશનક નિહાળવા ઉમટી રહ્યાં છે, એમ સાભળતાં વેત, “ ચાલાને આપણે પણ મેચાર દિવસ ત્યાં આંટા મારી આવીએ ' એમ ભાળી
કુન્તીને થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
તેણે પુત્રો પાસે પોતાના મનની વાત મૂકી. સહદેવે અને નકુલે તરત જ માતાની દરખાસ્તને અનુમોદન આપ્યું.
“તારું શું માનવું છે, અર્જુન ?” યુધિષ્ઠિરે પૂછ્યું. “માની મરજી હોય તો બે દિવસ જઈ આવીએ, પણ પહેલાં કોઈ દિવસ જેનું નામ પણ સાંભળ્યું નથી, એવું આ શહેર એકાએક લેકજીભે કેમ ચઢી ગયું તે સમજાતું નથી. નથી એ કઈ તીર્થ સ્થળ, નથી કોઈ વ્યાપાર-કેન્દ્ર, નથી કોઈ ઇતિહાસ એની સાથે સંકળાયેલ. ” અજુને જવાબ આપે.
ખું જ કહી દે ને, અર્જુન, કે તને આ આખીયે વાતમાં કંઈક ભેદ જેવું લાગે છે ” એક ઘા ને બે કટકા કરવા ટેવાયેલા ભીમસેને હસતાં હસતાં કહ્યું.
તમારો અનુભવ શું કહે છે, મેટાભાઇ ?” અર્જુને ભીમસેનને સામેથી પૂછ્યું.
“ મને તો આમાં દુર્યોધનની કઈ નવી ઇન્દ્રજાળ દેખાય છે. ” ભીમે પિતાને વહેમ છતે કર્યો.
“ શાની ? ” સહદેવ-નકુલે પૂછ્યું.
આપણને ખતમ કરવાની ! ” બધાં હસી પડયાં.
ભીમસેનને તો બધે ભયસ્થાન જ દેખાય છે. ”નકુલ–સહદેવે મા સામે જોઈને રાવ કરતા હોય એ અવાજે કહ્યું, “ સ્વાભાવિક જ છે,” માએ જવાબ આપ્યો.
ભીમને મારી નાખવાના પ્રયત્નો દુર્યોધને ઓછા નથી કર્યા. છેવટે નદીમાં ડુબાડો અને ઝેર પણ દીધું. એ તે ઈશ્વરની કૃપા આપણા સૌ ઉપર, કે એને કંઈ થયું નહિ. બાકી એ બાપદીકરાની યોજના તે એનું નિકંદન કાઢવાની જ હતી. પણ આ વારણાવતમાં શું હોઈ શકે એ સમજાતું નથી ! ”
સમજાઈ જશે, ” યુધિષ્ઠિરે મા તેમજ ચારે ભાઇઓની સામે એક સૂચક નજર રાખીને કહ્યું, “ જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
એટલે ? ” ભીમસેન બોલી ઊઠ, “ શું તમે ત્યાં જવાનો નિશ્ચય પણ કરી નાખે છે. મોટાભાઈ ? ”
ગયા વિના છૂટકો જ નથી, ભાઈ! " યુધિષ્ઠિરે કહ્યું.
એમ કેમ ?” પાંચેયે એકસામટા જ જાણે સવાલ પૂછો. “ ગઈ કાલે મને આપણા વડીલે બોલાવ્યો હતો ! ” “ આંધળાએ ?” ભીમે ગર્જના કરી.
“ વિનયથી બોલવામાં આપણું કશું જ બગડતું નથી, ભાઈ ! ” યુધિષ્ઠિરે ભીમને મીઠે ઠપકો આપ્યો, અને પછી પોતાની વાત આગળ ચલાવી. “ ગઈ કાલે મને એમણે ખાસ માણસ મોકલીને બોલાવ્યો હતો. મને કહે “ભાઈ યુધિષ્ઠિર, પિતાના મૃત્યુ પછી તમે કયાંય બહાર ગયા નથી ! તે લેકે આ વારણાવતની આટલી બધી પ્રશંસા કરે છે ત્યાં થોડા દિવસ મોજ કરી આવને ”
“ મોજ ! ” અને અને કુન્તીએ પડઘો પાડયો. “ વડીલને આપણું માટે આટલી બધી લાગણી છે એમ ?”
લાગણું તો એવી છે, મા, ડોકું હાથમાં આવે તો હાથપગને ન જ અડે ! ” ભીમે હસતાં હસતાં કહ્યું. “ પણ પછી તમે જવાબ શો આપ્યા એને મોટાભાઈ ?”
“ એમણે એટલાં બધાં ગુણગાન ગાયાં એ શહેરના ભીમ, કે હું સમજી જ ગયો કે આપણે ત્યાં ગયા વિના છૂટકે જ નથી ! આપણે રાજીખુશીથી નહિ જઈએ, તે એ કે બીજો કોઈ રસ્તો કાઢશે, પણ એમના મનમાં છે, તે કર્યા વગર નહિ જ રહે ! ... એટલે મેં તરત જ હા પાડી દીધી. આવતી કાલે આપણે રવાના થઈએ છીએ.”
એટલી બધી ઉતાવળ ! ” અર્જુને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
અનિષ્ટને સામને વહેલોય કરવાનું છે અને મેડ પણ કરવાને છે, તો પછી વહેલો જ કરે સારો, જેથી વહેલી મુકિત મળે ! વળી આપણા વિદુરકાકાએ એ કેયડાની એકાદ ચાવી મને સમજાવી છે, ખાનગીમાં.”
જુગ જુગ છે એ મારા દિયર !” કુન્તી બોલી ઊઠી. એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
હું તો આપણે અહીં જીવીએ છીએ, આ વાઘની બોડમાં, શું કહ્યું છે એમણે ?”
એ બધું રસ્તામાં હું તમને સૌને સમજાવીશ ! અત્યારે તો આવતી કાલે અહીંથી પ્રસ્થાન કરવાની તૈયારી કરો.”
“પ્રસ્થાન હો,” ભીમસેને ઉપસંહાર કર્યો, “મહાપ્રસ્થાન નહિ.” અને સૌ હસી પડ્યાં.
૧૭. જેવી જેની ભાવના
વારણાવતના નગરવાસીઓએ પાંડેનું ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું. પાંડવો વારાફરતી સૌના મહેમાન થયા. બ્રાહ્મણથી માંડીને શદ્રો સુધી સૌના. પુરોચન તેમની આ સરભરાને સૂત્રધાર હતો.
દશ રાત્રિએ આમ વીત્યા પછી, પુરોચને તેમને માટે ખાસ બાંધવામાં આવેલ પિલા અશિવ “શિવસદન” ની વાત કરી. પોતે જાણે કશું જ જાણતા નથી એવો દેખાવ કરીને પાંડ એ કપટ-નિવાસમાં રહેવા ગયા.
આ આવાસ અગ્નય છે એમ આપ જાણે છે, મોટાભાઈ,” ભીમે તે કહેલું પણ ખરું, “તે પછી શા માટે આપણે જ્યાં પહેલાં હતા, ત્યાં જ ન રહેવું ?”
પણ આપણે એનો ભેદ પામી ગયા છીએ એવી જે એ દુષ્ટને ખબર પડી જશે તે તે ગમે તેવું બીજું કૂડકપટ કરીને પણ આપણું કાસળ કાલ કાઢતું હશે તો આજ કાઢશે,” એમ કહીને યુધિષ્ઠિરે ભીમને નિત્તર બનાવી દીધેલો... અને પછી સૌએ પુરોચનના પ્રપંચથી પોતે સદંતર અપરિચિત છે એ દેખાવ રાખીને પુરોચન તેમનું કાસળ કાઢે તે પહેલાં જ પુરોચનનું કાસળ કાઢવાનો નિશ્ચય કર્યો.
પિતાની આ યોજનાના એક ભાગ તરીકે તેમણે લાક્ષાગૃહમાં એક છૂપું ભોંયરું ઉતાર્યું, જે નીચે થઈને વારણાવત નગરની બહાર, ઘણે દૂર, જંગલમાં નીકળતું હતું. પછી મૃગયાને નિમિત્તે આસપાસના વનપ્રદેશથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૧
તેમણે વાકેફ થવા માંડયું : નાના મેટા છાનાછપના અનેક માર્ગોથી પરિચિત થવા માંડયું.
પેલુ. ભાંયરું–સુરંગ--ખાદવામાં તેમને વિદુરે મેાકલેલ એક ખનકે, એક સુરંગ-નિષ્ણાતે સહાયતા કરેલી. સાથે સાથે, “ ચેતતા રહેજો, કાઈ વદી ચૌદશની રાતે, કુન્તી સમેત તમને પાંચેયને બાળી મૂકવાની ધા રાષ્ટ્રોની મુરાદ છે, ” એવા વિદુરનેા સંદેશે! પણ ખનકે તેમને આપેલેા.
"
દરમિયાન અહીં આ લાક્ષાગૃહમાં વસતાં વસતાં એકાદ વરસ નીકળી ગયું. પુરાચન એમને સળગાવી મૂકવાની તક શોધે, અને એ લેાકેા પુરાચનને થાપ દેવાના લાગની વાટ જુએ.
આખરે પાંડવાએ આ સંશય-દશાને અંત આણવાને નિશ્ચય કર્યો. તેમણે જાતે જ લાક્ષાગૃહને આગ ચાંપવાને નિશ્ચય કર્યો. આગલે દિવસે તેમણે મેટા પાયા ઉપર બ્રહ્મભાજન અને ઉત્સવ યેાજ્યેા. આમાં પાંચ ભીલો અને એક ભીલડી, તેમની માતા, પશુ આવેલાં. ઉત્સવ દરમિયાન દારૂ પીને આ છ એવાં મસ્ત બની ગયાં, કે રાતના તેએ લાક્ષાગૃહમાં જ પડી રહ્યાં.
રાતે ભીમસેને લાક્ષાગૃહમાં જે ભાગમાં પુરોચન રહેતા હતા તે ભાગમાં આગ ચાંપી, અને પછી પે।તે પેાતાના ભાએ અને મા સાથે પેલી સુરંગ વાટે બહાર નીકળી ગયેા. મકાન ભડભડ બળવા લાગ્યું. નગરજનેા ચારેકારથી હજારોની સંખ્યામાં ભેગા થઇ ગયા. દુર્યોધનની જ આ તરકીબ હતી, પાંડવાને બાળી મૂકવાની, એમ સૌ જાહેર રીતે કહેવા લાગ્યા, અને સવાર પડતાં પેલી ભીલડી અને એનાં પાંચ પુત્રાના બળી ગયેલા મૃતદેહાને ન એળખાય એવી હાલતમાં પડેલા જોઇને સૌની ખાતરી થઇ કે પાંડવા અને કુન્તી નાશ પામ્યાં. માનવમેદનીમાં જબરા હાહાકાર થઈ ગયા, અને સૌ ભીષ્મ અને દ્રોણને વગાવવા લાગ્યા.
આ દારુણ ઘટના વચ્ચે સૌને જો સ ંતાષ હાય તા ફકત એટલેા જ હતા કે દુર્ગંધનને સચિવ પુરાચન પણ પોતે રચેલા એ લાક્ષાગૃહની સાથે બળીને ભસ્મ થયા હતા.
એ તેા જેવી જેની ભાવના ! ખીજાએને માટે લાક્ષાગૃહો બાંધનારાએના હમેશાં આવા જ હાલ થયા છે એ વાતની ઇતિહાસ સાખ પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
७२
૧૮. ભાઇ કે પ્રિયતમ ?
કુંતી સમેત પાંચે પાંડવા બળી મુવાના સમાચાર વારણાવતવાસીએ તરફથી હસ્તિનાપુર પહેાંચાડવામાં આવ્યા, ત્યારે સૌથી વધુ વિલાપ ધૃતરાષ્ટ્રે કર્યા, અને સૌથી આ! વિદુરે ! કારણ કે સત્ય શું છે તે એ બન્ને જાણતા હતા, અથવા જાણે છે એમ માનતા હતા ! પેલા પાંચ ભીલે અને છઠ્ઠી ભીલડીનાં બળીને ભડથાં થઈ ગયેલ શખા તે પાંડવાનાં જ હાવાં જોઇએ એવી ધૃતરાષ્ટ્રની ખાતરી હતી. સામી બાજુએ પાંડવા કાઈ ને કાઈ રીતે, પુરોચનને પણ બાળીને, પેલી સુરંગ વાટે બહાર નીકળી ગયા હોવા જોઇએ, અને જ્યાં હેાય ત્યાં કુશળ હેાવા જોઇએ એવી વિદુરની ખાતરી હતી. એટલે ધૃતરાષ્ટ્રે જ્યારે જગતને દેખાડવા માટે રડારોળ કરી મૂકી અને अन्य पाण्डुमृतो राजा भ्राता मम सुदुर्लभः ॥
મારે દાહલેા મા–જણ્યા ભાઈ જ જાણે આજે મરી ગયેા હાય એમ મને લાગે છે, ” એવી પાક મૂકીને પાંડવા અને કુ ંતીની અત્યેષ્ઠિક્રિયા ખૂબ શાનદાર રીતે દબદબાભેર કરવાનેા આદેશ આપ્યા, ત્યારે વિદુરે દુર્યોધન કે ધૃતરાષ્ટ્રને ખબર ન પડી જાય કે પેાતે કંઈક ખીજું જ ધારે છે એટલા ખાતર જ ફકત ઉપર ઉપરથી થેાડે! શેાક કરી લીધે..
ઃઃ
આ તરફ પાંડવાએ બહાર નીકળીને ઝડપભેર દક્ષિણ દિશા તરફ પ્રયાણુ કરવા માંડયુ.
આકાશના તારાઓ તેમને દિશા બતાવી રહ્યા હતા.
ચાલતાં ચાલતાં એક ગાઢ અને ધાર વન પાસે તે આવી પહેાંચ્યા. તેઓ થાકલ હતા, તરસથી વ્યાકુળ હતા, ઉજાગરાના ભારથી અંધ
હતા.
એટલે સૌએ ભીમને કહ્યું :
“હવે તે અમારાથી ચલાતું નથી, અને દેખાતું ય નથી, તેમાં વળી આ ગહન વન આપ્યું. માટે લાક્ષાગૃહમાંથી જેમ તે અમને ઊંચકીને બહાર આણ્યા, તેમ હવે પાછા અમને તેડી લે. તું એટલા બધા બળવાન છે કે અમારા પાંચેયના ભાર સાથે પણ અમારા કરતાં વધુ ઝડપથી ચાલી શકીશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૩
ભીમસેને મા અને ભાઈઓને તેડી લીધાં અને વનમાં પ્રવેશ કર્યો.
બીજા દિવસની સાંજે તેઓ સૌ એક વિશાળ અને રમણીય પીપળા પાસે આવી પહોંચ્યા. ભીમસેને અહીં બધાને ઉતાર્યા અને કહ્યું :
તમે અહીં આરામ લો, ત્યાં સુધીમાં હું આસપાસ કયાંય પાણી હોય તે તપાસ કરું.”
અને પછી તેમની રજા મળતાં, જલચારી સારસોના અવાજેને અણસારે તેણે જળાશય શોધ્યું, પાણી પીધું, અને પાણી ભરવા માટે કોઈ વાસણ તે પિતા પાસે નહોતું, એટલે ખેસને (ઉત્તરીય) પાણીમાં ઝબોળી નીચવ્યા વગર લઈ લીધે, જેથી એ પાણી મા તથા ભાઈ અને પિવડાવી
શકાય.
આ પાણ–આ ખેસ લઈને પેલા પીપળાના ઝાડ પાસે આવીને તે જુએ છે તો પાંચેય જણ ઘસઘસાટ ઊંઘી ગયા છે.
તેને થયું :
વારણાવતમાં, લાક્ષાગૃહમાં, અત્યંત કિંમતી પલંગ પર પણ જેમને ઊંધ નહોતી આવી શકતી, તેઓ આ કારી ધરતી પર કેવાં નિરાંતે ઊંઘી રહ્યાં છે!” અને તેમાંય ખાસ કરીને મા, આ કુતી, શ્રીકૃષ્ણ જેવાની ફેઈ, વસુદેવની બહેન, શખ્સનુપુત્ર વિચિત્રવીર્યની પુત્રવધૂ, પાંડુ જેવા વીર રાજવીની રાણી, મહેલોના પલંગની સુકેમળ તળાઈઓ પર સૂવા ટેવાયેલી, ધર્મ, વાયુ, ઇન્દ્ર આદિ દેવોની પ્રસન્નતા દ્વારા પુત્રોને પામેલી આ કુન્તી સૂકી જમીન પર સુતેલી છે, એના કરતાં વધુ કરુણ અવસ્થા બીજી કઈ હોઈ શકે ?
ઘોર વન, રાતને સમય, પીપળાનું ઘેરી ઘટાવાળું વૃક્ષ, વક્ષેની ઓથે તરસ્યાં ને તરસ્યાં ઊંઘી ગયેલ ચાર ભાઈઓ અને પાંચમી મા-, અને તેમની ચેકી કરતો કંઈ કંઈ વિચારમાં ગુંચવાયેલ ભીમસેન !
આવું દ્રશ્ય કેદ અદ્ભુત ઘટના વગર શી રીતે પસાર થાય! વિશ્વનાટકને રચયિતા કોને કે એમ ને એમ ઓછાં જ વેડફાઈ જવા દે!
ભાઇઓ અને માના ઊંઘતા દેહની રક્ષા કરતો ભીમસેન વિચારની વિવિધ રંગી ચાદર વણતાં વણતો રાત્રિ પસાર કરતે બેઠે ત્યાં તેની આંખની સામે જાણે એક કૌતુક થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
७४
અપ્રતિમ સૌંદર્ય વાળી એક તરુણી એકાએક ભીમસેનની આંખ સામે આવીને ખડી થઈ ગઈ.
બન્નેની નજર એક થતાં, અલૌકિક આભૂષણથી શણગારાયેલી એ સુંદરીએ સ્મિત કરતાં કરતાં અને શરમાતા શરમાતાં ભીમસેનને આ પ્રમાણે કહ્યું:
દેવ જેવા દેખાતા આ ચાર પુરુષે પોતાના ઘરમાં જ સુતા હોય એવી નિરાંતથી અહીં સુઈ રહ્યા છે. તેઓ કોણ છે, અને હે માનવોત્તમ, આ સ્ત્રી તારી શું થાય છે?”
“તું કોણ છે?સાવ સ્વાભાવિકતાથી પૂછતો હોય તેમ ભીમસેને તેને સામો સવાલ કર્યો.
સાચું કહું ?” સુંદરીએ તરત જ જવાબ આપે, “હું રાક્ષસી છું. મારું નામ હિડિબા. નજીકમાં જ હું અને મારો ભાઈ હિડિમ્બ, અમે બને રહીએ છીએ.”
“હું–અ!” જાણે કોઈ રમુજી વાર્તા સાંભળી રહ્યો હોય એવું માં રાખીને ભીમે હોંકારો દીધો. “પણ ત્યારે આવી ઘેર મધરાતે તું અહીં શા માટે આવી છે, એકલી ? તારા ભાઈને રેઢે મેલીને ?”
મારા ભાઇએ જ મને મોકલી છે—તમને મારી નાખીને, તમારાં શ એની પાસે લઈ જવા ! મારો ભાઈ મનુષ્યમાંસાહારી છે. ” જાણે કેાઈ સામાન્ય વાત કરતી હોય એટલી સ્વસ્થતાથી હિડિમ્બાએ જવાબ આપે.
તો પછી તું વાટ કોની જુએ છે ? ” એટલી જ સ્વાભાવિકતાથી ભીમે પૂછ્યું. ભય તો તેના સ્વભાવમાં જ નહોતું, અને હિડિમ્બાનું માપ તેના મનમાં આવતું જતું હતું.
તું મને ગમે છે, માનવોત્તમ,” ભીમના પ્રશ્નને જાણે આ જ જવાબ હેય એમ હિડિમ્બાએ કહ્યું.
એટલે કે તું પણ માનવમાંસાહારી છે, એમ ને ?” “ તું મને બરાબર સમજે નહિ!” હિડિમ્બાએ ખુલાસો કરવા માંડે. “ તું મને ગમે છે, એમ જે મેં કહ્યું, એનો અર્થ એટલો જ કે તું મને...ગમે છે. એટલે કે... હું તને મારે સ્વામી...બનાવવા માગું છું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
ભીમ તે। આ ખુલાસાથી અવાચક જ બની ગયા. માનવભક્ષક રાક્ષસીના આક્રમણ કરતાં, કામાં નારીનું આક્રમણુ તેને માટે વધુ ચમકાવનારું હતું.
66
,,
'હું ખાટુ નથી મેલતી, માનવશ્રેષ્ઠ ! ” હિડિમ્બાએ આગળ ચલાવ્યું: ‘તારી ધ્રુવ જેવી કાન્તિ જોને હું મુગ્ધ થઈ છું. મારું ચિત્ત કામથી વિહવળ થ ગયુ છે.... અને સ્ત્રીઓનેા પક્ષપાત ભાઇઓ તરફ નહિ, પણ પ્રિયતમ તરફ હાય છે એ તે! તું જાણુતેા જ હોઇશ. ચાલ, આપણે મારા ભાઈના આ વનની બહાર નીકળી જઇએ. મને આ તરફના બધા જ ગુપ્ત માર્ગની ખબર છે.
72
.6
""
એટલે ? '' સહેજ ઉશ્કેરાઇને ભીમે કહ્યું, તુ શું એમ સૂચવવા માગે છે કે તારે ખાતર મારે આ ચાર ભાઇઓને અને મારી માને તારા મનુષ્યભક્ષક ભાઇના ભાજન માટે અહીં મુકી જવા ?”
હપ
'
તું મને બરાબર સમજ્યા નથી, નાત્તમ, કરગરતી હોય એવા અવાજે કામા રાક્ષસીએ કહ્યું: “હું તને તારાં સ્વજનેને ત્યાગ કરવાનું નથી સૂચવતી, હું તેા તારી-તમારી સૌની-સ્વજન બનવા માગું છું. ચાલ, જગાડ આ બધાંને ! સૌને સાથે લઇને આપણે કયાંય જતાં રહીએ. મારે ભાઇ હિડિમ્બ મને અહીં વાર લાગી છે એ જોઇને અબઘડી આવી ચડશે. પણ એને તે હું પહોંચી વળીશ, એકલી ! તારે ચિંતા ન કરવી. જગાડ આ સૌને ! '”
r
..
અરે પાગલ ! હવે ભીમસેનથી તાડુકયા વિના ન રહેવાયું : મને ચિંતા ન કરવાનું કહેનારી તુ કાણુ ?...અને આ મારા ભાઇ અને મારી મા !– ખુદ ઇન્દ્રનીયે મગદૂર નથી કે એ નિરાંતે ઊઁધતા હાય ત્યારે એમની નીદરમાં ખલેલ પાડે !”
""
.
66
કામાંધ યુવતી અને સ્વસ્થ યુવાન વચ્ચે આ વાર્તાલાપ ચાલતા હતા. ત્યાં અચાનક એક ભયંકર અટ્ટહાસ્યના પડઘા તેમને કાને પડયા.
હિડિમ્બાના ભાઇ હિડિમ્બ સાક્ષાત્ એ એની સામે ઊભા હતા. કામી સ્ત્રીઓનુ` કાઇ સગું નથી હોતું—એક તેમના પ્રિયતમ સિવાય!” બહેનને ઉદ્દેશ તેણે ત્રાડ પાડી: “ પણ આ હિડિમ્બ સદાજાગૃત છે. મનુષ્યાને તા એ ખાતે ખાશે, પણ પહેલાં પ્રથમ તારા જેવી કૃતઘ્ન બહેનતે તા....... "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
હિડિમ્બે હિડિમ્બા ઉપર કાતિલ આક્રમણ કર્યું અને હિડિબા, કદાચ એક નિમેષમાં જ હતી ન હતી થઈ જાત, પણ ત્યાં તો ભીમ એક લંગ મારીને હિડિમ્બની ઉપર ઉઘો અને એક એવી સખત લાત, ઓચિંતી, તેને મારી કે જોતજોતામાં તે બે-પાંચ કદમ દૂર ફંગોળાઈ ગયો.
અને પછી એક ભયાનક બંધ યુદ્ધ એ સ્થળે શરૂ થયું–જાગૃત હિડિમ્બા અને સૂતેલાં, ભીમનાં પાંચ સ્વજનોના સાનિધ્યમાં.
અને થોડી જ વારમાં, યુદ્ધના એ દિગન્તગામી કલાહલથી ભીમના ચારે ય ભાઈઓ અને માતા કુન્તી, પાચે ય જણ એકસામટાં જાગી ગયાં.
જાગતાં વેંત તેમણે જેમ પેલા બેને ભયંકર રીતે લડતાં જોયાં, તેમ એક યુવતીને પોતાની પાસે ઊભેલી પણ જોઈ.
અતિમાનુષ એવું એનું રૂપ હતું. કઈ વનદેવી કે અપ્સરા સમી એ લાગતી હતી.
કુન્તીના પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું: “નીલમેઘ સમું આ વન મારું અને મારા ભાઈ હિડિમ્બનું વાસ-વન છે. મારા ભાઈ રાક્ષસ છે. તેણે મને તમારી હત્યા કરવા મોકલેલી, પણ સોનલવણું તમારા આ દીકરાને જોઈને મને તેમના પર પ્રેમ થયો અને તરત જ મનથી હું એમને વરી ચૂકી. મેં તે એમને કહ્યું પણ ખરું, કે ચાલે, આ સેને છોડીને કયાંય ચાલ્યાં જઈએ, પણ એ માન્યા નહિ. દરમિયાન આ મારે ભાઈ મને આટલું બધું મોડું શા માટે થયું તે જાણવા અહીં આવી પહોંચ્યો અને પછી તો જે થઈ રહ્યું છે તે આપણે સૌ જોઈ રહ્યાં છીએ ”
ભીમ મહાબલી હતો, તે હિડિમ્બ પણ કંઈ ઓછો બલી ન હતા. બનેનું યુદ્ધ લાંબા વખત સુધી ચાલ્યું. વચ્ચે એકાદવાર અને ભીમને કંક અકળાયેલો માનીને તેની સહાયે જવાની તૈયારી બતાવી, પણ ભીમે તેને વાર્યો, અને પછી તરત જ પોતાની સમગ્ર શકિતઓને એકઠી કરીને હિડિમ્બને મારી નાખ્યો.
ભીમસેનના આ પરાક્રમથી ચારેય ભાઇઓ ઘણા પ્રસન્ન થયા, પણ દુર્યોધન કે તેના કોઈ જાસુસે આ પરાક્રમની ગંધે આકર્ષાઈને એ તરફ પહોંચી આવે, અને વળી પાછો પોતાને એ સહુને ત્રાસ સહન કરવો પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ওও
એ બીકે તરત જ તેઓ એ હિડિબવનમાંથી બહાર નીકળવા લાગ્યા. હિડિમ્બા પણ તેમની પાછળ પાછળ ચાલવા માંડી.
રાક્ષસો કદી વેરને ભૂલતાં નથી ! ” ભીમે વિચાર કર્યો અને પછી તરત જ હિડિમ્બાને, જે રીતે તેને ભાઈ ગયો હતો તે જ રસ્તે વિદાય કરવા તૈયાર થયો.
પણ યુધિષ્ઠિરે તેને આ અધર્મ કાર્ય કરતાં વાર્યો અને પછી મા તથા મોટાભાઈ બનેની સહાયથી અને હિડિબાના આગ્રહથી ભીમસેને તેનું પાણિગ્રહણ કર્યું.
ભીમસેનને આ હિડિમ્બાથી ઘટોત્કચ નામને પુત્ર થયો. પછી માતા તથા પુત્ર, બનેને હિડિમ્બ-વનમાં તેમના જૂના નિવાસસ્થાનમાં રાખીને ભીમસેન તથા અન્ય પાંડવો તથા કુન્તી ચાલી નીકળ્યાં.
હિડિમ્બવનમાંથી મત્સ્ય દેશ, ત્યાંથી ત્રિગર્ત, અને ત્યાંથી તે પ્રદેશની કીચકરમણીય વનશ્રીનું નિરીક્ષણ કરતાં કરતાં તેઓ આગળ વધતા હતાં.
માથે તેમણે જટા બાંધી હતી. વકલો અને મૃગચર્મ તેમણે પહેર્યા હતાં.
પ્રવાસ દરમિયાન તપસ્વીઓની પેઠે વસનારા તેઓ વેદ અને વેદાન્તને તથા નીતિશાસ્ત્રના અભ્યાસ કરતા હતા.
એવામાં એક દિવસ પિતામહ વ્યાસ તેમની પાસે આવ્યા.
“ ધૃતરાષ્ટ્રના પુત્રોએ તમને અધર્મ પૂર્વક રાજયમાંથી હાંકી કાઢયા છે તે હું જાણું છું.” વ્યાસજીએ તેમને કહ્યું, “પણ જે થાય છે તે સારા માટે જ થાય છે એમ મારું માનવું છે. તમારે ચિંતા ન કરવી. વિષાદ ન કરવો. મારે તો તમે અને તેઓ બંને સરખા છે. છતાં અકિચન અને નાનેરાં ઉપર વડીલોને વિશેષ પ્રેમ હોય, એ ન્યાયે તમારા પર મને સ્વાભાવિક રીતે જ વધારે પ્રેમ છે. અહીં નજીકમાં જ એકચક્રા નામે એક ગામ છે, તેમાં એક બ્રાહ્મણને ઘેર તમને મુકી આવું, ચાલો.” અને પછી કુન્તી તરફ વળીને તેમને આશ્વાસન આપતાં ઉમેર્યું: એક દિવસ આ તારા પુત્ર, તારા તેમજ માદ્રીના આ પુત્રો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
७८
પેાતાના પૈતૃક રાજ્યના સ્વામી જરૂર બનશે અને પૃથ્વી પર ધર્મને ધ્વજ ફરકાવશે.
""
અને પછી એકચક્રામાં તેમને લઈ જઈ, પેલા બ્રાહ્મણને ત્યાં તેમની ગોઠવણ કરી, પાછા પોતે તેમને મળે ત્યાં સુધી ત્યાં જ રહેવાની ભલામણ કરીને વ્યાસજીએ તેમની રજા લીધી.
૧૯. બ્રાહ્મણની આપત્તિ
એકચક્રામાં વ્યાસએ ચીંધેલ બ્રાહ્મણના ઘરમાં પાંડવાની વનપ્રણાલી તપસ્વી બ્રાહ્મણા જેવી હતી. નગરમાંથી વારાફરતી ભિક્ષા માંગીને તેએ લાવતા. પછી એ ભિક્ષા કુન્તીને ચરણે ધરતા. કુન્તી એમાંથી અર્ધોઅ ભાગ ભીમને આપતી, અને બાકીના અર્ધામાંથી ચાર ભાઈઓ અને પાતે એમ પાંચ જણ જમતાં. તેમના સદગુણાને લને એકચક્રાના નાગરિકાની પણ તેમણે સારી પ્રીતિ સંપાદન કરી હતી.
એક દિવસ ચારેય ભાઇએ ભિક્ષા માગવા ગયા હતા અને ધેર ફકત ભીમ અને કુન્તી હતાં, ત્યારે તેમણે ધરના અંદરના એરડામાંથી અનેક વ્યકિતએ એકી સાથે રાતી હોય, એવાં છાતીફાટ રુદનને અવાજ સાંભળ્યા. બ્રાહ્મણના કુટુંબ પર કૈક આપત્તિ ઊતરી લાગે છે, ભીમ! ” કુન્તીએ પુત્રના કાનમાં કહ્યું, આ વખતે આપણે કૈક મદદ કરવી જોઇએ. મનુષ્યનું લક્ષણ જ એ છે કે તેના ઉપર કરેલ ઉપકાર પાણીમાં ન જાય.” સાચું છે, મા, ભીમે સંમતિ આપતાં કહ્યું,
""
,,
પણ તું ખબર તે
કાઢ, શું છે ? ’”
kr
(c
t
કુન્તી અંદરના ઓરડામાં ગઈ.
બ્રાહ્મણ, તેની પત્ની, તેને પુત્ર અને તેની પુત્રી – ચારેય જણ ચેાધાર આંસુઓએ કલ્પાંત કરી રહ્યાં હતાં.
..
સલાહ આપી, બ્રાહ્મણી, બ્રાહ્મણ રડતા આપી રહ્યો હતા, “કે આ ગાઝારું ગામ જઇએ ! પણ તારે તારાં પિયેરિયાંને છાડવાં નહોતાં. તે હવે બૂડી મર, બાપના કુવામાં! વિનાશને વખત આવી
“ તને મેં કેટલીયે વાર રડતા પેાતાની પત્નીને પા મૂકીને ખીજે ક્યાંક ચાલ્યાં
""
પહેાંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
rr
પણ તમે મને જવા દાને ! ” પત્ની કરગરતી હતી.
૭૯
..
..
“તને જવા દઉં... ? ” બ્રાહ્મણ પેાતાની લાચારી બતાવતા હતા. તને કેવી રીતે જવા દઉં ? તું મારી સહધર્મચારિણી, મારા ગૃહસ્થાશ્રમની ભાગિની, કુલીન, શીલસ ંપન્ન, મારાં આ બે સંતાનેાની માતા, નિત્ય મને અનુસરનારી.... અરેરે તારા જેવી પત્નીનેા ત્યાગ કરીને હું રૌરવ નરકના જ અધિકારી પરું ને!
.
k
પશુ તે પછી મારું જ બલિદાન આપેાતે, પિતાજી,” અત્યાર સુધી મૂઞીમૂંગી રડી રહેલી દીકરી કરગરવા માંડી.
“ તારું ? એક કાચી ઉંમરની છોકરીનુ બલિદાન આપતાં અમારે જીવ કેમ ચાલે, બેટા! અને વળી તું તે અમારે આંગણે કાષ્ટક પારકાની થાપણ ગણાય.
""
પિતા, માતા અને પુત્રી વચ્ચે આમ, કાણુ બલિદાન આપવાનું વધારે અધિકારી છે તેની રકઝક ચાલતી હતી, તે પેલા શિશુ-બાળક, ઘડીક બહેનની ગાદમાં ભરાઇને અને ઘડીક માની ગોદમાં ભરાઇને સાંભળી રહ્યો હતા અને સાથેસાથે બન્નેની હડપચી પકડીપકડીને તેમને છાનાં રાખવાની કેાશિશ પણ કરી રહ્યો હતા.
છેવટે મા કે બહેન, કાઈ પાતાનુ` માનતું નથી એ જોઇ, ઘાસનું એક તણખલું પેાતાના હાથમાં તલવારની પેઠે હલાવીને એ બેયેા :
“ અરે ભાર શા છે એ રાક્ષસના! તમારે કાષ્ટને એની પાસે જવાની જરૂર નથી. મને જ જવા દે. અને પછી...જોઈ છે, આ રણચંડી ? આ તલવારના એક જ ઝાટકે હું એ દુષ્ટનું માથુ ઉડાવી દઇશ ! ''
અત્યંત ગમગીન વાતાવરણમાં અબૂઝ બાળકની આ નિર્દોષ શેખીથી કૈં હળવાશ આવી, અને કુન્તીને થયું કે અંદર દાખલ થઈને એ દુખિયારાંની વાતચીતમાં સામેલ થવાની સૌથી વધુ રળિયામણી આ
Ο
પળ છે.
ભીમ અને કુન્તી બન્ને ધીમે પગે અંદર આવ્યાં.
'
""
ક્ષમા કરજો અમને ! ” કુન્તીએ તેમની પાસે જઇને શરૂ કર્યું, પણ આ બધાનું કારણ શું છે તે કૃપા કરીને અમને કહેા. સંભવ છે કે એના ઉપાય નીકળી આવે!
"9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
to
બ્રાહ્મણ પેાતાના અતિથિ તરફ મૂંગી કૃતજ્ઞતાની લાગણીથી પળભર જોઈ રહ્યો.
“ ઉપાય અહીં કાઇ શકય જ નથી, મા ! ” કુન્તીને ઉદ્દેશીને તેણે કહ્યું, “મનુષ્ય સરજેલી કાઈ આફત હાય, તેા મનુષ્ય એનુ નિવારણ કરી શકે, પણ આ તેા રાક્ષસી ઉત્પાત છે, મા! એની પાસે તેા શિર ઝુકાવ્ય જ છુટા.
92
r
ં પણ વાત તેા કરી, '' કુન્તીએ આજીજી કરી.
બ્રાહ્મણે વાત કહેવા માંડી.
“બકાસુર નામે એક રાક્ષસ છે.” બ્રાહ્મણે શરૂ કર્યું, આ એકચક્રા નગરી અને નગરીના આસપાસના પ્રદેશને એ સ્વામી છે. એકચક્રા નગરીનું અને આસપાસના પ્રદેશનું એ બકાસુર જ રક્ષણ કરે છે. ’
કાનાથી ? ” ભીમે પૂછ્યું.
cr
ગામ
“ ખીજા રાક્ષસેથી ! ” બ્રાહ્મણે ખુલાસે કર્યા, “ પહેલાં આ પર બધા જ અસુરા મેાજમાં આવે ત્યારે તૂટી પડતા અને મનમાં આવે તે લૂટી જતા અને મનમાં આવે તેને ખાઈ જતા, એટલે અમારી યાતનાએને! પાર નહતા. એ બધી યાતનાએમાંથી આ બકાસુરે અમને છેડાવ્યા. ”
**
પણ તેા પછી આજે આ આપત્તિ શાની છે ?” ભીમે અધીરાઇ બતાવી, “ અત્યારે તમારા માથા પર કાઇ આપત્તિ તેાળાઇ રહી હેાય, તે
kr
તેના નિવારણ માટે એ બકાસુર પાસે જ કેમ નથી જતા ? ’”
""
આપ્યા.
te
66
,,
બકાસુર પાસે જવાની જ ! આ આપત્તિ છે. બ્રાહ્મણે જવાબ
,,
ન સમજાયું, ” કુન્તીએ કહ્યું.
આપ જરા આગળ સાંભળશેા તા તરત સમજાશે. બકાસુરે અમારી
આ એકચક્રા નગરીને અન્ય રાક્ષસેાના ત્રાસમાંથી ઉગારવાનું માથે લીધું છે,, પણ તે એક શરતે......’
r કઈ શરતે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૧
“ ...કે અમારે રોજ એને માટે અમુક નિશ્ચિત આહાર મોકલો.” જશે ? ” “ગાડું એક ચોખા, બે પાડા, અને એક માણસ!”
આવી અમાનુષી શરતો તમે મંજૂર તો કરી, પણ અત્યાર સુધી એને સાંખી કેમ રહ્યાં છે ?”
એમ સાવ સાખી રહ્યાં છીએ એવું પણ નથી.” બ્રાહ્મણે ફેડ પા. આ બકાસુરને ઉથલાવી પાડવા માટે, એને નાશ કરવા માટે, અત્યાર સુધીમાં જે જે પ્રયત્ન થયા છે તે બધા નિષ્ફળ નિવડયા છે અને ઉપરથી તેવા પ્રયત્ન કરનારાઓને ખૂબ આકરી શિક્ષા ભોગવવી પડી છે. એટલે હવે બધા હતાશ થઈને બેસી ગયા છે અને પોતપોતાના વારા પ્રમાણે કુટુંબની એકએક વ્યકિતને ભોગ આપતા જાય છે. આજે અમારા કુટુંબને વારો છે.”
બોલવું પૂરું કર્યું અને ઓરડામાં અનેક સળગતી ચિતાએવાળા સ્મશાન જેવી શાન્તિ પળ બે પળ પથરાઈ ગઈ.
પછી કુન્તીએ કહ્યું
“ તમારી આ આપત્તિનું નિવારણ મને મળી ગયું છે, માટે હવે બધા વિષાદ છોડી દો અને મારી વાત સાંભળો.”
“બોલે, મા! ”
“એ બકાસુર પાસે તમારા ચારમાંથી કોઈ પણ જશે નહિ. મારા પાંચ દીકરાઓમાંથી એક જશે.”
બ્રાહ્મણ પળભર તે અવાક થઈ ગયો. બીજાને ખાતર કોઈ મરવા તૈયાર થાય એ બની શકે ખરું!
ના, મા !” તેણે કહ્યું, “મારાથી તમારા પુત્રને ભોગ ન લેવાય, મા ! એક તો તમે મારા અતિથિ અને વળી બ્રાહ્મણ ! ”
પાંડવો બ્રાહ્મણ વેષે જ એકચક્રામાં રહ્યા હતા એ આપણે જાણીએ છીએ. પણ કુન્તીને નિશ્ચય થઈ ચૂક્યો હતો.
બ્રાહ્મણને તેણે કહ્યું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
તમે મને સમજવામાં કૈંક ભૂલ કરી છે, ભૂદેવ ! આ તો ફકત પાંચ જ પુત્ર છે. પણ કદાચ સો પુત્ર હોય તો પણ, કઈ માતા એમાંથી એકને પણ ઓછો કરવા ઈચ્છે ? પણ મારા પુત્રોને, ઈશ્વરની કૃપાથી, રાક્ષસોને ડર નથી. કેક રાક્ષસોને તેમણે સંહાર્યા છે, રણમાં સામી છાતીએ રોળ્યા છે. માટે જ તમારા એ બકાસુર માટે ચોખાનું ગાડું અને બે પાડાને આહાર મારે આ પુત્ર જ લઈ જશે. તમારે એની લેશ પણ ચિંતા ન કરવી. ફક્ત એક જ વિનંતિ કે આ વાત ક્યાં કરતાં કયાંય કરવી નહિ. નાહક કેાઈને મારા દીકરાઓના બાળપરાક્રમની અદેખાઈ આવે !”
અને આવી રીતે બકાસુર પાસે ભીમને મોકલવાનું કુન્તીએ નકકી કર્યું.
૨૦ યુધિષ્ઠિરની શંકા
ચારે પાંડવો ભિક્ષાથે નગરમાં ગયા હતા. તેઓ પાછા ફર્યા અને ભીમસેનના ચહેરા ઉપર તેમણે કોઈ અપૂર્વ યુદ્ધાવેશને રમત છે, ત્યારે યુધિષ્ઠિરે માતાને એક બાજુએ લઈ જઈને એનું કારણ પૂછયું. કુંતીએ બ્રાહ્મણની આપત્તિની બધી વાત કરી અને બકાસુર પાસે ભીમને મોકલવાને પિતે નિશ્ચય કર્યો છે એમ યુધિષ્ઠિરને કહ્યું.
યુધિષ્ઠિરને પહેલાં તે આ વાત ન ગમી. તેણે કહ્યું:
આ શું કરવા બેઠી છે, મા ? જેના ભુજબળના આધારે આપણે સૌ સુખે સુઈ શકીએ છીએ અને પેલા હલકટોએ કરેલું આપણું રાજય પાછું મેળવવાનાં સ્વપ્નાં સેવીએ છીએ, એ ભીમસેનને જ હોમી દેવા માગે છે ? જેના સતત વિચારથી દુર્યોધનની ઊંઘ ઉડી ગઈ છે, જેણે આપણને લાક્ષાગૃહમાંથી છોડાવીને અહીં સુધી આપ્યા છે..”
“ભીમનું એ બધું પરાક્રમ જોઈને જ તે મેં એને મોકલવાનો નિશ્ચય કર્યો છે, બેટા ” કુન્તીએ સંપૂર્ણ શાંતિથી જવાબ આપે. “આ કંઈ હું સાહસ-ભાવે નથી કરતી, સંપૂર્ણ ગણતરીપૂર્વક કરું છું. ભીમને એ રાક્ષસ કશું જ નથી કરી શકવાને. જોયું નહિ, પેલા હિડિમ્બને એણે - કેટલી સહેલાઈથી મારી નાખ્યો ! જન્મે છે ત્યારથી જ અસામાન્ય બળ અને શકિત એનામાં છે. એને મોકલવાથી આપણા માટે અત્યારે તો એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પંથ દો કાજ છે. રાક્ષસને નાશ થશે, અને આ બ્રાહ્મણ કુટુંબે આપણું ઉપર જે ઉપકાર કર્યા છે તેને યત્કિંચિત બદલો પણ વાળી શકાશે. માણસ તે કહેવાય, બેટા, જેના પર કોઈએ કરેલ ઉપકાર એળે ન જાય. ''
યુધિષ્ઠિર સમજે. બીજા ત્રણેય સંમતિ આપી.
સવારના પહોરમાં પિલા નિશ્ચિત આહાર સાથે ભીમસેન એકલો બકાસુરને વનસ્થાને પહોંચે અને બકાસુરને નિમિત્તે રંધાયેલ ભાત નિરાંતે આરોગતાં આરોગતાં તેણે બકાસુરના નામની બૂમો પાડવા માંડી.
બકાસુર બહાર નીકળ્યા અને આ દશ્ય જોઈને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.
અરે મરવાની પળે પણ સખણો નથી રહેતે, મુખ ?” રાક્ષસે ત્રાડ પાડી, “ મારા માટેનું ભોજન તું એઠું કરે છે ? ”
પણ અહીં સાંભળે છે જ કાણ! ભીમે તે નિરાંતે ભાત સાફ કરવાનું ચાલુ રાખ્યું.
રાક્ષસને ગુસ્સો મળય અત્યંત ઉગ્ર હતો, તે આ દ્રશ્યથી વળી સાતમા આસમાને પહોંચ્યો. દોડીને તેણે ભીમના વાંસામાં થોડીક મુકકીએ લગાવી દીધી.
પણ ભીમે તો જાણે કોઈ પીઠ પંપાળી રહ્યું હોય એવો દેખાવ કરીને ખાવાનું ચાલુ રાખ્યું.
હવે બકાસુરને લાગવા માંડયું કે જણ કોઈ અસામાન્ય ટિન લાગે છે. એક ઝાડ ઉખેડીને તેણે હાથમાં અદ્ધર તોળ્યું અને ભીમને ભુક કરવા માટે તે અત્યંત આવેગપૂર્વક દે.
દરમિયાન ભીમે નિરાંતે પેલા ભાત ખાઈ લીધા હતા, એટલું જ નહિ, પણ ખૂબ જ લહેરથી ચળુ પણ કરી લીધું હતું.
અને ભીમે પિતા પર ફેંકાયેલ ઝાડને દડાની પેઠે ઝીલીને એ જ ઝાડથી બકાસુરને ઝૂડવા માંડયા.
અને તે પછી થોડીક જ વારમાં એકચક્રાની આપત્તિ સામે બકાસુર પૃથ્વીના પટ પરથી નાબુદ થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૧. પાંચાલ દેશ સહામણે, જ્યાં દ્રૌપદી કેરો વાસ
બકાસુરને વધ કરનાર બીજો કોઈ નહિ, પણ ભીમસેન જ હતો, એ વાતને છુપાવવાને ગમે તેટલો પ્રયત્ન એ પોતે કરે, એના ચાર ભાઈઓ અને માતા કુન્તી કરે, પણ સૂર્ય છાબડે કદી ઢંકાતો રહેતો નથી અને અપ્રતિમ શૌર્યનાં ઉદ્ભવસ્થાને લાંબા વખતને માટે ગુપ્ત રાખી શકાતાં
નથી.
એટલે બકાસુરના વધ પછી એકચક્રને પિતાને વસવાટ આટોપી લેવો જોઈએ એમ પાંડને થતું જ હતું.
ત્યાં એક દિવસે એક પ્રવાસી વિપ્રવર્ષે આવીને એક અદ્ભુત સમાચાર આપ્યા.
પાંચાલ દેશમાં એક અસામાન્ય સમારંભ યોજાઈ રહ્યો હતો, અને એ સમારંભે આખાયે આર્યાવર્તનું ધ્યાન પોતાભણી દોર્યું હતું.
એ સમારંભ હતો દ્રૌપદી-સ્વયંવરને.
“સ્વયંવર” તે શબ્દ માત્ર હતું, બાકી દ્રૌપદીને “સ્વયમ” જેને વરવાનું મન થાય એને વરવાની છૂટ નહતી.
સીતા-સ્વયંવર” જે જ એ “સ્વયંવર' હતા. ભગવાન શંકરનું ધનુષ્ય જે ચઢાવી શકે તેને મારી પુત્રી સીતા પરણાવીશ, એવી જનકરાજાની ઘોષણું હતી. - અહીં દ્રુપદે પણ એક એવા પ્રકારની જાહેરાત કરી હતી. નેમ લેવામાં અને લક્ષ્ય વધવામાં અભુત અને અપૂર્વ કુશળતા માગી લે એવું એક યંત્ર તેણે બનાવ્યું હતું, અને એ યંત્રની આડે તેણે એક “મસ્ય ગાઠવ્યું હતું. આ “મસ્યને જે કઈ વેધ કરે તેને પોતે યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન થયેલી પોતાની દુહિતા પરણાવશે એવી જાહેરાત દુપદે કરી હતી.
દ્રૌપદી યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન થઈ હતી, માટે યાજ્ઞસેની તરીકે પણ તે ' ઓળખાતી. આ ઉપરાંત કૃષ્ણ, પાંચાલી વગેરે પણ તેનાં નામે – હુલામણાં નામો હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૫
આ દ્રૌપદીને માટે પાંચાલમાં મત્સ્યવેધને સમારંભ યોજાયો હતો. ભારતના એકેએક ભુમિ-ભાગમાંથી બાણાવળીઓ અને બ્રાહ્મણ, વ્યાપારીઓ અને વિદ્વાનો, કારીગરે, કલાકાવિદ, ના, નર્તક વગેરે પાંચાલની નેમ નોંધીને નીકળી પડયા હતા.
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે બધાય કે દ્રૌપદીને વરવાની ઇચ્છાથી નહોતા આવતા; પણ જ્યાં આગળ આવે શકવર્તી સ્વયંવર યોજાયો હોય ત્યાં પ્રેક્ષકે પણ પાર વગરના જ હોયને!
અને એ બધા પ્રેક્ષકાની જુદી જુદી જીવન જરૂરિયાતોને લક્ષમાં રાખીને આવનાર વ્યાપારીઓ વગેરેની સંખ્યા પણ કે નાનીસૂની તે ન જ હોય!
બીજા શબ્દમાં કહીએ તે દ્રૌપદી-સ્વયંવરને નિમિત્ત દ્રુપદના પાટનગરમાં એક વિરાટ અખિલ-ભારત–મેળો જ જાણે ભરાઈ રહ્યો હતો.
આવા સમારંભમાં જવાનું પાંડવોને મન થાય એમાં આશ્ચર્ય શું !
વળી આ દ્રૌપદીની આસપાસ, એના બાલ્યકાળથી જ, કેવી કેવી અદ્ભુત લકવાયકાઓ વણાવા માંડી હતી!
કહેવાતું હતું કે એના પિતા દુપદે એક મહાન યજ્ઞ કરેલઃ આચાર્ય દ્રોણે, ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો દ્વારા પિતાને પરાજિત કરી અપમાન્યો હતો, તેનું વેર લેવા માટે!
આમાં મૂળ તે દ્રુપદના પિતાને જ વાંક હતો. એ અને દ્રોણ બને દ્રોણના પિતા ભરદ્વાજના શિષ્યો હતા. બાલ્યાવસ્થા દરમિયાન બંને વચ્ચે પ્રગાઢ મૈત્રી જામેલી. પછી વિદ્યાભ્યાસ પૂરો થતાં, કુપદ રાજ્યને સ્વામી બન્યો, જ્યારે દ્રોણ તે મૂળ આશ્રમવાસી હતો, તે આશ્રમવાસી જ રહ્યો. પણ એકવાર જૂની મિત્રીને દાવે દ્રોણ પદને મળવા ગયો, ત્યારે તેણે જોયું કે દ્રુપદ હવે પહેલાને દુપદ રહ્યો નથી. રાજા બનીને તે માણસાઈને ભૂલી ગયો છે. તે વખતે કુપદે દ્રોણનું અપમાન કરેલું.
અને કોણે મનમાં ને મનમાં પ્રતિજ્ઞા કરેલી કે આ સાહેબને બોધપાઠ આપું તે જ હું વેણ ખરો.
અને એ બોધપાઠ તેણે દુપદને પોતાના કૌરવ-શિષ્ય દ્વારા પરાજિત કરીને આપ્યો હતે.
પણ દ્રોણને એ વખતે એ યાદ નહોતું રહ્યું કે અપમાનનો બદલો અપમાનથી લઈને, પોતે ભવિષ્યને માટે એક ઘોર આપત્તિ વહોરી રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
વેરથી વેર કદી શમતાં નથી, ઉલટાનાં વધે છે, એ સૂત્ર શીખવાનું શ્રેણ માટે હજી બાકી હતું
તે દુપદે એને શીખવ્યું.
કોણે કરેલ અપમાનને બદલો લેવા માટે દુપદે યજ્ઞ માંડ. તેને સંતાન ન હતાં. પુત્ર ન હતો. યજ્ઞ કરીને દ્રોણને નાશ કરી શકે એ પુત્ર પ્રાપ્ત કરો એવી પદની અભિલાષા હતી.
મહાભારત કહે છે કે એ યજ્ઞવેદીમાંથી “દેવ જેવો જવાલાવણું, ઘરરૂપ, કિરીટી, ખગધારી, ધનુષ્યબાણુસંપન્ન,” એ એક પુરુષ પ્રગટ થયે, અને તરત જ રથમાં બેસીને રથને એણે દોડાવ્યો.
અને પાંચાલવાસીઓએ “ધન્ય છે, ધન્ય છે ! ” એવા હર્ષનાદો કરી કરીને કોણવધ માટે ઉત્પન્ન થયેલ એ રાજકુમારને વધાવી લીધું.
આ પછી વેદીના મધ્ય ભાગમાંથી એક કુમારી પ્રગટ થઈ. મહાભારત કહે છે કે
સુભગા દર્શનીયાંગી, કટિતવી, મનોરમા, શ્યામ, પદ્મ-પલાસાક્ષી, નીલ-કુટિલ-કેશિની મનુષ્યરૂપ ધારીને ઉતરી અમરાંગના, નીલ પદ્મ સમે ગધ આવે છેજન દ્રથી, એવી અનુપમ કાયા ધરી ઊતરી સુંદરી, એ સુશ્રોણ જન્મતા માં વાણું આકાશમાં થઈ
આ કૃષ્ણા, કામિનીષ્ઠા, ક્ષત્રિય-શમ-કારિણું. આવી દ્રૌપદીને જોવાનું, અને પરણવાનું પણ મન પાંડવોને થયું હોય, તો એમાં આશ્ચર્ય શું હતું ?
મહાભારત કહે છે કે દ્રૌપદીની વાત સાંભળીને પાંડ “શલ્યવિદ્ધ ” જેવા, જાણે કોઈ કા હદયમાં ભેંકાઈ ગયો હોય એવા થઈ ગયા. તેમનાં મન અસ્વસ્થ થઈ ગયાં.
કુન્તીએ પોતાના પુત્રોની આ બેચેની જોઈ અને તેમના સૌના મનની, વાત, એક શાણી માતા તરીકે, તેમની પાસે બીજે સ્વરૂપે રજૂ કરી.
કુન્તીએ કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
“ આ બ્રાહ્મણના ઘરમાં હવે બહુ રહ્યાં, યુધિષ્ઠિર; જવાનું બધું ફરી ફરીને જોઈ લીધું; હવે અન્યત્ર જઈએ. સાંભળ્યું છે કે પાંચાલ દેશ બહુ સહામણે છે તે, તારી જે સલાહ હોય, તે આપણે પાંચાલ તરફ જઈએ."
યુધિષ્ઠિરે પણ એ જ રંગતમાં જવાબ દીધો કે “મા, તમે જે કહેતાં હશે, તેમાં અમારું હિત જ હશે.”
અને પછી બધા ય ભાઈઓ, માને લઈને-અને પેલા યજમાન બ્રાહ્મણની વિધિપૂર્વકની વિદાય લઈને, એકચક્રમાંથી નીકળી પાંચાલને પંથે વળ્યા.
૨૨. અંગારપર્ણને અંગાર
એકચકામાં બકને સંહાર કરીને પાંડવો પાંચાલ દેશને પથે વળ્યા. પાંચાલીને નિમિત્તે દ્રુપદરાજે યોજેલા સમારંભની વાત સાંભળીને એમનાં ચિત્ત ચગડોળે ચડયાં હતાં. | આગળ અર્જુન ચાલતો હતો. તેણે હાથમાં મશાલ ધારણ કરી હતી. રસ્તાઓ સારા અને સમથળ હતા, પણ પ્રદેશ અજાણ્યો હોઈ પ્રતિપળે સાવધાન રહેવું પડતું હતું. એક નિમેષ પણ ગાફેલ રહ્યા તે ખેલ ખલાસ, એવી સ્થિતિ હતી. ચાલતાં ચાલતાં કુન્તી અને તેના પાંચ પુત્રો ગંગાને કિનારે પહોંચ્યા.
કેણુ છે એ?” અચાનક તેમને કાને કોઈને પડકાર આવ્યો. “જ્યાં છે, ત્યાં જ ઊભા રહેજે. એક ડગલું પણ આગળ ભર્યું છે, તે મર્યા જ સમજજે.”
કાણ છે તું ?” લેશ પણ ડર્યા વગર અને પોતાની આગેકૂચને જરા પણ થંભાવ્યા વગર અર્જુને સામો પડકાર કર્યો. “ગંગામૈયા તે સૌની એક સરખી માતા છે. એનાં અમૃત સરખાં જલનું આચમન કરતાં તું અમને અટકાવનારે કાણ?”
ધમકી આપનારને અવાજ હવે જરા ઢીલો પડયો. તેને સાધારણ અનુભવ તો એ હતો કે તેને હાકેટ સાંભળતાં વેંત જ ભલભલાના છક્કા છૂટી જતા. ત્યારે આ મશાલધારી જુવાન તો સામી છાતીએ અને એ જ ગતિએ આગળ વધ્યો આવે છે, અને એની પાછળ પાછળ ચાલતી એક પ્રૌઢા સ્ત્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અને તે સ્ત્રીની પાછળ આવતા ચાર બીજા જુવાને - છમાંથી કોઈનું કે રૂવું સરખું ફરતું નથી.
સંભવ છે કે આ લકે કાઈ જુદા જ પ્રદેશમાંથી આવતા હોય અને પરિણામે મારા પ્રતાપથી સર્વથા અપરિચિત હોય એમ એને લાગ્યું.
“તમે લોકે મને ઓળખતા નથી લાગતા.” પડકાર કરનારે પોતાની ઓળખ આપવા માંડી. “મારું નામ અંગારપર્ણ છે. આ વન પ્રદેશનું નામ પણ અંગારપર્ણ છે. હું ગધર્વ છું. કુબેરને ખાસ મિત્ર છું. હું અહીં મારી સ્ત્રીઓ સાથે જલક્રીડા કરી રહ્યો છું. અહીં આવવાને કોઈને અધિકાર નથી.”
અંગારપણે માનતો હતો કે પિતાના નામશ્રવણની સાથે આ મશાલધારી વ્યકિત ઢીલીઢફ થઈ જશે, પણ તેણે જોયું તો પેલા યે જણ એ જ સ્વસ્થતાથી આગળ વધી રહ્યાં હતાં.
તું અંગારપર્ણ હો કે શીતપર્ણ,” અર્જુન તેને સંભળાવી રહ્યો હતો, “તારી સ્ત્રીઓ સાથે ક્રીડા કરી રહ્યો હો કે એકલે હા, અમારે તેની સાથે કશી નિસ્બત નથી. અમે તે ગંગામૈયાના ચરણસ્પર્શ કરીને પાવન થવા માગીએ છીએ અને ગંગામૈયા કેાઈ ગંધર્વની કે યક્ષની કે રાક્ષસની કે માનવીની આગવી સંપત્તિ નથી તેટલું અમે જાણીએ છીએ.”
હવે વાત શબ્દોથી પતે એમ નથી એમ અંગારપર્ણને લાગ્યું. ચિત્રરથ નામને પોતાને રથ પાસે જ હતો. એ રથમાં એ આરૂઢ થયા. આગળ વધ્યો. ધનુષ્ય હાથમાં લીધું અને ભાથામાંથી બાણે કાઢી કાઢીને પાંડવોની દિશામાં છોડવા માંડયાં.
પણ અર્જુન સામે એવા મડદાલ બાણેનું શું ગજું ! હાથમાંની મશાલથી જ એણે આ બધાં બાણોને ગિલ્લી-દંડાની રમત હેય એવી રીતે પાછાં ફટકાર્યા !
અને પછી એક સળગતું બાણ મારીને અંગારપર્ણના ચિત્રરથને જ સંચોડો જલાવી દીધે.
અને રથ ભાંગતા ગભરાઈને ધરતી પર ઢળેલા અંગારપર્ણને એના લાંબા કેશ વંડ ખેંચીને પિતાના મોટાભાઈ ધર્મ-યુધિષ્ઠિર સામે ખડો કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પણ એટલામાં તે અંગારપર્ણની પત્ની કુશ્મનસી હૈયાફાટ રુદન કરતી કરતી દોડી આવી કુન્તીના પગ પકડી લઇને પોતાના પતિને જીવતદાન આપવા માટે એ કરગરવા માંડી અને અંતે યુધિષ્ઠિરને આશય સમજી લઈને અર્જુને એને કહ્યું, “જા તારી પત્ની પર દયા કરીને આ કુરુરાજ યુધિષ્ઠિર તને જીવતદાન આપે છે.”
મહાભારત કહે છે કે આ અંગાર પણે અર્જુનને “ચાક્ષુષી વિદ્યા આપી, જેના બદલામાં અર્જુને એને અગ્નિ–અસ્ત્રનો પ્રયોગ શી રીતે કરવો તે શીખવ્યું.
આ પ્રસંગે, આમ, પાંડવોને એક વધુ મિત્ર અને એક વધુ વિદ્યા સાંપડી.
અર્જુન મત્સ્યવેધમાં સફળ થયો તેની પાછળ તેની જે અનેક વિઘાઓનું સામર્થ્ય હતું તેમાં આ ચક્ષુષી વિદ્યા પણ હતી.
અંતમાં કહેવું જોઈએ કે અર્જુન સાથેના આ સંઘર્ષમાં નિષ્ફળ થવાને કારણે અંગારપણે પિતાનું નામ બદલી નાખ્યું. “ચિત્રરથ”ને એ સ્વામી આ ઘટના પછી પોતાની જાતને દગ્ધરથ તરીકે ઓળખાવવા લાગ્યા.
૨૩. પાંડનો પાંચાલમાં પ્રવેશ
અંગારપર્ણના અગારને ઓલવીને અને તેને ચિત્રરથમાંથી “દગ્ધરથ” બનાવીને પાંડ આગળ ચાલ્યા.
છૂટા પડતી વખતે આ ગધવે પાંડને એક સલાહ આપેલી. રાજવી
એ હમેશાં એક બ્રાહ્મણ પુરોહિત સાથે રાખવો એ તે વખતનો શિરસ્તો હતો. પાંડવો બ્રાહ્મણના વેશમાં ફરતા હતા તેથી આ શિરસ્તા પ્રમાણે કાઈ પુરોહિતની વરણું તેમણે હજુ કરી ન હતી. અંગારપણે પુરોહિત વગર પ્રવાસ કરવામાં રહેલાં જોખમો તરફ તેમનું ધ્યાન ખેંચ્યું અને પાંડવો ધૌમ્ય નામના મુનિની પુરોહિતપદે વરણી કરીને, તેમને સાથે લઈને, પાંચાલ તરફ આગળ વધ્યા.
પાંચાલ જવાના બધાય માર્ગો, મહાભારત કહે છે કે, એ વખતે માનવ મેદનીથી ઉભરાઈ રહ્યા હતા. દ્રૌપદી સ્વયંવરને નિમિત્તે પાંચાલની ધરતી પર જાણે કોઈ વિરાટ મેળો ભરાઈ રહ્યો હતો. કઈ પરણવાના ઉમંગથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦
આવતા હતા, તો કોઈ દ્રૌપદી જેવી અપૂર્વ સૌદર્યવતી કન્યાને જોવાના કુતૂહલથી આવતા હતા, કાઇ પરાક્રમ બતાવવા માટે, કોઇ વેપાર કરવા અર્થે, કઈ પિતાને કસબ દેખાડવા કાજે, કાઈ નાટક ચટક આદિ કરીને બે પૈસા રળી લેવા સારુ, કોઈ દૂર દૂર રહેતાં સગાં-સંબંધી સ્વજનેને મળવાના હેતુથી, કઈ ખટસવાદિયા વળી ચેરી લૂંટને પ્રસંગ મળી જાય તો તે ઝડપી લેવા માટે, તરેહ તરેહના માણસે, તરેહ તરેહના ઈરાદાઓથી પાંચાલમાં ઠલવાયે જતા હતા.
તેમાં બધા ય વર્ણન લેકે હતા; અને બધી યે ઉંમરના માનવીઓ હતા.
પાંડવોએ માતા કુંતી અને પુરોહિત ધૌમ્યની સાથે પાંચાલમાં પહોંચીને એક કુંભકારના કારખાનામાં (કુંભારની કેડમાં) પડાવ નાખે.
અહીં પણ તેમણે બ્રાહ્મણોની માફક જ પોતાની દિનચર્યા જારી રાખી.
ગામમાંથી પાંચેય ભાઈઓ ભિક્ષા લાવે અને કુનતી એ ભિક્ષામાંથી બ્રાહ્મણ આદિને ભાગ કાઢી પછી અધ ભીમસેનને અને અધી પોતા સમેત બાકીના પાંચને, એમ વહેંચી આપે.
નગરની પૂર્વોત્તરે સમથલ ભૂમિ ઉપર, ચારે બાજુ ભવનોથી વીંટળાએલે એક સુવિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. ધૂપથી એ મંડપ સર્વદા સુગંધિત રાખવામાં આવતો અને ચંદનજલથી એને સર્વદા શીતલ રાખવામાં આવતા.
બહારથી આવેલા અનેક રાજાઓને આ મંડપ ફરતાં ભવનમાં ઉતારે આપવામાં આવ્યો હતો. તેઓ બધા પોતપોતાનાં ભવનની બારીઓ અને અટારીઓમાંથી સ્વયંવર મંડપમાં અથવા કહો કે લક્ષ્યવેધ મંડપમાં ચાલતી બધી જ પ્રવૃત્તિઓ જોઈ શકે એવી વ્યવસ્થા હતી.
સામાન્ય ગ્રામજને અને નગરવાસીઓ માટે એક સ્થાને મંચે ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ લક્ષ્યવેધ જોઈ શકે.
બહારથી આવેલા અતિથિઓએ પંદર દિવસ આનંદપ્રમોદમાં પસાર , ર્યા પછી સોળમે દિવસે દ્રૌપદી “રંગ' પર ઊતરી.
એ વખતે યજ્ઞયાગ-સ્વસ્તિવાચન આદિ વિધિ પતાવી, વાગી રહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
અનેક વાદ્યોને થંભી જવાની સૂચના આપી, દ્રુપદના પુત્ર અને દ્રૌપદીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને આ પ્રમાણે ધેાષણા કરી.
इदं धनुर्लक्ष्यमिमे च बाणा : शुण्वन्तु ये भूपतयः समेता : । छिद्रेण यन्त्रस्य समर्पयध्व રારે શિતામાંશાધૈ:।
:
..
૯૧
एतन्महत् कर्म करोति यो वै कुलेन रूपेण बलेन युक्त: । तस्याद्य भार्या भगिनी ममेयं कृष्णा भवित्री न मृषा ब्रवीमि ॥
અહીં એકઠા થયેલા હે ભૂપતિએ, આ ધનુષ્ય, આ લક્ષ્ય અને તીક્ષ્ણુ અને આકાશગામી એવાં આ પાંચ બાણે તેઇ લે. યંત્રના છિદ્ર સેાંસરવું બાણ મારીને આ લક્ષ્યને વીંધવાનુ છે.
આ દુષ્કર કર્મ, કુલ ૩૫ અને બલથી યુકત એવા જે કાઇ કરશે, તેની ભાર્યા આ મારી ગિની બનશે. હું સત્ય કહું છું.”
અને પછી તેણે ત્યાં એકઠા થયેલા ભારતના જુદા જુદા ભાગે માંથી આવેલ રાજાએને દ્રૌપદીને દૂરથી પરિચય કરાવ્યા.
કાણુ કાણુ આવ્યા હતા એ સમારંભમાં ?
પહેલાં તે દુર્યોધન, દુઃશાસન, વિક આદિ ધૃતરાષ્ટ્રના સો પુત્રો; પછી કર્યું, પછી શકુનિ, બલ, વૃષક અને બૃહદ્બલ નામે ગાંધારરાજના ચાર પુત્રો, પછી અશ્વત્થામા, ભાજ, બૃહન્ત, મણિમાન, દંડધાર, સહદેવ, જયસેન, મેઘસંધિ, માગધ, શંખ અને ઉત્તર નામના પેાતાના બે પુત્રો સાથે વિરાટ, સેનાબિન્દુ, મુદ્દામન અને તેને પુત્ર, વાસુદેવ, ભગદત્ત, તામ્રલિપ્ત કલિંગ, મદ્રરાજ શલ્ય, સેામદત્ત, અને ભૂરિશ્રવા આદિ તેના ત્રણેય પુત્રો, કામ્માજ, સુદક્ષિણ, સુક્ષે, ઔશાનર-શિબિ, સંકણું, વાસુદેવ અને શ્રીકૃષ્ણના સાંબાદિ પુત્રો, અક્રુર, સાત્યકિ, ઉદ્ભવ, કૃતવર્મા, સિન્ધુરાજ, જયદ્રથ, કાસલરાજ અને એવા અનેક પ્રસિદ્ધ પરાક્રમી નૃપતિએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
હર
૨૪. અજુનને લક્ષ્યવેધ
દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન લક્ષ્યવેધ અંગેની પોતાની ઘોષણા પૂરી કરી કે તરત જ એક બાજુ દુંદુભિ, વેણુ, વિણા, પણવ આદિ વાદ્યો વાગવા લાગ્યાં અને બીજી બાજુ અનેક યુવાન રાજાઓ પોતપોતાનાં આસને ઉપરથી એકી સાથે ઉછળ્યા. મનમાં તો તેઓ સૌ પ્રૌપદીને જાણે ક્યારની યે પરણી ચૂક્યા હતા ! પાંચાલીના સૌંદર્યનું કામણ તેમને સૌ ઉપર એવું હતું કે લક્ષ્યવેધ તેમને અત્યંત સહેલો લાગતો હતો અને એની સાથે જ પોતા સિવાય બીજે કઈ વહેલે પહોંચીને લક્ષ્યવેધ કરી જાય એની કલ્પનામાત્રથી તેઓ ક્રોધાંધ બની રહ્યા હતા. મિત્રો, દ્રૌપદીના હાથના આ હરીફોને અત્યારે શત્રુઓ જેવા લાગતા હતા.
પણ લક્ષ્યવેધની કલ્પના જેટલી સહેલી લાગતી હતી તેટલું જ એ કલ્પનાને અમલમાં મૂકવાનું મુશ્કેલ હતું. મુશ્કેલ શું, અશકય જ. છલંગ મારીને દેડનારાઓમાંથી ઘણાખરા તે ધનુષ્યની દોરી પણ બાંધી શકયા નહિ. કેટલાક તો દેરી ચઢાવવા જતાં, ધનુષ્ય હાથમાંથી વછૂટી જતાં પડી પણ ગયા ! કોઈ કોઈના તો વળી કુંડલ પણ કાનમાંથી ખરી પડયાં!
ધૃષ્ટદ્યુમ્નની ઘોષણું સમાપ્ત થયા પછી આમ થોડી જ વારમાં આસનો ઉપરથી કૂદીને ધનુષ્ય પાસે ધસી આવતા રાજાઓનાં પાણી ઊતરી ગયાં અને સ્વયંવરની સભા એમના દીન નિ:શ્વાસ અને હાહાકારોથી શોકસભામાં પલટાઈ ગઈ.
આ બધા વખત પાંડવો બ્રાહ્મણના જૂથ વચ્ચે, ભસ્મના થર નીચે અગ્નિ ઢંકાયેલ હોય તેમ સ્વયંવરમાં આવેલ ઈતર રાજવીઓથી અજ્ઞાત એવી અવસ્થામાં બેઠા હતા; અને છતાં એક જણની નજર તેમના ઉપર ગઈ હતી.
રાખની નીચે ઢંકાયેલા એ પાંચ અગ્નિઓને પહેલવહેલા ઓળખી લેનાર એ પુરુષ તે બીજા કોઈ જ નહિ પણ કૃષ્ણ હતા.
કૃષ્ણ તેમને ઓળખ્યા, અને પછી પોતની પાસે બેઠેલ બલરામને તેમણે સંકેતમાં ઓળખાવ્યા.
દુનિયા જેમને મરેલ માનતી હતી, એ કૃષ્ણચીધ્યા પાંડુપુત્રને જોઇને બલરામ પણ ખરેખર પ્રસન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૩
અને એટલામાં તો એમની અને શ્રીકૃષ્ણની આ પ્રસન્નતામાં વધારો કરે એવું એક દ્રશ્ય ખડું થયું. રાજાઓ ધનુષ્યને ચઢાવવામાં નિષ્ફળ થયા, ત્યારે બ્રાહ્મણની વચ્ચેથી અર્જુનને ઊભો થતો આ બે યદુવીરાએ જે...
આસપાસ બેઠેલા બ્રાહ્મણોમાંથી કેટલાકે આ બ્રાહ્મણની હિંમતને અભિનંદી, જયારે કેટલાકે એ “બ્રહ્મભટ્ટ”ના સાહસને ઉપહાસ કરવા માંડયો. “કર્ણ અને શલ્ય જેવા લોકવિશ્રુત રાજવીઓ પણ જે ધનુષ્યને સ-જય નથી કરી શકયા તે આ બટુ કરવાને છે!” તેમાંના કેટલાક હસવા લાગ્યા.
આમ જુદા જુદા સ્વભાવના માણસો જુદી જુદી આગાહીઓ ભાખી રહ્યા હતા, તેટલામાં અર્જુન પેલા ધનુષ્યની પાસે પહોંચી ગયે.
તેણે પહેલાં તે એ ધનુષ્યની પ્રદક્ષિણા કરી, પછી તેને પ્રણામ કર્યા. પછી એક નિમેષમાં જ તેના ઉપર પ્રત્યંચા ચઢાવી દીધી. પછી એક બાણ લીધું અને જોત જોતામાં લક્ષ્ય વિધાઇને ભૂમિ પર પડયું.
અને પૃથ્વી તથા અંતરીક્ષ જયનાદથી ગાજી ઊઠયાં. સૂતો માગ સો સો ભેરીઓના નિનાદે વચ્ચે વિજેતા વીરની બીરદાવલી ગાવા માંડયા.
પણ એ જમાનામાં સ્વયંવરે શાંતિથી ઉકલી જાય એવું ભાગ્યે જ બનતું. નિષ્ફળ નીવડેલાઓ સફળ ઉમેદવારના હાથમાંથી તેનું પારિતોષિક પડાવી લેવા માટે હંમેશા તૈયાર રહેતા. અને પછી જુના વેર વૈમનસ્ય જાગૃત થતાં, સ્વયંવરને મંડપ એકાએક સમરભૂમિમાં પલટાઈ જતો.
અનુભવી કુપદ સ્વયંવરનાં આ ભયસ્થાનેથી પૂરેપૂરો વાકેફ હતો. હકીકતમાં આ ભયસ્થાન સમજીને જ તેણે આ ખેપ ખેવો હતો. પાંડવોને, જ્યાં હોય ત્યાંથી પાંચાલની ભૂમિ ઉપર ખેંચી લાવવાની તેની આ તરકીબ હતી.
એટલે એક અજાણ્યા બ્રાહ્મણે લક્ષ્યવેધ કર્યો એ જોતાં વેંત જ લશ્કરની એક ટુકડી લઈને તે પિતાના થનાર જમાઈની કુમકે પહોંચી ગયો.
સંભવ છે કે અજાણ્યો બ્રાહ્મણ કેાઈ ભેદી પુરુષ છે એવી ગંધ પણ તેને આવી હોય.
આ પછી અર્જુનની મદદે દુપદ પહોંચી ગયો છે એવી ખાતરી થતાં ધર્મરાજ યુધિષ્ઠિર, સહદેવ અને નકુલને લઈને, એટલે કે ભીમને ત્યાં આગળ રાખીને, પોતાને ઉતારે ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
બીજી બાજુ કૃષ્ણ વરમાળા લઈને અર્જુન તરફ આગળ વધી અને પછી અર્જુન તેની સાથે રંગભૂમિ ઉપરથી બહાર જવા માંડયો.
આ બધું પાંપણના પલકારામાં બની ગયું. પણ અર્જુનને એમ હેમખેમ જવા દે તે તે વખતનું ક્ષત્રિય મંડળ શેનું! તેણે તે ત્યાં આગળ જબરી ધાંધલ ઊભી કરી દીધી. કેઈ દુપદને મારવા દોડયા, તે કોઇ દ્રૌપદીને જીવતી સળગાવવા પણ દોડયા!
પણ ભીમ અને અર્જુનને બ્રાહ્મણ માની બેઠેલ બ્રાહ્મણે આક્રમક રાજાઓ અને એ બે ભાઈઓની વચ્ચે આવીને ખડા થઈ ગયા.
આ બ્રાહ્મણોને માંડ માંડ ત્યાંથી આઘા ખસેડીને ભીમ અને અર્જુને ધાંધલાર રાજાઓની સામે લડાઈ આદરી.
આશ્ચર્યની વાત એ છે કે આ બધા ધાંધલિયાઓમાં મેખરે કર્ણ હતો.
કર્ણ અર્જુનને હજુ ઓળખ્યો ન હતો, પણ એની બાણુવર્ષા પાસે પરાજિત જેવા બનીને જે ઉદ્ગારો એણે આ વખતે કાઢયા તે નોંધપાત્ર છે. કર્ણ કહે છેઃ
“હે વિપ્રવર્ય, તું સાક્ષાત્ ધનુર્વેદ તો નથી ? કે પછી પરશુરામ છો ? કે પછી ઈન્દ્ર કે વિષ્ણુ છે ? કે પછી તું અર્જુન જ છે?”
આ બધા પ્રશ્નોના જવાબમાં અર્જુને “હું તે બ્રાહ્મણ જ છું.” એમ કહ્યું રાખ્યું ત્યારે “બ્રાહ્મતેજ અજેય છે!” એમ કહીને યુદ્ધમાંથી તે નિવૃત્ત થઈ ગયો. | દરમિયાન ભીમે શલ્યને પરાજય કર્યો હતો તે જોઈને, અને કર્ણને પાછો હટી ગયેલ જોઈને બધા જ રાજાઓ પાછા હટી ગયા.
૨૫. “વહેચીને ખાજે"
કર્ણ અને શલ્યને અને દ્રૌપદીને ઉઠાવી જવા માગતા અન્ય રાજાઓને પરાજય કરીને અર્જુન અને ભીમ ઉતારે આવ્યા. ઉતારો કયાં હતો એ તો આપણે જાણીએ છીએ. મહાભારતે જેને આ પ્રસંગે “ભાર્ગવશાળા” કહી છે એવી એક કુંભારની કેડમાં પાંડવ પુરોહિત ઘમ્ય અને માતા કુતી સાથે આવીને વસ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૫
અર્જુન અને ભીમ દ્રૌપદીને લઈને આવ્યા ત્યારે કુંભારના એ નિવાસસ્થાનનું બારણું બંધ હતું એટલે બહારથી જ તેમણે હંમેશના નિયમ પ્રમાણે બુમ પાડીઃ “અમે આવી ગયા છીએ, મા !”
બૂમ સાંભળીને કુતીને થયું કે રજની પેઠે આજે પણ મારા પુત્રો ગામમાંથી ભિક્ષા લઇ આવ્યા હશે. એટલે બારણું ઉઘાડતાં ઉઘાડતાં એ બેલીઃ
“લઈ આવ્યા હો તે બધા વહેચીને ખાજે, ભાઈ!” .
અને બારણું ઉઘાડતાં જેવી તેની દષ્ટિ દ્રૌપદી ઉપર પડી તેવી જ તે ઊંડા વિચારમાં પડી ગઈ.
અરસપરસ એાળખાણને વિધિ પતી ગયા પછી, અને લક્ષ્યવેધના સમારંભમાં બનેલ આખોય વૃત્તાંત નિવેદિત કર્યો પછી સૌને હવે એક જ પ્રશ્ન મૂંઝવવા લાગ્યો.
મા જે બેલી ગઈ છે – “બધા વહેચીને ખાજો!–તેનું શું કરવું?
વાત તે સાવ સાદી હતી, આપણા જમાનાની નજરે જોઈએ તો, આમાં સમસ્યા જ નહોતી. માએ તે અર્જુન-ભીમ ભિક્ષા લઇ આવ્યા છે એમ ધારેલું, અને “વહેચીને ખાજો!” એ શબ્દ એ ધારણામાં જ ઉચ્ચરાયેલા. માની એ સૂચના કે સ્ત્રીને અંગે નહોતી. હોઈ શકે જ નહિ.
પણ એ જમાને જુદો હતો. માણસે જુદા હતા. શબ્દો જુદા હતા. શબ્દોની કિંમત જુદી હતી. જીવનને જોવાની દૃષ્ટિ જ જુદી હતી.
માના માંથી મિથ્યા શબ્દો કદી નીકળતા જ નથી, ભૂલથી પણ એ એવું ન બોલે, જે નિરર્થક હેય – નકામું હોય!
જરૂર માના બોલવામાં કઈ ઈશ્વરી સંકેત હેવો જોઈએ ! કુન્તીએ યુધિષ્ઠિરની સલાહ લીધી. યુધિષ્ઠિર પોતાની સત્યનિષ્ઠા માટે આટલી નાની ઉંમરે પણ જાણીતા થઈ ગયા હતા. શું કરવું ?
યુધિષ્ઠિરે બધા ભાઈઓ સામે જોયું. અર્જુન સામે વારંવાર જોયું.
પછી અર્જુનને તેમણે કહ્યું “લક્ષ્ય તે વીંધ્યું છે. તું એનું પાણિગ્રહણ કર ”
અને જવાબ દીધેઃ “તમે મને અધર્મમાં ન નાખે, મોટાભાઈ. સૌથી પહેલા તમે છે. પછી આ ભીમ. પછી હું અને પછી આ નકુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૬
અને સહદેવ. અમે ચારેય અને હવે પાંચમી આ પાંચાલી તમારાં છીએ તેા હવે આ પાંચાલીનું શું કરવું તેના વિચાર તમારે જ નવેસરથી કરવા પડશે. મા જે ખેલી એ તેા તમે સાંભળ્યું જ છે. માનું વેણ સચવાય, પાંચાલી પાપમાં ન પડે, દ્રુપદને અધર્મ આચરણુ ન કરવું પડે, એવા કાઇ રસ્તા તમે શોધી કાઢો. ’
અર્જુન ખેલતા હતા ત્યારે યુધિષ્ઠિરની નજર ત્રણેય ભાઈ એ ઉપર વારાફરતી કર્યા કરતી હતી.
પાંચાલીના અપ્રતિમ રૂપે એ ત્રણેય ઉપર પારાવાર કામણુ કરવા માંડયું છે તે એ સમજી ગયા.
પહેલાં મહર્ષિ વ્યાસે પણ તેમને એક વાર ચેતવ્યા હતા, સુન્દ અને ઉપસુન્દની વાત કહીને-તે પણ તેને યાદ આવ્યું. આવી રત્ન સમી નારી, ને સૌની સહિયારી હશે, તેા પ્રેરણાદાયક બની રહેશે, અને જો એ કા એકની જ સ્વામિની બનશે, તેા પરસ્પરના નાશનું કારણ બનશે, એટલું સમજતાં તેમને વાર ન લાગી અને તરત જ માના વેણુને અનુસરીને તેમણે ફેસલા આપ્યા
દ્રૌપદી આપણા પાંચેયની ધ`પત્ની બનશે.
66
32
મહાભારતમાં આ એક ગૂઢતમ ક્રાયડેા છે, ખુદ વ્યાસજીને પણ આ વાત પેાતાના શ્રાતાએને ગળે ઊતારવા માટે ખૂબ મહેનત લેવી પડે છે. દ્રૌપદીએ પૂર્વજન્મમાં તપ કરીને વરદાનમાં આદર્શી પતિ માગ્યા હતા. ફરી વાર માગવાનું કહેવામાં આવતાં પણ તેણે એ જ માગણી રજૂ કરી હતી, અને એમ એક ને એક વાત પાંચ વખત કહ્યાથી દેવાધિદેવે તેને “ તે પાંચ વાર વર માગ્યા, માટે જા, તને પાંચ વર મળશે ! એવું વરદાન આપ્યું હતું. પણ દ્રુપદ આટલી વાતથી સમજે એમ ન હતા. એટલે વ્યાસજીએ એને એક ખીજી વાત કહીઃ પાંચ ઇન્દ્રોની અને લક્ષ્મીની-શ્રીની. પાંચેય ઈન્દ્રો એક જ લક્ષ્મીના સ્વામી હતા. એ પાંચ ઈન્દ્રો તે આ પાંચ પાંડવે અને તે લક્ષ્મી તે આ દ્રૌપદી !
અને આવું કેમ બનવા પામ્યું. તે દ્રુપદને તેમણે ‘ દિવ્યદૃષ્ટિ ’ આપીને ત્યાં ને ત્યાં જ, એને એક બામ્બુ એક ખીજા એરડામાં લઇ જને બતાવ્યુ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૭
યુધિષ્ઠિરે તે વળી એમ પણ કહ્યું છે કે અમે પાંચે ય ભાઈઓ આ એક સ્ત્રીને પરણ્યા છીએ તે કાંઈ નવું નથી કર્યું. પૂર્વની રીતને જ અમે અનુસર્યા છીએ.
ગમે તેમ પણ આ પ્રસંગ એ મહાભારતને એક દુર્ઘટ કોયડો છે જ, મહાભારતને રૂપક માની લઈએ અને પાંચાલીને રાજ્યલક્ષ્મીનું પ્રતીક માની લઈએ તો એ રાજ્યલક્ષ્મી કેાઈ એકની માલિકીની નહિ, પણ “પંચ”ની, પ્રજાની માલિકીની હેવી જોઈએ એવો અર્થ એમાંથી નીકળે ખરે, પણ આપણે હવે આગળ ચાલીએ.
દ્રૌપદી પાંચેયને પરણશે, એ યુધિષ્ઠિરે નિર્ણય જાહેર કર્યો અને તે પછી રાત્રિનું ભજન પતી ગયું ત્યારબાદ શ્રીકૃષ્ણ અને બળભદ્ર પાંડવોને ઉતારે આવ્યા, અલબત્ત છૂપી રીતે.
લગ્ન વિધિપૂર્વક પતી જાય, ત્યાં સુધી પાંડવોને ભેદ કાઈ ન જાણે એવી તેમની ઈચ્છા હતી; કારણ કે દુર્યોધન, કર્ણ અને તેમના મળતિયાઓ હજુ પાંચાલમાં જ હતા. અને લક્ષ્યવેધમાં નિષ્ફળ થતાં માનભંગ થયા હતા, અને દ્રૌપદી અજાણ્યાને હાથ જતાં ઉશ્કેરાયા પણ ઠીક ઠીક હતા.
“પણ અમે પાંડવો છીએ એવી એમને શી રીતે ખબર પડી, મધુસૂદન ?” યુધિષ્ઠિરે ઉચિત સત્કારવિધિ આટોપીને પૂછયું.
“અગ્નિ જ્યાં સુધી ઢાંકો રહે?” શ્રીકૃષ્ણ જવાબ આપ્યો અને પછી ચેતતા રહેવાની સલાહ આપીને, લોકેનું ધ્યાન આ કુમ્ભકારની શાળા તરફ ન આકર્ષાય એટલા ખાતર, જેટલી ચૂપકીદીથી આવ્યા હતા, તેટલી જ ચૂપકીદીથી ચાલ્યા ગયા.
કૃષ્ણ અને બલભદ્ર ગયા પછી કુપદને પુત્ર ધૃષ્ટદ્યુમ્ન ત્યાં આવ્યું. છૂપાઈને તેણે પાંડવોની ગૌરવભરી રીતભાત જોઈ અને શસ્ત્રાસ્ત્રો અને યુદ્ધ વિષેની વાતચીત પણ સાંભળી. પિતાની બહેન છેડીક જ વારમાં આ લેકની સાથે હળીમળી ગઈ છે, એ પણ તેણે જોયું.
અને ગમે તેમ, પણ આ લોકે દેખાય છે તે નથી, કેક ભેદ છે, એમની પાછળ, એવો નિર્ણય કરીને તે પોતાના પિતા પાસે જવા રવાના થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૬. દ્રુપદનું આમંત્રણ
ધૃષ્ટદ્યુમ્ન કુંભારની કેડમાં-ભાર્ગવશાળામાં જે દ્રશ્ય નિહાળ્યું તે સમગ્ર રૂપે પોતાના પિતા પદ પાસે વર્ણવી બતાવ્યું. વાતચીત, હાવભાવ, વર્તન આદિ પરથી આ લેકો ક્ષત્રિય સિવાય બીજી કોઈ જ જાતિના હોઈ શકે જ નહિ અને ક્ષત્રિયોમાં પણ તે શ્રેષ્ઠ જ હોવા જોઈએ એવું પુત્રનું અનુમાન હતું.
દુપદે પછી પોતાના પુરોહિતને કુંભારની શાળામાં મોકલ્ય, પાંડવોને રાજમહેલમાં પધારીને કન્યાનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરવાનું આમંત્રણ આપવા માટે અને સાથે સાથે તેમની વધુ ચકાસણી કરવા માટે.
પુરોહિતે આવીને યુધિષ્ઠિરને દુપદનો સંદેશો પહોંચાડો અને પછી કહ્યું કે સ્વાભાવિક રીતે જ દુપદને તમારા વિષે કુતૂહલ છે, તો તમે ખરેખર કેણુ છે, તે અમને જણાવો. પુરોહિતે સાથે સાથે એમ ઉમેર્યું કે પાંડુરાજા કુપદને ખાસ મિત્ર હતા, દ્રૌપદી પાંડુના જ કુટુંબમાં આપવાની દુપદને અંદરખાનેથી ઇચ્છા હતી, અને એક રીતે જોઈએ તો, આ આખો લક્ષ્યવેધ સમારંભ પણ તેણે એટલા માટે જ એ હતો, એટલે આપ ખરેખર પાંડવો જ છો એમ જે એ જાણશે તે એને પારાવાર આનંદ થશે.
યુધિષ્ઠિરે આને બહુ જ સુયોગ્ય અને સ્મરણીય જવાબ આપ્યો છે. જવાબ અર્ધો ગંભીર અને અર્ધી રમૂજભર્યો લાગે છે, પણ આર્ય સંસ્કૃતિનું ખડતલપણું અને એની વ્યાપકતા એમાં ભારોભાર વરતાઈ આવે છે. યુધિષ્ઠિર કહે છે કે “હે બ્રાહ્મણ તારા રાજાના મનની આ વિમાસણ હવે નકામી છે. તેણે તે અમુક શરતોએ પોતાની દીકરીને પરણાવવાનું જાહેર કર્યું હતું. એ શરતો આ મારી પાસે બેઠેલા મારા બહાદુર ભાઈએ પૂરી કરી, એટલે કન્યા તે હવે અમારી થઈ જ ચૂકી. પછી ભલે અમે ગમે તે વર્ણના હેઈએ !
प्रदिष्ट शुल्का द्रुपदेन राजा सा तेन वीरेण तथानुवृत्ता । न तत्र वणे षु कृता विवक्षा न चापि शीले न कुले न गोत्र।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
વણે, કુલ, ગોત્રો-એ બધાં, આજની પેઠે ત્યારે પણ હતાં, અને એ બધાંને માટે અભિમાન પણ નહોતું એમ નહોતું અને છતાં, લગ્ન માટેની પસંદગીમાં આમાંનું કશું જ કદી અંતરાયરૂપ થતું ન હતું. ટૂંકામાં દીવાલ હતી, પણ આજના જેવી જડ, બારીબારણા વગરની નહિ, એક ખંડમાંથી બીજામાં લેકે સહેલાઈથી આવ-જા કરી શકતા અને પરિણામે, વણે જન્મ ઉપર આધારિત હોવા છતાં, તત્ત્વતઃ ગુણલક્ષી જ બની રહેતા.
“અને છતાં, ” દુપદને પુરોહિતને યુધિષ્ઠિર કહે છે, “તમારા રાજાની જે કામના છે, તે પણ પાર પડશે જ. આવી અલૌકિક નૃપકન્યા, જેવા તેવાના ઘરમાં તો એછી જ શોભે ! અને વળી પેલું ધનુષ્ય ચઢાવવું અને દુર્ઘટ લવ વીંધવું એને માટે તે જન્મજાત સંસ્કારો જ જોઈએ ! ”
લાગે છે કે પાંડ બધી ય વાત પાકી કરીને પછી જ પ્રગટ થવા માગતા હતા. દુપદની મૈત્રી વિષે સંપૂર્ણ નિશ્ચિત બન્યા પછી જ બહાર પડવાની તેમની ઈચ્છા હશે.
પુરોહિત દુપદ પાસે જઈને પાંડવો સાથે પિતાને થયેલ વાતચીત વર્ણવી બતાવી. ત્યારે આ લકે ખરેખર પાંડવો જ છે એવી દ્રપદના મનની છાપ વધુ પાકી થઈ. તેણે હવે પાંડને રાજમહેલમાં લાવવા માટે રથાદિ કલ્યા, અને તેમના સત્કાર અને સામૈયા માટે ખૂબ કિંમતી દ્રવ્યો પાઠવ્યાં એટલે પછી પાંચેય પાંડવો અને કુન્તી સાથે દ્રૌપદી એમ સાતેય જણ જુદા જુદા રથમાં બેસીને રાજમહેલમાં આવ્યાં. કુન્તી દ્રૌપદીની સાથે દુપદને અંતઃ પુરમાં ગઈ. અંતઃપુરની સ્ત્રીઓએ તેને ખૂબ ઉમળકા અને ઉમંગથી સત્કાર કર્યો. ધૃતરાષ્ટ્રના લાક્ષાગૃહમાં બળી મૂઆ. એવી જેમના માટે લેકવાયકા પ્રચલિત છે તે આ પાંચ પાંડવો અને છઠ્ઠી કુન્તી એમ હવે લગભગ સૌના મનમાં નક્કી થઈ ગયું હતું, ફક્ત મોંએથી ચેખ પાડો જ બાકી હતે.
ર૭. જે મારું મન માન્યું માનવું કે અધર્મ ના!
રાજમહેલમાં પ્રાથમિક સત્કારવિધિ પૂરો થતાં દુપદે યુધિષ્ઠરને ફરી એ ને એ જ સવાલ પૂછયે. “તમે સાચું કહેઃ તમે કેણ છે ? રાજાઓને તો સત્ય જ શોભે! “સત્યમ્ રાગડું શોમ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
યુધિષ્ઠિરે હવે તેને વધુ ન ટટળાવતાં સીધો જ પ્રત્યુત્તર આપ્યો:
“નિરાશ ન થાઓ, રાજન ! તમારી અભિલાષા સિદ્ધ થઈ છે. અમે તમારા પરમ મિત્ર પાંડુના જ પુત્ર છીએ, અને પદ્મિની જેથી તમારી આ પુત્રી ફકત એક સરોવરમાંથી બીજા સરોવરમાં જ ગઈ છે એમ જ માનજો. (Tઘનીવ સુતાં તે હૃાન્ચ દુરં તા) આ હું તમને સાચું જ કહું છું, મહારાજ. આજથી તમે અમારા વડીલ અને આધાર.”
દુપદ તો એવો પ્રસન્ન થઈ ગયો કે એની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી. થોડીક ક્ષણ સુધી તે એ બોલી જ ન શકય. પણ પછી થનપૂર્વક એ હર્ષ ઉપર અંકુશ મૂકીને, યુધિષ્ઠિરને, માતા અને ભાઈઓ સાથે તે વારણાવત ગયો તે પછી શું શું બન્યું એ વિસ્તારપૂર્વક કહી બતાવવાની તેણે વિનંતી કરી, અને હકીકતની પૂરેપૂરી જાણ થતાં ધૃતરાષ્ટ્રની વર્તણુંકને સખત રીતે વાડી કાઢી પાંડવોને તેમનું ગયેલું રાજ્ય દુર્યોધન આદિ પાસેથી પાછું મેળવી આપવાની પ્રતિજ્ઞા કરી.
અને હવે વિધિપૂર્વક પાણિગ્રહણને સવાલ ઉપસ્થિત થયો.
લાગે છે કે જે વ્યકિત લક્ષ્યવેધ કરે, તે જ વ્યકિત દ્રૌપદીને પરણે એવો સંકેત દુપદના મનમાં સંપૂર્ણતઃ સ્પષ્ટ નહિ હોય, કારણ કે “ચાલો હવે અર્જુન સાથે દ્રૌપદીને પરણાવવાની તૈયારી કરીએ !' એવા એના સૂચનના પ્રત્યાઘાત રૂપે યુધિષ્ઠિર જ્યારે એને એમ કહે છે કે મારે પણ પરણવું પડશે!” ત્યારે એ ચોંકી ઉઠતો નથી! એ તો કહે છે કે કૌપદીને અર્જુનને બદલે તમે પરણવા માગતા હૈ, તો તમે પરણો, અથવા તમારા ભાઈઓમાંથી તમે જેને કહો તેની સાથે એને પરણાવીએ!
એટલે કે લક્ષ્યવેધ કરનાર જાતે દ્રૌપદીને પરણે, અથવા તે કહે તે પરણે, એવી ગોઠવણ તેના મનમાં હોય; પણ તેને આંચકે તો ત્યારે જ આવે છે, જયારે યુધિષ્ઠિર આ ધડાકે કરે છે?
सर्वेषां द्रौपदी राजन् महिषी नो भविष्यति। દ્રૌપદી અમ સર્વેની મહારાણી થશે, નૃપ !” કુપદને પહેલો પ્રત્યાઘાત તે ઘણો જ દુઃખદ થાય છે. આવું ધર્મવિરુદ્ધ આચરણ થાય જ કેમ? “એક રાજાની ૨૫નેક રાણીઓ હોય એ શાસ્ત્રસંમત છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧ ૦૧
“એક સ્ત્રીને કદી હેય નૃપતિ, પતિઓ ઘણા.”
પણ યુધિષ્ઠિર મકકમ રહે છેઃ હશે એવું શાસ્ત્ર, પણ અમારો સમય, અમારી ગોઠવણ જુદી જ છે. અને અમે પાંચે ભાઈઓ રસ્થ સમોનનમાં માનનાર છીએ અને તમારી પુત્રી એક રત્ન છે, વળી અમારાં આ માતા, એમની પણ એ જ ઇરછા છે. બાકી “ધ” અને “અધર્મ વચ્ચેને સૂક્ષ્મ વિવેક, એની ગતિ સંપૂર્ણતઃ તે કયો માનવી સમજી શકે છે! અમે તે પૂર્વના નિયમને અનુસરીએ છીએ અને વળી એક વાત બરાબર સમજું છું કે,
नमे वाग अनृत प्राह नाधमे धीयते मतिः। वर्तते हि मनोमेऽत्र नैषोऽधर्म: कथचन ॥ “ન મારી અમૃત વાણી ન અમે મતિ મમ:
જે મારું મન માન્યું તે, માનવું કે અધર્મ ના.” કવિ કાલિદાસે અભિજ્ઞાન-શાકુન્તલમાં
सतां हि संदेहपदेषु वस्तुषु
प्रमाणमंत:करण प्रवृत्तयः । એટલે કે “જ્યાં જ્યાં સંદેહ ઉત્પન્ન થાય, આ કરવું કે તે કરવું એવી વિમાસણ ઊભી થાય, ત્યાં સજજનેને માટે તેમનું પિતાનું અંતઃકરણ એ જ સૌથી વધારે પ્રમાણભૂત છે,” એમ કહ્યું છે એ વચનનું અને એવાં બધાં જ વચનેનું મૂળ પ્રેરણાસ્થાન આ મહાભારતવચન જ લાગે છે,
મારું મન માન્યું તો, માનવું કે અધર્મ ના! અને આખરે આપણે જોઇ ગયા છીએ તેવી રીતે વ્યાસે આપેલ દિવ્યદૃષ્ટિથી ભૂતકાળને પ્રત્યક્ષ જોયા પછી દુપદ તૈયાર થાય છે અને દ્રૌપદી પાંચે પાંડવોની પટ્ટરાણું બને છે.
૨૮. વનવાસનો અંત ને હસ્તિનાપુરમાં પ્રવેશ
વારણાવતથી પાંચાલ-લાક્ષાગૃહથી લક્ષ્યવેધ – એ પાંડવોના શિક્ષણની એક અત્યંત મહત્ત્વની ભૂમિકા. આ શિક્ષણને અંતે પાંડવો સાચા સ્નાતક બન્યા. તે પહેલાં તેઓ કિશોર હતા, કુમારે હતા, નવયુવક હતા. હવે તેઓ કેવળ ઉંમરની જ દષ્ટિએ નહિ, અનુભવ અને વિચારની દૃષ્ટિએ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રૌઢ બન્યા. હસ્તિનાપુરથી વારણાવત તરફ તેઓ જ્યારે જતા હતા, ત્યારે તેઓ નેત્રહીન, મિત્રહીન, પક્ષહીન, એકલા અટૂલા, નિરાધાર હતા. હવે તેઓ સપક્ષ બન્યા. તેમનાં નેત્રામાં નવી દષ્ટિ આવી. નવા મિત્રો તેમને સાંપડયા. અત્યાર સુધી તેમના પૌરુષ અને પરાક્રમની ક્રિીડાભૂમિ તેમના પિતાના વતનમાં જ હતી, અને તેમની પ્રસિદ્ધિ પણ તેમના પિતાના વલમાં જ હતી. હવે તેમના શૌર્ય અને વીર્યને નવી ક્રિીડાભૂમિ સાંપડી અને તેમને કે દશે દિશાઓમાં વાગવા માંડયો. તદ્ધ અણધારી પરિસ્થિતિઓને સામને કરવાનું સામર્થ્ય હવે તેમનામાં આવ્યું હતું. એ સામર્થની સાથે ક્ષમાવૃત્તિ પણ એટલા જ વેગથી આવતી જતી હતી. ઉદારતા, પરગજુપણું, સહિષ્ણુતા, પરદુઃખભંજનવૃત્તિ, શૌર્ય, સાહસિકતા આદિ ગુણોને લઈને લોકપ્રિય તો તેઓ પહેલેથી જ હતા; પણ વારણાવતથી પાંચાલ સુધીના અનુભવોએ તેમની એ લોકપ્રિયતામાં ખૂબ ઉમેરો કર્યો. રાજ્યલોભી ધૃતરાષ્ટ્ર અને તેના દ્વેષીલા પુત્ર તથા સંબંધીઓ અને સાથીઓ સે તેમના અકારણ દુશ્મન છે એ હકીક્ત જેમ જેમ વધુ પ્રસિદ્ધિમાં આવતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યેની સહાનુભૂતિ પણ વધતી ગઈ અને આવા જબરા દુશ્મને માથે ગાજતા હોવા છતાં, તેઓ પોતાના પરાક્રમને પ્રતાપે ઉત્કર્ષ પામતા જ રહ્યા છે એ હકીકત વળી એ સહાનુભૂતિમાં આદર અને અહંભાવ પણ ઉમેરતી ગઈ.
પણ જગતને મન પાંડવો જેમ આદરપાત્ર બન્યા હતા, તેમ દુર્યોધનાદિને મન, તેઓ તેટલા જ પ્રમાણમાં વધુ ઈર્ષ્યાપાત્ર, વધુ ભયાનક અને વધુ ધૃણાસ્પદ બન્યા હતા તેમનું કાસળ કાઢી નાખવાની વૃત્તિ હવે તેમનામાં વધુ પ્રબળ બની હતી.
એટલે સ્વયંવરમાં લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને મેળવનાર બીજ કાઈ નહિ પણ પાંડવો જ છે એ વાતની ખાતરી થતાં વેંત તેમનાં ષડયંત્રો ચાલુ થઈ ગયાં.
હવે પાંડવે પિતાનું રાજય પાછું માગશે એ વાતમાં લેશ પણ શંકા નથી. પહેલાં તો તેઓ એકલા હતા, હવે પદનું તેમને પીઠબળ છે, અને જે દ્વારકાને કૃષ્ણ તો પહેલેથી જ તેમના પક્ષમાં છે એટલે હવે તેમની માગણીને નકારી પણ નહિ શકાય. માટે હવે આપણે ફેરવી તોળવું! લાક્ષાગૃહની વાતને જ સળગી ભૂલી જવી ! જાણે છે જ કોણ! પાંડ સાથે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૩
વળી કયા દહાડે દ્વેષ હતો ? અને શું કરવા હોય? આપણે હવે સામે ચાલીને જ પાંડવોને હસ્તિનાપુરમાં આવીને પોતાના બાપની ગાદી સંભાળી લેવાનું આમંત્રણ આપવું! એક પક્ષ આ હતો.
ત્યારે સામે પક્ષે દુર્યોધન, કર્ણ વગેરે એમ માનતા હતા કે પાંડવોને નાશ જે આપણે આજે નહિ કરી શકીએ તો પછી ભવિષ્યમાં કદી પણ કરી શકવાના નથી. માટે ઉગતા શત્રુને તે વધુ બળવાન થાય તે પહેલાં જ દાખી દેવો. પાંડ હજુ પાંચાલમાં જ છે, ત્યાં જ તેમના ઉપર ઓચિંતું આક્રમણ કરવું, તેમને ખતમ કરવા. અને દુપદ વચ્ચે પડે તો – અને કુપદ વચ્ચે પડશે જ !-તેને પણ ખતમ કરો. ત્રીય સ્વાહા, તક્ષય દ્વારા !
અહીં એક વાત યાદ રાખવી ઘટે છે કે પાંડવોનું અસ્તિત્વ બેમાંથી એકકેય પક્ષને રુચતું નથી. તેમને નાશ તો બને ય પક્ષે ઈચછે છે. ફરક માત્ર એટલો જ છે કે એક પક્ષ જ્યારે કોઈ અનુકૂળ ઘડીની વાટ જોવા માગે છે, ત્યારે બીજો પક્ષ એમ માને છે કે આજના જેવી રળિયામણી ઘડી બીજી કદી ઊગવાની જ નથી.
આખરે આ બે પક્ષોમાંથી પાંડવોને હસ્તિનાપુર બોલાવી, તેમને સિંહાસનનો અર્ધો ભાગ સોંપી દે એમ માનનારાને પક્ષ જીતે છે. આમ કરવું એ જ વ્યાજબી છે, ધર્યું અને ન્યાય છે, એટલા માટે નહિ, પણ આક્રમણ કરીને તેમને ખતમ કરવાનું કામ મુશ્કેલ લાગે છે માટે !
અને ધૃતરાષ્ટ્ર પાંચાલમાં પિતાને રાજદૂત પાઠવે છે. નવવધૂ દ્રૌપદી માટે, અનેક વસ્ત્રાભૂષણે અને રથાદિ ભેટો સાથે.
સાથે સાથે પાંડે, કુન્તી અને દ્રૌપદીના દર્શન માટે હસ્તિનાપુરની પ્રજા અત્યંત ઉસુક છે એવો સંદેશો પણ તે મોકલે છે.
અને માતા કુન્તી અને દ્રૌપદીને લઈને પાંડવો વાજતે ગાજતે ફરીથી હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે.
ર૯ ખધે પિતા અને શઠ–શિરોમણિ પુત્ર
માતા કુન્તી અને પાંડે દ્રૌપદી સાથે હસ્તિનાપુરમાં આવ્યાં અને બલરામ તથા શ્રીકૃષ્ણ દ્વારકા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
લક્ષ્યવેધને નિમિત્તે આખાયે ભારતવર્ષમાંથી પાંચાલમાં એકત્ર થએલ રાજવીઓ અને ઋષિઓ, ભૂમિપતિઓ અને ભૂદેવો, સૈ પોતપોતાને સ્થાને પાછાં ફર્યા. સાથે લક્ષ્યવેધને રોમાંચક ઇતિહાસ પોતપોતાનાં સ્થળોએ તેઓ લેતા ગયા.
અર્જુનની અપ્રતિમ વીરતાની, પાંડવોના પ્રતાપી અકયની અને શ્રીકૃષ્ણપ્રેમની અને દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રો અને કર્ણ, શકુનિ આદિ તેમના સાથીઓની દુષ્ટતાની વાત પણ આમ ભારતમાં ઘેર ઘેર ગવાતી થઈ
વ્યાપક પ્રચારમાં જે જમાનામાં આજના જેવાં કેઈ સાધને ન હતાં, ત્યાં આવા સ્વયંવર અને તીર્થ સ્થળોએ ભરાતા મેળાઓ અને યુદ્ધો પ્રચારનાં જબરાં સાધન બની રહેતાં.
અને સમયની તાસીર જ એવી હતી કે એક વખતે પ્રચાર શરૂ થયો, તેને પછી રોકો જ મુશ્કેલ, બધે તેની ગતિ અને તેની માત્રા વધતી જાય.
એટલે અર્જુનને પરાક્રમની, શ્રીકૃષ્ણના અર્જુનપ્રેમની, ભીમના બળની. યુધિષ્ઠિરની ધર્મપ્રિયતાની, સહદેવ અને નકુલની આજ્ઞાધારકતાની અને સ્વસ્વનું બલિદાન આપવું પડે તો તે આપીને પણ પાંડવોને તેમની ગાદી પાછી આપવાની કુપદની પ્રતિજ્ઞાની વાત આખાયે ભારતમાં વધતા જતા વેગથી અને વધતી જતી ભાવુકતાથી પ્રસરવા માંડી હતી.
આ બધું ન સમજે તે બધો દુર્યોધન ન હતું. અને તેના એ સમજણરૂપી અગ્નિમાં ઘી ન હમે એવા કર્ણ અને શલ્ય પણ નહતા.
અને તેમાંયે આ લોધ પછી તે કર્ણ અને શકુનિ પાંડવોના ઉલટાના વધુ ઉગ્ર શત્રુઓ બન્યા હતા.
આવી સ્થિતિમાં હસ્તિનાપુરના રાજ્યપ્રાસાદનું વાતાવરણ કેટલું ગરમ હશે તેની કલ્પના સહેજ જ કરી શકાય છે. જેમને સર્વનાશ કરવાના પ્રયત્નમાં પિતે નિષ્ફળ બન્યા છે એવા શત્રુઓને પોતાની જ આંખોની સામે પહેલાંના કરતાં પણ વધુ બળવાન બનીને વિકસતા જોવા એ દુર્યોધન જેવા ઇર્ષાળુ માણસ માટે કેવી કારમી કરુણતા હશે !
એણે શા શા પ્રયત્ન નહિ કર્યા હોય – પાંડવોને છૂપી રીતે મરાવી નાખવાના ! પણ એવા પ્રયત્નો જે પહેલાં પણ સફળ નહોતા થઈ શકયા, તો હવે એમને સફળતા વરે એ સંભવ બહુ જ ઓછો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૫
આખરે બધી જ બાજુઓથી પોતાના હાથ હેઠા પડયા છે એવું સમજાતાં એક દિવસ તેણે પોતાના અંધ પિતાને એકાન્તમાં સાળ્યાઃ
“આ તો હવે નથી સહેવાતું, બાપુ !” અત્યંત દુઃખભર્યા સ્વરે પિતાના કાનમાં એણે કહ્યું.
પ્રભુને ગમે તે સમે સર્વ સહેવું !” ખંધા ધૃતરાષ્ટ્ર પોતાના આંધળા ચહેરા પર દાંભિક સ્વસ્થતા પાથરીને જવાબ આપ્યો. દીકરાની દુષ્ટતાની અંધ કસોટી કરવા માગતો હતો.
પ્રભુને તો હું આપઘાત કરું એ જ ગમે છે!” દુર્યોધને એ જ ખંધાઈથી અને દાંભિક ગંભીરતાથી જવાબ આપ્યો. દંભ અને શઠતામાં પુત્ર પિતા કરતાં સવાયો હતો. આપઘાત એવો શબ્દ સાંભળીને ધૃતરાષ્ટ્ર ચાંકી ઊઠયો.
પુત્ર-વત્સલતા એની સૌથી મોટી નિર્બળતા હતી. દુર્યોધન એ બરાબર જાણતો હતો. “પણ ત્યારે કરવું શું?” દુર્યોધને કડવાશથી કહ્યું. વાટ જેવી,” અંધે સલાહ આપી. “ધીરજનાં ફળ મીઠાં !”
મીઠા ખરાં,” દુર્યોધને ટકોર કરી, “પણ તે પાંડવોને માટે! આપણું માટે તો એ હવે નાશમાં જ પરિણમવાનાં છે.”
પુત્રના શબ્દમાં રહેલો કંપમય આવેશ પિતાની શ્રવણેન્દ્રિયે બરાબર પારખી લીધે. પુત્રની વાત સાવ સાચી છે એવી તેની ખાતરી થઈ
તને કે ઉપાય સૂઝે છે?” હળવેક રહીને તેણે પુત્રને પૂછયું.
ધૃતરાષ્ટ્રની આ ખૂબી છે. તે કઈ વખતે પણ પહેલ નથી કરતો. કર્યું પગલું લેવું તેને વિચાર સુદ્ધાં પિતાને નથી એવો દેખાવ કરે છે. પોતાના દુષ્ટહદયની વાત તે હંમેશા પોતાના દુષ્ટતા પુત્રની જીભે જ સાંભળવા માગે છે!
દુર્યોધન પિતાની આ ખંધી કુશળતાથી પૂરેપૂરે પરિચિત હતા.
“ઉપાય સૂઝયો છે,” મૂછમાં હસીને તેણે પિતાના કાનમાં કહ્યું માટે તો હું આપની પાસે આવ્યો છું.”
ધૃતરાષ્ટ્ર મૂંગો રહ્યો. એ મૌનમાં પુરો પોતાની યોજના સવિસ્તર સાંભળવાની પિતાની અભિલાષા વાંચી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
દુર્યોધને ધૃતરાષ્ટ્રને પિતાની યોજના સમજાવી.
હસ્તિનાપુરના રાજમહેલમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્ર બંને માટે જગ્યા નહોતી. ખુદ હસ્તિાપુર એક પાટનગર લેખે પણ, બંને માટે પૂરતું ન ગણાય, એક મ્યાનમાં બે તલવાર ન હોય, તેમ એક રાજ્યમાં બે રાજસત્તાઓ ન સંભવે. અને સંભવે તો તે રાજ્યના વિનાશમાં જ પરિણમે. પાંડે હસ્તિનાપુરમાં ઠરીઠામ થશે, તે સિંહાસનના સિદ્ધાંતિક રીતે તે તેઓ સ્વામી છે જ; અને વ્યવહારમાં પણ ધણીરણી થઈ પડશે; દુર્યોધન અને તેના ભાઇઓ અને તેના સાથીઓને શકેવું લેવાને જ પ્રસંગ આવશે.
તો?” દુર્યોધનને મુખેથી ભાવિનું આવું કરણ ચિત્રણ સાંભળીને ધૃતરાષ્ટ્ર એકાક્ષરી સવાલ પૂછ્યું.
| સર્વનાશે સમુ ગઈ ત્યગતિ વંતિઃ | ( જતું હોય બધું ત્યાં તો ડાહાએ અર્ધ છોડવું ) દુર્યોધને સૂત્ર ઉચ્ચાર્યું.
“એટલે ?” કંઈ જ ન સમજતો હોય એવો દેખાવ રાખીને ધૃતરાષ્ટ્ર ખુલાસે માગ્યો.
હસ્તિનાપુરથી થોડે દૂર ઇન્દ્રપ્રસ્થ નામનું ગામ છે. પાંડવોને તમે કાઈ પણ રીતે સમજાવી ફોસલાવીને એ ગામમાં રવાના કરે. હસ્તિનાપુર મારી રાજધાની અને ઇન્દ્રપ્રસ્થ પાંડની રાજધાની. પિતાના રાજ્યના બે ભાગ આપણે પાડી દઈએ.”
ભાગ પાડવાની આ પણ એક અજબ રીત છે; મૂળ ધણીને પૂછવાનું જ નહિ. કેઈ ત્રીજા તટસ્થને પણ વચ્ચે રાખવાનો નહિ !
“પણ આવા ભાગલા યુધિષ્ઠિર કબૂલ કરશે ?” “તમે તમારી ચાતુરી વાપરશે તે જરૂર કરશે. એ ભોળો અને શાંતિપ્રિય છે. એની પાસેથી કામ કેવી રીતે લેવું એ તમને બરાબર આવડે છે.”
પણ ભીમ વગેરે ?” ભાઈઓ યુધિષ્ઠિરના વેણને ભગવાનનું વેણ સમજે છે.” “પણ એમને સસરે દ્રુપદ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પાંચાલમાં છે. એની સલાહ લેવાને સમય જ યુધિષ્ઠિરને આપવાનો નથી....... પછી ભલે થતો ઊંચાનીચો !”
પણ કૃષ્ણ ?”
“એ તે વળી દુપદથી એ દૂર છે! – પણ સાચું પૂછતા હે, તે પિતાજી, મને સૌથી વધુ બીક કૃષ્ણની છે. દ્વારકા અને હસ્તિનાપુર વચ્ચે એ સતત આંટાફેરા કરતો હોય છે, અને માટે જ મારી તમને વિનંતી છે કે શ્રીકૃષ્ણ અહીં ગમે ત્યારે ટપકી પડે તે પહેલાં જ પાંડવોને ઈન્દ્રપ્રસ્થ ભેગા કરી દો!”
પાંડવોને એક વાર ફરીથી હસ્તિનાપુર છોડવું પડ્યું. અને ઇન્દ્રપ્રસ્થની પાંડવોની રાજધાની તરીકે નવેસરથી સ્થાપના થઈ.
૩૦ પાંચ ભાઈઓ વચ્ચે દ્રૌપદીની
વ્યવસ્થા કેવી રીતે થઈ ?
ઇન્દ્રપ્રસ્થ પાંડાએ વસાવ્યું, તેમાં પણ માર્ગદર્શન ને સક્રિય સહાયતા બંને શ્રી કૃષ્ણનાં હતાં. દુર્યોધને પોતાના અંધ પિતાને સાચું જ કહ્યું હતું કે દ્વારકા અને હસ્તિનાપુર વચ્ચે વારંવાર આંટાફેરા કરતા શ્રીકૃષ્ણ તેને માટે એક જબરજસ્ત ભયરૂપ હતા.
પાંડવો પ્રત્યેને શ્રીકૃષ્ણને પ્રેમ તેમના ધર્મપ્રેમને પરિણામે હતા. પાંડવો ધર્મને કદી છોડતા નથી અને અનેક પ્રતિકુળતાઓ વચ્ચે પણ ધર્મના પક્ષને જ તેઓ હંમેશા વળગી રહેવાના એવી શ્રીકૃષ્ણને શ્રદ્ધા બંધાઈ ગઈ હતી.
શ્રીકૃષ્ણ માત્ર ધર્મપ્રિય જ ન હતા. વ્યવહારદક્ષ પણ તેઓ એવા જ હતા. રસિકતા અને ઉદ્યોગશીલતા, આદર્શ પ્રેમ અને વ્યવહાર-ચતુરતા, શૌર્ય અને દક્ષતા, રાજનીતિનિપુણતા અને ધર્મપ્રીતિઃ પરસ્પર-વિરોધી ગણાતા અનેક ગુણે શ્રીકૃષ્ણમાં હતા.
એટલે ઇન્દ્રપ્રસ્થની બાંધણીમાં અને એને વસાવવામાં શ્રીકૃષ્ણનું માર્ગદર્શન પાંડવોને ખૂબ જ ઉપયોગી થઈ પડયું હશે એમાં કોઈ શંકા જ નથી.
આ ઈન્દ્રપ્રસ્થ, મહાભારત કહે છે કે “સાગર જેવી ખાઇએથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦:
અલંકૃત હતું. ગગનચુંબી પ્રાસાદે એમાં હતા. બે પાંખે પ્રસારીને ગરુડ ઊભું હોય એવા શસ્ત્રસજજ દુર્ગો અને પર્વત સમા ગેપુરાથી એ રક્ષાયેલું હતું. એમાં ઠેરઠેર તીણ અંકુશ, શતનીઓ (એકી સાથે તેને નાશ કરી શકે એવાં આયુ) આદિ યન્ત્ર-જાલો હતાં. વચ્ચે કુબેરના મહેલ જે પાંડવોને ધન-સમૃદ્ધ મહેલ હતું. એમાં સર્વ ભાષાઓને જાણનાર અને ચારેય વેદના અભ્યાસી એવા અનેક બ્રાહ્મણ ઠેરઠેરથી આવીને વસેલા હતા. વ્યાપારી અને કારીગરો પણ મોટી સંખ્યામાં આવીને ત્યાં વસ્યા હતા. નગર ફરતા અનેક રમ્ય ઉદ્યાને હતા. વાવો, તળાવ, કુવા, લતાગૃહો અને ચિત્રગ્રહો પણ હતા.”
આ ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોને સંપૂર્ણ રીતે સ્થિર કરીને પછી જ રામ અને કૃષ્ણ, એટલે કે બળદેવ અને કૃષ્ણ દ્વારકા પાછા ફર્યા.
અને શ્રીકૃષ્ણ અને બલરામના વિદાય ક્યા પછી થોડાક વખતે નારદ મુનિ ત્યાં આવ્યા.
ૌપદી સહિત પાંચ પાંડવોએ મુનિવરની ખૂબ આગતા-સ્વાગતા કરી.
આ પછી દ્રૌપદીને અંતઃપુરમાં રવાના કરાવીને દેવર્ષિએ પાંડવોને એક અત્યંત મહત્ત્વની સલાહ આપી. જગતમાં ઝગડા મોટે ભાગે સ્ત્રીઓને કારણે જ થાય છે અને તેમાંય વળી જ્યાં એક જ સ્ત્રી, પાંચ ભાઈઓની પત્ની હોય, ત્યાં તો પરસ્પર કંકાસની પૂરેપૂરી સંભાવના. સુન્દ અને ઉપસુન્દને દાખલો આપીને નારદ મુનિએ પાંડવોને ચેતવ્યા કે જેમ તિલોત્તમાને કારણે એ બે બળિયા ભાઈઓને સર્વનાશ થયો હતો તેમ પદીને કારણે તેમને નાશ ન થાય એની તેમણે સંપૂર્ણ કાળજી રાખવી.
પણ તે પછી અમારે કરવું શું?” યુધિષ્ઠિરે ઉકેલ યા.
ઉપાય સરળ છે. તમે એક એવી વ્યવસ્થા કરી દે કે દ્રૌપદી તમારા પાંચેયની સાથે વારાફરતી અમુક દિવસો સુધી રહે. અને પછી, જેના ખંડમાં દ્રૌપદી હોય, તેના ખંડમાં, તેટલી મુદત દરમિયાન, બાકીના ચારમાંથી કેઈએ પ્રવેશ ન કરો. ભૂલથી પણ નહિ !”
“અને તેમ છતાં, ધારો કે કોઈનાથી પ્રવેશ થઈ ગયો છે ?”
તે એ નિષિદ્ધ પ્રવેશ કરનારે બાર વરસ વનવાસ વેઠ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૯
સુન્દ-ઉપસુન્દનું દૃષ્ટાન્ત સાંભળ્યા પછી પાંચે ભાઇઓને ખાતરી થઇ ગઇ હતી કે આવી કાઇ વ્યવસ્થા અનિવાર્ય છે. એટલે દેવિષેની આ સૂચનાતે સૌએ સહ વધાવી લીધી. ગેાઠવણુ એવી થઇ કે વરસના એક સરખા પાંચ ભાગ કરવા, અને એ એકેક ભાગ પૂરતી દ્રૌપદી એક એક ભાઇની સાથે રહે, અને તે મુદ્દત દરમિયાન બાકીના ચાર ભાઇઓમાંથી કે!ઇ એના ખંડમાં ન જાય, અને કાઇ કદાચ જઇ ચઢે તે તેને બાર વરસના વનવાસની સજા થાય.
૩૧. ત્રીજો વનવાસ
અસ્ત્રવિદ્યામાં પાંડવા પારંગત હતા.
તેમના જમાનામાં ખીજા કાઈ રાજા કરતાં, ખીજા કેાઈ શસ્ત્રધારી કરતાં ચઢીઆતાં શસ્ત્રો, ચઢીઆતી પ્રહરણ-શકિત અને ચઢીઆતી અસ્ત્રવિદ્યા તેમની પાસે હતાં. અત્યાર સુધીના તેમના ઇતિહાસે પુરવાર કરી આપ્યુ હતું કે બાણાવળી તરીકે જેમ અર્જુન અજોડ હતા, તેમ ગદાધારી અને મલ્લ તરીકે ભીમ અપ્રતિમ હતા. યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ પણ એવા જ અપ્રતિમ અસ્ત્ર-કુશળ સમરવીરા હતા.
અને છતાં, કૃત યુધિષ્ઠિર જ નહિ, પાંચે પાંડવા શકય ત્યાં સુધી હિંસાથી દૂર રહેતા. સામે ચાલીને યુદ્ધ તેઓ કદી છેડતા જ નહિ, અને વગર માગ્યે અને વગર ઇચ્ચે યુદ્ધ તેમની સામે આવીને ઊભું રહે તા પણ તેને ટાળવા માટે તેએ બનનેા પ્રયત્ન કરતા. કવિ-હૃદય અને ધર્માત્મા પિતાની છત્રછાયા નીચે અને ઋષિમુનિએની વચ્ચે વનમાં ઉછરેલ પાંડવાની આ અહિંસા એક સ્વભાવસિદ્ધ વિશેષતા હતી.
નિળની નહિ, પણ સબળાની એ અહિંસા હતી. મૃત્યુથી ડરતા કાયરાની નહિ, પણ મૃત્યુજય વીરાની એ અહિંસા હતી.
અને એટલે જ એમનાં સૌનાં શસ્ત્રાસ્ત્રો પર ધની ચેકી રહેતી.
પાંડવાના શસ્ત્રાસ્ત્ર-ભંડાર તેમના માટાભાઇ યુધિષ્ઠિરના નિયમન તળે હતા. ધરાજને પુછ્યા વગર પાંડવામાંથી કાઇ પણ હથિયાર ઉઠાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શકતો નહિ, વાપરી શકતો નહિ. શસ્ત્રો પર ધર્મનું આ નિયમન, પાંડને માટે એક શિરસ્તો જ થઈ પડયું હતું.
હવે એકવાર બન્યું એવું કે કેાઇ ચોરે કઈ બ્રાહ્મણની ગાયો ઉપાડી ગયા. એક રાજ્યના સિમાડા પર ફરતાં ઢોરઢાંકરને, બીજા રાજ્યની હદ પર રહેતા માણસો લાગ મળતાં, હાંકી જાય, ચોરી જાય, એવા કિસ્સાઓ આજે પણ સારા પ્રમાણમાં બને છે. ઢોર એ જ ખેડૂતોનું મોટામાં મોટું ધન (ગાયનું ધણ” એ શબ્દમાં જે “ધણ” શબ્દ છે, તે સંસ્કૃત “ધન' શબ્દને જ અપભ્રંશ છે) એટલે આ ખેડુ બ્રાહ્મણ દેડ રાજદરબારમાં ફરિયાદ કરવા. ઇન્દ્રપ્રસ્થમાં પહોંચીને પાંડવેના મહેલને બારણે તેણે હા કરી મૂકી. બ્રાહ્મણની રાવ સાંભળતાં અજુને તેની વહારે ચઢવાનો નિશ્ચય કર્યો અને તરત તેને સાંભર્યું કે જે ખંડમાં તેનાં શસ્ત્રાસ્ત્રો હતાં, તે જ ખંડમાં દ્રૌપદી અને યુધિષ્ઠિર, એ વખતે બેઠાં હતાં. હવે શું કરવું ?
પ્રજાને ચેરાયેલો માલ તેને પાછો અપાવવાને ધર્મ બજાવ? કે જે ખંડમાં કોઈ ભાઈ દ્રૌપદી સાથે હોય, (નારદે સૂચવેલ વ્યવસ્થા પ્રમાણે) તે ખંડમાં બાકીના ચારમાંથી કોઈએ દાખલ ન થવું, એ નિયમનું પાલન કરવું ?
ચોરને પીછો ન પકડવામાં ધર્મને ભંગ થતો હતો, જ્યારે અસ્ત્રશાળામાં દાખલ થતાં, જાતે સ્વીકારેલી વ્યવસ્થાને ભંગ થતો હતો, અને પરિણામે બાર વરસને વનવાસ વેઠવાને આવતો હતો.
મહાભારતના શબ્દોમાં કહીએ તો : अनुप्रवेशे राज्ञस्तु वनवासौ भवेन्मम् । अधर्मो वा महानस्तु वने वा मरण मम ॥
“જ્યાં યુધિષ્ઠિર છે (દ્રૌપદી સાથે ) ત્યાં જઈશ તો વનવાસ ભોગવવો પડશે અને સંભવ છે કે વનવાસનાં બાર વરસ દરમિયાન મૃત્યુ પણ આવીને મને ભેટે. આમ એક તરફ મૃત્યુનું જોખમ છે, તો બીજી તરફ અધમ રૂપી જોખમ પણ ઊભું જ છે.” છેવટે એણે નિશ્ચય કર્યો કે શરીર ના ધર્મ cવ શિષ્યતે :
શરીરને નાશ થતો હોય તો ભલે થાય, પણ ધર્મને નાશ ન થવા દે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૧
અને યુધિષ્ઠિર-દ્રૌપદીવાળા ખંડમાં પ્રવેશ કરી, જેઈતાં શસ્ત્રાસ્ત્રો લઈ આવી અર્જુન પેલા બ્રાહ્મણની ચોરાયેલી ગાયોની તલાશમાં ઉપડયો, અને તસ્કરોને પકડી પાડી ધણોને તેના સાચા માલિકને ફરી સુપ્રત કરી ઇન્દ્રપ્રસ્થ પાછો આવ્યો.
આવીને સીધે ગયે ધર્મરાજ પાસે. વંદન કરીને બોલ્યો : “મને વનવાસમાં જવાની રજા આપે, મોટાભાઈ.” “ શા માટે ?”
“મેં આપણી વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું છે. આપ કૌપદી સાથે જે ખંડમાં હતા, તે ખંડમાં મેં પ્રવેશ કર્યો. ”
“વાંધો નહિ!” યુધિષ્ઠિરે ખૂબ નિખાલસ ભાવે, અત્યંત સરળતાથી પ્રત્યુત્તર આપ્યો. “એક અનિવાર્ય ધર્મકાર્ય માટે અસ્ત્ર લેવાના હેતુથી તે અમારા ખંડમાં પ્રવેશ કર્યો તેમાં શું થઈ ગયું ? વળી મોટાભાઈ પત્ની સાથે બેઠા હોય, ત્યાં નાનભાઈ આવે એમાં કશે પણ મર્યાદાભંગ નથી. મર્યાદાભંગ તે, ત્યારે થાય જ નાનાભાઈના દામ્પત્ય-ખંડમાં મોટાભાઈ પ્રવેશે ! માટે, તે કશો જ ધર્મ લેપ કર્યો નથી, અને તેથી કોઈ પણ જાતના દંડને તું પાત્ર બન્યો નથી.”
યુધિષ્ઠિર કેઈ પણ રીતે અર્જુનની વનવાસની આપત્તિને ટાળવા માગતા હતા.
પણ અર્જુન એમ શાબ્દિક દલીલેથી, તર્કવાદથી છેતરાય એમ નહોતા. એકવાર ધર્મ સમજીને જે વ્રત લીધું, તે લીધું, પછી એમાં અપવાદોની બાદબાકી કરતાં જઈએ, તો શેષ અપવાદ જ રહે !
અપવાદના આ ભયસ્થાનને અર્જુન બરાબર સમજતો હતો. એટલે યુધિષ્ઠિરને એણે ખુબ દઢતાથી કહ્યું
“આપે પોતે જ અમને શીખવ્યું છે કે ધર્મના પાલનને પ્રશ્ન હોય ત્યાં અપવાદની ઢાલ પાછળ ન ભરાવું?”
યુધિષ્ઠિર સમજ્યા... અર્જુનને માટે આ ત્રીજે વનવાસ હતો.
પહેલા બે વનવાસો તો, બીજા ચારે ય ભાઈઓ અને માતા કુતી સાથે તેણે ભોગવ્યા હતા.
આ ત્રીજો તેણે એકલાએ જ ભોગવવાનો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૩૨. ભારતદન
પાંડવાની એક ખૂબી છે. સતા અને વિદ્વાને તેમના તરફ હરહંમેશ આકર્ષાય છે. દુઃખના દિવસેામાં પણ તે તેમને કદી છેાડતા નથી. વાયકાને યાદ હશે કે પાંડુના સ્વર્ગવાસ પછી પાંડવાને હસ્તિનાપુરમાં ઋષિએ જ' લઇ આવેલા. તે પછી હસ્તિનાપુરમાંથી પાંડવા વારણાવત તરફ વિદાય થયા. તે વખતે પણ ઋષિમુનિએએ તેમની સાથે જવાની અતિ ઉત્કટ ઇષ્ઠા વ્યકત કરેલી.
દુનાની સાથે રાજમહેલમાં રહેવા કરતાં સજ્જનેાની સાથે વનમાં રહેવુ વધારે સારું એવું આ સ ંતેા અને વિદ્જ્જનેાનું જાણે જીવનસૂત્ર છે.
એટલે અર્જુન જ્યારે બાર વરસના વનવાસ માટે ઉપડે છે ત્યારે અનુનમું મંહાત્માનો ત્રાĮળા: વેવાઽૉ: । (મહાત્મા ને વેદવેત્તા બ્રાહ્મણા સંગ સંચર્યા.)
વિદ્વાના અને શીલવાનાથી વીંટળાયેલા અને સૂતા અને પૌરાણિકા વડે અનુસરાયેલા અર્જુન ભારતની યાત્રાએ નીકળ્યેા.
સાચે જ વનવાસે એ પાંડવેને માટે ભારતની યાત્રા સમા હતા. ભારતનું દર્શીન તેમને સમ્યગ્ રીતે આવા પ્રવાસેા દરમિયાન થતું. આ દૃષ્ટિએ આપણું આ મહાભારત પણ એક પ્રકારનુ` ભારતદર્શીન (Discovery of India) જ છે.
રમણીય સરાવા, ચિત્રવિચિત્ર વૃક્ષ, શાંત સાગર તળાવેા) અને લીલા—નૃત્યે વહી જતી અનેક સરિતાએનાં દર્શન કરતા કરતા અર્જુન ગંગાદ્વાર પાસે પહેાંચ્યા. (આ ગગાદ્વાર તે જ હરદ્વાર)
અર્જુનના આગમનથી ગ`ગાદ્વારમાં જાણે કાઇ નવુ ચૈતન્ય આવ્યું. તટપ્રદેશ યજ્ઞયાગોના મન્ત્રાથી ગૂંજી ઊઠયા.
હવે એક દિવસ એવું બન્યું કે અર્જુન સ્નાન પિતૃ-તપણુ આદિ કરીને ગંગામાંથી બહાર નીકળતા હતા, ત્યાં એક અત્યંત રૂપવતી કન્યાની હાડી એકાએક પાણી ઉપર ઝળકી અને આંખે! ઉઘાડીને મીંચીએ એટલી વારમાં તેા કન્યાએ અર્જુનને હેાડી પર લઇ લીધેા અને પછી હેાડીને કાઈ અણદીઠ પ્રદેશ તરફ એ હંકારવા માંડી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૩
હોડી એક રમ્ય તટ-પ્રદેશ પર આવીને નાંગરી. તરુણી અર્જુનને એક ભવ્ય મહેલમાં લઈ ગઈ અને “આ હું કયાં છું ?” એ વિચાર ધનંજય કરી રહ્યો હતો, ત્યાં તો તેની દ્રષ્ટિ મહેલના એક ચોકમાં ભભૂકી રહેલા અગ્નિ ઉપર પડી. આર્યો અગ્નિપૂજક હતા, અને પોતે જે નવા પ્રદેશમાં આવ્યો છે ત્યાંના લકે પણ અગ્નિના આરાધક જ છે એવું જાણુને અર્જુનને આનંદ થયો. અગ્નિને આહુતિ અપને પેલી તરુણીને તેણે પૂછ્યું:
કેણુ છે તું ? અને કહે છે આ દેશ!” “કૌર નામે નાગરાજની હું પુત્રી છું,” તરુણુએ જવાબ આપ્યો, ઉલૂપી મારું નામ. આ અમારો દેશ છે. મેં તમને ગંગામાં તરતા જોયા અને મારું મન તમારા પર મોહી પડયું. હવે આત્મદાન દ્વારા મને રીઝવો, એજ ઈચ્છા !”
અર્જુનને જવાબ પણ એટલું જ નિખાલસ છે. “હું ભાગ્યશાળી છું, ભદ્રે ! તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. પણ લાચાર છું. મારા મોટાભાઈ ધર્મરાજના આદેશથી હું બાર વરસના વનવાસે નીકળ્યો છું અને બ્રહ્મચર્ય એ વનવાસની એક શરત મનાય છે. હવે તું જ રસ્તો બતાવ, ઉલૂપી ! ધર્મ અને કામ બંને જળવાય, એવો કોઈ મધ્યમ માર્ગ સૂઝે છે?”
લાગે છે કે લૂપી આ સમશ્યા માટે તૈયાર જ હતી. છોકરી જેટલી સાહસિક તેટલી જ સુંદર, અને જેટલી સુંદર તેટલી જ બુદ્ધિમતી હતી.
એની દલીલ જુઓ :
“મને આખા યે વૃત્તાન્તની ખબર છે, પાર્થ; પણ તમારા મોટાભાઈએ તમને જે બ્રહ્મચર્યને આદેશ આપ્યો છે તે કેવળ દ્રૌપદી પૂરતો જ ગણાય!”
પણ પોતાની આ દલીલ વકીલશાહી છે, અને અર્જુન સમા પુરુષને પલાળવા માટે એ પૂરતી નથી એટલું એ બરાબર સમજતી હતી, એટલે એક અંતિમ શસ્ત્ર પણ તેમાં સાથે સાથે અજમાવ્યું: “યદિ મારી ઈચ્છાને તમે તૃપ્ત નહિ કરે, તે મને મરેલી જ સમજજો; કારણ કે હું તો મનથી તમને વરી જ ચુકી છું.”
મહાભારત કહે છે કે અર્જુન નાગરાજના ભવનમાં ઉલૂપી સાથે એક રાત્રિ રહ્યો. પછી સવાર પડતાં, બધી વાત બ્રાહ્મણોને જણાવી ઉત્તર દિશા તરફ તે ચાલી નીકળ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૩૩. કામણગારો ચહેરે!
દુનિયામાં સૌથી વધુ અકળ હોય તે તે માણસનું મન છે. એના વિષે કશી પણ આગાહી કરવી મુશ્કેલ તે શું, લગભગ અશકય છે. આજે કાયર દેખાતે માણસ આવતી કાલે શરીરને અગ્રણી પણ બને, અને સવારે લોભની સાક્ષાત પ્રતિમા સમે જણાતો માણસ રાતે ઉડાઉગીરીની પરાકાષ્ટાએ પણ પહોંચે ! ઊંડાણમાં ઉકળતા લાવા–રસે સપાટીના ચહેરામાં કયારે, કેવી રીતે, કેવા કેવા ફેરફાર કરી નાખશે, કઈ જ ન કહી શકે.
ગંગાદ્વાર પાસે ઉલૂપી અર્જુન ઉપર મેહિત થઈ, ત્યારે એને શો જવાબ મળ્યો હતો, યાદ છે? ઉલૂપીને કે કે દલીલ કરવી પડી હતી, અને કં કે નહીરાં કરવાં પડયાં હતાં, અર્જુનને મનાવવા માટે !
એ જ અર્જુન જ્યારે ફરતો ફરતો મણિપુર પહોંચે છે ત્યારે એનામાં કે પલટો આવી જાય છે! કારણ કયાં શોધવું ? ચિત્રાંગદાના કામણગારા ચહેરામાં? મણિપુરની આબેહવામાં? ઈન્દ્રપસ્થ અને મણિપુર વચ્ચેના ભૌગોલિક અંતરમાં? કે.
પણ આપણે વ્યાસજીએ કરેલી વાત સાથે જ વહીએ.
ગંગાદ્વારથી પાર્થ હિમાલયની તળેટીમાં આવ્યો. ત્યાંથી અગત્યવર, વસિષ્ઠ-પર્વત, ભૃગુ-તુંગ, હિરણ્ય બિન્દુ સરોવર વગેરે એતરાદાં તીર્થોને. પ્રવાસ કરતો કરતે તે પૂર્વ તરફ વળ્યો.
અહીં તેણે ઉત્પલિની, નન્દા, અપનન્દા, કૌશિકી આદિ નદીઓ, નૈમિષારણ્ય, ગયાતીર્થ અને ગંગાનાં દર્શન કર્યા, તેમજ અંગ, વંગ, કલિંગ, એ ત્રણેય દેશોમાં આવેલાં અનેક રમ્યસ્થળો અને આશ્રમો ફરી ફરીને, ધરાઈ ધરાઈને નિહાળ્યાં. પછી ત્યાંથી સમુદ્રને કાંઠે કાંઠે આગળ વધતો તે મણિપુર નામના નગરમાં આવ્યો.
મણિપુરમાં ચિત્રવાહના નામે રાજા રાજ્ય કરતો હતો. તેની એકની એક પુત્રી ચિત્રાંગદા આ વખતે બરાબર કર્વના આશ્રમમાં દુષ્યત શકુન્તલાને પહેલવહેલી જુવે છે તેવી જ છે, યૌવનમાં અને સૌન્દર્યમાં! પણ સંભવ છે કે ફક્ત આટલું જ હોત, તો અર્જુનનું હદય કદાચ ન પણ વધાત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પણ ચિત્રાંગદા તેના પિતાની ગાદીવારસ છે. કાઈ યુવરાજને શોભે એવી વેષભૂષામાં એ હરેફરે છે. અને એવી જ વિદ્યા-કલાઓથી તે મંડિત છે. આવી યુવતી અર્જુન આ પહેલી જ વાર જુવે છે અને એને જોતાં વેંત એનું ચિત્ત ચગડોળે ચઢી જાય છે; અને મહારાજ ચિત્રવાહન પાસે જઈને સીધે એ ચિત્રાંગદાના હાથની માગણું જ કરે છે.
હવે અર્જુન મણિપુર પહોંચે તે પહેલાં એની કીર્તિ તે ત્યાં પહોંચી જ ગઈ હતી. ભારતભરના ક્ષત્રિયે પાંચાલમાં ભેગા મળ્યા હતા, તેમાંથી કઈ કહેતા કાઈ જ જ્યારે લક્ષ્યવેધ ન કરી શકહ્યું, ત્યારે આણે, આ અર્જુને, ધૃષ્ટદ્યુમ્નના મેણાના મારથી ઉત્તેજિત બનીને, ક્ષત્રિય કુળની લાજ રાખી હતી, અને લક્ષ્યવેધ કર્યો હતો.
“પણ અમારા કુળની એક પરંપરા છે, પાર્થ!” અર્જુનની માગને જવાબ આપતાં ચિત્રવાહને કહ્યું,
બોલો ” “કેટલી યે પેઢીઓ થયાં અમે એક-સંતાન છીએ, એક ઉપર બીજું છોકરું અમારા કુળમાં થતું નથી ! ”
“પણ તેથી...?”
“જરા સાંભળી લો ! અત્યાર સુધી મારા પૂર્વજોને ઘેર પુત્રો જ જમ્યા છે ! વિધાતાએ મને આ દીકરી આપી છે.”
આ દીકરી કે ઓછી નથી, અર્જુનને થયું, સે સો પુત્રોની ઉણપ પૂરી કરે એવી છે, અને છતાં....અદ્ભુત સૌંદર્યવતી અને... અપૂર્વ કમનીય!
એટલે ચિત્રાને મેં મારા ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી છે. મારા પછી મણિપુરનું સિંહાસન તેણે સંભાળવાનું છે!”
“મણિપુરનું શું જગતનું સિંહાસન શોભાવી શકે એવી છે!” પાર્થનું પ્રણયી હદય આવું કૈક બોલવા થનગની રહ્યું હતું, પણ મહારાજ ચિત્રવાહન શું કહેવા માગે છે તે સાંભળવા તે ઉત્સુક હતો.
એટલે આપના જેવો જમાઈ મને મળે એને હું એનું અને મારું -અને મણિપુરનું–ત્રણેયનું સદ્ભાગ્ય જ સમજું છું ! પણ...”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
“પણું શું?”
“મુદ્દાની વાત જ આ છે, પા. ચિત્રાની કુખે મણિપુરનેા ગાદીવારસ ન જન્મે ત્યાં લગી આપે અહીં જ રહેવું પડશે !'
“યેાગ્ય જ છે ! '” વનવાસ બાર વરસની અવિધના છે, તેા એ ત્રણ જ વીત્યાં છે એ હકીકતને નજર સામે રાખીને આપી.
તેમાંથી હજુ પાથે સંમતિ
“ અને...તે પછી પણ, આપ જઇ શકશેા. પણ ચિત્રા આપની સાથે મણિપુરની બહાર કયાંય નહિ આવી શકે, જ્યાં સુધી એને પુત્ર, મણિપુરની ગાદી સંભાળી શકે એવડા નહિ થયેા હાય !”
“સમજી શકાય એવું છે, મુરબ્બી ! મંજૂર છે.”
અને પ્રસિદ્ધ બભ્રુવાહનને જન્મ થયેા. ત્યાં લગી અર્જુન મણિપુરમાં જ રહ્યો અને પછી, પત્ની અને શ્વસુર તથા અન્ય સ્વજનાની વિદાય લક્ષ્યને દક્ષિણ તરફ વળ્યા.
અર્જુન દક્ષિણમાં પ્રવાસ કરતા હતેા, અને તે પ્રદેશના રમ્ય તીર્ઘાનાં દર્શનથી આંખાને ઠારતા હતા, તેમજ તિહાસની પાછળનાં રહસ્યા ઉકેલતા હતા તે દરમિયાન એક વિચિત્રતા તેના ધ્યાનમાં આવી.
એણે પાંચ તીર્જી એવાં જોયાં જે ખીજાં તીર્યાની વચ્ચે આવતાં હતાં, છતાં જ્યાં કાઇ પણ યાત્રી કદી જતેા ન હતા ! અગસ્ત્ય તી, સૌભદ્ર, પૌલામ, કાર્ન્ત્રમ અને ભારદ્વાજ તી એ પાંચ એમનાં નામેા.
આસપાસના માનવ–ગુંનરવ વચ્ચે આ પાંચે ય સ્થળે એકચક્રે રાજ્ય કરતી નિનતા અને શૂન્યતા જોઇને પાને કૌતુક થયું, અને તપાસ કરી તે જાણવા મળ્યું કે એ પાંચે ય તીર્થોમાં ભયાનક મગરમચ્છ વસે છે. જેમણે અત્યાર લગી કૈંક યાત્રીએના ભાગ લીધા છે.
ય
આટલું સાંભળ્યા પછી એ તીર્થાને છેટેથી જ નમસ્કાર કરી ચાઢ્યા જાય તેા એ પા શાને ?
તીર્થા ઉપર તેાળાઇ રહેલ ભયેાને ભાંગવા માટે તે પા જેવાઓને જન્મ છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પહેલાં તે સૌભદ્ર તીર્થે પહોંચ્યા, અને સરોવરમાં સ્નાન અથે ઊતર્યો; અને ઉતર્યો તેવો જ ઝડપાયે ! જળાશયની અંદરનો ગ્રાહ કદાચ વરસેથી તેની વાટ જોઈ રહ્યો હશે ! ( પુરાણોને ગજગ્રાહ પ્રસિદ્ધ છે; પણ અર્જુન-રાહનું આ ઠંધ પણ એટલું જ પ્રસિદ્ધ છે, એની પોતાની રીતે ! પિતાને ઊંડાણમાં ખેંચી જઈને આરોગી જવા મથતા મગરમચ્છને અર્જુને કાંઠા પર ખેંચી આ અને એક વધુ આશ્ચર્ય તેને જોવા મળ્યું.
ગ્રાહને જેવો સુક્કી ધરતીને સ્પર્શ થયો તેવો જ તે સુંદર યુવતીમાં પલટાઈ ગયો.
દંતકથા જેવી વાત કરીને વ્યાસજીએ એક સુંદર માનસશાસ્ત્રીય સત્ય વાતવાતમાં સમજાવી દીધું છે. ગ્રાહો જેવા સ્વભાવની સ્ત્રીઓ ઉપર અર્જુન જેવા નીડર, પરાક્રમી છતાં રસિક અને ક્ષમાશીલ પુરુષોની અસર કેટલી ચમત્કારિક થતી હશે!
વર્ગો એ આ અપ્સરાનું નામ. તેણે પોતાના ભૂતકાળની વાત કરી. તેમાં પણ આ જ ધ્વનિ છે. એક સનિષ્ઠ તપસ્વીનું તપ ચળાવવા જતાં તેની અને તેની ચાર બહેનપણુઓની આ દશા થઈ હતી.
છેવટે વર્ગની વિનંતિથી ચારેય બહેનપણીઓને ઉદ્ધાર કરીને અર્જુન ફરી પાછે મણિપુર ગયે. ચિત્રાને અને બભૂવાહનને એકવાર ફરીથી મળવાની તેને ઉકંઠ હતી.
મણિપુરમાં થોડા દિવસ રહી ત્યાંથી પછી એક અત્યંત લાંબી એપ કરીને તે પશ્ચિમ દિશામાં આવેલ ગોકર્ણ તીર્થો આવ્યો. વનવાસનાં અર્ધાથી ઝાઝાં વરસો હવે વીતી ગયાં હતાં, અને હવે તેનું મન આનર્ત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર, શ્રીકૃષ્ણ ઉપર અધીર મીટ માંડી રહ્યું હતું.
૩૪ કામદેવનાં બાણ
સૌરાષ્ટ્ર તો શ્રીકૃષ્ણની પોતાની જ ભૂમિ. અલબત્ત, એ સમયે એનું નામ સૌરાષ્ટ્ર નહિ, પણ આનર્ત હતું. અર્જુન ભારતમાં ફરતો ફરતો હવે
આનર્તમાં આવ્યો છે એવા સમાચાર મળતાં વેંત શ્રીકૃષ્ણ દેટ મૂકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧ :
દિવસ માટે વાર ધામધૂમથી
દ્વારકાથી તે પ્રભાસતીર્થ આવ્યા, જ્યાં આગળ અર્જુનને તાત્કાલિક નિવાસ હતો. બંને મિત્રો મળ્યા. વર્ષો પછી ધરાઈ ધરાઈને વાત કરી. અર્જુન બાર વરસ માટે વનવાસે નીકળ્યો છે એ વાત તો શ્રીકૃષ્ણને કાને આવી જ હતી, પણ મિત્રને મુખે બધી વાત સાંભળવામાં એને ઓર જ આનંદ આવ્યો. અર્જુને વનવાસની પાછળનું રહસ્ય સમજાવ્યું. પછી વનવાસનાં વર્ષોને અનુભવ કહ્યો. ઉલૂપી, ચિત્રા, વર્ગો અને તેની ચાર બહેનપણુઓ ! રોમાંચકારી પ્રણય કથાઓ અને અદ્ભુત વીરગાથાઓ !
અર્જુનને મોટામાં મોટી એક જ ઉત્કંઠા હતી, પોતે જે કે કર્યું કારવ્યું છે તે બરાબર છે કે કેમ એ શ્રીકૃષ્ણને મેએ સાંભળવાની. નાનપણથી જ એને વસુદેવના આ પુત્રની વિવેકબુદ્ધિમાં વિશ્વાસ હતો. જીવનને જેટલું યાદવવર સમજે છે, તેટલું ભારતમાં ભાગ્યે જ કોઈ બીજે સમજે છે એવી અર્જુનની નાનપણથી જ શ્રદ્ધા હતી.
પછી આ બન્ને વિરે એક દિવસ માટે રૈવતક પર્વત પર ગયા. ત્યાં આગળ શ્રીકૃષ્ણ પોતાના મિત્રના સત્કારની ભારે ધામધૂમથી તૈયારીઓ કરાવી હતી. અનેક નટો અને નર્તકોને તેણે મિત્રના મનરંજન માટે ભેળા કર્યા હતા.
એક રાત ગિરનાર (રૈવતક) પર ગાળ્યા પછી બન્ને પાછા દ્વારકા આવ્યા. એટલી વારમાં તો અર્જુનના સૌરાષ્ટ્રપ્રવેશની વાતો દ્વારકામાં ઘેરઘેર પહોંચી ગઈ હતી. વચનને ખાતર બાર વરસ વનવાસે નીકળેલ દ્રૌપદીસ્વયંવરના વિજેતા અને શ્રીકૃષ્ણના સૌથી વધુ પ્રિય મિત્રની ઝાંખી કરવા નગરમાં આબાલવૃદ્ધ સૌ ઉસુક હતાં. મહાભારત કહે છેઃ “ હજારો દ્વારકાવાસીઓ રાજ-માર્ગો પર ઉતરી આવ્યાઃ ભેજ, વૃષ્ણ અને અન્ધક કુલના સ્ત્રી-પુરુષની ભારે ભીડ મચી ગઇ.”
દ્વારકામાં અર્જુન શ્રીકૃષ્ણના સુરમ્ય નિવાસસ્થાનમાં અનેક દિવસો સુધી રહ્યો.
આ દરમ્યાન યાદવોને પેલો પ્રસિદ્ધ વિતકઉત્સવ આવ્યો. નગર આખું જાણે પર્વત ભણું ચાલી નીકળ્યું. નૃત્ય, ગીતો, નાટક, આનંદ-પ્રમદ, ખાન-પાન, ઉત્સવ માણવા માટે દ્વારકા આખી જાણે રૈવતકના ઢળાવો પર ડેરાતંબુ તાણીને ઊતરી પડી હતી. ભાઇ બલરામ, યાદવ-રાજવી ઉગ્રસેન,
મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૯
રૂમ-પુત્ર પ્રદ્યુમ્ન, જામ્બુવતી-પુત્ર સામ્બ, અકૂર, સારણ, ગદ, વિદૂરથ, વિાદ, ચારણ, પૃથ, સત્યક, સાત્યકિ, ઉદ્ધવ, જૂની અને નવી અને નવીનતર ત્રણેય પેઢીઓના પ્રતિનિધિ સ્ત્રી-પુરુષે જાણે હિલોળે ચઢયા હતાં.
શ્રીકૃષ્ણ અને અર્જુન આ ઉત્સવ જોતા જોતા, મેળો માણવા ગિરિ પ્રદેશમાં ધૂમતા હતા, તેવામાં એકાએક એક કૌતુક થયું.
અર્જુનની દષ્ટિ એક નવયુવતી પર પડી અને પળ, પળાર્ધ, ત્યાં જ થંભી ગઈ.
શ્રીકૃષ્ણની સર્વદશ આંખેથી આ કેમ અજાણ્યું રહે! મનમાં ને મનમાં તે હસ્યા.
ત્યારે તે વનવાસીઓનાં ચિત્ત પણ કામદેવને પ્રભાવથી ચકડોળે ચઢી શકે છે ખરાં !” તેમણે મશ્કરી કરવા માંડી. “પેલી યુવતી તને ગમી ગઈ લાગે છે!”
અર્જુન શે જવાબ દે! મિત્ર પાસે છુપાવવા જેવું તો કશુંયે નહોતું, પણ નામઠામ જાણ્યા સિવાય કયાંક કૈક બફાઈ જાય તો !
મિત્રની મૂંઝવણ ભગવાન પામી ગયા.
“મારી બહેન છે એ, પાર્થ,” તેમણે ઓળખાણ આપવા માંડી. “ભાઈ સારણની એ સહોદરા છે. નામ સુભદ્રા. પિતાજીની સૌથી લાડકી પુત્રી. તારી ઈચ્છા હોય તો વાત કર, એમને ?”
અર્જુનનું હૈયું હવે હેડું બેઠું. ત્યારે તે તેની પ્રીતિ યોગ્ય સ્થાને જ જઈને ઢળી છે! ખૂબ નિખાલસ ભાવે, મિત્ર મિત્ર પાસે હૈયું ખોલી શકે એવી રીતે તેણે પોતાનું હૈયું ખોલ્યું.
“વસુદેવની પુત્રી અને તારી બહેન અને ઉપરથી વળી આવી અપૂર્વ સુંદર ! પછી મારું મન મુગ્ધ બને એમાં આશ્ચર્ય જ શું! એ જે મારા હદયની રાણું બને, કૃષ્ણ, તો મારા સદ્ભાગ્યની પરાકાષ્ઠા જ સમજુ. કહે શું કરવું જોઈએ મારે, તેને પ્રાપ્ત કરવા માટે ?” હવે શ્રીકૃષ્ણ તેને જે સલાહ આપે છે તે સાંભળવા જેવી છે. ક્ષત્રિયોના લગ્ન માટે સ્વયંવરની પદ્ધતિ છે” તે કહે છે: “પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સ્ત્રી સ્વભાવની સ્વર-વિહારિતાને કારણે એ માગે સુભદ્રા તને મળે જ એમ હું ન કહી શકું. બીજે માર્ગ છે હરણને, ક્ષત્રિયો માટે તે પણ પરંપરાથી માન્ય છે, તું સુભદ્રાનું હરણ કરી જા.”
પણ હરણ માટેની આ સલાહ આપણને વાંચતાં લાગે છે તેવી વિચિત્ર જરાયે નહોતી, તે જમાનામાં.
કારણ કે, મહાભારત કહે છે કે આ હરણની વાત બે મિત્રો વચ્ચે નક્કી થઈ કે તરત જ તેમણે બનેએ “શીઘ્રવેગી દૂતો” દ્વારા એ સમાચાર ઈન્દ્રપ્રસ્થમાં મહારાજ યુધિષ્ઠિરને પહોંચાડયા.
૩૫ “એના રથને મારા ઘોડા જોયા છે !'
એક લાક્ષણિક દુર્બળતા આપણું આમ જનતાની મહાભારતમાં ઠેરઠેર વરતાઈ આવે છે. સૈનિકમાં પણ આ જ ખામી છે. નાયક વગર તેઓ નકામા, થઈ જાય છે. સરદાર વગર તેઓ કદી સામનો કરી જ શકતા નથી.
એકચક્રામાં આપણે એ જ લાચારીનું દ્રશ્ય જોઈએ છીએ. એક રાક્ષસ એક આખા ગામને વરસો સુધી રંજાડે. ગામ અને રોજના એક જીવતાજાગતા માણસને આહાર બાંધી આપે, પણ એની સામે કાઈ ન થાય.
રૈવતક એટલે ગિરનારથી પાછી ફરતી સુભદ્રાનું જ્યારે અને હરણ ર્યું ત્યારે તે એકલી નહતી. વળાવિયા તેની સાથે હતા, સૈનિકેથી રક્ષાયેલી હતી. પણ એ સૈનિકે એ શું કર્યું? મહાભારત કહે છે કેઃ
ह्रियमाणां तु तां द्रष्टवा सुभद्रां सैनिको जनः ।
विक्रोशन प्राद्रवत् सर्व: द्वारकाममितः पुरीम् ॥१ જમાને જ જાણે વ્યકિતગત પરાક્રમ છે. સેનાએ તો ફકત શોભારૂપ જ છે, જાણે; અથવા બોજારૂપ. કુરુક્ષેત્રના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાઓ ભેગી થઈ અને નાશ પામી, પણ એમાંથી એકકેયં સૈનિકનું કઈ યાદગાર પરાક્રમ નોંધાયું નથી. જ્યારે સામી બાજુએ સેનાપતિ એકકેએક કોઈને કઈ રીતે નોંધપાત્ર બન્યો જ છે. અસ્તુ.
૧ તે સુભદ્રાને હરાતી જોઈને સૈનિક વર્ગ ચીસાચીસ કરતો દ્વારકાપુરી તરફ દેડો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૧
મહાભારત કહે છે કે સુભદ્રાને અર્જુન રથમાં બેસાડીને ઇન્દ્રપ્રસ્થ તરફ ઉઠાવી ગયા છે એવા સમાચાર એ ભાગેડુ સૈનિકાએ દ્વારકામાં જઇને સભાપાલ ' તે આપ્યા કે તરત જ સભાપાલે 'યુદ્ધનાં નગારાં વગાડયાં.
(
*
એ સાંભળીને ભેજ, વૃષ્ણી, અન્ધક આદિ કુટુ ખેાના જુવાને ખાનપાન ઘેાડીને સભા ભણી દાડયા. એમની સૌની સમક્ષ સભાપાલે પછી અર્જુનના ‘પરાક્રમ’ ની વાત કરી. એ સાંભળતાં વેંત વૃષ્ણીવીરે બધા પે।તપાતાનાં આસને ઉપરથી ઠેકીને ઊભા થઈ ગયા.
પણ કેવા હતા એ વૃષ્ણીવીરા ! મહાભારત તેમને માટે એક ચિન્તન કરવા જેવું વિશેષણ વાપરે છે. એ વિશેષણ છે મ ્-સરત-ચનાઃ એટલે હું “ દારૂ પીવાને કારણે જેમના લેાચનના ખૂણા લાલલાલ થઇ ગયાં છે, એવા. ” આ જુવાને ઠેકીને ઊભા થયા તે વખતે જે રીડિયામણ થઇ રહ્યું તેનુ મૂળ વર્ણન અપાયું છેઃ “ રથા જોડેા : આયુધા લાવેા. કવચેા અને મહામેાલાં ધનુષ્ય ને એકડાં કરે ! '' એવા અવાજો ચેમેર સંભળાવા લાગ્યા. કાઇ સારથિઓને તાકીદ કરવા લાગ્યા, તેા કાઇ જાતે જ ઘેાડા જોડવા લાગ્યા
'
આ ધાંધલ જોઇને એક પુરુષ ઊભા થયા. એ હતા ખળભ. એ પણુ મદથી, દારૂથી ઉત્તેજિત હતા. પેલી અવ્યવસ્થિત ધમાલ ઉપર ટીકા કરીને સૌને તેમણે ખખડાવ્યાઃ
“તમારામાં ડહાપણને! છાંટા નથી. ” તેમણે શરૂ કર્યુ. કૃષ્ણ આ સભામાં હજુ મૂંગા બેઠો છે. તેના અભિપ્રાય જાણ્યા વગર કઈ કરવું એ દુ:સાહસ છે.” એટલે વળી પાછી સર્વત્ર શાંતિ ફેલાઇ ગઇ. દોડાદોડ કરતા હતા, તે ઊભા રહી ગયા. ઊભા હતા, તે મેસી ગયા. હાકેાટા પાડતા હતા, તે મૂંગા થઇ ગયા.
""
પછી બલભદ્રે શ્રીકૃષ્ણને ઉદ્દેશીને આગળ ચલાવ્યું, “ તું કેમ હા મૂંગા ( અવાક ) એડે છે, કૃષ્ણ ? તારે ખાતર તે! અમે પાને આટલે બધે સત્કાર કર્યા. પણ હવે તને એમ નથી લાગતુ કે એ આપણા આદર-માનને ચેાગ્ય જ નહોતા ? નહિતર જે વાસણમાં જમ્યા એને જ અપવિત્ર કરવાની એવકૂફી કાણ કરે ? એને જો આપણા મીઠા સંબંધની ખેવના હાત, આપણે કરેલ ઉપકારાની એને જો જરા જેટલી પણ કદર હેાત, તેા તે આમ વત ખરા ? આ તે! એણે મારા માથા પર પગ મૂકયા, કૃષ્ણ ! ના, ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨
એ મારાથી સહન નહીં થાય, ગોવિંદ. પાર્થના આખાયે કુલને હું પૃથ્વીમાંથી ઊખેડી નાખીશ.”
બલભદ્રની આ ગર્જના સાંભળતાં વેંત ભોજ, વૃષ્ણી અને અલ્પક કુલેન વીરે તેનું અનુમોદન કરતા તેમની પાછળ આવીને ઉભા રહી ગયા અને પરિસ્થિતિ અત્યારના શબ્દોમાં કહીએ તો “ઘણું નાજુક અને તંગ” બની ગઈ.
હવે શ્રીકૃષ્ણ ઊભા થયા. તેમણે આ પ્રમાણે પ્રવચન કર્યું: “તમે બધા ભૂલે છે. અર્જુને આપણા કુલનું બહુમાન કર્યું છે. મનગમતા લગ્ન કરવાની આના જેવી બીજી કઈ રીત છે ? સ્વયંવરમાં કન્યા યોગ્ય જ વરણી કરશે એવું નકકી નથી. બીજી તરફ ગોવાળ જેમ પશુને હાંકે, તેમ મા-બાપ પિતાની મુન્સફી પ્રમાણે દીકરીને વળાવે તે પણ યોગ્ય નથી. ત્રીજી તરફ કન્યા-વિય પણ અનિષ્ટ છે. પાથે આ બધે વિચાર કરીને જ બહેન સુભદ્રાને પરણવા માટે–આ પ્રમાણમાં સૌથી નિર્દોષ–રસ્તો લીધો છે. હું તે માનું છું કે સુભદ્રા ભાગ્યશાળી છે. નહિતર ભરત કુલમાં ઉત્પન્ન થયેલ, શખ્સનું જેવાને પ્રપૌત્ર અને આપણું પોતાની ફેઈ કુન્તીને પુત્ર, પતિ તરીકે એને સાંપડે ખરે ?”
શ્રીકૃષ્ણનું આ સંભાષણ યાદવોની એ સભાને કેવું લાગ્યું હશે ? તેઓ જેમાં અપમાન જતા હતા તેમાં જ શ્રીકૃષ્ણ બહુમાન જોતા હતા.
દરમ્યાન શ્રીકૃણ પિતાના વકતવ્યને ઉપસંહાર કરતા હતા ઃ “યુદ્ધમાં પાર્થને પરાજય કરી શકે એવો કઈ માઈને પૂત હું જોતો નથી.”
આ વાક્ય સાંભળતાં વેંત બલભદ્ર સહિત તમામ યાદવવીરેના ચહેરા પર એટલો બધે ઉશ્કેરાટ છવાઈ ગયું કે જાણે હમણાં જ સૌ ભેગા મળીને પાર્થનું અને પાર્થને સમગ્ર કુલનું નિકંદન કાઢી નાખશે.
પણ ત્યાં તો પોતાના વકતવ્યની પૂર્ણાહુતિ કરતાં કૃષ્ણ છેવટની અને સૌથી વધુ ચોટદાર દલીલ છોડીઃ “અને અર્જુનની આટલી બધી શકિતનું કારણ શું છે, જાણે છો? એના રથને મારા ઘોડા જોડેલા છે.”
અને તોફાને ચઢેલ કે ઈ મહાસાગર કોઈ મહાયોગીની શામક દૃષ્ટિ પડતાં શાન્ત થઈ જાય તેમ યાદવવીરેને અર્જુન સામેને વિધાનલ એકાએક શાન્ત થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૩૬. અભિમન્યુનો જન્મ
અર્જુનના વનવાસનાં બાર વર્ષે, એટલે એના જીવનને એક અત્યંત મહત્ત્વનો ભાગ. આખી ભારત ભૂમિનું આ બાર વર્ષો દરમ્યાન એણે દર્શન કર્યું. નવા નવા અનેક દેશો અને નવી નવી અનેક જાતિઓના ગાઢ સંપર્કમાં એ આવ્યું. એકલે હાથે દૂર દૂરના દેશોમાં યુદ્ધો યે કર્યા અને મૈત્રી સંબંધ યે બાંધ્યા. ગંગાદ્વાર પાસે નાગલોકમાં ઉલૂપીને પર. મણિપુરમાં ચિત્રાંગદાની સાથે પ્રેમને દોરે સંકળાયે. નારીતીર્થોમાં વર્ગો વગેરે અપ્સરાઓને ગ્રાહમાંથી મનુષ્ય બનાવી. અને છેલ્લે સૌરાષ્ટ્રમાં આવીને, આપણે જોઈ ગયા તેવા વિચિત્ર સંયોગો વચ્ચે, સુભદ્રાનું પાણિગ્રહણ કર્યું.
પણ હજુ સૌથી મટે એક અનુભવ તે બાકી જ હતા.
ઈન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરી મહારાજ યુધિષ્ઠિરને પ્રણમી, બ્રાહ્મણો અને ગુરુને વંદન અપ જેવો એ દ્રૌપદીના ખંડમાં દાખલ થયો તેવી જ એ તાડુકીઃ “તમે અહીં શા માટે આવ્યા છે ત્યાં જ જાઓને, જ્યાં પેલી સાવંત કુલની તમારી સુભદ્રા છે.”
અને પછી જાણે આટલાં વેણ બોલાઈ રહે તેની જ વાટ જોઈને બેઠી હોય એવી અશ્રુધારા તેની આંખમાંથી રેલાવા લાગી અને તેણે એટલું બધું કલ્પાંત કરી મૂકયું કે તેને છાની શી રીતે રાખવી, અર્જુનને સૂઝયું જ નહિ!
આ પ્રસંગનો મહાભારતનો એક કલેક નોંધપાત્ર છે. અર્જુનને જોઈને દ્રૌપદીએ કહ્યું:
तत्रैव गच्छ कौन्तेय यत्र सा सात्वतात्मजा। सुबद्धस्यापि भारस्य पूर्व बन्धः श्लथायते ।।
ત્યાં જ જા, કૌતેય, જ્યાં સાત્વતકુલની તારી સુભદ્રા છે. ગાંઠ સારી રીતે વાળેલી હોય, છતાં એના પર બીજી ગાંઠ વાળો, તો પહેલી ગાંઠ થેડી ઘણું ઢીલી તે થવાની જ !"
અર્જુન અને શો જવાબ આપે? દ્રૌપદીની પ્રેમગાંઠ ઉપર એણે સુભદ્રાની પ્રેમગાંઠ મારી હતી. અને ઉલૂપી અને ચિત્રાંગદાની તો હજુ દ્રૌપદીને કદાચ ખબર જ નથી ! એ ખબર એને પડશે ત્યારે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આવા આવા વિચારો દરમ્યાન અર્જુનને એક યુકિત સૂઝી. દ્રૌપદી પ્રત્યેના તેના સ્નેહમાંથી જ એ યુકિત જન્મી હતી. તે બહાર ગયો. સુભદ્રાને તેણે શોધી કાઢી. ગોવાલણને વેશ પહેરવાની તેણે તેને સૂચના કરી. સુભદ્રાએ લાલ રેશમની એાઢણુ-સૌરાષ્ટ્રની ગોવાલણો ઓઢે છે તેવી ઓઢી. એ વેશમાં તે ઉલ્ટાની વધુ દીપી રહી.
પછી સુભદ્રાને અર્જુન કપાત કરતી દ્રૌપદી પાસે લઈ આવ્યો અને દ્રૌપદીને જોતાં વેંત સુભદ્રા, “હું તો તમારી દાસી છું” એમ કહેતીકને પગે પડી ગઈ. અને સુભદ્રાને આ વિનમ્ર વર્તનથી દ્રૌપદીનું હદય પીગળી ગયું. પગે પડેલી સુભદ્રાને તેણે બાથમાં લીધી અને “ભદ્ર, તારા પતિ નિઃસપન્ન બને” એટલે કે બિનહરીફ બને, એવી આશીષ ઉચ્ચારી, જે સુભદ્રાએ કૃતજ્ઞ ભાવે માથે ચઢાવી.
સુભદ્રાને જ્યારે સીમંત આવ્યું ત્યારે બલભદ્ર તથા કૃષ્ણ, બને ભાઈએ દ્વારકાથી તેના માટે મબલખ મામેરું લઇને ઇન્દ્રપ્રસ્થને આંગણે ઉપસ્થિત થયા. વૃષ્ણ, અધક અને સાત્વત કુલોના અનેક વીરે તેમની સાથે હતા. અક્રૂર, ઉંધવ, સત્વક, સાયકી, કૃતવર્મા, પ્રદ્યુમ્ન, સામ્બ, નિરાઠ, શંકુ, ચારુદેણુ વગેરે નવયુવાન, પ્રૌઢ અને વૃદ્ધ ત્રણેય પેઢીઓના અગ્રગણ્ય પ્રતિનિધિઓ આ શુભ પ્રસંગ નિમિત્તે ઈન્દ્રપ્રસ્થના ઊગતાં-વિસતાં ગૌરવને નજરે નિહાળવા આવ્યા હતા.
અભિમન્યુને જન્મ થયે ત્યાં સુધી શ્રીકૃષ્ણ ઈન્દ્રપ્રસ્થમાં જ રહ્યા. બાળપણથી જ આ ભાણેજ કૃષ્ણને ખૂબ લાડીલો હતો. તેનું શિક્ષણ કાર્ય પણ તેના પિતા અર્જુન અને મામા શ્રીકૃષ્ણ એ બન્નેની સંયુક્ત દેખરેખ નીચે થયું,
આ અરસામાં પાંચેય પાંડથી દ્રૌપદીને પાંચ પુત્રો થયા, અને શુકલપક્ષને ચંદ્ર વધે એમ એ બધા પુત્રો અને પાંડ સંપત્તિએ, કીર્તિએ અને શકિતએ વધતા લાગ્યા.
૩૭ ખાંડવદાહ હવે પાંડવોને સુખે બેસવાને વારે આવ્યો હોય એમ લાગતું હતું. લેકે ને પણ હવે જાણે ઘણા લાંબા વખત પછી ધર્મરાજ્યને આસ્વાદ મળવા માંડયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ધર્મ એ યુધિષ્ઠિરનું બીજું નામ છે એ અર્થમાં જ માત્ર નહિ, પણ “ધર્મરાજ્ય” શબ્દના સાચા અર્થમાં ધર્મરાજ્યને સુખદ અનુભવ પ્રજાને હવે થવા માંડયો હતો.
મહાભારત કહે છે કે જેમ ધર્મ, અર્થ, અને કામ ઉપર મેક્ષ શોભે તેમ ત્રણે લોક પર ધર્મરાજ યુધિષ્ઠિરનું શાસન શોભતું હતું.
શ્રીકૃણ હજુ ઈન્દ્રપ્રસ્થમાં જ હતા. એકવાર અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું: “આજકાલ ગરમી ઘણું પડે છે, માટે ચાલે, આપણે જમના-કાંઠે ફરવા જઈએ, સાંજે પાછા ફરીશું.” પછી ધર્મરાજાની અનુજ્ઞા લઈને આ બંને કૃષ્ણ (અર્જુનનું એક નામ કૃષ્ણ પણ હતું) પોત પોતાના સેવકે અને પરિચાર સાથે યમુના કાંઠે પહોંચ્યા. દ્રૌપદી અને સુભદ્રા પણ સાથે જ હતાં, એમની સાથે એમની અનેક પરિચારિકાઓ પણ હતી.
એટલે યમુના કાંઠે તો વગર પ્રસંગે જ, એક પ્રસંગ જાણે નિરમાઈ ગ. ઉત્સવની ધૂમ મચી ગઈ. ગીત નૃત્ય, વાઘો, ખાન-પાન, ઉજાણું !
પણ કૃષ્ણ અને અર્જુનને તે નીરાંતે બેસીને વાત કરવી હતી. ભૂતકાળના પોતપોતાના જીવનના-પ્રણયના અને નયના પ્રસંગોને સંભારી સંભારીને તેમાંથી ભવિષ્યને માટે ઉપયોગી થાય એ સાર કાઢવો હતે. ઉજાણુની ધાંધલથી થોડેક દૂર આસને મંડાવીને તેઓ વાતોએ ચઢયા.
શું શું વાતો કરી હશે તેમણે, પ્રસગે? કૃષ્ણ સ્વાભાવિક રીતે પોતાનું બાળપણ સંભાર્યું હશે. વ્રજમંડલના ગોપગોપીઓને પ્રેમથી યાદ કર્યા હશે. એની સાથે કંસ અને એના મલેચાણુર અને મુષ્ટિ અને પેલે કુવલયાપાડ હાથી અને સૌથી વધારે તો પેલી કુબજા-ત્રિવક્રા! શું શું નહિ યાદ આવ્યું હોય, એ વખતે, વસુદેવ-દેવકીના એ, કારાગૃહમાં જન્મેલ આઠમા સંતાનને !
અને અર્જુનને ? એને અનુભવ પણ વિપુલ અને વિવિધ હતા. દ્રોણની શાળામાં પોતે શિષ્ય હતું, ત્યારથી માંડીને શસ્ત્ર પરીક્ષા સુધીને દિવસ, તે પછી લાક્ષાગૃહથી દ્રૌપદી-સ્વયંવર, અને છેલે હજુ હમણાં જ પૂરો થયેલો બાર વરસને વનવાસ, જે વનવાસ દરમ્યાન ઉલૂપી, ચિત્રાંગદા અને છેલ્લે સુભદ્રા મળ્યાં. જ્યાં સુધી જગતમાં કવિઓ છે, ત્યાં સુધી કૃષ્ણાર્જુનની યમનાતટની વાતચીત તેમની લેખિનીને આકર્ષતી જ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રીકૃષ્ણ અને અર્જુન, સાળો અને બનેવી, આમ વાતમાં ઓતપ્રેત છે ત્યાં એક બ્રાહ્મણ તેમની કને આવે છે. અત્યંત વિચિત્ર એવો એને દેખાવ છે.
અજાણ્યા એવા આ બ્રહ્મદેવને જોતાં વેંત શ્રીકૃષ્ણ તેમજ અર્જુન બને પિતપોતાનાં આસને ઉપરથી ઊભા થઈ ગયા. આ બ્રાહ્મણ, મહાભારત કહે છે કે, બીજો કઈ નહિ પણ સાક્ષાત અગ્નિદેવ જ હતે.
ઈન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરની આસપાસનાં ભયાનક જંગલ ઘણુંખરાં આગમાં, દાવાનળમાં નાશ પામ્યા હતા, અને કેટલાકને કદાચ વસતીની સલામતી અને સગવડને સારુ જાણીબુઝીને બાળી પણ નાખવામાં આવ્યા હશે.
પણ ખાંડવ નામનું એક ઘોર વન, આર્યોને મુંઝાવતું અને ડરાવતું, હજુ એવું ને એવું ઊભું હતું.
કહેવાતું હતું કે સાક્ષાત ઇન્દ્ર એ જંગલની રક્ષા કરે છે, કારણ કે ઈદને મિત્ર તક્ષક નાગ એ જંગલમાં વસે છે.
અગ્નિદેવે આ બન્ને કૃષ્ણને વિનંતી કરીઃ “ખાંડવને ભસ્મીભૂત કરવામાં આપ બને મને સહાય કરે; અને તક્ષકને પક્ષ લઇને યદિ ઈન્દ્ર આપણું આ કાર્યની આડે આવે, તે એ ઈન્દ્રને પણ સીધો કરો !”
અર્જુન અને શ્રીકૃષ્ણ બન્નેએ ખૂબ તૂહલ અને ધ્યાનપૂર્વક આ માગણી સાંભળી. એ માગણની પાછળ આર્યજાતિને હિતકર થઇ શકે એવું એક તત્વ હતું એમ તેમને લાગ્યું.
પણ અગ્નિને એ આદેશ અમલમાં મૂકવા જતાં ઇન્દ્રને વિરોધ વહોરી લેવાને હતો. ઈન્દ્ર એટલે સ્વર્ગને અધિપતિ અને તક્ષક એટલે આ પૃથ્વીના નાગોને નેતા. એટલે દેવો તથા નાગ બનેની સંયુક્ત તાકાત સામે ઝૂઝવાનું હતું.
પિતાના વીર્ય અને પરાક્રમ પર તેમને અખૂટ શ્રદ્ધા હતી. પણ પૌરુષને અનુરૂપ સાધને પણ હેવાં જોઈએ ને ! અગ્નિદેવને તેમણે કહ્યું
पौरुषेण तु यत्कार्य तत् कर्तारौ रवः पावकः ।
करणानि समर्थानि भगवन् दातुमर्हसि ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પોરુષથી, અંગબળથી અને હૈયાની હામથી જેટલું થઈ શકે તે બધું જ અમે કરીશું; પણ તું અમને આ કાર્ય માટે જોઇતાં સાધને આણી આપ.” એટલે અગ્નિદેવે અર્જુનને ગાંડિવ ધનુષ્ય અને શ્રીકૃષ્ણને સુદર્શોન ચક્ર વરુણ પાસેથી આણી આપ્યાં. સાથે સાથે જેમાં બાણા કદી ખૂટે જ નહિ એવાં એ ભાથાં અને દિવ્ય અશ્વો જોડેલ એક રથ પણ અપાવ્યા. આ ઉપરાંત શ્રીકૃષ્ણને તેણે એક ગદા પણ વરુણ પાસેથી અપાવી. કૌમેાકી ગદા એ એનું નામ.
પછી આ ખેતી એટલે કે શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાયતાથી તેણે ખાંડવ વનને બાળવાનુ કા શરૂ કર્યું..
આ ખાંડવહનનું આખું પ્રકરણ કમકમાટી ઉપજાવે તેવું છે.
એ નૃત્યને બચાવ એક જ રીતે થઇ શકે. એ જંગલ આસપાસની શાન્ત અને સંસ્કારી પ્રજાને રંજાડનારી જાતિએના અને ટાળકીએના એક છૂપા સતાવાના કેન્દ્રસ્થાન જેવું હેાઇ શકે.
તક્ષક એ નાગ જાતિને નાયક લાગે છે, અને નાગેા અને આર્યા વચ્ચે આપણા ઇતિહાસના આદિપ॰માં અણબનાવ હતા, એ જોતાં આર્યાના દેવ અગ્નિ, તક્ષકના નાશ ઇચ્છતે હાય એ સાવ સ્વાભાવિક લાગે છે.
પણ તેા પછી ઈન્દ્ર શા માટે તક્ષકને! પક્ષકાર છે ? ઇન્દ્રને આ ઉપરથી અગ્નિ કરતાં વધુ ઉદારમતવાદી માનવા, કે ફકત પાંચમી કતારીખે જ ! ખુટલ ! વિશ્વાસઘાતી ! કૃતઘ્ન !
ગમે તે હેા, પણ જેના નાશ માટે આ બધી ધાંધલ કરવામાં આવી હતી તે તક્ષક તે! આ વખતે ખાંડવ વનની બહાર જ હતા. સ`ભવ છે કે અગ્નિની યાજનાની તેને ઇન્દ્ર દ્વારા અથવા પેાતાના જાસુસે। દ્વારા ગધ આવી ગઇ હોય ! કથા કહે છે કે ખાંડવ વનના આ દહનમાંથી ફ્કત છે જ જીવા ખચવા પામ્યા. તક્ષકના પુત્ર અશ્વસેન, મય, નમુચિને ભાઇ, અને ચાર પ્રાણીઓ.
૩૮ અર્જુન સાથે અનંત પ્રીતિ
આ ખાંડવદા કુલ છ દિવસ ચાલ્યા. પછી આખુ જગલ બળીને ભસ્મ થઇ જતાં અન્તરિક્ષમાંથી સુરેશ્વર ઈન્દ્ર આવ્યા. મરુદ્ગણુથી એ ઇન્દ્ર વીંટળાયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
હતે. એણે કૃષ્ણ તથા અર્જુનને સંબોધીને કહ્યું : “અમારા માટે પણ દુષ્કર એવું આ કાર્ય તમે બેયે કર્યું છે. હું સંતુષ્ટ થયે છું. વર માગો.”
એટલે પાથે માગ્યું: “મને સકલ શસ્ત્રો આપો.”
તથાસ્તુ !” ઇન્કે કહ્યું. “જગતમાં જે જે શસ્ત્રો છે, તે બધાં જ હું તને આપીશ. પણ અત્યારે નહીં.” “તો કયારે ?” અર્જુને પૂછયું.
જ્યારે ભગવાન મહાદેવ તારા પર પ્રસન્ન થશે ત્યારે.” “તે વાતની મને કેમ ખબર પડશે?”
“તને કદાચ નહીં પડે,” ઇન્દ્ર અર્જુનને પ્રતીતિ આપે છે. “ પણ મને તો પડશે જ ને. મને જ્યારે ખાતરી થશે કે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થયા છે, તે વખતે હું જાતે આવીને તેં માગેલાં બધાં જ શસ્ત્ર તને આપી જઈશ. એમાં અગ્નિ અસ્ત્રો હશે, વાયુઅો હશે અને મારાં ઈન્દ્રનાં અસ્ત્રો એટલે કે વજ અસ્ત્રો અથવા વિદ્યુતઅસ્ત્રો પણ હશે.”
પછી ઈન્દ્ર શ્રીકૃષ્ણને કેક માગવાનું કહ્યું. “મને તે ફકત એક જ વસ્તુ જોઈએ, મહારાજ શ્રીકૃષ્ણે કહ્યું. “બોલે !” “અર્જુનની શાશ્વત પ્રીતિ.”
આ બે વરદાનની પાછળનું મર્મ સમજવા જેવો છે. અગ્નિઅસ્ત્રો, વાયુઅસ્ત્રો અને વિદ્યુતઅસ્ત્રો માનવીને હાથમાં મૂકવામાં આવે તો એને પહેલો ઉપયોગ, કદાચ મનુષ્યના પરસ્પર સંહાર માટે જ થાય, એવી સુરપતિને ધાસ્તી હતી.
સાંસારિક મહાવાકાંક્ષાઓ સંતોષવા માટે, આખા જગતને પોતાને ચરણે ઝુકાવવા માટે અથવા સમગ્ર માનવજાતિને ગુલામ બનાવવા માટે આ બધાં શસ્ત્રોનો દુરુપયોગ અર્જુન તરફથી થાય એવી ભીતિ ઈન્દ્રને હતી. એટલે એણે આ શરત મૂકીઃ શંકરની પ્રસન્નતાની, શિવની પ્રસન્નતાની. શિવના ઉપાસકના હાથમાં આ બધાં વિનાશક સાધને વિનાશ માટે ન વપરાતાં, સર્જન માટે જ વપરાશે. શિવ એટલે કલ્યાણ. શંકર ત્યાગ અને વૈરાગ્યના પ્રતીક. ત્યાગ અને વૈરાગ્યપૂર્વક માનવકલ્યાણની પ્રતિજ્ઞા જેણે લીધી હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૯
એવાના હાથમાં જ “અણબેબ” અને “ જળમ્બ” અને “વાયુ ...” મૂકી શકાય !
હવે કૃષ્ણ માગેલ વરદાનને મમ જોઈએ. એ અર્જુનની પ્રીતિ સિવાય બીજું કશું જ માગતા નથી. અર્જુન દ્વારા એને માનવમંગલનાં ઘણાં કામો કરાવવાનાં છે. ભવિષ્યમાં “યોગેશ્વર કૃષ્ણ” અને “ધનુર્ધર પાર્થ”ની જોડી “શ્રી” “વિજય” અને “ભૂતિ' સજશે એવી આગાહી જાણે અત્યારથી જ થવા માંડી છે.
કથા કહે છે કે બંને કૃષ્ણો આ પ્રમાણે બે વરદાને પામી, અગ્નિદેવની પરીક્ષા કરી પાછા રમણીય નદીકિનારા પર આવી ગયા.
અગ્નિના નિમંત્ર્યા ખાંડવવન બાળવા માટે જ્યારે તેઓ ઉપડયા હતા, છ દિવસ પહેલાં, ત્યારે તેઓ બે જ હતા. કાર્ય પૂરું કરીને યમુનાતટ પર ફરી આવે છે, ત્યારે તેઓ બેના ત્રણ થઈ ગયા છે.
ત્રીજે તેમની સાથે છે મય-મયદાનવ. પેલો પ્રખ્યાત દાનવ નમુચિ, તેને ભાઈ ખાંડવવનમાં આવેલ તક્ષકપ્રાસાદમાંથી જે નીકળ્યો હતો તે
૩૯ ઇન્દ્રના ભેદી વ્યકિતત્વને કોયડે આજેય
અણઉકેલ છે.
મયને દાનવ શા માટે કહ્યો હશે, તે સમજાતું નથી. તે બાંધકામમાં જબરો નિષ્ણાત છે, પણ એમાં દાનવતા કયાં આવી ? બીજી બાજુ તેનામાં કૃતજ્ઞતા પણ ભારોભાર છે, એમાં પણ માનવતાની જ ખુઓ આવે છે.
ત્યારે શું “દાન” એ કઈ જાતિ હશે, “માન થી જુદી જાતની ? એમ બને, કે “આર્યો પોતાની જાતને “મન” ના પુત્ર એટલે કે “માનવો માનતા હોય, જ્યારે આ જુદી જમાતના લોકોને તેઓ “દન’ના પુત્રો એટલે કે દાન માનતા હોય.
વળી અર્જુન અને શ્રીકૃષ્ણ અગ્નિની વિનંતિથી જ્યારે ખાંડવવનને બાળ્યું, ત્યારે તેનું મૂળ કારણ તો એ હતું કે “તક્ષક” નાગ ત્યાં સંતાઈને રહ્યો હતો. નાગો “માનવો” ના એટલે કે આર્યોના વિરોધીઓ હતા, અને તક્ષક એ આર્યોના દેવ ઈન્દ્રને મિત્ર અને આશ્રિત હતો. જનમેજયે નાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સત્ર કર્યો, ત્યારે પણ આ તક્ષકને ઈ આશ્રય આપ્યો હતો અને બ્રાહ્મસેને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેમણે ઈન્કાય સ્વાહા” “તક્ષકાય સ્વાહ એવા મંત્રો ભણીને તક્ષકને ઇન્દ્રના ઈન્દ્રાસન સેતો ઠેઠ યજ્ઞ જવાળાઓ સુધી નીચે ઘસડયો હતો, એ કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે.
અને એટલે જ તો ઇન્દ્ર, દેવતાઓને સાથે લઈને “તક્ષક”ના નિવાસસ્થાન જેવા ખાંડવવનને બળતું અટકાવવા માટે શ્રીકૃષ્ણ અને અર્જુનની સામે લડયો હતો. હકીકતમાં જે યુદ્ધ થયું હતું તેમાં એક બાજુ અગ્નિ, અર્જુન અને શ્રીકૃષ્ણ હતા, જ્યારે સામી બાજુએ તક્ષકને પુરસ્કર્તા ઇન્દ્ર અને તેના દેવો અને મયના નાતીલા દાન અને તક્ષકના નામે હતા. એટલે કે આર્યો અને બાકીનાઓ વચ્ચે આ છેલ્લું યુદ્ધ હતું–ઉત્તર ભારત પૂરતું.
જે હે તે, પણ એમાં ઈન્દ્ર આર્યોને દેવ આર્યોની સામે શા માટે લડયો હતા ? શા માટે એને અને તક્ષકને મૈત્રી હતી ? આ બધા સવાલો ખૂબ વિચારણું માગી લે તેવા છે.
પણ એક વાત ચોકકસ કે આર્યોના સૌથી મોટા દેવ તરીકે ઇન્દ્રની જે પ્રતિષ્ઠા હતી, તે આ બનાવ પછી ખૂબ ઓછી થઈ ગઈ. તેનું સ્થાન તે પછી અગ્નિએ અને શ્રીકૃષ્ણ લીધું.
પણ હવે આપણે મયદાનવ પાસે આવીએ.
મયમાં કૃતજ્ઞતાની વૃત્તિ જબરી હતી. એટલે ખાંડવદાહનું કાર્ય પરિપૂર્ણ કર્યા પછી અર્જુન અને શ્રીકૃષ્ણ તેને લઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા, ત્યારે તેણે અજુનને વિનંતી કરી કે “આ કૃષ્ણ અને પેલે અગ્નિ બને મારો નાશ ઈચ્છતા હતા, છતાં તમે મારું જીવન બચાવ્યું, માટે મારે તમારા એ ઉપકારનું ઋણ કઈને કઈ રીતે ફેડવાની કોશિશ કરવી જોઈએ.
તમે કહે, હું તમારા માટે શું કરું ?”
મયની આ વિનંતિ જેવી ખાનદાન છે, તેવો જ અર્જુનને જવાબ પણ ખાનદાન છે. ગૃહસ્થાઈમાં મયથી ઊતરે તે એ અર્જુન શાને ?
અને જવાબ આપે છેઃ “તું અમારા પર પ્રીતિ રાખ એટલું જ બસ છે. અમને તારા પર પ્રતિ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૧
“પણ મારે પ્રીતિ-પૂર્વક જ કંઈક કરવું છે.” પુરશ્રેષ્ઠ મયે આગ્રહ કર્યો.
તું માને છે કે મેં તારી જિંદગી બચાવી. એ સ્થિતિમાં તારી પાસેથી હું શી રીતે કંઈ પણ લઈ શકું ?” અર્જુન જવાબ આપે છે.
એટલે કે અર્જુન જિંદગી બચાવવાને બદલે નથી ઇચ્છતો. એ બદલે ઈરછો એ “અનાર્ય છે એવી અજુનની માન્યતા છે.
અને છતાં મયનો આગ્રહ ચાલુ જ છે. એ આગ્રહ જોઈને આખરે એ કહે છે કે “ આ કૃષ્ણ જે કહે તે કર; એટલે તે મારા માટે કર્યું છે એમ હું માનીશ.”
આમાં કૃષ્ણ-અજુન બનેનું સખ્ય પણ નિર્દેશાયું છે અને સાથે સાથે જે કૃષ્ણને તું તારે વિરોધી માને છે એ કૃષ્ણને જ તું રાજી કરે” એવો ઇશારે પણ છે.
અર્જુનની આ સૂચનાથી મય કૃષ્ણ તરફ ફર્યો. જે વિનંતી તેણે અર્જુનને કરી હતી, તે જ તેણે શ્રીકૃષ્ણને કરી.
શ્રીકૃષ્ણ એક મુહૂર્ત વિચાર કર્યો. પછી કહ્યું: “તારે ધર્મરાજનું કૈક પ્રિય કરવું જ એવી તારી કામના હોય, તો તે શિપીષ્ઠ, હે દૈત્ય, તું એમને માટે એક એવી સભા (મંડ૫) ચ કે જેનું મનુષ્યમાં કયાંય કોઇનાથીયે અનુકરણ ન થઈ શકે.”
શ્રીકૃષ્ણની આ માગણના અનુસંધાનમાં મયે ઇન્દ્રપ્રસ્થમાં દશ હજાર હાથના વિસ્તારવાળી સભાની રચના કરી.
૪૦. સિંહાસને સિહોને નથી સરજતા, સિંહે
સિંહાસનેને સરજે છે.
મહાભારતના આદિપર્વની કથા ગયા પ્રકરણમાં પૂરી થઈ. એ પર્વને આદિ એવું નામ વ્યાસજીએ એગ્ય રીતે જ આપ્યું છે. કારણ કે મહાભારતની કથાને જે અન્ત આવે છે એ અન્તનાં આદિ બીજ બધાં જ આ પર્વમાં વવાય છે. દેવવ્રત જેવો દેને પણ ઈર્ષ્યા આવે એવો પુત્ર હેવા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શન્તનુને ઊતરતી અવસ્થામાં પરણવાનું મન થાય, અને એ મનતે એવા ઉત્તમ ગુણવાન પુત્રના અધિકાર ઉપર કાપ મૂકીને પણ પૂરું કરે એ મહાભારતમાં નિરુપાયેલ આખાયે અનિષ્ટનું આદિ મૂળ છે શન્તનુને અસંયમ. (એનું નામ જ “શન્તનુ” છે-જે તનુની શાન્તિ છે છે, ‘તનુની’ શાન્તિ સદૈવ સાધવાની જેની વૃત્તિ વધે છે.) મહાભારતકારને કામની સામે વાંધો નથી. પણ એ કામ ધર્મથી અવિરુદ્ધ હાવા જોઇએ એવા એમનેા આગ્રહ છે. શન્તનુના ધર્મ વિરુદ્ધ કામે મહાસંહારનાં ખીજ વાવ્યાં એ કથા, ઉચિત રીતે જ આપિ
માં છે.
એવી જ રીતે પાંડવા અને ધાર્તરાષ્ટ્રો વચ્ચેના સહજ વરાગ્નિમાં ઇન્પણુ બનનાર દ્રૌપદીના જન્મથી માંડીને એના સ્વયંવર સુધીની કથા પણુ આદિપર્વમાં જ આવી જાય છે. દ્રુપદ અને દ્રોણ વચ્ચેની દુશ્મનાવટ એ પણ ભારત–કથાના વિનાશપટને એક પ્રારભિક તાણા-વાણા છે.
વળી અશુભ તત્ત્વાની સાથે શુભ તત્ત્વના પ્રારંભ પણ આદિપમાં જ નિરૂપાયા છે. પાંડવાની ધર્મપરાયણતા, અનેક ઉશ્કેરણીએ વચ્ચે પણ અધની દિશાથી દૂર રહેવાની તેમની વૃત્તિ, તેમની કૃષ્ણપ્રીતિ, તેમનું તપ, તેમની ચેાગનિષ્ઠા, પરોપકાર અર્થે જીવાતું તેમનું જીવન, ખીજાને માટે મૃત્યુના મુખમાં પણ સહ ધસવાની તેમની તૈયારી, એ બધાના પ્રારંભ પણ આપણે આદિ પર્વમાં જ જોઇએ છીએ. મહાભારતકારમાં નાટયતત્ત્વની ભારે સૂઝ છે, પકડ છે. સંધ –પ્રધાન દ્રશ્યાવલીએ તે આપણી સામે, એક પછી એક, દીવામાંથી દીવેા પ્રગટે, એ રીતે પ્રગટાવતા જાય છે. કુન્તી કર્ણને વહેતા મૂકે છે, તેા કર્યું કુન્તીના કાયદેસરના પુત્રાને પડકારવા પાછા આવે છે. દ્રોણ તે દ્રુપદ લંગોટિયા ભાઈબંધો છે. પણ સિ`હાસન દ્રુપદનું મગજ ફેરવી નાખે છે, અને દ્રોણ દ્રુપદને સીધેા કરવા માટે સિંહાસનને શરણે જાય છે. અને પછી દ્રુપદ એ દ્રોણને સીધા કરવા માટે શકિતમેના સંચય કરે છે. મત્સ્યગ ંધાને પિતા દેવવ્રતને સિંહાસનથી દૂર રાખવાની ખટપટ કરે છે, તે તેની પુત્રીના બન્ને પુત્રા અપુત્ર મરણ પામે છે અને સત્યવતીના સિંહાસનને ભીષ્મની દયા ઉપર નભવું પડે છે. દુર્યોધન પાંડવાને માટે લાક્ષાગૃહ સરજે છે અને એ જ લાક્ષાગૃહ એમને માટે નવજીવનનું એક અણુમેાલ દીક્ષાગૃહ બની જાય છે.
અને એ લાક્ષાગૃહમાં બળી જાય છે માત્ર પેલે કુહાડાનેા હાથેા-વિરાચન.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૩
વનવાસે પાંડને માટે વરદાનરૂપ બને છે, અને વરદાને દુષ્ટ ધાર્તરાષ્ટ્ર માટે શાપરૂપ બને છે. અંધત્વને કારણે ધૃતરાષ્ટ્ર સિંહાસન શ્રેટ થાય છે, તો એના જ પુત્રો, જીવનભર દેખતા પાંડવોને સિંહાસનથી દૂર રાખવાની ચેષ્ટાઓ કરે છે. કવાંક સત્યાસત્યની અત્યંત ઝીણવટભરી સમજ છે, તે આગ્રહ નથી. કયાંક સમજ અને આગ્રહ બને છે તો શકિત નથી; કયાંક સમજ, આગ્રહ અને શકિત ત્રણેય છે, તે એકાદ એવો દુર્ગુણ છે જે બધાયને વિકૃત કરી નાખે છે.
અને આ આદિ પર્વને અંત પણ કે નાટયાત્મક છે. સ્વયંવરમાં લક્ષ્યને સિદ્ધ કરીને પાંડ દ્રૌપદીને પરણ્યા. એમના કૃષ્ણમંડિત પક્ષને દ્રપદનું બળ સાંપડયું. હસ્તિનાપુરમાં તેઓ દ્રૌપદી સમેત આવીને સ્થિર થયા, સિંહાસન પર, દુર્યોધનની સાથે પણ સંયુકત આસન દુર્યોધનને ન ફાવ્યું. તેણે તેમને ઇન્દ્રપ્રસ્થ ધકેલ્યા. સિહાસન સિંહો નથી સરજતું, પણ સિંહો સિહાસન સરજે છે, એ પરમ સત્ય દુર્યોધન ભૂલી ગયા. ઇન્દ્રપ્રસ્થ જોતજોતામાં પાંડવસિહોના પરાક્રમ વડે અને શ્રીકૃષ્ણની પ્રેરણાથી એક ચક્રવતી ધર્મરાજ્યનું કેન્દ્ર બની ગયું. એવામાં એક નાનકડા નિયમભંગને કારણે અર્જુને બાર વરસનું વિવાસન સ્વીકાર્યું. એમાં એને ઉલૂપી ચિત્રાંગદા અને સુભદ્રા સાંપડયાં. અને સૌથી વધુ તે શ્રીકૃષ્ણ સાથેનું સખ્ય વધુ દઢ બન્યું. પછી બનેવીને આંગણે શ્રીકૃષ્ણની અવર-જવર વધી. એમાં બંને કૃષ્ણો (અજુનનું એક હુલામણું નામ કૃષ્ણ પણ હતું) એક વાર યમુના કાંઠે આનંદ-પર્યટન માટે ગયા. ત્યાં તેમને અગ્નિ મળ્યો. અગ્નિએ તેમને તેમનાં વિશ્વ-પ્રસિદ્ધ અસ્ત્રો આપ્યાઃ સુદર્શન અને ગાંડિવ અને પાંચજન્ય અને કૌમુદકી ગદા. અને પછી આર્યતાની બરાબર વચ્ચે વચ્ચે અનાર્યતાને રક્ષનાનારું અને પોષનારું એવું ખાંડવવન તેમણે ભેગા થઈને બાળ્યું અને એમાંથી મય શિપી તેમને હાથ લાગ્યો.
અને આ મય (માયાનો સર્જનાર) દ્વારા તેમણે જે સભાનું નિર્માણ કરાવ્યું તે સભા અને સભાની સાથે સંકળાએલી શુભ અશુભ ઘટનાપરંપરા એ વિષય છે મહાભારતના બીજા પર્વને, જેને નામ પણ સમુચિત રીતે “સભાપર્વ આપવામાં આવ્યું છે.
આરિપવ સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
સભાપર્વ
कृष्णस्य क्रियाताम् किंचित्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૪૧. યુધિષ્ઠિર અને નારદ
સભાનું નિર્માણ મયદાનવને હાથે થયા પછી અને પાંડવોએ વિધિપૂર્વક તેમાં પ્રવેશ કર્યા પછી નારદજી યુધિષ્ઠિરની મુલાકાત લે છે.
નારદ પૂછે છે: “હે રાજન, તારા રાષ્ટ્રમાં મોટાં અને પાણીથી છલકાતાં તળાવ તો છે ને ? અને તે પણ બધાં એક જ ઠેકાણે ન હોતાં જુદા જુદા વિસ્તારોમાં વહેચાયેલાં છે ને? વળી ખેતીને આધાર કેવળ વરસાદ ઉપર તો નથી ને? (૮૦) રક્ષણને સંબંધ છે, ત્યાં સુધી તારાં ગામડાંઓ શહેરો જેવાં જ અને તારા સીમાડા ગામડા જેવા જ છે ને ? (૮૪) રાતના પહેલા બે પહોર જ તું સુવે છે ને ? અને છેલ્લા બે પહોરે ધર્મ અને અર્થના ચિંતનને આપે છે ને ? (૮૮) વળી એવું તે નથી બનતું ને કે લોભ, મેહ, હુંપદ કે એવા કેઈ કારણે તારે દ્વારે આવેલ ફરિયાદીઓ અને અરજદારોને તું સાંભળે પણ નહિ ? (૯૪) વળી દ્રવ્ય-લોભને કારણે કોઈ વાર તારા રાષ્ટ્રમાં પકડાયેલા ચરાને સજા આપ્યા વગર જ એમને એમ તે નથી છોડી મૂકવામાં આવતા ને? (૧૦૮) અગ્નિ, સર્પ, રેગ વગેરેથી રાષ્ટ્રનું રક્ષણ તે બરાબર કરે છે ને ? (૧૨૬) આંધળા, મૂંગા, પાંગળા, અપંગ, અનાથ અને સંસારને ત્યાગીને પ્રવજયા લેનારાઓ એ સૌનું તું પિતાની માફક પાલન તે કરે છે ને ? (૧૨)
આ અને આવા બધા પ્રશ્નોને સંતોષકારક જવાબ આપ્યા પછી યુધિષ્ઠિર નારદજીને પિતાની સભા જેવી સભા બીજે કયાંય છે કે કેમ તે પૂછે છે, જેના જવાબમાં નારદજી પિતૃઓની, વરુણની, કુબેરની અને બ્રહ્માની સભાઓની વિરાટતાનું વર્ણન કરે છે. અને પછી પોતે જે કામ માટે ખાસ આવ્યા છે તે કામને નિર્દેશ કરે છે. કામ છે યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ તરફ વાળવાનું.
ભારતમાં તે વખતે અનેક રાજાઓ હતા અને તે સૌમાં સરસાઈ માટે ઝઘડાઓ હરહંમેશ ચાલ્યા જ કરતા. પરિણામે આખા દેશમાં એક સમગ્ર દેશવ્યાપી સાર્વભૌમ સ્થિર તંત્રની આવશ્યકતા ડાહ્યા માણસોને સદા વર્તાતી...
હવે બનતું એવું કે જે રાજા બળિયો હોય તે તો ગમે તેમ કરીને કોઈ પણ શાણુ માણસની સલાહની યે વાટ જોયા વગર ચક્રવતી થવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૭
પંથે પડતો. અને તેને ધર્મ કે સિદ્ધાંત જેવું ઝાઝું ન હોવાને કારણે થોડીક વાર તે તે ખૂબ સફળ થતે દેખાતો. આપણા જમાનામાં જે “ફાસીસ્ટ” કે લશ્કરી તંત્રે આપણે જોઈએ છીએ, તેના જેવાં જ આ રાજતંત્ર થઈ પડતાં, જ્યાં રાજા એ ઈશ્વરની પેઠે જ પૂજાતે.
પાંડવોના જમાનામાં મગધના જરાસંધે આવું આસુરી સાર્વભૌમ તંત્ર ઊભું કરવાનું શરૂ કર્યું હતું. એક એક કરીને અનેક નાના નાના રાજાને તેણે પરાજિત કરીને કેદમાં પૂર્યા હતા.
નારદ યુધિષ્ઠિરને આવા સરમુખત્યારશાહી તંત્રોની સામે એક ધર્મ. પરાયણ સાર્વભૌમ તંત્ર ઊભું કરવાની સલાહ આપીને, એ વખતની ભાષામાં રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપીને વિદાય થાય છે. જતાં જતાં કહી જાય છે કે એટલું જ એ કરશે તે જ પોતાના પિતા પાંડનું સાચું તપણ તેમાં કર્યું છે એમ લેખાશે.
હવે રાજસૂય યજ્ઞ કરીને ચક્રવતી બનવાની અભિલાષા તે ગમે તેવી હતી. નકુલ અને સહદેવ અને ભીમ જેવા આજ્ઞાધારક વીર હોય, દ્રપદ જેવા સસરા હોય અને હજુ હમણાં જ ખાંડવવનમાં ઈન્દ્રની સરદારી નીચે આવેલ સમસ્ત દેવોને પરાજય કરનાર અર્જુન અને કૃષ્ણ જેવા અજોડ પરાક્રમીઓ સાથમાં હોય ત્યાં એ સાહસ દુઃસાહસ જેવું પણ ન લેખાય.
અને છતાં કૃષ્ણને પૂછ્યા વગર તો યુધિષ્ઠિર પાણી પણ પીએ એમ નહોતા. ફકત યુધિષ્ઠિર જ નહીં, અર્જુન અને બીજા ત્રણ ભાઈઓ પણ; સાથે સાથે દ્રૌપદી પણ!
એટલે રાજસૂય યજ્ઞની બાબત સલાહ લેવાના ઈરાદાથી શ્રીકૃષ્ણને બોલાવી લાવવા માટે પાંડ તરફથી એક ખાસ સંદેશવાહક દ્વારકા મોકલવામાં આવ્યો.
કર. શ્રીકૃષ્ણની દૂર દેશી
, કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં એમાં રહેલ જોખમને પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. વગર વિચાર્યું આદરીને પછી ત્રેવડ અથવા ધીરજને અભાવે અધૂરું મૂકવું, એ તે ભવિષ્યમાં એ કાર્યને હાથમાં લેતાં બીજાઓ પણ થરથરે એવી પરિસ્થિતિ સર્જવા જેવું છે, અને એ દષ્ટિએ, અધૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તૈયારીએ કાર્ય હાથમાં ધરવા કરતાં, તૈયારી પૂરેપૂરી થઇ રહે ત્યાં સુધી એને મેાકૂફ રાખવું એ જ બહેતર છે.
વાત
શ્રીકૃષ્ણે દ્વારકામાંથી ઇન્દ્રપ્રસ્થ આવીને સૌથી પહેલાં તે આ સમજાવી. “રાજસૂયયન કરવાની જરૂર અવશ્ય છે.” તેમણે કહ્યું, અને એ યજ્ઞ તમે કરો, તમારે હાથે થાય એ જ ઇષ્ટ છે. એ યજ્ઞને પુરા કરવા જેટલી કિત તમે જમાવી શકશા એ પણ હું જોઉં છું. ફકત એમાં રહેલાં જોખમે તમે સમજી લે એવી મારી ઈચ્છા છે. ’'
આટલી પ્રસ્તાવના કરીને તેમણે પાંડવાને મગધના જરાસંધની વાત કહી, કારણ કે આજે કે નજિકના ભવિષ્યમાં કાઈ પણ રાજા રાજસૂય યજ્ઞ આદરે, તે તેમાં સૌથી મેટું વિઘ્ન આ જરાસધ જ હતા.
આ જરાસંધની ઈચ્છા આખી યે પૃથ્વીને પેાતાના એકના કુલમુખત્યાર શાસન તળે લાવવાની હતી. એ હેતુથી તેણે પેાતાની પાસે અતુલિત સૈન્યસામગ્રી એકઠી કરી હતી. તેણે અત્યાર સુધીમાં નવાણુ રાજાઓને પરાજિત કર્યા હતા, અને એ નવાણું યે નવાણું રાજાએનાં રાજ્યાને તેણે પેાતાના રાજ્યમાં ભેળવી દીધા હતા. આ રીતે એક માટુ' એકહથ્થુ તંત્ર, એક જબરું આપખુદ સામ્રાજ્ય તેણે જમાવ્યું હતું. હવે તે કેાઈ સેામા રાજાને શેાધી, તેની સાથે યુદ્ધ છેડી, તેને હરાવી, તેનું રાજ્ય ખાલસા કરી, તેને પેલા નવાણું રાજાની સાથે કેદમાં પૂરવાની તજવીજમાં હતા.
આ પાછળ તેની એક ખીજી તેમ પણ હતી. તે એક રાજમેધ અથવા નરમેધ યજ્ઞ' કરવા માગતા હતા. સે રાજાએનાં મસ્તાને તે બલિદાન રૂપે યજ્ઞમાં હેામવા માગતા હતેા. આમ થાય તે। આખા યે ભારતમાં તેની ધાક એટલી બધી પ્રેસી જાય, કે પછી કાઈ પણ તેની સામે માથું ઊંચકવાની હિંમત ન કરી શકે એવી તેની ગણતરી હતી. અને એ ગણતરીમાં સાવ વજૂદ નહેતું એમ પણ નહેાતું. કારણ કે, સેા-સેા રાજવીઓને જેણે એકધારી સફળતાથી હરાવ્યા, અને કેદમાં પૂર્યો, અને છેવટે યજ્ઞમાં પશુની પેઠે વધેર્યા, એનામાં જરૂર કાઇ અતિમાનુષી શકિત રહેલી છે એમ લેાકાને લાગે અને એકવાર એવી લાગણી ઊભી થવા પામી, પછી તેને વિરોધ કરવાનું
અશકય જ બની જાય.
“એટલે રાજસૂય યજ્ઞ શરૂ કરતાં પહેલાં પહેલુ કામ આ જરાસંધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ફેંસલે કરવાનું છે. ” શ્રીકૃષ્ણે કહ્યું, “ખુલ્લા સંગ્રામમાં તેને પરાજય કરો. લગભગ અશકય છે–તેનો અજેય ગિરિધ્વજદુર્ગ જતાં, અને તેની સૈન્યશકિતને વિચાર કરતાં. આપણે કોઈ બીજી રીતે વિચારવી પડશે.”
“તમે જે વિચાર્યું હોય, તે અમને કહે, યાદવશ્રેષ્ઠ ” યુધિષ્ઠિરે વિનંતી કરી. “એટલા માટે તે તમને મેં ઠેઠ દ્વારકાથી અહીં સુધી આવવાની તસ્દી આપી છે.”
શ્રીકૃષ્ણ પોતાની યોજના સમજાવી, જે યુધિષ્ઠિરે માન્ય રાખી. પરિણામે અર્જુન અને ભીમ એ બેની સાથે તેમણે જરાસંધની રાજધાની ગિરિધ્વજ તરફ પ્રયાણ કર્યું
અર્જુન અને ભીમની સાથે શ્રીકૃષ્ણ પાછલે બારણેથી ગિરિજમાં પ્રવેશ કર્યો. તેમાં ત્રણેય બ્રાહ્મણના વેષમાં હતા. બ્રાહ્મણનો વેષ લેવાનું કારણ એ છે કે જ્યાં જવું હોય ત્યાં વગર વિરોધ અને વગર અંતરાયે જઈ શકાય. કઈ અટકાવે નહિ. લાક્ષાગૃહમાંથી પાંડવો જ્યારે, વિદુરે આપેલા માર્ગદર્શન પ્રમાણે સુરંગ-માગે બહાર નીકળ્યા હતા, ત્યારે પણ તેમણે સલામતી માટે આ બ્રાહ્મણવેષ ધારણ કર્યો હતો, એ આપણે જાણીએ છીએ. સમય જતાં આ યુકિત એકંદરે નિરુપદ્રવી છે, જ્યાં સુધી આવા વેશપલટાની પાછળને હેતુ આક્રમક ન હોય, ફકત સંરક્ષણાત્મક જ હોય.
અહીં શ્રીકૃષ્ણ અને પાંડવોને હેતુ, અલબત્ત, આક્રમક હતો. પણ આક્રમણે આક્રમણે પણ તફાવત હોય છે ને ! એમનું આ આક્રમણ તો જગતના એક અત્યંત ઘેર આક્રમક સામે હતું, જેણે પોતાની જાતને સલામત અને સુરક્ષિત રાખવા માટે પોતાની આસપાસ મહાકાય હિંસાના દુર્ગો ઉભા કર્યા હતા. શ્રીકૃષ્ણને તેની પાસે ઝટ પહોંચવું હતું, માર્ગમાં નિરર્થક કાળક્ષેપ ન થાય એવી રીતે પહોંચવું હતું, માટે તેમણે આ યુકિત અજમાવી.
કહે છે કે શ્રીકૃષ્ણ અને અર્જુન અને ભીમ જે વખતે જરાસંધની પાસે આવ્યા, તે વખતે તે પૂજામાં બેઠો હતે. કાની પૂજા કરતો હશે, પોતાને જ સર્વશકિતમાન માનનાર આ પુરુષ ! જે હો તે; પણ જેવી એની નજર આ ત્રણેય પુરુષ પર, બ્રાહ્મણે” પર પડી, તેવો જ તે બોલી ઉઃ “તમે બ્રાહ્મણે નથી લાગતા, પરદેશીઓ. તમારી લાલ આંખે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
તમારા કડક ચહેરા, તમારી સુદીર્ધ ભુજાઓ, તમારી પહોળી છાતીએ-એ બધું જ કહી આપે છે કે તમે બીજું કૈ હો કે ન હો, પણ બ્રાહ્મણે તે નથી જ, બોલે, કોણ છે તમે?”
અને તરત જ શ્રીકૃષ્ણે કહ્યું: “તારું અનુમાન સાચું છે, જરાસંધ ! અમે બ્રાહ્મણે નથી, ક્ષત્રિયા છીએ અને તારી પાસેથી તારાં કાળાં કરતુકેને હિસાબ લેવા આવ્યા છીએ.”
ક્યા અધિકારે?” “ક્ષત્રિયત્વના અધિકારે. પ્રજાને, દેશને, વિપત્તિમાંથી ઉગારે તે ક્ષત્રિય, એવી ક્ષત્રિયની વ્યાખ્યા છે તે તું ભૂલી તો નહિ જ ગયે હે.”
મારાં કયાં કરતુકને તમે કાળાં સમજો છો, ભાઈઓ?”
તું ધર્મને લેપ કરીને તેને સ્થાને હિંસક શકિતની પ્રતિષ્ઠા કરવા માગે છે તે.”
જગત બળિયાઓ માટે જ છે, ભાઈઓ,” જરાસંધે હસતાં હસતાં તેમને જાણે કઈ નવું સત્ય શીખવી રહ્યો હોય એવી છટાથી બોલવા માંડ્યું, “નબળાંને માટે અહીં કેઇ સ્થાન નથી, સિવાય એક ! અને તે એ કે તેમણે સ્વેચ્છાએ બળિયાઓની સેવામાં લાગી જવુ.”
પણ કેણ બળિયા અને કેણ નિર્બળ તેને નિર્ણય કોણ કરે?” ભીમસેને પૂછ્યું.
“કરે..આ મારા બાહુઓ !”
અને પછી શ્રીકૃષ્ણની સૂચનાથી જરાસંધે ભીમ સાથે કુસ્તીમાં ઊતરવાનું સ્વીકાર્યું.
શ્રીકૃષ્ણની ઇચ્છા એક જ હતી. જરાસંધ જે ઘેરણ સ્વીકારતો હતો, તે જ ધોરણે તેને નાલાયક ઠરાવવાનો.
અને ભીમ અને જરાસંધનું પુરાણ-પ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું. અને જરાસંધને નાશ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૧
૪૩. યજ્ઞની તૈયારી
જરાસંધના નાશની સાથે ધર્મરાજ્યની સ્થાપના આડેનું એક માઢુ કંટક દૂર થયું,
પાને, એટલે કે અર્જુનને હવે ગાંડીવ ધનુષ્ય, એની સાથે મે અક્ષય ભાાં, તીરાથી ભરેલાં, ધ્વજસમેત રથ અને સભા એટલાં વાનાં મળી ગયાં હતાં. શ્રીકૃષ્ણે તેા પહેલેથી જ, પાંડવેાના મિત્ર હતા, તેમાં વળી સુભદ્રાને અર્જુન સાથે પરણાવ્યા પછી તેા સંબંધની એક ગાંઠે વધુ બંધાઇ હતી. પાંડવાને આવા મજબૂત પક્ષ, જરાસંધના નાશને પરિણામે કારાગારમાંથી મુકત બનેલ ક્ષત્રિય-સમુદાય આવી મળતાં વધુ મજબૂત બન્યા.
હવે માત્ર એક જ વસ્તુની ઊણપ રહી, કાશની, દ્રવ્યની.
એટલે અર્જુને યુધિષ્ઠિરને વિનંતિ કરીઃ “આપ મને આજ્ઞા આપે તેા ઉત્તર દિશા તરફ્ પ્રયાણ કરુ. કુબેરની એ દિશામાં જેટલા રાા છે, તે બધાયને આપણા પક્ષમાં ભેળવીને તેમની પાસેથી આપણા ચક્રવતી" કાશ માટે દ્રવ્ય મેળવવાની મારી ઇચ્છા છે.”
યુધિષ્ઠિરે આ પ્રસ્તાવને અનુમેદન આપ્યું. એક મેટી સેના લઈને અર્જુન ઉત્તર દિશા તરફ નીકળી પડયા.
અર્જુને કુખેરની ઉત્તર દિશા સાધી, તે જ વખતે ભીમે પૂર્વ તરફ કૂચ કરી, સહદેવ દક્ષિણ તરફ્ નીકળ્યેા અને નકુલે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું..
આ બધા ભાઇએ થાડા સમયમાં પોતે સ્વેચ્છાએ સ્વીકારેલી જવાબદારીઓ પૂરી કરીને એટલે કે પેાતપેાતાના વિસ્તારના રાજાએતે ધરાજના આધિપત્ય નીચે લાવીને ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યાં.
પ્રજા આ વખતે સથા સુખી હતી. ધરાજના રક્ષણને કારણે, સત્યના પાલનને કારણે અને શત્રુઓના દમનને કારણે તેના તે સુખમાં વૃદ્ધિ થઇ અને તે પાતપેાતાના કક્ષેત્રમાં પરાવાઈ રહી.
વરસાદ યથાકાળ વરસતા. જનપદ–ગ્રામવિસ્તાર સમૃદ્ધ હતા, ગૌરક્ષા, કૃષિ અને વાણિજ્ય ખરાબર ચાલતાં હતાં. સૌ સત્યવચન ખેલતાં અને અસત્યનું ઉચ્ચારણ કરવાની હિંમત તેા રાજવલ્લભા”–રાજનાં પ્રીતિપાત્રો પણ કરી શકતા નહિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
રાજસૂયનના આરંભ કરવાના સમય જ્યારે પાકવા આવ્યેા ત્યારે વળી પાછા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ આવ્યા.. તેમને યથાવિધિ પ્રેમસત્કાર કરીને યુધિષ્ઠિરે તેમને કહ્યું, તમારી કૃપાથી હે કૃષ્ણ, આ આખી પૃથ્વી મને વશ છે. હવે તમે મને યજ્ઞની દીક્ષા લેવાની અનુજ્ઞા આપે.”
:
અને શ્રીકૃષ્ણે જ્યારે એમને ખાતરી આપી કે એમના પ્રત્યેક કાર્ટીમાં એમનેા સાથ છે જ અને રાજસૂય યજ્ઞમાં જે કા` પેાતાને સોંપવામાં આવશે, તે પેાતે સહ પુરુ પાડશે ત્યારે યુધિષ્ઠિરના આન ંદના પાર ન
રહ્યો.
અને ન્દ્રપ્રસ્થમાં રાજસૂયયનની તૈયારીઓ શરૂ થઈ.
આ યજ્ઞના ૠત્વિજ શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જાતે જ બન્યા. બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવલ્કયે અધ્વર્યુ પદ સંભાળ્યું. મા પૈલ હેાતા બન્યા.
પછી અનેકાનેક અતિથિએ આવે તેમને માટે શિપીએએ સુગંધપૂ વિશાળ નિવાસસ્થાને રચ્યાં; અને પછી યજ્ઞમાં ભાગ લેવા માટે યુધિષ્ઠિરે સમગ્ર રાષ્ટ્રના બ્રાહ્મણાને, ભૂમિપાને (ક્ષત્રિયાને), ગૈસ્યાને અને માન્ય એવા શૂદ્રોને પણ નેાતરાં મેાકયાં.
એ યજ્ઞ દરમિયાન બ્રાહ્મણા ધ કથાઓ સંભળાવતા અને નટન કાના પ્રયાગ જોતા અનેક દિવસે સુધી રહ્યા. સર્વત્ર પ્રસન્નતા છવાઇ રહી. આવે ! આવે !” અને “ખા ! ખાએ !” એવા ધ્વનિએ નિરન્તર સંભળાયા કરતા હતા. લાખા ગાયા, શય્યા, સુદિ ધરાજે બ્રાહ્મણાને દાનમાં આપ્યાં...અને યજ્ઞની શરૂઆત થતી હતી ત્યારે નકુલને ધૃતરાષ્ટ્રના ત્રાજપુત્રો તથા ભીષ્મ, દ્રોણ, વિદુર, કૃપાચાય વગેરેને ઇન્દ્રપ્રસ્થ લઇ આવવા માટે હસ્તિનાપુર રવાના કર્યા.
૪૪ જવાબદારીઓની સાંપણી
યુધિષ્ઠિરે આદરેલ રાજય યજ્ઞમાં કાણુ કાણુ આવ્યા હતા એ પણ જાણવા જેવુ છે. પહેલાં તે ધૃતરાષ્ટ્ર, પછી ભીષ્મ અને વિદુર, દુર્યોધન અને એના ભાઈ એ, ગાન્ધારરાજ સુબલ, સુખલને પુત્ર શકુનિ; અચલ, વૃષક, રથીઓમાં શ્રેષ્ઠ એવેા ક, શક્ય, બાલ્લિક, સેામદત્ત, ભૂરિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ભૂરિત્રવા; શલ, અશ્વત્થામા, કૃપાચાર્યાં અને દ્રોણાચાર્ય; સિન્ધુપતિ જયદ્રથ, યજ્ઞસેન, પુત્રની સાથે શાવ, પ્રાગજ્યેતિ-નૃપતિ, ભગદત્ત, સાગરને કાંઠે વસતા મ્લેચ્છે, પત પ્રદેશના રાન્ત, બૃહદ્બલ, પેાતાને ‘વાસુદેવ’ તરીકે ઓળખાવતા પૌક બગપતિ અને કલિંગરાજ, આકર્ષક કુન્તલ, માલવપ્રદેશના રાજાએ અને આંધ્રના રાજવીએ, દ્રાવિડા અને સિંહલદ્વિપવાસીએ; કાશ્મીરરાજ, કુન્તીમાજ, પુત્રો સમેત વિરાટ, માવેલ, પુત્ર સમેત મહાવી શિશુપાલ; ઉપરાંત વૃષ્ણુિએ અને મધ્યપ્રદેશના રાજાએ.
૧૪૩
ધરાજે આ બધા રાજતિથિને સુયેાગ્ય ઉતારા આપ્યા, જ્યાં તેમના બહુ જ યાગ્ય રીતે આતિથ્યસત્કાર થતા રહ્યો. ઇન્દ્રપ્રસ્થની એ યજ્ઞસભા આ બધા રાજાએથી એવી દીપવા માંડી, જેવી સ્વભૂમિ દ્વીપે,
અમરાથી !
રાજા યુધિષ્ઠિરે પછી આંગણે આવેલ સૌ રાજાતિથિને જુદાં જુદાં કામેા સુપ્રત કર્યાં.
સૌને જમાડવાનું કાર્ય તેમણે દુઃશાસનને માથે નાખ્યું. બ્રાહ્મણાના સત્કારનુ ખાતું તેમણે અશ્વત્થામાને સાંપ્યું.
બધાની ઉપર નિરીક્ષકા તરીકેની જવાબદારી ભીષ્મ અને દ્રોણને માથે નાખી.
ખ
સુવર્ણ અને રત્ના માટે તથા દક્ષિણા આપવા માટે કૃપાચાની નિમણૂક કરી. ધૃતરાષ્ટ્ર અને એને જમાઇ જયદ્રથ વગેરે તે ત્યાં જાણે તેએ પેાતે જ માલિક હોય એવી રીતનું સન્માન પામતા હતા. કરવાનું વિદુરને સાંપાયું. રાજાએ જે કૈ ભેટ સેાગાદ લઇ આવે, તે સ્વીકારવાનું દુર્યોધનને સાંપાયું. આમ બધાં જ મહત્ત્વનાં કાર્યાની સેાંપણી મહત્ત્વના માણસે વચ્ચે થઇ.
બાકી રહ્યું એક કામ.
માનવંતા અતિથિએ આવે તેમનાં ચરણુ ધાવાનું ખાસ કરીને બ્રાહ્મણાનાં.
આ કામ શ્રીકૃષ્ણે જાતે જ પેાતા ઉપર લઇ લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૪૫. શ્રીકૃષ્ણનુ′ પ્રથમ પૂજન અને શિશુપાલને રોષ
રાજસૂય યજ્ઞમાં અનેક દેશેામાંથી પધારેલા ઋષિઓ, રાજવીએ, ક્ષત્રિયવીરા, મુત્સદીઓને વિધિપૂર્વક સત્કાર કરવાની હવે વેળા આવી.
ત્યારે પ્રશ્ન એ ઊભા થયે! કે પહેલી પૂજા કાની કરવી? પહેલા અ અને આપવા ? આવેલાએમાંથી સૌથી વધુ આદરને ચેાગ્ય કાને ગણવા? અત્યારની ભાષામાં કહીએ તે! ચીફ ગેસ્ટ’-અતિથિવિશેષ અથવા સભાપતિ -પ્રેસીડેન્ટ” કેાને બનાવવેા ?
યુધિષ્ઠિરે ભીષ્મની સલાહ લીધી. ભીષ્મ પેાતે જ આવા માનને મેગ્ય હતા. પણ રાજસ્ય યજ્ઞ યુધિષ્ઠિરને આંગણે હતા, એટલે કે તેમને પેાતાને જ આંગણે હતા, પેાતાને જ ધેર પાતે અતિથિવિશેષ બને એ શેાભે ?
ભીમે થાડીકવાર વિચાર કર્યો. પછી મેલ્યા :
“પૃથ્વીમાં અત્યારે પૂજ્યતમ ક્રાઇ હોય તેા વાષ્ણેય છે, વૃષ્ણુિકુલાત્પન્ન શ્રીકૃષ્ણ છે.
“જ્યેાતિઃપુંજોની વચ્ચે જે સ્થાન ભાસ્કરનું છે, સૂનું છે, તે જ સ્થાન સૌ તેજસ્વી, બલવાન અને પરાક્રમી પુરુષો વચ્ચે શ્રી કૃષ્ણનુ છે. “આપણું સદન શ્રીકૃષ્ણ વડે જ પ્રકાશિત છે, શ્રીકૃષ્ણ વડે જ એ સુરભિયુકત, સુવાસિત છે. ”
ભીમે જ્યારે આ રીતે શ્રીકૃષ્ણને પ્રથમ પૂજા માટે પસંદ કર્યો, ત્યારે સહદેવ ઊઠયે., પુજાયાળ લઈને. તેણે શ્રીકૃષ્ણને પુજા અર્પણ કરી.
શ્રીકૃષ્ણે એ પૂજાને વિધિપૂર્વક સ્વીકાર કર્યો. પણ શિશુપાળથી આ સહન ન થઈ શકયું. એ ઊભા થઇને ભીષ્મને ભાંડવા માંડયાઃ
“આ સમારંભમાં આટલા નરપતિએ અને મહાપુરુષો ઉપસ્થિત છે, તે સૌની વચ્ચે આ કૃષ્ણની આવી શ્રેષ્ઠ પૃજા કરવી એ જરા ય વ્યાજખી નથી. તમે તેા સાવ ખાળ±ા જેવા છે, પાંડવા ! ધ કાને કહેવાય એટલુ ચે સમજતા નથી. પણ આ ડેાસેા (ભીષ્મ) પણ સૂક્ષ્મ એવા ધર્મને સમજતા હોય એમ લાગતું નથી. ખરી વાત એ છે કે એને હવે કશું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૫
યાદ નથી રહેતું, (ઘડપણને કારણે !) અને વળી એ પુત્ર પણ કેને છે? નદીનો ! ગંગાને ! (એટલે કે આપણી પેઠે સંપૂર્ણ ક્ષત્રિયપુત્ર ઓછો છે !) વધારામાં હવે એને આંખે પણ ઝાંખપ આવવા લાગી છે. અરેરે ભીષ્મ, સમાજનાં શિષ્ટ ધોરણોને અવગણીને અને મનસ્વીપણે વતીને તું કેટલે બધો નિન્દાપાત્ર થઈ રહ્યો છે તેનું તને જરા ય ભાન છે ? આ કૃણ, નથી રાજા, નથી વયોવૃદ્ધ-મુરબ્બી, નથી વિદ્વાન, નથી ઋષિ, નથી વીર !
“આવા સમારંભમાં પહેલું માન વૃદ્ધ માં વૃદ્ધ પુરુષને આપવું જોઈએ એમ જે તું માનતા હે, તે તું જાતે જ કયાં નથીદુપદ કયાં નથી ? અને ખુદ કૃષ્ણને બાપ વસુદેવ પણ કયાં નથી ? આચાર્યોમાં દ્રોણ છે. ઋષિઓમાં વ્યાસ છે. વીરમાં અશ્વત્થામા છે. વળી દુર્યોધન છે, કૃપાચાર્ય છે, ભીષ્મક છે, એકલવ્ય છે, શલ્ય છે, કર્ણ છે ! એ બધાને મૂકીને, એમની સોની ઉપેક્ષા કરીને, આ કૃષ્ણને તે પહેલા માનને અધિકારી ગ, એ ખરેખર અસહ્ય છે. અમે યુધિષ્ઠિરને વશ થઈ ગયા છીએ અને ખંડણી આપીએ છીએ, એ કંઈ આ કૃણથી ડરીને નથી આપતા ! ડરતા તે અમે આ યુધિષ્ઠિરથી પણ નથી. અમે તે એમ માનીએ છીએ કે યુધિષ્ઠિર સારો રાજા છે, ધર્મને અનુસરે છે, તો ચાલે, ભલે રહ્યો અમારા સૌને એ માવડી. પણ લાગે છે કે અમારી આ ભલમનસાઈને અવળો અર્થ કરવામાં આવ્યો છે. અમારી લાગણીઓની જાણી જોઈને દુભવણું કરવામાં આવી છે. કોઈ પણ જાતની યોગ્યતા વિનાના શ્રીકૃષ્ણને અગ્રપૂજ સમપીને તમે, તમારે આંગણે નોતરેલા સર્વે રાજાઓનું અપમાન કર્યું છે, પાંડવો ! હે યુધિષ્ઠિર, જગત તને ધર્માત્મા તરીકે ઓળખે છે, એમાં મને તો લાગે છે કે જગત પણ છેતરાયું છે. કારણ કે તું જે ખરેખર ધર્માત્મા છે, તો કૃષ્ણ જેવા ધર્મભ્રષ્ટને તારે આંગણે અતિથિવિશેષ થવા જ કેમ દે! પણ સંભવ છે કે યુધિષ્ઠિર બિચારે આ કૃષ્ણના માની લીધેલા પ્રતાપથી અંજાઈ ગયો છે! પણ હું તને જ પૂછું છું, કૃષ્ણ, તું જ કહે ને, તું કઈ જાતને માનને યોગ્ય છે? અરે, કૂતરો જેમ યજ્ઞમાં હોમવા માટેનું ઘી ચાટી જાય, એવું જ તારા હાથે થયું છે, આ પહેલી પૂજાને સ્વીકાર કરવામાં ! મને તો લાગે છે કે આ યુધિષ્ઠિર અને તેનાં સગાંવહાલાં આવું અયોગ્ય માન તને આપીને તારી હાંસી ઉડાવી રહ્યા છે! નપુંસકને પરણાવવો, અબ્ધને સૌન્દર્યનું દર્શન કરાવવું, અને તારા જેવા અપાત્રની આવડી મોટી પૂજા કરવી, એ બધું સરખું જ છે એમ તને નથી લાગતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જોઈ લીધા બધાને! સત્યદા મનાતા યુધિષ્ઠિરને, ડહાપણના ભંડાર મનાતા ભીષ્મને અને આ વસુદેવના પુત્રને પણ !”
આવું ઉગ્ર, કઠોર, અયોગ્ય, અન્યાયી, ભાષણ કરીને એ સમારંભમાંથી ઊઠીને ચાલતે થયો. એના પક્ષના અનેક ક્ષત્રિયોએ પણ એનું અનુકરણ કર્યું. (વૈક–આઉટ”ની પ્રથા પણ નવી નથી. મહાભારત જેટલી જૂની તે ઓછામાં ઓછી એ છે જ!)
પોતાને આંગણે યોજાયેલા રાજસૂય યજ્ઞ–સમારંભમાં, આમ, એક મહાવિઘ ઊભું થઈ રહ્યું એ જોઈને કૈક વ્યગ્ર બનેલ યુધિષ્ઠિર, શિશુપાલ અને એના અનુયાયીઓને સમજાવવા માટે તેમની પાછળ દોડ્યા.
અરે ભાઈ.” શિશુપાલને તે વિનવવા લાગ્યા, “આમ જોતો નથી, તારા કરતાં ઘણું જ મોટા રાજવીઓ અને ક્ષત્રિયો પણ સભામાં બેઠા છે. ભીમે જે કૅ નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને જ કર્યો છે એમ તેઓ પણ માને છે અને તું નકામે આવી કઠોર ભાષા વાપરી રહ્યો છે! ખરી વાત એ છે શિશુપાલ, કે કૃષ્ણને જેટલા તું નથી ઓળખતા, એટલા ભીમ ઓળખે છે!”
યુધિષ્ઠિરને આવી રીતે શિશુપાલ પાસે કરગરીને વાતો કરતે જોઈને ભીષ્મને ક્રોધ ચઢયે. તે કહેવા લાગ્યાઃ “એને સમજાવવાની કશી જ જરૂર નથી, યુધિષ્ઠિર ! જે માણસ લોકવૃદ્ધ (લોકનાયક) એવા શ્રીકૃષ્ણને જાતે જોવા છતાં સમજી શકતો નથી, તેને સમજાવવાને શો અર્થ? બીજું બધું મૂકીને આપણે ક્ષત્રિયના રિવાજની જ વાત કરે ને! તો ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ કેણ ગણાય ? જે જીતે તે જ તે ! આમ જે, શિશુપાલ. આ આખી સભામાં એક પણ ક્ષત્રિય રાજ એવો છે કે જેણે શ્રીકૃષ્ણ સામે માથું ઊંચકર્યું હોય, અને જે પરાજિત થયો ન હોય ? બીજી દૃષ્ટિએ જોઈએ તો વૃદ્ધોમાં એ સૌથી મોટે જ્ઞાનવૃદ્ધ છે; કર્મગીઓમાં શ્રેષ્ઠ કર્મયોગી છે. ખરું પૂછ તો...........
वेद-वेदांग-विज्ञानं बलं चाप्यधिकं तथा। नृणाम् लोके हि कोऽन्योऽस्ति विशिष्ट : केशवादृते॥
(વેદ-વેદાંગનું જ્ઞાન અને સૌથી અધિક બલ–અરે કેશવથી વધારે આ બે જેનામાં હૈય, એ કઈ બતાવ તે ખરો?)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૭
दान दाक्ष्यं श्रुतं शौर्य ही कीर्ति बुद्धिरुत्तमा । संनतिः श्री धृतिस्तुष्टिः पुष्टि च निचताऽच्युते॥
(દાન દાસ્ય, વિદ્યા, શૌર્ય, હી (અશુભ-વિમુખતા), કીર્તિ, ઉત્તમ પ્રકારની બુદ્ધિ, વિનય, શ્રી, ધૃતિ, વૃષ્ટિ, પુષ્ટિ- શું નથી કૃણમાં ? )
“એવા આ શ્રીકૃષ્ણને અમે આ સભામાં પહેલું સ્થાન અને પહેલું સન્માન આપ્યું એ ખોટું કર્યું, એમ જે શિશુપાલ, તું માનતા હો, તો ભલે માન ! તારાથી થાય તે કરી લે !”
ભીષ્મ આમ પડકાર ફેંકીને બેસી ગયા કે તરત જ સહદેવ ઊભો થયેતેમનું અનુમોદન કરવા. શ્રીકૃષ્ણની પૂજા સહદેવે કરી હતી, એટલે શિશુપાલને જવાબ આપવાની તેની ફરજ પણ હતી. એણે ઊભા થઈને પોતાને પગ બતાવતાં કહ્યું કે “જુઓ, આ સૌ રાજાઓની વચ્ચે જ શિશપાલને હું આ બતાવું છું, અને હવે જોઉં છું કે એ શું કરી નાખે છે!”
સભામાં સર્વત્ર સન્નાટો છવાઈ રહ્યો.
ચોમેરથી પુષ્પવૃષ્ટિ થઈ. “ધન્ય ધન્ય !” એવાં અભિનન્દનનાં વચન પણ બોલાઈ રહ્યાં.
પણ શિશુપાલ કે આટલાથી ડરી જાય એવો ન હતો. તેણે પોતાના પક્ષના રાજાઓને શ્રીકૃષ્ણ અને પાંડવોની વિરુદ્ધ સારી રીતે ઉશ્કેર્યા અને રાજસૂય સમારંભમાં પાંડવપક્ષી અને પાંડવણી અથવા કહે કે શ્રીકૃષ્ણ-વિરોધી રાજાઓ વચ્ચે ‘સિવિલ વર–આંતરવિગ્રહ ઊભો. થવાની બધી જ એંધાણીઓ ઉપસ્થિત થઇ.
આ સંક્ષોભ જોઈને યુધિષ્ઠિરે ભીષ્મ સામે નજર કરી. તેમની તો એક જ ઇચ્છા હતીઃ ધર્મનું અનુસરણ થવું જોઈએ. યોજેલો યજ્ઞ નિવિદને પર થ જોઈએ.
ભીમે અત્યંત સમભાવપૂર્વક કહ્યું, “ડરીશ નહિ બેટા ! શું કૂતરાની મગદૂર છે કે સિંહને મારે ? શ્રીકૃષ્ણ સિંહ છે, એ જ્યાં સુધી શાન્તિથી બેઠા છે, ત્યાં સુધી ભલે આ શિશુપાલ-પક્ષી રાજાઓ ભસ્યા કરે !” - હવે તે શિશુપાલ ઊલટાનો વધુ ઈ છેડાયો ! તાર સ્વરે તેણે ગર્જના કરી :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
“અરે, કુલ–કલંક ડેાસલા ! આવી આવી ધમકીઓ આપીને ડરાવે છે કાને ? તારા જેવા આંધળા અગ્રણીને કારણે જ એક દિવસ આ કુરુ-કુળનુ સત્યાનાશ નીકળવાનું છે! કૃષ્ણની ખુશામત કરતાં. તારી જીભના ટુકડા ક્રમ નથી થઇ જતા ? આવા જ્ઞાની થઇને એક જંગલી ગેાવાળની ખુશામત કરતાં શરમ નથી આવતી ? તું જેને વીર કહે છે, તે કૃષ્ણે આખરે કાને માર્યા છે ? એકાદ નાગને, એકાદ વાછરડાને, એકાદ સાંઢને, એકાદ ઘેાડાને! કાઇ યુ-વિશારદ વીરનેા ભેટા તેને હજુ થયેા નથી ! વળી તું એના (કૃષ્ણના) પરાક્રમની ભાટાઈ કરે છે તે પરાક્રમ કયાં કયાં ? એક ગાડાને ઊંધું વાળ્યું!
“એક ઢેફાં જેવા પર્યંતને ઉપાડયેા, જેનું અન્ન ખાધું એને-મામાને માર્યા, એક બાઈને–સ્રીને-પૂતનાને મારી. એવા ગાઘ્ન, સ્ત્રીઘ્ન અને સ્વજનશ્ત પાપીને આટલું બધું માન આપતાં તને લાજ પણ નથી
થતી, ભીષ્મ ?
“પણ એમાં તારા પણ વાંક નથી ! તું પાતે જ એવા છે કે જે એક કન્યાને ઉપાડી લાવ્યેા, સ્વયંવરમાંથી, અને પછી એને પરણ્યા વગર જ હાંકી કાઢી! હું તેા કહું છું ભીષ્મ, તારા આ બ્રહ્મચર્યમાં પણ ધૂળ પડી ! અથવા તે। એમ પણ કાં ન હેાય, કે તને કાઇ બાયડી મળતી જ નહેાતી એટલે....... ન મળે નારી તેા સહેજે બાવા બ્રહ્મચારી, એવું તેં કર્યું...!”
૪૬. શ્રીકૃષ્ણને આખરે સુદર્શન સંભારવુ' પડે છે
શિશુપાલના મુખ્ય વાંધે, તેના પેાતાના
tr
શબ્દોમાં, એ હતા કે કૃષ્ણ જેવા ‘અ-રાજા’નુ પ્રથમ પૂજન થયું. કૃષ્ણને એણે પડકાર્યા भराजात्वम् અતિઃ । તું કે જે રાજા નથી તેની રા લેાકેાએ પૂજા કરી, એ તેમની એવકૂફી !” અને તે વગર અધિકારે એ પૂજા સ્વીકારી, તે તારી લુચ્ચાઈ ! આજે તને સજા કર્યા સિવાય હું જપવાનેા નથી !”
,, (6
શિશુપાલનાં આવાં વચનેા સાંભળીને શ્રીકૃષ્ણે ઊભા થયા. તે સંપૂર્ણ. શાન્ત હતા. અત્યંત કામળ સ્વરે તેમણે ત્યાં આગળ એકઠા મળેલા બધા રાજાઓને સમેાધીને કહ્યું, “શિશુપાલ આરંભથી જ અમારા સૌને અ-કારણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શત્રુ છે. આમ છે તો અમારે સગે, ફઈને દીકરે ભાઈ, પણ દુષ્ટ એવો છે કે એકવાર અમે સૌ પ્રાગજ્યોતિષપુર ગયા હતા, ત્યારે એણે પાછળથી આવીને દ્વારકાને સળગાવવાની ચેષ્ટા કરેલી! વળી એકવાર અમારા રાજવી રૈવતક પર્વત પર વિહાર અર્થે ગયેલા, ત્યાં પણ આ બંધુએ તેમને ખૂબ હેરાન કરેલા, તેમની ઉપર અચિંત્યું આક્રમણ કરી, તેમને બંદી બનાવીને આ ભાઈ સાહેબ ઉઠાવી ગયેલા ! ત્રીજી વાર એણે મારા પિતા તરફથી યોજાઈ રહેલ અશ્વમેધમાં વિદન ઉત્પન્ન થાય એટલા ખાતર ઘેડ પણ ચોરેલો. અને સૌવીર દેશમાં ગયેલી બની ભાર્યાને પણ આ દુષ્ટ એકવાર ઉઠાવી ગયેલો !
આના બધા જ ઉધમાતે હું મારી ફઈબાને કારણે અત્યાર સુધી મૂંગે મેએ બરદાસ્ત કરી રહ્યો છું. પણ આજે એક રીતે તો એક મહત્ સભાગ્યની વાત છે કે તમે બધા અહીં ઉપસ્થિત છો અને તમારી બધાની હાજરીમાં જ એણે પોતાની જાતની અધમતાને પ્રગટ કરી છે. અત્યાર સુધી એનાં બધાં જ દુરાચરણે મારી પીઠ પાછળનાં હતાં, પણ આજે તો એણે તમારી સૌની નજર સામે, છડેચેક મારું અપમાન કર્યું છે, એટલે હવે તો મારે એને દંડ દીધે જ છૂટકે. કારણ કે તે સિવાય એ શાંત પડવાને જ નથી. એનું મૂળ દુઃખ જુદું છે. એ રુકિમણીને પરણવા ચાહતો હતો અને રુકિમણી એને પરણવાને બદલે મને પરણું ત્યારથી એ સળગી રહ્યો છે.”
રાજાઓએ જયારે શ્રીકૃષ્ણનાં આ વચન સાંભળ્યાં, ત્યારે તેમનાથી શિશુપાલને ઠપકે આપ્યા વગર રહેવાયું નહિ.
પણ શિશુપાલને ઉશ્કેરાટ તે એને લીધે ઊલટાને વો.
શ્રીકૃષ્ણની મશ્કરી કરતાં તે તાડૂકો, “તને શરમ નથી આવતી, સ્ત્રીએની વાત કરતાં, આ રાજવીઓની સભામાં? અને તું બરદાસ્ત કરે કે ના કરે, મારું શું બગડવાનું છે? ગુસ્સે થઈને પણ તું મને શું કરી નાખવાનું છે?”
શ્રીકૃષ્ણ માટે હવે બીજો કોઈ રસ્તો જ ન રહ્યો. સુદર્શન ચક્રને તેમણે સંભાયું.
ચક્ર હાજર થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
“આની માએ મારી
*
ગુના
પાસેથી વચન લીધું હતું કે મારે એના સે માફ કરવા ! ” શ્રીકૃષ્ણે રાજાને ફરી સોધ્યા, “ અને તમે જોયુ છે કે સૌથી યે વધુ ગાળેા મેં એની તમારા સૌના સાંભળતાં શાન્તિપૂર્વ ખાધી છે. માટે હવે હું એનેા સંહાર કરું છું, જુએ !”
અને તરત જ શિશુપાલનુ માથુ તેના ધડથી જુદું થયું.
અને શિશુપાલના એ હણાયેલા શરીરમાંથી, આકાશમાંથી જેમ સૂ ઊછળે તેમ, એક તેજ: બિમ્બ ઊછળીને શ્રીકૃષ્ણને વંદન કરીને, તેમના શરીરમાં સમાઇ ગયું.
શિશુપાલના વધના પ્રત્યાધાત રાજય યજ્ઞમાં આવેલા રાજવીએ ઉપર કુવા પડયા તેનુ વર્ણન વ્યાસજીએ બહુ છટાદાર વાણીમાં આપ્યું છે.
વણુ-વાદળ વૃષ્ટિ થ, સળગતી વીજળી પડી અને.......વસુંધરા કપી ઊઠી. મહીપાલે, કેટલાક સાવ મૂંગા થઇ ગયા, કેટલાક હાથ ઘસવા લાગ્યા, કેટલાક ગુસ્સામાં આવીને હેાઠ કરડવા લાગ્યા. કાઈ કાઇ ઉશ્કેરાયા, પણ ઘણા ખરા મધ્યસ્થ જ રહ્યા, અને આખરે બ્રાહ્મણા અને રાજવીએ સૌ પ્રસન્નવદને શ્રીકૃષ્ણ પાસે જઇને તેની સ્તુતિ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણનું આ પરાક્રમ જોઇને તે સાચે જ આનંદિત થયા હતા.
૪૭
“ હું આપઘાત કરીશ!”
રાજસૂય યજ્ઞની સળ પૂર્ણાહુતિ પછી, યુધિષ્ઠિરને આંગણે, દેશના ખૂણે ખુણામાંથી ઊતરેલ અતિથિએ એક પછી એક પેતાતાને ઠેકાણે વિદાય થયા. એક દુર્યોધન અને ખીજો શકુનિ એમ બે જ જણુ બાકી રહ્યા.
હવે દુર્યોધન શકુનિની સાથે ફરી ફરીતે એ સભા જોવા લાગ્યા. હસ્તિનાપુરમાં તેણે આવી સભા કદી દીઠેલી જ નહિ, એટલે સ્વાભાવિક રીતે, એ સભાનુ ચારે બાજુએથી નિરીક્ષણ કરવું એને ખૂબ ગમતું હતું.
એ સભાના નિર્માતા મયદાનવ હતા તે આપણે જાણીએ છીએ. આ મય ખાંડવ વનમાં રહેતા હતેા. પણ સમગ્ર વનને બાળી નાખનાર અર્જુને અને શ્રીકૃષ્ણે એને એકને જીવતા રાખ્યા. આ જીવનદાનના બદલામાં મારે આપને કૈંક આપવુ જોઇએ.” એમ મચ દાનવે અર્જુનને વારંવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧
આગ્રહ કરી કરીને કહ્યું ત્યારે અર્જુને ફકત એક જ જવાબ આપ્યા હતે. કે “મારે કશા જ બદલે ન ખપે. બદલે લેવાના ઇરાદાથી મેં તારા પ્રાણ બચાવ્યે। નથી.
.
અને છતાં મય દાનવે કૈંક લેવાનેા આગ્રહ જારી રાખ્યા. શ્રોકૃષ્ણે અને અર્જુને આ સભાનું નિર્માણુ કરવાનુ કહ્યું' જે સભા.... લાંમે ગાળે, કા પરંપરાએ કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણમી અને ભારતના સમગ્ર રાજવીઓના વિનાશ સરજતી ગઇ.
મય દાનવે કેવું વેર લીધું -ખાંડવ-દાહનું !
પણ રાજસૂય યજ્ઞને સમારંભ કરતી વખતે યુધિષ્ઠિરને કે એના ભાદ’એને કે શ્રીકૃષ્ણને સુધ્ધાં આવે! કશા ખ્યાલ ન હતા.
મયદાનવની ખંધી દી`ષ્ટિ એ ભેાળા નરવીરેામાં નહેાતી, કદાચ જે હા તે. પણુ વિસંવાદનાં ખીજ મયદાનવે નિરમેલી આ સભામાં વવાયાં. દુર્ગંધનના હૃદયમાં પાંડવા સામે સદૈવ સળગતી રહેતી ઇર્ષ્યામાં ક્રાધ અને અપમાનનાં ઈંધણ આ સભામાં હામાયાં.
દુર્યોધન સભા જોતાં જોતાં ચારે બાજુએ ફરતા હતા, ત્યાં એણે એક જળાશય દીઠું અને એમાં પ્રવેશીને પગને થેાડીક શીતલતા અપવા માટે એણે પેાતાનાં વસ્ત્રોને સ્હેજ ઊંચાં લીધાં.
અને ભીમ, દ્રૌપદી આદિ સૌ, (જેએ તેની પાછળ પાછળ ચાલતાં હતાં ) હસી પડયાં.
શા માટે ?
દુર્ગંધને જ્યાં જળ જોયું હતું, ત્યાં સુક્કી અને નક્કર ધરતી જ હતી. ધરતી પાણી રૂપે દેખાતી હતી એ મયદાનવની રચના-કુશળતા, માયા. માયા કરે તે મય; કે પછી મય રચે તે માયા ? કાણ જાણે ? એક ખીજી વાર પાણીને પૃથ્વી સમજીને દુર્યોધન એના પર ચાલવા ગયા અને એ જળાશયમાં ગબડી પડયા, અને બધાં હસ્યાં! એક ત્રીજી વાર દીવાલને બારણું માનીને એ અંદર દાખલ થવા ગયા, અને એ પાક્કું ભટકાયું, અને દ્રૌપદી હસી, કંઈક ગણગણી પણ ખરી : “આંધળાના પુત્ર આંધળા જ હોયને ! ’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
પર
દુર્યોધન જેવા અત્યંત આળા હૃદયના અને સ્વમાની યુવક ઉપર આ બધાની શી અસર થઈ હશે તે સહેજે જ કલ્પી શકાય છે.
પાંડવાની અપરપાર સમૃદ્ધિની ઈર્ષ્યાની આગમાં બળતા અને સભામાં ખમેલ અનેક અપમાનેાથી મનમાં ને મનમાં સળગતા દુર્યોધન આખરે જ્યારે હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે તે સાવ મૂંગા થઈ ગયા હતા.
"C
રસ્તે શકુનિ તેને વાર વાર પુછે છેઃ શી વાત છે? આમ મૂ'ગે! શા માટે થઇ ગયા છે ? શા માટે આટલા ફિક્કો પડી ગયા છે ? ” પણ દુર્યોધન કશા જ જવાબ નથી આપતા.
ફત, નિસાસા જ નાખ્યા કરે છે, હેાઠ કરડયા કરે છે, કપાળ કુટયા કરે છે!
આખરે મામા શકુનિના અત્યંત આગ્રહથી એ પેાતાનું હૃદય ખાલે છેઃ
“ આખી પૃથ્વી યુધિષ્ઠિરના હાથમાં ચાલી ગઇ છે, તે જોઇને હું દિવસ રાત સળગું છું! પાંડવાના પક્ષકાર કૃષ્ણે શિશુપાલને સંહારી નાખ્યા, ત્યારે ક્રાઇની ચે મગદૂર ચાલી, એક આંગળી યે ઊંચી કરવાની ? વળી આખાયે ભૂ-મંડલના રાજવીએ રાજસૂય યજ્ઞ પ્રસંગે યુધિષ્ઠિરને આંગણે ખંડણીએ લઇ લઈને આવ્યા. રાજાને ત્યાં રાજાએ આવે એવી રીતે નહીં, પણ મહારાજાને ત્યાં વૈશ્યા આવે એવી રીતે ! પાંડવાના આટલા બધા પ્રતાપ જોઈને મને તેા જીવતર અકારું થઇ પડયું છે. હું તેા હવે वह्नि मे प्रवेक्ष्यामि भक्षविष्यामि वा विषम् ।
કાં તો આગમાં બળી મરીશ, અથવા તે! છેવટે ઝેર ખાને આ જીવના અંત આણીશ. કાઈ પણ રીતે, હવે મારાથી જીવી શકાય એમ તા છે જ નહિ !
૪૮. ધૃતરાષ્ટ્રે અનુમતિ આપે છે
ઈર્ષ્યા માણસ પાસે કાઇ ક્રાઈ વાર આત્મધાત પણ કરાવે છે. શનિ એ સારી રીતે સમજતા હતા એટલે દુર્યોધનને તેણે સાંત્વના આપવા માંડી. “ પાંડવાની ઈર્ષ્યા કરવાનું તારું કંઈ જ કારણુ નથી. તેમની પડખે જો દ્રુપદ વગેરે છે, તેા તારી પડખે ભીષ્મ અને દ્રોણુ, ક` અને અશ્વત્થામા
"6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૩
અને હું કયાં નથી? અને યુધિષ્ઠિરને જે એના ચાર ભાઈઓને પૂરેપૂરે. સાથ છે, તે તને કયાં તારા નવાણું ભાઈઓને સંપૂર્ણ સાથ નથી ?”
પણ એમ શબ્દથી દુર્યોધનના બળતા હદયને શાંતિ થાય એમ નહતું
દુર્યોધનની ઈર્ષ્યાનું મૂળ ઊંડું હતું. પાંડવોના કરતાં વધારે પૈસા અને પ્રતિષ્ઠા મળે તો પણ તેનું દુઃખ ટળવાનું નહોતું. તેને તે પાંડવો જીવતા હોય તે જ ગમતું નહોતું. એને સ્વભાવની વિકૃતિ જ એવી હતી. પાંડવોનું અસ્તિત્વ જ તેને માટે મહાન દુઃખરૂપ હતું.
પાંડવોને અને કૃષ્ણને ખુલ્લા યુદ્ધમાં તો આપણે પહોંચી શકીએ એમ નથી,” પોતાના મનમાં રચાઈ ગયેલી પાંડવનાશની એક અધમ યોજનાનું અ-મંગલાચરણ કરતાં શકુનિએ આગળ ચલાવ્યું. “પણ એક બીજો રસ્તો છે, પાંડવોને પૃથ્વી પરથી ઉખેડી નાખવાને.”
તો બોલતા કેમ નથી?” “એ બીકે, કે તારા પિતા, કદાચ, એ રસ્તાને માન્ય નહિ રાખે.”
પણ કહો તો ખરા.” “ઘૂત!” શકુનિએ નામ પાડયું
એટલે?” “એટલે જુગાર. હું પાસાની રમતમાં કુશળ છું; અને એટલે હું કુશળ છું તેટલો જ યુધિષ્ઠિર તેમાં અ-કુશળ છે, અને યુધિષ્ઠિરને તે વાતનું પૂરેપૂરું ભાન પણ છે.” “પણ તે પછી યુધિષ્ઠિર રમવા તૈયાર કેમ થાય?”
થાય. તેની એક નબળાઈ છે.” “કઈ ?”
કાઈ પડકાર ફેંકે તો તેને ઝીલી લીધા વગર તેનાથી રહેવાય જ નહિ. પડકાર ન ઝીલીએ, તો કાયર ગણાઈએ તેવી તેની માન્યતા છે.”
વિચિત્ર!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ગમે તેમ પણ યુધિષ્ઠિરને આપણે જે ઘતનું આહવાન આપીએ તો તે તેનો સ્વીકાર કરે એ ચોક્કસ. અને એકવાર એ જુગાર રમવા બેઠા, મારી સામે, પછી એ બાવો થઈને જ ઉઠવાને, એ પણ એટલું જ ચેકસ.”
“પણ તો પછી વાટ કોની જુવો છો?” “તારા પિતા સંમતિ આપે તેની !”
એટલે બન્ને દેડયા, ધૃતરાષ્ટ્ર પાસે. ધૃતરાષ્ટ્ર પહેલાં તો ખૂબ અણગમો દાખવ્યો. જુગટુ રમનાર ને રમાડનાર કેઇનું કદી કલ્યાણ થયું નથી, એવાં બોધવચન ઉચ્ચાર્યા. સૌજન્યની મૂર્તિ સમો વિદુર આ વ્રતની વાતને કદી પણ મંજૂર નહિ રાખે, અને વિદુરને પૂછ્યા વગર પોતે એક ડગલું પણ ભરવાને નથી એવી ધમકી પણ આપી; પણ દુર્યોધનની આત્મઘાતની ડરામણું અને શકુનિના આગ્રહ પાસે અંતે એ મજબૂર બન્યો, અને તેણે સ મતિ આપી.
ખરી વાત એ છે કે ધૃતરાષ્ટ્ર બહારથી ભલે દૂતને વિરોધ કર્યો હોય, અંદરખાનેથી તો તે પુત્રથી યે સવાયો પાંડવણી હતી. લોકલાજને કારણે ઘણી યે વાર મનની મલિનતાને એ મનમાં જ ઢાંકી રાખતા, પણ સહેજ પણ તક મળે, એ મલિનતા આડેને દાટો ખુલી જતો અને અંદરની દુર્ગધ બહાર ફેલાઈ જતી.
વિદુરને આ વાતની ખબર પડી ત્યારે તેને ઘણું જ દુઃખ થયું. ધૃતરાષ્ટ્રને તેણે ઘણું સમજાવ્યો. દુર્યોધન નાનપણથી જ પાંડે પ્રત્યે વર રાખે છે. તેની એ વરવૃત્તિને રોકવાને બદલે તમે તે ઉલટાની તેને વધુ સતેજ બનાવે છે–એવાં મેણાં પણ ખૂબ માર્યા ! અને આમાંથી એક દિવસ એક એ અગ્નિ પ્રગટવાને છે, જેની જવાલાઓમાં સંતનુનું આખું ફળ બળીને ખાખ થઈ જશે એવી ધમકી પણ આપી.
પણ વિદુરની નબળાઈ ધૃતરાષ્ટ્ર જાણતો હતો. તે હજાર મેણાં મારે, પણ કાર્યને વખત આવશે ત્યારે પોતે કહેશે એમ જ કરશે એવી ધૃતરાષ્ટ્રને ખાતરી હતી.
આવી સ્થિતિમાં વિદુરની સલાહની અસર ધૃતરાષ્ટ્ર પર કેટલી થાય!
અને કરુણતાની અવધિ તો ત્યાં આવી, જ્યાં જુગટું કાઇ કાળે ન રમાવું જોઈએ એવી સલાહ આપનાર આ સજજન જાતે જ, ધૃતરાષ્ટ્રના આદેશથી, પાંડવોને દૂતનું આમંત્રણ કે આહવાન આપવા ઇન્દ્રપ્રસ્થ ગયા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૫
૪૯, વિદુર
માનવીનું મન એ જગતની સૌથી વધુ જટિલ સમસ્યા છે. સાહિત્ય અને ઇતિહાસ એ જટિલતાઓનું પ્રતિબિંબ ઝીલે છે, એને ઉકેલ નથી. આપી શકતા.
પિતે જેને અધર્મયુક્ત અને હાનિકારક માને છે, તે જુગાર રમવા આવવાનું આમંત્રણ યુધિષ્ઠિરને આપવા વિદુર પોતે જ જાય છે. એનો ખુલાસો મહાભારતકાર અર્થચ પુરુષો રાસઃ એવા શબ્દો ખુદ એમની જ પાસે બોલાવીને કરે છે; પણ એ શબ્દોથી પણ વાચકના મનનું સે યે સે ટકા સમાધાન તો નથી જ થતું. વિદુર ફક્ત રેટીના ટુકડા માટે પોતાની જાતને આટલી નીચી ઉતારે છે એમ માનવું એ, વિદુરનું સમગ્ર વ્યકિતત્વ જોતાં, મુશ્કેલ લાગે છે. કંઈક બીજું પણ કારણ હશે, એમને.
એ બીજું કારણ એ લાગે છે કે ધૃતરાષ્ટ્ર ગમે તેવો પણ વિદુરને માટે ભાઈ છે, અને દુર્યોધનાદિ ગમે તેવા ખરાબ પણ એના ભત્રીજાએ છે, જેઓ એમને ખેળો ખુંદી ખુંદીને મેટા થયા છે. સ્નેહને તંતુ પણ કઈ ચીજ છે ને !
વળી એમ પણ હોય-વિદુરને ઊંડે ઊંડે એવી પણ આશા છે કે પોતે જે અધર્મકાર્ય લઇને ઈન્દ્રપ્રસ્થ જઈ રહ્યા છે, તેને યુધિષ્ઠિર જાતે જ ફળીભૂત નહિ થવા દે!
ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા પછી દૂતની વાત નીકળતાં વેંત યુધિષ્ઠિર ખુદ વિદુરની જ સલાહ માગે છે અને વિદુર સંપૂર્ણ મુક્ત મને ડૂતની વિરુદ્ધ સલાહ આપે છે. પણ યુધિષ્ઠરના મનમાં પણ જાણે કેઈ અગમ્ય આત્મઘાતક વૃત્તિઓ કામ કરી રહી છે. જુગાર અનિષ્ટ છે, એમ તે માને છે; અને એવી જ વિદુરની સલાહ છે; આટલું જ નહિ, પણ જેમની સાથે જુગાર ૨મવાનું છે તે શકુનિ ધૂર્ત અને કપટી છે એ પણ તે જાણે છે. અને છતાં તે શું બોલે છે, સાંભળોઃ
“આખું જગત,” તે કહે છે, “વિધાતાની યોજના વડે દૈવને આધીન છે, સ્વત્રંત નથી. ધૃતરાષ્ટ્રની આજ્ઞા થઈ છે, તે તેનું પાલન મારે કરવું જ જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
બીજા શબ્દોમાં કહીએ તે આવનારી આપત્તિએ જાણે મૂઠ મારી હોય એવી દેવ–પરવશ સ્થિતિ એ અનુભવી રહ્યો છે. પોતાના સ્વભાવ પાસે પોતે લાચાર છે, અને એ લાચારીમાંથી ખુવારી જન્મવાની છે એવું જાણતા છતાં એ પિતાની જાતને રોકી શકતો નથી. આનું જ નામ, પ્રતિ ચાનિત મૂતાનિ અને આ જ “FATE ”! યુધિષ્ઠિર આ ઠેકાણે આપણને લગભગ Fatalist જેવો લાગે છે. હજુ આગળ સાંભળો, એના શબ્દોઃ
“હું શકુનિ સાથે ઘૂત રમવા ઈચ્છતો નથી; પણ જય મેળવવાની ઈરછાએ એ મને ભર સભામાં આમંત્રણ કે આહવાન આપશે, તે હું એને અસ્વીકાર નહિ કરું ! (નહિ કરી શકું, એમ જ ને?) કારણ કે મારી સામે ફેકાયેલા પ્રત્યેક પડકારને મારે ઝીલ જ, એવો મારો નિયમ છે !” પ્રારબ્ધવાદ, નિર્ભયતા, અહંભાવ, જુગારીવૃત્તિ, જગતની આંખો સામે બહાદુર અને ટેકીલો દેખાવાની તાલાવેલી –અનેક વૃત્તિઓનું કેઈ અજબ મિશ્રણ છે, એનું મન !
અહીં એક વાત નોંધપાત્ર છે કે પિતાના ચાર ભાઈઓ અને દ્રૌપદી, એ પાંચમાંથી એકકેયની સલાહ યુધિષ્ઠિર આ કટોકટીના પ્રસંગે પૂછતો નથી કે નથી તેમનામાંથી કઈ એવી સલાહ, વગર માગ્યે, આપતું.
કદાચ એમ પણ હોય કે ભાવિની ભયંકરતાને અત્યારથી જ પામી ચૂકેલે યુધિષ્ઠિર હદયની કેઈ અગમ્ય ઉદારતાને કારણે તેના માટેની બધી જ જવાબદારી, તેના માટે બધા ય અપયશ, પોતાના એકલાના જ શિર પર રાખવા માગે છે.
પછી ઇન્દ્રપ્રસ્થમાંથી વિદાય થઈને પાંડ તેમજ દ્રૌપદી હસ્તિનાપુર પહોંચે છે તેનું વિગતવાર વર્ણન વ્યાસજીના જ શબ્દોમાં વાંચવા જેવું છેઃ
બીજે દિવસે યુધિષ્ઠિરે દ્રૌપદીને આગળ રાખીને પિતાનાં સ્વજને, સેવકે અને સ્ત્રીવર્ગ સાથે પ્રયાણ આદર્યું. પૃથાનંદન યુધિષ્ઠિર પૂરે પોશાક પહેરી બાહિલને આપેલા રથમાં વિરાજ્યા અને બ્રાહ્મણોને આગળ રાખીને હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં પહોંચીને તે ધર્માત્મા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના ભવનમાં ગયા અને તેમને મળ્યા. પછી ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય અને દ્રોણુપુત્ર અશ્વત્થામાને યથાવિધિ મળ્યા. પછી સોમદત્ત, દુર્યોધન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૭
સુખલપુત્ર શકુનિનને મળ્યા. ત્યાં જે ખીન્ન રાજાએ અગાઉથી એકઠા થયા હતા તેમને, વીર દુઃશાસનને, ખીજા ભાઇઓને, જયદ્રથ તેમ જ સર્વાં કુરુને પણ તે મળ્યા. તે પછી એ મહાભુજ સર્વ ભાઈ એથી વીંટાઇને શ્રીમ:ન ધૃતરાષ્ટ્રરાજના વાસગૃહમાં ગયા. ત્યાં તેમણે પતિવ્રતા મહારાણી ગાંધારીનાં દન કર્યા. વહુએથી વીંટાયેલી ગાંધારી તારાએથી સદા વીંટાયેલી રહેતી રાહિણીની પેઠે શાલતી હતી. ધરાજ ગાંધારીને પગે લાગ્યા અને ગાંધારીએ તેમને આશિષ આપી. પછી યુધિષ્ઠિર વૃદ્ધ અને પ્રજ્ઞાચક્ષુ પિતા ધૃતરાષ્ટ્રરાજ પાસે આવ્યા. હે રાજન ! તે સમયે એ રાજાએ તેમનું તેમ જ ભીમસેન આદિ ચારે બધુઓનાં માથાં સુઘ્ધાં. હું પૃથ્વીપતિ, ત્યારે પ્રિય દર્શનવાળા અને પુરુષામાં સિંહ જેવા તે પાંડવાને જોઈને કૌરવને ભારે હર્ષી થયા. પછી આજ્ઞા મળતાં તે રત્નજડિત ધરામાં રહેવા ગયા. ત્યાં ધૃતરાષ્ટ્રની પુત્રવધુએ દ્રૌપદીને મળવા આવી અને યાનસેનીની પરમ ઉજ્વલ સમૃદ્ધિ જોઇને મનમાંતે તે મનમાં ખિન્ન થઇ, પછી તે પુરુષસિંહાએ સ્ત્રીએ સાથે વાતચીત કરી અને વ્યાયામ કર્યા બાદ કેશસંસ્કારાદિ પણ કર્યા. હવે કલ્યાણની ઇચ્છાવાળા તે સર્વ પાંડવાએ આહનિક કર્યું, દિવ્ય ચંદનની અર્ચા કરી અને બ્રાહ્મણા પાસે સ્વસ્તિ–વાચન કહેવડાવ્યુ. પછી મન ગમતું ભાજન જમીને તેએ શયનગૃહમાં ગયા. શત્રુના નગરને જીતનારા એ કુરુશ્રેષ્ઠો અહીં આવીને પ્રસન્નતા પામ્યા અને સ્ત્રીએનાં ગીતેનાં ગુજન ઝીલતા ઝીલતા ઊંઘી ગયા. આમ તે રતિવિહારીએની એ રાત્રિ સુખમય પસાર થઇ. પછી શ્રમરહિત થયેલા અને બંદીજનાની બિરદાવલી સાંભળતાં તે સવારમાં યથાકાલે નિદ્રામાંથી ઊઠયા. રાત્રે સુખપૂર્વક રહેલા સર્વેએ સવારમાં નિત્યકર્મો કર્યા; અને પછી જુગારીએના અભિનંદન ઝીલતા ઝીલતા રમણીય દૂત-સભામાં તેમણે પ્રવેશ કર્યાં. ”
૫૦. યુધિષ્ઠિરનુ` માનસ
હવે દૂતનેા આરંભ કેવી રીતે થયા તે જોઈએ.
ધૃતરાષ્ટ્રે આ દ્યૂતખેલન માટે એક ખાસ સભા તૈયાર કરાવી. આજની ભાષામાં આપણે જેને મંડપ કહીએ છીએ, તેને કઇક મળતી આવતી આ < સભા ' હશે. હજારો પ્રેક્ષકા–એમાંના સારા એવા ભાગ તા બહારથી આવેલા આમત્રિત્રાનેા હતેા–એમાં એમને માટે ખાસ તૈયાર કરવામાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આસનેા પર બેઠા હતા. પ્રેક્ષામાં બધા જ પુરુષા હતા. સ્ત્રી કાઇ જ નહેાતી. દ્રૌપદી, ગાંધારી આદિ નારીમંડળ ધૃતરાષ્ટ્રના રાજપ્રાસાદમાં જે સ્થળે હતુ, ત્યાં હતી.
પાંચે પાંડવા સભામંડપમાં દાખલ થઇ હાજર રહેલ સૌનુ અભિવાદન ઝીલી તેમને માટે નિર્દિષ્ટ આસન પર બેસી ગયા.
પછી શનિએ વ્રતનેા પ્રસ્તાવ મૂકયા.
યુધિરેિ તેના વિરોધ કર્યો.
ઘતમાં કપટને સ્થાન છે. શૌર્યાદિ ક્ષત્રિય-સાને તેમાં અવકાશ જ નથી. ખરી રીતે તેા હાથ--ચાલાકીથી ભેાળા લેકેાને છેતરીને તેમને ખુવાર કરવાના જ આ એક ચાલાક માણસાને કીમિયા છે.
<6
યુધિષ્ઠિરની આ વ્યાજખી દલીલને શકુનિ ખૂબ સિફતથી ઉડાવી દે છે. એમ તેા યુદ્ધમાં પણ શસ્ત્રાસ્ત્ર-વિદ્યાના વિશેષ જાણકારી હોય છે તે જ એ વિદ્યાના આછા જાણકારા ઉપર વિજય મેળવે છે, તેથી શું સંગ્રામ એ કાઇ કપટકળા બની જાય છે? '' વગેરે.......
,,
શનિની દલીલ હકીકતમાં એ જ કે જગત એક જુગારખાનુ છે, જેમાં સબળ માણસા નિળ માણુસેને હંમેશા હાર જ આપે છે.
66
.
"C
અને છતાં, ' ઉપસંહાર કરતાં શકુનિ કહે છે તું ડરતા હાય તે અમારા આગ્રહ નથી ! ’
બસ. થઈ રહ્યું. યુધિષ્ઠિરના વ્યકિતત્વની નબળામાં નબળી કડી શકુનિના
હાથમાં આવી ગઇ.
“ હું કાઇનાથી ડરતે નથી ” એમ કહીને યુધિષ્ઠિરે સમતિ આપી દીધી.
પણ હજુ એક ગૂંચ રહી. પેાતા તરફથી તે પાતે રમશે, પણ દુર્યોધન તરફથી ક્રાણુ રમશે? યુધિષ્ઠિરે પૂછ્યું,
..
“ હું ! ” શકુનિએ જવાબ આપ્યા.
cr
“ કાઇને બદલે કાઈ રમે એવું વિચિત્ર ! ” યુધિષ્ઠિરે વાંધા ઉઠાવ્યા. જેવુ ક્યું; અને જે એ વાંધાને તે વળગી જ રહ્યો હાત, તા તેનું અતે ભારતનું ભાવિ જ કદાચ પલટાઇ જાત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૯
..પણ યુધિષ્ઠિરે તો એ વાંધો ઉઠાવતાંની સાથે જ કોઈના જવાબની રાહ જોયા વગર જતો કર્યો.. અને..
છૂતની શરૂઆત થઈ !
ઘતની....અને અંતે મહાભારતના યુદ્ધમાં પરિણમનારી અનર્થ-પરપરાની !
ઘૂત વિદ્યુતવેગે ચાલવા માંડયું.
એક તરફ શકુનિ જેવો ચાલબાજ અને બીજી તરફ યુધિષ્ઠિર જેવો ભોળો, પાસાની આંટીઘૂંટીથી તદ્દન અણજાણુ અને બહાર્યો જુગારી બમણું રમે,’ એવી કહેવતને મૂર્તિમંત કરનારો-ચડસીલ માણસ ! પછી બાકી શું રહે !
સભામંડપ ફકત એક જ શબ્દના વખતે વખતના પુનરાવર્તનથી ગુંજવા માડયો : નિતમ્ નિતમ્ નિતમ્ ! વસ્તુ હોડમાં મૂકી નથી, અને હરાઈ નથી!
અને જોતજોતામાં, વીજળી વેગે, વીજળી જેમ વાદળાના અંધકારમાં અદશ્ય થાય એવી રીતે યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મી પરાજયના અંધકારમાં અદશ્ય થઈ ગઈ.
અને વાત ઠેઠ દ્રૌપદીના વસ્ત્રાહરણ સુધી આવી પહોંચી. આ આખાયે પ્રસંગની હવે આપણે સહેજ લંબાણથી સમીક્ષા કરીશું.
૫૧. દ્રૌપદી વસ્ત્રાહરણઃ એક સમીક્ષા સાહિત્યમાં કે જીવનમાં, કલ્પનામાં કે વાસ્તવિકતામાં સ્ત્રીની આવી દશા ક્યાંય થઈ નથી. જેમ દ્રૌપદીને જેટ જગતમાં કયાંય નથી, તેમ વસ્ત્રહરણના પ્રસંગને જેટ પણ જગતમાં ક્યાંય નથી. જીવનમાંય નથી અને સાહિત્યમાં નથી.
મૂળથી જ દુર્યોધન અને એના સાથીઓ પાંડવોના દેવી, તેમાં વળી રાજસૂય યજ્ઞ દ્વારા પાંડવોની સમૃદ્ધિ અને સુકીર્તિ બને વધ્યાં. અને એ વૃદ્ધિને દુર્યોધને નજરે નિહાળી, ત્યારે તે એને ઇર્ષ્યાગ્નિ હજાર ઝાળે ભભૂકી ઊઠયો. રણમાં તો તે પાંડવોને મહાત કરી શકે તેમ નહોતે જ; એટલે તેણે આ માર્ગ લીધો, છૂતને જુગારને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
વિદુર અને કૌરની રાજસભામાં બેસનારા બીજા મુરબ્બીઓ તો જુગારના વિરોધી છે જ. પણ આશ્ચર્ય એ છે કે પાંડવોને નાશ કરવાની એક યુકિત લેખે અજમાવાતા આ વ્રતને, ખુદ ધૃતરાષ્ટ્ર પણ વિરોધી છે. અને બબ્બે વખત તે બિચારો દુર્યોધનની વિનંતીને અસ્વીકાર કરે છે. પણ આખરે એને પુત્રપ્રેમ, પહેલેથી જ મંદ એવી એની વિવેકબુદ્ધિ ઉપર વિજય મેળવે છે અને ઇતિહાસના એક ઘોરતમ પ્રકરણને આરંભ થાય છે. (અહીં ઇતિહાસ શબ્દ, હું એના પ્રચલિત અર્થમાં નહિ, પરંતુ વ્યુત્પત્તિ અર્થમાં વાપરું છું એમ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ઈતિહાસ એટલે તિ--માસ—આમ હતું એમ સાંભળ્યું છે. મહાભારત અને રામાયણને આપણા પ્રાચીન શાસ્ત્ર-વ્યવસ્થાપકે એ ઇતિહાસ જ કહ્યાં છે.).
યુધિષ્ઠિરને વિષે એક ભ્રમ છે કે એને ઘતને ભારે ચડસ હતો! પણ યુધિષ્ઠિર ઘતને એ શોખીન નથી. ચૂત સામે પોતાનો અણગમો-અને ખાસ કરીને દુર્યોધન અને શકુનિ જેવા કપટીઓ સાથે જુગાર ખેલવાને અણગમો તે સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરે છે. વિદુર પણ એને જ મતના છે, પણ ધૃતરાષ્ટ્રના મોકલ્યા તેડવા આવ્યા છે એટલે ફકત એટલું જ કહે છે કે
તને યોગ્ય લાગે તેમ કર.” પોતે જોખમ લેતાં ડરે છે, એવી છાપ કેઇના મન ઉપર ન પડવી જોઈએ એવી યુધિષ્ઠિરની વૃત્તિ છે. પિતે લોભી નથી, બીકણ નથી, ખેલદિલ છે, એવી પિતાની ખ્યાતિ છે; અને એ
ખ્યાતિને યુધિષ્ઠિર ગમે તે ભોગે ટકાવી રાખવા માગે છે. બસ, અહીં જ એમના પતનનું બીજ છે. એમને શત્રુ જુગાર નથી, અહંકાર છે!
યુધિષ્ઠિર વિષે બીજો એક ભ્રમ એ છે કે એમણે જુગારના ચડસમાં દ્રૌપદીને હોમી દીધી! પણ હકીકત એ છે કે, હારી બેઠા પછી પણ, પોતાની જાતને પણ હારી બેઠા પછી પણ દ્રૌપદીને હોડમાં મૂકવાનો વિચાર એને પિતાને નથી આવ્યો. એ સૂચન તે શકુનિનું છે! “હજુ તમારી કને એક સંપત્તિ છે,” શકુનિ યુધિષ્ઠિરને જાણે યાદ અપાવે છે, “પાંચાલીને દાવમાં મૂકીને હજુ તમે ભાગ્ય અજમાવી શકે છે !”
અલબત્ત યુધિષ્ઠિર આ સૂચન સાંભળતાં વેંત તેને ઉપાડી લે છે; પણ તે “હું કોઇ પણ જોખમ લેતાં ડરું નહિ”....એવું હુંપદ તેનામાં છે એ જ કારણે. અસ્તુ. પણ આ પગલું પાંડને કયાં લઈ જશે, અને એમાંથી સૌને માટે કેવો ઘર વિનાશ સર્જાશે, એની જેમને કલ્પના હતી તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૧
સૌ તો ધ્રુજી જ ઊઠેલા, યુધિષ્ઠિરે સૈપદીને હેડમાં મૂકી ત્યારે મહાભારતના જ શબ્દ ટાંકીએ તો “ૌપદીને યુધિષ્ઠિરે હેડમાં મૂકી ત્યારે સભા ખળભળી ઊઠી. રાજાઓને ખેદ થઇ આવ્યો, અને ભીમ, દ્રોણ તેમજ કૃપાચાર્ય વગેરે પરસેવે રેબઝેબ થઈ ગયા. વિદુર તે માથું ઢાળીને મડદાની પેઠે જ રહ્યા........” તે આ દિમૂઢતામાંથી ઝબકીને ત્યારે જ જાગ્યા, જ્યારે દુર્યોધને તેમને આજ્ઞા આપી કે......
एहि अत्त द्रौपदीम् भानयस्व
प्रियां भायां संमतां पांडवानाम् । संमार्जतां वेश्म परैतु शीघ्रम्
तत्रास्तु दासीभिरपुण्यशीला । “જઓ વિદુર, દ્રૌપદીને બોલાવી લાવો. એ મારા મહેલમાં વાસીદું વાળશે અને દાસીઓ ભેગી રહેશે.”
પણ વિદુર જેનું નામ ! એ થોડા જ દુષ્ટાત્માની આવી દુષ્ટ વાત માનવાના હતા ! એ તો દુષ્કૃત્યની પાછળ રહેલી વિનાશપરંપરા સમજાવવાને યત્ન કરે છે. પણ વૃથા ! દુર્યોધન શેને માને ?
દુર્યોધનને માટે તે આ જીવનની એક અત્યંત આનંદદાયક ઘડી છે. વરસોને ઈર્ષ્યાગ્નિ આજે કૈક શાન્ત થાય છે. ઇન્દ્રપ્રસ્થમાં મયદાનવે સજેલ સભામંડપમાં તેનો જે ઉપહાસ કરવામાં આવ્યો હતો, તેનું વૈર આજે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વસૂલ થતું તેને દેખાય છે. તેની ભૂલ પર હસેલી દ્રૌપદી આજે તેની દાસી બની છે. એની પાસે, આખી દુનિયા દેખી શકે એવી રીતે દાસીપણું કરાવ્યા સિવાય, એને પામર જીવડો જપવાને જ શી રીતે હો !
એટલે એ પ્રતિકામી નામના એક સારથિને મોકલે છે, દ્રૌપદીને સભામાં લઈ આવવા માટે અને અહીંથી દ્રૌપદી રંગમંચ ઉપર આવે છે..એકવસ્ત્રા રજસ્વલાની અવસ્થામાં!
હવે દ્રૌપદીને જોઈએ.
પ્રતિકામી દ્વારા દુર્યોધનને આદેશ સાંભળતાં વેંત તેના મુખમાંથી ફકત આટલા જ શબ્દ સરે છેઃ “હેય નહિ! આવી વાત તારા મોંમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
નીકળે છે શી રીતે ! રાજપુત્ર પોતાની પત્નીને કદી હોડમાં મૂકે ખરે? યુધિષ્ઠિર જુગારના કેફમાં પાગલ બની ગયા હશે ? શું તેમની પાસે બીજી કઈ વસ્તુ નહોતી કે એમણે મને દાવમાં મૂકી !”
ઉપરનાં પાંચ વાક્યમાં, પળભર મૂછવશ થઈ ગયેલી દ્રૌપદીની સ્વસ્થતા ફરી પાછી ધીરે ધીરે દેશમાં આવતી હોય એમ નથી લાગતું? પહેલાં તો એ સારથિની વાત માનતી જ નથીઃ “હાય નહિ આવી વાત સંભવે જ શી રીતે ?” પછી એ ન માનવા માટેનું કારણ આપે છે..કે “કઈ મામુલી રાજપુત્ર પણ જ્યાં પોતાની પત્નીને દાવમાં ન મેલે, ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિર તો મેલે જ શી રીતે ? અને તે પણ મારા જેવી પત્નીને !” પછી આગળ ચાલતાં, એ વધુ વાસ્તવવાદી બને છે. અને કહે છે કે “ભાઈ, મેલે પણ! જગટાના કેફમાં ચકચૂર થઈને તેમણે આવું પણ કર્યું હેય !” અને છેલે, પોતાના મનમાં તે જ પળે ઊભી થયેલી એક આશાને વાચા આપતાં ઉમેરે છે કે “યુધિષ્ઠિરે મને દાવમાં મૂકી હશે, કદાચ, પણ તે ક્યારે? જ્યારે એમની પાસે બીજુ જ બાકી નહિ બચ્યું હોય ત્યારે જ !”
અને પછી તો એની એ સ્વસ્થતા પળે પળે વધતી જાય છે. પ્રતિકામીની પાસેથી બધી યે વિગતો જાણ્યા પછી યુધિષ્ઠિરે રાજપાટ, ધનસંપત્તિ, ભાઈઓ અને પોતાની જાત–બધું હાર્યા પછી જ તેને હોડમાં મૂકી છે એવી ખબર પડે છે ત્યારે તેનામાં વળી એક નવી આશાને સંચાર થાય છે અને તે સારથિને કહે છે, “ભાઈ જરા પાછા જઈને પછી તે આવ, ધર્મરાજ યુધિષ્ઠિરને, કે તમે પહેલાં કેને હાર્યા? તમારી જાતને કે દ્રૌપદીને ?” શમાં કેટલો માર્મિક ઠપકે છે! અને સાથે સાથે કેટલી શ્રદ્ધા છલે છે ! તમારી જાતને ખોઈ બેઠા છે, તો જ તમને મને હોડમાં મૂકવાનો વિચાર આવે ! નહિતર નહિ જ. તમારામાં આત્મભાન હોય ત્યાં સુધી તો તમે મને હેડમાં ન જ મૂકે !
યુધિષ્ઠિર આને શો જવાબ આપે ? મહાભારત કહે છે કે એ તો સારથિને મોંએથી દ્રૌપદીને આ પ્રશ્ન સાંભળીને નિર્જીવની જેમ મુંગા જ બની ગયા. કોઈ જાતને જવાબ જ આપી શક્યા નહિ !
જવાબ તે એમને બદલે અધીર દુર્યોધન જ આપે છે. અને આપે જ તો ! દ્રૌપદીને હવે તે જ માલિક છે ને, તેને પોતાને મન તો! એ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૩
છે, “જા, દ્રૌપદીને જઈને કહે કે યુધિષ્ઠિરને તારે જે પૂછવું હોય તે અહીં આવીને પૂછ.”
સારથિ બિચારે ચિઠ્ઠીને ચાકર ! કચવાતે મને અને મનમાં ને મનમાં દુર્યોધનને શાપ આપતો આપતો એ દ્રૌપદીને કૌરવરાજની આજ્ઞા પહોંચાડે છે; પણ દ્રૌપદી ફરી તેને પાછો વાળે છે–એજ પ્રશ્ન સાથે. ફકત એ પ્રશ્ન હવે તે યુધિષ્ઠિરને નહિ, પરંતુ રાજસભામાં બેઠેલા સૌને ઉદ્દેશીને પૂછે છે.
સારથિ વળી પાછો રાજસભામાં આવે છે-અને દ્રૌપદીના શબ્દો સૌને સંભળાવીને એના વતી માર્ગદર્શન માગે છે. પણ દરબારીઓની શી મગદૂર કે રાજાને અણગમતી વાત ઉચ્ચારે !
આ વખતે યુધિષ્ઠિર જાતે જ પોતાના એક વિશ્વાસુ માણસને મોકલીને દ્રૌપદીને કહેવડાવે છે કે “હે પાંચાલી ! તું રજસ્વલા હોવાને કારણે એકવસ્ત્રા છે, તે તે જ સ્થિતિમાં રેતી રેતી સભામાં આવે અને તારા શ્વસુર ધૃતરાષ્ટ્રની સામે ઊભી રહે...! તે સભા એ દશ્ય જોઈને દુર્યોધન ઉપર ફિટકાર વરસાવશે અને ધૃતરાષ્ટ્રને અનિચ્છાએ પણ માનવતા દેખાડવાની ફરજ પડશે ! ”
લાગે છે કે યુધિષ્ઠિરને હજુ પણ દુર્યોધનની અને એના ગાઠિયાઓની માનવતામાં શ્રદ્ધા છે. હોય એમાં નવાઈ પણ નથી. એના જેવો અઠંગ આશાવાદી જગતે બીજે ભાગ્યે જ જોયા હશે!
પરંતુ દયાની આડકતરી પણ યાચના દ્રૌપદી જેવી એક અત્યંત સ્વમાની માનિનીના હેમાં શેભે ખરી ! એવી નારી અપમાનિત ભલે થાય, પણ દુષ્ટો પાસે દયાની ભીખ માગવા જેટલી પામરતા તે ન જ ધારણ કરી શકે ! બીજી બાજુ, યુધિષ્ઠિરે જે સુચના આપી, તેને અનાદર પણ કેમ થાય ? પણ ભગવાન વિધાતા સ્વયમેવ દ્રૌપદીને આ દ્વિધામાંથી ઉગારી લે છે. ઢીલા સારથિને બદલે દુર્યોધને હવે જેને મોકલ્યો છે તે કઠોર દુઃશાસન આવીને તેને સીધી આજ્ઞા જ કરે છેઃ “ચાલ ! તું હવે દુર્યોધનની દાસી થઈ ! ધર્મ અધર્મની પીંજણ છોડીને તારા નવા સ્વામીની સેવામાં હાજર થઈ જા !”
દુઃશાસન માત્ર બોલતો જ નથી. એ તો એનો ચોટલો પકડવા જાય છે! દ્રૌપદી દોટ મૂકે છે. એને એમ કે ગાંધારી આદિ વૃદ્ધ સ્ત્રીઓ જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
બેઠી છે, તેમની વચ્ચે પહોંચી જાઉં તો બસ ! પણ દુઃશાસન તેની પાછળ દેડે છે અને તેના લાંબા, કાળા, તરંગમાળાસમા કેશને પકડી લે છે.
દ્રૌપદી શું બેલે? બોલી શકે ? દુઃશાસનને તે “અનાર્ય” અને “મંદબુદ્ધિ” કહીને ધમકાવે છે અને સાથે સાથે અજુન તથા કૃષ્ણને યાદ કરે છે.
પણ દુઃશાસનને નથી દ્રૌપદીની ત્રાડેની દરકાર કે નથી ધર્માધર્મની પીંજણની પરવા ! ધર્મ વિષેને તેને ખ્યાલ નિશ્ચિત છે. તેને મન ધર્મ એટલે રાજ–આજ્ઞા અને દાસી એટલે દાસી. રાજાએ દાસી કહી એટલે દાસી થઈ; અને દાસી થઈ, એની સાથે માનવતાભર્યો વ્યવહાર કરવાની ફરજ પૂરી થઈ !
અને આખરે વિખરાયેલા વાળવાળી, અરધા સરી ગયેલા એક વસ્ત્રવાળી દુઃશાસનના હાથમાં પકડાયેલા ચોટલા વડે ખેંચાતી, કેધથી સળગી રહેલી છતાં મલાજો સાચવવાનો પ્રયત્ન કરતી દ્રૌપદી સભા સમક્ષ આવી પહોંચે છે–નિરંતર વિરોધ કરતી, સતત વાગ્માણ છેડતી, ધર્મની આણ દેતી, ભવિષ્યમાં આવનારા ભયાનક પ્રતિકારની દુહાઈ આપતી....
દ્રોણ, ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્ર–એ ચારને તો એ ખાસ લહાણુમાં લે છે. હજુ એ જ પ્રશ્ન એની જીભ પર છે. “યુધિષ્ઠિરે મને, તે પોતે પોતાની જાતને હારી બેઠા, તે પહેલા દાવમાં મૂકી, કે પછી?” તેનું સૂચન
સ્પષ્ટ છે. જે યુધિષ્ઠિરે તેને, પોતે પોતાની જાતને હારી બેઠા તે પછી દાવમાં મૂકી હોય, તો તેમ કરવાને તેને કોઈ અધિકાર નહોતો ! પોતાના યુગની સ્ત્રીઓ કરતાં એ એક ડગલું આગળ છે. પતિને તેના ઉપર અધિકાર ખરે. પણ તે પતિ સ્વતંત્ર હોય ત્યાં સુધી જ. પતિ જાતે જ જે કાઈને દાસ હય, તે પત્ની ઉપરના તેના અધિકારો મર્યાદિત થઈ જાય!...
પણ દુર્યોધન અને એના દુષ્ટ સાથીઓને કયાં ધર્મની આવી સૂક્ષ્મ ચર્ચાઓ કરવા-સાંભળવાની અત્યારે કુરસદ છે ! તેમને માટે તેનું સમર્થ પતિઓના દેખતાં આ મહામાનિનીની જે અવદશા થઈ રહી છે તે જાતે જ એક જીવનમહોત્સવ છે ;
પણ ભીષ્મથી નથી રહેવાતું. એ તો પિતામહ. આર્યોની પરંપરાના તવિદ અને સંરક્ષક. શાસ્ત્રના શબ્દની લકીરના ફકીર. લકીરથી એ તલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ભાર પણ ન ચસે! યાદ છે ને, “ભીષ્મ એવી ઉપાધિ એમને શા માટે સાંપડી હતી ? –વૃદ્ધ પિતાને પરણાવવા માટે એણે રાજ્યને ત્યાગ કર્યો અને ઉપરથી, છાએ તજેલા એ સિંહાસનની પોતાનાં સંતાને ઉઘરાણ ન કરે એટલા ખાતર, જીવનભર કુંવારા રહ્યા, એટલા માટે એમની સંસ્કૃતિ જ આખી પુરુષ-પરાયણ! અંબા–અંબિકા અને અંબાલિકાને એ એમના
સ્વયંવરમાંથી બળજબરીથી ઉપાડી આવેલા; પણ તે પિતા માટે નહિ, પિતાના સાવકા ભાઈ માટે! આ ધૃતરાષ્ટ્ર અને પેલા પાંડુ અને આ વિદુરના બાપ માટે !...
આ ભીષ્મ, જે એક વ્યક્તિ ઉપર દ્રૌપદીની દષ્ટિ હતી તેણે તો વળી, દ્રૌપદીની રહીસહી આશાઓ ઉપર પણ પાણી ફેરવી નાખ્યું : “પતિ પરાધીન હોય કે સ્વાધીન,” તેમણે શાસ્ત્ર ઉચ્ચાયું: “તેની સાથે પત્ની પરના પુરુષના સ્વામિત્વને કશી જ નિસ્બત નથી!” અને છતાં તેમનું આખુંયે ભાષણ ન વા કુંજરો વા” જેવું છે. “હું શું કરું? તારે યુધિષ્ઠિર જાતે જ એ ધર્માગ્રહી છે, કે એની સામે એણે જે કર્યું છે તે બરાબર નથી કર્યું એવી કઈ દલીલ ઊભી જ નહીં રહી શકે !”
ટૂંકમાં, અહીં આ બાબતમાં, દ્રૌપદીનું દર્શન ભીમના દર્શન કરતાં ઘણું જ વધારે સૂક્ષ્મ અને સ્વચ્છ છે. એની દલીલેને ભીષ્મ પાસે કશો જ ઉત્તર નથી; અને મહાન ભીષ્મ પિતામહ, આ કુલવધૂ પાસે, આ પ્રસંગે કૈક એાછા મહાન લાગે છે!
પણ એમ, તે, આ સભામાં આ પ્રસંગે, દુર્યોધનને નાનો ભાઈ વિકર્ણ પણ ભીમના કરતાં કંઈક વધારે મહાન દેખાઈ આવે છે. દ્રૌપદીના પ્રશ્નને
ખે ઉત્તર આપતાં સૌ અચકાયા કરે છે: “હે પૃથ્વીપાલ, તમે ભલે મૂંગા રહે, હું તે મને જે ન્યાયયુકત લાગે છે તે કહીશ જ! આ પાંડુપુત્રે જુગારની ઘેલછામાં, સામેના જુગારીઓથી ઉત્તેજિત થઈને, દ્રૌપદીને હેડમાં મૂકી અને તે પણ પોતાની જાતને હારી ચૂકયા પછી ! આ બધું જોતાં અને દ્રૌપદી પાંચે ય ભાઈઓની પત્ની છે એ વિચારતાં, હું તો એમ માનું છું કે દ્રૌપદીને આપણે છતાયેલી ન જ ગણી શકીએ !”
અને વિકર્ણ પર દુર્યોધનના ખુશામતિયાઓની પીટ પડે છે!... અને ખૂબી એ છે કે વિકર્ણનું આ વ્યક્તિ–સ્વાતંત્ર્ય સૌથી વધુ ખેંચે છે ને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કર્ણ શૌર્ય અને તેજની બાબતમાં અર્જુનને સમેવડિયે ! અને દાતા તરીકેની એની નામના તો અજોડ જ ! અને છતાં, એ અર્જુન નથી અને એટલે જ અર્જુન પ્રત્યેની એની ઈર્ષ્યા અત્યંત ઉગ્ર છે, ઉત્કટ છે, ઝેરી છે.
દ્રૌપદીને વેશ્યા” કહેવાની હદ સુધી એ જાય છે અને સૈપદીને ન-વસ્ત્રી કરવાની આજ્ઞા પણ દુઃશાસનને એ જ આપે છે.
અને પછી...આવે છે....ચમત્કાર ! મહાભારત કહે છે કે શ્રીકૃષ્ણ “ગૂઢ વસન” રૂપ, વસ્ત્રરૂપ બનીને દ્રૌપદીની નગ્નતાને ઢાંકી. સૂરદાસે લખ્યું છે :
ખેંચત ખેંચત દે ભુજ થાકે-વચનરૂપ ભયે શ્યામ! " માણસની લાજ કપડાંથી નથી ઢંકાતી, કેવળ ઈવર-સ્મરણથી જ ઢંકાય છે...એ સનાતન સત્ય આ ઘટનામાં અંકિત થયું છે, એટલી જોરદાર રીતે બીજે ક્યાંય અંકિત થયું નથી.
દુઃશાસનની છાતી ચીરીને એનું લેહી પીવાની ભીમસેનની પ્રતિજ્ઞા આ પ્રસંગે લેવાય છે. વિદુર ફરીવાર સભાને દ્રૌપદીના પેલા પ્રશ્નને જવાબ આપવાનો આગ્રહ કરે છે. અને સાથે જ, કર્ણના આદેશથી દુઃશાસન દ્રૌપદીને અંતઃપુરમાં લઈ જવા માટે સભાની વચ્ચે ઘસડવા માંડે છે અને દ્રૌપદી કૌરવ-વૃદ્ધોને પ્રણામ કરવાનું પહેલાં ભૂલી ગયેલી, તે હવે પતાવીને ફરી પાછો એ જ પ્રશ્ન પૂછે છેઃ “જે યુધિષ્ઠિરે મને, પોતાની જાતને હારી ચૂક્યા પછી હોડમાં મૂકી છે, તો હું છતાયેલી ગણાઉં કે કેમ ?”
ભીષ્મ સૂચવે છે આ બાબત યુધિષ્ઠિર જાતે જ ખુલાસો આપે ! અને પિતામહની આ સૂચનાના શબ્દને ઉપાડી લઈ, દુર્યોધન એકવાર ફરીથી એના ઉપર અને પાંડવો પર કટાક્ષોની ઝડી વરસાવે છે પણ અહીં પણ દુષ્ટતાને સૌથી વધારે ફાળે કર્ણ જ નોંધાવે છે: “હવેથી સવે ધૃતરાષ્ટ્ર પુત્રો જ તારા સ્વામીઓ ગણાશે !” વગેરે અપશબ્દો બોલીને.
કર્ણના આ શબ્દોથી દુર્યોધનને હજુ પણ વધારે ચાનક ચડે છે અને તે પોતાની ડાબી જાંધ ઉપરનું વસ્ત્ર દૂર કરીને દ્રૌપદીને એક અભદ્ર સૂચન
- હવે વિદુરથી રહેવાતું નથી. તે દ્રૌપદીના પ્રશ્નને સ્પષ્ટ જવાબ આપે છેઃ “ પિતાને હારી બેઠેલ યુધિષ્ઠિરને દ્રૌપદીને હોડમાં મુકવાને કશો જ અધિકાર નહતો...”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પણ દુર્યોધન શેને માને! એને મનાવવા માટે તે મહાભારતકારને એક શિયાળને મોટેથી બ્રૂકાવવું પડે છે અને ઉપરથી કૂતરાઓને ! “તારે વિનાશ નજિક છે” એવી એંધાણુઓ એને સાફ સ્કૂલ રૂપમાં દેખાડયા વગર, એને (હદયપલટાને તે સવાલ જ નથી!) બાહ્ય પલટ પણ શકય જ નહોતે !
આખરે ધૃતરાષ્ટ્ર, ભાઈ વિદુર અને પત્ની ગાંધારીના દુઃખભર્યા આગ્રહથી, પણ અંદરખાનેથી તો પેલી અમંગળ એંધાણીઓથી ડરીને, ઢીલો પડે છે અને દ્રૌપદીને વરદાન માગવા કહે છે અને દ્રૌપદી, યુધિષ્ઠિરની સ્વતંત્રતા અને પુત્ર પ્રતિવિધ્યને ભવિષ્યમાં કોઈ દાસપુત્ર ન કહે એવી જોગવાઈ માગી લે છે. માગણીમાં કેટલું ઔચિત્ય છે ! યુધિષ્ઠિરને નિમિત્તે મેં આટલું કષ્ટ ભોગવ્યું એટલે યુધિષ્ઠિર ઉપર મને ક્રોધ હશે એમ જગત ભલે માને, મારે મન તો યુધિષ્ઠિર પહેલાંના જેવા જ આદરણીય છે ! વળી કેઈએ માગવાનું કહ્યું એટલે બધું જ ઓછું માગી લેવાય છે! સામા માણસનું માન જાળવવા માટે ઓછામાં ઓછું જેટલું માનવું ઘટે તેટલું જ માગવું !
એટલે જ તે ધૃતરાષ્ટ્ર અને બીજું વરદાન માગવા કહે છે, અને ત્યારે પણ દ્રૌપદી ફકત એટલું જ માગે છે કે ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ દાસ મટી જાય, સ્વાધીન બને ! અને એમના રથ અને આયુધો. એમને સુપ્રત કરવામાં આવે. * દ્રૌપદી જાણે છે કે એના પરાક્રમી પતિઓને નવી સૃષ્ટિ સજવા માટે કેવળ આટલાની જ જરૂર છે. સ્વતંત્ર હશે અને હાથમાં હથિયાર હશે, તો એમને ચક્રવર્તી બનતાં ભાગ્યે જ કોઈ અટકાવી શકશે.
ઘરડે ધૂતરાષ્ટ્ર પણ આ સમજે છે, અને માટે જ તે દ્રૌપદીને હજુ ત્રીજું વરદાન માગવા કહે છે.
અને દ્રૌપદી “લભ ધર્મનાશનું મૂળ છે” એમ કહીને એની વધુ મહેરબાની લેવાને ઇન્કાર કરે છે.
પણ ધૃતરાષ્ટ્ર જાતે જ પાંડવોને એમની સંપત્તિ પાછી આપીને ઇન્દ્રપ્રસ્થના સિંહાસન ઉપર આરૂઢ થવા પાછા મોકલી આપે છે.
અને કરી કમાણ ધૂળ થઈ એવો ખેદ કરી રહેલા દુર્યોધન, દુઃશાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કર્ણ અને શકુનિ ફરી ધૃતરાષ્ટ્રને ઘેરી વળે છે. ફરી એક વાર જુગટું રમવા માટે પાંડવોને પાછા બોલાવી આપવાની વિનંતિ કરે છે, નિર્બળ મનને અને અંદરખાનેથી પાંડવોને નાશ ઈચ્છતો ધૃતરાષ્ટ્ર માની જાય છે. અને એ જ હુંપદને માર્યો યુધિષ્ઠિર ફરી એ જ માગે એવી જ રીતે આવે છે. ફરી પાસા નંખાય છે, અને ફરી યુધિષ્ઠિર હારે છે; પણ આ વખતે શરત જુદી છે. હારે તે બાર વરસ વનવાસ ભોગવે અને તેરમું વરસ ગુપ્તવાસમાં ગાળે અને ગુપ્તવાસ દરમ્યાન છતા થઈ જાય, તો ફરી પાછા બાર વરસ વનવાસે જાય !
અને પાંડવોનો વનવાસ...... અને મહાભારતનું વનપર્વ અહીંથી શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
વનપર્વ
धनुष्यमान् कवची खड्गी मुनि साधुवते स्थितः । न कस्यचिद् ददन्मार्गं गच्छ तातोत्तरां दिशम् ॥
( वनपर्व ३७–१३)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પર. જે વિરલા ચાલ્યા જાય !
શિરને સાટે વનની વાટે
વિરલા ચાલ્યા જાય: વગર ઉચાટે હરિને હાટે વેંચાવાને જાય !
જે વિરલા ચાલ્યા જાય !
વૃક્ષોના વિસામા થાતા, સરિતાઓને દેતા શાતા, સુકાયેલાં ઝરણુઓમાં જલ લૂકાવા જાય !
અડાબીડ અંધારની ઝાડી, જીવનની શતઝાળે બાળી, સંધાયેલા અજવાળાને, મુકિત દેવા જાય ! નભ-તર્જત શૈલોને દમતા, વિનમ્ર ખીણને નિત નમતા, દાવાનળ પી પી પૃથ્વીને પિયૂષ પાવા જાય !
કયાં જીવનરસ થઈ રેલાવા, કયાં મૃત્યુ બનીને ફેલાવા, જડ-ચાંપ્યા ચેતનને મુખડે સ્મિત મલકાવા જાય !
જે વિરલા ચાલ્યા જાય !
વન એ પાંડવોના જીવનની સાથે જ જાણે જડાયેલું છે. જનમ્યા વનમાં, બચપણ ગાળ્યું વનમાં. હસ્તિનાપુરમાં આવીને ઠરીઠામ થયા કે તરત જ દુર્યોધન તેમને અ-કારણ વિરોધી બન્યા અને તેમને નાશ કરવાની અનેક તરકીબો તેણે તથા તેના દોસ્તોએ અજમાવી. લાક્ષાગૃહ એ તેમની છેલ્લી તરકીબ હતી. એ લાક્ષાગૃહમાંથી વિદુરની સહાનુભૂતિ અને સલાહ અને પિતાને પરાક્રમ અને શૈર્ય દ્વારા તેઓ ઉગરી ગયા. પણ તે પછી વર્ષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૯ર
સુધી તેમને વનમાં વસવું પડયું. આ તેમને ખીજો વનવાસ. દ્રૌપદી-સ્વયંવરમાં તેએ આ વનવાસ દરમિયાન જ ગયેલા; અને તે પણ બ્રાહ્મણાના વેષમાં !
આ પછી દ્રુપદ જેવા સસરા અને કૃષ્ણ જેવા મિત્ર અને સાથી પાંડવેાના પક્ષમાં છે એવું જાણીને ડઘાયેલા ધૃતરાષ્ટ્રે તેમને પાંડુના પુત્રા તરીકે તેમના રાજ્યહક આપવાની તૈયારી બતાવી. પણુ હસ્તિનાપુરને બદલે નજિકમાં જ આવેલ ખાંડવવનની પાસે એક નવું નગર વસાવીને ત્યાં રહેવાની તેણે સલાહ આપી. આ રીતે પાંડવાએ ખાંડવ-પ્રસ્થ અથવા ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થમાં તેએ દ્રૌપદીની સાથે નારદજીની ગાઠવણુ અનુસાર રહેતા હતા અને એ ગાઠવણના એક પરિણામ લેખે જ અર્જુનને બાર વરસના વનવાસે જવું પડયું હતું, અર્જુનના જીવનમાં આ ત્રીજો વનવાસ હતા.
આ વનવાસના છેવટના ભાગમાં અર્જુન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાને પરણ્યા. કૃષ્ણ-અર્જુનની મૈત્રી વધુ ગાઢ બની. કૃષ્ણે ચેડા વખત ઇન્દ્રપ્રસ્થ આવીને રહ્યા. આ ગાળામાં જ ખાંડવવનને બાળવામાં આવ્યું, જેમાંથી મય હાથ લાગ્યા. આ મયે માયાવી સભાનું નિર્માણ કર્યું, જેમાં રાજસૂય યજ્ઞ થયા, જે યજ્ઞ દમિયાન અને પછી દુર્યોધનનેા પાંડવ-દ્વેષ ખૂબ વધ્યા. આને પરિણામે એણે અને એના મામા શકુનિએ પાંડવાને સર્વનાશ કરવાની એક અમેાધ યુકિત લેખે વ્રત-જુગારની બાજી ગાઢવી. ધૃતરાષ્ટ્ર જાળ બિછાવી અને ભાળે યુધિષ્ઠિર તેમાં પકડાયા. પરિણામે બાર વરસ વનવાસ અને તેરમે વરસે અજ્ઞાતવાસ લઈને પાંડવે પાછા વન ભણી ચાઢ્યા. આ તેમના ત્રીજો વનવાસ. ( અર્જુનને તા ચાથા ! )
વ્યાસજી લખે છે કે પાંડવે અને દ્રૌપદી હસ્તિનાપુરના વર્ધમાનપુરદરવાજામાંથી બહાર નીકળીને ઉત્તર તરફ ચાલવા માંડયા. તેમના હાથમાં શસ્ત્રો હતાં. ઈન્દ્રસેન આદિ ચૌદ નેકરા તેમની પાછળ પાછળ ચાલતા હતા. તેમની સાથે રથમાં બેઠેલુ નારીવૃન્દ હતું.
શસ્ત્રો સિવાય ખીજી કાઈ સ`પત્તિ તેમની પાસે ન હતી.
*
તેમની આ દશા જોઇને હસ્તિનાપુરવાસીઓનાં હૃદયા હલમલી ઊઠયાં. રાષ અને વિષાદ સાથે તેએ એકમેકને કહેવા લાગ્યા “ શકુનિ અને દુર્યોધનનું જ જ્યાં ચલણુ છે એવા આ રાજ્યમાં કાઈની પણ સલામતી નથી. ચાલે! આપણે હસ્તિનાપુરનેા ત્યાગ કરીએ અને પાંડવાની પાછળ જએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૩
યુધિષ્ઠિર આ સૌને સમજાવીને પાછી વાળે છે. “તમે સૌ, મારા હિતેચ્છુઓ, હસ્તિનાપુરમાં હશે, તે એકંદર અમારા હિતનું સંરક્ષણ પણ થશે” એ દલીલ પણ તે કરે છે, જે નગરજનોને ઝટ ગળે ઊતરી જાય છે. માતા કુન્તી તે આ તેર તેર વરસે દરમ્યાન વિદુરને ત્યાં જ રહે છે.
પહેલા દિવસની રાત પાંડવો ગંગાજીને કાંઠે, “પ્રમાણ” નામે પ્રસિદ્ધ એક વિશાળ વડલાની છાયામાં કાઢે છે. સાંજનું ભોજન તેમણે લીધું નથી. અનેક બ્રાહ્મણે તેમની સાથે છે. એ બ્રાહ્મણોની સાથે તેમના શિષ્યો અને સગાં પણ છે. બ્રાહ્મણઅગ્રણીઓ હંસમધુર સ્વરે વડે આખી રાત પાંડવોનું મનરંજન કરે છે.
બીજે દિવસે સવારે યુધિષ્ઠિર અને તેના ભાઈઓએ ઊઠી પ્રાતઃ વિધિ પતાવી બ્રાહ્મણોને વિનંતિ કરી : “અમારી પાસે નથી હવે રાજ્ય, નથી લક્ષ્મી ! અમે વનમાં જઈ રહ્યા છીએ. અમારી સાથે આવીને આપ સૌ દુઃખી થાઓ એ અમને કેમ ગમે ? આપ પાછા પધારો.”
બ્રાહ્મણ કહે છે: “અમારું ગુજરાન અમે પોતે કરી લઈશું, પણ અમને સાથે આવવાની અનુમતિ આપો. દરરોજ રાતે રમ્ય કથાઓ કહી કહીને અમે વનવાસના તમારા કપરા સમયને યથાશકિત સ-રસ અને આનંદપ્રદ બનાવીશું.”
યુધિષ્ઠિર પોતાના કુલ–પુરોહિત ધૌમ્ય સામે જુએ છે. બ્રાહ્મણે સાથે આવે એ તેને ગમે છે; પણ એમની સેવાના બદલામાં એ એમને આજીવિકા પૂરતું પણ ન આપી શકે, એ શી રીતે સહ્યું જાય!
ધૌમ્ય એને રસ્તો સુઝાડે છે: “અન્ન (માનમચં અન્નકૂ) એ સૂર્યનારાયણનો પ્રસાદ છે, માટે સૂર્યની ઉપાસના કર.” યુધિષ્ઠિર સૂર્યની ઉપાસના કરે છે અને તેના તપથી પ્રસન્ન થયેલે સૂર્ય તેને પેલું પુરાણપ્રસિદ્ધ અક્ષયપાત્ર આપે છે. દ્રૌપદી સૌને જમાડીને જમે- એ જમી ન હોય, ત્યાં સુધી અક્ષયપાત્રમાંથી અન્ન ખુટે નહિ– એવી એની વ્યવસ્થા છે.
અને સાચે જ, સૌને જમાડીને પછી જ પોતે જમવું- એ વ્રત જાતે જ એક અક્ષયપાત્ર છે, કારણ કે એવા એક વ્રતીના વ્રતમાં અનેકનું સંરક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અક્ષયપાત્રની પ્રાપ્તિ થયા પછી પાંડવોએ પોતાને અનુસરવા માગતા અનેક બ્રાહ્મણોની સાથે કામ્યક વનમાં પ્રવેશ કર્યો.
૫૩.
જા !
જા !
જા !
ધૃતરાષ્ટ્ર વિચિત્ર પ્રાણું છે. પુત્ર સિવાય એ આંધળાને દુનિયામાં કશું જ દેખાતું નથી. અને પોતાની આ અંધ પુત્ર-વત્સલતા અંતે તો પુત્રોના જ નાશમાં પરિણમવાની છે એટલું પણ એ જોઈ શકતા નથી.
અને છતાં એને ઉધામા આવે છે. વખતો વખત એનું અંતઃકરણ એની સામે બંડ પોકારે છે. આવે વખતે એ વિદુરને બોલાવે છે. એની અપેક્ષા, કઈ વિચિત્ર રીતે એવી હોય છે કે વિદુર તેનાં દુષ્કાનું સમર્થન કરે. પણ વિદુર એવું કંઈ કરતા નથી; બકે તેને ઠપકે આપે છે. પરિણામે વિદુરને ઠપકાનાં બેક આકરાં વેણ સંભળાવીને એ વિદાય કરી દે છે. ચોર ઉલટા કોટવાળને દંડે એ આનું નામ !
પાંડવો વનમાં ગયા પછી ધૃતરાષ્ટ્ર બેચેન થઈ ગયો. જે થયું તે ઠીક નથી થયું અને આનું પરિણામ સરવાળે સારું નહિ આવે એવું તેને લાગવા
માંડયું.
એણે વિદુરને તેડાવ્યા. “કેમ મને યાદ કર્યો, મેટાભાઈ ?”
“જે બની ગયું છે તે તું જાણે છે. તે બધું સગી આંખોએ જોયું છે. યુધિષ્ઠિર અને એના ભાઈઓ વનમાં ગયા તે પછી મારો જીવ મેટેભાગે બેચેન જ રહ્યા કરે છે.”
એ બેચેની સારું ચિહ્ન છે, મોટાભાઈ એ બતાવે છે કે તમારું અંતઃકરણ હજુ જીવતું છે. જે થયું છે તે ઘણું જ ખરાબ થયું છે, એમાં તે જરા પણ સંશય નથી.”
“તો હવે શું કરવું જોઈએ?” “એ તો સ્પષ્ટ જ છે, મોટાભાઈ. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું.” “એટલે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૫
“એટલે...એમ કે...દુર્યોધન દુષ્ટ પ્રકૃતિને છે. તેના હાથમાં તેની પોતાની જાત જ જે સલામત નથી, તો રાજ્ય તે શી રીતે જ સલામત હોય ! માટે તેના પર તમે અંકુશ રાખે; અને વનવાસમાંથી પાંડવોને પાછા બોલાવીને રાજ્યની લગામ યુધિષ્ઠિરના હાથમાં સેપે.”
ધૃતરાષ્ટ્રની અંધ આંખોમાં આ સાંભળતાં વેંત રોષનો અંગાર ભડભડી ઊડ્યો. પોતે જ વિદુરને બોલાવ્યો હતો, અને પોતે જ સામે ચાલીને તેની સલાહ માગી હતી તે હકીકતને એ ભૂલી ગયે; અને વિદુર જાણે પાંડવોને, વકીલ અને પોતાનો શત્રુ હોય અને પોતાને ફસાવવા માટે જ જાણે આવી દલીલ કરતો હોય એવી રીતે તે કુંફાડી ઊઠ:
અને ધારો કે હું આમ ન કરું તો ?” “તે લાંબે ગાળે યુદ્ધ છેડાશે !” “હા આ !”
અને એ યુદ્ધમાં ભીમ-પિતાની પ્રતિજ્ઞા પૂરી કરશે.” ભીમે દ્રૌપદી-વસ્ત્ર-હરણને પ્રસંગે બે ભીષણ પ્રતિજ્ઞાઓ કરી હતી તે ધૃતરાષ્ટ્ર ભૂલી ગયો હતો.
“કઈ બે પ્રતિજ્ઞાઓ ?”
“એક તે જે હાથે દુશાસને દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચ્યાં છે, તે હાથને કાપીને તેના રુધિરથી દ્રપદીના સુકા કેશને ભીંજવવાની.”
અને બીજી?” ધૃતરાષ્ટ્ર હવે રોષથી હાંફી રહ્યો હતો. બીજી-દુર્યોધનના સાથળ પર પોતાની મૃત્યુ-ગદા બેસાડવાની !” “દૂર હઠ !” આંધળા ધૃતરાષ્ટ્ર પોતાના સમગ્ર બળથી ગર્જી ઊઠ્યો.... અને તેની એ વિકરાળ ગજેનાથી તેને આખો ય મહેલ જાણે પાયામાંથી હચમચી ઉઠયો. કેઈ નાને સરખો ધરતીકંપ થઈ ગયો હોય તેમ આવાસ માંહેનું રાચરચીલું થોડીક પળો સુધી કંપી રહ્યું.
“મેટાભાઈ મોટાભાઈ, આ શું કરે છે, મોટાભાઈ ?” ભગવદ્ભક્ત વિદુર પોતાની પહેલાંની જ સ્વસ્થતાથી ધૃતરાષ્ટ્રને શાન્ત થવા માટે આજીજી કરવા લાગ્યો.
“જે કરું છું તે ઠીક કરું છું.” ધૃતરાષ્ટ્ર હવે માઝા મૂકી “ તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭:
નાનપણથી જ મારા વિરોધી છે. પાંડુના પુત્રો એ જાણે તારા સગા ભત્રીજા હાય, અને મારા પુત્રો જાણે તારા દુશ્મન હોય એમ જ તું હરહમેશ વર્તે છે. ’’
4
હું તે। જે મને ધ લાગે છે તે કહું છું, મેટાભાઈ, -અને તે પણ તમે જ્યારે સામે ચાલીને પૂછેા છે ત્યારે.
""
""
(c
“ જા જા હવે ધરમની પૂંછડી ! ન અહીંથી ! ધૃતરાષ્ટ્રે આસન પરથી ઊભા થઇ વિદુર સાથેના પોતાના બધા જ સંબંધ કાઈ અણુગમતી ચીજની પેઠે ખ'ખેરી કાઢતા હેાય એવા અભિનય કરતાં કરતાં ત્રાડ પ'ડીઃ જા ! તું આ પળે જ હસ્તિનાપુર છેાડીને તારા આ સગલાંએ ભેગા થઈ જા; જા ! જા ! જા ! '' અને જા! જા ! જા ના ધરણી ધ્રુજાવતા પાકારાની વચ્ચે ધૃતરાષ્ટ્રનું રહ્યું સઘુ પુણ્ય પણ વિદુરની સાથે હસ્તિનાપુર છેડીને કામ્યક વનમાં રહેતા પાંડવા પાસે પહેાંચી ગયું.
*
""
૫૪. વ્યાસજી એક વાર્તા કહે છે
ધૃતરાષ્ટ્રના માનસનું વિશ્લેષણ કરવું અઘરું છે. મહાભારતમાં જેએ ઋતિહાસની ઉપરાંત-અથવા-ઇતિહાસને બદલે-રૂપકકથા જુવે છે, તેમને મન ધૃતરાષ્ટ્ર એ અધ ઇન્દ્રિયાના હાથમાં રમકડાની પેઠે રમતા જીવાત્માનુ પ્રતીક છે. એ રીતે એ સદૈવ ચ ંચલ છે. નિશ્ચલતા એના સ્વભાવમાં જ નથી. ગીતામાં જેને વ્યવસાયાત્મિકા એવું વિશેષણુ આપેલું છે, તે, વિચાર અને વિવેકને પરિણામે સ્થિર થયેલી નિશ્ચયાત્મક બુદ્ધિને તેનામાં છાંટા પણ નથી. અખાએ એક ઠેકાણે માયાના સ્વભાવનું વર્ણન કરતાં કહ્યું છેઃ
પલકે પલકે પલટે ર્ગઃ અખા એ માયાના ઢગ !
ધૃતરાષ્ટ્રે પલ પલંક રંગ પલટે છે. ાઇ રંગ એનામાં સ્થિર નથી. વિદુરને જાકારા દેતાં તે। દેવાઇ ગયા, પણ પછી ધૃતરાષ્ટ્રનું મન ચગડાળે ચઢે છે. મહાભારતકાર કહે છે કે ધૃતરામાં હાથીનું બળ છે. એનું શરીર · લેાખડી છે; પણ એના આત્મામાં · ધૃતિ' નથી. એને જીવ ખીક છે, કારણ કે પોતે જે કરી રહ્યો છે, તે ધર્મથી વેગળુ છે અને એનું ઝેરી ફળ આવ્યા વગર નહિ રહે એવી એને ખાતરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૭
એટલે વિદુર મહેલ છોડીને ચાલ્યો ગયો કે તરત જ ધૃતરાષ્ટ્ર પોતાના ખંડમાંથી બહાર આવ્યો. ભીમ, દ્રોણ, કૃપાચાર્ય આદિ શિષ્ટમંડળી જ્યાં બેઠી હતી ત્યાં એ રોકકળ કરતા પહોંચો; અને એટલામાં તો એને ઉશ્કેરાટ એટલી ઉગ્ર હદે પહોંચી ગયો કે એને મૂછ આવી ગઈ. સૌએ એને આસનાવાસના કરી એને ભાનમાં આપ્યો,
શું છે મહારાજ? શા માટે આટલા બધા વ્યગ્ર છો?” સંજયે પૂછ્યું
“મારો ભાઈ વિદુર મને છોડીને ચાલ્યો ગયો છે. ” ધૃતરાષ્ટ્ર કપાળ કુટવા જેવું કરીને જવાબ આપ્યો. “હું જાણું છું કે એમાં મારો પણ દોષ હતો; પણ હવે જ્યાં સુધી એ પાછો નહિ ફરે ત્યાં સુધી મને જંપ નહિ વળે. વિદુર સાક્ષાત ધર્મની મૂર્તિ છે; એ જે મારાથી કે, તો મારુ આવી જ બને ! તું જા, સંજય; જરૂર એ પાંડવો પાસે ગયે હશે. ત્યાં જઈ એને મનાવીને પાછે તેડી લાવ.”
ધૃતરાષ્ટ્ર એટલે ઊંડે અને કુટિલ છે કે વિદુરને આમ પાછા બોલાવી લેવાની પાછળ પાંડવપક્ષને વધુ નિર્બળ કરવાની નેમ ન હોય એમ પણ ખાતરીપૂર્વક કહી શકાય નહીં !
સંજયના ગયા પછી દુર્યોધન, દુઃશાસન, શકુનિ અને કર્ણ ગુપ્ત એકાંતમાં મંત્રણા અર્થ મળ્યા.
વિદુર પાછો આવશે તે પાછો ડેસાનું મગજ ફેરવશે !” દુર્યોધને પોતાના બાપ વિરુદ્ધ ફરિયાદ કરી, “અને પછી પાંડવોના જ પ્રશંસાસ્તોત્ર અહીં ગવાયા કરશે અને કેને ખબર છે, વિદુરની સલાહથી પોચા મનને એ ડોસલે પાંડવોને પાછા પણ બોલાવી લે.”
તો તમે કહો તેમ કરીએ, મેટાભાદ,” દુઃશાસને દુર્યોધનને પગલે ચાલવાની તત્પરતા દેખાડી.
“મારે તે એક જ વાત જોઇએઃ પાંડેનો નાશ, ગમે તે રીત.” દુર્યોધને પોતાના જીવનધ્યેય વિષે હજારમ વાર સ્પષ્ટતા કરી.
તો રસ્તો હું બતાવું.” કણે છાતી ઠોકીને કહ્યું : “અત્યારે પાંડવોની દશામાં એટ ચાલે છે. મિત્રો અને સાથીઓ વગરના તેઓ વનમાં ભટકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
છે. એ ઓટને બદલે ભરતી શરૂ થાય તે પહેલાં જ આપણે ત્યાં છૂપી રીતે પહોંચી જઈએ-લાવલશ્કર સાથે–અને તેમનું કાટલું કાઢી નાખીએ.”
સૌને આ વાત ગમી ગઈ અને તેઓ નીકળવાની તૈયારીમાં જ હતા, ત્યાં, તેમના દુર્ભાગ્યે, કોણ જાણે કયાંથી, વ્યાસ ટપકી પડયા. એમને આવો કંઇક વહેમ આવ્યો હશે.
મારે તો તું અને પાંડ બેય સરખા.” ધૃતરાષ્ટ્રને સમજાવવાની વ્યાસજીએ કશિશ કરી; “તારા કે પાંડુના–મારા તો એ સૌ પુત્રો જ છે; પણ પેલી સુરભિની વાત સાંભળી છે ને ?” વ્યાસજી સ્વભાવે કવિ એટલે રૂપકેની ભાષા તેમને સહજ
સુરભિની શી વાત છે, દાદા?” ધૃતરાષ્ટ્ર પૂછયું. “સુરભિ એટલે ગાય. એ ગાયે એક વાર પોતાના એક પુત્રને, બળદને, ખેડૂતને હાથે બહુ જ ત્રાસ પામતો દીઠે; એટલે એ ભાંભરડા નાખતી દોડી, સ્વર્ગના ઈન્દ્ર પાસે.
“કેમ મિયા?” ઈન્ડે તેને પૂછ્યું.
“જુવો તો ખરા, મહારાજ, પેલા મારા પુત્ર પર પેલે નિષ્ફર ખેડૂત કેવા જુલ્મો વરસાવી રહ્યો છે ?”
ઈન્દ્ર જોયું.
સાચેસાચ એક દુબળો પાતળો, મરવાને વાં કે જીવતા હોય એવો બળદ હળે જોતરાયો હતો, અને હળ ન ખેંચી શકવાને કારણે તેની પીઠ પર ખેડૂતને હાથે નેતરું વીંઝાઈ રહ્યું હતું.
પણ આવા તે હજારે બળદે ખેડૂતને હાથે ત્રાસ પામી રહ્યા છે, મિયા ! તને આ એકની જ દયા શા માટે આવે છે?”
“એટલા માટે મહારાજ, કે પેલા હજારો કરતાં આ ઘણો જ વધારે દુબળો-પાતળો છે; જન્મથી જ જાણે કપાળમાં દુઃખ લખાવીને એ બિચારો અવતર્યો છે.”
ઈન્દ્ર માતાના હદયની વ્યથા સમજી ગયો. નવસો ને નવાણું તંદુરસ્ત અને સશકત બાળક માટે માને કંઈ જ ન થાય. પણ હજારમાં માંદલા માટે તે પ્રાણ પાથરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૯
બાઈબલમાં The Prodigal Son “ઉડાઉ દીકરાની વાત આ જ આશયથી કહેવામાં આવી છે.
કથા કહે છે કે પેલા ખેડૂત પર ઈન્દ્ર તે દિવસે બારે મેઘ લઈને તૂટી પડે, અને ખેડૂતને ન છૂટકે ખેતી બંધ કરવી પડી અને બળદને આરામ મળી ગયો.
“આ વાર્તા તમે મને શા માટે કહી, દાદા ?” સમજવા છતાં ધૃતરાષ્ટ્ર ન સમજવાનો ડોળ કર્યો.
“એટલા માટે કે તારા અને પાંડુના પુત્રો બને મારા માટે સરખા હોવા છતાં, બળ વગરના અને દુઃખી પાંડે પ્રત્યે મારી વધુ સહાનુભૂતિ છે–એ તને સમજાય !..અત્યારે..આ પળે પણ તારા પુત્રે એ દુખિયારાઓને વધુ દુઃખી કરવાની પેરવી કરી રહ્યા છે. પણ એટલું યાદ રાખજે, અને તારા પુત્રોને પણ યાદ રખાવજે, કે પાંડવોના પર જેમ જેમ તેઓ વધુ વિપત્તિઓ વરસાવશે તેમ તેમ પાંડવોનું તેજ વધુ ને વધુ દીપી નીકળશે. તને ખબર નહિ હૈય, પણ હજુ હમણાં જ, કામ્યક વનમાં દાખલ થતાં વેંત જ, પેલા નામચીન મનુષ્યભક્ષક કિમીર લૂંટારાને તેમણે રમત રમતમાં મારી નાખ્યો છે!...એવા છે તેઓ શકિતશાળી !”
“કેણ હતા એ કિમી, દાદા ?”
“ હતો...પણ એ વાત તને આ ક્ષેત્રેય કહેશે. મારે જરા ઉતાવળ છે. હું રજા લઈશ.”
અને વ્યાસજી જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયા અને દુર્યોધન, કર્ણ, શકુનિ અને દુશાસનને પોતાની દુષ્ટ યોજના તત્કાલ પૂરતી તે અભેરાઈએ ચઢાવી દેવી પડી.
પપ. યુધિષ્ઠિરની કસોટી
વનવાસ એ યુધિષ્ઠિરને મન એટલે ત્રાસદાયક નહોતો, એટલે તેના ચારેય ભાઈઓ અને પાંચમી દ્રૌપદીને તેની સામે અસંતોષ અને રેષ હતે. યુધિષ્ઠિર તેમને પાંચેયને સમજાતે જ નહોતો. એ “ધરમની પૂંછડી” માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
१८०
તેમને નરી વેવલાઈ જ દેખાતી અને પોતાની આ માન્યતાને તેઓ હરહમેશાં વ્યકત કર્યા જ કરતાં. ટાણે-કટાણે તેમનાં વામ્બાણે ચાલુ જ રહેતાં,
યુધિષ્ઠિરનું પાત્ર, આ રીતે જોતાં, મહાત્મા ગાંધીજીને સૌથી વધુ મળતું આવે છે અથવા કહે કે મહાત્માજીને સમજવા માટે વનપર્વના યુધિષ્ઠિરને સમજ આવશ્યક છે. યુધિષ્ઠિરની અને તેના પાંચે પાંચ સ્વજનની બનેની દુનિયા જ જાણે નિરાળી છે. યુધિષ્ઠિરે “સત્ય” ને એક અબાધ, અફર, અટલ જીવનનિષ્ઠા તરીકે સ્વીકાર્યું છે. ભાઈઓ અને દ્રૌપદી આ જીવનનિષ્ઠાને સ્તુત્ય ગણે છે, પણ વ્યવહારૂ નથી માનતા. વ્યવહારમાં તો માણસે સત્યની સાથે બાંધછોડ કરવી જ જોઈએ એવી તેમની માન્યતા છે.
પણ એ પાંચેયની એક ખૂબી છે. યુધિષ્ઠિરની શારીરિક સેવાને નિરબત છે ત્યાં સુધી, તેમનામાંથી કોઈ પણ તેને કશીય વાતે ઊણું આવવા દેતા નથી. સંભવ છે કે આને લઈને યુધિષ્ઠિરની અંતરવ્યથા ઉલટાની વધતી હશે! એને તો બિચારાને હરહંમેશ એક જ ધૂન છે કે કયારે હું મારા ભાઈઓને અને દ્રૌપદીને સત્યવિષયક મારે સિદ્ધાન્ત ગળે ઊતરાવી શકું!
પણ એવી જ તાલાવેલી ભાઈઓને અને દ્રૌપદીને છે. પોતાની વાત મોટાભાઈને ગળે ઉતારવાની. ભીમસેન તેમને વારંવાર સલાહ આપે છેઃ “તમે જગતને ઓળખતા નથી, મોટાભાઈ ! અને દુર્યોધનને તો નથી જ ઓળખતા! એવા શઠની સાથે સવાઈ શઠતા આચરવી જોઇએ. દુનની સાથે સત્યને વ્યવહાર શ? દુષ્ટોની સાથે અહિંસા શી ? બાર વરસ વનવાસ અને તેરમું વરસ ગુપ્તવાસ એમ તેર વરસો પસાર કર્યા પછી પણ, ચૌદમા વર્ષને આરંભે દુર્યોધન આપણને આપણું રાજ્ય પાછું સાંપશે એની ખાતરી શી? તેને સ્વભાવ જતાં તે એમ જ માનવું જોઈએ કે તેરમા વરસને અંતે એ વળી કંઈક નવું તૂત ઊભું કરશે. એટલે અંતે તે પાછા હતા ત્યાંના ત્યાં જ! તલવાર ઉઠાવ્યે જ છૂટકે ! તે પછી અત્યારે જ કાં ન લડી લેવું?”
ૌપદી વળી એક યુકિત બતાવે છે. “વર્ષ” ને અર્થ “બાર મહિના એમ કેણે કહ્યું ? વૈદિક સંસ્કૃતમાં એ શબ્દને અર્થ એક મહિને એ પણ થઈ શકે ! તે તેર વર્ષ એટલે તેર માસ એમ શા માટે ન માની લેવું? દુશ્મને વળી કયા પ્રામાણિકતાના અવતાર હતા? ડગલે ડગલે છલ આચરનારાઓની સામે આટલું એક શાબ્દિક છલ આચરવામાં વાંધે શો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પણ યુધિષ્ઠિર એના નામ પ્રમાણે યુ ચિરઃ જ છે. જગત અને પોતે -બને વચ્ચેના દ્વન્દ-યુદ્ધમાં એ સત્યની પડખે સ્થિર છે.
કશું જ એને ડગાવી શકે એમ નથી. સત્ય સિવાય કશાને આશ્રય તે લેવા નથી માગતો. છળનો નહિ કે કોઈ કળને પણ નહિ ! સત્યનું આચરણ કરતાં કરતાં મરણ આવે, તો તેવું મરણ પણ, અસત્ય વડે ખરીદાયેલાં જીવન કરતાં બહેતર છે એવી તેની શ્રદ્ધા છે. અને આ વનવાસ એ તેની આ શ્રદ્ધાની સૌથી આકરી કસોટી છે.
અલબત્ત, એક આશ્વાસન છે, તેને. વનવાસનાં વરસ દરમિયાન તેને મળવા આવતા અનેક ઋષિઓ તેની આ શ્રદ્ધાનું સમર્થન કરે છે.
આવા મળવા આવનારાઓમાં એક તું માર્કડેય મુનિ છે. આ માર્કડેય મુનિ અને યુધિષ્ઠિરનો સંવાદ ખૂબ મનન કરવા જેવો છે.
યુધિષ્ઠિરને મળતાં વેંત માર્કડેયની મુદ્રા પર પ્રસન્નતાની ઝલક આવી ગિઈ. યુધિષ્ઠિરે તે જોયું. તેને વિમય થયું. “અમે વનવાસનું દુઃખ વેઠી રહ્યા છીએ, અને અમને જોતાં વેંત આ મુનિ જાણે સવિશેષ પ્રસન્ન થયા હેય એવું બતાવે છે.” આને અર્થ શું ?
અમારી આ હાલત જોઈને સૌ કોઈ દુઃખી થાય છે, મુનિવર,” યુધિષ્ઠિર માર્કડેય પાસે રાવ કરે છે, “ત્યારે આપના ચહેરા પર એવી કોઈ ગમગીની હું નથી જેતે, બલ્ક એક પ્રકારની ખુશી જોઉં છું, એમ કેમ?
માકડેય યુધિષ્ઠિરની આ ટકેર સાંભળીને થોડીક પળો સુધી તો મૂંગા જ થઈ ગયા.
“ તમારી વાત સાચી છે, રાજન ” પછી તેમણે કહ્યું: “તમારી આ સ્થિતિ મારામાં એક અનેખા આનંદની લાગણી પ્રેરે છે. સત્યને ખાતર દુઃખી થનારા જગતમાં હજ પડયા છે, એ વિચારે હું પ્રસન્નતા અનુભવે છું. તમને જોઈને મને ત્રેતાયુગ અને શ્રી રામચંદ્ર યાદ આવી જાય છે.”
અને પછી માર્કડેયે પાંડવોને સંબોધીને જે બે વચને કહ્યાં છે તે ચિરસ્મરણીય છે.
એ વચનને સાર એટલો જ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
દુષ્ટ પ્રત્યે દુષ્ટતા આચરવાની આપણુમાં પૂરેપૂરી શકિત હોય, છતાં આપણે તો ધર્મ જ આચર.”
છેવટે “ પ્રતિજ્ઞા અનુસાર બાર વરસના વનવાસનું તથા તેરમાં વરસના ગુપ્તવાસનું કષ્ટ સહન કર્યા પછી તમે તમારી રાજલક્ષ્મીને કૌરવોના હાથમાંથી અચૂક છોડાવી શકશે.” એ આશીર્વાદ આપીને એ વિદાય લે છે.
આ પછી આવે છે એક બીજા મુનિ. નામ છે, બકદાભ્ય. આ દરમ્યાન પાંડવો કામ્યક વનમાંથી દૈત વનમાં આવી ગયા છે. એ દૈત વનમાં પાંડવોએ સરજેલું સાત્વિક વાતાવરણ જોઈને બકદાલભ્ય પુલકિત થઈ ઊઠે છે. જે બ્રાહ્મ-ઠાઠથી પાંડવો રહે છે તે જોઈને એ દંગ થઈ જાય છે.
આટલા બધા વ્રતધારી બ્રાહ્મણે તમારા સંરક્ષણ નીચે આ નવનમાં વસેલા છે,” બકદાભ્ય કહે છે, “તે જોઈને મારું હૃદય પ્રફુલિત થઈ ઊઠે છે. બ્રાહ્મણો ક્ષત્રિયોની સાથે અને ક્ષત્રિયા બ્રાહ્મણોની સાથે એક થાય છે, ત્યારે વાયુ-પ્રેરિત અગ્નિની પેઠે પ્રકાશવાન થઈને શત્રુઓ રૂપી વનને તેઓ અનાયાસે નાશ કરી શકે છે. બ્રાહ્મણમાં અનુપમ દૃષ્ટિ છે અને ક્ષત્રિયમાં અનુપમ બળ છે. બન્ને સાથે મળીને કામ કરે છે ત્યારે જગત પ્રસન્ન થાય છે.”
છેલે આવે છે. વ્યાસ
યુધિષ્ઠિરને એકાન્તમાં લઈ જઈને તે બે સૂચનાઓ આપે છેઃ (૧) કોઈ પણ સ્થળે લાંબે વખત ન રહેવું અને (૨) દિવ્ય શસ્ત્રોની વિદ્યા પ્રાપ્ત કરવા માટે અર્જુનને ઉત્તર દિશામાં મેકલવો.
પરિણામે પાંડવ દૈતવનમાંથી નીકળી પાછા સરસ્વતીને તીરે આવેલા કામ્યક વનમાં આવે છે અને અર્જુન ઇન્દ્રકલ પર્વત તરફ વિદાય થાય છે.
૫૬. શસ્ત્રાસ્ત્રીની શોધમાં!
ઉત્તર દિશાનું આકર્ષણ આપણને આદિ કાળથી રહ્યું છે, દક્ષિણ દિશામાં યમની રાજધાની ક૯પી છે; એટલે જીવનની દિશા ઉત્તર છે. ઉત્તરાયણ અને . દક્ષિણાયન સાથે જે કલ્પના-સૃષ્ટિઓને સાંકળવામાં આવી છે તેને પણ આ જ મર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
સંભરિત છે કે આપણા પૂર્વજો હારા વર્ષો પહેલાં ઉત્તરમાંથી આવ્યા હાય. ઉત્તરમાં આવેલ હિમાલયને બે હજાર વરસ પહેલાં આપણા મહાકવિ કાલિદાસે ફેવતાત્મા કહ્યો છે. આર્યાને પેાતાનામાં જે કઇં ઉત્તમ છે, શ્રેયકર છે, તેનું ઉદ્ભવસ્થાન, પ્રેરણાસ્થાન હિમાલયમાં જ દેખાયું છે. તેમની છેલ્લી ઇચ્છા પણ એ જ હાય છે-હજુ પણ!–કે જીવનની પૂર્ણાહુતિ હિમાયમાં થાય!
વ્યાસજીએ અર્જુનને નૂતન શસ્ત્રાસ્ત્રોના અભ્યાસ અર્થે ઉત્તર દિશામાં મેાકલવાની સલાહ આપી હતી.
વ્યાસજીના ગયા પછી તરત જ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “ ધનુષ્ય, ખડ્ગ, કવચ ધારણ કરીને, હે અર્જુન, તુ ઉત્તર દિશા તરફ્ જા અને ન્દ્ર પાસેથી બધાં શસ્ત્રાસ્ત્રો શીખી આવ.
૧૮૩
,,
અર્જુનને વિદાય કરતી વખતે યુધિષ્ઠિરે અને એ જીવનસૂત્રો ખાસ આપ્યાં છે. પહેલું છે- મુનિ : સાધુતે યિતઃ ૧ અને ખીજું છે— न कस्यचिद् ददन् मार्गम्. २
નિશ્રિત ધ્યેયને વરી ચૂકેલા માણસ માટે પહેલી આવશ્યકતા ‘સાધુવ્રત’ની છે, સંયમની છે, ચારિત્ર્યની છે, અને ખીજી, નિર્ભયતા અને અડગતાની છે. કાઇના ડરાવ્યા, નમાવ્યા, ભમાવ્યા, ફાસલાવ્યા, ફસાવ્યા, પેાતાના લક્ષ્યને મૂકી દે એવે! ચંચલ માણુસ જીવનમાં શું સાધી શકે!
૧
'
વર્ષો સુધી વનેમાં એકલા રહેલા અર્જુન આ બધું નથી જાણતા એમ નથી. છતાં યુધિષ્ઠિરે એને આવી સલાહ આપી એની પાછળ કેવળ મેટાભાઈ-ગીરી જ નથી બજાવી, પણ ઇન્દ્રિયા એવી ચાલાકીથી પેાતાની મેાહજાળ બિછાવે છે કે ભલભલાને પણ તેની ખબર પડતી નથી; અને કાઇ સુરક્ષિત મંગલ સ્થાનમાં જતા હોય એટલા આનંદથી તેઓ એ જાળમાં સામે ચાલીને ફસાય છે– એ હકીકત સામે પેાતાના નાના ભાઇને ચેતવવાની તેણે પેાતાની ફરજ માની છે.
વિદાય વેળાએ દ્રૌપદીએ જે કહ્યું છે તે વાંચતાં આજે પણ આપણાં રૂવાં ઊભાં થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સજ્જનાના વ્રતમાં સ્થિત એવા મુનિ (શબ્દાર્થ) ૩. કોઇને પણ ગમે તેવા ચમ્મરખંધીને પણ માગ ન આપનાર (શબ્દા)
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
તારા જન્મ વખતે તારી મા કુન્તીએ તારા માટે જે જે અભિલાષાઓ સેવી હોય તે બધી જ પાર પડે, તેમજ તારી પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પણ પાર પડે. પણ મને તો એક જ વાતનું દુઃખ છે હસ્તિનાપુરની રાજસભામાં પેલા દુષ્ટ દુર્યોધને મને ન કહેવા જેવાં અનેક વેણ કહ્યાં, અને ઉપરથી પાછો ખડખડાટ હસ્ય ! ...........
“ તું હિમાલય ઉપર હઈશ, ત્યાં સુધી તારા જ વિચારો અને તારી જ વાત અહીં અમારી વચ્ચે ચાલ્યા કરશે. એ જ અમારે માટે દિલને બહેલાવવાનું એક માત્ર સાધન બનશે. એટલું યાદ રાખજે, પાર્થ, કે અમારાં સૌનાં જીવનમરણને ફેંસલે તારા હાથમાં છે.”
પછી અર્જુન હિમાલય ઉપર એટલી ઝડપથી પહોંચી ગયો, કેમ જાણે હજુ ગઈ કાલે જ કામ્યક વનમાંથી ન નીકળ્યા હોય ! હિમાલયને ઓળંગી એ ગંધમાદન પર્વત પર આવ્યો. ત્યાંથી પછી અનેક દુર્ગમ શિખરોને વટાવતો વટાવતો એ ઇન્દ્રકલ પર્વત પર પહોંચ્યો.
તિક! ઊભો રહે ! " ઈન્દ્રકીલ પર્વતના શિખરોએ સાદ દીધે હોય એવો એક અવાજ તેને કાને પડે.
કાણ એને અહીં ઊભા રહેવાનું કહે છે?
તેણે જોયું તો એક ઝાડના થડ પાસે એક તપસ્વી બેઠો હતો. બ્રાહ્મ ( સાત્ત્વિક) તેજથી એ તપસ્વી ઝળહળ ઝળહળ થતો હતો. પીળી જટા એણે ધારણ કરી હતી. સુકાઈ ગયેલી, એની શરીરષ્ટિ હતી.
આ તો શાંત આત્માઓનું વિશ્રાતિસ્થાન છે, ભાઈ, ” અત્ય પ્રસન્નતાપૂર્વક અર્જુનને સંબોધીને મુનિએ કહ્યું, “એવા સ્થાનમાં આવાં શસ્ત્રાસ્ત્રો સજીને તું કયાં જઈ રહ્યો છે? તારે આગળ જવું જ હોય તો શસ્ત્રાસ્ત્રો બધાં અહીં ઊતારી નાખ, અહીં કોઈને ભય નથી અને કોઈની સાથે સંગ્રામ છેડાઈ પડે એવો સંભવ પણ નથી. અને વળી તારી ઓજસ્વિતા જાતે જ તારું રક્ષણ છે. તે લાખોમાં એક હોય એવો વીર લાગે છે.”
અર્જુનને પળભર તો એમ થયું કે ચાલ, હથિયાર મૂકી દઉં, ને પછી આગળ વધું ! પણ ત્યાં તો યુધિષ્ઠિરે વિદાય વેળાએ તેને જે શીખ દીધી હતી તે યાદ આવીઃ ન ચરિત્રનું મામ્ –ાઈનીયે વાતમાં આવી જઈને પિતાને નિશ્ચય ન ફેરવો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૫
મુનિની સામે સ્થિર આંખોએ એ જોઈ રહ્યો.
તેની એ દષ્ટિમાં ભય નહોતો, સંશય નહોતો, વ્યગ્રતા નહોતી અને તોછડાઈ પણ નહોતી. હતી કેવળ અદમ્ય આત્મશ્રદ્ધા. પૂર્વકૃત નિશ્ચયને વળગી રહેવાની શાન્ત શકિત.
મુનિવર પ્રસન્ન થયા.
“માગ, માગ !” તેમણે કહ્યું, “હું બીજે કઈ નહિ, પણ જેની પાસે તું જવા નીકળ્યો છે તે ઈન્દ્ર જ છું.”
અજુન ઈન્દ્રને પગે લાગ્યો.
પ્રસન્ન થયા હો, પિતા, તો મને તમારી પાસે જે શસ્ત્રાસ્ત્રવિદ્યા છે તે બધી યે આપો ” તેણે માગ્યું.
ઈન્દ્ર હસી પડે.
“પાગલ લાગે છે,” ઇન્ડે તેની મશ્કરી કરી. “ અહીં સુધી આવ્યા પછી અને મારાં દર્શન કર્યા પછી કોઈ શસ્ત્રાસ્ત્ર માગે ખરો ? અરે, શસ્ત્રા તે સાધન છે. સાધ્ય છે, ઐશ્વર્ય અને ભોગ. ચાલ, સ્વર્ગલેકનાં બધાં જ સુખને હું તને સ્વામી બનાવું.”
ક્ષમા કરે!” હાથ જોડીને અર્જુને જવાબ આપેઃ “ભાઈઓ વનવાસનું દુઃખ ભોગવી રહ્યા હોય અને દુર્યોધન વગેરે દુષ્ટોએ કરેલ ભયંકર અપમાનની આગ એમના અંતરમાં ભડભડતી હોય ત્યાં સુધી સમગ્ર દેવમંડળનું ઐશ્વર્ય પણ હું ન વાંછું.”
ઇન્દ્રને આટલું જ જોઈતું હતું. પુત્રની કસોટી કરવા માટે જ તે તેના માર્ગમાં મુનિ બનીને બેઠો હતો. તરતજ તેણે જવાબ આપ્યો:
તું માગે છે તે બધીયે વિવાઓ હું તને આપીશ; પણ તે પહેલાં તારે ભગવાન શંકરને રીઝવવા પડશે. ભયાનક શસ્ત્રો એવા જ માણસના હાથમાં શોભે, જેણે શિવનાં દર્શન કર્યા હોય, શિવને પ્રસન્ન કર્યા હોય.”૧
અને અર્જુન શિવનાં દર્શન માટે ઉપડયો. ૧ શિવ = મંગલ - વિશ્વહિત. સૃષ્ટિનું શિવ, વિશ્વહિત એજ જેનું ધ્યેય બની ચૂકયું હોય, એવાઓના હાથમાં જ ભયાનક વિનાશ સર્જાતા શસ્ત્રો મૂકી શકાય! એવા તેને છેટે ઉપયોગ કદાપિ ન કરે એવી શ્રદ્ધા અહીં વ્યકત થઇ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
૭. ાિતાજુનીયમ્
પછી શંકરને પ્રસન્ન કરવા માટે અર્જુને એવું ભયંકર તપ કર્યું કે હિમાલય પર વસતા બધાય ઋષિએ આશ્ચર્યમાં પડી ગયા. તેમને ભય પણ લાગ્યો કે આવું ઘોર તપ કરતાં કરતાં અર્જુનની કાયા તો કયાંક નહિ પડી જાય ! તપશ્ચર્યાથી ટેવાઈ ગયેલા ઋષિઓને પણ ભયાનક લાગે એવું એ દેહદમન હતું !
ઋષિઓ દોડયા, શંકર પાસે.
“ આપ જાણો તો છે ને, પ્રભુ,” શંકરને તેઓ વિનવવા લાગ્યા, “પાસેના જ એક વનમાં અર્જુન ઉગ્ર તપ કરી રહ્યો છે. અમને બીજી તો. કશી જ ચિંતા નથી, પણ આવું પ્રચંડ તપ કરતાં એને દેહ પડી જશે તે આપણો હિમાલય નાહકને વગોવાઇ જશે ! ”
મહાદેવ હસી પડયા.
ઋષિઓને હિમાલયની નિંદા થાય તેની ચિંતા હતી કે અર્જુન જેવા એક ક્ષત્રિય વીરની તુલનામાં તેમની તપશ્ચર્યાઓ ઝાંખી સાબિત થાય, તેની ?
ચિંતા ન કરે, ઋષિવ! શંભુએ સૌને આશ્વાસન આપ્યું. “અને સૌ પોતપોતાને આશ્રમે સિધાવો. અર્જુનને શું જોઈએ છે તે હું જાણું છું. તેની શકિતઓથી પણ હું પરિચિત છું. અને થોડા જ વખતમાં હું તેને મળવાને છું.”
અને પછી મહાકવિ ભારવિએ જે પ્રસંગને પિતાના મહાકાવ્ય કિરાતાનિયમમાં અમર કર્યો છે, તે પ્રસંગ સરજાય છે.
શંકરે કિરાતને વેષ લીધે. ( હિમાલયના પ્રદેશમાં વસતા લોકોનું પ્રાચીન નામ કિરાત છે.) પાર્વતીને પણ તેમણે કિરાત-નારીને વેષ પરિધાન કરાવ્યો.
પછી જોતજોતામાં એ વાત-દંપતી પોતાના અસંખ્ય અનુચરે અને સેવિકાઓ સાથે (સૌ કિરાતોના જ વેષમાં અલબત્ત,)-અર્જુન જે વનમાં તપ કરતો હતો તે વનમાં આવી પહોંચ્યાં.
આ જ વખતે બરાબર એક મહાકાય (રાક્ષસી કદને) વરાહ વનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
દાખલ થયા. એના ભીષણ રૂપને જોઈ તે અને એને ઘેર ધુધવાટા સાંભળીને વનનાં પશુપ ́ખીએ એટલાં બધાં થરથરી ઊઠયાં કે એમની જીભેા જ જાણે લાઇ ગઇ અને વન એકાએક મૂગું થઇ ગયું.
મહાભારતકાર આ વરાહને ‘ મૂંગા રાક્ષસ ’તરીકે ઓળખાવે છે.
વનને આ ત્રાસ દૂર કરવાને અર્જુને નિશ્ચય કર્યો. મુનિ વેષમાં, પણ આખરે હતા તે ક્ષત્રિય ને ! તેણે ગાંડીવ હાથમાં લીધું.... દેર સાંધી. ભાથામાંથી એક બાણ કાઢયું. દાર્ પર ચઢાવ્યું. અને નિશાન તાકીને બાણ છેડયુ અને ખાણ છૂટયું તેની સાથે જ જાણે વરાહના પ્રાણ છૂટયા.
શિકારના મૃત શરીરનેા કબજો લેવા માટે નહિ, ( એ સામાન્ય શિકારી થાડા જ હતા !) પણ એ શરીરમાં ખૂ પી ગયેલ પેાતાના બાણુને કો લેવા અર્જુન દેાડયા.
પણ જેવા તે પેાતાના બાણુને વરાહના શરીરમાંથી ખેંચવા જાય છે તેવા જ તેને એક આશ્ચર્ય કારક અનુભવ થાય છે. બાણુસંતા શિકારને કબજો લઈ ને એક કિરાત ઊભા હતા. પાસે તેની કિરાતી પણ હતી. આસપાસ તેમનાં કિરાત અનુચરા અને કિરાતી પરિયારિકા પણ સારી સંખ્યામાં હતાં. “ આ શું કરે છે? કિરાતે અર્જુનને દબડાવવા માંડયા.
ઃઃ
*
,,
ક્રમ ? અર્જુને આ વિચિત્ર પ્રશ્નથી આશ્ચર્ય ચકિત થઈ તે પૂછ્યું, માં બાણુ આના શરીરમાંથી પાજુ ખેચું છુ.”
"6
તારું બાણું ? ”
ત્યારે કાનુ ?”
મારું! કિરાતે છાતી કાકીને ગર્જના કરી.
પણ તું છે। કાણુ !
આ વનમાં મારી રજા વગર દાખલ થષ્ટને તેં મારું ભયંકર અપમાન કર્યુ છે.”
"C
૧૮૭
rr
""
""
એટલે ? અર્જુને સામી ગજના કરી.
"(
એટલે એમ આ વન મારું છે
“ એક ભગવાન શંકર સિવાય, આ વન ઉપર, * આખા હિમાલય ઉપર, હું કાષ્ટનું સ્વામિત્વ સ્વીકારતા નથી. ” ઉન્નત મસ્તક અર્જુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કિરાતના દાવાને ઇન્કાર કર્યો. “આવા શાન્ત વનને પિતાની મદોન્મત્તતાથી ખળભળાવી મૂકનાર આ વરાહને જે સજા કરવી યોગ્ય હતી, તે જ મેં કરી છે. ખાસ આઘે. ખેંચી લેવા દે મને, મારું બાણ !”
કિરાત ખડખડાટ હસી પડો. કિરાતી પણ ખડખડાટ હસી પડી. અને જોતજોતામાં આખુંયે વન જાણે વૃક્ષ વૃક્ષ અને પર્ણ પણે ખડખડાટ હસી રહ્યું.
અર્જુન તે જોઈ જ રહ્યો. આ વિચિત્રતા તેનાથી સમજાતી નહતી.
“તું કહેવા શું માગે છે?” કિરાતને તેણે તેના આ વિચિત્ર વર્તનને ખુલાસે પૂછ્યું.
કહેવા એ માગું છું, ” કિરાતે જવાબ આપ્યો, “ કે આવા પવિત્ર સ્થાનમાં આવીને રહ્યા છતાં જે માણસ પોતાની પૂર્વકાલીન સાંસારિક પ્રકૃતિને છોડી શકતા નથી તેના જેવો દુર્ભાગી બીજ કાઈ નથી.”
“એટલે ?”
“એટલે એમ કે તું જુઠ્ઠો છે. આ બાણ તારું નથી. મારું છે. આ વરાહનો શિકાર તે નથી કર્યો, મેં કર્યો છે, અને કેાઈએ કરેલ શિકારને કબજે લેવા આવેલ તે ઉપરથી વળી બાણને પણ દાવો કરીને બેવડા પાપમાં પડી રહ્યો છે. ”
“તું મને ઓળખતો નથી માટે જ આમ કહે છે.” પોતાની જાત ઉપર કાબૂ રાખીને અર્જુને કહ્યું :
માણસની ઓળખાણ શબ્દોથી નહિ, કાર્યોથી થાય છે; અને તે, તારી થઈ ગઈ ! તું પરાઈ કીર્તિ અને પરાયાં કંચન પડાવી લેવા નીકળેલ કાઈ અઠંગ ગળપડુ છે.”
બસ, થઈ રહ્યું. અર્જુને કિરાત સામે શસ્ત્ર ખેંચ્યું. કિરાતે અર્જુન સામે. કિરાતીઓ દૂર દૂર સરી જઈ, ભીષણ દ્વ યુદ્ધ આદરી બેઠેલ એ બે હાએ ફરતું નારી-કાયાનું એક સુંદર વસ્તુલ બનાવી ઊભી રહી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮:
અપૂર્વ હતું આ ક્રૂ યુદ્ધ ! સ ંસારી અર્જુન મુનિના વેષમાં, અને ચેાગેન્દ્ર શકર કિરાતના વૈષમાં !
અર્જુનને પેાતાના બાહુબળ અને શસ્ત્રબળનુ અભિમાન હતું. એક ત્રીજી શકિત પણ જગતમાં છે, જે એ તેના કરતાં ચઢિયાતી છે, એ વાતનુ ભાન થવું તેને હજુ બાકી હતું. હકીકતમાં આ ત્રીજી શક્તિને અનુભવ તેને કરાવવા, આ ત્રીજી શકિતનાં ન તેને કરાવવાં–એ તેને અહી સુધી મેાકલવાને હેતુ હતેા.
અર્જુનનાં શસ્ત્રાસ્ત્રો બધાં નિરર્થક થતાં જણુાવા માંડયાં. કિરાતના અંગ ઉપર એ બધાંની કશી જ અસર થતી નહેાતી. બલ્કે એ બધાંને કિરાત જાણે ગ્રસી જતા હતા, ખાઇ જતા હતા, હજમ કરી જતા હતા !
સામી બાજુએ અર્જુન કિરાતનાં બાણાથી વીધાઈ વીધાને ચાળણી જેવા બનતા જતા હતા.
છતાં, અલબત્ત, અર્જુન તે અર્જુન હતે. પેાતા કરતાં વધારે મેટી તાકાતને ો, મનને ઢીલું કરે, મેદાન મૂકીને ભાગે, પરાજય સ્વીકારી લે, નિરાશ બની જાય, એ તેના સ્વભાવમાં જ નહેતું. હકીકતમાં પરાક્રમની વ્યાખ્યા જ આ છે. નબળાંને નમાવવામાં નહિ, સબળને સામને કરવામાં જ રાક્રમ રહેલું છે.
અર્જુને જ્યારે જોયું કે તેનાં શસ્ત્રાસ્ત્રા બધાં અફળ જઇ રહ્યાં છે, ત્યારે તેણે મેારચા બદલ્યા. એક તદ્દન નવા નુસખા તેણે અજમાવ્યેા. અર્જુન જ અજમાવી શકે એવા.
કુડીબંધ જખમેામાંથી વહેતા લેાહીવાળા શરીરે તે ધરતી પર પદ્માસન
લગાવીને બેસી ગયેા.
માટીનું એક શિવલિંગ તેણે જોતજોતામાં બનાવ્યું.
અને શંભુની આરાધના આરંભી. વિધિપૂર્વક આસપાસથી પુષ્પા લાવીને તેણે શિવલિંગ પર ચઢાવવા માંડયાં.
અને તરત જ તેણે એક અચરજ દીઠું.
જે જે પુષ્પા તે શિવલિંગ માથે ચઢાવતા હતા તે બધાં કિરાતને માથે ચઢતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ક્ષણભર તો તે દિમૂઢ બની રહ્યો.
પણ પછી બીજી જ ક્ષણે બધો ભેદ સમજાઈ જતાં કિરાતરૂપી શિવની સન્મુખ તે અંજલિ-બદ્ધ થઈને નતમસ્તક ઊભો.
મેં આપને ઓળખ્યા નહિ, પ્રભુ !”
હું મારી જાતને ઓળખાવવા માટે નહિ, પણ તને ઓળખવા માટે આવ્યો હતો, અર્જુન!હવે નજીક આવેલ કિરાતી-પાર્વતી સામે સ્મિત કરતાં શંભુએ કહ્યું : “તું સાચે જ એક મહાવીર છે. મારા આશીર્વાદ છેઃ ધર્મયુદ્ધમાં તું સદૈવ અજેય રહીશ.”
અને નિમેષ માત્રમાં શિવપાર્વતી અન્ય અનેક અનુચરો-પરિચારિકાઓ સમેત અદશ્ય થઈ ગયાં........
અને સાથે સાથે અર્જુનના શરીર પર થયેલા અસંખ્ય જખમે અદશ્ય થઈ ગયા.......
અને “આપના પિતા, દેવાધિદેવ ઇન્દ મને આપને સ્વર્ગમાં તેડી લાવવા માટે મોકલ્યા છે, ધનંજય, બિરાજો રથમાં !” એમ કહેતાં જ દેવેન્દ્રને સારથિ માતલિ ત્યાં હાજર થયે.
અર્જુન રથારૂઢ થયા અને રથ ક્ષણ બે ક્ષણમાં તે આકાશના માર્ગોની ઊંચાઈઓને આંબી રહ્યો.
૫૮. પૌરવકુળની માતા
ઉર્વશીએ આજે સોળે શણગાર સજ્યા હતા. કાઈ કહેશે કે એમાં નવાઈ શી ? અસરાને ધંધા જ શણગાર સજવાને ! શણગાર સજી સજીને પુરના પુરુષત્વને પાચું કરી નાખવું એ જ તે એમનું જીવનકાર્ય ! –પૌરાણિકાએ કહેલું!
અને ઉર્વશી એટલે તે અપ્સરાઓની પણ અસર ! એ સોળ શણગાર સ એમાં અચરજ શાનું !
પણ ના, ઉર્વશીના આજના સેળ શણગાર એ રોજિંદી કાટિના ન હતા. આજ એમાં કૈક અસાધારણ, કેક અપૂર્વ તવ હતું. આ જ ઉર્વશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૧
એક ખાસ કામ માટે તૈયાર થઈ રહી હતી. પિતાના ખુબ લાંબા જીવનકાળ દરમિયાન એણે અસંખ્ય પુઓને પરાજિત કર્યા હતા. રાજર્ષિઓ અને દેવર્ષિઓ, યતિઓ અને યોગીઓ, મુનિઓ અને મહારાજે, બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ, અરે બ્રહ્મર્ષિઓ અને જીવન-મુકત સુદ્ધાને તેણે પોતાના કામના ખપરમાં હોમી દીધા હતા.
પણ આજે? આજે એ એક એવા પુરુ-સિંહને પલાળવા નીકળી હતી, જે આ સૌથી જુદી જ કેટિને હતે.
ઉર્વશી આજે કુન્તી-પુત્ર અર્જુનને રીઝવવા જતી હતી. મહારાજ ઇન્દ્રના આદેશથી જતી હતી. સુભદ્રા અને દ્રૌપદીના પતિને પોતાના મોહપાશમાં જકડવા જતી હતી.
આજે એના પગમાં કઈ એર થનગનાટ હતો. એની આંખોમાં કોઈ એર માદકતા હતી. એની છાતીમાં કઈ ઓર તાલાવેલી હતી.
અર્જુન!
સાક્ષાત શ્રીકૃષ્ણચંદ્રના ફેઇબા કુંતી. તેને પુત્ર! શ્રીકૃષ્ણની પ્રિયતમ ભગિની સુભદ્રાને પતિ! આખાયે જંબુદ્વીપના રાજવીઓ જેના હાથ માટે તલસતા હતા તે દ્રૌપદીને વિજેતા અને પ્રિયતમ ! ભીષ્મ અને દ્રોણ સરખા પણ જેની ધનુર્વિદ્યાની પ્રશંસા કરતા એ ગાંડિવધારી ! એ વચેટ પાંડવે સ્વર્ગની ધરતી પર પગ મૂક્યો ત્યારથી જ ઉર્વશી તેના ઉપર ઓળઘોળ હતી.
ઉર્વશી તેના ઉપર એટલી એટલી બધી મુગ્ધ થઈ હતી કે મહારાજ ઇન્દ્ર તેને આ મનગમતો આદેશ ન આયે હેત તો પણ. એ અર્જુનને રીઝવવા જાત જ !
પણ આ તો મહારાજે જાતે જ...... ઉર્વશીને જોઈતું હતું અને વદે બતાવ્યું જેવો ઘાટ થયો. અને સોળે શણગાર સજીને એ નીકળી પડી. પણ મહારાજ ઇન્દ્રને એવું શું સૂઝયું કે તેમણે પિતાની પ્રિયતમ અસરાને આ કામ માટે નિયુકત કરી ?
અર્જુન તેમનો પુત્ર ગણતે, એ વાત સાચી. પણ તેથી શું? કઈ પિતા ઊઠીને પુત્રની આવી મહેમાનગતિ કરે ! ત્યારે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૨
વાત આમ બની હતી.
પૃથ્વી પરથી ફકત એક વરસ માટે સ્વર્ગમાં આવેલ પોતાના પુત્રના સકારાર્થે મહારાજ ઇન્ડે એક નૃત્ય-સમારંભ ગોઠવ્યો હતો. રંભા અને ઉર્વશી, તિલોત્તમા અને ધૃતાચી, શુક્રતારા અને મૃગલેચના......અનાદિથી પિતાનાં નૃત્યગીત માટે ચૌદે લોકમાં સુપ્રસિદ્ધ બનેલી અનેક અપ્સરાઓને તેમણે તે દિવસે પોતપોતાની શ્રેષ્ઠ કળાઓ દાખવીને પિતાના પ્રિયતમ પુત્રનું મને રંજન કરવાનો આદેશ આપ્યો હતો.
આ જલસામાં સૌથી છેલી હતી, ઉર્વશી, સૌથી છેટલી અને શ્રેષ્ઠ.
તારા-મંડળમાંથી ચંદ્ર ઉઠે એમ અપ્સરાઓના છંદમાંથી એ ઊઠી. સામે સિંહાસન પર બેઠેલા મહારાજ ઈન્દ્રને તેણે પ્રણામ કર્યા અને પ્રણામ કરતાં કરતાં ઇન્દ્રની જમણી બાજુએ આંખો નીચી ઢાળીને બેઠેલા ઈન્દ્રના પુત્ર અર્જુનને પણ એક તિરછી નજરથી તેણે જોઈ લીધે.
તબલાં પર થાપી પડી. વીણાના તારને નખલીએ ચુંબનની સલામી આપી. સંગીત શરૂ થયું. મૃદંગના તાલ સાથે પગના ઘૂઘરા તાલ લેવા માંડયા. વીણાને ઝણકાર ઉર્વશીના અંગે અંગમાં સાકાર થવા માંડ. નારી-દેહના સૌંદર્યને ગતિ અને ઝંકૃતિ સાંપડતાં એની આકર્ષકતા અનેક ગણું વધી ગઈ. પુરાતન કાળમાં શંકરના ત્રીજા લોચનના પ્રતાપે બળીને ખાખ થઈ ગયેલ કામદેવ ઉર્વશીની આંખમાં ફરી સજીવન થતો દેખાવા લાગ્યા. એના બાણની વર્ષા ચાલુ થઈ. ઈન્દ્ર સુદ્ધાં આખી દેવમંડળી સેલાસ હદયાએ એ વર્ષોમાં નાહી રહી. ધન્યવાદના શબ્દ ઇન્દસભાના એકએક ભાગમાંથી ગાજી ઊઠયા........
પણ ઉર્વશીને આજે આ આશુતોષ દેના ધન્યવાદની પડી ન હતી. નારીનાં વૌવનવિકસિત અંગોને જોવા સિવાય એ નવરાઓને બીજું કામેય શું હતું !
ઉર્વશીની દષ્ટિ તે આજ અર્જુન ઉપર હતી. પંચમહાભૂતની સૃષ્ટિને એ અપૂર્વ અતિથિ પોતાની અંગયષ્ટિ ઉપર જ્યાં સુધી વારી ન જાય ત્યાં સુધી પોતાની કળા તેને અધૂરી લાગતી હતી.
અને અર્જુન હજુ સુધી, એમ ને એમ, અધી મીંચેલી આંખોએ જ બેઠે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ડામાં રાજી થઈ જનાર દેવગણના ધન્યવાદ ઉપર ભયંકર રોષભરી એક નજર ફેકી ઉર્વશીએ નૃત્યની ગતિને દૂત બનાવી. એ રોષભરી નજરે અને નૃત્યમાં અચાનક આવેલી દુતતાએ વાતાવરણમાં કોઈ નવી માદકતા પાથરી દીધી. એક ક્ષણમાં આ શું થઈ ગયું એ જોવા માટે અર્જુને પોતાની આંખો સહેજ ઊંચી કરી... અને તે જ ક્ષણે, તેની આંખોએ, નૃત્ય-રમણે ચઢેલી ઉર્વશીની કાયાની આરતી ઉતારવા માંડી. અને પછી તો અર્જુન સૌંદર્યના તોફાને ચઢેલા એ સાગરમાં જાણે ખવાઈ જ ગયે ! - ઉર્વશીએ ઇન્દ્ર સામે જોયું, અને અર્જુન સામે જોયું અને પ્રસન્નતાસુચક એક દૃષ્ટિથી પિતાની સર્વશ્રેષ્ઠ અસરાને શાબાશી આપી.
ઉર્વશીને પિતાનું જીવન આજે કૃતાર્થ થતું લાગ્યું.
નૃત્ય પૂરું થયા પછી દેવરાજે એને ખાનગીમાં બોલાવી અને સ્વર્ગમાં ઉદાસ અને એકાકી જીવન ગાળતા પોતાના પુત્ર અર્જુનની ખિદમતમાં જવાને આદેશ આપ્યો.
સ્વર્ગવાસ દરમ્યાન સદૈવ ઉદાસ રહેતા અર્જુન, અગર જો કોઈના હૈ સંગથી કૈક પ્રસન્નતા અનુભવશે, તો તે આ એક ઉર્વશીના જ, એ વાતની ઇન્દ્રને ખાતરી થઈ ગઈ હતી.
અર્જુન પિતાના શયનખંડમાં સૂવાની તૈયારી કરતો હતો, ત્યાં દ્વાર પાળે આવીને ખબર દીધીઃ “ઉર્વશીજી આવે છે.”
“અત્યારે ?” અર્જુને સહેજ ચેકીને પૃથા જેવું કર્યું. પણ દ્વારપાળ તે ખબર આપીને ક્યારનોય અદશ્ય થઈ ગયા હતા.
ઉર્વશી અત્યારે આટલાં મોડાં શા માટે આવતાં હશે, –એ વિચારમાં અર્જુન હજુ ગળકાં ખાતો હતો ત્યાં તે “આવું કેમ ?' એવા શબ્દોની સાથે ઉર્વશા ખંડમાં દાખલ થઈ ગઈ અને અર્જુન તેને કૈ પણ પૂછી શકે તે પહેલાં તો તેણે ખુલાસે પણ કરી નાખ્યો કે ઇન્દ્ર મહારાજે જાતે જ તેને પિતાના પુત્રની સેવા અર્થે મોકલી છે.
મહારાજને મારા પર અનહદ પ્રેમ છે તે હું જાણું છું, દેવી ! અને આપ પણ અત્યંત કૃપાળુ છે;” અજુને લાગલે જ જવાબ આપ્યો, “પણ અત્યારે આપની સેવાની મને કશીયે જરૂર નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉર્વશીને માટે આ તદ્દન નવો અનુભવ હતો. હજાર વર્ષના તેના આયુધ્યમાં “આપની સેવાની મને કશી જ જરૂર નથી !” એવા શબ્દો તેને કેઈએ નહોતા સંભળાવ્યા; બલકે તેને અનુભવ તે એવો હતો કે પુરુષો તેના ઉપર લદ બનીને ચૂઈ પડતા ! પતંગિયા જેમ આગમાં ઝંપલાવે તેમ પુરષો તેના રૂપની આગમાં બળીને ભસ્મ થઈ જતા. ઋષિમુનિઓ પિતાની આખી જિંદગીના તપને એના સહચારની એક ઘડી માટે ધૂળમાં મેળવવા તૈયાર થઈ જતા. ત્યારે આ જુવાન....આ પાંડુપુત્ર...
મહારાજ ઈન્દ્ર મારે ખાતર આપને ખૂબ જ તકલીફ આપી, દેવી !” વિચાર-સમુદ્રમાં ગોથાં ખાતી ઉર્વશીને અને ફરી સંભળાવ્યું. “હું એમના વતી અને મારા પિતાના વતી આપની ક્ષમા માગું છું. ”
ઉર્વશીને ખૂબ ગુસ્સો ચડ્યો. પિતાની આવી અવગણના તેણે કદીયે જઈ નહોતી.
“મહારાજ ઇન્કે મને તમારી પાસે કે એમ ને એમ નથી મોકલી !” ગુસ્સાના આવેશમાં તે બોલી ઊઠી, “તમારું મન વર્યા પછી જ તેમણે મને અહીં આવવાની આજ્ઞા આપી છે !'
અર્જુન તે આભો જ બની ગયો. ઉર્વશીના સહવાસનું મન પોતાને કદી પણ થયું હોય, અને એ વાત તેણે ઈન્દ્રને કદી પણ જણાવી હેય એવું તેને યાદ નહોતું.
“મહારાજની કૈક ગેરસમજ થઈ છે, દેવી!” અત્યંત ક્ષોભ અનુભવતાં તે બેલ્યો.
થઈ હશે!” ઉર્વશી લાગલી જ ગરજી ઊઠી, “મહારાજની ગેરસમજ કદાચ થઈ હશે, પણ મારું શું? મારી તો ગેરસમજ નથી થઈ ને ? હજુ થોડા જ વખત પહેલાં તમારી સામે હું નાચી રહી હતી ત્યારે તમે, જે રીતે મારા તરફ જઈ રહ્યા હતા...તે જોતાં...”
અર્જુનને હવે ક પ્રકાશ વરતાવા લાગ્યો. નૃત્ય વખતે બીજી અનેક અપ્સરાઓ તેની નજરે ચઢી હતી, પણ એકકેય તેને જોવા જેવી નહોતી લાગી, જ્યારે આ ઉર્વશીના સૌંદર્યનું પાન તેણે ઘૂંટડા ભરીભરીને કર્યું હતું ! તેની પાછળ કઈ વૃત્તિ હતી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૫
અર્જુન ઊભો થઈને ઉર્વશીને ચરણે નમી પડયો. “આ શું કરો છો ? ક્રોધ ઉગ્રતાની ટોચે પહોંચે.
“નૃત્ય વખતે કરવા માગતા હતા તે જ, દેવી!” અર્જુને ખૂબ મધુરતાથી ખુલાસો કર્યો. “નૃત્ય વખતે હું આપની સામે એકીટશે જોઈ રહ્યો હતો, દેવી, પણ તે શા માટે, જાણે છે? ફકત એટલા જ માટે કે હું પૌરવકુળને છું અને આપ પરવકુળની માતા છે !'
ઉર્વશીને પ્રથમ તે પિતાના પર વીજળી પડી હોય એમ લાગ્યું, પણ પછી ક્ષણાર્ધમાં જ તે સાવધ થઈ ગઈ
પિતાના પગ પાસે બેઠેલ અર્જુનના કશમાં જનેતાને હાલપભર્યો હાથ ફેરવતાં ફેરવતાં તે ડૂસકાં ભરી ભરીને રોવા માંડી.
અને તે પછી કેટલી યે વાર સુધી મા-દીકરાનું એ વિચિત્ર યુગલ પૌરવકુળના ઈતિહાસની સાથે એકરૂપ થઈ રહ્યું. કથા કહે છે કે –
व हि मे मातृवत् पूज्या
रक्ष्योऽहं पुत्रवत् त्वया ॥ તમે મારા માટે માતાની પેઠે પૃય છો, અને હું તમારે માટે પુત્રની પેઠે રક્ષણવ છું.” એવી અર્જુનની આજીજીના પ્રત્યાઘાત રૂપે ઉર્વશી પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને એ ગુસ્સાને આવેશમાં અર્જુનને તેણે શાપ આપ્યો હતો કે “કામબાણને વશ થયેલી એવી હું તારા પાસે આવી અને તે મારો અનાદર કર્યો તેથી જા, તું સ્ત્રીઓની વચ્ચે માનવિહીન નપુંસક જેવો બનીને નાચ્યા કરીશ.' ૧ ઉર્વશી પુરુરવાને પરણી હતી અને એ પુરુરવાના જ કુળમાં અર્જુનને
જન્મ થયો હતો. અજુનને “પૌરવ' તરીકે પણ સંબોધવામાં આવે છે. વિક્રર્વશીયમ્ નામે મહાકવિ કાલિદાસનું નાટક કર્વશી અને પુરુરવાના પ્રણયની આસપાસ જ ગુંથાયું છે.
इयं पौरवव शस्य जननी मुदितेति ह।
त्वामह दृष्टवांस्तत्र विज्ञायोत्फुल्ललोचन: । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૬
આ શાપની વાત અર્જુને પોતાના કલાગુરુ ચિત્રસેનને ખાનગીમાં કરી અને ચિત્રસેને ઇન્દ્રને કરી. ઈન્દ્ર આ વૃત્તાંતથી પ્રસન્ન થયો. અર્જુનને બોલાવીને તેણે કહ્યું. “એક રીતે ઉર્વશીને આ શાપ તારા માટે આશીર્વાદરૂપ થઈ પડશે. અજ્ઞાતવાસ દરમ્યાન એક વર્ષ તું નપુંસકરૂપે તારી જાતને છુપાવી શકીશ; અને એ એક વર્ષને અંતે તારું પુરુષત્વ તને ફરી પ્રાપ્ત થશે.”
૫૯. પથ્થર તરી જાય છે!
અર્જુન એ પાંડવોને પ્રાણવાયુ છે. કૃષ્ણ એ જમાનામાં બધાં જ મંગલ તોના પ્રતિનિધિ છે, (અથવા કહે કે અમંગલ તની સામે મુઠ્ઠીભર મર્દો મારફત નિરંતર ચાલતી જેહાદના પ્રતિનિધિ છે) અને પાંડવો એ મંગલ તના પુરસ્કર્તાઓ છે અને અર્જુન એ પાંડવો અને કૃષ્ણ વચ્ચે સ્વયંનિર્મિત સેતુ છે. યુધિષ્ઠિર જેમ પાંડવોની સત્યનિષ્ઠા અને ધર્માનુરાગની બાંહેધરી છે, તેમ અર્જુન એમના અપ્રતિમ અને અણનમ પરાક્રમની અને અંતિમ અને વણ–અપવાદ વિજયની ખોળાધરી છે.
આવા અર્જુનને વનવાસ’માંથી પણ “વનવાસ’માં મોકલવો પડ, એ કંઈ પાંડવોને માટે જેવા તેવા સંતાપની વાત નહતી. દિવ્ય શસ્ત્રાસ્ત્રોની સાધના માટે અર્જુન પાંચ વર્ષ સ્વર્ગમાં રહ્યો.
આ પાંચ વર્ષના વિયેગસને શરૂઆતને થોડોક ભાગ પાંડવોએ જતા આવતા ઋષિ-મુનિઓના સમાગમમાંથી મળતી પ્રેરણાની દૂફમાં, “તવન અને કામ્યક વનમાં જ ગાળ્યો. નળાખ્યાન જેવાં આખ્યાને પાંડવોને અહીં જ બૃહદશ્વ જેવા મુનિઓ પાસેથી સાંભળવા મળ્યાં. સૌ જાણે છે કે પાંડવોના મનોરંજન માટે જુદા જુદા મુનિઓ તરફથી થયેલ આખ્યાને અને ઉપાખ્યાનનું એક વિશાળ વન, મહાભારતના આ ત્રીજા પર્વ માં– વનપર્વમાં આવેલું છે.
પણ પાંડવોનો સંતાપાગ્નિ હવે આખ્યાને દ્વારા પણ શાંત થાય એમ નહોતો. જેમ જેમ વખત જતા ગયા, તેમ તેમ તેઓ વધુ ને વધુ અકળાતા ગયા. આખરે સ્વર્ગમાંથી અર્જુનના કુશળ સમાચાર લઈને આવેલ લેમશ તથા નારદ મુનિની સલાહથી તેમણે, અર્જુન-વિરહના પોતાના સંતાપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૭
કંટક હળવા કરવા માટે તી યાત્રાએ નીકળવાનેા નિશ્ચય કર્યો. તેમણે ભારતવર્ષની પગપાળા યાત્રા શરૂ કરી.
એક ઠેકાણાના સમાચાર ખીજે ઠેકાણે પહેાંચાડવાના આજનાં જેવાં કાઇ ઝડપી સાધને તે વખતે નહેતાં, છતાં ઉપખંડ જેવડા વિરાટે આ દેશને ખૂણે ખુણે બનતા મહત્ત્વના સમાચારાથી ભારતવર્ષના લેકે હરહમેશાં વાક્ રહેતા. આનાં ઘણાં કારણેામાં એક, અહીંના લેકાનું તીર્થોની પગપાળી યાત્રા માટેનું આકર્ષણ છે એમ જરૂર કહી શકાય. આમ તા દેશના તમામ રાજમાર્ગો અને આડમાર્ગો, ચામાસાના ચાર મહિના બાદ કરતાં બાકી આઠે આઠ મહિના વણઝારા અને વેાળાવિયાએથી હરહમેશ ગાજતા જ રહેતા. ઉપરાંત, ના, વિટા, નૃત્યકારા, જાદુગરા, મદારીએ, ક્રીડામલે–લાકાનુ મનેરંજન એ જ જેમની આજીવિકાનું એક માત્ર સાધન હતું એવા વર્ગો પણ ‘લીલા ચારા'ની શેાધમાં દેશની ધરતીને અખંડ ખૂંદતા રહેતા.
આમાં, કાઇ પણ ડેકાણે એકથી વધુ રાત ન રાકાવું—આવા નિયમવાળા સાધુ સંન્યાસીએ પણ જ્યાં જુએ ત્યાં નજરે પડવાના જ ! આ બધામાં, આપણા આ તી-રસિયા યાત્રીઓના સથૈને ભેળવા તેા એ જમાનામાં ખબરા (વીજળીના વેગે નહિ તેા ) ઘેાડાને વેગે કેવી રીતે ચારેકાર ફેલાઇ જતી તેની કંઈક કલ્પના આવી જશે.
ઘેાડાના ઉલ્લેખ થયા છે તેા એક ખીજી વાત પણ કહી દએ. ચામાસું પૂરું થવાની વાટ જોઇને બેઠેલ અનેક વિજયાકાંક્ષી રાજાએ પણ રસ્તાનું જગમ જીવન જીવવા, હઝારા સૈનિકેાની સાથે નીકળી પડતા; અને દેશમાં બનતા બનાવાથી દેશની જનતાને છેલ્લા દિવસ સુધીની (up-to-date) નહિ, તેા છેલ્લા અઠવાડિયા (up-to-week) સુધીની ખખરાથી કીક કીક વાક્ રાખવામાં પેાતાનેા કાળા આપતા. વિશાળ પાયા ઉપર અવર-જવર એ જ તા સામુદાયિક જીવનની ઇમારતના પાયે છે ને!
લેામશ તેમજ નારદ મુનિની સલાહથી તીર્થાટને નીકળેલ પાંડવેાએ પહેલાં તા હિમાલયમાં આવેલ બધાં જ તીર્થોનાં દન કર્યાં. એક તા હિમાલયનું આકર્ષણુ આર્યાને આદિકાળનું; અને ખીજું, તેમનેા લાડકવાયા અર્જુન પણ હિમાલય ઉપર જ હતા ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અને પછી ગંગાને કાંઠે કાંઠે તેઓ ઠેઠ પૂર્વ-સાગર સુધી પહોંચ્યા. ત્યાંથી કલિંગ દેશ સોંસરા થઈ, દક્ષિણનાં તીર્થોની યાત્રા કરી. ત્યાંથી પશ્ચિમ તરફ વળ્યા. અને છેલ્લે, સૌરાષ્ટ્રમાં આવ્યા.
સૌરાષ્ટ્રમાં પ્રભાસ તીર્થે શ્રીકૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામની આગેવાની નીચે યાદવોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. હસ્તિનાપુરમાં જુગાર ખેલાયે, ત્યાંથી માંડીને ચાર પાંડવો અને પાંચમી દ્રૌપદી તીર્થયાત્રાએ નીકળ્યાં ત્યાં સુધીની બધી જ વાત યાદવોએ સાંભળી હતી. વરસે દરમિયાન જે કંઈ બન્યું હતું તેના અવલોકન અને અભ્યાસ પછી યાદવોની ખાતરી થઈ ગઈ હતી કે પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્ર એ બે પક્ષેમાંથી ન્યાય, સત્ય અને ધર્મ પાંડને પક્ષે જ વધારે હતા. એટલે મૃગચર્મ ધારણ કરેલા અને વિભવ તેમ જ વાહન વગરના પાંડને પ્રભાસ પાસે જોતાં વેંત ઊમિલ બલરામનું હૈયું ભરાઈ આવ્યું. અત્યંત કટુતાથી તેમણે કૃષ્ણને કહ્યું :
“તું હંમેશા ધર્મ, ન્યાય, સત્ય અને ઈશ્વરની વાત કર્યા કરે છે. પણ દુર્યોધન જેવા હલકટ માણસો હસ્તિનાપુરના રાજમહેલમાં લહેર કરે, અને યુધિષ્ઠિર જેવા ધર્મના અવતારે આમ ભૂંડે હાલ ધરતીની ધૂળ ખૂ –– એ જોઈને મને તે શંકા આવે છે કે ઈશ્વર ઊંઘી તો નથી ને ને!”
સાચે જ મહાભારતના વનપર્વમાં આ પ્રસંગે બલરામે વિશ્વમાં પ્રવર્તતી વિષમતાની સામે પ્રહાર કર્યા છે તે આજના કવિઓની
મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથરો તરી જાય છે! –જેવી પંકિતઓમાં વ્યકત થતી કટુતાને પણ આંટી જાય એવા છે.
૬૦ કૃષ્ણ બળદેવને સમજાવે છે
સાધારણ રીતે એવી માન્યતા છે કે દુર્યોધન બલરામને શિષ્ય હતા તેથી બલરામ હંમેશા દુર્યોધનનું જ તાણતા. આ માન્યતા કેટલી ભૂલભરેલી છે, તે આ પહેલાંના પ્રકરણમાં આપણે જોઈ ગયા.
હકીકત એ છે કે બલરામને સ્વભાવ, કૃષ્ણની સરખામણીમાં કંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૯
વધુ પડતો ઊર્મિલ, અ-સમતલ અને ભળે હેવાને કારણે કોઈ કોઈ વાર દુર્યોધનની મીઠી વાતોથી તે ભેળવાઈ જતા, પણ ધર્મ પાંડવોને પક્ષે છે એ સત્ય, તે વખતે પણ, તેઓ વિસરી જતા નહિ.
પણ આ વખતે તે બલરામે હદ જ કરી છે. યુધિષ્ઠિર પ્રત્યે તેમણે કેવળ શાબ્દિક સહાનુભૂતિ જ નથી બતાવી. તેમણે તો કૃષ્ણ પાસે એક સક્રિય પ્રસ્તાવ પણ મૂકો કે “ચાલે, યાદવોના સૈન્ય સાથે આપણે દુર્યોધન ઉપર આક્રમણ કરીએ અને તેને હરાવીને પાંડવોનું રાજ્ય પાંડવોને પાછું
અપાવીએ.”
આ વખતે કૃષ્ણ પોતાના મોટાભાઈને જે ખૂબીથી સમજાવ્યા છે તે જોવા જેવી છે. પાંડવોના–અને ખાસ કરીને યુધિષ્ઠિરના માનસ પર તે સારા પ્રકાશ પાડે છે; ઉપરાંત પાંડેની શકિતનું સાચું મૂલ્યાંકન પણ તે રજૂ કરે છે.
“તમારી લાગણી માટે યુધિષ્ઠિર તમારો ઉપકાર માનશે, મોટાભાઇ,” શ્રીકૃષ્ણ કહે છે, “પણ તમે આમ તેમના ઝગડામાં વચ્ચે પડો એમ તો તે નહિ જ ઈચછે!
પણ આપણે કયાં એના પર પાડ ચઢાવવા માટે આમ કરીએ છીએ? આપણે તે “ધર્મના પક્ષને અન્યાય થઈ રહ્યો છે તેની વહારે ધાવાનું છે !”
એ ખરું મોટાભાઈ, પણ “ધર્મ' ના પક્ષને અન્યાય થઈ રહ્યો છે, તેને સામનો કરવાની શકિત યુધિષ્ઠિરમાં નથી એ શા પરથી જાણ્યું ?”
“યુધિષ્ઠિર પાસે શકિત છે, તો પછી તે વાપરતો કેમ નથી?” કારણ કે ધર્મ' એને આડો આવે છે. શ્રીકૃષ્ણે કહ્યું.
એ કેવી રીતે ?” “યુધિષ્ઠિરે જુગારમાં બોલાયેલી શરત કબૂલ રાખી હતી. હારે તે પક્ષ બાર વરસ વનવાસ ભોગવે, અને તેરમું વરસ અજ્ઞાતવાસમાં કાઢે. યુધિષ્ઠિર પિતે આપેલા આ વચનમાંથી હવે ચાતરવા નથી માગતો. સત્યને એનો આગ્રહ એને એમ કરતાં રોકે છે. ”
પણ જુગારમાં એની હાર થઈ તે શકુનિએ કરેલ કપટને કારણે જ તે?” બલરામે યુધિષ્ઠિર–પક્ષે દલીલ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
એ ખરું! પણ શકુનિ કપટ કરે છે, એ જાણવા છતાં પોતે જુગાર રમવા કબૂલ થયેલા, એટલે હવે કપટની વાત વચ્ચે લાવીને બેલેલ બોલથી એ ફરવા નથી માગતો !.......અને એક બીજી વાત પણ છેમોટાભાઈ ?”
“શી?”
“યુધિષ્ઠિર જે વચન-પાલનને આગ્રહ જાતે કરવા તૈયાર થાય, તે દુર્યોધનને હરાવવો એ તો તેના માટે રમત વાત છે! વનવાસ દરમિયાન અનેક વાર દુર્યોધને પાંડવોના વિનાશનાં કાવતરાં કર્યા છે. એમાંથી એક પણ સફળ નથી થયું તે તેની આ શકિતને લીધે જ.”
સમજો ” “અને એક ત્રીજી અને છેલ્લી વાત, મેટાભાઈ. ધારો કે યુધિષ્ઠિરમાં એવી શકિત ન હોત તે પણ, પાંડવો એવા ટેકીલા છે કે કોઈ બીજાએ બક્ષીસ લેખેદાન લેખે-આપેલું રાજય તેઓ કદી સ્વીકારે જ નહિ ! એમને તે સ્વભુજાજિત જ બધું જોઈએ!”
આ પ્રસંગ પછી યુધિષ્ઠિર અને પાંડવા માટેનું બલદેવનું માન અનેકગણું વધી ગયું એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર હોય.
૬૧. હિમાલયની ગેદમાં
“એક મારી વાત માનીશ, ભીમ ? ” “આપની આજ્ઞાનો મેં કદી અનાદર કર્યો છે, મોટાભાઈ ?”
“ તે હું જાણું છું, માટે જ કહું છું. સંભવ છે કે હવે પછી હું જે કહેવાનો છું તે તને બદદુ લાગે. પણ બધી ય બાજુએથી વિચાર કરી જોઇશ, તે તને મારી વાત બરાબર સમજાશે.”
“પણ આપ કહેવા શું માગો છો ?”
“એટલું જ કે નકુલ, સહદેવ અને આ દ્રૌપદી ત્રણેયને લઈને તું અહીં ગંગા-દ્વારમાં જ રહી જા.”
કારણ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
'
હિમાલય ચઢવા ઘણા જ મુશ્કેલ છે. હું તારી વાત નથી કરતેા. પણ દ્રુપદના રાજમહેલના સુંવાળા વાતાવરણમાં ઊછરેલી આ દ્રૌપદીની વાત કરુ છું. આપણી સાથે પેાતાના ભાગ્યને જોડી એ બિચારી દુઃખ જ પામી છે. એણે ઘણાં ય કષ્ટો વેયાં છે, અત્યાર લગી, આપણે ખાતર. પણ આ હિમાલય—આરહણનું કષ્ટ તા, એ ધારે તા પણુ, ઉઠાવી શકે એમ નથી.”
tr
તમે મને અન્યાય કરે છે, અને તમારી જાતને પણુ!” દ્રૌપદીએ યુધિષ્ઠિરને વચ્ચેથી જ રેાકીને હસતાં હસતાં કહ્યું, “ જગતમાં અજોડ એવા પાંડુપુત્રાને પામીને હું તેા ઉલ્ટાની જગતની રાજરાણીએની ઇર્ષ્યાને પાત્ર બની છું, મહારાજ! વળી હિમાલય જોવાની તે! મને પેાતાને પણ ઉત્કટ ઇચ્છા છે. ’’
s
‘ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા દરમ્યાન તમે અમારી સાથે જ રહ્યાં છે, દેવી, યુધિષ્ઠિરે સાંત્વન આપતાં કહ્યું : “તેા તીર્થોના શિરમેાર સમા આ બદરિકાશ્રમની યાત્રામાં પણ તમે સાથે જ રહે એવી અમારી પણ ઉત્કટ ઇચ્છા છે. પણ હિમાલયનું ચઢાણુ સાધુપુરુષાના અસિધારાવ્રત કરતાં યે આકરું છે.'
""
r
એ બધું હું જાણું છું. પાંચ વરસ પહેલાં ધનંજયને આપણે આ જ રસ્તે ઇન્દ્રની પાસે વિદાય કર્યા, ત્યારે અનેક ઋષિમુનિઓએ હિમાલયની ભયાનકતાનાં, ભલભલા શૂરવીરાની પણુ છાતી બેસાડી દે એવાં વણું ના કર્યાં હતાં, તે હું ભૂલી નથી ગષ્ટ, મહારાજ ! પણ જેટલે એ ભયાનક છે, તેટલા જ એ ભવ્ય અને સુન્દર છે. અને અહીં સુધી આવ્યા પછી, સીડીને પહેલે પગથિયે પગ મૂકયા પછી હવે હું પાછી ફરવા નથી માગતી. જે થવાનુ હશે તે થશે. હું સાથે જ છું, મહારાજ.”
<<
પાંચાલી ભલે આવે, મેાટાભાઇ, ” યુધિષ્ઠિર કૈક કહેવા જતા હતા, તેમને રાષ્ટ્રીને ભીમ ખેાલી ઊઠયા, “ એ થાકી જશે તેા હું એમને તેડી લઇશ.”
“બજરંગ બલી જેવા તારા બાહુએ એ જ આધારશિલા છે, રૃકાદર; લાક્ષાગૃહમાંથી તે જ તે
૨૦૧
૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૦૦
૦૦
આપણી સ્વપ્નસૃષ્ટિની અમને તાર્યા હતા. ’
૦૭
pd
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
હિમાલયનું આકર્ષણ આપણા પૂર્વજોને આદિકાળથી જ છે. પાંડવોને તે એ તેમના બાલ્યકાળથી જ જાણે સાદ કર્યા કરતો હતો. તેમને જન્મ જ હિમાલયમાં આવેલ વનમાં થયો હતો. લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા બાદ જે વરસે એમણે, માતા કુતી સાથે, ભારતભરમાં ભમવામાં કાઢયાં હતાં, તેમાં થોડોક ભાગ હિમાલયના ઢોળાવો પર પણ તેમણે ગાળે હતા. શકુનિના કપટ–પાસાથી પરાજિત થઈને વનમાં આવ્યા પછી વહાલામાં વહાલા અર્જુનને તેમણે આ જ રસ્તે મોકલ્યો હતે; અને એટલે જીવનયાત્રાની પૂર્ણાહુતિ વખતે પણ તેઓ અહીં જ આવવાના છે.
આપણે તેમને છેલ્લે જોયા ત્યારે તેઓ કામ્યક વનમાં હતા. ત્યાંથી ફરતા ફરતા તેઓ સૌરાષ્ટ્ર તરફ ગયેલા. પછી બલદેવ સાત્યકિ વગેરે યાદવવીરોને તેમની પિતા પ્રત્યેની હાર્દિક અને પ્રચંડ સહાનુભૂતિ માટે આભાર માની, કૃષ્ણની વિદાય લઈને તેઓ ઉત્તર તરફ આવવા નીકળ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગંગાકાર (હરદ્વાર) વચ્ચે આવેલ અસંખ્ય તીર્થોમાં દર્શનસ્નાન કરતાં કરતાં આજે આખરે તેઓ હિમાલયની તળેટી સુધી આવી પહોંચ્યા હતા.
ભીમની દરમિયાનગીરી પછી યુધિષ્ઠિરને કંઈ જ કહેવાપણું ન રહ્યું. ચારે ય પાંડવો અને પાંચમી પાંચાલી, અને તેમની સાથેના, ધૌમ્ય અને લોમશ એ બે મુનિઓની આગેવાની નીચેને બ્રહ્મસમુદાય-સૌએ હિમાલયઆરહણ આદર્યું. - હરિદ્વારથી બદરીકેદાર સુધીને રસ્તો એ રસ્તો નથી, એક મનહર દિવાસ્વપ્ન છે. ગંગા તો તમારી સાથે જ હોય, હંમેશા; અને તે પણ
તમે જેને મળવા જઈ રહ્યા છે, એને મળીને હું આવી છું!” એવા સાત્વિક અભિમાન સાથેઃ હસતી, ધસમસતી, દૂર દૂરથી આવતા અનેક પ્રપાતો અને સ્ત્રોતોને અંતરમાં સમાવતી. એને, માનવમંગલ અર્થે નીચે ઊતરવાનો રસ્તો, એ જ આપણે, આપણું આત્માના ઉદ્ધારને અર્થે ઉપર ચઢવાનો રસ્તો, પણ ચઢતાં પગ લપસ્યા, તો સીધા નીચે, મૃત્યુની પાતાળખીણમાં ! પછી હાડકું યે હાથમાં ન આવે. આજના યાત્રીને પચાસ વરસ પહેલાંના યાત્રીને વેઠવી પડતી હાડમારીને ખ્યાલ ન આવે; તે પછી હજારો વરસ પહેલાંના યાત્રીઓની હાડમારીનું તે પૂછવું જ શું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પણ પાંડ અને પાંચાલીનું ધ્યાન હિમાલયના શિવસ્વરૂપ ઉપર કેન્દ્રિત હતું. મહાભારતના શબ્દો વાપરીએ તે
“માખીઓ મચ્છરે સિહ વ્યાધ્રો સર્પો, કાનખજૂરા અને વીંછીઓ -એ બધાને ત્રાસ અસંયમીને હોય છે. સંયમીથી તો એ ઉપદ્રવ જાતે જ દૂર રહે છે”
સંયમી પાંડ અને પાંચાલીને ઉદ્દેશીને મુનિ લેમિશ કહે છે :
“આ રસ્તો તમને દિવ્ય મન્દર પર્વત ઉપર લઈ જશે સંયત થઈને યાત્રા શરૂ કરે. આ જુઓ, મંગલ જલવાળી આ મહાનદી, જે બદરિકાશ્રમમાં થઈને આવે છે, જેને દેવર્ષિએ સેવે છે, અને ગગનગામી ગધ અને વાહિખો સ્તવે છે; અને મરીચિ, પુલહ, અંગિરા વગેરે સપ્તર્ષિઓ જેને કિનારે આસન લગાવીને સામવેદનાં ગાને ગાય છે. અનુયાયી દેવોની સાથે ઇન્દ્ર અહીં જ-આના તીર પર બેસીને સંધ્યોપાસના કરે છે. અને તે વખતે અશ્વિનીકુમારે તેમની તહેનાતમાં રહે છે. આ એ જ પુણ્ય-સલિલા જાહ્નવી છે, પાંડવો, જેને ભગવાન શંકરે પોતાના શિર પર ધારણ કરી છે. એને અભિવંદન કરીને આગળ ચાલો.”
વિપણનાં અનેક પરાક્રમોની ગાથાઓ મુનિઓને મેંએથી સાંભળતાં સાંભળતાં પાંડવો અને પાંચાલી મહાકવિ કાલિદાસે જેને દેવતામાં કહ્યો છે એ હિમાલયનાં ચઢાણ ચઢવા માંડયાં.
અનેક દિવસના પ્રવાસને અંતે તેઓ ગંધમાદનની નજીક પહોંચ્યાં, ત્યારે ગંધમાદને એમને કેવો સત્કાર કર્યો ? મહાભારત કહે છે:
ઝંઝાવાત અને વર્ષો અચાનક તુટી પડયાં ઊઠી ડમરી રેણુની પર્ણો કટિ ઉરે લઈ, આભ ને ધરતી બને ત્રસ્યાં જેણે નિમેષમાં; ન દેખે એકબીજાને, સાંભળી છે કે નહિ;
પાષાણ-ચૂર્ણથી પૂર્ણ વંટાળે સૌ વિઝાય છે. હાથ વડે રસ્તે જે પડે, એકમેકના અસ્તિત્વની પણ હાથ વડે ખાતરી કરવી પડે, એવી સ્થિતિ હતી. ભીમસેન જેવાને પણ દ્રૌપદીને બાથમાં લઈને એક તેનિંગ ઝાડની એાથ મેળવી પડી હતી. બીજા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
२०४
સહદેવ નકુલ અને યુધિષ્ઠિર, ધૌમ્ય અને લેમશ અને મુનિઓ, જેને જ્યાં એથી મળી ત્યાં, કુદરતને કેપ શાન્ત થાય તેની સ્થિર ચિત્તે પ્રતીક્ષા કરી રહ્યા હતા.
આખરે વંટોળ શમ્યો
પણ વાયુને ઉપદ્રવ શમતાં વેંત જળને ઉપદ્રવ શરૂ થયો. સાતે ય સાગરો પર્વતને માથે ઠલવાતા હોય એમ મુસળધાર નહિ, પણ ડુંગરધાર વૃષ્ટિ થવા માંડી, અને જોતજોતામાં આખાય પ્રદેશ અનેક નદીઓના સંગમસ્થાન જેવો બની ગયો.
પણ દુનિયામાં દરેક આફતનો જેમ વહેમોડે અંત આવે છે, તેમ આ પ્રલવર્ષાને પણ આખરે અંત આવ્યો. વરસાદ થંભ્યો; પાણુ ઓસર્યા; આકાશ સ્વચ્છ થયું, અને ભગવાન સહસ્રરશ્મિ ફરી પોતાનાં રશ્મિઓ ફેલાવવા માંડયા.
જડની ઓથ લઈને ઊભેલ ચેતન હવે સળવળવા માંડયું. પ્રત્યેક જણ પિતે જ્યાં ઊભું હતું ત્યાંથી ચાલીને મહારાજ યુધિષ્ઠિર કને પહોંચી ગયું.
અને પછી લોમશ અને ધૌમ્ય તરફથી ઈશારો મળતાં સૌ હવે નજીકમાં જ દેખાતા ગંધમાદન પર્વતને રસ્તે ચઢયાં.
પાવન સ્થળ જોતાં જોતાં છ રાત્રિએ તેમણે અહી, હિમાલયના આ પ્રદેશમાં જ, પસાર કરી.
૬૨. ભીમ હનુમાન મેળાપ
પ્રકરણનું મથાળું વાંચીને જરા નવાઈ ઉપજે એવું છે. કયાં ભીમ, કયાં હનુમાન ! એક કલિકાલ અને દ્વાપરયુગની સંધિ વખતે થયો, એટલે કે, પુરાણકારોની ગણતરી પ્રમાણે, પાંચ હજાર વરસ પહેલાં, અને બીજે ત્રેતાયુગમાં એટલે (એજ ગણતરી પ્રમાણે) લાખ વરસ પહેલાં !
પણ ઇતિહાસ સાથે દંતકથાને જોડી દેવાની માનવી માત્રને આદત છે. ગ્રીસ અને રોમના કહેવાતા ઇતિહાસો એની સાક્ષી પૂરે છે.
હકીકતમાં “ઈતિ-હ-આસ (ઇતિહાસ) શબ્દ જ ઇતિહાસના આ સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૫
રૂપને વાચક છે. “ઈતિહ-આસ” એટલે “આમ હતું, એમ અમે સાંભળ્યું છે. વાંચ્યું છે એમાં દંતકથાઓને પણ સમાવેશ થઈ જાય છે
પણ દંતકથા કહી, એટલે તે કેવળ ટાઢા પહોરના ગપોડા જ હોય એમ માનવાનું કશું જ કારણ નથી. દંતકથાઓ કંઈ શૂન્યમાથી નથી સરજાતી. પ્રચલિત હવામાંથી તે સરજાય છે. પુરવાર થયેલી હકીકતોની સાથે કદમ મિલાવીને એ ન ચાલે તો એ ટકી પણ ન શકે.
દંતકથાઓની આકરામાં આકરી કસોટી સમય છે. કેઈએ ભાંગ પીને એક ગપગોળો વહેતો મૂકો કે ફલાણા ગામમાં દર શનિવારે રાતે હનુમાન દેખાય છે; થોડા અંધ ભાવિકે શેડોક વખત એ વાતને માની પણ લે; પણ સમયની કસોટીએ એવી વાતો ટકી શકતી નથી.
જગતના હજારે વરસના ઈતિહાસમાં લાખ દંતકથાઓ પ્રચલિત થઈ હશે; તેમાંથી કેટલી થેડી, કેટલા સ્વપ૯૫ ટકા આજ સુધી ટકી છે એ વિચારીએ છીએ ત્યારે દંતકથાઓની પાછળ પણ અમુક નિશ્ચિત પ્રકારનું “પ્રમાણુ” હોય એમ લાગ્યા વિના નથી રહેતું.
આનો અર્થ એવો પણ નથી કે જે દંતકથાઓ અત્યાર સુધી ટકી રહી છે તે બધાને તેમના શબ્દાર્થમાં, સ્થૂલ અર્થમાં, સંપૂર્ણ સાચી સમજવાની છે. દંતકથાઓની પાછળ કંઈ ને કંઈ અતિહાસિક કે સામાજિક રહસ્ય હોય છે. એમના વાચ્યાર્થીની પાછળ રહેલું આ રહસ્ય વાંચનારે કે સાંભળનારે ખેળી કાઢવાનું રહે છે. એ રહસ્ય હાથ લાગતાંવેંત એને એ અનુભવ થશે કે “ઇતિહાસની શંખલાબદ્ધ હકીકતોમાં એકાદી કડી કયાંક ખૂટતી હતી તે આવી ગઈ
ગધમાદન પર્વત પર પાંડ છ રાત પડાવ નાખીને રહ્યા હતા તે દરમિયાન એક નાનકડા બનાવ બન્યો.
વાયુની લહેરમાં ઉડતું ઉડતું એક કમળ તેમની પાસે આવ્યું. એ કમળને હજાર પાંખડીઓ હતી. એમાંથી તેમણે આજ સુધી કદી પણ નહિ અનુભવેલી એવી માદક સુગંધ આવતી હતી. ( ગન્ધમાદન એ નામનો અર્થ જ એ છે કે પોતાની ગધથી યાત્રીઓને મત્ત કરનાર પર્વત.')
એ કમળ પૂર્વોત્તર દિશામાંથી આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
દ્રૌપદીએ તે જોયું અને ઉપાડી લીધું. તેને સ્પર્શ પણ અદભુત અસર ઉપજાવનારો હતે. દ્રૌપદીને થયું –આવું સહસ્ત્રદલ કમલ તો મહારાજ યુધિષ્ઠિરને ચરણે જ શોભે !
પણ કમલ લઈને યુધિષ્ઠિર પાસે જતાં તેને વિચાર આવ્યો. આ કમલ જ્યાંથી આવ્યું હશે, ત્યાં આવાં તો અસંખ્ય કમળો હશે. શા માટે એ ત્યાંથી વીણી વીણીને અહીં ન લાવી શકાય? શા માટે આવાં જ કમલો. અમે જે વનમાં રહીએ છીએ ત્યાં પણ ન ઉગાડી શકાય ?
તેણે ભીમ સામે જોયું. ભીમ તેના હૃદયની વાત તરત જ સમજી ગયે. પાંચાલીને હદયની બધી જ ઈચ્છાઓને પૂરી કરનાર અર્જુન હજુ સ્વર્ગમાં જ હતો. એની ગેરહાજરીમાં દ્રૌપદીની આ નિર્દોષ ધૂનને પૂરી કરવાની જવાબદારી પોતાની છે, એમ ભીમને લાગ્યું. અને મોટાભાઈને પ્રમ કરી અને નકુલ-સહદેવને પડાવ પર ચાંપતી નજર રાખવાની ભલામણ કરીને તે પૂર્વોત્તર દિશામાં નીકળી પડયો.
મહાભારતકારે અહીં ભીમની આંખે હિમાલયનો પ્રદેશ કેટલો સુન્દર દેખાયો તેનું વર્ણન કર્યું છે, જેમાં કેટલાક લે કે તે કાવ્યથી ભારોભાર ભરપૂર છે. જેમકે,
પડખાં પર પડેલાં વાદળાને કારણે, તે પાંખાળો હોય અને નાચતે હોય એમ લાગતું હતું. વહેતાં ઝરણાંના ઝીણાં ઝીણાં ખેતીની સેરે જેવા પ્રવાહને કારણે તેણે જાણે મોતીની માળાઓ પહેરી હોય એમ લાગતું હતું અને જાહવીનાં શાન્ત જળ નીચે વહી રહ્યાં છે તેને કારણે એ જાણે ધીરે ધીરે પિતાનું વસ્ત્ર ઊતારી રહ્યો હોય એવો દેખાતા હતા.”
ભીમનું વર્ણન કરતાં વ્યાસજી લખે છેઃ “મેઢામાં ઘાસનો કેળિયા લઈને નજીકમાં જ ઊભેલાં મૃગ તેને ડોકાં ફેરવીને, નિરાંતે, નિર્ભયપણે કુતૂહલથી નીરખી રહ્યાં હતાં.”
રઘુવંશમાં કવિ કાલિદાસે વસિષ્ઠ મુનિના આશ્રમમાં જતા દિલીપનું વર્ણન કરતાં પણ આમ જ કહ્યું છે તે જોતાં કાલિદાસ ઉપર વ્યાસનું ઋણ આપણે ધારીએ છીએ તેથી અનેકગણું વધારે હશે એમ નથી લાગતું ?
પણ ભીમ તે ભીમ છે! એ કાંઈ હિમાલયનું સૌંદર્ય માણવા નીકળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૭
પડેલે કોઈ ફુરસદિય ટુરિસ્ટ નથી. વ્યાસજી કહે છે કે આવી અલૌકિક સૌન્દર્યસૃષ્ટિ વચ્ચે પણ ભીમ સંમવિવિયાનું જ્ઞાન દુર્યોધન9તાન વહુ. “દુર્યોધને સરજેલી વિવિધ આપત્તિઓને યાદ કરી રહ્યો છે.” અને, ચિન્તા કરી રહ્યો છે કે
सोऽचिनीयद् गते स्वर्गेऽर्जुने मधि चागते।
पुष्पहेतोः कथं त्वार्यः करिष्यति युधिष्ठिरः ।। “અર્જુન સ્વર્ગમાં છે, અને હું અહીં આવ્યો, હવે મોટાભાઈ કુલ કેની પાસે મંગાવશે !”
મેટાભાઈની હાજરીમાં તેમની “બ્રાહ્મણિયા નિષ્ક્રિયતા” માટે આકરામાં આકરા મેણું દેનાર ભીમનું હૃદય અંદરખાનેથી મોટાભાઈ પ્રત્યે કેટલું સાદર સુકેમળ છે! પણ હજુ આગળ સાંભળો, વ્યાસજીને ઃ
स्नेहान्नरवरो नूनमविश्वासाद् बलस्य च ।
नकुल सहदेव च न मोक्ष्यति युधिष्ठिरः ॥ સ્નેહને લઈને તેમજ શકિતના અવિશ્વાસને કારણે વડીલ સહદેવનકુલને નહિ જ મોકલે.”
ભીમ, સગો ભાઈ, સગાભાઈને ઓરમાનભાઈ પર અદકે પ્રેમ છે તે જાણે છે, અને તે વાતનું અનુમોદન કરે છે. આ કુતીના પુત્રો અને આ માદ્રીના પુત્રો-એ ભેદ જ સમૂળગો ગળી ગયો, તેની પાછળ કુન્તીની ઉદારતા તે ખરી જ, પણ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનનું નાના બે ભાઈઓ માટેનું વિશુદ્ધ વાત્સલ્ય પણ એટલું જ.
ભીમ, આમ, પૂર્વોત્તર દિશાભણું ચાલ્યા જાય છે. રસ્તે હરિણે તેને નિર્ભયપણે નીરખી રહ્યાં છે એમ વ્યાસજીએ કહ્યું છે એ વાત સાચી પણ ભીમ સાવ નિરુપદ્રવી નથી.”
હરિણીને તે કશી જ ઈજા નથી પહોંચાડતો એ વાત ખરી, પણ સિંહ વાઘ હાથી આદિ મહાકાય અને હિંસક પશુઓને તે તે કાળ જ છે ને પશુઓ એને જોઈને જેમ જેમ થરથરે છે, અને નાસવાની કેશિશ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તેમ તેમ ભીમ વધારે ને વધારે હિંસક બનતો જાય છે. હિંસક્તાને પણ એક જાતને નશે છે ને !
આમ કરતાં કરતાં કેળનું એક વન આવે છે. હિંસકતાની પરાકાષ્ઠાએ પહોંચેલા ભીમને મૃદુતાની પરાકાષ્ઠા જેવું આ કદલીવન, મનઃસૃષ્ટિની કોઈ અગમ્ય લીલા અનુસાર, વધુ ઉશ્કેરે છે...અને ભીમ કેળના વન ઉપર, ગાડે હાથી ભુલકાંઓ ઉપર તૂટી પડે તેમ તુટી પડે છે. કદલી–વનનાં હજારો પક્ષીઓ હદય–દ્રાવક ચિત્કાર સાથે પડતી કેળનો ત્યાગ કરીને આકાશ-માગે કોઈ નવા આશ્રયની શોધમાં જાય છે. ભીમ તેમની પાછળ પડે છે. અને થોડા જ વખતમાં એક સુંદર સરોવરને કિનારે આવી પહોંચે છે. દર્પ મત અને હિંસા-તત ભીમ એ સરેવરના નિર્મળ નીરમાં કૂદીને નિરાંતે સ્નાન કરે છે. હાઈને બહાર આવતાં વેંત ભીમસેન શંખ ફેંકે છે. શંખના એ અવાજથી એ પ્રદેશમાં વસતા તમામ હિંસક પશુઓ ત્રસ્ત થઈને કારમા અવાજો કરતાં કરતાં નાસ.નાસ કરવા માંડે છે, અને ગન્ધમાદન પર્વત એક ભયંકર ચિકારરૂપ બની રહે છે.
ભીમને આ ભયાનક શંખધ્વનિ એ પ્રદેશમાં દેવ-યાન માર્ગના નાકા પર ત્રેતા યુગથી બેઠેલ હનુમાનજીનું ધ્યાન ખેંચે છે. આ શંખધ્વનિ એમણે રામ-રાવણના યુદ્ધ પછી આ પહેલી જ વાર સાંભળ્યો છે. આ શંખધ્વનિ કરનાર બીજે કઈ નહિ, પણ પિતાને ભાઇ પવનકુમાર ભીમ જ હે જોઈએ એવી, તેની ખાતરી છે.
હનુમાને પેલા શંખધ્વનિ ઉપરથી અનુમાન કર્યું કે આ તો મારો ભાઈ ભીમ છે, ત્યારે પહેલું કામ તેણે દેવ-યાનનું નાકું પૂરેપૂરું બંધ કરવાનું કર્યું. તે આખા નાકાને રેકીને બેસી ગયા. અને પછી પિતાનું પૂંછડું ધરતી પર પછાડીને એક એવો અવાજ કર્યો જે ભીમસેને કરેલ પેલા શંખનાદની સ્પર્ધા કરે.
અવાજ સાંભળીને ભીમ દોડો. દેવયાનને રસ્તા આડે એક મહાવાનરને આંખો મીંચીને બેઠેલે તેણે જોયું અને તેણે ત્રાડ પાડી.
આટલો બધે ઘાટ શા માટે કરે છે?” માંડ આંખે ઉઘાડીને બેલતો હોય એવા અવાજે હનુમાને કહ્યું : “મારા જેવા એક વૃદ્ધ અને માંદલા વાનરને આમ હેરાન કરવામાં તને ફાયદો શો મળે છે? દેખાય તે છે તું મનુષ્ય ! છતાં આવો કઠોર કેમ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૯
મનુષ્ય તો બુદ્ધિમાન અને દયાસંપન્ન હોય છે. શું તને ધર્માધર્મને વિવેક નથી? અથવા વડીલે પાસેથી પ્રાપ્ત કરવી જોઈતી સંસ્કૃતિ તે નથી પ્રાપ્ત કરી ? કે પછી કેવળ નાદાનીના તાનમાં તું આ બધે રંજાડ કરી રહ્યો છે? તું છે કે? શા માટે અહીં આવ્યો છે? ક્યાં જવા માગે છે? આ તો દેવલોકને માર્ગ છે. આ માર્ગ સિદ્ધો સિવાય કોઈ જઈ શકતું નથી. આ હું તને કહું છું તે તારા પ્રત્યેના કરણાભાવથી પ્રેરાઈને. આગળ જવામાં મૃત્યુ નિશ્ચિત છે. માટે અહીં, આ મબલખ ફળે છે તે ખાઇ પેલી તળાવડીનું અમૃત પાણી પી, કરવો હોય તેટલો આરામ કરીને તું પાછો વળી જા !”
હનુમાનના આખા ભાષણમાં તેનું વાત્સલ્ય ભારોભાર તરવરે છે. ઠપકે છે, પણ મા પોતાના વહાલા સંતાનને આપે તેવ. કંઈક દર્દ પણ છે. હનુમાનની ઉંમર અને એમને અનુભવ, અને એમની રામભક્તિ જોતાં આ સ્વાભાવિક છે.
હનુમાનનાં આ વચનની ભીમ ઉપર ઠીક ઠીક અસર થાય છે. કંઈક ઠંડે પડીને તે પોતાની ઓળખાણ આપે છે. અને પછી વાનરને રસ્તામાંથી આઘા ખસી જવાનું કહે છે.
એ તો નહિ બને” હનુમાન દઢતાથી જવાબ આપે છે. “આ માગે મોત છે.”
મેત હોય કે જિંદગી; મારે આ જ રસ્તે જવું છે. પોતાની મેળે તું નહિ ઉઠે, તે મારે તને ઉઠાડવો પડશે.”
હવે હનુમાન જરા નાટક કરે છે. એ કહે છે : “મારામાં ઉઠવાની શક્તિ જ નથી તે આ મારા પુછડાને જરા આઘું ખસેડીને તું ચાલ્યો જા.”
ભીમને ચીઢ ચઢે છે. આ દોઢડાહ્યા વાંદરાને પૂછડેથી ઉંચકીને હિમાલયની કન્દરાઓમાં કયાંક ફેંકી દેવાની એને પ્રબળ ઈચ્છા થાય છે.
તેણે ડાબા હાથે પૂછડું પકડયું. આ બુટ્ટા અને માંદલા પ્રાણના પૂછડાને હલાવવામાં જમણા હાથની શી જરૂર !
પણ આ શું? પુછડું ચતું નથી. જાણે વજનું હોય એમ જરા પણ મચક નથી આપતું. ભીમ હવે અકળાય છે! બને હાથે પકડીને પોતાનામાં
છે તેટલું બધું જ જોર લગાવે છે. પણ વ્યર્થ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૦
એકાએક તેના મનમાં કંઈક અજવાળું થાય છે. “આપ છે કેણ, ખરેખર?”
અને પછી હનુમાનની ઓળખ થતાં રાજીરાજી થઈ જાય છે. અને બન્ને ભાઇઓ નિરાંતે બેસીને એકમેક પાસે કાઠા ઠાલવે છે.
એ વખતે ભીમને પણ એ જ શંકા થાય છે, જે આપણને સૌને થાય છે. “ટોતા યુગને વીત્યે આટલો લાંબો સમય થયો, છતાં તમે...........” પિતાના મનની ગડમથલને તે વાચા આપે છે.
મને રામ-કથા અતિ પ્યારી છે” તેના મનની મૂંઝવણ સમજી જઈને હનુમાન તેને જવાબ આપે છે, માટે રામે મને વરદાન આપ્યું છે કે જ્યાં લગી પૃથવીમાં રામકથા ચાલુ રહેશે............ ત્યાં લગી..”
અહીં પણ રામ-કથા થાય છે ત્યારે ?” ભીમે પૂછવું.
“રેજ! ગંધર્વો, કિન્નર, અપ્સરાઓ બધાં સાથે મળીને જ સંધ્યાટાણે મને રામકથા સંભળાવે છે.”
પછી હનુમાન ભીમને એને આ તરફ આવવાનું કારણ પૂછે છે અને દ્રૌપદીએ જોયેલ કમળ નજીકમાં જ આવેલ કુબેરની તળાવડીમાંથી જ આવ્યું હેવું જોઈએ એવું અનુમાન કરી, ત્યાં જવાનો માર્ગ વિગતવાર સમજાવી તેને વિદાય કરે છે.
૬૩. ખબરદાર !
હનુમાને બતાવેલ રસ્તે ભીમ આગળ ચાલ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ વાતાવરણમાં તેને સુગંધ વરતાવા લાગી. થોડા વખત પછી તેણે એક સુંદર પુષ્કરિણી (તળાવડી) જોઈ. એ તળાવડીમાં સેંકડો સહસ્ત્રદલ કમળા તેણે જોયાં. આખરે મારી મહેનત ફળી ખરી, તેને થયું. દ્રૌપદીએ મંગાવેલ પુછે હાથ લાગ્યાં ખરાં !
પણ જે તે લેવા જાય છે, તેવો જ એક ભયંકર અવાજ તેને કાને પડેઃ “ખબરદાર ! સાવધાન ! આઘા રહેજે !”
પણ ભીમસેન ભયંકર અવાજોથી ડરતાં શીખ્યો નહોતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૧૧ જાણે કશું જ ન બન્યું હોય એવી રીતે એણે સહસ્ત્રદલ કમલના એક ઝૂમખા પર હાથ નાખ્યો.
પણ એ ફુલે હજુ તે પોતપોતાની ડાંખળીઓ ઉપર જ છે ત્યાં તો કુંડીબંધ માણસો ચારે બાજુએથી હાટા-પડકારા કરતા તેને ઘેરી વળ્યા.
સૌ હથિયારબંધ હતા, કેઇના હાથમાં ધનુષ્યબાણ, કેઈના હાથમાં તલવાર અને કેઈના હાથમાં ત્રિશલે !
“ખબરદાર,” તેમના આગેવાન જેવા દેખાતા એક જણે કહ્યું : “આ પુષ્કરિણી અને એની આસપાસને બધો પ્રદેશ કુબેરના કબજામાં છે. કુબેરની રજા સિવાય કે અહીં પગ ન મૂકી શકે. કુલ તેડવાની તો વાત જ ક્યાં રહી !”
પણ ભીમસેન જેનું નામ ! એ એવી ધાકધમકીઓની પરવા જ શેની કરે ! નિરાંતે એણે તો કુલ વયે રાખ્યાં.
“સમજ નથી? કે પછી સાંભળતો નથી ? કે પછી હાથે કરીને મેતના ડાચામાં પડવા માગે છે ?”
મોતના ડાયામાં તો તમે પડવા માગતા લાગો છો !” સહસ્ત્રદલ કમલો ભેળાં કરતાં ભીમસેને તદ્દન શાંતિથી જવાબ દીધો.
એટલે ?” ભીમસેને ગદા એક ખભા પરથી બીજા ખભા પર મૂકી. કુલ વણવામાં રોકાલે બીજો હાથ તે પિતાની પ્રવૃત્તિ કર્યો જતો હતો.
“કઈ મૂરખ લાગે છે,” આગેવાને ગર્જના કરી “પકડી લે એને!” વિસેક જેટલા ચેકીદારો ભીમસેનની તરફ ચારે બાજુથી ધસ્યા. કુલ તેડનાર તરફથી સામને થશે એવી કદાચ એમને અપેક્ષા પણ નહિ હોય.
પણ ભીમે એકાએક એક છલંગ મારીને ગદા વડે હવામાં એક વર્તુલ દેવું અને વીવીશ જણ દરેકને પાછળથી કેઇએ ભયંકર લાત મારી હોય એવી રીતે ફસડાઈ પડયા.
અને વીશ જણની આ દશા જોઈને બાકીના બધા નાસી ગયા; અને તમા મારીને મોટું લાલ રાખવાને પ્રયત્ન કરતો રક્ષકોને આગેવાનો પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
“ઠીક ત્યારે, હું કુબેરને જઈને ખબર આપું છું.” એવું મોળું આખરીનામું આપીને અદશ્ય થઈ ગયે.
અને ભીમ, ઘણા વખત પહેલાનો એક પ્રસંગ સંભારીને ખડખડાટ હસી રહ્યો.
તે વખતે પડિ લાક્ષાગૃહમાંથી વિદુરની સલાહ પ્રમાણે દાયેલી સુરંગ વાટે બહાર નીકળ્યા હતા.
ભીમ હિડિમ્બાસુરને મારીને તેની બહેન હિડિમ્બાને પરણ્યો હતો. ઘટોત્કચ નામનો એક પુત્ર પણ તેને આ અરસામાં હિડિમ્બા દ્વારા થયો
હતો.
આ પછી પાંડવો એકચકામાં એક બ્રાહ્મણને ત્યાં ગુપ્ત વેશે મહેમાન તરીકે રહ્યા હતા; અને છેવટે, બ્રાહ્મણપુત્રને બચાવવા અર્થે ભીમે બકાસુરને નાશ કરીને સમગ્ર એકચકાને ભયમુકત કરી હતી.
આ ઘટના પછી પાંચેય પાંડ માતા કુંતી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન એક રાતે તેમણે દૂર વહેતી ગંગાને કલકલ નિનાદ સાંભળે. ગંગાસ્નાનની માતા કુન્તીને ઈચ્છા થઈ આવી, અને બધાય નદી તરફ વળ્યા.
અને ચિત્રરથ નામના ગંધર્વે તેમને પડકાર્યા.
ગંગાને આ પ્રદેશ” તેણે કહેલું, “કુબેર તરફથી મને જાગીર રૂપે મળેલ છે. અહીં હું મારી સ્ત્રીઓ સાથે નિરંતર આનંદેત્સવમાં રમમાણ રહું છું. અહીં આવવાને કાઈને અધિકાર નથી.”
અને અને તેને પાંસરો કર્યો હતો. ચિત્રરથને તેણે દગ્ધરથ કરી નાખ્યો હતો.
માણસે યે છે ને કે!” ભીમ મનમાંને મનમાં કાંઈ ફિલસૂફની અદાથી વિચાર વાગોળવા માંડ્યો. “આ ધરતી મારી છે; અહીં આવવાને કેઇને અધિકાર નથી !”..... અને મોટાભાઈ ધર્મની અને સત્યની વાતો કરતાં ધરાતા જ નથી !
પણ એટલામાં તે તેણે અનેક માણસો પુષ્કરિણી તરફ આવતા હોય તેવો અવાજ સાંભળ્યો. તેણે ફરી ગદા સંભાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પણ એ અવાજમાં ઉશ્કેરાટ કે આવેશ કે ધાકધમકી ન હતાં. શિસ્તબદ્ધ રીતે ચાલતા શાંત માણસને તે અવાજ હતો.
સૌની આગળ પેલે આગેવાન ચાલતો હતો. નજીક આવીને તેણે ભીમસેનને પ્રણામ કર્યા.
ભીમસેનને તે આશ્ચર્ય જ થયું. ઘડી પહેલાંને મગરૂર માનવી જ્યાં, અને અત્યારની આ નમ્રતાની મૂર્તિ કયાં?
આપ ધર્મરાજ યુધિષ્ઠિરના નાનાભાઈ ભીમસેન છે એમ જે આપે મને પહેલેથી જ કહ્યું હોત, તો કેટલું સારું થાત,” ભીમસેનનું કુતુહલ શમાવવા નાયકે શરૂઆત કરી. “મહારાજ કુબેર આપને વધાઈ આપે છે. આપ ચાહે તેટલાં કુલ લઈ જઈ શકે છે.”
૬૪. તેફાન અને શાન્તિ
હવે ભીમસેનના માર્ગમાં એક અંતરાય ઊભો થયો.
જે વાયુને એ પુત્ર મનાતે, હનુમાનની સાથે, તે વાયુ જ હવે એકએક વિફર્યો. એ એટલા બધા વેગથી વિંઝાવા લાગ્યો કે માટી મેટી શિલાઓ પણ પર્વતના અંગમાંથી ઉખડી પડે. મેઘના પ્રચંડ ગડગડાટ સાથે વીજળી શિખરો પર અફળાવા લાગી. ધરતીકંપ થતો હોય એમ પૃવી જાણે એના મૂળમાંથી હલી ઊઠી. રેતીનો વરસાદ વરસ શરૂ થયો. દિશાઓ લાલઘુમ થઈ ગઈ. પશુપંખીઓએ ભયભીત થઈને ચીસાચીસ કરી મૂકી અને અંધકાર સર્વત્ર છવાઈ ગયો.
ગંધમાદન પર ભીમની વાટ જોઇ રહેલ ત્રણેય પાંડવો અને દ્રૌપદી પ્રકૃતિનું આ તાંડવ જોઈને ભીમને માટે ચિંતાતુર બન્યાં.
અને ભીમની તપાસ કરવા માટે ઉત્તર દિશા તરફ ઉપડયાં. દ્રૌપદી, અલબત્ત, ઘટોત્કચ અને તેના રાક્ષસોની પીઠ પર મુસાફરી કરતી હતી.
અને લોમશ આદિ મુનિઓ પણ તેમની સાથે હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
થેાડીક જ વારમાં તે પેલી પુષ્કરિણી પાસે આવી પહેાંચ્યાં.
ભીમ હજુ ત્યાં જ હતા.
અને ભીમને હાથે જખ્મી થયેલા એરના ક્ષે। પણ હજુ ત્યાં જ
પડયા હતા.
પરિસ્થિતિના તાગ યુધિષ્ઠિર તરત જ પામી ગયા.
“ થયું તે થયું. ભીમ, ’ ભીમને બાથમાં લઈને વાત્સલ્યથી રૂંધાતા અવાજે એ મેલ્યા : પણ હવે મને વચન આપ કે આવું દુઃસાહસ તું ફરી કદી નહિ કરે.”
..
પછી સહસ્રદલ કમલેાની સુવાસ માણતાં માણતાં સૌએ પેલી પુછ્યુંરિણી ’’ માં સ્નાન કરીને થાક ઊતાર્યા : તેાફાન તા યારનું યે શમી ગયુ હતું. ભાઇએ અને દ્રૌપદીનેા ભીમ સાથે મેળાપ કરાવવા માટે જ જાણે એ ઊતર્યું હતું.
અહી એમને સૌને થેાડીક વારને માટે એમ પણ થયું કે ચાલે, કુબેરના આશ્રમ નજીકમાં જ છે, તેા ત્યાં જઇએ ! પણ ત્યાં તે, વ્યાસજી લખે છે કે, એક “ અ-શરીરિણી વાક્’( અંતરનેા અવાજ ! ) તેમણે સાંભળી : મેરતે આશ્રમે જવું સલામત નથી ! '' જે રસ્તે આવ્યા છીએ, તેજ રસ્તે નર-નારાયણ આશ્રમમાં પાછા ફરીને ત્યાંથી વૃષપર્વાના આશ્રમે અને ત્યાંથી આર્થિષેણું નામના એક મુનિને આશ્રમે જવાને તેમને જાણે આદેશ મળ્યા. સાથે સાથે તેમના હૃદયમાંથી એક એવી પણ આગાહી જાણે ઊઠીક ઇન્દ્ર પાસે ગયેલ અર્જુન પણ એ જ રસ્તે તેમને સામા મળશે અને કુમેરના દન પણ એમને એ જ રસ્તે થશે.
અને તેએ પાછાં ફર્યા.
tr
૬૫. આનુ નામ સ્વસ્થતા !
હવે વ્યાસના મુખમાંથી એક આશ્ચર્યકારક વાત આવે છે. એ કહે છે ધર્મચ રાક્ષસા મૂકૢ એટલે કે રાક્ષસેા ધર્મનું મૂળ છે.
..
29
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પ્રસંગ આ પ્રમાણે છે. જટાસુર નામે એક રાક્ષસ હિમાલયના પ્રદેશમાં વસે છે. તેણે જ્યારે સાંભળ્યું કે પાંડ અને દ્રૌપદી ગંધમાદન પર્વત પર નરનારાયણના આશ્રમમાં આવીને વસ્યા છે, અને અર્જુન તેમની સાથે નથી, ત્યારે તેની બુદ્ધિ બગડી. ઘણા વખતથી તેને દ્રૌપદી પ્રત્યે કામવાસના જાગી હતી. વળી પાંડ પાસે અનેક દિવ્ય શસ્ત્રા છે, એમ પણ તેણે સાંભળ્યું હતું. એટલે બ્રાહ્મણને વેશ ધારણ કરીને એ નરનારાયણના આશ્રમમાં આવ્યો. રાક્ષસ “મંત્રકુશલ” અને “સર્વ શાસ્ત્રવિદ” હતો, એટલે વિદ્વાન બ્રાહ્મણને સ્વાંગ સજતાં તેણે કશી પણ મુશ્કેલી ન અનુભવી.
યુધિષ્ઠિર, ભોળા યુધિષ્ઠિર તે તેને જોઇને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને થોડા જ વખતમાં આ જટાસુર યુધિષ્ઠિરના અનુગામી બ્રાહ્મણવર્ગના એક સ્વાભાવિક અંગ જે બની ગયો. લોમશ મુનિ સુદ્ધાં તેના પર વિશ્વાસ રાખતા થઈ ગયા.
પણ જટાસુર તે પિતાની અધમ મુરાદને બર લાવવાને લાગ કયારે મળે તેની વાટ જ સર્વદા જોતો હતો.
એકવાર ભીમસેન મૃગયા માટે ગયેલ અને બીજા બધા આડાઅવળા હતા, એ તક સાધીને તેણે દ્રૌપદીનું હરણ કર્યું. મહાભારત કહે છે કે ફક્ત દ્રૌપદીનું જ નહિ, પણ સાથે સાથે યુધિષ્ઠિર, નકુલ અને સહદેવનું પણ તેણે હરણ કર્યું હતું. સંભવ છે કે જટાસુર એકલો નહિ હોય; તેની સાથે તેના મળતિયાઓ બીજા પણ હશે.
પણ રસ્તે જતાં સહદેવ જટાસુરના બંધનમાંથી જેમતેમ કરીને છૂટ અને તેણે ભીમસેનને બોલાવવા માટે હાકટા કરવા માંડ્યા.
પણ યુધિષ્ઠિર તે આ દશામાં પણ સંપૂર્ણ સ્વસ્થ હતા. સંભવ છે કે મોડે વહેલે ભીમસેન આવી પુગવાને છે એવી ખાતરીએ પણ એમની સ્વસ્થતાને ટકાવી રાખવામાં ફાળો આપ્યો હેય.
યુધિષ્ઠિરે રાક્ષસને સમજાવવા માંડે. સંકટમાં જાણે પતે ન હોય, પણ રાક્ષસ હોય એવી રીતે તેમણે તેને શિખામણ આપવા માંડી.
“તું માને છે, મૂઢ, કે તું અમારું હરણ કરી રહ્યો છે, પણ હકીકત એ છે કે તારા ધર્મનું હરણ થઈ રહ્યું છે અને તેનું તને ભાન નથી (ધમત્તે હીંન્ને મૂઢ).”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૬
કેટલી મર્માળી વાત કરી છે, યુધિષ્ઠિરે! જગતમાં જટાસુરની ખોટ નથી. પરાઈ સંપત્તિને હરવા માટે તેઓ અનેક જાતના ફરેબ રચે છે. તેમને સૌને અહીં ચેતવવામાં આવ્યા છે જાણે, કે મૂરખાઓ, તમે એમ માને છે કે તમે મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરીને શ્રીમંત થઈ રહ્યા છો, પણ હકીકત એ છે કે સૌથી વધુ મૂલ્યવાન એવો જે “ધર્મ' તેનું તમારા જીવનમાંથી હરણ થઈ રહ્યું છે ! ક્ષણિક વસ્તુઓને મેળવવાની તમારી ધૂનમાં તમને યાદ નથી રહેતું કે એક સનાતન વસ્તુ તમને હાથતાળી દઈને ચાલી જાય છે.
ધર્મેચ રાક્ષસા મૂમ્ એ શબ્દો યુધિષ્ઠિરે અહીં જટાસુરને કહ્યા છે. પૃથ્વી પર તારા જેવા રાક્ષસે છે, માટે જ ધર્મની જરૂર છે, એમ એ કહેવા માગે છે? કે પછી “ધર્મની રક્ષા કરે એ જ ખરે રાક્ષસ” એવી રાક્ષસ શબ્દની કઈ પ્રાચીન વ્યાખ્યા હશે, જેનું આમાં સૂચન છે?
જે હે તે; પણ યુધિષ્ઠિરે અહીં મનુષ્યની જે પ્રશસ્તિ ગાઈ છે તે નંધપાત્ર છે. એ કહે છે;
“દેવ, ઋષિઓ, સિદ્ધો, પિતૃઓ, યક્ષ, ગંધર્વો, રાક્ષસ, પક્ષીઓ, પશુઓ, સૌ મનુષ્યને આશરે છે.... મનુષ્ય સૃષ્ટિનું કેન્દ્ર છે. પણ તેમાંય વળી અમે તે..
અમે રાતણા ગોપ્તા રક્ષનારાં જતાં, જડ
ર૮ રાષ્ટ્ર પડે, તેને સંપત્તિ ક્યાંથી, કયાં સુખ?” માથે આવું ઘર સંકટ હોવા છતાં ખુદ એ સંકટ ઊભું કરનારને શાંતિથી બોધ આપવા જેટલી સ્વસ્થતાની પાછળ યુધિષ્ઠિરની જે નૈતિક તાકાત છે તે ખરેખર અદ્ભુત છે. આ નૈતિક તાકાતથી અને હવે તેના પાશમાંથી મુક્ત થયેલ સહદેવના આક્રમણથી જટાસુર દિક્યૂઢ જેવો બની ગયો છે ત્યાં તે ભીમસેન આવી પહોંચે છે અને એને હાથે હણાયેલા બકાસુર જેવા અસુરોની નામાવલિમાં એકને ઉમેરે થાય છે.
૬૬. સીમા ઓળંગી અર્જુનને મળવાની તાલાવેલી પાંડવોને હિમાલય ઉપર ખેંચી લાવી છે. દિવ્યાત્રાની સાધના અર્થે સ્વર્ગમાં સિધાવતી વખતે એણે કહ્યું હતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૭
આજથી પાંચમા વર્ષની પૂર્ણાહુતિ વખતે હું તમને કૈલાસ પર્વત પર મળીશ.” યુધિષ્ઠિર તેમજ અન્ય સૌ ભાઈઓને અર્જુન ઉપર એટલી બધી પ્રીતિ હતી કે પાંચમા વર્ષની પુર્ણાહુતિ થાય ત્યાં લગી વાટ જોવાની તેમની ધીરજ ન રહી. હકીકતમાં તે પહેલાં ચાર વર્ષે પણ તેમણે માંડમાંડ કાઢેલાં -ભારત ભરમાં ભમી ભમીને ચોથું વર્ષ પૂરું થતાંની સાથે તેમણે હિમાલયઆરોહણ આદર્યું. અર્જુન-વિરહનું છેલ્લું આખું વરસ તેમણે–અને દ્રૌપદીએ હિમાલયના પથ્થરે ગણવામાં જ જાણે વ્યતીત કર્યું પવિત્ર તીર્થો અને સુંદર સ્થાને તેઓ ખૂબ ગંભીરતાપૂર્વક જતા હતા, પણ તેમનું અંતર સમજતું હતું કે આ બધાં તો બહાનાં છે, કેવળ કાલક્ષેપ કરવાનાં !
હવે અર્જુનના વિરહને કારણે બેચેન તે સૌ હતાં, પણ સૌથી વધુ બેચેની ભીમસેન અને દ્રૌપદી અનુભવતાં હતાં. ધર્મની દૃષ્ટિએ દ્રૌપદીને પાંચે ય પતિઓ એક સરખા સન્માનનીય હતા, છતાં હકીકત એ છે કે ધનંજય તેને પ્રિયતમ પતિ હતો. છેલ્લે છેલ્લે પાંચે ય પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી “હિમાળા ગળવા” આવે છે, અને સૌથી પહેલી પદી પડે છે, ત્યારે તેના કારણરૂપે યુધિષ્ઠિર સૌને આ જ વાત કરે છે.
ભીમનું પણ એવું જ છે. આમ તો ચારે જ ભાઈઓ એકસરખા; પણ અર્જુન તે અર્જુન. તેને સખા, મિત્ર, સાથી-જે કહે તે એક અજુન જ; અર્જુન સિવાય બીજો કઈ નહિ. યુધિષ્ઠિર પિતાસ્થાને છે; અને નકુલ તથા સહદેવ પુત્રસ્થાને છે; અને સ્વભાવે પણ એ ત્રણમાંથી એકેય પવનકુમારની પડખે ઉભા રહે એવા નહિ જ.
એટલે હિમાલય પર આવ્યા પછીના વરસમાં જે કે અગત્યના બનાવો બન્યા છે તેના મૂળમાં, મોટે ભાગે, આ ભીમ અથવા દ્રોપદીની બેચેની જ છે.
જટાસુરના વધ બાદ પાંડવ વૃષપર્વા નામના એક રાજર્ષિને આશ્ચમે આવ્યા છે. ત્યાંથી તેઓ આર્દિષેણ નામના એક બીજા રાજર્ષિને આશ્રમે આવે છે. બસ, અહીંથી આગળ જવાને હવે રસ્તા જ નથી. મનુષ્યોને માટે આ જ અવધિ છે. ગંધમાદન પર્વતનું આ ઊંચામાં ઊચું શિખર છે. આ જ કૈલાસ છે, અને અહીંથી આગળ તે હવે દેવોને નિવાસ છે.
અહીંથી આગળ જવાની કોશિશ કરવી એ જિંદગીને નકામી જોખમમાં મૂકવા જેવું છે. અર્જુન તમને અહીં જ આવીને મળશે.” રાજર્ષિ આખ્રિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તેમને આસપાસના ગિરિપ્રદેશ અને તેમાં વસતી પ્રજાઓનું અહોભાવયુક્ત વર્ણન કરતાં સાવધાન કરે છે.
પણ ભીમ અને દ્રૌપદી સખણ રહે ખરાં? ઋષિવર્યની ચેતવણીમાં જ તેમના જેવી પ્રકૃતિને પડકાર જેવું ન લાગે ?
એક વખતની વાત છે. નજીકમાં જ આવેલી પેલી અંતિમ સીમારેખાની પેલી પાર આવેલી કુબેરની અલકાપુરીની દિશામાંથી માદક સુગંધ ભર્યો પવન આવી રહ્યો હતો. એ પવનમાં કિન્નરે, ગંધર્વો, અપ્સરાઓનાં ગીતનૃત્યાદિને રૂમઝૂમાટ પણ જાણે વરતાઈ રહ્યો હતો.
જ આ લેકે આખો વખત આમ ઉત્સવમાં જ ગાળતાં હશે !” દ્રૌપદીએ ભીમને સંબોધીને પૂછયું.
કયા લકે ?” અજાણ્યા થઈને ભીમે સામો પ્રશ્ન પૂછો, “કેમ કયા લેકે? આ યક્ષો ને ગંધ ને દે ને એવા એવા! જેમની ભાટાઈભરી વાતો કરતાં આ આષ્ટિષણ જેવા ઋષિઓ થાકતા જ નથી!”
“વનમાં રહેવું ને વાઘ હારે વેર બાંધવું એ બીચારા ઋષિને ન પોષાય, પાંચાલી !” ભીમે હસતાં હસતાં ખુલાસો કર્યો; “એટલે કર્યા કરે ભાટાઈ !”
હા, પણ તમારું શું ?” ભીમના જવાબથી ઉલટાની વધુ ઈ છેડાઈ હાય એમ કાપદીએ તરાપ મારી. “તમે કહેવા શું માગો છો, પાંચાલી ?"
આ જ દેવાના પતિને, ઈન્દ્રને, તેના આખા યે અનુયાયી દળની સાથે આપણું ધનંજયે પેલા ખાંડવ વનમાં નહોતો હંફાવ્યો ?”
મોટાભાઈની રોકટોક ન હોય ને, પાંચાલી, તે હું પણ એ દેવો અને દાનવો અને યક્ષો અને રાક્ષસોને, એકલે હાથે પૂરો પડું એમ છું.” ભીમસેને છાતી ઠેકીને પાસે પડેલી ગદા સામે વ્યાકુળ આંખેાએ જોયું. “કુબેરની તળાવડીમાંથી પેલાં કમળો હું જ લાવેલ કે કઈ બીજે ?”
“એ કુબેરની નગરીને જોવાની મને હોંશ છે, કેદાર!”
“એ હોંશ પણ પૂરી થશે, દેવી, આજે જ હું એ તરફને રસ્તો જરા જોઇ આવું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૯
અને ભીમ ચાલ્યો. પેલા આર્ણિણ મુનિએ જે રસ્તા પર પગ મૂકવાની * પ્રાણને જોખમે’ ના પાડી હતી તે રસ્તે. હવે મહાભારતના જ શબ્દોમાં કથાને આગળ વધારીએ
તે મહાબલી નિર્ભયતાપૂર્વક અને નિઃશંકપણે ગિરિરાજ તરફ ચાલવા લાગ્યા; જાણે કેાઈ મત્ત કેસરી કે મદગળ માતંગ ન ચાલતો હોય ! નહોતી લાનિ, નહોતું બીકણપણું, નહાતી વ્યગ્રતા. થોડી વારમાં તે એક મહાભયંકર, એક કેડીવાળા અને અનેક તાડ જેવા ઊંચા શિખર પાસે આવ્યો. અને તેના પર ચઢવા લાગ્યું. કિન્નરો, મહાના, મુનિઓ, ગંધ અને રાક્ષસે સૌ જતા રહ્યા અને જોતજોતામાં તે શિખરની ટોચે પહેચી ગયો. ત્યાં તે ભરત શ્રેષ્ઠ કુબેરને મહેલ જોયો. સોનાનાં ને આરસનાં મંદિર. સુવર્ણને કેટ.... રો વડે ઝગમગ ઝગમગ... ફરતા બગીચા..
ચારે બાજુઓએ વિલાસિનીઓ નૃત્ય કરતી હતી...
હાથને થોડે વાંકે વાળી ધનુષ્યની અણુએ ટેકવીને ભમ ખેદપૂર્વક ધનપતિ કુબેરની તે નગરી જેવા લાગ્યો.”
“ખેદપૂર્વક” શબ્દ વ્યાસજીએ સહેતુક જ વાપર્યા છે અહીં ! ભીમ કંઇ પ્રકૃતિ–સૌન્દર્ય જોવા માટે નહોતો આવ્યો. અને તે પોતાનું અડગ, અજોડ, સાહસ–શૌર્ય દાખવવું હતું. “અશક્ય ” ના પડકારને ઝીલ હતા. | કુબેરના મહેલની બરાબર સામે ઉભા રહીને તેણે શંખ કુંક. શંખનાદ સાંભળીને સેંકડા રક્ષકે તેની સામે ધસી આવ્યા, અને આવ્યા તેની સાથે જ ગદાનો માર ખાઈ ખાઈને નાઠા અને થોડાક વખતમાં તો અલકાપુરીના હદય સમા એ વિસ્તારમાં રીડિયા–રમણ મચી ગયું. એક અજાણવા માણસથી ડરીને સેંકડો યક્ષ-રાક્ષસો નાસી રહ્યા છે એ જોઇને કુબેરને ખાસ મિત્ર અને આ બધા ચેકીદારોના ઉપરી મણિમાન્ નામે રાક્ષસ દોડી આવ્યા.
નાસી રહેલ રક્ષકદળને થંભાવીને સંગઠિત કરવાના તેણે પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આખરે તે એક જ ભીમની સામે થશે.
અને થોડા જ વખતમાં કુબેરને એ પરમ વફાદાર સેવક, કુબેરના જ આંગણામાં, કુબેરના સેંકડો સૈનિકોની આંખો સામે ભીમને હાથે મૃત્યુ પામ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨ ૦
૬૭. કોણ હશે આ કુબેર ?
પુરાણરસિયું લોકહદય તે કુબેરને “કુબેર ભંડારી” તરીકે ઓળખે છે. દેવતાઓને એ કેશાધ્યક્ષ છે. એને ભંડાર અભરે ભર્યો છે. કાલિદાસે એને “ધન–પતિ” કહ્યો છે અને એની નગરી “ અલકા ”ને મેઘદૂતમાં અમર કરી છે.
પણ પરાણેની વર્ણવ્યવસ્થા પ્રમાણે જોઈએ તો એ “દેવ” નથી. યક્ષો જ ફકત નહિ, યક્ષો ઉપરાંત ગંધર્વો, કિન્નરો, જિંપુરૂષો, અપ્સરાઓ, બધાય એની સેવા કરે છે. (આજના “કુબેરોને પણ કયાં કમીના હોય છે, જુદી જુદી જાતિના સેવકની )
વળી આ કુબેર રાવણને ભાઈ છે, છતાં રાક્ષસો માં એની ગણતરી નથી. ભીમે જેને માર્યો, એ મણિમાન નામને રાક્ષસ એનો મિત્ર છે એ ખરું, પણ એ પતે રાક્ષસ નથી. એ હિમાલય ઉપર રહે છે. ગંધમાદન પર્વત અને મેરુ પર્વત વચ્ચે કયાંક એનું રહેઠાણ છે. કૈલાસથી એ ઝાઝું દૂર નથી.
પુષ્પક વિમાનને એ મૂળ માલિક છે. એની પાસે એ વિમાન કયાંથી આવ્યું, કોણ જાણે ! રાવણે એને હરાવીને એ વિમાનને એની પાસેથી પડાવી લીધું હતું. એ વિમાનમાં રામચંદ્રજી, સીતાજી, વિભીષણ, હનુમાન, સુગ્રીવ આદિ સાથે અયોધ્યા આવ્યા હતા. રામચંદ્રજીએ કાર્ય પૂરું થતાં એને કુબેર પાસે મોકલી આપ્યું હતું એ પણ ઉલ્લેખ છે.
કુબેર, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ચારેય ભાઈઓ છે. ચારેય પુલત્ય ઋષિના પુત્ર છે, જે ઋષિની ગણના સપ્તર્ષિઓમાં થાય છે. ટુંકામાં આર્ય ક૯૫નાએ ઊંચામાં ઊંચા માનેલ ખાનદાનમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા આ ચારેય ભાઈઓને જન્મ થયેલ છે. કુબેર વૈભવપ્રિય છે. રાવણ સત્તા-શેખી અને હું-પદ-પ્રિય છે; કુંભકર્ણને આ જગતમાં જેના ખાતર જાગવાનું મન થાય એવું કશું જ દેખાતું નથી; અને વિભીષણ એ ત્રણેયથી તદ્દન ઉલટી પ્રકૃતિને-વિશુદ્ધ હૃદયને વણવ છે.
પુલસ્યના આ ચાર પુત્રોને મહાભારતના આદિપુરૂષ વ્યાસના ચાર પુત્રો સાથે-શુકદેવ, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર સાથે સરખાવવા જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૧
".
મહાભારતમાં જ ગીતા છે અને ગીતામાં ચારેય વર્ણાને મેં ગુણાને અને કર્માને નજર સામે રાખીને સર્જ્ય છે” એવા શબ્દો વ્યાસજીએ શ્રીકૃષ્ણના મેામાં મૂકયા છે. વર્ણવ્યવસ્થાના આધાર જન્મ નથી, પણ પ્રકૃતિ અને ગુણુ-ક છે એમ વ્યાસજી કહેવા માગે છે એના જેવું જ આ રાક્ષસે, યક્ષો, કિન્નરા, ગુર્વા, આધ્યુિં, અમુક અંશે, અહીં લાગે છે.
પાંડવા નરનારાયણુના આશ્રમમાં ( બદરીકાશ્રમમાં) હતા ત્યાં કુબેરની તલાવડીમાંથી ઉડતું ઉડતું કાઇ કમળનું ફુલ આવ્યું અને એ નિમિત્તે પાંડવા અને કુખેરને પ્રત્યક્ષ નહિ તેા પરાક્ષ સંબંધ બંધાયા.
નરનારાયણના આશ્રમમાંથી પાંડવે વૃષપર્વાના આશ્રમે આવ્યા, અને ત્યાંથી તેઓ આ‰િષણ નામના ઋષિને આશ્રમે આવ્યા, જે, એ મુનિએ જાતે જ પાંડવાને કહ્યું હતુ. તે પ્રમાણે, મનુષ્ચા ( એટલે ભારતીયેા ? ) જઇ શકે તેની છેલ્લી સીમા-રેખા હતી. ત્યાંથી આગળ કાઈ મનુષ્ય ન જઇ શકે, જવાની કેાશિશ કરે તેા તેને યક્ષ, રાક્ષસ આદિથી, તેમજ અન્ય રીતે, જિંદગીનું જોખમ !
ભીમસેન દ્રૌપદીને ઉજ્જૈર્યો આ નિષિદ્ધ પ્રદેશમાં ગયા અને ત્યાં આગળ તેને ધાર્યા કરતાં વધારે રોકાણ થયુ' એટલે પાંડવા-બાકીના ત્રણ પાંડવા કંઈક અસ્વસ્થ થયા, અકળાયા અને દ્રૌપદીને આર્દિષેણુ ઋષિને ભળાવી તેઓ ભીમની તલાશમાં નીકળ્યા.
ભીમને તેમણે ધવાયેલા અને મૃત્યુ પામેલા અનેક યક્ષો અને રાક્ષસે ની વચ્ચે ઘવાયેલી અને લેાહી-લુહાણ હાલતમાં, છતાં અણુદીઠા એ યક્ષપ્રદેશ સામે એક મૂગા પડકારપૂર્વક ઉભેલા દીઠા. મહાભારત કહે છે કે પેાતાના ભાષને જોઇને તે મહારથીએ એને ભેટયા અને ગિરિશૃંગ, ચાર લેાકપાલાથી જેમ સ્વશાલે તેમ, એ ચાર મહાધનુર્ધારીએથી શે।ભી રહ્યું
..
પછી યુધિષ્ઠિરે નાનાભાઇને મેાટા ભાઈએ જેવી સુક્રિયાણી સલાહ હંમેશાં આપતા હેાય છે એવી થાડીક સલાહ આપી, પણ એટલામાં તે પેાતાના મિત્ર મણિમાનના મૃત્યુના સમાચારથી ક્રોધે ભરાયેલ યક્ષરાજ કુમ્બેર પુષ્પક નામના પેાતાના રથમાં મેસીને અનેક સશસ્ર યક્ષરાક્ષસ યાહાએની સાથે સ્વયં તેમની સામે ઉપસ્થિત થયા. યાદ રહે, કે ભીમને આ બીજી વારના અપરાધ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પણ પરિણામ, આપણામાંથી કાષ્ટ ધારે એવું નથી આવતું. ભીમને લાહીલુહાણ હાલતમાં છતાં સમત્વયુકત કા યાગીની પેઠે સ્વસ્થ ઉભેલા જોને કુમ્બેરને ક્રોધ શાંત થ જાય છે. વીરપુરૂષો જ વીરપુરૂષાની વીરતાની ખરી કદર કરી શકે છે, એના જેવુ કઇંક હશે આ ? કે પછી, એ ઉપરાંત, યુધિષ્ઠિરને જોતાંવેંત તેની સત્યપ્રિયતા કુશ્નેરને સાંભરી આવી હશે ? અને કેવળ સત્યને ખાતર વર્ષોથી સ`કટ સહી રહેલ આ ધર્મરાજ અને તેના ભાઇઓ માટે તેનામાં એકાએક અનુકપા પ્રગટી હશે ? અથવા એમ પણ કેમ ન હેાય કે ધર્મરાજ વગેરેને જોઈને સ્વર્ગમાં વસતા અર્જુન તેમને યાદ આવ્યેા હોય, અને અર્જુનની સાથેાસાથ શ્રીકૃષ્ણનું પણ તેમને સ્મરણ થયું હાય, અને વર્ષો પહેલાં ખાંડવદાહ પ્રસંગે સાળાબનેવીની એ જુગલજોડીએ ઇન્દ્રસુદ્ધાં તમામ દેવાતે હુંફાવ્યા હતા એ તેને સાંભરી આવ્યુ` હાય !
ટૂંકમાં બધીયે જાતની ગણતરીએ કર્યા પછી કુબેરને એમ જ થયું હશે કે આ લેાકાની સાથે શત્રુતા વધારવા કરતાં મિત્રતા બાંધવામાં વધારે માલ છે; અને ભીમસેનને ઠપકા આપવા માટે તૈયાર થતા દેખાતા યુધિષ્ઠરને વારીને, પેાતાના સશસ્ત્ર યક્ષ–રાક્ષસ યાદ્દાના દેખતાં, ભીમને તે અભિનંદન આપે છે. યક્ષો અને રાક્ષસાને આ દૃશ્ય જોઇને શું થયું હશે? અંગ્રેજીમાં પેલી કહેવત છે Nothing succeeds like success તેના જેવું એમને કંઈક નહિ થયુ... હાય !
પ્રસંગની પૂર્ણાહુતિ વ્યાસજીએ અસલ પૌરાણિક ઢબે કરી છે. અનુયાચીએ તેમજ વિરાધીએ કાઇને પણ ન સમજાય એવા પેાતાના આ વન માટે, કુબેર ભૂતકાળના એક શાપની વાત શેાધી કાઢે છે. મણિમાને એક વેળા અભિમાનના તારમાં મહામુનિ અગસ્ત્યનું અપમાન કરેલુ, તેનું જ આ બધું પરિણામ !
છેલ્લે, અલબત્ત, કુબેર યુધિષ્ઠિરને બે શબ્દો શિખામણના કહે છે અને આર્ક્ટિષણને આશ્રમે પાછા ફરી અર્જુન સ્વર્ગમાંથી આવે તેની પ્રતીક્ષા કરવાના આદેશ આપે છે. થાડુંક તેનુ ભાષણ પણ સાંભળીએ :
અર્જુન ન્દ્રના પુત્ર છે. ભીમ વાયુને અને તમે ધર્માંના. નકુલ અને સહદેવ, એ જ પ્રમાણે, અશ્વિનીકુમારેાના પુત્રા છે; એટલે ઈન્દ્રાદિકની પેઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
66
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૩
મારે પણ અહીં તમારું રક્ષણ કરવું જોઇએ.....કુરુએની કીર્તિ વધારનાર અર્જુન દેવા, પિતૃઓ તથા ગધોં વડે સન્માન પામ્યા છે, અને અત્યારે ઈન્દ્રભવનમાં શસ્ત્રવિદ્યાની સાધના કરી રહ્યો છે. મહારાજ શન્તનુ પેાતાના એ પ્ર–પૌત્રને જોઇને સ્વર્ગમાં ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને તમારા સૌના કુશળ સમાચાર મારી મારફત પુછાવે છે એમ માને.
,,
૬૮. ગુરુદક્ષિણા (૧)
આખરે અર્જુન આવ્યેા.
જે રીતે એ સ્વર્ગમાં ગયા હતા તે જ રીતે એ આવ્યા. એને લઇ જવા માટે ઇન્દ્રનેા સારથિ માલિક આવ્યા. એને મૂકી જવા માટે પણ એજ માતલિ આવ્યેા.
ઇન્દ્રના એ જ રથમાં એને મેસાડીને માતલિ એને ગધમાદન પર્વત પર, જ્યાં એના ચાર ભાઇએ અને એની પ્રિય પત્ની પાંચાલી એની વાટ જોતી બેઠાં હતાં, ત્યાં પહેાંચાડી ગયા.
અર્જુનને માથે મુગટ હતા. ડાકમાં માળાએ, હાથમાં થાડાંક વસાભૂષણા હતાં.
સૌથી પહેલાં એણે ધૌમ્યને વંદન કર્યું.
પછી યુધિષ્ઠિરને અને ભીમને.
સહદેવ તથા નકુલને તે પછી એ બાથ ભરીને ભેટયા.
છેલ્લે એ પાંચાલી પાસે ગયેા. પેલાં વસ્ત્રાભૂષણા તેને આપ્યાં દેવરાજ ઇન્દ્રની એ ભેટ હતી.
હવે સૌ તેના સમાચાર જાણવા ઉત્સુક હતા. સૌના સમાચાર જાણવા તે પણ એટલેા જ ઉત્સુક હતા. એકમેકથી દૂર વીતેલાં પાંચ વરસેા એકમેકને પ્રત્યક્ષ કરાવવાં હતાં. પણ હૃદય કંઇ જડ પેટી-પટારા જેવું થેાડુ છે, જે ધારા ત્યારે ઉઘાડી શકાય, અને ધારે। ત્યારે બંધ કરી શકાય !
યે જણુ આ વાત બરાબર સમજતાં હતાં. વાણીની અને મૌનની બન્નેની લીલાઓથી છ યે છ પૂરાં વાકેફ હતાં. પહેલી રાત તેણે નકુલ અને સહદેવ સાથે વાતા કરવામાં અને આરામ લેવામાં કાઢી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પછી બીજે દિવસે તેણે યુધિષ્ઠિર તથા અન્ય ભાઈઓ તથા ધમ્ય અને લોમશ તેમજ ત્યાં આગળ એકઠા થઈ ગયેલા અન્ય ઋષિઓની જિજ્ઞાસાને અત્યંત ઉત્કટ બનેલી જોઈને છેલ્લાં પાંચેય વરસનાં પિતાના અનુભવની કહાણું વીગતવાર કહેવા માંડી.
તેનું હિમાલય- આરોહણ, બ્રાહ્મણના વેષમાં ઈન્દ્રની મુલાકાત, કિરાત સાથેનું તેનું યુદ્ધ, માતલિનું રથ સાથે આગમન, સ્વર્ગમાં પિતા ઈન્દ્ર કરેલું તેનું ભાવભર્યું સ્વાગત, દિવ્ય શસ્ત્રાસ્ત્રની સાધના...અને પ્રાપ્તિ. જાહેર સભામાં જે જેવી રીતે કહેવું ઘટે તે તેવી રીતે કહીને તેણે વાત પૂરી કરી.
અતે ગુરુદક્ષિણામાં કંઈ આપ્યું કે નહિ ?” અને આત્મકથા પુરી કરી કે તરત જ દ્રૌપદીએ મશ્કરી કરી.
“આપ્યું, દેવરાજે માગ્યું તે” અને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. “એટલે?” પાંચાલીએ ખુલાસો પૂછ્યું “શું દેવરાજને કંઈકમીનાહતી ?
જેમ માણસ મેટે, તેમ એને વધુ કમીના!” ભીમસેને તત્ત્વજ્ઞાન ઠાલવ્યું.
“દેવને માણસો સાથે ન સરખાવાય, ભીમ ! ” યુધિષ્ઠિરે હસતાં હસતાં ભીમને દેવો અને માણસે વચ્ચે ફરક સમજાવ્યા.
“ કારણ કે સરખામણું કરીએ છીએ ત્યારે દે માણસેથી ઓછા ઊતરે છે, એટલા માટે ને, મોટાભાઈ!” ભીમે પિતાના પક્ષનું સમર્થન કર્યું.
તમને એક કુબેરને અનુભવ છે એટલા ઉપરથી...”
“ફક્ત એટલા જ ઉપરથી હું કંઈ અનુમાને નથી કરતો, દેવી” પાંચાલીને વચ્ચેથી જ રોકીને ભીમસેને પોતાની દલીલ ચાલુ રાખી, “ ખાંડવ વનમાં આપણું આ અર્જુનને દુનિયાના બધા ય દેવોને એકસામટો અનુભવ થઈ ગયે છે!”
અને છતાં” પોતાની આડકતરી પ્રશંસાની વાત ઉડાવી દઈને અર્જુને હસતાં હસતાં કહ્યું “એ જ દેવોના રાજવી ઈન્દ્ર પાસે શસ્ત્રોની વિદ્યા, શીખવા માટે તમે સૌએ મને મેક હતો એ ન ભૂલશો !”
ભલે, નહિ ભૂલીએ, ભાઈ,” અત્યંત લાડભર્યા અવાજે ભીમસેને કહ્યું, “પણ હવે પેલી ગુરુદક્ષિણની વાત કરો.”
અને અર્જુને વાત શરુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨
૫
૬૯. ગુરુદક્ષિણા (૨)
પાંચ વરસ પૂરાં થવા આવ્યાં અને વાયુ, વરુણ, યમ આદિ બધા જ દેવાએ પોત પોતાના વિશિષ્ટ શસ્ત્રાસ્ત્રોનું રહસ્ય મને સેપ્યું તે પછી એક વખત મહારાજ ઈન્દ્ર અને હું બને એકલા હતા ત્યારે અત્યંત સંકેચ સાથે મેં તેમને કહ્યું :
જન્મથી જ હું આપને ઋણી છું, મહારાજ, પણ આ પાંચ વર્ષમાં આપે જે અપાર ઋણ મારા ઉપર ચઢાવ્યું છે તે તો જન્માન્તરમાં પણ નહિ ફેલાય. છતાં આપ મને અહીંથી વિદાય આપે તે પહેલાં કંઈક સેવા સપિ એવી મારી પ્રાર્થના છે.”
“તે તો તે મને ન કહ્યું હેત, વત્સ, તો પણ એક સેવા તો હું તને સાંપવાને જ હતો.” અત્યંત વાત્સલ્યભાવે મારા ખભા પર હાથ મૂકીને એમણે કહ્યું. “નિવાતકવાનું નામ કદી સાંબળ્યું છે ખરું?”
મેં ડોકું હલાવીને ના પાડી. સાચે જ મારા માટે એ નામ નવું હતું.
“અમારા માટે પણ,” યુધિષ્ઠિરે સૌના વતી હોંકારો આપ્યા, “નામનું સ્વરૂપ જોતાં એ આ તરફનું નથી.”
“એવું જ છે, મોટાભાઈ, ” વાતને દોર હાથમાં લઈને અને આગળ ચલાવ્યું, “આપણે જે જે પ્રજાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓળખીએ છીએ તેનાથી તદ્દન જુદી જાતના આ લકે છે. મહારાજ ઈન્દ્ર મેરુ પર્વતથી દુર, પૂર્વમાં, સમુદ્રને કાંઠે એક સુંદર મહાનગરનું નિર્માણ કર્યું હતું.” - “આટલી સુંદર અમરાવતી તેમની પાસે છે, છતાં ?” ભીમસેને ટકોર કરી.
“પાસેનું સુન્દર કદી જ નથી હોતું, વૃકેદર,” દ્રૌપદીએ મોટું અત્યંત ઠાવકું રાખીને કહ્યું, "મેરુ પર્વત પર રહેતા હોય તેમને સમુદ્ર સુન્દર લાગે ને જમના-કિનારે રહેતા હોય તેમને દ્વારકા સુંદર લાગે.”
સૌ હસી પડયાં.
યુધિષ્ઠિર સુદ્ધાંના હોઠ પર સ્મિત ઝબૂકી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૬
“પછી ?” બધા હજુ હસવામાં હતાં એટલામાં મુનિવર વાતને તાગડો પાછે અર્જુનના હાથમાં આવ્યો.
આ નગરનું નિર્માણ કરવામાં દેવરાજની અંદરની ઈચછા શી હશે, દેવરાજ જાણે,” અને આગળ ચલાવ્યું, “કારણ કે એ ઈચ્છાને અમલમાં મૂકવાને વખત જ ન આવ્યો. નગર જેવું તૈયાર થયું તેવા જ આ નિવાતકવચ નામના લેકેએ તેના પર હલ્લો કર્યો.”
પરિણામ કલ્પી શકું છું” ભીમસેને મજાક કરી, “કરી કમાણને આક્રમણખોરના હાથમાં મૂકીને મહારાજ ઇન્દ્ર પાછા અમરાપુરીમાં આવી ગયા. ”
“મહારાજ ઇન્દ્ર તો નગરીમાં હજુ પગ પણ નહોતો મૂક્યો. મોટાભાઈ” અને ભીમને સુધાર્યો. “સમુદ્ર કાંઠે આવું સુંદરનગર રચતી વખતે-રચાવતી વખતે એમને તો કલ્પના પણ નહોતી કે નજીકમાં જ આ નિવાતકો રહે છેઃ સંખ્યામાં સુમાર વગરના, પ્રકૃતિએ કર અને ઝનૂની અને આળસુ અને વિલાસપ્રેમી ! ન ઇમારત ઊભી કરી જાણે, ન ખેતી ખેડી જાણે; ફક્ત મારી જાણે, અને જરૂર પડે તે મરી જાણે!”
આ છેલ્લું કે ઓછું ન કહેવાય” ભીમે નિવાતકવચની કદર કરી. “હા, પણ એ છેલાંની સાથે પહેલું ન હોય તો બધું જ નકામું !” યુધિષ્ઠિરે સંપૂર્ણ જીવનનું રહસ્ય સમજાવતા હોય એવું સૂત્ર ઉચ્ચાયું.
પણુ બધું જ એક ઠેકાણે હોય તે દુનિયા, દુનિયા જ ન રહે, યુધિષ્ઠિર,” લેમશ મુનિએ ચર્ચાની પૂર્ણાહુતિ કરતા હોય એવી રીતે કહ્યું “હુ ... પછી?”
આ લાકે, આ નિવાતકવચ તો જાણે વાટ જોઈને જ બેઠા' તા, કે” “ક્યારે ઉંદરો ખેદી રહે, અને જ્યારે ભોરિંગ ભોગવે, એમ જ ને?” યુધિષ્ઠિરની સામે જોઇને લેમણે અર્જુનનું વાકય પુરૂં કર્યું.
એમ જ. વાસ્તુકર્મ કરી શકાય એવી સ્થિતિમાં નગરી આવી કે આ નિવાતકવચોનાં ધાડાં ને ધાડાં, તૈયાર પાક ઉપર તીડનાં ટોળાં ઉતરે એમ ચોમેરથી ઉતરી પડયાં, અને જેને એક બીજી અમરાવતી લેખે બાંધી હતી એવી એ મહાનગરીને એ દરિયાઈ જંગલીઓને હવાલે કરીને મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૭
ઇન્દ્રના સ્થપતિએ ચાલ્યા આવ્યા. આ વાતને ઘણા વખત વીતી ગયેા હતેા, પણ દેવેન્દ્રના મનમાંથી એની ખટક ગઇ નહેાતી એ હુ... જોઈ શકયા તે એમની આટલી વાત પૂરી થતાં વેંત મેં સામે ચાલીને માગી લીધું એ નિવાતકવચાને એ નગરીમાંથી હાંકી કાઢવાનું કામ મને સેાંપે.
""
“ પછી શું થાય ? ’’ભીમે અર્જુનના વતી જાણે જવાબ આપ્યા, અર્જુન જે હાથમાં લે તે પુરૂં જ થાય.......... પણ આપ સૌને કદાચ લડાનું વર્ણન સાંભળવું હશે. ”
66
,,
“પછી ? '' શ્રોતાગણમાંથી કાઇકે કુતુહુલ ન રોકી શકાતાં પૂછ્યું.
‘ લડાઇના વર્ણનમાં તે ખાસ કંઇ નવી નવાઈનું નથી, મેાટાભાઈ, સિવાય મેં તમને શરૂઆતમાં જ કહ્યું, તે । સ્ત્રીઓ અને બાળા સુદ્ધાં જીંદગીના એપરવા ! મેાટાભાઇએ હમણાં જ કથ્રુ તેમ—એક જો સંગઠન અને વ્યવસ્થિતતા અને થાડેાક રચનાત્મક ઉદ્યમ એમનામાં હેત, તે મને પણ ભારે પડી જાત. આ તે આગ સળગાવીને લાખા, કાડા તીડા તેમાં બળી મરે, તેમ ખતમ થયા. પણ તે પહેલાં દેવા તરફથી મને સાંપડેલાં એકકે એક આયુધની પરીક્ષા થઇ ગઇ. ''
,,
“અને તારી પણ ” યુધિષ્ઠિરે ઉપસંહાર કરતા હોય એવી એ કહ્યું. મહારાજ ઇન્દ્રનું આટલું કામ કરીને તું આવ્યેા એ મને બહુ જ ગમ્યું, ધનંજય ”
re
“કામ તે! એણે આનાથી યે ઘણું વધારે કર્યું છે, યુધિષ્ઠિર, ” એકાએક કાઈ અજાણ્યા પણ ધનધેરા અવાજ ગુંજી ઉઠયા.
બધાએ જોયું—અવાજની દિશામાં, તે ખુદ દેવેન્દ્ર ઉભા હતા. ઘેાડે દૂર તેમને સારથિ, તેમના રથની પાસે ઊભા હતા.
શ્રોતૃમંડળ આપ્યુ... ચે ઊભું થઇ ગયુ. અર્જુન । કયારને ય ઊભે થઇને એમના ચરણ પાસે બેસી ગયા હતા.
“ નિવાતકવચાના પામાંથી મારી એ સમુદ્રનગરીને મુકત કરીને એ આવતા હતા, ત્યાં મામાં એવું જ એક ખીજું નગર એણે જોયુ –હિરણ્ય પુર નામનું. તેના પર પણ દેવાના ધ્વજ એ ફરફરાવતા આવ્યા. આ માતલિએ એ બધું ને મને વીગતે ન કહ્યું હાત, તા એનાં પરાક્રમેાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮
વથાર્થ કપના કદાચ મને પણ ન આવત. તેને અને તમને સૌને અભિનંદન આપવા, તેથી તો હું જાતે જ આવ્યો છું;- અભિનંદન અને આશીષ બને આપવા. દુષ્ટોને હાથે અન્યાયી રીતે છિનવાઈ ગયેલી તમારી રાજલક્ષ્મી થોડા વખતમાં જ તમને પાછી મળશે–શતગણું બનીને.”
૭૦. અજગરની આપવીતી
“બ્રાહ્મણ કેણુ?”
સત્ય, દાન, શીલ, અક્રૂરતા અને તપ એ છ ગુણે જેનામાં હેય તે.” “એવા ગુણે શૂદ્રોમાં હોય તો?”
તો તે શક શક નહિ, પણ બ્રાહ્મણ ” “અને એવા ગુણ બ્રાહ્મણમાં ન હોય તે ?” તો તે બ્રાહ્મણ બ્રાહ્મણ નહિ, પણ શૂદ્ર.”
ત્યારે તો એમ જ માનવુંને કે ગુણોને પરિચય થાય ત્યારે જ જાતિ કઈ છે તેની ખબર પડે?”
એમ જ! હકીકતમાં બધે જ આધાર ચારિત્ર્ય ઉપર છે. જન્મ ઉપર કશું જ નથી”
યુધિષ્ઠિર અને અજગર વચ્ચેના સંવાદમાંના આ પ્રશ્નોત્તર છે. અજગરે ભીમને ઝડપ્યા છે. મારા સવાલને સાચો જવાબ આપનાર જડે, ત્યારે જ મારી મુક્તિ થાય એવું તે અજગરનું માનવું છે. પણ હવે આપણે કથાના પ્રવાહ સાથે વહેવાનું શરૂ કરીએ.
પાંડવ કુલ ચાર વરસ હિમાલય ઉપર રહ્યા. હિમાલયના ભિન્ન ભિન્ન શિખરપ્રદેશો પર તેઓ ફરતા હતા. કુબેરની અને તેમની વચ્ચે પણ સારી
એવી મિત્રી બંધાઈ ગઈ હતી. આમ તે તેઓ મૃગયા-પ્રધાન એટલે કે શિકાર ઉપર જીવનારા હતા; છતાં તેમની આજીવિકાનો બોજો, આ ચાર વરસના ગાળા દરમિયાન, થોડોઘણો નહિ પણ ઘણેખરે, કુબેર જ ઉઠાવતા હતા. કુબેરના તેઓ મહેમાન હતા.
હિમાલય ઉપર આવતાં પહેલાંનાં છ વરસો અને હિમાલય ઉપરનાં આ ચાર વરસે મળીને વનવાસનાં દસ વરસે હવે વીતી ચૂક્યાં હતાં. હવે ફકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
२२८
ત્રણ જ વરસ બાકી હતાં, જેમાંથી એક છેલ્લું વરસ તેમને અજ્ઞાતવાસમાં પસાર કરવાનું હતું.
એટલે હવે તેમને હિમાલય છોડીને નીચાણના પ્રદેશો તરફ જવાનું મન થયું. જે રસ્તે આવ્યા હતા, તે જ રસ્તે, અલબત્ત, તેમને પાછા જવાનું હતું; એટલે આર્દિષેણ મુનિના આશ્રમમાંથી તેઓ વૃષપર્વાને આશ્રમમાં આવ્યા. અહીંથી તેઓ નરનારાયણના આશ્રમે થઈને હિમાલય ઉતરવાના હતા. આ વખતે આ અજગરવાળો બનાવ બન્યો.
ભીમસેન શિકાર કરવા નીકળ્યો હતો. અને શિકાર કરવા નીકળે ત્યારે પ્રકૃતિથી જ ઉગ્ર એ એ વધુ ઉગ્ર બની જતો, શિકાર જો તેને યથેચ્છ મળી રહે તો તેને તૃપ્તિને મદ ચરતે; અને જો શિકાર તેના હાથમાં ન આવે તો તે રોષથી મત્ત બનતો. ટૂંકમાં શિકાર દરમ્યાન તે મોટે ભાગે ‘મત્ત’ની અવસ્થામાં જ રહ્યા કરતા.
આથી જ જાણે પ્રકૃતિએ એને એક અપૂર્વ, કદી પણ ન ભુલાય એ બેધપાઠ આયે.
શિકારની શોધમાં રેષવ્યગ્ર બનેલ એ એક ગુફા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં, એ જ ગુફાના દ્વારને આંતરીને બેઠેલ એકે જડા, કાબરચીતરા પટાવાળા પીળા અજગરે તેના ફરતે ભરડે લીધે.
ભીમની નજર દૂરના કઈ શિકાર પર હતી, ત્યાં નજીકમાંથી જ જાણે તેના કાળે તેને ઝડપે.
ભીમે બળ તે ઘણું યે કર્યું, એ ભરડામાંથી છૂટવા; પણ અજગર જે તેવો નહોતો. ભીમ જેમ જેમ વધુ જોર કરે, તેમ તેમ એ ભરડાને વધુ ભીંસદાર બનાવે.
આખરે ભીમને થયું કે આ કેઈ સામાન્ય પ્રાણુ નથી : કેક ચમત્કારિક સત્ત્વ છે.
મુઠ્ઠ ઋષિ જેવા દેખાતા અજગરના ચાર વિકરાળ દાઢવાળા માં ભણી વળીને એણે પૂછ્યું : “કેણુ છો તમે ?”
અને ભીમને એક મહાન આશ્ચર્યને અનુભવ થયો. મનુષ્યો બેલે એવી વાણીમાં ( કઈ ભાષા ઉચારતા હશે એ !) અજગરે જવાબ દીધો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૦
“તારું અનુમાન સાચું છે. ચંદ્રથી ચેથી પેઢીએ થયેલ મહારાજ આયુને હું પુત્ર છું. મારું નામ નહુષ, જે તેં સાંભળ્યું હોય તો.”
હવે નહુષની વાત તે વખતે પણ ભારતમાં પ્રસિદ્ધ હતી. સત્તા માણસની બુદ્ધિને કેવી ભ્રષ્ટ બનાવે છે તેને દાખલ દેવા માટે એ કહેવાતી.
નહુષને એકલું બધું હુંપદ આવી ગયું હતું કે પોતાની પાલખી એ ઋષિઓ પાસે ઊંચકાવતો. એકવાર અગત્ય ઋષિ એ ઊંચકનારાઓમાં હતા. એમને પગ સહેજ લપસ્યો અને પાલખીમાં બેઠેલ નહુષનો મિજાજ ગયો.
પાલખીને પડદો ઊંચો કરીને કેરડા કરતાં યે કઠોર શબ્દ એણે અગત્યને સંબોધીને વીંઝયાઃ “સઈ, સઈ, એટલે કે ચાલ, ચાલ !”
તું જાતે જ સર્પ બના” અગત્યે શાપ આપ્યો. કઈ વળી એમ પણ કહે છે કે આ નહુષ સદેહે ઇન્દ્ર બન્યું હતું અને ઈન્દ્રાણું પણ પોતાની બને એવી તેની ઈચછા હતી. ઈન્દ્રાણીએ તેને સજા કરવાના ઇરાદાથી દુબુદ્ધિ સુઝાડેલી ઃ
“જે સપ્તર્ષિઓ પાસે પાલખી ઉંચકાવીને તું મારા મહેલ પર આવે, તે હું જરૂર તારો સ્વીકાર કરું.” - કામ-વિવશ અને સ્મૃતિ-ભ્રષ્ટ નહુષે તેનું કહેવું માન્યું અને માર્ગમાં જ કઈ ઋષિને હાથે એ અજગરપણને શાપ પામ્યો.
( હકીકતમાં તો કામ વિવશતા જાતે જ એક શાપ છેઃ મનુષ્યને એ સારાસારના વિવેક વગરના પ્રાણ જેવું બનાવી દે છે, એ સમજાવવા માટે આવી કથાઓ જોડી કાઢવામાં આવી હશે.)
ભીમ અને અજગર-નહુષ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યાં તેની લાંબા વખતની ગેરહાજરીથી અકળાઈ ઊઠેલ યુધિષ્ઠિર તેને શોધત શોધતો આ ઠેકાણે આવી પહોંચ્યા.
નહુષને, અજગરને તેણે વિનંતિ કરીઃ “ભીમને છોડી દે, તમારા માટે ગ્ય આહારની વ્યવસ્થા હું કરાવું છું. હું પાંડુને પુત્ર યુધિષ્ઠિર... આ સત્ય જ કહું છું.”
તમે યુધિષ્ઠિર છે? તો પહેલાં હું જે બેચાર સવાલ પૂછું, તેના જવાબ આપે. પછી જોઈશું.” અજગરે શરતો મૂકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૧
અને આ પ્રકરણને આરંભે મૂક્યા છે એવા સવાલો યુધિષ્ઠિરને અજગરે પૂગ્યા અને યુધિષ્ઠિરના જવાબથી સંતુષ્ટ થઈને ભીમને એણે છોડી મૂક્યો.
અને જાતે પણ અજગરપણામાંથી છુટીને નહુષ-પદને પામ્યો. એ જ એના શાપને પરિહાર (શાપમુકિતની ચાવી) હતો.
અને પોતાના ભુજબળની પાસે સમગ્ર જગતને તુચ્છ તૃણવત્ લેખનાર ભીમ આ અપૂર્વ અનુભવથી વિનમ્ર બનીને યુધિષ્ઠિરની સાથે વૃષપર્વાને આશ્રમે આવ્યો.
અને ત્યાંથી પછી પાંડવો ધીમે ધીમે હિમાલયના ગિરિપ્રદેશમાંથી ઉતરીને સપાટી ઉપર આવ્યા.
૭૧ પુનર્મિલનને દિવસ
કામ્યક વનમાં પગ મૂકતાં જ પાંડને લાંબા સમયના વનવાસમાંથી જાણે વતન પાછા ફરતા હોય એવો અનુભવ થયો. સુપરિચિત વને, સુપરિચિત ઝરણું, સુપરિચિત શૈલ અને સુપરિચિત સરિતાઓ! સૌથી વિશેષ તે સુપરિચિત જ માત્ર નહિ, પણ અરસપરસ આદર અને સ્નેહની બેવડી ગાંઠેએ બંધાયેલા મનુષ્યો બ્રાહ્મણોનાં વૃન્દોનાં વૃદ્ધે જ તેમને મળવા આવે. ખબર-અંતર પૂછી જાય, નવાજની કહી જાય.
આવી સ્થિતિમાં પાંડવો કામ્યક વનમાં આવી ગયા છે એ સમાચાર છાના કેમ રહે! પાંડવોને તે છાના રાખવા નહોતા; (અજ્ઞાતવાસનું વરસ દૂર હતું) અને કદાચ, તેઓ છાના રાખવા માગતા હતા તે પણ, શ્રીકૃષ્ણથી તેમના અંગેની કોઈ પણ માહિતી છાની ન રહે એવી જ તેમની ધારણા હેત.
ગમે તેમ, પણ કામ્યક વનમાં આવતાં વેંત પાંડવોને ખબર મળ્યા કે દ્વારકાથી શ્રીકૃણ તેમને મળવા આવી રહ્યા છેસાથે સત્યભામા પણ છે.
પાંડવોના આનંદનો પાર ન રહ્યો.
શખ્ય અને સુગ્રીવ એ નામના બે ઘડા જોડેલ અને દારૂક નામના તેમના વિશ્વ-પ્રસિદ્ધ સારથિ વડે હંકારાયેલ રથની રજ યુધિષ્ઠિર આદિએ દૂરથી દીઠી કે તેઓ શ્રીકૃષ્ણનું સામૈયું કરવા માટે અધીર બનીને તે રથની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સામે દેડયા. આસપાસના વન–પ્રદેશમાં વસતા અનેક ઋષિમુનિઓ પણ તે વખતે ત્યાં ખાસ આ સ્વાગત માટે જ આવ્યા હતા.
રથમાંથી પહેલા શ્રીકૃષ્ણ ઊતર્યા.
ઉતરતાં વેંત યુધિષ્ઠિરને તેમણે વંદન કર્યું. ત્યાં તો દ્રૌપદીજી આગળ આવ્યાં; ને હળવેક રહીને તેમણે સત્યભામાને નીચે ઊતાર્યા. દરમિયાન શ્રીકૃષ્ણ ભીમને ભેટી, સહદેવ-નકુલની વંદના સ્વીકારી અર્જુનને આલિંગન દઈ રહ્યા હતા.
મૈત્રીની મહોર જેવું આલિંગન છૂટતું ન હતું. જેનારાઓની આંખે પણ ભીની થતી હતી.
પછી ત્યાં આગળ એકઠા થયેલ ઋષિઓ તેમજ ઋષિ-પત્નીઓને શ્રીકૃષ્ણ તથા સત્યભામાએ ધૌમ્ય મુનિની આગેવાની નીચે સતકાર્યા.
અભિમન્યુ અને સુભદ્રા મઝામાં તો છે ને?” અર્જુનના હૈયામાં રમત પ્રશ્ન દ્રૌપદીએ હોઠ ઉપર આણ્યો.
તમારા પાંચે ય પુત્રોની સાથે અભિમન્યુ શસ્ત્રાસ્ત્રવિદ્યામાં પ્રશંસાપાત્ર નિપુણતા પ્રાપ્ત કરી રહ્યો છે, દેવી.” સત્યભામાએ જવાબ દીધો.
સુભદ્રા એ યે કુમારોને ઉત્કર્ષ જોઈને રાજી થાય છે. તેણે તમને વંદન કહાવ્યાં છે.”
“શસ્ત્રાસ્ત્રવિદ્યા કોની પાસેથી શીખે છે એ સૌ ?”
દ્વારકામાં પ્રદ્યુમ્નની બરાબરી કરી શકે એ કે શિક્ષા-ગુરુ નથી, આ નવી પેઢી માટે, દેવી.” શ્રીકૃષ્ણ હસીને ઉત્તર આપ્યું.
મેરનાં ઇંડાને ચીતરવાં નથી પડતાં.” દ્રૌપદીએ કૃષ્ણને અંજલિ આપી. “પણ દેવી રુકિમણીને પણ સાથે લાવ્યા હતા તે ?”
અમારી તે ઘણી ઈચ્છા હતી, પણ....
એમને લાવીએ તે દ્વારકા આખીને લાવવી પડે એમ હતું. ” સત્યભામાનું વાકય પુરૂં કરતાં શ્રીકૃષ્ણે કહ્યું. “ પ્રદ્યુમ્ન આદિ એમને છોડવા તૈયાર નહિ, અને અનિરુદ્ધ પ્રદ્યુમ્નને છોડવા તૈયાર નહિ.”
“ એમ જ કહેને દેવ, કે આપની ગેરહાજરીમાં દ્વારકાનું ધ્યાન રાખનાર કોઈ આત્મીય જન જોઈએ-બલરામ ઉપરાંત !” યુધિષ્ઠિરે એક વધુ સાચા કારણ પર હાથ મૂકો. “મોટાભાઈ અમને યાદ કરે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
r
શ્રીકૃષ્ણે કહ્યું, “તમને થયેલ અન્યાય એમને કેટલે ખૂચે
29 રાજ, છે. તે તમે જાતે જ જોયુ` છે. અભિમન્યુના શસ્ત્ર-શિક્ષણ પર એ જાતે જ ધ્યાન આપે છે. તમે હસ્તિનાપુર છેડયું તે વખતે દ્રુપદે અને ધૃષ્ટદ્યુમ્નબાપ દીકરા બન્નેએ છેાકરાને પાંચાલ મેાસાળે લઇ જવા ખૂબ આગ્રહ કરેલ....... છતાં.......
૨૩૩
""
cc
છોકરાએ દ્વારકા આવ્યા અને એટલે અમને લહાવે મળ્યે, તમારી વધુ નિકટ આવવાને.” સત્યભામાએ પૂર્તિ કરી.
“કાણ જાણે કયે ભવે ફેડારો, તમારા સૌનું ઋણ ! ગળગળે અવાજે દ્રૌપદીએ કહ્યું.
ત્યાં તેા માંડેયમુનિ આવે છે એવા સમાચાર હજારા હૈ!ઢની મુસાફરી કરતા કરતા જ્યાં આ સૌ બેઠા હતા ત્યાં આવી પહેોંચ્યા.
અને તે જ ક્ષણે વિશ્વમાં સૌથી વયેવૃદ્ધ છતાં સૌથી નવયુવાન એવા આ મુનિને સત્કાર કરવા માટે, જે દિશામાંથી મુનિ આવતા હતા તે દિશામાં સૌ દાડયા.
પણ પાંડવાને માટે આજે જાણે મિલનનેજ દિવસ હતા. માર્કડેય મુનિ હજી દૂર હતા, ત્યાં નારદજીએ દેખા દીધી; કેમ જાણે તે પણ માર્કંડેયના સામૈયામાં સામેલ થવા ન આવ્યા હાય !
૭૨. પ્રેમ અને દ્વેષ
વનપર્વમાં સત્યભામા અને દ્રૌપદીના સંવાદ નેાંધપાત્ર છે. કૃષ્ણ સત્યભામાની સાથે કામ્યક વનમાં પાંડવાને મળવા આવ્યા છે. સત્યભામાએ આ પહેલાં અનેકવાર જોયું હશે અને આ વખતે ફરી જુએ છે કે પાંચે પાંડવા ઉપર દ્રૌપદીનું વસ્ અજોડ છે, અદ્ભુત છે, એ જોઇને પેાતાના દામ્પત્ય સાથે દ્રૌપદીના દામ્પત્યની સરખામણી કરવાનું તેને મન થયું હશે.
આમ જુએ તેા સત્યભામા અને શ્રીકૃષ્ણ વચ્ચેને પ્રેમ પણ અોડ અને અદ્દભુત જ છે. હકીકતમાં જ્યાં જ્યાં પ્રેમ પ્રગટે છે ત્યાં ત્યાં તે અજોડ અને અદ્દભુત જ હેાય છે; છતાં એક યુગલને ખીજા યુગલને પ્રેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પિતાના પ્રેમની સરખામણીમાં કેવો હશે તેનું કુતૂહલ તો રહે જ છે. આવું જ કોઈ કુતૂહલ સત્યભામાને થયું હશે.
સત્યભામા પૂછે છે : “ લોકપાલની શકિતવાળા આ પાંચે ય મહાવીરને તું કેવી રીતે વશમાં રાખે છે, હે દ્રૌપદી, એ મારાથી સમજાતું નથી. તો એ જ જોઉં છું કે પાંડવો પ્રત્યેક પળે તું જે સૂચન કરે છે તેને આનંદ -ભેર ઉપાડી લે છે. તે તારામાં એવું તે કર્યું કામણ છે એ મારે જાણવું છે! તારી પાસે કોઈ જડીબુટ્ટી તો નથી ? કઈ મંત્રનો પ્રયોગ તે તે તારા આ પાંચેય પતિઓ ઉપર કર્યો નથી ? કારણ કે હું જ્યારે જયારે જોઉં છું ત્યારે ત્યારે તેઓ તને જ જોતા હોય છે તેને જોતાં જાણે ધરાતા જ નથી ”
સત્યભામાની વાત સાંભળીને દ્રૌપદી હસી પડે છે. “ જે પ્રેમને આધાર ” તે કહે છે, “જંગલની કઈ જડીબુટ્ટી ઉપર અથવા જાદુગરના કઇ મંત્ર ઉપર હોય, એ પ્રેમ નહિ, પરંતુ પ્રપંચ છે અને એવા પ્રપંચ દ્વારા તો સ્ત્રી પોતાના પ્રેમીને ઉલટાને ખોઈ બેસે છે. પણ મને લાગે છે કે પ્રેમની આ પારાયણ હું તમારી પાસે અમસ્તી જ ગાવા બેઠી છું, કારણ કે પાંડવે મારે વશ હોય કે ન હોય, કૃષ્ણ તો તમારે વશ છે જ.”
પણ આપણે હવે પ્રેમની આ પારાયણને છોડીને કથાના પ્રવાહ સાથે આગળ વહીએ.
દુર્યોધન જેવો ઈર્ષાળુ અને ખંધે માણસ પોતે જેમને પોતાના જાની દુશ્મન માને છે તે પાંડવોની હિલચાલ ઉપર હસ્તિનાપુરમાં બેઠે બેઠે પણ નજર નહિ રાખતા હોય એમ માનવાનું કશું જ કારણ નથી. પાંડવોની આસપાસ તેણે જાસૂસોની એક બારીક જાળ બિછાવી છે. તેમની પાસે કેણ આવે છે ને કે તેમની પાસેથી જાય છે –બધી જ બાતમી આ જાસૂસ મારફત હસ્તિનાપુરની રાજસભામાં પહોંચે છે.
પાંડવે હિમાલય ઉપરથી ઊતરીને કામ્યક વનમાં આવ્યા છે એવી ખબર મળતાં સૌથી પહેલાં તો ધૃતરાષ્ટ્ર ચાંકી ઊઠયો. આમે ય પાંડવો પોતાના પુત્રો કરતાં વધારે શકિતસંપન્ન છે એ તો તે જાણતા જ હતા; તેમાં વળી અર્જુન હવે સ્વર્ગમાં વસી દિવ્ય શસ્ત્રાસ્ત્રોની સાધના કરી આવ્યો છે એ જાણતાં વેંત તેને ખૂબ સંતાપ થવા લાગ્યો. વનવાસનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૫
બાર વરસ પૂરાં થવા આવ્યાં હતાં. અજ્ઞાતવાસનું તેરમું વરસ તે પાંપણના પલકારામાં પૂરું થઈ જશે. પછી ? પછી શું ? તેની અંધ આંખે ભય અને ખેદથી છળી ઊઠે છે. પિતાના સાળા શકુનિને ખાનગીમાં બોલાવીને તે આ વ્યતાને વ્યકત પણ કરે છે, પણ તેનું પરિણામ ઊલટું જ આવે છે.
ધૃતરાષ્ટ્રનું ઢીલાપણું શકુનિ કર્ણને કહે છે. દુર્યોધન ઢીલો પડવા માગતો હોય તો પણ કર્યું તેને ઢીલો પડવા દે એમ નથી એ શકુનિ જાણે છે. પછી કર્ણ, શકુનિ અને દુઃશાસન ત્રણે ય મળી દુર્યોધનને સમજાવે છે, “જેજે, અર્જુન સ્વર્ગમાં જઈને દિવ્ય શસ્ત્રાસ્ત્રો લઈ આવ્યો છે એવી વાત સાંભળીને ડોસો ગભરાય છે. તેને પણ તે ગભરાવવાને પ્રયત્ન કરશે.”
બેફિકર રહેજે, મુરબી અને દોસ્તો,” દુર્યોધન જાંઘ ઠેકીને જવાબ આપે છે, “પાંડવો સાથે હવે સંધિ આ ભવે તો શક્ય જ નથી.”
પણ સારો રસ્તો એ નથી કે હજુ તેઓ વનમાં છે, ત્યાં જ આપણે તેમને ફેંસલ કરી નાખીએ?” કર્ણ સલાહ આપે છે.
“પણ કેવી રીતે ?”
“તેઓ ગમે તેમ તો પણ વનવાસી છે અને એકલા છે; જ્યારે આપણી પાસે જબરદસ્ત લશ્કર છે. મારી તે તને એક જ સલાહ છેઃ લાગ જોઇને આપણે તેમના ઉપર લાવલશ્કર સાથે તૂટી પડવું અને તેમને ખતમ કરી નાખવા–કામ્યક વનમાં જ.”
પણ ડોસો આપણને ત્યાં જવા દે ખરા? ” દુઃશાસને મુશ્કેલી બતાવી. “ડોસાને કહેવું જ શું કામ ?” કણે ચતુરાઈનું પ્રદર્શન કર્યું.
“પણ એમ તો ડોસો કંઈ કમ નથી હે, કર્ણ ! છે ભલે પ્રજ્ઞાચક્ષુ, પણ આસપાસ જે બનતું હોય છે તેમાંથી કશું જ એની નજર બહાર નથી હોતું. વળી પેલા બે છે ને, પહેરેગીરો !”
ભીષ્મ અને વિદુર ?” દાંત કચકચાવીને કણે ફેડ પાડયા. ભીમ અને વિદુર ઉપર તો એને અગાધ ચીડ હતી.
એક યુકિત બતાવું ?” શકુનિ, દુઃશાસન અને દુર્યોધન ત્રણેય સામે જોઈને તેણે બહુ જ ધીમા અવાજે કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ત્રણેય મૂંગા રહ્યા. થોડીક ક્ષણે એમ ને એમ નીકળી ગઈ. “બોલ !” શકુનિએ આખરે કર્ણને પ્રોત્સાહન આપ્યું.
“આપણે અહીંથી “શેષયાત્રા” ને બહાને બહાર નીકળીએ. લશ્કરની ટુકડીઓ સૌ પાછળથી છુટ્ટી છુટ્ટી આવે. સૌ કામ્યક વનને પ્રવેશદ્વાર પાસે ભેગા થઈએ. “શેષયાત્રાનું નામ લઇશું તો ડેસે પણ ના નહિ પાડે!”
મનમાં સમજતો હશે તો પણ!” શકુનિએ પૂર્તિ કરી. અને પાંડવોને ખતમ કરવાને એક વધુ દાવ આ ચંડાળ ચોકડીને હાથે શરૂ થયો.
૭૩. શિકાર હો કર કે ચલે !
પણ જાસૂસગીરી એ કંઈ કઈ એક પક્ષને ઇજા નથી. એકવાર વહેમનું વાદળ સરજાયું એટલે એ બધે ય વરસવા માંડે છે. વનમાં પણ પિતાને સુખે બેસવા દેવાની દુર્યોધનની મરજી નથી એની પાંડવોને પ્રતીતિ થઈ ગઈ છે અને દુર્યોધનની હિલચાલ ઉપર તેઓ પણ ચાંપતી નજર રાખે છે.
શેષયાત્રાનું બહાનું કાઢીને દુર્યોધન, શકુનિ કર્યું અને દુઃશાસન ચારે ય હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા છે એટલા સમાચાર સાંભળતાં વેંત બાકીનું બધું ય પાંડવોએ ક૯પી લીધું. કથા તો એમ કહે છે કે પાંડે ઉપર દુર્યોધન તરફથી આફત ઊતરવાની છે એ જાણતાં વેંત દેવાધિદેવ ઈને પિતાના ગધર્વ મિત્રને સેના સાથે કામ્યક વનની રક્ષા અર્થે મોકલ્યો.
ગમે તેમ પણ પાંડવો પૂરેપૂરા સજાગ હતા, અને પોતે કરેલ દગો દુર્યોધન અને કર્ણ વગેરેને પિતાને જ ભારે પડી ગયો અને....
શિકાર કરને કે આયે થે
શિકાર છે. કર કે ચલે જેવો ઘાટ થાય છે.
ગન્ધર્વોની સાથે દુર્યોધનના સૈનિકે અથડામણમાં આવે છે. લડાઈ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૭
છે. ક વગેરે પરાક્રમ તા યથાશકિત બતાવે છે, પણ જેમનાં અંતઃકરણ જ સડેલાં છે, તેમના હાથમાંથી તાકાત જ જાણે છીનવાઇ ાય છે. ગન્ધર્વોને હાથે દુર્યોધન, શકુનિ વગેરે પરાજિત થાય છે. ક" ભાગી જાય છે અને દુર્યોધનને બંદીવાન બનાવીને ગન્ધર્યા દેવરાજ ઇન્દ્ર પાસે તેને ખડેા કરવા લઇ જાય છે.
એટલામાં દુર્યોધનના લશ્કરમાંથી 'કને સૂઝે છે. પાંડવાને શા માટે દુર્યોધનની આ દુર્દશાની ખબર ન આપવી ? યુધિષ્ઠિર આખરે તેા એક અત્યંત માયાળુ ભાઇ છે. જરૂર તે આવે વખતે ભુતકાળની બધી જ ભૂલેને ભૂલી જઇ દુર્યોધનની વહાર કરશે.
અને થયું પણ તેમ જ
""
“ એ તા એ જ લાગના છે! પેાતાના પાપે એ મરતા હાય, તેમાં, મોટાભાઇ, આપણે શા માટે વચ્ચે પડવું જોઇએ ! એવું કહીને ભીમસેને જ્યારે વિરોધ કરવા માંડયા ત્યારે
“તુ ભૂલે છે, ભીમ ! આપણી વચ્ચે અરસપરસ વિખવાદ છે એ દૃષ્ટિએ આપસ-આપસમાં ભલે આપણે સેા વિરુદ્ધ પાંચાઇએ, પણ દુનિયાની સામે તે! આપણે એક સે ને પાંચ જ છીએ !”
એવું કહીને યુધિષ્ઠિરે તેને શાન્ત જ કરી દીધા.
અને પાંડવા વહારે ચઢયા.
અને ગન્ધર્વોના હાથમાંથી છોડાવીને દુર્યોધનને તેમણે એ જ અવસ્થામાં યુધિષ્ઠિરની સામે ઊભેા રાખ્યા
અને યુધિષ્ઠિરે તેને છોડી મૂકયેા
અને આ તા પેાતાનું જ નાક કપાઈ ગયું એમ માનીને દુર્યોધને આત્મહત્યા કરવાના સંકલ્પ કર્યો.
સાચેસાચ એ સંકલ્પ જો એણે પાર પાડયેા હાત, તા ભારતના ઋતિહાસનું આખું વહન જ બદલી જાત એમ નથી લાગતું ?
૭૪. મનનાં અગેાચર ઊંડાણા !
માનવીના મનનું આલેખન કરવામાં વ્યાસજી અદભુત રીતે કુશળ છે. મનની શકયતાઓને મન પાતેજ નથી જાણતું. કઈ પરિસ્થિતિમાં એ કઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
રીતે વશે, અને પેાતાને પણ ખબર નથી હોતી! મનની શેાધાયેલી ધરતી કરતાં મનનાં અણુશેાધાયેલાં આકાશ અને પાતાળ, વિસ્તાર તેમજ વૈવિધ્ય, રસિકતા તેમ જ રોમાંચકતામાં હજાર ગણા છે. એવી અણુશેાધાયેલ ભૃગાળ અને ખગેાળની શેાધના ઝગારા મહાભારતમાં ઠેર ઠેર વિલેાકાય છે.
r¢
આપણે ગયા પ્રકરણમાં જેને ઉલ્લેખ કરી ગયા તે દુર્યોધને કરવા ધારેલા આપધાતની વાત જ જ્યેા. દુર્યોધન જેવાને આપધાત કરવાને વિચાર આવે—એ સામાન્ય રીતે નૅ મૂતા ન મવિષ્યતિ'' જેવું નથી લાગતું ? પણ એના કરતાં યે વધુ આશ્ચર્યકારક વાત આ જ સ ંદર્ભમાં શકુનિએ દુર્યોધનને આપેલી સલાહની છે. મામેા શકુનિ અહીં વાલ્મીકિ રામાયણના મામા મારીચ જેવ લાગે છે, આટલી પળે! માટે! મારીચ રાવણને સીતા રામને પાછી સાંપીને તેમની સાથે સંધિ કરવાની સલાહ આપે છે. તેમ શકુનિ અહીં, વનપર્વના આ બસેા તે એકાવનમા અધ્યાયમાં, દુર્યોધનને એણે મામાને મેએ પૂર્વે
કદી જ નથી સાંભળી એવી વાત સંભળાવે છે.
અલબત્ત, શકુનિના આ સંભાષણની શરૂઆત તે એની સામાન્ય પ્રકૃતિ પ્રમાણેજ થાય છે. “મેં પાંડવા પાસેથી છીનવીને તને આપેલી લક્ષ્મી તું ( આપધાત કરીને) પાંડવાને પાછી આપવા તૈયાર થયા છે, એટલે કે તુ મારી મહેનત પર પાણી ફેરવવા તૈયાર થયા છે! '” પણ આગળ જતાં એકાએક એ બહુ જ સુંદર પલટા લે છેઃ પાંડવાએ ગધર્મના હાથમાંથી તને છેાડાવીને તારા પર ઉપકાર કર્યો. એ ઉપકારની વાટે તું ધારે તેા પાંડવાની સાથે મૈત્રી સાધી શકે છે. ઉપકાર કરનારનું મન જેના પર ઉપકાર કરવામાં આવ્યા હાય છે, તેના પ્રત્યે ભલે થાડી વારને માટે પણુ, આળું અને સુવાળુ બની ગયું હોય છે. એ તકના લાભ લઇને માણસ ધારે તેા ગમે તેવા કટ્ટર શત્રુની સાથે પણ ફરી પાછા સંબધ શરૂ કરી શકે છે. ઉપકારીને પાતે બતાવેલી ઉદારતાને દાદ મળી છે એમ લાગે છે; અને પહેલ ઉપકારીએ કરી હાવાથી અપકારીને બે ડગલાં ઉઠીને ઝૂકવામાં ઝાઝી ભેાંઠપ લાગતી નથી. વ્યાસજીએ મૂકેલા લેકે તેાંધપાત્ર છે. પણ નાંધપાત્ર છે. )
शोकमालम्ब्य नाशय ।
શકુનિનામાંમાં આ પ્રસ ંગે ( શકુનિ દાઢમાંથી માલતા હોય તે
मा कृतं शोभनं पार्थैः
...
यत्र हर्षस्त्वया कार्यः सत्कर्तव्याश्च पांडवा : । तत्र शोचसि राजेन्द्र विपरीतमिदं तव ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
ग्रसीद माऽत्यजआत्मानं तुष्टश्च सुकृतं स्मर । प्रयच्छ राज्यं पार्थानाम् यशो धर्ममवाप्नुहि ॥ क्रियामेतां समाज्ञाय कृतज्ञस्त्वं भविष्यति । सौमित्रं पांडवैः कृत्वा समवस्थाप्य चैव तान् ॥ पित्र्यं राज्यं प्रयच्छैतान् ततः सुखमवाप्स्यसि ।
૨૩૯
( શેક કરીને હવે પાંડવાએ તારા પ્રત્યે જે રૂડું વન (શોમન ) કર્યુ” છે તેને ધૂળધાણી ન કરી નાખ. જ્યાં તારે હ કરવા જોઇએ, અને પાંડવાના સત્કાર કરવા જોઇએ, ત્યાં તું શાક કરવા ખેડા છે. આ ઊલટું છે. મહેરબાની કરીને આપઘાતની વાતને મૂકી દે. સ ંતુષ્ટ થને પાંડવાએ કરેલ સુશ્રૃતને સંભાર. તેમનું રાજ્ય તેમને પાછુ આપીને ધર્મ અને યશ બંનેના અધિકારી બન. આટલું કરીશ તે તું કૃતન કહેવાઈશ; પાંડવેાની સાથે સારી રીતે ભાઈચારા કેળવી એમને પાછા મેલાવી એમનું વારસાગત રાજ્ય એમને પાછું આપી દે અને સુખી થા )
મામાના આ સંભાષણથી દુર્યોધન ઊલટાને! વધુ ઉશ્કેરાય છે; અને એ સમજી પણ શકાય છે. દુર્યોધનના સમગ્ર વ્યકિતત્વની સાથે મામાએ સૂચવેલું વન (ગમે તેટલું ઉદાત્ત હેાવા છતાં) બંધ મેસતું નથી. શનિ અને ક છેવટે દુર્યોધનને એક મીડી ધમકી પણ આપે છે કે તું આપધાત કરીશ તે અમે પણુ આપઘાત કરશું', પણ દુર્યોધન એકના બે થતા નથી; અને આપઘાત માટેની તૈયારી કરવા માંડે છે. ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે. કર્યું અને શકુનિ અને અન્ય મિત્ર! અને સાથીએની સામે દર્ભોના આસન પર પ્રાણને ત્યાગ કરવા ખેડેલ દુર્ગંધન એકાએક અદૃશ્ય થઈ જાય છે.
૭૫. પ્રેરણાનું અમૃત ? કે ઉશ્કેરણીનુ' ઝેર ?
મનની, માનવમનની, આંતર અસંપ્રજ્ઞાત મનની એક નિગૂઢ પ્રક્રિયાને વ્યાસજીએ એક રેશમાંચકારી ચિત્રરૂપે આલેખી છે.
પણ માનસશાસ્ત્રના કૈાયડા ઉકેલતાં પહેલાં આપણે વ્યાસજીએ રજૂ કરેલી ઘટના જોઇએ. દુર્યોધન સૌ સાથીઓની વચ્ચેથી કેમ, કેવી રીતે, અદશ્ય થઇ ગયા ?
વ્યાસજી લખે છે કે દુર્યોધન હવે નિઃસંશય આપઘાત કરવાને જ છે એવું જ્યારે સૌને લાગવા માંડયુ. ત્યારે પાતાલમાં પડેલા દૈત્યાને ચિંતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૦
થવા લાગી. દુર્યોધન મરી જશે તો પછી અમારું કામ કોણ કરશે ? એ દૈત્યોએ અથર્વવેદની વિધિ પ્રમાણે યજ્ઞયાગ કરીને તેમાંથી એક કૃત્યા એટલે કે રાક્ષસી ઉત્પન્ન કરી. એ કૃત્યારે તેમણે આદેશ આપ્યો: પૃથ્વી પર જઈને આપઘાત કરવા તૈયાર થયેલા દુર્યોધનને અહીં લઈ આવ !”
અને પળમાત્રમાં દુર્યોધન પાતાળવાસી આ દૈત્યોની પાસે હાજર થઈ ગયો.
વિશ્વ એ સત અને અસનાં દળો વચ્ચેના અનંત સંગ્રામની સમરભૂમિ છે. પાંડ એ પૃથ્વી પર સના પ્રતિનિધિઓ છે, જયારે દુર્યોધન અને એના સાથીઓ અસતના પ્રતિનિધિઓ છે. દુર્યોધન જ્યારે નબળો પડે છે, ત્યારે અસતની સમગ્ર સેના તેને ફરી ટટ્ટાર બનાવવાની કોશિશ કરે છે એ આ ઘટનાને સ્થૂલ અર્થ.
પણ એને સૂક્ષ્મ અર્થ બહુ જ સુંદર છે. મરવા બેઠેલ માણસને છેક છેલ્લી ઘડીએ એમ થાય છે કે હું નાહકને મારા જીવનનો અંત આણું છું. જીવતો નર ભદ્રા પામશે ! એક બે વખત મારા પાસા અવળા પડયા તેથી શું થયું? આખર છત તો મારી જ છે! થોડાક માણસો મારા રાત્રુઓની સાથે છે, તો એથી અનેક ગણું સમર્થ માણસો મારા પક્ષમાં કયાં નથી ?
દે–દુર્યોધનના પિતાના જ હૃદયમાં વસતાં અસુર-ગ્રસ્ત અંધકારનાં દળો એને ખાતરી આપે છે કે, “ જરા પણ ભય ન રાખ! ભીષ્મ દ્રોણ વગેરે પણ અમારાં જ રમકડાં છે. યુદ્ધમાં તેઓ તારી પડખે જ રહેશે અને બધીયે જાતની દયામાયાને મેલીને પાંડવોને કચ્ચરઘાણ કાઢશે. આપઘાત કર મા, રે બેવફફ; જગતનું સિંહાસન તારું જ છે !”
પ્રેરણાનું આટલું અમૃત (કે ઝેર) પાઈને દાનવોએ દુર્યોધનને પેલી કૃત્યા મારફત પાછો ધરતી પર પુગાડી દીધો. આ ઘટના એટલા થોડા વખતમાં બની ગઈ કે દુર્યોધનને એમ લાગ્યું કે એને સ્વપ્ન આવ્યું અને કર્ણ શકુનિ આદિને તે ખબર જ ન પડી કે થોડીક પળોને માટે દુર્યોધન તેમની વચ્ચેથી કાપડીને અદશ્ય થઈ ગયો હતો !
ને કાઠા-ડાહ્યા દુર્યોધને પણ આ વાત તેમને ન કરી. આપઘાતને પિતાને નિશ્ચય પતે છેડી દીધું છે એમ પણ તેમને ન કહ્યું, કારણ કે
તેને ખાતરી જ હતી કે, એ લેકે ફરી પાછા તેને આપઘાતની વાત મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૧
દેવા સમજાવશે, અને ત્યારે પોતે જાણે એમના કહેવાથી જ પાતાની મમત જતી કરી રહ્યો હેાય એવા દેખાવ કરીને પાતે જ પેાતાની આસપાસ વણેલી જાળમાંથી છૂટી જશે અને બન્યું પણ તેમ જ.
એક છેલ્લા પ્રયત્ન કરી જોવાના ઇરાદાથી કર્યું દુર્યોધન પાસે આવ્યા; અને તેને ખભે હાથ મૂકીને હસતાં હસતાં કહેવા લાગ્યા ઃ
“ એક છેલ્લી વિનતિ છે, મહારાજ.''
મેલે.
..
“ હું આપના માટે નહિ, પણ મારા માટે, મારે ખાતર, આપ આ આપઘાતની વાત છેાડી દે! એમ ઇલ્લું છું.”
દુર્યોધન મૂંગા રહ્યો. કના સંભાષણને ઝેક હજુ એનાથી સમજાત ન હતા.
દ
મારી ખાતરી છે કે તેર વરસને અંતે આવનારા યુદ્ધમાં કે તે પહેલાં પણ અર્જુન સમેત પાંચેય પાંડવાને હું નાશ કરી શકીશ. અર્જુને નવાં શસ્ત્રાસ્ત્ર સાધ્યાં છે, તેમ હું પણ નવાં શસ્ત્રાસ્ત્રાની સાધના કરવા માગું છું. મને તક આપા, મહારાજ, મારી તાકાતની કસેટી કરવાની. વિજય અંતે . આપણે છે એમ મારું મન મને કહે છે. તમારે માટે તે જીવન અને મરણુ બંને સરખાં છે તે હું જાણું છું; પણ મારા માટે, તમારું જીવન અત્યંત જરૂરી છે.
,,
અને દુનિયા જાણે છે તેવી તેવી દુર્ગંધને કÖની આ વિનંતિને માન્ય
રાખી.
૭૬. ભીષ્મની લાચારી!
હસ્તિનાપુરમાં ભીષ્મ બધી વાતોથી વાકેફ હતા.
ઘાષયાત્રાને બહાને દુર્યોધન, પાંડવા જે વનમાં રહેતા હતા ત્યાં ગયા, ત્યાં ગંધર્વાને હાથે તેનેા પરાજય થયા, તે પકડાયા, યુધિષ્ઠિરે તેને એ બંધનમાંથી મુકત કરાવ્યા, ભેાંઠા પડેલા દુર્ગંધને પછી આપઘાત કરવાને નિશ્ચય કર્યો, અને છેલે કર્યું અને શકુનિએ તેને તેના એ ભીષણ નિશ્ચયમાંથી દૂર હઠાવીને જીવતા જાગતા પાછા હસ્તિનપુર આણ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪ર.
ભીષ્મને માત્ર દુર્યોધનની પેલી પાતાલ-મુલાકાતની ખબર નહોતી. દાન અને તેમની કૃત્યાની કામગીરીને અંગે તે વૃદ્ધ પુરુષ સાવ અંધારામાં હતા.
એટલે તેમને લાગ્યું કે દુર્યોધનને શિખામણના બે શબ્દો કહી તેણે લીધેલા પાપમાર્ગથી પાછો વાળવાને એક વધુ પ્રયત્ન કરવાને આ સમય છે. દુર્યોધન અને તેના મિત્રોને તેમણે પોતાની પાસે લાવ્યા. દુર્યોધનને મીઠે ઠપકે આપતાં તેમણે કહ્યું :
“તું અહીંથી ગયો તે મને જરા પણ ગમ્યું નહોતું, બેટા! પણ ગયો તે એક રીતે સારું જ થયું; કારણ કે હવે તેને અને આ કર્ણ અને આ શકુનિને અને સૌને ખાતરી થઈ ગઈ કે પાંડ કેટલા શકિતશાળી છે! આ કર્ણને તે ગંધર્વોની સામેના યુદ્ધમાં સેંકડો સૈનિકાની નજર સામે રણમાંથી ડરીને નાસી જતો દીઠે ! મારી તો ખાતરી છે બેટા, કે શું ધનુર્વેદમાં કે શું શૌર્યમાં કે શું ધર્માનુસરણમાં, કર્ણ પાંડેના પગ પાસે બેસવાને પણ લાયક નથી.
માટે હું હજુયે તને કહું છું બેટા, કે હજુયે મોડું નથી થયું; હજુયે પાંડવોની સાથે સંધિ કરીને સુખી થા; અને આ પ્રતાપી કુરુવંશને ઉત્કર્ષ
કર.”
પણ નિષ્ક્રિય ઘરડાઓના પ્રવચનની પિતાને ડાહ્યા અને સર્વશક્તિમાન માનનાર ઉછાંછળા જુવાન પર શી અસર થાય!
વ્યાસજી લખે છે કે ભીષ્મનું આ સંભાષણ પૂરું થતાં વેંત–
જનેશ્વર ધૃતરાષ્ટ્ર-પુત્ર ( ચસાસા) એકાએક અટ્ટહાસ્ય કરતો કરતો ચાલ્યો ગયો. અને ભીષ્મ ?
लज्जया पीडितो राजन्
जगाम स्वं निवेशनम् ॥ “લજજા વડે ઝાંખા બનીને પોતાના નિવાસ-સ્થાનમાં ચાલ્યા ગયા!”
ઘણને પ્રશ્ન થશે કે શું આ તે જ ભષ્મ છે, જેમણે કાશીમાં એકઠા , મળેલ સમગ્ર ક્ષત્રિય-મંડળને એકલે હાથે હરાવ્યું હતું અને પરશુરામ જેવા પરશુરામને પણ તોબાહ પોકરાવી હતી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૩
૭૭. વિષ્ણુયાગ
પછી કણે દુર્યોધનના મનની દેાર પૂરેપૂરી પેાતાના હાથમાં લીધી. દુર્યોધનની બધી જ નબળાઇઓને તે સમજતા હતા. પાંડવાને દ્વેષ એ દુર્યોધનના જીવનનું ધ્રુવ-પદ હતું. પાંડવાએ દિગ્વિજય કરી, આખાયે જંબુદ્રીપમાં પેાતાના ડંકા વગડાવી પછી રાજસૂય યજ્ઞ કર્યા હતા, તેવી રીતે દુર્યોધન પાસે પણ એક વિષ્ણુયાગ કરાવવા એવા તેણે નિશ્ચય કર્યો; અને પછી તેના પહેલા પગથિયા લેખે ભીષ્મની ખે–મેાટે નિંદા કરી, દિગ્વિજયાથે નીકળવાની દુર્ગંધન પાસે અનુજ્ઞા માગી.
કર્ણે કયા કયા દેશે પર વિજય મેળવ્યેા તે વ્યાસજીએ આપણને કઇંક વિગતથી કહ્યું છે. પહેલાં તેા તેણે દ્રુપદ ઉપર આક્રમણ કર્યુ અને તેને હરાવ્યા અને તેની પાસેથી ખંડણી ઉધરાવી. પછી ઉત્તર દિશામાં ભગદત્ત રાજાને, હિમાલય-પ્રદેશના તમામ નૃપતિને અને છેલ્લે નેપાલના નરેશને હરાવ્યા. પછી પૂર્વમાં અંગ, વંગ, કલિંગ, મિથિલા, વગેરે પાસેથી ખંડણીએ વસૂલ કરી. પછી વત્સભૂમિ, મેાહનપુર, ત્રિપુરી અને કાસલ પ્રદેશએટલા પર વિજય મેળવીને દક્ષિણ તરફ આવ્યા. ત્યાં કિમને હરાવ્યેા. ત્યાંથી પાંડય અને કેરળ, ત્યાંથી પછી અવન્તી અને ત્યાંથી છેવટે વૃષ્ણીએની (શ્રીકૃષ્ણના બાંધવજ્રને) સાથે મળીને પશ્ચિમના રાજવીઓને પણુ તેણે પેાતાના વશમાં આણ્યા.
દેશ તે વખતે સેકંડા રાજ્યેા વચ્ચે વહેંચાયલેા હતેા, અને એક એક રાજ્ય, છુટું છુટું, વશ કરવું કેટલું સહેલું હતું તે એક એક રાજા, વ્યકિત -ગત રીતે ગમે તેટલા પરાક્રમી હેાવા છતાં પાડેાશી રાજાએાના પ્રગટ અસહકાર અને પ્રચ્છન્ન દુશ્મનાવટને કારણે આક્રમકની સામે કેવા અસહાય બની જતા તે આ ઉપરથી જોઇ શકાય છે.
દિગ્વિજય કરીને ક હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે દુર્ગંધનના આનંદને પાર ન રહ્યો. અવળી મતિના એ માનવીને તે એમ જ થયું કે—
<<
ભીમે, દ્રોણે, કૃપાચાયૅ અને ખાલૢિ પણ મારી આટલી મેાટી સેવા કદી કરી નથી. હું, હું ક, હવે તારા વડે સ–નાથ છું. પાંડવેા તે તારી પાસે પૂર્ણ ચંદ્રની પાસે ખીજની ચંદ્રલેખા હોય, તેવા પણ નથી !
23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૪
આંધળા ધૃતરાષ્ટ્રે કર્ણને પ્રેમનું આલિંગન આપ્યું અને ત્યારથી એમને સૌને એમ જ લાગવા માંડયું કે પાંડવા હવે કર્ણને હાથે હણાયા જ છે! તેને ભેટા થાય એટલી જ વાર છે, હવે.
૭૮. કની પ્રતિજ્ઞા
દુર્યોધનની ઈચ્છા તેા ‘રાજસૂય’યજ્ઞ કરવાની હતી. જે યજ્ઞ પાંડવાએ કર્યા હતા, અને જે યજ્ઞને પરિણામે સમગ્ર ભારતવનુ ં ચક્રવર્તીપદ મહારાજ યુધિષ્ઠિર પામ્યા હતા તે જ યજ્ઞ એ ન કરે, ત્યાં સુધી એના અદેખા અંતરને ચેન કેમ પડે!
પણ જાણકાર બ્રાહ્મણાએ રાજય યજ્ઞ કરવાની એને રજા ન આપી. એમની દલીલ સાંભળવા જેવી છે. ‘જ્યાં સુધી યુધિષ્ઠિર જીવતા છે, ત્યાં સુધી રાજસૂય યજ્ઞ કરવાના કાષ્ટને અધિકાર નથી ’’તેમણે કહ્યું. ‘“ ચક્રવર્તી સમ્રાટ કાઇ પણ દેશમાં ખે ન હોઇ શકે!” આ દલીલે દુર્યોધનને ઠંડાગાર કરી દીધેા. વનમાં વસતા પાંડવાને છેડવાની હવે તેનામાં હામ નહેાતી, એટલે રાજસ્ય' યજ્ઞની રઢ છોડીને તેણે વિષ્ણુયાગ નામે એક ખીજો યજ્ઞ કર્યો; અને એ યજ્ઞ ‘રાજસૂય ” યજ્ઞની જ કાર્ટિને છે એવી ભાટાઈ દક્ષિણાર્થી બ્રાહ્મણોએ લલકારી તે સાંભળીને સતેાષ પામ્યા.
.
આ યજ્ઞનું આમ ંત્રણ પાંડવાને પણ આપવામાં આવ્યું હતું. દુઃશાસને એક ખાસ દૂત મેકલીને યુધિષ્ઠિરને સ ંદેશા મેકલ્યા હતા કે મહારાજ દુર્ગંધન સ્વ-ભુજાર્જિત લક્ષ્મી વડે વિષ્ણુયાગ યજ્ઞ કરી રહ્યા છે અને ભારતવર્ષના તમામ રાજવીએ ભેટા લઇ લઈને એ યજ્ઞમાં હાજર થવાના છે, તા તમે પણ ભાઇએની સાથે અમારા આનંદમાં વૃદ્ધિ કરે. ”
યુધિષ્ઠિરે આ આમ ંત્રણને બહુ જ વિનયી જવાબ આપ્યા : “ યજ્ઞા કરવાને કે યજ્ઞામાં હાજરી આપવાને! અમારે આ સમય નથી. વનવાસનાં વર્ષો વીત્યા બાદ અમે પણ યજ્ઞ કરીશું. ” પણ ભીમથી ન રહેવાયું : તમારા રાજાને કહેજો ” એણે ગના કરી કે તેરમા વરસને અંતે એક રણુ-યજ્ઞ થશે, તે વખતે અમે જરૂર હાજર રહીશું.
""
પણ વિષ્ણુયાગની સમાપ્તિ પછી પણ દુર્યોધનને શાંતિ ન લાધી. લેાકામાંથી ઘણાખરાને મત એવા હતા કે દુર્ગંધને યજ્ઞ કર્યો તે બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૪૫
tr
ધૂમધામથી, પણ યુધિષ્ઠિરના રાજય યજ્ઞની તેાલે એ ન આવે! અને ક ખીજાઇને આજ પ્રસંગે પ્રતિજ્ઞા કરી કે અર્જુનને મારી નહિ નાખુ ત્યાં સુધી પગ નહિ ધેાઉં અને મારી પાસે જે કાઈ કે. પણ માગવા આવશે તેને ‘નથી ’એવું કદી પણ નહિ કહું ! ”
વ્યાસજી કહે છે કે વિષ્ણુયાગને અંતે કર્ણે અર્જુનને હવાની પ્રતિજ્ઞા કરી છે એ સાંભળીને યુધિષ્ઠિરને સંતાપ થયા અને કવચ અને કુંડલને કારણે ક લગભગ અવધ્ય જેવા છે તેને શે ઉપાય કરવા તે બાબત તેણે વિચારવા માંડી.
૭૯. મીઠાં ઝાડનાં મૂળ
વ્યાસજીની ખૂબી એ છે–દરેક મહાન કલાકારની હેાય છે! –કે એ પેાતાના કથાનકની નાનામાં નાની વિગતાને અને તુચ્છમાં તુચ્છ મનાય એવાં પાત્રોને પણ ભૂલતા નથી. તેમની સ ંવેદનામાં સાને સ્થાન છે. પર્યંતની ઉન્નતતા આડે તૃણુની એ ઉપેક્ષા નથી કરતા; સમુદ્ર પર તેમનું ધ્યાન સ્વાભાવિક રીતે જ હાય છે; પણ જંગલના કાઇ અગમ્ય પ્રદેશમાં થઇને વહેતા નાનકડો વાંકળા પણ તેમના ધ્યાનની બહાર નથી હેાતેા.
વનવાસનાં વરસે દરમ્યાન પાંડવા દ્વૈતવનમાંથી કામ્યક વનમાં, અને કામ્યક વનમાંથી પાછા દ્વૈતવનમાં એમ વારાફરતી નિવાસસ્થાન માટેનાં વને બદલાવ્યા કરે છે એવા ઉલ્લેખ છે. પાંચ વરસ તે હિમાલય પર હતા, ત્યારે પણ કાઈ એક જ સ્થળે લાંભા વખત તે ભાગ્યે જ રહેતા.
આનાં ઘણાં કારણા કલ્પી શકાય. અવનવાં સ્થાને નિહાળવાનેા અને જાતજાતનાં અને ભાતભાતનાં માણસાને મળવાના શેાખ એ પણ એક જમરૂ
કારણ ગણાય
પણ વ્યાસજીએ એક બીજું અનેખું, સ્થૂલ-છતાં સૂક્ષ્મ-કારણું પણુ ગણાવ્યું છે. મહાભારતના લેખક કેટલા વાસ્તવદર્શી છે તેને ખ્યાલ આ પરથી પણ આવે છે.
પણ આપણે હવે વ્યાસજીની જ ભાષામાં વાત કરીએ.
પાંડવા દ્વૈતવનમાં રહેતા હતા, ત્યારે યુધિષ્ઠિરને એક સ્વપ્ન આવ્યું.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સપનામાં તેમણે દૈતવનનાં મૃગેને દીઠા. બધાં રડતા હતા, ધ્રુજતા હતા, હાથ જોડીને ઊભા હતા.
“ તમે કાણુ છે, અને શા માટે આવી રીતે કંપતા ધ્રુજતા હાથ જોડતા જોડતા મારી પાસે આવ્યા છે ?” યુધિષ્ઠિરે પૂછ્યું.. મારું કંઈ કામ હેય તેા ખુશીથી કહે..'
અમે દ્વૈતવનનાં મૃગા છીએ, મહારાજ; અમે તમને એક વિનતિ કરવા આવ્યા છીએ. કૃપા કરીને તમારું નિવાસસ્થાન હવે બદલે, તમે કાઈ ખીજા વનમાં જામે !”
કેમ ?” આશ્ચર્ય ચકિત યુધિષ્ઠિરે પૂછ્યું .
“તમે પાંચેય ભાઇએ શૂરવીર અને અતિથિપ્રિય છે. ભાગ્યે જ એવા કાઈ દિવસ ઊગે છે જ્યારે તમારે ત્યાં કુડીબંધ અતિથિએ ન આવ્યા હોય.”
“પણ તે તે! આનંદ પામવા જેવી વાત છે!”
છે જ તેા, મહારાજ, પણુ તે આપને માટે ! અમારે માટે તે એને કારણે સર્વનાશની ઘડી જ આવી પૂગી છે! કારણ કે એ બધા અતિથિને આહાર તે। આપના ભાઈએ અને આપ મૃગયા દ્વારા જ પૂરા પાડા છે ને!”
યુધિષ્ઠિર તરત જ સમજી ગયા. થાડે વખત વધુ પેાતે દ્વૈતવનમાં રહે, તા આ મૃગજાતિને તેા સેાથ નીકળી જાય ! એમના વંશવેલેા જ સચાડા ધરતીના પટ પરથી નાબૂદ થઈ જાય !
સવારે ઉઠતાં વેંત ભાઈ એને તેમણે આજ્ઞા આપી, દ્વૈતવનમાં; હવે ચાલેા કામ્યકવનમાં !”
r બહુ રહ્યા આ
મીઠાં ઝાડનાં કંઈ મૂળ ઓછાં જ ખવાય છે એ કહેવતની પાછળ આવું જ કાઈ વ્યવહારૂ ડહાપણ હશે ને !
૮૦. નથી જોઇતું મારે સ્વ
!
વનપર્વમાં વનવાસનાં પેાતે જે રમ્ય અને રેશમાંચક વર્ણના આપ્યાં છે તે ઉપરથી રખે કાઈ વાચક કે શ્રોતાને એમ લાગેકે પાંડવાને માટે વનવાસ તેા એક મહાત્સવ જેવા હતા, એટલે એ પ પૂરું કરતાં કરતાં વ્યાસજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૭
,,
એક ચેતવણી આપે છે, આડકતરી. એ ચેતવણી ખસેા ને એગણસાઠમા અધ્યાયના પહેલા લેાકમાં વપરાયલા એક શબ્દમાં રહેલી છે, એ શબ્દ છે—છળ એટલે કે “ મુશકેલીથી; માંડમાંડ; ” “અનેક આપત્તિએ
'
,,
વચ્ચે.'
અગિયાર વરસ મહામુસીબતે પસાર થયાં. તેમની નજર તેરમા વરસની પૂર્ણાહુતિ ઉપર હતી. કયારે અજ્ઞાતવાસનું વરસ પણ પુરુ થાય, અને કયારે ખાયેલું રાજ્ય પાછું હાથમાં આવે ! યુધિષ્ઠિરને તેા બાપડાને એમ જ થયા કરતુ હતું કે જુગાર રમવાની પેાતાની નખળાઈના કારણે ભાઇ તથા પત્નીને પાતે દુઃખના સાગરમાં ડુબાડવા. રાતે એને નિરાંતની ઊંધ ભાગ્યે જ આવતી. દ્યૂત પ્રસંગે કહ્યું` જે કઠોર વેણા ખેલ્યા હતા, તે ઝેર પાયેલાં તીર થઇને એના હૃદયને વીંધતાં હતાં.
જ્યારે જ્યારે આવી ધાર નિરાશા પાંડવેાના આત્માને નિરુત્સાહી બનાવે છે ત્યારે ત્યારે મહિષ વ્યાસ પોતાની મેળે જ પાંડા પાસે આવે છે. આ વખતે પણ તેઓ ત્યાં આવ્યા. “ બેટા યુધિષ્ઠિર,” પાંડવાને અતિથિસત્કાર સ્વીકાર્યા પછી તેમણે એકાન્ત શાંત સ્થળમાં તેમને ભેગા કરીને સમજાવ્યું:
kr
ધર્માચરણ કરનારાઓમાં તું શ્રેષ્ઠ છે; અને શક્તિશાળી પણ એવા જ છેા. છતાં એક વાત તને ખટકતી હશે કે વિધાતાની આ તે કેવી અવળચડાઈ, કે લુચ્ચાએ મેાજ કરે, અને પ્રામાણિક માણસે આપત્તિ વેડે ! પણ હું તને એક વાતની ખાતરી આપું છુ, બેટા, મારા લાંબા જાતઅનુભવ ઉપરથી, કે આ જગતમાં તપ કર્યા વગર મહાસુખ કાઇને યે સાંપડતું નથી. વળી સુખ શું, કે દુ:ખ શું, દુનિયામાં કાઇ પણ દશા અનંત નથી, ચક્ર ફર્યા જ કરે છે, અને માણસની વીરતા, સુખ અને દુઃખ બંનેને સમાન ભાવે બરદાસ્ત કરી લેવામાં છે.”
તપમાંથી દાનની વાત નીકળે છે અને તેમાંથી, દાનના ઉત્તમ દ્રષ્ટાન્ત લેખે, ક્રોધ-પ્રસિદ્ધ દુર્વાસાએ મુદ્ગલ નામના મુનિની કેવી આકરી કસેટી કરી હતી, અને એ કસેટીમાંથી મુદ્ગલ કેવી યશસ્વી રીતે બહાર પડવા હતા તેની વાત આવે છે.
મુદ્ગલની વાત, ઘટનાના સ્વરૂપની દ્રષ્ટિએ નહિ, પણ પ્રયેાજનની 'દ્રષ્ટિએ બાઇબલમાં અયુબની કથા આવે છે એને મળતી છે. અયુબ એક ઇશ્વરપરાયણ અને ધૈર્યનિષ્ઠ માનવી છે. એક સજ્જન તરીકે એની ખ્યાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮
એટલી બધી છે કે એને અંગે ઇશ્વર અને શેતાન વચ્ચે વાદવિવાદ થાય છે. શેતાનની દલીલ એ છે કે ઈશ્વરે અયુબને ખેબા ભરી ભરીને સંપત્તિ આપી છે, માટે જ અયુબને ઈશ્વર પર આસ્થા છે. ખરી ખબર તે એની સંપત્તિ હરી લેવામાં આવે ત્યારે જ પડે ! પછી શેતાન અયુબની બધી જ સંપત્તિ હરી લે છે, છતાં અયુબની ઈશ્વરી ન્યાય અંગેની શ્રદ્ધા ઘટતી નથી, વધે છે !
અહીં મુગલ મુનિ મહિનામાં ફક્ત બે વખત જમવાનું વ્રત લઈને બેઠા છે. એકવાર અમાસ ને બીજીવાર પુનમને દિવસે. સાથે સાથે અપરિગ્રહનું પણ વ્રત છે. પિતાને જમવા ટાણે અતિથિ આવે તો એને જમાડીને જ પછી જમે. કોઈ વાર એકથી વધુ અતિથિ આવે તો પણ એના અન્ન પર ઈશ્વરની કૃપા એટલી બધી કે સૌ યે ધરાય અને એને પોતાને પણ વાંધો ન આવે.
દુર્વાસાએ નક્કી કર્યું કે મુગલને પીછો પકડવો. એક અમાસને દિવસે એ આવ્યા. અને મુદ્દગલની રસોઈ અ-શેષ સાફ કરી ગયા. પછી પાછા પુનમને દિવસે આવ્યા અને એવા જ હાલ કરી ગયા. આમ પૂરા ત્રણ મહિના દુર્વાસાએ મુગલને અનાજ વગર રાખ્યા. પણ મુગલના મુખપરની રેખા સુદ્ધાં ન બદલાઈ. એટલે પછી દુર્વાસાએ એમને પ્રમાણપત્ર આપ્યું કે તારા જે કાઈ દાતા નથી ! પણ પછી તે દુર્વાસાએ પણ જોયું કે મુગલને તેમના પ્રમાણપત્રની યે પડી નહોતી ! મુગલ તો દુર્વાસાએ ધાર્યું હતું એના કરતાં પણ મહાન હતો, અને તે દુર્વાસાએ નજરે નજર જોયું.
કથા કહે છે કે દુર્વાસા મુદ્દગલની પ્રશંસા કરી રહ્યા હતા તે જ વખતે બરાબર દૂત વિમાન લઈને આવ્યો. ઋષિના પુણ્યને બળે તેમને સદેહે સ્વર્ગમાં જવાનો અધિકાર મળ્યો હતે.
“પણ પહેલાં મને એ કહો કે સ્વર્ગમાં શું સુખ છે!” મુદ્દગલે દેવદૂતને પૂછ્યું.
દેવદૂતે વર્ણન કર્યું. એટલે મુગલ સમજી ગયો કે સ્વર્ગ પૃથ્વી પરના કોઈ ભોગવિલાસ માટેના સ્થળથી લેશ પણ વધારે નથી; એટલું જ નહિ, પણ તે અનન્ત અને નિરવધિ પણ નથી. નક્કી કરેલ અવધિ પુરી થતાં મનુષ્યને પાછું પૃથ્વી પર અવતરવું પડે છે, અને જન્મમરણની જંજાળ વળી પાછી શરૂ થાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૯
મુનિએ દુર્વાસાના દેખતાં જ દેવદૂતને અને એના વિમાનને પાછું વાળ્યાં.
જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી એવા પદને માટે હું પ્રયત્ન કરીશ,” તેમણે કહ્યું ( જતા નિવર્તને તમ પરમ મમ).
( ૮૧. ખંધી મુત્સદ્દીગીરી ?
દુર્યોધન અને એના સાથીઓ, પાંડવોને નિસબત છે ત્યાં સુધી આજકાલના વિરોધ પક્ષો જેવા છે. સત્તારૂઢ પક્ષને ગમે તે બહાને સતાવ-એ એક જ તેમની નીતિ. દુર્યોધન અને તેના સાથીઓનું પણ આ જ એક જીવન-ધ્યેય છે. કોઈને કોઈ નિમિરો પાંડવોને ત્રાસ આપો અને એને માટે ગમે તેનો સાધનરૂપે, હથિયારરૂપે, ઉપયોગ કરે.
એકવાર એમણે દુર્વાસાને પણ આવી જ રીતે વનમાં વસતા પાંડવોને ત્રાસ આપવા માટે ઉપયોગ કરેલ. દુર્વાસા દુર્યોધનને ત્યાં ડાક દિવસ સુધી અતિથિ તરીકે રહ્યા હતા. દુર્યોધન તો જબરો ખેલાડી હતો. પોતાની દાંભિક સેવા વડે આ ભોળા મુનિને તેણે એવા તે ખુશ કરી દીધા કે મુનિએ એને વરદાન માગવાનું કહ્યું. દુર્યોધને તેના સાથીઓ કર્ણ, શકુનિ અને દુઃશાસન સાથે મંત્રણા કરીને એવું વરદાન માગ્યું કે મહારાજ, જેવી રીતે તમે અમારા અતિથિ બન્યા, તેવી જ રીતે તમે અમારા ભાઈએ, પાંડવે, જેઓ અત્યારે કામ્યક વનમાં વસે છે તેમને અતિથિ બને ! અમારાં બંને કુટુંબ એક મગની બે ફાડ જેવાં છે. તમારે અનુગ્રહ જેમ અમારા પર થયા, તેમ તેમના પર પણ થાય તો અમારાં ભાગ્ય ઉધડી જાય !
લુચ્ચાઓની અંદરની મુરાદ એ હતી કે દુર્વાસા જેવા રિસાળ અતિથિની ખાતરબરદાસ્ત વનવાસી પાંડોથી સંતોષકારક રીતે નહિ જ થઈ શકે. કયાંક ને કયાંક જરા ઉણપ આવશે. પરિણામે દુર્વાસા નારાજ થઈને પાંડને શાપ આપશે અને આપણે ..... ટાઢે પાણીએ ખસ જશે! આવી બંધી મુત્સદ્દીગીરીને સમજવા જેટલી સૂક્ષ્મતા સરલ હદયના દુર્વાસામાં કયાંથી હોય! એટલે એ તો હસ્તિનાપુરમાંથી રવાના થઈને સીધા પહોંચ્યા ...... કામ્યક વનમાં ! .......
અને તે પણ એકલા નહિ, અનેક સાથીઓને સાથે લઈને!
હવે દુર્વાસા પાંડવોના નિવાસસ્થાને પહોંચ્યા એ વખતે દ્રોપદીએ પણ ભજન કરી લીધું હતું એટલે સર્ષે આપેલ અક્ષયપાત્ર હવે બીજા દિવસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સવાર સુધી કુંજ કામ લાગે એમ ન હતું. અને દુર્વાસાએ તે! આવતાં વેંત ભાજનની માગણી કરી.
હવે શું કરવું ?
વ્યાસજીએ એક રમૂજી છતાં ખૂબ મર્માળા કિસ્સા અહીં કહ્યો છે.
અચાનક ઊભી થયેલી આ અનાજ-સમસ્યામાંથી ડાઇ મા કઢવા માટે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને સંભાર્યા. કૃષ્ણે રૂકિમણીનું પડખુ છેાડીને દ્વારકામાંથી કામ્યક વનમાં આવ્યા. આવતાં વેંત દ્રૌપદીને કહે : અક્ષયપાત્ર કાઢ, અને મને જમાડ! હું ખૂબ ભૂખ્યા છું.”
cr
‘કયાંથી જમાડું તમને ! અક્ષયપાત્ર હવે કાલ સવાર સુધી કશું જ નથી આપવાનું! દ્રૌપદી કરગરી. આટલા માટે તા તમેાને છેક દ્વારકાથી અહીં સુધી આવવાની તકલીફમાં નાખ્યા છે.
,,
""
""
""
‘પણ અક્ષયપાત્ર તુ' લાવ તે! ખરી !”
દ્રૌપદી લઇ આવી. કૃષ્ણે એના પર હાથ મૂકયા. પછી કહ્યુંઃ મેાલાવ હવે, દુર્વાસા અને એમના સાથીએને!”
<<
પણ દુર્વાસા અને એમના સાથીને જ્યારે ખબર પડી કે કૃષ્ણે પાંડવાની પાસે આવેલ છે. ત્યારે તેમને પેલે અંબરીષવાળા પ્રસંગ યાદ આવી ગયેા.
અને સિંહ આવ્યા છે એવા સમાચાર સાંભળી હરણાંએ નાસી જાય એમ પગમાં હતું તેટલુ જોર કરીને તે નાસી ગયા !
અને પછી બ્રાહ્મણ અતિથિએ ભૂખ્યા ચાલ્યા ગયા એવા વસવસેા કરી રહેલ પાંડવા અને દ્રૌપદીને શ્રીકૃષ્ણે જ્યારે દુર્યોધનના કાવતરાની વાત કરી ત્યારે તેમના આશ્ચર્યના પાર ન રહ્યો!
૮૨. દ્રોપદી-હરણ
એનું હરણ, એ જમાનામાં કાઈ અસામાન્ય બનાવ નહિ મનાતા હોય, કદાચ. કયાંક કયાંક તા સ્વયંવરની સાથે જ હરણા સંકળાયેલાં દેખાય છે. ગમે તેમ, પણુ આઠ પ્રકારનાં લગ્નમાં હરણ કરીને લાવેલી કન્યા સાથેના લગ્નને સમાવેશ પણ આપણા સ્મૃતિકારોએ કર્યા છે એટલું જ નહિ, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૧
એવાં લગ્નને પ્રમાણમાં ઊંચી કોટિનાં માનવામાં આવ્યાં છે તે આપણું તે વખતની સંસ્કૃતિની પ્રકૃતિ ઉપર ઠીક ઠીક અજવાળું પાડે છે.
પણ આ પ્રકરણમાં આપણે જે હરણની વાત કરવા માગીએ છીએ તે તો નિઃસંશય રીતે હલકામાં હલકી, ગુન્હાહિત કેટિનું છે. ચોરી, લૂંટ અને ખૂ ન કરતાં પણ જેને નીચું સ્થાન આપવામાં આવે એવા અપરાધની કોટિનું છે. રાવણે સીતાનું હરણ કર્યું હતું તેના કરતાં પણ વધુ અધમ કેટિનું આ હરણ હતું ; કારણ કે રાવણપણે તો એક બચાવ જેવું પણ હતું. રામે રાવણના સ્વજને ખર અને દૂષણને મારી નાખ્યા હતા અને તેની બહેન શુર્પણખાને અપમાની હતી. રાવણના સતા-હરણની પાછળ વૈર-તૃતિને હેતુ હતો.
પણ અહીં કોમ્પકવનમાં પાંડવો રહેવા આવ્યા, તે પછી થોડાક જ વખતમાં દ્રૌપદીનું હરણ થયું તેની પાછળ તે નરી વોનપશુતા ( Sexual beastliness ) જ હતી.
પહેલાં તે હરણ કરનાર પાત્રને જોઈએ. એ સિધુ-સૌવીર દેશોને રાજા જયદ્રથ છે. પરણેલો છે. દુર્યોધનને બનેવી છે. ધૃતરાષ્ટ્રને જમાઈ છે.
એ ફરી વાર પરણવા નીકળેલ છે. કટિકાર્ય વગેરે તેના ખંડિયા રાજાઓ તેની સાથે છે. શાવ દેશમાં કોઈ રાજકન્યા સાથે તેનું વાગ્દાન થયું છે. તે રાજકન્યાને એ પરણવા જઈ રહ્યો છે, જાન જોડીને.
વચ્ચે કામ્યકવન આવે છે. જયદ્રથને રસ્તો પાંડવોના નિવાસસ્થાન પાસે થઈને જાય છે, જયદ્રથ જયારે ત્યાં આગળ આવે છે, ત્યારે એ નિવાસસ્થાનમાં શૈપદી એકલી છે. પાંડ મૃગયાર્થે ગયેલા છે. ધમ્ય પુરોહિત અને બીજા બ્રાહ્મણો તેમજ પરિચારકે તથા પરિચારિકાઓ, અલબત્ત સ્થળ ઉપર જ છે. બારણે ઉભેલી દ્રૌપદી ઉપર જયદ્રથની નજર જેવી પડે છે તે જ તે કામવિવશ બને છે. આવું દેહસૌન્દર્ય જાણે તેણે પૂર્વે કદી જોયું જ નથી. થોડેક આઘે જઈને કાટિકાર્યને તે પાછો મોકલે છે–-રૂપની એ રાણું કોણ છે તે જાણું લાવવા અને પરિસ્થિતિને અભ્યાસ કરવા.
જ્યારે ખબર મળે છે કે પેલી સ્ત્રી દ્રૌપદી છે અને એના પાંચ પતિઓ અત્યારે આશ્રમની બહાર છે ત્યારે જયદ્રથને લાગે છે કે વરે જ તેને આ તક આપી છે. પાછા વળીને તે દ્રૌપદી પાસે જાય છે. પહેલાં તે તે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #265
--------------------------------------------------------------------------
________________
૨પર
તેને સમજાવે છે વનવાસ ભોગવતા પતિઓનો ત્યાગ કરીને પોતાની સાથે ચાલી નીકળવાને. ( જયદ્રથને મનુષ્યસ્વભાવનું કેટલું જ્ઞાન હશે એ આ ઉપરથી જ જોઈ શકાય છે;) દ્રૌપદી જ્યારે તેની વાત માનવાનો ઇન્કાર કરે છે ત્યારે જયદ્રથ તેને ઊંચકીને રથમાં નાખે છે અને રથને મારી મુકે છે. તેના સાથીએ, તેનું લાવલશ્કર પણ સાથે જ જાય છે.
શૈમ્ય પુરોહિત બ્રાહ્મણોને સાથે લઈને પગપાળા જયદ્રથની પાછળ દોડે છે. શિકાર અથે વનમાં ગયેલા પાંડને નામ દઈ દઈને મોટેથી પોકારતા તેમજ દ્રૌપદીને શક્ય તેટલું આશ્વાસન આપતા તે જયદ્રથને પીછો કરે છે.
અહીં પાંડવે જ્યારે પાછા આવે છે ત્યારે દ્રૌપદીની ખાસ પરિચારિકા અને ઘટનાના અન્ય સાક્ષીએ તેમને જયદ્રથે કરેલ આ દુષ્કૃત્યના વિગતવાર સમાચાર આપે છે અને તેઓ તે જ પળે જયદ્રથની પાછળ દોડે છે.
થોડીક જ વારમાં તેમને અને જયદ્રથની પાછળ પગપાળા પડેલ ધૌમ્યને ભેટા થઈ ગયે; અને થોડીક વધુ પળો પછી ૌપદી સાથે રથમાં બેઠેલ જયદ્રથને પણ તેમણે દીઠો. જયદ્રથનાં તો આ પાંચ ધારમલને જોતાં વેંત હાંજાજ ગગડી ગયાં. કટિકાસ્ય અને બીજા ખંડિયાઓએ તેના ફરતો જીવતાં શરીરને ગઢ રચી પાંડવોથી તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ લંપટ સાથી પ્રત્યેની તેમની વફાદારી તેમને પોતાને જ ભારે પડી ગઈ. પાંડવોની બાણુવર્ષા સામે તેઓ કઈ ટકી ન શકયા અને સાથીઓને ટપોટપ પડતા દેખીને વધુ ગભરાયેલે કાયર જયદ્રથ દ્રૌપદીને રથમાંથી ઊતારીને નાઠે. દ્રૌપદીને પછી યુધિષ્ઠિર અને નકુલ તથા સહદેવ તથા ધૌમ્ય આદિ બ્રાહ્મણોની દેખરેખ નીચે નિવાસસ્થાને પહોંચાડવામાં આવી અને અર્જુન અને ભીમ નાસતા જયદ્રથની પાછળ પડયા.
જયદ્રથ પકડાતાં ભીમે તેને કોઈ ઢોરને મારે એવી રીતે માર્યો. ભીમ તે તેને મારી નાખવાની જ તરફેણમાં હતો પણ યુધિષ્ઠિર ચેતવણી આપતા ગયા હતા કે ગમે તે તો પણ એ આપણે એટલે કે દુર્યોધનને બનેવી છે, એટલે માતા ગાન્ધારીને વિચાર કરીને એને જતા કરો.
આખરે એક શરતે એને જીવતદાન આપવામાં આવે છેઃ યુધિષ્ઠિર પાસે જઈ, એને દંડવત પ્રણામ કરીને “હું તમારે દાસ છું” એમ કહેવું.
પણ યુધિષ્ઠિરની દયા વડે જીવતદાન પામેલ જયદ્રથ આ દુર્ભાગી ઘટનામાંથી કંક સારો બેધપાઠ તારવવાને બદલે કાઈ વિચિત્ર નિષ્કર્ષ જ તારવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પિતાને વતન પાછો ફરવાને બદલે તે ગંગાધાર જાય છે. ત્યાં આગળ તે શિવની આરાધના કરે છે. શિવ પ્રસન્ન થાય છે અને વરદાન માગવાનું કહે છે. જયદ્રથ પાંચે પાંડવોને નાશ કરવાની શકિત માગે છે. શિવ તેને સમજાવે છે કે એ શક્ય જ નથી, કારણ કે અર્જુન કૃષ્ણને સાથી અને સખા છે. અર્જુન સિવાય બાકીના ચાર ભાઈઓને નાશ કરવાની શકિત શિવ તેને આપે છે.
શિવ પાસેથી આવું વરદાન પામવા છતાં જયદ્રથ ચારેયમાંથી એકકેય પાંડવોને શા માટે ન મારી શકે, અને શા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને હાથે તે મરાયે તેને ખુલાસો યથાસ્થાને આવશે.
૮૩. વનવાસના છેલ્લા દિવસો
અનેક મનોરંજક અને નીતિબોધક કથાઓથી ભરેલા વનપર્વની પૂર્ણાહુતિ વ્યાસજી સુંદર રીતે કરે છે. જયદ્રથવાળા પ્રસંગ પછી પાંડવો કામ્યક વનમાંથી ફરી પાછા દૈતવનમાં આવ્યા છે. ત્યાં તેમની જીવનચર્યા યથાપૂર્વ ઇશ્વરપાસના, મૃગયા અને આખ્યાન-શ્રવણ આદિ નિત્ય-નૈમિત્તિક કાર્યોમાં વહેતી જાય છે. વનમાં પણ રાજધર્મ તેઓ ચુક્તા નથી. સંકટગ્રસ્ત એવાં સૌના તેઓ આશ્રયસ્થાન છે. અન્ન દ્રવ્ય સહાય-કંઈ પણ મનમાં લઇને આવેલ કોઈ પણ માણસ તેમને આંગણેથી ખાલી હાથે કદી પાછો ફરતો નથી.
એક દિવસની વાત છે. એક બ્રાહ્મણ આવ્યા. આવતાંવેંત તેણે ધા નાખીઃ “મહારાજ, એક મૃગ અગ્નિ પ્રગટ કરવાની મારી અરણી લઈને નાસી ગયો છે. એ અરણી જયાં સુધી મારા હાથમાં પાછી નહિ આવે ત્યાં સુધી અગ્નિહોત્ર મારાથી થઈ શકશે નહિ, અને અગ્નિહોત્ર વગર, છને અને મારે ઉપવાસ કરવા પડશે.”
“તો હવે આપ શું ચાહે છે, મહારાજ ?” યુધિષ્ઠિરે પૂછ્યું.
મારી અરણું મને પાછી લાવી આપો,” બ્રાહ્મણે જવાબ આપ્યો. “કેવી રીતે ?”
“એ મૃગને, એ જયાં હોય ત્યાંથી શોધીને. આપના જેવા મૃગયાપ્રવીણોને માટે આ કામ જરાયે મુશ્કેલ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પાંચ ભાઈઓ ઉપડયા. બ્રાહ્મણે ચીધેલ દિશામાં તેઓ મૃગની શોધ કરવા લાગ્યા. ઘડીક એકાદે મૃગ તેમને દેખાય પણ ખરો, પણ ઘડીક પછી પાછો એ અદશ્ય પણ થઈ જાય. સવારમાં નીકળેલા તે ઠેઠ આવી દોડાદોડીમાં બપોર થવા આવી. સૂર્ય જાણે આગ વસાવતો હતો. નીચે ધરતી, ઉપર આકાશ અને ચારે ય દિશાઓ-સુષ્ટિ આખી જાણે માનવીને રોકવા માટેના કાઇ વિરાટયંત્રમાં ફેરવાઈ ગઈ હતી.
આવામાં તરસ લાગે એમાં નવાઈ શી? અને જળાશયોની કોણ જાણે કેમ પણ એક ખૂબી એ હોય છે કે તરસ લાગે ત્યારે એ દેખાતાં જ નથી !
જરા આ ઝાડ ઉપર ચડીને જો, ભાઈ નકુલ,” યુધિષ્ઠિરે આદેશ આપ્યો, “આટલામાં કાઈ જળાશય છે ખરું? કઈ નદી, કોઈ તળાવ, કાદ' , કાઈ વાવ ?”
યુધિષ્ઠિરના શબ્દો પૂરા બોલાઈ રહે તે પહેલાં તો નકુલ એક ઊંચા ઝાડની ઊંચામાં ઊંચી ડાળી ઉપર ચડી ગયો અને ગીધની–કે ગરૂડની ? -નજરે તેણે ચારે દિશાઓને ફંફેસવા માંડી.
છે કંઈ?” નીચે તરસથી તરફડતા ભાઈઓમાંથી એક જણે અધીરાઈ બતાવી.
એ...ય આથમણી દિશામાં થોડેક દૂર એક જળાશય જેવું કંઇક દેખાય છે ખરું,” નકુલે કહ્યું.
અને પછી ત જ પળે ઉમેર્યું: “જળાશય જ છે; એ સ્થાને ભેગાં થતાં હજારે પક્ષીઓ ઉપરથી હું કહી શકું છું.”
અને પછી ઝાડ પરથી નીચે ઊતરી મટાભાઈ યુધિષ્ઠિરની સામે હાથ જોડીને તેણે વિનંતી કરી, “તમે રજા આપતા હો, વડીલ, તો તમારા સૌ માટે હું પાછું લઈ આવું. બહુ દૂર નથી.”
ભલે. અને તું પીતા પણ આવજે.” યુધિષ્ઠિરે આજ્ઞા આપી. અને નકુલ જળાશયની દિશામાં અદશ્ય થઈ ગયો.
એનું અવલોકન સાચું જ હતું. ખરે બપોરે વસંતઋતુની ચાંદની-ધવલ મધરાતની યાદ આપે એવી શીતલતાને અનુભવ કરાવતું, ચારે બાજુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૫
એકમેકમાં ગુંથાઈને ઊભેલાં ઘટાદાર વૃક્ષાની છાયામાં અસંખ્ય સારસયુગલેથી ગેાભતું એક જળાશય તેણે જોયુ...
અને તે દાડયા-પાણી લેવા, અને પીવા.
પણ તળાવમાં હિલેાળા મારતાં નીરને જેવા તે સ્પર્શી કરવા જાય છે તેવા જ તેના હાથે વીજળીને એક આંચકા અનુભવ્યા અને “ આ શું ? ” એવા વિચાર તેના મનમાં ઉદ્દભવ્યો કે તરત જ કાઇ અદીઠ સત્ત્વ માનવીના અવાજે કંઇ ખેલતુ હેાય એવા તેને આભાસ થયા. એ અદી સત્ત્વ તંતે ઓળખતું હતું; અને એ અવાજ તેને ચેતવણી આપતા હતાઃ “દૂર રહેજે પાણીથી, માદ્રીપુત્ર ! જ્યાં સુધી મારા પ્રશ્નોનેા જવાબ તું નહિ આપે ત્યાં સુધી, ન એ પાણી તું પી શકીશ, ન એ પાણી તું તારા ભાઓ માટે લઇ જ શકીશ, ’’
પણ અવાજ શમ્યા અને ખીજી જ પળે નકુલને લાગ્યું કે એ માત્ર તેના તરસ્યા મનની કાઈ માયાજાળ જ હતી !
અને નીચે મૂકીને તેણે પાણી પીવા માંડયું અને પીતાં વેંત તે ઢળી પડયા. અહીં ચારે ય ભાઈએ નકુલના પાછા ફરવાની વાટ જોતા હતા તે વાટ નેતા જ રહ્યા. ઘણા લાંખા વખત વીત્યા બાદ યુધિષ્ઠિરે સહદેવને તેની તપાસ કરવા મેાકલ્યે, અને સહદેવની પણુ બરાબર આ જ દશા થઈ.
આ પછી યુધિષ્ઠિરે અર્જુનને મેાકલ્યા. તળાવને કાંઠે પહેાંચતાં વેંત તેણે બંને ભાઈઓને ત્યાં ઢળેલા દીઠા : પણ તરસ તેને એટલી ઉત્કટ લાગી હતી કે પાણી પીવાની વૃત્તિને તે રોકી શકયા નહિ. પણ પાણીને સ્પર્શી કરે તે પહેલાં જ તેણે પેલી આકાશવાણી સાંભળી. પણ આ તો અર્જુન, સહદેવ કે નકુલ નહિ !
કાને પડતા નક્કર શબ્દા મનની ભ્રમણા છે એમ એ શી રીતે માને! પ્રજ્ઞા એની પરિપકવ હતી. બુધ્ધિ એની પ્રમાણુશાસ્ત્રના નિયમેા પ્રમાણે કામ કરનારી હતી. કાં છે, તેા કારણુ હોવું જ જોઈ એ, ભલે તે દેખાતું ન હેાય, એવી તેની ખાતરી હતી. બાણા કાઢી ધનુષ્યમાં પરાવી તેણે ચારેકાર શરવર્ષા કરવા માંડી–પ્રચ્છન્ન શત્રુને સામી છાતીએ મેદાનમાં આવી જવા
પડકારવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૬
“શરવ અહીં નકામી છે, પાર્થ, ” તે જ અવાજ ફરી તેના કાને પડયા. “ પાણી પીવું હોય અને ભાઈઓ માટે લઈ જવું હોય, તો પહેલાં મારા પ્રશ્નોના ઉત્તરો આપ; નહિતર જેવી દશા આ નકુલ અને સહદેવની થઈ છે એવી જ તારી સમજી લે !”
વ્યાસજી કહે છે, કે આ ચેતવણું ન ગણકારતાં અર્જુને પાણી પીવા માંડયું અને તે પણ ઢળી પડશે.
“ ભીમ” પેલા ઝાડની છાયામાં યુધિષ્ઠિરે પોતાના બાકી રહેલા એક ભાઈને કહ્યું: “ આ શું કૌતુક છે? જે જાય છે તે ત્યાં જ રહે છે! તું જા તો જરા ! જોઈ તો આવ અને પાણી પણ પી આવ, અને તે પણ આવ અને સૌને તેડતા પણ આવ.”
ભીમ આમેય અધીર થઈ ગયા હતા, તૃષા અને કુતૂહલ બંનેને લઇને તે દોડે પણ તળાવમાં પહોંચતાં વેંત તેની પણ એ જ દશા થઈ.
આખરે યુધિષ્ઠિર તે જ ઊઠયા. સૌ ભાઈઓ જે દિશામાં જઈને ખવાઈ ગયા હતા, તે દિશામાં ચાલ્યા. થોડીક વાર ચાલ્યા હશે, ત્યાં તેમણે પેલું રમણીય તળાવ જોયું અને કાંઠે પોતાના ચારે ય ભાઈઓને ઢળેલા જોયા.
અને તેમણે વિલાપ કરવા માંડયો.
ચાર ચાર ભાઈઓના આમ અચાનક થયેલ મૃત્યુને આઘાત રૂદન વાટે થોડોક હળવો ર્યા પછી તેમણે વિચાર કર્યો; આમની આવી દશા શી રીતે થઈ હશે ? કઈ શસ્ત્ર વાગ્યાનાં એંધાણે નથી એમનાં અંગે પર. નથી કેાઈ ત્રાહિતનાં પગલાંની પંકિતઓ પણ, આ ધરતી પર. આ પાણીમાં તે કંઈ દળે નહીં હોય ? પી જોઉં ત્યારે ખબર પડે. દુર્યોધને એમાં ઝેર તે નહિ ભેળવ્યું હોય ! કે પછી શકુનિ, જેને કાર્યાકાર્ય બધું જ સરખું છે, એણે કઈ તર્કટ રચ્યું હશે
પછી વધુ વિચારતાં લાગ્યું કે ના. ના, વિષને પ્રવેગ તે અહીં નથી જ થયા. કારણ કે ચારેય ચાર ભાઈઓની મુખાકૃતિ, મૃત્યુની સ્થિતિમાં પણ, એવી ને એવી જ સૌમ્ય છે છતાં ચાલ, જેઉં તો ખરો !
તળાવનાં પાણીમાં યુધિષ્ઠિર ઊતર્યા. થોડાંક પગલાં પાણીમાં ભર્યા હશે ત્યાં એ જ અવાજ એમને કાને પડયે : “સાવધાન ! મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર પાણી પીશ અથવા લઈશ, તો તારી એજ દશા થશે, જે તારા ભાઈઓની થઈ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
“તમે ક્રાણુ છે? હિમાલય, પારિયાત્ર, વિધ્ન અને મલવ એ ચાર પર્વતા જેવા મારા ચાર ભાઈઓને મારનાર તમે છે। કાણુ ?”
Co
હું છું એક યક્ષ ! '”
યુધિષ્ઠિરે અવાજની દિશામાં તેવું તે તેણે તાડ જેવડા એક ઊંચા યક્ષને વૃક્ષ પર બેઠેલેા જોયા.
૨૫૭
4
શા છે તમારા પ્રતે ? બાલે. આવડશે તેવા ઉત્તરા હું આપીશ,” યુધિટિરે કહ્યું .
અને પછી જે પ્રશ્નોત્તરા થયા, એ બે વચ્ચે, તે યક્ષ-યુધિષ્ઠિર-સંવાદ નામે ભારતભરમાં જાણીતા છે.
આ યક્ષ ખીજો કાઈ નહિ પણ સાક્ષાત્ ધ હતા એમ મહાભારત કહે છે.
જનાર
આ ધર્મ- યુધિષ્ઠિરના આધ્યાત્મિક પિતાએ, પછી એને વરદાન માગવાનું કહ્યું. યુધિષ્ઠિરે માગ્યું કે પેલા બ્રાહ્મણની અરણી હાથ ન લાગે તે પણ તેને ધર્મ જળવાઈ રહે. હવે ખુલાસે થયા કે અરણીને લઇ એ મૃગ પણ ધર્મ જાતે જ હતેા. યુધિષ્ઠિરની કસેાટી કરવા માટે જ મૃગનુ રૂપ ધારણ કરીને તેણે બ્રાહ્મણુની અરણીને હરી હતી. તે અરણી તેણે યુધિષ્ઠિરને સોંપી દીધી.
ખીજા એક વરદાન લેખે યક્ષે તેરમું વરસ અજ્ઞાતવાસમાં ગાળવા માટે વિરાટનગરનું નામ સૂચવ્યું. એક ત્રીજું વરદાન માગવાનું યક્ષે યુધિષ્ઠિરને કહ્યું ત્યારે યુધિષ્ઠિરે માગ્યું:
जयेयं लोभमोहौ च क्रोधं चाहं सदा विभो । दाने तपसि सत्ये च मनो मे सततं भवेत् ।
<<
( લેાભ, મેાહ અને ક્રોધ-ત્રણ ઉપર હું સદા વિજય મેળવુ અને દાન, તપ અને સત્યમાં મારું મન સદા રત રહે. ” )
યુધિષ્ઠિરના ચારિત્ર્ય પર આ પ્રસંગ અને એણે માગેલું આ છેલ્લું
વરદાન સારે। પ્રકાશ પાડી જાય છે.
કથા કહે છે ... આ પછી ધમે ચારે ય ભાઈ એને મેટ્ટા કર્યા અને પાંચેય જણ પેાતાને આશ્રમે આવ્યા, પેલા બ્રાહ્મણને તેની અરણી સુપ્રત કરી અને અજ્ઞાતવાસના તેરમા વરસની પ્રતીક્ષા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
વિરાટપર્વ
सदैव मे धर्मरता मतिर्भवेत् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૦
ધર્મયુદ્ધ (રેડિયે નાટિકા)
વિરાટ પર્વની કથા મહાભારતને પગલે પગલે રજૂ થાય તે પહેલાં નીચેની એક રેડિયે-નાટિકા વાંચી જવી ઠીક પડશે. વનપર્વ અને વિરાટપર્વ એ બે વચ્ચેના સંધિ સમયે પાંડવો અને પાંચાલીનું માનસ કેવું હતું, તે પર કંઇક વધુ પ્રકાશ એ નાટિકા પાડશે.
પ્રવક્તા : શબ્દ જ વિચિત્ર અને વિરોધાભાસી છે : ધર્મયુદ્ધ !
ખબર નહિ કેણે પહેલવહેલો પ્રયોગ કર્યો હશે, અને કેવા સંયોગોમાં ! ધર્મયુદ્ધ ! ધર્મને ને યુદ્ધને સંબંધ શો ? ધર્મ તે યુદ્ધોને અટકાવવા માટે છે ! અને યુદ્ધ ....ધર્મના ખ્યાલ સાથે તો બંધબેસતું નથી જ ! અને છતાં, દરેક લડનાર, પોતે ધર્મને ખાતર અને ધર્મપૂર્વક જ લડે છે એવું માનતા હોય છે, અને દરેક ધર્મપરાયણ
દ્રૌપદી : અને સ્ત્રી નહિ, પ્રવકતા ? પ્રવકતા સ્ત્રી કેમ નહિ, પદીજી ! હું દરેક ધર્મપરાયણ પુરુષ અને સ્ત્રી
એમ કહેવા જતો'તો, પણ તમે, માફ કરજો મને, ભારે અધીરાં ! દ્રૌપદી : હું અધીરી છું કે નથી, એ મારા આ પાંચ ધીરજવાળા પતિઓને
પૂછો, પ્રવકતાજી. પણ દરેક ધર્મપરાયણ પુરુષ અને સ્ત્રી વિષે
તમે કહેવા શું માગતા હતા ? પ્રવકતાઃ હું એમ કહેવા જતો, પાંચાલીજી, કે દરેક ધર્મપરાયણ પુરુષ
અને સ્ત્રી... ભીમ : સ્ત્રી અને પુરુષ કહે, પ્રવકતાજી; પુરુષ અને સ્ત્રી નહિ ! પ્રવકતાઃ ફેણ ભીમસેન ? ભીમ : મારા હાથમાં આ ગદા છે તે પણ નથી જોઈ શકતા કે શું ?
ખરે બપોરે ? પણ તમે જે કહેવા માગતા'તા તે કહી દો ને ઝટ,
એટલે અમે અમારે કામે લાગી જઈએ ! પ્રવકતાઃ હું તે એટલું જ કહેવા માગતો હતો ભીમસેન કે દરેક ધર્મપરાયણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૬૧
પુરુષ અને સ્ત્રી..અરે ભૂલ્યા, સ્ત્રી અને પુરુષ એમ જ માનતાં
હોય છે કે યુદ્ધ વગર ધર્મનું રક્ષણ થાય જ નહિ ! અજુનઃ પણ અધર્મ એ ન જ માને, કેઇ પણ રીતે, ત્યારે યુદ્ધ સિવાય
બીજો કાઈ રસ્તો ખરો ? દ્રૌપદી : સાક્ષાત ધર્મની મૂર્તિ સમા આ તમારા મોટા ભાઈને જ પૂછી
જુઓ ને, ધનંજય. એમનું ચાલે તો આપણા સૌના હાથમાં દંડ
અને કમંડલ જ આપે, દુર્યોધન સામે લડવાને બદલે ! યુધિષ્ઠિરઃ તમે મને અન્યાય નથી કરતાં, દેવી ? યુદ્ધને અવસર વિભા
થયા હોય અને મેં પાછી પાની કરી હોય એવું એક પણ પ્રસંગ બતાવશે ?
(પદી અને ભીમ ખડખડાટ હસે છે. ) દ્રૌપદી : અવિનય માટે ક્ષમા કરજે, મહારાજ, પણ એ પ્રશ્ન તમે મને
પૂછવા કરતાં આ મારા ચેટલાને પૂછો તો વધુ સારું. યુધિષ્ઠિર: તમે શું કહેવા માગો છો એ હું બરાબર સમજું છું, દેવી; પણ
તે વખતે મારા હાથ ધર્મથી બંધાયેલા હતા. બાર વરસ વનવાસ
અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ..એ શરત મેં સ્વીકારી હતી. વિૌપદી : પુ શરત કરે, અને...અને સ્ત્રીઓ...કયાં ગયા પ્રવકતા ?
૯ કેમ કે બેલતા નથી ? પ્રવક્તા: મહારથીઓ લડે તેમાં મારું કામ નહિ, કૌપદીજી! દ્વારકાને
કૃષ્ણ હોત, તો તમને કદાચ, જે જવાબ તમે માગો છો, તે
મળી જાત ! દ્રૌપદી : એ એક જ પુરષ છે, અમારાં સૌમાં ! પાંચેય પાંડવે : (સાથે) એટલે ? અમને સૌને સ્ત્રીઓમાં... ૌપદી : હું સ્ત્રીઓનું અપમાન કરવા નથી માગતી, આર્યપુત્રો ! પણ
જેમની ગદા વિશ્વમાં વિખ્યાત છે એવા આ વૃકાદર, જેમના ધનુષ્યના ટંકારે દિગતો ડોલી ઊઠે છે–એમ કહેવાય છે !-એવા આ ગાંડીવપાણિ, જેમનાં કૃપાણો પાસે ઐરાવત પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
બેઠેલ ઇન્દ્રનું વજ પણ વૃથા સાબીત થાય છે એવા આ નકુલ અને સહદેવ, બધા ય નીચી મુંડ કરીને બેઠા રહ્યા,
હસ્તિનાપુરની રાજસભામાં, અને મારે આ કેશકલાપ........... ચારેય : અમે મોટા ભાઈની પાસે લાચાર હતા... યુધિષ્ઠિર અને હું ધર્મની પાસે લાચાર હતો... દ્વપદી : અને હંમેશા રહેવાના ! યુધિષ્ઠિરઃ હંમેશા નહિ; ફકત એક વરસ માટે, હવે! આવતી કાલથી
અજ્ઞાતવાસનું આપણું વર્ષ શરૂ થાય છે, જે વીત્યા બાદ દુર્યોધન
પાસે આપણા રાજ્યની આપણે માગણી કરીશું.... ભીમ : (મશ્કરીમાં) મિક્ષ નં દ ! યુધિષ્ઠિર તું ભલે દાઢમાંથી બોલે, અત્યારે, ભીમ, પણ ધર્મ અને ભિક્ષાનું
દેહિ” એ બે જુદી વસ્તુઓ છે તે તું આવતે વરસે, આજથી ત્રણ સે ને એકસઠમે દિવસે બરાબર જોઈશ; કાં તે દુર્યોધને આપણું રાજય આપણને પાછું સોંપવું પડશે, કાં તો દુર્યોધનનું માથું એના ધડથી જુદુ થશે!
[ છેલ્લા ચાર શબ્દો બધા જ ભાઈઓ સાથે-દુનિયા
સમક્ષ પ્રતિજ્ઞા કરતા હોય એવી રીતે ગઈને બાલે છે. ] યુધિષ્ઠરઃ શાન્તિ ! શાન્તિ ! સારું છે કે આટલામાં કાઈ તેરમો કાન નથી,
નહિતર.......... ભીમ : નથી કેમ ? આ પ્રવક્તાજી છે ને! યુધિષ્ઠિર પ્રવકતાજી એ તેરમો કાન નથી, ભીમ, એ તો આપણું સૌનું
સઘા અંતઃકરણ છે. એ બોલે છે, ત્યારે આપણને પણ મહામુશ્કેલીએ સંભળાય છે. દુનિયાની તો વાત જ શી ! પણ હું એમ કહેવા જતો હતો કે આટલામાં કાઈ સાતમો માણસ નથી એટલું સારું છે, નહિતર તમારી આ ગજના એટલી બધી વિકરાળ હતી કે આપણે આ અજ્ઞાતવાસ શરૂ થતાં પહેલાં જ છતાં થઈ જાત અને કરાર પ્રમાણે બીજાં બાર વરસ આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૩
વનમાં વીતાડવાં પડત ! માટે ધીમેથી બોલે, આપણું સલામતીને ખાતર ! ખબર તો છે ને કે આપણે શા માટે અહીં આવ્યા
છીએ? આપણે કયાં છીએ એ તો જાણો જ છે ને ? સહદેવ ? આપણે મત્સ્ય દેશની સીમ પર છીએ, ખરું ને મોટાભાઈ ? યુધિષ્ઠિરઃ ખરું છે, સહદેવ ! નકુલ : આપણે વિરાટની રાજધાનીથી અર્ધા યોજન જ દૂર છીએ,
ખરું ને? યુધિષ્ઠિર ખરું છે, નકુલ! જુઓ આ શમીવૃક્ષ જેને વિષે તમને મેં
પહેલેથી જ વાત કરી રાખી છે ! આ ખીજડાનું ઝાડ, જેના ઉપર આપણે આપણાં શાસ્ત્રાસ્ત્રો સંતાડવાના છીએ, વિરાટ
નગરમાં પ્રવેશતા પહેલાં! દ્રૌપદી : પણ આ શમીવૃક્ષ ઉપર તો કોઈનું મડદુ ટાંગેલું છે, આર્ય પુત્ર! યુધિષ્ઠિર દેવીએ બરાબર જોયું છે. મનુષ્યના મુડદાને અને શસ્ત્રાસ્ત્રોને
અત્યંત નિકટના સંબંધ છે, દેવી. અમે પાંચે ય ભાઈએ આ શમી વૃક્ષ ઉપર ટિંગાઈ રહેલા એ મુડદાની આડસમાં અમારાં શસ્માસ્ત્રોને સંતાડી દઇ, પછી વેશાન્તર કરી, વિરાટની રાજધાનીમાં
એવા ખોવાઈ જઈશું. એવા ખોવાઈ જઈશું.... દ્રૌપદી : જેવા આપના જેવા ધર્મરાજને કાને નાખેલ યુદ્ધના શબદો ! | (હસાહસ) પણ એક મુશ્કેલી મને સૌથી મોટી દેખાય છે, મહારાજ ! યુધિષ્ઠિરઃ બોલો! દ્વપદી : વિરાટની નગરી આપણને બધાને સમાવી દેશે... શંકા નથી એમાં;
આ સહદેવ ગૌશાળાના નિયામક તરીકે અને આ નકુલ અશ્વશાળા
ના નિયામક તરીકે ખાસ કેઇનું ધ્યાન નહિ ખેંચે. ભીમ ? પણ તો મારી પણ બીક ન રાખશે, પાંચાલી ! વિરાટની રાજભોજન
શાળાના નિયામક તરીકે.. યુધિષ્ઠિર નામ શું પસંદ કર્યું છે ; ભીમ ? ભીમ : બલવ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અજુન દક્ષિણ તરફનું લાગે છે, મોટા ભાઈ ! ભીમ ઉત્તરવાળાઓને દક્ષિણનું લાગે, અને દક્ષિણવાળાઓને ઉત્તરનું ! અખિલ ભારતીય !
(હસાહસ) સહદેવ : ગદાને બદલે કડછી તમારા હાથમાં કેવી શોભે છે તે જોવાની
ભારે ગમ્મત આવશે ! નકુલ : જે કડછીને ઉપયોગ તમે ગદા તરીકે નહિ કરે તે ! યુધિષ્ઠિર એ તો ભીમના હાથમાં ગમે તે મૂકે, ગદા જેવું જ લાગશે!
(હસાહસ) પણ અમને સાચી ને સૌથી મોટી ચિન્તા તો તમારી જ છે, દેવી! વિરાટના રાણીવાસમાં રાણુ સુદૃષ્ણાની શૃંગાર-વિધાત્રી સેરબ્રી તરીકે તમે રહેવાનાં છો, તેમાં સુદેણા અને વિરાટને ગર
અને ભોળો સ્વભાવ જોતાં કશી મુશ્કેલી આવવાની નથી પણ... સહદેવ : (મેટાભાઈ આગળ બેલતાં અચકાય છે તે જોઈને) સાંભળવા
પ્રમાણે વિરાટને સાળે કીચક જ મત્સ્યદેશને ખરે રાજા છે ! નકુલ : એ તો જગતને સનાતન નિયમ છે, નકુલ! જ્યાં જુઓ ત્યાં
સાળાએ જ સાર્વભૌમ હોય છે! આપણું હસ્તિનાપુરમાં પણ • શકુનિ એ રાજાનો સાળો જ છે ને ! સહદેવ ? એ ખરું, પણ કીચકની આબરૂ જરા સ્ત્રી-લંપટની ખરી! વૌપદી : જરા શું, પૂરેપૂરી ! પણ રાણે સુદેણુને હું કહેવાની છું કે પાંચ
અદીઠ ગાંધર્વો મારી રક્ષા કરે છે અને મારી સામે મેલી નજર
કરનારને... ભીમ : (કડછી શમીવૃક્ષ પર પછાડીને ) આ કડછીનો સ્વાદ ચાખવો પડશે ! યુધિષ્ઠિર તે તો વેશપલટો કરી પણ લીધે, ભીમ! આબાદ રસો લાગે
છે. પણ મહેરબાની કરીને આ કડછીને અંકુશમાં રાખજે. ભીમ : રાખીશ, જો કીચક એની લંપટતાને અંકુશમાં રાખશે તો ! પણ
તમારું શું છે, મોટાભાઈ ? અજુન મોટાભાઈનું તે બધું સીધું અને સરલ છે, વૃકદર ! મહારાજ
યુધિષ્ઠિરના પોતે ખાનગી મંત્રી હતા, એમ કહીને એ વિરાટની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૫
પાસે વિરાટના અંગત મંત્રી તરીકે, આખી દુનિયાની નજર પડે એ રીતે રહેશે, છતાં કોઈને શંકા નહિ જાય ! કારણ કે એમનું આ ભવ્ય અને ઉન્નત અને કપૂર-ગૌર કપાળ, માનસ સરોવરના નિર્મળ નીર જેવી એમની આ શાન્ત, સ્વચ્છ, શ્રદ્ધા–પ્રેરક દષ્ટિ, અંતે ધર્મને જ જાય છે એવો જાપ નિરંતર જપતા હોય એવા દેખાતા એમના સ્વસ્થ અને અચંચલ હોઠ–બધાં ઉપર ઉગ્ર
ક્ષત્રિયત્ન કરતાં સૌમ્ય બ્રાહ્મણત્વની છાપ ઘણી વધારે છે. યુધિષ્ઠિરઃ આ જ વાત જો પાંચાલીએ કરી હત, અર્જુન, તે મને એ
મશ્કરી જેવી લાગત! પણ વાત સાચી છે. શસ્ત્રો કરતાં શાસ્ત્રો
પર મને વધારે શ્રદ્ધા છે. યુદ્ધ કરતાં શાંતિ અને વધારે પ્રિય છે. દ્રૌપદી : પણ સત્યવચનના તમારા વતનું શું થશે ? પ્રવક્તા : એને જવાબ હું આપું, એમના અંતઃકરણના પ્રતિનિધિ તરીકે ?
હકીકતમાં એ જૂઠું બોલવાના જ નથી ! યુધિષ્ઠિર, યુધિષ્ઠિરના
ખાનગી મંત્રી હતા, અને છે, એમ કહેવામાં અસત્ય કયાં આવ્યું ? દ્રૌપદી : છતાં એની પાછળ વૃત્તિ તો કંક છુપાવવાની ખરી ને ? પ્રવક્તા : ખરી! પણ તેની પાછળ વિરાટને કશું નુકસાન પહોંચાડવાને
ઈરાદે નથી....અને નુકસાન પહોંચતું યે નથી. યુધિષ્ઠિર છતાં એટલી વાત ચોક્કસ, પ્રવક્તાજી...કે... પ્રવક્તા કે મારે બચાવ કરવો પડે છે તમારે ! પણ આ જગત જ એવું
' રચાયું છે–જેમાં નર્યું, નગ્ન, નિર્વસ્ત્ર સત્ય.... યુધિષ્ઠિર માટે જ તો શાસ્ત્રમાં કહ્યું છે ને..... ત્રિૌપદી : બસ, બસ, બસ ! હવે આગળ વધીએ. યુધિષ્ઠિર તો આટલી વાત નક્કી થઈ પાંચાલી, કે તમે, સહદેવ, નકુલ,
ભીમ અને હું –એટલા તો વિરાટના ઉદરમાં એક વરસ માટે નિરાંતે
સમાઈ જઈશું. સવાલ જ હોય તો...એક આ અર્જુનને છે. દ્રૌપદી : હું એ જ કહેતી'તી. લાખમાં એકાદ પાસે પણ માંડ હોય એવા
વ્યક્તિત્વવાળા આ ધનંજય વિરાટનગરમાં કેવી રીતે છૂપા રહી શકશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
R
અર્જુન ઃ હુ' તા ધારું છું, દેવી, કે અજ્ઞાતવાસના તમારા પાંચે ય કરતાં હું વધારે સુરક્ષિત છું.
! બાર મહિનામાં
દ્રૌપદી : હું નથી માની શકતી, ધન...જય, બધું ય કદાચ છુપાવી શકાશે, પણ ગાંડીવની પ્રત્યંચાના, તમારા જમણા હાથના કાંડા પર પડેલા આ કાપા તેા નહિ જ છુપાવી શકાય !
અર્જુન ઃ એ કાપા છુપાવવા તા સાવ સરળ છે, પાંચાલી ! તમે એક પા આંખા મીંચી જાએ, બધાં, તેટલામાં હ. વેશપલટા કરી લઉં... એટલે તમને ખાતરી થઇ જશે,
ભીમ : શેના વેશ લેવા ધાર્યુ છે, અર્જુન ?
અજુ ન ઃ મને વેશપલટા કરી લેવા દે, એટલે તમને આપે!આપ ખબર
પડી જશે.
બધાંય સામટાં : નહિ ! પહેલાં અમને વાત કરેા, શેતે વણ લેવા ધાર્યા છે ? અર્જુન : તે સાંભળે..પણ વાત જરા લાંખી છે, હેાં!
દ્રૌપદી : કહેવા માંડા ઝટ !
અજુ ન : વનવાસના આર્ભના દિવસેામાં તમે મને દિવ્ય શસ્ત્રોની સાધના માટે ઇન્દ્ર પાસે મેાકયેા હતા, યાદ છે ને?
યુધિષ્ઠિરઃ પાંચ વરસ તું સ્વમાં રહ્યો'તે, એ તા હવે વિશ્વપ્રસિદ્ધ કૃતિહાસની વાત બની ગઇ. એ પાંચ વરસની તારી આખીય જીવનકહાણી વીગતેાવીગત તેં અમને કરી છે.
અર્જુન : પણ એક નાનકડી વાત મેં છુપાવી હતી, તે વખતે ! યુધિષ્ઠિરઃ હે ! કાઇ અધર્માચરણ તા...
અર્જુન : ધર્માંધના નિર્ણય તમે જ કરજો, મેાટાભાઇ, સાંભળ્યા પછી. સ્વરાજ ઇન્દ્રના રથમાં માલિ સાથે અમરેાની નગરીમાં હું પહેાંચ્યા, પછી તરત જ ઈન્દ્રે મારું સન્માન કરવા માટે એક મહાસમારભ યાજ્યેા હતેા.
સુધિષ્ઠિરઃ ઈન્દ્ર તને પેાતાના પુત્ર જ ગણે છે એ જોતાં એ સ્વાભાવિક જ છે ! ....પછી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૭
અજુન એ સમારંભમાં એના દરબારની એકકેએક અપ્સરાએ નૃત્ય કરેલું.
રંભા, મેનકા, ધૃતાચી, કામરૂપા, મૌકિતકમાલા, હેમ-સ્મિતા,
તિલોત્તમા...... દ્રૌપદી : આખરે ઈચ્છા શું હતી, ઈન્દ્રની ? અજુનઃ જે હેય તે, દેવી, પણ સમારંભના આખાયે વખત દરમિયાન હું
તમારા સૌના વિચારમાં ને વિચારમાં એ તે દુઃખમગ્ન અને આત્મવિશ્રુત હતો કે કણ કેવી હતી અને કાણે કેવું નૃત્ય
કર્યું, મને કશુંય યાદ નથી. દ્રિૌપદી : એ બધાંનાં નામો સિવાય !
(હસાહસ) યુધિષ્ઠિર અપ્સરાઓનું સૌથી મોટું આકર્ષણ તેમનાં નામમાં જ હોય છે, દેવી !
(હસાહસ) દ્રૌપદી : હં...પછી શું થયું, ધનંજય? એટલી બધી દેવાંગનાઓ તમારી
સામે નાચી, તમારું રુવુંયે ન ફરકયું...પછી ? અર્જુન : પછી ? પછી છેલે સ્વર્ગના શણગાર સમા ઉર્વશી મંચ પર
આવ્યાં ! ભીમ : પેલા નરનારાયણ ઋષિએ સાથળમાંથી પ્રગટ કરીને ઇન્દ્રને ભેટ
લેખે આપી હતી એ ? યુધિષ્ઠિર ભીમ પુરાણોની કથાઓથી આટલો બધે પરિચિત છે....એ
આજે જ જાયું. દ્રૌપદી : સુંદર સ્ત્રીઓની વાતમાં સૌને રસ હય, આર્યપુત્ર ! હં...ઉર્વશી
રંગમંચ પર આવ્યાં...પછી? અર્જુન : એ મંચ પર આવ્યાં તેની સાથે જ મારી આંખો આપમેળે
એમના પર જડાઈ ગઈ, દેવી ! દ્રૌપદી : તમે સૌરાષ્ટ્ર ગયા હતા, અને શ્રીકૃષ્ણ ગિરનાર પર તમારા માનમાં
એક સમારોહ ગોઠવ્યા હતા. તે વખતે કૃષ્ણની બહેન સુભદ્રા પર
તમારી આંખો આપોઆપ મંડાઈ ગઈ હતી, તેમ જ ને ? અજુન: એક વાર પૂરું સાંભળી લે દેવી, પછી નિર્ણય કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૮
દ્રૌપદી : સંભળાવો ! અજુન નૃત્ય જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ઉર્વશીને હું એકીટશે નીરખી
રહ્યો, એટલે ઈન્દ્રને થયું કે મારું મન ઉર્વશી પર મેહ્યું છે. દ્રૌપદી : દીવા જેવું છે. ભીમ : દીવા જેવું નહિ, દેવી દવા નીચે અંધારું હોય એના જેવું છે; એમ કહો !
(હસાહસ) અર્જુન : પૂરું સાંભળી લો, તમે બને ! પછી તે જ રાતે મહારાજ
ઉર્વશીજીને મારા નિવાસસ્થાને મોકલ્યાં. રાતના બીજા પહોરે...એકલાં......
( પૂર્વ દશ્ય ) ઉવશી મહારાજ ઈન્દ્ર મને આપની પાસે મોકલાવી છે, પાર્થ. અનઃ મહારાજની મારા પર પરમ કૃપા છે, દેવી, અને આટલી મોડી
રાતે મહારાજના આદેશથી પણ અહીં સુધી આવવાને આપે પરિશ્રમ લીધે તે માટે આપને પણ આભાર ! આજ સાંજનું આપનું નૃત્ય ખરેખર અદ્ભુત હતું, દેવી ! મેં મારી આખી
જિંદગીમાં એવું નૃત્ય કદી જોયું ન હતું, કયું પણ ન હતું. ઉર્વશી એનો યશ તમને છે, ધનંજય ! આજનઃ નૃત્ય આપે કર્યું અને યશ મને? સમજે નહિ, દેવી ? ઉર્વશી એ નૃત્યની પાછળ આપની પ્રેરણા હતી, ધનંજય! સ્વર્ગમાં
અને સ્વર્ગ બહાર હજારો નરવીરને મેં જોયા છે, પણ આપના જેવો બનત્તમ’ મેં આજ સાંજે પહેલી જ વાર દીઠે.. અને... કઈ ચિરવાંછિત વસ્તુ મળતાં હદય આનંદથી ઉન્મત્ત બને, તેમ હું... હું વરસોથી નૃત્ય કરું છું, ધનંજય, પણ નૃત્ય એ શું
છે તેને સાક્ષાત્કાર મને આજે જ થયો.. આપના સાનિધ્યમાં... અજુન : આપ કંઈક અસ્વસ્થ લાગો છો, દેવી ! ઉવશી; મને સ્વસ્થ બનાવવાની શકિત આપનામાં જ છે, કુન્તીપુત્ર!
| ( સંવનન -નૃત્ય )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૯
અજુન દેવી દેવી..દેવી... આ શું કરે છે, દવ ! ઉર્વશી : સાગરને જોતાંવેંત સરિતા જે કરે તે! (નૃત્ય) નાહક શા માટે
સંકોચ કરે છે, ગાંડીવ–પાણિ મહારાજ ઈન્દ્ર મને આપના રંજનાથે જ મોકલી છે. અને સાચું જ કહું છું ..મહારાજે મને આદેશ ન આપ્યો હોત તો પણ હું આવત, વસંતની પાસે જેમ સૌંદર્યશ્રી આપે આપ આવે તેમ કામદેવની પાસે જેમ રતિ આવે તેમ ! હું આપની જ થઈ ચૂકી છું. આજ સાંજે હું
નૃત્ય કરતી હતી તે વખતે જે ભાવથી તમે મને. અજુનઃ આપની કંઈક ગેરસમજ થઈ રહી છે, દેવી ! ઉર્વશી ગેરસમજ ! પુરુષોની આંખોને ઓળખવામાં...કોઈ સામાન્ય
અસરા પણ ભૂલ ન કરે, ત્યાં હું, ઉર્વશી, ભૂલ કરું ? તમે
સત્કંઠ નયને મારા અંગે અંગને પી રહ્યા હતા, તે વખતે! અને તે એ જોઈ રહ્યો હતો, દેવી...કે પૌરવકુલની માતા કેટલી
સુંદર છે,... મા ! ઉર્વશી (સાઘાત) મા ? અનઃ હું પૌરવ કુલ છું, મા ! અને આપ પૌરવકુલની માતા
છે...પુરુરવા અને આપની પ્રમગાથા બ્રહ્માંડભરમાં પ્રસિદ્ધ છે. આપનું નામ સાંભળ્યું કે તરત જ મારી આંખો ઊંચી થઈ, પૌરવકુલનાં આઘજનની કેવાં સુંદર છે તે નયનભરીને નીરખવા
માટે, મા ! ઉર્વશીઃ મા? ( ડૂસકાં) અજુનઃ ક્ષમા કરે, મા ! ઉર્વશી : ક્ષમા તો મારે માગવી ઘટે, ધનંજય, પણ મારા અણુ અણુમાં
અત્યારે કારમી વ્યથા ભડભડે છે, ધનંજય; ના ના, પશ્ચાત્તાપની નહિ, અતૃપ્ત વાસનાની ! હું ક્ષમા નથી આપી શકતી ધનંજય,
શાપ આપું છું. અનઃ આપને શાપ પણ મારે માટે અમૃતવૃષ્ટિ બનશે, મૈયા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
ઉર્વશી : હિમાલયની ગોદમાં પેલા ઋષિએ મારું સર્જન કર્યું. ત્યારથી
આજ સુધીમાં કોઈ પુરુષ કે દેવે સુદ્ધાં મારા પર આવું સર્વભક્ષી કામણ કર્યું નથી, અને આવી નિરાશા પણ મને કદી સાંપડી નથી. ત્રણેય લોક જેને રૂપની પ્રશંસા કરે છે એવી હું...કામથી ઉદ્દીપ્ત, સામે ચાલીને તારી પાસે આવી...રાત્રિના એકાંતમાં... છતાં તું....! નપુંસક સિવાય ભાગ્યે જ આટલો સંયમ કોઈ દાખવી શકે. હું તને શાપું છું, ધનંજય, હું તને શાપ આપુ નપુંસકત્વને ! સંકલ્પ કરીશ ત્યારે નપુસકત્વ આવીને તારી
કાયાને કબજે લઈ લેશે, એક વરસ માટે... અર્જુન તથાસ્તુ. મા ! ઉર્વશીઃ (ક્રોધને ઊભરે શમવા માંડતાં) ક્રોધના આવેશમાં મેં મહાન
અનર્થ કર્યો, ધનંજય ! મને ક્ષમા કરજે, અને મને ક્ષમા કરી છે તેની પ્રતીતિ મને થાય તેટલા માટે કોઈ પણ બે વરદાન
મારી પાસે માગી લો ! અજુ ન : તો પહેલું એ માગું છું, મૈયા, કે આપની પાસે સમગ્ર કલા
કલાપ-નૃત્યગીતાદિ મને પ્રાપ્ત થાઓ. ઉર્વશી : તથાસ્તુ ! અજુન ? અને બીજું એ મેવા, કે એક વાર મને....... “બેટા” કહીને
બોલાવે.... ઉર્વશી : બેટા ! બેટા..
( અથુઓ ને ડૂસકાં વચ્ચે પૂર્વદશ્ય સમાપ્ત થાય છે.) યુધિષ્ઠિર અભુત ! અદ્ભુત ! અદ્ભુત ! દ્રૌપદી ધનંજયને માથે..... યુધિષ્ઠિર શું કહેવા જતાં હતાં, પાંચાલી ? અટકી કેમ ગયાં ? દ્રૌપદી : હું એમ કહેવા જતી હતી, આર્ય પુત્ર, કે ધનંજય પર આખું
સ્ત્રીજગત આમ ઓળઘોળ શા માટે થઈ જાય છે !...ગંગાકારે ઉલૂપી, મણિપુરમાં ચિત્રા, રેવતક પર સુભદ્રા. એનું કારણ..?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
२७१
પ્રવક્તા : એને જવાબ કહેતાં હે તો હું આપું, પાંચાલીજી ! કૌપદી : તમે શું જવાબ આપશો તે હું જાણું છું, પ્રવક્તાજી ! પ્રવક્તા : શું આપીશ ? દ્રૌપદી : એ જ કે ધનંજય છે ત્યારે નપુંસક પણ થઈ શકે છે ! બોલો,
સાચી છે મારી કલ્પના ? પ્રવક્તા : સંપૂર્ણ! માટે જ તે સમકાલીન જગતમાં કેવલ “નર તરીકે
નહિ, પણ “નત્તમ નર' તરીકેની એની ખ્યાતિ છે... દ્વિૌપદી : ઠીક છે, તે એ નરોત્તમ નર હવે બાર મહિના નપુંસકને વેશ | ભજવશે, એમ ? અજુન ? અને તે પણ સામાન્ય નપુંસકને નહિ, વિરાટની પુત્રી ઉત્તરાના
નૃત્ય અને ગીતના નપુંસક પ્રાધ્યાપકને..નામ બૃહન્નલા ! હવે કરું છું સંકલ્પ ! (સંગીત, જુઓ ઢંકાઈ ગયાને ગાંડીવના કાપા.
મારા જમણા હાથના કાંડા પરના ? દ્રૌપદી . બલોયાં બહુ જ સુંદર લાગે છે, તમારા કાંડામાં, બ્રહનલા ! મને..
અદેખાઈ આવે છે, અત્યારથી...વિરાટની દુહિતા ઉત્તરાની... પણ હવે એક કામ કરો. તમે એને નૃત્ય અને સંગીત ખરેખર શીખવી
શકશો તેની થોડીક સાબીતી અમને આપો ! અજુન : જેવી દેવીની આજ્ઞા !
( નૃત્ય)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
૮૪.
અજ્ઞાતવાસને આર’ભ
એક વરસના અજ્ઞાત-વાસ માટે પાંડવાએ વિરાટનગરને શા માટે પસદગી આપી હશે? વનપર્યંતે તે ધમે તેમને વિરાટનગરનું નામ સૂચવેલું એવા ઉલ્લેખ છે. છતાં વિરાટ પર્વના પહેલા અધ્યાયના નવમા જ લેાકમાં યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે :
૨૭૨
स साधु कौन्तेय इतो वासमर्जुन रोचय । संवत्सरमिमं यत्र वसेमाविदिता: परैः ॥
હે અર્જુન, અહીંથી હવે કયે સ્થળે જઈ ને આપણે રહેવું તે તું જ કહે, એક વર્ષ જ્યાં આપણે, આપણને કાઈ ન ઓળખે એવી રીતે રહી શકીએ એવું સ્થળ તારા મનમાં હેય તા તું ખતાવ.
99
અર્જુનને પૂછવાનુ કારણ સ્પષ્ટ છે. અર્જુન સ્વસ્થ વિચારણા કરી શકે છે એ તેા ખરું જ; પણ એ ઉપરાંત પાંચે પાંડવામાં સૌથી વધુ પ્રવાસેા જેણે ખેડયા હાય અને સૌથી વધુ દેશે! જેણે જોયા હોય એવા એક અર્જુન જ છે
અર્જુન કુરુ દેશ કરતાં આવેલાં રાજ્યામાંથી નીચેનાં રાજ્યાનાં નામે આપે છેઃ
પ'ચાલ, ચેદિ, મત્સ્ય, શૂરસેન, પચ્ચર, દશા, નવરાષ્ટ્ર, મહલ, શાવ, યુગન્ધર, અકુન્તિરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, અવન્તી.
પણ આ નામે આપ્યા પછી, સ્થળ પસંદ કરવાની છેલ્લી જવાબદારી તે પાતા ઉપર નથી લેતા, મેાટાભાઈ ઉપર જ રાખે છે.
યુધિષ્ઠિર મત્સ્ય દેશ પસંદ કરે છે, કારણ કે મત્સ્ય દેશને રાજા વિરાટ ‘બળવાન છે; પાંડવા પ્રત્યે પ્રીતિવાળે છે, ધર્માંશીલ છે અને ઉદાર હૃદયને વૃદ્ધ છે.” પછી વિરાટ નગરમાં કાણે કયા રૂપે રહેવું તે અંગેની ચર્ચા થાય છે. યુધિષ્ઠિર કક' એવું નામ ધારણ કરીને વિરાટની સભામાં ‘સભાસ્તાર' તરીકે રહેવાને પેાતાને સંકલ્પ જાહેર કરે છે. સભાતાર' એટલે સભાપતિને સહાયક. યુધિષ્ઠિર વિર!ટ રાજાના એક સેાખતી તરીકે રહેવા માગે છે. આ જ પ્રમાણે ભીમ વિરાટના રાજરસેાડામાં એક અધિકારી તરીકે બલવ'ના નામથી રહેવાની પેાતાની ઈચ્છા વ્યકત કરે છે. અર્જુન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૩
બૃહન્નલા” નામે નપુંસક રૂપે (પાયા રૂપે ) પોતે વિરાટના અંતઃપુરમાં વિરાટની રાજકુમારી ઉત્તરા તથા અન્ય નગરકુમારિકાઓને ગીત-નૃત્ય આદિ શિખવવા માટે નિમાવાની ધારણા રાખે છે. સહદેવ ગૌશાળાના નિયામક તરીકે અને નકુલ અશ્વશાળાના વડા અધિકારી તરીકે, “ગ્રંથિક' અને “તંતિપાલ” એવાં નામે, અનુક્રમે, ધારણ કરીને રહેશે. અને છેલ્લે ૌપદી વિરાટની પત્ની સુદેણાની સંરસ્ત્રી તરીકે એટલે કે અંગત પરિચારિકા તરીકે રહેવાને પોતાનો નિશ્ચય જાહેર કરે છે.
આ પછી તેમણે પોતાના અગ્નિહોત્રો પુરોહિત ધયને સોંપ્યા અને એમને દ્રુપદને ત્યાં રહેવા મોકલી આપ્યા. દસેન વગેરે પિતાના સારથિ ને તેમણે દ્વારકામાં મોકલી આપ્યા.
દ્રૌપદીની સાથે રહેતી તેની સેરબ્રીઓને પણ તેમણે કુપદના પાંચાલ દેશમાં મોકલી આપી. બધાંને તેમણે સુચના આપી કે કોઈ પૂછે તો કહેવું કે “પાંડવો તો અમને દૈત વનમાં છોડીને ક્યાંક ચાલ્યા ગયા. એ કયાં ગયા તેની અમને ખબર નથી એ કયારે નીકળી ગયા તેની પણ અમને ખબર
નથી.”
જતાં જતાં પુરોહિત ધૌમ્ય પાંડવોને રાજદરબારમાં કેવી રીતે રહેવું તેની શિખામણ આપે છે, આ વાંચીને કોઈને કદાચ નવાઈ પણ લાગે, કે જે જન્મથી જ રાજાઓ છે એમને વળી આવી શિખામણની શી જરૂર ! પણ એને ખુલાસો એ છે કે અત્યાર સુધી પાંડવો જાતે જ રાજાઓ હતા, જ્યારે હવે એમને કાઈ બીજ રાજાના નોકર થઈને રહેવાનું હતું !
પાંડ વિરાટન રાજ્યમાં એટલી સહેલાઇથી ગોઠવાઈ જાય છે કે વાંચનારને ઘણી યે વાર શંકા પણ આવે કે રાજા વિરાટ જાતે આ કાવતરામાં શામેલ નહિ હોય ને ? કે બધું જાણતો હોવા છતાં અજાણ્યા હોવાને ડાળ તે એ નહિ કરતો હોય ને ! થોડા જ કલાક દરમિયાન પાંચ વિચિત્ર અને “પરદેશી” પુરુષ અને એવી જ એક વિચિત્ર અને પરદેશી સ્ત્રી રાજ્યની હદમાં દાખલ થાય, એટલું જ નહિ, પણ ખુદ રાજસભામાં આવી રાજાની સાથે વાતચીત કરી સરકારી નોકરીમાં દાખલ પણ થઈ જાય, અને છતાં આ બનાવની પાછળ કંઈક ભેદ જેવું લાગે છે એવી ગંધ પણ કાઇને ન આવે એ જરા આશ્ચર્યકારક તે લાગે જ છે. સંભવ છે કે રાજા વિરાટ પોતાના સાળા કીચકના હાથમાં બધા કારભાર સોંપીને લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૪
નિવૃત્ત જેવો છેઠો છે અને દિવસને ઘણો ખરો ભાગ આનંદ વિનદાર્થો ચોપાટ આદિ રમત રમવામાં તેમજ મલ કુસ્તી જોવામાં જ ગાળે છે એટલે તેની પોતાની તેમજ તેનાં નગરરક્ષક-દળની આંખ કંઈક ગાફિલ થઈ ગઈ હોય. જે હોય તે. પણ આ કાયડો વિચારમાં નાખી દે એવો તો છે જ.
પણ હવે આપણે પાંચ પાંડવો અને છઠ્ઠી કૉપદીની સાથે દૈતવનમાંથી વિરાટનગરની સરહદ તરફ ચાલીએ.
પાંડ નગરની બહાર સમશાન પાસે એક શમીનું-ખીજડાનું-ઝાડ છે ત્યાં આવ્યા. યુધિષ્ઠિર સનાં શસ્ત્રા એ ઝાડ ઉપરની એક બખોલમાં સંતાડી દેવાની આજ્ઞા આપી. નકુલે એ પ્રમાણે શસ્ત્રો સંતાડી દીધાં. છેવટે સ્મશાનમાં ઘણા દિવસ પહેલાંનું એક મડદું પડેલું હતું તેને ચકી લાવી એ બખેલની આડે ટીગાડી દીધું. પછી યુધિષ્ઠિરે ઈશ્વરની સ્તુતિ કરી અને પહેલેથી રોજના કરી રાખી હતી તે પ્રમાણે સૌ થડ છેડે સમયાંતરે, એક પછી એક વિરાટની રાજધાની ભણું ચાલ્યાં અને ખાવાઈ ગયાં.
૮૫. સમાજ અને રાજ્ય
વિરાટપર્વ મહાભારતના સમયને સમાજ તેમજ રાજા બને ઉપર સારું અજવાળું પાડે છે. સમાજ જેટલો કૃષિજવી હતા તેટલો જ ગોછવી હતા. લોકોના મોટા ભાગને આધાર ખેતી ઉપરાંત ગાયાનાં ધણો ઉપર હતો. “ધ” એ જ “ધન' હતું. પણ શબદ “ધને ઉપરથી જ આવ્યો છે. ઘણી ગાયા જેના પાસે હોય તે જ ધનવાન. આવી જ રીતે ધની' તે “ઘણું બન્યું હશે.
રાજ્ય રાજય વચ્ચેના ઝગડા ઘણાખરા આ ધણોને કારણે જ થતા. એક રાજ્યનાં ધણને બીજા રાજ્યવાળાઓ વાળી જાય એને અર્થ જ એ લેખાતો કે તેણે દુશ્મનાવટ જાહેર કરી યુદ્ધ છેડયું.
ચાર અને લૂંટારાઓ પણ મોટે ભાગે ગાયોનાં ધણની ચોરી અથવા લૂંટ કરતા. મત્સ્યદેશની એક બાજુએ ત્રિગર્તાના રાજા સુશર્માનું રાજ્ય હતું, બીજી બાજુએ હસ્તિનાપુરનું. સુશર્માની ગાયો વિરાટ ઉપાડી જતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૫
અને વિરાટની ગાયોને હસ્તિનાપુરને કૌરવો વાળી જતા. સાધારણ રીતે પાડોશી તે શત્રુ અને પાડોશીને પાડોશી તે મિત્ર, એ રાજ્યશાસ્ત્રનો નિયમ છે. વિરાટને અને દુર્યોધનને આ જ નિયમ પ્રમાણે દુશ્મનાવટ હશે. વિરાટ આ જ કારણે કદાચ યુધિષ્ઠિરના વિશ્વાસનું પાત્ર બન્યા હશે. ત્રિગર્લોને સુશર્મા આ જ હેતુથી દુર્યોધનને મિત્ર થયો હશે અને આ જ ન્યાયે પાંડ સાથે દોસ્તી બાંધવા વિરાટ હમેશા તત્પર રહેતો હશે. યુધિષ્ઠિરની મત્સ્ય દેશની પસંદગી પાછળનું આ જ એક સબળ કારણ હશે.
રથે એ સેનાઓનું એક આવશ્યક અંગ હતું. એટલે રાજ્યમાં ઘોડાએને માટે એક જુદું ખાતું ચાલતું હશે. ઘોડાઓની ગુણવત્તા અને સંખ્યા ઉપરથી રાજ્યની તાકાત નક્કી થતી હશે. સહદેવ અને નકુલ અથવા ગ્રંથિક અને તંતિપાલની કિંમત આ જ કારણે વિરાટના રાજ્યમાં તરત થઇ હશે.
વિરાટની પોતાની દિનચર્યા જુઓ તો એ વખતનાં સામુદાયિક વિનદનાં સાધના દેખાઈ આવશે. નવરાશને વખત (બધા વખત નવરાશને જ છે, સિવાય કે સુશર્મા જેવો કોઈ શત્રુ ગાયોનાં ધણ વાળી ગયું હોય અને એને પાછાં લઈ આવવા માટે યુદ્ધ કરવું પડે !) રાજા વિરાટ મહલકુસ્તીઓ જોવામાં તેમજ પશુઓને લડાવવામાં કાઢે છે. છેલા રોમન સમ્રાટો પણ આમ જ કરતા અને પાછળના વખતના મુગલ શહેનશાહોને પણ આ જ વિદવ્યાપાર હતો. કોઈ કોઈ વાર વાર એક રાજ્યને મલ બીજા બધાં રાજ્યોના મલેને પડકારી, હરાવી, વિજેતાનું પદ પ્રાપ્ત કરવા આખા ભારતમાં ભ્રમણ કરતો.
સંગીત અને નૃત્ય પણ સારી પેઠે વિકસ્યાં હશે. એની એટલી બધી સામાજિક પ્રતિષ્ઠા હશે કે રાજકન્યાઓને પણ સત્તાવાર અને જાહેર રીતે તેની તાલીમ આપવામાં આવે.
સુદેણું એ વિરાટની બીજીવારની પત્ની છે. ઉમરે નાની છે. એને ભાઇ કીચક એટલે કે રાજાનો સાળા એ જ રાજયમાં કર્તાહર્તા છે. સેનાપતિ પણ તે જ છે. એના અનેક નાના ભાઇઓ રાજ્યમાં જુદે જુદે સ્થળે અમલદારી કરે છે. હકીકતમાં મત્સ્ય દેશનું રાજ્ય એ રાણીનું અને રાષ્ટ્રના ભાઈઓનું રાજ્ય છે. રાજાને ઘણોખરો વખત ચોપાટ કે શેતરંજ રમવામાં, “સભાસ્તાર”ની સાથે ગોઠડી કરવામાં અને દરબારમાં આવી ચઢેલા કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ભાટચારણ પાસેથી વાર્તાએ અને પ્રશસ્તિએ સાંભળવામાં જાય છે. કક' જેવાને રાજસભામાં ‘સભાસ્તાર' તરીકે જલદીથી નાકરી મળી જાય છે. એનું આ જ કારણ છે.
.
રાન્નનુ રસાડ઼ એ કંઈ કાઇ અસામાન્ય સ્થળ નથી. છતાં ભીમસેનની નિમણૂક તથા કામગીરી કઈક આશ્ચર્ય ઉપજાવે એવી જરૂર છે. ભીમસેન, વ્યાસજી લખે છે, સુપ બનાવવામાં ઘણા કુશળ હતા અને તેમાં પણ એ ભૂલવું ન જોઇએ કે એ રૂપા તથા વિરાટના રસેાડામાં તૈયાર થતી ધણીખરી વાનગી પશુઓના માંસમાંથી જ બનાવાતી. ટૂંકમાં દૂધ, ઘી અને માંસ એ રાતે તથા પ્રજાને આહાર હતા. ભીમસેન પાતાને બાકીને વખત પશુઓને લડાવવામાં અને ાઈ કુસ્તીબાજ એની સામે ઉતારવા તૈયાર હોય તે કુસ્તી કરવામાં કાઢતા અને વિરાટ પેાતાના આ રાજરસાયાની આ વધારાની સિદ્ધિ જોને આનંદ પામતેા.
હવે સૈરન્ધીની વાત કરીએ. રાણીએ અને શેઠાણીએ પેાતાની અંગત શુશ્રૂષા માટે દાસીઓનાં ઝુંડનાં ઝુંડ નભાવતી. રાણીએને નવડાવવી, તેમને કેશકલાપ જુદી જુદી કલામય રીતે ગૂથી દેવા, તેમના આંખે'ડા માટે ફૂલની અને મેાતીની વેણીએ તૈયાર કરવી, તેમને માટે કાજળ અને કંકુ તૈયાર કરવાં, તેમના શરીરના મનને માટે સુગધી તેલ અને પીડીએ તૈયાર કરવી, ભમ્મર પાંપણ હેાઠ માટે યાગ્ય રંગાનાં મિશ્રા તૈયાર કરવાં, -ટૂંકામાં તેએ રૂપાળાં હોય તેા વધુ રૂપાળાં દેખાય અને રૂપાળાં ન હોય તા પણ અળખામણાં ન લાગે એવી રીતે વેશભૂષામાં તમતે સજ્જ કરવાં એ તેમનું ખાસ કામ રહેતુ. પુરુષો પણ કાઈ વખત આવી સૈરન્ધીને લાભ લેતા. એકંદરે સૈરન્ત્રીઓની આ વ્યવસ્થા જોતાં એમ ચોક્કસ લાગે છે કે મહાભારતકાળના સ્ત્રી-પુરુષા શારીરિક સૌન્દર્યું. અને સજાવટની બાબતમાં આધુનિક સ્ત્રી-પુરુષો કરતાં જરાય ઊતરે તેવાં તે નહેાતાં જ.
૮૬. અધેરી નગરી
વિરાટ રાજાના મત્સ્યદેશની પસંદગી પાંડવાએ એક વરસના અજ્ઞાતવાસ માટે શા માટે કરી તે અંગે થેાડેા વધુ વિચાર કરીએ.
પહેલું કારણ તા, અલબત્ત, એ છે કે વિરાટ હસ્તિનાપુરને પાડાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૭
છે અને દુર્યોધનના રાજતંત્રથી એ ખૂબ ત્રાસેલે છે. મસ્વદેશની ગાયનાં ધણને હસ્તિનાપુરના સત્તાધીશે વખતોવખત ઉપાડી લાવતા હશે, ચોરી કે લૂંટી લાવતા હશે. વિરાટના રાજ્યને બીજે સીમાંડ આવેલ ત્રિગર્તાનું રાજ્ય પણ એવી જ રીતે વિરાટનું વિરોધી છે. ત્રિગને રાજા સુશર્મા દુર્યોધનને ભેરૂ છે. દુર્યોધન અને ત્રિગર્તાનો સુશર્મા એ બની સૂડી વચ્ચે વિરાટને મસ્વદેશ સોપારી જેવો છે. આ કારણે દુર્યોધનને કોઈ પણ વિરોધી વિરાટને સહજસ્નેહી બની રહે.
એક બીજું કારણ પણ છે, અને તે છે વિરાટના વ્યકિતત્વનું. એ વૃદ્ધ રાજવી બહાદુર, ભલે, ભાળ અને સરળ સ્વભાવને છે. જેવો આશુરોધ છે તેવો જ આશુતોષ પણ છે. તે અત્યંત ઉર્મિલ છે અને જેટલો ઊર્મિલ છે, એટલે જ જાગરૂક તર્કશકિત વિનાને છે. આવાના રાજ્યમાં કોણ શું છે અને શું કરે છે અને કયાં વસે છે તેની ભાગ્યે જ કોઈ તપાસ રાખે !
એક ત્રીજી વાત પણ છે. વૃદ્ધ વિરાટ પર તેની રણ સુદષ્ણાનું રાજ્ય છે, અને સુદેણ પર તેના ભાઈ કીચકનું ચલણ છે.
ગાંધારન શકુનિ જેમ હસ્તિનાપુરમાં જ પડયા પાથર્યા રહે છે, તેમ કીચક દેશમાં પડ પાથર્યા રહે છે, એ ટલું જ નહીં, પણ મસ્યદેશને સાચો કર્તાહર્તા તે જ છે. તે સેનાપતિ છે અને તેના નવાણું એટલે કે અનેક ભાઈઓ અને પિતરાઈએ રાજ્યમાં જુદાં જુદાં સત્તા-સ્થાને દબાવીને બેસી ગયા છે. અને છતાં રાજ્યમાં તો અંધેર જ છે, કારણ કે કીચક અને તેની સેના કેવળ પોતાના વૈભવ-વિલાસ પૂરતી જાગૃત છે. બીજી બધી બાબતોમાં તેની અને કુંભકર્ણની વચ્ચે કશો જ ફરક નથી.
એક સવાલ ઉઠે છે. પરિસ્થિતિ સાચેસાચ આવી છે તો પછી વિરાટનું રાજ્ય ચાલે છે શી રીતે ? જવાબ એક જ છેઃ મત્સ્યદેશનું રાજ્ય ચાલે છે, જેમ એકચક્કાનું ચાલતું હતું તેમ. રોજ એક મનુષ્યને બક જેવા રાક્ષસના આહાર માટે મોકલ પડતો હોય, છતાં પ્રજા મેજથી ખાય-પીએ; અવેબેસે; આનંદ કરે; અને કોઈને કશું જ અસામાન્ય ન લાગે ! એ છે ભારતવર્ષ ! –એમ તે વ્યાસજી નહિ સૂચવવા માગતા હોય ?
જે હો તે, પણ લાખો વચ્ચે જુદા તરી આવે એવા પાંચ પાંચ નરશાર્દૂલે અને છઠ્ઠી નારાયણી જેવી એક નારી જે નગરીમાં પૂરા બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
26.
મહિના રહ્યાં અને કાષ્ટની ય આંખાને જેમનામાં કશી જ વિશેષતા ન દેખાણી, એ નગરીમાં કઈ ખામી તે હાવી જ જોઇએ.
૮૭. ખાવાઇ ગયાં
વિરાટની રાજધાનીની ભાગેાથે એક શીવૃક્ષ છે અને નજીકમાં જ સ્મશાન છે. પાંડવાએ પાતાનાં શસ્ત્રાસ્ત્રાને એક વરસ સુધી સુરક્ષિત રાખવા માટે આ શમીવૃક્ષની પસંદગી કરી હતી. સૌએ પેાતપેાતાનાં શસ્ત્રો ધરતા પર મૂકયાં. પછી સહદેવે તે સૌને ખીજડાના એ ઝાડમાં એક બખાલ હતી તેમાં ગોઠવી દીધાં. પછી મસાણમાંથી એક અડધું-પડધું ભળેલુ મડદુ લાવીને તે ખાલ પર ઢાંકી દીધું. ભૂત-પ્રેતાદિથી ડરતા તે વખતના પ્રાકૃત જનસમાજને એ શસ્ત્રાથી આધા રાખવાને આ એક કીમિયા હતે. ઉપરાંત યુતે અને મુડદાંને કાÖકારણ સંબંધ છે તે સ્પષ્ટ સત્યને વધુ સ્પષ્ટ કરવાના પણ આ કીમિયા કૅમ ન હેાય ?
હવે બધા ભાઇએ પાતપાતાની ખીજી બાજુ ખુલ્લી કરે છે. દેશમાં પાતે કયા ગુપ્ત નામે નિવસવું અને શું કરવું તે સૌએ રાખેલ છે
,,
યુધિષ્ઠિરની યાજના વિરાટની રાજસભામાં ખુદ વિરાટના પેાતાના જ એક સાથી અને સલાહકાર તરીકે જોડાઇને રહેવાની છે. તે કહે છે કે હુ વિરાટના સલાસ્તાર થઇને રહીશ. પાંડવા વનમાં ગયા તે પહેલાં પેતે યુધિષ્ઠિરના ખાસ માણસ હતા અવિદ્યામાં, પાસા નાખવાની કળામાં, દ્યૂતખેલનમાં પાતે પ્રવીણ છે, વ્રતનું રહસ્ય પાતે ખુદ શીખેલ છે વગેરે રજૂઆત તે વિરાટની પાસે કરશે પોતાના માટે નામ પણ તેણે પસંદ કરી રાખેલ છે : . કાણુ (:) કાને (મ્ ) એળખે છે? વિરાટના આ જગતમાં કાઇ કાને ઓળખતું નથી એવે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જ, કદાચ, આ નામ જોડી કઢાયું હશે !
યુધિષ્ઠિર પાસેથી જ એમ તે જણાવે છે.
r
વિરાટના નક્કી કરી
ભીમસેન પાંડવા વનમાં ગયા ત પહેલાં પાત પાંડવાના રસાયા હતા અને ખુદ ભીમસેન પાસેથી મેટાં મેટાં રાજરસેડાં ચલાવવાની કળા શીખેલ છે એમ કહીને વિરાટના મહાનસનેા એટલે કે રાજ–રસેાડાના નિયામક બનવા માગે છે. બલ્લવ” એવું નામ તે પાતા માટે પસંદ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૯
છે. સહદેવ, વિરાટનાં દરબારી ગોધણના ગણક અને સંરક્ષક તરીકે અને નકુલ વિરાટની રાજ-હય- શાળાના નિયામક તરીકે ગોઠવાવાની ધારણ રાખે છે. ગ્રથિક અને તતિપાલ એવાં નામ પણ તેમણે, અનુક્રમે, પસંદ કરેલાં છે.
સૌથી વધુમાં વધુ વિકટ પ્રન અર્જુન અને દ્રૌપદીને છે. ગાંડીવધન્વા શી રીતે છુપે રહી શકશે ? ધનુષની દોરી ખેંચી ખેંચીને તના જમણ અંગૂઠાએ અને એની જમણી તર્જનીએ-મોટી આંગળીએ-લાખે સામાન્ય અંગૂઠાઓ અને તર્જનીઓ વચ્ચે તરી આવે એવી વિશિષ્ટતા ધારણ કરી છે. વળી ડાબા હાથના કાંડા પર ધનુષ્યની દરીએ ત્રિવરલી કીર્તિરેખા જેવા કાપા પાડેલા છે તે કેમ કરીને છુપાવી રખાશે?
બીજી બાજુ જેના હાથની ઉમેદવારની સ્પર્ધામાં એક વખત આખું ભારતવર્ષ ખળભળી ઉઠયું હતું તે જાજરમાન ૌપદી કયાં સમાશે ? રાજસભાઓમાં અને વનમાં હજારોએ તેને જોયેલી છે અને વ્યક્તિત્વ અને મુખમુદ્રા તો એવાં કે એક વાર જોવા પછી અંતર પર સદાને માટે અંકિત થઈ જાય ! આવી નારાયણી દુર્યોધનના ગુપ્તચરોની બાજ જેવી આંખેથી પૂરા બાર મહિના સુધી અણદીઠી અને અણુઓળખી રહે એવી કઈ તરકીબ છે ?
પણ બનેએ પિત-પોતાને માટે પુખ્ત વિચાર કર્યા છે. જ્યાં એમની કાઈ તપાસ પણ ન કરે ત્યાં તેઓ છપાશે. ના, ના ! છૂપાશે એ શબદ પણ અહીં અસંગત લાગે છે. સૌની આંખે એમના પર પડે એવી રીતે “ચારધારે” રહેશે, ખુલ્લાં ખુલ્લાં, સરેઆમ ! પણ રહેશે એવાં સ્વરૂપે અને એવી સ્થિતિમાં કે આવે ઠેકાણે ને આવા સ્વરૂપમાં તેઓ હેાય તેવો વિચાર તેમના કઈ મિત્રને કે શત્રુને સ્વનેય ન આવે !
ભારતનો અજોડ બાણાવળી નૃત્યકળામાં પાવરધા છે. ગાંડીવને ધારણ કરનારો, વિણા વગેરે વાદ્યોને પણ એટલી જ આસાનીથી રમાડી શકે છે. અર્જુન નૃત્યાચાર્ય અને ગાયનાચાર્ય થશે! પણ કોને ? વિરાટના એક ખેબા જેવડા, અને કીચક અને એના મલોની ધાકથી મુક્ત રીતે શ્વાસ પણ માંડમાંડ લઇ શકતા રાજ્યમાં નૃત્ય અને ગીત શીખવાના ઉમળકા કણ ધરાવતું હશે? કઈ જ નહીં! પ્રજાજનોમાંથી તે કઈ જ નહીં! અર્જુનની યોજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૦
તા વિરાટના રાજ–પ્રાસાદના ગાયનાચાર્ય અને નૃત્યાચાર્ય થવાની છે. પણ રાજમહેલના એકાંતમાં પુરુષ-નૃત્યાચાર્યને (બાર મહિના રહેવા દેવાની વાત બાજુએ રહી,) પ્રવેશ પણ કાણુ આપશે ? અર્જુને આને પણ વિચાર કરી રાખ્યા છે. પાંચ વર્ષ પોતે સ્વર્ગમાં ઇન્દ્ર પાસે રહ્યો હતા તે દરમિયાન ઉર્વશીએ તેને સંગીત-નૃત્યાદિ વિદ્યામાં નિપુણ કર્યા હતા. તેની સાથે એક વરસના નપુ ંસકત્વની સખ્ત પશુ તેણે તેને કરી હતી (શાપ આપ્યા હતા). એ સજા આજે તેના માટે એક મહાન આશીર્વાદરૂપ બની ગઇ. બૃહન્તલા એવા નામ સાથે ગાયન-વાદન-નૃત્યના એક ષઢ (નપુંસક) અધ્યાપક તરીકે વિરાટના રાજ–પ્રાસાદમાં ગાવાઈ જવાની પેાતાની ધારણા અર્જુને જ્યારે રજુ કરી ત્યારે ચારે ભાએ અને દ્રૌપદીના વિસ્મયના પાર જ ન રહ્યો.
અને એવા જ વિસ્મય સૌને તે વખત થયા જ્યારે, હજારાના નમન ઝીલવા ટેવાયેલી ગ–ગૌરવ-મડિતા રાજરાણી દ્રૌપદીએ પોતે વિરાટની પત્ની સુંદાની “સર શ્રી' બનીને, અંગત પરિચારિકા બનીને વિરાટના રાજમહેલમાં ગેાવાવા માગે છે એવી પાતાની બાજી છતી કરી.
આમ છ ચ્ છ જણું વિરાટના રાજમહેલમાં ખાવાઈ ગયાં. જગતને નિસ્બત છે ત્યાં લગી જાણે કદી જન્મ્યા જ નહાતાં ! જાણે એકાએક તેમના પગતળેની ધરતી ફાટી અને પળના પાંચમા ભાગમાં તેએ હતાં ન હતાં થઈ ગયાં !
અને એ તા કહેવાઈ જ ગયુ` છે કે તેમની સાથે વનવાસનાં વરસે। દરમિયાન જે રસાલા હતા, તેાકર ચાકર, રથા, સ્ત્રી, બ્રાહ્મણો વગેરે હતાં તે બધાંને તા તેમણે કયારના ય બે ભાગમાં વહેંચીને રવાના કરી દીધા હતા. અડધા ભાગને દ્વારકમાં, અડધા ભાગને દ્રુપદ રાજાના પાંચાલ દેશમાં. સૌને કહેવામાં આવ્યું હતું, ‘પાંડવા એક સવારે અમને મુકીને ચાલ્યા ગયા એટલું જ કહેલું. પણ એવી સૂચના ન કરી હાત તા પણ તે લેાકેા શી બાતમી આપી શકવાના હતા? તેમને કશી ખબર જ નહેાતી અને તેમાંના કાઈ એકાદને ખબર પણુ હેાત તા પણ વનવાસનાં બાર બાર વરસોનાં અપાર કષ્ટો જેમને ખાતર પાત સ્વેચ્છાપૂર્વક સહન કરેલાં, તેમના પ્રત્યે ખૂટલાઈ કરવાનુ સ્વપ્ન પણ તેને `કમ કરીને આવત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૧
૮૮. વિરાટની શાન !
એકધારે ચીલે જીવન વહ્યું જાય, એ પાંડવે। જ નહીં ! સામાન્યાતી વચ્ચે વસતા અસામાન્ય પુરુષોને આ સજા છે. જગત એમના માટે ન હોય ત્યાંથી મુશ્કેલીઓ ઉભી કરે. તેમની અસામાન્યતા એ જ જગતને માટે સૌથી મેટુ કારણ, તેમની દુશ્મનાવટ કરવાનું.
પહેલાં તેા એક સીધા સાદા બનાવ બન્યા. સાવ સામાન્ય લાગતી એ ઘટના હતી. એ વખતના સમાજમાં જરા પણ વિસ્મયકારી ન લાગે એવી એ ઘટના હતી.
મલેા-અને પડિતા પશુ-તે વખતે એક ગામથી ખીજે ગામ અને એક દેશથી ખીજે દેશ ફર્યા કરતા. દિગ્વિજય એ આવાં પરિભ્રમણાને સમાન્ય હેતુ હતા. ગામને ચારે કે દરબારની મેડીએ કે રાજધાનીની રાજસભાએ જને એ પડકાર ફેકેઃ “અમારી સાથે કુસ્તીમાં ઉતરે એવા કાઇ મલ તમારે ત્યાં હોય તે। એ આગળ આવે. નહીતર સ્વીકારી લે કે તમારૂં રાજ્ય મલ્લ-સૂનું છે. '' તત્ત્તત્–સ્થાનીય મલે આ પડકારને શકિત હાય તા ઝીલી લેતા, ગામને જાહેર કુસ્તીના દાવ-પેચે જોવા મળતા, હારનાર તેમજ જીતનાર તેને થે।ડા દિવસ માટે ગામને ખરચે મહાલવાનું મળતું અને છેલ્લે હારનાર કાં તા શાન ગુમાવતા કાં તે જાન! અને જીતનાર વિજેતા ”ના ઇલ્કાબ મેળવીને આગળ વધતા ! ચેમ્પિઅનશિપ ” માટે દેશેદેશમાં અને ખંઢેખડમાં ઘૂમતા ખેલાડીએના આપણા જમાના। આ વસ્તુસ્થિતિ સાવ સહેલાથી સમજી શકશે.
::
..
વિરાટનું રાજ્ય તે। આમે ય મત્લા માટે જાણીતું હતું. કીચક અને તેના ભાઇઓએ આ બાબત એક વેળા સારી નામના મેળવેલી. એટલે દિગ્વિજયની દચ્છાવાળા મલા મત્સ્ય દેશમાં પણ આવે એમાં નવાઇ જેવું કશું યે નહેતું.
C6
એક મહલ આણ્યે.. નામ જીમૂત. પ્રલયનાં વાદળાં જેવી તેણે ગર્જના કરી, ‘કાં કુસ્તી કરા, કાં તમારી ધરતી મલ્લસની છે એવા એકરાર કરીને મને મહલિશરામણુિનુ બિરુદ આપો.”
દિવસને-રાત્રિને પણ મેાટે! ભાગ સુંવાળા ગાદી-તકિયા વચ્ચે ગેટવાઇને ચેાપાટ કે શેત્રંજ રમવામાં અને ભાટચારણાની સભારંજની કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૨
કૃતિઓ સાંભળવામાં સમય ગાળનાર મુદ્દો વિરાટ પળભર સળવળે. કયાં ગયા છે તેના કઢિયેલ દૂધના પીનારા અને માવાની મિઠાઈઓ ખાનારા મલર જો? પણ પોલાદના ગઢ જેવા જીતના કસાયેલા શરીરને જોતાવેંત જ સૌનાં હાજા ગગડી ગયાં હતાં. એકાદ-બે કુલણજીઓ આગળ આવ્યા, તે તે ડાબા હાથની ટચલી આંગળીઓના ખેલ જેવા હતા, જીમૂતને માટે ! સન્નાટો છવાઈ ગયે, ચારેકોર. વિરાટની રાજધાનીમાં, અરેરે, શું કોઈ પણ નથી એ, જે રાજના અબિરૂ રાખે ! કુસ્તી અને અખાડા ખાતે આટલાં વરસ ખોબા ભરી ભરીને નાણાં ખર્યા તે શું સાવ ફોગટ ! પણ રાજની શાન કરતાં પોતાની જાન સૌને વધુ વહાલી હતી.
આપી દ્યો મને વિજયપત્ર, મહારાજ વિરાટ !” જીમૂત તકાદો કરતે હતો.
અને કંકની સામે વખતોવખત જતો અને તેની આંખમાંથી કંઈક આશ્વાસન પામવા ઈચ્છતો વિરાટ બેબાકળા બનતો જતો હતો.
ત્યાં બલવ આવ્યા. રસોયાના વેશમાં પણ ભીમનું ભીમપણું કેમ છાનું રહે ! અને તે પણ આવી ઉશ્કેરણી ભરેલા સમયમાં ?
તેણે કંક સામે જોયું. સ્વાભાવિક જ હોય તેવી રીતે.
મેટાભાઇની આંખમાં તેણે અનુજ્ઞા વાંચી. અનુજ્ઞા અને સાવધાની બેય. વિરાટના ગુણઓશિંગણ આપણે છીએ. આવે વખતે એની શાન રહે, એવું આપણે કરવું જ જોઈએ, પણ આપણે પરિસ્થિતિનો પણ ખ્યાલ રાખજે. બાર બાર વરસ વનવાસ વેઠયા પછી, તેરમા વરસે અજ્ઞાતવાસ દરમિયાન પકડાઈ જઈશું તે બાર વરસ બીજા વનમાં જવું પડશે એ ન ભૂલજે.”
અને કુસ્તી શરૂ થઈ. ભીમે પોતે ભીમ નથી એવું બતાવવા માટે પિતાની સમગ્ર શકિત અને કળામાંથી થોડાક જ ભાગનો ઉપયોગ કર્યો. ઘડીક જીમૂત જીતતો દેખાય, ઘડીક બલવ! જાણે કેમ બને સમોવડિયાસરખા ન હોય !
નિરાશ થયેલ નગરજને, અને પરદેશી મલની સામે આપણે તે પૂરેપૂરું નીચાજોણું થયું એવી શરમ અત્યાર લગી અનુભવી રહેલ વિરાટ, બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૩
ટટાર થયા. રસયા ઉપર ઓળઘોળ થઇને સૌ તેને અનેક રીતે પિરસાવવા માંડ્યા.
આ તરફ જીમૂત પણ સમજી ગયે કે શેરને સવાશેર સાંપડયો છે. હવે બરોબરિયા સાથે બાથ ભીડવાની છે. કુસ્તી વધુ ઉગ્ર બની. જીમૂતને રઘવાટ વ. ભીમને ઉશ્કેરાટ પણ વધ્યો.
અને જોતજોતામાં જીમૂત-પ્રલયને મેઘ વરસ્યા વગર જ વિરાટના આકાશમાંથી ઓગળી ગયો.
વિરાટની ધરતી એનું સ્મશાન બની ગઈ. અને વિરાટની શાન રહી ગઈ. અને બલવનું માન વધ્યું. અને યુધિષ્ઠિરની ચિંતા વધી. જીમત દુર્યોધને દશે દિશામાં મેકલેલ ગુપ્તચરમાંને એક હશે તો?
૮૯. કીચકની કામલીલા ગયા પ્રકરણમાં વર્ણવાયેલી જમત–વધની ઘટના છેડે વધુ વિચાર માગી લે છે.
કીચકના સૌ ભાઈઓ હતા. સો યે સો મલ-યુદ્ધમાં પ્રવીણ હતા એમ કહેવાયું છે; તો શું તેમને એક પણ આ જીમૂતની સામે અખાડામાં ઉતરવા તૈયાર નહિ થયો હોય? કે પછી તેમનામાં પાણું જ નહોતું; અને રાજાના સાળાના સગાવહાલા લેખે જ તેઓ રાજ્યમાં ચરી ખાતા હતા?
બીજું, વિરાટનગરને સાચો ધરણી થઈ બેઠેલો કીચક પિતે આ વખતે કયાં હતો ? દિગ્વિજય કરવા આવેલ જીમૂત મસ્યદેશમાંથી વિજેતાનું બિરૂદ મેળવીને બહાર જાત તે આખાયે ભારતવર્ષમાં મશ્કરી વિરાટની ન થાત, ( કારણ કે તે મુદ્દો હતો એ સુપ્રસિદ્ધ હતું) પણ કીચકની જ થાત. તો શું પોતાની પ્રતિષ્ઠાની પણ એને પડી ન હતી? ભોગવિલાસની પાછળ એ શું એટલી હદે નિર્માલ્ય બન્યા હતા કે રાજ-પ્રતિષ્ઠાને પ્રશ્ન પણ તેને ન સ્પશે ?
આ મતને અને દુર્યોધને પાંડવોને છતા કરવા માટે ચારે દિશાઓમાં પાઠવેલા સેંકડો ગુપ્તચરને કે સંબંધ ખરો કે નહિ ? વ્યાસજીએ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૪
કશેા જ સંબંધ ખતાબ્યા નથી, વરદાન પામેલ છે કે પેાતે જે જે પાત્રોના આંતરબાહ્ય બધાં રૂપે। પ્રત્યક્ષ થાય.
અને વ્યાસજી ખુદ બ્રહ્મા પાસેથી એવું પાત્રોની કથા આલેખી રહ્યા હોય તે તે તેમને હાથમાંના ફળ કે ફુલની માફક
જે હા તે, પણ પાછળના કેટલાક કવિએ તથા લેખાએ તેા આ જીમૂતને દુર્યોધનના એક ગુપ્તચર બનાવી જ દીધા છે. તેમને મતે યુધિષ્ઠિર અને ભીમ આ વાત કળી ગયા હતા. ખાસ કરીને ભીમ! સામે ચાલીને પેાતાની સાથે કુસ્તી કરવા આવેલ રસાયા તે કાઇ સામાન્ય મત્લ નથી, પણ ભીમ જ છે એવી ખાતરી જીમૂતને ઘેાડીક જ વારમાં થઇ ગઇ હતી, અને એ વાતની જાહેરાત એ • ભીમ ” એવા શબ્દ મેાટથી મેલીને કરવા પણ જતા હતા, પણ ત્યાંતા ભીમે તેનું ગળું દબાવી દીધું અને “ ભી....મ ', ને બદલે ભે....’” મેલીને તે રામશરણ થઇ ગયા.
,,
""
માણભટ્ટોએ, આમ તેા, વ્યાસજીની આ કથા સાથે અનેક સ્થળે ઉચિત અને અનુચિત છૂટ લીધી છે, પણ અહીં, આ સ્થળે, તેમણે જીમૂતને જે રીતે દુર્યોધનની ગુપ્તચર-મંડળી સાથે જોડી દીધેા છે એ સથા ઉચિત કહી શકાય એવી છૂટ છે. જાણે વ્યાસજીએ કઇંક અધૂરું રાખ્યું હોય, તે એમણે પૂરૂં કરી દીધું.
છેલ્લે,–મેટામાં માટી વિચિત્રતા તા એ છે કે આવા વિશ્વવિખ્યાત મલ્લના વધ પેાતાના નવા રસેયાએ કર્યો, અને એ રસાયા, તેના પેાતાના જ કહેવા પ્રમાણે, એક કાળે ભીમ સાથે વસેલા હતા, છતાં વિરાટને એ ભીમ હોવા અંગે કાઇ પણ જાતના સંદેહ ન ઉપજ્યું.
હવે આપણે આગળ ચાલીએ.
જીમૂતના મૃત્યુની ઘટના પછી બીજા છ મહિના વીતી ગયા. સંપૂ સ્વસ્થતાપૂર્વક અનેક માનસિક યાતના સહન કરતા કરતા પાંડવાએ જ્યારે અજ્ઞાતવાસના વર્ષને સારા એવા ભાગ વિતાવી નાખ્યા હતા ત્યારે એક બીજી ઘટના બની.
तस्मिन् वर्षे गतप्राये कीचकस्तु महाबल: । सेनापति : विराटस्य ददर्श द्रुपदात्मजाम् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૫
ત્યારે શું વિરાટના સેનાપતિ એવા કીચકે દુપદાત્મજાને અત્યાર લગી જોઈ જ નહિ હોય ? પોતાના ભાઈના સ્વભાવથી સંપૂર્ણ રીતે પરિચિત એવી રાણુ સુદૃષ્ણએ શું આ નવા સૌંદર્ય-રત્નને તેની લંપટ અને વિષયી આંખથી યોજનાપૂર્વક અળગું રાખ્યું હશે? અને એમજ હોય તો, બિચારી સુષ્માએ દશથી એ વધુ મહિના કરેલી મહેનત પર આમ રહી રહીને પાણી ફરી વળ્યું એ પણ ઇશ્વરની જ એક લીલા જ ને! અથવા, કાલિદાસે કહ્યું છે તેમ માતાનામ્ દ્વારાfજ મવતિ સર્વત્રા
કીચકે જેવી એ અપ્રતિમ સૌંદર્ય-સ્વામિનીને જોઈ, તે જ એ વિકારવિહુવલ બની ગયો. સીધે એ ગયો પોતાની બહેન પાસે. “કયાંથી આવી છે આ? ક્યારે ? મને વાત પણ ન કરી? વારૂ! વારૂ! પણ હવે એ મારે ત્યાં આવે એવી ગોઠવણ થવી જોઈએ.” વગેરે.
સુષ્મ પિતાના ભાઈને આ પ્રસંગે કશું જ કહેતી નથી. સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠી રહે છે, જેને અર્થ તેના ભાઈએ “સંમતિ” તરીકે જરૂર ઘટાવ્યો હશે.
સુદેણના આ મૌનનું કારણ એ પણ હોય, કે હમણાં હું શા માટે બોલું ? ભલે એ જાય, એની પાસે! જોઉં તો ખરી, મારા ભાઈના પ્રલેભનેને એ શો પ્રત્યુત્તર આપે છે!
કીચકે શૈપદી પાસે જઈને સીધી પિતાની કામ-લીલા જ શરૂ કરી દીધી. વિકૃતિની દુનિયાને તે અઠંગ ખેલાડી હતો.
પણ દ્રૌપદી અને કીચકના સંવાદને આપણે એક જુદું પ્રકરણ જ આપીએ.
૯૦ જે તારે મને જીવાડવો હોય તે !
સૈરધી (દ્રૌપદી) પાસે જઈને કીચક પહેલાં તે એના નેત્રાદિની તથા એના કેકિલ શા કંઠસ્વરની પ્રશસ્તિ કરે છે અને ઉમેરે છેઃ
एवंरुपा मया नारी काचिदन्या महीतले ।
ન પૂર્વા ... ...... “તારા જેવી રૂપવાળી નારી મેં કદી જોઈ નથી!” (પ્રત્યેક લંપટ આમ જ બોલતે હશેને, કેઇ નવી નારીને જોઈને !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
२८१
“તારા મુખચંદ્રને જોયા પછી કામવિવશ ન બને એવો કોઈ પુરુષ હું તે કલ્પી જ નથી શકતો !” વગેરે.
જેમ જેમ તે આગળ બોલતો જાય છે, તેમ તેમ તેની નિર્લજ્જતા વધુ વેગ પકડતી જાય છે, અને છેવટે ખાન-પાન અને ઘરેણાંનાં પ્રલોભને આગળ ધરીને તે તેની પાસે સીધી “પ્રેમ”ની જ માગણી કરે છે, પહેલી જ મુલાકાતે.
એક દાસી સાથે વધારે લપ્પન છા૫ન કરવાની જરૂર જ શી, તેને થયું હશે!
પણ તેનું છેલ્લું વાક્ય, શિકારને પહેલીવાર ફસાવવાની કોશિશ કરતા પ્રત્યેક કામીની મને વૃત્તિનો પડઘો પાડતું હોઈને નોંધપાત્ર છેઃ
त्यजामि दारान् मम ये पुरातनाः भवन्तु दास्यस्तव चारुहासिनि । अहं च ते सुन्दरि दासवत् स्थितः
सदा भविष्ये वशगो वरानने ।। “ મારી જની સ્ત્રીઓને હું તારે ખાતર છોડી દઈશ.” અથવા તારી દાસીઓ થવાની આજ્ઞા આપીશ ? હું જાતે પણ તારો દાસ થઈને રહીશ, સુંદરી, અને હરહમેશ તારું કહ્યું કરીશ, તારી આજ્ઞામાં રહીશ, તને અનુસરીશ.”
દ્રૌપદી આ બુદ્ધિભ્રષ્ટ લંપટને સમજાવે છે: “હું તો બીજાઓના કેશ ગૂંથનારી હલકા વર્ણની સૈરધી છું, સૂતપુત્ર ! ( તારે લાયક જ નથી ) વળી હું પર-દાર છું અને “દાર" સૌને વહાલી હોય છે, તેમ હું પણ મારા પતિને વહાલી છું. મારા તરફ આવી અધમ દ્રષ્ટિથી જોઈને તું તારી મેળે જ અપકીર્તિ તથા ભયને નોતરે છે. માટે ધર્મને નજર સામે રાખીને આ દુષ્કૃત્યથી છેટે રહે.”
પણ એમ શાબ્દિક બેધથી જે પોતે કરેલા અશુભ સંકલ્પોને છોડી શકતા હોય તો તે કામી શાના ?
કીચક તે ઉલટાને બેવડા ઉત્સાહથી પોતાનું સંવનન ચાલુ રાખે છે. પોતે કેણુ છે, તે હજુ કદાચ આ સેરશ્રીને ખબર નહિ હોય એમ માનીને તે કહે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૭
“આ આખાયે રાજ્યને માલિક હું છું. પરાક્રમમાં મારી કોઈ જોડી જ નથી, આ પૃવીમાં! મારી ઇચ્છાઓને તૃપ્ત કરીને તું આ રાજ્યની રાણ બની શકે છે. આ સ્થિતિમાં, આવી હીન દાસ્પદશામાં રહેવાની તારે અગત્ય જ શી છે?” દ્રૌપદી હવે તેને છેલ્લી ચેતવણી આપે છેઃ
તું નથી જાણતો, પણ પાંચ ગાંધર્વો, પાંચ ભયાનક ગાંધર્વો અહોરાત મારી રક્ષા કર્યા કરે છે. મારા પર કુદષ્ટિ કરનાર તેમના રોષમાંથી કદી છટકી શકતો નથી. મારા એ સમર્થ પાંચ સંરક્ષકેની હું પ્રિયતમા છું. મારા પ્રત્યે કામુક દષ્ટિ નાખીને તારી જાતને તું એવી દુર્દશામાં મૂકી રહ્યો છે,
જ્યાં તારા માટે આ સમગ્ર પૃથવીમાં–કે આકાશમાં પણ-કોઈ સલામત શરણ–સ્થાન નહિ રહે.”
આખરે કીચકને હાર સ્વીકારવી પડી. સેરશ્રીને હું મારી વાર્તાલાપની કળાથી જ રીઝવી લઇશ? મારાં પ્રલોભનોથી જ તે પીગળીને પાણી પાણી થઈ જશે, એવી એવી અનેક કલ્પનાઓ સાથે તે તેની પાસે આવ્યો હતો, પણ એ કલ્પનાઓ જ્યારે ભ્રમણાઓ સાબિત થઈ ત્યારે નિરાશ ન થતાં તેણે એક જુદે જ માર્ગ લીધે.
તે પિતાની બહેન પાસે આવ્યા. સુદેષ્ણાને તેણે વિનંતી કરી કે કોઈ પણ ઉપાયે મારો અને સરપ્રીનો મેળાપ કરાવી દે,–જો તારે મને જવાડિવો હોય તો.
અને પછી ભાઈને જીવાડવા માટે સુદૃષ્ણાએ એક યેજના કરી, જે આખરે તો તેના મૃત્યુની જ એક પૂર્વભૂમિકા બની ગઈ.
૯૧. વિરાટની સભા સમક્ષ
વિરાટની રાણુ સુદૃષ્ણએ પોતાના ભાઈની વિષવલાલસાને તૃપ્ત કરવા માટે જે રસ્તો શોધી કાઢયે તે, તે રાણુને માટે આપણું મનમાં જે થોડું ઘણું પણ માન હોય, તેને પણ ઓછું કરે એ છે. એ જમાનાની એક ખાસિયત લાગે છે. કેઈ છેટું કામ કરતા દેખાય, તો બે શબ્દો બોધના
એને યથાશક્તિ સંભળાવવા. પણ પછી તેને રોકવા માટે સક્રિય કંઈ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ન કરવું. ભીષ્મ-દ્રોણુ-વિદુર જેવા પણ આ જ વર્ગના હતા, ત્યાં વિરાટની રાણી સુદેષ્ણાનું તેા ગજું જ શું!
શ્રી કૃષ્ણ, વધ્યું શબ્દોના એ જમાનામાં, એક જ એવા પુરુષ હતા, જે શિખામણના બે શબ્દો ખેાલીને જ માત્ર બેસી ન રહેતા. અન્યાય અને અસત્યને રોકવા માટે તે પેાતાથી બનતું બધું જ કરી છૂટતા. માટે જ તા તેમની તેમના પાતાના જીવનકાળ દરમિયાન જ એક લેાકેાત્તર પુરુષ તરીકે ખ્યાતિ બંધાઈ હતી.
સુદેાએ પેાતાના ભાઈ કીચક સાથે અગાઉથી નક્કી કર્યા પ્રમાણે સૈરન્ધીને સુરા લઇ આવવા માટે કીચકને ધેર મેાકલી. સરન્ત્રીએ પહેલાં તે ઘણી જ ના પાડી. “ એ તમારા ભાઈ વા નફટ છે, તે તમે પેાતે જ જાણે! છે, ” એમ પણ કહ્યું. “હું તમારી પાસે આવી, અને તમે મને રાખી, તે વખતે જ મેં તમને મારી શરતે કહી સંભળાવી હતી, અને તે વખતે તમે તે બધી યે મજુર રાખી હતી,” એ પણ યાદ દેવડાવ્યું. પણ સુદેા ભાઇથી એટલી બધી ડરતી હતી, કે સૈરન્ત્રીનેા આટલે બધા વિરાધ અને કકળાટ સાંભળ્યા છતાં ન સાંભળ્યું! કરીને તેણે તેને પેાતાના ભાષ્ટને ત્યાં મેાલી.
અને હાથમાં સુવર્ણ પાત્ર ( સુદેા માટે કીચકને ત્યાંથી સુરા લ આવવા માટે) અને હૈયામાં પ્રાર્થના લને દ્રૌપદી કીચકને ત્યાં આવી. વ્યાસજી લખે છે કે દ્રૌપદીએ આ વખતે ઘેાડીક વાર સૂર્યની પણ ઉપાસના કરી. (સૂર્યે જ તેને અક્ષયપાત્ર આપેલું હતું, વનવાસ દરમિયાન ). સૂર્ય તેના પર પ્રસન્ન થઈને પેાતાના એક દૂતને દ્રૌપદીના સંરક્ષક તરીકે મેકક્લ્યા. સૂતા આ દૂત, પાતે અદીઠ રહીને દ્રૌપદીની રક્ષા કરતા હતા. ટૂંકમાં સૂર્યોપાસના કર્યા પછી સૈરન્ધીને એવી ખાતરી થઇ ચૂકી હતી કે સૂર્ય' તેની પ્રાર્થના લક્ષમાં લીધી છે અને તે હવે તેની રક્ષા કરશે જ, તેના શિયળને આંચ નહિ આવવા દે..
.
સૈરન્ધ્રા જેવી કાચકના મહાલયમાં દાખલ થઇ તેવા જ એ આનંદથી ઉછળ્યેા : ઉછળીને ઉભા થઇ ગયા. નાથં ધ્યેવ પાપ: જાણે કેમ સામે કિનારે પહેાંચવાની ઝંખનાવાળાને એકાએક હાડી ન લાધી હાય પણ હાડી તેને પાર નહિ પહેાંચાડે, અધવચ્ચે મેાતની મઝધારમાં જ ડુબાડી દેશે, એ વાતનું એને ભાન નથી અથવા એમ પણ હાય કે આ હાડી એને
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૯
એના જીવનને બીજે કિનારે-મત રૂપી કિનારે પહોંચાડવા માટે જ આવી પહોંચી હોય ! જે હોય તે, પણ ઉપમા બહુ જ સચેટ છેઃ નાવ હવા इव पारगः
કીચકે તે સીધી શય્યા જ બતાવી સેરબ્રીને ! માતુરાગ ન માં ન જગા ! “તારે માટે દિવ્ય શયન મેં તૈયાર રખાયું છે. ચાલ, ચાલ, મારી સાથે બેસીને પહેલાં તે મધુ-માધવીનું-ઊંચી જાતની મદિરાનું પાન
કર.”
“મદિરાનું પાન કરવા નથી આવી, મદિરા લેવા આવી છું, આ સુવર્ણપાત્રમાં, તમારી બહેન માટે. રાણી સુણાએ ખાસ કહેવડાવ્યું છે કે મદિરા લઈને તું જલદી આવજે, કારણ કે મદિરાપાનની એમની ઇચ્છા અતિ ઉત્કટ છે.”
એ તે હું બીજી દાસી દ્વારા મેકલી આપીશ.” કહીને કીચકે દ્રૌપદીને જમણે હાથ પકડે. મનમાં ને મનમાં ઈશ્વરની સ્તુતિ કરતી સૈરબ્રીએ પિતાના જમણું હાથને છોડાવ્યું. ત્યાં તે એ દુઝે એનું ઉત્તરીય વસ્ત્ર ખેંચ્યું અને દ્રૌપદીના રોષને પાર ન રહ્યો. પ્રાર્થનાએ જાણે કેઈ નવું બળ એને આપ્યું હતું. અને પેલો સૂર્યત તો હતો જ-અગોચર રહીને એને પ્રેરણું આપતો !
પિતા પર આક્રમણ કરી રહેલ કીચકને દ્રૌપદીએ એટલા બધા જોરથી હડસેલ્યો કે એ “મૂળ પર આક્રમણ થતાં વૃક્ષ પટકાઈ પડે એમ” પૃથ્વી પર પટકાઈ પડયો, અને શૈપદી આ તકને લાભ લઈને ત્યાંથી નાસી છૂટી.
કીચકના મહાલયમાંથી બહાર નીકળતાં વેંત તેને રાજસભામાં જઈને યુધિષ્ઠિરની સહાયતા માગવાને વિચાર આવ્યો. અને તે રાજસભા તરફ દોડવા લાગી..
દરમિયાન ઘરમાં પડેલે કીચક ઉઠીને તેની પાછળ પડયો હતો. તેણે તેને રસ્તામાં જ આંતરી લાતે લાત મારી. પણ એ મારને પણ ગળી જઈને સૈરબ્રી-લોહીલુહાણ અવસ્થામાં-વિરાટની સભા સમક્ષ પહોંચી.
પહોંચતાં વેંત તેણે કીચક સામે આંગળી ચીંધીને વિરાટને રાવ કરી. પણ વિરાટે તેને શું કહ્યું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦
“તમારા બંને પર્વ-ઈતિહાસ હું નથી જાણતા, એ સ્થિતિમાં હું નિર્ણય આપી શકું ?”
સભામાં ભીમસેન અને યુધિષ્ઠિર બને હાજર હતા.
ભીમસેન તે દ્રૌપદીના આ હાલ જોઈને ધૂવાપૂવ થઈ ગયો. કીચકની સામે તેને એટલે બધો રોષ પ્રગટયો કે જાણે અબઘડી ઉછળીને તે તેને છું દે કાઢી નાખશે, અને બાર વરસ વનવાસ વેઠ અને અજ્ઞાતવાસ પણ હવે લગભગ પુરે જ થવા આવ્યો હતો, તે બધી યે યાતનાઓ ઉપર પાણી ફરી વળશે. યુધિષ્ઠિરે તેની સામે જોયું. સંકેતથી તેને સમજાવ્યો, શાંત રહેવા પ્રવ્યો અને પછી દ્રૌપદી તરફ ફરીને એ બોલ્યાઃ
અહીં ચાલી રહેલી છૂત-ક્રીડામાં તું નાહકની ખલેલ પહોંચાડે છે. તું અંતઃપુરમાં પાછી જા. સુદૃષ્ણ જ તારૂં રક્ષણ કરશે. અને વીર પુરુષોની પત્નીઓએ એક વાત સદા સ્મરણમાં રાખવી કે અવસર આવ્યું તેમના પતિઓ કેઈથી ગાંજ્યા નહિ જાય ! એ અવસર જ્યાં સુધી આવ્યો નથી, ત્યાં સુધી સંપૂર્ણ શાંતિ અને સબૂરીથી તારા દિવસો વ્યતીત કર. આખરે તો સૌની રક્ષા કરનાર એક ધર્મ જ છે.”
યુધિષ્ઠિરના શબ્દોમાં રહેલ ગર્ભિત આશ્વાસનનો મર્મ સૈરબ્રી સમજી ગઈ અને વિરાટ તથા બલ્લવ આદિને વંદના કરીને તે અંતઃપુર તરફ ચાલી ગઈ.
પણ જતાં જતાં વિરાટની આખી યે રાજસભા સાંભળે તેવી રીતે કંક'ને બે માર્મિક શબ્દો સંભળાવવાનું તે ચૂકી નહિ.
હસ્તિનાપુરની રાજસભામાં આ વરનારીની જે દુર્દશા થઈ હતી, તેના કરતાં વિરાટની સભામાં થયેલી તેની દુર્દશા લેશ પણ ઓછી ન હતી. ૌપદીનું જીવન જ જાણે રપાવી આવી દુર્દશાઓની એક અશ્રુ-સાંકળી જેવું હતું.
૯૨ દ્રૌપદી ભીમને શેધે છે !
સૈરંધી જયારે અંતઃપુરમાં રાણુ સુદૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેને એટલે છુટો થઈ ગયો હતો, તેની આંખો વ્યાકુળતાથી લાલમલાલ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
વળી દોડતી દાડતી ત્યાં પહેાંચી હેવાને કારણે તે હાંફતી હતી. લેાહીલુહાણ
તા તે હતી જ.
“કાણે તારા આવા હાલ કર્યા?'
જાણે! છે તેા ય પૂછે! છે ? મેં તમને કેટલીયે ના પાડી, છતાં તમે તમારા એ ભાઇ પાસે, મદિરા લાવવાને બહાને મને માકલી, અને હુવે પરિણામ તમે જુવા છે ! એના અત્યાચારાથી છુટવા માટે મારે રાન્તની સભા સમક્ષ રાવ કરવા જવું પડયું, પણ એ દુષ્ટ ખુદ રાજાના દેખતાં પણ મને માર માર્યો અને મારું અપમાન કર્યું...! અને... સભા આખી -રાજા સુદ્ધાં-જોઇ રહી ! ’
..
tr
૨૯૧
rr
તું કહેતી હૈ।, તા હું એને સાકરું !'' રાણીના હૃદયમાં ઊંડે ઊઁડે સૂતેલી ન્યાયવૃત્તિ જાગૃત થઇ.
(:
સા તમારે કરવાની કશી જ જરૂર નથી, સૌર પ્રીએ રાષથી કહ્યું: જેમને અપરાધ એ દુષ્ટ કર્યા છે તે તેને સજા કરવા પૂરેપૂરા સમર્થ છે અને તેઓ તેને, અવસર આવ્યે, સત્ન કરશે જ.”
rr
,,
રાણી સુદેાને સરંધ્રાની આ વાણી નકરી બડાÉખેાર લાગી હોય તેા પણ નવાઈ નહિ.
પણ સૈરશ્રીએ તે આ વાયા ઉચ્ચારતાં પહેલાં પેાતાની યાજના તૈયાર કરી લીધી હતી. તે રાત્રે સૌ ઊંઘી ગયાં તે પછી છાનીમાની ભીમસેનના ખંડ તરફ દોડી ગઈ. ભીમસેન સૂતા હતા. સરધીએ તેને પેાતાના બન્ને હાથ વડે ઢ ઢાળીને જગાડયા.
ભીમસેને રાજસભામાં જે દ્રશ્ય જોયું હતું તે પરથી ઘણું ખરા અનુમાન કરી જ લીધું હતું. બાકીનું દ્રૌપદીએ કહ્યું. પણુ કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે યુધિષ્ઠિરની જુગારની ટેવને કારણે સૌને દુઃખી થવું પડયુ છે –અને તેને પાતાને પણ–તે વાત ઉપર સારી પેઠે આંસુએ વરસાવ્યાં. સેંકડા દાસદાસીએ જેમને અનુસરતાં, તેમને પેાતાને જ વિરાટના અનુય તરીકે જીવન વીતાવવાના પ્રસંગ આવ્યા છે–યુધિષ્ઠિરની આ કુટેવને કારણે, તે વાત તેણે ફેરવી ફેરવીને કહી.
..
“ પણ આ કીચક તેા આડે! આંક જ છે, એના ઇલાજ થવા જ જોઇએ. એમાં વિલંબ ન ચાલે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨
હું એ જ વિચારી રહ્યો છું” ભીમસેને તેને આશ્વાસન આપ્યું. “કંઈ સૂઝયું છે?”
“હા, અર્જુન બ્રહનલા રૂપે જે સ્થળે રાજકન્યાઓને સંગીત અને નૃત્ય શીખવે છે, તે નર્તનશાળામાં તું કીચકની સાથે આવતી કાલે રાતે મિલન ગોઠવ.”
“કીચક સાથે હું મિલન ગોઠવું?” દ્રૌપદી ક્રોધથી બેલી ઊઠી. ભીમસેન શું કહેવા માગતા હતા, તે હજુ તે પરૂં સમજી ન હતી.
“હા, હા; કીચકની સાથે આવતી કાલે રાતે ત્યાં મુલાકાત ગોઠવ. ગુપ્ત મુલાકાત. રાત્રિને સમયે નર્તનશાળા સાવ ખાલી હોય છે.”
તું શું કહી રહ્યો છે, વૃકેદર?” દ્રૌપદી હજુ ભીમનું હાર્દ સમજી નહોતી શકી.
હું ઠીક જ કહી રહ્યો છું. કીચકની સાથે આવતી કાલે રાતે ગુપ્ત મુલાકાત તારે ગોઠવવાની છે; પણ એ મુલાકાતમાં હાજર હું રહીશ, તારે બદલે !–ફક્ત આ વાતની કાઈને ગંધ સુદ્ધાં ન આવે એનું ધ્યાન રાખજે.”
અને કીચકના વધની પૂર્વભૂમિકા બહુ જ ભયંકર રીતે–ભયંકર અને હાસ્યાસ્પદ રીતે-સરજાઈ ગઈ.
૯૩. “કેવો રૂપાળે લાગે છે !'
સૈરબ્રીએ જ્યારે કીચક સાથે નૃત્યશાળામાં તે મળવાને સંકેત કર્યો ત્યારે કીચકના આનંદનો પાર ન રહ્યો. તે બિચારાને કયાં ખબર હતી કે એ સંકેત તેની ભોગ–તૃષાની પરિતૃતિનો નહોતો, પણ તેના જીવનની પૂર્ણાહુતિનો હતો !
વિરાટની રાજસભામાં ખુદ વિરાટના અને કંકના દેખતાં કીચકે કૌપદીને લાત મારી, તેજ રાતે ભીમસેન અને દ્રૌપદી વચ્ચે મુકિતને માર્ગ શોધવા અંગે લંબાણભરી ચર્ચા થઈ તે પછી બીજે જ દિવસે કીચક પાછ દ્રૌપદી પાસે આવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૩
“ જોયું ને, તે ? રાજાના દેખતાં મેં તારા શા હાલ કર્યા તે ? કોઈની પણ હિંમત ચાલી, તારી વહારે આવવાની ? કયાંથી ચાલે ? વિરાટ તે નામને રાજા છે. મત્સ્યદેશને સાચે માલિક તે હું છું ! હજુ ય કહું છું તને, મારે શરણે આવીશ તે હું તારે દાસ થઈને રહીશ, રજની સે સુવર્ણમુદ્રાઓ તને બક્ષીસમાં આપીશ, ઉપરાંત અનેક દાસ-દાસીઓ તારી સેવામાં રહેશે અને તને હરવા ફરવા માટે એક રથની વ્યવસ્થા પણ થશે !”
કામાતુર કીચકા સૌન્દર્યવતી સૈરબ્રીઓને આજે પણ આ જ પ્રલોભને નથી આપતા?
સરધીએ, ભીમસેનની સૂચના પ્રમાણે, પોતે જાણે હારીને નમતું આપતી હોય એવો દેખાવ કર્યો.
તમારી વાત સ્વીકારવા હું તૈયાર થાઉં, પણ મને પેલા ગાધર્વોની બીક લાગે છે!”
“ એ બીકને આપણે તું કહે તે પ્રમાણે ઉપાય કરીએ.”
“તે એમ કરેઃ કોઈને પણ ખબર ન પડે એવી રીતે તમે નર્તનશાળામાં આજ રાત્રે મને એકલા મળો. સાવ એકલા હે ! અને જે જે હો, નર્તનશાળામાં સંપૂર્ણ અંધારું હોવું જોઈએ, કઇ ઝાંખો પાંખો દીવો પણ ન જોઈએ.”
આ વાતચીત થઈ તે વખતે મધ્યાહ્ન હતો. આ પછીના દિવસને અધે ભાગ સેરંધી તેમજ કીચક બંને માટે ઘણો લાંબો થઈ પડે. કીચકના મનમાં એમ કે ક્યારે રાત પડે ને ક્યારે કામના પૂરી થાય, અને સરધીના મનમાં એમ કે જ્યારે રાત પડે ને કયારે આ આપત્તિનો ઓળો મારા ઉપરથી હંમેશને માટે ઉતરે !
રાત પડી કે તરત જ, પિતાની અને દ્રૌપદીની વચ્ચે થયેલી ગોઠવણ પ્રમાણે, ભીમસેન છાને માને નર્તનશાળાના ગાઢ અંધકારમાં ઘુસીને ત્યાં સજાવવામાં આવેલી એક સેજ પર લાંબો થઈને સૂઈ ગયો.
થોડી વાર પછી કીચક આવ્યો. અંધકારથી છલોછલ ભરેલી નર્તનશાળામાં તે ચારપગે દાખલ થયો. દાખલ થઈને અંદરથી બારણું તેણે વાસી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પછી અનુમાનને આધારે તે પર્યક (પલંગ) પાસે પહોંચ્યા. પર્યકમાં એક આકૃતિ સૂતી હતી તેને રંઘી સમજીને વેવલાઈ કરવા માંડી.
“ તને મેં વચન આપ્યું હતું તે પ્રમાણે સેનામહોરે, દાસદાસીઓ અને રથની વ્યવસ્થા થઈ ગઈ છે. તારા મિલન માટે મેં કેવી કેવી તૈયારી કરી છે, તે જે તે ખરી ! ઘેરથી અહીં આવવા નીકળ્યો તે વખતે સ્ત્રીઓએ મને શું કહ્યું, જાણે છે? તેમણે કહ્યું : “જેવો રૂપાળો તું આજે લાગે છે, તે રૂપાળો પૂર્વે કદી નથી લાગ્યો.”
“સ્ત્રીઓએ સાચું જ કહ્યું હશે; પણ હવે મારો આ સ્પર્શ કેટલે સુંગળો છે તેને પણ તું જરા અનુભવ કરી જે.”
અને છલંગ મારીને ભીમસેન કુદ્યો. કીચકને તેણે, કેસરી જેમ કે પાડાને પકડે તેમ પકડે.
અને પછી, અલબત્ત, એક ઉગ્ર ધન્વયુદ્ધ ત્યાં આગળ ખેલાયું.
મધરાત સુધી ચાલેલ આ યુદ્ધના મહાતાંડવથી નર્તનશાળા ધણધણું ઊઠી. એમાં પડેલાં વાઘો, વીણું મૃદંગાદિ પર કેવા કેવા આઘાતો તે રાતે થયા હશે, અને કેવાં કેવાં વિચિત્ર સગીત તેમાંથી જમ્યાં હશે, કેણ જાણે!
આખરે કીચકનું બળ તૂટી પડયું. ભીમે એની કેડ પોતાના ગોઠણો વડે ભાંગી નાખી. એને ઊંચકીને, બાળક જેમ દેરીને છેડે બાંધેલ દડાને ઘુમાવે એમ ઘુમાવ્યો. કીચકની પ્રાણુ ઉડી ગયા. ભીમે એને મારી મારીને માંસના પિડા જેવો બનાવી દીધો હતો – એવી રીતે કે કોઈને ખબર પણ ના પડે કે મૂળ આ કોણ હતો !
પછી ભીમસેને દ્રૌપદીને બોલાવી. નર્તનશાળા તેને હવાલે કરી તે રસોડા તરફ ચાલ્યા ગયા. સરંધીએ નર્તનશાળાના ચેકીદારને જગાડવા. (ચેકીદારો પણ ખરા! આટલી ધાંધલ થઈ ગઈ, છતાં જેમનું રૂવું સરખું પણ ન ફરકયુ .) તેમને તેણે કહ્યું : “આ જુઓ, મારા તરફ કુદષ્ટિ કરનાર કીચકના મારા ગાંધર્વ પતિઓએ કેવા હાલ કર્યા છે?” પછી તે ત્યાં આગળ રીડિયામણું મચી ગયું. અસંખ્ય ચોકીદારે મશાલે લઈ લઈને દોડયા અને જે ભયંકર દ્રશ્ય તેમણે દીઠું તે પરથી તેમને ખાતરી થઈ ગઈ કે આ પરાક્રમ સાચે જ કઈ ગાંધર્વનું જ હેવું જોઈએ ! માણસનું ગજું જ નહિ, કીચક જેવા કીચકની આવી દુર્દશા કરવાનું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૫
મૃત કીચકનું ચિત્રાત્મક વર્ણન વ્યાસજીએ સચોટતાથી આપ્યું છે:
क्वास्य ग्रीवा, क्व चरणौ
क्व पाणी, क्व शिरस्तथा। આની ડોક કયાં છે? પગ કયાં છે? હાથ કયાં છે ? માથું કયાં છે ?” એમ લેકે માંહોમાંહે પૂછવા લાગ્યા.
૯૪.
સ્મશાનમાં!
થોડીવારમાં તો સમાચાર આખા કે ગામમાં ફરી વળ્યા. કીચકના સો ભાઈએ આઠંદ કરતા કરતા નર્તનશાળામાં ભેગા થયા. કીચકના શબને જોતા જાય અને વધુ ને વધુ રાતા જાય. કીચક કેવો લાગતો હતો ? સંમિનસ નું સ્થ૪ વોતમ “જેનાં બધાં જ અંગો છુંદાઈ ગયાં છે એવા, પાણીમાંથી બહાર ખેંચી કઢાયેલા કાચબા જે !”
અને અગ્નિસંસ્કાર કરવા માટે શબને બહાર લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં સૈરી તેમની નજરે પડી. એક થાંભલાને અઢેલીને તે ઊભી હતી.
આ ડાકણને કારણે આપણું મોટાભાઈના જાનની ખુવારી થઈ ! મારે એ ચૂડેલને !” એક જણે વરાળ કાઢી. ટોળું એને પકડવા દોડ્યું.
“મારશે નહિ એને !” એક બીજાએ વધારે કઠેર સજા મુચવતાં કહ્યું, “એને બાંધીને ભેગી લઈ લે. કીચકની સાથે એને પણ ચિતા પર બાળી મૂકશું. ભાઇની ઈચ્છા એને ભોગવવાની હતી. જીવતાં તે તે એમ ન કરી શકયા, તે મુવા પછી તો એમની વાસના તૃપ્ત થશે. ચાલે, લઈ લ્યો ભેગી, એ કર્કશાને.”
વિરાટ આ બધું જોતો હતો. કીચકના ભાઈઓના સંયુકત બળની સામે થવાની તેનામાં તાકાત નહોતી. એટલે એણે નમતું મેલું. દ્રૌપદીને કીચક ભેગી બાળવાની સંમતિ તેણે એ હરામખોરને આપી દીધી.
કીચકની શબવાહિનીની સાથે બંધાઈને સ્મશાન તરફ જતી દ્રૌપદીને આર્તનાદ મત્સ્યદેશની સીમને વધી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૯૬
જીવનભર આક્રુન્દ કરવા માટે જ સરજાઈ છે, આ નારી, દ્રુપદની આ તનયા ! ઉત્તર હિન્દુસ્તાનની ભાગ્યે જ કાઈ નદી હશે, જેને કાંઠે એનાં આંસુ નહિ પડયાં હાય! હિમાલયનું ભાગ્યે જ ક્રાઇ શિખર હશે, જે એના રૂદનથી કંપી નહિ ઊયુ` હાય ! આર્યાવર્તીનું ભાગ્યે જ કેાઇ વન હશે, જેનાં વૃક્ષો એને વિલાપ સાંભળીને ી નહિ ઊઠયાં હોય !
સૈરન્ત્રીને આ વિલાપ ભીમે રાજરસેડામાં સૂતાં સૂતાં સાંભળ્યેા. તે સફાળા બેઠા થયા. તેણે વેષ-પલટા કર્યાં. રસેાડાનું બારણું બંધ હતું તે બંધ જ રહેવા દઈને દિવાલ ઉપરથી છાપરા પર ચઢીને તેણે મહેલની બહારની ધરતી પર છલંગ મારી. તે સ્મશાન ભણી દેાડયા. ચિતા જે ઠેકાણે ખડકાઇ રહી હતી, તેની બાજુમાં જ એક સુકાયેલું ઝાડ હતું, ભીમસેને તેને મૂળથી ઉખેડીને કાંધે ચઢાવ્યુ. અને પછી એ ભયંકર આયુધને આમ તેમ વીંઝતા એ પેલા સે। ભઇએના ટાળા પર ત્રાટકયા. આવે! માણસ અને આવું આયુધ, આવે! વેગ અને આવું ઝનૂન આ લેાએ કદી દીઠુ નહાતુ ! એટલે એમને થયું કે આ તે પેલા ગાંધ, જે સૈરધીની રક્ષા કરે છે, અને તેએ નાઠા !
ભીમસેને પહેલાં તા દ્રૌપદીને બંધનમુક્ત કરી તેને નગર ભણી મેાકલી આપી અને પછી કીચકના સે। યે સે ભાઇઓને વીણી વીણીને યમસદન પહોંચાડયા.
આમ એક જ દિવસમાં એકસેસને એક અત્યાચારીએાના ઓછાયા વિરાટના રાજનગરને માથેથી દૂર થયા.
૯૫. હવે ફક્ત તેર દિવસ બાકી છે !
હવે સામાન્ય જનતાનું માનસ જોઇએ. નગરના એકસા ને એક અત્યા ચારીએ કાઇ અગમ્ય અકળ હાથે મૃત્યુ પામ્યા તે બાબત રાહતની લાગણી તેઓ જરૂર અનુભવે છે, પણ તેમનું મન ખીજી જ દિશામાં દાડે છે. તેઓ ભયભીત છે. આવા જબરા માણસેાતે પણ રમત રમતમાં રાળી નાખનાર પેલા ગધના કાપ ગામ ઉપર ઉતરશે તે ? એ કાપને અટકાવવા શી રીતે ? એ કાપનું કારણ આ સૈરન્ધી છે. તેએ નિણૅય કરે છે: આ રૂપાળી આ ગામમાં છે ત્યાં સુધી ાઈ પણ સલામત નથી; કારણ કે કામુકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૦
તૃપ્તિની વૃત્તિ માણસમાં સાહજિક છે અને આ સેર-બ્રીમાં માણસને ઉશ્કેરે, ઉત્તેજે, વિક્વલ બનાવે એવું રૂપ છે ! એટલે તેઓ દોડયા રાજા પાસે ઃ
यथा सैरन्ध्रीदोषेण न ते राजन्निद' पुरम् ।
विनश्येतेति क्षिप्र तथा नीति विधीयताम् ॥ “સૈરબ્રીને દેશે તારું આ પુર વિનાશ ન પામે એવું કંક કર!”
વ્યભિચારીઓને રોકવાની વાત નથી; ગુનેગારોને સખ્ત રીતે દેડવાની વાત નથી; નારીને ધુતારી ઠરાવીને ગામમાંથી હાંકી કાઢવાની વાત છે!
હવે વિરાટને ફેંસલો સાંભળો. ખાનદાની અને ભીતિનું વિચિત્ર મિશ્રણ છે એમાં !
એ ફેસલો તે પોતાની રાણી સુદેણું મારફત કહેવડાવે છે:
કૃપા કરીને તું તારી ઈચ્છામાં આવે ત્યાં જતી રહે; તારા ગંધર્વોની અમને બીક લાગે છે. ”
નગરના રાજમાર્ગો પર જતી સેરબ્રીનું ચિત્ર વ્યાસજીએ બહુ જ હદયદ્રાવક રીતે દોયું છે: “તેનાં અંગે અને વસ્ત્રો, તે તાજેતરમાં જ ન્હાઈ હતી તેથી, ભીનાં હતાં. તેને જોતાં વેંત પુષોએ ચારે દિશાઓમાં નાસભાગ શરૂ કરી. ગંધર્વોની બીકે એમની વિચારશકિતને હરી લીધી હતી. કેટલાક તે તેને જોઇને આંખ જ મીંચી દેતા હતા.”
પાંચાલીએ રસોડાના દ્વાર પાસે ભીમસેનને બેઠેલે જોયો. તેની સાથે ખુલી રીતે તો વાતચીત થઈ શકે એમ નહોતું, પણ સંકેતમાં તેણે તેને સંબો ઃ
“જેના વડે મારી મુકિત થઈ, તે ગંધર્વરાજને નમસ્કાર!”
પછી નર્તનાગાર પાસે આવતાં તેણે રાજકન્યા ઉત્તરાને નૃત્ય શીખવી રહેલ અજુનને જોયે- (કીચકના મૃત્યુને નિમિત્તે શાળામાં રજા નહિ હોય?) પણ તે પહેલાં તે નર્તનાગારની કન્યાઓએ તેને જોઈ લીધી હતી. સેરન્ધી તરફ એ છોકરીઓને સહાનુભૂતિ હતી એટલે બહાર નીકળીને તેમણે દુષ્ટ કીચકના ત્રાસમાંથી છૂટયા બદલ તેને અભિનંદન આપ્યાં. | દરમિયાન અર્જુન પણ બહાર આવી ગયો હતો. તેણે પૂછ્યું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮
“થયું શું, વાત તે કર, સેરશ્રી ? કેવી રીતે એ દુષ્ટોને નાશ થયો? કોણે કર્યો?”
સેરન્ધીનો જવાબ જેટલો રોષથી ભરેલો છે, એટલો જ કટાક્ષથી ભરેલો છે અને એટલે જ, પરિસ્થિતિને વિચાર કરતાં, સ્વાભાવિક છે.
“તારે શું કામ છે સૈરબ્રીનું, બૃહનલા, તને તે કન્યાપુરમાં હરહંમેશ મોજ જ છે ને ! સેરબ્રીના દુ:ખને તને અનુભવ નથી, એટલે તો તું એ દુખિયારીની આમ મશ્કરી કરે છે!” અજુનના (બહનલાના) પ્રત્યુત્તરમાં ભારેભાર દર્દ છે:
न तु केनचिदत्यन्त कस्यचिद् हृदय क्वचित्
वेदितुं शक्यते नूनम् ... “કેઈના હૃદયને કોઈ શું જાણે!”
ત્યાંથી પછી સૈરબ્રી સુષ્ણુ પાસે આવે છે. સુદેણું તેને વિરાટને આદેશ સંભળાવે છે. આદેશનો જવાબ આપતાં સેન્દ્રી કહે છે :
હવે તેર દિવસ જ બાકી છે, રાણમા ! પછી મારા ગંધર્વો મને અહીંથી લઈ જશે, અને તમારી ભલાઈને પણ તમને બદલે મળશે.”
સુષ્ણનું અનુકંપા પૂર્ણ નારીહૃદય નારીહૃદયની વ્યથા સમજે છે. અને અજ્ઞાતવાસના છેલા તેર દિવસ પણ સુષ્ણના રાજમહેલમાં જ ગાળવાની દ્રૌપદીને અનુમતિ મળે છે.
૯૬. હસ્તિનાપુરની રાજસભામાં
દુર્યોધને પાંડવોને શોધી કાઢવાના ઈરાદાથી જે અનેક ગુપ્તચરે મેકલ્યા હતા, તે બધા હવે –તેર દિવસ જ બાકી છે- હસ્તિનાપુર પાછા ફર્યા. પાંડનું પગેરું કાઢવાના તેમના બધા ય પ્રયત્ન નિરર્થક નીવડયા હતા, પણ એક ખુશખબર તેમણે સૌને આપ્યા. તે ખુશખબર એ કે, ત્રિગર્લો, જેઓ હસ્તિનાપુરના મિત્રો હતા, તેમને પરાભવ કરનાર કીચક આખરે મરાયો હતો. એક મધરાતે કોઈ ગંધ એને અને એના બધા જ ભાઈઓને મારી નાખ્યા હતા અને આ આખી યે ઘટના કેઈ સ્ત્રીને નિમિત્તે બની હતી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૯
હકીકતમાં આ સમાચાર દુર્યોધનને જ્યારે મળ્યા હશે, ત્યારે અજ્ઞાતવાસની અવધિને પૂરા તેર દિવસ પણ બાકી નહીં હોય! કારણ કે ઓછામાં ઓછો એક દિવસ તે વિરાટ નગરથી હસ્તિનાપુર પહોંચતાં લાગે- વધારે દિવસો પણ નીકળી જાય! | દુર્યોધન ગુપ્તચરની આ બધી બાતમી સાંભળીને લાંબો વખત સૂનમૂન બેસી રહ્યો. પાંડવોની બાબતમાં ગુપ્તચરનું અનુમાન એવું હતું કે તેઓ એટલે કે ગુપ્તચરો તેમને કયાંય પકડી પાડી શકયા નથી એ જોતાં, પાંડવો હવે પૃથ્વીના પટ ઉપર જ નહિ હોય, મરી ગયા હશે. (પતે જેમને પકડવામાં સફળ નથી થતા, તે બધા જ મરી ગયા હોવા જોઈએ, એમ બધા જ ગુપ્તચર માનતા હોય છે!) પણ કણે દુઃશાસનને જાસૂસને ફરી શોધમાં મોકલવાની સલાહ આપી, અને સાથે સાથે દુર્યોધનને આશ્વાસન આપ્યું :
કાને ખબર છે, વનવાસ દરમ્યાન કેઈ હિંસક પશુએ ફાડી ખાધા હશે! અથવા સર્પદંશના ઝેરથી મરી ગયા હશે !” ટૂંકમાં, તેઓ મૃત્યુ પામ્યા હોય એ સર્વથા અસંભવિત નથી. “પણ એમાં તું આટલો બધે વ્યગ્ર શા માટે થાય છે? મનને સ્વસ્થ રાખીને વિચાર કર કે હવે શું કરવું !”
દ્રોણને જાસૂસોનું અનુમાન સાચું નહોતું લાગતું, પણ તે સ્પષ્ટ કહેવાને બદલે તેમણે ગોળ ગોળ વાતો કરી: આવા સજજને અને વીર પરષો પૃથ્વીના પટ ઉપરથી આવી રીતે નાબૂદ થઈ જાય એમ હું માનતો નથી. તેઓ જીવતા જ હેવા જોઈએ. માટે હવે શું કરવું તેને વિચાર કરો.” તેર મહિના પુરા થતાં તેઓ પ્રગટ થાય ત્યારે તેમનું રાજય તેમને પાછું સોંપી દે, એમ નથી કહેતા, આ આચાર્ય મહારાજ ! ઉલટું ફરીથી જાસૂસ મોકલીને જે થોડાક દિવસે હવે બાકી રહ્યા છે તે દરમ્યાન તેમને છતા કરવાની ભલામણ કરે છે !
હવે પિતામહ ભીષ્મને સાંભળોઃ એ પણ, પાંડવો જેવા ઈશ્વરપરાયણ અને ધર્મરત મહાત્માઓ એમ નાશ ન પામે એ બાબતમાં દ્રોણની સાથે સંમત છે. બીજી બાજ, પાંડ જ્યાં વસતા હશે, તે દેશ કે ભાગ્યશાળી અને સમૃદ્ધ હશે તેમ કહીને તેવા સંભવિત દેશનું વિસ્તારથી વર્ણન પણ કરે છે; પણ છેવટે, મગનું નામ મરી નથી પાડતા. “તને જે વાતમાં તારું હિત લાગતું હોય તે તું હવે જલદી કર !” આટલું કહીને બેસી રહે છે.
પણ કૃપાચાર્ય તે આડો આંક જ છે. એ કહે છેઃ “સામાન્ય શત્રુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પણ ઉપેક્ષા ન કરી શકાય, તો પછી પાંડવો જેવા રણકુશળ શત્રુઓની ઉપેક્ષા તો થાય જ શી રીતે ! ”
ટૂંકમાં એ બધા વડીલોનાં ભાષણ આજની ભાષામાં જેને Piatitudes કહીએ છીએ એવી અસંગત નકામી સુફિયાણી વાતોથી ભરેલાં છે.
દુર્યોધનને ખખડાવીને કોઈ જ નથી કહેતું કે “એ લેકે જુગારમાં હારીને વનમાં ગયા તે વખતે વાયદો કર્યો હતો તે પ્રમાણે તેરમા વરસને અંતે તેઓ પ્રગટ થાય ત્યારે તેમનું રાજય તેમને પાછું સોંપી દે!”
છેલ્લે દુર્યોધન મોટું ખોલે છે, તેણે હવે પોતાને નિર્ણય કરી લીધું છે. પાંડવો મર્યા નથી એમ તેને પણ લાગે છે! પણ તે પછી તેઓ છે કયાં?
એક અનુમાન તેણે કરી લીધું છે. મનમાં ને મનમાં તેણે ગણતરી કરી લીધી છે.
બળદેવ, ભીમ, શલ્ય અને કીચક આ ચાર એક સરખી કક્ષાના મહાબલી યોદ્ધાઓ તરીકે ભારતમાં પ્રસિદ્ધ હતા. એ ચારમાંના એક કીચકને મધરાતના અંધકારમાં કેક અગોચર હાથે માર્યો ! એ હાથ એના કોઈ સમોવડીઆને જ હોવું જોઈએ. હવે બળદેવ અને શલ્યનો તે એ ન જ હોય; તો પછી બાકી રહ્યો એક ભીમ! માટે ભીમ વિરાટનગરમાં જ છે, એટલે કે પાંડવો મસ્યદેશમાં જ છે.
અને દુર્યોધને મર્યાદેશ પર આક્રમણ કરવાને પ્રસ્તાવ મૂકો.
૯૭. સુશર્માનો સાણસા-ધૂહ
દુર્યોધને મત્સ્ય દેશ પર આક્રમણ કરવાનો વિચાર જાહેર કર્યો તેની સાથે જ ત્રિગર્તાને રાજા સુશર્મા, જે મોટેભાગે, શકુનિની જેમ, હસ્તિનાપુરની રાજસભામાં જ પોપાથર્યો રહેતો, તેણે તે વિચારને ટેકે આયે. એક નવી યોજના પણ તેણે રજૂ કરી. તે યોજના એ હતી કે દુર્યોધન વગેરે મસ્ય દેશ ઉપર ચઢાઈ કરવા નીકળે તેને આગલે દિવસે તેણે પોતે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૧
દેશમાં (ત્રિગર્તામાં) જઈ, તે સીમાડેથી મત્સ્યદેશની ગાયનું હરણ કરવું. ત્રિગર્યો અને મો વચ્ચે હરહંમેશ દુશ્મનાવટ જ રહ્યાં કરતી, એટલે આમાં કંઈ નવાઈ જેવું દેઈને નહિ લાગે. ત્રિગર્તે ગાયોને હરી જાય છે એવા સમાચાર મળતાંવેંત વિરાટ પોતાના લાવલશ્કર સાથે તેના પર ત્રાટકશે. એટલે રાજધાનીમાં સ્ત્રીઓ અને વૃદ્ધો અને ન લડનારી વસતિ સિવાય બીજુ કાઈ જ નહિ રહે. આમ થાય કે તરત જ, બીજે જ દિવસે, દુર્યોધને પોતાના લશ્કર સાથે હસ્તિનાપુરની દિશામાંથી મત્સ્યદેશ પર તૂટી પડવું. “બે પાંખિયા ધસારા” જેવા શબ્દોથી આજે આપણે પરિચિત છીએ. જૂના વખતમાં આને સાણસાલૂહ કહેતા.
ત્રિગર્લોના રાજા સુશર્માની આ યોજના સંપૂર્ણ સફળ થાય એવી હતી. સામાન્ય સંયોગો હેત, તો વિરાટનાં ગોટલાંછેતરાં જ ઊડી જાત !
પણ યોજના વિચારનારે પાંડવોને વિચાર નહોતો કર્યો !–અથવા કહો કે એ જ વિચાર કર્યો હતો, કારણ કે યોજનાનું મૂળ તો પાંડવો જે વિરાટનગરમાં હોય, તે તેમને છતા કરવાનું હતું. આમ થાય તો વનવાસમાં જતી વખતે થયેલ કરાર પ્રમાણે બીજાં બાર વરસને વનવાસ તેમણે વેઠવો પડે.
આ યોજનાને કર્ણને ટેકે તરત જ મળી ગયો. શકુનિ, દુઃશાસન વગેરે તો દુર્યોધનના પડઘા જેવા હતા. ભીષ્મ-દ્રોણ વગેરે તરફથી પણ કઈ ગંભીર વિરોધ ન થયો. બે શબ્દ શિખામણના સંભળાવવા સિવાય તેઓ ભાગ્યે જ બીજું કશું કરતા ! બોલે ગમે તેમ, પણ કાર્યને વખત આવશે ત્યારે તે બધા અચૂક પિતાની પડખે ઊભા રહેવાના છે એવી દુર્યોધનની ખાતરી હતી.
અને એક રાતે સુશર્મા ત્રિગર્તાની સીમ ભણું છાનોમાને ઉપડી ગયે; અને તે પછી બીજે જ દિવસે, વિરાટ રાજાના ગેવાળાએ રાજમહેલમાં દોડતા આવીને ધા નાખી કે આપણી સીમાને ત્રિગર્લોએ ઘેરી છે અને સુશર્મા આપણી ગાયોને હરી જાય છે.
અને વિરાટના વૃદ્ધ લોહીમાં એકાએક આગ ઊઠી; અને તે જ ક્ષણે સીમા સાચવવા, ગાયોને પાછી આણવા અને જૂની દુશ્મનાવટનો હિસાબ ચૂકતે કરવા પોતાના સૈન્ય સાથે ત્રિગર્લોની સામે તે કૂચ કરી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પણ કૂચ કરતાં પહેલાં એક વિચાર તેના મનમાં ઝબકી ગયો. આ કંક, આ બલવ, આ તક્તિપાલ અને આ ગ્રથિક-આ ચારેય લડી શકે એવા લાગે છે. (બલવનું બળ તે તેણે જીમૂતને વખતે જોયેલું હતું.) શા માટે એ ચારેયને રણભૂમિ પર સાથે ન લઈ લેવા?
અને પોતાના ભાઈ શતાનીકને તેણે આજ્ઞા કરીઃ “આ ચારને પણ આયુધ, કવચ અને રથો આપો. એ ચારેય આપણે સાથે આવશે.”
એટલે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલ પણ વિરાટની સાથે સુશર્માની સામે ઉપડી ગયા.
અને વિરાટની રાજધાની, સુશર્માએ હસ્તિનાપુરની સભામાં કહ્યું હતું તે જ પ્રમાણે, યોદ્ધાઓ વગરની રેઢી બની ગઈ. અને અગાઉથી થયેલ સંકેત પ્રમાણે દુર્યોધને તેને ઉપર છાપો માર્યો.
મહાભારત કહે છે કે તે દિવસ અંધારી આઠમને હતો. ચોકિયાતો રાજધાની તરફ દેડતા આવ્યા. રાજવીસૂના રાજમહેલમાં તેમણે ખબર પહોંચાડી : “કૌરવોનું દળકટક સીમ પર ત્રાટક્યું છે, મત્સ્યદેશનાં ગોધનનું હરણ થઈ રહ્યું છે.”
સાથે સાથે એવા સમાચાર પણ તેમણે આપ્યા કે સેનામાં દુર્યોધન, કર્ણ, શકુનિ, દુઃશાસન ઉપરાંત ભીષ્મ, દ્રોણ કૃપાચાર્ય અને અશ્વત્થામા પણ છે.
૯૮. વિરાટનો વિજય
આ તરફ લગભગ સાંજને વખતે ત્રિગર્તા અને મ ને ભેટો થયો. બને દળોના સામસામા ધસારાને કારણે આકાશ ધૂળથી છવાઈ ગયું. યોદ્ધાઓ આંધળા બનીને લડવા લાગ્યા. થોડીક જ પળોમાં ધરતી તેમનાં આભૂષણ પહેરેલાં પણ કપાયેલાં અંગોથી છવાઈ ગઈ. લેહીનાં ખાબડાં ઠેર ઠેર સરજાઈ ગયાં. કયાંક કયાંક અનેક ખાબડાં ભેગાં થતાં લોહીની નાની સરખી નદી પણ નિરમાઈ જતી.
મધ્યાકાશમાં સાતમને અર્ધ-ચંદ્ર ઊગ્યો. પોતે સજેલી સંહાર-લીલાને હવે સ્પષ્ટ જોઈ શકતા યોદ્ધાઓ પ્રસન્ન થયા.
સુશર્માને વિરાટ પર જમાનાજની દાઝ હતી. કીચક અને એના ભાઇએને કારણે એ અજેય જેવો હતો, ત્યારે, કદાચ આ ત્રિગર્તા પર તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૦૩
કાળો કેર વર્તાવ્યો હશે! ગમે તેમ, પણ એને પકડી પોતાના રથમાં નાખી એક કેદી તરીકે પોતાની રાજધાનીમાં લઈ જવાની સુશર્માને ખૂબ જ ઈચ્છા હતી.
પિતાના નાના ભાઈને લઈને એ વિરાટના રથ તરફ દો. વૃદ્ધ છતાં વિર વિરાટ આ જુવાને ના ઓચિંતા હલ્લા સામે લડી રહ્યો હતો, ત્યાં તો તે લોકેએ તેના સારથિને તેમજ બન્ને બાજુના બે પાર્વરક્ષકને મારી નાખ્યા. સારથિ વગરના, નિરંકુશ રીતે આમતેમ ફરતા પોતાના અશ્વો અને રથને વિરાટ કાબૂમાં લઈ શકે તે પહેલાં તો અગાઉથી સંતલસ કર્યા પ્રમાણે સુશર્મા અને તેનો નાનો ભાઈ વિરાટ ઉપર ધસી આવ્યા. વિરાટને તેમણે બને બાજુએથી પકડી લીધે, અને પછી જેમ કાઈ કામુક કોઈ યુવતીને પકડી જાય, તેમ” (યુવતીમિવ મુઃ) તેને ઊંચકીને સુશર્માના રથમાં બેસી દીધો અને પછી નિરાંતે રથને મારી મૂકો, પિતાની રાજધાની તરફ.
રાજા વિરાટ શત્રુના હાથમાં પકડીને પરાજિત થયે છે એવા સમાચાર ચારેકોર ફેલાતાં એના સૈન્યમાં નાસભાગ શરૂ થઈ
આવે વખતે યુધિષ્ઠિરે ભીમને કહ્યું: “આપણે બાર મહિના વિરાટના રાજયમાં માતાના ઉદરમાં બાળક રહે એટલી શાંતિ અને સલામતીથી રહ્યા છીએ એ ઋણ ફેડવાને આ વખત છે. તું જ અને વિરાટને છોડાવી આવ. ”
ભીમ તો આટલાની જ જાણે વાટ જોઈ રહ્યો હતો. પાસે એક ઝાડ હતું તેની સામે એ લોલુપતાભરી નજરે જોઈ રહ્યા.
યુધિષ્ઠિર તેના મનની વાત બરાબર સમજી ગયા. ભીમને ચેતવતાં તેમણે કહ્યું :
“રખે તું એ ઝાડ ઊંચકીને સુશર્માની સામે દેડત! એવું કરીશ તો તું ભીમ જ છે એ વાત છતી થઈ જશે. કેઈ બીજું આયુધ લઈને દોડ. અને આ સહદેવ અને નકુલ પણ ભલે તારી સાથે આવે.”
ભીમ પિતાની પાસે વિરાટના ભાઈ શતાનીકે આપેલું ધનુષ્ય હતું તે લઈને દેડો. સુશર્માને અને એના સારથિને તેણે બાણુવર્ષાથી અકળાવી મૂકયા. પછી સુશર્માના રથની સાવ નજીક પહોંચી તેના સારથિ અને અંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૪
રક્ષકાને મારી સુશર્માને તેણે રથમાંથી નીચે ઉથલાવી નાખ્યા અને પછી કાઈ દ્વારને મારે તેમ તેને માર્યા.
દરમ્યાન વિરાટ પણ સુશર્માની જ ગદા લઇને સુશર્મા સામે દોડયા. અને સુશર્મા ભાગ્યા.
ભીમે ફરી સુશર્માને પકડયા અને 66 પારકા પ્રદેશની ગાયા હાંકી જવી છે કાં ? ” એવા મેણાં મારતાં મારતાં તેને જમીન પર પછાડી તેની કમરને પેાતાના ગાઠણા ભરાવીને તાડી નાખી— પછી તેને બાંધીને તે યુધિષ્ઠિરની પાસે લઇ ગયા.
"
'
.
""
કહે,
જો તારે છૂટવુ હાય તે। આના પગમાં પડીને હું દાસ છું એમ ” ભીમે એને ધમકી આપી; પણ યુધિષ્ઠિરે એ તા હવે વિરાટનેા દાસ બની જ ગયા છે!” એમ કહીને તેને છેાડી મૂકવાની આજ્ઞા આપી.
કંક, બલ્લવ, ત ંતિપાલ અને ગ્રંથિક એટલે કે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલનું પરાક્રમ આમ વિરાટે નજરે જોયું એટલું જ નહિ પણ તેની પેાતાની જિંદગી જોખમમાં હતી તે ભીમના પરાક્રમથી જ ઊગરી છે એવું જ્યારે એને ભાન થયું ત્યારે એ વૃદ્ધ રાજવીમાં કૃતજ્ઞતાની વૃત્તિ ઊભરાઈ આવી અને કને તેણે કહ્યું: “મારા જીવ તમે બચાવ્યા છે તેના બદલામાં મારું આખું રાજ તમને આપું તે પણ એછું છે.”
પછી તેણે રણભૂમિમાંથી જ સુશર્માની ઉપર પેાતે વિજય મેળવ્યા છે એવા સમાચાર દૂતા મારફત મેાકલ્યા અને પેાતાની વિજયી સેનાના સ્વાગત માટે બધી તૈયારી કરવાનું કહેવડાવ્યું.
૯૯. સૈરન્ધી અને ઉત્તરા
ત્રિગઽના સુશર્મા વિરાટનગર પર આક્રમણ કરવા રવાના થયા તે પછી ખીજે જ દિવસે તેની સાથે અગાઉથી નકકી થયા મુજબ દુર્યોધને પેાતાનું આક્રમણ શરૂ કર્યું. તેની સાથે ભીષ્મ, દ્રોણ, ક, કૃપ, અશ્વત્થામા, શકુનિ અને દુઃશાસન તેમજ વિવિશતિ, વિક, ચિત્રસેન, દુખ, દુઃશલ વગેરે મહારથીઓ હતા તેમણે વિરાટનગરની ભાગાળે પહેાંચતાંવેંત ગાયાના અસંખ્ય ધણાને કબજે કરી લીધાં. ગેા-રક્ષકાએ થેાડાક સામના જેવું કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
૩ ૦૫.
પણ આવડા પ્રચંડ આક્રમણ સામે તેમનું શું ચાલે ! તેઓ દેડયા નગરમાં, વિરાટની પાસે ફરિયાદ કરવા. પણ વિરાટ તે સુશર્મા સામે સમય લશ્કર લઈને ઉપડી ગયા હતા. નગરમાં દુર્યોધનના દળને સામને કરી શકે એવું કઈ જ ન હતું.
પરિગ્રસ્ત ગોપાધ્યક્ષ” જેવો મહેલમાં દાખલ થયે તે તેની નજરે વિરાટને નાને પુત્ર (જે “ઉત્તર” અને “ભૂમિંજય” એવા નામથી ઓળખાતો હતો) ચઢ. ગોપાધ્યક્ષે બધી જ વાત એને કરી. “હવે તો તું જ નગરને અને સીમાડાને એકમાત્ર સંરક્ષક છે,” ગોપાધ્યક્ષે તેને કહ્યું. “તારા પિતા સભાઓ અને સમિતિઓમાં તારા પરાક્રમનાં વખાણ કરતા ધરાતા નથી. તે હવે એ વખાણને સાચાં પાડવાનો આ સમય છે. આટલા દિવસ તે તારી એક જાતની સંગીત-શકિતનું પ્રદર્શન કર્યું છે, હવે એક બીજી જાતની સંગીતશકિત દેખાડવાને અવસર આવ્યો છે.
शरवर्णा धनुर्वीणाम्
રાગુમણે પ્રવાય | ધનુષ રૂપી વીણું શત્રુઓ વચ્ચે વગાડી દેખાડ. હવે તું જ આપણું આ રાષ્ટ્રનું છેવટનું શરણ છે.”
ઉત્તર આ વખતે સ્ત્રીઓની વચ્ચે બેઠેલો હતો. ગોપાધ્યક્ષનાં વચનથી એને પિરસ ચઢ.
હું ગમે તેવા શત્રુની સામે ત્રાટકવા તૈયાર છું.” તેણે કહ્યું; “પણ એક મુશ્કેલી છેલડાઈમાં મારે રથ કુશળતાપૂર્વક હાંકે એવો કોઈ સારથિ
નથી.”
અજુને ઉત્તરની આ બાલિશ બડાઈ સાંભળી. તેણે દ્રૌપદીના કાનમાં કહ્યું :
ઉત્તરને કહે કે બૃહન્નલા એક વખત અર્જુનને સારથિ હતો. એને તારું સારથિપદ લેવાનું કહે.”
દ્રૌપદી ઉત્તર પાસે આવી અને આ વાત કરતાં જાણે શરમાતી હોય એવી રીતે તેને કહ્યું: “હું એક વખત પાંડની સેવામાં હતી એ તો તમે જાણે જ છે. તે વખતે આ ખૂહલા જે તમારે સંગીતને શિક્ષક છે તે અર્જુનને સારથિ હતો. અર્જુને ખાંડવવન બાળ્યું ત્યારે પણ એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૬
રથના ઘોડાઓને એ દોરતો હતો. તે મારી સૂચના છે કે એને સારથિ બનાવીને તમે યુધે ચઢે. એ સારથિ હશે, તો જરૂર શત્રુઓને તમે સંહારી શકશે.”
ખરૂં હશે.” ઉત્તરે જવાબ આપ્યો, “પણ તમે કહો છો તે માણસ નપુંસક કેમ હોય ? અને નપુંસક હોય તો યુદ્ધમાં સારથિપણું શી રીતે કરી શકે ? ગમે તેમ પણ એની પાસે જઈને મારે સારથિ બન ! ” એમ મારાથી તો નહિ જ કહી શકાય...... મારી વાત એ ન માને તો !”
દ્રૌપદી જાણે આટલાની જ વાટ જોઇને બેઠી હોય તેમ બેલી ઊઠી : “તારું કદાચ એ ન માને. પણ આ તારી નાની અને રૂપાળી બહેન છે ને, એનું વેણ તો એ કદી જ નહિ ઉથાપે. એને મોકલ.” (એક આખું વરસ જે છોકરીને પોતાના પતિએ સંગીત-નૃત્ય-કળા શીખવી છે, તેના પ્રત્યે, સહેજ ઈર્ષાનો ભાવ દ્રૌપદીના આ વચનમાં નથી તગતગતે ?-ઊંડા પાણીવાળા હેજને તળિયે કેઈ નાની માછલી તગતગે તેમ?-).
સૈરબ્રીની સૂચનાથી ઉત્તર પોતાની બહેનને બહનલા પાસે જવાનું કહે છે; અને ઉત્તરા તે જાણે આવા કેાઈ સૂચનથી રાહ જ જોઈને બેઠી હોય એમ દોડે છે.
અજુન ભણી દેડતી આ ઉત્તરાના સૌન્દર્યનું વીગતવાર વર્ણન કવિ આ પ્રસંગે આપે છે એ પણ સૂચક લાગે છે. સાંભળો, શેડાંક વિશેષણોઃ તવી, સુમાંજી, બિયાગ્રતા, મહાપમા; હૃતિરતોપમ–સંહિતો, રાહત્તા, સુચના, વગેરે.
“મૃગાક્ષિ, આટલી વ્યગ્ર શાને છે?” અજુને તેને પૂછયું : “ તારું મુખ, હે સુન્દરિ, અપ્રસન્ન શા માટે છે ?”
(વિરાટની આ “વિશાલાક્ષી રાજપુત્રી ” માટે વ્યાસે અહીં “ સખી ' શબ્દ વાપર્યો છે તે પણ સૂચક છે. નપુંસક નૃત્યશિક્ષકની તે એક “સખી’ જ બની ગઈ હશે, આ એક વરસમાં ! )
એ “સખી” – વિરાટની એ રાજપુત્રી ઉત્તરા હવે અર્જુનને આટલી ઉતાવળથી પોતે શા માટે દોડી આવી છે તેનું કારણ કહે છે, તે પણ કેવી રીતે ? ઝળાં માવયન્તી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
૩ ૦૭
“મારે ભાઈ ઉત્તર હસ્તિનાપુરના મહારથીઓ સામે યુદ્ધે ચઢવા ઈચછે છે, તેને તુ સારથી બન. ના ન પાડજે. સેરબ્રીએ મને કહ્યું છે કે એક વખતે ખુદ અર્જુનનું સારશ્ય પણ તે કરેલ છે.”
અર્જુન હસી પડે છે.
“ગજબના છો – તું અને તારી સેરન્તી, બન્ને! ગીતની કે નૃત્યની કે વીણા કે વેણુ કે મૃદંગ જેવું કાઈ સાજ બજાવવાની વાત હોય તે જાણે સમજ્યા, પણ યુદ્ધમાં સારથીપણું કરતાં મને કયાંથી આવડે ?”
થોડાક વિનોદપ્રમોદ પછી અર્જુન તૈયાર થાય છે. થોડુંક નાટક પણ તે કરે છે. કવચ પહેરતાં જાણે તેને આવડતું ન હોય તેમ, - કવચ પણ જાણે કાઈ વાઘ હેય તેમ, – એને ઉપર ઉછાળીને તે અદ્ધર ઝીલે છે–જે જોઈને આસપાસ ઊભેલી છોકરીઓ હસી પડે છે. ભોળો ઉત્તર પછી બહનલાને પિતાને હાથે જ કવચ પહેરાવે છે. પછી રથ સજજ થાય છે અને કિશોર રથી અને યુવાન સારથિ વિદાય થાય છે. વિદાય વેળાએ છોકરીઓ બહલાને કહે છે: “સંગ્રામમાં ભીષ્મદ્રોણુ આદિ કુઓને જીતીને તેમનાં બારીક અને સુંવાળા અને સુંદર વસ્ત્ર લેતા આવજે –અમારા માટે.”
છોકરીઓ તો કદાચ મશ્કરી જ કરે છે; પણ અર્જુનને જવાબ સમયોચિત છે.
“જરૂર લઈ આવીશ પણ તે એક શરતે, જો આ ઉત્તર શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે તો.”
૧૦૦. બેય હાથમાં લાડ!
અંતઃપુરમાં બેઠા બેઠા ફડાકા મારવા એ એક વાત છે, પણ મેદાને જંગ પર મરણિયા બનીને પિતાથી સવાયા શત્રુ સામે ઝૂઝવું એ એક જુદી જ વાત છે. વિરાટના નાના પુત્ર ભૂમિંજય અથવા ઉત્તર-કુમારને જીવનમાં પહેલી જ વાર આ કઠેર સત્યને સાક્ષાત્કાર થાય છે.
બૃહન્નલાએ એટલે કે અર્જુને ઘડાઓની રાસ હાથમાં લીધી કે ઘોડાઓ જાણે ઊયા! –આકાશમાં કેાઈ ઝડપી પીંછી ચિત્ર દોરતી ઊડે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૦૮
વાયુવેગે ઊડયા! અને જોતજોતામાં સારથિ-રથીની એ અજબ જુગલજોડી નગરની ભાગોળને ઘેરીને ઊભેલાં દુર્યોધનનાં દળોની લગોલગ થઈ ગઈ
પેલું સ્મશાન અને શમીનું વૃક્ષ પણ પાસે જ હતું, જ્યાં એક વરસ પહેલાં પાંડવોએ શસ્ત્રાસ્ત્રો સંતાડયાં હતાં.
ડુંગર ડુંગર જેવડાં અસંખ્ય મજાવાળા સાગર સમું કૌરનું એ દળ હતું. અણગણ વૃક્ષોવાળું કાઈ પ્રગાઢ અને વિશાળ વન ધીમે ધીમે વિરાટનગર ભણી આગળ વધી રહ્યું હોય – સૈનિકા, રથ, ઘોડાઓ, હાથીઓ રૂપી અસંખ્ય પગો વડે–એ એને દેખાવ હતો. ધૂળ તો એટલી બધી ઊડતી હતી કે ભલભલાની દષ્ટિ પણ એ ડમરીને ભેદી ન શકે.
કર્ણ, દુર્યોધન, ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા આદિની આગેવાની નીચે આગળ વધી રહેલ આ દળને જોતાં ઉત્તરકુમાર તો આભો જ બની ગયો. ભયને લઈને તેનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તે પરસેવે રેબઝેબ થઈ ગયો.
રથને પાછો વાળ, બૃહન્નલા,” અર્જુનને તેણે કહ્યું. “આવડાં જબરાં લશ્કરની સામે મારાથી શી રીતે લડી શકાય ?”
લડી કેમ ન શકાય !” અર્જુને જાણે ટીખળ કરતો હોય એવા અવાજે કહ્યું; “અંતઃપુરમાં સ્ત્રીઓ અને પુરુષ સૌની સમક્ષ મોટી મોટી વાતો કર્યા પછી હવે પાછાં શું હટાય ? તારે શું એ સૌની વચ્ચે તારી હાંસી કરાવવી છે? અને તારી વાત તો જાણે સમજ્યા, પણ મારું શું ? પેલી સેરબ્રીએ મારી -મારા સારશ્યની-આટઆટલી પ્રશંસા કરી તે સાવ ફોગટ ! ના, ના. હવે તો લડવું જ પડશે. તારાથી નહિ લડાય, તો છેવટે મારે લડવું પડશે; પણ ગાયોનાં ધણને પાછાં વાળ્યાં વગર નગરમાં તો હવે પગ નહિ જ
મૂકાય.”
પણ શબ્દોથી એમ કાઈને શૂરાતન ચઢતું હોય તો જોઈએ શું ?
“ગાયને ભલે કૌરવ લઈ જાય, અને ભલે મારી મશ્કરી થાય!” એમ કહીને ઉત્તરકુમારે તે રથમાંથી સીધે ભુસકે જ માર્યો અને સામે ઊભેલા શત્રુઓની આખી સેનાના દેખતાં નગરની દિશામાં એણે દોટ મૂકી. પણ અર્જુન તેને એમ શાને જવા દે ! રથમાંથી નીચે કુદીને એ તેની પાછળ ૧ શેક્સપિયરના “મેકબેથ' નાટકમાં પણ “ચાલતાં વન”ની કલ્પના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૯
દેડયો, અને હવામાં ફરફરતો તેને રોટલો અને તેનાં કપડાં જઈને કૌરવોની સેનામાં હસાહસ થવા માંડી.
પણ ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા આદિ સૌ વિચારમાં પડી ગયા. “વેષ ભલે નપુંસકને હોય, લાગે છે અર્જુન ! જુ, જુવો, અર્જુનનું જ આ માથું ! અર્જુનની જ આ ડેક! અને ઘૂંટણ સુધી પહોંચતા અજુનના જ આ બાહુઓ !”
દરમ્યાન અર્જુને ઉત્તરને પકડી પાડયો હતે.
“શા માટે મને નિશ્ચિત મત ભણું ઢસડી જાય છે, બ્રહનલા? –ગોવન મદ્રાણિ પરત ! મને જવા દે. હું તને સો સોનામહોર આપીશ, તું માગીશ તેટલાં મોતી અને હીરા આપીશ. પણ જવા દે મને, જવા દે !”
ઉત્તર આવું ગાંડું ગાંડું બેત્યે જતો હતો. અને અર્જુન તેને રથ ભણું ઘસડતો જતો હતો, અને આખરે “તારાથી ન લડાય તો કે નહિ, તે સારથીપણું કરજે; લડીશ હું!” એમ કહીને અર્જુને એને રથ પર ચઢાવી દીધા અને રથને તેણે પેલા શમીવૃક્ષ પાસે લીધો.
દ્રોણને તે હવે ખાતરી જ થઈ ગઈ હતી કે નપુંસકના વેષમાં આ અર્જુન જ છે. “એ એકલો જ આપણને સૌને પુરો પડશે!” એ સૌને કહેવા લાગ્યાઃ “લડવું નકામું છે!” કર્ણને આચાર્યની આ અર્જુન-સ્તુતિ ન ગમી.
દ્રોણ તે હંમેશા આવી જ વાત કરે છે,” તેણે તોછડાઈથી કહ્યું. “પણ અર્જુન મારી પાસે હિસાબમાં નથી. મારાથી સેાળમા ભાગનું યે શૌર્ય એનામાં નથી. અબઘડી હું બતાવી દઉં છું, કેણ કેટલામાં છે તે!”
જ્યારે દુર્યોધને બીજી રીતે આશ્વાસન લેવા માંડયું.
“એ અર્જુન હોય તે વળી વધુ સારું!” તેણે કહ્યું. કારણ કે અજ્ઞાતવાસ દરમ્યાન જ પાંડ છતા થઈ જશે તો તેમને બાર વરસ બીજા વનમાં જવું પડશે. અને એ અર્જુન નહિ હોય, અને બીજે કાઈ હશે તો આપણે એને રમતમાં જ હરાવી દઈશું. આપણને તે બેય હાથમાં લાડ છે”
કથા કહે છે કે દુર્યોધનનાં આ વચને સાંભળતાં વેંત ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા તેના “પારુષની પ્રશંસા કરવા લાગ્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૦
- વ્યાસજીએ આ હોય ને ?
પૌરુષ' શબ્દ અહીં કટાક્ષમાં તે નહિ વાપર્યા
૧૦૧. શંખનાદ ! હવે આ તરફ પેલા શમીના વૃક્ષ પાસે આવીને બહનલાએ ઉત્તરકુમારને એ ઝાડ પર ચઢવાનું કહ્યું.
“કેમ ?”
“આ ઝાડ ઉપર એક ધનુષ્ય છે અને બાણથી ભરેલું એક ભાથું છે તે મારે જોઈએ છે. ત્યાં બીજાં પણ અનેક આયુધે છે, પણ તું ઉપર ચઢ, એટલે મારે શું જોઈએ છે તે હું તને બતાવું.”
પણ આ ઝાડ પર તે, જુ, પેલું કે મનુષ્યનું મુડદુ છે! એને મારાથી શી રીતે અડાય ?”
“એને અડવામાં જરા ય વાંધો નથી, કુમાર. મારા પર શ્રદ્ધા રાખ. હું તારી પાસે તારા કુળને લાંછન લાગે એવું કશું જ કામ નહિ કરાવું. પણ હવે ઝટ ઝાડ ઉપર ચઢી જા.”
પણ કાનાં છે એ બધાં આયુધે ? અને અહીં ક્યાંથી આવ્યાં ? અને તમને શી રીતે ખબર પડી ?”
એ બધા સવાલોના જવાબો હમણાં જ તને આપું છું ભાઈ, પણ હવે એ ધનુષ્ય ઉતારી આવ.”
ઉત્તર ઉપર ચઢયો તો ત્યાં તેણે નિરાંતે સુતેલા સર્પો જેવાં પાંચ ધનુષ્ય જોયાં. આવાં ધનુષ્યો તેણે કદી જોયા જ ન હતાં. આટલાં પ્રચંડ અને આટલાં મનેહર! એકેકનું વર્ણન કરીને તેણે એ કાનાં છે એમ ફરી પૂછયું. અર્જુને હવે તેને આ શસ્માસ્ત્રો શમીવૃક્ષ પર શી રીતે આવ્યાં તેને આખો ઇતિહાસ કહ્યો–અને કર્યું આયુધ કાનું છે તે જણાવીને પોતાને તેમજ ચારે ય ભાઈઓને પરિચય પણ રમતમતમાં આપી દીધે.
“પણ તમને આ નપુંસકત્વ શી રીતે સાંપડી ગયું ?”
પાથે એને ઈતિહાસ પણ ટૂંકામાં સંભળાવી દીધો. અને પછી ઉત્તરે ઉતારેલા ગાંડીવને સજજ કરીને શંખનાદ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૧
""
અને એ શખનાદ એવા તેા ભીષણ હતેા કે ઉત્તરના રથના ઘેાડાએ ઘૂંટણભેર થઈ ગયા અને ઉત્તર પણ ભયભીત થઇને રથમાં ચોંટી ગયેા.
અર્જુને ઉત્તરને પંપાળી પંપાળીને ભયમુક્ત કર્યો.
શંખનાદા તે શું કદી સાંભળ્યા નથી ? ''
ek
“ શંખનાદા તે। મેં ઘણા યે સાંભળ્યા છે, બૃહન્નલા, પણ દિશાઓને ખળભળાવી મૂકે એવે નાદ આજે જ સાંભળ્યા. ’
(c
""
ઠીક છે. હવે પગ જમાવીને એસ. હું ફરી શંખનાદ કરું છું. એમ કહીને અર્જુને ફરી શંખનાદ કર્યો, પહેલાં કરતાં પણ વધારે ભીષણ અને હવે તા દ્રોણુ વગેરેને ખાતરી જ થઈ ગઈ કે આવે! શંખનાદ કરનારના હાથે કૌરવાનાં દાનું નિક ંદન જ નીકળી જવાનુ છે !
અને દ્રોણાચાય વળી પાછા સૌને યુદ્ધના માથી પાછા વાળવાનેા
પ્રયત્ન કર્યા.
પણ કં અને દુર્યોધનની હઠ પાસે તેમનુ કશુ ચાલ્યુ નહી..
૧૦૨.
વાહ પિતામહ, વાહ !
હવે અર્જુને પેાતાના હાથમાં જે બલેાયાં હતાં તે કાઢી નાખ્યાં હતાં અને પેાતાના વાંકડિયા તેમજ કાળા વાળને એક સફેદ વસ્ત્રમાં બાંધી લીધા
હતા.
તેના ધનુષ્યટંકાર તેમજ શ ંખનાદની અપૂર્વ ભીષણતા અનુભવ્યા પછી હવે તેા કાઇને જાણે શંકા જ રહી ન હતી. સૌના મનમાં ખાતરી જ થઈ ગઈ હતી કે આ અર્જુન જ છે!
અને દુર્યોધનને તા અત્યારથી જ પાંડવાને ફરી ખીજાં બાર વરસ વનમાં તગેડી મૂકવાનાં સપનાં પણ આવવા માંડયાં હતાં !
પણ આ દ્રોણ અને કૃપ અને ભીષ્મ-બધા થીજી કેમ ગયા છે ? તેમાં ય દ્રોણુ તા વળી પેાતાને દેખાતાં અનેક અમંગળ એંધાણામાં જ અટવાઈ ગયા છે. તેમનું ચાલે તેા સૈન્યને લઇને હસ્તિનાપુર ભેગા જ થઈ જાય—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૨
એમ એમના મોઢા પરથી દેખાય છે. “અર્જુનની સામે ઊભા રહેવાનું કાઈનું ગજું જ નહિ!” પોતાના પ્રિય શિષ્યની પ્રશસ્તિ ગાતાં એ થાકતા જ નથી.
પણ કઈ છેડાઈ પડે છે. અર્જુનનાં વખાણ એને બાણ સમાન લાગે છે.
“આ આચાર્યને એક બાજુએ રાખીને જે કરવું ઘટે તે કરો.” દુર્યોધનને એ સલાહ આપે છે. અર્જુનની ભાટાઈમાંથી એ ઊંચા જ નથી આવવાના. સેના જે એમની આ નબળાઈ જાણું જશે, તે નાહિંમત થઈ જશે. બાકી અર્જુને એવું તે કયું પરાક્રમ કરી નાખ્યું છે કે આચાર્યમાં આવડે મોટો અહોભાવ પ્રગટી ગયો છે! ઘોડા તે રોજ હણહણે છે અને વાયુ યે રેજ વાય છે ! વૃષ્ટિ અને વાદળાંને ગડગડાટ પણ મેં નવી નવાઇના નથી
किमत्र कार्य पार्थस्य
कथ वा स प्रशस्यते। “એમાં પાથે શી ધાડ મારી ? એની ભાટાઈ શા કાજે થઈ રહી છે?”
અને પછી તે એ “આચાર્યો ”ની આખી ન્યાત ઉપર ઊતરી પડે છે. આપત્તિની વેળાએ એ “પંડિતો ” કશા જ કામના નહિ! “પંડિતો” તો મહેલમાં અને બગીચાઓમાં નિરાતે ચર્ચાઓ ચાલતી હોય ત્યાં જ શોભે ! (વંહિતાસ્તત્ર શોમનાદ )
આ પછી કશું બડાઈખોરીમાં ઊતરી પડે છેઃ “તમે બધા આ અર્જુનથી ડરતા હો, તે એક બાજુ ખસી જાઓ! હું એકલો જ લડીશ. હું અર્જુનના કરતાં લેશ પણ ઊતરતો નથી. મારા માટે તો આજે એક અમૂલ્ય અવસર આવ્યો છે. મારાં બાણ વડે વીંધાયેલા અર્જુનને દુર્યોધનના હાથમાં સોંપીને દુર્યોધનના ઋણમાંથી મુકત થવાને !”
૧. નેપોલિયન વિષે કહેવાય છે કે એ દિગ્વિજય કરવા નીકળતા ત્યારે પંડિતોને હંમેશા સાથે જ રાખતે; અને શત્રુઓ અણધાર્યો હë કરે ત્યારે પોતાના લશ્કરને 24 241€ 21 241421: Form a square : savants and donkeys in the middle! ચોરસ યૂહ રચે: પંડિતો અને ગધેડાઓને વચમાં લઈ લો.” ( જેથી પંડિતને કશી ઈજા ન થાય, અને ગધેડાઓની પીઠ પર લાદેલી આવશ્યક સામગ્રી જળવાઈ રહે !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૧૩
કૃપાચાર્ય અને અશ્વત્થામા કર્ણની આ શેખીને એને સળગાવી મૂકે એવો–પણ સાચે –જવાબ આપે છે. ભીષ્મ સૌને શાંત કરવા મથે છે. દ્રોણ વળી તીસરી જ વાત કરે છે. દુર્યોધન સાહસવૃત્તિના તેરમાં કૅ આડુંઅવળું ન કરી બેસે એની તકેદારી રાખવાની એ સૌને ભલામણ કરે છે.
અને છેલ્લે, દુર્યોધનના મનમાં જે વાત કયારની યે રમી રહી છે તેને ફેડ પાડવાની તે ભીષ્મને વિનંતિ કરે છે :
અજ્ઞાતવાસનું વર્ષ પૂરું થયું કે હજુ થોડાક દિવસો બાકી છે?”
અને ભીમ જાણે આ સવાલ માટે તૈયાર થઈને જ કેમ ન આવ્યા હોય એમ જવાબ આપે છે:
બાર ને એક તેર વરસો તે કયારનાં યે પૂરાં થઈ ગયાં!” “હે !” સૌ આશ્ચર્યચકિત થાય છે. “કયારે ?”
“તેર વરસ પૂરાં થઈ ગયાં.” ભીષ્મ કહે છે. “તે વાતને આજે પાંચ મહિના અને બાર દિવસ વીતી ગયા.”
(અહીં આશ્ચર્યચકિત તો આપણે સૌ થઈએ છીએ કે આ વાત ભીષ્મ હસ્તિનાપુરની રાજસભાને પાંચ મહિના અને બાર દિવસ પહેલાં જ કેમ ન કરી ?)
પછી પોતે આ ગણતરી કયા ગણિતને આધારે કરી તે પણ ભીષ્મ સમજાવે છે. અને છેલ્લે ઉપસંહર કરતા હોય એવી છટાથી કહે છે?
આ બધું જાણ્યા પછી જ અર્જુન આવ્યો હશે. વળી સાક્ષાત ધર્મની પ્રતિમા સમો યુધિષ્ઠિર જેમનો મોટો ભાઈ છે, તે પાંડવો અધર્મનું આચરણ કદી કરે જ નહિ. આ મેં તમને કહેવાનું હતું તે કહી દીધું. હવે તમને રુચે તે માર્ગ લો. કાં તો યુદ્ધ કરે, અથવા તો ધર્મનું અનુસરણ કરીને પાંડવોનું રાજ્ય પાંડવોને પાછું આપ.” દુર્યોધનને એક જ જવાબ છે.
नहि राज्यं प्रदास्यामि पांडवानां पितामह । પાંડવોનું રાજય હું પાંડવોને પાછું નહિ જ આપું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૪
ભીષ્મ
આ સાંભળી રહે છે. તે તેા દુઃખદ છે જ; પણ વધારે દુઃખદ વાત તેા હજુ હવે આવે છે. દુર્યોધન એમને આદેશ આપે છેઃ युद्धोपचारिकं यत् तु
तन्छीघ्र प्रविधीयताम् ।
“ યુદ્ધને અંગે હવે જે કંઇ કરવું ઘટે તે જલદી કરો.”
અને ભીષ્મ યુદ્ધના સંચાલન અંગે સલાહ આપે છે.
પહેલાં તે! તું આપણા સૈન્યને ચેાથે। ભાગ લઈ તે હસ્તિનાપુર
tr
પહેાંચી જા.
ખીજો એક ચેાથે! ભાગ ગાયોનાં ધણુ લઈને હસ્તિનાપુર પહેાંચે. “બાકી રહેશે. અડધું સૈન્ય. એ અડધા સૈન્ય સાથે અમે -હું, દ્રોણ, કર્ણી, અશ્વત્થામા અને કૃપ –એટલા રહીશું. અને અમારી સામે જે આવશે, અર્જુન કે મત્સ્યરાજ વિરાટ, તેની સામે લડીશું. અરે ખુદ ઇન્દ્ર પણ આવશે તે તેને પણ હું પૂરા પડીશ.”
tr
સાચે જ ભીષ્મપિતામહની માનસ સૃષ્ટિને એળખવી અત્યંત કઠિન છે ! છતાં એક વાત નિર્વિવાદ, કે કુરુક્ષેત્રના કરુણ અંજામ માટેની જવાબદારી જેટલી ક, દુઃશાસન, શકુનિ, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની છે, તેટલી જ, અ તેથી યે વધારે ભીષ્મ જેવા, શઠ્ઠામાં well meaning શુભાશયી, પણ ક્રિયાક્ષેત્રે હંમેશા અશુભપક્ષી વડીલ વર્ગની જ છે! પાતાની પૂર્વે થઈ ગયેલા પ્રહ્લાદ અને વિભીષણનાં દૃષ્ટાન્તા શું તેમણે નહિ સાંભળ્યાં હોય ? પેાતાના સમકાલીન શ્રીકૃષ્ણ જેવાના જીવનમાં પણ તે કંઇ જ નહિ શીખ્યા હોય ?
અને છતાં શ્રીકૃષ્ણ માટેનેા તેમને આદર અદ્દભુત હતેા. વિચાર વાણી અને વન–ત્રણેય વચ્ચે આટલા કુમેળ, આ પ્રકારના માણસેામાં, અન્યત્ર જવલ્લે જ જોવા મળે છે. બીજી અનેક રીતે મહાન એવા આ મહાનુભાવે, એક આ કુટેવને કારણે કેટલા વામણા લાગે છે!
૧૦૩. અર્જુનની વીરતા !
ગયા પ્રકરણમાં આપણે જોઇ ગયા તેમ દુર્ગંધન ચેાથા ભાગના સૈન્યને લઈને હસ્તિનાપુર તરફ જવા ઉપડયા અને ખીજા ચેાથા ભાગનું સૈન્ય વિરાટની ગાયાના ધણને લઈને રવાના થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૫
બાકી જે અર્ધ સૈન્ય રહ્યું તેને સુવ્યવસ્થિત કરીને ભીમે અર્જુનની સામે લડવાની તૈયારી કરી. દ્રોણને એ સૈન્યના મધ્ય ભાગમાં ભીમે મૂકયા. અશ્વત્થામાને અને કુપને દ્રોણની બને બાજુએ, અને કર્ણને તેમણે મોખરે મૂકો. પોતે સમગ્ર સૈન્યનું હલનચલન જોઈ શકે અને સંચાલન કરી શકે એવી રીતે પાછળ રહ્યા.
આમ ગોઠવાયેલી સેના પર અર્જુન ત્રાટક. શિષ્યવત્સલ દ્રોણ તો એને જોતાંવેંત હરખ–ઘેલા થઈ ગયા. તેમાં વળી અર્જુને પહેલાં બે બાણ વડે તેમને વંદના અપ તેથી તો તેમના આનંદને પાર જ ન રહ્યો.
અર્જુને જોયું કે દુર્યોધન પલાયન થઈ ગયો છે અને વિરાટની ગાયનાં ધણોને પણ હસ્તિનાપુરની દિશામાં દોડાવવામાં આવી રહ્યાં છે. અનર્થનું મૂળ અને મુદ્દામાલ આમ હાથમાંથી છટકી જાય તે તેને મંજૂર ન હતું. પોતે જે યેય રાખીને લડવા નીકળ્યો હતો તે તે સિદ્ધ થવું જ જોઈએ, અને સૌથી મેટા અપરાધીને સજા મળવી જ જોઈએ, આવો નિશ્ચય કરીને સારથિને આસને બેઠેલા ઉત્તરકુમારને તેણે પિતાના રથને હસ્તિનાપુર ભણી નાસતા દુર્યોધન તરફ લેવાનું કહ્યું.
કોણ વગેરે અર્જુનનો આશય સમજી ગયા અને દુર્યોધનને બચાવવા દોડયા. દરમ્યાન અજુનના રથના દર્શન માત્રથી જ ગાયેનાં ધણોને હાંકી જતું ચોથા ભાગનું સૈન્ય વેરવિખેર થઈ ગયું. અને ધણો પાછાં છુટવાના આનંદમાં પૂંછડીઓ ઝુલાવતાં ઝુલાવતાં અને ભાંભરડા નાખતાં નાખતાં વિરાટ નગર તરફ દોડવા માંડયાં. દુર્યોધન સમગ્ર સૈન્યની પાછળ ઊભેલા ભીષ્મની પાંખમાં ભરાવા માટે ભાગ્યો.
અર્જુને પછી સૈન્યને મેખરે ઊભેલા કર્ણ સામે સ્થને લેવડાવ્યો. કર્ણને ભાઈ અજુનને વચ્ચેથી આંતરવા દે અને થોડીક પળોની ઝપાઝપી દરમ્યાન કર્ણના દેખતાં જ અર્જુનને હાથે મરાય. કર્ણ ખૂબ રોષે ભરાયે. બે ય બાણાવળીઓ વચ્ચે થોડેક વખત તુમુલ યુદ્ધ થયું. કણે થોડીક વાર તો પાર્થની સામે ટકકર ઝીલી, પણ પછી તે થાક્યો, અને અર્જુનના બણે વડે વીંધાઈને રંગભૂમિ છેડી ગયો; અને તેની સાથે જ તેનું સૈન્ય પણ છિન્નભિન્ન થઈને નાસભાગ કરવા લાગ્યું.
“હવે કઈ તરફ?” અજુનના વિજયી પરાક્રમથી ઉલ્લસિત થઈ ઉઠેલ ઉત્તરે પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૬
અજુને સામે ઊભેલાં બાકીનાં સૈન્યો પર એક અર્ધવર્તુલાકાર દૃષ્ટિ ફેકી.
આમ જો, પેલી નીલ પતાકા જેના પર ફરફરે છે, અને લાલ ઘડા જેને જોડયા છે તે રથ તરફ લે. તેમાં કૃપાચાર્ય છે!”
અને ઉત્તર રથને એ તરફ લે છે. આટલામાં તે અજુન એને યુદ્ધભૂમિનાં ભિન્નભિન્ન સ્થળોએ ઊભેલ દ્રોણ અશ્વત્થામા અને ભીમને પણ ઓળખાવી દે છે. દ્રોણના રથની તે તે દૂર દૂરથી પ્રદક્ષિણ પણ કરાવી લે છે–પોતાના રથ વડે ! ચોથા ભાગનું સૈન્ય લઈને હસ્તિનાપુર જવા નીકળેલ અને અર્જુનના આક્રમણના પહેલા ઝપાટાએ જ પાછો વળેલ દુર્યોધન તેમજ પરાજિત થઈને પાછા ફરી ગયેલ કર્ણ પણ યુદ્ધ માટે ફરી સજજ થઈને ક્યાંક ઊભા છે. અજુન એ બન્નેને દૃષ્ટિસંકેત વડે ચીધે છે.
પછી કૃપાચાર્ય સામે આવતાં પોતાને દેવદત્ત નામને શંખ ફૂંકીને તેમ જ પોતે કોણ છે તેની ઓળખ આપીને (નામ વિશ્વચ ચાત્મનઃ) યુદ્ધ શરૂ કરે છે. થોડેક વખત એ બે મહારથીઓ વચ્ચે એવું યુદ્ધ જામે છે કે જગતના સૌ યુદ્ધરસિયાઓને ઘડીભર જોઈ રહેવાનું મન થઈ આવે. પણ એટલામાં તો કુપના રથના બંને ઘોડાએ અર્જુનનાં બાણ વડે વીંધાઈને એવા તે ઊછળે છે–બંને સામટા ! -કે આચાર્ય રથમાંથી ગબડી પડે છે. અને ઊભા થઈ ફરી રથ પર બેસે ત્યાં સુધી અને અદબભેર થોભે છે. પછી યુદ્ધ ફરી જામે છે. પણ થોડા જ વખતમાં કૃપના ઘેડા અને સારથિ મરાય છે, એમનું ધનુષ્ય તૂટી જાય છે અને રથ પણ ભાંગી જાય છે અને પછી “છિન્નધવા, વિરથ, હતાશ્વ હતસારથિ' કૃપ પગપાળા ધસતા અજુન પર પોતાની ગદા ઝીં કે છે, જેને અજુન યુકિતપૂર્વક ચુકાવે છે. અને હવે સદંતર નિઃશસ્ત્ર બનેલ અને અનેક સ્થળોએ ઘવાયેલ કૃપને તેના સૈનિકે યુદ્ધભૂમિથી દૂર લઈ જાય છે અને અલબત્ત, અર્જુન તેમને રોકતો નથી.
હવે આપણે રથ પેલા જેના પર “કાંચની વેદીનું ચિહ્ન અંકિત છે એ રથ સામે લઈ જા. એ દ્રોણને રથ છે, અને દ્રોણ મારા ગુરુ છે. એ તે તું હવે જાણે જ છે.”
ઉત્તર અને એ દિશામાં દોડાવે છે. દરમ્યાન અને પોતાના કિશોર સારથિને દ્રોણને વિશેષ પરિચય આપે છે જે સાંભળતાં એમ જ થાય છે કે અર્જુનને ગુ–પ્રેમ, દ્રોણના શિષ્ય પ્રેમ કરતાં લેશ પણ ઊતરતે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૭
બુદ્ધિએ એ ઉશનસ્ સમા છે, નીતિશાસ્ત્રજ્ઞાનમાં એ બૃહસ્પતિ સમા છે, જેમનામાં ચાર વેદ, બ્રહ્મચર્ય, દિવ્યા અને સમગ્ર ધનવેદ પ્રતિષ્ઠિત છે અને–
क्षमा धैर्य च सत्य च आनृशंस्यमथार्जवम् ।
एते चान्ये च बहवो यस्मिन् नित्यं द्विजे गुणाः ॥ દ્રોણ સન્મુખ થતાં અજુન એમની સાથે જે રીતે વર્તે છે તે પણ નોંધપાત્ર છે.
અજુન પિતાની સામે ધસત આવે છે તે જોતાં વેંત દ્રોણ પણ તેની સામે ધસ્યા. દ્રોણના રથના રાતા અો અને અર્જુનના સ્થન ત અવો પળભર તે જાણે એકમેકમાં સેળભેળ થઈ રહ્યા. જાણે કેમ ગુરુ-શિષ્ય એકમેકમાં પ્રેમનું આલિંગન ન આપતા હોય !
પછી અર્જુને આચાર્યશ્રીને નમસ્કાર કર્યા અને અત્યંત મૃદુતાપૂર્ણ અવાજે તેમને વિનવ્યાઃ “હે સમર-દુર્જય, મારા પર કાપ ન કરશો. વનવાસનાં વર્ષો અમે આવા કઈ મિલનની પ્રતીક્ષામાં જ કાઢયાં છે. પણ આપના પર હું પહેલે હાથ નહિ ઉપાડું. આપ પહેલ કરશો તે પછી જ હું પ્રત્યુત્તર આપીશ.”
પછી દ્રોણે પહેલ કરી અને યુદ્ધ શરૂ થયું. યુવાન અર્જુન અને વૃદ્ધ દ્રોણ બને દિવ્યાસ્ત્ર-વિશારદ અને ક્ષાત્રત્વસંપન્ન ! કઈ કઈથી ગાંજ્યા ન જાય; કોઈ કાઈને મચક ન આપે, સેના આખી વિસ્મિત નયને જોઈ રહી. પણ કાળ અર્જુનના પક્ષમાં હતો. જે વેગથી તે બાણુવર્ષા કરી રહ્યો હતું, તેને પહોંચી વળવું એ આયુષની એક સદીને વટાવી ગયેલા આચાર્ય માટે શકય નહતું. પિતાની આ પ્રકૃતિ–પરવશતા જઈને પુત્ર અશ્વત્થામા તેમની વહારે ધાય; અને અર્જુન આચાર્યને મૂકીને–એમની ઈચ્છા હોય તો એ રણભૂમિ પરથી નિવૃત્ત થાય એ હેતુથી અશ્વત્થામા તરફ વળે.
અને અશ્વત્થામા ઘાસના અગ્નિની પેઠે ડીક વાર પરાક્રમ-વૈભવ દાખવીને ઓલવાઈ જવાની અણુ પર હતા, ત્યાં કર્ણ-એક વાર હારી ચૂકેલે કર્ણ તેની કુમકે દેડયો. અર્જુનને તે આટલું જ જાણે જોઈતું હતું, અશ્વત્થામાને મૂકીને તે કર્ણ સામે ધસ્યો. બાણુવર્ષા કરતાં પહેલાં તેણે શબ્દવર્ષા કરી :
“તે દિવસે સભામાં તે ખૂબ બડાઈ મારેલીઃ જગતમાં મારી બરાબરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧.૮
કાઈ નથી એવી. એ પુરવાર કરવાનો સમય હવે આવી ગયો છે. તે દિવસે દુરાત્માઓ વડે પીડાતી પાંચાલીને હું ધર્મબદ્ધ હોવાને કારણે મૂંગે મહએ જોઈ રહ્યો છે ... પણ આજે હવે... દુર્યોધનની આ સમગ્ર સેના ભલે આપણું ધન્વ-યુદ્ધ નિહાળે.” કર્ણને જવાબ અર્જુન જેટલે અભિજાત નથી.
“તું મેએ બેલે છે તે કરી દેખાડ. તારાં વચને વધારે પડતાં છે. આ જગતમાં તે કાર્યની જ બોલબાલા છે.”
હવે આપણે જાણીએ છીએ કે હજુ હમણાં જ અર્જુને “કાર્ય કરી દેખાડયું છે. કર્ણના દેખતાં જ તેણે તેના ભાઈને માર્યો છે; અને ખુદ કર્ણને પણ તેણે પરાજય કર્યો છે. ઉપરાંત ચોથા ભાગના લશ્કરને લઈને દુર્યોધન હસ્તિનાપુર ભણું નાસી રહ્યો હતો તેને પણ રેકયો છે અને વિરાટની ગાયોનાં ધણને પાછાં વાળ્યાં છે. ઉપરાંત કૃપ, દ્રોણ અને અશ્વત્થામાને પણ તેણે હંફાવ્યા છે – અને આ બધું એકલે હાથે કર્યું છે. અર્જુનનું આ પરાક્રમ સગી આંખે જોયા પછી પણ કર્ણ એને એમ કહે કે “કરી દેખાડ ત્યારે સાચું !” એની પાછળ કેવળ મત્સર, દર્પ કે અહંભાવ જ નથી, પણ પ્રચંડ અને અંધ આત્મપ્રતારણું પણ છે.
પણ કર્ણના હીણાપણાની હદ તો હવે આવે છેઃ “તે દિવસે સભામાં તું દ્રૌપદીની દુર્દશા જોઈ રહ્યો તે તારી ધર્મબુદ્ધિને કારણે નહિ, પણ અશક્તિને કારણે !”
હવે આ જ કણે દ્રૌપદી-સ્વયંવર વખતે અર્જુનની વીરતા પોતાની સગી આંખોએ દીઠી છે; અને તે પછી ઠેઠ ખાંડવદાહથી શરૂ કરીને ઘેષ યાત્રાવાળા પ્રસંગ સુધી અર્જુનના એકથી એક ચઢે એવાં પરાક્રમ તે જોતો. આવ્યો છે પણ જોતા છતાં જે જેતે નથી, તેને કોણ દેખાડી શકે ?
અર્જુન અને કર્ણ વચ્ચે ફરી ધન્વયુદ્ધ શરૂ થાય છે. થોડીક જ વારમાં અજુનનું બાણ કર્ણના કવચને ભેદીને તેની છાતીમાં પેસી જાય છે અને કર્ણને આંખે અંધારાં આવે છે. અને અસહ્ય પીડાથી વ્યાકુળ બનીને તે દિવા ર પ્રયાત્ ૩મુવઃ “રણ છોડીને ઉત્તર દિશા તરફ દોડી જાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧
૧૦૪. મા મૈવીઃ
દુર્યોધનના સૈન્યના કર્ણ, કૃપ, દ્રોણ અને અશ્વત્થામા જેવા વરિષ્ટ યોદ્ધાઓને પરાજિત કર્યા પછી અર્જુનને હવે ભીષ્મને મુકાબલો કરવાનું મન થાય એ સ્વાભાવિક છે.
રથને ભીષ્મની સામે લેવાને ઉત્તરને એ આદેશ આપે છે; પણ ઉત્તર હવે અનેક બાણ વડે વીંધાયેલ છે. “મારામાં હવે અોને અંકુશમાં રાખવાની શકિત જ નથી.” એ કરગરે છે. “વળી આ વસા-રુધિર-મેદની ગંધથી હું અકળાઈ ઊઠો છું. મારું મન બેબાકળું–બહાવરું–બની ગયું છે. નિરન્તર ચાલતા આ તમારા ગાંડીવની ગર્જનાથી મારી તે “શ્રુતિ” અને “મૃતિ' બંને નષ્ટ થઈ ગયાં છે – મારા કાન અને મગજ બંને બહેર મારી ગયાં છે. તમે કયારે તમારા ભાથામાંથી બાણ કાઢે છે, જ્યારે તેમને ધનુષુ પર ચઢાવે છે, અને કયારે દર ખેંચીને એને શત્રુ સામે વીંઝે છે, – મને ખબર જ નથી પડતી. મને તો એમ લાગે છે, હવે, કે મારા પ્રાણ ઊંડા ઊતરી ગયા છે અને ધરતી ધ્રુજી રહી છે. અની લગામ પકડવા જેટલી શકિત પણ હવે મારા હાથમાં રહી નથી.”
દુધિયા દાંતવાળો છોકરે પહેલી જ વાર રણભૂમિ પર આવ્યો, અને પહેલા જ પ્રસંગે પિતાના જમાનાના અપ્રતિમ મહારથીઓ વચ્ચેને પ્રચંડ સંઘર્ષ જોવાને જ માત્ર નહિ, પણ તેના સક્રિય સાથી અને સાક્ષી બનવાને એને અવસર મળે. ઉત્તરના ઉપરના શબ્દો, આ દષ્ટિએ, આપણું હૃદયમાં એને માટે આદર ઊભો કરે એવા છે, – એની નિખાલસતા માટે. એ નિખાલસતાની પાછળ અલબત્ત એની અર્જુન-ભકિત જ છે. થોડીક ઘડીઓ પહેલાંને એ નવો નિશાળીઓ અજુન જેવા ગુરુને પામીને ઝપાટાબંધ રણ-કુશળતાની દીક્ષા લઈ રહ્યો છે. થોડા જ વખત પછી થનારા કુરુક્ષેત્રના યુદ્ધમાં ગુરુ પાસેથી શીખેલી આ બધી વિદ્યા-કળા એને ખપ લાગવાની છે.
અજુનની તેને એક જ શિખામણ છે: મા મેલીઃ ડર નહિ.” તૈમ મલ્મિનિમ્ “ જાત પર કાબૂ રાખ.” આત્મામાં જાગેલું ઘમસાણ શાંત કર. તું રાજપુત્ર છે. ક્ષત્રિય છે. લીધેલી જવાબદારી કૃતિપૂર્વક અદા કર.”
ઉત્તર માટે આટલે ઈશારે પૂરતો છે. રથને તે, અર્જુનની સૂચના પ્રમાણે, ભીમની દિશામાં દેડાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પણ દુશાસન વિકર્ણ વિવિંશતિ અને દુસહ નામને દુર્યોધનના ચાર ભાઇએ અર્જુનના રથને વચ્ચેથી જ આંતરે છે, પણ થોડીક જ પળોમાં, અજુનની શરવર્ષાના પ્રથમ જ સ્પર્શે તેઓ પલાયન કરી જાય છે.
અજુન હવે દુર્યોધનની આખી સેના પર તૂટી પડે છે અને સૈનિકમાં નાસભાગ શરૂ થાય છે.
હવે ભીષ્મ ધસે છે. અને અજુન તેમની સામે ધસી જઈને વચ્ચેથી જ તેમનું સામૈયું કરે છે. જય-પરાજયનાં ત્રાજવાં થોડેક વખત તે દાદા અને પૌત્ર વચ્ચે સમતોલપણે ઝૂલી રહે છે. પણ પિતામહ આખરે અર્જુનના બાણો વડે વીંધાઈને મૂછિત થાય છે અને સારથિ એમના રથને રણભૂમિથી દૂર હંકારી જાય છે.
અને દુર્યોધનને હવે (કોણ જાણે શાથી !) લાગે છે કે બહાદુરી બતાવવાને આ સરસ મેકે છે. ભીષ્મ, દ્રોણ, કૃપ, અશ્વત્થામા અને કર્ણ પણ જેને હાથે પરાજિત થયા તેને હું-દુર્યોધન હરાવું તે દુનિયામાં મારા નામને કે વાગી જાય; એવી કંઈક કલ્પનારંગી એની ગણતરી હશે.
પણ થોડા જ વખતમાં કેટલી વીશે સે થાય છે તેની તેને ખબર પડે છે અને તે નાસવા માંડે છે.
અને બાણ કરતાં પણ વધારે તાતાં એવાં અર્જુનનાં મેણું તેને સાંભળવાં પડે છેઃ
विहाय कीर्ति विपुल यशश्च
युद्धात् परावृत्य पलायसे किम् ॥ કીર્તિ અને યશ –બંનેને ત્યાગ કરી યુદ્ધથી વિમુખ થઈને નાસી જાય છે શા માટે? જે જો; બરાબર જે; હું અજુન છું. યુધિષ્ઠિરના આદેશને હંમેશા માથે ચઢાવનાર હું મધ્યમ પાંડવ છું.”
મેણને માર્યો દુર્યોધન પાછો ફરે છે. કર્ણ અને ભીષ્મ પણ હવે પોતાના રાજા”ની સાથે થઈ જાય છે. દ્રોણ અને કૃપ પણ આવી પહોંચે છે. ધીમે ધીમે દુર્યોધનના નાનામોટા તમામ સેનાનીઓ તેની આસપાસ એકઠા થઈ જાય છે. આ હવે છેલ્લું યુદ્ધ છે એમ તેમને લાગે છે, અને એટલી જ મરણિયા વૃત્તિથી તેઓ સૌ ખૂઝે છે; પણ અર્જુન પણ હવે એટલે જ ઉગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨૧
બને છે અને એના શસ્ત્રાસ્ત્ર-પ્રભાવને પ્રતાપે શત્રુપક્ષના સૌ મહારથીઓ એક પછી એક મૂર્શિત થાય છે.
અને ત્યારે અર્જુનને સાંભરી આવે છે... પેલી છોકરીઓએ તેને - બ્રહનલાને - અને ઉત્તરને વિદાય આપતી વખતે કહ્યું હતું તે ..
“કુર – વીરેનાં બારીક વસ્ત્રો લેતા આવજે.”
અને ઉત્તરને તે આદેશ આપે છેઃ “જા ભાઈ, મૂછમાં પહેલા આ કુરુપ્રવીરોનાં વસ્ત્રો ઉતારી લાવ”
અને ઉત્તર બધાનાં વસ્ત્રો ઊતારી લાવે છે.
આની પાછળ એક સંકેત તો ખરો જઃ “મેં ધાર્યું હોત તો આટલી જ સહેલાઈથી તમારાં માથાં ઉતારી લીધાં હોત!”
પણ ભીમના શબ્દોમાં કહીએ તે “અજુન ત્રણ લોકને ખાતર પણ સ્વધર્મ છેડે એ નથી.”
૧૦૫. ઉત્તરનું આભિજાત્ય
વિરાટનગરની ભાગોળેથી આમ દુર્યોધન તથા તેના સાથીઓને ભૂંડે હાલે ભાગવું પડયું. તેમાં પણ સામાન્ય સૈનિકોની દશા તે સૌથી વધારે ખરાબ થઈ. પહેલાં તે તેઓ જંગલમાં સંતાઈ ગયા, પછી ધણી વગરના ઢોર જેવા “હાથ જોડીને પાર્થને શરણે આવ્યા. તેમના વાળ વિખરાયેલા હતા. ભૂખ અને તરસથી તેઓ વ્યાકુળ હતા. “પરદેશમાં હોવાને કારણે (વિરાસ્યા :) તેઓ દિમૂઢ જેવા બની ગયા હતા. અને તેમને નાણમાıન નિઘાંસાનિ. “હું દુ:ખીઓ ઉપર હાથ નથી ઉગામતો, ડરશે નહિ” એમ કહીને જયાં જવું હોય ત્યાં જવાની છૂટ આપી. | વિજેતા અર્જુને પછી વિરાટનગર તરફ વળવાને વિચાર કર્યો.
“પાંડવો બધાજ તારા પિતાના નગરમાં વસે છે એ તે તું હવે જાણે છે;” ઉત્તરને તેણે કહ્યું: “પણ નગરમાં પ્રવેશ કરતાંની સાથે તું તેમની પ્રશંસા કરવા ન માંડતો. એકાએક આ વાત સાંભળતાં તારા પિતા કદાચ, ભીતિને આંચક અનુભવશે. એટલે નગરમાં દાખલ થઈને તારે તે ફકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૨
એટલું જ કહેવાનું કે “કુરુઓને મેં હરાવ્યા છે. ગાયોને હું પાછી વાળી આવ્યો છું.”
એમ મારાથી શી રીતે કહેવાય, ધનંજયે!” ઉત્તરે પોતાનું આભિજાત્ય બતાવ્યું, “જે કામ તમે કર્યું તે મારા નામે શી રીતે ચઢાવી દેવાય! બાકી, અલબત્ત, તમે કહેશે ત્યાં સુધી હું તમારું નામ જાહેર નહિ કરું.”
દરમ્યાન રથ પેલાં શમીના વૃક્ષ પાસે આવી ગયો હતો. ગાંડીવ અને અન્ય શસ્ત્રાસ્ત્રીને પૂર્વવત એ વૃક્ષ ઉપર મૂકીને તેઓ બન્ને વિરાટનગર તરફ રવાના થયા. હવે બૃહન્નીલા પાછે સારથિને સ્થાને આવી ગયો હતો. પોતાના છુટા લાંબા વાળને તેણે હવે અંબેડામાં બાંધી લીધા હતા. નગરને ઝાંપે આવ્યા ત્યારે ઉત્તરને તેણે કહ્યું : “જા, ગોપાલને મળીને જરા તપાસ તે કરી આવ, કે હરાયેલાં બધાં જ ધણ પાછાં આવી ગયાં છે કે નહિ? સાથે સાથે કેટલાક ગોપાલને નગરમાં મોકલીને આપણા વિજયની વધામણી પણ પહોંચાડી દે. દરમ્યાન થાકેલા પાકેલા આ અધોને પાણી પાઈને હું તાજામાજા કરી દઉં... નગરમાં તે આપણે હવે સાંજટાણે જ પ્રવેશ કરીશું.”
૧૦૬. લેહીની એ ધાર !
ત્રિગને પરાજય કરીને નગરમાં પાછા ફરેલા વિરાટે પહેલી પૂછપરછ પિતાના પુત્ર ભૂમિંજય એટલે કે ઉત્તર અંગે કરી.
તે તે બૃહન્નલાને સારથિપદે સ્થાપીને કૌરવોની સામે યુદ્ધે ચડે છે.” તેને કહેવામાં આવ્યું. “તમે ત્રિગર્લોની સામે ગયા તે પછી તરત જ કૌરવોએ આપણુ ગાયોને હરેલી.”
વિરાટે તે જ ઘડીએ પોતાની સમગ્ર સેનાને પિતાના પુત્રની વહારે જવાને આદેશ આપ્યો. ઉત્તરની સલામતી અંગે તેને શંકા થવા માંડી :
यस्य यन्ता गतः षढो मन्येऽह न स जीवति ।
સારથિ પંઢ છે જેને, તે માનું હોય તો! કંકથી (યુધિષ્ઠિરથી) ન રહેવાયું.
જેનો સારથિ બહનલા હોય, મહારાજ,” તેણે કહ્યું, “તેને વિશ્વમાં કશો જ ભય નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૩
પણ આટલામાં તે ઉત્તરે મોકલેલ દૂતો પણ વિજયસમાચાર સાથે આવી પહોંચ્યા. વિરાટની પ્રસન્નતાને અને એના પોરસને પાર ન રહ્યો : “મારા પુત્રે એકલે હાથે સમસ્ત કુરુઓને હરાવ્યા.”
વિજેતા પુત્રનું જાહેર સામૈયું કરવા તેણે નગરને આદેશ આપ્યો. ઉત્તરાકુમારી અનેક કુમારિકાઓ સાથે ભાઈને મીઠડાં લેવા નીકળી.
આનંદના આવેશમાં વિરાટે સેરબ્રીને પાસા લઇ આવવાની આજ્ઞા આપી.
કંકને તેણે કહ્યું : “ચાલ, આવી જાઓ, રમીએ !”
“આનંદના આવેશમાં હેઈએ, મહારાજ, તે વખતે જૂગટું ન રમવું !” કંકે શિખામણ દેવા માંડી.
આનંદમાં હોઈએ ત્યારે તે ખાસ રમવું.” કંકની વાતને કાપતાં વિરાટે કહ્યું :
સ્ત્રીઓ, ગાયા, સુવર્ણ-ગમે તે હોડમાં મુકવા તૈયાર છું આજે-તારી સામે !”
પાંડવોના મોટાભાઈ યુધિષ્ઠિરની જુગારને કારણે કેવી દુર્દશા થઈ-તે ભૂલી તો નથી ગયા ને?” કંક ટકોર કરી.
પણ વિરાટ આજે પુત્રવિજયના કેફમાં ચકચૂર હતા. અને ઘત શરૂ થયું. જુગારના રંગમાં વિરાટ પુત્રનાં વખાણ કરવા માંડયા. સામેથી કંકે પણ પોતાનું એ જ રટણ ચાલુ રાખ્યું : “બૃહન્નલા જે જેને સારથિ હોય, તે કેમ ન જીતે !”
તારામાં સારાસારને કેઈ વિવેક છે કે બસ હાલી જ મળે છે!” વિરાટે કંક પર ગુસ્સો ઠાલવ્યા. “મારા પુત્રની હારોહાર એક નપુંસકનાં વખાણ કરે છે ! હું તને મિત્ર લેખું છું, એટલે જા, આ એક વખતનો અપરાધ માફ કરું છું; પણ હવે ફરી બ્રહનલાનું નામ ન લેજે, ચંદ્ર जीवितुम् इच्छसि।
પણ કંક ઉપર તો આ ધમકીની અવળી જ અસર થાય છે. બૃહન્નલાની પ્રશસ્તિનું એક આખું કાવ્ય જ જાણે તેના મુખમાંથી નીકળવા માંડે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૪
કોણ, કૃપ, કર્ણ, અશ્વત્થામા, દુર્યોધન જેવા કુરવીરોને એકસામટા બ્રહનલા સિવાય બીજો કોણ હરાવી શકે ? ચચ વાદુ તુ ન ભૂતો ન ભવિષ્યતિ !
વિરાટની ધીરજ હવે ખૂટી. પડમાં એક પાસો પડ હતો તે ઉઠાવીને તેણે ઝીંક, કંકના મોઢા પર! લેહીની ધાર થઈ.
......અને એ ધાર રાખે ધરતી પર પડે એ બીકે કે કે તેને પિતાની હથેલીમાં ઝીલવા માંડી,
પાસે જ સૈરબ્રી ઊભી હતી. પતિના મનને વતી જઈને તે એક જલભરેલ સુવર્ણપાત્ર લઈ આવી. કંકે હથેળી એમાં ઠાલવી.
આટલી વારમાં તો ઉત્તરની વિજયયાત્રા-સવારી-રાજમહેલ સુધી આવી પહોંચી હતી.
દ્વારપાળે વિરાટને ખબર આપ્યા કે ઉત્તર તેમજ બૃહન્નલા બને અંદર આવવા રજા માગે છે.
“અમે પણ એ બન્નેને જોવા એટલા જ ઉત્સુક છીએ.” વિરાટે કહ્યું. જલદીથી લઈ આવ બંનેને.”
બન્નેને નહિ, ફકત ઉત્તરને!” દ્વારપાળના કાનમાં કંકે કહ્યું. “બૃહલાને બારણે જ ઊભો રાખજે. એની પ્રતિજ્ઞા છે કે લડાઈના પ્રસંગ સિવાય મારું લોહી કયાંય જુવે, કઈ અલ્પે વહેવડાવેલું, તો તે ધરતીને ખેદાનમેદાન કરી નાખે.”
ઉત્તરે આવીને પિતાને પ્રણામ કર્યા. કંકનું પણ તેણે એવું જ સન્માન કર્યું. “આમની આવી સ્થિતિ કોણે કરી, પિતાજી?” તેણે પૂછયું.
મેં!” બેધડક વિરાટે જવાબ આપ્યો. “એ આડોડિયાને તે આથી યે વધુ સજા કરવી ઘટે. તારી પ્રશંસા એનાથી સહેવાતી નથી, તારી હારહાર પેલા પંઢનાં વખાણ કરે છે.
તમે આ ખોટું કર્યું છે, પિતાજી,” ઉત્તરે અત્યંત વ્યગ્રભાવે કહ્યું: “હવે તમે આમની ક્ષમા માગી લે. બ્રાહ્મણની આંતરડી કચવાવીએ તો આપણું ધનોતપને નીકળી જાય.” પુત્રવત્સલ પિતાએ કંકની ક્ષમા માગી.
એ તો મેં કયારની યે આપી દીધી છે.” કંકે કહ્યું. “આ લેહીને અદ્ધર ઝીલીને !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૫
એટલે?” વિરાટે આશ્ચર્ય વ્યકત કર્યું. “એટલે એમ કે આ લોહી જે ધરતી પર પડે તે ધરતીને નાશ થઈ જાય એવું હતું.”
પણ એટલામાં તે બ્રહનલા પણ આવી ગયો. વિરાટ તેમ જ કંક બન્નેને નમન કરીને તે ઊભો રહ્યો. અને એની હાજરીમાં વિરાટે પિતાના પુત્રને પ્રશ્ન કર્યો.
“કર્ણ, ભીષ્મ, અશ્વત્થામા, રોણ, કૃપ, દુર્યોધન જેવાઓ ઉપર તે શી રીતે વિજય મેળવ્યો, બેટા ? શી રીતે એવા બળિયાઓના હાથમાંથી આપણે ગાયોને તે છોડાવી ?”
“ગાયોને મેં નથી છોડાવી, પિતાજી!” ઉત્તરે ધડાકે કર્યો; “અને ભીમાદિને પણ મેં નથી હરાવ્યા.”
સૌ તેની સામે જોઈ રહ્યા. “ત્યારે ?” વિરાટે પૂછ્યું.
ગાયોને મેં નથી છોડાવી, અને શત્રુઓને મેં નથી હરાવ્યા, પિતાજી; એ બધું તો એક દેવપુત્રે કર્યું છે.”
કયાં છે એ દેવપુત્ર ? મારે એનું સન્માન કરવું છે ? એણે કરેલ ઉપકારનું યોગ્ય સાટું વાળવું છે.”
એ તે આપણું કામ કરીને અંતર્ધાન થઈ ગયા. પિતાજી! આવતી કાલે અથવા પરમ દિવસે પાછા આવશે.”
કુરવીરોનાં આ વસ્ત્રો!” વાતને બીજી જ દિશામાં દોરવા અર્થે બોલતા હોય એમ બૃહનલાએ કહ્યું.
“તે તું હવે તારા હાથે જ ઉત્તરાકુમારીને આપી દેજે.” વિરાટ બહનલાને આજ્ઞા આપી. અને પછી
प्रतिगृयाभवत् प्रीता तानि वासांसि भामिनी એ વસ્ત્રો હાથમાં લેતાં પ્રસન્ન અમદા થઈ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૬
૧૦૭, અજ્ઞાતવાસનો અંત તે પછી ત્રીજે દિવસે પાંચ પાંડવો હાઈધેઇ વેત વસ્ત્રો પહેરી તથા બધાં જ આભૂષણે ધારણ કરીને યુધિષ્ઠિરની આગેવાની નીચે વિરાટની સભામાં દાખલ થયા અને “વેદીએ પર જેમ અગ્નિએ આરૂઢ થાય, તેમ ભૂમિપાલો માટે અલાયદા રાખવામાં આવેલ આસન પર આરૂઢ થયા.
વિરાટ જ્યારે સભામાં આવ્યા અને એ પાંચેયને જ્યારે તેણે આવી રીતે બેઠેલ જોયા, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયે.
“તું મારા સભા સ્તાર, મારે સેવક” તેણે કંકને કટાક્ષમાં કહ્યું. “આ રાજ-આસન પર શેને ચઢી બેઠે છે?”
જવાબ અજુન આપે છે.
“બ્રહ્મણ્ય, કૃતવાન, ત્યાગી, યજ્ઞશીલ અને દઢવ્રત આ “કંક” તે ઈન્દ્રના અર્ધ આસનને યોગ્ય છે, રાજન ! એ શરીરધારી ધર્મ છે. જેમ મહાતેજસ્વી મનુ ભુવનોને રક્ષણહાર છે, તેમ એ પ્રજા ઉપર અનુગ્રહ કરનાર છે. એ કુરુ દેશમાં હતા ત્યારે અસંખ્ય હાથીઓ, રથ અને અો એમની પાછળ પાછળ ચાલતા અને અનેક સૂતમાગ એમની બિરદાવલી લલકારતા. એમણે બધા જ રાજાઓને ખંડણી ભરનારા વચ્ચે જેવા બનાવી દીધા હતા; અઠયાસી હજાર સ્નાતકાના એ આશ્રયદાતા હતા. વૃદ્ધો, અનાથ, અપંગ, અંધો સમેત સમગ્ર પ્રજાના એ પુત્રવત પાલનાર હતા. એના તાપથી કર્ણ અને શકુનિ તેમજ પોતાના સમગ્ર અનુયાયીમંડળ સાથે દુર્યોધન હંમેશા સંતપ્ત રહે છે. આવા ધર્મપરાયણ અને સૌજન્યસંપન્ન રાજર્ષિ થF નાëતિ ાનારું આસન ? “રાજાને યોગ્ય આસન ઉપર બિરાજવાને અધિકારી શું કરવા ના હોય?”
વિરાટ આ સાંભળીને જરા ય વિમિત થતા નથી એ પણ એક આશ્ચર્ય જ ગણાવું જોઈએ.
સંભવ છે કે છેલ્લી ચાર ઘટનાઓએ-ઉત્તરોત્તર વધુ ને વધુ ચમત્કારિક ઘટનાઓએ એને આ અંતિમ ફેટ માટે માનસિક રીતે સુસજજ કર્યો હોય.
ગમે તેમ, પણ આ કંક તે યુધિષ્ઠિર છે એમ સાંભળ્યા પછી તે કક્ત એટલું જ જાણવા માગે છે કે તે પછી ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ અને દ્રૌપદી કયાં છે ?
અને તેમની પણ ઓળખાણ આપે છે અને છેવટે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૭
उषिताःस्मो महाराज सुख तव निवेशने ।
અજ્ઞાતવાસમુષિત મંવાર ફુવ પ્રકા : ( ૧ “તમારા રાજ પ્રાસાદમાં અમે અજ્ઞાતવાસનું આ વર્ષ સુખેથી પસાર કર્યું છે–જેવી રીતે સંતાને માતાના ગર્ભમાં રહે છે તેમ...”
એમ કહીને પક્ષ રીતે એમને આભાર પણ માની લે છે.
અર્જુને આ ઓળખાણ વિધિ પુરે કર્યો કે તરત જ ઉત્તરકુમારે બ્રહનલાએ કૌરવોની સામે કેવાં કેવાં પરાક્રમે કર્યા હતાં તે વર્ણવી બતાવ્યું.
પછી વિરાટે ઉત્તરકુમાર સાથે મસલત કરી. “પાંડવોને હવે આપણે વેળાસર રિઝવીને પિતાના કરી લેવા જોઇએ. ઉત્તરાને આપણે અર્જુન જોડે પરણાવીએ તે કેમ ?”
“મને પણ એમ જ લાગે છે, પિતાજી,” ઉત્તરકુમારે સંમતિ આપી.
અને પછી તરત જ યુધિષ્ઠિરને સંબોધીને વિરાટે કહ્યું : “તમને સૌને કુશળ જોઈને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. હવે આ મારું રાજ્ય એ તમારું જ રાજ્ય છે એમ માનશો; અને આપણા સંબંધને વધુ દઢ અને કાયમી બનાવવા માટે હું મારી પુત્રી ઉત્તરાને અર્જુન જોડે વરાવવાને પ્રસ્તાવ મુકું છું તે માન્ય રાખશો.”
યુધિષ્ઠિરે અર્જુન સામે જોયું. અર્જુને તરત જ જવાબ દીધે.
“મા અને ભરતો વચ્ચેનો સંબંધ બંધાય એ યોગ્ય જ છે. તમારી પુત્રીને હું સ્વીકાર કરું છું–મારી પુત્રવધૂ તરીકે.”
પણ મેં તો મારી પુત્રી તમને પરણાવવાની વાત કરી હતી,” વિરાટે કહ્યું, “તમે પોતે જ શા માટે એને સ્વીકાર નથી કરતા ?”
વિરાટના આ પ્રશ્નને અને જે પ્રત્યુત્તર આપે છે તે આ ગ્રંથમાં છેલે મુકેલ એક લેખમાં વિસ્તારથી ચર્ચેલ છે.
૧ માતાને પિતાના ગર્ભમાં બાળક છે એ વાતની ખબર જ હોય છે તેમ વિરાટને પણ પિતાના રાજમાં પાંડવ ગુપ્ત રીતે વિચરે છે એની ખબર હતી એવું સૂચન તો આ ઉપમામાં નહિ હોય ?
વિરાટપર્વ સમાયત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
હું એને સ્વીકારું છું—પણ પુત્રવધૂ તરીકે ! ”
ચાંચીની એક હાઇસ્કૂલમાં આચાર્ય હતું તે વખતની વાત છે. મેટ્રિકમાં ભણતી એક વિદ્યાર્થિનીએ એક દિવસે રડતાં રડતાં રાવ કરી કે એના વર્ગને એક વિદ્યાર્થી એની પાછળ પડે છે.
શું કરે છે?' મેં પૂછયું.
રોજ સવારે જે બસસ્ટેન્ડ પરથી હું વિદ્યાલયમાં આવવા માટે બેસે છું તે બસસ્ટેન્ડ પર આવે છે.”
પછી ?”
પછી જે બસમાં હું બેસું તેમાં એ બેસે, વિદ્યાલયના સ્ટેન્ડ પર મારી સાથે ઊતરે અને સ્ટેન્ડથી વિદ્યાલય સુધી સાથે સાથે ચાલે.”
“કંઈ બોલે ખરો ?”
“કશું જ નહિ, પણ રોજ સાથે બસમાં બેસે અને સાથે સાથે ચાલે એટલે લે કે વાત કરે ને !”
પણ બસ કંઈ આપણું એકલાની નથી, સૌને માટે છે. અકસ્માત કેાઈ ભેગું થઈ જાય તેમાં કેઈને દેષ શો ?
પણ રોજ અકસ્માત થાય, સર ! અને આ તો અકસ્માત નથી જ.” * એટલે ?”
મારું ઘર વિદ્યાલયથી બે માઈલ દૂર છે, પૂર્વ તરફ. એનું ઘર વિદ્યાલયથી બે માઈલ દૂર છે, પશ્ચિમ તરફ. રોજ ચાર માઈલ ચાલીને આવે છે, કેવળ મારી જોડે બેસવા માટે!
એના ગયા પછી વિદ્યાથીને બોલાવીને મેં આ વાત કરી કે તરત જ કુગ્ગામાં ટાંકણી ભોંકતાં ફસ કરીને ફસડાઈ પડે એમ એ રડી પડે.
“કેણ જાણે શું છે સર, એનામાં, કે રોજ સવાર પડે છે ને મને એના ઘર તરફ જવાનું મન થાય છે. મનને હું નથી રેકતો એમ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩ ૦
ખૂબ ખૂબ રમું , પણ સવારે જયારે બસસ્ટેન્ડ પર એને જોઉં ત્યારે જ શાતા થાય. એના બસસ્ટેન્ડથી આપણા વિદ્યાલયના ફાટક સુધીને અર્થે કલાક એ મારી જિંદગીને સૌથી વધુમાં વધુ આનંદદાયક સમય, જાણે!”
આ બધું તેણે એક જ શ્વાસે નહોતું બોલી નાખ્યું. રડતાં રડતાં, ડૂસકાં ભરતાં ભરતાં, થંભીથંભીને, ત્રુટક ત્રુટક શબ્દોમાં, લગભગ અર્થે કલાક સુધી તેણે હદય ઠાલવ્યું હતું તેને આ સરવાળે.
એક પ્રામાણિક, ઉદ્યમી, સાલસ સ્વભાવના સારા વિદ્યાર્થી તરીકેની એની મારા મન પર છાપ હતી. આ નિખાલસ કબૂલાતને પરિણામે એના પરને મારે ભાવ વધ્યો. પોતે જે કરી રહ્યો હતો તે બરાબર ન હતું એમ તેનું અંતઃકરણ તેને કહેતું હતું અને છતાં “એનામાં કંઈક એવું છે કે રોજ સવારે મારા પગ, મારી મરજી વિરૂદ્ધ, એના બસસ્ટેન્ડની દિશામાં જવા ઊપડે છે. એ વાતનું એને દુઃખ હતું.
અંતઃકરણ અને બહિ:કરણ વચ્ચે મહિનાઓ થયા તેનામાં ગજગ્રાહ ચાલતો હતો. છોકરીએ મને રાવ કરી તેથી એ ગજગ્રાહ વધુ તીવ્ર બન્યો અને આખરે એના અંતઃકરણની જીત થઈ.
શાની ઉપમા આપું મારી ગડમથલને, સર ?” પાંચેક વરસ પછી એ મને મળેલ, ત્યારે એણે કહેલું: “પગમાં કાચની કણું ખેંચી ગઈ હોય અને કયાં છે એની ખબર ન પડતી હોય અને દુખ્યા કરે એવી બેચેની મને રહ્યા કરતી–મારી બેવકૂફીના એ અરસામાં. પછી તે દિવસે તમારી સાથે વાત થઈ અને મેં મન ઉપર કાબૂ રાખીને તેના ઘર તરફ જવાનું છોડી દીધું ત્યારે શરૂઆતમાં બેચાર દિવસ તો પગમાં છુપાયેલી પેલી કણી જાણે ખૂબ તીવ્રતાથી ખટકી; પણ પછી ધીરે ધીરે એ ખટક ઓછી થતી ગઈ અને મહિનાની અંદર તો મને સાવ આરામ થઈ ગયો. એ આરામની મજા તો તે જ કપી શકે જે એક વાર મારા જેવી બેચેનીમાંથી પસાર થયો હોય અને આજે તો હવે મારી એ બેવકૂફી જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે હસવું જ આવે છે.”
છોકરીઓને જોઈને વેવલા થનારા છોકરાઓની–અને ડોસાઓની પણ આજે અછત નથી; અને છોકરાઓને જોઈને વેવલી થનારી છોકરીઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૧
પણ આજે એટલી જ છત છે, પણ પચીસ વરસ પહેલાંની આ નાનકડી ઘટના મારી સ્મૃતિમાં ચિરંજીવ બનીને જડાઈ રહી છે.
વિચાર કરતાં એનું કારણ મને કાંઈક સમજાયું છે. ગમતી વસ્તુઓ પ્રત્યે ખેંચાવું એ ઇંદ્રિયોનો સ્વભાવ છે. એવી રીતે એ ખેંચાયા કરે એમાં કશું જ અસામાન્ય નથી, નેધપાત્ર નથી. નોંધપાત્ર તે એ છે કે દશે દિશા
માં પ્રચંડ સૂસવતાં ખેંચાણનાં આવાં તોફાને વચ્ચે થોડીક પણ જીવનનૌકાઓ, સંયમનાં સુકાન અને વિવેકનાં હલેસાંને જોરે, વિનાશક બનતાં વમળોની વચ્ચે પણ કઈ કઈ વાર તરતી રહે છે.
અંત:કરણ, સંયમ, વિવેક વગેરે શબ્દો આજે ફેશનમાં નથી, પણ તેથી કંઈ સંયમ અને વિવેકની ખામીને કારણે સરજાતી કરુણતાઓની ભયંકરતા ઓછી નથી થઈ...કઈ પેસે ખૂએ છે, કઈ પ્રતિષ્ઠાથી હાથ ધૂએ છે, કોઈ જીવનસર્વસ્વ ગુમાવી ઘરને ખૂણે બેસી કપાળે હાથ દઈ રુએ છે ! રાજકારણથી માંડી કેળવણીના ક્ષેત્ર સુધી આવી જીવનનાશી હોનારત વખતોવખત સરજાયે જ જાય છે. છાપાંઓમાં એના વિસ્તૃત અને વિગતવાર અહેવાલો છપાય છે; લેકજીભે એ અહેવાલને સોગણું અતિશયોક્તિના રંગાએ રંગીને સમાજમાં ફરતા કરે છે; ફિટકારના વરસાદ વરસે છે; દયાના ધોધ વછૂટે છે; અને છતાં..
આવી બધી આપત્તિઓના મૂળમાં સંયમવિવેકને અભાવ છે એ વાત જોઈએ તેટલે ભાર મૂકીને કઈ કહેતું નથી. ધર્મ, અંતઃકરણ, સંયમ, વિવેક વગેરે શબ્દોને જૂનવાણી ઠરાવીને ફેશનના રંગમંચ પરથી આપણે હાંકી કાઢયા છે, તે જ આ વિનાશક કરુણતાઓના મૂળમાં છે એ હકીકત જોઈએ તેટલી બેધડક સ્પષ્ટતાથી સમાજની સામે રજૂ કરવામાં નથી આવતી. અને માનસવ્યાપારના રંજક, વિષયેત્તેજક, આકર્ષક, મોહક, માદક ચિત્રણમાં જ રાચનારું સાહિત્ય તો વળી આવા બનાવોને પોતાના કાચા માલ તરીકે વાપરીને વિનાશના એ દુક્રને ઊલટાનું વધુ વેગવંતું અને વધુ વિસ્તારવંતું બનાવ્યું જાય છે.
આવા વાતાવરણમાં મહાભારતને એક પ્રસંગ હું અહીં આલેખું છું, એવી આશાએ કે પોતાનામાં ચાલી રહેલ તુમુલ યુદ્ધોને સમજવાના એક સાધન લેખે મહાભારત અને રામાયણ તરફ આપણું, ખાસ કરીને આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ઊગતી પેઢીનું લક્ષ ખેંચાય. વિશ્વસાહિત્યની ઉચ્ચતમ રચનાઓમાં સ્થાન પામી ચૂકેલ આપણું આ પ્રાચીન મહાકાવ્યોમાં વ્યાસ અને વાલ્મીકિ જેવા મહાકવિઓએ સંતને એવી રમણીયતાથી આલેખીને વિદ્વાનંદ્રમા બનાવ્યું છે કે એને આસ્વાદ લેતાં ધરાઈએ જ નહીં–એક વાર એનો અભ્યાસ કરવાની સુરુચિ આપણામાં જાગે તે.
મહાભારતના જે પ્રસંગની હું વાત કરું છું તે વિરાટપર્વના અંતભાગમાં છે. અજુન બ્રહનલારૂપે વિરાટની પુત્રી ઉત્તરાને ગીત-નૃત્ય શીખવવા લગભગ એક વરસ થવા નિયુકત થયેલ છે. અર્જુનની ઉંમર કંઈ નહિ તોપણ સાઠેકથી તો વધારે છે જ; પણ આકર્ષકતામાં તે કોઈ પણ યુવકથી ઊતરે એ નથી. વિરાટને તે તે પહેલી દષ્ટિએ યુવાન જ લાગ્યો છે. વિરાટના જ શબ્દો કહીએ તો.......
सत्त्वोपपन्नः पुरुषोऽमरोपमः
श्यामा युवा वाश्णयूथपेोपमः ॥ “હાથીઓના ટોળાના સરદાર-હાથીની જેમ આ શ્યામ યુવાન કાઈ દેવતાઈ પુરુષ જેવો લાગે છે.”
આ યુવાન નપુંસક હોય એમ એ માની જ શકતો નથી. “તું મારા દીકરા જેવો અથવા મારા જેવો થઈને મારા આ રાજયમાં રહે, તેનું રક્ષણ કર” એમ કહીને તેને સેનાપતિપદે નીમવાની ઇચ્છા પણ પરોક્ષ રીતે તેણે વ્યક્ત કરી છે, પણ બ્રહનલા (અર્જુન) મૂળ માગણીને વળગી રહે છે માટે, વળી તે નૃત્યગીત–આદિમાં પારંગત થઈ (થયો) છે તેથી, અને એટલે પિતાના મંત્રીઓ દ્વારા તેની વિશ્વાસપાત્રતાની ખાતરી થઈ ચૂકી છે તે કારણે વિરાટ તેને કુમારીપુરમાં મોકલે છે અને ત્યાં તે ઉત્તરા અને તેની સખીઓને નૃત્યગીતાદિ શીખવતાં શીખવતાં–
प्रियश्च तासां स बभूव पांडवः । (તેમને પ્રિયજન બની ગયો છે).
આવા અર્જુન તરફ ઉત્તરાને આ આખા વરસ દરમિયાન કેઈ પણ જાતનું ખેંચાણ નહિ જગ્યું હોય એમ માનવું એ મનુષ્યસ્વભાવનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૩
નર્યું અજ્ઞાન છે. વિશ્વ તાસાં સ રમૂવ વાંઢવઃ એટલો ઈશારે કરીને જ વ્યાસજી નથી બેસી રહ્યા. કીચકવધ પછી કૈપદી નૃત્યશાળામાં આવે છે ને બ્રહનલા તેને કુશળ સમાચાર પૂછે છે ત્યારે તે (પોતાના માની અને ઇર્ષાળુ સ્વભાવ પ્રમાણે) -
તારે હવે દ્રૌપદીનું શું કામ છે? તું તે સદૈવ કન્યાપુરમાં સુખરૂપ વસે છે ને !”
– એ કટાક્ષ કરીને ઘણું કહી નથી નાખતી ?
તે પછી વિરાટની ગેરહાજરીમાં દુર્યોધન વગેરે આક્રમણ કરે છે ત્યારે “શું કરું ? મારી પાસે કોઈ સારા સારથિ નથી. નહિ તે એ સહુને હું એકલો પૂરો પડું!” એવી ડંફાસ ઉત્તરકુમાર મારે છે ત્યારે દ્રૌપદી તેને બ્રહનલાને (અર્જુનને) સારથિ બનાવવાનું સૂચવે છે અને -
તારી આ રૂપાળી નાની બહેન જે એમ કહે, તે એ જરૂર માની જાય !” એમ કહીને વ્યાસજીએ જે પહેલું સુચન કર્યું છે (ચિત્ર તાસાં સ રમૂવ પાંડવઃ) તેનું જ જાણે સર્મથન કરે છે.
વળી દ્રૌપદી તરફથી આટલો ઇશારે મળતાં ઉત્તરા અર્જુન પાસે જે રીતે દોડે છે અને અર્જુન ઉત્તરાને જે રીતે સત્કારે છે અને બે વચ્ચે જે ઊલટભર્યું સંભાષણ થાય છે તે બધું પણ એ એક જ દિશા ભણી આંગળી ચીધે છે. અર્જુન પૂછે છે :
किं ते मुखम् सुन्दरि न प्रसन्नम् ?
(શે સુન્દરિ, તારું ઉદાસ મેટું ? ) અને ઉત્તરા જવાબમાં કારણ કહે છે, પણ કેવી રીતે ?
પ્રાચે માવયન્તી |
(પ્રણય બતાવતી) ટૂંકમાં, એક વરસ અર્જુન ઉત્તરાને ગુરુપદે રહ્યો તે દરમ્યાન શિષ્યાના હદયની રસાળ ધરતીમાં ફૂટતા લાગણીના કાંટાને અજુને સતત જાગૃતિપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૪
વિશુદ્ધિની દિશામાં જ વાળ્યા છે અને એટલે જ છેલ્લે પાંડવા જાહેર થાય છે અને વિરાટ જ્યારે ઉત્તરાને અર્જુન સાથે પરણાવવાની દરખાસ્ત યુધિષ્ઠિર પાસે મૂકે છે અને યુધિષ્ઠિર જ્યારે પાતે કશું જ ન કહેતાં અર્જુન સામે જુએ છે ત્યારે અર્જુન વિરાટને કહે છે :
अन्तःपुरेऽहमुषितः सदा पश्यन् सुतां तव । रहस्यं च प्रकाशं च विश्वस्तो पितृवन्मयि ॥ प्रियो बहुतमश्चासन् नर्तको गीतकोविदः । आचार्य वच्च मां नित्यं मन्यते दुहिता तव ॥ वयस्थया तथा राजन् सह संवत्सरोषितः । अतिशङ्का भवेत् स्थाने तव लोकस्य वा विभो ॥ तस्मान्निमन्त्रयेऽय ते दुहितां मनुजाधिप । शुद्ध जितेन्द्रियो दान्नस्तस्याः शुद्धिः कृता मया ॥ स्नुषायां दुहितुर्वापि पुत्रे चात्मनि वा पुनः । अत्र शङ्कां न पश्यामि तेन शुद्धिर्भविष्यति ॥ अभिशापादह भीतो मिथ्यावादात् परन्तप । स्नुषार्थमुत्तरां राजन् प्रतिगृहामि ते सुताम् ॥
(મહામારત વિરાટ ૭૨, ૨-૬)
*
તમારા અંતઃપુરમાં હું નિત્ય તમારી પુત્રીને જોતા રહ્યો છું. તે આંતરિક રીતે અને ખાદ્ય રીતે મારામાં પિતા જેવા જ ભાવ-વિશ્વાસ રાખે છે. નૃત્ય અને સંગીતનેા પારંગત હું તેને ખૂબ જ પ્રિય થયા ખ઼ું. અને તમારી પુત્રી નિત્ય મને પોતાના ગુરુ જે માને છે. આમ છતાં જો હું તેને પરણું તે! તમારી આ ઉંમરલાયક પુત્રી સાથે વર્ષ સુધી રહેવાને લીધે જ આમ થયું” એવી તમારી તેમ જ લેાકાની ખાટી શંકાને સ્થાન મળી જાય. માટે હે રાજન, તમને હું આ સ્પષ્ટ વાત કહી દઉં છું કે હું શુદ્ધ જિતેન્દ્રિય અને નિર્વિકાર રહ્યો છું અને તેનામાં પણ વિકાર ન આવવા દઇ મેં તેની શુદ્ધિ જાળવી છે. એથી તમારી પુત્રીને હું મારી પુત્રવધૂ તરીકે સ્વીકારું છું. આમ થવાથી કાને શંકા કરવાપણું રહેશે નહીં. વળી ગુરુ-શિષ્યભાવમાં જે શુદિ રહેવી જોઇએ તે પણ આથી બની રહે છે. હું લેાકનંદા અને ખરાબ વચને–આક્ષેપેાથી ડરું છું. તેથી તમારી આ પુત્રી ઉત્તરાને હું પુત્રવધૂ તરીકે ગ્રહણ કરું છું. મેં તેના ઉપર સદા પુત્રીભાવ રાખ્યા છે. અને પુત્રી અને પુત્રવધૂ વચ્ચે કશા ભેદભાવ જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૫
આ શ્લોકા મને લાગે છે કે પ્રત્યેક શાળા અને મહાશાળાના મુખદ્રાર પર કાતરી રાખવા જેવા છે. વિવેક અને સંયમ સત્ર આવશ્યક છે, જીવનના કાઈ ખંડ એવા નથી જેમાં આ બે વગર ચાલે; પરંતુ ઊગતી પેઢીને ઘડવાનું પવિત્ર કા` લઇને ખેડેલાએને માટે તેા એ બંને–વિવેક અને સયમ-પ્રાણુરૂપ જ છે, એ સત્ય અર્જુને વિરાટને આપેલા ઉપરના અણુમેાલ જવાબમાં છે.
છેલ્લે એક વાત. ઉત્તરા અને અર્જુન વચ્ચેના ગુરુ-શિષ્યા-સંબધની પવિત્રતાની આ વાત વૈશપાયન ઉત્તરાના પૌત્ર અને પરીક્ષિતના પુત્ર જનમેજયને ઇતિહાસ લેખે સંભળાવે છે એ આપણે યાદ રાખવું જોઇએ.
ઇતિહાસ એટલે શું અને ઇતિહાસનું સ્થાન ઊગતી પેઢીના શિક્ષણમાં કેટલું મહત્ત્વનું છે, અને તે કયે કારણે, તે મહાભારતનેા કવિ કેટલુ સરસ સમજે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
--કરસનદાસ માણેક
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
એ ભાવના કેણ ઉત્પન્ન કરશે?
આપણે ગ્રેજ્યુએટ વર્ગ શાળા છોડે છે તેની સાથે જ ઉચ્ચ મનોભાવના સમાગમને પ્રદેશ પણ છોડે છે ! કેટલા નવીન કેળવણુ પામેલા સજજનોને ત્યાં ન્હાનો સરખો પણ પુસ્તકસંગ્રહ જોવામાં આવે છે ? આપણું કરતાં તો આપણા પૂર્વજોને સાહિત્યને વધારે શેખ હતો એમ કહીએ તો ચાલે. ઘેર ઘેર રામાયણ, મહાભારત અને ભાગવતની આખ્યાયિકાઓ વંચાતી, અને તે ધર્મ કરતાં પણ વિશેષ સાહિત્ય દૃષ્ટિએ. પ્રેમાનંદની લોકપ્રિયતા એ કારણથી જ છે. વળી વિશેષ સુશિક્ષિત કુટુંબમાં ઓખાહરણ, નળાખ્યાન, મામેરું વગેરે કાવ્યો હાથે ઉતારી લેવાને શ્રમ હોંશભેર કરવામાં આવતે, એટલું જ નહિ, પણ સામાન્ય લોક પણ આ કાવ્યનું પ્રેમ અને રસપૂર્વક વારંવાર શ્રવણ કરતા. અર્વાચીન સમયમાં કયાં સાહિત્યનાં પુસ્તક પ્રત્યે આપણું ગ્રેજયુએટ વર્ગને આટલો પ્રેમ છે એમ કહી શકાશે? આપણું વર્તમાન જીવન શુષ્ક અને ગ્રામ્ય (Vulgar) થઈ ગયું છે; ધર્મસાહિત્ય-કલાની ભાવના એમાંથી ઊડી ગઈ છે, ગરીબ સ્થિતિમાં પણ એ ભાવના ઉગ્ય રીતે કેળવી શકાય છે એ સ્મરણ જતું રહ્યું છે....... કેટલાક આમાં આપણી વર્તમાન કેળવણીને દોષ જોશે, કેટલાક જમાનાને, અને કેટલાક આપણી પરિસ્થિતિને. વસ્તુતઃ વિચારતાં, કેળવણીનાં પુસ્તકેને તો દેષ નથી જ. જમાને અને પરિસ્થિતિ એ મનુષ્યની પોતાની શકિત કુંઠિત થતાં પોતાની બહાર અનુભવાતી જગતની શકિતનું નામાન્તર છે. એ શકિતને કાળરૂપે ક૯પીને જમાને કહે, વા દેશ, કાલ અને વસ્તુને એકઠાં કરીને પરિસ્થિતિ કહો. ગમે તેમ કહો પણ આપણે જ આપણો જમાને અને પરિસ્થિતિ ઘડીએ છીએ. “રાના સ્ત્રી પરમ્ ” આપણા જીવનના આપણે રાજા થઈએ, આપણા જીવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરીએ, તો આપણું જમાનાને અને પરિસ્થિતિને આપણે બદલી શકીએ, તે માટે આપણે આપણા સમયમાં અને આપણી આસપાસ નવી ભાવના ઉત્પન્ન કરવાની છે. એ ભાવના કાણુ ઉત્પન્ન કરશે ?
ડો. આનંદશંકર ધ્રુવ.
...............
મેટલ શાઈન ઈન્ડસ્ટ્રીસ ઇલેક્ટ્રોપેટર્સ બસરાણી ઍસ્ટેટ, બ્લોક-એફ, કુર્લા, મુંબઈ ૭૦ As ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
...A literature pervaded with the soul of heroworship and nobesse oblige and full of great examples is eminently fitted to elevate and strengthen a nation and prepare it for a great part in history. And with this high tendency of literature there is no poet who is so deeply infused as Vyas.
Shree Aurobindo
With best Compliments of
Wallace Floor Mills Ltd., Bombay
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
These epics are therefore not a mere mass of untransmuted legend and folklore, as is ignorantly objected, but a highly artistic representation of intimate significances of life, the living presentment of a strong and noble thinking, a developed ethical and aesthetic mind and a high social and political ideal. The ensouled image of a great culture, as rich in freshness as life but immeasurably more profound and evolved in thought and substance than the Greek, as advanced in maturity of culture but more vigorous and vital and young in strength than the Latin epic poetry, the Indian epic poems were fashioned to serve a greater and completer national and cultural function and that they should have been received and absorbed by both the high and the low. the cultured and the masses and remained through twenty centuries an intimate and formative part of the life of the whole nation is of itself the strongest possible evidence of the greatness and fineness of this ancient Indian culture.
With best Compliments of
Krishnaprem
Excel Industries,
Vivekanand Rd., Jogeshwari, Bombay - 60
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
not England...
“For myself, Dilip, though I can be tolerant to all coutries, I have only one, and that strange to say, is not England but India. What I feel is that the wealth of tradition which is a pation is too precious a thing to be merged into a common hotch-potch from London to Yokohama. If we confine our selves to Europe (at least Western Europe) the case is somewhat different as the traditions are more or less common; but can England and India, say, be mixed so philanthropically without doing vital injury to both ? When the tradition of a nation dies, then the nation is dead, and even if it persists as a great power in the world, yet it is nothing but an aggregate of meaningless individuals determinedly pursuing their contemptible aims. History dies a symbol, and what that symbol signifies is something infinitely more precious than a mere peddling adherence to so-called facts. There is only one root fact anywhere, and that is the Eternal One. Whatever helps to reveal Him is a fact, and whatever helps to hide Him is a lie even if all the fools in the world affirm it.”
Yogi Shri Krishna Prem
With best compliments of
Shroffs Technical Services, Private Ltd. Excel Estate SV Road, Goregaon, Bowtay. 62-ND.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
મહાભારત એ ધર્માધર્મના વિવેચન માટે રચેલું એક આર્ષ મહાકાવ્ય છે.
લોકમાન્ય ટિળક (“ગીતારહસ્ય”માંથી)
ધી અમલમેટેડ ઈલેક્ટ્રીસીટી કું લી. (૧૭ બી, હનિમેન સર્કલ, કેટ, મુંબઈ)ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
મહાભારત એ જીવનની – જીવનની પ્રણાલિકાઓની અને પરંપરાની, રીતભાતની અને રિવાજોની અને પલટાતા આદર્શોની મીમાંસા છે. એ સ્વતંત્ર, સુ-રૂપ, અને નિર્ણયાત્મક છે; અને પ્રાચીન ભારતનું સમગ્ર જીવન એમાં, કેઈ દર્પણમાં પ્રતિબિંબિત થાય એમ પ્રતિબિબિત થયેલું છે.
દાસગુપ્તા અને ડે “સસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” માંથી
With best compliments of
Rubber Regenerating Co., Ltd. Kamani Chambers, Nicol Road, Ballard Estate, Fort,
Bombay - 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
अनाश्चर्यो जयस्तेषाम्
येषाम् नाथोऽसि केशव । જેમણે તારૂં શરણ સ્વીકાર્યું છે, એમને જય થાય એમાં આશ્ચર્ય નથી.
With best Compliments of
Shoorji Vallabhdas Concerns
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
अयुध्यमानो मनसापि यस्य जय कृष्ण : पुरुषस्याभिनन्देत् । एवं सर्वान् स व्यतीयादमित्रान्
सेन्द्रान् देवान् मानुषे नास्ति चिन्ता ॥ જે પુરુષને જય શ્રીકૃષ્ણ મને મન અભિનંદે – યુદ્ધથી દૂર રહ્યા રહ્યા પણ,–તે પુરૂષ પિતાના સર્વે શત્રુઓને પરાજિત કરી શકશે, પછી ભલે તે શત્રુઓમાં ઈન્દ્ર સહિત બધા દેવતાઓ સામેલ હોય! મનની તે મગદૂર જ શી !
શ્રી આર. જી. ફિમ્સના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપકગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું, એક વાલ્મીકિને રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવવૈચિયમાં શું એવા કેટલાક પરસ્પરવિઘટક ગુણે નથી કે સાથેલાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કપનાને કાળાંતરે અન્ય કવિઓ દેશકાળની અનુકૂળતા પ્રમાણે અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે. એવા કવિઓનાં કાવ્યોને આત્મા આવી જ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની કલ્પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.
गृह्णन्तु सर्वे यदि वा यथेच्छम् नास्ति क्षतिः कापि कवीश्वराणाम् । रत्नेषु लुप्तेषु बहुध्वमत्यैः
अद्यापि रत्नाकर एव सिन्धुः ॥ મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રત્નને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળમહાસાગરને તળિયે રને શેાધી વર્તમાન સૃષ્ટિમાં મૂકનાર રત્નવ્યાપારીઓ તે કવિઓ જ છે. એ રત્નને નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હોય છે.
ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર' ભા. ૪થા માંથી
શ્રી જયગોપાલના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
જે સર્વને માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય છે, અને તે જ ધર્મ છે” – આવા વિશુદ્ધ અને કલ્યાણકારી મંત્રને ભારતે જ સૌથી પહેલે પ્રચાર કર્યો છે અને સૌથી પ્રથમ ભારતે જ એને અમલ કર્યો છે. જે દિવસથી ભારતના લેકેએ ભૂતકાળની એ શિક્ષાને વિસારે પાડી, હિતવાદને ત્યાગ કર્યો, સ્વતંત્ર વિચાર શકિતને રજા આપી અને વિવેકબુદ્ધિ ઉપર ચોકડી મારી તે દિવસથી તેમનું ક્રમશઃ અધ:પતન થવા માંડયું છે.
બંકિમચંદ્ર લાહિડી
શ્રી ન્યાલચંદભાઈ મેણશીના સૌજન્યથી.
૧ ભોઈવાડે. મુંબઈ - ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
વાંચનાર પ્રત્યે પુનઃ પણ એ જ કહેવાનુ કે તમે પણ તમારી આસપાસનાં બાળક, સ્ત્રી, વૃદ્ધ, અભણુ વગેરેને મહાભારત અને રામાયણ જેવા ધર્મ ગ્રન્થા રાજ રાજ ચેાડે થાડે પણ બનતા પ્રકારે વાંચી સંભળાવશેા, તે તેમનામાં ધર્મનીતિના ઉચ્ચ સસ્કાર પડવા સાથે તમારું પેાતાનું પણ ઘણું ઘણું ભલું થશે.
ભિક્ષુ અખ`ડાન દ
ઢાશી એન્ડ સન્સ ડેરી-સાધનેાના વેપારી અને
ડી. ટ્રાશી એન્ડ સન્સ કૈકસીનના વેપારી, સુભાષ રાડ, આણુંદના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
કારિયાલેનસ નામના એક શૂર રામન સરદારને રામ શહેરના લેાકેાએ શહેર બહાર કાઢી મૂકેલા. તે રામન લેાકેાના શત્રુને જઇ મળ્યા અને હું કાઈ દિવસ તમારાથી અ ંતર રાખીશ નહિ એવું તેમને અભિવચન આપ્યું. પછી કેટલેક કાળે શત્રુની મદદથી રામનના મુલક જીતતેા જીતતા ખુદ રામ શહેરના દરવાજા આગળ એ આવી પહેાંચ્યા. તે વખતે રામ શહેરની સ્ત્રીએ તેની સ્ત્રી અને માતાને આગળ કરીને તેને મળી અને માતૃભૂમિ સંબંધે તેનું કવ્ય શું છે તેનેા તેને ઉપદેશ કર્યા; અને રેશમ લેાકાના શત્રુને આપેલું અભિવચન તેાડવાની તેને જરૂર પાડી. કન્ય અને અબ્યના માહમાં પડેલા મનુષ્યાનાં એવાં જ ખીજાં અનેક દૃષ્ટાંતેા જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસમાં પુષ્કળ છે. મહાભારત આવા પ્રકારના પ્રસ ંગેાની એક ખાણ જ છે એમ કહીએ તે ચાલે. સંસારમાં અનેક અડચણના પ્રસંગામાં મેટા માટા પ્રાચીન પુરુષાએ કેવાં વન ચલાવ્યાં હતાં તેની કથાઓના સુલભ રીતે સામાન્ય લેાને ખાધ આપવા માટે જ ભારતનું મહાભારત બન્યું છે; નહિ તો માત્ર ભારતી યુદ્ધ અથવા ‘જય' નામના ઇતિહાસનુ વર્ણન કરવામાં અઢાર પર્વ લખવાની જરૂર ન હતી.
લોકમાન્ય ટિળક (ગીતારહસ્ય”માંથી)
એક સંસ્કૃતિ-પ્રેમી સન્મિત્રના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
The Mahabharat is poetry not history. The poet tries to show that if a man resorts to violence, untruth too is sure to come in, and even people like Krishna cannot escape it. A wrong is a wrong, no matter who the wrongdoer is.
Mahatma Gandhi
With best compliments of
Scandia Insurance Co. Ltd.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
A wide searching mind, historian, statesman, orator, a deep and keen locker into ethics and conduct, a subtle and high-aiming politician, theologian and philosopher, it is not for nothing that Hindu imagination makes the name of Vyas loom so large in the history of Aryan thought and attributes to him work so important and mangfold. The wideness of the man's intellectual empire is evident throughout the work; we feel the presence of the great Rishi, the original thinker who has enlarged the boundaries of ethical and religious outlook.
Shree Aurobindo
With best compliments of
Shree D. L. Shah, Perfect Machine Tools Co; Bell Building, Sir P. M. Road, BOMBAY-1.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
But Vyas has not only a high political and religious thought and deep-seeing ethical judgments, he deals not only with the massive aspects and worldwide issues of human conduct, but has a keen eye for the details of government and society, the ceremonies, forms and social order on the due stability of which public welfare is grounded. The principles of good government and the motives and impulses that move men to public action, no less than the rise and fall of States and the clash of mighty personalities and great powers form, incidentally and epically treated, the staple of Vyasa's epic. The poem was therefore, first and foremost, Jike the Iliad and Aeneid-and even more than the Iliad and Aeneid-national – a poem in which the religious, social and personal temperament and ideals of the Aryan nation have found a high expression and the institutions, actions and heroes in the most critical period of its history received the judgements and criticisms of one of its greatest and soundest minds.
Shri Aurobindo
With best compliments of
Water Supply Specialist Co. Ltd.
Hamam Street, Fort, Bombay.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ શબ્દ પૃ= ધારણ કરવું, એ ધાતુ ઉપરથી નીકળે છે; ધર્મથી જ સર્વ પ્રજાનું ધારણ થઈ રહેલું છે. “જે (સર્વ પ્રજાનું) ધારણયુકત હોય છે તે જ ધર્મ છે એ નિશ્ચય છે” એટલે આ “ધર્મ' છૂટયો એટલે સમાજનાં બંધન તૂટયાં એમ સમજવું. અને સમાજનાં બંધને તૂટયાં એટલે આકર્ષણશકિત સિવાય આકાશમાં સૂર્યાદિક ગ્રહમાલાની, અને સુકાન સિવાય સમુદ્રમાં વહાણની જે સ્થિતિ થાય તેવી જ સ્થિતિ સમાજની પણ થઈ જાય છે. આ શોચનીય અવસ્થાએ પહોંચીને સમાજ નાશ ન થઈ જાય માટે દ્રવ્ય મેળવનાનું હોય તે પણ “ધર્મથી જ મેળવવું, એટલે કે સમાજની ઘડી ન બગડે એવી રીતે મેળવવું; અને કામાદિ વાસના તૃપ્ત કરવાની હોય તો તે પણ “ધર્મથી જ કરવી.
મહાભારતને જે દષ્ટિથી પાંચમે વેદ અથવા ધર્મસંહિતા માનવામાં આવે છે તે ધર્મસંહિતા શબ્દમાં પણ ધર્મ એ શબ્દને મુખ્ય અર્થ શો. છે તે આ ઉપરથી વાંચનારના ધ્યાનમાં આવશે. મહાભારત એ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે પારલૌકિક અર્થનું પ્રતિપાદન કરનાર ગ્રંથની બરોબરીને જ ધર્મગ્રંથ છે, એ જ “નારાય નમઃ ઈત્યાદિ પ્રતીકરૂપ શબ્દોથી, મહાભારતને બ્રહ્મયજ્ઞમાં નિત્યપાઠમાં સમાવેશ કરવાનું કારણ છે.
લોકમાન્ય ટિળક (“ગીતારહસ્ય”માંથી)
એચ. જે. લીચ એન્ડ કં. (એશિયન બિડીંગ, નિકલ રેડ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ ૧} ના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
મહાભારતને અને રામાયણને – બેયને સંયુકત રીતે વિચાર કરીએ તે – જગતમાં જેટ નથી.
દાસગુપ્તા અને ડે “સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ” માંથી
With best Compliments of The Scindia Steam Navigation Co., Ltd.,
Ballard Estate, Bombay - 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
આપણું શરીર એ ઈશ્વરનું મંદિર અને ધર્મનું સાધન છે. આધ્યામિક સ્વાતંત્ર્ય અને ભૌતિક જીવનમાં પરસ્પર વિરોધ નથી. ભૌતિક જીવન પણ જે વિવેક-વૈરાગ્યપૂર્વક જિવાય તો એ આધ્યાત્મિક સ્વાતંત્રયને ઉત્તરત્તર વિશેષ અનુભવ કરાવનાર થાય છે.
પ્રાચીન તત્વદશીઓએ બ્રહ્માંડની રચના, તેનું સંચાલન કરનાર પ્રકૃતિ, તેનું આધારભૂત તત્ત્વ બ્રહ્મ, સત્ય અથવા પરમાત્મા અને આ બધાંની સાથે પ્રત્યેક જીવના અસ્તિત્વની-જીવનતત્વની અભિન્નરૂપે ઓતપ્રોતતા-આ ઉપર ખૂબ ભાર મૂકે છે, અર્થાત આ સિદ્ધાંતને સૌથી વધુ વ્યાપક અને અંતિમ ગણેલો છે. પરમાત્મામાં આત્માનું સંપૂર્ણ સમર્પણ-આતમા અને પરમાભાની એકતા અનેક દષ્ટાંતો દ્વારા પ્રતિપાદિત કરી છે. જેમ કે અગ્નિમાંથી ચિનગારીઓ નીકળે છે અને તે ફરી અગ્નિમાં એકરૂપ થઈ જાય છે; જેમ સમુદ્રમાંથી વાદળો થાય છે તે નદીઓ બની ફરીથી સમુદ્રમાં મળી જાય છે.
જ્યારે મનુષ્યોને સ્પષ્ટ જ્ઞાન થાય છે અને જ્યારે તેઓ બરાબર જાગ્રત બને છે, ત્યારે તેમને અનુભવ થાય છે કે તેઓ એક અનેરી રીતે (પિતાની વિશિષ્ટ રીતે) આ જગતમાં પરમાત્માની અભિવ્યકિતનું એક સાધન માત્ર છે, અર્થાત તેઓ પરમાત્માની ઈચ્છા અને ક્રિયાનાં વાહન છે.
શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ
શ્રી પ્રફુલ્લ શાહને સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રી કરસનદાસ માણેકની કૃતિઓ કાય
ચિન્તન તથા અધ્યયન ૧ આલબેલ (ત્રીજી આવૃત્તિ થોડા | ૧ વાટના દીવડા અખંડાનંદના અગ્રલેખ સમયમાં પ્રકટ થશે. )
તરીકે છેલ્લા પંદરે વરસથી ૨ મહોબતને માંડવે (ત્રીજી આવૃત્તિ
શ્રી પદ્મની સહીંથી આવતા. થોડા સમયમાં પ્રકટ થશે.)
નિબંધોમાંથી પહેલા બેતાળી૩ કલ્યાણયાત્રી ત્રીજી આવૃત્તિ ] .
સને સંગ્રહ.] ૪ મધ્યાહન
| ૨ ગીતાવિચાર [ગીતાના રહસ્યને વર્ત૫ રામ, તારો દીવડો !
માન જીવનનાં સંદર્ભમાં સરળ - વૈશંપાયનની વાણી ભા. ૧લો અપ્રાપ્ય અને પ્રાસાદિક શિલીમાં કુટ ૭ , , ભાગ રજે , !
કરતા પચાસનિબંધને સંગહ, ૮ અહો રાયજી, સુણિયે
|| ૩ શ્રી ઇશાવાસ્ય ઉપનિષદ
| સિમલકી અનુવાદ તથા વિવરણ સાથે ૯ શતાબ્દીનાં સ્મિત અને અશ્રુઓ | ૪ કળીઓ અને કુસુમ અપ્રાપ્ય નવલકથા
૫ અઝાદીની યજ્ઞજવાળા ,, ૧ દર્પણ અને સમર્પણ [બીજી આવૃત્તિ) ૬ સંસ્કૃત સાહિત્યમાં ડેકિયું ૨ માઝમ રાત [ , , ]
પરિચય પુસ્તિકા) ૩ સિલ્વનું સ્થાન
શેકસપિયર નાટયકથાઓ ૪ પ્રીતને દોર
૧ એથેલે ૫ આંસુની ઝાલર
૨ મચ એડે એબાઉટ નથિંગ ૬ જન્તરનું અન્તર
૩ બારમી રાત નવલિકા
: રોમિયો અને જૂલિયેટ ૧ માલિની બીજી આવૃત્તિ ટુંક સમયમાં | અનુવાદ-નાટકે બહાર પડશે.) ૧ મુકતધારા
બંગાળી પરથી ૨ રામ ઝરૂખે બેઠકે ?
૨ શરદુત્સવ ૩ પ્રકાશનાં પગલાં [છઠ્ઠી આવૃત્તિી | ૩ મુગટ, ૪ દિવ્ય વાતો [ ત્રીજી આવૃત્તિ. ૪ ભર્તુહરિ નિવેદ સંસ્કૃત પરથી ૫ અમર અજવાળાં
સંપાદન ૬ રઘુકુલરીતિ
રાષ્ટ્રગીત પદ્યનાટક
સંચય ૧ પ્રતિજ્ઞા પુરૂષોત્તમઃ શ્રીકૃષ્ણના અંતિમ અક્ષર આરાધના માણેકની અનેક ગદ્યપદ્ય
દિવસની લીલાને આલેખતું અને કૃતિઓમાંથી તજજ્ઞ વિવેચકેને એમના અવતારકાર્યોની સમીક્ષા હાથે ચૂંટાયેલી કૃતિઓને દળદાર કરતું એકાંકી.
સંગહઃ શ્રી રામપ્રસાદ બક્ષી ૨ ધર્મ ક્ષેત્રો કુરુક્ષેત્રોઃ ગીતાના મર્મને અને શ્રી અનંતરાય રાવળની
સ્કુટ કરતી સાત પદ્ય-નાટિકાઓ ! પ્રસ્તાવના સાથે.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
જગતના મહાન ધર્મગ્રન્થ વચ્ચે ગીતા પોતાની એક મહત્ત્વની વિશેવતા દ્વારા જુદી તરી આવે છે. એ કોઈ એકાદ ક્રાઈસ્ટ કે મહમ્મદ કે બુદ્ધ જેવી સર્જનાત્મક વ્યકિતના આધ્યાત્મિક જીવનના પરિપાકરૂપ અથવા વેદઉપનિષદે પેઠે શુદ્ધ આધ્યામિક શોધની ફલશ્રુતિરૂપ, અનન્ય–સંકલિત અને સ્વતંત્ર ગ્રંથ નથી; પણ પ્રજાપ્રજા વચ્ચેના સંઘર્ષોના તેમના પુરુષોત્તમે અને પુરુષાર્થોના બૃહત્કાય ઇતિહાસમાં એક પ્રસંગ છે. અગ્રગણ્ય પુષમાંથી એકના આત્માએ અનુભવેલી કટોકટીની પળમાંથી એ પ્રગટ થઈ છે – એક એવી પળ, જ્યારે એ પુરુષ પોતાના જીવનની પરાકાષ્ઠા સમા એક એવા મહાકાર્યની સન્મુખે ઊભો હતો, જેની ભીષણતા જતાં તેના મનમાં મન્થનનું ઘમસાણ ઊભું થયું હતું, કે આ મહાકાર્યને હવે સદંતર પડતું મૂકું કે એને ભયંકર ભાસતા એના પૂર્ણવિરામ સુધી પહોંચાડું!
શ્રી અરવિન્દ
સ્વ લલુભાઈ ચંબકરાવ વ્યાસાના સ્મરણાર્થે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Great as the Ramayana is as an epic poem, and loved by the People, it is really the Mahabharata that is one of the outstanding books of the world. It is a colossal work, an encyclopedia of tradition and legend, and Political and Social institutions of ancient India... it is interesting to note that even in these days of total and horrible war, Russian oriental scholars have produced a Russian translation of the Mahabharata.
Jawaharlal Nehru Discovery of India')
(Froin
With best Compliments from
Shree Chhaganlal Ladhubhai Shah 192, Argyle Road, Lokhand Bazar, BOMBAY - 9.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________ zichobile * اما Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com