SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ tr ધૂમધામથી, પણ યુધિષ્ઠિરના રાજય યજ્ઞની તેાલે એ ન આવે! અને ક ખીજાઇને આજ પ્રસંગે પ્રતિજ્ઞા કરી કે અર્જુનને મારી નહિ નાખુ ત્યાં સુધી પગ નહિ ધેાઉં અને મારી પાસે જે કાઈ કે. પણ માગવા આવશે તેને ‘નથી ’એવું કદી પણ નહિ કહું ! ” વ્યાસજી કહે છે કે વિષ્ણુયાગને અંતે કર્ણે અર્જુનને હવાની પ્રતિજ્ઞા કરી છે એ સાંભળીને યુધિષ્ઠિરને સંતાપ થયા અને કવચ અને કુંડલને કારણે ક લગભગ અવધ્ય જેવા છે તેને શે ઉપાય કરવા તે બાબત તેણે વિચારવા માંડી. ૭૯. મીઠાં ઝાડનાં મૂળ વ્યાસજીની ખૂબી એ છે–દરેક મહાન કલાકારની હેાય છે! –કે એ પેાતાના કથાનકની નાનામાં નાની વિગતાને અને તુચ્છમાં તુચ્છ મનાય એવાં પાત્રોને પણ ભૂલતા નથી. તેમની સ ંવેદનામાં સાને સ્થાન છે. પર્યંતની ઉન્નતતા આડે તૃણુની એ ઉપેક્ષા નથી કરતા; સમુદ્ર પર તેમનું ધ્યાન સ્વાભાવિક રીતે જ હાય છે; પણ જંગલના કાઇ અગમ્ય પ્રદેશમાં થઇને વહેતા નાનકડો વાંકળા પણ તેમના ધ્યાનની બહાર નથી હેાતેા. વનવાસનાં વરસે દરમ્યાન પાંડવા દ્વૈતવનમાંથી કામ્યક વનમાં, અને કામ્યક વનમાંથી પાછા દ્વૈતવનમાં એમ વારાફરતી નિવાસસ્થાન માટેનાં વને બદલાવ્યા કરે છે એવા ઉલ્લેખ છે. પાંચ વરસ તે હિમાલય પર હતા, ત્યારે પણ કાઈ એક જ સ્થળે લાંભા વખત તે ભાગ્યે જ રહેતા. આનાં ઘણાં કારણા કલ્પી શકાય. અવનવાં સ્થાને નિહાળવાનેા અને જાતજાતનાં અને ભાતભાતનાં માણસાને મળવાના શેાખ એ પણ એક જમરૂ કારણ ગણાય પણ વ્યાસજીએ એક બીજું અનેખું, સ્થૂલ-છતાં સૂક્ષ્મ-કારણું પણુ ગણાવ્યું છે. મહાભારતના લેખક કેટલા વાસ્તવદર્શી છે તેને ખ્યાલ આ પરથી પણ આવે છે. પણ આપણે હવે વ્યાસજીની જ ભાષામાં વાત કરીએ. પાંડવા દ્વૈતવનમાં રહેતા હતા, ત્યારે યુધિષ્ઠિરને એક સ્વપ્ન આવ્યું. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy