SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ એના તરફ્ દૃષ્ટિ પડતાં ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ પાંડુના દેહમાં કામ ફાટી નીકળ્યા. માદ્રીએ તેને, તેના રાગનુ તેમજ ઋષિના શાપનું સ્મરણ કરાવી કરાવીને ખૂબ વાર્યો, પણ ભયના કરતાં કામને આવેગ પ્રબળતર નીકળ્યા અને પાંડુ માદ્રીના મદનપાશમાં જ મૃત્યુ પામ્યા. કુંતીને આ વાતની જાણ થતાં તેણે રડારાળ કરી મૂકી. પાંડુ પાછળ સતી થવા માટે પણ તેણે ખૂબ આગ્રહ કર્યો. પણ માદ્રીએ તેને સમજાવી. પાંડુના મૃત્યુનું નિમિત્ત પાતે બની છે તે। સતી થવાનેા અધિકાર પણ વધારે પેાતાનેા છે એવી દલીલ પણ તેણે કરી. વળી કુંતી જતાં, પાંચે પુત્રાની જવાબદારીના ભારનું સમતાલ વહન પેાતે કરી શકશે કે કેમ, એ બાબત તે શંકાશીલ હતી, જ્યારે કુંતી પેાતાના ત્રણ ઉપરાંત મારા બે બાળકાની પણ સગા દીકરાઓ જેમજ સંભાળ રાખશે એવી તેને ખાતરી હતી. એટલે કુન્તીના સતી થવાના આગ્રહને એક બાજુએ મુકાવીને માદ્રી પાંડુની પાછળ સતી થઇ. પાંડુ સ્વĆવાસી થતાં અને માદ્રી તેમની પાછળ સતી થતાં પાંડુના પાંચ પુત્ર અને કુંતી પારાવાર દુઃખ અનુભવી રહ્યાં, પર ંતુ આવા દુઃસઘ દુઃખ દરમિયાન તેમને સાચા હૃદયથી આશ્વાસન આપે એવા સન્મિત્રો અને મુરબ્બીએની ખેાટ ન હતી. પાંડુ અને માદ્રીના દેહવષેશાને લઈ કુન્તી અને પાંચ કુમારેાની સાંથે મુનિએ હસ્તિનાપુર આવી પહેાંચ્યા, ભાગાળે આવીને તેમણે ધૃતરાષ્ટ્રને સંદેશે મેાકલ્યા. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ આદિ કુરુવૃદ્ધોની સાથે ભાગાળે આવ્યા અને પાંડવા તથા કુન્તીને તેણે સત્કાર કર્યો. આ પ્રસંગે હસ્તિનાપુરમાં એટલી મેાટી સનસનાટી ઊભી કરી કે હસ્તિનાપુરવાસીએ! હજારોની સંખ્યામાં પાંડુના પરિવારને તેમજ તેમને લઇને આવેલા મુનિવરને જોવા માટે નગરની ભાગેાળે ઉતરી પડયા. ઋષિએએ પાંચ પાંડવેાની ભલામણુ ધૃતરાષ્ટ્ર આદિને કરી, અને પછી પાંડુ તથા માદ્રીની અંત્યેષ્ઠિ ક્રિયાએ કરવાની ભલામણ કરીને તેએ વનમાં પાછા ફર્યા. પાંડુના અવસાનને શાક સૌથી વધુ દાદી સત્યવતીને થયે. મા જીવતી રહે અને દીકરા મરી જાય એ દૃશ્ય જ કરુણ છે, પણ દાદીમાને જીવતેજીવ પૌત્રનું મરણ જોવાના વારે આવે એ તે કરુણતાની યે પરિસીમા છે. સત્યવતીને માત્ર પેાતાના પંડ પૂરતુ ં જ દુઃખ ન હતું. વિધવા કુંતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy