SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ૪૩. યજ્ઞની તૈયારી જરાસંધના નાશની સાથે ધર્મરાજ્યની સ્થાપના આડેનું એક માઢુ કંટક દૂર થયું, પાને, એટલે કે અર્જુનને હવે ગાંડીવ ધનુષ્ય, એની સાથે મે અક્ષય ભાાં, તીરાથી ભરેલાં, ધ્વજસમેત રથ અને સભા એટલાં વાનાં મળી ગયાં હતાં. શ્રીકૃષ્ણે તેા પહેલેથી જ, પાંડવેાના મિત્ર હતા, તેમાં વળી સુભદ્રાને અર્જુન સાથે પરણાવ્યા પછી તેા સંબંધની એક ગાંઠે વધુ બંધાઇ હતી. પાંડવાને આવા મજબૂત પક્ષ, જરાસંધના નાશને પરિણામે કારાગારમાંથી મુકત બનેલ ક્ષત્રિય-સમુદાય આવી મળતાં વધુ મજબૂત બન્યા. હવે માત્ર એક જ વસ્તુની ઊણપ રહી, કાશની, દ્રવ્યની. એટલે અર્જુને યુધિષ્ઠિરને વિનંતિ કરીઃ “આપ મને આજ્ઞા આપે તેા ઉત્તર દિશા તરફ્ પ્રયાણ કરુ. કુબેરની એ દિશામાં જેટલા રાા છે, તે બધાયને આપણા પક્ષમાં ભેળવીને તેમની પાસેથી આપણા ચક્રવતી" કાશ માટે દ્રવ્ય મેળવવાની મારી ઇચ્છા છે.” યુધિષ્ઠિરે આ પ્રસ્તાવને અનુમેદન આપ્યું. એક મેટી સેના લઈને અર્જુન ઉત્તર દિશા તરફ નીકળી પડયા. અર્જુને કુખેરની ઉત્તર દિશા સાધી, તે જ વખતે ભીમે પૂર્વ તરફ કૂચ કરી, સહદેવ દક્ષિણ તરફ્ નીકળ્યેા અને નકુલે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું.. આ બધા ભાઇએ થાડા સમયમાં પોતે સ્વેચ્છાએ સ્વીકારેલી જવાબદારીઓ પૂરી કરીને એટલે કે પેાતપેાતાના વિસ્તારના રાજાએતે ધરાજના આધિપત્ય નીચે લાવીને ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યાં. પ્રજા આ વખતે સથા સુખી હતી. ધરાજના રક્ષણને કારણે, સત્યના પાલનને કારણે અને શત્રુઓના દમનને કારણે તેના તે સુખમાં વૃદ્ધિ થઇ અને તે પાતપેાતાના કક્ષેત્રમાં પરાવાઈ રહી. વરસાદ યથાકાળ વરસતા. જનપદ–ગ્રામવિસ્તાર સમૃદ્ધ હતા, ગૌરક્ષા, કૃષિ અને વાણિજ્ય ખરાબર ચાલતાં હતાં. સૌ સત્યવચન ખેલતાં અને અસત્યનું ઉચ્ચારણ કરવાની હિંમત તેા રાજવલ્લભા”–રાજનાં પ્રીતિપાત્રો પણ કરી શકતા નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy