SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક વાદ્યોને થંભી જવાની સૂચના આપી, દ્રુપદના પુત્ર અને દ્રૌપદીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને આ પ્રમાણે ધેાષણા કરી. इदं धनुर्लक्ष्यमिमे च बाणा : शुण्वन्तु ये भूपतयः समेता : । छिद्रेण यन्त्रस्य समर्पयध्व રારે શિતામાંશાધૈ:। : .. ૯૧ एतन्महत् कर्म करोति यो वै कुलेन रूपेण बलेन युक्त: । तस्याद्य भार्या भगिनी ममेयं कृष्णा भवित्री न मृषा ब्रवीमि ॥ અહીં એકઠા થયેલા હે ભૂપતિએ, આ ધનુષ્ય, આ લક્ષ્ય અને તીક્ષ્ણુ અને આકાશગામી એવાં આ પાંચ બાણે તેઇ લે. યંત્રના છિદ્ર સેાંસરવું બાણ મારીને આ લક્ષ્યને વીંધવાનુ છે. આ દુષ્કર કર્મ, કુલ ૩૫ અને બલથી યુકત એવા જે કાઇ કરશે, તેની ભાર્યા આ મારી ગિની બનશે. હું સત્ય કહું છું.” અને પછી તેણે ત્યાં એકઠા થયેલા ભારતના જુદા જુદા ભાગે માંથી આવેલ રાજાએને દ્રૌપદીને દૂરથી પરિચય કરાવ્યા. કાણુ કાણુ આવ્યા હતા એ સમારંભમાં ? પહેલાં તે દુર્યોધન, દુઃશાસન, વિક આદિ ધૃતરાષ્ટ્રના સો પુત્રો; પછી કર્યું, પછી શકુનિ, બલ, વૃષક અને બૃહદ્બલ નામે ગાંધારરાજના ચાર પુત્રો, પછી અશ્વત્થામા, ભાજ, બૃહન્ત, મણિમાન, દંડધાર, સહદેવ, જયસેન, મેઘસંધિ, માગધ, શંખ અને ઉત્તર નામના પેાતાના બે પુત્રો સાથે વિરાટ, સેનાબિન્દુ, મુદ્દામન અને તેને પુત્ર, વાસુદેવ, ભગદત્ત, તામ્રલિપ્ત કલિંગ, મદ્રરાજ શલ્ય, સેામદત્ત, અને ભૂરિશ્રવા આદિ તેના ત્રણેય પુત્રો, કામ્માજ, સુદક્ષિણ, સુક્ષે, ઔશાનર-શિબિ, સંકણું, વાસુદેવ અને શ્રીકૃષ્ણના સાંબાદિ પુત્રો, અક્રુર, સાત્યકિ, ઉદ્ભવ, કૃતવર્મા, સિન્ધુરાજ, જયદ્રથ, કાસલરાજ અને એવા અનેક પ્રસિદ્ધ પરાક્રમી નૃપતિએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy