SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પર. જે વિરલા ચાલ્યા જાય ! શિરને સાટે વનની વાટે વિરલા ચાલ્યા જાય: વગર ઉચાટે હરિને હાટે વેંચાવાને જાય ! જે વિરલા ચાલ્યા જાય ! વૃક્ષોના વિસામા થાતા, સરિતાઓને દેતા શાતા, સુકાયેલાં ઝરણુઓમાં જલ લૂકાવા જાય ! અડાબીડ અંધારની ઝાડી, જીવનની શતઝાળે બાળી, સંધાયેલા અજવાળાને, મુકિત દેવા જાય ! નભ-તર્જત શૈલોને દમતા, વિનમ્ર ખીણને નિત નમતા, દાવાનળ પી પી પૃથ્વીને પિયૂષ પાવા જાય ! કયાં જીવનરસ થઈ રેલાવા, કયાં મૃત્યુ બનીને ફેલાવા, જડ-ચાંપ્યા ચેતનને મુખડે સ્મિત મલકાવા જાય ! જે વિરલા ચાલ્યા જાય ! વન એ પાંડવોના જીવનની સાથે જ જાણે જડાયેલું છે. જનમ્યા વનમાં, બચપણ ગાળ્યું વનમાં. હસ્તિનાપુરમાં આવીને ઠરીઠામ થયા કે તરત જ દુર્યોધન તેમને અ-કારણ વિરોધી બન્યા અને તેમને નાશ કરવાની અનેક તરકીબો તેણે તથા તેના દોસ્તોએ અજમાવી. લાક્ષાગૃહ એ તેમની છેલ્લી તરકીબ હતી. એ લાક્ષાગૃહમાંથી વિદુરની સહાનુભૂતિ અને સલાહ અને પિતાને પરાક્રમ અને શૈર્ય દ્વારા તેઓ ઉગરી ગયા. પણ તે પછી વર્ષો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy