SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંભરિત છે કે આપણા પૂર્વજો હારા વર્ષો પહેલાં ઉત્તરમાંથી આવ્યા હાય. ઉત્તરમાં આવેલ હિમાલયને બે હજાર વરસ પહેલાં આપણા મહાકવિ કાલિદાસે ફેવતાત્મા કહ્યો છે. આર્યાને પેાતાનામાં જે કઇં ઉત્તમ છે, શ્રેયકર છે, તેનું ઉદ્ભવસ્થાન, પ્રેરણાસ્થાન હિમાલયમાં જ દેખાયું છે. તેમની છેલ્લી ઇચ્છા પણ એ જ હાય છે-હજુ પણ!–કે જીવનની પૂર્ણાહુતિ હિમાયમાં થાય! વ્યાસજીએ અર્જુનને નૂતન શસ્ત્રાસ્ત્રોના અભ્યાસ અર્થે ઉત્તર દિશામાં મેાકલવાની સલાહ આપી હતી. વ્યાસજીના ગયા પછી તરત જ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “ ધનુષ્ય, ખડ્ગ, કવચ ધારણ કરીને, હે અર્જુન, તુ ઉત્તર દિશા તરફ્ જા અને ન્દ્ર પાસેથી બધાં શસ્ત્રાસ્ત્રો શીખી આવ. ૧૮૩ ,, અર્જુનને વિદાય કરતી વખતે યુધિષ્ઠિરે અને એ જીવનસૂત્રો ખાસ આપ્યાં છે. પહેલું છે- મુનિ : સાધુતે યિતઃ ૧ અને ખીજું છે— न कस्यचिद् ददन् मार्गम्. २ નિશ્રિત ધ્યેયને વરી ચૂકેલા માણસ માટે પહેલી આવશ્યકતા ‘સાધુવ્રત’ની છે, સંયમની છે, ચારિત્ર્યની છે, અને ખીજી, નિર્ભયતા અને અડગતાની છે. કાઇના ડરાવ્યા, નમાવ્યા, ભમાવ્યા, ફાસલાવ્યા, ફસાવ્યા, પેાતાના લક્ષ્યને મૂકી દે એવે! ચંચલ માણુસ જીવનમાં શું સાધી શકે! ૧ ' વર્ષો સુધી વનેમાં એકલા રહેલા અર્જુન આ બધું નથી જાણતા એમ નથી. છતાં યુધિષ્ઠિરે એને આવી સલાહ આપી એની પાછળ કેવળ મેટાભાઈ-ગીરી જ નથી બજાવી, પણ ઇન્દ્રિયા એવી ચાલાકીથી પેાતાની મેાહજાળ બિછાવે છે કે ભલભલાને પણ તેની ખબર પડતી નથી; અને કાઇ સુરક્ષિત મંગલ સ્થાનમાં જતા હોય એટલા આનંદથી તેઓ એ જાળમાં સામે ચાલીને ફસાય છે– એ હકીકત સામે પેાતાના નાના ભાઇને ચેતવવાની તેણે પેાતાની ફરજ માની છે. વિદાય વેળાએ દ્રૌપદીએ જે કહ્યું છે તે વાંચતાં આજે પણ આપણાં રૂવાં ઊભાં થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સજ્જનાના વ્રતમાં સ્થિત એવા મુનિ (શબ્દાર્થ) ૩. કોઇને પણ ગમે તેવા ચમ્મરખંધીને પણ માગ ન આપનાર (શબ્દા) www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy