SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૩૨. ભારતદન પાંડવાની એક ખૂબી છે. સતા અને વિદ્વાને તેમના તરફ હરહંમેશ આકર્ષાય છે. દુઃખના દિવસેામાં પણ તે તેમને કદી છેાડતા નથી. વાયકાને યાદ હશે કે પાંડુના સ્વર્ગવાસ પછી પાંડવાને હસ્તિનાપુરમાં ઋષિએ જ' લઇ આવેલા. તે પછી હસ્તિનાપુરમાંથી પાંડવા વારણાવત તરફ વિદાય થયા. તે વખતે પણ ઋષિમુનિએએ તેમની સાથે જવાની અતિ ઉત્કટ ઇષ્ઠા વ્યકત કરેલી. દુનાની સાથે રાજમહેલમાં રહેવા કરતાં સજ્જનેાની સાથે વનમાં રહેવુ વધારે સારું એવું આ સ ંતેા અને વિદ્જ્જનેાનું જાણે જીવનસૂત્ર છે. એટલે અર્જુન જ્યારે બાર વરસના વનવાસ માટે ઉપડે છે ત્યારે અનુનમું મંહાત્માનો ત્રાĮળા: વેવાઽૉ: । (મહાત્મા ને વેદવેત્તા બ્રાહ્મણા સંગ સંચર્યા.) વિદ્વાના અને શીલવાનાથી વીંટળાયેલા અને સૂતા અને પૌરાણિકા વડે અનુસરાયેલા અર્જુન ભારતની યાત્રાએ નીકળ્યેા. સાચે જ વનવાસે એ પાંડવેને માટે ભારતની યાત્રા સમા હતા. ભારતનું દર્શીન તેમને સમ્યગ્ રીતે આવા પ્રવાસેા દરમિયાન થતું. આ દૃષ્ટિએ આપણું આ મહાભારત પણ એક પ્રકારનુ` ભારતદર્શીન (Discovery of India) જ છે. રમણીય સરાવા, ચિત્રવિચિત્ર વૃક્ષ, શાંત સાગર તળાવેા) અને લીલા—નૃત્યે વહી જતી અનેક સરિતાએનાં દર્શન કરતા કરતા અર્જુન ગંગાદ્વાર પાસે પહેાંચ્યા. (આ ગગાદ્વાર તે જ હરદ્વાર) અર્જુનના આગમનથી ગ`ગાદ્વારમાં જાણે કાઇ નવુ ચૈતન્ય આવ્યું. તટપ્રદેશ યજ્ઞયાગોના મન્ત્રાથી ગૂંજી ઊઠયા. હવે એક દિવસ એવું બન્યું કે અર્જુન સ્નાન પિતૃ-તપણુ આદિ કરીને ગંગામાંથી બહાર નીકળતા હતા, ત્યાં એક અત્યંત રૂપવતી કન્યાની હાડી એકાએક પાણી ઉપર ઝળકી અને આંખે! ઉઘાડીને મીંચીએ એટલી વારમાં તેા કન્યાએ અર્જુનને હેાડી પર લઇ લીધેા અને પછી હેાડીને કાઈ અણદીઠ પ્રદેશ તરફ એ હંકારવા માંડી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy