SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ “આની માએ મારી * ગુના પાસેથી વચન લીધું હતું કે મારે એના સે માફ કરવા ! ” શ્રીકૃષ્ણે રાજાને ફરી સોધ્યા, “ અને તમે જોયુ છે કે સૌથી યે વધુ ગાળેા મેં એની તમારા સૌના સાંભળતાં શાન્તિપૂર્વ ખાધી છે. માટે હવે હું એનેા સંહાર કરું છું, જુએ !” અને તરત જ શિશુપાલનુ માથુ તેના ધડથી જુદું થયું. અને શિશુપાલના એ હણાયેલા શરીરમાંથી, આકાશમાંથી જેમ સૂ ઊછળે તેમ, એક તેજ: બિમ્બ ઊછળીને શ્રીકૃષ્ણને વંદન કરીને, તેમના શરીરમાં સમાઇ ગયું. શિશુપાલના વધના પ્રત્યાધાત રાજય યજ્ઞમાં આવેલા રાજવીએ ઉપર કુવા પડયા તેનુ વર્ણન વ્યાસજીએ બહુ છટાદાર વાણીમાં આપ્યું છે. વણુ-વાદળ વૃષ્ટિ થ, સળગતી વીજળી પડી અને.......વસુંધરા કપી ઊઠી. મહીપાલે, કેટલાક સાવ મૂંગા થઇ ગયા, કેટલાક હાથ ઘસવા લાગ્યા, કેટલાક ગુસ્સામાં આવીને હેાઠ કરડવા લાગ્યા. કાઈ કાઇ ઉશ્કેરાયા, પણ ઘણા ખરા મધ્યસ્થ જ રહ્યા, અને આખરે બ્રાહ્મણા અને રાજવીએ સૌ પ્રસન્નવદને શ્રીકૃષ્ણ પાસે જઇને તેની સ્તુતિ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણનું આ પરાક્રમ જોઇને તે સાચે જ આનંદિત થયા હતા. ૪૭ “ હું આપઘાત કરીશ!” રાજસૂય યજ્ઞની સળ પૂર્ણાહુતિ પછી, યુધિષ્ઠિરને આંગણે, દેશના ખૂણે ખુણામાંથી ઊતરેલ અતિથિએ એક પછી એક પેતાતાને ઠેકાણે વિદાય થયા. એક દુર્યોધન અને ખીજો શકુનિ એમ બે જ જણુ બાકી રહ્યા. હવે દુર્યોધન શકુનિની સાથે ફરી ફરીતે એ સભા જોવા લાગ્યા. હસ્તિનાપુરમાં તેણે આવી સભા કદી દીઠેલી જ નહિ, એટલે સ્વાભાવિક રીતે, એ સભાનુ ચારે બાજુએથી નિરીક્ષણ કરવું એને ખૂબ ગમતું હતું. એ સભાના નિર્માતા મયદાનવ હતા તે આપણે જાણીએ છીએ. આ મય ખાંડવ વનમાં રહેતા હતેા. પણ સમગ્ર વનને બાળી નાખનાર અર્જુને અને શ્રીકૃષ્ણે એને એકને જીવતા રાખ્યા. આ જીવનદાનના બદલામાં મારે આપને કૈંક આપવુ જોઇએ.” એમ મચ દાનવે અર્જુનને વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 1 www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy