SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તેણે પુત્રો પાસે પોતાના મનની વાત મૂકી. સહદેવે અને નકુલે તરત જ માતાની દરખાસ્તને અનુમોદન આપ્યું. “તારું શું માનવું છે, અર્જુન ?” યુધિષ્ઠિરે પૂછ્યું. “માની મરજી હોય તો બે દિવસ જઈ આવીએ, પણ પહેલાં કોઈ દિવસ જેનું નામ પણ સાંભળ્યું નથી, એવું આ શહેર એકાએક લેકજીભે કેમ ચઢી ગયું તે સમજાતું નથી. નથી એ કઈ તીર્થ સ્થળ, નથી કોઈ વ્યાપાર-કેન્દ્ર, નથી કોઈ ઇતિહાસ એની સાથે સંકળાયેલ. ” અજુને જવાબ આપે. ખું જ કહી દે ને, અર્જુન, કે તને આ આખીયે વાતમાં કંઈક ભેદ જેવું લાગે છે ” એક ઘા ને બે કટકા કરવા ટેવાયેલા ભીમસેને હસતાં હસતાં કહ્યું. તમારો અનુભવ શું કહે છે, મેટાભાઇ ?” અર્જુને ભીમસેનને સામેથી પૂછ્યું. “ મને તો આમાં દુર્યોધનની કઈ નવી ઇન્દ્રજાળ દેખાય છે. ” ભીમે પિતાને વહેમ છતે કર્યો. “ શાની ? ” સહદેવ-નકુલે પૂછ્યું. આપણને ખતમ કરવાની ! ” બધાં હસી પડયાં. ભીમસેનને તો બધે ભયસ્થાન જ દેખાય છે. ”નકુલ–સહદેવે મા સામે જોઈને રાવ કરતા હોય એ અવાજે કહ્યું, “ સ્વાભાવિક જ છે,” માએ જવાબ આપ્યો. ભીમને મારી નાખવાના પ્રયત્નો દુર્યોધને ઓછા નથી કર્યા. છેવટે નદીમાં ડુબાડો અને ઝેર પણ દીધું. એ તે ઈશ્વરની કૃપા આપણા સૌ ઉપર, કે એને કંઈ થયું નહિ. બાકી એ બાપદીકરાની યોજના તે એનું નિકંદન કાઢવાની જ હતી. પણ આ વારણાવતમાં શું હોઈ શકે એ સમજાતું નથી ! ” સમજાઈ જશે, ” યુધિષ્ઠિરે મા તેમજ ચારે ભાઇઓની સામે એક સૂચક નજર રાખીને કહ્યું, “ જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy