SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સ્ત્રી સ્વભાવની સ્વર-વિહારિતાને કારણે એ માગે સુભદ્રા તને મળે જ એમ હું ન કહી શકું. બીજે માર્ગ છે હરણને, ક્ષત્રિયો માટે તે પણ પરંપરાથી માન્ય છે, તું સુભદ્રાનું હરણ કરી જા.” પણ હરણ માટેની આ સલાહ આપણને વાંચતાં લાગે છે તેવી વિચિત્ર જરાયે નહોતી, તે જમાનામાં. કારણ કે, મહાભારત કહે છે કે આ હરણની વાત બે મિત્રો વચ્ચે નક્કી થઈ કે તરત જ તેમણે બનેએ “શીઘ્રવેગી દૂતો” દ્વારા એ સમાચાર ઈન્દ્રપ્રસ્થમાં મહારાજ યુધિષ્ઠિરને પહોંચાડયા. ૩૫ “એના રથને મારા ઘોડા જોયા છે !' એક લાક્ષણિક દુર્બળતા આપણું આમ જનતાની મહાભારતમાં ઠેરઠેર વરતાઈ આવે છે. સૈનિકમાં પણ આ જ ખામી છે. નાયક વગર તેઓ નકામા, થઈ જાય છે. સરદાર વગર તેઓ કદી સામનો કરી જ શકતા નથી. એકચક્રામાં આપણે એ જ લાચારીનું દ્રશ્ય જોઈએ છીએ. એક રાક્ષસ એક આખા ગામને વરસો સુધી રંજાડે. ગામ અને રોજના એક જીવતાજાગતા માણસને આહાર બાંધી આપે, પણ એની સામે કાઈ ન થાય. રૈવતક એટલે ગિરનારથી પાછી ફરતી સુભદ્રાનું જ્યારે અને હરણ ર્યું ત્યારે તે એકલી નહતી. વળાવિયા તેની સાથે હતા, સૈનિકેથી રક્ષાયેલી હતી. પણ એ સૈનિકે એ શું કર્યું? મહાભારત કહે છે કેઃ ह्रियमाणां तु तां द्रष्टवा सुभद्रां सैनिको जनः । विक्रोशन प्राद्रवत् सर्व: द्वारकाममितः पुरीम् ॥१ જમાને જ જાણે વ્યકિતગત પરાક્રમ છે. સેનાએ તો ફકત શોભારૂપ જ છે, જાણે; અથવા બોજારૂપ. કુરુક્ષેત્રના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાઓ ભેગી થઈ અને નાશ પામી, પણ એમાંથી એકકેયં સૈનિકનું કઈ યાદગાર પરાક્રમ નોંધાયું નથી. જ્યારે સામી બાજુએ સેનાપતિ એકકેએક કોઈને કઈ રીતે નોંધપાત્ર બન્યો જ છે. અસ્તુ. ૧ તે સુભદ્રાને હરાતી જોઈને સૈનિક વર્ગ ચીસાચીસ કરતો દ્વારકાપુરી તરફ દેડો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy