SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ નાળિયાને થયું કે વાઘ અને વરુ જેવા પણ જેને નથી પહેાંચી શકા તેને હું શી રીતે હરાવવાને છું? એટલે એ તે ચુપચાપ ત્યાંથી ચાલ્યેા ગયા. અને પછી શિયાળે સિંહ-માંસની સમૃદ્ધ ઉજાણી પેટ ભરીને માણી. . ભીરુ હાય તેને ભય દેખાડવે, ઉપરની વાર્તા ઉપર ભાષ્ય કરતાં કણિકે ઉમેર્યું, “શૂરવીર હોય તેની ખુશામત કરવી, લેાભી હેાય તેની સામે ધનનેા ઢગલા કરવા અને પામર હેાય તેને પ્રતાપ દેખાડવા! સૌની પ્રકૃતિ પારખીને સૌને મહાત કરવા અને પેાતાના સ્વાની આડે આવતાં હાય એવા સૌને સત્વર સંહારવા. તેમાં ન જોવું સગપણ કે ન જોવા સ્નેહ ! વિશેષ શું કહું ? આપ સુજ્ઞ છે. મહારાજ ! ” ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીને ચાર્વાક નીતિનેા આ અઢંગ આચાર્ય ચાલતે થયેા. અને પાંડવાની વધતી લાકપ્રિયતાથી સંતપ્ત બનેલ ધૃતરાષ્ટ્ર તેમનું કાસળ શી રીતે કાઢવું તેની વિચારણામાં પડયા. ૧૫. ખધા પિતા અને દાંગેા પુત્ર ઈર્ષા અને વેરની જે આગ આમ ચક્ષુહીન પિતા અને ચક્ષુસંપન્ન છતાં અંધ-પુત્ર બન્નેના હૃધ્યમાં બળી રહી હતી, તેમાં વળી એક ખીજી ઘટનાએ ભયંકર ઉમેશ કર્યો. હસ્તિનાપુરના કેટલાક ભાળા નગરજનેએ યુવરાજ યુધિષ્ઠિરની છડેચેાક પ્રશંસા કરવા માંડી. સભાઓમાં અને સમિતિઓમાં, ચેારામાં અને ચૌટાએમાં આવા ભલા લેાકા જ્યારે જ્યારે ભેગા થતા ત્યારે ત્યારે એક જ વાત ઘૂંટયા કરતા ઃ rr આ ધૃતરાષ્ટ્ર વળી રાજા કયારે થઈ પડયા ? એ માટાભાઇ હાવા છતાં અંધત્વને કારણે રાજ્ય નાનાભાઈ પાંડુને સોંપાયું હતું તે સુપ્રસિદ્ધ છે.” r પણ પાંડુ તા હવે મૃત્યુ પામ્યા ને!” કાઈ ખીજો યાદ દેવડાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy