SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ છે. ક વગેરે પરાક્રમ તા યથાશકિત બતાવે છે, પણ જેમનાં અંતઃકરણ જ સડેલાં છે, તેમના હાથમાંથી તાકાત જ જાણે છીનવાઇ ાય છે. ગન્ધર્વોને હાથે દુર્યોધન, શકુનિ વગેરે પરાજિત થાય છે. ક" ભાગી જાય છે અને દુર્યોધનને બંદીવાન બનાવીને ગન્ધર્યા દેવરાજ ઇન્દ્ર પાસે તેને ખડેા કરવા લઇ જાય છે. એટલામાં દુર્યોધનના લશ્કરમાંથી 'કને સૂઝે છે. પાંડવાને શા માટે દુર્યોધનની આ દુર્દશાની ખબર ન આપવી ? યુધિષ્ઠિર આખરે તેા એક અત્યંત માયાળુ ભાઇ છે. જરૂર તે આવે વખતે ભુતકાળની બધી જ ભૂલેને ભૂલી જઇ દુર્યોધનની વહાર કરશે. અને થયું પણ તેમ જ "" “ એ તા એ જ લાગના છે! પેાતાના પાપે એ મરતા હાય, તેમાં, મોટાભાઇ, આપણે શા માટે વચ્ચે પડવું જોઇએ ! એવું કહીને ભીમસેને જ્યારે વિરોધ કરવા માંડયા ત્યારે “તુ ભૂલે છે, ભીમ ! આપણી વચ્ચે અરસપરસ વિખવાદ છે એ દૃષ્ટિએ આપસ-આપસમાં ભલે આપણે સેા વિરુદ્ધ પાંચાઇએ, પણ દુનિયાની સામે તે! આપણે એક સે ને પાંચ જ છીએ !” એવું કહીને યુધિષ્ઠિરે તેને શાન્ત જ કરી દીધા. અને પાંડવા વહારે ચઢયા. અને ગન્ધર્વોના હાથમાંથી છોડાવીને દુર્યોધનને તેમણે એ જ અવસ્થામાં યુધિષ્ઠિરની સામે ઊભેા રાખ્યા અને યુધિષ્ઠિરે તેને છોડી મૂકયેા અને આ તા પેાતાનું જ નાક કપાઈ ગયું એમ માનીને દુર્યોધને આત્મહત્યા કરવાના સંકલ્પ કર્યો. સાચેસાચ એ સંકલ્પ જો એણે પાર પાડયેા હાત, તા ભારતના ઋતિહાસનું આખું વહન જ બદલી જાત એમ નથી લાગતું ? ૭૪. મનનાં અગેાચર ઊંડાણા ! માનવીના મનનું આલેખન કરવામાં વ્યાસજી અદભુત રીતે કુશળ છે. મનની શકયતાઓને મન પાતેજ નથી જાણતું. કઈ પરિસ્થિતિમાં એ કઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy