________________
૨પર
તેને સમજાવે છે વનવાસ ભોગવતા પતિઓનો ત્યાગ કરીને પોતાની સાથે ચાલી નીકળવાને. ( જયદ્રથને મનુષ્યસ્વભાવનું કેટલું જ્ઞાન હશે એ આ ઉપરથી જ જોઈ શકાય છે;) દ્રૌપદી જ્યારે તેની વાત માનવાનો ઇન્કાર કરે છે ત્યારે જયદ્રથ તેને ઊંચકીને રથમાં નાખે છે અને રથને મારી મુકે છે. તેના સાથીએ, તેનું લાવલશ્કર પણ સાથે જ જાય છે.
શૈમ્ય પુરોહિત બ્રાહ્મણોને સાથે લઈને પગપાળા જયદ્રથની પાછળ દોડે છે. શિકાર અથે વનમાં ગયેલા પાંડને નામ દઈ દઈને મોટેથી પોકારતા તેમજ દ્રૌપદીને શક્ય તેટલું આશ્વાસન આપતા તે જયદ્રથને પીછો કરે છે.
અહીં પાંડવે જ્યારે પાછા આવે છે ત્યારે દ્રૌપદીની ખાસ પરિચારિકા અને ઘટનાના અન્ય સાક્ષીએ તેમને જયદ્રથે કરેલ આ દુષ્કૃત્યના વિગતવાર સમાચાર આપે છે અને તેઓ તે જ પળે જયદ્રથની પાછળ દોડે છે.
થોડીક જ વારમાં તેમને અને જયદ્રથની પાછળ પગપાળા પડેલ ધૌમ્યને ભેટા થઈ ગયે; અને થોડીક વધુ પળો પછી ૌપદી સાથે રથમાં બેઠેલ જયદ્રથને પણ તેમણે દીઠો. જયદ્રથનાં તો આ પાંચ ધારમલને જોતાં વેંત હાંજાજ ગગડી ગયાં. કટિકાસ્ય અને બીજા ખંડિયાઓએ તેના ફરતો જીવતાં શરીરને ગઢ રચી પાંડવોથી તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ લંપટ સાથી પ્રત્યેની તેમની વફાદારી તેમને પોતાને જ ભારે પડી ગઈ. પાંડવોની બાણુવર્ષા સામે તેઓ કઈ ટકી ન શકયા અને સાથીઓને ટપોટપ પડતા દેખીને વધુ ગભરાયેલે કાયર જયદ્રથ દ્રૌપદીને રથમાંથી ઊતારીને નાઠે. દ્રૌપદીને પછી યુધિષ્ઠિર અને નકુલ તથા સહદેવ તથા ધૌમ્ય આદિ બ્રાહ્મણોની દેખરેખ નીચે નિવાસસ્થાને પહોંચાડવામાં આવી અને અર્જુન અને ભીમ નાસતા જયદ્રથની પાછળ પડયા.
જયદ્રથ પકડાતાં ભીમે તેને કોઈ ઢોરને મારે એવી રીતે માર્યો. ભીમ તે તેને મારી નાખવાની જ તરફેણમાં હતો પણ યુધિષ્ઠિર ચેતવણી આપતા ગયા હતા કે ગમે તે તો પણ એ આપણે એટલે કે દુર્યોધનને બનેવી છે, એટલે માતા ગાન્ધારીને વિચાર કરીને એને જતા કરો.
આખરે એક શરતે એને જીવતદાન આપવામાં આવે છેઃ યુધિષ્ઠિર પાસે જઈ, એને દંડવત પ્રણામ કરીને “હું તમારે દાસ છું” એમ કહેવું.
પણ યુધિષ્ઠિરની દયા વડે જીવતદાન પામેલ જયદ્રથ આ દુર્ભાગી ઘટનામાંથી કંક સારો બેધપાઠ તારવવાને બદલે કાઈ વિચિત્ર નિષ્કર્ષ જ તારવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com