SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ ત્રણ જ વરસ બાકી હતાં, જેમાંથી એક છેલ્લું વરસ તેમને અજ્ઞાતવાસમાં પસાર કરવાનું હતું. એટલે હવે તેમને હિમાલય છોડીને નીચાણના પ્રદેશો તરફ જવાનું મન થયું. જે રસ્તે આવ્યા હતા, તે જ રસ્તે, અલબત્ત, તેમને પાછા જવાનું હતું; એટલે આર્દિષેણ મુનિના આશ્રમમાંથી તેઓ વૃષપર્વાને આશ્રમમાં આવ્યા. અહીંથી તેઓ નરનારાયણના આશ્રમે થઈને હિમાલય ઉતરવાના હતા. આ વખતે આ અજગરવાળો બનાવ બન્યો. ભીમસેન શિકાર કરવા નીકળ્યો હતો. અને શિકાર કરવા નીકળે ત્યારે પ્રકૃતિથી જ ઉગ્ર એ એ વધુ ઉગ્ર બની જતો, શિકાર જો તેને યથેચ્છ મળી રહે તો તેને તૃપ્તિને મદ ચરતે; અને જો શિકાર તેના હાથમાં ન આવે તો તે રોષથી મત્ત બનતો. ટૂંકમાં શિકાર દરમ્યાન તે મોટે ભાગે ‘મત્ત’ની અવસ્થામાં જ રહ્યા કરતા. આથી જ જાણે પ્રકૃતિએ એને એક અપૂર્વ, કદી પણ ન ભુલાય એ બેધપાઠ આયે. શિકારની શોધમાં રેષવ્યગ્ર બનેલ એ એક ગુફા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં, એ જ ગુફાના દ્વારને આંતરીને બેઠેલ એકે જડા, કાબરચીતરા પટાવાળા પીળા અજગરે તેના ફરતે ભરડે લીધે. ભીમની નજર દૂરના કઈ શિકાર પર હતી, ત્યાં નજીકમાંથી જ જાણે તેના કાળે તેને ઝડપે. ભીમે બળ તે ઘણું યે કર્યું, એ ભરડામાંથી છૂટવા; પણ અજગર જે તેવો નહોતો. ભીમ જેમ જેમ વધુ જોર કરે, તેમ તેમ એ ભરડાને વધુ ભીંસદાર બનાવે. આખરે ભીમને થયું કે આ કેઈ સામાન્ય પ્રાણુ નથી : કેક ચમત્કારિક સત્ત્વ છે. મુઠ્ઠ ઋષિ જેવા દેખાતા અજગરના ચાર વિકરાળ દાઢવાળા માં ભણી વળીને એણે પૂછ્યું : “કેણુ છો તમે ?” અને ભીમને એક મહાન આશ્ચર્યને અનુભવ થયો. મનુષ્યો બેલે એવી વાણીમાં ( કઈ ભાષા ઉચારતા હશે એ !) અજગરે જવાબ દીધો : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy