________________
૨૬૭
અજુન એ સમારંભમાં એના દરબારની એકકેએક અપ્સરાએ નૃત્ય કરેલું.
રંભા, મેનકા, ધૃતાચી, કામરૂપા, મૌકિતકમાલા, હેમ-સ્મિતા,
તિલોત્તમા...... દ્રૌપદી : આખરે ઈચ્છા શું હતી, ઈન્દ્રની ? અજુનઃ જે હેય તે, દેવી, પણ સમારંભના આખાયે વખત દરમિયાન હું
તમારા સૌના વિચારમાં ને વિચારમાં એ તે દુઃખમગ્ન અને આત્મવિશ્રુત હતો કે કણ કેવી હતી અને કાણે કેવું નૃત્ય
કર્યું, મને કશુંય યાદ નથી. દ્રિૌપદી : એ બધાંનાં નામો સિવાય !
(હસાહસ) યુધિષ્ઠિર અપ્સરાઓનું સૌથી મોટું આકર્ષણ તેમનાં નામમાં જ હોય છે, દેવી !
(હસાહસ) દ્રૌપદી : હં...પછી શું થયું, ધનંજય? એટલી બધી દેવાંગનાઓ તમારી
સામે નાચી, તમારું રુવુંયે ન ફરકયું...પછી ? અર્જુન : પછી ? પછી છેલે સ્વર્ગના શણગાર સમા ઉર્વશી મંચ પર
આવ્યાં ! ભીમ : પેલા નરનારાયણ ઋષિએ સાથળમાંથી પ્રગટ કરીને ઇન્દ્રને ભેટ
લેખે આપી હતી એ ? યુધિષ્ઠિર ભીમ પુરાણોની કથાઓથી આટલો બધે પરિચિત છે....એ
આજે જ જાયું. દ્રૌપદી : સુંદર સ્ત્રીઓની વાતમાં સૌને રસ હય, આર્યપુત્ર ! હં...ઉર્વશી
રંગમંચ પર આવ્યાં...પછી? અર્જુન : એ મંચ પર આવ્યાં તેની સાથે જ મારી આંખો આપમેળે
એમના પર જડાઈ ગઈ, દેવી ! દ્રૌપદી : તમે સૌરાષ્ટ્ર ગયા હતા, અને શ્રીકૃષ્ણ ગિરનાર પર તમારા માનમાં
એક સમારોહ ગોઠવ્યા હતા. તે વખતે કૃષ્ણની બહેન સુભદ્રા પર
તમારી આંખો આપોઆપ મંડાઈ ગઈ હતી, તેમ જ ને ? અજુન: એક વાર પૂરું સાંભળી લે દેવી, પછી નિર્ણય કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com