________________
૨૦૩
પણ પાંડ અને પાંચાલીનું ધ્યાન હિમાલયના શિવસ્વરૂપ ઉપર કેન્દ્રિત હતું. મહાભારતના શબ્દો વાપરીએ તે
“માખીઓ મચ્છરે સિહ વ્યાધ્રો સર્પો, કાનખજૂરા અને વીંછીઓ -એ બધાને ત્રાસ અસંયમીને હોય છે. સંયમીથી તો એ ઉપદ્રવ જાતે જ દૂર રહે છે”
સંયમી પાંડ અને પાંચાલીને ઉદ્દેશીને મુનિ લેમિશ કહે છે :
“આ રસ્તો તમને દિવ્ય મન્દર પર્વત ઉપર લઈ જશે સંયત થઈને યાત્રા શરૂ કરે. આ જુઓ, મંગલ જલવાળી આ મહાનદી, જે બદરિકાશ્રમમાં થઈને આવે છે, જેને દેવર્ષિએ સેવે છે, અને ગગનગામી ગધ અને વાહિખો સ્તવે છે; અને મરીચિ, પુલહ, અંગિરા વગેરે સપ્તર્ષિઓ જેને કિનારે આસન લગાવીને સામવેદનાં ગાને ગાય છે. અનુયાયી દેવોની સાથે ઇન્દ્ર અહીં જ-આના તીર પર બેસીને સંધ્યોપાસના કરે છે. અને તે વખતે અશ્વિનીકુમારે તેમની તહેનાતમાં રહે છે. આ એ જ પુણ્ય-સલિલા જાહ્નવી છે, પાંડવો, જેને ભગવાન શંકરે પોતાના શિર પર ધારણ કરી છે. એને અભિવંદન કરીને આગળ ચાલો.”
વિપણનાં અનેક પરાક્રમોની ગાથાઓ મુનિઓને મેંએથી સાંભળતાં સાંભળતાં પાંડવો અને પાંચાલી મહાકવિ કાલિદાસે જેને દેવતામાં કહ્યો છે એ હિમાલયનાં ચઢાણ ચઢવા માંડયાં.
અનેક દિવસના પ્રવાસને અંતે તેઓ ગંધમાદનની નજીક પહોંચ્યાં, ત્યારે ગંધમાદને એમને કેવો સત્કાર કર્યો ? મહાભારત કહે છે:
ઝંઝાવાત અને વર્ષો અચાનક તુટી પડયાં ઊઠી ડમરી રેણુની પર્ણો કટિ ઉરે લઈ, આભ ને ધરતી બને ત્રસ્યાં જેણે નિમેષમાં; ન દેખે એકબીજાને, સાંભળી છે કે નહિ;
પાષાણ-ચૂર્ણથી પૂર્ણ વંટાળે સૌ વિઝાય છે. હાથ વડે રસ્તે જે પડે, એકમેકના અસ્તિત્વની પણ હાથ વડે ખાતરી કરવી પડે, એવી સ્થિતિ હતી. ભીમસેન જેવાને પણ દ્રૌપદીને બાથમાં લઈને એક તેનિંગ ઝાડની એાથ મેળવી પડી હતી. બીજા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com