Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005304/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી ગ્રન્થમાળા વર્ષ ૭ પુ૦ ૪-૭ • કુલ પુ૬૯-૭૨ શ્રી મદ્ રા જ ચંદ્ર જીવન કળા IIIIIIIIII લેખક બ્ર. ગોવર્ધનભાઈ કા. પટેલ બી. એ. iuliulululuntillllllllllllllllllllllllll IIIIIIIIIIIIIIIIIIIIIII It પ્રસ્થાન કા ર્યાલ યુ : અમદાવાદ liliiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Personal and inte de only Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સ રવ તો પ્ર મા ા નાં પુ રૂ કે વર્ષ ૧ લું વર્ષ ૪ થું વીર વલ્લભભાઈ ૦-૨-૬ પરદેશી કાપડની હરીફાઈ ૦૮-૦ રાજાજીની વાતો ૦-૩-૦ મારી કહાણું અમેરિકાનું સ્વા. યુદ્ધ ૦-૪-૦ ચબૂતરે ૦-૧૦-૦ જાતકકથાસંગ્રહ ૦-૩-૦ કયા ભગતની કડવી વાણી ૦-૮-૦ ક્રાન્તિ ૦-૬-૦ પ્રિન્સ બિસ્માર્ક કળજુગ ૦-૩-૦ ક્રાન્તિકારી લગ્ન ૦–૩-૦ વર્ષ ૫ મું ૧૮૫૭ [ બળવાની તૂટેલા તાર બીજી બાજુ ] તારુણ્યમાં પ્રવેશતી ઇટાલીને મુક્તિયજ્ઞ ૦-૬-૦ કન્યાને પત્ર ૦-૫-૦ ગરીબની હાય જીવનચર્ચા ૦-૧૦-૦ વર્ષ ૨ જુ નૂતન રશિયામાં ડોકિયું ૦-૮-૦ વીરની હાકલ ચીન–જાપાનની યાત્રા દારૂનિષેધ અને સ્વરાજ ગરીબાઈને ગુને ૦-૩-૦ ગાંધીકૂચ [આલ્બમ) બારડોલીની હિજરત ૦-૨-૬ શેવિઝમ અને પૂજારીને પગલે બીજી વાતો બોરસદની વીરાંગનાઓ ૦–૨–૦ લગ્ન કે પ્રપંચ ? ૦-૮-૦ લાલ ટોપી. ૦-૩-૦ દેવદાસ ૦-૮-૦ અયોધ્યા ઓહિયાં સામ્યવાદ અને સર્વોદય લૂંટાતું હિંદ ૦-૩-૦ શહીદને સંદેશ ૦૧૨-૦ વર્ષ ૩ જું કાગાવા ૦-૬- ૦. પચાસ વર્ષ પછી વર્ષ ૭ મે ગુફાનું કમળ ૦-૩-૦ આપણે આહાર કાતિને માગે ૦-૫-૦ સ્ત્રી-પુરુષ-મર્યાદા ૦-૫-૦ રૂપિયાનું ઝાડ ૦-૫-૦ ગિરિરાજ આબુ ગાંધીવિચારદેહન ૦-૮-૦ શ્રીમદ્ રાજચંદ્ર ટેકને ખાતર ૦–૩–૯. જીવનકળા પ્રસ્થાન કાર્યાલય : પારસી અગિયારી સામે અમદાવાદ ૦-૪-૦ E ૦ + છે ૦ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ OZ8AEIRZZZZZZZZZIR2ØZZASHIRkZlZ&a> G ર .. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા લેખક બ્રહ્મચારી ગેવર્ધનભાઈ કા. પટેલ બી. એ. પ્રકાશક પ્રસ્થાન કા ર્યો લય અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સંચાલક અને પ્રકાશક રણછોડજી દેસુરભાઈ મિસ્ત્રી : પ્રસ્થાન કાર્યાલયઃ અમદાવાદ પહેલી આવૃત્તિ પષ : ૧૯૯૪ છૂટક કિંમત ૧-૪-૦. કપિયા અઢી સુદ્રક દેવીદાસ છગનલાલ પરીખ, ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ સલાપાસરેડ: અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ–પત્રિકા “ અહે! અહો ! શ્રી સશુરુ! કરુણસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહે! અહે! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપી, વતું ચરણાધીન. ” मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा : त्रिभुवनमुपकारश्रेणीभिः पूरयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ જેનાં મન, વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃત ભરેલું છે; જે ત્રણે લોકને ઉપકારની પરંપરા વડે પૂરી દે છે; અન્યના પરમાણુ જેવડા ગુણોને પણ જે પર્વત જેવડા ગણી સદા પિતાના હૃદયમાં વિકાસ પામે છે તેવા સંતે જગતમાં કેટલાક હોય છે? . આવા વિરલ સલુણ સંત શ્રીમદ્દ લઘુરાજ મહારાજને ચોગ આ મનુષ્યભવનું સફળ૫ણું થવામાં ઉત્તમ નિમિત્ત રૂપ બન્યા હોવાથી તથા જેમની છત્રછાયામાં આ “શ્રીમદ્ રાયેંદ્ર જીવનકળા” ની સંકલના રૂપ શુભ કાર્ય શરૂ થઈ પૂર્ણ થયું હોવાથી, તેમજ શ્રીમદ્દ રાજચંદ્રના આત્મજ્ઞાનને વાર પામી અનેક આત્માઓને આત્મજ્ઞાનને રંગ લગાડવામાં એંશી વર્ષની પકવ વય થઈ ગયા છતાં પ્રબળ પુરુષાર્થમાં પ્રવર્તતા હાવાથી, તેમના જ યોગબળે તેયાર થયેલ “ફૂલ નહીં તે ફૂલની પાંખડી' રૂ૫ આ પ્રયત્ન-પુષ્પ તેમની સેવામાં આમ–અર્પણ ભાવે સાદર સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું. લિ. તે પ્રત્યુપકાર વાળવા સર્વથા અસમર્થ, સદા આભારી, સપુરુષના ચરણકમળની સેવાનો ઈચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગેઈન Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સરસ્વતી ગ્રન્થમાળાઠારા આ એક જુદા જ પ્રકારનું પુસ્તક આપતાં મને આનંદ થાય છે. આજ સુધીનાં પુસ્તકે મોટે ભાગે રાજકીય વિષયને લગતાં અપાયાં છે; જ્યારે આ પુસ્તક ગૂજરાતના ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં સૂક્ષ્મ પણ ક્રાન્તિકારી ફેરફાર કરનાર એક મહાન નરમણિનું જીવનચરિત્ર છે. ગુજરાતને આધુનિક યુગ શ્રીમદ્ રાજચંદ્રજીને પૂ. ગાંધીજીની તેમના વિષેની સુપ્રસિદ્ધ ભક્તિથી ઓળખે છે અને જ્યારથી પૂ. ગાંધીજીએ એમના વિશે ઉલ્લેખ કર્યો ત્યારથી ગૂજરાત શ્રીમદ્જીના જીવનમાં અને એમના તત્ત્વજ્ઞાનમાં વિશેષ રસ લેતું થયું છે એમ કહી શકાય. આ ગ્રન્થની વિશેષતા એ છે કે એ, ચોવીસે કલાક શ્રીમદ્જીની કૃતિઓમાં તન્મય રહેતા, એમની કૃતિઓ અને ઉપદેશનું—એમના તત્ત્વજ્ઞાનનું-અધ્યયન મનન ચિંતન કરતા એક નમ્ર ભક્તહદયની કૃતિ છે. અને એ એવી કૃતિ હોવાને કારણે જ આ માળામાં આપવા હું પ્રેરાય છું. આ માળા અને આ ગ્રન્થને વેગ કરાવી આપવા બદલ હું મુરબ્બી શ્રી. હીરાલાલ એમ. શાહનો આભારી છું. આ ગ્રન્યના પ્રકાશનમાં શ્રી. હીરાલાલ શાહનાં ધર્મપત્ની સે. મેનાબહેન તરફથી મદદ મળી છે તે બદલ હું એમને ગણી છું. આશા છે કે ગૂજરાત આ ગ્રંથને યોગ્ય લાભ લેશે. પ્રકારાક Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિચય આ પુસ્તકની એક વિશેષતા છે. * શ્રીમદ્ રાજચંદ્ર આત્મપ્રતીતિ કરી પરમાત્મ દર્શન પામ્યા. તેમના જીવનકાલમાં સંસર્ગમાં આવનારામાંથી કેટલાકને તેમની ચમત્કારી લબ્ધિએને પરિચય થયા હતા; કોઈ કાઈ તે તેમણે આત્મપ્રતીતિ કરાવી હતી; કાઇને આત્મરૂપ કર્યાં હતા. શ્રી. લલ્લુજી મહારાજ—લઘુરાજ સ્વામી નામે પ્રસિદ્ધ તેમના આત્મજ્ઞાનના વારસદાર થયા હતા. ---- તેમનાં અનેક વર્ષોં તપશ્ચર્યાં અને ધ્યાનમાં વ્યતીત થયાં. સાંપ્રદાયિકાએ તેમને ત્યાગ કર્યો; અનેક પરીષહેા તેમને સહન કરવા પડયા. સીમમાં જતા આવતા ખેડૂતા તથા પાટીદાર ભાઇ પાસેથી તેમને ભિક્ષા મળતી, તેમણે ‘ ધર્મલાલ' આ ભદ્રિક જનેને આપવા માંડયા, અને તેમાંથી અનેક ‘ બુઝયા '; અનેક લલ્લુજી મહારાજના અન્તવાસી થઈ રહ્યા; આમાંથી અગાસ આશ્રમને! જન્મ થયા. , શ્રી. લઘુરાજ સ્વામી શ્રીમના અનન્ય ભક્ત હતા; તેમની ગુરુભક્તિ ચમત્કારી હતી. આ સંસારમાં એક આત્મા જ સાચા છે એ દેશનાના સતત પ્રવાહ એમના તરફથી વહ્યા કરતા હતા. તેમણે પરમ કરુણાથી કેટલાયે સંશયગ્રસ્ત આધુનિકાને ‘આત્મા છે’ એવી ઝાંખી કરાવી હતી. તેમની ભાવનાને પ્રવાહ અપ્રતિહત હતા. Jain Educationa International * આ મહાત્માના અંતેવાસી બ્રહ્મચારી શ્રી. ગેવર્ધનભાઇએ આ પુસ્તક લખી તેમની સમક્ષ વાંચી સંભળાવ્યું હતું. પૂજ્યપાદ શ્રી. લઘુરાજ સ્વામીએ તેને કસેાટીએ કસી મંજુર કર્યું હતું. આ પુસ્તકની એ વિશેષતા છે. રસિકલાલ છે. પરીખ For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કિરણ અર્પણપત્રિકા નિવેદન પરિચય મંગલ-વચન સ્વ-વૃત્તાંત ૧ ૨ જાતિસ્મરણ જ્ઞાન 3 ८ ૯ ૧૦ કુમાર—કાળ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર ૪ ૫ મેાક્ષમાળા-બાલાવમેધ ૐ ભાવના મેધ ૭ અવધાન વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ અમદાવાદના ઓળખીતાએમાંથી યથાર્થ ઓળખનાર ભગતના ગામના ભક્તશિરેામણિ શ્રી સેાભાગ્યભાઇ ખભાતના મુમુક્ષુજના અનુક્રમણિકા ૧૧ ૧૨ ૧૩ સમીત શુદ્ધ પ્રકાસ્યું રે ' ૧૪ મુંબઈમાં મુનિસમાગમ . ૧૫ સુરત-કઠારના સમાગમ ૧૬ ચાતર પ્રદેશમાં વિચરવું ૧૭ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૮ ચરેાતરમાં પુનરાગમન ૧૯ ઈડરના પહાડ ઉપર २० ભાષાંતરા અને વિવેચના ૨૧ અંતિમ ચર્યાં ૨૨ શ્રીમદ્ની સશિક્ષા ૨૩ શ્રીમનાં સ્મારકા ૨૪ અંતિમ પ્રશસ્તિ Jain Educationa International For Personal and Private Use Only * 2 3 ૧૨ ૧૭ ૨૦ ૩૩ પ ७६ ૮૬ ૯૯ ૧૦૬ ૧૧૧ ૧૧૭ ૧૨૨ ૧૨૮ ૧૩૪ ૧૩૯ ૧૪૫ ૧૬૫ ૧૭૯ ૧૯૧ ૧૯૫ २०७ ૨૩૨ ૨૩૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૩મું સ. ૧૯૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મંગલ-વચન જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. - શ્રીમદ્ રાજચંદ્ર આત્મસ્વરૂપ ભાઈઓ અને ભગિનીઓ, જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી, અનેક જન્મોમાં આરાધે જેને યોગ હતો એટલે જન્મથી જ ગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમય દશા હતી, અલ્પ વયમાં આત્મજ્ઞાનને જેને ઉદય થયું હતું, સ્મરણશક્તિ જેની અદ્દભુત હતી અને સર્વ જીવો પ્રત્યે જેને વિશ્વવ્યાપી પ્રેમ હતો, એવા આશ્ચર્યની મૂર્તિ સમા Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મહાત્માનું અચિંત્ય માહામ્ય ક્યાં અને કયાં આ અલ્પમતિની પ્રતિભારહિત સામાન્ય વાચા ! ક્યાં ઝળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું ! આમ અણછાજતાં છાબડામાં એક બાજુ મેરુપર્વત મૂકી સામેના છાબડામાં સરસવનો દાણો મૂકી તુલના કરવા જેવું સાહસ હું આરંભું છું તે હાસ્યપાત્ર છે, છતાં જગતમાં વ્યવહાર કોઈ ને કોઈ પ્રકારે કરવું પડે છે. જેમ બીજને ચંદ્ર બતાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હતી નથી તે પણ માત્ર અંગુલિ-નિર્દેશથી તે દિશા દર્શાવી જેનારની દૃષ્ટિ ચંદ્ર પ્રત્યે વળે તેમ કરીએ છીએ, તેમ આ અલ્પ પ્રયત્ન શ્રીમદ્દ રાજચંદ્રના પ્રતાપ પ્રત્યે દષ્ટિ દેનારને ઉપયોગી નીવડે અને મારી વૃત્તિ મહાત્મા પુરુષનાં પ્રભાવશાળી વચનામાં તથા તેના યોગસ્કૃતિ ચરિત્રમાં રહે એ શુભ આશયથી અણજુગતું કાર્ય માથે લેવાની ધૃષ્ટતા કરું છું. સર્વતોભદ્ર-સ્વપર હિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે તેમ છતાં, મારી અગ્યતાથી એ મહાપુરુષ રૂપી ચંદ્રની પ્રજામાં કલંકરૂપ હું ન ભાવ્યું તે ઠીક એ ભાવનાથી તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અહંભાવ અર્પણ કરી તેની કૃપારૂપ કિરણમાં અભેદભાવે ફરી ફરી નમસ્કાર કરું છું. " मत्वेति नाथ तव संस्तवनं मयेदम् आरभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिंदुः ॥ आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभव पद्माकरेषु जलजानि विकासभांजि ॥" मानुतुंगाचार्य Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સિંગલ-વચન ભાવાર્થ–હે નાથ, તારું સ્તવન અનેક ભવને પાપને નાશ કરનાર છે એમ માનીને, અલ્પ બુદ્ધિ હોવા છતાં તારા પ્રભાવના આલંબનથી આ તારી સ્તુતિ શરૂ કરું છું તે-કમલિની પત્ર પર પડેલું જળબિંદું પણ મનહર મોતીની શભા ધારણ કરે છે, તેમ સપુરુષોનાં ચિત્તની પ્રસન્નતાનું કારણ તારા પ્રભાવથી બનશે. સમસ્ત દેષને દૂર કરે તેવું તારું સ્તવન તે શું પણ તારી કથા પણ ત્રણે લોકના લોકોનાં કષ્ટને કાપી નાખે છે: સહસ્ત્ર કિરણવાળે સૂર્ય દૂર હોવા છતાં તેની અરુણોદયની પ્રભા જ સરોવરમાંના કમળને વિકાસ કરવા સમર્થ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત નિદ્રામાંથી જાગતાં કોઈ આળસ મરડીને બેઠો થાય અને ઘરમાં ચોરી થયાનાં ચિહ્ન જોતાં સંભ્રમમાં પડી જાય તેમ, ઈ. સ. ૧૮૫૭ના સંક્ષોભ કાળને એક દશ વીત્યા પછી હિંદમાં સંસારસુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મોદ્ધારનાં બીજ વાવવાની શરૂઆત થતી હતી તે જાગ્રતિકાળમાં, પૂર્વમાં બંગાળામાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના પ્રયનોનાં મૂળ જામતાં હતાં. ઉત્તરમાં આર્યસમાજ અને સ્વામી રામતીર્થની તૈયારીઓ થતી હતી. દક્ષિણમાં પેશ્વાઈનાં તાજાં સ્મરણોમાં લોકમાન્ય બાળગંગાધર ટિળક અને ગોપાલકૃષ્ણ ગોખલે ઊછરતા હતા. અને ગુજરાતને જગાડનાર મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં એક વર્ષે વવાણિયા બંદર નામના કાઠિયાવાડના એક શાંત રમણીય ગામના વણિક કુટુંબમાં સંવત ૧૯૨૪ના કાર્તિક શદ ૧૫ ને રવિવારે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પંચાણભાઈ હતું અને તેમનાં માતાનું Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ -વૃત્તાંત નામ દેવબાઈ હતું. કળિકાળસવજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની જન્મતિથિને દિવસે કાર્તિકી પૂર્ણિમાએ આ મહાત્માએ પણ જન્મ લીધે હતો. એ જ વર્ષમાં આત્મજ્ઞાની ચિદાનંદજી મહારાજને દેહ છૂટયાના સમાચાર સાંભળ્યા છે. શ્રીમન્ના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતા. ભક્તિરૂપી જળને પ્રવાહ એ કુટુંબરૂપી સરોવરમાં અખલિત વહ્યા કરતે તેમાં ઊંચા આકાશમાંની મનહર સંધ્યાના રંગ કે ઈન્દ્રધનુષ્યના રંગ સરોવરના નિર્મળ જળમાં પ્રતિબિંબ પામે તેમ શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબો પણ જૈનધર્મને અનુસરતાં હતાં. તે સર્વ સંસ્કારનું મિશ્રણ કોઈ અજબ રીતે ગંગાયમુનાના સંગમની પેઠે આપણું બાળમહાત્માના હદયમાં રેલાતું હતું. પિતાની પ્રૌઢ વાણીમાં બાવીસ વર્ષની વયે આ બાળ વયનું વર્ણન “સમુચ્ચય વયચર્યા' નામના લેખમાં પિતે કર્યું છે તે જ અહીં ઉતારી લઉં છું. “સંવત ૧૯૨૪ના કાર્તિક શુદિ ૧૫, રવિએ મારે જન્મ હેવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મજા, અનંત દુઃખમૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર, અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યો છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહત વિચાર કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છું, તે પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણ, આત્મદશા અને આજને આકાશ-પાતાળનું અંતર છે; તેને છેડે અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી. પણ શેચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે નહીં ? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચય જનસમૂહને બહુ ઉપયોગી પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચાખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પારિમિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ. તેપણ સંભારી જઉં છું - સમુચ્ચય વયચર્યા સાત વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના–કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી. રમત ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની સૂવાની બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિકી જ્ઞાન તે વયમાં હોત, તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ; એવી નિરપરાધ દશા હોવાથી પુનઃ પુન તે સાંભરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત << ‘સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભાગવે છે, તેટલી ખ્યાતિ ભાગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હાવાથી એક જ વાર પાટનું અવલેાકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહેાતા. એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી ખળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થાડા મનુષ્યેામાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા, વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી હતા. પાઠે માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતા. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ-સરળતા વાત્સલ્યતા-મારામાં બહુ હતી; સર્વેથી એકત્વ ચ્છિતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લેકેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતા કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યા હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકના મેષ દેવા શરૂ કર્યાં હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચેાપડીને! પાછે મે એધ કર્યો હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથા મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના મેધગ્રંથાનાના-આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયઃ હજી સ્મૃતિમાં રહ્યા છે. :: “ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા; સ્વાભાવિક સૃષ્ટિરચના પર્ મને બહુ પ્રીતિ હતી. (( મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારા સંબંધી ચમકારા સાંભળ્યા હતા; જેથી મને ભક્તિની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તે અવતારમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતો વખત કથાઓ સાંભળ; વારંવાર અવતારે સંબંધી ચમકારમાં હું મેહ પામત; અને તેને પરમાત્મા માનતે, જેથી તેને રહેવાનું સ્થળ જેવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેવી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમજ કોઈ વૈભવી ભૂમિકા છે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. “પ્રવીણસાગર' નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા; તે વધારે સમજે નહે; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હેઈએ, અને નિરૂપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ, તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણ હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે તે મને દઢ થઈ ગયા હતા; જેથી જન લેકે ભણે મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકેની ક્રિયા મારા જોવામાં આવી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતો, એટલે કે તે મને પ્રિય નહતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુલશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોને જ પાનારે હતે. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામને નામાંકિત વિદ્યાર્થી કે મને ગણતા. તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવાને હું પ્રયત્ન કરો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકે Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સવ-વૃત્તાંત વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત ને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા–ન-બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્યા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતે અને મારા અક્ષરની છટાથી કચ્છ-દરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે હું જતો હતો. દુકાને મેં નાના પ્રકારની લીલા-લહેર કરી છે; અનેક પુસ્તક વાંચ્યાં છે; રામ ઈત્યાદિનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કાઈને મેં એછું અધિક્ તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હાય તેનું સ્મરણ વૃધ્ધાવસ્થામાં કેટલાકને થાય અને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છેાડતાં ખાદ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવા દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. આથી ઊલટી રીતે પ્રવર્તનારને-અવકાશ રાખ્યા હોય તેને-પૂર્વભવ અનુભવમાં આવે છે. ૨ જાતિસ્મરણ જ્ઞાન "" જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનના ભેદ છે. પૂર્વ પર્યાય (દેહ ) છેડતાં વેદનાના કારણને લઈને, નવા દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈ ને, બાલપણમાં મૂઢપણાને લને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઇને પૂર્વે પર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતા નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહેાતા એમ નથી, તેમ ઉપરનાં કારણેાને લઈ તે પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહાતા એમ કહેવાય નહીં. જેવી Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને સાનુકૂળતા યોગ્યતા હોય તો “જાતિસ્મરણ જ્ઞાન' થાય. પૂર્વ સંજ્ઞા કાયમ હાવી જોઈએ. આ સંજ્ઞાને ભવ આવવાથી “જાતિસ્મરણ જ્ઞાન” ન થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર ઉપરના “સમુચ્ચય વયચર્યાના લેખમાં પુનર્જન્મ કે જાતિસ્મરણ જ્ઞાનને પિતે ઉલ્લેખ કર્યો નથી અને પછીનાં લખાણોમાં પણ તે વિષે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી. તો પણ મિત્રો સાથેના વાર્તાલાપમાં કે સીધો પ્રશ્ન પૂછનારને જાતિસ્મરણ જ્ઞાન પિતાને હતું તે ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયેલું અને વર્ધમાનતાને પામ્યું તે વિષે એક ભાઈ સાથે થયેલી વાતચીત સપ્રમાણ લાગવાથી નીચે જણાવી છે ભાઈ પદમશી ઠાકરશી કચ્છી વાણિયા સંવત ૧૯૪રથી શ્રીમના સમાગમમાં આવેલા. તેમણે એક વખતે ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમને પ્રશ્ન પૂછેલો કે આપને જાતિસ્મરણ જ્ઞાન છે અને ૯૦૦ ભવ દેખી શકે છે એમ મેં સાંભળ્યું છે, તે વ્યાજબી છે ? તેઓશ્રીએ ઉત્તરમાં જણાવ્યું: “હા, એવું કાંઈક છે; તેને આધારે આમ કહેવાણું છે.” પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યોઃ “આપને જાતિસ્મરણ કેટલી ઉમ્મરે અને કેવી રીતે થયું?” શ્રીમદે ઉત્તર આપ્યોઃ “અમે સાત વર્ષની વયના હતા, ત્યારે શ્રી વવાણિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા; તેઓ ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળા, ગુણી હતા. અમારા ઉપર તેઓ વહાલ રાખતા. તેઓને સર્પ તેથી તત્કાળ ગુજરી ગયા; એમ વાત સાંભળી અમે પિતામહ પાસે ઘેર આવ્યા. ગુજરી જવું એટલે શું તે અમે Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જાણુતા ન હેાતા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું–એ વાતની અમને ખબર પડશે તે। ભય પામશું એ કારણથી પિતામહે કીધું કે રાંઢો કરી લે ( જમી લે )વગેરેથી એ વાત ભુલાવવા ઘણી ઘણી યુક્તિ કરી પણ અમે ગુજરી જવા વિષે આ પહેલી જ વખત સાંભળેલ હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલ, તેથી ફરી ફરી તે જ સવાલ પિતામહે કીધું હા, તે વાત ખરી છે. કરતા રહ્યા. પછી “ અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું? * ૧૪ . પિતામહે કીધું: ‘ તેમાંથી જીવ નીકળી ગયા, અને હવે તે હાલી ચાલી ખેાલી શકે નહિ; કે ખાવું પીવું કશું કરી શકે નિહ. માટે તેને તળાવ પાસેના મસાણુમાં બાળી આવશે.' “ અમે થાડી વાર ઘરમાં આમ તેમ છૂપી રીતે ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા આવળ ઉપર ચઢી જોયું તે ખરેખર ! ચિતા ખળતી હતી. કેટલાક માણસે આસપાસ ખેડેલા જોયા. તે વખતે અમને વિચાર થયા કે આવા માણસને ખાળી દેવે એ કેટલી ક્રૂરતા? આમ શા માટે થયું ? વગેરે વિચાર કરતાં પડદો ખસી ગયા. '' આટલું કહી તે તરત ઊભા થયા. પદમશીભાઈ એ કહ્યું: ‘ સાહેબ, એ વિષે હજી હું વધારે જાણવા માગું છું.” શ્રીમદ્ ટૂંકામાં પતાવતાં કહ્યું: “ પછી શ્રી જૂનાગઢના ગઢ જોયે ત્યારે ઘણા વધારા થયા. હવે ચાલેા.’ વિચારવાન જીવને ક્રોધાદિ કોઈ પ્રકૃતિની પરવશતાને લઈને ઘણું સહન કરવું પડયું હાય, કે કાઈ ઇષ્ટ વિયેાગના કે પ્રિયજનના મરણુ પ્રસંગેા અનેક વાર વેઠવા પડયા હાય, કે મહા વ્યાધિના પ્રસંગો આવી પડયા હાય તેની સ્મૃતિ લાવી સંસારને વિચાર Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન ૧૫ કરે તે આ અનિત્ય પદાર્થો ઉપરની આસક્તિ ઓછી થઈ જાય છે; મમત્વ માહુ મેાળાં પડે છે અને અજર, અમર અને નિત્ય એવા આત્મ પદાર્થના નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. તે પછી જેને અનેક ભવમાં આધ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણુનાં દુઃખ વેઠેલાં સ્મૃતિમાં તાજાં થયાં હાય; નરક આદિ ગતિનાં અકથ્ય દુઃખાની સ્મૃતિ જાગી હૈાય; તથા પરિભ્રમણનાં કારણેા પૂર્વ ભવે સત્પુરુષ પાસે પ્રત્યક્ષ સાંભળ્યા હોય તે સર્વ ઉપદેશ જેને સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતા હોય તેને જન્મ, જરા, મરણના ત્રાસ કેટલા વર્ષે તથા પૂર્વ ભવે જાણેલા અને આરાધેલે મુક્તિના માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે આપણી કલ્પનામાં આવવું પણ મુશ્કેલ છે. બાળપણાના એક કાવ્યમાં શ્રીમદ્દે લખ્યું છે: “ અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક, તપ્યા લાહને ટીપતાં, સુધરી જશે અધિક.” ક્રોધાદિ સ્વભાવવાળા અનેક જીવા પશ્ચાત્તાપ થતાં કે યેાગ્ય સમજણુ લાગી જતાં નાનપણમાં સારા કહેવાતા સાથીઓ કરતાં વિશેષ સારા નીવડયા છે. જાતિસ્મરણ જ્ઞાન શ્રીમદ્ભુ સાત વર્ષે પ્રાપ્ત થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. અપૂર્વ અનુસાર' આવ્યે એમ સં. ૧૯૫૩માં લખેલાં નીચેના કાવ્યમાં પે।તે જણાવે છે: “ ધન્ય રે દિવસ આ અહા, જાગી રે શાન્તિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટયે ઉદય કર્મને ગર્વ રે. ધન્ય૦ ૧ એગણીસસે ને એકત્રીસે આપ્યા અપૂર્વ અનુસાર રે, ઓગણીસસે ને ખેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે. ધન્ય૦ ૨ વળી એ જ અભિપ્રાયનું એક કાવ્ય સં. ૧૯૪૫ માં લખેલું તેમાં પે।તે જણાવે છે: Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “સુખડી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લધુ વયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બોધ, એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવ શંકા શી ત્યાંય. જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉઘાત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ત. કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.” ભાવના બોધ” સંવત ૧૯૪રમાં લખેલા તેની શરૂઆતમાં શ્રીમદ્દ લખે છેઃ “ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવલ આત્માઓને સ્વતઃ વેગ વિરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવલ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે; તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.” લઘુવયથી આ વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયે તેનું મુખ્ય કારણ જાતિસ્મરણ જ્ઞાન ગણવા ગ્ય છે. આ ભવની અપેક્ષાએ તે તે પાંચપંદર વર્ષના બાળક ગણાય પણ પાછળના ભવની સ્મૃતિના પ્રતાપે અનેક વર્ષોના અનુભવથી રંગાયેલી એ પુરુષની વાણું બહુ વિચારવા ગ્ય, લક્ષમાં લેવા યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કુમાર-કાળ અદ્દભુત શક્તિઓને આવિર્ભાવ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થવા યોગ્ય આત્માની નિર્મળતા અથવા સ્મરણશક્તિની પ્રબળતા પૂર્વે આરાધેલા યોગનું ફળ અને અનુસંધાન સાબિત કરે છે. બાળવયથી વિનય, વાક્યાતુર્ય, તર્કશક્તિ અને વૈરાગ્યને લઈને ગામમાં તેમ જ આખી શાળાના વિદ્યાર્થીઓમાં તે પ્રિય થઈ પડયા હતા. એક જ વખત વાંચવાથી કે સાંભળવાથી તેમને અક્ષરેઅક્ષર યાદ રહેતું એવી તીવ્ર સ્મરણશક્તિ હતી, તેના પરિણામે તેમને ગોખવું શું તેની ખબર જ નહતી; સાડાસાત વર્ષની વયે શાળામાં પ્રવેશ કર્યો, એક માસ પણ થયે નહિ હોય તેટલામાં હસતાં રમતાં આંક પૂરા કર્યા. બે વર્ષ જેટલી મુદતમાં સાતે ચોપડીઓને અભ્યાસ પૂરો કર્યો. વડા વિદ્યાર્થીએ એમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી, તેને પોતે સાતે ચોપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી હતી. આટલી ટૂંકી મુદતમાં અભ્યાસ પૂરે થયે તે અજબ સ્મરણશક્તિને પ્રભાવ છે. વિદ્યાથીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શિક્ષક તરફ સામાન્ય રીતે પ્રેમ ઓછો હોય છે; ભય, અણગમે અને અકળામણ ઉત્પન્ન કરાવનાર શિક્ષક ગણાય છે. પરંતુ શ્રીમદ્ બધા સાઠે ય વિદ્યાર્થીઓનું લેસન લેતા અને શિક્ષક તે બેસી જ રહેતા; તેમ છતાં બધા વિદ્યાર્થીઓને તેમના ઉપર અત્યંત પ્રેમ રહે. એક વખત શિક્ષકે શ્રીમને ઠપકો આવે એટલે બીજે દિવસે પોતે શાળામાં ન ગયા. બીજા છોકરાઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી એટલે તમામ છોકરાઓ તેમની પાસે ગયા. તે બધા છોકરાઓને લઈને ખેતરમાં દૂર ગયા; પિતાની પાસે બાર હતાં તે બધા વિદ્યાર્થીઓને વહેંચ્યાં. આમ બધા ખેતરમાં હતા તેથી શાળામાં શિક્ષક ગયા ત્યારે કોઈ વિદ્યાર્થી જણાય નહિ. તેનું કારણ વિચારતાં શિક્ષકને લાગ્યું કે રાયચંદભાઈને ગઈ કાલે ઠપકે દીધું હતું તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં ખેતરમાં બધા છે એમ જાણી શિક્ષક ખેતરમાં ગયા અને રાયચંદભાઈને નમી પડયા અને ફરી હવે કઈ દિવસ કાંઈ કહીશ નહિ એમ કહીને બધાને સમજાવી શાળામાં તેડી ગયા. આઠ વર્ષની ઉમ્મરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી. પહેલે વર્ષે ૫૦૦૦ કડીઓ તેમણે રચેલી કહેવાય છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં રામાયણ અને મહાભારત નાનાં નાનાં લખ્યાં હતાં, અને દશ વર્ષની વયે તે એમના વિચારે પુખ્ત ઉમ્મરના અનુભવીને છાજે તેવા હતા. નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ કરવાની એમની ઉત્કટ ઇચ્છા એ દશ વર્ષની વયમાં હદ પાર હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તાપણું અને સશુણને લઈને નાની વયમાં અજબ શક્તિશાળી ગણાતા હતા. અગિયાર વર્ષની વયથી એમણે ચોપાનિયામાં લેખ લખવા માંડ્યા હતા. અને ઈનામી નિબંધમાં યોગ્ય ઈનામ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કુમાર-કાળ સંપાદન કર્યા હતાં. સ્ત્રીકેળવણીની ઉપગિતા વિષે એક નિબંધ પણ લખ્યું હતું. બાર વર્ષની વયે ત્રણ દિવસમાં ઘડિયાળ ઉપર ત્રણસે કડીઓ લખી હતી. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા રાજટ ગયા. અંગ્રેજી અભ્યાસ કેટલે અને કેટલા વખતમાં થયે હત તેની કોઈ સહાધ્યાયી કે શિક્ષક તરફથી માહિતી મળી શકી નથી. એક વખતે કચ્છના દીવાન મણિભાઈ જશભાઈએ શ્રીમદ્દને કચ્છ તરફ પધારવા વિનંતી કરી હતી તે ઉપરથી તે કચ્છ તરફ પધાર્યા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. કચ્છના લોકે પ્રશંસા કરતા કે આ છોકરો મહાપ્રતાપી યશવાળે થશે. તેર વર્ષની વયથી એમણે નિયમથી ખાનગીમાં નવા નવા વિષયોને અભ્યાસ કરવા માંડ્યા હતા અને પંદર વર્ષની વય સુધીમાં ઘણું વિષય સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર કચ્છ-કોટડાના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ એ બે જણાએ સાંભળ્યું કે વવાણિયાના નિવાસી કવિરાજ રાજચંદ્રભાઈ મહાબુદ્ધિશાળી છે; નાની વયમાં અવધાનો કરે છે. તેથી તેમને મળવું એમ વિચાર કરી બન્ને જણ સાંઢણી ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તે તે મેરબી ગયા છે. એટલે તેઓ પણ મોરબી તરફ રવાના થયા. શ્રીમદ મોરબી આવ્યા અને પિતાના મોસાળમાં રાજકોટ જવાનો તેમને વિચાર હતું તેથી મોરબીના ભાઈઓએ સારા સાથની તપાસ કરી તો ખબર મળ્યા કે મોરબીના ન્યાયાધીશ ધારસીભાઈ રાજકોટ જવાના છે. તેથી તેમને પૂછવામાં આવ્યું કે તમે આ રાયચંદભાઈને રાજકેટ સાથે તેડી જશે ? રાજકેટ તેમને સાથે તેમને જવું છે. ધારસીભાઈએ હા પાડી અને પિતાની સાથે તેમને રાજકોટ તેડી ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર ભાઈ હેમરાજ મારી આવ્યા ત્યારે તપાસ કરતાં ખબર મળી કે તે તેા રાજકાટ ગયા છે; તેથી પોતે પણ રાજકાટ જવું એવા વિચાર કરી તે પણ રાજકોટ તરફ રવાના થયા. ધારસીભાઈ ને શ્રીમદ્ સાથે માર્ગમાં વાતચીતના પ્રસંગ પ્રાપ્ત થતાં તેમને આશ્ચર્ય ઉત્પન્ન થયું કે આટલી લગભગ દશ વર્ષની યમાં આ કરે કેવા ચાલાક છે? મેટી ઉમ્મરના માણસે પણ જે વાતે ન કરી શકે તેવી બુદ્ધિની વાતા સાંભળી ધારસીભાઈ ને એમ થયું કે શી આ છેાકરાની બુદ્ધિ છે ! તેમના ગુથી આકર્ષોઈ ને ધારસીભાઈ ખેલ્યાઃ “ રાયચંદભાઈ, રાજકાટમાં અમારી સાથે જ તમે રહેજો.” ત્યારે શ્રીમદે કહ્યું: “ના, મારા મેાસાળે રહીશ.” ધારસીભાઈ એ ઘણા આગ્રહ કર્યો ત્યારે શ્રીમદે કહ્યું: ત્યાં આવતા જઈશ, પણ રહેવાનું તે માસાળમાં જ થશે.” ૨૧ શ્રીમદ્ રાજકાટ પહાંચ્યા એટલે મેાસાળમાં ગયા; ત્યારે તેમના મામાએ પૂછ્યું: “ તમે કેાની સાથે આવ્યા ? 39 “ તમારે શ્રીમદે કહ્યું: “ ધારસીભાઈ સાથે આવ્યો છું, ” અન્ને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે; તા તેમને ઠેકાણે કરી દેવા એવી પ્રપંચની વાતે માંહેામાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદ્રે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈ એ ધારસીભાઈ ને મારી નાખવાના વિચાર કરે છે; તે મારે તેમને ત્યાં જઈ આ મેટા ઉપકાર કરવાને પ્રસંગ ચૂકવે નહિ, તેમને ચેતાવી દેવા જોઈ એ. એવા વિચાર કરીને જમ્યા પછી તે ધારસીભાઈ તે ત્યાં ગયા. Jain Educationa International શ્રીમદે ધારસીભાઈ ને પૂછ્યું: “ ધારસીભાઈ, તમારે મારા મામાએ સાથે કંઈ સંબંધ છે?” ધારસીભાઈ એ પૂછ્યું: “ કેમ ? ” For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ 99 શ્રીમદ્દે કહ્યું: “હું પૂછું છું. ત્યારે ધારસીભાઇ એ કહ્યું: સંબંધી ખટપટ ચાલે છે.'' ધારસીભાઈ એ પૂછ્યું: તેઓ આમ કરવા ધારે છે? . (6 શ્રીમદ્ રાજËદ્ર જીવનકળા શ્રીમદ્દે કહ્યું: “ તેમ છે, તેા તમારે સાવચેતીમાં રહેવું; કેમકે તમારે માટે તે ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રમાદી ન થવું. ’ rr પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે સગપણ સંબંધ નથી, પણ રાજ શ્રીમદે ઉત્તર દીધાઃ “ હું જમતા હતા ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાતા કરતા હતા અને હું કોની સાથે આવ્યા તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું, તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી. ’” ધારસીભાઈ એ પૂછ્યું: કેમ કરે ? ” Jain Educationa International 66 ‘ પણ તમારા દેખતાં તેવી વાતે તે kr શ્રીમદે કહ્યું: આ નાના બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતેા કરતા હતા. એટલે તમને કહેવા—ચેતાવવા માટે આવ્યો છું. "" ધારસીભાઈના મનમાં થયું કે અહા ! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મેટા માણસને પણ ન સૂઝે તેવા મહાઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યેા. ધન્ય છે આ ખળ મહાત્માને! ધન્ય મારાં ભાગ્ય કે એમના મને સંગ થયા ! એમ તે વિચારી ધણા આનંદ પામ્યા. ૬ એ શ્રીમમાં અદ્ભુત શક્તિઓ હતી; જ્ઞાન નિર્મળ હતું તેથી તેમને જ્ઞાનમાં જણાયું કે એ કચ્છીભાઈ એ સાંઢણી ઉપર સવાર થઈ લાંબી મુસાફરી કરતા આવે છે; એટલે તેમણે ધારસીભાઈ ને પૂછ્યું: જણુ કચ્છથી આવનાર છે, તેમના ઉતારા તમારે ત્યાં રાખશે’” For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર ધારસીભાઈએ કહ્યુંઃ “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારે રાખજે, હું તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશ.” પછી નિશ્ચિત થઈ શ્રીમદ્દ તે કચ્છીભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. દૂરથી હેમરાજભાઈએ અટકળ કરી કે સામે આવે છે તે રાયચંદ નામને કરે તો નહિ હોય? નજીક આવ્યા એટલે શ્રીમદે તેમને નામ દઈને બોલાવ્યા “કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ?” તે બન્નેને વિચાર થયો કે આપણાં નામ એ કયાંથી જાણે છે ? કોઈને આપણે ખબર તે આપી નથી ? બન્નેએ આશ્ચર્ય પામીને કહ્યું: “તમે જ રાયચંદભાઈ છે કે?” તેમણે આશ્ચર્યથી પૂછ્યું: “તમે કેમ જાણ્યું કે અમે અત્યારે જ આ જ માર્ગે આવીએ છીએ?” તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું: “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.” પછી ધારસીભાઈને ઉતારે ગયા. ત્યાં ધારસીભાઈએ નહાવા, દેવા વગેરેની બધી તજવીજ કરી. કચ્છીભાઈએ મનમાં સમજી ગયા હતા કે આમને આપણે કાશીએ ભણવા લઈ જવા આવ્યા છીએ પણ આટલી શક્તિવાળાને શું ભણવાનું બાકી હશે? જમી રહ્યા પછી ધારસીભાઈને કચ્છીભાઈઓએ વિનંતી કરી કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે તે એકાંત સ્થળ અમને મળશે ? ત્યારે તેમણે તેવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંત સ્થાનમાં શ્રીમની સાથે તેઓ બેઠા. પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જોવા તેમણે વિનંતી કરી, તે શ્રીમદે સ્વીકારી એટલે તેમણે “સંઘપટ્ટક નામના ગ્રંથમાંથી ગાથા તે લેતા આવ્યા હતા, તેના અક્ષરે આડા અવળી શ્રીમને Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સંભળાવ્યા, તે યાદ રાખી તેમણે આ લોક બેલી બતાવ્યું, તેથી બન્ને ચકિત થઈ ગયા. એ બન્ને કચ્છીભાઈઓના મનમાં એમ થયું કે આમને આપણે કાશીએ શું લઈ જવા? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરે; પછી જેમ થવાનું હશે, તેમ થશે. આપણે તો સ્પષ્ટ હેતુ કહી બતાવો. પછી તેમણે કહ્યું: “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે આવ્યા છીએ. માટે આપ કાશી ચાલો. આપના કુટુંબને માટે તેમજ આપને માટે સર્વ ખાવાપીવા વગેરે સર્વ સગવડ પગાર વગેરે અમે કરીશું. પણ આપ અમારી સાથે ચાલે તે માટે ઉપકાર થાય.” આમ અનેક લાલચે વગેરે આપવા માટે કહ્યું. છતાં તેમણે ના પાડી અને જણાવ્યું કે અમારાથી આવવાનું નહિ બને. એટલે તેઓ મનમાં સમજી ગયા કે પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણી ધારણા પાર પડે તેમ નથી અને તેમજ બન્યું. એ તે ભણેલા જ છે; કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે તેમ નથી. પછી ધારસીભાઈ પાસે તેઓ ગયા ત્યારે ધારસીભાઈએ તે બન્નેને એકાંતમાં જણાવ્યું કે રાયચંદભાઈ સાથે થયેલી વાત મને કહેવા લાયક હોય તે કહે. ત્યારે હેમરાજભાઈ બેલ્યાઃ “છુપાવવા જેવી કોઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.” ધારસીભાઈએ પૂછ્યું: “કેમ પાર ન પડી ? ” તેના ઉત્તરમાં તેમણે ઉપર બનેલે પ્રસંગ કહી બતાવ્યો. તથા વિશેષમાં જણાવ્યું: અમે જણાવ્યું ન હતું તો પણ પિતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી, આ કઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે.” તે સાંભળી ધારસીભાઈને પણ પ્રથમ તે આનંદ સહિત આશ્ચર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર લાગ્યું કે અહો ! રાયચંદભાઈ ભૂલ કરે છે કે આટલી બધી સગવડ કરી આપે છે છતાં હા કેમ કહેતા નથી ? તેમણે જવું જોઈએ. પણ પછીથી એમને પણ સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબશક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે સર્વ સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી; એમ એમના જ્ઞાનાદિ ગુણની મહત્તા તેમને ભાસી; તેથી પ્રથમ પિતાની જોડે તેમને ગાદી ઉપર બેસારતા તેને બદલે જ્યારથી આ મહાપુરુષ છે એમ લાગ્યું એટલે પિતાના આસને-ગાદીતકીએ શ્રીમને બેસારતા અને પિતે તેમની સામે વિનયભાવથી બેસતા; પૂજ્યભાવ ધારણ કરી વિનય સાચવતા. અને જેમ જેમ શ્રીમ સમાગમ પાછળની જિંદગીમાં વધતે ગયે તેમ તેમ વિશેષ માહામ્ય તેમને લાગ્યું હતું તથા તેમને સશુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું હતું. શ્રીમન્ને પાછું વવાણિયા જવા વિચાર થયો ત્યારે તેમને માટે સાળમાંથી મિઠાઈનો એક ડબો ભાથા માટે ભરી આયે હતો. તે લઈને તથા બધાંની રજા લઈને ચાલ્યા. ભાઈ ધારસીભાઈને પણ મળીને તેમની રજા લઈને ચાલ્યા. પિતાની પાસે ભાડાના પૈસા નહતા. તેથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા; પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કાંઈ પણ માગણું ન કરી કે ઉછીના પૈસા પણ ન લીધા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત છે તે પ્રમાણે તેમનામાં આટલી નિસ્પૃહતા આટલી નાની ઉમ્મરે પણ ઊગી નીકળી હતી. સમજુ ગૃહસ્થની પેઠે તેમને સિદ્ધાંત હતા કે “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ પરમારથ કે કારણે માંગું, ન સમજી લાજ.” Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળા કચ્છીભાઈ એની સગવડ યથાયેાગ્ય થાય તે માટે ધારસીભાઈ તે વિનંતી કરી તેમની આગતા-સ્વાગતા સાચવી, પણ પેાતાને થાડા ભાડાના પૈસા જોઈતા હતા તાપણુ તે ખાતર હાથ લાંખેા કરી દીનતા કરી નહિ. ૨૬ સં. ૧૯૪૦માં બહાર પડેલ ‘ સ્ત્રીનીતિ ખેાધક વિભાગ ૧લા ’ શ્રીમદૂના સેાળ વર્ષ પહેલાં લખેલાં લખાણેામાંનું પ્રથમ પુસ્તક છે. તેના મુખપૃષ્ટ ઉપર ભુજંગી છંદની એક કડી છે: "" "" થવા દેશ આબાદ સૌ હાંશ ધારા, ભણાવી ગણાવી વનિતા સુધારા; થતી આર્યભૂમિ વિષે જે હાનિ, કરે દૂર તેને તમે હિત માતી. સ્ત્રીકેળવણીની આમ સૂચના કરી, સંસાર-સુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષે નીચેના મનહર છંદ પ્રથમ પાને પાછળ છાપેલા છેઃ "" કુધારે કરેલા બહુ, હુમલા હિંમત ધરી, વધારે વધારે જોર, દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે, કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાને ધરે; તને કાઢવાને તમે, નાર-કેળવણી આપે, કુચાલા નઠારા કાઢા, બીજા જે બહુ નડે; રાયચંદ પ્રેમે કહે, સ્વદેશી સુજાણ જના, દેશહિત કામ હવે, કેમ નહીં આદરે ? 39 Jain Educationa International પચાસ પાનાંના પુસ્તકને ાભે તેવી નાની બેત્રણ પાનાંની પ્રસ્તાષના અહુ સુંદર રીતે લખી છે. સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાના શેખ વધે, તેને માટે સ્ત્રીએને યેાગ્ય સારાં પુસ્તકા For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર લખવા વિદ્વાનને વિનંતી કરી, જૂના વિચારના લોકોના સ્ત્રીકેળવણી સામે મૂકાતા આક્ષેપે દૂર કર્યાં છે. તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા ચેાગ્ય પાંચસાત પુસ્તકાનાં નામ આપ્યાં છે. સ્ત્રીએ નહિ સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતી કરી છે. ત્રણ ભાગમાં સ્ત્રીનીતિ ખેાધક’ લખવા વિચાર રાખી આ પ્રથમ ભાગ બહાર પાડયા છે. થોડી કિંમત રખાય અને ઘણા લાભ લઈ શકે એ હેતુથી ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે. " હાલ શાળાઓમાં બાળ-ગરબાવળી ચાલે છે તે પ્રકારનું આ પુસ્તક છે. પરંતુ એત્રણ ચાપડી ભણી ઊઠી ગયેલી મેાટી ઉમ્મરની બહેનેાને પણ વાંચવું ગમે તેવી સરળ ભાષા અને ઉપયાગી વિષયા વિષે તેમાં પદ્યા છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં—ગીત, ધેાળ, ગરમની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી પુસ્તક છાપ્યું છે. પહેલા ભાગમાં શ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામે! ન ગુમાવવા, ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરખીએ છે. ૨૭ ખીજા ભાગમાં વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે, સારી શીખ સુણવા વિષે ગરમીએ છે. ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગુણુ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય વિષે, પરંપુરુષ વિષે અને વ્યભિચાર વિષે ગરબીઓ છે. અને ચેથા ભાગમાં સદ્ગુણી સજ્જની તથા સશ્નેાધ શતક છે. કવિ નર્મદાશંકરના સુધારાના જીસ્સા અને કવિ દલપતરામની સરળ નીતિનાં લખાણાનું મિશ્રણ આ નાના પુસ્તકમાં સુંદર રીતે દેખાય છે. પહેલી જ ગરખીમાં પ્રાર્થના કરેલી છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનક દેશહિત દયાળ કરાવ, નમું તને હેતે રે, જેથી ઉપજે આનંદ ભાવ, નમું તેને હેતે રે.” ગરબી રરમીમાં લખે છેઃ “ડાટ કૃષ્ણ-ગીતથી જેમ છે વળ્યો રે લોલ; એથી વળે વ્યભિચાર કલેશ તે ભળે રે લોલ.” ગરબી ૧૬મીમાં ‘સુધરવા” વિષે લખે છેઃ “સંપીને સાથે નારીઓ ભરે વનિતા કે જ સમાજ-સુધરજે સ્નેહથી વાત કરે સુધર્યા તણું, વળી કરજે સુધારા કાજદુષ્ટ ધારા નયા દેશને, જેથી પડતી થઈ છે બેન , જેથી કુસંપ વધી ગયે, હરી લીધું સુખ ને ચેન ,, પંદર વર્ષ જેટલી વયમાં પણ ભાષા ઉપર સારે કાબુ હેવાથી અને સ્વાભાવિક કવિત્વ હોવાથી પ્રાસ કે યમક માટે તાણું ખેંચીને પ્રયત્ન કરેલો પણ જણાતો નથી. પાણીના પ્રવાહની પેઠે ભાષા ભાવને અનુસરી વહે છે. દાખલા તરીકે કેવળ પૈિસામાં નહીં ચિત્ત જ જોડવું, તેમ ન કર ઝાઝો કે દી લેભ જે; સંસારી મુસાફરીમાં ફરીને જવું, નહીં કરનારે એને કોઈ ભ – ક્ષણભંગુર જાણીને તું તે દેહને ભજજે ભાવ ધરી ભગવાન જે, નથી ભરેસ પળને એમજ જાણજો માટે કરજે મા તેફાન જે–ક્ષણભંગુર હિમ્મત - કિસ્મત હર્ષ તે પિછાણતી, આળસ ન મળે જેને કાંઈ અંગ જે; વખત નકામે કે દી જાવા દે નહીં, Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વલ ન્યાયાધીશ ઉ૫ર નિષ્કામ ઉપકાર કીધે જેણે વેમ તણો બહુ ભંગ જેસજજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જે; સદ્ગણી થાવાનું જે કોઈ ઈચ્છશે, શાણું નારી જાણે તેનું નામ – સજની છેલું કાવ્ય “સધ-શતક' છે તે સ્ત્રીઓના નીતિશતક { સમાન છે. તેમાં સંપ, નીતિ, ધીરજ, હિમ્મત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારા, ઉદ્યમ, કુસંગને ત્યાગ, વિદ્યા, ગર્વને ત્યાગ, પરપુરુષત્યાગ, નાસ્તિકતાને ત્યાગ, દયા, ધર્મપ્રેમ, ગ્રંથલેખન, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, સજજનીને સંગ, મૂરખ નારીને ત્યાગ, જુગારને ત્યાગ, મરણને વિચાર, જ્ઞાનમાર્ગની શોધ, પતિભક્તિ, પાત્રદાન, પરમાર્થ પ્રેમ, વાચન વધારવા ભલામણ વગેરે વિષય ટૂંકામાં સ્મરણ રાખવા ઘોળમાં ગાયા છે. “ઉપાય ઘટતા આદર, દેશ-હિતને કામ; દેશનું હિત ન ધારશે, તે મૂરખનું નામ- વિશ્વપિતા વંદન કરું. દેશ તણી સેવા કરે, ધરે પ્રીતિ ને ભાવ; મમતા આણી નેહથી, લહો એટલો લહાવ. વિશ્વપિતા પુરુષ પર એ નર્કની, જાણે ખાણ જરૂર; એવા ક્ષણિક સુખમાં કેમ બને ચકચુર. વિશ્વ ગર્વ નહિ ઉર આણતાં, બની કે દી શ્રીમંત; કો દિન આવશે નાર ઓ ! એહ લક્ષ્મીના અંત. વિશ્વ રાખવી તે દયા દેહમાં, હે! શાણી ગુણવાન; દયા જ ધર્મનું મૂળ છે' કેવળ સત્ય પ્રમાણ. વિશ્વ વિવેક રાખી વર્તજે, ગુણ તણું થઈ જાણ; ગરીબ જનેને આપજે, રૂડી રીતે માન. વિશ્વ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વિનય વિષે હું શું કહું, એ તે ગુણુ અમુલ્ય; નથી ગુણ ખીજો અરે ! નારી ! એની તુલ્ય. વિશ્વ જીભ જુએ નરમાશથી, રહી છે વચ્ચે દાંત; ક્રોધ કરે જો કારમી, માર ખાય ધરી ખાંત. વિશ્વ * મણિ પારસ છે એહ; તે તેા જાણું તેહ. વિશ્વ સજ્જની રત્ન સમાન છે, લેતૢ કંચન થાય છે, ગંગા સમાન સુસંગ છે, ખરું દઉં છું ચિત્ર; સુમિત્ર સુખ શું વર્ણવું ? કળા પદ્મ પવિત્ર. વિશ્વ * કાળ ગતિ તા મેાટી છે, નહીં એને દરકાર; આવ્યે ધડી નહીં મૂકશે, માટે કરા વિચાર. વિશ્વ તર્કટ કરશે। કા કદી, આપે તેવે લાભ; પુણ્ય કરે તેા તેમને, મળશે સત્ત્વધર્મ આભ. વિશ્વ નવરી મેસી રહીશ નહિ, કારણ વખત અમુલ્ય; સાનું પણ નહીં આવશે કે દી એની તુલ્ય. વિશ્વ સજ્જનીના પગ પૂજન્ટે એથી થાશે ઠીક; મૂળા અનીતિનાં વાઢશે, કાઢી બુદ્ધિ અઠીક. વિશ્વ * નાના કેરી સેવા સજો, એ તીર્થનું સ્થાન; મેાહિત થાવું ન મૂરખી બહુ થાજે ગુણવાન, વિશ્વ પરમારથ કરવા ઈશ્વર પ્રીતિ Jain Educationa International સદા ધારા ઉર્ ઉમંગ; મેળવે, કરા સદા સત્સંગ. વિશ્વ For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર વાચન-વ્યસન વધારરે, રાખી લીલું જ્ઞાન; વાંચ્યાથી કહું છું થશે ડાહી તું વિદ્વાન. વિશ્વ લક્ષણ સારા રાખીને કરે રૂડેરાં કામ; સજજનમાં વખણાઓ તે, તે જ સજજની નામ. વિશ્વ હાલ આ પુસ્તકની છાપેલી પ્રત મળી શકતી નથી અને પચાસ વર્ષ પહેલાંના આ સમાજને અતિ ઉપયોગી પુસ્તકને કંઈક પરિચય વાંચનારને કરાવવાના હેતુથી વિસ્તૃત અવતરણો ટાંકવામાં સંકેચ રહેવા છતાં જરૂર જણાયાથી તેમ કર્યું છે. આ સ્ત્રીનીતિ બેધક' ની ફરી આવૃત્તિ જે બહાર પડે તે મોટી ઉમ્મરે ભણવાનું શરૂ કરનાર સ્ત્રીઓને અત્યંત ઉપયોગી નીવડે એમ લાગે છે. હાલ કન્યાશાળાઓમાં ચાલતી પં. નવલરામ લક્ષ્મીરામની બાળ-ગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રીસ્વભાવને અનુકૂળ તથા નીતિના ધોરણથી લખાયેલ “સ્ત્રીનીતિ બેધક પુસ્તક માતાપિતાએ પોતાની પુત્રીને, ભાઈએ પોતાની બહેનને અને પતિએ પિતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાંએ મંગળ પ્રસંગે માં કન્યાઓને અને વાંચતાં શીખવાની ભાવનાવાળા કે ડું ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે. પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. આ પ્રથમ ભાગ જોતાં એમ અનુમાન થાય છે કે જે બે ભાગ લખાયા હતા તે સ્ત્રી સાહિત્યમાં અગ્રભાગ ભજવે તેવા ગ્રંથ શ્રીમદે લખ્યા હતા. સ્ત્રીનીતિ બેધક' ને અંતે જાહેર ખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા એ નામનું એક સુનીતિ બેધક પુસ્તક મેં રચીને તૈયાર * પ્રમાદ અને અહંકારથી જ્ઞાન સૂકાઈ જાય છે, શુષ્કજ્ઞાન ગણાય છે. વિષય અને ભક્તિના રસસિંચનથી જ્ઞાનનાં મૂળ હૃદયમાં ઊંડા ઊતરે છે અને જ્ઞાન લીલું રહે છે.–લેખક Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ કરેલું છે, જેની અંદર એકસા તે આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ ખસેા પૃષ્ટનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૧૦-૦-૦ લેવામાં આવશે. નીતિદર્શક પુસ્તકાના ફેલાવ થવાને આધાર પ્રજા પર રહે છે. આ કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ મળી શકી નથી. ३२ કોઈ ને એમ પ્રશ્ન થાય કે નીતિનાં પુસ્તકા લખવાની આ મહાપુરુષને શી જરૂર હતી ? આત્મ અનુભવ વિષે કે ધર્મના મૂળ મુદ્દા વિસ્તારથી સમજાવવાની શરૂઆત કેમ ન કરી ? તેનું સમાધાન તેમના જ શબ્દમાં નીચે લખ્યું છેઃ “ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હાય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈ એ; નહીં તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગાપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે; અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિએ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. ' "" Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૫ મેાક્ષમાળા-બાલાવબેાધ જેમ ગંગા નદી ઊંચા હિમાલય પર્વતનાં સરાવર અને ઝરણાંનાં પાણીના પ્રવાહીને વહાવતી પથ્થરાના સમૂહમાં થઈ ને અનેક આશ્રમે, ગામડાં, ગુરુકુળા અને શહેરા તથા વન ઉપવન અને ક્ષેત્રને ઉપકાર કરતી સપાટ પ્રદેશમાં મોટા પટ સહિત યમુના આદિ નદીઓમાં લળી સાગરમાં જઈને શમાય છે; તેમ શ્રીમદ્ રાજચંદ્રની પ્રજ્ઞા પૂર્વ આરાધેલા અનેક મહાપુરુષાના ઉપદેશામૃતના સંચયના સરાવરમાંથી - ઉદ્ભવી અનેક વિષયના ગ્રંથાના વાચનનેા સાર સંગ્રહી અને મુશ્કેલીએ વટાવીને પેાતાના પરિચિત, અપરિચિત, નરનારીઓ, બાળક-યુવાન— વૃદ્ધ, પુસ્તકાલય, શાળા, શિક્ષા અને અનેક જમાનાની પ્રજાને ઉપકાર કરતી વિશાળ અનુભવ પ્રગટ કરતી મેાક્ષમાર્ગને ઉપયેગી વૈરાગ્ય, વિવેક અને ઉપશમ તે વિસ્તારથી આત્માની અનંત શક્તિઓના નિધાનરૂપ મેક્ષમાં શમાય છે. વાચન, સ્મરણુ, વિચાર, નિર્ધાર અને તેને વારંવાર અભ્યાસ, ભાવના રૂપ પરિણુમાવવાથી જે અનુભવના આનંદની વૃદ્ધિ પેાતાને ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પ્રગટતી તેની વાનગીરૂપ ખાનગી તૈાંધ, પુત્ર કે પુસ્તક તે આકારે પ્રગટ થતાં અન્ય જીવાને લાભ થતા. તેવાં લખાણાના સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ પુસ્તકમાં થયેલા છે. તેમાં પ્રથમ પ્રસિદ્ધ થયેલી ‘ પુષ્પમાળા ’ છે. સેાળ વર્ષ પહેલાંનાં લખાણામાં એ ગણાય છે. * ૩૪ • સ્ત્રીનીતિ મેધક’માં અનીતિ દૂર થાય અને નીતિ–સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ આદિ વિષયેાના વિસ્તાર મર્યાદિત પ્રમાણમાં કર્યો છે અને આ ‘પુષ્પમાળા'માં સૂત્રાત્મક વાક્યાની શૈલીથી ઘણા અર્થ ટૂંકાં વાક્યામાં શમાય તે પ્રકારે ૧૦૮ મેલ લખ્યા છે. તે વાક્યા વાંચનારની આવૃત્તિ રોકી પેાતાને આજે કે હવે પછી શું કરવું ઘટે તે વિચારમાં પ્રેરે તેવાં છે; અને નીતિ, વ્યવહારની સાથે ધર્મ પ્રત્યે વૃત્તિ વાળે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ઉત્તેજિત કરી શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરી તેવાં ટૂંકાં પણ તીક્ષ્ણ ખાણની પેઠે ઊંડાં ઊતરી જાય તેવાં તે વાયેા છે. આ વાક્યા છપાયેલાં હાવાથી એકવાર વાંચી જવાથી પણ વિચારવાન મનુષ્યને તેનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે એટલે તેમાંથી અવતરણું આપવા કરતાં માત્ર વાંચવાની ભલામણ કરીને વિરમું છું. છેલ્લા ૧૦૮મા મેલમાં પોતે જ જણાવ્યું છેઃ "C ં લાંખી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?'' ‘મેક્ષમાળા' વિષે સં. ૧૯૫૫ માં શ્રીમદ્દે પાતે જણાવ્યું છેઃ “ મેાક્ષમાળા અમે સેાળ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં રચી હતી. ૯૭મા પાઠ ઉપર શાહી ઢાળાઈ જતાં તે પાઠ ફરી લખવા પડયા હતા, અને ઠેકાણે અહુ પુણ્ય કેરા પુંજથી’તું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. 6 Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ - ૩૫ મોક્ષમાળા-બાલાવબોધ જૈનધર્મને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેન્દ્ર ભાર્ગથી કાંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલ-વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હદયમાં પાય તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે. તે શૈલી તથા તે બેધને અનુસરવા પણુએ નમૂને આપેલ છે. એને પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે તે કઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ તેથી (અગાઉથી થયેલા) ગ્રાહકોની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યારપછી રચી ઉપહાર રૂપે ગ્રાહકને આપ્યો હતે. ઝાઝા, લાંબા લેખથી કાંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય, પણ સામાન્યપણે જેને એ તુલનાની ગમ નથી.” સં. ૧૯૫૬માં “મેક્ષમાળા' ની બીજી આવૃત્તિના પ્રસંગે પિતે પ્રકાશકને સૂચના કરી છે ૩૪ મોક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કાંઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તો કરશે. ઉપહઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે. ઉઘાતથી વાચકને, છેતાને, અ૫ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મ-સ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની ફુરણા થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિઃ . . . . “મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. “ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય (અંડર લાઈન) નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી. “તા-વાંચકને બનતાં સુધી આપણુ અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શેતા-વાંચકમાં પિતાની મેળે અભિપ્રાય ઉગવા દેવો. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળા સારાસાર તેલ કરવાનું વાંચનાર-શ્રેાતાના પેાતાના પર છેાડી દેવું. આપણે તેમને દોરી તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવા. , સ એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર જેમ પોતાની પહેલાંના જમાનાના વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારાને અનુભવ લક્ષમાં લઇ, પેાતાના જમાનાની જરૂરિયાતા તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહેાંચે તેટલી દીદષ્ટિ મૂકી, માનવ સ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથા ગૂથે તથા શિક્ષણપદ્ધતિ યાજે, તેથી પણ વિશેષ યાગ્યતા અને વિશેષ દીર્ધદષ્ટિથી શ્રીમદે મેાક્ષમાળાની યેાજના વિચારી તેની શરૂઆત કરી છે. સામાન્ય કેળવણી લઈ શાળામાંથી ઊઠી ગયેલાં કે વિશેષ કેળવણી પામેલાં નરનારીઓ તથા જેમણે લખવા વાંચવાને પણ અભ્યાસ ન કર્યાં હોય તેમ છતાં વિચાર કરી શકે તેવાં શક્તિવાળાં નરનારીની વિચારશક્તિના પ્રવાહ કયી દિશામાં વાળા હિતકારી છે, શું વિચારવાથી પેાતાને અને પરને ઉપકારી જીવન તે ગાળી શકે, મનુષ્ય જન્મની મહત્તા અને સફળતા સમજ્યા તથા સાધવા તેમણે કેમ વર્તવું, મનુષ્યભાવ પામેલેા હારી જવાય તેવી ભૂલવણીનાં કયાં સ્થાનકે છે અને તે કેમ તજવાં,—આદિ અનેક પ્રશ્નાના ઉકેલ રૂપે કે મનુષ્યધર્મ અથવા આત્મધર્મની એળખાણ કરાવવા મેાક્ષમાળાની તેઓએ સંકલના વિચારી ત્વરાથી તેની શરૂઆત કરી ત્રણ દિવસમાં જ પ્રથમ પુસ્તક તૈયાર કરી જનસમાજને તેના લાભ લેવા જાહેર કરેલું; તેને લાભ લેવા અગાઉથી ગ્રાહકો પણ મળી આવેલાં, પણ તે જમાનામાં છાપખાનાંની અનુકૂળતા હાલના જેટલી નહિ તથા અન્ય પરાધીન પ્રસંગાને વશ પુસ્તક છપાતાં ઢીલ થઈ અને લગભગ અસા પાનાંનું પુસ્તક છપાઈ ને તૈયાર થઈ જતાં ઘણા વખત લાગશે તેથી ગ્રાહકો Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-બાલાવબેધ * ૨૭. અધીરા સ્વભાવથી અકળાશે એમ પિતાને સમજાયાથી પચાસ પાનાંનું એક નવું પુસ્તક રચી “ભાવના બેધ' નામે પ્રથમ પ્રસિદ્ધ કરી અગાઉથી મદદ કરનાર ગ્રાહકોને ભેટ તરીકે આપ્યું. સોળસત્તર વર્ષની ઉમ્મરમાં કેટલી કાર્યકુશળતા તથા જવાબદારીનું ભાન તેમને હતું તેને આ અચૂક પુરાવો છે. શાળાનાં પાઠયપુસ્તક તરીકે વાંચી જવાનું કે ભણી જવાનું આ પુસ્તક નથી. પણ પરીક્ષા જીવન ઉપર અસર કરે છે તેથી વિશેષ મહત્ત્વનું અને જીવનની સફળતાનું સાધન હોવાથી, તેનું મનન નિદિધ્યાસન કરી પિતાના દોષ દેખી તે દોષ ટાળવામાં આ પુસ્તક દ્વારા શી મદદ મળી શકે એમ છે તે વિચારી જીવન સુધારવાના સાધન તરીકે વાપરવાની ભલામણ આપતાં જે “શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા ” નામ રાખી પ્રથમ પ્રસ્તાવના લખી છે, તે શિક્ષકોએ, માબાપે એ અને વિચારવાન અભ્યાસીઓએ બહુ વિચારવાયેગ્ય છેઃ “મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને હેતુ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે. પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષા પાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતા હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ જોગવાઈ ન હોય તો પાંચસાત વખત તે પાઠે વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય (તજવાયેગ્ય), રોય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા ગ્ય) શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે, હદય કોમળ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈનતત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવા રૂપ નથી; પણ મનન કરવા રૂપ છે. અર્થ રૂપ કેળવણી એમાં છ છે તે યોજના બાળાવબોધ રૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે. આ એમને એક કકડે છે, છતાં સામાન્ય તત્ત્વ રૂપ છે.” કોઈ પણ ઉપયોગી પુસ્તક માટે આ ઉત્તમ શિખામણ છે. હેય, રેય અને ઉપાદેયની કસોટી ઉપર ચઢાવીને પાનિયાં, માસિક કે અન્ય ગ્રંથમાળાઓ વાંચવાની ટેવ જે વાચકને પડે તે જીવનનો અમૂલ્ય વખત નિરર્થક અક્ષરે ઉકેલવામાં જતો ઘણે બચી જાય અને જેમાંથી વિશેષ ગ્રહણ કરવા યોગ્ય લાગે તેમાં તે વખતને ઉપયોગ અવશ્ય થાય. મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ’ છે. તેમાં પણ પિતે જણાવ્યું છેઃ કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવાયેગ્ય પુસ્તકો વાંચીને અમૂલ્ય વખત વૃથા ખાઈ દે છે; જેથી તેઓ અવળે રસ્તે ચઢી જાય છે, આલોકમાં અપકીર્તિ પામે છે; અને પરલોકમાં નીચ ગતિએ જાય છે. તમે આ પુસ્તકને વિનય અને વિવેકથી ઉપયોગ કરજે. વિનય અને વિવેક એ ધર્મના મૂળ હેતુઓ છે. તમને બીજી એક આ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં આવડતું ન હોય, અને તેઓની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેમને વાંચી સંભળાવવું. તમારે આત્માનું આથી હિત થાય; તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે; તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ; એવી શુભ યાચના અહંત ભગવાન પાસે કરી આ પાઠ પૂરે કરું છઉં.” Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-બાલાવબોધ બાળ પ્રસ્તાવના, આશિષ અને સૂચના રૂપે પ્રથમ પાઠ જણાવી, આ ગ્રંથના પાયારૂપ “સામાન્ય ધર્મ’ નામે ઉત્તમ કાવ્યમાં દયાનું સ્વરૂપ કે “એ ભવતાર કે સુંદર રાહ” બતાવ્યો છે. અને ઊંડો વિચાર કરવા પણ સૂચના આપી છે. “તત્ત્વરૂપી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.” જ્ઞાની પુરુષોનાં વચનમાં અપૂર્વ ચમત્કાર રહેલો છે; તે આત્માને જાગ્રત કરનાર છે. કોઈ જીવ એક જ વાક્યથી આત્મજ્ઞાન પામ્યા છે. અષ્ટાવક્ર જનકવિદેહીને “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' એટલું જ જણાવતાં “પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશની કહેવત પ્રમાણે તેમને આત્મસ્વરૂપ સમજાતાં વાર ન લાગી અને કેઈ ને માટે અનેક ગ્રંથોના ઉપદેશની જરૂર પડે છે. તેમ કઈ યોગ્ય આત્માને “દયા ધર્મનું મૂળ” છે કે “અહિંસા પરમો ધર્મ' છે એમ વિચારતાં આત્મધર્મનું ઓળખાણ થઈ જાય, તેવું પ્રથમ કાવ્ય અત્યંત મહત્વનું છે. કોઈ વિચારવાન જીવને આ જગતની વિચિત્રતા વિચારતાં પણ આત્મજ્ઞાન થયું છે. વર્તમાન સ્થિતિને વિચાર કરતાં પૂર્વ ભવનું સ્મરણ થયું છે, અને તેથી પહેલાં હતો, હાલ છે અને અનંતકાળ સુધી રહેનાર એવા શાશ્વત આત્માનું અસ્તિત્વ અને ઓળખાણ થયું છે. તે વિચારમાં પ્રેરવા “કર્મના ચમત્કાર' નામે ત્રીજે પાઠ બાળકોને સમજાય તેવી સરળ છતાં છટાદાર ભાષામાં–જીવ બાંધેલા કર્મ ભેગવે છે-એ વિષે છે. બાંધેલા કર્મથી છવ છૂટી શકે છે અને સર્વ કર્મથી મુક્ત થઈ મેક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મનુષ્યદેહ છે. તેની મહત્તા આત્મધર્મ આરાધવાથી છે પણ મનુષ્યની આકૃતિથી નથી. વાંદરાને પણ મનુષ્યને મળતી આકૃતિ છે વગેરે ઉપદેશથી તથા મહાપુરુષ અ૮૫ વયમાં પણ આત્મા ઓળખી મનુષ્યજીવન સફળ કરી ગયા છે માટે મરણ આવતાં પહેલાં ચેતી જવા માટે માનવદેહ નામને પાઠ ચેાથે મૂકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દૃષ્ટાંત અને કથાએથી ઉપદેશની ઊંડી છાપ પડે છે. કડવી પણ હિતકારી ગાળી ગાળે વિંટાળીને ખવરાવવાથી રુચિ સહિત બાળકો ખાઈ જાય છે, તેમ શાસ્ત્રામાં પણ ઉત્તમ સિદ્ધાંતા સમજાવવા કથાનકાને ઉપયેાગ થયેલા છે. ‘ ઉત્તરાયન' નામના જૈન શાસ્ત્રમાં શ્રેણિક નામના મહારાજાને અનાથી મુનિના સમાગમે આત્મપ્રકાશક એધથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વાત છે. તે વાત આજના જમાનાનાં યુવાન-યુવતીએને આકર્ષક લાગે તેવી ભાષા અને શૈલીથી ત્રણ પાઠમાં વર્ણવી સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન માટે મનુષ્યદેહ ઉપરાંત આત્મજ્ઞાની ગુરુના ઉપદેશની જરૂર છે તે સિદ્ધ કર્યું છે. ‘ ભાવના ખેાધ' પ્રથમ છપાવ્યા છે તે ગ્રંથમાં પણ અશરણુ ભાવનાના ઉદાહરણમાં આ જ કથા પાતે મૂકેલી છે. * ૪૦ જેણે નરકનું આયુષ્ય આંધ્યું હતું એવા શ્રેણિક રાજાને પણ સદ્ગુરુના યાગ થતાં ભાવ ફરી ગયા અને આત્માનું એળખાણ થયું તથા જીવનની દિશા બદલાઈ જતાં શ્રી મહાવીર સ્વામીના યેાગે એવા ધર્મભાવમાં રંગાઈ ગયા કે નરકમાં જઈ આવી આવતા કલ્પમાં તે પેાતે તીર્થંકર બની અનેક ભવ્ય વાના ઉદ્ધારક બનશે. જેમ રત્નની પરીક્ષામાં ભૂલ થાય, ક્રાઈ ખાઈ જાય, તેા હજારેા કે લાખા રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે તેમ ગુરુને ગ્રહણ કરવામાં ભૂલ આવે તેા ધર્મને નામે ધાડ પડે. માટે સદેવ અને સદ્ધર્મનું સ્વરૂપ સમજાવનાર ગુરુ સત્સ્વરૂપ એટલે આત્મપ્રાપ્ત પુરુષ હશે તે। તરવાના માર્ગ હાથ આવશે, એમ જાણી પછીના ચાર પાઠમાં સદેવનું માહાત્મ્ય, સદ્ગુરુની યાગ્યતા અને મહત્તા તથા સદ્ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. ધર્મ એ ગહન વિષય છે. પરંતુ તેમાં પ્રવેશ કરનારનું મહત્ત્વની આબતે તરફ લક્ષ્ય ઠેરવવા પૂરતા આ પાઠ લખેલા છે. પરંતુ જેમ જેમ જીવની યાઞતા વધે તેમ તેમ તેને વિશેષ વિચાર કરી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ એક્ષમાળા–બાલાવબોધ તેમ છતાં આ ત્રણ તત્ત્વ – દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ જાણે જ સધર્મમાં પ્રવેશ થશે તથા આત્મજ્ઞાની ગુરુના બોધ વિના યથાર્થ સ્વરૂપે ત્રણે તો સમજાવાં મુશ્કેલ છે એટલું પણ દઢતાથી સમજાય છે તેવા ગુરુની શોધમાં આત્માથી જીવ રહે અને અન્ય કાર્યો કે અન્ય પ્રસંગમાં બધું જીવન વહ્યું જવા ન દે, એ લક્ષથી ટૂંકામાં ત્રણે તત્ત્વની માત્ર રૂપરેખા દર્શાવી છે. “પ્રજ્ઞાવધાની સંકલનામાં આ ત્રણે તત્વને વિશેષ વિચાર દર્શાવવાને અભિપ્રાય રાખે લાગે છે. પછી સત્ય ધર્મની પ્રાપ્તિ જેને થઈ છે તે ગૃહસ્થ કેવી રીતે વર્તે તે ઉત્તમ ગતિ પામે તે વિષે સૂત્રાત્મક પણ સુંદર માર્ગદર્શક પાઠ લખ્યો છે. જિનેશ્વરની ભક્તિ વિષે બે પાઠ અને ભક્તિ વિષે એક કાવ્ય લખ્યું છે. તેમાં પ્રથમને પાઠ સંવાદ રૂપે લખેલો છે અને સત દેવ કોને કહેવા તે વિષે ચર્ચા કરીને “શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, વીતરાગ, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે” એમ સાબિત કર્યું છે. - તેર વર્ષ સુધીની “સમુચ્ચય વયચર્યા” માં પિતે જણાવ્યું છે કે પ્રથમ જગતકર્તામાં શ્રદ્ધા હતી. તે જન્મભૂમિના જૈનેના સંસર્ગથી તથા પ્રતિક્રમણાદિ પુસ્તકોના વાચનથી જિનેશ્વર દેવ ઉપર પણ શ્રદ્ધા થઈ હતી. પછીના કાળમાં વૈરાગ્ય અને વિચારના બળે એક જિનેશ્વર દેવ ઉપર શ્રદ્ધા દઢ થયેલી અને બીજા શિવ વિષ્ણુ આદિ દેવોની ભક્તિ મેક્ષ આપે તેવી લાગતી નથી એવી માન્યતા થયેલી સ્પષ્ટ આ પાઠમાં તેમણે દર્શાવી છે. મેક્ષમાળામાં પાઠ ૬૦, ૧૭, અને ૧૦૬માં પણ એ માન્યતા કેવા વિચારોથી થઈ છે તેનું કંઈક ખ્યાન આપેલું Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા છે, તે નીચેના ઉતારા વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે. બીજા ધર્મમતિમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારે નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે; જગતકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી.” “પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવનારાઓ એક મિથ્યા દલીલથી ફાવવા ઈચ્છે છે, કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જગતકર્તા પરમેશ્વરને જે નથી માનતા તે તે નાસ્તિક જ છે, એવી માની લીધેલી વાત ભકિક જનને શીધ્ર ચેટી રહે. છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણું નથી. પણ જે એ ઉપરથી એમ વિચારમાં આવે છે ત્યારે જૈન જગતને અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે ? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે ? એમ એક પછી એક ભેદ રૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને જરૂર શી હતી? રયું તે સુખદુ:ખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂકયું? એ લીલા કોને બતાવવી હતી ? રચ્યું તો ક્યા કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કેણુ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની જરૂર શી હતી? કદાપિ એમ માને કે એ બિચારાની ભૂલ થઈ! હશે ! ક્ષમા કરીએ ! પણ એવું દોઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપે ? એનાં કહેલાં દર્શનને જગતમાં વિશ્વમાનતા કાં આપી ? પિતાના પગ પર હાથે કરીને કુહાડે મારવાની એને શું અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર, અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શન પ્રવર્તકને એનાથી કંઈ દ્વેષ હતો ? જગતકર્તા હેત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગતકર્તા નથી, જગત Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-આલાવબોધ અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કઈ મહત્તા મળી જતી હતી? – આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જગતનું સ્વરૂપ છે તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્ન ભાવ કહેવાનું એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી દે, એક રજકણુથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કયી ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !” પ્રશ્નઃ આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે, પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્યુત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય ? ઉત્તરઃ આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી, ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. સમ્મતિ તર્ક' આદિ ગ્રંથને આપ અનુભવ કરશે એટલે એ શંકા નીકળી જશે. પ્રશ્નઃ પરંતુ સમર્થ વિદ્વાને પિતાની મૃષા વાતને પણ દષ્ટાંતાદિકથી સિદ્ધાંતિક કરી દે છે. એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય? “ ઉત્તરઃ પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનીએ, કે એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આય? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું ? તેમ વળી એ પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હેત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.” શ્રી આત્મસિદ્ધિશાએ સં. ૧૯૫૨માં રચ્યું તેમાં પણ તે ઈશ્વર વિષે જણાવ્યું છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઇશ્વર દેષ પ્રભાવ.” ભાવાર્થ–જગતને અથવા જેનાં કર્મોને ઈશ્વર કર્તા કઈ છે નહિ; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયું છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણુએ તે તેને દેષને પ્રભાવ થયો ગણા જોઇએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવન કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહે નહિ. કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેવું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત ય અથવા ઈશ્વરના ગુણ ઠર્થી તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને -જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હતાં યોગ્ય છે.” “જિનેશ્વરની ભક્તિ ભાગ ” અને “ભકિતને ઉપદેશ એ બન્ને પાદમાં ગદ્યપદ્ય દ્વારા ઉત્તમ નિમિત્તના સંગે આપણું ભાવ ઉલ્લાસ પામે છે અને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તે વિષે વિવેચન છે. લક્ષ્મી, મહાન કુટુંબ, પુત્ર અને અધિકારની પ્રાપ્તિને લોકો મહત્તા માને છે. તેમાં મહત્તાને બદલે લઘુતા છે એમ સાબિત કરી આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય, પરોપકાર અને સમતામાં રહી છે તે દર્શાવવા “ખરી મહત્તા'નો પાઠ લખે છે. જગતમાં માન ન હોત તે અહીં જ મેક્ષ હેત' એ વાક્યની યથાર્થતા દર્શાવતું ભરત ચક્રવતીના ભાઇ બાહુબળનું દૃષ્ટાંત ટૂંકામાં બાહુબળ” નામને પાઠમાં આપ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળાબાલાવબોધ પછી “ચાર ગતિ” અને “સંસારને ચાર ઉપમા” વિષે ત્રણ પાઠ આપી સંસાર દુઃખમય અને અસાર છે એમ ઉપદેશી વૈરાગ્યમાં પ્રવેશ કરાવ્યું છે અને તે વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું “બાર ભાવના” વિષે સંક્ષિપ્ત વિવેચન છે. આ જ પાઠને વિસ્તાર કરી દષ્ટ અને પ્રમાણુ શિક્ષાથી વિશેષ વિવેચન કરી “ભાવના બેધ” નામના લધુ ગ્રંથની રચના કરી છે. કાયોત્સર્ગ એટલે કાયાની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપમાં રહેવાની પ્રતિજ્ઞા અમુક કાળ સુધી કરવી અને તેમાં કેવી દઢતા રાખવી તેનું દષ્ટાંત “કામદેવ શ્રાવક' ના પાઠમાં આપ્યું છે અને હાલના શ્રાવકોની ધર્મદઢતા એક પાઈ જેવા લાભ માટે ધર્મશાખ કાઢે તેવી છે તેને ખેદ પ્રગટ કર્યો છે. લોર્ડ બેકનના નિબંધોની સ્મૃતિ કરાવે તે “સત્ય” વિષે પાઠ છે તેમાં વસુરાજા અસત્ય બોલવાથી અધોગતિ પામે તેની કથા પણ આપી છે. સત્સંગ” વિષે જે નિબંધના રૂપમાં લખાયું છે તેવું અંગ્રેજી સાહિત્યમાં ક્યાંય પણ મળી શકે તેવું નથી. “પરિગ્રહને સંકેચ” એ વિષે બહુ અસરકારક અને વિચારવા યોગ્ય સૂચનાઓ સહિત સુભમ ચક્રવર્તીનું દષ્ટાંત આપી પરિગ્રહની અનિષ્ટતા દર્શાવી છે તથા પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે એમ સાબિત કર્યું છે. તત્ત્વ સમજવું” એ પાઠમાં પિપટ પેઠે મુખપાઠે શા કરે પણ અર્થ ન સમજે તે ઉપર હાસ્યોત્પાદક દષ્ટાંત સાથે તત્વવિચાર કરનારને સુખ આનંદ વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ થાય છે તે વિષે અતિ મહત્વની સૂચના કરી છે. “યતના” વિષેના પાઠમાં ગૃહસ્થ ગૃહકાર્યાદિમાં કાળજી રાખીને કામ કરવાથી ઘણું જીવહિંસા બચે છે તે ઉપરાંત આ લેકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા આદિ દૂર થાય છે અને પરલોકમાં દુઃખદાયી મહાપાપનાં ફળ ભોગવવાં પડતાં નથી, ઇત્યાદિ અનેક વ્યવહારુ સૂચનાઓ સહિત ટૂંકામાં ઘણું લખ્યું છે. - “રાત્રિભોજન' ના પાઠમાં રાત્રિભોજનને નિષેધ ધર્મશાસ્ત્રમાં અને આયુર્વેદ વગેરે વૈદક શાસ્ત્રોમાં કેમ કરે છે તેનાં કારણો આપી “ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહતુ ફળ છે” એ જિનવચનનું સમર્થન કર્યું છે. “સર્વ જીવની રક્ષા” વિષે બે પાઠ લખ્યા છે. “દયા એ જ ધર્મનું સ્વરૂપ છે' એ વિષે અનેક ધર્મોમાં વર્ણન હોવા છતાં દયાનું સૂક્ષ્મ સ્વરૂપ મહાવીર ભગવાને નિરૂપણ કર્યું છે અને તેના અનુયાયીઓ ચાહીને જીવ હણવાની લેશ ઈચ્છા કરતા નથી તેનું કારણ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને થોડે અંશ છે, વગેરે પ્રથમ ભાગમાં જણાવી બીજા ભાગમાં શ્રેણિક રાજાના માંસાહારી સામતિને માંસાહારનો ત્યાગ કરાવે તેવી બુદ્ધિશાળી અભયકુમાર પ્રધાને યોજેલી ઉત્તમ યુક્તિની કથા આપેલી છે. અને એવી શુભેચ્છા દર્શાવી છેઃ એમ જ તત્ત્વબોધને માટે યૌnિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી !” પ્રત્યાખ્યાન' એટલે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એમ તત્ત્વથી સમજી હેતુપૂર્વક નિયમ કરે. નિયમ પાળવાની પ્રતિજ્ઞાથી મનને શુભ રાહમાં પ્રવર્તવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી બને છે વગેરે લાભ દર્શાવી, નિયમરહિત દશામાં પાળેલા સદાચાર કેવા શિથિલ હોય છે તેની સમજ - “પ્રત્યાખ્યાન' પાઠમાં આપી છે. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે” એ પાઠમાં શ્રેણિક રાજાએ વિશ્વ લેવા ચંડાળને સિંહાસન પર બેસાડી પોતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ એ વિસ્તૃત કથા દ્વારા વિનય Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાળા–બાલાવબેધ તત્વ પામવામાં પ્રથમ જરૂરને ગુણ જણાવ્યું છે. સુદર્શન શેઠ” નામના તેત્રીસમા પાદમાં એકપત્નીવ્રત પાળનાર સુદર્શન શેઠના ઉપર મેહ પામેલી અભ્યારાણીએ તેને ચલાવવા કરેલા સર્વ પ્રયત્ન વ્યર્થ થયા ત્યારે તેના ઉપર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાને હુકમ કરાવ્યો. પણ બ્રહ્મચર્યના પ્રભાવથી શળી ફાટીને તેનું ઝળહળતું સેનાનું સિંહાસન થયું એ કથા આપેલી છે. પછીના પાકમાં “બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. તેની છેલ્લી કડી “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય, અતિમાન !” - નમસ્કાર મંત્ર” પાઠમાં પંચ પરમેષ્ટિનાં નામ સહિત પાંચેય પૂજ્ય પદના મરણથી તેમના સ્વરૂપ, ગુણ, આદિને વિચાર થતાં આત્મકલ્યાણ થાય છે વગેરે કારણે આપીને એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવે જાપ કરે એવી ભલામણ કરી છે. “અનુપૂર્વિ” પાઠમાં પિતા-પુત્રના સંવાદરૂપે નમસ્કાર મંત્રમાં ચિત્ત એકાગ્ર કરી નિર્જરા કરવાના સાધન તરીકે “અનુપૂર્વિ’ના કેષ્ટવાળી નાની ચોપડીને જૈને ઉપયોગ કરે છે તેને પરમાર્થ સમજાવ્યો છે. સામાયિક વિચાર” ત્રણ પાઠમાં વિસ્તારથી જણાવ્યા છે. સામાયિક એટલે સમભાવથી ઉત્પન્ન થતે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષમાર્ગને લાભ, એવો અર્થ જણાવી દશ મનના, દશ વચનના, અને બાર કાયાને એમ બત્રીસ દોષોના અર્થ બે ભાગમાં જણાવી, ત્રીજા ભાગમાં નિર્દોષ સામાયિક વિધિપૂર્વક કરવા સવિસ્તર સૂચના સહિત પ્રેરણા કરી છે. પ્રતિક્રમણ વિચાર” પાઠમાં જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્માથી જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી તે Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ દેષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ કહેવાય છે, એ અર્થ જણાવી રૂઢિ માર્ગે થતી જેનેની આ આવશ્યક ક્રિયામાં કેટલું માહામ્ય છે તે જણાવી છેવટે ભલામણ કરી છે કે જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યતનપૂર્વક કરવું. “ભખારીને ખેદ' નામની વાર્તા બે પાઠમાં આપી, સ્વપ્ન સમાન આ સંસાર અનિત્ય અને ચપળ છતાં મોહાંધ પ્રાણીઓ તેમાં સુખ માને છે પણ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ પામે છે એવી શિખામણ આપી છે. તથા આત્મા અવિનાશી, અખંડ અને નિત્ય છે એને ઉપદેશ કર્યો છે. “અનુપમ ક્ષમા” નામના પાઠમાં સમભાવથી ક્ષમા રાખનાર મનુષ્ય સાગર તરી જાય છે એ દર્શાવવા કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમારની ઉત્તમ ક્ષમાની કથા આપી છે. છેવટે જણાવ્યું છે કે તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવે જોઈએ અને તે આવે તે મેક્ષ હથેળીમાં જ છે. રાગ” નામના પાઠમાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થવામાં અટકાવનાર ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણ, રૂ૫ ઇત્યાદિ પરનો મોહ હતો એ વિષે કથાને પ્રસંગ જણાવી, સંસાર ઉપર પામર પ્રાણુઓને રાગ અનંત દુઃખનું કારણ દર્શાવી છેવટે નિર્ણય કર્યો છેઃ “જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં સ્વરૂપના વિચાર સહિત બાર વ્રત અંગીકાર કરી જ્ઞાન, વિવેક, વિચારની વૃદ્ધિ કરવાની તથા નવ તત્ત્વને ઉત્તમ બેધ દર્શાવવાની ભાવના સહિત મોક્ષમાર્ગમાં પ્રવર્તવાને મને રથ દર્શાવ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-બાલાવબેધ કપિલમુનિ'ની કથા ત્રણ ભાગમાં પાઠી તૃષ્ણની કનિષ્ટતા તથા અનંતતા જણાવી, તેને ત્યાગથી સંતોષરૂપ કલ્પવૃક્ષ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે એ ઉપદેશ કરતી સુંદર કથા કહી છે. તૃષ્ણાની વિચિત્રતા' વિષે કાવ્ય દ્વારા તૃષ્ણ, મમતા, જંજાળ વય વધે તેમ વધતી જાય છે પણ શાંત થતી નથી એ વાત સુંદર મનહર સુભાષિત પદ્યમાં સમજાવી છે. પ્રમાદને પાઠ નિબંધના રૂપમાં ઉત્તરાધ્યન સૂત્રના કુમપત્ર અધ્યનના સારરૂપ અસરકારક શૈલીથી લખાય છે. “અતિ વિચક્ષણ પુરુષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે; પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહેરાત્રના ચેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે; અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિસ્થા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાંખે છે. એનું પરિણામ તેઓ અગતિરૂપ પામે છે. એક પળ પણ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે!” વિવેક એટલે શું?’ એ પાઠ ગુરુ-શિષ્યના સંવાદ રૂપે “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે તે સમજાવવા લખે છે. તેમાં ગુરુ વિવેકનો સૂક્ષ્મ પણ સુંદર અર્થ સમજાય છે. “સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભગવ્યાં છતાં, તેમાંથી હજુ પણ મેહ ટળ્યો નહીં, અને તેને અમૃત જેવાં ગણ્યાં એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડો ગણ્યો; આ પણ અવિવેક છે. જ્ઞાન– દર્શનાદિ ગુણોને અજ્ઞાન-દર્શને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તે ઓળખી ભાવ-અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.” “જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બને ?' એ પાઠમાં સંસાર એકાંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય વર્ણવી મેહનીને લીધે પતંગિયું દીવામાં પડે તેમ સંસારમાં જીવ રચી રહ્યા છે તે જણાવવા ચક્રવતી અને ભૂંડ બન્નેને ભેગની આસક્તિ અનેક રૂપે સરખી વર્ણવી છે. છેવટે જણાવે છેઃ ભગ ભોગવવામાં બન્ને તુચ્છ છે. બન્નેનાં શરીર પરૂ માંસાદિકનાં છે; અસાતાથી પરાધીન છે; સંસારની ઉત્તમોત્તમ પી આવી રહી, તેમાં આવું દુઃખ, આવી ક્ષણિક્તા, આવી તુચ્છતા, આવું અંધપણું, એ રહ્યું છે. તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ એ સંસારને પૂઠ દીધી છે તે સત્ય છે. એ ભણું પાછું વાળી જેવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખના એ સમુદ્ર છે. “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેમિયો છે.” મહાવીર શાસન” જેવા વિશાળ વિષયને એક પાઠમાં અદ્દભુત શૈલીથી સાગરને ગાગરમાં સમાવે તેમ શમાવ્યો છે. જન્મથી નિર્વાણ સુધીની મહાવીર જીવનની રૂપરેખા દેરી ૨૧૦૦૦ વર્ષ સુધી ધર્મતીર્થ પ્રવર્તનાર જણાવ્યું છેઃ જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથી જાળ માંડી બેઠા છે. મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં વિવેક વિચારે જિન શિક્ષાનાં મૂળતત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે. આપણે ક્યાં તત્ત્વને વિચાર કરીએ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા–બાલાવબંધ ૫૧ છીએ ? કયાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં જ્યાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદયને માટે કયાં લક્ષ રાખીએ છીએ ? કયાં દાઝ વડે ધર્મતત્વને શેધીએ છીએ? ... પણ તત્ત્વને કઇક જ જાણે છે; જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે; જાણીને અહંપદ કરનાર પણ છે. પરંતુ જાણુને તત્વના કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે . . . ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિઓને સમાગમ, વિમળ આચાર,વિવેક, તેમજ દયા, ક્ષમા આદિનું સેવન કરવું. મહાવીર તીર્થને અર્થ બને તે વિવેકી બેધ કારણ સહિત આપો. તુચ્છ બુદ્ધિથી શંક્તિ થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે એ વિસર્જન કરવું નહીં.” “અશુચિ કોને કહેવી?” એ પાઠમાં બ્રહ્મચર્યની નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે તેને ખુલાસો સંવાદ રૂપે સ્પષ્ટ દર્શાવ્યો છે. શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઇ વિચારપૂર્વક નથી. શરીર પિતે શાનું બન્યું છે એ તે વિચાર કરે, રકત, પિત્ત, મળ, મૂત્ર, લેબ્સને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું સંસાર કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે. નહાવાથી કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતને ભંગ, પરિણામને બદલવું, અસંખ્યાતા જતુને વિનાશ, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે, અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કર જોઈએ. આત્માની મલિનતા એ જ અશુચિ છે. ગૃહસ્થાશ્રમીઓએ સાંસારિક પ્રવર્તનથી થયેલી અનિચ્છિત જીવહિંસાદિ યુકત એવી શરીર સંબંધી અશુચિ સમજણપૂર્વક ટાળવી જ જોઈએ. જૈન જેવું એકે પવિત્ર દર્શન નથી; યથાર્થ પવિત્રતાને બેધક તે છે. પરંતુ શોચાશૌચનું Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સ્વરૂપ સમજવું જોઈએ.” “સામાન્ય નિત્ય નિયમ” પાઠમાં આખા દિવસમાં ધર્માત્મા ગૃહસ્થ પાળવા યોગ્ય સદાચાર ટૂંકામાં જણાવ્યો છે. “વિશેષ વિચારવાથી અને તેમ પ્રવર્તવાથી તે વિશેષ મંગળદાયક અને આનંદદાયક થશે.” ક્ષમાપનાએ ગઘપ્રાર્થનાને પાઠ છે. દરરોજ આત્માથી જુવે તે પાઠ ભણવા યોગ્ય છે. તેમાં પોતાના દે અત્યંત લઘુતાથી ભગવાનની સમક્ષ રજુ કરી પોતાનું અનાથપણું દર્શાવ્યું છે તથા ભગવાનનું, ભગવાને કહેલા ધર્મનું અને તેમના મુનિને શરણ ગ્રહણ કરી સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા અને પાપને પશ્ચાત્તાપ કરી સૂમ વિચારથી ઊંડા ઊતરી ભગવાનના સ્વરૂપના વિચારથી પિતાના સ્વરૂપની ખાત્રી કરી ભગવાને કહેલાં તમાં નિઃશંક થવાની અને ભગવાને કહેલા માર્ગમાં અહોરાત્ર રહેવાની વૃત્તિ યાચી છે. અંતે પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છી છે. હજારો નરનારીઓ આ પાઠ મુખપાઠ કરી દરજ નિયમિતપણે પ્રાર્થના કરે છે, એ ઉત્તમ આ પાઠ છે. “વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે' એ પાઠમાં સત્યધર્મ તરફ વાંચનારનું લક્ષ કરાવવા કંઈક પરીક્ષક બુદ્ધિ જાગ્રત થાય તે પ્રકારે ટૂંકામાં અસરકારક ઉપદેશ છે. “આ જગતમાં અનેક ધર્મમતે ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભેગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હય, રંગ રાગ ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાં આપણા આત્માની સત્ શાંતિ નથી, કારણ એ ધર્મમત ગણુએ તે આખો સંસાર ધર્મમયુક્ત જ છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હે Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સિક્ષમાળા-બાલાવબંધ જોઈએ. અહંતનાં તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળ વડે, ઉત્તમ આચાર રૂપ પત્થર પર, આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બીજાં બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. અહંતપ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બેધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ ગણવું.” “ધર્મના મતભેદ' વિષે ત્રણ પાઠમાં પ્રશ્નોત્તર રૂપે પરીક્ષક બુદ્ધિ કેળવાય તેવી ચર્ચા કરેલી છે. વેદાંત, સાંખ્ય, બેધ, ન્યાયમત, વિશેષિક, શક્તિપંથ, વૈષ્ણવ, ઈસ્લામી, ક્રાઈસ્ટ મતના ઉપદેશકે પિતાનું કહેલું સત્ય અને બાકીના બધા અસત્ય, કુતર્કવાદી છે એમ માની ચોગ્ય અયોગ્ય ખંડન કરે છે, ત્યારે આપણે શું વિચાર કરે ? અનેક ધર્મના મતભેદનું કારણ શું? “તેનું સમાધાન એમ છે કે તે ધર્મમતવાળાએાની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યો. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું; જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધે; ભક્તિ, નીતિ, જ્ઞાન, ક્રિયા આદિ એક પક્ષને વિશેષ લીધે, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પિતાની બુદ્ધિ અનુસાર બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દષ્ટાંતાદિથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યા. કીર્તિ, લોકહિત કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણું હોવાથી અત્યુઝ ઉદ્યમાદિથી તેઓ જય પામ્યા. કેટલાકે શંગાર અને લોકેછિત સાધનાથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મેહમાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ ઇચ્છિત દર્શનથી ગાડર રૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ, તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાન રૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેશી પિતાના મતની વૃદ્ધિ કરી. પિતાનો મત સ્થાપન કરવાની ભ્રમણએ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું એટલે તેણે જુદે જ રાહ કા. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચારપાંચ પેઢી એક ધર્મમત રહ્યા એટલે પછી તે કુળધર્મ થઈ પડે. એમ સ્થળે સ્થળે થતું ગયું. વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકોનાં ચરિત્ર અને વિચારે ઇત્યાદિક જાણવાથી તે મતે અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વર્તમાનમાં જે વેદ છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે, પરંતુ તે પણ હિંસાએ કરીને દુષિત હોવાથી અપૂર્ણ છે. તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે. “જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તો પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વિરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એકેએ વર્ણવ્યા નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગ્રહગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ-એ વિષે એ સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા તેઓના કેટલાક સિદ્ધાંત એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.” સુખ વિષે વિચાર ” બહુ મનન કરવા યોગ્ય કથા છ પાઠમાં યજી, મહાપુરુષના જીવનની છાપ જેમ વાચક વર્ગ ઉપર અજબ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા–બાલાવબોધ પડે છે તેમ એક ગરીબ બ્રાહ્મણ કેવું સુખ દેવ પાસે માગવું તે શોધવા પ્રવાસ કરી થાકી ગયે પણ કઈ ખરો સુખી જણ નહિ. છેવટે દ્વારિકાના એક મહાધનાઢયને ત્યાં જઈ ચઢયો અને તેને સુખી જોઈ નિશ્ચય કરે છે કે હવે તપ કરીને જે હું મારું તે આ મહાધનાઢય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહિ. એ વિચાર સાંભળી તે ધનાઢયે જણાવ્યું કે “મારે સિદ્ધાંત તે એ છે કે જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છે પરંતુ વાસ્તવિક રીતે હું સુખી નથી.” એમ કહી પિતાનું વૃત્તાંત તેને જણાવે છે. તેમાં સંસારની અનેક વિટંબનાઓમાં કોટયાવધિ ધનને નાશ થતાં થયેલાં દુઃખ, કુટુંબીઓના વિયોગનાં પડેલાં દુઃખ; ફરી પરદેશનાં દુઃખ વેઠી ધન કમાવા કરેલા પુરુષાર્થ, તેની સાથે કરવાં પડેલાં પાપ, સહન કરેલાં દુ:ખ, કુટુંબીઓના વિયેગ વડે વગર દમડીએ જાવે જે વખતે તે ગમે તે વખતની સ્થિતિ અજ્ઞાન દષ્ટિએ આંખમાં આંસુ આવે તેવી વર્ણવી જણાવ્યું કે “આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું, દિવસને અમુક ભાગ તેમાં રોકત હતા, તે લક્ષ્મી કે એવી લાલચે નહિ; પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને મોતને ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ ત્વરાથી કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી; મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું.” પછી પિતાની સમૃદ્ધિ તથા વર્તમાન સુખ અને સદાચારના નિયમે બ્રાહ્મણને જણાવી કહ્યું: “હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતે હતા, તો પણ મારે આરંભે પાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડયું નથી, એમ તો નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા છે કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કોઈ કાળે મળનાર Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નથી. પુણ્યથી પામેલી લક્ષ્મી વડે મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છઉં કે વિવેકી આત્માને માન્ય ન હેાય. જેમ આપની ઇચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે. હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તા ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. ’’ પછી પેાતાના સામાન્ય વિચારે તે બ્રાહ્મણુને કહે છે: “ જેએ માત્ર લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લાલ અને માયામાં મુંઝાયા પડયા છે તે બહુ દુ:ખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધૂરા ઉપયેગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભાગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક ઉપાડી જાય છે. અધાતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ નિર્માલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. “ જેઓએ પેાતાનાં ઉપવિકા જેટલાં સાધન માત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતેષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરાપકાર, અલ્પ રાગ, અલ્પ દ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખેલ છે, જે સત્પુરુષાને સેવે છે, જેણે નિગ્રંથતાના મનારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તેવા પુરુષો પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. (6 સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી એ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેએ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે . અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને ન્તિકષાય તે નિશ્ર્ચથા પરમ સુખી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા–બાલાવબેધ પ૭ સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડયાં છે; જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંત સુખમાં સર્વ કર્મવિરતતાથી બિરાજે છે. “આમ સપુરષોએ કહેલો મત મને માન્ય છે. પહેલો તો. મને ત્યાજ્ય છે. બીજો હમણું માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બેધ છે. ત્રીજો બહુમાન્ય છે. અને જે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જે વિવેકીઓ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલા અપારંભી, નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયને હિત ભણી વળવું; પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તે વિશેષ કહેવાનું નથી. મુક્તાત્મા અનંત સુખમય જ છે.” “અમૂલ્ય તત્ત્વવિચાર” નામના કાવ્યમાં મનુષ્યભવની દુર્લભતા દર્શાવી તે વ્યર્થ વહી ન જાય, કાલ્પનિક સુખ શોધવામાં મેક્ષસાધન રહી ન જાય તે વિષે ચેતવણી આપી છે; સંસારમાં લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવારની વૃદ્ધિને મહાભાગ્ય માનવામાં આવે છે અને તે માટે આખો મનુષ્યભવ હારી જાય છે તેને વિચાર કરવા સૂચના જણાવી આત્મિક આનંદ ગમે ત્યાંથી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે. આત્મવિચાર ઊગે તેવો વિચાર પ્રેરતાં જણાવે છે હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં.” Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કોઈ આત્મઅનુભવી પુરુષના વચન ઉપર વિશ્વાસ કરવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ જણાવી, છેલ્લી બે લીટી હૃદયમાં લખી રાખવા ચેાગ્ય લખી છે: "" “ રે ! આત્મ તારા ! આત્મ તારા ! શીઘ્ર એને ઓળખે; સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યા: આ વચનને હૃદયે લખા. ” • જિતેન્દ્રિયતા ’ પાઠ નિબંધના રૂપે મનને વશ કરવા વિષે બહુ ઉપયાગી સૂચનાઓ સહિત લખાયેલે છેઃ “મન કાઈથી જ અકસ્માત જીતી શકાય છે, નહીંતા ગૃહસ્થાશ્રમે અભ્યાસે કરીને જીતાય છે; એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તેા તેના મુખ્ય માર્ગ આ છે કે તે જે દુર્િચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શીર્દિ વિલાસ ઇચ્છે, ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દ્વારાવું નહીં પણ આપણે એને દારવું; મેક્ષમાર્ગ ચિંતવ્યામાં રાકવું. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન લાગ્યા જેવા થાય છે, લેાકલજાએ તેને સેવવે પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.' • ભ્રહ્મચર્યની નવ વાડ એ પાટમાં બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી નવ વિધિએ તેને નવ વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. ' સનત્કુમાર ' નું ચિત્ર અચિભાવના દર્શાવવા એ પાઠમાં લખ્યું છે, સનત્કુમાર ચક્રવર્તીનું રૂપ જોવા એ દેવે સ્વર્ગમાંથી આવ્યા હતા, જોઈ ને આનંદ પામ્યા પરંતુ પૂર્વનાં પાપને લઈ ને તથા આ કાયાના મદ સંબંધી મેળવણ થવાથી એ ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. “ કાયાને આવા પ્રપંચ જોઈ ને સનકુમારને Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-બાલાવબોધ ૫૯ અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહ, માન કરવા ગ્ય નથી, એમ વિચારી તે છ ખંડની પ્રભુતા ત્યાગી ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે તેઓને મહારોગ ઉત્પન્ન થયા. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો ને કહ્યું જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા “હે! વૈદ્ય, કર્મ રૂપી રોગ મહાઉન્મત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તો ભલે મારે એ રોગ ટાળે, એ સમર્થતા ન હોય તે આ રોગ ભલે રહ્યા. મળમૂત્ર, નર્ક, હાડ, માંસ, પરૂ અને કલેક્નથી જેનું બંધારણ ટકયું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાને મેહ, ખરે! વિભ્રમ જ છે.” બત્રીશ યોગ આત્માને ઉજજવળ કરવા માટે બત્રીશ બેલ આ પાઠમાં જણાવ્યા છે. એકેક યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. જેમકેઃ મમત્વને ત્યાગ કર, ગુપ્ત તપ કરવું, સમક્તિ શુદ્ધ રાખવું, શુદ્ધ કરણીમાં સાવધાન થવું, આપત્તિકાળે પણ ધર્મનું દઢત્વ ત્યાગવું નહીં, મરણકાળે આરાધના કરવી ઈત્યાદિ. “મોક્ષસુખ' નામના પાઠમાં શાસ્ત્રાધારે એક કથા લખી છેઃ ભગવાનને ગૌતમ સ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું: “ગતમ, એ અનંત સુખ હું જાણું છઉં, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કઈ વસ્તુ કે સુખ નથી.” એક ભીલે રાજાને વનમાં પાણી પાયાથી તેના પર પ્રસન્ન થઈને રાજનગરમાં તેને રાજા લઈ ગયા અને અનેક વસ્તુઓ ખાવાની, જેવાની, સુંઘવાની તેને આપી પણ સગાંવહાલાં સાંભરતાં તે છાનેમાને વનમાં જતા રહ્યા. ત્યાં તેનાં સગાંએ પૂછ્યું: “તું ક્યાં હતો?” Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ભલે કહ્યું: “બહુ સુખમાં; ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ.” કુટુંબીઓએ ફરી પૂછ્યું: “પણ તે કેવી છે તે અમને કહે ?” ભીલ કહેઃ “શું કહું, અહીં એવી એકકે વસ્તુ જ નથી.” ઘણું વસ્તુઓ-શંખલા, છીપ, કેડાં બતાવી તેમણે વારંવાર પૂછ્યું પણ તે કહી શક્યો નહીં; તેમ અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ ગ્ય ઉપમા અપાય તેવું અહીં કેઈ સુખ નથી. ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સસુખને વિચાર આવી શકતો નથી. ધર્મધ્યાન' વિષે ત્રણ પાઠમાં ચાર ભેદ, ચાર લક્ષણે, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેન પ્રકારે હિતકારી અને ઉપયોગી વર્ણન કર્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિવભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. - “જ્ઞાન સંબંધી બે બોલ' નામના ચાર પાઠમાં નીચેના પ્રશ્નોની ચર્ચા ટૂંકામાં વિચારણની વૃદ્ધિ થાય તે પ્રકારે કરી છે (૧) જ્ઞાનની શી આવશ્યક્તા છે? (૨) જ્ઞાનપ્રાપ્તિનાં કંઈ સાધન છે? (૩) તેને અનુકૂળ દ્રવ્ય, દેશ, કાળ, ભાવ છે? (૪) તે ક્યાં સુધી અનુકૂળ છે? (૫) વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? (૬) જાણવા રૂપ છે શું? . (૭) એના વળી કેટલા ભેદ છે? (૮) જાણવાના સાધન કયાં ક્યાં છે ? (૯) કયી કયી વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? (૧૦) એ જ્ઞાનને ઉપયોગ કે પરિણામ શું છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા-બાલાવબંધ પંચમ કાળ” નામના પાઠમાં આ કળિકાળમાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સપુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે તે અનુસાર પ્રત્યક્ષ આપણું નજરે જણાય તેવી પડતીની નિશાનીઓ ગણાવી છે. છેવટે જણાવ્યું છે કે “પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે. કાળાનુસાર ધર્મતત્ત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથ પ્રવચન, નિગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મતત્ત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.” તત્ત્વાવધ' વિષે ૧૭ પાઠ લખી તેમાં નવ તત્તનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવા લખે છેઃ “નિગ્રંથ પ્રવચનને જે જે સૂક્ષ્મ બોધ છે, તે તવની દષ્ટિએ નવતત્ત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતાના સૂમ વિચાર એ નવતત્ત્વ વિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે; એ અનંત શકિતઓ ત્યારે પ્રફુલ્લિત થાય કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.” વર્તમાન સ્થિતિ વર્ણવતાં તેઓ જણાવે છે મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય કારણ તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું એ છે. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વિશ લાખ છે. એ પ્રજા તે શ્રમ પાસક છે. એમાંથી હું ધારું છઉં કે નવા તત્ત્વને પઠન રૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરષો પણ જાણતા નહીં હશે. ...એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વૃદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરના વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિર્વઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વને ઉદય થશે; પરિણામે ભવાંત થઈ જશે.” “નવતત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હેય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે, તે તે વિચારો નવતત્ત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે.” એક સમર્થ વિદ્વાન સાથે શ્રીમદને નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ વિષે વાતચીત થયેલી તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કે ઉપવા વિઘવા, ધુવા-એ લબ્ધિ વાક્યને અનુસાર જીવ ઉત્પન્ન થાય છે, જીવ નાશ પામે છે, અને જીવ નિત્ય કે ધ્રુવ છે એમ હા પાડીને પછી જીવ ઉત્પન્ન નથી થતું, જીવ નાશ નથી પામતે અને જીવ ધ્રુવ નથી એમ હા પાડતાં અઢાર દોષ આવે છે એમ તે વિદ્વાને વિસ્તારથી જણાવ્યું તેની સ્પાદુવાદદ્વારા કેવી રીતે “હા” અને “ના” પાડતાં છતાં કોઈ દોષ ન આવે તે વિષે સૂમ ચર્ચા છેડા વિચારે પણ સમજાય તેવી સરળતાથી ત્રણ ચાર પાઠમાં કરી છે. અને ન્યાયના ગ્રંથમાં પ્રવેશ કરવા ગ્ય સંસ્કારો વાચક અને શાતાને પડે તે શૈલીથી તે પાઠ લખાયા છે. છેવટે, તત્ત્વાવબેધના પાઠો કેવા ઉદ્દેશથી લખ્યા છે તે પિતે જણાવે છેઃ જે જે હું કહી ગમે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી. પરંતુ સર્વને માટે છે. તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છઉં તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છઉં. “તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થ બુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી, પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બધી અર્ધગતિને શા માટે સાધું? વારંવાર તમને હું Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સાક્ષમાળા-બાલાવમાધ નિર્ગથનાં વચનામૃત માટે કહું છઉં, તેનું કારણ તે વચનામૃતા તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જૈનમતપ્રવર્તકા પ્રતિ ભારે કંઈ રાગ બુદ્ધિ નથી, કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું; તેમજ અન્યમતપ્રવર્તકા પ્રતિ ભારે કંઈ વૈર બુદ્ધિ નથી, કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદગતિ મધ્યસ્થ રૂપ છઉં. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહેાંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી કહું છઉં, કે પ્રિય ભવ્યા ! જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવા એકકે દેવ નથી, તરીને અનેક દુઃખથી પાર પામવું હોય તે! એ સર્વન દર્શન રૂપ કલ્પવૃક્ષને સેવા. આમ કહેવાનું કારણ શું ? તે। માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગીતા, સત્યતા અને જગદ્ભુિતષિતા. ’ ... "" 66 પરંતુ જગત માહાંધ છે; મતભેદ છે ત્યાં અંધારૂં છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી. ૩ “ હું એક મુખ્ય વાત તમને કહું છઉં કે જે મમત્વ રહિતની અને ન્યાયની છે. તે એ કે ગમે તે દર્શન તમે માના; ગમે તેા પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જૈનને કહેા, સર્વદર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈન તત્ત્વને પણ જીએ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે ચેાગ્ય લાગે તે અંગીકાર કરેા. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરેા, પણ તત્ત્વને વિચારા. "" • સમાજની અગત્ય ' વિષેના પાઠમાં અંગ્રેજોના ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું એ તેમના વિજયનું કારણ દૃષ્ટાંત રૂપ આપી ધર્મની ઉન્નતિ માટે એકત્ર થવા પ્રેરણા કરતાં પોતે જણાવે છેઃ 66 કળા કૌશલ્યેા શેાધવાના હું અહીં ખેાધ કરતા નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડયું છે તેને પ્રાશિત કરવા, તથા પૂર્વાચાર્યોનાં ગુંથેલાં મહાન શાસ્ત્રી એકત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા સદાચરણ શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને એક મહાન સમાજ સ્થાપન કરવાની અવશ્ય છે, એમ દર્શાવું છું. પવિત્ર સ્યાહુવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાંસુધી શાસનની ઉન્નતિ નથી. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર તજી એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છઉં કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનના અંતર્ગચ્છ મતભેદ ટો; સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ ! ” મનેનિગ્રહનાં વિદન' નામના પાઠમાં અઢાર પાપસ્થાનક ક્ષય કરવામાં પણ વિદનકર્તા તથા આત્મસાર્થકતા અટકાવતા એવા અઢાર બેલ ગણવ્યા છે અને તે ત્યાગવા પ્રેરણા કરી છે. “સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક” એ દશ અનુભવપૂર્ણ હિતકારી વાક્યોનો વિચારવા યોગ્ય પાઠ છે. વિવિધ પ્રશ્નનામના પાંચ પાઠ પ્રશ્નોતર રૂપે નિગ્રંથ પ્રવચનની સિદ્ધાંત પ્રવેશિકાની ગરજ સારે તેવા છે. તે ઉપરાંત અન્ય દર્શનનાં વ્રત અને માન્યતાની કંઈક સરખામણી પણ તેમાં છે. “જિનેશ્વરની વાણી’ એ કાવ્ય શાસ્ત્ર વાંચતાં પહેલાં મંગળાચરણમાં બોલવા યોગ્ય મનહર ભાષામાં મનહર છંદમાં લખેલું છે. પૂર્ણાલિકા મંગળ’ એ છેલું કાવ્ય અંતિમ મંગલરૂપ બે કડીમાં લખેલું રહસ્ય પૂર્ણ સમાણિદર્શક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવના બોધ મોક્ષમાળા' સં. ૧૯૪૦માં લખાઈ અને . ૧૯૪૪માં છપાઈને બહાર પડી. આટલો ચાર વર્ષને વિલંબ થાય તેમ હોવાથી સં. ૧૯૪૨માં જ “ભાવના બેધ’ મેક્ષમાળા પછી લખાયા છતાં તે વર્ષમાં પ્રસિદ્ધ થયા, અને મેક્ષમાળાના અગાઉથી થયેલા ગ્રાહકોને ભેટ તરીકે મોકલવામાં આવ્યા હતા. ગ્રંથ ટૂંકે છતાં વૈરાગ્યથી ભરપૂર છે અને કથાઓદ્વારા ભાવનાઓનું વર્ણન આપેલું હોવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક બન્યો છે. પાત્રતા પામવાનું અને ક્રોધાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે. ટૂંકા ઉદઘાતમાં ખરું સુખ મહાત્માઓને બંધ અને ખાસ કરીને મહાવીરનો માનવા યંગ્ય બોધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મોક્ષમાળામાં “બાર ભાવના” વિષે લખેલો પાઠ મૂક્યો છે. પછી બન્ને ગ્રંથોનું પ્રયોજન ટૂંકામાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલના ઉપદેશ કરનારા પુરુષા કંઇ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કંઇ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી; પણુ વિનયરૂપે તે ઉપદેશકાના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરવું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રેાપાવા અંતઃકરણ કામલ કરવા આવા ગ્રંથનું પ્રયાજન છે. “ તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધના શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વ૫તાથી કિંચિત્, તત્ત્વ સંચય કરી, તેમાં મહાપુરુષોનાં નાનાં ચરિત્રા એકત્ર કરી આ ભાવનામેાધ તથા મેક્ષમાળાને વિભૂષિત કરી છે, તે ‘વિદગ્ધમુખમંડને ભવતું. ' 993 પ્રથમ અનિત્ય ભાવનામાં ‘ભિખારીને ખેદ ’ નામના મેાક્ષમાળાને પાઠ મૂકી છેવટે પ્રમાણુશિક્ષા આપી સ્વમ અને સંસાર બન્ને શાકમય અને ચપળ સાબિત કરી બુદ્ધિમાન પુરુષા આત્મશ્રેય શેાધે છે એમ ઉપદેશ્યું છે. ખીજી અશરણ ભાવનાના દૃષ્ટાંતમાં પણ મેક્ષમાળામાંની અનાથી મુનિ અને શ્રેણિક રાજાની કથા આપી દ સંસારમાં છવાઇ રહેલી અનંત અશર્ણુતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવે, અંતે એ જ મુક્તિના કારણ રૂપ છે’ એમ ઉપદેશ દર્શાવ્યા છે. ત્રીજી એકત્વ ભાવના વણવી છે. તેમાં નિમ રાજર્ષિ અને વિપ્રના વેશે આવેલા શક્રેન્દ્રના સંવાદ આપ્યા છે. ઇન્દ્રે અનેક રીતે પરીક્ષા કરી જોઈ પણ નમિ રાજર્ષિના વૈરાગ્ય અને સુદૃઢતા જોઇને આનંદ પામ્યા તથા સ્તુતિ કરવા લાગ્યાઃ “ હું મહાયશસ્વી, માટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યા. અહા ! તે અહંકારના પરાજય કર્યાં. આશ્રય ! તે Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાવના આધ માયાને ટાળી. આશ્ચર્ય ! તેં લાભને વશ કીધા. આશ્ચર્ય ! તારુ સરળપણું. આશ્ચર્ય ! તારું નિર્મમત્વપૂણું. આશ્ચર્ય ! તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય ! તારી નિર્લોભતા. "" "" પ્રમાણ શિક્ષામાં શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગવાળાં નિમરાજનાં વનાના સાર લખ્યા છેઃ હે વિપ્ર ! તું જે જે વસ્તુએ મારી છે એમ કહેવરાવે છે તે તે વસ્તુએ મારી નથી. હું એક જ છઉં, એકલા જનાર્ છઉં; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છઉં. '' તે એકત્વ શાથી પામ્યા તે દર્શાવતું નિમરાજનું ચરિત્ર ટુંકામાં પ્રમાણ શિક્ષામાં આપ્યું છે; તે અનાથિ મુનિના ચરિત્રને મળતું વૈરાગ્યપ્રેરક અને ચેતાવનાર છે. તેના સાર એક જ કડીમાં છેવટે આપ્યા છેઃ “રાણી સર્વે મળી સુચંદન ધસી, ને ચર્ચવામાં હતી, ખૂઝયા ત્યાં કકળાટ કંકણુતણેા, શ્રાતી નમી ભૂપતિ; સંવાદે પણ ઇન્દ્રથી દૃઢ રહ્યા, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત્ર આ સંપૂર્ણ અત્રે થયું. ' ગર શ્રી દત્તાત્રયે કરેલા ચોવીસ ગુરુમાં જે કન્યાએ કંકણાના ખડખડાટ દૂર કરવા એક સિવાય બાકીનાં બધાં દૂર કર્યા હતાં તે કથાની સ્મૃતિ આપે તેવી તથા તત્ત્વજ્ઞાની રાજિષ જનક વિદેહીની મિથિલા નગરી દેવની માયાથી મળતી દેખાઈ છતાં, મારું કંઈ ખળતું નથી એમ માની નિશ્ચિંત રહ્યા અને ઋષિએ માળા, પાથી કે પથારી લેવા રાડયા હતા તે દૃષ્ટાંતને મળતી ‘ઉત્તરાધ્યયન' નામના જૈનશાસ્ત્રમાંથી લીધેલી અને સંસ્કારેલી સુંદર નિમ રાજિષની આ કથા છે. ચેથી અન્યત્વ ભાવના વર્ણવી તેના દૃષ્ટાંતમાં ભરત ચક્રવર્તીના વૈભવ દર્શાવી, સર્વાગે શેાભિતા શણગાર છતાં હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી તેથી આંગળી અડવી જણાઈ એટલે ભરતેશ્વરને વૈરાગ્યની ઉત્પત્તિનું નિમિત્ત બન્યું અને કૈવી વિચારણાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ તેનું આખેટ્ઠમ ચિત્ર આપ્યું છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે. મારી આંગળી સુંદર દેખાઈ એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશલ્ય દેખાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ કર્યું કે? જે વીંટી હતી તો એવી અશોભા હું ન જેત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર મણિર્માણક્યાદિનાં અલંકારો અને રંગબેરંગી વસ્ત્ર ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા - ઢાંકી સુંદર દેખાડે છે; અહેહે ! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર માત્ર ત્વચા વડે, અને તે ત્વચા કાંતિ વડે, અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે ત્યારે શું મારા શરીરની તે કંઈ શોભા નહીં જ કે? રૂધિર, માંસ અને હાડને જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પર મુદ્દગલની શોભાથી શોભું છું. કોઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વ ભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છઉં કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયાગ થવાને છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણે શું રાખવું એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનાં થવું શું ઉચિત છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાવના બાધ નહીં, નહીં. એ જ્યારે મારી નહીં, ત્યારે હું એને નહીં; એમ વિચારું, દઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરેલી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડે. તે નવ યૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્ર, તે અઢળક લક્ષ્મી, તે છે ખંડનું મહાન રાજ્યએ મારાં નથી. એમાંનું લેશ માત્ર મારું નથી. એમાં ભારે કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપભોગ લઉં છું, તે ભાગ્ય વસ્તુ જયારે મારી ન થઈ, ત્યારે બીજી– મારી માની બેઠેલો-વસ્તુ નેહી, કુટુંબી ઈત્યાદિ મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વ ભાવ મારે જોઈ તે નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એને નહીં,ને એ મારાં નહીં! પુણ્યાદિ સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંને વિયાગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને પણ એકલાએ જ કે ? એમાં કઈ સહિયારી નહીં જ કે? નહીં, નહીં. એ અન્યત્વ ભાવ વાળા માટે થઈને હું મમત્વ ભાવ દર્શાવી આત્માનો અનહિતેષી થઈ એને રૌદ્ર નરકને ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણ છે? એ ક અવિવેક છે ? સેંસઠ શલાકા પુરુષમાને હું એક ગણાય, ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુકત છે. એ પુત્રોને, એ પ્રમદાઓને, એ રાજવૈભવને અને એ વાહનાદિ સુખને મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી! Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળt " વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડયું કે તિમિરપટ ટળી ગયું. શુકલધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભિસ્મીભૂત થયાં ! મહાદિવ્ય અને સહસ્ત્ર કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું.” પાંચમી અશુચિ ભાવનામાં સનકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત મેક્ષમાળામાં આપ્યું છે તે છે. પ્રમાણ શિક્ષામાં કાયા અશુચિન ભંડાર છે એમ જણાવ્યું છે છતાં મનુષ્યદેહને સર્વ દેહત્તમ કહેવા યોગ્ય છે. તે શાને લીધે ? કે એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે. “મેધાવિ પુરુષો નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેક-બુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તો પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે તે દેહ કેવળ અશુચિમાં તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.” છઠ્ઠી સંસારભાવના વર્ણવી છે, તેમાં સંસારનું સ્વરૂપ જાણું તેમાંથી મુક્ત થયેલા બલશ્રી નામના રાજકુમાર જે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ છે તેમનું ચરિત્ર આપ્યું છે. “એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા લાગ્યા હતા.” “ઉત્તરાધ્યયન શાસ્ત્રીને આધારે આ ચરિત્ર સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાને માર્ગ દર્શાવી ઊંડો વિચાર કરવા પ્રેરે તેવી રીતે વિસ્તારથી લખાયું છે. મહેલમાં રહીને નગરના ચેકમાં એક મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ધામ રૂ૫ એક શાંત તપસ્વીને મૃગાપુત્રે જોયા, તે મુનિને નિરખી નિરખીને જોવા લાગ્યા. પછી તે એમ બોલ્યા: “ જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે અને એમ બેલતાં બોલતાં તે કુમાર શર્ભાનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું; ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવના બાધ જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર, મહારિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બેલ્યા કે પૂર્વ ભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવૃત્તવાન અભિલાષી થયો છું. સંસાર રૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને, મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા ઘો. કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે અહો ! ભાત, અને અહો ! તાત, જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળકિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવલ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે. રોગ, જરા અને કલેશાદિકનું એ શરીર ભાજન છે એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાલપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એ જેને નિયમ નથી. એ શરીર પાણીના ફીણના બુદ્દબુદા જેવું છે. એવા શરીરને વિષે સ્નેહ કેમ ગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જવર વગેરે વ્યાધિને તેમજ જરા, મરણને વિષે પ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુખ, મરણનું દુઃખ, એવા કેવલ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ-ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકલને છાંડીને માત્ર કલેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષનાં ફળનું પરિણામ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિષે અન્નજલ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધા-તૃષાએ કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ, જરાદિકની પીડા પામે. મહાપ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ સુધાતૃષાથી રહિત થઈ સુખને પામે; અલ્પ કમરહિત હોય; અશાતા વેદનીય રહિત હેય. હે! ગુરુજને, જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીણું વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લેક બળતે દેખીને જીર્ણ વસ્ત્ર રૂપ જરા-મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપ એટલે હું) તારીશ. - મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકાર્ત થયેલાં એનાં માતાપિતા બેલ્યોઃ “હે! પુત્ર, આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યત્નથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખ પડે છે. સંયતિને પિતાના આત્મા ઉપર અને પર આત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે એવું એ પ્રાણાતિપાત વિરતિ પ્રથમ વત યાવત જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે” એમ પાંચ મહાવ્રત, રાત્રિભોજનત્યાગ, ક્ષુધા આદિ બાવીશ પરિષહ સહન કરવાં કેટલાં કઠણું છે તે દરેકના સ્વરૂપ સહિત મુશ્કેલીઓ દર્શાવી વન વયને વિષે સંયમ તેને માટે દુષ્કર છે એમ માતાપિતા સાબિત કરે છે અને વૃદ્ધપણામાં ધર્મ આચરવા તેને ભલામણ કરે છે. - તેના ઉત્તરમાં તે જ્ઞાનવીર મુગાપુત્ર કહે છેઃ “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈએ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતા રૂપે અનેકવાર સહી છે, Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ S: ભાવના વ્યાધ ભેગવી છે. મહાદુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રદ્ર વેદના આ આત્માએ ભેગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિ રૂપ સંસાર-અટવિમાં ભમતાં અતિ રદ્ર દુઃખો મેં ભગવ્યાં છે.” એમ વિસ્તારથી પૂર્વ ભવે નરકમાં ભેગવેલાં દુખે ત્રાસ ઉપજાવે તેવી રીતે મૃગાપુત્રે કહી બતાવ્યાં ત્યારે તેનાં જનક-જનેતા એમ બોલ્યાઃ “હે! પુત્ર, જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રગત્પત્તિ વેળા વૈદક કોણ કરશે? દુઃખ નિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું: “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ મૃગ વનમાં વિહાર કરે છે, તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સપ્તદશ ભેદે સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ તૃણ જલાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમ ભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં, એ સંયમ હું આચરીશ.” પછી માતાપિતાની આજ્ઞા લઈ પિતે કહી બતાવ્યું હતું તેથી પણ અત્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી તે મોક્ષે ગયા. પ્રમાણુ શિક્ષામાં ઉદ્દેશ દર્શાવતાં કહે છેઃ “આત્મ-ચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગ વિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યા છે. સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.” સાતમી ભાવનામાં સત્તાવન આશ્રવઠાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાલ વર્ણવી કુંડરિક મુનિએ હજાર વર્ષ ચારિત્ર પાળી પરિણામ બગડી જતાં પોતાના ભાઈએ રાજ્ય પાછું આપ્યું તે ગ્રહણ કરી, સર્વ તેને પતિત માની ધિક્કારતા હતા તેનું વેર લેવાના વિચારમાં મરણ પામી સાતમી નરકે ગયે. આઠમી સંવર ભાવનામાં પાપ-પ્રનાલરૂપ આશ્રવઠારને રોકવા વિષે જણાવી કુંડરિકના ભાઈ પુંડરિકે ભાઈને મનિષ ગ્રહણ કરી એવો નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અથવાણે ચરણે પરવરતાં પગમાં કાંકરા કાંટા વાગવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહે એથી એ મહાનુભાવ મરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં એ જ ભાવનામાં બીજું શ્રી વજી સ્વામીનું દષ્ટાંત આપ્યું છે તેમાં તે કંચન કામિનીથી ચળ્યા નહીં; તે જોઈને તેમને ચલાવવા પ્રયત્ન કરનાર યુવતી રુકિમણીએ ચારિત્ર ગ્રહણ કર્યું, મન, વચન કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે. નવમી નિર્જરા ભાવનામાં બાર પ્રકારનાં તપનું વર્ણન કરી દઢ પ્રહારી સાતે વ્યસન સેવનાર બ્રાહ્મણપુત્રનાં પાપ જણાવી તેને Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવના મધ પશ્ચાત્તાપ થતાં ઉત્તમ ભાવનાએ પંચમુષ્ટિ કેશલુંચન કરી સાધુપણું ગ્રહણ કરી લેાકેાના સંતાપ સમભાવથી સહન કરવાને નિશ્ચય કરી કેવી રીતે સર્વ દુઃખ ખમીને ક્ષમાધર બન્યા, તેનું ટૂંકામાં વર્ણન કર્યું છે. દશમી લેાકસ્વરૂપ ભાવનામાં લેાકના પુરુષ આકાર વર્ણવી, ભુવનપતિ, વ્યંતર અને સાત નરકના અધેાલાક; મધ્ય લાકમાં અઢી દ્વીપ વગેરે અને ઊર્ધ્વ લેાકમાં બાર દેવલોક, નવ ગૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર સિદ્ધ શિલા છે એમ લેાકાલાક પ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે એમ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. ઉપ સેાળ સત્તર વર્ષની વયમાં શ્રીમને વર્તતા અદ્ભુત વૈરાગ્ય અને વિશાળ વાચનના ફળરૂપ ‘મેાક્ષમાળા' અને ‘ભાવના ખેાધ' ગ્રંથ લખાયા છે, તે દર્શાવવા તેમજ સુજ્ઞ વાંચનારને તેની પ્રસાદી ચખાડવાના ઉદ્દેશથી વિસ્તારપૂર્વક લખાણુ કર્યું છે. આથી જેને રુચિ ઉત્પન્ન થશે અને મૂળ ગ્રંથેાના વાચન, મનન તથા ધીરજથી પાચન થાય, સ્વીકાર થાય તેવા હિતકારી પુરુષાર્થમાં પ્રવર્તશે તેને તા અદ્ભુત વૈરાગ્ય, ઉત્તમ શ્રદ્ધા અને તે મહાપુરુષ પ્રત્યે પ્રેમ આદિ આત્માને ઉજ્જવળ કરનાર ગુણી અવશ્ય પ્રાપ્ત થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ અવધાન શ્રી વવાણિયા ગામ નાનું હોવાથી અને સુજ્ઞ મનુષ્યને છેડે સમાગમ હોવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું. સં. ૧૯૪૦ના અરસામાં તેમણે મોરબીમાં પ્રવેશ કર્યો હતે. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગો જાહેરમાં કરી બતાવતા; એટલે આઠ બાબત તરફ એકી વખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાઓ કરી બતાવવી. એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ અષ્ટાવધાન કરતા. આ વખતે જાણવા પ્રમાણે હિંદુસ્થાનમાં બે જ પુરુષે ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણાતા હતા. શ્રીમદ મેરબીમાં પધાર્યા તે અરસામાં તશોધક જનના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં; તે વખતે વણિકભૂષણ કવિ તરીકે પ્રખ્યાતિ પામતા શ્રીમને પણ અષ્ટાવ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અવધાન ધાનનું નિરીક્ષણ કરવા આમંત્રણ હતું. શ્રીમની સ્મરણુશક્તિ તે અદ્ભુત હતી; તેમણે અવધાન જોયાં કે તે શીખી લીધાં. ખીજે દિવસે વસંત નામે અગીચામાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. ખીજે દિવસે જાહેરમાં એ હજાર પ્રેક્ષકો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં જ આર્ અવધાન કરી અતાવ્યાં. સામાન્ય વિદ્વાન તરીકે લેાકેામાં એ જાણીતા હતા, પણ હવે તે। આ ચમત્કારી સ્મરણશક્તિથી લેાકામાં બહુ પ્રશંસા પામવા લાગ્યા. મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈ મેારખીમાં આવેલા તે વખતે હાઈસ્કૂલમાં મેટી સભા ભરીને બાર અવધાન તેમણે કરી બતાવ્યાં હતાં. તે વખતે શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈ એ કહ્યું કે આ વખતે હિંદ ખાતે તે। આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે વખતે શ્રીમદ્ધે રૂડું ઈનામ પણ મળ્યું હતું. HO ખાનગી પ્રસંગે શ્રીમને જામનગર જવાનું થયું હતું. ત્યાં તેઓએ ત્યાંના વિદ્વાન આગળ એ સભાએમાં ખરી અને સાળ એમ એ વિધિથી અવધાન કર્યા હતાં. બધા પ્રેક્ષકા પ્રસન્ન થયા હતા. અહીં તેમને ‘ હિંદના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું. જામનગરમાં મે વિદ્વાના આઠદશ વર્ષથી અવધાન કરવા માટે મહેનત કરતા હતા; પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી. તેથી ત્યાંના વિદ્વાનાને સેાળ અવધાને કરનાર પ્રત્યે બહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. વઢવાણુના પ્રદર્શનમાં એમણે કર્નલ એચ. એલનટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે એ હજાર દૃષ્ટાઓની સમક્ષ સેાળ અવધાના કરી બતાવ્યાં હતાં; તે જોઈ આખી જંગી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સધળા સભાજનેાના મુખમાંથી શ્રીમદ્ની અજબ શક્તિની અનેક પ્રકારે પ્રશંસા Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પ્રગટતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં ભાષણો થતાં જતાં હતાં. ગુજરાતી”, “મુંબઈ સમાચાર', “લોકમિત્ર” અને “ન્યાયદર્શક' પમાં પણ શ્રીમદ્દનાં યશોગાન થવા લાગ્યાં. બોટાદમાં એમણે એમના એક લક્ષાધિપતિ મિત્ર શેઠ હરિલાલ શિવલાલની સમક્ષ બાવન અવધાન કર્યા હતાં. વચ્ચે કંઈ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સેળ મૂકીને બાવન અવધાન કર્યા એ ઉપરથી શ્રીમનાં પરાક્રમ, હિમ્મત, શક્તિ અને બુદ્ધિબળના ચમત્કારનું કંઈક ભાન થશે. બાવન કામ–ચે પાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગંજીફે રમતા જવું, સેળ ભાષાઓના શબ્દો યાદ રાખતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સોળ જુદા જુદા ભાગેલા વૃત્તિમાં માગેલા વિષયો તૈયાર કરાવતા જવું –એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજાં કામને કંઈક ભાગ કરવો, પછી ત્રીજા કામને કંઈક કરો, પછી ચોથા કામને કંઈક ભાગ કરે, પછી પાંચમાને એમ બાવને કામને છેડે થોડે ભાગ કરો. ત્યારપછી વળી પહેલા કામ તરફ આવવું અને તેને છેડે ભાગ કરે, બીજાનો કરે, ત્રીજાને કરો એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી. લખવું નહિ કે બીજીવાર પૂછવું નહિ અને સઘળું સ્મરણમાં રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. કંઈક સમજાય તેવી સમજુતી નીચે આપી છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અવધાન (૧) ચેાપાટે રમતા જવું.ત્રણ જણ ચાપાર્ટ બીજા રમતા હતા તેમની સાથે ચેપાટે રમતાં જતાં અને વચ્ચે ખીજાં એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળા, લાલ અને કાળી એ ચાર રંગની સેાગઢીએ ધ્યાનમાં રાખીને કહી આપી હતી. ચેપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. પરંતુ જેના અંતઃકરણમાં ખીજી ચોપાટ ગેાટવાયેલી હતી તેને એ ચાપાટની પછી શી જરૂર હતી ? (૨) ગંજીફે રમતા જેવું—ચોપાટને પાસે નાખ્યા પછી ખીજા ત્રણ જણની સાથે શ્રીમદ્ ગંજીફે રમતા જતા હતા. અને છેવટે પેાતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. ૭૯ (૩) શેતરંજે રમતા જવું——તે જ વખતે શેતર’જ રમવા ખીજા એક જણની સાથે ચિત્ત પરાવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલ શેતરંજનાં પાળાં, ઊઁટ, અશ્વ, હાથી, વચ્છર, બાદશાહ નંબર વાર કહી આપ્યા હતા. (૪) ટંકારા ગણવા—એ વખતે એક જણ બહાર ઊભા રહીને ઝાલરના કારા વગાડતા હતા તે યાદ રાખીને સઘળા છેવટે કહી દીધા હતા. (૫) પડતી ચણાઠી ગણવી.શ્રીમના વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણાઠીએ નાખવામાં આવતી હતી તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી. (૬, ૭, ૮, ૯)—બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળાતે કામેાની સાથે ગણવા આપ્યા હતા તે ગણીને મનમાં રાખી છેવટે તેના જવાબ કહી બતાવ્યા હતા. (૧૦)—એક જણ હાથમાં માળાના મણુકા ફેરવતા જતા હતા, તેના તરફ પણ શ્રીમી નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મૂકવામાં આવી હતી. છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું. (૧૧ થી ર૬)–જુદી જુદી ભાષાઓના શબ્દ (સોળ ભાષાના શબ્દો) સેળ જણાને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના અકેકે અક્ષર શ્રીમદ્દને સંભળાવવામાં આવતો. પ્રથમ ત્રીજો અક્ષર અરબી વાક્યને કહેલ પછી ૧૭ મે લેટિનને કહેવાતે, બીજો અક્ષર સંસ્કૃત વાક્યને તે પછી ૪૧ મે અક્ષર ઉદ્દે વાક્યને એમ આડાઅવળા શબ્દો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિ વખતે ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી બતાવ્યાં હતાં. સંસ્કૃતને એક અક્ષર ચેાથે હોય અને એક પચાસ હોય એ બન્નેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગોઠવી લોકબદ્ધ કરી દેવા એ સહેલી વાત નથી. મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજ, આરબી, ફારસી, દ્રાવિડ અને સિંધી એમ સેળ ભાષાના ચાર અક્ષરે અપાયેલા હતા. એ ભાષાના શબ્દોનાં વિલેમ રૂપ એટલે અક્ષરે આપેલા તે ક્રમનું દષ્ટાંત નીચે પ્રમાણે છે: સંસ્કૃતનું વિલોમ સ્વરૂપ સ્ત્રી ના ર જ રિસ : | | | घोया को मुपगी कः रा वा विप | |||*||||* Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અવધાન દ શા શ્રીમદ્દે કહી આપેલેા ક્ષેાક बद्धो हि को यो विषयानुरागी को वा विमुक्तो विषये विरक्तः । " को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ॥ ગુજરાતી ભાષાના વાક્યનું વિલામ સ્વરૂપ નાં ત્ના ષ્ટિ જે પે સુ તે ભિ આ એ ઇ જી ય તે Jain Educationa International | # સુ થી વાં s ગુજરાતી વાક્ય કહી બતાવ્યું હતું તે આપના જેવાં રત્નોથી હજી સુષ્ટિ સુશોભિત છે, એ જોઈ ને આનંદ થાય છે. ' એવી રીતે બાકીની ચૈાદ ભાષાઓના વિલેામ સ્વરૂપે સાંભળેલા અક્ષર ઉપરથી ખરા સ્વરૂપે વાયા કે કાવ્યા કહી બતાવ્યાં હતાં. 5|0|Ð For Personal and Private Use Only ૧ (૨૭-૨૮)–બે જણ એ વિષયા, કાષ્ટકમાં આડાઅવળા અક્ષરા માગી પુરા કરાવવા ઈચ્છે છે. શ્રીમદં તે કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેના એક નમૂના અહીં આગળ આપ્યા છે. માગનાર જે નંબરના અનુક્રમ વિના અક્ષર માગે છે તે શ્રીમદ્ આપી તે કાવ્ય પૂર્ણ કરે છે. નીચેના કાષ્ટકમાં અક્ષરા ઉપર જે આડાઅવળા આંકડા મૂક્યા છે તે પ્રમાણે અક્ષરા મગાયા હતા, તે કાષ્ટકમાં ગાઠવતાં ભુજંગી છંદનું કાવ્ય બન્યું હતું. જેમકે પહેલા અક્ષરની માગણી એવી કરી કે ૪૬મા અક્ષર આપે, એટલે શ્રીમદ્દે ‘ળ’ આપ્યા. પછી ખો અક્ષર ૧૯મા માગ્યા એટલે ‘મ’ આપ્યા. એમ અડતાળીસ વખત Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અક્ષરની માગણી કરી. અક્ષરે ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણું છે એમ સૂચવે છે. કવિતાને હિમ્મત વિષે–ભુજંગી છંદ ૩૩૧૬ ૩૨૪૫ ૮ ૧૯૩૬૩૪૧૧ર૩ર૧ર ભ લી કા નિસાસા ધરે | કવિતા ૧૦ ૧૮૩૧ ૭૪૪૨૭ ૨ ૩૭૩૫૧૨૪૦ ૩૮ી | ડી ક માં કે મિતું કાવ્ય ગીતા ૨૮ ૨૬૩૦૧૫ ૬ ૪૭ ૩ ૪ર૧૩૪૬૨૨૪૭ હવે જો મને જે ડતાં હર્ષ દે છે ૯ ૧૭૪૮રપર૯ ૫ ૪ ૪૧૧૪ ૧૩૯ર૪ પ ક રી મૂજ | સંભાળ લેજે! (૩૬ થી ૫૨)–ળ જણુએ જુદા જુદા સોળ વિષયની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની અકેકી કડી અકેકું કામ કરતાં જતાં શ્રીમદે પૂર્ણ કરાવી હતી અને છેવટે તે સોળે નવી કવિતાઓ શ્રીમદને મે થઈ ગઈ હતી તે પિતે ગાઈ બતાવી હતી. તેમાંના બેત્રણ નમૂના નીચે આપ્યા છે. ૧. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડયાં છે? તે માટે તકે દેડાવ, અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી, એ વિષય આપેલો. [ શાર્દૂલવિક્રીડિત] અંગે શૈર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી ! પ્રેમી કાયરતા તણે અધિક છે, શાસ્ત્ર કથા એ ખરી; ભાગી જાય જરૂર તે ભયભર્યો, રે! દેખતાં કેસરી, , તે માટે રથ ચંદ્રને હરણિયાં જોડી દીધાં શ્રી હરિ!” Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિધાન ૨. કજોડાં માટે હિંદુઓને તિરસ્કાર-એ વિષય આપ્યો હતઃ [મનહર છંદ] કૂળ મૂળ પર મહી, શળ હાથે કરી રે, ભૂલ થકી ધૂળ કેમ કરે નિજ બાળિકા? કરે છે કસાઈ થકી, એ સવાઈ આર્ય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખ દાળિકા; ચેત ચેતે રે ચતુર નર ચેતો ચિત્ત, બાળ નહીં હાથે કરી, બાળ અને બાળિકા. અરે ! રાયચંદ કહો, કેમ કરી માને એહ, ચઢી બેઠી જેની કાંધે કેધ ધરી કાળિકા ! શીઘ્રતાથી કરેલાં કાવ્યમાં પણ ઝમક અને કલ્પના કેટલાં મનહર છે? ૩ કવિનું નામ પિતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દોહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આપ્યો હતો. [ હરે ] રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-ઑવિ નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ. છે. રવજીભાઈ દેવરાજે શ્રીમદ્ભ એક પ્રશ્ન પત્ર દ્વારા પૂછેલો કે એક કલાકમાં સે લેક સ્મરણભૂત રહી શકે ? તેના ઉત્તરમાં તેમણે એક કલાકમાં બાવન અવધાન થાય છે તે જણાવી માર્મિક ખુલાસો કર્યો હતો અને એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતું કે આ બાવન અવધાનોમાં ૫૦૦ લેકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. પછી પોતે જણાવે છેઃ તેર મહિના થયાં દેહોપાધ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સે Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા અવધાન તે હજુ પણ થઈ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના છે કે એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદ રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરે.” સં. ૧૯૪૨. સં ૧૯૪૩માં શ્રીમદની મુંબઈમાં સ્થિતિ હતી; અને ત્યાં પણ અનેક સ્થળે અવધાનના પ્રયોગો કરી બતાવેલા. મુંબઈમાં પિતાની શતાવધાન (સે અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઇન્સ્ટીટયૂટમાં અને અન્ય સ્થળોએ જાહેર પ્રજા સમક્ષ તેઓએ દર્શાવી હતી. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિની ક્રિયાઓથી તેઓને પ્રજાએ એક સુવર્ણચંદ્રક (ચાંદો આપ્યો અને “સાક્ષાત સરસ્વતી’ નું બિરૂદ આપવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૮૬-૮૭ માં મુંબઈ સમાચાર” જામે-જમશેદ’ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” “ગુજરાતી” “ઇડિયન સ્પેકટેટર ઈત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપાંમાં શ્રીમદ્દની અદ્દભુત શક્તિઓ વિષે લેખો આવતા હતા. તા. ૨૪-૧-૧૮૮૭માં “ટાઈમ્સ ઓફ ઈડિયા પત્રમાં અંગ્રેજીમાં છપાયું કે રાજચંદ્ર રવજીભાઈ નામના ઓગણીસ વર્ષની વયના એક યુવાન હિંદુની અદ્દભુત માનસિક શક્તિઓનું પ્રદર્શન નિરીક્ષણ કરવા અર્થે ગયા શનિવારે સાંજે ફરામજી કાવસજી ઈન્સ્ટીટયૂટમાં દેશી ગૃહસ્થને એક ભવ્ય મેળાવડો થયે હતે. આ પ્રસંગે ડે. પિટરસને અધ્યક્ષપદ લીધું હતું. અવધાન ઉપરાંત અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા તે જોવામાં આવ્યા હતા. તેઓને પ્રથમ એક ડઝન (બાર) જેટલાં જુદા જુદા કદનાં પુસ્તકો બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તેનાં નામ જણાવવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેઓની આંખે પાટા બાંધી બંધ કરવામાં આવી હતી; અને Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અવધાન તેઓએ તેમના હાથમાં જેમ જેમ પુસ્તક મૂકવામાં આવ્યાં, તેમ તેમ તે પુસ્તકોનાં નામ હસ્ત વડે સ્પર્શ કરી કહી દીધાં હતાં. એ જ તારીખના “જામે જમશેદમાં છપાયું છે કે ડો. પિટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા. અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પિતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું ઓછું હતું, તે કવિએ (શ્રીમદ્ રાજચંદ્ર) ચાખવા કે હાથ લગાડયા વિના માત્ર નજરે જોઈ કહી આપ્યું હતું – જામે જમશેદ'. “આ પછી થડાક વખતમાં મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ, ડોકટર પિટરસન, મિ. યાજ્ઞિક અને અન્ય પ્રતિષ્ઠિત પુરુષની પ્રેરણાથી શ્રીમદ્દનાં શતાવધાન જેવાને માટે એક મહાન લોકસભા બેલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અસાધારણ શક્તિવાળા યુવકની સ્તુતિ અને કદર લેકેએ અને પત્રવાળાઓએ ઉત્તમ રીતે પ્રદર્શિત કરી. સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈ ત્યાં પોતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી, પણ તેઓ તેમ કરી શક્યા નહીં, કારણકે તેમણે વિચાર્યું કે યુરોપમાં પોતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં.”-પાયોનિયર’ (અલાહાબાદ). Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ८ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ સાક્ષાત્ સરસ્વતી ' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં ભાઈ વિનયચંદ પાષટભાઈ દફતરીએ લખ્યું છે તેમાં શ્રીમદ્ન ૧૯ વર્ષ સુધીના ટ્રેક વૃત્તાંત પ્રગટ કરી અવધાન વગેરે શક્તિએ ઉપરાંત તે વખતનાં તેમનાં અપ્રગટ લખાણ વિષે થાડું લખ્યું છેઃ : '' ‘નીતિ, ભક્તિ, અહિંસા, શિયળ અને અધ્યાત્મ સંબંધી એ ગ્રંથ। ગુંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગુંથ્યા પણ છે. મેાક્ષમાળા’ નામે એક સુંદર ગ્રંથ હમણાં બહાર દેખાવ દેનાર છે; જેનું પૂર આશરે છ હજાર ક્ષેાક જેટલું થવા જાય છે. એ ગ્રંથ ગદ્યાત્મક છે. સૂત્રસિદ્ધાંતના માર્મિક ભેદ સમજાવવાની લાલિત્યયુકત પ્રેરણાએ એમાં કરી છે. જે મેાક્ષમાળા ઉપદેશ તરંગથી છલકાયા કરે છે; જે મેાક્ષમાળામાં ખરેખર મેાક્ષના માર્ગ મતભેદ વિના એધ્યેા છે અને જે મેક્ષમાળા સૂત્રસિદ્ધાંતના ટાર્ડ વખત દરેક શ્રાવકે વાંચવું સમજવું; છે; તે Jain Educationa International આપણું ધર્મપુસ્તક એક વાંચતાં ન આવડતું હાય For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ તેમણે બીજાને મેઢેથી શ્રવણ કરવું અને તેને રૂડે ઉપયોગ કરો એવી મારી સલાહ છે. નમિરાજ' નામે એક સંસ્કૃતના મહાકાવ્યના નિયમાનુસાર એમણે ગ્રંથ રચે છે; જેમાં શાંતરસ પ્રધાન રાખીને નવરસની રેલ છેલા કરી મૂકી છે; જેમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ પાંચ હજાર લોકના પૂરનો ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યો હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વ શક્તિના લાલિત્યનું ભાન થાય છે. એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર લોકોને ગ્રંથ એક દિવસમાં રચે છે; જે હમણું ધાંગધ્રાના એક ડોકટર પ્રસિદ્ધ કરનાર છે. એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે મારા ધર્મના છેડાએક લેકો કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને ! “વૈરાગ્ય વિલાસ” નામે જૈનધર્મનું એક રોપાનિયું હમણું એઓ બહાર પાડે છે.” ઉપર જણાવેલા ગ્રંથામાંથી “મેક્ષમાળા” સિવાય કોઈ ગ્રંથે હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા હશે કે નહિ તેની પણ માહિતી મળી નથી. પરંતુ ઉપરના વર્ણન ઉપરથી તે લેખકે તે ગ્રંથો દીઠા હોય એમ લાગે છે. હાલ જે લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયું છે, તેમાં “વચનામૃત'ના મથાળા નીચે ૧૨૦ બોલ “પુષ્પમાળાની શૈલીમાં પણ ધાર્મિક વિષયની મુખ્યતા રાખી સૂત્રાત્મક ઉપદેશ રૂપે લખાયેલ છે. તેના સાળમાં બેલમાં “વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ એમ જણાવ્યું છે તે સૂચવે છે કે તેમણે સાતસે બોલ લખેલા છે. “તત્વજ્ઞાન” નામને તેમનાં વચનેમાંથી તૈયાર કરેલ ના સંગ્રહ બહાર પડેલ છે. તેમાં “મહાનીતિ'ના સાતસે બેલ આપેલા છે; તે પણ આ અરસામાં લખાયેલા લાગે છે. સત્તર અઢાર વર્ષની ઉમ્મરે શ્રીમદે લખેલા દષ્ટાંતિક દેહરા એંશી પ્રાપ્ત થયા છે, તે અપ્રગટ છે. તેમાં નીતિ-વ્યવહારની શિખામણ મુખ્ય છે. દરેક દોહરામાં ઘણું કરીને સિદ્ધાંતને પ્રથમ જણાવી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. ઉદાહરણઃ ફરી ફરી મળી નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર. અતિજ્ઞાન ઉપજે તદા, પરમાત્મા પરખાય; પડળ ઉતરે આંખનાં, તદા સર્વ દેખાય. પ્રિય કાવ્ય પંડિતને, દૃષ્ટાંતિકનો દાવ; જેમ મેથી દકે બ્રાહ્મણ જનને ભાવ. બે બેલોથી બાંધી, સર્વ શાસ્ત્રને સાર; પ્રભુ ભજે, નીતિ સજે, પરંઠે પરોપકાર. દેશ ઉદય ઉપગનાં, વીર નરેનાં શિર; પ્રસુતા પીડા ટાળવા, સેપે સપુત શરીર. વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી જીવે જગત આ કદી કરે પણ કેર. રેષીને રૂડું કહે, બમણે આણે રેષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદેષ. શાંતિ મળે સદમથી, ભ્રાંતિ ટળે ભલી ભાત; કાંતિ દીપે કનક સમી, વિમળ વધે મન વાત. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ કાયા ભાયા ક્ષણિક છે, ઈન્દ્રધનુષ્યને રંગ; આકાશી કિલા અને, મૃગજળ તણા તરંગ. હોય સરસ પણ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘેચાય ? ” “બુદ્ધિપ્રકાશ'માં ઈ. સ. ૧૮૮૫ માં “શુરવીર સ્મરણ” વિષે શ્રીમદે લખેલા સવૈયા ચોવીશ છપાયા છે. તેમાં રણસંગને અજબ ચિતાર બહુ જોશદાર અને પ્રબળ વેગવાળી છટાદાર ભાષામાં આપી છેવટના ત્રણ સવૈયામાં એવા વિરેના હાલના વંશજ બાપનું નામ બળે એવા થયાથી જે અકથ્ય ખેદ થાય છે તેનું ચિત્ર કરુણરસ રેલાવી આબેહુબ વાંચનારનાં હૈયાં હલાવી મૂકે તેવું છે. બધા સવૈયા છપાયેલા હજી મારા જોવામાં આવ્યા નથી. લખેલી નકલ ઉપરથી ઉદાહરણ રૂપે નીચે આપ્યા છે સવૈયા ઢાલ ઢળકતી ઝબક ઝળકતી લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખુદે રણમાં ત્યાં, મૂછ મલકતી, ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરત ભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર, મારે જ્યાં માથામાં મુષ્ટિ, કરી નાખે ત્યાં કકડા કેડ, ફરી અરિ નહીં આવે પાસ, મનની મૂકે મમતા મેડ; બંક બહાદૂર બાણ કમાને, વજ વધુના મજબુત વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળ એવા રણધીર. કદિયે નહીં કાયાથી કંપે, છતે ત્યારે કંપે વીર, રણરંગી ને જબરા જંગી, ઉછળે જેને શિર્ય શરીર; કાયરતાના માયર નહીં એ, સાચા એ સાયર શરીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં ? રઢિયાળા એવા રણધીર. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ટાળક સંકટ, બાળક-નારી–ગા-બ્રાહ્મણ-પ્રતિપાળક પૂર્ણ, સંભાળક જે ધરા-ધર્મના, દુશ્મન-દળ કરનારા ચૂર્ણ ખરાખરીને ખેલ વિષે નહીં, પાછો પગ દેનારા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર. શત્રુની છાતીમાં સાલે, મુઆ પછી પણ માસ હજાર, નામ વડે ત્યાં પડે મૂતરી, જેના શત્રુના સરદાર; અને રિપુની રામા રડતી કદી રહે નહીં, લુછે નીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીરભીમ ભગીરથ ભારે ભીડ જે, કેવળ રૂપે કાળ કરાળ, રણભૂમિમાં ભય ઉપજાવે, યમરાજાથી પણ વિકરાળ; કુળદીપક એ કહીનૂરો, ધન્ય માતનું ધાવ્યા ક્ષીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર. બાણુ–શયામાં પિઢયા બહાદુર, ભીષ્મપિતા ભારે ભયકાર, અવધિ આપી અહા ! કાળને, છ માસની જેણે તે વાર; મહા-ભારતનું નામ પડયું તે એનું કારણ એવા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર. પાણી પૂર્વજનું ખોનારા, જાગ્યા આવા એને વંશ, બાપ–નામના બોળી બેઠા, ધિક્ક ! ધિક્ક ! એના આ અંશ ! મરો મૂડીને નર બાયલા, ઢાંકણીમાં નાખીને નીર, આર્ય–કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બઢો શીર ! હા! શિવ! હા! શિવ! ગજબ થયો છે? અજબ થઉં નિરખી આમ, આર્ય પરાધીન દીન થવાથી, રેતી નથી હૈયામાં હામ ! કાળજવું કંપે કરુણાથી, સ્થીતિ અવલેકીને આમ ! ઢળું ધરણુએ મૂચ્છ પામી, ભાષી હર ! હર ! હર ! હર ! રામ ! શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર ! શી હિમ્મત એના હૈયાની, રે ! શાં એનાં નતમ નીર ! Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ હાય ! હાય ! આ ગતિ થઈ શી! હાય ! હાય! શે કાળો કેર ! રાય”—હદય ફાટે છે હર ! હર !.(નથી જોવાતી આવી પર) સર વેટર સ્કોટનાં કંઠયુદ્ધો (Combats) શાર્ય-પ્રેમ (Romantic) પ્રેરક કાવ્ય જેણે વાંચ્યાં હશે તેને આ સવયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના ન રહે. પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદે કેટલા હદયના ભાવ જગાડયા છે તે તે પૂરું તે કાવ્ય વાંચવાથી જણાય. અને શ્રીમદે સાહિત્યનાં જે જે ક્ષેત્રમાં કલમ ચલાવી હતી તે તે સર્વ સ્થળે તે વિજયવંત નિવડયા વિના રહેત નહિ, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્દભુત કાવ્ય છે. શ્રી ચિદાનંદ મહારાજે લખેલા “સ્વરદયના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં. ૧૯૪૩માં શ્રીમદે શરૂ કરેલી લાગે છે તેની પ્રસ્તાવના પણ પિતે લખી છે. તેમાં આત્મજ્ઞાની શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંક રૂપરેખા તથા તેમની દશાનું વર્ણન કરેલું છે તે અપૂર્ણ દશામાં પ્રાપ્ત થયેલ છપાયું છે. શ્રીમદે કેવું વિવેચન લખવા ધારેલું તે છપાયેલા બે દેહરાના મર્મ પ્રકાશક વિસ્તાર ઉપરથી વિચારતાં એમ લાગે છે કે જે તે ગુહ્ય ગ્રંથનું વિવેચન પૂરું થવા પામ્યું હોત, તો આ જમાનામાં કાળજ્ઞાનને અભ્યાસ કરનારને માટી મદદ રૂપ થઈ પડત. જીવતત્ત્વ સંબંધી વિચાર' અને “જીવાજીવ વિભક્તિ” એ બે લેખ પણ અપૂર્ણ પ્રાપ્ત થયેલા પ્રસિદ્ધ થયા છે; તેમાં “નવતત્ત્વ પ્રકરણને મળતે વિષય ચર્ચેલો છે. એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે “મેક્ષમાળા” રચી તે વખતે અમારે વૈરાગ્ય–ગવાસિષ્ઠ'ના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી. રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલો છે તે હતો અને તમામ જૈન આગામે સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અદ્ભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના વીસમા અંકમાં, સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથન આદિ અને અંત ભાગ છપાયેલું છે; તે અપૂર્ણ દશામાં છે છતાં તે ગ્રંથને આશય “છેવટની ભલામણ” માં સ્પષ્ટ જણાય છે “કે જે મનુષ્ય એકવાર પ્રતિભા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છઉં કે મારા ભણું થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત, તો આપનાં અંતઃકરણો વધારે દૂભાત અને દૂભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંત:કરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે; ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છઉં. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી, તેમજ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટુંકામાં જણાવી દીધાં.” એ અપૂર્ણ ગ્રંથની શરૂઆત પણ બહુ મધ્યસ્થતાથી વિચારવા રોગ્ય છે; તેથી તેમાંથી છેડા ઉતારા લીધા છેઃ “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આભામાં હોય તે તવ પામવાનું ઉત્તમ પાત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વીસ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ આર્ય શો પિતા સા રાગ, કે અનાદિ કાળના મહા શત્રુરૂપ રાગ, દ્વેષ અને મહિના બંધનમાં તે (જિજ્ઞાસુ) પિતા સંબંધી વિચાર કરી શક્યું નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસાઓ છે. એમ સુલભબોધીપણુની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલવંત થાય. “સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બેધેલું વિશેષ માનવા ગ્ય છે. અત્યારે વીતરાગ દેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. “એ મત પ્રવર્તનનાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છેઃ (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય; (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ; (૩) મેહનીય કર્મને ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું; (૪) પ્રહાયા પછી તે વાતને માર્ગ મળતું હોય તે પણ તે દુલ્લભબોધિતાને લીધે ન ગ્રહો; (૫) મતિની ન્યૂનતા; (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણું મનુષ્ય; (૭) દુ:સમ કાળ; અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા એને કઈ (હા કરનારા નારાને કોઈ વિષયની સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી; પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કરતા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. “દુ સમ કાળના પ્રતાપે, જે લેકે વિદ્યાને બોધ લઈ શકયા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ (શ્રદ્ધા) સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કઈ નીકળે છે તેને વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણુ વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહે છે કે આપણું બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય છે જોઈએ; તેમ જ આપણા ગુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખ જોઈએ; પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રોનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમજ આપણે જે માનીએ છીએ, તે જ વીતરાગને બધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એને પણ અપેક્ષાથી જોતાં દેષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ ભાન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુનું મચ્છ રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભકિકતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મુંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશે; અને દેખશો તે તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. “તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ-તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શિલી માટે કઈ બેસવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે. પણ આ તે તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. “સંશોધક પુરુષ બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદગુરુ, સત્સંગ કે સશા મળવા દુર્લભ થઈ પડયાં છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પિતપોતાની ગાય છે. પછી સાચી કે જૂઠી તેને કઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પ કરી પિતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તે તેને અપ્રજનભૂત પૃથ્વી ઈત્યાદિક વિષયમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડયું છે. “આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈપણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી; છે, પણ બહુ જ અલ્પ, બહુ જ અ૫. પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે (જૈન) દર્શનની દશા જોઈ કરૂણા ઉપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જેશ તે આ મારું કહેવું તમને સપ્રમાણુ લાગશે. એ સઘળા મતેમાં કેટલાકને તે સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉથાપે છે (એ મુખ્ય વિવાદ છે). “બીજા મતમાં હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ દેવની આજ્ઞાના આરાધન ભણું છે. એમ સત્યતાને ખાતર કહી દઈ, દર્શાવું છઉં કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાકત, પ્રમાણેકત, અનુભક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. અને તે પદાર્થોને જે રૂપે બંધ થયે અથવા તે સંબંધી જે અ૫ શંકા હતી તે નીકળી ગઈ તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય, તે સુલભાધીપણાનું કાર્ય થાય; એમ ગણી ઢંકામાં કેટલાક વિચારે પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છઉં. “ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે કેટલાંક પ્રમાણે આગમન સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી જે તમે કહેતા હે તે આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી અનુભવસિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષ પિતાને ગમે તે હઠ પણ મૂકી દે છે. “આ મેટો વિવાદ આ કાળમાં જે ને પડયા હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. * પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છઉં, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી, પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છઉં. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી અને તેમ થવાથી આરાધકતા નથી. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદેવ રહિત થવાની પરમ જિજ્ઞાસા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે. અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાયલી મને જે સિદ્ધિ તે હવે કહું છઉં. તે સિદ્ધિને મનન Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા. “કઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેણે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે, તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે; માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે. તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખેડી નાખવા યોગ્ય નથી. જે તમે પ્રતિમા માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે; અને જો તમે પ્રતિમાના ઉત્થાપક તે આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કઈ ભાન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જ. “મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાને મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી, એમ ગણું મને અપ્રામાણિક ઠરાવશે તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મ મધ્યસ્થતાથી તપાસશો. ગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. “ ટુંકામાં કહેવાનું છે કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય, તો તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હાય તેમ માન્ય કરવું.” આ ગ્રંથ સંપૂર્ણ અવસ્થામાં મળે છે તે આજના શિક્ષિત મધ્યસ્થ વર્ગને બહુ ઉપયોગી થઈ પડત. શ્રીમદ્દને જે પ્રમાણસિદ્ધ અને હિતકારી લાગ્યું તે ગ્રહણ કરવામાં તેમની તત્પરતા કેવી છે તે આ અપૂર્ણ લેખથી પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. જગત Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઈશ્વરમાં પ્રથમ શ્રીમને શ્રહ્મા હતી તે વિશેષ વિચારે પલટાઈ ત્યારે કેવી મક્કમતા પ્રમાણુપૂર્વક પલટાયેલા વિચાર। દર્શાવવામાં દેખાઈ આવે છે તે ‘મેાક્ષમાળા'ના વિવેચનમાં આપણે જોઇ ગયા છીએ. શ્રી યોાવિજયજી આઠે ષ્ટિની સઝાયમાં તારા દૃષ્ટિનું વર્ણન કરે છે તે આ પ્રસંગે વિચારવું ઉચિત છેઃ ૨૮ “ જિજ્ઞાસા ગુણુ તત્ત્વતી, પણ નહીં નિજ હેઠે ટેક રે, એહ દૃષ્ટિ હોય વર્તતાં, યેાગ કથા બહુ પ્રેમ રે, અનુચિત તેહ ન આચરે, વાળ્યા વળે જેમ Jain Educationa International મનમાહન મેરે; મનમાહન મેરે. મનમેાહન મેરે. મનમેાહન મેરે. મનમેાહન મેરે. હેમ ૨, મનમેાહન મેરે.'' For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ વીશમા વર્ષમાં એક સ્નેહી ઉપર શ્રીમદે મુંબઈથી પત્ર લખે છે તે લગ્ન વિષે પોતાના વિચારો દર્શાવતો હોવાથી નીચે આપે છે લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છેતે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહે. પણ એઓ ભણુનું એક મમત્વપણું વરા કરાવે છે જેથી તે સઘળું પડતું મુકી વદ ૧૩ કે ૧૪ (પષની) ને રોજ અહીંથી રવાના થાઉં છું. પરાર્થ કરતી વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. આપણે અ ન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી; પરંતુ હદય-સગપણને છે. પરસ્પર લોહચુંબકને ગુણ પ્રાપ્ત થયો છે, એમ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દર્શિત છે છતાં હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હદય રૂ૫ કરવા માગું છઉં. જે વિચારો સઘળી સગપણુતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છઉં. “તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નિવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટેરિયાને દુર્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારે, તે વસ્તુ અને તે પદ કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારે માત્ર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુકલ અદ્દભુત વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા કે હું અહીં રહ્યા !” સં. ૧૯૪૩ પોષ વદ ૧૦ બુધવાર. સદ્ગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પિપટલાલભાઈનાં મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે શ્રીમનાં શુભ લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૦ને રેજ થયાં હતાં. ત્યારપછી એકાદ વર્ષ લખેલા એક લેખમાં શ્રીમદ્દ “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” એવું નામ આપી જણાવે છે: અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ - ૧૦૧ કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાના દેખાવ હૃદયમાં ચિત્રાઈ રહી હસાવે છે કે શી આ ભૂલવણું ? ટુંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે, અદ્દભુત આનંદમય જ છે; માટે એ દેષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું... “સ્ત્રીના સંબંધમાં કંઈ પણ રાગ, દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકો છું.” પિતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્દ એક ભાઇને સં. ૧૯૪૬ માં લખી જણાવે છેઃ “આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઇક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છઉં; એ આપના જાણવામાં છે. ગ્રહાશ્રમી જેને લઇને કહી શકાય છે, તે વસ્તુ અને મને, તે વખતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળe. કંઈ ઘણો પરિચય પડ્યો નથી; તે પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેને અને મારા સંબંધ અસંતોષ પાત્ર થયો નથી; એમ જણાવવાને હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છઉં કે મારે ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષ પાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી; તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હાવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું ! અધિકતર સૂજે છેઃ અને ખચિત તે તત્વજ્ઞાનને વિવેક પણ આને ઉગ્યે હતો; કાળના બળવત્તર અનિષ્ટ પણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિ-સંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડે; અને ખરે ! જો તેમ ન થઈ શક્યું હોત તો તેના જીવનને અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના.) - “મોક્ષમાળા” ના પાઠ ૧૨મામાં ઉત્તમ ગૃહસ્થ વિષે તથા પાઠ ૪૫મામાં “ સામાન્ય મનોરથ’ નામના કાવ્યમાં તેમ જ પાઠ. ૫૫મામાં સામાન્ય નિત્ય નિયમમાં ગૃહસ્થાશ્રમ સંબંધી પિતાના વિચાર કંઈક પ્રદર્શિત કર્યો છે. પરંતુ પાઠ ૬૧ થી ૬૬ સુધીમાં “સુખ વિષે વિચાર” લખી સંક્ષિપ્ત નવલકથાના રૂપમાં દ્વારકાના મહા ધનાઢય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર આલેખ્યું છે તેમાં આદર્શ ગૃહસ્થ પિતાની ચર્ચા વર્ણવે છે તેમાંથી થોડું નીચે પ્રદર્શિત કર્યું છે તે દરેક ગૃહસ્થ મનન કરવા યોગ્ય છેઃ જે કે હું બીજા કરતાં સુખી છઉં, તેપણુએ સાતા વેદનીય છે, સત-સુખ નથી. જગમાં બહુધા કરીને અસાતા વેદનીય છે. મેં Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ૧૦૩ ધર્મમાં મારે કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. સશાનાં વાચનમનન, પુરુષોના સમાગમ, યમ-નિયમ, એક મહીનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બન ગુપ્તદાન, એ આદિ ધર્મ રૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઇચ્છા રાખું છઉં. હમણાં નિગ્રંથ થઈ શકું તેમ નથી; એમાં સંસારમેહિની કે એવું કારણ નથી; પરંતુ તે પણ ધર્મ સંબંધી છે. ગૃહસ્થ ધર્મનાં આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મ સંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બધી યમનિયમમાં આવ્યું છઉં. દર સપ્તાહિકે આપણે ત્યાં પાંચસે જેટલા સહસ્થની સભા ભરાય છે. આઠ દિવસને નવો અનુભવ અને બાકીને આગળનો ધર્માનુભવ એમને બે ત્રણ મુહૂર્ત બધું છઉં. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રને કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રી વર્ગને ઉત્તમ યમનિયમને બેધ કરી સપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રને બનો પરિચય રાખે છે. વિદ્વાનનું સન્માન, અતિથિને વિનય, અને સામાન્ય સત્યતા–એક જ ભાવએવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એ બધા એથી સાતા ભેગવી શકે છે. લક્ષ્મીની સાથે મારાં નીતિ, ધર્મ, સગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મા–પ્રશંસા માટે હું કહેતા નથી, એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પુછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહે જઉં છઉં. “આ સઘળાં ઉપરથી હું સુખી છઉં એમ આપને લાગી શકશે, અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળt તેમ છે. ધર્મ, શીલ અને નીતિ તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યા નથી ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી કોઈ પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થડે અંશે પણ ઉપાધિ આપી શકે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું, ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતું નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું ? જેને વિગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સંપૂર્ણ કે વાસ્તવિક સુખ નથી.” આ વિચારે શ્રીમનું આદર્શ જીવન સમજવામાં ચાવી જેવા છે. મુખ્યત્વે એ જ લક્ષ રાખી નિગ્રંથ દશા પ્રાપ્ત કરવી અને તેવા વિચારવાળાને સહાયક થવું એવી ભાવનાથી તેમનું પ્રવર્તન ગૃહસ્થ અવસ્થામાં થયેલું તેમના પત્રરૂપ લેખો ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે. પાયોનિયર' પત્રમાં તેમના અવસાન સમયે આવેલા લેખ ઉપરથી પણ તેમના ગૃહસ્થ જીવન વિષે ખ્યાલ આવે તેમ હોવાથી તેમાંથી થોડું ટાંકી જણાવું છું વીસ વર્ષની વયે પ્રજાની દૃષ્ટિમાં પૂર્ણ રીતે તેઓ અદશ્ય થયા. પોતાની શક્તિ અને બુદ્ધિબળને ઉપયોગ પોતાના સમુદાય વર્ગમાં અને વિસ્તારથી સમગ્ર લેકને શિક્ષા અને જ્ઞાનબોધ આપવામાં કરવા માટે તેમણે નિશ્ચય કર્યો. તેઓ ઘણી નાની ઉંમરથી અતિશય Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પરિમાણમાં વાંચનાર હતા. તેમણે ષટ્ દર્શનની આલેાચના કરી; અને તેની સાથે પૂર્વ તેમજ પશ્ચિમની ફિલસૂફી (તત્ત્વવિચાર)નાં દર્શન જોયાં. જો કે આશ્ચર્યકારક લાગશે, પરંતુ આ તા વાસ્તવિક સત્ય છે કે તેમને પુસ્તકને પૂર્ણ રીતે ગ્રહણ કરવાને ફક્ત એક જ વખત વાંચવાની જરૂર રહેતી. અને સંસ્કૃત તથા પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તે તે ભાષામાંનાં પુસ્તકા માટા પંડિતાની પેઠે તેવી રીતે (એક વાર વાંચવાથી) તેઓ યથાર્થ રીતે સમજી શકતા અને ખીજાને સમજાવી શકતા. “ તેઓએ જોયું કે ધર્મગુરુએ વર્તમાનમાં સાંપ્રદાયિક દૃષ્ટિથી સંકુચિત, ટૂંક મર્યાદાવાળા વિચારા ધરાવે છે અને કાળના પરિવર્તન અનુસાર કેવી રીતે વર્તન કરવું જોઈ એ તે સમજતા નથી. "" વિશેષ જે આ સંસારને ત્યાગ કરી ત્યાગવૃત્તિ સ્વીકારે છે તેમાં કેટલાક સાંસારિક સંપત્તિઓના અભાવ તથા સંસારથી એક વા ખીજા કારણથી થયેલા અસંતેષને પરિણામે તેમ કરે છે. આવા પુરુષો પાતાના ચારિત્રની અસર તેના સમુદાય ઉપર પાડી શકતા નથી. શ્રીમની એવી માન્યતા હતી કે ધનવાન અને સાંસારિક સારી સ્થિતિવાળા પુરુષ સંસારના ત્યાગ કરે તે પોતાના ચારિત્રથી સંગીન હિત કરી શકે. જનસમાજ તેના શુદ્ધ હૃદય અને નિઃસ્વાર્થના સદ્ગુણુની ખાત્રી થવાથી તેના કહેવા પ્રમાણે દેરાવામાં ઘણું! જ તત્પર રહે અને તેના ઉપદેશથી લાભ મેળવતા થાય. આવા વિચાર શ્રીમા હતા. અને તેની સાથે જનસમાજ આગળ એક સાધુ (ધાર્મિ ક નાયક ) તરીકે રજુ થવા યોગ્ય સ્થિતિમાં એ મૂકાયા નથી એમ તેઓ માનતા હતા; અને તેથી જ ગૃહસ્થ દશાએ જ જીવન ગાળવાનું ચાલુ રાખ્યું હતું. તાપણુ તેમના આંતરિક વિચારા સંસાર પ્રત્યે તદ્દન ઉદાસીન વર્તતા હતા.” ૧૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અમદાવાદના ઓળખીતાએમાંથી યથાર્થ આળખનાર મુંબષ્ટથી વવાણિયા જતાં શ્રીમદ સં. ૧૯૪૩માં શેઠ પાનાચંદ ઝવેરચંદવાળાને ત્યાં અમદાવાદ ઊતર્યાં હતા. તે શેઠના એક માણસને સાથે લઈ મલ્લીચંદ જેચંદની પેઢીએ તેએ આવ્યા હતા. તે માણસે શ્રીમની ઓળખાણુ શેઠે જેશંગભાઇ ઉજમશીભાઇ તથા તેમના વડીલ લહેરાભાઈ તથા રંગજીભાઇ વગેરેને આપી કે આ મહેમાન આપણા સ્વધર્મી છે અને વિદ્વાન કવિ છે. તે વખતે વળાના કારભારી લીલાધરભાઈ વકીલ ત્યાં બેઠા હતા તેમણે શ્રીમદ્ની પાસે એક કાવ્ય રચવાની માગણી કરી; એટલે શ્રીમદે મનમાં એક કાવ્ય રચી સામા માણસને ખાનાં પાડેલા કાગળ આપી તેમાં આડાઅવળી ખાનામાં અક્ષરા લખાવ્યા અને બધાં ખાનાં પુરાઇ જતાં અનુક્રમે વાંચતાં એક સુંદર કાવ્ય થયું તે વાંચી સર્વને આનંદ થયા હતા. મેક્ષમાળા ' છપાવવા માટે શ્રીમદ્ સં. ૧૯૪૪માં ફરી અમદાવાદ આવ્યા ત્યારે પણ પ્રથમ શેઠ પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યો હતા. પછી ટંકશાળમાં શેઠે ઉમાભાઇને ધેર રહ્યા હતા. શેઠે જેશંગભાઇ " Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ આળખનાર ઉજમશીભાઈના સ્નેહી મારીવાળા વિનયચંદ પોપટલાલ દફ્તરીને કાગળ લઈ શ્રીમદ્ ભાઈ જેશંગભાઈ શેઠ પાસે આવ્યા હતા. તે ભલામણપત્ર અનુસાર ‘મેાક્ષમાળા’ છપાવી તેની અમુક પ્રતા લેવા વગેરેની મદદ તેમણે યથાશક્તિ કરી હતી. તેમના ઉતારે શેઠ જેશંગભાઇ ઘણી વખત રાત્રે જતા. શ્રીમદ્ તેમના મનની વાતા જાણીને પ્રગટ કહેતા તેથી તેમને તથા સમાગમમાં આવનારને આશ્ચર્ય લાગતું અને વિદ્વાન માટા માણસ છે એમ જાણી શકેલા; પણ આત્મકલ્યાણુની ભૂખ તે વખતે લાગેલી નહિ તેથી યથાર્થ ઓળખાણ થયેલું. નહિ. બહારની આડત સાથે વિશેષ સંબંધ હૈાવાથી પ્રસંગાપાત શેઠ જેશંગભાઇને પરગામ જવું પડતું અને નિવૃત્તિ એછી મળતી તેથી તેમના નાના ભાઇ શ્રી બૂટાભાઈને તેમની સ્વાગતમાં સુપરત કર્યા હતા. શ્રી. જૂટાભાઈ શ્રીમદ્ની બરદાસ રાખતા. તેથી તેમને શ્રીમદના વિશેષ પરિચય થયા અને પૂર્વેના સંસ્કારને લઇને ગાઢ એળખાણ થયું; અને શ્રીમદ્ પ્રત્યે તેમના પૂજ્યભાવ વધતા ગયા. આ વખતે શ્રી જૂઠાભાઇ સાથે શ્રીમદ્ તેમની દુકાને ઘણી વખત જતા, ખેસતા અને બીજાના મનની વાતેાજાણી કહેતા તેથી તેમને વિનાદ ઊપજતા. શે: દલપતભાઈ ભગુભાઈ તે વંડે શ્રીમદે એ અરસામાં અવધાન કરી બતાવ્યાં હતાં. તે જોઇને તથા દરરાજના પિરચયથી આત્મપ્રભાવની છાપ પડવાથી શ્રી જૂઠાભાઈ તે શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરગુણાની યથાર્થ ઓળખાણ થયેલી; તેથી તે શ્રીમના બહુ ગુણગ્રામ કરતા. ૧૭ એક વખત શેઠ દલપતભાઇને પુસ્તક ભંડાર જોવા શ્રીમદ્ શ્રી જૂટાભાઈ સાથે પધારેલા તે વિષે શ્રી જાડ઼ાભાઇએ શેઠ જેશંગભાઇને વાત કરેલ કે શ્રીમદ્ પુસ્તાનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકાનું રહસ્ય સમજી જતા. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ રાજચંદ્ર જીતકળા વિવાણિયા જઈ આવી ફરી સં. ૧૯૪૫માં કાર્તિક શુદ ૧૫ લગભગ શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા હતા. તે વખતે ઘણા જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાનવાર્તા કરવા આવતા. તે વખતે સાધ્વી દિવાળી બાઈ ત્યાં હતાં, તેમની સાથે શ્રી જૂઠાભાઈ અને તેમના કાકે કર્મચંદભાઈ સમક્ષ જ્ઞાન અર્થે પ્રશ્નોત્તર થતા. શ્રી જૂઠાભાઈને ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્દ અમદાવાદ આવતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. શ્રી જૂઠાભાઈ શ્રીમદ્દ સાથે મોરબીમાં દોઢબે માસ રહેલા; એક વખત શ્રીમની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધર્મનિમિત્તે તેમને પરસ્પર થતો. શ્રી જૂઠાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વર્ધમાન થતી જતી હતી. ખંભાતથી ભાઈ અંબાલાલ લાલચંદ અને એકબે ભાઈએ કઈ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા તે સરખી ઉમ્મરના હેવાથી શ્રી જૂઠાભાઈને ત્યાં જતા. વર નીકળવાનું હતું ત્યારે ભાઈ અંબાલાલ વગેરે શ્રી ઠાભાઇને બોલાવવા આવ્યા કે ચાલો વરઘડામાં જઈએ. તે સાંભળી યુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઇને તે ગમ્યું નહિ અને શ્રીમદ્દ વિષે કંઈ વાત તેમને કહેવાની ઊર્મિ થઈ આવી પણ પાછું મન ખેંચી લઈ એટલું બોલ્યા કે ક્યાં પ્રતિબંધ કરું? તે સાંભળી તે ભાઇઓએ પૂછ્યું કે શું કહે છે ? અમને સમજાયું નહિ. તેમના વૈરાગ્યની છાપ તે ભાઈઓ ઉપર પણ પડી તેથી તે તેમની પાસે તેમને કહેવાનું હોય તે સાંભળવા બેઠા. શ્રીમદ્દ સંબંધી ગુણગ્રામ તેમણે કર્યા અને તેમના આવેલા પત્રો તેમને વંચાવ્યા. તે વાંચી તે સંસ્કારી ભાઈઓને પણ શ્રીમદ્દનાં દર્શન સમાગમની અભિલાષા થઈ. તેથી તે પત્રોની નકલે તેમણે ઉતારી લીધી અને શ્રીમહને ખંભાત પધારવા વિનંતિ પત્રથી કરી. લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા છતાં શ્રી જૂઠાભાઈના સમાગમે તેમને ધર્મની Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ એળખનાર ૧૦૯ લગની લાગી ગઈ. શ્રી જૂઠાભાઇનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહેતું. તે પ્રસંગે શ્રીમદે લખેલા અનેક પત્રો ધર્મધ્યાન પ્રેરનારા તેમને બહુ લાભદાયક નિવડ્યા હતા અને પરિણામે “મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ” તેમના અંતરમાં પ્રકાણ્યું હતું. શ્રી જાદાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ ના વૈશાખ શુદ ૩ ના રોજ શ્રીમદ્દ લખે છેઃ “આ ઉપાધિમાં પડયા પછી જે મારું લિંગ-દેહ-જન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય,–યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અશાડ શદી ૯ ગુરુની રાત્રે સમાધિ શીત થઇ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” અવસાન સંબંધી શ્રી જૂઠાભાઈને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્ય દશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમનાં કુટુંબીઓ તેમને સમ્યફ જ્ઞાન થયું છે એમ જાણું શકેલાં નહીં. શ્રીમદે અષાડ સુદ ૧૦ સં. ૧૯૪૬ માં લખ્યું છેઃ “લિંગ દેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાય. પવિત્રામે જpઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.” શ્રીમદે આશ્વાસન પત્રમાં શ્રી જૂઠાભાઈની અંતરંગ દશા વર્ણવી છે તે સર્વને મનન કરવા યોગ્ય છે? “એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી. વીતરાગનો પરમરાગી હતા. સંસારને પરમ જુગુસિત હતો. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યફ ભાવથી વેદનીય કર્મ વેદવાની Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેની અભુત સમતા હતી. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. એ એ જૂઠાભાઇને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયા. ધર્મના પૂર્ણાહૃાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હેય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું સમ્યફપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઇને નમસ્કાર હે ! નમસ્કાર હે !” Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ - અવધાનથી શ્રીમની ર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્ર દ્વારા હિંદુસ્થાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે “ભગતના ગામ” તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષ્મી સંબંધી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી. પણ પુણ્યને ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ, ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે તેમાંના કેઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કોઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પિતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તે ઉપાય બતાવવા. વિનંતિ કરી. પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઇને ઘણો ઠપકો આપ્યો અને આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી માયાની વાત કરો છે એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈએ કહ્યું: “બાપજી, Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું મને કંઈ બતાવે.” તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન’ બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી ગ્યતા નથી પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ સાધનનું તે આરાધના કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છોડી દીધું; અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણો આગ્રહ કર્યો અને કહ્યું “તમે કહેશે તે હું કરીશ, પણ તમે જે સાધન કરે છે તે મને બતાવે.” લલ્લુભાઈ કહેઃ “હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું: “બનશે.” પછી લલ્લુભાઈએ કહ્યું: “સાધુને વેશ ઉતારી, મુમતી છડી નાખી અપાસરે જાઓ.” સાધુ કહેઃ “એ તે કેમ બને?” લલ્લુભાઈએ કહ્યું: “તે આવ્યા હતા તેમ પાછા પધારે.” પિતાના પુત્ર ભાગ્યભાઈને લલ્લુભાઈએ “બીજજ્ઞાન' બતાવ્યું હતું. અને કઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્દ જ્યારે મેરબીમાં હતા ત્યારે સેભાગ્યભાઇને પણ કામ પ્રસંગે મેરબી જવાનું હતું; એટલે લલુભાઈને તેમણે પૂછયું: “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તે આપની આજ્ઞા હોય તે તેમને હું “બીજજ્ઞાન’ બતાવું.” લલ્લુભાઈએ હા પાડી એટલે તે મેરખી ગયા ત્યારે શ્રીમદ્દને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સોભાગ્યભાઈને આવતા પહેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ ૧૧૩ તેમણે પિતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે ભાગ્યભાઈ નામના માણસ “બીજજ્ઞાન’ની વાત બતાવવા આવે છે તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ધારતા હતા તે લખી રાખી ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સોભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્દ બોલ્યા: આવો, સેભાગ્યભાઈ સેભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને કયાંથી લાવ્યા? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું: “આ ગલામાં એક કાપલી છે તે કાઢીને વાંચે.” ભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જોઈ તે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેમને જે વાત કરવી હતી તે બધાનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કેઈ અલૈકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમદ્દને પૂછ્યું: “સાયલામાં અમારા ઘરનું બારણું કયી દિશામાં છે?” શ્રીમદે અંતર જ્ઞાનથી જાણું યથાર્થ ઉત્તર દીધે એટલે સોભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. આ પ્રથમ પ્રસંગથી સોભાગ્યભાઇને શ્રીમદ્દ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક યોગના અભ્યાસીની તેમને સેાબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચેટ થયેલી હતી. પરંતુ શ્રીમદ્દ સાથે તેમને પત્રવ્યવહાર ઘણો રહ્યું અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થઈ પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગેસળીઓ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા. એક પત્રમાં શ્રી સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ જેઠ શુ. ૧૪ ને રવિવારે શ્રીમને લખી જણાવે છે Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આ કાગળ છેલ્લે લખી જણાવું છું.હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. ... દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો નહોતે. પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બે ફટ જુદા દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે. ગેસળ આ વિષે જે કઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઇ છે તે હવે વખતેવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચઢાવશો. વગર ભયે, વગર શાસ્ત્ર વચ્ચે થોડા વખતમાં આપના બોધથી અરથ વગેરેને ઘણે ખુલાસે થઈ ગયું છે. જે ખુલાસે પચીસ વર્ષે થાય એ હેતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.” શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સોભાગ્યભાઈ ઉપર લખેલા. “શ્રામ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૭૧૩, ૭૧૪, ૭૧૫ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિ મરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે. આર્ય શ્રી સોભાગ્યભાઈને દેહ સં. ૧૯૫૩ ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તે વિષે જણાવતાં શ્રીમદ્દ લખે છેઃ જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં દઢ મેહથી એકપણુંની પેઠે વર્તે છે, જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. “આ ક્ષેત્રે આ કાળે શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ ૧૧૫ અમને વારંવાર ભાસે છે. શ્રી સૌભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે.” શ્રીમને સમ્યફજ્ઞાનની પ્રાપ્તિ હતી છતાં મુમુક્ષુ જીના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી ભાગ્યભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓને કંઈશ્રીમદ્દને કહેવું હોય તો વૃદ્ધ શ્રી ભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા; અને દયાળુ દિલના હોવાથી તે સરળભાવે દરેકની વાત રજુ કરતા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની પ્રેરણા પણ શ્રી ભાગ્યભાઇએ કરેલી કે “છ પદને પત્ર” ગદ્ય હોવાથી મુખપાઠ થતો નથી તે તે ભાવાર્થનું પદ હોય તે સર્વ મુમુક્ષુઓના ઉપર મહા ઉપકાર થાય. એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ શ્રી આત્મસિદ્ધિ વિષે લખે છેઃ ગોસળીઓ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે, તેમજ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યા ન હતા તે આજ સુધી દેહ રહેવું મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મોકલવા લખ્યું છે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય. નીકર પછી આંખે સૂઝે નહીં ત્યારે વાંચી શકાય નહીં; અને જ્યારે પિતાથી વંચાય નહીં ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહીં. માટે કૃપા કરી મોકલાવશે. ઘણું શું લખું ? ” શ્રીમદ્દ પિતાની ઉપકાર ધમાં લખે છેઃ “હે! જિન વીતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળ “હું ! કુંદકુંદાદિ આચાર્યાં, તમારાં વચને પણ્ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. ૧૧ “ હે ! શ્રી સેાભાગ, તારા સત્તમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.” વળી શ્રીમદ્ લખે છે: “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું, અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. ’’ “લૈાકિક દૃષ્ટિએ તમે અમે પ્રવર્તેશું, તે પછી અલૈાકિક દૃષ્ટિએ કાણુ પ્રવર્તશે ? ‘માગી ખાઇને ગુજરાન ચલાવીશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુ:ખ તૃણુવત્ છે.” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારે। નમસ્કાર હે ! એવું જે વચન તે ખરી યાગ્યતા વિના નિકળવું સંભવિત નથી.’’ જેના યેાગે અને ખાધે અન્ય જીવને અંતરંગ વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમાધિ મરણની અને સમ્યક્ દર્શનની પ્રાપ્તિ સુલભપણે થતી તે શ્રીમની અદ્ભુત અલૈકિક આત્મિક દશાનું વર્ણન કરવાને આ લેખિની સમર્થ નથી. જ્યાં મતિની ગતિ પહેાંચતી નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? તેથી જ કાર્ય ઉપરથી કારણની સમર્થતા સમજાય એવા પરિચયી જનાના પ્રસંગની કથા વડે શ્રીમદ્ની કથા સમજવી સુલભ જાણી તેમને પ્રભાવ સંસ્કારી જીવા ઉપર કેવા પડતા તે જણાવવા પ્રયત્ન કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ખંભાતના મુમુક્ષુજનો શ્રી જૂઠાભાઈના સમાગમથી ભાઇશ્રી અંબાલાલ લાલચંદ આદિ ખંભાતના જે ભાઈએ અમદાવાદ ગયેલા તેમને શ્રીમદ્ભા સમાગમની તીવ્ર પિપાસા જાગી હતી. તેથી તેમણે શ્રીમદ્ ઉપર ખંભાત પધારવાની વિનતિ રૂપે પંદરવીસ પત્રો ઉપરાઉપરી લખ્યા અને ખંભાત પિતે ન પધારી શકે તે વવાણિયા આવવાની તેમણે આતુરતા જણાવી આજ્ઞા મગાવી. છેવટે ખંભાત અનુકૂળતાએ આવવાનું બનશે એવો પત્ર આવવાથી તે ભાઈઓને સંતોષ થયે. સ્થાનકવાસી સંપ્રદાયના આ ભાઈઓ હતા તેથી દરરોજ અપાસરે જતા ૫ણ શ્રી જૂઠાભાઈને સમાગમ થયા પછી તે એકાંતમાં અપાસરામાં બેસીને શ્રીમદ્ભા પત્રો ઉતારી આણેલા તે વાંચતા વિચારતા. વ્યાખ્યાનમાં જતા નહિ. એક દિવસે તે પત્ર વાંચતા હતા ત્યારે તે ખંભાત સંધાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ મેડે વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર વાંચતા હતા. અને નીચે તે મહારાજના સાધુઓમાં પ્રભાવશાળી Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ અને વિનયસંપન્ન ગણાતા શ્રી લલ્લુજી મહારાજ એક શાસ્ત્ર ભણેલા પાટીદાર ભાઈ દામોદરભાઈ સાથે ઉપરથી વાંચેલાં શ્રી ભગવતી સૂત્રનાં પાનાં આવતાં તે વાંચતા હતા. તેમાં ભાવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય છે એ વાત વાંચતાં શ્રી લલ્લુજીને શંકા થઈ કે જે ભવસ્થિતિ પાકશે ત્યારે મેક્ષે જવાશે એમ જ હોય તો આ સાધુપણું લઈ પરિશ્રમ ઉઠાવવાની શી જરૂર ? એ વાત ચાલતી હતી તેવામાં ભાઈશ્રી અંબાલાલ લાલચંદ આદિ ભાઈઓ વાતો કરતા હતા ત્યાં શ્રી લલ્લુજ મહારાજની દૃષ્ટિ પડતાં તેમને ધર્મનેહથી ઠપકો દીધો કે ત્યાં શું કરો છો ? ઉપર વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાઓ કે અહીં આવો. એટલે તે તેમની પાસે જઈને બેઠા અને “ભવસ્થિતિ” ને પ્રશ્ન ચર્ચાતું હતું તેને ખુલાસે યથાર્થ ન થ એટલે શ્રી અંબાલાલે તેમને શ્રીમદની વાત કહી સંભળાવી કે તે સર્વ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે અને અહીં ખંભાતમાં પધારવાના છે. તે ઉપરથી શ્રી લલ્લુજીએ પૂછ્યું: “અમને તે પુરુષને મેળાપ કરાવશે ?” તેમણે હા પાડી. હરખચંદજી મહારાજને “ભવસ્થિતિ સંબંધી શ્રી લલ્લુજીએ પ્રશ્ન પૂછો પણ સંતોષકારક ઉત્તર નહિ મળે અને શ્રીમદ્દને આવવાની છે વાત સાંભળવાથી તેમનું ચિત્ત તેમને મળવા તલસી રહ્યું હતું. તેવામાં સં.૧૯૪૬માં શ્રીમદ્દનું ખંભાતમાં પ્રથમ પધારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પિતાના પિતા લાલચંદભાઇની સાથે શ્રીમને અપાસરે તેડી ગયા. શ્રીમદે અવધાન કરવાં છોડી દીધાં હતાં. પરંતુ લાલચંદભાઈ તેમજ હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવધાન કરી બતાવ્યાં. સર્વ સાધુ વર્ગ વગેરે શ્રીમદની વિદ્વત્તા અને અભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા. બીજે દિવસે શ્રીમદ્દ ઉપાશ્રયમાં આવ્યા અને હરખચંદજી મહારાજને Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના મુમુક્ષુજને પ્રશ્ન પૂછ્યું કે આ કાળમાં ક્ષાયક સમીકીત હોય કે નહીં ? ત્યારે મહારાજે ના પાડી તેથી શ્રીમદે ફરી પૂછ્યું: “કેઈ શાસ્ત્રમાં છે?” હરખચંદજી મહારાજે કહ્યું “દશમા ઠાણગમાં ક્ષાયક સમીત ન હોવા વિષે છે.” શ્રી લલ્લુજીએ ઠાણાંગ સૂત્ર આપ્યું તે તપાસતાં તેમાંથી એ વાત મળી નહીં. શ્રીમદે દશમ ઠાણાંગને ભાવ વાંચી સંભળાવ્યું તે સાંભળતાં સર્વને શાંતિ ઊપજી અને તેમની વિદ્વત્તાની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીમદ્દજીને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતિ કરી અને હરખચંદજી મહારાજને પૂછ્યું: “હું તેમની પાસેથી કંઈ અવધારું?” હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલુજીએ ઉપર જઇને શ્રીમદને નમસ્કાર કર્યો. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણું અટકયા વગર નમસ્કાર કર્યા. આ સામાન્ય લાગતે પ્રસંગ અનેક જીવોનાં જીવન પલટાવનાર, અસત્યમાંથી સત્યમાં લાવનાર, અનેક પ્રકારના આગ્રહ રૂપી ખાડા ટેકરા ઓળગાવી વિદ્યાધરના વિમાનમાં પ્રવેશ કરાવી તત્ત્વજ્ઞાનરૂપી આકાશમાં વિહાર કરાવનાર, ચમત્કારી ક્રાંતિકારક હતા. ઉમ્મરમાં શ્રીમદ્દથી ચિદ વર્ષે મેટા આ સાધુ, ધનાઢય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વનો ત્યાગ કરી બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષા લઈ, તે વખતે ખંભાત સંધાડામાં માત્ર ચાર જ સાધુ રહ્યા હતા તેની સંખ્યા બમણું કરનાર અને વિનયાદિ ગુણોથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ વર્ષમાં પ્રધાન પદ પામનાર, તેમજ તેમના દીક્ષિત થયા પછી તે સંવાડામાં ચાદ સાધુઓ થઈ જવાથી સારાં પગલાંના ગણતા મંગલકારી તથા ભકિક આ આગેવાન સાધુ, માત્ર બાવીસ વર્ષની યુવાવસ્થામાં પ્રવેશ કરનાર જૈનધર્મી વિદ્વાન કવિ તરીકે ગણાતા ગૃહસ્થને નમસ્કાર કરે એ આશ્ચર્યકારક વિરલ પ્રસંગ અચાનક એકાંતમાં વિધિવશ બની આવે; Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તે કોઈ કુશળ કૃષિકાર ખેતરના ખૂણામાં એકાંત નાના કયારામાં ઇલાયચીનાં બીજ વાવે તે આ પ્રસંગ, હાલ મેટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર-આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્દ લઘુરાજ ' સ્વામીને સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠને દિવસ ગણવા ગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આભે. શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછયું: “તમારી શી ઈચ્છા છે?” સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું: “સમકત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણું છે.” શ્રીમદ્દ ડીવાર મૌન રહ્યા અને કહ્યું “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગને અંગુઠે તાણ શ્રીમદે તપાસી જોયે; અને ઊઠીને બધા નીચે ગયા. શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું “આ પુરુષ સંસ્કારી છે.” બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપે છે ?” સ્વામીજીએ કહ્યું: “આપને દેખીને અતિ હર્ષ પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વ ભવના પિતા હે, એટલો બધે ભાવ આવે છે; કોઈ પ્રકારને ભય રહેતો નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” - શ્રીમદે ફરી પૂછયું: “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું: “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું; અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લ્યો.” - શ્રીમદે “સૂયડાંગ' સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વગેરે વિષે બોધ કર્યો. સાત દિવસ સુધી શ્રીમદ ખંભાત રહ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના સુસુક્ષુજના ત્યાં સુધી શ્રી લલ્લુજી સ્વામી રાજ શ્રીમા સમાગમ અર્થે શ્રી અંબાલાલને ઘેર જતા. "C એક દિવસે હરખચંદજી મહારાજે શ્રી લલ્લુજીને પૂછ્યું, કે તમારે શી વાત થાય છે? શ્રી લલ્લુજીએ ટૂંકામાં એટલું જ કહ્યું: જ્ઞાન અને ક્રિયા ખન્ન કરવાનું કહે છે.” હરખચંદજી માલ્યા : “ પહેલે સબ ખાતે કરતા થા, અબ કુછ નહીં કહતા.” એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને કહ્યું: “ હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ ( એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાયાત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી. sr શ્રીમદે કહ્યું: “ લાકષ્ટિએ કરવું નહીં; લેાક-દેખામણુ તપશ્ચર્યાં કરવી નહીં. પણ સ્વાદના ત્યાગ થાય, તેમજ ઉણાદરી તપ (પેટ ઉણું રહે તેવું, ખૂબ ધરાઇને ખાવું નહીં) થાય તેમ આહાર કરવા; સ્વાદિષ્ટ ભાજન હોય તે બીજાને આપી દેવુ.” ', ૧૨૧ સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જા હું છે, એમ અભ્યાસ કરું છું.” Jain Educationa International શ્રીમદે કહ્યું: “આત્મા છે એમ જોયા કરેા.” શ્રી અંબાલાલભાઇ, ભાઇ ત્રિભાવનભાઈ આદિ અનેક ભાઇઓને ખંભાતમાં શ્રીમદ્ન સમાગમ થયેલે! અને ધર્મજિજ્ઞાસા જાગ્રત થયેલી. તેથી શ્રીમદ્વે મુંબઈ જવું થયું તાપણુ પત્રવ્યવહારથી તે ધર્મજિજ્ઞાસા પોષતા રહેતા હતા. For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે “અંતરંગ ગુણ ગોઠડી રે, જન રંજન રે લોલ; નિશ્ચય સમકીત તેહ રે, દુઃખ ભજનો રે લાલ. વિરલા કંઈક જાણશે રે, જન રજને રે લોલ; તે તે અગમ અહ રે, દુઃખ ભજવે રે લાલ.” શ્રી યશોવિજયજી. પાયોનિયર' પત્રમાં શ્રીમન્ના જીવનની રૂપરેખા છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ જ્યારે શ્રીમદ્ ૨૧ વર્ષના હતા ત્યારે તેમણે ધંધામાં પ્રયાણ કર્યું અને ઘણા ટૂંક વખતમાં એક બાહોશ ઝવેરી તરીકેની નામના મેળવી. વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેઓએ ખલેલ આવવા દીધી નહિ. પિતાના ઉદ્યોગરત જીવનમાં ચૂપકીદીથી જ્ઞાનવૃદ્ધિ કરતા હતા. તેમ જ હમેશાં પુસ્તકમાં ગુંથાયેલા રહેતા હતા. વળી વર્ષમાં કેટલાક Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ “સમીત શુદ્ધ પ્રકાશ્ય રે” ૧૨૩ મહિનાઓ તે પોતે મુંબઈ છોડી ચાલ્યા જતા અને પિતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહિ, ત્યાં સુધી કેઈએ પિતાની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવો નહિ. ગુજરાતનાં વનમાં તેઓ એકાંતવાસ ગાળતા અને ત્યાં રહી ચિંતવન અને વેગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા. તેઓ રખેને પિતે ઓળખાઈ જાય અથવા પિતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણું ગુપ્ત રહેવાને હમેશાં પ્રયાસ કરતા, છતાં તેઓ વારંવાર એાળખાઈ જતા અને લોકોની મેટી સંખ્યા તેમના ઉપદેશ અને શિક્ષાવચનો શ્રવણ કરવાની જિજ્ઞાસાપૂર્વક તેમની પાછળ આવતી.” પાતાંજલ ગદર્શન', “આત્મપુરાણ” આદિ વેદાંત અને ગદર્શનનાં શાસ્ત્રમાં અને ભાષ્યોમાં પણ સમ્યફદર્શન, સમ્યફદષ્ટિ આદિ શબ્દથી ભ્રાંતિ રહિત આત્મ-સાક્ષાત્કાર દશાનાં વર્ણન તથા માહાસ્ય દર્શાવેલાં છે. જૈન દર્શનમાં તે સમ્યફ દર્શનથી જ ધર્મ કે ધર્મક્રિયાની યથાર્થ શરૂઆત અંકાઈ છે. જન્મમરણ રૂ૫ પરિભ્રમણ સમ્યફદર્શનની પ્રાપ્તિ વિના ટળે નહિ એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે અને તેનું માહાસ્ય સમયસાર આદિ ગ્રંથમાં અપૂર્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છેઃ “સમઝીત નવિ લઉં રે એ તે રૂક્યો ચતુર્ગતિ માંહે.” શ્રી યશવિજય ઉપાધ્યાય પણ લખે છેઃ “જહાં લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવ જાણું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાયું– આતમ તત્વ વિચારિયે.” ભક્તકવિ નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં કહે છે? જ્યાં લગી આતમા તત્વચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ નહી.” Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કાઇક વિરલા મહાભાગ્યશાળી પુરુષો આ સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાનની દશા પામી શકે છે. શાસ્ત્ર પાકારી પાકારીને કહે છે કે સમ્યક્ દર્શન સહિત નરકાવાસ સારા પણ સમ્યક્ દર્શન વિના સ્વર્ગનાં ઉત્તમ સુખ પણુ ગજસ્તાન જેવાં નિરર્થક છે. એક ક્ષણ પણ જેને સમ્યક્ દર્શનના અનુભવ થયા હેાય તે અવશ્ય મેક્ષે જાય છે એવા સિદ્ધાંત છે. સમ્યક્ દર્શન પ્રગટ થવાથી આત્માના સર્વ ગુણા સદ્ગુણુ રૂપે પ્રકાશે છે. એટલે તે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતા રૂપ મેાક્ષમાર્ગ ખુલ્લા થાય છે; અને ગમે તેટલું જ્ઞાન, ચારિત્ર કે શ્રદ્દા હેાવા છતાં સમ્યક્ દર્શનના અભાવે તે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રરૂપે વગેાવાય છે અને સંસાર પરિભ્રમણને તેથી પાર આવતા નથી. ૧૨૪ આચારાંગ' નામના જૈન સૂત્રમાં કહ્યું છેઃ “ નં સમંતિ પાસદ્ તં મોતિ વાસદ ''—જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણેા. " શ્રીમદ્દે સંવત ૧૯૪૬ પોષ માસમાં અંગત નાંધપોથીમાં લખ્યું છેઃ 66 આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયે ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણાંશ તે સમ્યકત્વ. "" તેવી જ રીતે સં. ૧૯૪૭ના કાર્તિક શુદ ૧૪ ના એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ tr આત્મજ્ઞાન પામ્યા એ તા નિઃસંશય છે; ગ્રંથિભેદ થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.’’ વળી તેઓ હાથનેાંધમાં લખે છેઃ “ હે ! સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હા ! Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે” ૧૨૫ આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ, પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યા. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થશે.” પિતાના જીવનવૃત્તાંત્ત રૂપ કાવ્યમાં શ્રીમદ્દ લખે છેઃ ધન્યરે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ છે. ધન્ય ઓગણીસે ને સુડતાલીસે સમીત શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે.” એક જ વાક્યમાં સમ્યક્ દર્શનનું માહાતમ્ય શ્રીમદ્દ પ્રગટ કરે છેઃ અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય-માત્રમાં જાયંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યમ્ દર્શનને નમસ્કાર.” આત્મદર્શન કે સમ્યફ દર્શનની નિર્મળતા શ્રીમને સં. ૧૯૪૭ માં થઈ એમ ઉપર પિતે કાવ્યમાં જણાવે છે. એ જ વર્ષમાં બિના નયન પાવે નહીં બિના નયનકી બાત, સેવે સશુરુકે ચરણ સો પાવે સાક્ષાત.” તથા “યમ નિયમ સંયમ આ૫ કિયે, - મુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યા” એ બે કાવ્ય હિંદીમાં પોતે રચ્યાં છે તે મુમુક્ષુ જીવે બહુ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઊંડા ઊતરીને વિચારવા યેાગ્ય છે. તથા ત્રણ કાવ્યે ગુજરાતીમાં રચ્યાં છે તે પણ બહુ મનન કરવા યાગ્ય છે. તેમાંની એક પ્રાર્થનાઃ હે! પ્રભુ, હૈ! પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તેા દે।ષ અનંતનું ભાજન હું કરુણાળ.” અપૂર્વ અર્થ પ્રેરે તેવી મુખપાઠે કરી રાજ સવારસાંજ ભણવા ચેાગ્ય છે. ભક્તાત્માએ કેવા કેવા ગુણે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને અત્યારે આ જીવમાં જે ગુણેા નથી તે પ્રાપ્ત કરવા પ્રભુ આગળ ભાવનારૂપે દીનતાથી પ્રાર્થના કરેલી છે; હજારા મુમુક્ષુ મુખપાઠે કરી આજે નિયમિત રીતે દિવસમાં અમુકવાર એ પ્રાર્થના રૂપ • સદ્ગુરુભક્તિરહસ્ય ' ગાય છે. " જેમ જેમ સમ્યક્ દર્શનની વિશુદ્ધિવર્ધમાનપણાને પામે છે તેમ તેમ વીતરાગતા પણ વધે છે અને વીતરાગ ભગવતનું એળખાણુ પણ યથાર્થ પ્રેમપૂર્વક થાય છે. શ્રીમદ્ સં. ૧૯૪૮ના મહા માસમાં લખે છેઃ “ અંધ મેાક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યેાગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હાઇએ તે તે શ્રી તીર્થંકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકર દેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કાઇને વિષે આ ક્ષેત્રે હાય તે તે અમે હાઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણકે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છ એ, સાચા છઇએ. મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છઇએ; “ સમ્યક્ દર્શનનું અને તેવે અનુભવ છે. ” " એ જ વર્ષના એક પત્રમાં શ્રીમદ્ સમ્યક્ દર્શનનાં એ સ્વરૂપ કહે છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સમકીત શુદ્ધ પ્રકાશ્યું રે’ “ ‘આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યું છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એવા શ્રી તીર્થંકરના અભિપ્રાય છે. “એવું સ્વરૂપ જેને ભાયું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્દા છે જેને તે પુરુષને ખીજરુચિ સમ્યક્ત છે.” સમ્યક્ દર્શન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ જણાવતાં શ્રીમદ્ એ જ વર્ષમાં લખે છેઃ જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થના એધ પામ્યા છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યા નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી એધ પામ્યા છે, તે જીવને સમ્યક્ દર્શન થાય છે. 66 “ અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તેા પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.'' શ્રીમની પ્રણિપાત સ્તુતિઃ “હું ! પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખા અત્યંત ક્ષય કરનારા એવા વીતરાગ પુરુષના મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યા, તે અનંત ઉપકારના પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઇ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાએ. ૐ શાંતિ । Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુંબઈમાં મુનિસમાગમ શ્રી. લલ્લુજી સ્વામી વિહાર કરતા કરતા સુરત ગયેલા તેમની સાથે શ્રી દેવકરણજી નામે તેમના શિષ્ય ગણાતા સાધુ હતા, તે વ્યાખ્યાનમાં બહુ કુશળ હતા. શ્રોતાઓ ઉપર તેમના વ્યાખ્યાનથી વૈરાગ્યપ્રેરક સચોટ અસર થતી. મુંબનિવાસી કેટલાક વ્યાપારી સુરતમાં આવેલા તેમણે શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળી મુંબઈ પધારવા તેમને વિનંતિ કરી. સુરતના ભાઈ એને સુરતમાં તેમને ચેમાસુ રાખવા વિચાર હોવા છતાં મુંબઇના ભાઇઓના વિશેષ આગ્રહથી મુંબઈમાં ચેોમાસુ નક્કી કરવા મહારાજશ્રી લલ્લુજીને વિનતિ કરી. ખંભાતથી તે વિષે આજ્ઞા મગાવી મુંબઈનું ચામાસુ નક્કી કરવામાં આવ્યું. મુંબઈમાં શ્રી લલ્લુજી ગયા, ત્યારે શ્રીમના સમાગમ માટે તેમને ત્યાં ગયા. તે વખતે શ્રીમદે પ્રશ્ન કર્યોઃ “ તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું ? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા ઘેાડી જ હોય છે?'' Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુરાજ સ્વામી જન્મ અવસાન સં. ૧૯૧૦ આસો વદ 1 સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં સુનિસમાગમ ૧૨૯ શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું: આપનાં દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માંસ કર્યું છે.” શ્રીમદ્દે પૂછ્યું: “ અહીં આવતાં તમને કાઈ આડખીલ કરે છે ? ” સ્વામીજીએ કહ્યુંઃ ના; હમેશાં અહીં આવું તેા કલાકના સમાગમ મળશે ? '' 66 શ્રીમદે કહ્યું: “ મળશે. અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમના સમાગમાર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની આરડીમાં જઈ સુયગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા, સમજાવતા. "C "" એક દિવસે ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા તે શ્રીમના પરિચયી હતા. તેમને શ્રી દેવકરણુજીએ કહ્યું: “મે... શ્રીમદ્ભુ દીઠા નથી તે તે અત્રે પધારે તે! જોઉં તા ખરા કે તે કેવા પુરુષ છે ? "" સુંદરલાલ કહેઃ “ હું તેમને અહીં તેડી લાવીશ. Jain Educationa International સુંદરલાલ સાથે શ્રીમદ્ ચીચપાકલીના ઉપાશ્રયે પધાર્યાં એટલે ચારે મુનિએ પાટ ઉપરથી નીચે બેઠા. અને સૂત્ર કૃતાંગની લખેલી પ્રતમાં ગુંદરના અક્ષરની લિપિ હેાવાથી કેટલાક અક્ષરા મૂળ પાઠમાંના ઊડી ગયા હતા તેથી અર્થ સમજાતા નહાતા તે બતાવી શ્રી દેવકરણુજી મુનિએ પૂછ્યું: અહીં કયા કયા અક્ષરા જોઇએ ? અને તેને શે અર્થ થાય છે?'' "" "" શ્રીમદે તે મૂળ પાઠના અક્ષરે તથા તેને અર્થ કહી બતાવ્યા. પછી શ્રી દેવકરણજીએ નીચેની બીજી મે ગાથાઓ .સૂત્રકૃતાંગની બતાવી અને કહ્યું: “ જ્યાં સફળ છે ત્યાં અફળ હોય અને જ્યાં અફળ છે ત્યાં સફળ હોય તે અર્થે ડીક બેસે છે. તે આ ગાથામાં લેખનદ્વેષ છે કે બરાબર છે?'' For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા "जे अबुद्धा महाभागा, वीरा असंमत्त दंसिणो । असुद्धं ते सिं परकंत सफलं होइ सव्वसो ॥ जेय बुद्धा महाभागा धीरा सम्मत्त दंसिणो । सुद्धं ते सिं परकंतं अफलं होइ सेव्वसों ॥" એ ગાથાઓ જોઈને શ્રીમદે કહ્યું “લેખનદેષ નથી, બરાબર છે. તેને ભાવાર્થ એ છે કે મિથ્યાદષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે; અર્થાત તેને પુણ્ય-પાપ ફળનું બેસવાપણું છે. સમ્યફ દષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે; તેને ફળ બેસવાપણું નથી અર્થાત નિર્જરા થાય છે. એકની (મિથ્યા દૃષ્ટિની ) ક્રિયાનું સંસારહેતુક સફળપણું; અને બીજાની (સમ્યફ દૃષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળપણું; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.” બધાને તે અર્થ પસંદ પડે. ઘણા વખતથી સંશય રહ્યા કરતા તેનું સમાધાન થયું. તે ઉપરથી દેવકરણજી મુનિને લાગ્યું કે આ કોઈ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે. અવિરતિ સમ્યફ દૃષ્ટિની પણ નિંદા કરવામાં મહાપાપ છે એમ શ્રી દેવકરણજીની માન્યતા હોવાથી તે શ્રીમદુની પહેલાં પણ કદી નિંદા કરતા નહિ. શ્રી લલ્લુજી જ્યારે શ્રીમદ્દન સમાગમાથે તેમના મુકામે જતા ત્યારે તેમને કહેતા કે દેવકરણછ બેધ પામે તે ઘણું જીવોને લાભ થાય, અને સૌને જવાબ આપે; ત્યારે શ્રીમદ્દ કહેતાઃ “એ વાત જવા દે.” તથાપિ વારંવાર તે વાત શ્રી લીલુછ સંભારતા એટલે શ્રી દેવકરણજીને સાથે તેડી લાવવા રજા આપી. એક દિવસ તે બે મુનિએ શ્રીમની પાસે આવ્યા ત્યારે શ્રીમદે દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કોણ આપે છે ? પર્ષદા કેટલી ભરાય છે?” Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં મુનિસમાગમ ૧૩૧ દેવકરણુજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું: “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?” દેવકરણજી બોલ્યાઃ “ કાયાથી થતું નથી; મનથી થાય છે.” શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે યોગથી સાચવવું જોઈએ.” દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું: “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહળાતી હોય?” શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે ?” આ સાંભળી દેવકરણછ સજજડ થઈ ગયા. શ્રીમદે પૂછયું: “તમે કોણ છો?” દેવકરણજીએ કહ્યું: “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછયું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદે કહ્યું “હે ! મુનિ, નાળિયેરને ગોળ જેમ જુદ રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યફ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયેરમાં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે, તેમ સમ્યફદષ્ટિ સર્વથી જુદે રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યફ 'સમ્યફ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યફ જાણે છે ?” - દેવકરણજીએ ઉત્તર આપ્યોઃ “તે સમ્યફ ન કહેવાય.” શ્રીમદે કહ્યું: “સમકતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિષે તમે વિચારજે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા એક દિવસે શ્રી લલ્લુજી એકલા ગયા હતા ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે શ્રીમદે જણાવ્યું: “તમે દીક્ષા ન આપશે; દેવકરણજીને ચેલા કરવા હોય તે ભલે કરે.” દેવકરણજીએ દીક્ષા આપી હતી પણ થોડા વખત પછી પુરુષની નિંદામાં પડી ગાંડે થઈ સંઘાડે છોડી ને જતો રહ્યો હતો. શ્રી લલ્લુજીએ શ્રીમને તેમને ચિત્રપટ આપવા આગ્રહ કર્યો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહિ. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપીઃ " संबुज्झहा जतवो माणुसत्तं, दळुभयं बालिसेणं अलंभो । एगंत दुख्खे जरिएष लोए, सकम्मणा विपरियासु वेइ ॥ અર્થ–હે ! તમે બેધ પામે, બેધ પામે, મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજે; અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે; આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણો; અને પિતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ મરણાદિ દુઃખને અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરે.” થોડા દિવસ પછી “સમાધિ શતક'માંથી સત્તર ગાથા શ્રી લલ્લુજીને શ્રીમદે વાંચી સંભળાવી અને તે પુસ્તક વાંચવા વિચારવા આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા એટલે પાછા બેલાવી “સમાધિ શતકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપીઃ “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે.” . એક દિવસે શ્રી લલ્લુજીએ શ્રીમદને પૂછ્યું: “આ બધું મને ગમતું નથી, એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે?” શ્રીમદે કહ્યું: “બોધની જરૂર છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં સુતિસમાગમ શ્રી લલ્લુજીએ કહ્યું: “એધ આપે.” શ્રીમદ્ માન રહ્યા. વારંવાર શ્રીમદ્ સૈાનપણાના મેધ આપતા; અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલ્લુજીએ મુંબઇ ચામાસુ પૂરું કરી સુરત તરફ વિહાર કર્યાં ત્યારથી મૈાનવ્રત ત્રણ વર્ષ પર્યંત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું મેલવાની તથા શ્રીમદ્ સાથે પરમાર્થ કારણે પ્રક્ષાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ધમાલમાં ‘સમાધિ શતક' વાંચવાનું શ્રી લલ્લુજીએ મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિહારમાં તે વાંચવા વિચારવાની શરૂઆત કરી તેથી તેમને અપૂર્વ શાંતિ વેદાતી હતી. ૧૩૩ મહાપુરુષો પોતે શાંતિ પામ્યા છે અને તે અનુભવેલા ઉપાય દર્શાવે છે તેથી જો ક્રોધના ઉપાય તે બતાવે તેા તેથી ક્રોધ જાય, માનને ઉપાય બતાવે તે તેથી માન જાય, શાંતિને ઉપાય બતાવે તે તેથી શાંતિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૫ છે, હું જાણું છું, મંદ કરાવવા શી વેદાંતનાં શા સુરત-કઠરનો સમાગમ શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રને એટલો બધે અભિનિવેશ હતો કે તે શ્રી લલ્લુજીને વારંવાર કહેતા કે શ્રીમદ્દ સૂત્રથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રે તે મેં વાંચ્યાં છે, હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા શ્રીમદે તેમને “યોગવાસિષ્ઠ’ આદિ વેદાંતનાં શાસ્ત્ર વાંચવા આપ્યાં હતાં. સુરતમાં તે મુનિઓનું ચોમાસુ સં. ૧૯૫૦માં હતું તે વખતે શ્રી દેવકરણજી તે વેદાંતના ગ્રંથો વાંચતા હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણું ભાઈઓ હતા, તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી દેવકરણછ પિતાને પરમાત્મા માનવા લાગ્યા. શ્રી લલ્લુજીએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણુઈ જવા માટે શ્રી દેવકરણજીને ઉત્તરાધ્યયન આદિ જૈન સૂનું પુનરાવલોકન કરવા ફરમાવ્યું. શ્રીમદે એક પત્ર શ્રી લલ્લુજી ઉપર લખી શ્રી દેવકરણજીને ઠેકાણે લાવવા જે ઉપદેશ આપે છે તે સર્વને બહુ વિચારવા યોગ્ય હેવાથી તે અત્રે આ છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સુરત-કંઠીરના સમાગમ ૧૩૫ “ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયાગથી કરી કરી છૂટવાની ભલામણ કરી છે અને તે સંયેાગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણુ કર્તવ્ય નથી એવા અખંડ માર્ગે કહ્યા છે તે શ્રી જિન વીતરાગના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર. “ આત્મસ્વરૂપના નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાન સ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યાગ્ય એવું ‘આચારાંગ' સૂત્ર છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં, પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં, પ્રથમ વાક્યે, જે શ્રી જિતે ઉપદેશ કર્યો છે, તે સર્વે અંગના સર્વ શ્રુતજ્ઞાનના સાર સ્વરૂપ છે; મેક્ષના ખીજભૂત છે; સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયાગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે, તે છૂટવાના માર્ગ નથી. rr “ સર્વે જીવનું પરમાત્માપણું છે, એમાં સંશય નથી; તે। પછી શ્રી દેવકરણજી પેાતાને પરમાત્મ સ્વરૂપ માને તે। તે વાત અસત્ય નથી; પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં, ત્યાં સુધી મુમુક્ષુ-જિજ્ઞાસુ-રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. માર્ગે મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ–સર્વજ્ઞ પુરુષોની અશાતના કરવા રૂપ પ્રવૃત્તિ થાય છે. ખીજો કંઈ મતભેદ નથી. મૃત્યુનું અવશ્ય આવવું છે.” આવા પ્રસંગેામાં માથે ગુરુ હાય તા ગુરુકૃપાથી જીવ બચી શકે છે; નહિ તેા પેાતાને પાતાના દાષા સૂઝતા નથી અને દોષોને ગુરુ માની દાષામાં જીવ મગ્ન રહે છે. શ્રી લલ્લુજી સાથે શ્રી દેવકરણુજી ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. શ્રાતા શ્રી લલ્લુજી પાસે નીચે આવીને બહુ પ્રશંસા કરતા કે શ્રી દેવકરણુજી મહારાજે આજે તા બહુ સારું વ્યાખ્યાન આપ્યું. પરંતુ શ્રી દેવકરણુજીનીચે આવે ત્યારે શ્રી લલ્લુજી Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કહે કે આજે વિશેષ અભિમાન કર્યું; ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તરંગ કરે છે. શ્રી દેવકરણુજી કંઈ ઉત્તર આપતા નહિ. પણ શ્રીમદ્ સુરત પધારવાના હતા તે વખતે પૂછવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું. એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિએ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણુજીએ પ્રશ્ન પૂછ્યા “ શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગ રૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારુ ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ? '' tr શ્રીમદ્દે શાંતિથી કહ્યું: “ સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે તે સધળું અભિમાન જ છે, અસસાધન છે; અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.” ચેોમાસુ સુરતમાં પૂરું કરી શેષ કાળ નિર્ગમન કરવા મુનિએ કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં. ૧૯૫૧માં સત્તર ઉપવાસ કર્યાં હતા. શ્રીમદ્ કઠેરમાં એક વખત પધાર્યાં હતા અને ઉપાશ્રયમાં મેડા ઉપર જ ઊતર્યાં હતા. તેથી ઉપર જતા પહેલાં શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણુજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તે। વિનય નમસ્કારાદિ કરવા પડે. શ્રી દેવકરણુજીએ કહ્યું: “ આપણે એ મુનિએ જ જઇએ તેા હું નમસ્કારાદિ કરીશ.” તેથી ચતુરલાલજી મુનિને નીચે રાખી ખન્ને ઉપર ગયા; અને વિનય નમસ્કારાદિ કરી શ્રીમદ્દે તેમને ઉત્તમ એધ રૂપી પ્રસાદીથી તૃપ્ત કર્યાં. તે વખતે નીચે રહેલા ચતુરલાલજી મુનિને વિચારી થયેા કે લાવને દાદરમાં જઇને જોઉં તો ખરા કે તે શું કરે છે? એમ ધારી દાદરમાં જ તે ગુપ્ત રીતે ડાકિયું કરી જોયું તે બન્ને મુનિએ નમસ્કાર કરતા હતા તેથી નીચે બેઠા. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સુરત-કઠેરને સમાગમ ૧૩૭ તેમની વાત ખંભાત જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થોડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા અને શ્રી લલુજી ઉપર રહ્યા તેમને શ્રીમદે પૂછયું: “દેવકરણજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા ?” શ્રી લલ્લુજીએ કહ્યું: “તેની દષ્ટિ સહજ વિષમ છે એટલે ઉપર લાવ્યા નહીં.” પછી શ્રીમદ્ નીચે ઊતર્યા અને ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યુંઃ “મુનિ, અમારે તો તમે અને એ મુનિઓ બન્ને સરખા છે; સર્વ પ્રત્યે અમારે સમદષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે; તેમાં ચૌદ પૂર્વને સાર છે.” આટલા જ સમાગમથી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ; અને વિષમ દૃષ્ટિ ટળીને આસ્થા થઈ બીજે દિવસે શ્રીમદ્દનું મુંબઈ જવું થયું અને થોડા દિવસ પછી મુનિઓને સુરતમાં ચાતુર્માસ નક્કી થયેલું હોવાથી તે સુરત પાછા આવ્યા. સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા અને શ્રી લલ્લુજીને પણ દશબાર માસથી તાવ આવ્યા કરે. કોઈ દવાથી ફાયદો ન થયા અને મંદવાડ વધી ગયે. ઝવેરી લલુભાઈને દેહ છૂટી ગયા અને શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી પત્ર લખીને વિનંતિ કરીઃ “હે ! નાથ, હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો મારે મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરીને મને હવે સમઝીત આપે.” તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને છ પદને પત્ર લખે; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. શ્રીમદ્દ સુરત પધાર્યા ત્યારે તે “છ પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યા અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા " " ' આ છ પદના પુત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવા સૂત્રાત્મક શૈલીથી લખાયેલા છે. જેમ સાત તત્ત્વ કે નવ પદાર્થીના વિવેચનથી સમસ્ત શ્રુતજ્ઞાનના ઉદ્દય થવા યેાગ્ય છે, અને તત્ત્વાર્થ સૂત્રાદિ અનેક મહાન ગ્રંથા એ સાત તત્ત્વે વિસ્તારથી સમજાવવા લખાયા છે; તેમ સાત તત્ત્વમાંથી પ્રથમ તત્ત્વ જે આત્મા તેનું ઓળખાણુ થવા માટે આત્મા છે,' · આત્મા નિત્ય છે,' · આત્મા કર્યાં છે', ‘આત્મા ભાતા છે', ‘માક્ષ છે' અને ‘તે મેક્ષના ઉપાય છે’–એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવી અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. એ જ ‘છ પદ’વિસ્તાર રૂપે પદ્યમાં ગુરુશિષ્યને સંવાદ કલ્પી આત્મસિદ્ધિ' શાસ્ત્રની રચના શ્રીમદ્દે અપૂર્વ રીતે કરી છે તે વિષે આગળ વિવેચન કરીશું. ૧૩ ‘ છ પદ' ના પત્ર વિષે ખેાલતાં શ્રી લઘુરાજ સ્વામી કહે છેઃ “ એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતા દૂર કરાવનાર છે; ન ઉભા રહેવા દીધા ઢુંઢીઆમાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા; કાઇ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઉભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યેાગ્યતા હાય તા સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવા એ અદ્ભુત પત્ર છે. ’' શ્રીમદ્ આ વર્ષે નિવૃત્તિ લઇને કાર્ડિયાવાડમાં રાણપુર પાસે હડમતાળા નામના નાના ગામ તરફ પધાર્યાં હતા. ત્યાં પણ વડાદરા, મેટાઇ, સાયલા, મેરખી વગેરે સ્થળેથી મુમુક્ષુજને આવ્યા હતા અને અનેક ભવ્ય વાને સત્તમાગમ મેધ વગેરેના લાભ મળ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચરોતર પ્રદેશમાં વિચરવું પ્રથમ ખંભાત શ્રીમદ્દ એક અઠવાડિયું સં. ૧૯૪૬ માં રહ્યા, પછી થેડે વખત ખંભાતથી થોડે દૂર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭ માં રહ્યા હતા. તે વખતે અજાણપણે એકાંતમાં રહ્યા હતા. હડમતાળા (હડમત)થી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ના આ માસમાં આવ્યા હતા. મુંબઈથી સં. ૧૯૫રમાં શ્રીમદ્દ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરોતરમાં આવ્યા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રી સોભાગ્યભાઈ, તથા શ્રી ડુંગરશી ગોળસીઆ સાથે શ્રીમદ્ બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્દ રાળજ ગામમાં પારસીને બંગલે આઠદશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી બીજે ગામ ન જવાય એવ જન મુનિઓને આચાર છે. તેને અનુસરીને શ્રી લલ્લુજી સ્વામી જંગલમાં હમેશ નિવૃત્તિ અર્થે જતા પણ રાળજ સુધી જવાનું નહિ. ખંભાતના બધા મુમુક્ષુઓને દર્શન અને બેધને લાભ મળતો અને તેમને Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ આટલે પાસે હોવા છતાં દર્શન થયાં નહિ તેથી મનમાં વ્યાકુળતા રહેતી. એક દિવસે સમાગમને વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્દ રહેતા હતા તે મુકામથી થડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ સાથે શ્રી અંબાલાલભાઇને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી લલ્લુજીને ઠપકે દેતાં કહ્યું: “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” તેમણે ઉત્તર આપ્યોઃ “આજ્ઞા મગાવવા માટે તે હું અહીં ઊભો રહ્યો છું. તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” શ્રી અંબાલાલે કહ્યું. “ના, એમ તો જવા ન દઉં, મને ઠપકો મળે માટે કૃપાળુદેવ (શ્રીમજી) આજ્ઞા કરે તેમ કરે. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે શ્રીમદ્જી પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદે કહ્યું: “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતું હોય તે હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિશ્રીએ કહ્યું: “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછો ચાલ્યા જાઉં છું.” ખેદ ખિન્ન થઈ પિતાના ભાગ્યને દેષ દેખતા શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લુંછતા લુછતા ખંભાત તરફ પાછા ફર્યા. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે ખબર મળ્યા કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને ડુંગરશી ગોસળીઆને રાળજથી શ્રીમદે ખંભાત મેકલ્યા છે. શ્રી સોભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી લલ્લુજીને આશ્વાસન રૂપે કહ્યું: “પરમકૃપાળુ દેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” છે તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈને તે બન્ને એકાંતમાં બેઠા. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ચરોતર પ્રદેશમાં વિચરવું ૧૪૧ પરમકૃપાળુ દેવને સંદેશા કહીને તેમને શ્રી સેાભાગ્યભાએ શ્રમદે જણાવેલા મંત્ર કહી સંભળાવ્યા અને પાંચ માળાએ રાજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી લલ્લુજીને આથી ઘણા સંતોષ થયેા. ગ્રીષ્મના તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી અને પવનથી શાંતિ વળે તેમ પરમકૃપાળુની આ કરુણા રૂપ વૃષ્ટિથી તથા સમાગમની આશા રૂપ પવનથી શ્રી લલ્લુજીના હૃદયમાં વિરહાગ્નિને સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયા. શ્રી સાભાગ્યભાઇ અને શ્રી અંબાલાલ બન્ને પાછા રાળજ ગયા અને ડુંગરશી ગેાસળી કાઠિયાવાડ ગયા. શ્રી લલ્લુજીના સમાગમને લીધે બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલા; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચેક્કસ સમાચાર મળતાં સાતે મુનિએ શ્રીમદ્ની સામે ગયા. રાળજથી રથમાં એસીને શ્રીમદ્ તથા શ્રી સેાભાગ્યભાઇ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે શ્રી સેાભાગ્યભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિએ સાથે ચાલ્યા. tr પછી શ્રીમદે છએ મુનિઓને એકાંત સ્થળે વડવામાં લાવ્યા. બધા મુનિએ નમસ્કાર કરી શ્રીમના ચરણકમળ પાસે બેઠા. શ્રી લલ્લુજીનું હૈયું ભરાઇ આવ્યું અને મેલ્યાઃ “ હે ! નાથ, આપના ચરણુકમળમાં મને નિશદિન રાખો. આ મુહુપત્તી મારે જોઇતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ના આગળ મુહુપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઉભરાતાં ગદ્ગદ્ વાણીથી ખેલ્યાઃ “ મારાથી સમાગમના વિરહ સહન થતા નથી. આ દૃશ્ય જોઇ શ્રીમદનું કામળ હૃદય પણ રડી પડયું, તેમની આંખમાંથી સતત અત્રુપ્રવાહ વહેવા લાગ્યાઃ કેમે કર્યાં અટકે નહિ. શ્રી લલ્લુજી સ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું ? અહા ! ભક્તવત્સલ ભગવાન, ભારે અવિનય અપરાધ થયેા હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના $5 Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઇ માન એસી રહ્યાં. લગભગ કલાક સુધી આમ ઉદાસીન, માન સ્થિતિમાં રહી શ્રીમદ્દે મુનિશ્રી દેવકરણજીને કહ્યું: “ આ મુહુપત્તી શ્રી લલ્લુજીને આપેા, હમણાં રાખા, ’’ ૧૪૨ આ પ્રેમભક્તિના પ્રસંગ ધણાને અયેાગ્ય જણાશે, કાષ્ઠને પ્રેમઘેલા જેવા લાગશે, કાઇ કાકચક્ષુવાળા શુષ્ક હૃદયને બનાવટી લાગશે, પરંતુ એ વિરહની વેદના એક મહાત્મા ગ।પાંગનાઓએ જાણી હતી કે કાઇ તેવા પ્રેમપાત્ર વિરલ આત્માએ આ કાળમાં તેટલી દશાએ આવેલા અનુભવી શકે છે. ‘ રામખાણુ લાગ્યાં હૈય તે જાણે' એવું એક ભજન છે અને શ્રીમદે પણ એક પત્રમાં એ દશાના ઇસારા કર્યાં છેઃ “ જેના વચનબળે જીવ નિર્વાણુમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિના જોગ પૂર્વ કાળમાં જીવને ઘણીવાર થઇ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી. • • • દૃષ્ટિ જો મિલન હેાય તેા તેથી સત્-મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે; જેથી આળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણુ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેણે ઘડી એક આયુષ્ય ભાગવવું તે પણ તેને વિટંબના લાગે છે—તેના વિયેાગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. ખીજા પદાર્થોના સંયેાગ અને મૃત્યુ એ અન્ને એને સમાન થઇ ગયાં હૈાય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હૈાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણુવી એવા જેતા દૃઢ નિશ્ચય છે તેને, ધણું કરીને, ઘેાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. '’ કાવિઠામાં પેાતે એકલા ખેતરામાં વિચરતા. કાઇ પ્રસંગે માણસા Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ચરોતર પ્રદેશમાં વિચરવું ૧૪૩ એકત્ર મળે ત્યારે સહજ બોધ રૂપે કરુણ કરતા. રાળજમાં પણ તેવી રીતે બેધના પ્રસંગ બનેલા અને વડવામાં તો ખંભાતના ઓળખીતા ઘણું મુમુક્ષુઓ આવતા હોવાથી દરરોજ બેધપ્રવાહ વહેત. આણંદ, કાવિઠા, રાળજ ને વડવાના બોધમાંથી સ્મૃતિમાં રહેલા વિચારે ઘણખરા શ્રીમદ્ભા શબ્દોમાં પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા ભાઈશ્રી અંબાલાલભાઇએ લખી રાખેલા તે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં “ઉપદેશ છાયા' નામથી પ્રસિદ્ધ થયા છે. એક દિવસે સવારમાં છ મુનિઓમાંના મુનિશ્રી મેહનલાલજી વડવા દર્શન સમાગમાથે ગયેલા; તે વખતે શ્રીમદ્ કઈ મુમુક્ષુના પત્રને ઉત્તર લખવામાં એકાગ્ર થયેલા જોઈ, દર્શન કરી તે એક બાજુ બેઠા. તેમના સામી શ્રીમદે દૃષ્ટિ પણ કરી નહિ. તે મુનિ લખે છેઃ “તેમની લેખિની એક ધારાએ અખ્ખલિતપણે ચાલતી હતી. આવી રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત રહીને પણ અંતર દશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું.” પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મુનિ મોહનલાલજીએ તેમને પ્રશ્ન કર્યોઃ “મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું?” શ્રીમદે ઉત્તર આપ્યોઃ “મુનિશ્રી લલ્લુજી મહારાજ તમને જણાવશે. તેમની આજ્ઞાએ ચાલશે તે તેમાં તમારું કલ્યાણ છે.” શ્રી લલ્લુજીને શ્રીમદે એકાંતમાં જણાવ્યું હતું. “હે! મુનિ, આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી ભાગ્યભાઈની દશા બહુ સારી ઊંચી હદ ઉપર આવી છે અને અમારી દશા તેથી વિશેષ નિર્મળ, ઊંચી હદ ઉપર છે.” બધા મુનિઓની પણ વર્તમાન દશા તથા મુખ્ય ગુણદોષ સ્પષ્ટ કહી તેમની યોગ્યતા આંકી બતાવી હતી. પછી બીજા મુનિઓ માટે શ્રીમદે કહ્યું “તમે તેમને મંત્ર આપજો.” છઠ્ઠા દિવસે વડવામાં શ્રીમદે મુનિઓ પ્રત્યે કહ્યું: “તમે ગૃહ, Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કુટુંબ પરિવાર, તેમજ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્માંહી થઈ નીકળ્યા છે, તા તમે સાચા સાધુએ બને. આત્મામાં સાચ પ્રગટ કરેઃ (૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભેાતા છે; (૫) મેાક્ષ છે; અને (૬) મેાક્ષને ઉપાય છે—આ છ પદના હૈ! મુનિ, વારવાર વિચાર કરો. વડવા જે આટલે કાળ રાકાવું થયું છે, તે તમારા માટે જ થયું છે. તમને (અમારા) આ વેશે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારા ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઇ ન દેખાય; પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રીતિનું કારણ થશે.” વડવાથી આણંદ આવી થાડા દિવસ શ્રીમદ્ આણંદમાં પણ રહ્યા હતા અને તે વખતે થયેલા મેષ ‘ ઉપદેશ છાયા'માં છપાયેલા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આ વર્ષે ૩૩મું સં. ૧૯૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આણંદથી શ્રીમદ્ નડિયાદ પધાર્યાં હતા. સેવાભક્તિમાં શ્રી અંબાલાલભાઇ બધાં ગામામાં સાથે જ રહેતા. એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી. ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઇ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસે બૈતાલીસ ગાથાએ પૂરી થઇ રહી. ત્યાંસુધી શ્રી અંબાલાલભાઇ હાથમાં ફાનસ ધરી દીવીને પેઠે ઊભા રહ્યા. અનેક વાના અજ્ઞાન અંધકારને દૂર કરનાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારને પરમભક્તિથી વિનયદષ્ટિએ જોતા એ પરમભક્ત શ્રી અંબાલાલભાઇ અનેક જીવાનાં પાપને દૂર કરનાર ગંગાને સ્વર્ગમાંથી પેાતાના પિતૃઓના ઉદ્દાર અર્થે ઉતારવા તપ કરનાર ભગીરથની સમાનતા ધરી રહ્યા હતા. શ્રી વિષ્ણુના ચરણકમળમાંથી ઉત્પન્ન થઇને વહેતી પવિત્ર ગંગાનદી સમાન શ્રી આત્મસિદ્ધિ શ્રીમની લેખિની દ્વારા વેગભરી વહી રહી હતી. રાત્રિના અંધકારને દૂર કરતી ચંદ્રપ્રભા જગતના આનંદને વધારે તેમ અનેક ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મુમુક્ષુઓના અનાદિ અજ્ઞાન અંધકારને દૂર કરી આત્મપ્રતીતિ રૂપી અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી અંબાલાલભાઈને આપવામાં આવ્યું અને તેની ચાર નકલે કરી ચાર મહાભાગ્યશાળી પુરુષોની ગ્યતા જાણું દરેકને એક એક નકલ મોકલવાની આજ્ઞા થઇ. એક શ્રી સોભાગ્યભાઈ માટે, એક શ્રી અંબાલાલ પાસે રાખવા, એક શ્રી લલ્લુજી સ્વામી માટે અને એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ માટે એમ ચાર નો પ્રથમ થઈ. શ્રી સેભાગ્યભાઈ ઉપર પણ છે. પદને પત્ર સં. ૧૯૫૧માં મેકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી વારંવાર વિચારવા આજ્ઞા થયેલી પણ વૃદ્ધાવસ્થાને લઈને મુખપાઠ કરતાં મુશ્કેલી જણાઈ તે તેમના દયાળુ હદયે અન્ય મુમુક્ષુઓને પણ ગદ્યપાઠ મુખપાઠ કરતાં મુશ્કેલી કેટલી પડશે તે જાણી લઈ વિનંતિ રૂપે શ્રીમદને જણાવ્યું જે આ છ પદના પત્ર વિષે ગવમાં આત્મપ્રતીતિ કરાવી છે તે પવગ્રંથ લખાય તે સર્વ મુમુક્ષુઓ ઉપર મેટો ઉપકાર થાય, અને સહેલાઈથી મુખપાઠ થઈ શકે. શરદ્દ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મેતી રૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતિ એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમદ્દના દિલમાં આત્મસિદ્ધિ રૂપી અમૂલ્ય મેતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ તથા સં. ૧૯૫ર ની શરદ્દ પૂર્ણિમાને બીજે દિવસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્ર જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પિતાને વદન હતું તે આબાલ વૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રકાર પદ્યરૂપે પ્રગટ કર્યું. મહાન ગંભીર વિષયને સરળ પદ્યમાં ઉતારીને બાલગોપાલ સર્વ યથાશક્તિ સર્વોત્તમ તત્ત્વ સમજી ઉન્નતિ સાધી શકે તેવી સરળ પણ ગંભીર પ્રઢ ભાષા દ્વારા આ યુગમાં કેવાં શાસ્ત્ર રચાવાં જોઈએ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રી આત્મસિદિ શાસ્ત્ર તેને યથાર્થ આદર્શ અનેક દૃષ્ટિએ વિચારવા લાગ્ય, શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ રચી રજુ કર્યો છે. જેને મહાપુરુષની મહત્તા સમજાઈ ન હોય, તેના યથાર્થ વક્તાપણા ઉપર વિશ્વાસ ન હોય, તીવ્ર જિજ્ઞાસા તથા સાચી મુમુક્ષુતા રૂપ ભૂમિકા પ્રાપ્ત થઈ ન હય, લૌકિક માનપૂજાની મહત્તા તેમજ મીઠાશ મનથી છૂટયાં ન હોય અને જનમનરંજન ધર્મની આડે પિતાના આત્મધર્મની જેને ગરજ જાગી ન હોય તેવા મેહનિદ્રામાં પરવશ પડેલા જીવને આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ ઉપકારક ન નીવડે એમ જાણું માત્ર ચાર જ ગ્ય જીવને તે વિચારવા આજ્ઞા થયેલી. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચછ સાધુઓ જિજ્ઞાસાવૃત્તિવાળા હતા અને શ્રી દેવકરણછ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા. તે પણ તેમની હાલ યોગ્યતા નથી એમ શ્રી લલ્લુજીને સ્પષ્ટ જણાવી, તેમને વિશેષ આગ્રહ હોય તે કેમ વર્તવું વગેરે સૂચના સહિત એક પત્ર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ સાથે મોકલ્યો હતો તે બહુ વિચારવા યોગ્ય હોવાથી તેમાંથી થોડે ઉતારે નીચે આપે છેઃ એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણું હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સપુરુષ જે મારા પ્રત્યે કેઈએ પરોપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ ત્યાગે અને ખરા ઉપકારીના ઉપકારને ઓળખવાને દેષ કર્યો એમ જાણુશ અને આત્માને પુરુષને નિત્ય આજ્ઞાંક્તિ રહેવામાં જ કલ્યાણ છે એ, Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનફળાં ભિન્નભાવ રહિત, લેાક સંબંધી ખીજા પ્રકારની સર્વે કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાડવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યેાગ્ય છે. 66 ૧૪૯ સત્પુરુષની આજ્ઞામાં વર્તવાને જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. “ અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યેા છે. જે દેહુ આત્માને અર્થ ગળાશે તે દેહે આત્મવિચાર પામવા યાગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છેાડી દઇ એક આત્માર્થમાં જ તેને ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. ’’ બીજા એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ 66 આત્મસિદ્ધિ ગ્રંથ વિચારવાની ઇચ્છા હોય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચના અને સગ્રંથ વિચારવાનું બનશે, તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારના હેતુ થશે, એમ લાગે છે. '' 2 મેાક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઇ છે તેમ ‘ આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માને નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રકટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. તેમાં વિષયાની વિવિધતા નથી. તેમ દષ્ટાંતિક કથા કે વર્ણન નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નાત્તર રૂપે તત્ત્વનિરૂપણના વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથા જેવી કઠણાઈ તેમાં નથી. બહુ સૂક્ષ્મ ચર્ચો કે તર્કમાં વાંચનાર ધૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષ્મ વિચારણા કરવા પેાતે પ્રેરાય અને આત્મા સંબંધી નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એકસેસ ખેંતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે. તે ગ્રંથના કઈક ખ્યાલ ' Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૪૯ આવે તેવા વિચારથી ગુરુ-શિષ્યના પ્રશ્નોત્તરનું ટૂંકું વિવેચન અત્રે આપ્યું છેઃ પ્રથમ ચુંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન કર્યું છે. તેમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહિ એમ જણાવી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ બે દોષ દર્શાવી તે દોષોનાં લક્ષણ આપ્યાં છે. તે બન્ને દેષ ટાળવાને ઉપાય સગુરુ ચરણની ઉપાસના બતાવી સગુરુનાં લક્ષણ અને માહાભ્ય સંક્ષેપમાં વર્ણવી આત્માનું નિરૂપણ કરનારાં સલ્ફાસ્ત્ર અથવા સદગુરુએ વિચારવા માટે જે જે આજ્ઞા કરી છે તેવાં શાસ્ત્રને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. શાસ્ત્ર-અભ્યાસ આદિ સાધન કરતાં પ્રત્યક્ષ સશુના વેગથી સ્વછંદ અલ્પ પ્રયાસે ટળી જાય છે, સ્વછંદ અને મતમતાંતરના આગ્રહ તજી સદગુરુની આજ્ઞાએ વર્તનારને સમ્યફ દર્શનની પ્રાપ્તિ થાય છે તેથી માનાદિક અંતર શત્રુઓનો નાશ થાય છે. વિનય એ ધર્મનું મૂળ છે એ વિતરાગને અભિપ્રાય જણાવી, શિષ્યને સણુની ભક્તિ કરવાની ભલામણ કરી છે; પરંતુ જ્યાં સુધી સગુરુને એગ્ય દશા જેને પ્રાપ્ત નથી થઈ અને સદગુરુ ગણવાની લાલસા રાખી શિષ્યના વિનયને લાભ લેનાર અસશુરુ મહામહનીય કર્મ બાંધે છે, દીર્ઘ સંસારી થાય છે, એવી ચેતવણી પણ આપી છે. મુમુક્ષુ જીવ ત્યાગી વર્ગમાં હોય કે ગૃહસ્થ અવસ્થામાં હોય પણ તેણે આ વાત લક્ષમાં રાખવા ગ્ય છે એમ જણાવી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે પ્રથમ મતાર્થીપણું ત્યાગવાની જરૂર હોવાથી મતાથનાં લક્ષણો બતાવ્યાં છે. તે દેશે દૂર કરી આત્માર્થીને ગ્ય ગુણે ગ્રહણ કરવા ગ્ય છે માટે આભાર્થીનાં લક્ષણે વર્ણવ્યાં છે. શિષ્યનામાં આ બેંતાળીસ ગાથાઓમાં જણાવેલી એગ્યતા હોય અને આત્મજ્ઞાની ગુરુને તેને ઉપદેશ પ્રાપ્ત થાય તે અવશ્ય આત્મજ્ઞાન પ્રગટાવી તે શિષ્ય શાશ્વત મોક્ષસુખ પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પછી એક ગાથામાં છ પદનાં નામને નિર્દેશ કરી, જે વાત હવે કહેવાની છે તે દર્શનના અભ્યાસના સાર રૂપે આત્માનું ઓળખાણ કરાવવા જ્ઞાની પુરુષે કહેલી છે એમ જણાવ્યું છે. આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્દગુરુ છે; તે સિવાયના કલ્પિત કુળગુરુથી કલ્યાણ થાય નહીં. અને એવા સદગુરુ મળે તો હું મન, વચન, કાયાને તેની આજ્ઞા પ્રમાણે વર્તાવીશ અને સત્ય મેક્ષમાર્ગ અવશ્ય આરાધીશ એવા દૃઢ નિશ્ચયવાળો આત્માર્થી શિષ્ય મેક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ તજીને, ક્રેધાદિ શત્રુઓને મંદ કરીને, સંસાર પરિભ્રમણથી થાકીને અને આત્મ ઉદ્ધારને લક્ષ રાખીને કઈ સગુરુને શોધે છે. તેવા સદ્દગુરુ પ્રાપ્ત થતાં સરળ ભાવે પિતાના મનમાં જે જે શંકાઓ ઘુમાતી હતી તે છ ભેદે પ્રદર્શિત કરી છે અને ગુરુ તેના ઉત્તરે આપી નિઃશંક કરે છે. ૧ આત્માના અસ્તિત્વ વિષે શંકા કરતાં શિષ્ય પિતાના નાસ્તિક પક્ષના વિચાર જણાવી પૂછે છેઃ શિષ્યઃ જીવ દેખાતો નથી, તેનું કંઈ સ્વરૂપ સમજાતું નથી અને બીજો કોઈ મને અનુભવ પણ નથી તેથી જીવ નથી અથવા દેહ જે આત્મા છે એવું મને સમજાય છે. સદગુરુઃ દેહમાં આસક્તિ હોવાથી તને દેહરૂપે જ આત્મા ભાસે છે. પણ દેહ અને આત્મા એમ બે ત તત્ત્વજ્ઞાનીઓએ જુદાં દીઠાં છે. તે બન્નેનાં લક્ષણે પ્રગટ છે, તે વિચારવાથી જેમ તરવાર અને મ્યાન ભિન્ન છે તેમ આત્મા અને દેહ ભિન્ન તને સમજાશે. શિષ્ય દેહ, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે જીવ હોય તો તે પ્રગટ જણાય એમ છે, પણ તેથી જુદું જીવનું શું લક્ષણ છે? સદગુરુઃ દષ્ટિ વડે સર્વ પદાર્થો દેખાય છે પણ તે દૃષ્ટિને દેખનાર તથા પદાર્થોનાં સ્વરૂપને જાણનાર જીવ છે; દેહ ઇન્દ્રિય આદિની Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૫૧ પ્રવૃત્તિ રોકતાં કે તેમને નાશ થતાં પણ જે અબાધ્ય અનુભવ રૂ૫ છેવટે રહે છે તે જીવનું સ્વરૂપ છે. શિષ્યઃ જે આત્મા હોય તે ઘટ, પટ આદિ પદાર્થોની પેઠે જણાત કેમ નથી? હોય તે જણાવો જોઈએ પણ જણાતું નથી માટે આત્મા નથી; અને આત્મા ન હોય તે મોક્ષને માટે જે લોકો ઉપાયે આદરે છે તે કલ્પિત લાગે છે. આ મારા હૃદયની ગ્રંથિ ઉકલે તે સદ્દઉપાય, હે! સદગુરુ, બતાવો. - સદ્દગુરુઃ મડદા રૂપે દેહ હોય છે ત્યારે પિતાને કે ઘટ-પટ આદિ પદાર્થોને તે જાણું શકતું નથી; ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પણ પ્રગટ જડરૂપ છે તેથી તે પણ પિતાને અને પરને જાણવા સમર્થ નથી. ઇન્દ્રિયે પિતપતાના વિષય ઉપરાંત બીજી ઈન્દ્રિય સંબંધી જાણું શકતી નથી પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોને આત્મા જાણે છે. આત્માની સત્તાથી દેતાદિ સર્વ પ્રવર્તે છે; છતાં સર્વ અવસ્થાઓમાં જે જુદે જ રહે છે, જાણવા રૂપે રહે છે, તે જીવ ચિતન્ય રૂ૫ લક્ષણે સર્વ અવસ્થામાં સ્પષ્ટ ઓળખી શકાય તે છે. જે ઘટ, પટ આદિ પદાર્થોને તું જાણે છે તે પદાર્થોને માને છે પણ જાણનાર પદાર્થ જે પ્રથમ હોય તો જ તે પદાર્થો દેખી શકાય છે એવા આત્માને માનતું નથી તે ઘટ પટ આદિનું જ્ઞાન આત્મા સિવાય કેવા પ્રકારે ઘટી શકે તેને વિચાર કર. જડ અને ચેતન એ બન્ને દ્રવ્યોને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે તે છે. કેઈ કાળે જડ, ચેતન એક રૂપે થઈ જાય તેવી જાતનાં તે દ્રવ્યો નથી. માટે ત્રણે કાળે જુદાં રહેનાર એ દ્રવ્ય હોવા છતાં આત્મા નથી એવું હું માને છે તો તે શંકા કરનાર કેણ છે? એને વિચાર કેમ કરતે નથી? આ જ મને તે અસીમ આશ્ચર્યરૂપ લાગે છે. ૨ આત્માના નિત્યત્વ વિષે શંકા કરતે શિષ્ય હવે આ પૃથ્વી Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પ્રજાના મેાટા ભાગની ધર્મમાન્યતાના પક્ષ કરીને ઉપર વસતી પ્રશ્ન પૂછે છેઃ શિષ્યઃ હૈ! સદ્ગુરુ, આપે આત્મા હોવાનાં પ્રમાણ આપ્યાં તે ઊંડા ઊતરી વિચારતાં આત્મા નામનું તત્ત્વ હાવું જોઈ એ એવું લાગે છે. પરંતુ દેહની સાથે ઉત્પન્ન થતું અને દેહની સાથે નાશ ! પામતું તત્ત્વ હાવું જોઈ એ, એમ મને લાગે છે; તે સત્ય હશે ? સદ્ગુરુઃ દેહ હોય ત્યાં જ આત્મા હોય અને દેહ વિના આત્મા ન રહી શકે એ પ્રકારના અવિનાભાવી સંબંધ દેહ અને આત્માને નથી. પણ દેહને આત્માની સાથે માત્ર સંયેાગ સંબંધ છે; વળી દેહુ જડ છે, ઇન્દ્રિયાથી જણાય તેવા રૂપી પદાર્થ છે, પાતે કંઈ દેખી શકતા નથી, માત્ર આત્માવડે દેખી શકાય તેવા દૃશ્ય પદાર્થ છે. તે પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે નાશ થયા તેના કાને અનુભવ થવા યેાગ્ય છે? એટલે ચેતનની ઉત્પત્તિ અને નાશ થાય છે એમ અનુભવ સિદ્ધ થતું નથી. ચેતનની ઉત્પત્તિ થઈ એમ જાણનાર ચેતનથી જુદે હોવા જોઈ એ; તેમજ ચેતન નાશ પામ્યું એમ જાણનાર પણ ચેતનથી જુદા હૈાવા જોઇએ પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થો તા જાણી શકતા નથી. તેથી ચેતનનાં ઉત્પત્તિ, લય કહેનાર સપ્રમાણ એટલતા હાય એમ લાગતું નથી. શિષ્ય: બધી વસ્તુઓ જોતાં તે નાશ પામનારી, ક્ષણિક લાગે છે અને ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થા નજરે દેખાય છે; એ અનુભવ ઉપરથી પણ આત્મા નિત્ય તે જાતે નથી. સદ્ગુરુઃ તને સંયેાગી પદાર્થો દેખાય છે, તે નાશ પામે છે એવા તને અનુભવ થાય છે. જેને સંયેાગ થયા છે, તેના વિયેાગ સંભવે છે. પરંતુ તું જે અનુભવ કરનાર છે અને સંચેાગાને જોનાર છે, તે આત્મદ્રતા સંયેાગેાથી ઉત્પન્ન થયેલું નથી; કેમકે જડ વસ્તુઓના સંયાગથી ચેતન ઉત્પન્ન થાય એવું કાઈ જગાએ કદી . ' Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૫૩ બની શકતું નથી; તેમજ ચેતન દ્રવ્યથી જડ દ્રવ્યની ઉત્પત્તિ થાય એવો પણ કદી કોઈને કોઈ દેશમાં અનુભવ થવા યોગ્ય નથી. આમ જે સ્વાભાવિક આત્મદ્રવ્ય છે, અસંયોગી છે, તેને નાશ કે અન્ય દ્રવ્યમાં મળી જવું કેવી રીતે બને? તેથી તે સ્પષ્ટ નિત્ય પદાર્થ છે એમ વિચાર કરતાં સમજાશે. વળી વિચાર કર કે સર્પ વગેરે પ્રાણ જન્મથી ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે કે સાપ અને મેરને તથા ઉંદર અને બિલાડીને જન્મથી વેર હોય છે, તે કઈ આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિષ જણાતા નથી તે પૂર્વ જન્મના એ સંસ્કાર છે એમ સિદ્ધ થતાં, જીવ મરતો નથી પણ જન્માંતરમાં પણ તેને તે જ હેવાથી નિત્ય સિદ્ધ થાય છે. પદાર્થની જે જે અવસ્થાએ તને બદલાતી જણાય છે તે બધા નિત્ય દ્રવ્યના પર્યાય છે એટલે પદાર્થ રૂપાંતર પામવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. તે જ પ્રમાણે બાળ, યુવાન વગેરે અવસ્થાઓ બદલાયા છતાં તેને જાણનારે તે તેને તે જ એક આત્મા નિત્ય દ્રવ્ય રૂપે રહે છે. વસ્તુ માત્ર જે ક્ષણિક હોય તે ક્ષણિક પદાર્થને જાણુને બીજી ક્ષણે પિતે નાશ પામનાર સ્વભાવવાળો જીવ ક્ષણિક વસ્તુ છે એવો અનુભવ પ્રગટ કરતા પહેલાં નાશ પામ જોઈએ; પણ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોવો જોઈએ એમ તે સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય તેવું છે; તેથી ક્ષણિકપણને અનુભવ કરનાર અક્ષણિક કે નિત્ય સિદ્ધ થાય છે. જગતમાં જેટલા પદાર્થો છે તેમાંથી સર્વથા કેઈને નાશ થતું નથી, માત્ર રૂપાંતર પામે છે; તે ચેતનને નાશ થાય છે એમ કહે તે ક્યા પદાર્થમાં તે ભળી જશે તેને વિચાર કરે; તે અસંયોગી પદાર્થ રૂપાંતર પામવા છતાં પિતાના રૂપે જ રહે એવું સ્પષ્ટ સમજાશે. તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. ૩ આત્મા કંઈ કરતો નથી એ અભિપ્રાય દર્શાવતાં શિષ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા, પ્રશ્ન કરે છેઃ શિષ્યઃ હે! સલ્ફર, આત્મા નિત્ય છે એમ સમજાયું. પણ તે કર્મનો કર્તા હોય એમ લાગતું નથી; કર્મને કર્તા કર્મ હોઈ શકે એમ સમજાય છે. સદ્દગુરુઃ જે ચેતનની પ્રેરણું ન હોય તે કર્મ કેણુ ગ્રહણ કરે? જડમાં તે પ્રેરણું કે ફૂરણાને ધર્મ જણાતો નથી. તેથી કંઈક કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મને કર્તા છવ ઘટે છે. શિષ્યઃ તે એમ માનવું પડશે કે જીવને સહજ સ્વભાવ કર્મ કરવાને છે. સદગુરુ જે જીવ કર્મ ન કરે તે કર્મ થતાં નથી; જીવને કર્મ ન કરવાં હોય તે તેમ બની શકે છે માટે કર્મ કરવાં એ જીવને સહજ સ્વભાવ નથી; તથા કર્મ કરવાં એ છવધર્મ નથી કારણ કે પિતાને ગુણ હોય તે તે છુટી શકે નહીં. - શિષ્યઃ આત્મા સદાય અસંગ સ્વરૂપે રહે છે; માત્ર પ્રકૃતિ કર્મ બંધ કરે છે તેથી જીવ અબંધ છે એમ માનવામાં કંઈ હરક્ત છે? સદગુરઃ જે આત્મા અસંગ સ્વરૂપે એકાંતે હેાય તે તને તે સ્વરૂપે ભાસ જોઈએ પણ તેમ બનતું નથી તેથી કઈ રીતે તે અસંગ, નિરાવરણ સ્વરૂપે હાલ નથી એમ સમજાય છે. તેમજ નિશ્ચય નથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે પણ તેનું ભાન થયા વિના તે દશા પ્રાપ્ત થતી નથી. શિષ્યઃ અથવા એમ માનીએ કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે તેથી જીવ તે અબંધ રહે છે એમ માનીએ તે કેમ? સદગુરુઃ જગતને કર્તા કે જીવને કર્મ વળગાડનાર કોઈ ઈશ્વર સંભવત નથી; પરંતુ કર્મરહિત શુદ્ધ આત્મા થયા તે જ ઇશ્વર છે. જે શુદ્ધ આત્માને કર્મની પ્રેરણા કરનાર માનીએ તો ઈશ્વરને દોષવાળે, Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપાધિવાળા માનવા પડશે; તે સંસારી જીવ અને ઇશ્વર બન્ને ઉપાધિવાળા હાવાથી ઇશ્વરનું સ્વરૂપ યચાર્થ સમજાશે નહીં. શિષ્યઃ કાં તા કર્મનું કર્તાપણું અસંગ આત્માને ઘટતું નથી અથવા તેા કર્મ કરવાના સ્વભાવ આત્માને માનીએ તે। તે કદી છૂટે નહીં; એ બન્ને પ્રકાર વિચારતાં મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી યેાગ્ય લાગતી નથી. તેા હવે આત્માને કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવા? સદ્ગુરુ: જ્યારે જીવ આત્મજ્ઞાન પામે, ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવના કર્તા એટલે જ્ઞાતા, દૃષ્ટા આદિ પેાતાની અવસ્થાએના કર્તા રૂપે રહે છે, નાનદશામાં પાતે કર્મના કર્તા પેાતાને માનતે નથી. પરંતુ અજ્ઞાન દશામાં જીવ કર્મના કર્તા બને છે; અને દેાદિ કર્માંના પાતે સ્વામી અને છે. ढें જીવ કર્મના કર્તા કેવી રીતે છે તે સમજાયા પછી શિષ્ય ભક્તા પદ વિષે શંકા કરતાં કહે છે શિષ્ય: જીવને કર્મના કર્તા ભલે કહેા પણ તે કર્મને ભક્તા કહી શકાશે નહીં, કેમકે કર્માં જડ હાવાથી તે કંઈ જાણતાં નથી કે આપણે પાપ કર્યું છે માટે એમને દુઃખ આપવું કે આણે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવું. સદ્ગુરુઃ જ્ઞાનાવરાદિ આર્ટ દ્રવ્ય કર્મ જડ રૂપ છે; પરંતુ રાગદ્વેષાદિ ભાવકર્માં જીવની કલ્પના રૂપ છે. માટે તે કર્મ ચેતન રૂપ છે, જડ નથી. જીવના રાગદ્વેષ રૂપ ભાવકર્મના નિમિત્તે તથા છત્રવીર્યની સ્ફુરણાથી સૂક્ષ્મ જડ પરમાણુઓનું ગ્રહણ થાય છે, તે જ્ઞાનાવરણાદિ આ દ્રવ્યકર્મ છે. વળી ઝેર અને અમૃત જડ છે તેથી તે જાણતાં નથી કે અમને ખાનારને અમારે આવું ફળ આપવું છે. પણુ જીવ ઝેર ખાય તેા ઝેર ચઢે છે, અને અમૃત પીવે તે અમર થાય છે;. જે પ્રકારે શુભ અને અશુભ કર્મ એટલે પાપ-પુણ્ય બાંધ્યાં હાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તે પ્રકારે ભાગવાય છે. એક ટૂંક છે અને એક રાજા છે એમ જે વિચિત્રતા જગતમાં જણાય છે તેનું કારણ પણુ જે પ્રકારે શુભાશુભ એધ્યાં છે તે પ્રમાણે જીવ ભાગવે છે. તેથી જીવ કર્મના ભક્તા સાબિત થાય છે. શિષ્યઃ શુભાશુભ કર્મનું ફળ ઇશ્વર આપે છે એમ માનીએ તા જીવ ભાક્તા છે એમ સમજાય, પણ એમ માનતાં એટલે ઇશ્વરને ઉપાધિવાળા માનતાં ઇશ્વરનું ઇશ્વરપણું ટળીને જીવપણું પ્રાપ્ત થાય છે. તા શ્વર વિના સુખદુઃખ કાણુ આપે ? સદ્ગુરુઃ ઝેર અને અમૃત પેાતાના સ્વભાવપણે ખાનારને ફળ આપે છે તેમ આઠે કર્માં પેાતાના સ્વભાવપણે જીવને ફળ આપે છે. તેથી ઈશ્વરને ફળ આપનાર માનવાની કંઈ જરૂર રહેતી નથી. શિષ્યઃ ઇશ્વરને ન માનીએ તે આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કાણુ આપે ? તથા દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કોણ કરે ? અને નિયમિતપણે સારાં કર્મનું ફળ સારું જ મળે નહીં તે પછી જગતમાં નીતિ વગેરેની વ્યવસ્થા ક્યાંથી રહે ? સદ્ગુરુઃ શુભાશુભ કર્મનાં ભાગવવા યેાગ્ય ફળ મળે તેવાં દ્રવ્ય, સ્થાન અને સ્વભાવની વ્યવસ્થા અનાદિ સિદ્ધ જગતમાં છે; અને કર્મોનુસાર ભાવનાના બળે જીવ કર્મ કેવી રીતે અંધે છે અને કેટલા કાળ સુધી કયે સ્થળે કેટલા રસે તે કર્મનું ફળ ભાગવશે વગેરે વિષે ગહન શાસ્ત્રા લખાયાં છે તે વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. જીવની યેાગ્યતા વધતાં તે પ્રગટ સમજી શકાય તેમ છે. ૫કતા ભેક્તા જીવ સાબિત થયા પછી મેાક્ષપદ વિષે શંકા ઉત્પન્ન થવાથી શિષ્ય પ્રશ્ન કરે છેઃ શિષ્યઃ જીવ કર્મ કરે છે અને ભગવે છે ખરા, પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ ? Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૭ સદ્દગુરુ જેમ શુભાશુભ કર્મ છવ કરે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ શુભાશુભ કર્મ છવ ન કરે તો તે કર્મથી નિવૃત્તિ કરી તેનું ફળ પણ મળવું જોઈએ. તે નિવૃત્તિનું ફળ મેક્ષ છે એમ વિચારવાન જીવને જણાય છે. શિષ્યઃ અનંત કાળ વહી ગયો પણ છવ મુક્ત થયે નહીં; દેવાદિગતિ શુભ કર્મથી પામે, અશુભ કર્મે નરકે ગયા પણ હજી દે વાળો છવ પ્રત્યક્ષ છે. તે મોક્ષને સંભવ કેમ મનાય ? સદ્દગુરુઃ શુભાશુભ કર્મભાવને લઈને અનંત કાળ વીત્યા છતાં જીવ મુક્ત થયા નહીં. પરંતુ તે શુભાશુભ ભાવને નાશ કરવાથી મેક્ષ સ્વભાગ પ્રગટ થાય છે. શિષ્યઃ કર્મ રહિત કોઈ ગતિમાં જીવ હોય તે સમજાતું નથી; તો કોઈ સ્થળ એવું છે કે જ્યાં જીવને કોઈ કર્મનો સંગ ન હોય ? સદ્દગુરુ દેહાદિ સંયોગને ફરી કદી પ્રાપ્ત ન થાય તે વિયોગ થાય છે; અને તે શાશ્વત પદ છે, એટલે ત્યાંથી કદી ફરી જન્મમરણ રૂ૫, સંસારમાં આવવું પડતું નથી; ત્યાં આત્માનું અનંત સુખ ભગવાય છે; એવું એક્ષપદ સિદ્ધ થયું. ૬ પાંચે સ્થાનકને વિચાર કરતાં તે પાંચે પદનો નિશ્ચય થયે એટલે શિષ્યની મુમુક્ષતા તીવ્ર થઈ અને મોક્ષને ઉપાય ન હોય તે અત્યાર સુધી જાણેલું શા કામનું છે એમ વિચારી અવિરોધ ઉપાયમાં શંકા થવાથી શિષ્ય પૂછે છેઃ - શિષ્યા અનંત કાળનાં કર્મો કેવી રીતે નાશ પામશે ? કઈ અવિરોધ ઉપાય મને જણ નથી. અનેક મત અને અનેક દર્શને અનેક ઉપાય બતાવે છે, તેમાં સાચું શું માનવું ? સગુરુઃ (આટલી હદની વિચારણા કરી સમજી શકે તેવા સુશિષ્યને ધીરજ અને આશીર્વાદ આપતાં કહે છેઃ) તને અત્યારસુધી Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આપેલા પાંચ પદની શંકાના પાંચે ઉત્તરથી આત્મામાં પ્રતીતિ થઈ છે કે આ સદ્ગુરુ કારણકાર્યથી સમજાવીને યથાર્થ આત્મસ્વરૂપ જણાવે છે તેમજ છે, તે! તને મેક્ષઉપાય બતાવીશ તેમાં શંકા નહીં રહે; મેક્ષના ઉપાયની તે જ પ્રમાણે સહુજ પ્રતીતિ થશે. ૧૫૦ ઘણા કાળનું સ્વમ પણ જાગ્રત થતાં જ દૂર થાય છે તેમ આત્મજ્ઞાન થતાં અનાદિને વિભાવ ટળે છે. કર્મથી ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ જ અજ્ઞાન દશા છે; તે કર્મબંધનનું કારણ છે. શુદ્ધ આત્માથી ભિન્ન અહિરાત્મ ભાવમાં વાસના છે; પરંતુ કર્મથી મુક્ત થવાના ભાવ તે જ નિજ શુદ્ધ આત્મસ્વભાવમાં વાસ છે. કર્મબંધનનાં જે જે કારણેા છે તે બંધમાર્ગ છે અને તે બંધનનાં કારણેાના નાશ કરવા તે મેાક્ષમાર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધન વેલીની મુખ્ય ગાંઠ છે; તેને નિમૂળ કરવાના ઉપાય તે મેાક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં ક મુખ્ય આઠ કર્મોમાં સમાઈ જાય છે; અને તે આઠેમાં મુખ્ય મેાહનીય કર્મ છે; તેનેા નાશ કરવાના ઉપાય સાંભળ. મેાહનીય કર્મના એ ભેદ છે: એક દર્શન મેાહનીય અને ખીજાં ચારિત્ર મેાહનીય. દર્શન મે!હુનીયના નાશ માધથી થાય છે અને ચારિત્ર મેાહનીય વીતરાગતાથી ટળે છે. આ સત્ય ઉપાય છે, કેમકે ક્રાધાદિથી કર્મ બંધાય છે અને ક્ષમાદિથી કર્મના નાશ થાય છે એ સર્વને પ્રત્યક્ષ અનુભવમાં આવે તેમ છે. અનેક મત તથા અનેક દર્શના મેાક્ષના ઉપાય બતાવે છે. તે પ્રત્યેના આગ્રહ તજીને તથા આ મારા ધર્મ છે તે મારે પાળવા જ એવા વિકલ્પે મૂકીને આ મેક્ષ માટે બતાવેલા માર્ગ આરાધશે તે ઘેાડા ભવમાં મેક્ષ પામશે. છ પદ્મ વિષે તેં છ પ્રકારે પ્રશ્ના વિચાર કરીને પૂછ્યા તે પદ જો સર્વાગે સમજાય,તેમાં નિઃશંક થાય તે તે અવશ્ય મોક્ષમાર્ગ પામે છે. એકાદ પદમાં પણ શંકા હોય તે મેક્ષમાર્ગ પ્રમાતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શિષ્યઃ કયી જાતિમાં મિક્ષ પમાય છે, ક્યા વેષથી મોક્ષ પમાય છે એને નિશ્ચય મારાથી થઈ શકતું નથી. કારણ કે કોઈ બ્રાહ્મણ આદિ જાતિને મેક્ષાગ્ય માને છે, કોઈ સાધુ આદિના વેષ વિના મેક્ષ થતું નથી એમ અનેક ભેદે વર્ણવે છે; એક જ પ્રકારને માર્ગ બધા માનતા નથી. તે મારે શું કરવું? સગુસઃ દર્શન અને ચારિત્રમોહને દૂર કરીને સત એટલે અવિનાશી ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય શુદ્ધ આત્મા પામવાને ઉપર મોક્ષમાર્ગ કશે તે ગમે તે જાતિમાં કે વેષમાં આરાધશે તે મેક્ષ પામશે. મેક્ષમાં ઊંચનીચને ભેદ નથી. આમાં કાંઈ શંકા રાખવા યોગ્ય નથી. શિષ્યઃ પાંચ પદ સમયાનું ફળ, મોક્ષને ઉપાય ન સમજાય તો શા કામનું છે ? પાંચે પદના ઉત્તરથી હે ! સગુરુ, મારા મનનું સમાધાન થયું છે તેમ આ મેક્ષઉપાય નામનું પદ સમજાય તે મારા મહાભાગ્યનો ઉદય થયે એમ હું જરૂર માનીશ. હે ! ગુરુરાજ, મેક્ષમાર્ગની શરૂઆતથી સંપૂર્ણતા સુધીનો ક ઉપાય છે ? સદ્દગુરઃ કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ સર્વેને શમાવવા, મંદ કરવા; એક મોક્ષ સિવાય બીજી અભિલાષા ન રાખવી. સંસાર પરિભ્રમણથી ત્રાસ પામવો અને આ આત્મા અનંત કાળથી કર્મના ભારે કચરાઈ રહ્યા છે તેને જન્મમરણનાં દુઃખથી મુકાવવા સાચા ભાવથી કાળજી રાખી મોક્ષ માટે પ્રવર્તવાના ભાવ રૂપ અંતર દયા, તેમજ સર્વ છે સંસારદુઃખથી મુક્ત થાય તેવા ભાવ રૂ૫ અંતરથી દયા જેને હોય તે જીવને મેક્ષમાર્ગને જિજ્ઞાસુ જાણો. એવા જિજ્ઞાસુ આત્માને સદ્ગરનો બોધ થાય તે તે સમ્યક્દર્શન પામે અને અંતની શોધમાં વર્ત. મત, દર્શનને આગ્રહ તજીને જે તે સગુએ દર્શાવેલા લક્ષે વર્તે તે તે શુદ્ધ સમીત પામે એટલે તેને અંશે આત્માને અનુભવ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ થાય છે. જ્યારે નિજસ્વભાવને સ્પષ્ટ અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે ત્યારે પરમાર્થે સમ્યફ દર્શન પ્રગટ થયું ગણાય છે. સમ્યફ દર્શનની વધતી જતી ધારાથી ચારિત્ર મોહનીયના મિથ્યાભાસને ટાળે, ત્યારે ચારિત્રગુણ એટલે સ્વભાવસમાધિ પ્રગટે છે અને અંતે સર્વ રાગદ્વેષના ક્ષય રૂપ વીતરાગ પદમાં સ્થિતિ થાય છે. શુદ્ધ આત્મસ્વભાવનું જ્યાં નિરંતર જ્ઞાન રહે, તે જ્ઞાનને કેવળજ્ઞાન કહીએ છીએ. એ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં અત્રે અનુભવાય છે. હે! શિષ્ય, દેહમાં જે આત્મબુદ્ધિ થઈ છે અને તેથી દેહ, સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંભાવ, મમત્વ ભાવ વર્તે છે તે છૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તે તું કર્મને કર્તા પણ નથી તેમજ ભોકતા પણ નથી; અને એ જ ધર્મને મર્મ છે. એ જ ધર્મથી મેક્ષ છે; તે જ ક્ષસ્વરૂપ છે એટલે શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, દર્શન અને અવ્યાબાધ સુખ સ્વરૂપ તું છે. તું જ શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય પ્રદેશાત્મક છે, સ્વયંતિ સ્વરૂપ છે અને અનંત સુખની ખાણ છે. વિશેષ કેટલું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે તે વિચાર કરીશ તે તે સંપૂર્ણ પદ પ્રાપ્ત કરીશ. નિશ્ચય સર્વે જ્ઞાનીને આવી અત્ર સમાય” એમ કહીને સહજ સમાધિમાં સદગુરુ લીન થયા, મન થયા. છેવટે ઉપસંહાર કરતાં પહેલાં “શિષ્ય બેધ બીજ પ્રાપ્તિ' રૂપે નવ ગાથાઓ આપી છે તેમાં જ્ઞાન, ભક્તિ અને ઉપકારની લાગણી ઉત્તમ રીતે વર્ણવી જે ભાવ પ્રકટ કર્યો છે, તે ભાવ સદ્ગુરુનું ઓળખાણું જે મહાભાગ્યશાળીને થયું હોય તેને મરણ સમયે આવે તે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૧ મહાલાભ થાય, સમાધિ મરણ થાય તેવી તે ગાથાએ હોવાથી તથા મરણ સમયે પણ સંભળાવવા યેાગ્ય હાવાથી મૂળ રૂપે જ નીચે આપી છેઃ ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, થયું અજ્ઞાન. ચેતના રૂપ, “ સદ્ગુરુના નિજપદ નિજમાંહી લશું, દૂર ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ અજર, અમર, અવિનાશી ને, દેહાતીત કર્તા ભકતા કના, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં, ચયે સ્વરૂપ. અકર્તી ત્યાંય. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ, કર્તા ભકતા તેહના, નિવિકલ્પ સ્વરૂપ. મેક્ષ કા નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યા સંક્ષેપમાં, સફળ મા નિગ્રંથ. અહા ! અહા ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા ! શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૈા હીન, તે તા પ્રભુએ આપીએ, વર્તુ ચરણાધીન. આ દેહાર્દિ આજથી, વર્તો પ્રભુ આધીન, અપાર, ઉપકાર. દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુના દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યા આપ, મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭ છેલ્લી પંદર ગાથામાં ચૂલિકા રૂપે ઉપસંહાર કર્યો છે. છ પદને વિસ્તારપૂર્વક વિચારવાથી ‘ ષદર્શન જિન અંગ ભણી જે ' જેમ શ્રી આનંદધનજીએ ગાયું છે તેમ છએ દર્શન સમજાશે અને સમ્યક્ દર્શનનાં એ સ્થાનકમાં નિઃશંક થવાથી સમીતના લાભ થશે એમ જણાવી મિથ્યાત્વ જેવા મેાટા રાગ મટાડવા સદ્ગુરુર્વૈદ્યને શેાધી તેની આજ્ઞા રૂપ પૃથ્ય પાળીને સદ્ગુરુના ખેાધને વિચાર ધ્યાનમાં Jain Educationa International For Personal and Private Use Only ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા લેવા રૂ૫ ઔષધની ભલામણ કરી છે. આ કાળમાં લાંબી ભાવસ્થિતિ વાળા છ હોવાથી મેક્ષ ન મળે વગેરે વિચારો તછ સપુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. નિશ્ચય નયે આત્માનું સ્વરૂપ છે તે લક્ષમાં રાખી સદ્વ્યવહાર રૂપ મેક્ષનાં સાધને આરાધવાં પણ વ્યવહાર કે નિશ્ચયને એકાંતે આગ્રહ ન કરે એવી ચેતવણી આપી છે. આ ગ્રંથમાં કેઈનય એકાંતે કહ્યું નથી. બન્નેને ગણુ મુખ્યપણે યથાયોગ્ય સાથે લક્ષ રાખેલ છે. ગ૭મતની કલ્પનાઓ સવ્યવહાર ગણાય નહિ; તેમજ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયા વિના નિશ્ચયની વાતોમાં કંઈ માલ નથી. ત્રણે કાળના સર્વે જ્ઞાનીને એક જ માર્ગ છે. નિશ્ચય નયથી સર્વ જીવ સિદ્ધ જેવા છે; પરંતુ ગુરુની આજ્ઞા અને જિનદશાના અવલંબન રૂપ નિમિત્તથી તે સ્વરૂપ સમજાય તો તે સ્વરૂપ પ્રગટ થાય; માટે સદ્વ્યવહારની પણ જરૂર છે. એકાંતે શુદ્ધ ઉપાદાન કે નિશ્ચયનું નામ લઈને નિમિત્ત રૂ૫ વ્યવહારને તજે તે બ્રાંતિમાં ભમે છે, મોક્ષ પામતા નથી. મેઢે જ્ઞાનની વાત કરે અને હૃદયમાં મેહ ભરપૂર હોય તે પામર પ્રાણુ જ્ઞાનીને દ્રોહ કરે છે, અશાતના કરે છે. પરંતુ મુમુક્ષુ જીવ તે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોનું સેવન કરી જાગ્રત રહે છે. જેણે મોહનો ક્ષય કર્યો છે કે શાંત કરી દીધું છે તે જ્ઞાનીની દશા પામે છે. સકળ જગત જેને એંઠ રૂ૫ લાગે, સ્વમ સમાન ભાસે તે જ્ઞાનીદશા કહેવાય. બાકી મેહમાં વર્તે છે તે ગમે તેવાં નિશ્ચયનાં વચન બેલે તો પણ તે વાચાજ્ઞાન કે શુષ્કજ્ઞાન છે. પ્રથમનાં પાંચ પદને વિચાર કરીને મોક્ષના ઉપાય રૂપ છેલ્લા પદમાં જેનું વર્તન હોય તે મેક્ષ રૂપ પાંચમું પદ પ્રાપ્ત કરે છે; એ નિઃશંક વાત જણાવી અંત મંગલની ગાથામાં જ્ઞાની પુરુષને નમસ્કાર જણાવ્યું છેઃ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણીત.” Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ચાદ પૂર્વનું મધ્યનું-સાતમું પૂર્વ “મામ પ્રવાહ” નામે છે. તે સર્વ પૂર્વના સાર રૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના આત્મસ્વરૂપને અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. તેને ઊંડે અભ્યાસ સદ્દગુરુ સમીપે થાય તે આત્મજ્ઞાન પામવું સુલભ થાય તેવું આ કળિકાળમાં ઉત્તમ સાધન આપણને પ્રાપ્ત થયું છે. તે સમજવા જિજ્ઞાસુ દશા પ્રાપ્ત કરી આત્મજ્ઞાની ગુરુ સમીપે ભક્તિપૂર્વક તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા સર્વને ભલામણ કરું છું. પક્ષપાત કે ખંડનમંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે ગ્રહણ કરાય તેવા રૂપે સુંદર પદ્યમાં ૧૪૨ ગાથામાં જ સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિમાં ભરી દીધું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ની ચાર નકલોમાંથી એક શ્રી સોભાગ્યભાઈને આપેલી તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી તે આગળ ઉપર જણાવી દીધું છે. શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થયેલી તે પ્રમાણે તેમણે અત્યંત ભક્તિભાવથી તેનું વાચન, મનન, નિદિધ્યાસન કરેલું અને તેનું માહામ્ય ટૂંકામાં શ્રીમદ્દ ઉપર લખેલા પત્રમાં જણાવે છે: શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અલ્પજ્ઞ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યુગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા; જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી-રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ; આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. જે ઘણા પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈ અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલા, તે ગ તે પરમાત્મકૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સગુચરણમાં પ્રેમયુક્ત સહજ અને સ્થિરભાવે રહ્યા કરતા; જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા સારી રે સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જે તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તે આત્મવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે; અને મન, વચન, કાયાના પેગ પણ આત્મવિચારમાં જ વત્ય કરે.” સ્વામી શ્રી લલ્લુજી આત્મસિદ્ધિ સંબંધમાં જણાવે છે: તે વાંચતાં અને કઈ કઈ ગાથા બોલતાં, મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. અને અકેક પદમાં અપૂર્વ માહાભ્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિને સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આભેલ્લાસ થતો. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સમૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર એક સગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.” ચોથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મોકલાવેલી તેમણે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને ભક્તિપૂર્વક અભ્યાસ કરી, પિતાને જે ભાવો ફૂરેલા તે “આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવરણ રૂપે દર અઠવાડિયે દશબાર પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર લખી મોકલતા. તેમાંનું કંઈ પ્રસિદ્ધ થયું જણાતું નથી. શ્રી અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે ઉપરથી કંઈક વિસ્તારથી આત્મસિદ્ધિ વિષે શ્રી માણેકલાલભાઈ લખતા એમ જણાય છે. ટૂંકમાં, અનેક યોગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામે તેવી તે શાસ્ત્રમાં ચમત્કૃતિ છે, એ વાત ઉપરના ઉતાર ઉપરથી પણ સિદ્ધ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન શ્રીમદ્દ નડિયાદમાં સં. ૧૯૫રની દિવાળી પછી પણ થોડે વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી, સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા અને તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા, આ અરસામાં શ્રી સોભાગ્યભાઈને સમાધિપૂર્વક દેહ છૂટયા હતા. શ્રી લલ્લુજી આદિ છ મુનિઓની શ્રદ્ધા ફરી ગઈ છે એમ ખંભાત સંઘાડાના સાધુ અને શ્રાવકોમાં વિશેષ ચર્ચા થવા લાગી. શ્રી લલ્લુજીને દીક્ષા આપનાર હરખચંદજીને દેહ પણ છૂટી ગયો હતો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ પડી કે જે આ મુનિઓને દબાવીશું નહિ તે તે જુદે વાડે બાંધશે. તેથી તે છમાંના એક એક સાધુને બીજા પક્ષવાળા સાધુઓના સમૂહમાં બોલાવીને વિશેષ પ્રકારે દબાવતા, માર્ગથી પાડવાના પ્રયત્ન કરતા. તે પણ એ છ મુનિઓ સમભાવે રહેતા. શ્રી દેવકરણજી મુનિને સાચી વાતમાં શુરવીરપણું આવી જતું પણ દબાઈને બેસી રહેતા. લાક્ષાગૃહમાં પાંડને બાળવાને પ્રયત્ન કૌરવોએ કર્યો હતો તેમ આ પરિષહ મુનિઓને સહન કરે મુશ્કેલ હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળી પરંતુ શ્રીમદ્દના ઉપદેશથી અંતરંગમાં શાંતિ રાખી શક્યા હતા. કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તે એ પ્રસંગે વિશેષ દઢતા થઈ કે આત્મકલ્યાણની ઈચ્છાવાળાને એ બધાને સંગ ભૂંડે છે. દરરોજ નિંદા અને ખટપટમાં કાળ ગાળનાર એક પક્ષ દેખાતે અને એક બાજુ પિતાને લક્ષ ચૂક્યા વિના શાંત ભાવે સહન કરતા થોડા મુનિઓ યથાર્થ સાધુપણું આચરતા જણાતા. શ્રીમન્ના અમૃત સમાન બેધના પરિણામે મુનિઓને શાંતિ , રહેતી. પત્રો પણ વિરોધ શમાવે તેવા આવતા તેમાંથી કંઈક નીચે લખ્યું છેઃ સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે; પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચારવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભ પણ થાય.” - “અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવા ફેરથી ભિન્નતા માને છે એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.”. શ્રી લલ્લુજી આદિનું ચાતુર્માસ સં. ૧૯૫૩માં ખેડા થયું હતું. ત્યાં શ્રીમદે તેમના સ્વાધ્યાય માટે “મોક્ષમાર્ગ–પ્રકાશ ” ગ્રંથ મેકલ્યો હતે. શ્રીમદને મોરબીમાં ત્રણ માસ સં. ૧૯૫૪માં ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનની એક મુમુક્ષુએ કરેલી Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ચરેતરમાં પુનરાગમન ૧૬૭ નૈધ “વ્યાખ્યાન સાર” નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્દ પેટલાદ થઇ કાવિઠા ગયા હતા. ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી અંબાલાલભાઈ સાથે રહેતા. મુનિશ્રી લલ્લુજી આદિનું ચોમાસું વસેામાં થયું હતું. અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ કાવિઠાથી નડિયાદ થઈને વસે પણ ગયા હતા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું: “કહે, મુનિ અહીં કેટલા દિવસ રહીએ?” ત્યાં સુધીમાં શ્રી લલ્લુજીને બે, ચાર કે છ દિવસથી વધારે સમાગમને પ્રસંગ મુંબઈ સિવાય બીજે કયાંય બન્યો નહોતે; તેથી વિશેષ સમાગમની ઈચ્છાએ તેમણે જવાબ દીધેઃ “એક માસ અહીં રહે તે સારું.” શ્રીમદ્ મિન રહ્યા. શ્રી દેવકરણજીને ખબર મળી કે શ્રીમદ્ વસે પધાર્યા છે; તેથી તેમની પણ સમાગમ માટે ઉત્કંઠા વધી. પ દ્વારા અને માણસે મોકલીને ખેડા પધારવા તે આગ્રહ કરવા લાગ્યા. તે ઉપરથી શ્રી અંબાલાલભાઈની સૂચનાથી શ્રી લલ્લુજીએ ખેડા પત્ર લખ્યો કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા શ્રીમદ્ ઉપર તમે પત્ર લખો તો આપણે બધાને લાભ મળે તે વિશેષ સારું. શ્રી દેવકરણજીને તેવા ભાવાર્થને પત્ર શ્રીમદ્ ઉપર આવ્યો ત્યારે શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું: “મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો?” શ્રી લલ્લુજીએ અંબાલાલનું નામ ન લેતાં કહ્યું: “મેં પત્ર લખ્યું હતું.” શ્રીમદે કહ્યું: “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.” શ્રી લલ્લુજી ગામના મેટા મેટા લોકોને ત્યાં આહારપાણું લેવા જતા ત્યારે બધાને કહેતા કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશે તે બહુ લાભ થશે. એટલે ઘણા માણસે શ્રીમદ્દ પાસે આવવા લાગ્યા એટલે શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું કે તમારે મુનિઓએ બધા Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આવે ત્યારે ન આવવું. તેથી તેમને ઘણે પસ્તા થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય આવી પડ્યા. તેથી પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતો. વનમાં શ્રી સંતરાય આવો વગેરેને નવા એક દિવસે વનમાં વાવ પાસે શ્રીમદ્દ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછયું: “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?” ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ, તે પીએ છીએ; તે પછી છીંકણું વહેરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારની વખતે આહારપાણે વહેરી લાવીએ છીએ, તે આહારપાણ કર્યા પછી સૂઈ રહીએ છીએ; સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.” શ્રીમદ વિનોદમાં કહ્યું: “ચા અને છીંકણી વહારી લાવવી અને આહારપાળું કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?” પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓને પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો; ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરે.” | મુનિ મેહનલાલજીએ કહ્યું “ મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઇ છે અને ભણવાને જગ કયાંથી બને ?” શ્રીમદે તેના ઉત્તરમાં કહ્યું: “ગ બની આબેથી અભ્યાસ કરે, અને તે થઈ શકે છે; કેમકે વિકટેરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.” એક વખત મેહનલાલજી મુનિએ શ્રીમને એક પત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ રેતરમાં પુનરાગમન લખીને જણાવ્યું કે મને વ્યાખ્યાન વાંચતાં આવડતું નથી, અને કહી દેખાડતાં પણ આવડતું નથી માટે આપ આજ્ઞા કરે તે હું વ્યાખ્યાન વાંચવાનું બંધ કર્યું. તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું “સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં; જ્યારે વ્યાખ્યાન સમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના રાખી, કંઇ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં; નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરે.” પછી મેહનલાલજી મુનિએ પૂછયું: “મન સ્થિર થતું નથી, તેને શું ઉપાય?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “એક પળ પણ નકામે કાળ કાઢો નહીં. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું; એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્દવિચાર રૂપ ખેરાક આપવો. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ, ખાણને ટોપલો આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છે; બીજા વિકલ્પ બંધ કરવા માટે સહુવિચાર રૂ૫ ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું; તેને વશ થઈ તણાઈ જવું નહીં. તેને ગમે તેથી આપણે બીજું ચાલી વર્તવું.” મુનિ મોહનલાલજીએ પૂછયું: “મારે ધ્યાન કેવી રીતે કરવું?” શ્રીમદે ઉત્તર આપેઃ “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસગ્ગ કરી સાંભળ્યા કરવું; અર્થનું ચિંતન કરવું.” એક માસ પૂર્ણ થયે, ત્યારે મુનિઓને જાગૃતિ આપતાં શ્રીમદે Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કહ્યું: “ હે ! મુનિ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરેા છે!, પણુ જ્ઞાની પુરુષ નહીં હૈાય ત્યારે પશ્ચાત્તાપ પામશે. પાંચસા, પાંચસે ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીના સમાગમ થશે નહીં. '' ૧૭૦ શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું: “ જે કાઇ મુમુક્ષુ ભાઇએ તેમજ બહેને તમારી પાસે આત્માર્થસાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં: (૧) સાત વ્યસનના ત્યાગના નિયમ કરાવવે. (૨) લીલેાતરીને ત્યાગ કરાવવા. (૩) કંદમૂળના ત્યાગ કરાવવા. (૪) અભક્ષ્ય પદાર્થોના ત્યાગ કરાવવા. (૫) રાત્રિભોજનના ત્યાગ કરાવવા. (૬) પાંચ માળા ફેરવવાના નિયમ કરાવવા. (૭) સ્મરણુ ખતાવવું. (૮) ક્ષમાપનાનેા પાઠ અને વીસ દોહરાનું પઠન મનન નિત્ય કરવા જણાવવું. (૯) સત્તમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું. શ્રીમદ્દે લખેલ અત્યંતર નોંધપાથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતા તે ઉતારી આપવા શ્રી અંબાલાલભાઈને સૂચના કરી અને તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને ભલામણ કરી હતી. ઘણી તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ થઈ. વસેામાં મેાતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમદ્ની સેવામાં રહેતા તેની મારફતે નડિયાદની આજુબાજુમાં કાઈ એકાંત સ્થળ રહેવા યેાગ્ય હાય તેની તપાસ શ્રીમદ્દે કરાવી હતી. નિડયાદ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ચરેતરમાં પુનરાગમન ૧૭ અને ઉત્તરખંડાની વચમાં એક બંગલો મળી શકે તેવી ગોઠવણ થઈ એટલે શ્રી અંબાલાલ, લહેરાભાઈ અને મોતીલાલ એ ત્રણની સાથે શ્રીમદ્દ ઉત્તરખંડાને બંગલે પધાર્યા. બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા. પરંતુ શ્રીમદને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ રસોઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું લઈ જવાની આજ્ઞા કરી, એક મેતીલાલને સેવામાં રાખ્યા. શ્રી અંબાલાલ બંગલો ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી લઈ નડિયાદ ગયા. મેંતીલાલે પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું તે અને પાણીના લોટા સિવાય બીજું કંઈ રહ્યું નહિ. શ્રી અંબાલાલ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બેત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજે. શ્રીમદ્દ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દશ વાગે રાત્રે આવ્યા. મોતીલાલે ઓસરીમાં હીંચકે તે તેના ઉપર પિતાને માટે રખાવેલું ગાદલું પાથર્યું હતું, તે જોઈ શ્રીમદે કહ્યું: “ગાદલું કયાંથી લાવ્યા?” મોતીલાલે કહ્યું: “મારે માટે રખાવ્યું હતું, તે પાથર્યું છે.” શ્રીમદે કહ્યું: “તમે તે ગાદલું લઈ લે.” મોતીલાલે ઘણો આગ્રહ કર્યો એટલે રહેવા દીધું. થોડીવાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણાં લાગ્યાં. તેથી એક ધોતિયું શ્રીમદ્દ ઉપર રાઢી પાછા તે અંદર જઈ સૂઈ ગયા. વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલ આવ્યા ત્યારે ધોતિયું રાઢેલું નીચે પડેલું અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા. તેથી ફરી એરાઢી તે સૂઈ ગયા. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્દ લીન રહેતા. બીજે દિવસે જંગલમાં સવારે ફરવા ગયા હતા તે બે કલાકે આવ્યા. શ્રીમને માટે એક શેતરંજી પાથરી મેડે બેસારી પાસે પુસ્તક મૂકી મોતીલાલ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા નીચે આવ્યા. એટલામાં એક પટેલ ગામમાંથી આવ્યા તેમણે અંબાલાલ શેઠ ક્યાં ગયા એમ પૂછયું એટલે મેંતીલાલે આજ્ઞા સિવાય ન કહી શકાય એમ કહી મેડે જઈ પટેલ સંબંધી વાત શ્રીમદુને જણાવી. શ્રીમદે કહ્યું: “પટેલને એમ કહે કે ખાવાપીવાની કંઈ અડચણ નથી.” મેતીલાલે આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ પાછા ચાલ્યા ગયા. પણ મોતીલાલને વિચાર થયો કે ખાવાપીવા સંબંધી હવે પૂછવું જોઈએ એટલે મેડે જઈને શ્રીમદને પૂછ્યું: “ખાવાપીવા માટે કેમ છે?” શ્રીમદે કહ્યું: “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજે. વાસણ લેખંડનું વાપરે નહીં, અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહીં તેમ જણાવજે.” મોતીલાલ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે જેટલી અને શાક તૈયાર કરાવ્યાં. શ્રી અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચુરમું વગેરે રસેઈ તૈયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રાઈ તે બંગલે લાવ્યા; તે વાપરીને શ્રીમદે પૂછ્યું: “વાણિયાભાઈ (શ્રી અંબાલાલ ) ત્યાં છે કે ?” મેતીલાલે કહ્યું: “હાજી, છે.” મોતીલાલ નડિયાદ ખાઈને આવતા અને શ્રીમદને માટે શુદ્ધ ખોરાક લેતા આવતા. મેંતીલાલે પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું; કારણકે પ્રમાદ ઓછો થાય. - સાંજના શ્રીમદ્ બહાર દૂર ફરવા જતા અને દશેક વાગ્યે પાછા આવતા. કોઈ વખત મોતીલાલ પણ સાથે જતા. એક દિવસે ચાલતાં ચાલતાં શ્રીમદે જણાવ્યું: “તમે પ્રમાદમાં શું પડયા રહ્યા છે? વર્તમાનમાં માર્ગ એ કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠ પડયો છે તે અમારો આત્મા જાણે છે. જે વર્તમાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ચારેતરમાં પુનરાગમન ૧૭૩ જ્ઞાની હેત તે અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત. પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીને વેગ છે છતાં એવા વેગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરે. જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડયા. પણ જીને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” એક દિવસે મોતીલાલે પિતાની પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઇને બંગલા તરફ આવજે અને ત્રણ ચાર ખેતર દૂર બેસજે, ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યાં, તેથી મોતીલાલે તે બાઈને બહુ ટપકે આ; કારણ કે બીમને તે વાત જણાવવાની જરૂર ન હતી. તે વાત શ્રીમદના જાણવામાં આવી ગઈ એટલે મેંતીલાલને કહ્યુંઃ “શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવ છો? નહીં, નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટે તમારે તે બાઈને ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દ્યો.” મેતીલાલે તુરત જઇને બાઈને કહ્યું: “તમારે દર્શન કરવાની ઇચ્છા હોય તે આવ. તમને આવવાની આજ્ઞા આપી છે.” તે બાઈ દર્શન કરી ગયાં. શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધે હતાઃ “પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થ રહિત આમ મંદપણે વર્તે છે ? આ જોગ મળવો મહા વિકટ છે. મહા પુણે કરીને આ જોગ મળે છે તે વ્યર્થ કાં ગુમાવો છે ? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આ વનક્ષેત્રે શ્રીમદ્દ બે રૂપિયાભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહિ. એક પંચિયું વચમાંથી પહેરતા અને બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે આ શરીર મારી સાથે કજિયે કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી. ઉત્તરખંડાથી શ્રીમદ્ મોતીલાલ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. બંગલે મુકામ કર્યો હતે. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમની આજ્ઞા પછી મળી ત્યારે તેમને દર્શન થયાં હતાં. એક દિવસ ફરવા જતાં મોતીલાલે પિતાનાં નવાં પગરખાં શ્રીમદના આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દેઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેંતીલાલે પગ તરફ નજર કરી તે, પગરખાં ડંખેલાં અને ચામડી ઉખડી હતી ત્યાંથી લોહી નીકળતું હતું. શ્રીમનું તે તરફ લક્ષ નહોતું. મોતીલાલને ખેદ થયો. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી ધૂળ ચટેલી દૂર કરી. મેંતીલાલ પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. આગળ ચાલતાં લીમડા ઉપર વાંદરો હતો તેના તરફ જોઈને શ્રીમદ્દ હસ્યા અને બેલ્યાઃ “મહાત્મા, પરિગ્રહ રહિત છે અને અપ્રતિબંધ સ્થળ ભોગવે છે પણ યાદ રાખજે કે હમણાં મોક્ષ નથી.” - શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેિવીસ દિવસ શ્રીમદ્દ સમાગમ રહ્યા. ઘણી વખત મુનિઓને લાભ ભળતો અને શ્રી દેવકરણજી પ્રજ્ઞાવંત હોવાથી તેમના આગ્રહ દૂર થઈ શ્રીમદ્દ ઉપર સારી શ્રદ્ધા બેઠી; તેનું વર્ણન પિતે શ્રી લલ્લુજી ઉપર વસો પત્ર લખ્યો હતો તેમાં કહેલું છે, તે વિચારવા યોગ્ય હોવાથી અહીં આવે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન ૧૭૫ પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં-મુ. વસો શુભક્ષેત્ર. ખેડાથી લી. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનને બંધ થતાં અસહુ ગુરુની ભ્રાંતિ ગઈ; સગુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થ, તે વખતે રોમાંચિત ઉલસ્યાં; સન્દુરુષની પ્રતીતિને દૃઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય–આસક્તિના નિકંદન થવા વિષે અભુત, આશ્ચર્ય–ઉપદેશ થયે કે નિદ્રાદિ, ધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તો ક્રૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી, તેમ છતાં ન માને તે ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું; તે જ વૈરીઓને પરાજય કરી સમાધિ સુખને પામશો. વળી પરમ ગુરુની વનક્ષેત્ર (ઉત્તરખંડા) ની દશા વિશેષ, અભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્મજ્ઞાની વાત સાંભળી દિમૂઢ થઈ ગયેઃ એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમ) ઉતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમ કૃપાળુ દેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્દભુત દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પિતાને કહે છે - અડતાળીસની સાલમાં (સં. ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસી ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત જોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આપે કહ્યું તેમ જ થયું, ફળ પાયું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞા વડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સતપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્ય બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલા અર્થ સમજાવ્યા હતા. અલ્પ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. અમે એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે; એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પત્રાદિથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી, માંહેનું તત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય કષાય રૂ૫ ચેરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી ફૂંકી મૂકી, તેનું સ્નાન સૂતક કરી, તેનો દહાડે પવાડે કરી શાંત થાઓ; છૂટી જાઓ; શભાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરે. જ્ઞાની સગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદગુરુવચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તે તે આરાધના એ જ મેક્ષ છે; મેક્ષ બતાવે છે.” શ્રી દેવકરણજી સાથે લક્ષ્મીચંદજી મુનિ હતા તેમને શ્રીમદે એક દિવસે કહ્યું: “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસનવાળી હાથ ઉપર હાથ રાખી નાસિકા ઉપર દૃષ્ટિ રાખીને કરવું, તેમાં “લેગસ્સ' અગર “પંચ પરમેષ્ઠી મંત્ર જાપ કરે.” Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ચરોતરમાં પુનરાગમન લક્ષ્મીચંદજીએ કહ્યું: “હું કંઈ સમજ નથી.” શ્રીમદે કહ્યું: “અમારા ઉપર તમને આસ્થા છે?” લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું: “હા, અમને પૂર્ણ આસ્થા છે.” શ્રીમદે કહ્યું: “અમારા કહેવા પ્રમાણે ચાલશે તો ભણેલા કરતાં તમારો વહેલો મેક્ષ થશે. માટે તમને ચાદ પૂર્વ સાર કહીએ છીએ કે વિકલ્પો ઊઠવા દેવા નહીં, અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.” - ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્દ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું: “આજે અમારે તમારી સાથે બેસવું નથી.” પરંતુ મુનિઓ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમદ્દની મુદ્રા પર દષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્દ બોલ્યાઃ “આજે અમારે બોલવું નહોતું, પણ કહીએ છીએ કે તમે શું કરે છે?” મુનિઓએ કહ્યું. “અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.” શ્રીમદે કહ્યું: “આજે અંતરમાં ઊડું બી વાવીએ છીએ. પછી તમારે જે ક્ષયપશમ હશે તે પ્રમાણે લાભ થશે” એમ કહી અદ્દભુત બેધદાન દીધું. પછી શ્રીમદે કહ્યું: “આ બધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશે તે ઘણું લાભ થશે.” ચોમાસુ ઊતરતાં વિહાર કરી વસે અને ખેડાથી બધા મુનિઓ નડિયાદ આવ્યા અને શ્રીમને દરેકને સમાગમ થયો હતો તે પ્રસંગના અનુભવની પરસ્પર આપ લે કરી આનંદની વૃદ્ધિ કરતા થડે કાળ નડિયાદમાં જ રહ્યા. ખેડામાં એક વેદાંતવિદ વકીલ સાથે શ્રીમહને વાતચીત થઈ હતી તે પ્રસંગે થયેલા પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છેઃ વકીલે પ્રશ્ન કર્યો “આત્મા છે?” Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા શ્રીમદે ઉત્તર દીધેઃ “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહે છે કે આત્મા છે ?” ઉત્તરઃ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવ ગોચર છે; પણ તે છે જ.” પ્રશ્નઃ “જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઇચ્છું .” ઉત્તરઃ “છ અનેક છે.” પ્રશ્નઃ “જડ, કર્મ એ વસ્તુતઃ છે? કે માયિક છે ?” ઉત્તરઃ “જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી.” પ્રશ્નઃ “પુનર્જન્મ છે?” ઉત્તરઃ “હા, પુનર્જન્મ છે.” પ્રશ્ન: “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ? ઉત્તરઃ “ના.” પ્રશ્નઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કઈ તત્વનું બનેલું છે?” ઉત્તરઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.” ખેડાથી શ્રીમદ્દ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. એકાદ માસમાં શ્રીમને ઈડર નિવૃત્તિ અર્થે જવાને અવકાશ પ્રાપ્ત થયે. નડિયાદ સ્ટેશને મોતીલાલ મળ્યા તેમને મુનિઓ વિષે પૂછતાં મેંતીલાલ કહ્યું કે બધા મુનિઓ અહીં છે. ઈડર નિવૃત્તિ અર્થે પોતે જાય છે એવા સમાચાર છેવટે મુનિઓને કહેવરાવ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઈડરના પહાડ ઉપર ઈડરમાં શ્રીમના કાકાસસરા ડો. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઇડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સં. ૧૯૫૫માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને ભજન જેટલા દિવસે કાળ ગાળતા; અને ઘણેખરે વખત ઈડરનાં પહાડ અને જંગલમાં પસાર કરતા. શ્રીમદે ડોકટર પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કઈ વાત બહાર પડતી નહિ. ઈડરના મરહુમ મહારાજા સાહેબે તેમની એકબે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાત થયેલી તેને સાર “દેશી રાજ્ય” નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે છે તે નીચે પ્રમાણે છેઃ મહારાજાઃ “લોકેમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી” એને અર્થ શું? શ્રીમદ્દ “રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છેઃ એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ “પાપાનુબંધી પુણ્ય'. પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સવગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયોગ કરી પ્રજાને પિતે એક માનીતે નોકર છે એવી ભાવના. રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ધારણ કરનાર રજ તમો-ગુણપ્રધાન રહી રાજસત્તા ભોગવવામાં ઇન્દ્રિયઆરામી રહી, પ્રજા તરફની પિતાની ફરજે ભૂલી જાય છે; અર્થાત અનેક પ્રકારના અધમ જાતના કરે પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. “ આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવર્તી, ઈન્દ્ર આદિ દેવલોક સુધી ચઢે છે; અને બીજા પ્રકારના નીચે નરક ગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે. - “આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિએ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે. તે બધાને લાગુ પડી શકે નહિ. ફક્ત આપખુદી સત્તા ભેગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગ વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે. મહારાજા “આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારો છે?” - શ્રીમદ “આ પ્રદેશનાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરીઓ ગઢ, તે ઉપરનાં જૈન દેરાસર, રૂખી રાણીનું માળિયુંરણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ વનસ્પતિઃ આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થકરોની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ, જભવ-સીન તીર્થકરોની મીનાં નામ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય શૈતમ આદિ ગણધરે વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમને એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણું જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. “કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યારબાદ કોઈ સમર્થ આચાર્ય નહિ થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહિ પણ તેના અનુયાયી સાધુઓ કેવળ ક્રિયામાં રાચી રહી બેય વસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે ચૂક્યા અને ઘણુ મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત-પંથવાળાઓથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી. તેથી ક્રિયા જડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહિ આવ્યાથી લોકો તેને ગપાટાં ઠરાવે છે. વળી કૃષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓને ઊંડે ભેદ નહિ સમજવાથી નિદે છે. દાખલા તરીકે, ગોપી મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારુ નીકળે છે અને કોઈ માધવ , કઈ માધવ ' એમ બેલે છે. તેને અર્થ સમજ્યા વગર લોકે નિંદા કરે છે. પણ તેની અધ્યાત્મ ભાવના એવી છે કે “વૃત્તિઓ” રૂપી ગોપીઓએ મટુકીમાં માધવ રૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે.” નડિયાદ સ્ટેશન ઉપર શ્રીમદ્દ સાથે મેતીલાલને વાત થઈ હતી તે તેમણે મુનિઓને જણાવી એટલે કેટલાક મુનિઓ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમના સમાગમની ભાવના વધવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખ્યો. - શ્રી લલ્લુજી, મોહનલાલજી અને નરસિંહ રખ એ ત્રણે મુનિઓ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, વેલશી રખ, લક્ષ્મીચંદજી અને ચતુરલાલજી પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. ઈડર શ્રાવકના ઉપાશ્રયમાં શ્રી લલ્લુજી આદિ ઊતર્યા અને ડે. પ્રાણજીવનદાસના દવાખાના તરફ શ્રીમદ્દની શોધમાં શ્રી લલ્લુજી, ગયા. શ્રીમદ્દ સાથે શ્રી સોભાગ્યભાઈના ભાણ ઠાકરશી હતા તેમણે શ્રીમદુને કહ્યું: “પેલા મુનિ આવ્યા.” શ્રીમદે ઠાકરશીને કહ્યું: “તેમને પરભાર્યા વનમાં લઈ જા. અહીં ન આવે.” ઠાકરશીએ શ્રી લલ્લુજીને તે પ્રમાણે જણાવ્યું એટલે બન્ને વનમાં ગયા. પાછળ શ્રીમદ પણ આવ્યા. શ્રી લલ્લુજીને એક આંબાના વૃક્ષ નીચે શ્રીમદ્દ બોલાવી ગયા અને પૂછ્યું: “મોતીલાલે તમને શું કહ્યું હતું?” શ્રી લલ્લુજીએ કહ્યું: “મેતીલાલને આપે પૂછેલું કે સાધુઓ ક્યાં જવાના છે? તેને ઉત્તર મેતીલાલે આપ્યો કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. આપે કહ્યું કે ઠીક, અમે ઇડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન સમાગમની ઇચ્છાએ આ તરફ આપની નિવૃત્તિના વખતમાં વધારે લાભ મળશે એમ જાણી આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરે સમાગમ વસેમાં થયો નથી. ઘણા માણસોને પરિચય રહેવાથી વસમાં બરાબર લાભ અમારાથી લેવાયો નથી; તે હવે નિવૃત્તિમાં આપને સમાગમ વિશેષ થશે એમ ધારી આ તરફ આવવા વિચાર થયો એટલે આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે અમારે પણ લાભ લે છે. ઘણા દિવસ બેધ દીધા છે. તમારે આત્મહિત કરવું છે, તે શું અમારે નથી કરવું? આમ કહી તે પણ પાછળ આવે છે.” આ સાંભળી શ્રીમદ્દ સહજ ખીજાઈને બોલ્યા: “તમે શા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૧૩ પાછળ પડયા છે? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહિ આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. કેઈન પરિચયમાં આવવા અમે ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડોક્ટરના તરફ આહાર લેવા નહિ આવતા. બીજા સ્થાનેથી લેજે. અને કાલે વિહાર કરી જવું.” શ્રી લલ્લુજીએ વિનંતિ કરીઃ “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું, પરંતુ મોહનલાલજી અને નરસી રખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરે તે એક દિવસ રોકાઈ પછી વિહાર કરીએ.” શ્રીમદે જણાવ્યું: “ભલે, તેમ કરજે.” બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે ત્રણે મુનિએ ગયા. ત્યાં શ્રીમદ્દ દેખાતા નહતા પણ ગાથાઓ બોલતા બોલતા એક અપરિચિત રસ્તે ઊંડા વોકળામાં થઈને આવતા હતા. તે ગાથાઓ મેટા અવાજે બોલતા હતા તેથી તેની ધૂન સંભળાતી હતી. થોડીવારે તે આંબા નીચે આવી બિરાજ્યા પરંતુ ગાથાઓ તેની તે જ તેવા જ અવાજે બેલાયા કરતી હતી. તે ગાથાઓ આ હતીઃ “મા મુદ્દ, મા રહું, મા સુરક્ષ ડ્રનિટ્ટ મહા fથમ જ વિત્તે વિવિત્ત શાખા સિદ્ધિ g ૪૮ जं किंचि विचिंतंतो णिरीह वित्ती हवे जदा साहु । लद्धणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणम् ॥ ५५ “ ચ સંબ' આ ગાથાઓનું રટણ એક કલાક લગભગ થયા કર્યું પછી શ્રીમદ્દ એક કલાક સમાધિસ્થ મન રહ્યા. “વિચારશે” એટલું જ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ખેલી તે ઊભા થયા અને ચાલવા માંડયું. મુનિઓને એમ થયું કે વખતે લઘુશંકા આદિ નિમિત્તે જતા હશે પણ તે તે ચાલ્યા જ ગયા. પછી થાડી વારે આમતેમ શેાધવા છતાં પત્તા ન લાગ્યા એટલે મુનિએ ઉપાશ્રયે પાછા આવ્યા. આહારપાણી લાવી, પરવારી રહ્યા પછી મુનિએ બેઠા હતા ત્યાં ઠાકરશી શ્રીમદ્ પાસેથી આવ્યેા. એટલે શ્રી લલ્લુજીએ પૂછ્યું: “ દેવકરણુજીને પત્ર લખવા સંબંધી શું થયું?'' ઠાકરશીએ કહ્યુંઃ પત્ર લખેલ છે, પણ રવાના કર્યાં નહિ. 14 તે જ દિવસે પણ સાંજના શ્રી દેવકરણજી આદિ ઈડર આવી ગયા હતા. મુનિઓને ડુંગર ઉપરનાં દગંબર, શ્વેતાંબર દેરાસરામાં વીગરાગ મુદ્રાઓનાં દર્શન કરાવવા ઠાકરશીને શ્રીમદ્દે આજ્ઞા કરેલી તેથી તેમને દર્શન કરાવવા તેડી ગયા. સ્થાનકવાસી આ મુનિએને સત્પુરુષની આજ્ઞાએ આ પ્રથમ વખત વીતરાગ મુદ્રાએનાં દર્શન થયાં હતાં. તે વિષે તે લખે છેઃ “ શ્રી જિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં થઈ હતી. સદ્ગુરુની આજ્ઞાથી પહાડ ઉપરના વીતરાગ પ્રતિમાજીનાં દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણી પ્રગટ થયેલી તે શબ્દાતીત છે. ’ ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબા નીચે જવાના સંકેત થયેલા; તે પ્રમાણે શ્રીમદ્ અને સાત મુનિએ એકત્ર થયા. શ્રી દેવકરણુજીનું શરીર કૃશ અને અશક્ત હોવાથી ધ્રૂજતું હતું. શિયાળાની ઠંડી પણ હતી. તેથી લક્ષ્મીચંદજી મુનિએ પેાતાનું આઢેલું કપડું શ્રી દેવકરણુજીને એરાયું તે જોઇને શ્રીમદે કહ્યું: “ ટાઢ વાય છે ? ટાઢ ઉરાડવી છે?'' એમ કહી ઊભા થઈ તેમણે ચાલવા માંડયું. બધા પાછળ ચાલવા લાગ્યા. શ્રીમદ્ ા કાંટા, કાંકરા, જાળાંઝાંખરાં કે ધારવાળા પત્થરેાની દરકાર કર્યાં વગર આત્મવેગમાં ઝપાટાભેર Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ચાલવા લાગ્યા. પછી ઊંચે જતાં એક શિલા આવી ત્યાં પૂર્વ તરફ મુખ રાખીને શ્રીમદ્ બેઠા. સન્મુખ બધા મુનિઓ બેઠા. ઈડરના પુસ્તક ભંડારને ઘણાં વરસેથી શ્વેતાંબર દિગબરની માલિકીની તકરારને લઈને તાળાં વાસેલાં રહ્યાં હતાં. તે ભંડાર જોવાની ઈડરના મહારાજાની ઓળખાણે શ્રીમને તક મળેલી તેમાંથી દ્રવ્યસંગ્રહ ગ્રંથ પિતે અત્રે લાવ્યા હતા, તેમાંથી વાંચવાનું શરૂ કર્યું. અર્ધ ગ્રંથ વંચાય ત્યારે વૈરાગ્ય દશામાં આવી શ્રી દેવકરણછ બેલ્યાઃ “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” શ્રીમદે કહ્યું: “કોણ કહે છે કે ગામમાં જાઓ.” શ્રી દેવકરણજી બોલ્યાઃ “શું કરીએ? પેટ પડયું છે.” શ્રીમદે કહ્યું: “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થ છે. મુનિને પેટ ન હોત તે ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી, કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત; તેથી જગતના કલ્યાણ રૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.” થડી વારે શ્રીમદે પ્રશ્ન કર્યો “ોગના અભ્યાસીઓ ધ્યાનમાં પિતાને અમુક પ્રકાશ દેખતા હોવાનું જણાવે છે તે શું હશે ?” એ પ્રશ્નને ઉત્તર કેઈ આપી શક્યા નહીં ત્યારે પિતે તે પ્રશ્નને ખુલાસે કર્યો. “ ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું તે ગાભ્યાસીને દેખાય છે. દષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આભા છે.” પછી, એક સમયમાં ત્રણે લોકના પદાર્થોનાં ત્રણે કાળનાં સ્વરૂપે જાણનાર કેવળજ્ઞાનમાં પર્યાયે પલટાય છે, તે કેવી રીતે પલટાય છે? તે વિષે ખુલાસે શ્રીમદે કર્યો કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે તે કેવળજ્ઞાન દર્શનવડે આપણે અહીં આટલા બેઠા Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીમદ રાજચંદ્ર જીવનક છીએ એમ દેખે, પછી આપણે અહીંથી ઊઠી જઈએ ત્યારે તે રૂપે દેખે, એમ સિદ્ધના જ્ઞાનના પર્યાય પલટાય છે.” એક વાગવા આવેલો હોવાથી સર્વે ગામ તરફ ચાલ્યા. શ્રીમદ્ દિવ્ય સંગ્રહની પ્રથમ ગાથાનું મોટેથી રટણ કરતા કરતા ચાલતા હતા. તે ગાથા: " जीवमजीवं दव्य, जिणवर वसहेण जेणणिदिलु। સેવિંદ વિંદ વંદું વેઢે તં સગા સિરસા | ૧.” (દ્રવ્ય સંગ્રહ) એક દિવસે તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મુનિઓ સાથે શ્રીમદ્ બેઠા હતા. ઠાકરશીને ડુંગર ઉપરનાં દેરાસરની કુંચીઓ લેવા મેક હતા. તે વખતે મુનિ મેહનલાલજીએ શ્રીમને વિનંતિ કરી કે આહાર કરી રહ્યા પછી મુહપતી બાંધતાં મને વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી) મને દંડ આપે છે. ત્યારે શ્રીમદે કહ્યું “બધા મુહપતી કાઢી નાખો અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુધી બાંધશે નહીં. કેઈ આવીને પૂછે તે શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.” કુંચીઓ લઈને ઠાકરશી આવ્યા એટલે દેરાસરો તથા ભુરા બાવાની ગુફા વગેરે પ્રસિદ્ધ સ્થળે મુનિઓને બતાવવાની આજ્ઞા કરી પિતે એકલા ચાલ્યા ગયા. કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષની નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ રાહ જોઈ રહ્યા હતા એટલામાં શ્રીમદ્ પણ આવ્યા અને એક વિકટ રસ્તે સર્વને દેરીને ચાલવા લાગ્યા. વેલસી રખ નામે વૃદ્ધ મુનિ બોલ્યા: “આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? આ ઉપર જવાને માર્ગ બહુ વિકટ છે અને આપણને તે અત્યારથી અંતર પડે છે અને તેઓશ્રી તે ઘણા ઉતાવળા ઉપર ચઢે છે.” શ્રીમદ વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા; Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૧૮૭ tr સાતે મુનિએ પછી આવીને સન્મુખ બેઠા. શ્રીમદ્ ખેલ્યાઃ “ અહીં નજીકમાં એક વાધ રહે છે. પણ તમે સવ નિર્ભય રહેજો. '' સિદ્ધ શિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદ્દે પૂછ્યું: આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કાઇ નીચેના માણસ તળેટી ઉપરથી દેખી શકે ? '' 66 29 શ્રી લલ્લુજીએ કહ્યું: “ના, ન દેખી શકે. શ્રીમદે કહ્યું: “ તેમ જ નીચેની દશાને જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતા નથી. પણ ચેાગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હાવાથી, આખું શહેર અને દૂર સુધી સધળું જોઇ શકીએ છીએ. અને નીચે ભૂમિ ઉપર ઉભેલેા માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી નાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે: તું થાડે ઊંચે આવ, પછી જો, તને ખબર પડશે. " ,,, શ્રીમનું શરીર કૃશ હતું છતાં સ્વર ગંભીર ગર્જના થાય તેવા હતા. તે પહાડની ટોચ ઉપરથી આલાપ સહિત ઉત્તરાયન સૂત્રના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાથા મેાટા અવાજે મેલ્યા કે વનમાં ચેાપાસ તેના પ્રતિધેષ પ્રસરી રહ્યાઃ “ વત્તાવિરમગાળિ, વુદ્દાળિ હૈં તંતુળો * માનુસત્ત, પુરૂં, સજ્જા, સંગમમ્મિ થવીરિત્રં “ પછી શ્રીમદે દેવકરણુજી મુનિને કહ્યું: “ તમે આ ગાથા ખેલા.” એત્રણ વાર પ્રયત્ન કરવા છતાં અને ગાવામાં કુશળ ગણાવા છતાં તે પ્રમાણે તેમને ખેલતાં આવડયું નહિ. ફરી શ્રીમદ્દે ખેલી બતાવ્યું. અને • ભાવાર્થ—આ સંસારમાં પ્રાણીને ધમનાં ચાર પ્રધાન અંગે –કારણેા પરમ દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે છેઃ (૧) મનુષ્યપણું, (૨) ધર્મનું શ્રવણ, (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય ફારવવું. આ ચાર અંગા ઉત્તરાત્તર અતિ દુર્લભ છે. Jain Educationa International "" For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવૃત્તકળા "" ' બીજા સાધુઓ પાસે પણ ગાથા મેલાવી. પણ કાષ્ટથી તેમ ખેલી શકાયું નહિ. શ્રીમદે કહ્યું: “ઠીક છે, લીમડીવાળા સાધુએ ખેલે છે તે કરતાં ઠીક ખેલાય છે. તમે બધા પદ્માસન વાળી એસી જા અને જિનમુદ્રાવત્ બની · દ્રવ્ય સંગ્રહ ' ની ગાથાઓના અર્થ ખરાખર ઉપયેગમાં લ્યા. ' તે પ્રમાણે બધા બેસી ગયા પછી શ્રીમદ્ ‘ દ્રવ્ય સંગ્રહ' ની ગાથાએ મેાટા અવાજે મેલવા લાગ્યા અને તેને અર્થ કરતા; અને પરમાર્થ પણ કહેતા—એમ આખા ‘દ્રવ્ય સંગ્રહ ’ પરિપૂર્ણ સંભળાવ્યા, સમજાવ્યે। ત્યાં સુધી તે જ આસને બધા મુનિ અચળપણે રહ્યા, અને સૈા સૌના ક્ષયાપશમ પ્રમાણે અને દશા પ્રમાણે તે સમજ્યા. ૧૮૯ શ્રી દેવકરણુજી ઉલ્લાસમાં આવીને ખેલી ઊઠયાઃ અત્યાર સુધીમાં જે જે સમાગમ પમ ગુરુના થયા તેમાં આ સમાગમ સર્વોપરી થયા; જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચડાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે. '' ' ' પછી શ્રીમદે કહ્યું: આત્માનુશાસન' ગ્રંથના કર્તા શ્રીગુણ ભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે” એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યેા હતેા. 66 તે આંખા તળે એક વખત શ્રીમદે મુનિએને કહ્યું હતુંઃ મુનિએ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણચાર કલાક મેધ કર્યો હાય તે ખીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તે તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા. હાલ પ્રમાદ અને લેાભાદિના કારણે વ્રુત્તિ શિથિલ થઈ છે, તે દ્વેષ તેનામાં (6 Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૧૮૯ પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા.” શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયે, તેથી શ્રીમદને પૂછયું: * શું તે એમ જ રહેશે ?' શ્રીમદે કહ્યું: “મુનિ, ખેદ કરશે નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પુરપ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે, તેમ તેને પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમ પદને પામશે.” તે જ પ્રસંગે શ્રીમદે કહ્યું: “મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માને છે. માન એવું બળવાન છે કે મોટામેટાને તેણે મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામડામાં ગયા હતા. ત્યાં લીંબડી સંઘાડાના સાધુ મેટા છવણજી ત્યાં હતા. વાતના પ્રસંગે તેમની જન્મતિથિ કહી બતાવી, ત્યારે તેમણે પૂછ્યું: “તમે શાથી જાણ્યું? ” અમે કહ્યું: “આત્માની નિર્મળતાથી તે જાણું શકાય છે.’ આ વાત સમજવા તેમની ઉત્કંઠા વધી. તેથી અમે મોરબી ગયા ત્યારે તે સાધુ મોરબી આવ્યા. અમે રેવાશંકરભાઈને ત્યાં ઊતર્યા હતા, ત્યાં એક માસ સુધી ફેરા ખાતા પણ અમારી સાથે વાતચીતને પ્રસંગ ન બન્યા. પછી રેવાશંકરભાઈ અને અમારાં ફેઇને તે સાધુએ બહુ રીતે સમજાવીને કહ્યું કે અમારે સાધુનો ગૃહસ્થને ઘેર વારેવારે આવવાને અધિકાર નહીં. માટે તે એક વાર અપાસરે પધારે તો ઠીક. તેથી રેવાશંકરભાઈ તથા ફેઈએ બહુ બહુ કરીને આગ્રહ કર્યો. ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે. તેમને આત્માર્થની ઇચ્છા નથી; બીજી ઈચ્છા છે. તે પણ રેવાશંકરભાઈને આગ્રહ થવાથી તેમની સાથે ઉપાશ્રયે અમે ગયા. આ વખતે ઉપાશ્રયમાં ઘણું માણસે એકઠાં મળેલાં હતાં. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછયું કે શાસ્ત્રમાં પ્રતિભા વિષે પ્રતિપાદન છે કે કેમ? તે વિષે આપનો શો અભિપ્રાય છે ? તે સાંભળી અમે મન રહ્યા. પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પતિ તમને જ રહ્યા. એ સાધુ પુનઃ પુનઃ પૂછતા રહ્યા. એટલે અમે ઊભા થઈ સાધુને કહ્યું મહારાજ' તમને મહાવીરના સોગન છે. તમે જે શાસ્ત્રો વાંચ્યાં છે તેમાં પ્રતિમા વિષે છે કે કેમ?” આથી સાધુ નિરુતર થઈ મૌન રહ્યા. પછી રેવાશંકરભાઈએ સાધુને ઠપકો આપતાં કહ્યું “આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી ? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા?” પછી અમે ચાલી નીકળ્યા.” આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડર રહ્યા હતા. ગુફામાં ઘણે વખત રહેતા; તથા વનોમાં વિચરતા. ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઇડર થોડા વખત માટે આવી મુંબઈ ગયા. ત્યાં સાતઆઠ માસ રહ્યા હતા. ધર્મપુરનાં જંગલોમાં પણ શેડે કાળ સં. ૧૯૫૬ માં શ્રીમદ્દ નિવૃત્તિ અર્થે રહ્યા હતા. ત્યાંથી વવાણિયા ગયા હતા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરો અને વિવેચને શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫ માં “સંયતિ મુનિધર્મ' વિષે ૫૧ બોલ લખેલા છે. પ્રથમના આઠ બેલ ચેથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાંથી છત્રીશમા સુધીના બેલ છઠ્ઠા અધ્યયનની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે અને છેલ્લા પંદર બેલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કઈ કઈ વખતે લખી રાખેલા બેલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાયા હેય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક, રહસ્યાત્મક ભાષામાં, મૂળ ગાથાઓની વાચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે. કોઈ વખતે તો આખી ગાથાને અર્થ ટૂંકા વાકયમાં સમાઈ જતે હોય તો તે પરમાર્થદર્શક અસરકારક વાક્ય જ મૂકી દીધું છે. જેમકેછઠ્ઠા અધ્યયનની ૧૯મી ગાથાને અર્થઃ “લોભથી તૃણને પણ સ્પર્શ કર નહીં' એટલે જ કર્યો છે. એ પ્રમાણે શાસ્ત્રની સૂત્રાત્મક Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શૈલી સાચવીને પરમાર્થ ઉપર લક્ષ રાખીને ગ્રંથકારના હ્રદયની વાત આલેખવાની તેમની શૈલી ભાષાંતરામાં પણ પ્રગટ જણાઇ આવે છે. , . સં. ૧૯૫૩ માં લખેલાં અવતરણા · મેક્ષ સિદ્ધાંત ’ નામે પ્રસિદ્ધ થયેલાં છે. તેમાં દ્રવ્ય પ્રકાશ લેખમાં દ્રવ્યૂ સંગ્રહ ' ના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરા રહેલા તે અંકના આઠમા વિભાગમાં દ્રવ્ય સંગ્રહ 'તી ૩૧ મી ગાથા સુધીનું સુસંબદ્દે ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય, ગ્રંથકારે જે ભાવ દર્શાવવા ગાથાએ લક્ષી છે તે જ ભાવ સ્પષ્ટ પ્રગટ થાય તેમ, શ્રીમદ્દે સુંદર ભાષામાં જણાવ્યું છે. લેખ છે. તે જ ગાથાથી ૪૯ મી વીશ વર્ષ સુધીનાં લખાણ વિષે લખતાં શ્રી ચિદાનંદજીના ૬ સ્વરાદય ’ નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું જણાવ્યું છે. તેજ પ્રમાણે શ્રી આનંદધનજીની ચેવિશીનાં સ્તવનામાં જે રહસ્ય છે તે વિસ્તારપૂર્વક જણાવવા શ્રીમદે શરૂઆત કરેલી છે. પ્રથમ એ સ્તવનનાં અધૂરાં વિવેચને જેટલાં ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' ૬૯૨ મા અંકમાં પ્રસિદ્ થયાં છે, તેમાં શ્રીમની વિવેચન શૈલી કેવી મનેાહર અને તલસ્પર્શી છે તે જણાઇ આવે છે. કાઈ મહાબુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનાનું વિવેચન લખવું હોય તે આદર્શરૂપ આ બન્ને સ્તવનાનું વિવેચન છે. શ્રી આનંદધનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારે ઉકેલવાની કળા એ વિવેચનેમાં વાચનારને ચક્તિ કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે. શ્રી યશોવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સજ્ઝાયની છઠ્ઠી. દૃષ્ટિમાંથી એક *કડી લઈ તેનું વિવેચન ૩૨૦, ૩૨૧ અને ૩૨૨ * “ મન મહિલાનું વહાલા ઉપરે, ખીજાં કામ કરતરે, તેમ શ્રુતમે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંતરે ” Jain Educationa International ~શ્રી ચોવિજયજી For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરે અને વિવેચને એ ત્રણ પત્રમાં એવું સુંદર રીતે કર્યું છે કે સાંભળનારને કે વાંચનારને તે સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ તેના હૃદયમાં અચળ છાપ પડે, એવી અસાધારણ વિવેચનશક્તિ કોઈક જ ગ્રંથકારેમાં જોવામાં આવે છે. - સં. ૧૯૫૫ના ફાગણ માસમાં શ્રી. અંબાલાલભાઈએ વવાણિયા પત્ર લખી શ્રીમને પૂછાવ્યું હતું કે “આત્માનુશાસન'ના સેન્સેકેનું ભાષાંતર કાવિઠા છે તે ખંભાત મગાવી લેવું કે કાવિઠા રાખવું ? એ ઉપરથી શ્રીમદે આત્માનુશાસનનું ભાષાંતર પણ કાવિઠા નિવૃત્તિ અર્થે પધાર્યા ત્યારે શરૂ કરી સે લોકે સુધી એટલે ત્રીજા ભાગનું ભાષાંતર કરી દીધું હતું. પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી. શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું પણ શ્રીમદે શરૂ કર્યું હતું અને અનિત્ય અને અશરણ એ બે ભાવનાઓ પૂરી કરી સંસાર ભાવના વિષે થોડું લખ્યું છે. તેટલે અપૂર્ણ લેખ સ્વ. પૂજાભાઈ હીરાચંદ તરફથી ભાવનાસંગ્રહ સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયે છે તેમાં પ્રથમ પ્રગટ કરવામાં આવ્યું છે. એ લેખ વાંચનારમાંથી કોઈને ભાગ્યે જ એમ લાગે કે તે ભાષાંતર રૂપ હશે. વિચારપ્રવાહ મૂળ લેખકને વહે તેમ સ્વાભાવિક સરળ ભાષામાં તે લખાયેલ છે. વૈરાગ્ય રંગથી રંગાયેલાં એ ઓગણસ પાન એક વાર જેણે વાંચ્યાં હશે તે વારંવાર વાંચ્યા વિના નહિ રહ્યા હોય. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ શ્રીમદે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને “પંચાસ્તિકાય” ગ્રંથ પ્રસિદ્ધ છે. તેના પ્રથમ અધ્યાયમાં ૧૦૦ લોક છે અને બીજા અધ્યાયમાં ૫૮ શ્લોક છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ ગ્રંથ લખાય છે. તેના ઉપર ટીકા કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્ય ગાથાઓમાં અધ્યાહાર રાખેલો અર્થ ગરમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા ઉમેરવા ગ્ય લાગ્યા છે તે કોંસમાં મૂકેલા છે. કોઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વત વિષેને ઉપદેશ હદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ભાષાંતર થયેલું છે. એ ગ્રંથ ભાઈ ધારશીભાઇને મોકલાવ્યો ત્યારે સાથેના પત્રમાં તે ગ્રંથનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદ્ જણાવે છેઃ દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શન મેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયાગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફ દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ” થાય છે. “સામાન્યપણે દ્રવ્યાનુયોગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ-પરિણામી, પરમ વીતરાગ દષ્ટિવંત, પરમસંગ એવા મહાત્મા પુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. કેાઈ મહિપુરુષના મનનને અર્થ “પંચાસ્તિકાય’નું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. “હે ! આર્ય, દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવા રૂ૫ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અન્યય ઉપાય એ જ છે.” પ્રજ્ઞાવધ' નામે “મોક્ષમાળા'ને આગળને ભાગ લખાવવા શ્રીમદે સં. ૧૯૫૬ ના ભાદરવામાં સંકલન (સાંકળિયું) લખાવી છે તે “શ્રીમદ્ રાજચંદ્રગ્રંથ'ના ૮૬૫ મા અંકમાં છપાયેલ છે તે જોતાં તે પુસ્તક લખાયું હોત તે આ યુગની વિચારશ્રેણીમાં અગ્રસ્થાન લે તેવું પુસ્તક પ્રગટ થાત. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અંતિમ ચર્યા શ્રીમદ્દ ઇડરથી સં. ૧૯૫૬માં અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ મુમુક્ષવર્ગ ત્યાં આવ્યા હતા. બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એવો ઠરાવ થયેલ તે પ્રમાણે મુનિએ ગામની ભાગોળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્દ બધા મુમુક્ષુઓ સાથે ત્યાં આવ્યા અને મુનિઓના પગ દાઝતા હશે” એમ બોલી પગરખાં કાઢી મૂકી પોતે તડકામાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. એક વડ આવ્યા ત્યાં બધા બેઠા. શ્રીમના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, પણ બેઠા પછી પગે હાથ પણ ફેરવ્યો નહિ. શ્રી દેવકરણજી સામે જોઈને શ્રીમદ્ બાલ્યાઃ “હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. કેઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચછે છે.” શ્રી દેવકરણજીએ કહ્યું: “અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે કયાં જશે ?” Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકાળ) શ્રીમદે કહ્યું: “અંતે એ પણ મૂકવાની છે.” ફરી શ્રીમદ્દ સં. ૧૯૫૭માં અમદાવાદ આગાખાનને બંગલે પિતાનાં માતુશ્રી તથા પત્ની સહિત પધાર્યા ત્યારે મુનિઓ ચેમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. “જ્ઞાનાર્ણવ” અને “સ્વામી કાર્તિ કેયાનુપ્રેક્ષા” નામે બે મોટા દિગંબરી ગ્રંથે હાથના લખેલા શ્રીમદ્ પાસે હતા. તે શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકબાના હાથે વહોરાવ્યા હતા. તે વખતે સાથેના બીજા મુનિઓએ વિહારમાં પુસ્તકે ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સંકેચેલી તે દોષે પોતે જાણી લઈને દૂર કરવાના ઉદ્દેશથી શ્રીમદ્દ બોલ્યાઃ “મુનિઓ, આ છે સ્ત્રી પુત્રાદિના ભાર વહ્યા છે, પણ પુરુષોની કે ધર્માત્માની સેવાભક્તિ, પ્રમાદરહિત, ઉઠાવી નથી.” લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું: “તમારે શ્રી દેવકરણજી પાસે “જ્ઞાનાર્ણવ” ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચક, તેમજ “શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા” શ્રી લલ્લુજી વાંચે ત્યાંસુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવો.” શ્રી દેવકરણુજીએ શ્રીમદને પૂછયું: “આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું ?” શ્રીમદે ઉત્તર આપેઃ “અમે શરીરની સામે પડયા છીએ. ધરમપુરમાં રહી અપધ્યાહાર કરવાથી એમ દેખાય છે.” દરેકને આપેલા ગ્રંથે વાંચી વિચારી પરસ્પર બદલી લેવા અને બહુ વિચારવા ભલામણ પણ કરી હતી. શ્રીમદે માતુશ્રી દેવમાતાને બાર વ્રત સંક્ષેપમાં લખી આપી. વ્રત લેવા મુનિઓ પાસે. શ્રી અંબાલાલભાઈ સાથે મોકલ્યાં હતાં; સાથે શ્રી ઝબકબા પણ હતાં. “શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યને અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી તે પ્રમાણે શ્રી દેવકરણજીએ વાંચી. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા સંભળાવ્યું હતું. શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું: “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપો, જેથી કૃપાળુદેવ (શ્રીમદ્દ ) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવને ઉદ્ધાર કરે.” માતુશ્રી બોલ્યા: “મને બહુ મેહ છે, તેમના ઉપરને મેહ મને છૂટ નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” તે જ દિવસે શ્રીમદ્દ મુનિઓ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં મેહનલાલજીએ પ્રશ્ન કર્યોઃ “મરણ સમયે આત્મપ્રદેશ ક્યા અંગમાંથી નીકળતા હશે?” શ્રીમદે દષ્ટાંત આપી ઉત્તર આપ્યોઃ “નીકમાં પાછું ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જીવો મરણ કહે છે.” | મુનિઓ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં એકલા ગયા અને વાત કરી: “ આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારો જે પ્રમાદ હતા, તે આજે નષ્ટ કર્યો છે; જાગ્રતિ આપી, મૂળ માર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ આજે કઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” એમ સવાર સુધી વાત કરી શ્રી અંબાલાલ પાછી શ્રીમદ્ પાસે ગયા હતા. - અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બને ત્યાગ્યાં છે; અને સર્વ–સંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” શ્રી દેવકરણજીએ કહ્યું: “અમારાં પૂર્વ પુણ્યને ઉદય થયો કે અમને આપની નિરંતર સેવાસમાગમ મળશે.” Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદ્ રાજચંદ્ર જીવનકાળ શ્રીમદ્ વઢવાણ કેમ્પમાં જવાના હતા તે પહેલાં પિતે મુનિઓને મળવા ગયા હતા. વઢવાણ જવાની વાત દર્શાવી શ્રી લલ્લુજીને ઠપ આપતાં શ્રીમદ્દ બોલ્યાઃ “તમે જ અમારી પાછળ પડયા છો, અમે જ્યાં જઈએ ત્યાં દેડયા આવે છે; અમારે કેડો મૂકતા નથી.” તે સાંભળી મુનિઓના મનમાં એમ થયું કે આપણે રાગ છોડાવવા આ શિક્ષા આપી છે તે હવે તેમના તરફથી પત્ર આવે ત્યારે સમાગમ માટે જવું; ત્યાંસુધી ભક્તિ કર્યા કરવી. બીજે દિવસે આગાખાનને બંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને બેલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું: “અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં.” વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન “પરમશ્રુત પ્રભાવક મંડળની જના શ્રીમદે શરૂ કરી હતી. સં. ૧૯૫૬ ના ભાદરવામાં એક પત્ર વિષે તેને ઉલ્લેખ પિતે કર્યો છે. “પરમ સત્રુતના પ્રચાર રૂપ એક જના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે તેમ થશે. પ્રજ્ઞાબેધભાગ મેક્ષમાળાના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. તેની વ્યવસ્થા વગેરે સંબંધી પણ તે લખાવ્યું છે. તે સંસ્થાને વહીવટ હાલ મહાત્મા ગાંધીજીના પ્રમુખપણા નીચે સ્વ. ભાઈ રેવાશંકરભાઈના પુત્ર ભાઈ મણિલાલ ચલાવે છે. શ્રીમદે લક્ષ્મીને ત્યાગ કર્યા પછી બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટીકીટ સરખી પિતાની પાસે રાખતા નહિ. “પરમશ્રુત પ્રભાવક મંડળ'ને અંગે નાણાંની વાતમાં ભળવું પડે તો તે પણ અતિચાર રૂપે લેખતા. - પરમાર્થવૃત્તિ પ્રધાનપણે તેમણે આખા જીવનમાં રાખેલી છે Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચાઁ ૧૯૯ તેની સાથે પરાપકારવૃત્તિ પણ તેટલી જ પ્રબળ હતી. સં. ૧૯૫૭માં તે એક પત્ર દ્વારા જણાવે છે: “લાકકલ્યાણુ હિતરૂપ છે. પેાતાની ચેાગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણુ લક્ષ રાખવાના છે. 99 હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને નવસારી તરફ તિથલ વગેરે સ્થળાએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થાડા વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણુમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાના બન્ને ચિત્રપટ ( ફોટા ) ભાઇ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકાટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણાખરા મુમુક્ષુઓ આવતા પણુ શરીર ઘણું અશક્ત હાવાના કારણે દાક્તરાએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રા લખાવવા પડે તે એક એ લીટીના જ લખાવતા. રાજકોટના છેલ્લા પત્રા અત્રે આપ્યા છેઃ સં. ૧૯૫૭ ફાગણ વદ ૧૩, સામ. ૐ શરીર સંબંધમાં ખીજીવાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયા. જ્ઞાનીઓના સનાતન સન્માર્ગે જયવંત વર્તો. સં. ૧૯૫૭ ચૈત્ર શુ. ૨ શુક્ર. ૐ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેનમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેાક શે? ૩ઃ શાંતિઃ ॥ ભાઇ મનસુખભાઇ તેમના નાના ભાઈ, રેવાશંકરભાઇ, ડૉ. પ્રાણુજીવનદાસ, લીમડીવાળા ભાઇ મનસુખભાઇ વગેરે શ્રીમદ્ની સેવામાં ટૅટ સુધી રહેલા. એક અઠવાડિયા પહેલાં ભાઈ ધારશીભાઇ તથા નવલચંદભાઇ શ્રીમદ્ની પાસે આવ્યા ત્યારે વાતચીતના પ્રસંગમાં શ્રીમદે ધારશીભાઇને કહેલું: “ અમારી હયાતીમાં ચાર પુરુષો આત્મજ્ઞાન પામ્યાઃ શ્રી જાટાભાઇ, શ્રી સેાભાગ્યભાઇ, શ્રી અંબાલાલ અને શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ 99 લલ્લુજી મુનિ. પછી કેટલાંક પદ તેમને લખાવ્યાં હતાં. ભાઇ મનસુખભાઇએ શ્રીમદ્ની આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છેઃ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા . “મનદુ:ખ—હું છેવટની પળ પર્યંત અસાવધ રહ્યા. તે પવિત્રાભાએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઇને સમજી શક્યા નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેકવાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતા. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઇ, નરભેરામ, હું વગેરે ભાઇઓને કહ્યું: ‘ તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવસ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાના છે. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશેા. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી તે કહેવાના સમય નથી. તમે પુરુષાર્થ કરશેા. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઇ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો. ભાઇનું સમાધિમૃત્યુ છે. ઉપાયેા કરતાં શરદી થઈ ગઇ. પાણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પાણા નવે કહ્યું: ‘ મનસુખ, દુઃખ ન પામતે; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢયા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવા. ત્યારે તેએશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઇ શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી, જેઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડયા; લેશ માત્ર આત્મા છૂટા થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ એછા થવા લાગ્યા તેમ ' ? Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ધશંકા, મેઢે પાણું કે આંખે પાણી કે પરસે કંઈ પણ પિણ આઠથી બે વાગ્યા સુધીપ્રાણ છૂટા પડયા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહને સંબંધ છૂટ. પાંચછ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પિતે તદ્દન વિતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ એગ્ય ધાર્યું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું ? માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” સંવત ૧૯૫૭ ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહને ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમને વિયાગ તેમને લાગ્યો હતો. શ્રીમનાં ધર્મપત્ની પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયો હતો. તેમનાં માતુશ્રીનું હૈયું બહુ કોમળ હતું. કોઈ શ્રીમની વાત કાઢે તે તેમની આંખે આંસુથી ભરાઈ જતી. - શ્રીમદ્દના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતા અને એકાંત જંગલમાં તેમને રહેવાને અભ્યાસ હતો. તે પારણું Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાત કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદુના દેહાંતના સમાચાર મળ્યા કે તુર્ત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણું જ આઘાત લાગ્યો હતો. તે દિવસે મુનિશ્રીએ પાણું પણ વાપર્યું નહિ. રાત્રે બીજા મુનિઓએ પણ તેમની સારવાર ઘણી કરી હતી. ધર્મનું મહાન અવલંબન અને પિષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્દ સદ્દગુરુને વિયોગ દરેક ધર્માત્માને અસહ્ય થઈ પડે છે. “સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે ? સમયે જિન સ્વરૂપ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે, તેમ જેને આત્મદાનને લાભ મળે છે તેને તે ઉપકાર સમજાયાથી સદગુરુનો વિગ અસહ્ય થઈ પડે છે. શ્રી અંબાલાલભાઈએ પિતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે? વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હેય, તે વૃક્ષમાં નિરાંકતાથી શાંતપણે કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનાર પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મેટા કવીશ્વરે પણ વર્ણન કરવામાં અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર અટવિને વિષે આ પામર જીવને આપ હે ! પ્રભુ, તમે ક્યાં ગયા? હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભારે તારાથી વહન ન થયે? જો તેમજ હોય તે આ પામરને જ ભાર તારે હળવે કર હતો; કે નાહક તેં તારી પૃથ્વી Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા ઉપર બેજા રૂપ કરી રાખ્યા. હે! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તેં ભાગ લીધે, તે પણ તું તૃપ્ત થયું નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કર હતો કે આવા પરમ શાંત પ્રભુને તેં જન્માક્તરને વિયાગ કરાવ્યો ! તારી નિર્દયા અને કઠેરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે! હે! શાસનદેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેને વિચાર જ ન કર્યો? હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણ? હે! પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન અને સમારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બેધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવે આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે. તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમેસ્કૃષ્ટ ગુણેનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલું Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બેધબીજ મારું રક્ષણ કરે, એ જ સદૈવ ઈચ્છું છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું. “ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કહું છું. કાંઈ સૂઝ પડતી નથી.” શ્રીમદ્દના દેહોત્સર્ગ પછી “પાયોનિયર પત્રમાં પ્રગટ થયેલી જીવનરેખામાંથી થોડું નીચે આપ્યું છે: વ્યાપાર કર્યાને દશ વર્ષ થયાં પછી તેઓને (શ્રીમને) લાગ્યું કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પિતે પૂર્ણ કર્યો હતે; તેથી વ્યાપારની સાથેને પિતાને સંબંધ નિવૃત્તવાની ઇચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પદવી, કૌટુંબિક સુખ (કારણ કે તેઓને હૈયાત માતા, પિતા, એક પરિણીત બંધુ, ચાર પરિણત બહેને, સ્ત્રી, બે પુત્રો અને બે પુત્રીઓ હતાં ) પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી સાધુ-મુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી. એટલામાં બત્રીશમા વર્ષની વયે તેઓની શારીરિક પ્રકૃતિ નબળી પડી. અનેક કુશળ ડોકટરોની સારવાર નીચે રાખવામાં આવ્યા અને એક વખત તે તેઓની પ્રકૃતિ સુધરી જવાની આશા રખાઈ. પરંતુ વ્યાધિએ ફરી દેખાવ દીધે; અને કાબેલિયતવાળી સારવાર તથા તેઓના પ્રશંસકની માવજત છતાં એક વર્ષ કરતાં વધારે બિછાનાવશ રહીને કાઠિયાવાડના રાજકોટ શહેરમાં ગયા માસની નવમી તારીખે (ઈ. સ. ૧૯૦૧ એપ્રિલ માસમાં) તેઓએ શાંતિથી દેહ વિલય કર્યો. , “તેઓની લાંબી માંદગી દરમ્યાન તેઓએ કદી પણ નિશ્વાસ અથવા આર્તતા દાખવી નહતી. જ્યારે તેઓના બિછાનાની આસપાસના બીજા બધાએ ખેદયુક્ત થતાં ત્યારે પણ તેઓ આનંદ સમેત રહેતા. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્ચા “શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક ચિહ્નથી અંકિત પુરુષ હતા; એ દર્શાવવાને તેઓના જીવનની ઉપર દર્શાવેલી રૂપરેખા પૂરતી છે. તેઓની માનસિક શક્તિ અદ્ભુત રીતે ચમત્કૃતિવાળી હતી. તેમજ તેઓના ચારિત્રની નૈતિક ઉન્નત તિ કરાવનાર હતી. સત્ય પ્રત્યે તેઓના આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વાને વળગી રહેવાનું વર્તન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં જે ખરું તેઓ માનતા તે કરવાની તેઓની નિશ્ચયવૃત્તિ અને તેના કર્તવ્ય સંબંધી ઉચ્ચ આદર્શ જેએ તેમેના સહવાસમાં આવતા તેનામાં પ્રેરણા કરી તેઓને ઉન્નતિની શ્રેણી પર ચઢાવતા. તેઓની ખાઘાકૃતિ ડીમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તા તેઓનાં જ હતાં. તેનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેએની સમજાવવાની અદ્ભુત શક્તિ અને ઉપદેશ કરવાની તેઓની દિવ્યપદ્ધતિ હોવાથી તેમના ઉપદેશ પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કરનાર સંજોગા હેાય ત્યારે પણ તેઓના આત્મસંયમ એટલા બધા પૂર્ણ હતા, તેઓની મધ્યસ્થ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી અને તેઓની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે જેએ તેની સાથે વાદિવવાદ કરી તેઓના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા તેઓ તદ્દન તેઓથી વશ થઇને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા પાછા જતા. 66 હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થતા હતા અને તે દૂર કરવાને હંમેશાં ઇચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેના વિચારે ઉદાર હતા. બધા સુધારકામાં જે સુધારક પવિત્રતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યાં જાય છે તેને શ્રીમદ્ ઉચ્ચતમ પંતિ આપતા. તેનાં પાછલાં વર્ષોંમાં એ તો સ્પષ્ટ જણાતું હતું કે શ્રીમદ્ પેાતાના જીવનને Jain Educationa International ૨૦૫ For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સંદેશ ધર્મશિક્ષક તરીકે આપવાની તૈયારી કરતા હતા; પરંતુ દુર્ભાગ્યે મરણે વચમાં પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યા છે; છતાં મુંબઈ ઇલાકાના જૈનામાં એક નૂતન જીવન ઉત્પન્ન કરવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે. સાધારણ રીતે એવું મનાય છે કે જો તે વધુ વખત જીવ્યા હાત તેા હાલના જૈન માર્ગની સંપૂર્ણ દર્શનક્રાંતિ કરી હોત, અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપ્યા છે તે ઉપદેશ લોકોને શીખવ્યા હોત. જૈતાના અનેક ગચ્છ-ભેદા દૂર કરી મહાવીરે સ્થાપેલા એક સામાન્ય ધર્મ સ્થાપવાના તેઓના વિચાર હતા. આવું ઉપયાગી જીવન અપરિપકવ વયે ઉપયાગમાં આવતું બંધ પડયું. તેથી દેશને ચેખ્ખા ગેરલાભ થયેા છે.' . (6 Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ શ્રીમની સલ્શિક્ષા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, તેમાં મોટે ભાગે પત્ર અને કાવે છે; તે શ્રીમનાં આત્મઅનુભવ સહિત લખાયેલાં વચન ભવ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્તિમાં પરમ ઉપકારક સશિક્ષા રૂપ છે. જીવનના અનેક પ્રસંગે મુમુક્ષુ જીવોને જ્યાં મૂંઝવણ ઊભી થયેલી તે વખતે તેમની મુશ્કેલીઓને હિતકારક સત્ય ઉકેલ કરી આપી માર્ગ સરળ રીતે પ્રાપ્ત થાય તેવી મદદ મળે અથવા પિતાની આત્મવિચારણાની પ્રસાદીથી મુમુક્ષુ જીવની મોક્ષમાર્ગમાં ઉન્નતિ થાય તેવાં વચનો નિષ્કારણ કરુણાથી તે મહાપુરુષે પ્રકાણ્યાં છે. તે મહાભાગ્યશાળી લેખક અને પરમ શ્રદ્ધાવંત મુમુક્ષુનાં અંતઃકરણમાં વહેતી ઉમિઓને યથાર્થ ઓળખ્યા વિના માત્ર મુમુક્ષુઓના પ્રશ્નના ઉત્તરે ઉપરથી કઈ અર્ધદગ્ધ અજાણ્યો તે વચનની કિંમત આંકવા જાય, તે બાળકને રત્ન આપ્યું હોય તે તે મુખમાં મૂકી તેના સ્વાદ ઉપરથી પરીક્ષા કરવા ધારે છે તેવી અજ્ઞાનને આધારે કપોળકલ્પિત કિંમત આંકી લે છે. પરંતુ જે જીવ યથાર્થ વૈરાગ્ય અને પુરુષના સમાગમથી Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પિતાની યોગ્યતા વધારી જે તે આત્મઅનુભવથી ભીંજાયેલાં વચનને શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરશે તે તેને પિતાને આત્મા, તે સત્ય વચનને પરમાર્થ પ્રત્યક્ષ સમજી, સાક્ષી પૂરશે. જે જીવમાં વિનય, સરળપણું આદિ ગુણે નથી તે સલ્શિક્ષા પામી શકતું નથી. શ્રીમદે એક વાક્યમાં જ જણાવ્યું છેઃ “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત !” વળી તેઓ વિશેષ જણાવે છે: “જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દોષ જાણીએ છીએ. એક તે “હું જાણું છું, “સમજું છું,’ એવા જ્ઞાની કેમ પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન; ઓળખાતા નથી? બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ; ત્રીજે લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું; તેના પ્રત્યે જેવું વિયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે. જ્ઞાનીને વિષે પિતા સમાન ક૫ના રહ્યા કરે છે. પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણું પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે, એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દેષ તેને વિષે સમાય છે, અને એ ત્રણે દોષના ઉપાદાન કારણ રાજાએ એવો તે એક “સ્વછંદ’ નામને મહાદોષ છે; અને ઉપાય તેનું નિમિત્ત કારણ અસત સંગ છે.” “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ચાળીસ ગાથાઓ મુમુક્ષુ જીવને માર્ગ કેમ પ્રાપ્ત થાય તે વિષે ઉત્તમ શિખામણ રૂપ છે. તેમાં શ્રીમદ્દ લખે છેઃ રેકે જીવ સ્વછંદ તે પામે અવશ્ય મેક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. છE 2 Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા પ્રત્યક્ષ સદ્દગુરુગથી સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણું થાય. સ્વછંદ મતઆગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્દગુરુશરણમાં, અ૮૫ પ્રયાસે જાય.” વળી તેઓ લખે છેઃ અનંતકાળ સુધી છવ નિજ ઈદે ચાલી પરિશ્રમ કરે, તે પણ પોતે પિતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અનમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે; છતાં લોકો લજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલમાં જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અને હેય તે તેથી તૃષા છીપે. જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી કંઈ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના કદાગ્રહાદિ હત્યા વિના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કલ્યાણ ન થાય કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દેશે તે છૂટી જવા જોઈએ કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા છને આવે નહીં. આટલું છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હેય તો પછી તેણે કલ્યાણની આશા કરવી નહીં. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે.” “બીજું કંઈ શેધ મા–માત્ર એક પુરુષને શેધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે. એક પુરુષને મોક્ષમાર્ગદીપક રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં, આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભાવે અવશ્ય મેક્ષે જઈશ.” “ ખેદ નહીં કરતાં શરવીરપણું ગ્રહીને જ્ઞાની માર્ગે ચાલતાં મેક્ષ-પાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય - તે વખતે વિચારવાનને પિતાનું નિવપણું મુમુક્ષુઓએ મુખે કરી જોઇને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને હદયમાં રાખવા યોગ્ય વારંવાર નિદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહપુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરી તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી; તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી; એ જ વૃત્તિનું અવલંબન આત્માથી Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા ૨૧૧ જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” જ્ઞાની પુરુષની અવજ્ઞા બલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ અનંત સંસાર વધવાન તાકર કહે છે; તે પુરુષના ગુણગ્રામ કરવા, કારણ અને અનંત તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સંસાર નાશ કરનારું સરળ પરિણામે પરમ ઉપગ દષ્ટિએ વર્તવું, કારણ એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વા જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય, એવા ભવે તે કવચિત જ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ, એમ જીવે અનંતવાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતું નથી, કારણ કે અનાદિ કાળથી મહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ યથાબળ વિર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું એગ્ય છે.” સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી, અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી, એમ તીર્થકર કહે છે. માર્ગાનુસારી પુરુષને જેની કેડને ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ જ્ઞાની પુરુષાના બાધ પરીક્ષણિપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચન રૂ૫ લાકડીને પ્રહાર થયો છે, તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. “જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જેઈ જે રાગ ઉત્પન્ન થત હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણે.' જ્ઞાની પુરુષનાં વચને સાંભળ્યા પછી સ્ત્રીને સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.' Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળe ખરેખર, પૃથ્વીનો વિકાર, ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.' “જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય પણ ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.” એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષ ભાગનુસારી પુરુષને બોધતા હતા. એ જાણીને–સાંભળીને તે સરલ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનેને અપ્રધાન ન કરવા ગ્ય જાણતા હતા–વર્તતા હતા.” - “અહા ! પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ; સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ સપુરુષનાં વચન, મુદ્રા પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ * અને સત્સમાગમ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલ્લે અગી સ્વભાવમાં કારણભત રહે મેક્ષનું કારણ સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો.” “શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે. પણ જીવે દિશામૂઢ રહેવા ઈચ્છે, ત્યાં ઉપાય પ્રવત શકે નહીં. ફરી ફરી ઠેકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મિક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ જ નથી; કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ સંસારનું સ્વરૂપ અને માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના તેની નિવૃત્તિ સ્વરૂપની વાત નથી કે વખતે તે ગાવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશા રૂપ સ્વાન રૂપ મેંગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની શિક્ષા ૨૧૩ સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે; તે જ જન્મ છે, મરણ છે; અને તે જ દેહ છે, દેહના વિકાર છે; તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે. અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, જ્ઞાન આદિ કરી છૂટે. એમાં કંઈ સંશય નથી.” બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંતબેધ અને બીજે તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એ ઉપદેશબેધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન ઉપદેશબંધ અને થ ન હોય, તે સિદ્ધાંતોનું માત્ર તેને સિદ્ધાંતબેધ " શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છેજ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણદ્વારા જણાવાય તેમ જણાવ્યું છે–એ જે બેધ છે તે સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યસંભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધન જીવન સંસારભય દઢ કરાવે છે તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યું છે, તે ઉપદેશબધ છે. ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાય (ક્રોધ, માન, માયા, લેભ) – કલેશ તેનું મંદ થવું તે Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાય બુદ્ધિને પર્યાયાંતર કરી સબુદ્ધિ કરે છે. અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય ટળવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ–આત્મભાવ વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હેય છે. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે, અને તે વાત ઉપરથી ઉપર જણાવ્યા છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિ બેધતી જોવામાં આવે છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણ કરવા ઇચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલ છવ પ્રતિબુઝ (સમજતો) નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિને પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ કયારે પણ થઈ શકો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં.” ક્યા ઈચ્છત ખોવત સબે, હે ઇચ્છા દુઃખમૂલ; દુઃખનું મૂળ જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ” “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” “મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક મેક્ષને વિષે જ યત્ન કરો. અને તીવ્ર મુમુક્ષતા મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણાવવું નથી પણ Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સચ્છિક્ષા ૨૧૫ મુમુક્ષતા વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. અને તેને લીધે સ્વછંદને નાશ હોય છે. “સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામે છે ત્યાં તેટલી જગ્યભૂમિકા બીજ યુગ્ય થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાયે છે ત્યાં પછી “માર્ગપ્રાપ્તિ’ને રેકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છે. “આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દેવતાની ઓછાઈ; અને પદાર્થને અનિર્ણયઃ એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહેશું–તે પહેલાં તે જ કારણેને અધિકતાથી કહીએ છયે. આ લોકની અ૫ પણ સુખેચછા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં મુમુક્ષતાને રોકનાર કારણે-નિઃશંકપણે “તે સત’ છે, એવું દૃઢ ત્રણ કારણે થયું નથી અથવા તે પરમાનંદ રૂપ જ છે, એમ પણ નિશ્ચય નથી; અથવા તે મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણે પણ પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે જેથી જીવની જગ્યતા રેકાઈ જાય છે. “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ” એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યતા સૂચવે છે, જેથી સર્વ પ્રાણું વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જયાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જેગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. “કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સત'ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી; અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે. “આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કઈ કઈ વિષે જોઈ છે. અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય, એમ જાણુએ છયે. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે. અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહિયે ? અનંતકાળે એ જ માર્ગ છે. “પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના જોગે તેનાં અલૌકિક સ્વરૂપને ઓળખવું. (ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે–મુમુક્ષનાં ને મહાત્માને ઓળખી લે છે.) “મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે મહાત્માનું ઓળખાણ છે, તેથી નિઃશંકતા આવે છે; જેથી જીવ સર્વ અને તેનું ફળ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ રેગ્ય છે. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” “જીવને માર્ગ મળ્યું નથી, એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજે. અમને લાગે છે કે માર્ગ સરળ છે; પણ પ્રાપ્તિ દુર્લભ છે.” - “ સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષનાં Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની શિક્ષા ૨૧૭ ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપપ્રાપ્તિનો માર્ગ અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાર વિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બેધલક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણુ છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધો. એ માર્ગની આરાધના વિના અનાદિ કાળથી જીવે પરિભ્રમણ કર્યું. જ્યાં સુધી જીવને સ્વછંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી; (અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે, દઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું; તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે. તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. “સૂયગડાંગ' સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, ક્ષમાર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છેઃ “હે! આયુષ્મત! આ છ સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેના ઉપદેશને સાંભળ્યાં નથીઃ અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. “ગુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.' એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ કહેવાનો લક્ષ છે. - Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ; આજ્ઞાનું આરાધન એ જ તપ.” (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મેટા પુરુષને કહેવાનું લક્ષ છે; એ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે; અને જેણે તે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા કસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂ૫ બંધને–એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઇ છે તે આ ઉપરથી તમે વિચારે; અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો; અને એ માર્ગે જે કઈ ગ્યતા લાવશે, તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ, એવા પુરુષને જ રાખજે, બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતા લાગશે નહીં, (વિકલ્પથી) લાગે તે જણાવશો કે જે કંઈ ગ્યા હોય તે જણવાય.” સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય તે પુરુષે આત્માને ગષ, આત્મા ગવેષ હોય સત્સંગની ઉપાસના તે તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ આત્માની ઉપાસના છે અપ્રધાન કરી સત્સંગને ગષ, તેમજ ઉપાસ; સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ; પોતાના અભિપ્રાયને ત્યાગ કરી, પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે; એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) કે જે બધી જ માને છે Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા ૨૧૯ “જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે. અન્ય કાઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ-વાચન નિષ્ફળ રૂપ છે; એ વાર્તી અમને તેા નિઃસંદેહ યથાર્થ લાગે છે. “ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ,-- દુ:ખ જેનાથી જન્મ પામે છે એવાં રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના,—થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ, એક આત્મજ્ઞાન સિવાય બીજા કાઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી; એમ સર્વ જ્ઞાની પુરુષાને લાસ્યું છે; માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયેાજન રૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનાં શ્રવણુનું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે, જે કોઇ જીવ દુ:ખની નિવૃત્તિ ઈચ્છતા હાય-સથા દુ:ખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હેાય, તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય, અન્ય બીજો કાઇ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરના, કુળધર્મના, લેાકસંજ્ઞારૂપ ધર્મના, એધ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી. એક આત્મવિચાર કે વ્ય રૂપ ધર્મ ભજવા ચાગ્ય છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ. “ એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યાગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણુનું કાઇ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ કચ્છવા કલ્યાણનું કારણ અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેય રૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. “ યથા પ્રારબ્ધ સ્થિતિ છે. એટલે બળવાન ઉપાધિ ચેાગે વિષમતા આવતી નથી. ક’ટાળા અત્યંત આવી જતાં છતાં ઉપશમનું સમાધિનું Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ. યથા રૂપ રહેવું થાય છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વલ્ય કરે છે. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિ રૂપ થાય છે; અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.” “વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ અસંગદશાને હેતુ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગ દશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય ને ઉપશમ છે જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રમાં કહેલ છેવિસ્તારેલ છે. માટે નિઃસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય ઉપશમના હેતુ એવા સાથે વિચારવા યોગ્ય છે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર - પરમાર્થ સિવાય બીજો કોઈ હેતું નથી. વિષમ લાકમાઈને પ્રતિકાર " અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે; જે બેધ વડે જીવમાં શાંતિ આવી; સમાધિદશા થઇ, તે બોધ આ જગતમાં કઈ અનંત પુણ્યના જેગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે. તથાપિ તે પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. પણ તે દેહગમાં કોઈ કોઈ વખત કઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જગમાને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે. પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કમની સશિક્ષા નથી કહેવાયું. અથવા માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ છવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી, બીજા જીવ પ્રત્યે નિર્દોષ દષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે.” મહાત્મા ગાંધીજી પ્રત્યે ડરબનના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ “ “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કમને કર્તા છે”, “આત્મા કર્મને ભક્તા છે”, “તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે –એ વિવેકજ્ઞાન છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને “વિવેકજ્ઞાન” અથવા “સમ્યફદર્શનની પ્રાપ્તિગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે; જે નિરૂપણુ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છે કારણોને વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહ, બુદ્ધિ હેવાને લીધે આત્માનું “અસ્તિત્વ', “નિત્યત્વ' અને “અવ્યાબાધ સમાધિસુખ' ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું તું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં જીવને સ્વરૂપ-આવિર્ભાવ """ મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેને અનાદિ કાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પ કાળમાં છેડી શકાય નહીં; માટે ફરી ફરી સત્સંગ, સતશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય', Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ ાજચંદ્ર જીવનકળા ‘શાશ્વત્’, ‘સુખસ્વરૂપ' એવું‘આત્મજ્ઞાન' થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પેાતાના હિતના ત્યાગ કરવાના વખત આવે છે; અને અનિત્ય પદાર્થના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણના યાગ રહ્યા કરે છે. २२२ “કંઈ પણ આવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે એમ જાણી, ઘણા સંતેાષ થયેા છે; તે સંતેષમાં મારે કંઇ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચઢવા ઇચ્છે છે. તેથી સંસારલેશથી નિવૃત્તવાન તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારના સંભવ દેખી સ્વભાવે સંતાષ થાય છે. ' ' શ્રી લલ્લુજી ઉપરના છ પ'ના પત્રમાં શ્રીમદ્ લખે છે: ‹ અનાદિ સ્વ×દશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ ‘છ પદ'ની જ્ઞાની પુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પિરણામ કરે તે। તે સહજ માત્રમાં જાગ્રત થઇ ‘સમ્યક્દર્શન’તે પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવ રૂપ મેક્ષને પામે. કાષ્ઠ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવન વિષે તેને હર્ષ, શાક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું સંપૂર્ણપણું અવિનાશીપણું અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી અક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયેાગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ બધા રહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે, જે જે પુરુષાને સમ્યક્દર્શન અને મેાક્ષની પ્રાપ્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની શિક્ષા ૨૨૩ એ ૭ ૫૬ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે તે તે પુરુષા સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વે સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળે પણ તેમજ થશે. સત્પુરુષની નિષ્કારણ કરુણા “ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે; જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જેણે કઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણું કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્યાં છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ક્રી નમસ્કાર હા. “ જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મમેાધ થાય એમ જાણીને જે...ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ક્રી ત્રિકાળ નસંસ્કાર હા ! સદ્ગુરુની ભક્તિથી સહેજે આત્મધ થાય “જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય ( ભાગ પ્રત્યે અનાસક્તિ ) તથા ઉપશમ ( કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ ) એ મુખ્ય આધાર છે, એમ જાણી તેના નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પુરુષના વિચારદશા પામવાનું ઉત્કૃષ્ટ કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્દભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ–પુરુષની પ્રતીતિ–એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ખરેખર મુમુક્ષુ હોય તેને સતપુરુષની આશ્રયભક્તિ અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે, ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.” જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી; જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી; જેને માન, અપમાન, લાભ, અલાભ; હર્ષ, શોક; જન્મ, મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. “દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે - દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, મ્યાન પ્રત્યે મહપુરુષની દશા અને નિર્ભયતા તરવારને જેવો સંબંધ છે, તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબ-સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. “જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કહે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ પુરુષોએ પ્રકાશ્યો તેને અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. તેના કિરણની કાંતિની પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈિતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા ૨૨૫ આકાશ રહિત જ છે, તેમ સમ્યફ દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ કયાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાન્તિ છે, તે જ ભ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે; સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.” “દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં. પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષના આશ્રયે ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. દેહ છૂટે એ સ્વરૂપસ્થિતિનું કારણ જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા જ ઉષા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે; કેમકે તે યથાસંભવ ઉપાય છેઃ સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે; તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રયે રાગદ્વેષને ક્ષય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, થવાને ઉપાય પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું; એમ આત્મભાવના કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ २२१ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા - રાગ-દ્વેષને ક્ષય થાય.” દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ, વિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દષ્ટિ કર્તવ્ય છે. “ધર્મ પામ્યો નથી” “હું ધર્મ કેમ પામીશ?' એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ, જે દેહાદિ સંબંધથી હર્ષ વિષાદ - વૃત્તિ દૂર કરી આત્મા અસંગ, શુદ્ધ ચૈતન્ય વીતરાગ પુરુષને ધર્મ * સ્વરૂપ છે એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું; તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.” વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખ. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું સંસારરેગનું ઔષધ * જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમતત્વ છે એને મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! “હે! જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કંઈક વિચાર, પ્રમાદ છેડી જાગ્રત થા ! જાગ્રત થા ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે! જીવ, હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.” “કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કઈક જીવને સમજાય છે. મહપુણ્યના વેગથી, Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સર્વ દુઃખક્ષય કરવાનો સમજાવા યોગ્ય છે. તે સમજાવાને અવસર ઉપાય એક માત્ર આ મનુષ્યદેહ છે; તે પણ અનિયત કાળના ભયથી ગ્રહિત છે, ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે.” “કેઇને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિજા રંગાશે તેમ તેમ તે તે કે ભવ સત્ય પામે ? * જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહ છે. જે કઈ સાચા અંતઃકરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.” કેઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાનાં કારણોને પ્રાપ્ત થાય એમ, નિષ્કારણું કરુણાશીલ એવા કહષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણ કે સપુરુષને સનાતન સત્પરોની સનાતન એવી કરુણાવસ્થા હાય સંપ્રદાય ** છે કે, સમય માત્રના અનવકાશે આખો લોક આભાવસ્થા પ્રત્યે હો, સ્વરૂપ પ્રત્યે હૈ, આત્મસમાધિ પ્રત્યે હ; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ છે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હેઃ એ જ જેનો કરુણશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષોનો છે.” શ્રીમદ્દનું ઉદાર નિષ્કારણ કરૂણાશીલ હદય આ અવતરણે ઉપરથી વાચકને કે બેતાને કંઈક અંશે સમજાશે; તેમજ જિજ્ઞાસુ જીવને પુરુષોના સનાતન સંપ્રદાયની પ્રસાદી પ્રાપ્ત કરવાની, તે માર્ગે Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ: મદદ કરે તેવા મહાપુરુષની શોધ કરી આત્મકલ્યાણ કરવાની, અનાદિ ભૂલ ટાળવાની પ્રેરણા પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. કેટલીક પઘપ્રસાદીનાં અવતરણેથી વિશેષ સ્પષ્ટીકરણ અને સદ્દભાવ સમજાશે એમ ગણું નીચે કેટલાંક લખ્યાં છેઃ “ બીજાં સાધન બહુ , કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી, ઉલટ વળે ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્દગુરુયોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગઢશોગ. સંતાપનું કારણ અને નિશ્ચય એથી આવી, ટળશે અહીં ઉતાપ તે ટળવાનો ઉપાય નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” “ જ્યાં શંકા ત્યાં ગણુ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ; પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.” ; “મૂળ મારગ સાંભળો જિનનારે, સમ્યફજ્ઞાન ન , કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ ભારગ નય પૂજાદિની જે કામના, નેય વહાલું અંતર્ ભવદુઃખ. મૂળ કરી જે જે વચનની તુલનારે, જેજે ધિને જિન સિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથીરે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ છે દેહાદિથી ભિન્ન આત્મારે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદગુરુ ઉપદેશથીરે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ.” “ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હૈય, બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહીં જોય. Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ શ્રીમદની સલ્શિક્ષા પ્રત્યક્ષ સદગુરુપ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” “ ગમતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર, ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. સર્વ જીવે છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત કારણ માંય.” સદગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ.” - “ જિન સહી હૈ આતમા, અન્ય હેય સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીક મર્મ. વ્યવહારસેં દેવ જિન, નિહયેસેં હૈ આપ; એહિ વચનમેં સમજ લે, જિન પ્રવચનકી છાપ.” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદસુ ઉર વસે; " વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજ અનુભવ બતલાયદીયે.” સાચો માર્ગ “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” - “ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ, હવે દૃષ્ટિ થઈ આભમાં, ગયો દેહથી નેહ.” Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકા “ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સકે ચરન, શો પાવે સાક્ષાત. બુઝી ચહત જે પ્યાસકે, હે બુઝની રીત; પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ રીત. પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ, પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તેડ. ” અપૂર્વ અવસરની ભાવના અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઇશું બાહાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જે–અપૂર્વ દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણું ચારિત્રમેહ વિલેકિયે, વર્ત એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે–અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિ તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે–અપૂર્વ શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જે; જીવિત કે મરણે નહીં જૂનાધિતા, ભવ મેલે પણ શુદ્ધ વર્તે સમભાવ જે–અપૂર્વ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણુમેહગુણસ્થાન જે; Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સલ્શિક્ષા ૨૩૧ અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે–અપૂર્વ જે પદ શ્રી સર્વને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનેરથરૂપ જે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ અપૂર્વ ” Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીમદ્ભા સ્મારકો શ્રીમદની હયાતીમાં સં. ૧૯૫૬ ના ભાદરવા માસમાં દુષ્કાળને અંત આવ્યો અને નવો પાક થયે ત્યારે “પરમશ્રત પ્રભાવક મંડળની જના સ્વહસ્તે થઈ હતી. ધર્મજીવન અને તત્ત્વવિચાર ક્ષેત્રમાં પણ દુષ્કાળ વર્તતો હતો, તેને અંત આણવા ધર્મમૂર્તિરૂપ પિતે જીવને દૃષ્ટાંત વડે અને અમૃત સમાન જીવંત બેધથી અનેક ભવ્ય આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બની આ દુષમ કાળનું પૂર પાછું વાળવા પરાક્રમ દર્શાવ્યું હતું. “પરમબ્રુત પ્રભાવક” મંડળની યોજના પગભર કરી એક વર્ષનું બાળક થતા પહેલાં પિતાને વિયેગ થાય તેમ તે કાર્ય અને આ ભવનો સંબંધ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં છોડી દીધો. પરંતુ તેમના પ્રશંસક વર્ગ અને અન્ય ધર્મપ્રેમી પુરુષોના પોષણથી કલ્પવૃક્ષ સમાન એ સંસ્થા દ્વારા અનેક અપ્રસિદ્ધ પુસ્તકો, શ્વેતાંબર, દિગંબર આદિ સર્વ સંપ્રદાયના તત્ત્વવિચારકોને આ દુષમકાળ વીતાવવામાં પરમ ઉપયોગી, અને અનન્ય આધાર રૂપ પુસ્તકે પ્રસિદ્ધ થયાં. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રી પણ નીચે તે સંસ્થાએ અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાં સ્મારકો ૨૩૩ ઉત્તમ પુસ્તકો દ્વારા જનસમાજમાં અલભ્ય પુરતાના અભ્યાસની કે વૃદ્ધિ કરી છે અને તેવાં પુસ્તક પ્રગટ કરનારી સંસ્થાઓ ઉત્તમ થવામાં પ્રેરણ રૂપ બની છે. બીજી તેવી સંસ્થાઓના ઉત્સાહ આગળ અને કાર્યકુશળ રેવાશંકરભાઈના સ્વર્ગવાસ પછી આ સંસ્થામાં જે મંદ પ્રગતિ હાલ જણાય છે તેમાં વિશેષ કાળજી રાખવાથી સ્વ–પર ઉપકારનું કાર્ય સુગમ થાય તેમ છે તે તરફ વર્તમાન કાર્યવાહકોને દૃષ્ટિ દેવા રૂપ વિનંતિ કરું છું. " પ્રથમ પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલા “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકના સંગ્રાહક સ્વ. શ્રી અંબાલાલભાઈએ ઘણાખરા મુમુક્ષુઓ પાસેથી શ્રીમના પત્રો મંગાવી પુસ્તકાકારમાં તેને ઉતારી શ્રીમના સ્વહસ્તે ઘટતો ફેરફાર પણ કરાવી લીધો હતો. શ્રીમદુના નાના ભાઈ સ્વ. મનસુખભાઈ રવજીભાઈ તથા સ્વ. મનસુખભાઈ કિરતચંદ મહેતા આદિ વિદ્વાનમંડળની મદદથી તે પુસ્તકનું સંશોધન કાર્ય થયું હતું અને હાલ બીજી આવૃત્તિ રૂપે “પરમકૃત પ્રભાવક મંડળ” દ્વારા તે પ્રસિદ્ધ થયું છે, તે તે ચિરકાળ સુધી શ્રીમ પરિચય કરાવી ધર્મભાવની વર્ષો સદા વર્ષાવનાર મેઘમાળા જેવું ઉત્તમ સ્મારક છે. | શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુ જનને ઉપયોગી પુસ્તકો મંગાવી રાખી શ્રીમતી સૂચના પ્રમાણે જે પુસ્તક જેને વાંચવા યોગ્ય હોય તેને મોકલી આપતા. ખરીદવાની ઇચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તે અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે નાના પાયા ઉપર પણ સહેજે ઉત્પન્ન થયેલી જરૂરિયાત પૂરી પાડનાર પુસ્તકાલયની શરૂઆત થઈ ચૂકી હતી. તે સંસ્થાનું નામ “શ્રી સુબોધ પાઠશાળા રાખ્યું હતું. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવી Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સગ્રંથાને અભ્યાસ કરતા, ભક્તિ કરતા તથા સત્સંગના લાભ મેળવતા. હાલ તે સંસ્થા તે જ મુખ્ય હેતુને અનુસરીને કામ કરી રહી છે; પરંતુ પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ તે બની રહી છે. ૨૩૪ શ્રીમદ્ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણા વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન તથા દેરાસરની અનુકૂળતા સહિત ‘ નિજાભ્યાસ મંડપ' નામ આપી સ્વ. પોપટલાલ મહેાકમચંદ અને તેમના પિરિચત શ્રીમના પ્રશંસકેાએ એક સંસ્થા સ્થાપેલી છે. તે પણ સત્સંગનું સુંદર સ્થાન છે. પાછળનાં ઘેાડાં વર્ષોમાં શ્રીમના પરિચયમાં આવેલા પણુ સત્પ્રદ્દા અને ભક્તિથી રંગાયેલા અમદાવાદના સ્વ. પોપટલાલભાઇ શ્રીમદ્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી લલ્લુજી આદિના સમાગમમાં ઘણું વખત ચરેતરમાં નિડયાદ, ખંભાત વગેરે સ્થળેામાં રહેતા. તેવામાં એક કચ્છના વતની બ્રાહ્મણ કુળમાં જન્મેલા સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈનદીક્ષા પામેલા પણ સત્ની શોધમાં શ્વેતાંબરાના, દિગંબરાના, વૈષ્ણવાના અને અનેક વિદ્વાનને સમાગમ કરી રહેલા રત્નરાજ સ્વામીએ શ્રીમની પ્રશંસા સાંભળી ત્યારે તેમને મળવા વિહાર કરી મારવાડથી ગુજરાતમાં આવ્યા. પરંતુ શ્રીમદ્ના અવસાનના સમાચાર સાંભળી ખેદ પામ્યા. શ્રીમના પિરચયમાં આવેલી વ્યક્તિએની શેાધ કરતાં શ્રીમદ્ લઘુરાજ ( લલ્લુજી સ્વામી ) તથા સ્વ. પોપટલાલને સમાગમ તેમને થયે! અને શ્રીમનાં વચનેાના અભ્યાસથી તથા બન્ને ભક્તાત્માઓના પરિચયથી તે પ્રજ્ઞાવંત સાધુના હૃદયને શાંતિ પ્રાપ્ત થઇ. તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સંગમાં ઘણા વખત રહ્યા. પરંતુ શ્રીમા સ્મારક તરીકે આશ્રમ સ્થાપવાની આવશ્યક્તા સમજાતાં Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદનાં સ્મારકો ૨૩૫ તેમણે શ્રી સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ નામ રાખી એક સંસ્થા સ્થાપી છે. ભક્તિ અને તત્ત્વજ્ઞાનચર્ચા તથા સત્સંગનું તીર્થક્ષેત્ર તે સંસ્થા પણ બની રહી છે. શ્રીમદ્દ લઘુરાજ સ્વામી દક્ષિણમાં ખાનદેશ, પશ્ચિમમાં કાઠિયાવાડ અને ઉત્તરમાં મારવાડ સુધી વિહાર કરી આવેલા; પરંતુ મુખ્યત્વે ચરોતરમાં તે વિચરતા અને તેમના પ્રસંગમાં આવેલા ગૃહસ્થ તથા ત્યાગી વર્ગની કઈ સ્થળમાં સ્થિરતા કરવાની સૂચના તેમજ આગ્રહ. છતાં જ્યાં સુધી પગમાં શક્તિ હોય ત્યાં સુધી વિહારની પદ્ધતિ ચાલુ રાખવાની દઢતા તેમણે રાખેલી. પરંતુ ઢીંચણમાં વાનું દરદ તથા હરસ વગેરે વ્યાધિઓ વધી જતાં અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણા ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ તેમના આગ્રહથી તેમણે કોઈ સ્થળ શ્રીમના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ કરી મકાન બને તે ત્યાં ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ કરીને ઉદાર ગૃહસ્થ ત્રીસ વીઘાં જમીન આપી અને એક સારી રકમની ટીપ ગૃહસ્થાએ કરી. એ પ્રકારે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'ની અગાસ સ્ટેશન પાસે સં. ૧૯૭૬ ના. કાર્તિક સુદ ૧૫ મે સ્થાપના થઈ શ્રી લઘુરાજ સ્વામીનું ચોમાસા સિવાયના વખતમાં ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં રહેવાનું બનતું; તેથી ઘણા આત્માથ સજજનેને સત્સંગ-ભક્તિને લાભ કાયમ મળવાને સંભવ જણાયાથી, આશ્રમની જગામાં ધર્મશાળા રૂપે કેટલીક ઓરડીઓ પિતાના ખર્ચે તેઓ બંધાવવા લાગ્યા; કોઈ કોઈ શ્રીમતે પિતાને રહેવા બંગલા બંધાવ્યા, અને એમ વધતાં વધતાં એક નાનું ગોકુળિયું ગામ હૈયા તેવું આ આશ્રમ બની ગયું છે. કાયમ પચાસ સે માણસે ત્યાં રહે છે. શ્રીમદ્ રાજચંદ્રનાં વચને અને તેમની પાસેથી શ્રવણ કરેલા બેધનું રહસ્ય શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગે સાંભળી ઘણું ભવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જીવા તત્ત્વજ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવર્તે છે. કોઈ માસ એ માસ કે કોઇ કાયમ રહેનારા એવા અનેક ભક્તાત્માએ ઉપરાંત આજુબાજુનાં ગામામાંથી અનેક જિજ્ઞાસુ જીવે ત્યાં આવે છે અને સત્સંગ, સત્શાસ્ત્રના પરિચયથી જીવન-સાફલ્યનું નિમિત્ત પામતા રહે છે. આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હાવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, વૈષ્ણવાદિ અનેક કુળ સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવના વાળા જિજ્ઞાસુ જીવે આવે છે અને રહે છે. શ્વેતાંબર તથા દિગંબર દેરાસર પણ આશ્રમના ચોગાનમાં છે. શ્રીમદ્ રાજચંદ્રની પાષાણુ તથા ધાતુની ભવ્ય પ્રતિમા પણ છે. ધાર્મિક જીવનને પરિચય કરાવે તેવું આ ઉત્તમ તીર્થ બન્યું છે. સ્વ. પૂજાભાઈ હીરાચંદની ઉદાર સખાવતથી અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા ‘ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર ’ પુરાતત્ત્વ મંદિરમાં સ્થાપવામાં આવ્યા હતા. હાલમાં પુરાતત્ત્વ મંદિર બંધ છે. પણ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર ગૂજરાત વિદ્યાપીઠ નિભાવે છે. C નાર, કાવિઠા, અમદાવાદ, વઢવાણ, કલેાલ, ધામણ ( નવસારી પાસે) આદિસ્થાએ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ' રૂપે સત્સંગનાં ધામ છે. પણ તે તે સ્થળે રહેનાર મુમુક્ષુઓના જીવનને જ ઉપકારી હોવાથી માત્ર તેનાં નામ અહીં જણાવ્યાં છે. આજુબાજુનાં સ્થળેથી આવનાર જિજ્ઞાસુએની જિજ્ઞાસા તૃપ્ત થાય અને ધાર્મિક જીવનની જાગ્રતિ પ્રાપ્ત થાય તેવાં ત્રણ સ્થળેા ઉપર ગણાવ્યાં છેઃ ખંભાત, સિદ્ધપુર અને અગાસ. શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ “ હું કોઇ ગુચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહીં.” એ લક્ષ રાખીને ઉપરના આશ્રમેાના આત્માર્થી જીવે એ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રિીમનાં સ્મારકે ૨૩૭ મહાપુરુષ છએ દર્શનેને અભ્યાસ કરી જે આત્મસ્વરૂપને નિર્ણય કરી પિતાનું જીવન શુદ્ધ સહજાભ સ્વરૂપ બનાવ્યું હતું, તે નિષ્પક્ષપાતી તત્વને અનુભવ કરવા પ્રયત્નશીલ છે. સનાતન જન એવું નામ આપવામાં આવે છે ત્યાં પણ જૈન શબ્દને વિશાળ અર્થ સર્વના લક્ષમાં હોય છે. જે મહાત્માઓ આત્મદર્શન પામ્યા છે અને આત્મહિતમાં વિધન કરનાર કારણેને જેમણે જીતી લીધાં છે તે જિન છે; શુદ્ધ આત્મા છે. અને આત્મધર્મ પ્રગટાવવા તે મહાપુરુષોના દર્શાવેલ માર્ગે ચાલે છે તે જેન કે આત્માથી મુમુક્ષુ જીવો છે. તે આત્મધર્મ અનાદિ કાળથી પ્રવર્તતે આવ્યા હોવાથી મેક્ષને માર્ગે પ્રવર્તતા સર્વ ભવ્ય છ સનાતન જૈન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અંતિમ પ્રશસ્તિ “દેહ છતાં જેની દશા વર્ત દેહાતીત; તે જ્ઞાનના ચરણમાં હો વંદન અગણીત.” જ્યાં અતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” એ વાક્ય વિચારતાં સ્પષ્ટ સમજાય એવું છે કે જેનું અચિંત્ય માહામ્ય છે એવા મહાપુરુષોનું માપ શબ્દથી કદી થઈ શકે નહિ. સૂર્ય સામે દષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે; સર્વ વસ્તુઓને જોવામાં મદદ કરનાર પરમ પ્રકાશવંત એ પદાર્થ હોવા છતાં, ત્યાં દષ્ટિ ટકતી નથી, એટલે એનો પ્રભાવ છે; તેમ આત્મસ્વરૂપમાં લીન થયેલા અલૌકિક પુરુષોને અકથ્ય મહિમા કહેતાં “અપાર, અપાર, અપાર; અનંત, અનંત, અનંત ' એવા શબ્દો વડે વિચક્ષણ પુરુષોએ સમાપ્તિ કરી છે. શ્રીમદે “અપૂર્વ અવસર' માં ગાયું છેઃ “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુનાં સમારકે તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ-ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” દેહ છતાં જેણે માન અપમાન સમાન માન્યાં હતાં, એટલું જ નહિ પણ કીતિને કલંકરૂપ માની, “અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે.” આમ જે ગુપ્ત રહેવામાં આનંદ માનતા, તે મહાપુરુષનું તેત્રીસ વર્ષનું ટૂંકું આયુષ્ય વીત્યા પછી પણ તેત્રીસ વર્ષ થઈ ગયાં; તે મહાપુરુષની પ્રશંસા આદિ સાથે તેમને પિતાને કંઈ લેવા દેવા નથી; તેમ આ લેખકને પણ તેમાં કોઈ પણ પ્રકારને લૌકિક લાભ કે સંબંધ નથી. માત્ર મહાપુરુષો જગતના આધાર રૂપ છે; પરમ ઉત્કૃષ્ટ સુખ પામ્યા છે; તે સુખની ઇચ્છાવાળા સજજનોના અવલંબન ભૂત છેઃ સર્વ સુખના દાતા છે; તે પરમ સત્ય તરફ દૃષ્ટિ કરાવવા પૂરતો જ આ પ્રયાસ છે. આત્મજ્ઞાની પુરુષોના પ્રત્યક્ષ સમાગમે માત્ર એક શબ્દથી જે જીવનપલટ થાય છે તે આવા અનેક ગ્રંથોથી પણ થવા સંભવ નથી એમ પ્રતીતિ છતાં, આટલા બધા શબ્દોની સંકલન કરવામાં એક માત્ર પુરુષની ભકિત કરવાની ભાવના જ હેતુરૂપ છે. ભકતકવિ શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર માં કહે છે? " अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधा मधुरं विरोति તરવાડૂતત્રિનિજહેતુઃ ” - ભાવાર્થ-અ૫ શ્રુત જ્ઞાન હોવા છતાં, મહાગ્રુતજ્ઞાનીઓ જેને હસી કાઢે એવી પામર દશા છતાં, હે ! પ્રભુ, માત્ર તારી ભક્તિ મને પરાણે વાચાળ બનાવે છે; કોયલ જે વસંત ઋતુમાં મનહર Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળી ટીકા કર્યા કરે છે તેનું કારણ ખરેખર આંબાના મેરને સુંદર કળીઓને સમૂહ જ છે. અંતમાં, સંત કેવા હોય? એનું દર્શક ચિત્ર રજુ કરતી–શ્રીમજીના જીવનને સંદેહ રજૂ કરતી–શ્રી. અમિતગતિ આચાર્યના “સુભાષિત રત્નસંદેહ” માંની એક ગાથા ટાંકી આ ગ્રન્થ પૂરે કરું છું. चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमलं सार्थकं मुक्तबाधम् यो निर्दोषं रचयति वचस्तं बुधा: संतमाहुः ॥४६१।। ભાવાર્થ વ્યસનરહિત જે પુરુષ, ચિત્તને આનંદ આપનાર, શોકસંતાપને દૂર કરનાર, પ્રજ્ઞા પ્રગટાવનાર, કર્ણપ્રિય, ન્યાય માર્ગને અનુસરનાર, સત્ય, હિતકારી, પ્રસાદયુક્ત, અર્થગંભીર, વિરોધરહિત અને નિર્દોષ વચની રચના કરે છે તેને બુધજને સંત કહે છે. એવા સંતને આપણું વંદન હે. ૭૨ નિત્તઃ શાનિત નિતઃ | Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ mon પ્રસ્થાન પ્રવૃત્તિઓ 5--0 પ્રસ્થાન માસિક કિશાર માસિક 4-7-0 સરસ્વતી ગ્રન્થમાળા 2-0-0 6-0-0 ટૅસ્ટેય ગ્રન્થાવલિ શ્રી રવીન્દ્ર ગ્રન્થાવલિ 6-7-0 બૃહદ્ ગુન્યાવલિ ટિક ઇતર વિવિધ પ્રકાશન I પ્રસ્થાન એટલે પ્રગતિ Illllllllllllllll