________________
શ્રીમદુનાં સમારકે
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ-ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.
અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” દેહ છતાં જેણે માન અપમાન સમાન માન્યાં હતાં, એટલું જ નહિ પણ કીતિને કલંકરૂપ માની, “અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે.” આમ જે ગુપ્ત રહેવામાં આનંદ માનતા, તે મહાપુરુષનું તેત્રીસ વર્ષનું ટૂંકું આયુષ્ય વીત્યા પછી પણ તેત્રીસ વર્ષ થઈ ગયાં; તે મહાપુરુષની પ્રશંસા આદિ સાથે તેમને પિતાને કંઈ લેવા દેવા નથી; તેમ આ લેખકને પણ તેમાં કોઈ પણ પ્રકારને લૌકિક લાભ કે સંબંધ નથી. માત્ર મહાપુરુષો જગતના આધાર રૂપ છે; પરમ ઉત્કૃષ્ટ સુખ પામ્યા છે; તે સુખની ઇચ્છાવાળા સજજનોના અવલંબન ભૂત છેઃ સર્વ સુખના દાતા છે; તે પરમ સત્ય તરફ દૃષ્ટિ કરાવવા પૂરતો જ આ પ્રયાસ છે.
આત્મજ્ઞાની પુરુષોના પ્રત્યક્ષ સમાગમે માત્ર એક શબ્દથી જે જીવનપલટ થાય છે તે આવા અનેક ગ્રંથોથી પણ થવા સંભવ નથી એમ પ્રતીતિ છતાં, આટલા બધા શબ્દોની સંકલન કરવામાં એક માત્ર પુરુષની ભકિત કરવાની ભાવના જ હેતુરૂપ છે. ભકતકવિ શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર માં કહે છે?
" अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधा मधुरं विरोति
તરવાડૂતત્રિનિજહેતુઃ ” - ભાવાર્થ-અ૫ શ્રુત જ્ઞાન હોવા છતાં, મહાગ્રુતજ્ઞાનીઓ જેને હસી કાઢે એવી પામર દશા છતાં, હે ! પ્રભુ, માત્ર તારી ભક્તિ મને પરાણે વાચાળ બનાવે છે; કોયલ જે વસંત ઋતુમાં મનહર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org