________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ
અને વિનયસંપન્ન ગણાતા શ્રી લલ્લુજી મહારાજ એક શાસ્ત્ર ભણેલા પાટીદાર ભાઈ દામોદરભાઈ સાથે ઉપરથી વાંચેલાં શ્રી ભગવતી સૂત્રનાં પાનાં આવતાં તે વાંચતા હતા. તેમાં ભાવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય છે એ વાત વાંચતાં શ્રી લલ્લુજીને શંકા થઈ કે જે ભવસ્થિતિ પાકશે ત્યારે મેક્ષે જવાશે એમ જ હોય તો આ સાધુપણું લઈ પરિશ્રમ ઉઠાવવાની શી જરૂર ? એ વાત ચાલતી હતી તેવામાં ભાઈશ્રી અંબાલાલ લાલચંદ આદિ ભાઈઓ વાતો કરતા હતા ત્યાં શ્રી લલ્લુજ મહારાજની દૃષ્ટિ પડતાં તેમને ધર્મનેહથી ઠપકો દીધો કે ત્યાં શું કરો છો ? ઉપર વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાઓ કે અહીં આવો. એટલે તે તેમની પાસે જઈને બેઠા અને “ભવસ્થિતિ” ને પ્રશ્ન ચર્ચાતું હતું તેને ખુલાસે યથાર્થ ન થ એટલે શ્રી અંબાલાલે તેમને શ્રીમદની વાત કહી સંભળાવી કે તે સર્વ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે અને અહીં ખંભાતમાં પધારવાના છે. તે ઉપરથી શ્રી લલ્લુજીએ પૂછ્યું: “અમને તે પુરુષને મેળાપ કરાવશે ?” તેમણે હા પાડી.
હરખચંદજી મહારાજને “ભવસ્થિતિ સંબંધી શ્રી લલ્લુજીએ પ્રશ્ન પૂછો પણ સંતોષકારક ઉત્તર નહિ મળે અને શ્રીમદ્દને આવવાની છે વાત સાંભળવાથી તેમનું ચિત્ત તેમને મળવા તલસી રહ્યું હતું. તેવામાં સં.૧૯૪૬માં શ્રીમદ્દનું ખંભાતમાં પ્રથમ પધારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પિતાના પિતા લાલચંદભાઇની સાથે શ્રીમને અપાસરે તેડી ગયા. શ્રીમદે અવધાન કરવાં છોડી દીધાં હતાં. પરંતુ લાલચંદભાઈ તેમજ હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવધાન કરી બતાવ્યાં. સર્વ સાધુ વર્ગ વગેરે શ્રીમદની વિદ્વત્તા અને અભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા.
બીજે દિવસે શ્રીમદ્દ ઉપાશ્રયમાં આવ્યા અને હરખચંદજી મહારાજને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org