________________
૧૭
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
આણંદથી શ્રીમદ્ નડિયાદ પધાર્યાં હતા. સેવાભક્તિમાં શ્રી અંબાલાલભાઇ બધાં ગામામાં સાથે જ રહેતા. એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી. ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઇ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસે બૈતાલીસ ગાથાએ પૂરી થઇ રહી. ત્યાંસુધી શ્રી અંબાલાલભાઇ હાથમાં ફાનસ ધરી દીવીને પેઠે ઊભા રહ્યા. અનેક વાના અજ્ઞાન અંધકારને દૂર કરનાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારને પરમભક્તિથી વિનયદષ્ટિએ જોતા એ પરમભક્ત શ્રી અંબાલાલભાઇ અનેક જીવાનાં પાપને દૂર કરનાર ગંગાને સ્વર્ગમાંથી પેાતાના પિતૃઓના ઉદ્દાર અર્થે ઉતારવા તપ કરનાર ભગીરથની સમાનતા ધરી રહ્યા હતા. શ્રી વિષ્ણુના ચરણકમળમાંથી ઉત્પન્ન થઇને વહેતી પવિત્ર ગંગાનદી સમાન શ્રી આત્મસિદ્ધિ શ્રીમની લેખિની દ્વારા વેગભરી વહી રહી હતી. રાત્રિના અંધકારને દૂર કરતી ચંદ્રપ્રભા જગતના આનંદને વધારે તેમ અનેક
૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org