________________
૧૧ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ - અવધાનથી શ્રીમની ર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્ર દ્વારા હિંદુસ્થાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે “ભગતના ગામ” તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષ્મી સંબંધી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી. પણ પુણ્યને ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ, ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે તેમાંના કેઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કોઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પિતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તે ઉપાય બતાવવા. વિનંતિ કરી. પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઇને ઘણો ઠપકો આપ્યો અને આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી માયાની વાત કરો છે એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈએ કહ્યું: “બાપજી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org