SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈમાં મુનિસમાગમ ૧૩૧ દેવકરણુજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું: “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?” દેવકરણજી બોલ્યાઃ “ કાયાથી થતું નથી; મનથી થાય છે.” શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે યોગથી સાચવવું જોઈએ.” દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું: “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહળાતી હોય?” શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે ?” આ સાંભળી દેવકરણછ સજજડ થઈ ગયા. શ્રીમદે પૂછયું: “તમે કોણ છો?” દેવકરણજીએ કહ્યું: “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછયું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદે કહ્યું “હે ! મુનિ, નાળિયેરને ગોળ જેમ જુદ રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યફ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયેરમાં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે, તેમ સમ્યફદષ્ટિ સર્વથી જુદે રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યફ 'સમ્યફ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યફ જાણે છે ?” - દેવકરણજીએ ઉત્તર આપ્યોઃ “તે સમ્યફ ન કહેવાય.” શ્રીમદે કહ્યું: “સમકતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિષે તમે વિચારજે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy